<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://linod.it.idolcodesource.in/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=Meghdhanu</id>
	<title>Ekatra Foundation - User contributions [en]</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://linod.it.idolcodesource.in/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=Meghdhanu"/>
	<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/wiki/Special:Contributions/Meghdhanu"/>
	<updated>2026-06-08T16:06:24Z</updated>
	<subtitle>User contributions</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B0%E0%AA%BE._%E0%AA%AC._%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0&amp;diff=111491</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/રા. બ. નંદશંકર તુલજાશંકર</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B0%E0%AA%BE._%E0%AA%AC._%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0&amp;diff=111491"/>
		<updated>2026-05-31T07:51:16Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|રા. બા. નંદશંકર તુળજાશંકર}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘સમાલોચક’(જુલાઈ–સપ્ટેમ્બર)માં ‘વિદ્યમાન ગુર્જર ગ્રન્થકારો’ના શિરોનામની લેખાવલીની શરૂઆત થઈ છે. પહેલો લેખ ‘કરણઘેલા’ના કર્તા રા. બા. નંદશંકર તુળજાશંકર સંબંધી છે. રા. બા. નંદશંકર સુરતના રહેવાસી વડનગરા નાગર જ્ઞાતિના ગૃહસ્થ છે. તેમનો જન્મ ઈ. સ. ૧૮૩૫ના એપ્રિલ માસમાં સુરત શહેરમાં થયો હતો. તેમના પિતાની દ્રવ્ય સંબંધીની સ્થિતિ સારી નહોતી. તે સમય અનુસાર સુરતમાં જેટલું જ્ઞાન મેળવી શકાય તેટલું જ્ઞાન તેમણે પંદર વરસની બાળવયે મેળવી લીધું હતું. અભ્યાસમાં હોંશિયારી બતાવવાથી શિક્ષક મિ. ગ્રેહામની તેમના ઉપર મહેરબાની થઈ હતી. મુંબઈ જઈ અભ્યાસ વધારવાની શક્તિ ન હોવાથી ૧૫-૧૬ વરસની વયે મોનિટરની જગ્યાએથી ચઢતાં ચઢતાં તેઓ એક હેડમાસ્તરની જગ્યા મેળવવાને ભાગ્યશાળી થયા.&lt;br /&gt;
મુંબઈ એલ્ફિન્સ્ટન પાઠશાળા નવી સ્થપાઈ ત્યારે દક્ષિણી અને પારસી વિદ્યાર્થીઓના પ્રમાણમાં ગુજરાતી વિદ્યાર્થી ઘણા થોડા હતા; તેથી તેમને સમજાવી મુંબઈ અભ્યાસ કરવા માટે મોકલવાનું કામ કેળવણીખાતાના વડા મિ. હાવર્ડ તરફથી રા. નંદશંકરને સોંપવામાં આવ્યું હતું. તે કાર્યને અંગે તેઓ મુંબઈ આવ્યા, ને એલ્ફિન્સ્ટન પાઠશાળામાં વખતોવખત જઈ ગુજરાતી અભ્યાસનો ક્રમ કેમ ચાલે છે તે ઉપર દેખરેખ રાખવા લાગ્યા. રા. નંદશંકરને તે વખતે કેટલાંક અંગ્રેજી પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, અને તે પ્રસંગે તેમણે ત્રિકોણમિતિ વગેરે અંગ્રેજી પુસ્તકો ઉપરથી તથા માર્ગોપદેશિકા સંસ્કૃત ઉપરથી ગુજરાતી વિદ્યાર્થીઓ માટે તૈયાર કર્યાં હતાં. આ જ વખતે તેમને મિ. ગ્રેહામે &amp;lt;ref&amp;gt;કરણઘેલામાં લખ્યું છે કે મિ. રસલની સૂચનાથી ગ્રંથ લખ્યો.&amp;lt;/ref&amp;gt; એક સારી નવલકથા ગુજરાતી ભાષામાં લખવા કહ્યું; તે ઉપરથી તેમણે ‘કરણઘેલો’ એ નામનું સુપ્રસિદ્ધ પુસ્તક લખ્યું. તે છપાવી પ્રસિદ્ધ કરવાની શક્તિ તેમની ન હોવાથી તે પ્રસિદ્ધ કરવાનો હક તેમણે સરકારને આપ્યો તેના બદલામાં સરકારે તેમને રૂ. ૧,૦૦૦ નું ઇનામ આપ્યું.&lt;br /&gt;
મ્યુનિસિપાલિટી, લિટરરી અને સોશિયલ મંડળીઓમાં ઉત્સાહથી તેઓ ભાગ લેતા. વર્તમાનપત્રમાં લખવાનો પણ તેમને શોખ હતો. ‘ગુજરાત મિત્ર’ના તેઓ અંગ્રેજી લેખક હતા. મર્હૂમ રા. સા. મહીપતરામ ઇંગ્લૅંડથી આવ્યા તે વખતે તેમના પક્ષ લેવામાં મુખ્ય ભાગ રા. બા. નંદશંકરે લીધો હતો. તેમની જ્ઞાતિમાં લગ્ન, સીમંત અને મરણ વખતે નકામા ખરચ કરવાના રિવાજો સામે તેઓ હિમ્મતથી લડ્યા ને ફાવ્યા. પોતાના કુટુંબમાં લગ્નની વય પણ તેમણે વધારી છે.&lt;br /&gt;
સર થીઓડર હોપ સુરતના કલેક્ટર હતા ત્યારે રા. બા. નંદશંકરની નોકરીની કુશળતાથી સંતુષ્ટ થઈ રેવન્યુ ખાતામાં સારી નોકરી આપવાનું સૂચવ્યું. ઈ. સ. ૧૮૬૪માં રૂ. ૩૮૦/- ના પગારે તે ખાતામાં તેઓ જોડાયા. સને ૧૮૬૮માં તેઓ મામલતદાર થયા. અંકલેશ્વર અને ધંધુકે મામલતદારી કર્યા પછી દેવગઢબારીયાના એડમિનિસ્ટ્રેટર નિમાયા. ત્યાં ૧૮૭૧-૭૫ સુધી રહી રાજ્યની સ્થિતિ સુધારી. તેમની કાર્યકુશળતાથી પ્રસન્ન થઈ સરકારે તેમને લુણાવાડા અને સુંથરામપુરના એડમિનિસ્ટ્રેટર નીમ્યા. ઈ. સ. ૧૮૮૦માં કચ્છના દીવાનની જગ્યા તેમને મળી. ઈ.સ. ૧૮૮૬માં દીવાનગીરી છોડવી પડી ત્યારે રાવે તેમના કાર્યથી સંતુષ્ટ થઈ રૂ. ૧૦,૦૦૦ નું ઇનામ આપ્યું. કચ્છમાંથી તેઓ રેવાકાંઠાના પોલિટિકલ એજંટના આસિસ્ટંટની પદવીએ નીમાઈ આવ્યા. ૧૮૭૭માં દિલ્હી દરબાર વખતે રેવાકાંઠાના પો. એજંટને દિલ્હી જવું પડ્યું ત્યારે પોતાનો ચાર્જ રા. નંદશંકરને આપવાનો હુકમ આપ્યો હતો. તેમની કાર્યદક્ષતાથી સંતુષ્ટ થઈ સરકારે એ ચાર્જ એમને સોંપાવ્યો હતો. આ જ વખતે એમને ‘રાવબહાદુર‘નો ખિતાબ તથા ચાંદ એનાયત થયા હતા. સને ૧૮૮૪માં રાજપીપળાના અંગ્રેજ એડમિનિસ્ટ્રેટરના મદદનીશ તરીકે તેમની નિમણુક થઈ. સને ૧૮૯૦માં ૫૫ વરસની ઉંમરે આંખોમાં કંઈક અચાનક વિકાર થયાથી પેન્શન પર રિટાયર થયા. હાલ તેઓ નિવૃત્તિમાં પોતાનો કાળ નિર્ગમે છે. રાવબહાદુરના જીવન સંબંધી માત્ર એટલું જ કહેવું બસ છે કે તેમની જનમંડળમાં સંપૂર્ણ ખ્યાતિ હોવાથી તેઓ એક ગૃહસ્થ, અધિકારી અને વિદ્વાનને કરવા યોગ્ય કાર્ય કરી લક્ષ્મી અને કીર્તિથી સંતુષ્ટ થઈ કુટુંબની અભિવૃદ્ધિનો ઉદય જોતા સુખથી વાર્ધક્યની વિરતિ લેતા સ્વદેશમાં જ બેઠેલા છે.&lt;br /&gt;
ગુજરાતી ભાષા બોલનારી પ્રજામાં ‘કરણઘેલા’એ દિગંત ડંકો વગાડી તેમને આધુનિક ઐતિહાસિક નવલકથાકારનું કીર્તિવંત પદ અપાવેલું છે. કાઠિયાવાડના જ્યુડિશિયલ આસિસ્ટંટ મિ. કીનકેડે મુંબઈના સુપ્રસિદ્ધ માસિક ‘ઇસ્ટ એન્ડ વેસ્ટ’માં આ ગ્રન્થ પર એક અવલોકન લખ્યું છે. તેમાં ગ્રન્થની સારી પ્રશંસા કરી છે.&lt;br /&gt;
‘સમાલોચક’માં લખ્યું છે કે ‘કરણઘેલા’ની લોકપ્રિયતામાં હજુ સુધી કોઈએ ભાગ પડાવ્યો નથી, તે ખોટું છે. ‘સરસ્વતીચંદ્ર’ ની કીર્તિ આગળ ‘કરણઘેલા’ ની કીર્તિ ઝાંખી છે. કરણઘેલાની કીર્તિ વર્ણનપરત્વે છે. વસ્તુગૂંફન છે પણ બહુ ઊંચા પ્રકારનું નથી. પાત્રાલેખન તો બહુ નિકૃષ્ટ પ્રતિનું છે.&lt;br /&gt;
ગ્રંથનો હેતુ તે વખતનું બને તેટલું ખરું ચિત્ર આપવાનો છે. આ ઉપરાંત હાલમાં સારી ગણાતી રાજ્યવ્યવસ્થા, સંસારવ્યવસ્થા વગેરે તે વખતે પણ કંઈક અમુક સ્થિતિમાં હતાં એમ પણ બતાવ્યું છે. ભૂત પર કંઈક આરોપ થયો છે. ‘કરણઘેલા’ ના અનુકરણથી લખાયેલાં ‘વનરાજ ચાવડો’ અને ‘સિદ્ધરાજ જયસિંહ’માં આ આરોપ સંપૂર્ણપણે થયો છે. આમ કરવાથી ભૂતમાંથી વર્તમાન ઘટાવવા કંઈક સંદેશા, આદેશો, માર્ગ જડે અને નવુંજૂનું લાગવાથી તેનો યોગ્ય સત્કાર થાય એવો હેતુ પણ ખરો.&lt;br /&gt;
‘સમાલોચક’માં રા. બા. નંદશંકરની તસ્વીર આપવામાં આવી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નર્મદજયંતી&lt;br /&gt;
|next = ડાહ્યાભાઈ ધોળશાજી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE&amp;diff=111490</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/નવલકથા</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE&amp;diff=111490"/>
		<updated>2026-05-31T07:49:30Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|નવલકથા}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નાની વાર્તામાં ફક્ત એક જ પાત્ર હોય છે. અમુક પ્રસંગથી તેની સાંસારિક અથવા માનસિક સ્થિતિ તદ્દન પલટાઈ જાય છે. નવલકથામાં અનેક પાત્રોનું સંઘર્ષણ થવાથી એકબીજાનાં જીવન અરસપરસ રંગાય છે. આપણી હંમેશની જિંદગીમાં આપણા સહવાસમાં જે જે વસ્તુઓ આવે છે તેની અસર આપણા પર થયા વિના રહેતી નથી. આપણી જિંદગી પ્રતિબિંબરૂપે દેખાડનાર નવલકથા હોવાથી સંસારની વાસ્તવિકતા ત્યાં સંપૂર્ણપણે જળવાઈ રહે છે.&lt;br /&gt;
અંગ્રેજી સાહિત્યના સંસર્ગમાં આવ્યા પછી નવલકથાનું સાહિત્ય આપણે ઉપજાવ્યું છે. ‘નવલકથા’ શબ્દ જ અંગ્રેજી ‘નૉવેલ’ ઉપરથી પ્રચારમાં આવ્યો છે, નૉવેલ શબ્દ પણ વપરાય છે. બંગાળમાં ઉપન્યાસ શબ્દ પ્રચારમાં છે. વિદેહ મણિલાલ નભુભાઈએ ‘સંસારચિત્ર’ શબ્દ સૂચવ્યો હતો.&lt;br /&gt;
નવલકથાનું સાહિત્ય પરદેશથી આવ્યું છે છતાં નવા વતનના સંસ્કાર પામ્યું છે. ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં નજર ફેરવીએ તે નવલકથાની ગરજ સારે એવું સાહિત્ય શામળે લખ્યું હતું એમ માલુમ પડે છે. રાગબદ્ધ કે છંદોબદ્ધ લેખ લખવાનો પ્રચાર એટલો બધો હતો કે પ્રેમાનંદનાં નાટકો બાદ કરતાં ગદ્યમાં તે વખતે ઘણા જ જૂજ ગ્રંથો લખાયા છે. શામળે વાર્તાઓ છંદોબદ્ધ જ કરી છે. શામળે વસ્તુ હિંદી ગ્રંથો, ભાટચારણોના રાસા, જૈનના રાસા, ફારસી કિસ્સા આદિ સ્થળેથી સંગ્રહ્યું છે. તેના લખાણનું સ્વરૂ૫ તેણે તુલસી, વચ્છરાજ, વગેરે ગુર્જર કવિઓ તેમ જ કેટલાક હિંદી કવિઓના લખાણોની ધાટી પર ઘડ્યું છે.&lt;br /&gt;
આધુનિક ગુર્જર સાહિત્યના ઉદયકાળે શામળની અસર ઘણી જ હતી. એના મુખ્ય અનુયાયી કવીશ્વર દલપતરામ હતા. શામળની જ ધાટી પર એમણે નાનપણમાં એક વાર્તા પણ લખી હતી. સુતરીયા નામના એક પારસી લેખકે ‘કુળવંતી વિલાપ’ નામની વાર્તા શામળના જ ચીલામાં ચાલી રહી છે.&lt;br /&gt;
ગુજરાતમાં નવલકથા – જનસ્વભાવ, સંસારના પ્રતિબિંબનું દર્શન કરાવનાર તરીકે જવલ્લે જ લખાઈ છે. એક સમર્થ પ્રજાના આચારવિચાર સાથે થયેલા સંઘટનના પરિણામે જે જે પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય અને તેમાંથી જે જે સંદેશાનું વહન થાય તે સંદેશા પહોંચાડવા સાધનોની જરૂર પડે છે. શરૂઆતમાં ‘નાટકો’ ને સાધનો તરીકે વાપરવામાં આવ્યાં. તે વખતના સંસારસુધારા વિશેનાં નાટકો જોઈશું તો આપણી ખાતરી થશે કે નવલકથા જો ત્યારે સારી રીતે ખેડાઈ હોત તો નાટકો ન લખાત. કરસનદાસ મૂળજી, નગીનદાસ તુલસીદાસ, રણછોડભાઈ, ઉદયરામ વગેરેની કૃતિનાં અને ‘કાન્તા’ ના નિર્માણમાં અતિશય ફરક છે. રણછોડભાઈનાં જયકુમારી વિજયમાં લાંબા સંવાદ, લાંબા પત્રો વગેરે નવલકથાને યોગ્ય પ્રસંગો ઘણા છે. ત્યાં શામળની અસર ઘણી પ્રબળ જોવામાં આવે છે. કજોડાં, કન્યાવિક્રય, પ્રેમલગ્ન, મદ્ય અને વેશ્યાના સહવાસથી થતી ખુવારીનું દિગ્દર્શન કરાવવા, જનસમૂહને તે માર્ગેથી દૂર ખસેડવા નાટકો લખાતાં. હાલ નાટકોનું એ કર્તવ્ય ખલાસ થયું છે. નાટક સંબંધીની આપણી ભાવના દિન-પરદિન વધતી જાય છે. શેક્સપિયરનાં નાટકોનો પરિચય થતાં આપણી તત્સંબંધી ભાવના તદ્દન ફેરવાઈ ગઈ છે; તેનું પરિણામ એવું આવ્યું છે કે હવે નાટક લખવાની હિંમત કરતાં વિશિષ્ટ સાક્ષરો અચકાય છે. રા. રા. દોલતરામ કૃપારામ પંડ્યાનું ‘અમરસત્ર’ કેટલું બધું નિર્માલ્ય છે! સંસ્કૃત નિયમાનુસાર નાટક લખવા બેઠા પરંતુ નિર્માણશક્તિની ઊણપ હોવાથી એમનું નિબંધન નિકૃષ્ટ પંક્તિમાં આવી ગયું છે! પ્રારંભમાં નાટકથી જે હેતુ સારવા ઉદ્દેશ રખાતો તે હેતુ સાધવા નવલકથાનો હાલ આશ્રય લેવામાં આવે છે. વસ્તુસ્થિતિ આમ બદલાઈ છે છતાં પ્રારંભનો આચાર હજુ તદ્દન નાબૂદ થયો નથી. ‘વસન્ત’માં પ્રસિદ્ધ થતું ‘બાલસિંહ મોતીબા’નું નાટક તે સમયનો સંપ્રદાય જાળવી રાખે છે.&lt;br /&gt;
નવલકથાસાહિત્યનો પરિચય થતાં આપણી ભાષામાં નવલકથાનો જન્મ થયો. વાર્તા, કહાણી, ટુચકા, કિસ્સા આદિથી નવલકથા કેવી રીતે જુદી પડે છે તે જાણવું આવશ્યક છે. વાર્તા, કહાણીમાં અમુક હકીકત, વૃત્તાંત કેવી રીતે બન્યાં હતાં તે વર્ણવવા ઉપરાંત બીજું કાંઈ વિશેષ નથી હોતું. ટુચકામાં અમુક ખાસિયતના મનુષ્યો વિશેના હાસ્યોત્પાદક પ્રસંગો અથવા શિખામણ મળે એવા પ્રસંગોનું ટૂંકું કથન હોય છે. કિસ્સામાં કોઈ પણ પ્રકારનું ઐક્ય નથી હોતું; અદ્ભુત પ્રસંગો એક પછી એક આવતા જાય છે; મુખ્ય નાયકના પાત્ર ઉપર જ વિશેષ ધ્યાન અપાય છે, તેનાં પરાક્રમ, ગૌરવ, મહિમા વધારવામાં જ જ્ઞાન, પ્રતિભા આદિ શક્તિઓનો ઉપયોગ થાય છે. મુખ્ય નાયકનાં પાત્ર નિર્મવામાં પુષ્કળ લક્ષ આપવાથી બીજાં પાત્રોનું નિર્માણ સારું થઈ શકતું નથી.&lt;br /&gt;
નવલકથા અને ઉપરના કથાપ્રભેદોમાં મોટો ભેદ વસ્તુગુંફન પરત્વે હોય છે. વાર્તા આદિમાં વસ્તુ હોય છે પરંતુ ગુંફનમાં વપરાયેલું કૌશલ નવલકથામાં ઓતપ્રોત હોય છે તેનાથી અતિશય નિકૃષ્ટ હોય છે.&lt;br /&gt;
વસ્તુનું મુખ્ય કર્તવ્ય એક પ્રશ્ન(issue) ઉદ્ભૂત કરવો અને તેનો નિર્ણય કરવો. છેવટે નિરાકરણ શું થશે તે જાણવાની જિજ્ઞાસાથી પ્રેરાઈ વાંચનાર રસમાં બૂડી એકચિત્તથી આખી કથા વાંચી જાય છે. વાર્તા, કહાણી કિસ્સામાં ઘણી વેળા પ્રશ્ન ઉત્થાપિત કરવામાં આવતા જ નથી – કદી કદી આવે છે તો તેનું નિરાકરણ ઝટ પામી જવાય છે. વાંચનારનો રસ કિસ્સાનવીસ અદ્ભુત પ્રસંગો, ભાષાની છટા, વાક્ચાતુર્ય વગેરેથી જમાવે છે. નવલકથા આમનો આશ્રય લે છે છતાં વસ્તુગુંફન પરત્વે ઉત્પન્ન થયેલું કલાવિધાન ઓર જ પ્રકારની રસિકતા લાવે છે.&amp;lt;ref&amp;gt;વસ્તુગુમ્ફન પ્રશ્નની કેટલી સેવા બજાવે છે તેનો એક દાખલો આપવાથી તેનું મહત્ત્વ સમજાશે. સરસ્વતીચંદ્ર અને કુમુદસુન્દરીનાં લગ્ન થવાનાં હતાં પરંતુ થયાં નહીં. કુમુદસુંદરી પ્રમાદધન સાથે પરણી; અમુક કારણસર પ્રમાદધન નદીમાં અદૃશ્ય થયો. કુમુદસુંદરી કુંવારી છે. હવે સરસ્વતીચંદ્રની સાથે કોનું લગ્ન થાય છે—કુમુદનું કે કુસુમનું તે જાણવાની ઉત્કંઠા ‘સરસ્વતીચંદ્ર’નો ત્રીજો ભાગ વાંચ્યા પછી દરેક વાંચનારને થઈ હતી. ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગ વિશે છૂટીછવાઈ જે હકીકત બહાર આવતી તે સાંભળતી વખતે પણ ‘લગ્ન’નો જ પ્રશ્ન ઊઠતો. ૧૯૦૧ની દિવાળી વખતે ચોથો ભાગ પ્રસિદ્ધ થયો. મુંબઈથી એ ભાગ ખરીદી લેખક પોતાને દેશ જતો હતો. આણંદના સ્ટેશને દાક્તર નાડ તપાસવા આવ્યો. એક પ્રવાસી મિત્ર ‘સરસ્વતીચંદ્ર’ વાંચતો હતો. ખાના આગળ આવતાં જ દાક્તરે સવાલ પૂછ્યો : ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ બહાર પડ્યો? છેવટે કોનાં કોનાં લગ્ન થયાં?’ લેખકે જવાબ આપ્યો કે કુસુમ અને સરસ્વતીચંદ્ર પરણ્યાં. દાક્તરની જિજ્ઞાસા સંતૃપ્ત થઈ. અમારા ખાનામાં બેઠેલાની નાડ જોયા વિના આગળ તે ચાલ્યો ગયો. છેવટે શું થયું તે જાણવાની ખાતર કિંમત વધારે લાગેલી હોવા છતાં ચોથા ભાગનો ઉપાડ કેટલેક સ્થળે સપાટાબંધ થયો હતો.&amp;lt;/ref&amp;gt; વસ્તુને આરંભ અને અંત હોવાં જોઈએ. આરંભથી અંતમાં ક્રમશઃ જવાનું જોઈએ, વચ્ચે અટકી પડવું ન જોઈએ. આરંભથી ક્રમશઃ વિકાસ પામતાં પરાકોટિએ પહોંચી ત્યાંથી ક્રમશઃ અંતે પહોંચવું જોઈએ. અમુક આકારમાં વસ્તુ ગૂંથાવું જોઈએ. આકાર લક્ષમાંથી ખસી ન જવો જોઈએ. આકારની ઘટના જોઈએ તેવી કરવા માટે જિંદગીને બરાબર તપાસવી પડે છે, પસંદગી કરવી પડે છે, સરસમાં સરસને અગાડી લાવવાનું હોય છે. ઘણું અપહ્નુત રાખી થોડાં ઉત્કૃષ્ટનું દર્શન કરાવી શકાય છે. રંધો મારી છોલી લીસું કરવું પડે છે. ઓપી, તાસી, ચળકતું કરવું પડે છે. વસ્તુના સર્વ અંગની નિષ્પત્તિ – નિર્મિતિ -સમપ્રમાણમાં થવી જરૂરની છે; એવું કૌશલ વપરાવું જોઈએ કે જેનું દર્શન કરાવવું આવશ્યક હોય તેનું જ દર્શન થાય. જે અપહ્નુત રાખવું હોય તે અપદ્ભુત જ રહે. કથાના વાણાતાણામાં કોઈ પણ તરેહની ખૂંચ રહી જવી ન જોઈએ. એક અંગ્રેજ લેખકના નીચેના શબ્દ ધ્યાનમાં લેવા જોગ છે.&lt;br /&gt;
‘Like the composition of a picture or a symphony, a plot in the first place should be decorative, it must disclose the beauty of balance, it must partake of the nature of a pattern. A plot cannot be like life: but life may on rare occasions, by sheer accident, fail into a design and so resemble a plot just, as ink spilt on a tablecloth will sometimes make a design.’&lt;br /&gt;
વસ્તુ નિર્દિષ્ટ થયા પછી વિગત, હકીકતનોં સવાલ રહે છે. સૌ સૌની તાકાત મુજબ વિગતનું આલેખન થાય છે. વિગત એકની એક હોય તોપણ વસ્તુગુમ્ફન પરત્વે પ્રતિભાશાળી જે ચિરંજીવતા તેને માટે પ્રાપ્ત કરી શકે છે તે હલકી પ્રતિનો લેખક નથી મેળવી શકતો. વિગત લાંબી કે ટૂંકી, છવાયેલી કે ખીચોખીચ રાખવી એનો આધાર જે વખતે તે નિબંધ રચાય તે વખતની સાક્ષર આબોહવા ઉપર હોય છે.&lt;br /&gt;
પોતાની સન્મુખ જેટલી વિગત હોય તેટલીનો ઉપયોગ ન કરતાં તેમાંથી પસંદ કરી પોતાની કૃતિને ઉત્કૃષ્ટ બનાવવા તરફ કેટલાકનું લક્ષ હોય છે. કેટલાક બધી વિગતનો ઉપયોગ કરી ધારેલો અર્થ સાધે છે.&lt;br /&gt;
વિગત માટે બે વાદ છે. મનુષ્યજીવન જેવું છે તેવું ને તેવું જ આલેખવું કે તેની સત્પળો જ આલેખવી? મનુષ્યજીવનમાં કલહ, અસંતોષ, ઈર્ષ્યા, વ્યભિચાર, ઇત્યાદિ પાપની અધમોધમ કોટિનું દર્શન કરાવી સદ્ગુણ તરફ મનુષ્યોને દોરવા એમાં ખરું કલાવિધાન સમાયું છે? દુર્ગુણ, પાપ ન હોત તો સદ્ગુણ, પુણ્યની કિંમત સમજાત નહીં. જગતમાં આ સર્વ દ્વંદ્વનું સંઘટ્ટન થાય છે, તેનું પરિણામ અનેકધા આવે છે, ને તે પરિણામનું નિરૂપણ ધર્મ વિવિધ રીતે કરે છે. સંઘટ્ટનનું દર્શન કરાવવું આવશ્યક છે, પરંતુ પાપના કર્દમમાં ખદબદતા કીડાનું જીવન, તેમને ખમવી પડતી વેદના, નિરન્તર એવા સહવાસમાં રહેવાથી ઊપજતી નિષ્ઠુરતા, — તેમાંથી પરિણમતી આત્મા અને મનુષ્યત્વને હાનિ આદિનું ભયંકર અને કારમી રીતે દર્શન કરાવવું એ કલાવિધાનનો હેતુ છે એવું એક વાદ સ્થાપિત કરે છે. મનુષ્યજીવનનું ખાસ લક્ષણ પાપનો કર્દમ નથી પરંતુ કદી કદી સ્વપ્ન માફક આવતી ધન્ય પળો છે – તેમને પકડી યથાસ્થિત આલેખન આપવામાં જ કલાવિધાયકનું કર્તવ્ય છે એવી બીજા વાદની ભાવના છે.&lt;br /&gt;
મનુષ્યોની અધમતાને નિર્દયતાથી ચીતરવી એ ઘણાંને નહીં રુચે; તેથી પ્રથમ વાદને સર્વત્ર વિજય મળે એ શંકાસ્પદ છે. એમ છતાં એ વાદની ઘણી અસર થઈ છે. એ વાદનો મુખ્ય સિદ્ધાંત એવો છે કે જેવું વર્ણન કરવું હોય તે જાતે જોઈતપાસી આવવું જોઈએ. વિગતમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન આવવી જોઈએ. જે સ્થળનું, ત્યાં વસતા જે લોકોનું વર્ણન કરવું હોય તે સ્થળે જઈ તેમના ભેગા થોડો કાળ રહી ત્યાંની પૂર્ણ માહિતી મેળવી ધારેલું કામ હાથમાં લેવું. ઘણી વખત અંગ્રેજી વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ કે ફલાણો ફલાણો લેખક ફલાણા ગામમાં પોતાની નવી નવલકથા લખવા ગયો છે. આપણે ત્યાં તો ‘સુવર્ણપુર’ અને ‘રત્નનગરી’ તથા ‘સુન્દરગિરિ’ જેવાં ઉટંગ સ્થળો નીપજાવી કાઢવાનો પવન પડશે ત્યારે હયાત સ્થળોનો જોઈએ તેવો ઉપયોગ થશે.&lt;br /&gt;
ઇતિહાસ કે કોઈ વિજ્ઞાન શાસ્ત્ર પરત્વેના વિષય પર નવલકથા લખવી હોય તો તે વિષયનું પરિપૂર્ણ જ્ઞાન સંપાદવું આવશ્યક ગણાય છે. જે સમયનો ઇતિહાસ ઉપયોગમાં લીધો હોય તે સમયના રીતરિવાજ; આચારવિચાર; રાજકીય કે આર્થિક સ્થિતિ; પહેરવેશ, સરસામાન વગેરેની સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ. ‘વનરાજ ચાવડા’માં વનરાજને આ જમાનાનો મનુષ્ય બનાવ્યો છે એ કાળવ્યુત્ક્રમની જબરી ભૂલ લેખાય. ‘સિદ્ધરાજ જયસિંહ’માં પારસીઓની હાલની ઉદારતાનું ચિત્ર આપવું એ પણ એ જ દોષને આધીન છે. સ્થળનાં વર્ણન હોય તેવાં જ આપવાથી તે સ્થળો યાત્રાસ્થાન થઈ પડ્યાં છે – અમુક પ્રદેશનાં વાસ્તવ વર્ણન આપવાથી તેમના વિશેનું જ્ઞાન અવિચ્છિન્ન સ્થિતિમાં ફેલાય છે. &amp;lt;ref&amp;gt;‘સાહિત્ય’ ૧૯૦૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કાર્યનો પ્રદેશ&lt;br /&gt;
|next = નર્મદજયંતી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%88%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AB%81_%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7_%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A6%E0%AB%AE&amp;diff=111489</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ઈસુનુ વર્ષ ૧૯૦૮</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%88%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AB%81_%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7_%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A6%E0%AB%AE&amp;diff=111489"/>
		<updated>2026-05-31T07:47:33Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ઈસુનું વર્ષ ૧૯૦૮}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવજીવનના ઇતિહાસ પંચાંગોથી નથી ઘડાતા તોપણ એક વર્ષ દરમ્યાન થયેલી પ્રવૃત્તિની નોંધ લેવામાં આવી હોય તો ભવિષ્યમાં તવારીખ- નવેશનું કામ સરળ થઈ જાય. ગુજરાત પોતાની પ્રવૃત્તિનું સરવૈયું કાઢે તો અનેકધા લાભ થવાનો સંભવ છે.&lt;br /&gt;
ગયા વર્ષથી ગુજરાતી સાહિત્યનું સિંહાવલોકન કરવાની જે પ્રથા આ માસિક ‘જ્ઞાનસુધા’માં શરૂ થઈ છે તેને અન્વયે, મુખ્ય ઉદ્દેશને સહેજ વિસ્તારી આ લેખ લખવામાં આવ્યો છે.&lt;br /&gt;
આવો લેખ લખવાનાં સાધનો&amp;lt;ref&amp;gt;સરકારી ત્રિમાસિક રિપોર્ટો, પત્રોના ગ્રંથસ્વીકાર અને ગ્રંથાવલોકન, ગ્રંથપ્રસિદ્ધિની જાહેરખબરો અને ખાનગી માહિતી સિવાય આવા લેખ લખવાનાં સાધનો નથી. પ્રસ્તુત લેખ માટે બને તેટલી માહિતી મેળવવા આ પત્રના તંત્રી રા. જીવનલાલે મુદ્રાયંત્રોના માલિકોને, ગ્રંથપ્રસારક મંડળોના મંત્રીઓને અને ગ્રંથવિક્રેતાઓને પત્રો લખ્યા હતા. પરંતુ મુંબઈની ડી. લક્ષ્મીદાસની કંપની, વડોદરાના શ્રી શ્રેયઃસાધક અધિકારી વર્ગ, ‘શારદાભવન’ પ્રેસ, અને અમદાવાદના ‘જૈનસમાચાર’ તરફથી જ જવાબ આવ્યા. જેમ જેમ આવા લેખની ઉપયોગિતા સમજાતી જશે તેમ તેમ આ દિશામાંથી સારી મદદ મળવાનો સંભવ છે.&amp;lt;/ref&amp;gt;મેળવવાની ઘણી મુશ્કેલી છે. વખતોવખત થતી સાહિત્યપ્રસિદ્ધિની સંપૂર્ણ માહિતી આપે એવું મંડળ યા પુસ્તકાલય યા માસિક ગુજરાતમાં નથી. સરકારી ત્રિમાસિક રિપોર્ટોમાં પુસ્તકોની નામાવલી ઘણી મોડી છપાય છે; વળી ‘રજિસ્ટર’ કરવા ન મોકલેલાં તેમજ દેશી રાજ્યોમાં પ્રકટ થયેલા ગ્રંથો તેમાં નોંધાતા નથી, એટલે આવો લેખ સર્વતઃ સંપૂર્ણ લખી ન શકાયો હોય તો દરગુજર કરવા વાંચકોને વિનંતી છે.&lt;br /&gt;
જેવું જીવન તેવું સાહિત્ય. જીવનમાં વહેતાં બળોનો પ્રભાવ સાહિત્યમાં અંકાય છે. એટલે એ બળો વિષે કાંઈક જાણવું અવશ્યનું થાય છે. મનુષ્યોના ઐહિક અને આમુષ્મિક અર્થો સિદ્ધ કરવા નાના પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે, અને એ પ્રવૃત્તિઓમાંથી જન્મતાં બળો માનવજીવન ઘડે છે. ધર્મ, સંસાર, રાજ્ય આદિ પરત્વે થતી પ્રક્ષોભણા – મંથનના પડઘા સાહિત્યમાં સંભળાય છે યા તો તેમનો પટ સાહિત્યને બેસે છે.&lt;br /&gt;
ધર્મ પરત્વે ખ્રિસ્તી પાદરીઓને લીધે જે પ્રક્ષોભણ થયું હતું તે બહારથી શમ્યું છે, પણ અંતર પ્રક્ષોભણા શરૂ થઈ ચૂકી છે. પાદરીઓ અને તેમનાં કામ તરફ અણગમો ફેલાતો જોવામાં આવે છે. આ અણગમો બતાવતી વખતે તેમણે ફેલાવેલી કેળવણી અને આણેલી ધાર્મિક જાગૃતિ વીસરી ન જવી જોઈએ. કન્યાકેળવણી માટે તેમ જ સસ્તે દરે માધ્યમિક અને ઊંચી કેળવણી આપવા એમણે ઓછું કર્યું નથી. ગુજરાતમાં રેવરંડ એંડ્રુઝ કે મૅકનીકોલ જેવા પાદરીઓ આવશે તો આ અણગમો ઘટવાનો સંભવ છે.&lt;br /&gt;
પ્રાર્થનાસમાજના અનુયાયીઓએ ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ કરવામાં સારો ફાળો આપ્યો છે. બંગાળની બ્રાહ્મસમાજ અને મુંબઈના પ્રાર્થનાસમાજમાં તેવું ચેતન સ્ફૂરતું જણાય છે. એ ચેતનના પ્રભાવ નીચે ગુજરાતની પ્રાર્થનાસમાજ પણ આવશે. ‘જ્ઞાનસુધા’ આ પંથનું માસિક છે.&lt;br /&gt;
કાઠિયાવાડમાં જન્મેલા દયાનંદ સરસ્વતી પંજાબમાં નવું જીવન લાવી શક્યા.  ગુજરાત હજુ એમના સિદ્ધાંતોની મૂલવણી કરી શક્યું નથી. સુરત જિલ્લાના ગામડામાં નવી શક્તિ, નવી દૃષ્ટિ આર્યસમાજથી આવી છે.&lt;br /&gt;
આર્યસમાજમાં હિંદીપ્રજાનું ઐક્ય કરવાની શક્તિ છે. હિન્દુ, મુસલમાન, પારસીને એ પંથમાં આદરસત્કારથી લેવાય છે. મિ. ખબરદાર એ પંથના કવિ છે. શાસ્ત્રાર્થની વિતંડા એ પંથ છોડી દે તો ઘણું કરી શકે. આ પંથ તરફથી મુંબઈમાં એક સાપ્તાહિક નીકળે છે.&lt;br /&gt;
પરમહંસ રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના શિષ્યો ગુજરાતમાં હશે તો તે છૂટાછવાયા છે.&lt;br /&gt;
યુરોપ અમેરિકાથી આવેલા બ્લાવટસ્કી અને ઓલ્કોટે સ્થાપેલી ‘થિયોસોફિકલ સોસાયટી’ સુરત અને કાઠિયાવાડમાં પ્રબળ છે. ધર્મશિક્ષણ અને જ્ઞાનપ્રસારણ માટે હિંદમાં બીજે તેમ આપણે ત્યાં એ મંડળ તરફથી પ્રયાસ થાય છે. એ મંડળના અનુયાયીઓ તરફથી સાહિત્યસેવા પણ થાય છે. એ મંડળના સિદ્ધાંતોનું પ્રતિપાદન જેમાં કર્યું હોય એવા અંગ્રેજી ગ્રંથોનાં ભાષાંતર તેમજ એ સિદ્ધાંતો ચર્ચતા સ્વતંત્ર ગ્રંથો દર વર્ષે ગુજરાતના ‘થિયોસોફીસ્ટો’ તરફથી પ્રગટ થાય છે. રા. મણિલાલ નથુભાઈ દોશીએ એ પંથના સાહિત્યમાં એક સ્વતંત્ર પુસ્તક લખી વધારો કર્યો છે. પ્રો. મણિલાલનું ‘સુદર્શન’ અને સુરતમાં નીકળતું ‘જિજ્ઞાસુ’ એ પંથનાં વાજિંત્રો છે. અગાઉ એ મંડળ તરફ યુવાન વર્ગ જેટલો આકર્ષાતો હતો તેટલો હાલ આકર્ષાતો નથી. પારસીઓમાં એ મંડળના સિદ્ધાંતો પ્રસરતા જાય છે.&lt;br /&gt;
હવે વડોદરા અને બીલખામાં ચાલતા સંપ્રદાયો – શ્રીમન્નૃસિંહાચાર્ય અને શ્રીમન્નથુરામ શર્માએ પ્રચલિત કરેલા સંપ્રદાયોની પ્રવૃત્તિ નિહાળીએ.&lt;br /&gt;
શ્રીમન્નૃસિંહાચાર્યે પ્રકટાવેલી સાહિત્યધારા એમના અવસાન પછી સુકાઈ નથી પણ વિપુલ થતી જાય છે. ‘મહાકાલ’, ‘પ્રાતઃકાલ’, ‘યમદંડ’, ‘ધર્મધ્વજ’, ‘ભક્ત’ આદિ એ સંપ્રદાયનાં વાજિંત્રો છે. ખ્રિસ્તીઓની માફક પોતાના સિદ્ધાંતો સરળતાથી ફેલાવવા અને પોતાની ભાવનાનુસાર ગુજરાતનું જીવન ફેરવાય એવી જોગવાઈ ઉપજાવવા નાના પ્રકારના ગ્રંથો શ્રી શ્રેયઃસાધક વર્ગ તરફથી વખતોવખત બહાર પડે છે. વર્ષમાં એ મંડળના સર્વે અનુયાયીઓ બે વખત એકત્ર થાય છે. આ સમારંભોના પ્રસંગે થયેલાં ભાષણો અને ભજનો સંગ્રહાઈ પ્રકટ કરવામાં આવે છે. પ્રો. મણિલાલના મરણ પછી પર્યેષક ચર્ચા ગુજરાતમાં મોળી પડી ગઈ છે, તોપણ શ્રેયઃસાધકો તરફથી એ દિશામાં વિવેચનો અવારનવાર થયાં જાય છે. પ્રો. જેકીસનદાસ કણીઆ અને રા. રા. નર્મદાશંકર દેવશંકર જેવા દાર્શનિક એ મંડળમાં છે. એ મંડળને અમેરિકાના એમના જેવા જ ઉદ્દેશવાળાં મંડળો સાથે સંબંધ છે.&lt;br /&gt;
દરેક નવા પંથમાં આદ્ય શિષ્યાઓ સારી સેવા બજાવે છે. વિધવાઓના ઉદ્ધાર સારુ અને સ્ત્રીશિક્ષણ માટે જેવા પ્રયાસો બંગાળ, મદ્રાસ, મહારાષ્ટ્ર કે પંજાબમાં થયા છે તેવા ગુજરાતમાં કરવા તેઓ ઉદ્યુક્ત થયાં છે.&lt;br /&gt;
આપણા દેશમાં હાલમાં ઘુમતાં નવાં રાજકીય કે સાંસારિક બળોને ઉત્તેજન કે પોષણ આ પંથમાંથી મળશે તો વલ્લભ કે સ્વામિનારાયણના સંપ્રદાય જેવું એનું જીવન નહીં થાય.&lt;br /&gt;
બીલખાના આનંદાશ્રમ તરફથી ‘ઉપદેશ ગ્રંથાવલિ’ નામે ચોપાનિયું દર મહિને બહાર પડે છે. ઉપનિષદ્, ગીતા, યોગના ગ્રંથો વગેરે વગેરેનાં રહસ્ય પણ પ્રગટ થાય છે.&lt;br /&gt;
આ બન્ને પંથોમાં નવું કાંઈ નથી, જૂનું છે તે ફરી કહેવામાં આવે છે. જડ થયેલા પંથોમાંથી નીકળી આ નવા – નવા એટલે જડ નહીં એવા – પંથમાં ભળે છે. સામાજિક સુધારણા પરત્વે એ પંથોની દૃષ્ટિ ઉદાર છે.&lt;br /&gt;
જૂના સંપ્રદાયોમાં પણ દેશમાં થયેલી જાગૃતિના પડઘા સંભળાય છે. વૈષ્ણવો પોતાની પરિષદ ભરે છે, હજુ એ મંડળ તરફથી પોતાના સંપ્રદાયના ગ્રંથોની પ્રસિદ્ધિ, તેમના તરજુમા, વગેરે થવું જોઈએ તેવું થયું નથી; આચાર્યોની કેળવણી અને પૈસા ખરચવાની સત્તા વિશે ચર્ચા થઈ નિર્ણય થયા નથી; જમાનાને યોગ્ય એમનાં ક્રિયાકાંડમાં – મંદિરોમાં થવા જોઈતા સુધારા સૂચવાયા નથી; વગેરે વગેરે. સ્વામિનારાયણ અને શંકરાચાર્ય વચ્ચે થયેલા ઝઘડાની સલાહસંપથી પતાવટ થઈ ગઈ છે અને નાહકનું ઊભું થયેલું ધતિંગ જતું રહ્યું છે. એ પંથોમાં હજુ જાગૃતિ આવી લાગતી નથી. ‘સનાતન ધર્મ મહામંડળ’ જેવી સંસ્થાના વક્તાઓ, સંન્યાસીઓ વગેરે તરફથી લોકોને તેમનો ધર્મ સમજાવવા અથવા પોતાની વિદ્વત્તા પ્રદર્શિત કરવા વ્યાખ્યાનો થયાં જાય છે. બાહ્ય આઘાતોથી તેમ જ રાજકીય ભીંસથી સનાતનીઓના મમત અને અંધશ્રદ્ધા છૂટશે અને વિવેકબુદ્ધિનો ઉપયોગ વધશે એવું લાગે છે.&lt;br /&gt;
દિવસે દિવસે ભગવદ્ગીતાનો પ્રચાર અધિકાધિક વધતો જાય છે, અનેક દૃષ્ટિબિંદુથી તેનાં ભાષાંતરો થાય છે, તેના પર વિવેચનો થાય છે, નાનાવિધની તેની આવૃત્તિઓ પણ કઢાય છે. રા. અનંતપ્રસાદ ત્રિકમલાલનું રામાનુજાનુયાયી ભાષાંતર ગયે વર્ષે બહાર પડ્યું છે. રાધનપુરના માજી દીવાન પોતાની જિંદગીનો નમતો પહોર કથાકીર્તનમાં ગાળે છે. ‘આનંદ’ નામનું માસિક પણ એમના લેખોથી ભરાય છે.&lt;br /&gt;
ધર્મગ્રંથો અમુક ભાષામાં જ વાંચવા જોઈએ એમ નથી. તેમાં સમાયેલા વિચારો દરેક જણને પોતાની જન્મભાષામાં પ્રાપ્ત થાય તો જ તે વિચારો સમજી આચારમાં ઉતારી સંસાર સાર્થક કરી શકાય. પદ્યબંધ ભાષાંતર પંડિત ગટુલાલજી તેમ જ બીજાઓ તરફથી થયું હતું. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીનો દેહ પડ્યો ત્યારે એમનું કરેલું પદ્યબંધ ભાષાંતર પ્રેસમાં હતું, અને જાહેરખબર ઉપરથી જણાય છે કે થોડા વખતમાં રા. નાનાલાલ દ. કવિ ગીતાનું સમશ્લોકી ભાષાંતર બહાર પાડનાર છે.&lt;br /&gt;
ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે ગ્રંથપ્રસિદ્ધિ એ ઉત્તમ સાધન છે એવું એ પંથના અનુયાયીઓ માને છે અને તે સારુ અઢળક દ્રવ્ય ખર્ચે છે. આર્યધર્મ શાસ્ત્રો પણ એવી જ રીતે ગુજરાતમાં પ્રચાર પામે એવા સ્તુત્ય ઉદ્દેશથી ભિક્ષુ અખંડાનંદે ‘સસ્તું સાહિત્ય વર્ધક મિત્રમંડળ’ સ્થાપ્યું છે. ત્રણ આનાના જૂજ મૂલ્યે ‘ભગવદ્ગીતા’ મળી શકે એવી આવૃત્તિ એ મંડળે છપાવી છે. એક સાપ્તાહિક પત્રમાં જે આરોપો અને નિંદા એ મંડળ ઉપર વર્ષાવવામાં આવ્યાં હતાં તે તદ્દન અયોગ્ય અને અનુચિત હતાં. એમની યોજના વાંચી વિચારી જવા દરેક દેશી જનને અમારી વિનંતિ છે, અને યથાશક્તિ, યથામતિ એ યોજનાને ઉત્તેજન આપવાથી દેશને અનેકવિધનો લાભ થવાનો સંભવ છે.&lt;br /&gt;
ધર્મ – રાજ્ય – સંસારના મહાપ્રશ્નોના નિરાકરણ કરવામાં અનેક રીતે ભગવદ્ગીતા સહાયભૂત થશે એવી દૃઢ પ્રતીતિ જનસમાજમાં ફેલાતી જાય છે.&lt;br /&gt;
જૈનોમાં પણ ધર્મજાગૃતિ થઈ છે. અનેક સ્થળે સભાઓ સ્થપાઈ છે, પ્રાચીન ગ્રંથો છપાય છે, ગુજરાતીમાં ભાષાંતરો થાય છે, ધાર્મિક વિધિઓ બરાબર પાળી શકાય એટલા સારુ તેમના સંબંધી સરળ લખાણો થાય છે. મંદિરોના જીર્ણોદ્ધાર થાય છે, તેમ જીવનના ધર્મના જીર્ણોદ્ધાર કરવા પણ પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે. શ્રીમદ્ રાજચંદ્રે પ્રગટાવેલા વિચારોના પડઘા ‘સનાતન જૈન’માં સંભળાય છે, અને જૈનસંઘમાં ઉદારતા, ગંભીરતા અને ઉચ્ચતા પ્રેરવા એ મહાનુભાવના અનુયાયીઓ મથે છે. સંઘના ત્રણ વિભાગને એકત્ર કરવા, ધર્મમાં વિવેકબુદ્ધિને પ્રવેશ આપવા, રાજ્ય – સંસારના પ્રશ્નોમાં લક્ષ આપવા ‘સનાતન જૈન’ પોકારી પોકારી પોતાના હમદીનોને જાગૃત કરે છે. એમનામાં સ્ત્રીકેળવણી વધે છે, પણ નારીપ્રતિષ્ઠા ઉન્નત કરવા વિચારણા થતી લાગતી નથી.&lt;br /&gt;
મુસલમાનોમાંથી પણ સુસ્તી ઊડી ગયેલી લાગે છે. અલીગઢ અને ઢાકાથી પ્રગટેલા વિચારપ્રવાહમાં યુગયુગની ચડેલી રજ ધોવાઈ જશે.&lt;br /&gt;
પારસીઓમાં પણ પોતાનો ધર્મ યથાર્થ સમજવા – સમજી તે મુજબ આચરવા – પ્રવૃત્તિ ચાલી રહી છે.&lt;br /&gt;
સર્વત્ર સ્ફૂરણ પેઠું છે – જાગૃતિનાં ચિહ્ન દૃષ્ટિને પથે ચડે છે.&lt;br /&gt;
ધર્મમંદિરોની ઊપજ સાર્વજનિક કામોમાં વાપરવા માટે વડોદરામાં સરકારી કાયદાથી સરળતા થઈ છે, અને બીજે લોકમતથી સરળતા થવાનો સંભવ છે.&lt;br /&gt;
બંગાળા કે મહારાષ્ટ્રમાં જેટલું રાજકીય વિષયોમાં ધ્યાન અપાય છે તેટલું ગુજરાતમાં અપાતું નથી. અર્ધા ઉપરાંત ગુજરાતમાં છૂટાંછવાયાં નાનાંમોટાં દેશી રાજ્યો છે. આ ‘સ્વરાજ્ય’માં રાજકીય ચળવળ જન્મી શકતી નથી. અમદાવાદ કે સુરતના રહેનારને જેટલી લાગણી બંગાળ કે પંજાબના લોકોના સુખદુઃખ માટે થાય છે તેટલી જૂનાગઢ કે ભાવનગરની રૈયતને એકબીજા સારુ નથી થતી. મુંબઈમાં જે પ્રતાપ કચ્છી, કાઠિયાવાડીઓ દાખવે છે તે ‘દેશ’માં બતાવી શકતા નથી. તોપણ સમગ્ર હિંદમાં ફરી વળતી રાજકીય ભરતીનાં મોજાં ગુજરાતમાં પણ ફરી વળ્યાં છે. વડોદરાના દેશાભિમાની નરેશ્વરે પોતાની રૈયતનું રાજકીય જીવન કેળવવા માંડ્યું છે. તે ઉપરાંત સુરતમાં ઈ. સ. ૧૯૦૭માં કૉંગ્રેસમંડપમાં અને બહાર જે દારુણ યુદ્ધ થયું તેની અસર ગુજરાતમાં થઈ. ગુજરાતમાં બે વખત કૉંગ્રેસ ભરાઈ; એક અમદાવાદમાં અને બીજી સુરતમાં. આ બે વખતે જણાયેલી લોકોની જાગૃતિમાં ઉત્સાહ—આગ્રહ—રસમાં આસમાન જમીનનો ફેર લાગે છે.&lt;br /&gt;
ગુજરાતમાં નેતા નથી : બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ વગેરે પ્રાંતોમાં છે તેવા નેતા નથી. મુંબઈમાં, અમદાવાદમાં કે દેશી રાજ્યોમાં બુદ્ધિશાળી ગુજરાતીઓ અનેકઘા દેશહિતનું કામ બજાવે છે. પણ ગુજરાતને દોરનાર નેતાઓની તો ખોટ જ છે. અમે સર્વે ગુજરાતી છીએ—હિંદુ, મુસલમાન, પારસી હોવા છતાં ગુજરાતી છીએ — એવી ભાવના જનેજનમાં જગાવે અને દક્ષિણી કે બંગાળીના જેવો પ્રતાપ ગુજરાતીઓ ગુજરાતમાં અને ખંડખંડના પરદેશનિવાસમાં બતાવે એવા એમને શક્તિમાન કરે એવા નેતાની આપણે ત્યાં ખોટ છે. હિંદુસ્તાનનાં વર્તમાન ભવિષ્ય ઘડવામાં અને તેને અંગે ઊભા થતા મહાપ્રશ્નો ઉકેલવામાં અમે પણ સામેલ છીએ. અમારામાં પણ એ સૌ સારુ જોઈતાં સામર્થ્ય, બુદ્ધિ, લાગણી, આગ્રહ અને ઉત્સાહ છે એવી આત્મશ્રદ્ધા ગુજરાતીઓમાં લાવનાર આચાર્યની જરૂર છે. હિન્દુસ્તાનને તુરતાતુરત ‘આર્થિક સ્વરાજ્ય’ અને ‘કેળવણીના સ્વરાજ્ય’ ની ખાસ જરૂર છે. વેપારી ગુજરાતના હાથમાં આર્થિક સ્વરાજ્ય મેળવવાનું છે. જે પ્રાંતના લગભગ પોણા ભાગ ઉપર દેશી હકૂમત છે, જે પ્રાંતની ચારે કૉલેજો લોકોને આધીન છે, અમદાવાદ, ગોધરા, ભરૂચ, સુરત સિવાયની, હાઈસ્કૂલો પણ એવી સ્થિતિમાં છે; પ્રાથમિક કેળવણી ગામેગામ ફેલાવવાનું કામ જ્યાં ઘણી સરળતાથી થઈ શકે એમ છે ત્યાં કેળવણી પણ લોકોના હાથમાં આવી તેમને ઉપયોગી થઈ પડે એવું સ્વરૂપ લઈ શકે એમ છે છતાં યોગ્ય નેતા–વિચારકોની બિનહયાતીને લીધે ગુજરાત પાછળ છે. આફ્રિકામાં ગોરાઓની સામે જંગ મચાવવામાં હિંદીઓને સેનાની જે પ્રાંતમાંથી મળી આવ્યો છે તે પ્રાંતમાંથી નેતા—વિચારક તેને પોતાને સારુ કેમ નથી જન્મતા? ગુજરાતમાં વિચાર કરી શકે એવા પુરુષો સરકારી યા રજવાડી નોકરીમાં છે. વેપારીઓ અસંસ્કારી અને અણકેળવાયેલા હોય છે એટલું જ નહીં પણ ધર્મની ઘેલછામાં એટલા બધા મશગૂલ રહે છે કે બીજી કોઈ પ્રવૃત્તિ તેમને રુચતી જ નથી. આનંદની વાત છે કે ઉદ્દામ અને વિનીત પક્ષના જન્મથી વેપારીઓની આંખ ઊઘડી છે.&lt;br /&gt;
આપણા વાનપ્રસ્થ થયેલા અનુભવી અધિકારીઓ (દીવાનો, ન્યાયાધીશો, મામલતદારો વગેરે) નિવૃત્ત થયેલા વકીલ, દાક્તરો, દેશસેવા કરવા કેમ ઉદ્યુક્ત નથી થતા? ફક્ત દી. બ. અંબાલાલ સા. દેસાઈ હાલ ગુજરાતની વિધવિધરંગી પ્રવૃત્તિમાં ભાગ લે છે. ગુજરાતમાં પૈસો છે, યૌવન છે, બુદ્ધિ છે, ફક્ત તેનો સદુપયોગ કરવાની જરૂર છે.&lt;br /&gt;
બંગાળની સર્વ પ્રવૃત્તિનું મૂળ જેમ કલકત્તા, મહારાષ્ટ્રની સર્વ પ્રવૃત્તિનું મૂળ જેમ પૂણા છે, તેમ ગુજરાત અને ગુજરાતીઓની સર્વ પ્રવૃત્તિનું મૂળસ્થાન અમદાવાદ થવું જોઈએ. સાહિત્યમાં અમદાવાદ જેમ અગ્રસ્થાન લેતું જાય છે. તેમ, રાજકીયાદિ વિષયોમાં પણ તેણે લેવું જોઈએ.&lt;br /&gt;
કુળ ઉજ્જ્વલ રાખવા સારી સંતતિ ઉછેરવાની માબાપોને જેટલી ફિકર અને કાળજી હોય છે તેનાથી વિશેષ ફિકર અને કાળજી નવા નેતાઓ ઉત્પન્ન કરવા માટે હાલના નેતાઓએ રાખવી જોઈએ.&lt;br /&gt;
ઉદ્દામ અને વિનીત પક્ષ વિશે રૂપકની ભાષા વાપરીએ તો ઉદ્દામ પક્ષ દેશનું હૃદય અને વિનીત પક્ષ દેશનું મગજ છે, એમ કહી શકાય. બન્નેના સાહચર્યથી ફાયદો છે – વિરોધથી નહીં. વ્યવહારનિપુણ ગુજરાતી બન્ને પક્ષની ભાવના અને કાર્યપદ્ધતિનાં સારાસાર તપાસી રુચતું જ સ્વીકારશે.&lt;br /&gt;
લૉર્ડ મોરલીએ કરવા ધારેલા રાજકીય સુધારાનો દેશને લાભ અપાવવો બન્ને પક્ષના હાથમાં છે. આ રીતે આરંભાયેલી રાજકીય પ્રવૃત્તિ ઉદાર નયવાન ગાયકવાડના રાજ્યમાં સારી વૃદ્ધિ પામી ગુજરાતનાં બીજાં દેશી રાજ્યોમાં ચાલતું અંધેર દૂર કરાવી પ્રતિનિધિ રાજ્ય—પ્રજાશાસક રાજ્ય—ચલાવવા ગુજરાતીઓને તાલીમ આપશે.&lt;br /&gt;
આફ્રિકામાં ગુજરાતીઓએ અતુલ વીરત્વ દાખવ્યું છે. સ્ત્રીઓએ પણ રજપુતાણી જેવું શૌર્ય દાખવ્યું છે. હિંદુ, મુસલમાન, પારસીઓએ એકત્ર થઈ ગુજરાતી નામ દીપાવ્યું છે.&lt;br /&gt;
રાજ્ય અને સંસાર સાથે સંબદ્ધ અર્થપ્રાપ્તિ અને શિક્ષણ વિશે થોડુંક વિચારીએ. કરાંચીથી મુંબઈ લગીનો દરિયો ગુજરાતીઓથી ઊભરાય છે; ઇંગ્લૅંડ, ફ્રાન્સ, આફ્રિકા, ચીન, જાપાન જાય છે તે તો જુદું. મુંબઈ અને અમદાવાદમાં વરાળયંત્રથી રૂની બનાવટ કરે છે. તેઓ અનેક નવા હુન્નરો ઉપજાવી દેશને આબાદી કરી શકે એવા છે. તેમની વૃત્તિ એ તરફ દોડી છે. જોઈતાં લાયકાત, કેળવણી અને સાધનો મેળવી તેઓ એ દિશામાં પ્રયાણ કરશે. સ્વદેશપ્રેમ અને પ્રામાણિકતાથી છલબલતાં હૈયાવાળાં મગજો જ્યારે એમાં પડશે ત્યારે જ સાફલ્ય મળશે.&lt;br /&gt;
ગયે વર્ષે બૅંકો, મિલોમાં વધારો થયો હતો તોપણ વેપાર અને હુન્નરઉદ્યોગ શી રીતે વધે તે વિશે હજુ જોઈએ તેવો ગુજરાતમાં વિચાર થયો નથી, અને થતો હોય એમ લાગતું નથી. વેપાર મહાજન  &amp;lt;ref&amp;gt;મુંબઈ અને અમદાવાદમાં એવાં મહાજન સ્થપાયાં છે. બીજે સ્થપાવાના જરૂર છે. ગુજરાતના મહાજનની સ્થાપના થવી જોઈએ.&amp;lt;/ref&amp;gt; (Chamber of Commerce), ઔદ્યોગિક ને વ્યાપારી શિક્ષણ, ઉદ્યોગવેપારના ગ્રંથ, માસિકો, કાચા ને તૈયાર માલનાં સંગ્રહસ્થાનો, બૅંકો, વહાણો, રેલવે, ઇત્યાદિ અસ્તિત્વમાં લાવી, સાહસ—આગ્રહ—પ્રામાણિકતા—જ્ઞાન—ઉદ્યમશીલતા જગાવી, કેળવી અનેકવિધ આર્થિક ખીલવણી થઈ શકે. જાપાન, અમેરિકા ગયેલા દક્ષિણી, બંગાળીઓ કરતાં વિશેષ દેશપ્રેમી અને દેશોદય સારુ અભિલાષક પરદેશ ખેડતા ગુજરાતી વેપારી ક્યારે થશે? મરાઠી અને બંગાળીમાં પરદેશ ગયેલા દક્ષિણી કે બંગાળીઓ નાનાવિધના લેખ લખી પોતાના દેશભાઈઓને જાગૃત અને માહિતગાર કરે છે. આફ્રિકામાં મંડાયેલા કુરુક્ષેત્રનું મહાભારત કહેનાર કેમ કોઈ ગુજરાતી સૂતપુરાણી નીકળી નથી આવ્યો? વેપારી વર્ગ કેળવાશે ત્યારે જ ગુજરાતનું ભાગ્ય ઊઘડશે.&lt;br /&gt;
કેળવણીના મહાપ્રશ્ન વિશે આપણે ત્યાં છેક જ વિચાર – પ્રયત્ન થયા નથી એમ નથી. સરકારે જે ‘પ્રાથમિક કેળવણીની પદ્ધતિ દાખલ કરી તેમાં મર્હુમ માધવલાલ હરિલાલે સુધારો વધારો કર્યો; સાયન્સ અને હુન્નરનું જ્ઞાન આપવા પ્રો. ત્રિ. ક. ગજ્જરે વિચાર્યું અને એકલે હાથે દેશને એ જ્ઞાનનું અગત્ય સમજાવ્યું. ગાયકવાડ સરકાર અને મુંબઈના ધનાઢ્યોને લીધે કલાભવન, વિકટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, ટાટા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આદિ સંસ્થાઓ હયાતીમાં આવી છે; મુંબઈમાં અને બીજે સ્થળે વેપારી કેળવણી આપવા શાળાઓ – વર્ગો ચલાવવામાં આવે છે, અને હાલના આપણા ના. ગવર્નરના આગ્રહને લીધે વેપારી કેળવણી આપવાની સારી યોજના થવાની વકી છે. એમના જ પ્રયાસથી સાયન્સનું પણ આપણને સંગીન જ્ઞાન મળશે એવી આશા છે. આપણા શ્રીમંતોએ ઉદારતાથી ના. ગવર્નરની સાયન્સ શીખવવાની યોજના વધાવી લીધી છે. પ્રો. ત્રિ. ક. ગજ્જરના સ્ત્રીકેળવણી વિશેના વિચારનું ફળ ‘સેવાસદન’માં પ્રત્યક્ષ થતું જાય છે. વડોદરાના શિક્ષકમંડળના વાર્ષિક સંમેલન સિવાય કેળવણી વિશે જાહેર ચર્ચા થતી નથી.&lt;br /&gt;
આમ છતાં પણ હજુ આ દિશામાં બહુ કરવાનું છે. સરકારી અથવા ખાનગી નોકરી મેળવવાની લાયકાત કેળવણીથી આવે છે એવું સામાન્યતઃ મનાય છે, અને એ જ હેતુથી માબાપો પોતાનાં બાળકોને કેળવે છે. કેળવણી લેવાથી જીવન ઉન્નત થાય છે, નાના પ્રકારના હુન્નર, ઉદ્યોગ, વેપાર થઈ શકે છે, ખીલવી શકાય છે, દેશનો અને જાતિનો ઉત્કર્ષ થાય છે વગેરે વગેરેનું ભાન લોકોને જરાયે નથી. એક ચીલો પડ્યો છે તે પર થઈને સૌ ચાલ્યા જાય છે, પણ તે રસ્તે જવાથી સૌને લાભ થશે કે હાનિ થશે તેનો ખ્યાલ નથી. માબાપોને કેળવણીનાં ઉદ્દેશ અને ભિન્ન ભિન્ન સ્વરૂપોની ખબર નથી. શિક્ષકો અને વિચારકોનું લક્ષ હજુ આ મહત્ત્વના પ્રશ્ન તરફ ખેંચાયું નથી. ધર્મગુરુઓ તો પોતે જ અભણ હોય, જ્ઞાનપ્રકાશની જ વિરુદ્ધ હોય ત્યાં તેમની પાસેથી આશા રાખવી નિરર્થક છે. પંજાબમાં આર્યસમાજે અત્રત્ય અને પાશ્ચાત્ય વિચારસરણીનો સંવાદ લાવે એવી કેળવણી આપવા ‘ગુરુકુળ’ નામની સંસ્થા સ્થાપી છે અને કલકત્તાની કૉલેજો ઉપર જ્યારે સરકારી કાયદાના યમદૂતો પાશ લઈ ફરી વળવા લાગ્યા ત્યારે ‘રાષ્ટ્રીય કેળવણી’ રૂપ પાર્ષદો બંગાળની કેળવણીને ‘રાષ્ટ્રીય યુનિવર્સિટી’ રૂપી વૈકુંઠમાં લઈ જવા ઉદ્યુક્ત થયા છે. ગુરુકુળ અને રાષ્ટ્રીય શાળાઓમાં શિક્ષણથી વિદ્યાર્થીઓના જીવન – વિચાર – પ્રવાહ અમુક રીતે વહેવડાવવાનો ઉદ્દેશ છે; એટલે એ ઉદ્દેશ સાધવા આવશ્યક એવા કેટલાક વિષયોને અભ્યાસક્રમમાં સ્થાન અપાયું છે, પરંતુ આ દેશની વિવિધરંગી પ્રજાને વિવિધ પ્રકારની સંપૂર્ણ કેળવણી મળે એવી વ્યવસ્થા અથવા વિચારણા થઈ નથી.&lt;br /&gt;
ગુરુકુળની પદ્ધતિમાં ધાર્મિક અભ્યાસ મહત્ત્વનો લેખાય છે, રાષ્ટ્રીય કેળવણીમાં ઇતિહાસના અભ્યાસને એ સ્થાન અપાય છે. પરધર્મી અને પરદેશી રાજ્યકર્તા પોતાને આધીન વિવિધધર્મી પ્રજાને કેળવણી આપે ત્યારે સાંપ્રદાયિક શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન ન આપે એ વાજબી છે. આપણી નિશાળોમાં એવું શિક્ષણ અપાતું ન હોવાથી તે આપવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ગુરુકુળ જેવી અથવા આ દેશમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવા સ્થપાયેલી શાળાઓની ઘાટી ઉપર કાઢેલી સંસ્થાઓમાં ‘ધાર્મિક શિક્ષણ’ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે; જૈનોની માફક સરકારી નિશાળોમાં વ્યતીત થતા કાળ ઉપરાંત અવકાશનો જે વખત બાળકોને મળે છે તેમાં ધાર્મિક–વ્યાવહારિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે; અલીગઢની મુસલમાન કૉલેજ કે કાશીની હિંદુ કૉલેજ જેવી સંસ્થાઓમાં એક જ ધર્મના અનુયાયીઓને શિક્ષણ આપી તેમનું ધર્મતેજ ઝળહળતું રાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે યા તો હિંદુ ધર્મના સર્વ મતપંથને અનુકૂળ આવે એવાં સર્વમાન્ય તત્ત્વો હિંદુ શાસ્ત્રોમાંથી વીણી કાઢી ક્રમવાર પોથીઓ રચી શાળાઓમાં ચલાવવામાં આવે છે.&lt;br /&gt;
છેલ્લી પદ્ધતિ ‘થિયોસોફિકલ સોસાયટી’ ને લીધે પ્રચારમાં વધુ ને વધુ આવતી જાય છે. ગાયકવાડી રાજ્યમાં પણ એવો જ માર્ગ અખત્યાર કરવામાં આવ્યો છે. મુંબઈની આર્ય પ્રતિનિધિ સભા, બીલખાના આનંદાશ્રમ નિવાસી શ્રીમન્નથુરામ શર્માના શિષ્યો, દ્વારિકાના શંકરાચાર્ય આદિ તરફથી ગુજરાત-કાઠિયાવાડનાં તીર્થસ્થાનોમાં ‘ગુરુકુળ’ જેવી સંસ્થાઓ ઊભી કરવા પ્રયત્નો થાય છે. આર્યસમાજના ‘ગુરુકુળ’ માટે સારું ફંડ જમા થયું છે; મિસિસ એની બિસાંટની સૂચનાથી પારસીઓમાં પોતાની કૉલેજ સ્થાપવાનો વિચાર સ્ફૂર્યો છે; દ્વારિકાના શારદાપીઠના શિષ્યવર્ગ તરફથી નર્મદાતટે એક સંસ્થા ઊભી થઈ છે, એમ સાંભળવામાં આવ્યું છે.&lt;br /&gt;
આ બધી પ્રવૃત્તિના લાભ હશે, પણ પૃથ્વીની આગળ વધેલી અને વધતી પ્રજાઓની સાથે હરીફાઈમાં ઊતરી વિજયવંત થવા આ જાતની કેળવણી આપણને સમર્થ કરશે કે નહીં એ પ્રશ્ન તો ઊભો જ રહે છે. ધાર્મિક શિક્ષણ આપવાની સર્વે યોજનામાં ‘ધર્મના ઇતિહાસ’નું શિક્ષણ સામેલ રાખવું જોઈએ. દરેક સંપ્રદાયવાળાની પોતાના અનુયાયીઓને સંપ્રદાયના સિદ્ધાંત અને વિધિકર્મથી વાકેફ રાખવાની ફરજ છે. એ ફરજ અદા કરવા જૈનપદ્ધતિ અંગીકાર કરવી ઘટે છે.&lt;br /&gt;
ઇતિહાસનું શિક્ષણ આપણને હાલ ખાસ અગત્યનું છે; પરંતુ વેપારી અને હુન્નરબાજ ગુજરાતને એકલા એવા શિક્ષણથી પાલવે એમ નથી. સરળતાથી અને થોડા વખતમાં સમસ્ત ગુજરાતીઓને વાંચતાંલખતાં આવડે એવી કેળવણીની ઘણી જરૂર છે. વેપારી, ખેડૂત, મજૂર, સર્વેને તેની જરૂર છે. રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળે રાત્રિશાળાઓ સ્થપાઈ છે તે તેમ જ ભરૂચમાં નવાં સ્થપાતાં કારખાનાંઓમાં ઉઘાડવામાં આવેલી નિશાળો એ દિશામાં થયેલું પ્રયાણ સૂચવે છે. આ ઉપરાંત આપણે ત્યાં ધુરંધર વેપારીઓ પાકે, હોંશિયાર પ્રતિભાશાળી હુન્નરી નરો પેદા થાય; દેશી રાજ્યોની કે સરકારી અમલદારી કરી દેશોદય સાધે એવા ઉદાત્ત રાજપુરુષો કેળવાય, દેશી રાજ્યો ઉત્તમ રીતે ચલાવી પ્રજાનું સાહચર્ય મેળવી હિંદીઓમાં સ્વરાજ્ય ચલાવવાની શક્તિ કેળવે એવા ઉદાર રાજાઓ ઉત્પન્ન કરે, પ્રજાનો ધર્મ વિશુદ્ધ, પ્રખર અને ભાસ્વર રાખે એવા આચાર્યો બનાવે, આપણી લડાયક જાતોને માલિક સારુ લડવા હાલની યુદ્ધકળાથી વાકેફ કરે, આપણા ખલાસીઓને કેળવી જબરા વહાણવટી બનાવે, આપણા દેશમાં સાહિત્ય, ઇતિહાસ, ચિંતન, સાયન્સ, કળા, ધર્મ ફેલાવે–વધારે–ઘડે એવાં ચેતનનો વરસાદ વરસાવે, આપણી સ્ત્રીઓને જ્ઞાનસંપન્ન કરી તેમના જીવનમાં પ્રકાશ આણે અને આપણા દેશીઓને શરીરે અને હૃદયે આરોગ્ય, હૃષ્ટપુષ્ટ કરે એવી કેળવણીની – એવી કેળવણી વિવિધ સંસ્થા – પ્રણાલીદ્વારા મેળવવાની ખાસ અગત્ય છે. કેળવણીનાં આ વિવિધ અંગો વિશે વર્તમાનપત્રો કે માસિકોમાં ચર્ચા થતી નથી – લોકોમાં એ વિશે ભાષણો કે કથા થતી નથી; પરંતુ એ વિષય સંબંધી ચર્ચા-વિચારણા ઉત્પન્ન કરવાની ખાસ જરૂર છે.&lt;br /&gt;
આપણી માધ્યમિક કેળવણી ઘણી જ અસંતોષપ્રદ નીવડી છે. મુંબઈના હાલના ના. ગવર્નર તેમાં ફેરફાર કરવા ઉત્સુક છે. પરંતુ આપણને જે ફેરફારો જોઈએ છે – ગુજરાતને જે ફેરફારો જોઈએ છે – તેને એમની યોજનાઓમાં સ્થાન મળે તો સારું. આપણને નાનપણથી સાયન્સ અને વાણિજ્ય જ્ઞાન મેળવવાની જરૂર છે. એમણે એ વિષયોને ફક્ત કૉલેજના અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું છે. વળી કેળવણી ઉપર માબાપોના વિચારોનો જે પ્રભાવ પડવો જોઈએ તે એમની યોજનાથી પડે, એમ નથી; પાઈનું શાક લેવું હોય તો ચાર દુકાને ફરનારા લોકો કેળવણી અને ધર્મ જેવી બાબતમાં જરા પણ વિચાર કર્યા વિના ગાડરીયા પ્રવાહની માફક ચાલ્યા જાય એ શું?&lt;br /&gt;
પ્રાથમિક કેળવણીનો સર્વત્ર ફેલાવો થવાની અગત્ય વિશે આગળ ઉપર કહી ગયા છીએ. કાઠિયાવાડનાં દેશી રાજ્યોમાં ઘણે સ્થળે પ્રાથમિક શિક્ષણ મફત આપવાની ઉદારતા બતાવાઈ છે – જૂજ આવતી ઊપજ બંધ કરી પ્રતિષ્ઠા મેળવાઈ છે. પરંતુ તેના ફેલાવા માટે, તેને સંગીન બનાવવા માટે, રૈયતમાંના દરેક જણને પોતાને અનુકૂળ કેળવણી મળી શકે એવી સહેજ પણ પ્રવૃત્તિ એમની તરફથી થઈ નથી. અસલ જેમ મંદિરોને અને બ્રાહ્મણોને ગરાસ અપાતા તેમ જો કેળવણીખાતાને ગરાસ આપી ઊપજ-ખર્ચની બાબતમાં સ્વતંત્ર બનાવવામાં આવે તો દેશી રાજ્યોમાં કેળવણી સારો જ પ્રતાપ બતાવે.&lt;br /&gt;
પ્રાથમિક કેળવણી મફત અને ફરજિયાત કરવાની માગણી સરકારને વારંવાર કરવામાં આવે છે, પણ એ માગણી ઉપર ધ્યાન અપાયું નથી. મુંબઈ બેટમાં એવી યોજના કરવા માટે નિમાયેલી કમિટીએ ઉક્ત માગણીની વિરુદ્ધ રિપોર્ટ કર્યો છે. ભાવનગરના દીવાન રા. રા. પ્રભાશંકર દ. પટણીએ અને મુંબઈની ‘મ્યુનિસિપલ‘ નિશાળોના ઉપરી મિ. વેલીનકરે પણ એ માગણી અવાસ્તવિક છે એમ બતાવ્યું હતું. કેળવણીનો વિસ્તાર કરતા આગમચ તેને સંગીન બનાવો એવું કહેવામાં આવે છે તે માન્ય છે; પરંતુ બન્ને સાથે સાથે થઈ શકે અથવા અમુક સ્થળે સંગીનપણા પર વધારે ધ્યાન અપાય અને બીજે બધે જ્ઞાનપ્રસારણ ઉપર લક્ષ અપાય એવું પણ બની શકે. સરકાર ઉપર જ આધાર રાખી બેસી ન રહેતાં ધનાઢ્યો, રાજાઓ, આચાર્યો, ન્યાતો વગેરે તરફથી લોકોને વાંચતાં લખતાં આવડે એવું કરવાનું કામ ઉપાડી લેવામાં આવે તો ઘણું સારું. બ્રાહ્મણો, સંન્યાસીઓ, બાવાઓ વગેરે નિરૂદ્યમી —દુરાચરણી લોકોનું પૂરું કરવા પાછળ દાનને નામે વપરાતો પૈસો સરસ્વતીદેવીનાં મંદિરો સ્થાપી નિભાવવામાં ખર્ચાવાની જરૂર છે.&lt;br /&gt;
સ્ત્રીકેળવણી સંબંધી પણ લોકોની આંખ ઊઘડી છે અને દિન પર દિન તેનો વધારો થતો જાય છે. શહેરો અને ગામડામાં લોકમત ઘણો જ એની તરફેણમાં વળતો જાય છે, અને ગામડામાં છોકરા-છોકરીઓ હારે રહી ભણે છે. વડોદરા રાજ્ય તરફથી તેમ જ સરકાર તરફથી કન્યાવાંચનમાળા પ્રસિદ્ધ કરવામાં આવી છે, અને એ રીતે બાલકબાલિકાઓના શિક્ષણપ્રવાહ છૂટા પાડ્યા છે. પરંતુ આ વાંચનમાળા આજની આપણી વૃત્તિઓને રુચે એવી નથી. હોપની દેખરેખ નીચે લખાયેલી વાંચનમાળામાં આપણને જૂઠા ગણી સાચું બોલવાનો અને પ્રામાણિકતાથી વર્તવાનો ઠેર ઠેર ઉપદેશ અપાયો હતો તેમ આ નવી કન્યાવાંચનમાળામાં પણ નીતિના ઉપદેશને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ઉપદેશભર્યા પાઠો જીવન પ્રફુલ્લ કરે એવા નથી; વખતે બાળી નાંખે એવા છે. ગૃહ્યકલા સંબંધીનું જે તત્ત્વ ઉમેરવામાં આવ્યું છે તે આ વાંચનમાળાનો એક શુભ અંશ છે. અમદાવાદની સ્ત્રી-શિક્ષકશાળા (Female Training College)નો અભ્યાસક્રમ પણ સુધારવામાં આવ્યો છે.&lt;br /&gt;
અમદાવાદનું ‘ઉદ્બોધન’ પત્ર નવી કન્યાવાંચનમાળા તૈયાર કરાવવા તત્પર થયું છે. મુંબઈના ‘સેવાસદન’ અને ‘ચંદા રામજી હિંદુ કન્યા વિદ્યાલય,’ સુરતના ‘વનિતાવિશ્રામ,’ રાજકોટની ‘હિંદુ કન્યાશાળા’ આદિ સંસ્થાઓને અંગે સ્ત્રીકેળવણીના અભ્યાસ – અને અભ્યાસગ્રંથો સંબંધી ઘણું કામ થવાની વકી છે. બાળકીઓને ઊંચું અને સંગીન શિક્ષણ આપવાને, તેમ પ્રૌઢ સ્ત્રીઓને જ્ઞાનસંપન્ન કરવા – કેળવવા – આ રીતે ગુજરાતમાં પ્રયાસો થતા જાય છે. સ્ત્રીઓ પણ જાતે આગળ પડી પોતાની બહેનોને કેળવવા ઉદ્યુક્ત થતી જાય છે. તોપણ હજુ સ્ત્રી-શિક્ષકોની ઘણી ખોટ છે અને તેથી સ્ત્રીકેળવણીનો ઘણો મંદ ફેલાવો થાય છે. અનાથ વિધવા સ્ત્રીઓને ભરણપોષણ મેળવવા સમર્થ કરે એવા હુન્નરો શીખવવાના પણ પ્રયાસો ચાલે છે. વડોદરામાં બંધુમંડળના સંમેલન પ્રસંગે એ નગર સારુ આવી યોજના ઉપસ્થિત કરવામાં આવી હતી. જૈન સંઘની વસ્તી જ્યાં જ્યાં મોટા જથ્થામાં છે ત્યાં ત્યાં પણ આવાં જ શુભ પગલાં લેવાયાં છે. ગયે વર્ષે ભાવનગરમાં એ લોકો તરફથી સારા દ્રવ્યસંચયથી એક શ્રાવિકાશાળા કાઢવામાં આવી છે. અમદાવાદમાં પણ શ્રાવિકાશાળાઓ ચાલે છે. એ કોમમાં સારી જાગૃતિ આવી છે. બીજાં નગરોમાં પણ બીજી ન્યાતો તરફથી એ દિશામાં પ્રગતિ થતી જાય છે.&lt;br /&gt;
પરંતુ એ બધાંથી લોકોને સંતોષ નથી થયો. જીવન પ્રફુલ્લ કરે, આપણા દેશમાં જાગેલાં નવાં ચેતનને જીવનમાં સંચી દેશ — જનસેવા માટે સમર્થ કરે એવી કેળવણી સ્ત્રીઓને આપવા ચળવળ ચાલે છે.&lt;br /&gt;
પરંતુ આ રીતે ઉપસ્થિત થયેલી સ્ત્રીકેળવણીની યોજનામાં સંસ્કૃતને અતિ મહત્ત્વનું લેખી વૃથા કાલક્ષેપ અને શક્તિવ્યય કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ધાર્મિક ગ્રંથો શીખવવામાં આવે તો શિક્ષણ સંગીન નીવડવા અને આચરણો સંસ્કારી થવા વધારે સંભવ છે. જેમને અવકાશ હોય – સારી કેળવણી ગુજરાતી ભાષા મારફત લીધી હોય અને રુચિ હોય તેમને સંસ્કૃત શીખવવાની બેલાશક જોગવાઈ કરી આપવી. ઇતિહાસ, ભૂગોળ જે વિષયો શીખવવાની હાલ આપણે ખાસ અગત્ય છે તે નિરર્થક ગણવામાં આવે છે, એટલે રાજકીય પ્રવૃત્તિને એથી ધોકો પહોંચવા સંભવ છે, માટે દેશપ્રેમીઓએ એ વિષયો ખાસ રસિકતાથી આનંદ મળે એવી રીતે શીખવાય એવો બંદોબસ્ત કરવો જોઈએ.&lt;br /&gt;
સ્ત્રીકેળવણી વિશે લખાય છે ઘણું પણ હવે જે કરવું જોઈએ તે બહુ થતું નથી. નિશાળો સ્થાપવી જોઈએ, સ્ત્રી-શિક્ષકો તૈયાર કરવાં જોઈએ, અને નાના પ્રકારની અભ્યાસપોથીઓ પ્રકટ કરવી જોઈએ વગેરે બાબતો પર લક્ષ આપવાની જ ઘણી જરૂર છે. એમને સારુ માસિકો, વર્તમાનપત્રો, ગ્રંથો પ્રકાશવાની – ભાષણો, કથા કરાવવાની પણ એટલી જ જરૂર છે. એમને વિનોદવ્યાયામ મળે એવી સંસ્થાઓ સ્થાપવાની પણ એટલી જ આવશ્યકતા છે. મુંબઈમાં સન્નારીઓ સારુ ‘જીમખાના’ સ્થપાયું છે. ગુજરાતમાં એમને માટે ‘સુંદરીસુબોધ’ અને ‘સ્ત્રીબોધ’ નામનાં બે માસિક નીકળે છે. એ બંને આપણી સ્ત્રીઓનાં જીવનને આનંદમય કરે છે; પરંતુ હજુ બંનેમાં વિકાસને અવકાશ છે, અને એવાં બીજાં માસિકોની જરૂર છે.&lt;br /&gt;
આવી રીતે થયેલી જાગૃતિને લીધે સ્ત્રીઓની ઉન્નતિ થતી જાય છે. તેઓમાં પણ જાગૃતિ આવી છે. ‘સેવાસદન’, ‘વનિતાવિશ્રામ’ જેવી સંસ્થાઓ એમને માટે અને એમના વડે અસ્તિત્વમાં આવી છે. દાદાભાઈ જયંતી ઊજવવામાં અગ્રેસર મુંબઈની સન્નારીઓ ‘પૈસાફંડ’ માટે સ્વયંસેવિકાઓ થઈ છે.&lt;br /&gt;
મુંબઈનું ‘ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળ’ પણ સારું કામ કરે છે. દી.બ. અંબાલાલ અને રા. નાનાલાલ કવિએ એ મંડળમાં ગયે વર્ષે કરેલાં ભાષણો ઉત્તમ હતાં.&lt;br /&gt;
કેળવણી, લગ્ન, નારીપ્રતિષ્ઠા આદિ પ્રશ્નો નિરાકરણ લાવવા તેમજ પરદેશગમન આદિ સાંસારિક બંધનો દૂર કરવા તથા નીતિ ઉન્નત કરવા અર્થે કમી કરવા ન્યાતોની પરિષદ ભરાય છે. આ પરિષદોમાંથી હજુ કાંઈ પણ પરિણામ નીપજ્યું નથી ખરું, પણ એથી ગામેગામ ચેતન પ્રસરે છે અને યુગયુગની ઊંઘ ઊડી જાય છે. આર્થિક બળોને લીધે લગ્નની વય વધતી જાય છે, સ્ત્રીકેળવણી ફેલાતી જાય છે. ગાયકવાડ સરકારનો ‘બાલવિવાહ પ્રતિબંધક કાયદો’ પણ શુભ પરિણામી નીવડ્યો છે. વળી હિંદુ વ્યવહારશાસ્ત્રને પદ્ધતિસર ધારારૂપે (Codification of Hindu Law) ઘડવાનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આથી કૌટુંબિક અને દાંપત્યજીવનના સંબંધોમાં આર્થિક અને નૈતિક છૂટ જોઈતા પ્રમાણમાં મળી શકશે. જ્યારે હિંદના બીજા પ્રાંતો રાજકીય પ્રવૃત્તિમાં જ ઘૂમે છે ત્યારે ગુજરાત સંસાર અને ઘરનાં પ્રશ્નો વિચારી – નિરૂપી પોતાનું પ્રજાજીવન મજબૂત બનાવવામાં રત છે. ન્યાતોના મેળાવડા, ફંડો, માસિકો, આપણા સાહિત્યનું સ્વરૂપ, (આ વિશે આગળ વધુ કહેવામાં આવશે,) આપણાં અગ્રેસરોનાં વર્તનો વગેરે ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણાં સંસારગૃહ ઉન્નત કરવા તરફ આપણું લક્ષ છે.&lt;br /&gt;
ગુજરાતમાં ન્યાતોની પરિષદ મળે છે તેમના હેવાલ એકઠા કરવામાં આવે તો સંસારસુધારકને અને સમાજશાસ્ત્રીને એથી લાભ થાય એમ છે. પાશ્ચાત્ય શિક્ષણ, રાજ્ય અને આર્થિક સંવ્યવસ્થાના જે આઘાત આપણા પુરાણા રાફડા ઉપર થવા માંડ્યા છે. તેમના સામા આત્મસંરક્ષણની વૃત્તિના પ્રેર્યા ગુજરાતીઓ આ બધી ચળવળમાં પડ્યા છે. હાલમાં તેથી નાતોનું જોર વધતું લાગશે, પણ સાથે સાથે ઉદારતા પણ તેમના બંધારણમાં પેસશે જ અને ભવિષ્યમાં તેથી લાભ છે.&lt;br /&gt;
મુંબઈના કાયસ્થ સૉલિસિટર મિ. દફતરીએ ન્યાતોના ભેદભાવ દૂર કરી એકત્ર થવાની એક યોજના પ્રકટ કરી હતી. હરકિશનલાલના જેવી જ એ યોજના છે.&lt;br /&gt;
પહેરવેશ, ભોજન, આચારવિચાર, ભાવનાઓમાં સપાટાબંધ ફેરફારો થતા જાય છે. નારીપ્રતિષ્ઠા ઉન્નત કરવા પ્રયાસો અને ઉપદેશો થાય છે. મુંબઈમાં આ દિશામાંથી થતી પ્રવૃત્તિઓની અસર ગુજરાતમાં થાય છે તેમ અમદાવાદની ‘બંધુસમાજ’નાં લખાણોથી પણ એ અસર સબળ બને છે.&lt;br /&gt;
ગુજરાતની નીતિ ઊંચી થતી જાય છે કે કેમ એ ગુનાઓના રિપોર્ટો પરથી, કોર્ટોમાં ચાલતા કેસો ઉપરથી જણાય ખરું. ઉપરાંત દેશની જાહેર નીતિ(Public morality) પ્રગતિમાન છે કે કેમ તે પણ મીમાંસા કરવા જેવો વિષય છે. આ પ્રદેશમાં કોઈ ગુજરાતી વિચરશે અને અન્વેષણ કરશે તો જાણવાનું મળશે ખરું.&lt;br /&gt;
સ્વદેશીની હાકલો દેશમાં વાગે છે અને ખૂણેખૂણામાં સંભળાય છે. આ હાકલોની નૈતિક અસરો થતી હશે અને થવાની. ભવિષ્યમાં નીતિશાસ્ત્રીને એ પ્રશ્ન વિચારવો પડશે.&lt;br /&gt;
દેશમાં જે જે ભાવનાઓ અને તદનુસાર પ્રવૃત્તિઓ ઘૂમી રહી હોય તેમનું તાત્ત્વિક (metaphysical) અને નૈતિક (ethical) સ્વરૂપ ચિંતવવાની ખાસ આવશ્યકતા હોય છે. માટે જ હાલ આપણને એવા એક ચિંતકની જરૂર જણાય છે.&lt;br /&gt;
દરેક પ્રજાને પોતાના આદર્શો હોય છે – કાળે કાળે આદર્શો બદલાય છે પણ ખરા. એક વખત હિંદુસ્તાનમાં જીવનમુક્તનો આદર્શ લોકોમાં પુજાતો હતો. ગોવર્ધનરામે પણ એ જ આદર્શ ફરીથી ‘સરસ્વતીચંદ્ર’માં ઉપદેશ્યો છે. એ આદર્શ ચાલુ હતો એવામાં અર્હંત અને બોધિસત્વના આદર્શો જન્મ્યા. ત્યારપછી જીવનમુક્ત આદર્શ પાછો પુનર્જીવિત કરવામાં આવેલો, અને મુસલમાની સામ્રાજ્ય દરમ્યાન ભક્તનો આદર્શ જન્મ્યો. આજે આ બધા આદર્શો તદ્દન નષ્ટ નથી થયા, પરંતુ એમના મૂળ સ્વચ્છ—ઉગ્ર—પવિત્ર સ્વરૂપમાં તો નથી જ રહ્યા. હવે દેશમાં નવો આદર્શ ઉત્પન્ન થતો જાય છે. આ આદર્શ તે દેશવીરનો (patriot) છે. એ આદર્શમાં જીવનમુક્ત, બોધિસત્ત્વ અને ભક્ત એ ત્રણેના આદર્શો ભળી જશે. આમ બદલાતા આદર્શોના પરિણામ વિચારનાર ને ગુજરાતને સમજાવનાર કોઈ નહીં નીકળી આવે?&lt;br /&gt;
આ લેખ તવારીખ નથી પરંતુ હકીકતોની ખબર જેવો છે, એટલે દેશમાં ચાલતી રાજકીય, સાંસારિક, ધાર્મિક, આર્થિક પ્રવૃત્તિઓનો સાર કહેવાનું સાહસ વહોરવામાં નહીં આવે.&lt;br /&gt;
હવે આ લેખના મૂળ ઉદ્દેશ – સાહિત્યના સિંહાવલોકન પર આવીએ. પ્રથમ ક્રમિક પત્રોના અહેવાલ ઠીક પડશે, કારણ કે એમનાથી સાહિત્યને પોષણ તથા ઉત્તેજન સારું મળે છે.&lt;br /&gt;
માનવસૃષ્ટિમાં જન્મમરણ છે તેમ આ પત્રોની સૃષ્ટિમાં પણ બને છે. કેટલાં પત્રો ગયા વર્ષમાં મરણ પામ્યાં તે તો ચિત્રગુપ્તના ચોપડા સિવાય બીજેથી જાણી શકાય એમ નથી. છતાં જ્યોતિ, સાહિત્ય અને વાર્તા, સ્વદેશહિત, આર્યધર્મસુધા, વલસાડવર્તમાન(ઉર્ફે ગુર્જરગર્જના) આદિ અવસાન પામ્યાં એવું જણાયું છે. આ સ્થળે રા. રા. મૂળજી દુર્લભજી વેદ તરફથી નીકળવાના ‘એશિયા’ પત્રની નોંધ લેવી જોઈએ. રા. મૂળજીભાઈ દેશપ્રેમી, ઉદાત્ત ભાવનાભર્યા છે. એ દૈનિક પત્ર કાઢવામાં એમને ઊંચો અભિલાષ હતો. પરંતુ સરકારે જે સખત કાયદાઓ ગયે વર્ષે પસાર કર્યા તેને લીધે એમણે ધાર્યું હતું તેવી રીતે શેરોથી જોઈન્ટ સ્ટોક કંપની મારફત એ પત્ર ચલાવવું સંભવિત ન રહેવાથી એ અભિલાષ પડતો મુકાયો છે. તેમ સ્વદેશધર્મ, પટેલબંધુ, શિક્ષક, મોઢ બ્રાહ્મણ શુભેચ્છક, નાગર, અનાવિલ, ગર્જના, ચંડિકા, મેઘનાદ, ગદ્યપદ્યસંગ્રહ આદિ જન્મ્યાં પણ છે. &lt;br /&gt;
ચાલુ માસિકોમાં અનિયમિત ઘણાં ચાલે છે. ભારતજીવન અને જ્ઞાનસુધાનું દીર્ઘસૂત્રીપણું તો જાણીતું છે. જ્ઞાનસુધા આ સાલથી નિયમિત થવા તત્પર થયું છે. નવા અંકો જોતાં તે એક પંથના વાજિંત્ર કરતાં સાહિત્યનું ઉદાર માસિક થયું હોય એમ લાગે છે. ઉદાર તો એ માસિક ઘણાં વર્ષ ઉપરનું છે. એક વેળા ‘સુદર્શન’ ઉપર ખ્રિસ્તના ઉપદેશથી ભરેલાં દીન નામના લેખકનાં રચેલાં ત્રણ કાવ્યો મોકલવામાં આવ્યાં હતાં. એ વખતમાં એવાં જ ગીતો કાન્ત તરફથી એ જ માસિકમાં પ્રગટ થયાં હતાં. એટલે સુદર્શનકારે કાન્તને પુછાવ્યું કે ઉક્ત ગીતો તમારાં છે? તેમની ના આવી એટલે તે કાવ્યો એમણે પ્રસિદ્ધ ન કર્યાં, પણ એ કાવ્યો સાથે એક પ્રેમકાવ્ય હતું તે એમણે પ્રસિદ્ધ કર્યું. કાવ્યો સુદર્શનકારે પ્રગટ ન કર્યાં એટલે ત્રણમાંનું ‘બાળકો’ નામનું કાવ્ય જ્ઞાનસુધા અને સાહિત્ય ઉપર મોકલવામાં આવ્યું અને એ બન્ને માસિકોએ ઉદારતાથી તે છાપ્યું. સરસ્વતીદેવીની પૂજા કરતાં ધર્મ કે પંથ જોવાતાં હશે? કાવ્ય લખવાનો અધિકાર ફક્ત હિંદુઓને જ આપ્યો નહીં હોય. મુસલમાન, ઝરથોસ્તી કે ખ્રિસ્તીઓ આપણું સાહિત્ય અલંકૃત અને સમૃદ્ધ કરે એવાં અનુપમ કાવ્યો પોતાના ધર્મના સિદ્ધાંતોથી ભરેલાં રચે તો તેનો અનાદર શા માટે કરવો? આનંદની વાત છે કે આવી ભાવના હવે દૂર થતી જાય છે. પૂર્વ-પશ્ચિમના નિકટ થતા જતા સંબંધોથી અત્રત્ય સમાજની પ્રગતિ ખાતર પાશ્ચાત્ય ભાવનાઓનું આપણા દેશને અનુકૂળ સ્વરૂપ કરી લોકોમાં પ્રસરાવાય છે. Progress by fiction, અને અગસ્ત્યના સમુદ્રાચમન વિશે ગોવર્ધનરામ વારંવાર કહેતા એટલે એ રીતે ચાલતી પ્રગતિ ગુજરાતને સમજવી મુશ્કેલ નથી.&lt;br /&gt;
રાજકીય આગેવાનોમાં પડેલાં પક્ષથી સાપ્તાહિકોમાં પણ બે પક્ષ પડ્યા છે. મુંબઈના ગુજરાતીનો ઉદ્દામ ઝોક વિનીત થયો છે. શક્તિ, ગુજરાત, ગર્જના આદિ ઉદ્દામપક્ષી છે. Extremists અને Moderatesને બદલે હવે Nationalists અને Constitutionalists અભિધાન પ્રચારમાં આવતાં જાય છે. માટે તેમના અર્થસૂચક ગુજરાતી શબ્દો યોજવા જોઈએ. વસંતકારના યોજેલા ઉદ્દામ અને વિનીત શબ્દો ગુજરાતીને લીધે વધારે પ્રચારમાં આવ્યા અને એ રીતે સાક્ષરતાનો પ્રભાવ વર્તમાનપત્રોની ભાષા ઉપર અંકાયો. આપણે ત્યાં નવનવા ઊઠતા વિચારો માટે શબ્દ યોજી આપનાર વિદ્વાન જૂજ હોવાથી અને છે તેમનો વર્તમાનપત્ર સાથે સંબંધ ન હોવાથી કાં તો અંગ્રેજી શબ્દો જ (કૉક્સ, બૉયકોટ, પ્રૉટેસ્ટ વગેરે) વપરાય છે અથવા બંગાળ કે મહારાષ્ટ્રમાં યોજાયેલા સંસ્કૃત કે દેશજ(બહિષ્કાર, નિષેધ, મવાળ વગેરે) શબ્દો ગુજરાતીમાં વપરાતા થઈ જાય છે. શબ્દો બનાવવામાં આપણા વિદ્વાનો સંસ્કૃત પર જ નજર નાંખે છે, દેશજ — તળપદા શબ્દો કે ફારસી શબ્દોની શુદ્ધ (?) બ્રાહ્મણની માફક અવગણના કરે છે.&lt;br /&gt;
‘ગુજરાતી’ના તંત્રીમંડળમાંથી દુર્ગારામ મહેતાજીના પુત્ર રા. ગુલાબરાય નિવૃત્ત થયા છે, અને એ મંડળમાં આ વર્ષથી રા. અંબાલાલ બુલાખીરામ જાની નિમાયા છે. ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના તંત્રીપદ ઉપર લલિત ગયા છે. ‘ઉદ્બોધન’નું તંત્રીમંડળ પણ બદલાયું છે. એના લેખકો લગભગ બધા ઊછરતા યુવાનો છે. એ માસિકના દિશાવલોકન જુદા જુદા આસામીઓ પાસે લખાવવામાં આવે છે. એમાં ગયે વર્ષે ‘તુર્કસ્તાનમાં પાર્લામેન્ટ’ અને ‘હિન્દીઓનો પરદેશ નિવાસ’ એ બે સારા લેખ આવ્યા હતા. રાજ્ય અને સંસારના મહાપ્રશ્નો વિશે સ્વતંત્ર સરળ લેખ લખાવી અથવા તરજુમા કરાવી લોકમત કેળવવો એ આ પત્રનો ઉદ્દેશ છે. એના ટૂંક જીવનમાં એણે જે ‘ઝલક’ બતાવી છે તે ઉપરથી એનું ભવિષ્ય આશાભર્યું અને ઉજમાળું લાગે છે. એ માસિકમાં જ અંત્યજ વર્ગના ઉદ્ધાર માટે લેખ આવ્યો હતો એ શું સૂચવે છે? સંસારસુધારાનાં વાજિંત્રો સિવાયના પત્રમાં આવો લેખ આવે એ, દેશમાં સ્ફૂરતી ઉદારતાનું પરિણામ નથી લાગતું?&lt;br /&gt;
માસિકોનાં કદ વધ્યાં છે. હિન્દી ગ્રાફિક સિવાય સર્વાંગ સચિત્ર માસિક ગુજરાતમાં નીકળતું નથી. જ્યોતિકારને પ્લેગે ગ્રસી લીધા ન હોત તો સર્વાંગસુંદર અને લલિત તથા સચિત્ર માસિક મેળવવા ગુજરાત કદાચ ભાગ્યશાળી થયું હોત. શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીની સહાયથી ‘સમાલોચક’ સચિત્ર પ્રગટ થાય છે.&lt;br /&gt;
છેલ્લાં થોડાં વર્ષોમાં આપણાં માસિકોમાં મોટો ફેરફાર થતો જાય છે. એક વ્યક્તિનાં માસિકો — પ્રો. મણિલાલનું સુદર્શન, ડો. ધ્રુવનું ચંદ્ર, કે રા. રમણ- ભાઈનું જ્ઞાનસુધા જેવાં માસિકોનો યુગ જતો જાય છે અને આપણાં માસિકોમાં autocracy કે oligarchyને બદલે democracyની સત્તા વધતી જતી લાગે છે. માસિકના તંત્રીઓ આચાર્ય થવા ઇંતેજાર નથી; તે ફક્ત આમંત્રણ કરી લેખ એકઠા કરનાર અને વાંચનારાઓને પહોંચાડનાર છે; વિચારવિનોદના લાવલઈજા કરનારા છે. ઘણા તંત્રીઓ તો મહિનાના મહિના સુધી પોતાના માસિકમાં એક આંકડો પણ લખતા નથી.&lt;br /&gt;
માસિકોનું વલણ પ્રજાસત્તાક થવાથી નાના પ્રકારના લેખોને સ્થાન મળવા માંડ્યું છે. સાયન્સ અને હુન્નરઉદ્યોગના લેખો આદરપૂર્વક સ્વીકારવામાં આવે છે. શિષ્ઠ માસિકો પારસી બોલીમાં લખાયેલા સારા લેખો છાપતાં અચકાતા નથી એ સારી વાત છે.&lt;br /&gt;
કેટલાંક પારસી, મુસલમાન અને હિંદુ માસિકો વાંચકો વખત ગાળવા લે છે અને એમની અંદરનો માલ પણ એવા ગ્રાહકોને રૂચે તેવો જ હોય છે. નાતોનાં, પંથનાં અને સંસ્થાઓનાં માસિકો પણ ઘણાં નીકળે છે. નાતોનાં ઘણાંખરાં માસિક નિર્માલ્ય છે. બ્રહ્મક્ષત્રિય ત્રિમાસિક અમને એ બધામાં સારું લાગે છે. નાતોને લગતા સંસાર, અર્થ, આદિના પ્રશ્નો સબળતાથી અને વિદ્વત્તાથી એમાં ચર્ચાય છે. એ માસિકમાં આવતાં કેટલાંક લખાણો સમસ્ત ગુજરાતને વાંચવા જેવાં છે; પરંતુ તે જ્ઞાતિ સિવાય બીજાઓને અપાતું ન હોવાથી તેનો લાભ માત્ર તે જ્ઞાતિના વાચકો સિવાય બીજાઓને મળતો નથી. કાઠિયાવાડનું ત્રિમાસિક અને અમદાવાદનું નાગર, નાગર કોમનાં પત્રો છે. બ્રાહ્મણોને માટે, વૈશ્યોને માટે પણ માસિકો પ્રગટ થાય છે, પણ તેઓમાં જોઈએ તેવો દમ નથી. ક્ષત્રિયો માટે, રાજસ્થાન આદિ પ્રદેશોમાં માસિકો નીકળે છે તેવાં અહીં નથી નીકળતાં.&lt;br /&gt;
પંથોનાં માસિકોમાં વૈષ્ણવોનાં માસિકો ઘણાં નીકળે છે. શ્રેયઃસાધકો તરફથી મહાકાલ, પ્રાતઃકાલ, યમદંડ અને ધર્મધ્વજ પ્રગટ થાય છે. ભક્ત, યોગેંદ્ર, આદિ માસિકો એ મંડળ તરફથી નહીં પરંતુ એ મંડળના અનુયાયીઓ તરફથી કઢાય છે. થિયોસોફી, પ્રાર્થનાસમાજ, આર્યસમાજ, સનાતન ધર્મ મહામંડળ (જેનું આર્યધર્મ સુદ્ધાં વાજિંત્ર હતું) વગેરે વગેરેનાં વાજિંત્રો વિશે ઉલ્લેખ થઈ ગયો છે.&lt;br /&gt;
કેળવણીનાં ત્રણ માસિકો નીકળે છે. એક અંગ્રેજ સરકારનું, બીજું ગાયકવાડી રાજ્યનું અને ત્રીજું કડી પ્રાંત પંચાયતનું વાજિંત્ર છે. ગુજરાત શાળાપત્રમાં ઇતિહાસ, પ્રાકૃત, કાવ્યશાસ્ત્ર આદિને સારૂં સ્થાન અપાય છે. આ ત્રણેમાં તેજ કે ઉષ્મા નથી. પરંપરાથી ચાલ્યો આવતો ચીલો ચાલ્યો જાય છે. દેશને માટે સ્વતંત્ર કેળવણીના પ્રશ્ન ચર્ચાવતા માસિકની અતીવ આવશ્યકતા છે. ‘શિક્ષક‘ની પ્રગતિ ચાલુ રહેશે તો રસકસ વગરના થઈ પડેલા પોતાના કર્તવ્યક્ષેત્રમાં રસકસ પૂરવા તે કેટલેક અંશે શક્તિમાન થશે એવી આશા બંધાય છે.&lt;br /&gt;
વૈદકનાં બે-ત્રણ માસિકો નીકળે છે. શ્રેયઃસાધકો પણ એ વિષય પરત્વે ઘણું ધ્યાન આપે છે. ડૉ. જમનાદાસે આ માસિકમાં કેટલાક લેખ લખ્યા હતા, અને પોતે જે રોગોપચારની પદ્ધતિને અનુસરે છે તેને લોકપ્રિય કરવા સાપ્તાહિક— માસિકોમાં કલમ કસ્યા જાય છે.&lt;br /&gt;
મુંબઈમાં પારસીઓની પોતાની ઇસ્પિતાલ થઈ તે પ્રમાણે હિંદુઓની પોતાની ઇસ્પિતાલ કરવા ગયે વર્ષે લગભગ આઠ લાખ રૂપિયા કે તેથી વધારે ધર્માદા મળ્યા હતા.&lt;br /&gt;
વેપારીઓ, ધંધાદારીઓ, કારીગરો વગેરે માટે આપણે ત્યાં માસિકો નીકળતાં નથી. ઇંડિયન ટેક્ષ્ટાઈલ જર્નલ મિલઉદ્યોગના સંબંધમાં ઠીક નીકળે છે. બાકી પ્રો. ગજ્જરના રંગરસરહસ્ય જેવા માસિકની ખોટ હજુ પુરાઈ નથી. કલાભવનના શિક્ષકો તરફથી બે ત્રણ વાર એવું માસિક કાઢવા જાહેરખબરો પ્રસિદ્ધ કરવામાં આવેલી પણ માસિક નીકળેલાં નહીં. મુંબઈમાં હુન્નરસાગરની ઢબ ઉપર વિદ્યાકલાનિધિ નામનું માસિક ચલાવવામાં આવશે એવી જાહેરખબર જોવામાં આવી હતી, પણ માસિક નીકળ્યું જાણમાં નથી.&lt;br /&gt;
મુંબઈના દેશી વેપારીઓનાં મહાજન (Indian Merchants’ Chambers) તરફથી નવું માસિક નીકળવા માંડ્યું છે. એમાં આંકડાઓ અને માહિતી આપવામાં આવે છે; વેપારીઓને લગતા પ્રશ્નો ચર્ચવામાં નથી આવતા. આવી ચર્ચા કરવા આવી ગયેલા પ્રો. લીઝ સ્મિથનાં ભાષણોથી તેમ જ થોડા દિવસ ઉપર સ્થપાયેલા The Statistical Society of Western India નામના મંડળથી એ દિશામાં ઝલક આવવાની વકી છે.&lt;br /&gt;
ગપસપ જેવું વિનોદી પત્ર એક જ છે. હિંદીપંચના લેખોમાં સાહિત્ય દૃષ્ટિએ વિકાસ થતો જણાય છે. સ્ત્રીઓને માટે ફક્ત સુન્દરીસુબોધ અને સ્ત્રીબોધ સિવાય બીજાં પત્રો નથી. બાળકો માટે તો એકે પત્ર છે જ નહીં. પૂણામાં ખાસ બાળકો માટે જ નીકળતા ‘आनंद’ જેવા માસિકની ઘણી જ આવશ્યકતા છે.&lt;br /&gt;
ગયે વર્ષે નડિયાદમાં ગુજરાતી ભાષાના આધુનિક સ્વરૂપ વિશે રા. રા. કેશવ હર્ષદ ધ્રુવના પ્રમુખપદ નીચે ચર્ચા કરવામાં આવી હતી. એ ચર્ચા સમાલોચકમાં છપાઈ છે.&lt;br /&gt;
માસિકોમાં નવા યુવાન લેખકોનાં લખાણ વધતાં જાય છે અને તંત્રીઓ ઉદારતાથી તેમને સત્કારતા જાય છે એ આનંદની વાત છે. આપણું માસિક-સાહિત્ય ઘણું મહત્ત્વનું છે. એને લીધે ઘણા લેખકો જન્મી પોષાયા છે, એમને લીધે નવા વિચાર ફેલાયા છે — ફેલાવાય છે; જૂના સંરક્ષાય છે. માસિકોના તંત્રીઓના હાથમાં અમૂલ્ય પ્રસંગ અને તેમની સેવામાં ગુજરાતનું યૌવન આવી ઊભું રહે છે. દેશના અને જનસમાજના હિતને માટે એ પ્રસંગો વાપરવાની અને પોતાને સોંપાયેલા યૌવનને સુમાર્ગે ચઢાવી તેમની શક્તિનો દેશહિત અર્થે ઉપયોગ કરવાની જોખમદારી તેમને માથે છે. લખવાના કેફી વ્યસનથી યુવાન લેખકો ખુવાર થાય છે માટે તંત્રીઓએ પોતાના યુવાન લેખકોની વત્સલ ચિંતા રાખવી જોઈએ.&lt;br /&gt;
લિપિની ઝુંબેશ સારૂં વર્ષ ચાલી હતી. પહેલી સાહિત્ય પરિષદ ભરાયા પછી મુંબઈ સમાચારે ગુજરાતી લિપિનો પક્ષ લીધો હતો. એ પક્ષને રા. નરસિંહરાવે ગયે વર્ષે વધારે સબળ કરવા પ્રયત્ન કર્યો હતો. એમની દલીલો વાજબી છે અને સ્વીકારવા જેવી છે, પરંતુ દેશમૈયાના આરાધનમાં લિપિનો ત્યાગ કરવો એ મહત્વનું દુઃખ લાગતું નથી, એટલે નાગરી લિપિનું ભાગ્ય અમને તો ઊજળું લાગે છે. ગયા વર્ષમાં એ લિપિનો પગપેસારો વધતો ગયો છે. બેશક રા. નરસિંહરાવના લેખથી એને ખમવું તો પડશે જ.&lt;br /&gt;
વ્યાકરણ અને શબ્દશુદ્ધિ પરત્વે રા. નરસિંહરાવ ઘણાં વર્ષથી પોકાર ઉઠાવ્યા જાય છે. જોડણી માટે વર્ષો પર્યંત ચલાવેલી ઝપાઝપી સફળ નીવડતી લાગે છે. વ્યાકરણના પ્રશ્નોની એમની ચર્ચા વાસ્તવિક લાગતી હોવાથી એનું ભવિષ્ય પણ સારું જ આવશે. રા. કમળાશંકર આદિ સાથે થતા વિવાદ ઉપરાંત કેટલાક લેખોની ભાષા ઉપર એમણે વખતોવખત પ્રહાર કર્યા છે. પરંતુ એમના લક્ષમાં નીચેની બાબતો આવી હોય એમ લાગતું નથી. ભાષા પહેલી અને પછી વ્યાકરણ. બંધાતી ભાષા બીજી ભાષાઓનાં વ્યાકરણનાં બંધન સ્વીકારતી નથી. ગુજરાતી ભાષાનું વ્યાકરણ હજુ લખાયું નથી — સંસ્કૃત કે અંગ્રેજી વ્યાકરણની નજરે તો ઘણાં લખાયાં છે પરંતુ ગુજરાતી ભાષાના શબ્દ અને વાક્યપ્રયોગોના અભ્યાસ ઉપરથી ઉપજાવેલું વ્યાકરણ લખાયું નથી.&lt;br /&gt;
આવું વ્યાકરણ લખાયેલું ન હોવાથી દેશમાં વપરાતા અમુક પ્રયોગો પ્રતાપી લેખકને હાથે સંસ્કાર પામી સાહિત્યમાં દાખલ થાય તો તેમની સંસ્કૃત કે અંગ્રેજી વ્યાકરણના નિયમાનુસાર કસોટી કાઢવી એ વાજબી નથી લાગતું. રા. નરસિંહરાવે કાઠિયાવાડને ઘણો ગેરઇન્સાફ કર્યો છે. એમની બધી ચર્ચામાં એઓ નરસિંહ મહેતાની ભૂમિને તદ્દન વિસરી જ જાય છે.&lt;br /&gt;
હન્ટરના રચેલા ‘ગેઝેટીઅર’ની નવી આવૃત્તિ થઈ છે. તેના બીજા ગ્રંથમાં ગુજરાતી સાહિત્ય વિશે ડો. ગ્રીઅરસન લખે છે : &lt;br /&gt;
Gujarati has an old literature, dating from the fourteenth century which has been little explored. The oldest writers dealt with philology. The first poet was Narsingh Meheta (1413-79). He does not seem to have written any long work and his fame rests upon his short religious songs, many of which exhibit considerable grace. Among his followers we may mention Premanand Bhatt (flourished 1681) author of the ‘Narsingh Mehetanu Mameru’ Rewasanker(Translator of the Mahabharata), and Samal Bhatt. Gujrat has not yet produced a great poet approaching in excellence the mediaeval masters of Hindustan. Of more importance are its bardic chronicles already mentioned. Under English influence a number of works have issued from the press of late years, but these possess little originality, and are mostly translations.&lt;br /&gt;
આ વાંચી કોને હસવું નહીં આવે? એના ઉપર ટીકા કરવી નિરર્થક છે. ડો. ગ્રીઅરસને Linguistic Survey of India ની ગ્રંથમાળા પ્રગટ કરવા માંડી છે તેમાં ગુજરાતી ભાષા સંબંધી બે ગ્રંથો છે. એક ગ્રંથ છપાઈ ગયો છે. તેમાં ભીલી, ચારણી આદિ ગુજરાતની બોલીનો સંગ્રહ છે.&lt;br /&gt;
ગયે વર્ષે પ્રાચીન ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં કામ સારૂં થયું હતું. રા. છગનલાલ વિદ્યારામ રાવળે ‘સમાલોચક’, ‘ગુ. શાળાપત્ર’ અને ‘ગુજરાતી’માં સારી હકીકત લખી મોકલી હતી. એઓની શોધકવૃત્તિ ડગતી છે એટલે એમનાં અનુમાનો આગળ ઉપર નુકસાન કરનારાં થવાનો સંભવ છે. રા. કેશવલાલ પ્રેમચંદે જૈન રાસાઓની ફેરિસ્ત તૈયાર કરી ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભા મારફત પ્રગટ કરી છે. એ ઉપરાંત પારસીઓના જ્ઞાનવર્ધકમાં પારસીઓનાં પ્રાચીન ગુજરાતી સાહિત્ય વિશે ઉલ્લેખ થયો હતો.&lt;br /&gt;
ગયે વર્ષે માસિકોમાં सागर, રા. ચંદ્રશંકર પંડ્યા, રા. અતિસુખશંકર ત્રિવેદી, રા. મોહનલાલ દવે, રા. કાન્તિલાલ પંડ્યા, રા. નર્મદાશંકર પંડ્યા, રા. કૃષ્ણલાલ ઝવેરી, પ્રભૃતિ તરફથી સાહિત્યચર્ચા પણ સારી થઈ હતી. ‘ફુરસદ,’ ‘જ્ઞાનવર્ધક,’ ‘ગુજરાતી’ આદિ મુંબઈનાં પત્રોમાં ગ્રંથોની નોંધ નિયમિત રીતે લેવાય છે.&lt;br /&gt;
રા. કૃષ્ણરાવ દિવેટિયાએ હાલમાં ચાલતી કેટલીક પ્રવૃત્તિઓ ઉપહાસપાત્ર ઠરાવવા ‘વસન્ત’માં ‘ત્રિકાળદર્શન’ના મથાળા નીચે એક લેખ લખ્યો છે. એ લેખ ઉપરથી જણાય છે કે ત્રિકાળદર્શનના પૂરતા જ્ઞાનના અભાવે એ કોશિશ માત્ર હાસ્યજનક નીવડે એમાં નવાઈ નથી.&lt;br /&gt;
‘સ્ત્રીબોધ’ના સોનેરી આનંદોત્સવ પ્રસંગે અમદાવાદમાં પ્રો. ધ્રુવે ‘નારીપ્રતિષ્ઠાના ઐતિહાસિક દર્શન’ વિશે અને રા. રમણભાઈ મ. નીલકંઠે ‘સુધારાની પદ્ધતિઓ’ ઉપર ભાષણ આપ્યાં હતાં. પહેલું ભાષણ ‘વસન્ત’માં અને ‘છૂટું’ છપાયું છે. વખત થોડો મળેલો એટલે ભાષણ કરતી વખત ઘણી વાતો મૂકી દેવી પડી હતી; પણ પછીથી સમગ્ર ઐતિહાસિક દર્શન કરાવ્યું હોત તો વધારે સારું થાત. યજ્ઞમાં નારીપ્રતિષ્ઠાને કેવું સ્થાન હતું? સ્મૃતિકારોનું એ સંબધે શું કહેવું છે? પુરાણોમાં એની ભાવના કેવી છે? આદિ અનેક પ્રશ્નો છેડવામાં જ નથી આવ્યા.&lt;br /&gt;
રા. રમણભાઈનું ભાષણ આ માસિકમાં છપાયું હતું, એ વિષયના ઉપસંહાર જેવું છે.&lt;br /&gt;
મીરાંબાઈ કુંભાની રાણી નહોતી એવી વાત મેવાડના ઇતિહાસકાર શામળદાસે પ્રસિદ્ધ કર્યા પછી સમગ્ર હિંદમાં ધીમે ધીમે એ વાત કબૂલાતી જાય છે. રા. ભાનુસુખરામ નિર્ગુણરામે ગયે વર્ષે નવી શોધ વાસ્તવિક નથી એમ બતાવવા યત્ન કર્યો હતો. કવિ શામળદાસનો ઇતિહાસ મેવાડના નરેશને છપાવવો ઉચિત ન લાગવાથી અપ્રસિદ્ધ રહ્યો છે એમ સાંભળવામાં આવ્યું છે. એમના ઇતિહાસ ઉપરથી એમના એક શિષ્યે ‘મીરાંચરિત્ર’ હિંદીમાં લખ્યું છે અને તેના પરથી મીરાંબાઈ કુંભાની પટરાણી નહીં પરંતુ રાણા સંગની પુત્રવધૂ હતી એ વાદ ચાલ્યો છે. કવિ શામળદાસે જે કારણોસર પ્રચલિત આખ્યાયિકા ખોટી ઠરાવી છે તે બહાર આવ્યાં નથી એટલે એમની વિદ્વત્તાને ખાતર જ નવો મત સ્વીકારાયો છે. મીરાંના દંતકથાભર્યા જીવન પરથી કે એને નામે ગવાતાં હિંદી, ગુજરાતી, મરાઠી ગીતો ઉપરથી ખરી હકીકતનો નિર્ણય કરવાનું કામ મુશ્કેલ છે. કબીર, તુલસીદાસ વગેરેનાં પદો ઉપરથી પણ નિર્ણય પર આવી શકવાનો સંભવ થોડો છે, કારણ કે એમને નામે પણ અનેક પદો ગવાય છે. હિંદી સાહિત્યનો અને ભરતખંડના મધ્યકાલીન ધાર્મિક અને રાજકીય ઇતિહાસનો અભ્યાસ મીરાંનો જમાનો નક્કી કરવા આવશ્યક છે.&lt;br /&gt;
રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ સાયન્સના તત્ત્વચિંતનના ઉત્સાહી અભ્યાસી છે. કેટલાંક માસિકોમાં એમના એ સંબંધીના લેખો આવ્યા જાય છે. સરળ ભાષામાં સાયન્સની ગહન બાબતો તેઓ સમજાવે છે. સાયન્સમાં ચંચુપાત કર્યા વિના તેને જડવાદી કહી તે શબ્દથી ભડકનારાઓને રા. વિજયલાલના લેખો વાંચવા ભલામણ કરવી જોઈએ. સ્વદેશી હિલચાલને પ્રતાપે સાયન્સનું શિક્ષણ વધવાનું અને એ શિક્ષણના પ્રસારની સાથે આપણા જડ ઘાલી બેઠેલા વહેમો નિર્મૂળ કરવા સાયન્સના તત્ત્વચિંતનનો પણ પ્રસાર થવો જરૂરનો છે.&lt;br /&gt;
આજથી ઘણાં વર્ષ ઉપર ‘નવરાશ’ અને ‘ફુરસદ’ના તંત્રીએ અંગ્રેજી ઉપરથી એક ફારસ ગુજરાતીમાં લખેલો. ઉક્ત બીના જાણમાં ન હોવાથી ‘જ્ઞાનવર્ધક’ના એક ઊછરતા લેખકે, ફરી વાર એ ફારસ ગુજરાતીમાં ઉતાર્યો. આથી એ બે માસિકો વચ્ચે થયેલી ટપાટપીથી તેમના વાચકોને રમૂજ ઠીક આવી હશે.&lt;br /&gt;
આમ પારસી પત્રોમાં અંગ્રેજી લેખોના તરજુમા સ્વતંત્ર લેખ તરીકે છપાયે જાય છે તેમ આપણાં પત્રોમાં બંગાળી, મરાઠી, હિંદી કે અંગ્રેજીમાંથી થયેલાં ભાષાંતરો છપાય છે. જવલ્લે જ લેખકો તરફથી કબૂલવામાં આવે છે કે એમના લેખો ભાષાંતર છે. આવી જાતની ચોરીથી તંત્રીઓએ સાવધ રહેવાની જરૂર છે.&lt;br /&gt;
ધાર્મિક મંડળોનાં વાજિંત્રોમાં પણ આવું થાય તો બીજાને શો દોષ દેવો? ‘મહાકાળ’માં પ્રગટ થતી યોગિની નામની કથા Mata the Magician નામની અમેરિકન નવલકથા ઉપરથી સુધારાવધારા, ઘટાડા સાથે છપાય છે. વાચકોને ઉક્ત વાત જણાવેલી ન હોવાથી એ મંડળનો ઘણો ભાગ એ વાર્તાને સ્વતંત્ર કૃતિ ગણે છે અને એમાં વર્ણવેલી વાતો ખરી બનેલી હોય એવું માને છે.&lt;br /&gt;
છાપખાનાં વધતાં જાય છે તેમ તેમ પત્રોની સંખ્યા પણ વધતી જાય છે. ઘણાંખરાં પત્રોની કિંમત રૂ. સવા અને ‘ફર્મા’ ત્રણ કે ચાર બ્રહ્માને ત્યાંથી લખાઈ આવ્યા હોય તેમ લાગે છે! આ વધી પડેલો ઊકરડો ત્રાસરૂપ થઈ પડ્યો છે.&lt;br /&gt;
દક્ષિણમાં ઘણુંખરું સાપ્તાહિકોની કિંમત કરતાં માસિકોની કિંમત વધારે હોય છે, અને આપણાં માસિકો કરતાં તેમાં આવતાં લખાણો ઊંચા પ્રકારનાં અને વિવિધ વિષયોને લગતાં હોય છે.&lt;br /&gt;
દક્ષિણમાં તંત્રીઓ ઘણે ભાગે બ્રાહ્મણો છે, આપણે ત્યાં વૈશ્યો છે. બે વર્ષ ઉપર આપણા તંત્રીઓની સંખ્યાનું વર્ગીકરણ નીચે પ્રમાણે હતું : ૮ બ્રાહ્મણ, ૧ બ્રહ્મક્ષત્રી, ૧૭ પારસી, ૧૭ વાણિયા, ૨ લોહાણા, ૫ મુસલમાન, અને ૨ મરાઠા. આમાં પારસી, વાણિયા, લોહાણા અને મુસલમાન વૈશ્યનો ધંધો કરનારા હોવાથી ૪૧ વૈશ્ય તંત્રીઓ હતા એમ કહી શકાય. હમણાં શી સ્થિતિ છે તે જાણવા સાધન ઉપલબ્ધ નથી.&lt;br /&gt;
ગ્રંથપ્રસિદ્ધિનું નિરીક્ષણ કરતાં લોકસમૂહ માટે પ્રગટ થતા સાહિત્યનો ઉલ્લેખ કરીશું. અમદાવાદના સાહસિક ગ્રંથવિક્રેતા મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે અને વઢવાણ, મુંબઈના એવા જ ગ્રંથપ્રકાશકો નાના પ્રકારના વાર્તાઓના, ધર્મના, પુરાણોના, ભજનોના ગ્રંથો છપાવ્યે જાય છે. કોઈ મંડળ તરફથી એ લોકોએ પ્રગટ કરેલા સાહિત્યની દર વર્ષે સમાલોચના થવી ઘટે છે.&lt;br /&gt;
પાલીતાણાની જૈન ગ્રંથપ્રસારક મંડળી અને ભાવનગરની જૈન ધર્મ પ્રસારક મંડળી પણ એમના ધર્મનાં પુસ્તકો છપાવવાનું કામ સારા – વિશાળ પાયા ઉપર ચલાવ્યે જાય છે. ભિક્ષુ અખંડાનંદે સ્થાપેલા ‘સસ્તું સાહિત્યવર્ધક મંડળે’ ભગવદ્ગીતા, ભાગવત – એકાદશ સ્કંધ, એ બે પુસ્તકો બહાર પાડ્યાં છે, અને બીજા ગ્રંથો બહાર પાડનાર છે.&lt;br /&gt;
ઉદ્દામ પક્ષના લેખકો તરફથી ટિળક, પાલ, લજપતરાય, હૈદર રેઝા, અરવિન્દ ઘોષ પ્રભૃતિનાં ગ્રંથોનાં ભાષાંતર આ વર્ષમાં પ્રગટ થયાં હતાં. ‘ગુજરાતી’માં રાજ્યવિદ્યા વિશે લેખ આવે છે.&lt;br /&gt;
ગાયકવાડ સરકાર અને ગુ. વ. સોસાયટી તરફથી ઐતિહાસિક ગ્રંથોનાં અંગ્રેજીમાંથી ભાષાંતર કરાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં. પ્રોટેસ્ટંટ રાણી એલિઝાબેથનો સમય, એ વડોદરામાં અને મરાઠી સત્તાનો ઉદય, અને દક્ષિણનો પૂર્વ સમયનો ઇતિહાસ અમદાવાદમાં, અને પોરબંદરના ઇન્સ્પેક્ટરનો રચેલો શાળોપયોગી હિંદનો ઇતિહાસ ગઈ સાલ છપાયાં હતાં.&lt;br /&gt;
ઇતિહાસ ઉપર આપણે ત્યાં બિલકુલ લક્ષ નથી અપાતું એ ખરેખર મોટા ખેદની વાત છે. લોકોમાં બિલકુલ historic sense નથી. તેમ ઇતિહાસરૂપી પ્રમાણનું મહત્ત્વ ખબર ન હોવાથી ખોટા વિચારોમાં ગોથાં ખાય છે.&lt;br /&gt;
આ વર્ષે વલ્લભીના મૈત્રકોનાં શાસનો જડ્યાં હતાં. પાલીતાણામાંથી હાથ આવેલું શાસન Epigraphica Indicaમાં પ્રસિદ્ધ થયું છે. રાજકોટના ઉમંગી અને આગ્રહી પ્રાચીન વસ્તુશોધક રા. વલ્લભજી હરિદત્ત આચાર્યને પણ શાસન મળ્યાં છે. આપણા હાલના તંત્રીઓને આ પ્રદેશમાં રસ પડતો ન હોવાથી આવાં શાસનો અને સિક્કાઓની નોંધ કોણ લે?&lt;br /&gt;
‘મુદ્રારાક્ષસ’ના ગુજરાતી ભાષાંતરની નવી આવૃત્તિના ઉપોદ્ઘાતમાં જે ઐતિહાસિક ભાગ રા. રા. કેશવલાલ ધ્રુવે લખ્યો છે તે હિંદના ઇતિહાસના એક અંધકારગ્રસ્ત પ્રદેશ પર પ્રકાશનું કિરણ ફેંકે છે.&lt;br /&gt;
બંગાળી સાહિત્ય અને પ્રજાજીવનના મહાન આચાર્ય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પ્રાતઃસ્મરણીય નામથી ગુજરાતમાં કોઈક જ અજાણ્યું હશે. વિદેહ નારાયણ હેમચંદ્રે એની કેટલીક વાર્તાઓનાં ભાષાંતર કર્યાં હતાં. ત્યાર પછી બીજાઓએ પણ કર્યાં છે. એની રાજસિંહ નામની નવલકથાનું ભાષાંતર કરનાર રા. કૃષ્ણલાલ ઝવેરીએ બંકિમચંદ્રના કૃષ્ણચરિત્રનું ભાષાંતર આજથી ઘણાં વર્ષ ઉપર કર્યું હતું. પરંતુ ‘પ્રેસ’માં શ્રીકૃષ્ણની બંસરીએ જૈનોને પણ મુગ્ધ કરી દીધા એટલે ચરિત્રને છપાતાં ઘણો વખત લાગ્યો. ચરિત્રમાં શ્રીકૃષ્ણના જીવનમાં ભાગવત, ગીતગોવિંદ, આદિને લઈને જે કાળાશ જણાતી હતી તે બંકિમચંદ્રે દૂર કરી છે. મહાભારતમાં જે પ્રકારનું વ્યાસજીએ શ્રીકૃષ્ણનું ચરિત્ર કહ્યું છે તે જ રીતે આ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે. લેખક કહે છે :&lt;br /&gt;
‘કૃષ્ણ બધી જગાએ, બધે વખતે, બધા ગુણોના તેજથી પ્રકાશિત હતો. તે કોઈનાથી જિતાય તેવો ન હતો, કોઈનાથી જિતાયો ન હતો, વિશુદ્ધ પુણ્યમય, પ્રીતિમય, દયામય હતો; પોતાનાં કર્તવ્ય કરવામાં કદી પાછો પડતો ન હતો. ધર્માત્મા, વેદજ્ઞ, નીતિજ્ઞ, ધર્મજ્ઞ, લોકહિતૈષિ, ન્યાયી, ક્ષમાશીલ, ધિક્કારવૃત્તિ વિનાનો, શાસન કરનાર, ભોળો, અહંકાર વિનાનો, યોગી અને તપસ્વી હતો. પોતે માણસની શક્તિ વાપરી કામ કરતો હતો, છતાં તેનું ચરિત્ર ઈશ્વરી હતું. એવી રીતની માનુષી શક્તિ વડે જ અમાનુષી ચરિત્ર વિકાસ પામે. તેના ઉપરથી તેના મનુષ્યત્વ અથવા ઈશ્વરત્વ વિશે અનુમાન, તે માણસ હશે કે ઈશ્વર હશે તેનો વિચાર, વાચક પોતાની શક્તિ મુજબ કરી લેશે.’&lt;br /&gt;
‘યથાર્થ હિંદુ આદર્શ(Hindu Ideal) તે તો શ્રીકૃષ્ણ જ, મનુષ્યત્વનું ખરેખરું આદર્શ સ્થાન તો તે જ.’&lt;br /&gt;
‘કૃષ્ણ તો સંસારી, ગૃહસ્થાશ્રમી, રાજનીતિનો જાણનારો, લડવૈયો, દંડપ્રણેતા, તપસ્વી અને ધર્મપ્રચારક હતો. સંસારીનો, ગૃહસ્થાશ્રમીનો, રાજાઓનો, યોદ્ધાઓનો, રાજપુરુષોનો, તપસ્વીઓનો, ધર્મવેત્તાઓનો, ટૂંકામાં કહીએ તો મનુષ્ય આખાના સઘળા અંગનો આદર્શરૂપ હતો.&lt;br /&gt;
લેખક પોતે કૃષ્ણને ઈશ્વર તરીકે માને છે છતાં આ ગ્રંથમાં તેનું મનુષ્યત્વ જ આલેખ્યું છે, અને હિંદુ પ્રજાએ પોતાનો પ્રજાકીય આદર્શ કેવો ઉન્નત મેળવ્યો હતો તે બહુ સારું બતાવ્યું છે.&lt;br /&gt;
રા. બ. ચિંતામણ વૈદ્યે પોતાના Epic India (મહાભારત અને રામાયણના સમયનું હિંદુસ્તાન)માં પણ શ્રીકૃષ્ણનું ચરિત્ર નિષ્કલંક અને ઉત્કૃષ્ટ હતું એમ જણાવ્યું છે.&lt;br /&gt;
મૂળ ગ્રંથોનો અભ્યાસ ઘટવાથી નાના પ્રકારના અનર્થો થાય છે. શ્રીકૃષ્ણના ઉક્ત ઉત્તમ ચારિત્ર્યને સ્થાને લંપટતા, કપટીપણું, ક્રૂરતા, નીચતા, અસત્યવાદીતા, ઘાતકતા આદિથી ભરેલું કલુષિત ચારિત્ર્ય જનસમાજમાં પ્રચાર પામ્યું છે. આવા ગ્રંથોને લીધે એ આદર્શણીય ચરિત્ર જોવાની ઉત્સુકતા વધશે એવી આશા છે. મહાભારતના બનાવો અને પાત્રોનો આવો કેટલો બધો વિનિપાત પુરાણો અને આપણા માણભટોએ કર્યો છે? મૂળ ગ્રંથો વાંચવાની ટેવ ન હોવાથી આ રસ્તે જે જણાતું તે મનાતું. પરંતુ હવે તો ગ્રંથો છપાયા છે અને સંસ્કૃતનું જ્ઞાન વધતું જાય છે. તે વખતે વેદ, શાસ્ત્ર, સ્મૃતિ આદિ ગ્રંથોનાં ખોટાં અપાતાં પ્રમાણો જાતે જોયા વિના ન માનવા દરેક જણે તત્પર રહેવું જોઈએ. જો આમ મૂળ ગ્રંથો જોવાની અને બંકિમચંદ્ર તથા રા. ચિંતામણ વૈદ્યે મહાભારત નિરીક્ષ્યું છે તે રીતે એ ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવશે તો ગુજરાતમાં ચાલતી ગપો, વિતંડા નિર્મૂળ થશે. લોકોને ચેતનભર અને સજીવન કરે એવા આદર્શો મળશે. &amp;lt;ref&amp;gt;આવો ઉત્કૃષ્ઠ ગ્રંથ ભિક્ષુ અખંડાનંદના ‘અહાલેક’ પછી પણ રૂ. દોઢની ભારે કિંમતે છપાય તે યોગ્ય નથી લાગતું. પ્રૂફ તપાસવા જેટલી કાળજી રાખવી જોઈએ તેટલી રખાઈ નથી. ભાષાનો પ્રતાપ ઓગાળી નાંખવામાં આવ્યો છે, પ્રલયવાહી રસસરિતા નથી વહેતી; ભાષા ખરબચડી, શિથિલ અને નિર્બળ લાગે છે.&amp;lt;/ref&amp;gt; શ્રીમન્નથુરામ શર્માના શિષ્ય અને ‘મહિમ્ન’નું ભાષાંતર કરનાર રા. વિશ્વનાથ સદારામ પાઠકે નચિકેતાનું આખ્યાન નવલકથારૂપે લખી પ્રગટ કર્યું હતું.&lt;br /&gt;
અમદાવાદના ‘સસ્તા સાહિત્ય પ્રકાશક મંડળે’ અંગ્રેજીમાંથી મૈત્રેયીના નવલકથારૂપે લખાયેલાં જીવનચરિત્રનો તરજુમો પ્રગટ કર્યો છે.&lt;br /&gt;
અભયકુમાર મંત્રીનું જીવનચરિત્ર-એ જૈન ગ્રંથ છે. સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ગયે વર્ષે અર્ધું ભાષાંતર બહાર પડ્યું હતું.&lt;br /&gt;
હિંદની બીજી ભાષામાં લખાયેલાં ગેરિબાલ્ડી અને મેટ્ઝિનીનાં ચરિત્રો ગુજરાતી ભાષામાં અનુવાદિત થયાં હતાં.&lt;br /&gt;
‘સ્ત્રીબોધ’માં અંકે અંકે રા. જીવનજી જમશેદજી મોદી ‘શાહનામાની સુંદરીઓ’ નામના લેખ લખતા હતા તે સમગ્ર સ્વરૂપમાં પ્રગટ થયો હતો.&lt;br /&gt;
પ્રો. બ. ક. ઠાકોરે મહાભારતમાં આવતાં સુન્દરી પાત્રોનાં જીવન વ્યાસજીની જ વાણીમાં ગુજરાતને રોશન કરવા માંડ્યાં છે. સતીઓનાં ચરિત્રો પુરાણો ઉપરથી અને રાજસ્થાન ઉપરથી અનેક લખાયાં છે. પરંતુ પ્રો. ઠાકોરની યોજના તે ગ્રંથોથી તદ્દન નિરાળી છે. મહાભારતમાં છૂટા છૂટા પ્રસંગે આલેખાયેલાં સ્ત્રીજીવન એકત્ર મૂર્તિમન્ત કરવા અને એમના જીવનમાં ઓતપ્રોત રહેલા આદર્શો આજની પ્રજાને આપવા એવો એમનો ઉદ્દેશ જણાય છે. શકુન્તલા, કુન્તી અને સાવિત્રી એ ત્રણ સન્નારીઓનાં જીવન એમણે અત્યાર સુધીમાં પ્રગટ કર્યાં છે.&lt;br /&gt;
આ સર્વે ગ્રંથોમાં – નાના પ્રકારનાં સતીમંડળોમાં મિસિસ જેમીસનની પ્રતિભા, પ્રસાદ, કલ્પના કે બાની તો નથી જ.&lt;br /&gt;
ફ્લોરેન્સ નાઈટીંગેલનું ચરિત્ર, ગુ. વ. સોસાયટી માટે સૌ. શારદા મહેતાએ લખ્યું હતું. સેવાસદન જેવી સંસ્થાની ઉપયોગિતા વધતી જશે અને નૈષ્ઠિક કે ગૃહસ્થ સેવિકાની સંખ્યા વધશે તથા તેમનાં કામની કદર થશે તેમ તેમ આ પરોપકારિણી સાધ્વી સ્ત્રીનું ચરિત્ર વિશેષ વંચાશે.&lt;br /&gt;
રા. લલ્લુભાઈ શામળદાસની પુત્રી સૌ. સુમતીએ પાશ્ચાત્ય સદ્ગુણી સ્ત્રીઓનાં ચરિત્રનું અંગ્રેજી ઉપરથી ભાષાંતર કર્યું હતું. તેમ જ ‘ગીતાર્થસાર’ નામનો લઘુ ગ્રંથ પ્રગટ કર્યો છે. ‘આનંદ’માં એમનું કરેલું એક ભાષાંતર છપાય છે.&lt;br /&gt;
‘બાળવિનોદ’, ‘શિશુસદ્બોધ’ આદિ ગ્રંથો બાળકોને માટે લખાયા છે. મુંબઈના રા. જગન્નાથ રાવળે ‘આનન્દમાલા’ ના બે ભાગ પ્રગટ કર્યા છે. રા. મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેએ પણ ગોંડલના રા. નાગરદાસ ધ્રુવના બાળકોને માટે લખેલા ગ્રંથો પ્રગટ કર્યા છે. બાળકોને માટે ગ્રંથોની ઘણી જ જરૂર છે. તે ગ્રંથો સારી છપાઈના અને સચિત્ર હોય તો સારું. મિ. સ્ટેડની Books for the Bairns અને Plays for Children નામની ગ્રંથાવલિઓ જેવાં,- મિ. એન્ડ્રુ લેઙ્ગ સંપાદિત પરેશાની કથામાળા(Fairy Tales) કે ઇંગ્લૅંડના જુદા જુદા ગ્રંથ પ્રકાશક મંડળના બાળકાવ્યોના ગ્રંથો જેવા ગ્રંથો આપણે ત્યાં રચાવાની ખાસ જરૂર છે. બાળકોને માટે મહારાષ્ટ્ર, બંગાળ વગેરે પ્રાંતોમાં માસિક નીકળે છે પરંતુ આપણે ત્યાં કાંઈ જ નથી. ‘સુન્દરીસુબોધ’ પ્રવર્તક મંડળનું પણ બાળસાહિત્ય પ્રત્યે દુર્લક્ષ છે. માતા, ભગિની, પુત્રી, શિક્ષક, રાજ્યકર્તી, ઉપદેશિકા, પંડિતા, સેવિકા આદિ સ્ત્રીજીવનનાં સ્વરૂપો કરતાં સ્ત્રીનું એકતાનાત્મક દાંપત્યજીવન આલેખવું એ એ માસિકને બહુ રૂચે છે.&lt;br /&gt;
વડોદરા સરકારે ‘દેશી રમતો’નો ગ્રંથ છપાવ્યો (તેમાં પણ છોકરીઓની રમતો નથી. ‘મરાઠી ખેલાંચેં પુસ્તક’માં છોકરા-છોકરીની રમતો છે.) ત્યાર પછી એ રમતોને શિક્ષણનો વિષય બનાવવા – એમાં રહી ગઈ હોય એવી રમતો મેળવવા કે પરદેશી રમતો આપણે ત્યાં દાખલ કરવા બિલકુલ પ્રયત્નો નથી થયા. ઇંગ્લિશ અભ્યાસક્રમોમાં organised games ને સ્થાન હોય છે તે આપણા શિક્ષકોને અને ‘ટ્રેઈનિંગ કૉલેજ’ના અધ્યાપકોને વિદિત હોવું જ જોઈએ.&lt;br /&gt;
બાળશિક્ષણમાં સંગીત પ્રવેશ પામતું જાય છે એ આનંદની વાત છે. બાળકાવ્યો સારાં લખાવાની ઘણી અગત્ય છે. નવલરામની ગરબાવળી અને રા. બાપાલાલની ગરબાવળી બાદ કરતાં ગરબાવળી અને ગીતોનાં જે પુસ્તકો અવારનવાર પ્રગટ થાય છે તેની અંદરની કવિતા કરતાં તો સ્ત્રીઓનાં જોડકણાં વધારે સારાં હોય છે.&lt;br /&gt;
અત્યાર સુધી જે ગ્રંથો બાળકોને માટે લખાયા છે તે તેમનો જુસ્સો પ્રફુલ્લ કરે એવા નથી.&lt;br /&gt;
બાળજીવનમાં કથા, સંગીત, નાટક અને રમતનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો બાળશિક્ષણ તેજસ્વી બનવાનો સંભવ છે. કીંડરગાર્ટન દાખલ થયું છે પણ તે સંબંધીનું સાહિત્ય (literature) તદ્દન નિઃસત્ત્વ સંસ્કારહીન છે તેમ તેનો ઉદ્દેશ યથાર્થ પળાતો પણ નથી.&lt;br /&gt;
છતાં પણ માધવલાલ હરિલાલ દેસાઈએ બાળશિક્ષણ માટે જે ઉત્સાહ કેળવણી ખાતામાં પ્રગટાવ્યો હતો તે મંદ નથી પડ્યો. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેઇનિંગ કૉલેજના શિક્ષક રા. રા. ગંગાશંકર વૈષ્ણવે બાળસ્વભાવ સંક્ષેપમાં પણ સરળતાથી સમજાવવા લખેલા ગ્રંથની બીજી આવૃત્તિ થઈ છે. આ ગ્રંથ શિક્ષકને તેમ જ માબાપ ઉભયને ઉપયોગી છે. યુરોપ અમેરિકામાં આ વિષય ઉપર પુષ્કળ લક્ષ અપાય છે અને ત્યાં બાળસ્વભાવનો સૂક્ષ્મ અને અવિરત અભ્યાસ કરવાની પ્રયોગશાળાઓ પણ હોય છે. તેમ જ એ વિષયનું સાહિત્ય પણ બહોળું છે. આવા ગ્રંથના પ્રચાર અને સત્કાર વધતાં બાળકેળવણીનું સ્વરૂપ પલટાઈ સારું થવાનો સંભવ છે.&lt;br /&gt;
પરચૂરણ ગ્રંથોમાં વહેમખંડન, પુત્રધર્મ, ધાત્રીશિક્ષા, ખેતીવાડીનાં મંડળો વગેરે વગેરેની પ્રસિદ્ધિ થઈ હતી. ધાત્રીશિક્ષા વૈદ્યકલ્પતરુના તંત્રીની કૃતિ છે. ખેતીવાડીનાં મંડળનું પુસ્તક ઘણું ઉપયોગી છે. એ વિષય લોકપ્રિય કરવાની ફરજ આપણા પત્રકારોની છે. સીનોરથી નીકળતા અને ઝળક દાખવતા ‘પટેલ બન્ધુ’ નામના માસિકમાં એ ગ્રંથના કર્તા રા. છોટાલાલ બાબરભાઈ પટેલ એ જ વિષય ચર્ચે છે અને એ દ્વારા પોતાના વર્ગમાં એ બાબતનું જ્ઞાન ફેલાવવા આવશ્યક પ્રવૃત્તિ આરંભી છે. સરળ ભાષામાં અને ખેડૂતોથી સમજાય એવી રીતે એ વિષયની ચર્ચા અનેક રીતે થયા કરે તો અન્તે લાભ છે.&lt;br /&gt;
શ્રેયઃસાધકો વર્ષમાં બે વખત સાધન સમારંભ કરે છે. એ સમારંભ વખતે થયેલાં ભાષણો, કીર્તનો વગેરેનો સંગ્રહ છપાય છે. ગયે વર્ષે સદુપદેશ શ્રેણી(ઉક્ત સંગ્રહનું નામ છે)ના ૧૯ અને ૨૦મા ભાગો પ્રકટ થયા હતા. પ્રો. કણીઆએ કરેલાં શંકાનાં સમાધાન એ પંથની વિચારાચાર શ્રેણીનું દર્શન કરાવે છે. આ ઉપરાંત એમના ‘નિદ્રાનિરૂપણ’ તથા ‘રાગ એટલે પ્રેમ, એ વિરાગનું રહસ્ય છે’ એ બે ભાષણો એ સંગ્રહમાં છે. નિદ્રાનિરૂપણનો વિષય વૈજ્ઞાનિક છે – સર્વને તે વાંચવા જેવો છે. રા. નર્મદાશંકર દેવશંકરનો ‘વેદાંત નિબંધમાલા’ નો લેખ છે. રા. છોટાલાલ જીવનલાલનો ‘વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો જય શ્વસનક્રિયાથી થઈ શકે,’ એવું પ્રતિપાદન કરતો અપૂર્ણ લેખ એ સંગ્રહમાં છે. ૧૯મા અંકમાં રા. કૌશિકરામનો આર્યલગ્ન વિશે લેખ છે. હાલની લગ્નક્રિયાથી એમનો અત્મા કંપી ઊઠે છે. પ્રાચીન લગ્નની ક્રિયા અને ભાવના કેવાં હતાં તેનું નિરૂપણ એમનાં લેખમાં છે. લેખ સારો છે. શ્રેયઃસાધકો આવા વિચારોના આંદોલનથી જ કર્તવ્યસમાપ્તિ થયેલી માને છે કે પ્રાચીન આર્યલગ્નની ભાવના ઉત્તમ હોય તો તેઓ તે પ્રમાણે વ્યવહરવા પ્રવૃત્ત થાય છે?&lt;br /&gt;
આ લેખમાં ભાષણકારે કેટલીક પાશ્ચાત્ય વાતો પર સમજ્યા વિના આક્ષેપ કર્યા છે. ટૉલ્સ્ટૉયે લગ્ન ઉપર જે પ્રહારો કર્યા છે અને જે નિર્ણય આપ્યો છે. તેનો ઉપલક અભ્યાસી તેમ જ પ્લેટૉનિક સ્નેહ વિશે એકાદ અંગ્રેજી કોષમાં આપેલી વ્યાખ્યા જોનાર જણથી રા. કૌશિકરામના એ બેના સંબંધમાં કાઢેલા ઉદ્ગારોથી હર્યા વિના રહેવાશે નહિ. શ્રેયઃસાધકો તો એમની વાણી વેદવાણી તુલ્ય લેખતા હોય તેમ જ એમણે ઉલ્લેખેલી બીનાઓથી અજાણ હોય એટલે એમની સમક્ષ આવી નિરર્થક demagogic (લોકોની હલકી વૃત્તિ તૃપ્ત કરતી) વાણી ઉચ્ચારાય તો તે વિષે શંકાશીલ ન થાય એ સ્વાભાવિક છે. જેવી ભૂલ પાશ્ચાત્યો આપણી સંસ્થા, વિચારણા આદિ સમજતાં કે સમજાવતાં કરે છે તેવી ભૂલ તેમના સંબંધમાં જાણીજોઈને આપણે શા માટે કરવી?&lt;br /&gt;
પુરુષોએ પણ સ્ત્રીની પેઠે પ્રેમ અવ્યભિચરિત રાખવો એવું સબળતાથી કહેવામાં આવ્યું છે. સ્ત્રીપુરુષ ઉભયને માટે એકલગ્ન(monogamy) જ શ્રેયસ્કર છે. પુરુવિવાહ(Polygamy) ત્યાજ્ય છે. શ્રેયઃસાધકોની સંસારઘટનામાં આ સિદ્ધાંતો સ્વીકારાયા છે કે સ્વીકારાવાનો સંભવ છે?&lt;br /&gt;
જપતપથી નહીં પણ હાલમાં આપણા દેશમાં ઊઠતા પ્રજાકીય ને સાંસારિક મહાપ્રશ્નો સરળતાથી નિરૂપી વ્યવહારમાં આણવા પ્રવૃત્ત થાય તો જ શ્રેયઃસાધક સંપ્રદાયની ઉપયોગિતા હશે તેનાથી અધિકતર વધવાનો સંભવ છે. રા. કૌશિકરામ અને પ્રો. કણીયાના લેખો શ્રેયઃસાધકના તર્કશાસ્ત્રના(logic) ગુણદોષના અચ્છા નમૂના છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પ્રણીત ‘દયારામનો અક્ષરદેહ’ એ કવિની કવિતાનું રહસ્ય પ્રગટાવતો ગ્રંથ છે. ગો. મા. ત્રિ. ની વિદ્વત્તાની છેલ્લી પ્રસાદી છે. Inductive appreciationનો ઉત્તમ નમૂનો છે. દરેક પ્રાચીન કવિનો આવી રીતે અભ્યાસ થાય તો જ તેમની કવિતા ખરી કિંમતે અંકાય. ગોવર્ધનરામને દરેક વસ્તુમાં સંદૃંશ જણાતો, તે સ્ફૂટ કરવામાં એમને અતિશય આનંદ પડતો. વલ્લભ સંપ્રદાયના સિદ્ધાન્તો દયારામની કવિતામાં કેવી રીતે વ્યાપ્યા છે, અને એની દરેકે દરેક ગરબીમાં સંપ્રદાયના સિદ્ધાન્ત નિરૂપક કાવ્યોમાં એ વ્યાપ્તિને લીધે શા શા અર્થ નીકળે છે તે સારી રીતે સમજાવ્યું છે. યોગ અને વેદાન્તની કુમક મેળવી દયારામની ભક્તિ સ્ફૂટ કરી છે. જે પ્રણાલિકા દ્વારા દયારામે ભક્તિરસ વહેવડાવ્યો છે તે પ્રણાલિકામાં રહેલા દોષોનું પણ સંક્ષિપ્ત – અતિ સંક્ષિપ્ત સૂચન છે.&lt;br /&gt;
રા. ગંગાશંકર વૈષ્ણવે ‘પદાર્થવિજ્ઞાનનાં મૂળતત્ત્વ, વ્યાખ્યાન ૧લું‘ સોસાયટી સારુ લખી આપ્યું હતું. આશા છે કે ધીમે ધીમે સોસાયટી એમની પાસે પદાર્થવિજ્ઞાનમાં સમાયેલા દરેકે દરેક વિષયોની સરળ, સપ્રયોગ અને સચિત્ર મીમાંસા કરાવશે.&lt;br /&gt;
રા. રતનજી શેઠના એકલે હાથે અને સખીદિલના સાહિત્યપ્રિય પારસી શ્રીમંતોની મદદથી ‘જ્ઞાનચક્ર‘(Encyclopedia) નામનો મોટો કોષ પ્રગટ કર્યા જાય છે. ગયે વર્ષે એ કોષનો સાતમો ગ્રંથ એમણે બહાર પાડ્યો છે. રા. રતનજી શેઠના કાવ્ય, નાટક, વાર્તા આદિના પ્રદેશમાં પણ પોતાની કલમ ઘુમાવે છે.&lt;br /&gt;
નાટક કંપનીઓ નવી નવી ઊભી થાય છે–લુપ્ત પણ થાય છે, પરન્તુ તેમનો ઇતિહાસ નોંધી રાખનાર એકે પત્ર કે સંસ્થા નથી. નાટક કંપનીવાળાઓએ મળી એક સંસ્થા કાઢવી. દરેક કંપનીએ એ સંસ્થાના સભાસદ થવું. એ સંસ્થાના ગ્રંથાલયમાં દરેક કંપનીના ખેલોની છપાયેલી ચોપડીઓ રહે. એ સંસ્થા તરફથી એક માસિક પ્રગટ કરવું. તેમાં અભિનય, સંગીત, સીનરી, વગેરેની ચર્ચા, સારા ખેલાડીની પ્રશંસા, નાટકોનાં અવલોકન, નાટ્યકળા અને તેના વિધાયકો ઉત્તમ શી રીતે થાય તેની મીમાંસા વગેરેને સ્થાન આપવું. આ સંસ્થા નાટક કંપનીઓ વચ્ચે ઊઠતી તકરારોની લવાદી પણ કરે અને એ રીતે એખલાસ રાખી પ્રજાના જાહેર વિનોદ રસિક અને સાત્ત્વિક કરવા તત્પર રહે.&lt;br /&gt;
ગયા વર્ષનાં નાટકોમાં કાઠિયાવાડી નાટક મંડળીનો ‘દેવકન્યા’ નો ખેલ સારો છે.&lt;br /&gt;
પારસી ખેલાડી ‘કાઉખટાઉ’ ની રંગભૂમિ ઉપરની કારકિર્દી ૨૫ વર્ષની થઈ એટલે તે નિમિત્ત તેની રૂપેરી ‘જ્યુબિલી’ ઊજવાઈ હતી. પારસીઓ અને બંગાળીઓમાં પોતાની કોમનાં આગળ પડતાં માણસો માટે અભિમાન હોય છે; આશાનું ઉજમાળું ચિહ્ન કોઈમાં જણાય તો તરત તેને ઉત્તેજન મળવાનું. આપણે ત્યાં એવાં ઉત્તેજન, કદરની ખામી જ છે. હૃદયની ઉદારતા અને મનની મોટાઈ ઓછાં છે.&lt;br /&gt;
રા. રા. મેહરજીભાઈ રતુરા પ્રણિત વાનપ્રસ્થ નાટકમાં વિષય થિયોસોફી– Theosophy અને ઑકલટિઝમ્ – Occultism છે – અને ભાષા પારસીશાઈ ઝડઝમકથી ભરેલી છે. શ્રીમતી ધનદાગૌરીનું રચેલું ‘શાંતિશિયળ નાટક’ એક સન્નારીની કૃતિ છે.&lt;br /&gt;
રા. રા. કેશવ હર્ષદ ધ્રુવે ‘મુદ્રારાક્ષસ’ના ભાષાંતરની બીજી આવૃત્તિ દેવનાગરી લિપિમાં પ્રગટ કરી છે. ભાષાંતર સરળ અને રસિક તથા પ્રસાદી છે. વિશાખદત્તની બાની કરતાં ભાષાંતરકારની બાની વિશેષ હૃદયસ્પર્શી છે. પરન્તુ આ આવૃત્તિનો ઉપોદ્ઘાત સૌથી મહત્ત્વનો ભાગ છે. રચાયું ત્યારની રાજકીય સ્થિતિ અને કાવ્ય, દર્શન, વ્યાકરણ વગેરે પ્રદેશમાં થતી પ્રવૃત્તિ એમાં આલેખાયાં છે. નાટકના બંધારણમાં કાલિદાસ પછી શા શા ફેરફારો થયા અને મુદ્રારાક્ષસનું બંધારણ કેવું છે તે; નાટક ઉપરથી તેનાં પાત્રોની ઐતિહાસિક હકીકત બીજેથી મેળવી વર્ણવી છે તે; વગેરે વગેરે અનેક ઉપયોગી બાબતો એ ઉપોદ્ઘાતમાં ભરેલી છે.&lt;br /&gt;
એમની ભાષા ઉપર સંસ્કૃત ગદ્યભાષાની સબળ અસર છે. પરન્તુ સમાસ અને શ્લેષનો ત્યાગ કર્યો છે એટલે જ એ અસર દીપી નીકળે છે.&lt;br /&gt;
એમના જેવા સમર્થ વિદ્વાનને હાથે લખાયેલા ઉપોદ્ઘાતના ઐતિહાસિક ભાગની ભાષા પોચી લાગે છે તે જોતાં આપણને એમ થાય છે કે ઇતિહાસ લખવાની ભાષા ગુજરાતમાં હજુ જન્મવાની છે.&lt;br /&gt;
વાર્તાઓ વાંચવાનો શોખ જબરો જાગ્યો છે. લગભગ બધાં ક્રમિક પત્રો વાર્તાઓ છાપે છે. કેટલાંક ખાસ વાર્તાઓનાં માસિકો નીકળે છે. પારસીઓમાં તો વિશેષ અંગ્રેજી, બંગાળી, મરાઠી અને હિંદી કે ઉર્દૂ ભાષામાંથી કરેલાં ભાષાંતરોથી શોખ સંતોષાય છે. કેટલીક વખત બે ત્રણ વાતોનો ખીચડો કરી નવી વાત ઊભી કરાય છે, અને ભાષાંતર કે અનુવાદ (adaptation) કર્યું હોય તે છતાં તે ન કબૂલવાની ગુજરાતના લેખકોને કુટેવ પડી ગયેલી હોવાથી એ બધી વાર્તાઓ સ્વતંત્ર કૃતિઓ જ લેખાય.&lt;br /&gt;
વાર્તાઓ બે પ્રકારની લખાય છે : (૧) અવકાશનો સમય ગાળવા તથા નવરાઓનો ક્ષુદ્ર જિજ્ઞાસારસ દ્રવાવા અદ્ભુત રસનો બહોળો ઉપયોગ જેમાં કરાયો હોય એવી વાર્તાઓ. આવી વાર્તાઓ અનેક બહાર પડે છે; (૨) ઉદ્દેશપુરઃસર લખાઈ હોય તે. સંસારના, ધર્મના કે ઇતિહાસના પ્રશ્નો ચર્ચવા નવલકથાનું સાહિત્ય સબળ સાધન હોવાથી એ રીતે એનો ઉપયોગ થાય છે.&lt;br /&gt;
બે મુદ્રિકા, ગુપ્તગુપ્તા, ગૃહલક્ષ્મી એ ડી. લક્ષ્મીદાસની કંપનીની પ્રસિદ્ધિ હતી. ‘ગુજરાતી’એ ‘પેશ્વાની પડતીનો પ્રસ્તાવ’ નામની કથા લાલન વેરાગણના નામથી પ્રખ્યાત થયેલી વાર્તાનો ફરીથી તરજુમો કરી ગ્રાહકોમાં વહેંચી હતી.&lt;br /&gt;
ઇલ્મે રૂહાની વિદ્યાનો પ્રભાવ દાખવતી ‘રશીદા’ નામની સચિત્ર વાર્તા રા. હાજીમહમદ અલારખીઆ શિવજીએ પ્રગટ કરી હતી. રા. હાજીમહમદ ગુજરાતી સાહિત્યના અદ્વિતીય મુસલમાન સેવક છે. કાવ્ય, વાર્તા, ધર્મ વગેરે વિષયોથી આપણું સાહિત્ય અલંકૃત કરે છે. એમના ગ્રંથોની છપાઈ, બાંધણી વગેરે એમની રસિકતા કેટલી ઊંચી છે તેનો ખ્યાલ આપે છે. રશીદાનાં ચિત્રો દક્ષિણી ચિત્રકાર રા. ધુરંધર પાસે ચીતરાવ્યાં છે. સચિત્ર વાર્તાઓ ગુજરાતી ભાષામાં કેવી સરસ રીતે પ્રગટ થઈ શકે તે રા. હાજીમહમદે બતાવ્યું છે.&lt;br /&gt;
રશીદાના દીબાચામાં રા. રતનજી ફરામજી શેઠનાએ ઇલ્મે રૂહાનીના પોતાને થયેલા અનુભવોનું બયાન કરેલું છે. એ વાર્તા અનેક રીતે આકર્ષણીય છે.&lt;br /&gt;
રા. હાજીમહમદ યુરોપ અમેરિકામાં વહાલા થઈ પડેલા ફારસી શાયર ઉમ્મર ખય્યમની કવિતાનું ભાષાંતર થોડાક વખતમાં પ્રગટ કરનાર છે.&lt;br /&gt;
અમદાવાદના ‘ગુજરાતી પંચ’ની બે ભેટવાર્તા ગયે વર્ષે બન્ધુસમાજના બે સભાસદે લખી આપી હતી. ‘ઉષાકાન્ત’ અને ‘પદ્મનાભ’નું સવિસ્તર અવલોકન બીજે લખવા વિચાર હોવાથી અત્રે આટલું સંક્ષિપ્ત ઉલ્લેખન બસ થશે.&lt;br /&gt;
‘સમાલોચક’માં શેઠ પુ. વી. માવજીએ ‘સંધ્યા’ નામની મરાઠા ઇતિહાસને લગતી કથા લખી હતી.&lt;br /&gt;
હવે ગયા વર્ષના કાવ્યસાહિત્ય તરફ નજર કરીએ. રા. કહાન ચકુ ગાંધી કૃત ‘શ્રીકૃષ્ણચરિત્ર’નું વૃત્તબંધ, રા. પાર્વતીપ્રસાદ કૃત ‘સુદામાચરિત્ર’નું વૃત્તબંધ, સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલું ‘શિશુપાળવધ’નું ભાષાંતર, મઢડાકર નાગરકૃત ‘સુશીલ યમુના’, રા. હરજીવન ત્રિપાઠી કૃત ‘વૈરાગ્યશતક અને બ્રહ્મજ્ઞાન’નું હિંદીમાંથી ભાષાંતર, નરમણિ કૃત ‘ભાનુપ્રકાશ’, રા. ભાઈશંકર કુબેરજીનાં ‘હૃદયરંગો’, નનામું પ્રગટ થયેલું ‘વીરસૂ’ નામનું કાવ્ય, અને રા. મગનભાઈ પટેલ કૃત ‘ક્ષાત્રપાળ પ્રતાપ’, રા. અરદેસર ખબરદારની ‘પ્રકાશિકા,’ રા. નાનાલાલ કવિનાં ‘કેટલાંક કાવ્યોનો ભાગ ૨જો’, રા. મૂળજી દુર્લભજી વેદની સેવાસદન માટે લખેલી ‘જાગૃતિમાળા’ વગેરે વગેરે ગયે વર્ષે મુદ્રાયન્ત્રોમાંથી પ્રસિદ્ધ થયાં હતાં.&lt;br /&gt;
આ ઉપરાંત માસિકોમાં રા. નરસિંહરાવ, સાગર, લલિત, સુમન્ત, કુંજ, સ્નેહજ્યોતિ, નૂતનશ્રી, વિશ્વ, દીવાનો, નાજુક, રા. મોહનલાલ પાર્વતીશંકર, રા. કરીમમહમ્મદ માસ્તર, રા. નર્મદાશંકર બાલાશંકર, રા. મૂળજી દુર્લભજી વેદ, ડૉ. હરિ હર્ષદ ધ્રુવ પ્રભૃતિનાં કાવ્યો પ્રગટ થયાં હતાં. ‘સમાલોચક’માં પ્રગટ થતી સવિતાની કવિતા રા. કહાનજી ધર્મસિંહ તરફથી સંગ્રહિત થઈ પ્રકાશ પામવાની છે. ‘વસન્ત’માં ઉષા નામના સ્ત્રેણ તખલ્લુસથી(pseudonym) લખાયેલું ‘સાવિત્રી અને સત્યવાન’નું કાવ્ય છપાયું હતું : સવિતાની કવિતા પ્રાચીન પદ્ધતિની છે; તોપણ એ કવિતા કાગળનાં ફૂલો જેવી નહીં પરંતુ કુદરતી તાજાં ખીલેલાં પુષ્પો જેવી છે.&lt;br /&gt;
નાજુક દખ્ખણ હૈદ્રાબાદમાં વસતો પારસી શાયર છે. પીટીટ ચરણનો અનુયાયી છે. એનાં ઘણાં નાનાં કાવ્યો અંગ્રેજીમાંથી તરજુમો કરેલાં હોય છે. હૈદ્રાબાદના જળપ્રલય વિશે અને સતી થયેલી એક પારસણ વિશે લખાયેલાં કાવ્યોમાં કવિત્વની ઝળક ઝળકે છે.&lt;br /&gt;
દીવાનો એક સારો ખેલાડી છે. ‘ગુજરાતી’માં એના તરફથી દેશભક્તિનાં કાવ્યો છપાય છે. મર્હુમ ખેલાડી અમૃતલાલ કે. નાયકના અવસાન પછી ઉર્દૂ સાહિત્યનો આપણને રસાસ્વાદન કરાવનાર હિંદુઓમાં દીવાનો અગ્રણી છે.&lt;br /&gt;
રા. મગનભાઈનું ‘ક્ષાત્રપાળ પ્રતાપ’નું કાવ્ય વીરરસની જે ખોટ આપણા સાહિત્યમાં છે તે પૂરવા લખાયું છે. આજથી ઘણાં વર્ષ ઉપર ‘સ્વાર્પણ’ નામનું કાવ્ય શિવાજીના સંબંધમાં પ્રગટ થયું હતું. તેના જેવું જ આ કાવ્ય નિર્બળ છે. દેશના વાતાવરણમાં થયેલા ફેરફારો મુજબ ‘સ્વાર્પણ’માં અને ‘ક્ષાત્રપાળ’માં ભાષા, જુસ્સો વગેરેનો વત્તોઓછો ભેદ છે. ક્ષાત્રપાળમાં વૃત્ત, ભાષા, જોડણી વગેરેના સંબંધમાં જે છૂટ લેવાઈ છે, તે જોતાં એમ લાગે છે કે આવાં કાવ્યો ન લખ્યાં હોય તો સારું, પછી વીરરસ જમાવવા એવી છૂટ લેવી પડતી હોય તો ઉપાય નથી! કાવ્યની રચના(Structure) અને કળા પણ દૂષિત છે.&lt;br /&gt;
હિંદુસ્તાનમાં જ્યારે હિંદુ-મુસલમાનને એક પ્રજા બનાવવાનો વિચાર સ્ફૂર્યો છે ત્યારે એ બન્ને જાતોએ પોતપોતાના પરસ્પરના વિગ્રહ ભૂલવા જોઈએ અને સાટે ભેગા મળી જે જે સેવા એમણે સરસ્વતી, કાર્તિકેય, વિશ્વકર્મા અને ઇન્દ્રદેવની કરી હોય તેનો લોકોમાં પ્રચાર કરી એખલાસ વધારવો જોઈએ. શિવાજી અને પ્રતાપનાં વીરત્વ જ્યાં લગી મુસલમાનોની વિરુદ્ધ બતાવાયાં હતાં એ વાત ભુલાઈ જાય નહીં તેમ જ એ વીરત્વની વીરત્વ તરીકે મુસલમાનો પણ કદર કરતા થાય નહીં ત્યાં સુધી એ વિશે મૌન ધરવું એ અમને મુત્સદ્દીગીરીનું લક્ષણ લાગે છે.&lt;br /&gt;
હિંદુઓ શિવાજી મહોત્સવ ઊજવે અને તેનાં વીરત્વનાં યશોગાન ગાય તો મુસલમાનો પણ ઔરંગઝેબનો મહોત્સવ ઊજવશે અને તેનાં જીવનનાં યશોગાન ગાશે.&lt;br /&gt;
બાબુ બંકિમચંદ્રે મુસલમાનોનાં જીવન ઘણી જ અધમતાભરેલાં આલેખ્યાં હતાં, ઘણા દેશભક્ત મુસલમાનોને એથી વ્યથા થઈ છે. ખુશીની વાત છે કે બંકિમચંદ્રે એવું જીવન દુરાચરણી ચીતર્યું હતું તે ઝેબુન્નિસાને રા. હરગોવન પ્રેમશંકર કવિએ યોગ્ય ન્યાય પોતાના ‘શિવાજી અને ઝેબુન્નિસા’ નામના કાવ્યમાં આપ્યો છે.&lt;br /&gt;
ગયા વર્ષના વિશિષ્ટ કાવ્યસાહિત્યનું અવલોકન કરતાં આગમચ સાહિત્યરત્ન, કાવ્યમંજરી અને કવિતાપ્રવેશ નામના સંગ્રહોની નોંધ લઈશું. રા. જીવાભાઈ પટેલે કાવ્યમંજરીમાં નરસિંહથી દયારામ સુધીના યુગના કાવ્યસાહિત્યમાંથી કેટલાંક સારાં કાવ્યો ગૂંથ્યાં છે. વિસ્તૃત ટિપ્પણથી દરેક કાવ્યનો શબ્દાર્થ અને હાર્દ બતાવવા સારો શ્રમ લીધો છે. પ્રાચીન કવિતાને ત્યારની કવિતાની ભાવનાથી તપાસવી હતી, અને તે ભાવનાને હાલની ભાવનાના સામ્યવૈષમ્યની ચર્ચા કરવી હતી. તેને બદલે રા. રમણભાઈના કવિત્વ વિશેના વિચારો પરથી લેખકે પ્રાચીન કવિતા મૂલવી છે. આથી પરીક્ષણ દૂષિત થયું છે. ગોવર્ધનરામની Inductive Criticism ની પદ્ધતિ અંગીકારી હોત તો સંગ્રહ કાંઈ નવું જ સ્વરૂપ અને તેજ દાખવત.&lt;br /&gt;
કાવ્યમાધુર્યકાર રા. હિંમતલાલ ગણેશજી અંજારિયાએ રા. કરીમમહમ્મદ માસ્તરની સહાયથી ‘કવિતાપ્રવેશ’ માં વિદ્યાર્થીઓને ગુજરાતી કવિતા ક્રમશઃ શીખવવા સરળ પડે એવાં કાવ્યોનો સંગ્રહ કર્યો છે. પ્રાચીન ગુજરાતી પદોના નમૂના આપ્યા છે. પીટીટ વગેરે પારસી શાયરોને પણ ઉદારતાથી સ્થાન આપ્યું છે.&lt;br /&gt;
શામળ, પ્રેમાનંદ અને ગિરધરનાં કવનોમાંથી હજુ પણ ઘણા કાવ્યખંડો લઈ શકાયા હોત. રા. રણછોડભાઈ ઉદયરામ, છોટાલાલ સેવકરામ, મનસુખ(ગંજનામુનો કર્તા), રા. ગણપતરામ રાજારામ, પ્રભૃતિનાં કાવ્યોથી પ્રવેશ કરાવવામાં સરળતા થાત. નર્મદાશંકરની કવિતાનું એક સ્વરૂપ – કુદરતવર્ણનનું સ્વરૂપ આ સંગ્રહમાં સ્થાન પામ્યું હોત તો સારું. કોષ ઘણો જ અપૂર્ણ છે. કાઠિયાવાડી દુહાઓ આખ્યાયિકા વિના આપ્યા છે, તેથી અર્થ સમજવાનું બનશે નહીં.&lt;br /&gt;
‘સાહિત્યરત્ન‘માં કાવ્ય, ગદ્ય અને નાટકનાં રત્નોનો સંગ્રહ છે. નિશાળોપયોગી બનાવવાનું હોવાથી બધાં જ રત્નો એમાં ન હોય તેમ એમાં સંગ્રહાયેલા ભાગ ‘રત્ન‘ પણ ન હોય એમ બનવું સહજ છે. છતાં પણ આપણા સાહિત્યનું એ ગ્રંથમાં સારું દર્શન થાય છે.&lt;br /&gt;
આ ત્રણે ગ્રંથોના ઉપોદ્ઘાતો સંતોષપ્રદ નથી.&lt;br /&gt;
રાજકોટની હિંદુકન્યાશાળા તરફથી દલપતકાવ્યમાંથી શાળોપયોગી ગરબીઓ સંગ્રહાઈ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.&lt;br /&gt;
આમ આપણા સાહિત્યની કદર વધતી જાય છે. આવા સંગ્રહોના અભ્યાસ વધતા જાય છે, અને પરિણામે કવિત્વ જીવનમાં ઊતરશે અથવા સુપ્ત સંસ્કારો જાગ્રત કરશે એવી આશા છે.&lt;br /&gt;
અંગ્રેજી વિદ્યાનો પ્રભાવ આપણા જીવન પર વધતો ને વધતો પડતો જાય છે તેમ તેમ સાહિત્યમાં પણ મહત્ત્વના ફેરફાર થતા જાય છે. પરદેશના વિચારો, રૂપો, દૃષ્ટિ આદિની કલમ લાવી અહીંનાં એવાં ઝાડોમાં દાખલ કરવામાં આવે છે. યુરોપીયન કાવ્યશાસ્ત્રની પરિભાષામાં જેને Romanticism કહે છે તેનો યુગ શરૂ થઈ ગયો છે. Romanticism એટલે શું? પ્રો. હેરકર્ડ કહે છે :&lt;br /&gt;
‘It was an extraordinary development of imaginative sensibility. At countless points the universe of sense and thought acquired a new potency of response and appeal to man, a new capacity of ministering to, and mingling with his richest, and intensest life.’&lt;br /&gt;
બંગાળમાં તો આ હિલચાલ પુરજોશમાં ચાલે છે. આપણે ત્યાં પણ નવીન સાહિત્ય એનું જ ફરજંદ છે છતાં પુરવેગ ત્યાં કરતાં નરમ છે. Romanticism નું મોટામાં મોટું ફળ ‘સરસ્વતીચંદ્ર’ છે.&lt;br /&gt;
કવિ નર્મદાશંકર અને દલપતરામથી જ આ નવા યુગની શરૂઆત થયેલી. ત્યાર પછી ગ્રેજ્યુએટ કવિઓના રા. નરસિંહરાવ દીવેટિયા અગ્રણી થયા. કુસુમમાલા અને હૃદયવીણા નામના બે કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ કર્યા પછી એમની કવિત્વધારા બંધ થઈ ગઈ હતી. વચમાં થોડાંક કાવ્યભાષાંતરો પ્રગટ કર્યાં હતાં. બે એક વર્ષથી પાછી એ ધારા છૂટેલી છે. પરન્તુ જે કવિતાઓ પ્રગટ થઈ છે તેમાં હૃદયવીણાનો જ સૂર છે. પ્રગતિ કે વિકાસ થયેલો લાગતો નથી. ઊલટું એમની શક્તિ હ્રાસ પામતી જણાય છે.&lt;br /&gt;
રા. નરસિંહરાવની કવિતાની ગુણપ્રશંસા અનેકવાર રા. રા. રમણભાઈ નીલકંઠે કરી છે, અને ગુજરાત પાસે એ રીતે એ કવિતાની કદર કરાવી છે.&lt;br /&gt;
રા. નરસિંહરાવની કવિતાની છાપ અનેક કાવ્યલેખકો ઉપર પડી છે. એમની કવિતામાં કેટલાક અંતર્ગત દોષો છે. તેમ એ દોષોને લીધે બીજાઓના હાથમાં એ જાતની કવિતા વધારે દૂષિત બને છે. ‘વિલાસિકા’નું અવલોકન કરતાં રા. નરસિંહરાવે તેમાં (૧) વૃથા તર્કતરંગ (૨) અવિશદતા – ક્લિષ્ટતા અને (૩) લાગણીની અવાસ્તવિકતાના દોષો રહેલા છે એમ બતાવ્યું હતું. આમાં (૪) નિષ્પ્રયોજન શબ્દો અને અલંકારો, (૫) શબવત્ અંગ્રેજીનાં અનુકરણ, (૬) છદ્મમૃદુતા, (૭) કલ્પના અને વિધાનની પુનરુક્તિ (૮) અસ્પષ્ટતા (want of precision) અને (૯) કલ્પના તથા કલાની પંગુતાના દોષો ઉમેરી લો. રા. નરસિંહરાવની કવિતામાં આ દોષો પગલે પગલે નથી જણાતા? દરેક સ્થળે બોધ મેળવવાની વૃત્તિ રસભંગ નથી કરતી? કવિત્વ ઘણીવાર કલ્પનાને બદલે ચાતુર્યથી મુગ્ધ નથી થતું? ‘દેશાભિમાન’ શબ્દથી ભડકનારામાંના રા. નરસિંહરાવ પણ એક હોય એમ લાગે છે. એમના સમગ્ર કાવ્યસંગ્રહમાં દેશાભિમાનનું એક પણ સારું કાવ્ય છે? જ્યાં સહેજસાજ ઉદ્ગાર કાઢ્યા છે તે કેટલા નિર્બળ છે? એમણે ઉદ્દીપન કરેલા ભાવો કેટલી બધી વાર અવાસ્તવિક અને અસ્વાભાવિક હોય છે? એમનાં પ્રકૃતિનાં અવલોકન પણ વાસ્તવિક હોય છે? એમનાં વર્ણનો કેટલાં થોડાં આબેહૂબ હોય છે? વર્ણનમાંથી આપોઆપ રસાનુભવ થાય છે? જે વિષયનું અમુક વસ્તુથી સૂચન કરવામાં આવે છે તેનું સ્વાભાવિક રીતે થવું જોઈએ તેવું સૂચન થાય છે? સૂચક અને સૂચિત વિષયોમાં દેખીતો વિરોધ નથી જણાતો? પ્રાસ સાચવતાં અર્થવિરોધ ઘણીવાર નથી થઈ જતો? આવેગ વિચ્છિન્ન થવાથી અને વિચાર સંસ્ખલન પામવાથી ક્ષોભ નથી ઊપજતો? મનુષ્યહૃદયના એમના અનુભવો ન્યૂન નથી લાગતા? કાવ્યનો અંત સ્વાભાવિક રીતે લાવવો, વિવેક વાપરી નકામા અંશો મૂકી દેવાથી અને અગત્યના અંશો પર ભાર મૂકવાથી કલા કેમ સુષ્ઠુ અને સુંદર બનાવવી વગેરે જાણતી બાબતો એમનાથી કેટલી વાર સચવાઈ છે? સંક્ષેપમાં એમની કવિતામાં intensity અને sincerity અતિશય ન્યૂન લાગે છે. કવેતાઈ બાની(poetic diction)નાં કિંમતી વસ્ત્રાલંકારથી શણગારેલી એમની કવિતા કવિત્વહીન હોવા છતાં સારાં કાવ્ય તરીકે ઘણીવાર આદર મેળવે છે. &amp;lt;ref&amp;gt;આ સંબંધમાં, અવકાશ મળ્યે ઉદાહરણસહિત સવિસ્તર વિવેચન પ્રગટ કરવાની ધારણા છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
મકરન્દની રસચર્ચાનું પણ યથાર્થ સમીક્ષણ કરવાની જરૂર છે. જેમ દલપતરામ, શામળ ભટ વગેરેને લીધે કવિતાના ખોટા ખ્યાલો ગુજરાતમાં પ્રચલિત થયા છે તેમ રા. નરસિંહરાવ અને રા. રમણભાઈને લીધે પણ કેટલાક ખોટા ખ્યાલો પ્રચારમાં આવતા જાય છે.&lt;br /&gt;
ગુજરાતે દક્ષિણની માફક સ્વરાજ્ય ગુમાવ્યું નહોતું એટલે ગુજરાતમાં નવા નવા યુગની રાજકીય ભાવનાઓ પ્રખર સ્વરૂપમાં જન્મી નહોતી. નાના પ્રકારના સાંસારિક રિવાજરસમોમાં કચરાતા ગુજરાતે સંસારસુધારણાનો અને તેની અંદર રહેલી ગૃહસુધારણાનો મહત્ત્વનો પ્રશ્ન ઉપાડી લીધો. ગૃહસુધારણામાં લગ્નનો પ્રશ્ન મોખરે આવ્યો. લગ્ન તે પ્રેમલગ્ન થવાં જોઈએ એ ભાવના જન્મી. ઈશ્ક(passion) અને સ્નેહનાં ગાન ગવાયાં. સૂફીવાદી કવિતાના અનુકરણમાં ઈશ્વરી સ્નેહ કે ઈશ્કનું દર્દ ગવાયું છે? અમને તો ઈશ્વરી સ્નેહના નામે ઈશ્કનું દર્દ જ ગવાયેલું લાગે છે. ગાનારાઓએ જાતે જ ટીકાઓ લખી ભ્રમ ઊભો કર્યો છે.&lt;br /&gt;
કલાપીએ પુરુષજીવનમાં સ્નેહશૂન્યતા પૂરનાર સ્નેહરાજ્ઞી મેળવવાની આર્ત્ત ચીસ અને પ્રલંબ રૂદન પોતાની કવિતામાં કર્યાં છે, અને એવા રૂદનના પડઘા હજુ પણ એમના અવસાન પછી ગુજરાતમાં બંધ પડ્યા નથી.&lt;br /&gt;
ઈશ્ક – સ્નેહશૂન્યતા પછી સ્નેહનું પુણ્યમય દર્શન થવું જોઈએ. તે દર્શન કરાવનાર રા. રા. નાનાલાલ દ. કવિ છે. ગોવર્ધનરામનાં સરસ્વતીચંદ્ર અને કુસુમ સ્નેહ ખાતર નહીં પરંતુ ધર્મ ખાતર પરણે છે. બીજા દેશોમાં તેઓ સખ્યભાવથી રહેત. અહીં લગ્નગ્રંથિ વિના એ સખ્યભાવ રાખવો મુશ્કેલ હોવાથી દેખાતો દાંપત્યભાવ એમણે સ્વીકાર્યો. બન્નેના જીવનમાં સ્નેહ તો શૂન્યતા પામી જાય છે, અથવા સ્નેહ છે જ નહીં.&lt;br /&gt;
કલાપી અને ગોવર્ધનરામની રૂરૂદિષા ઝીલી જગતનાં દુઃખોથી દબાતા રીબાતા લલિતે અશ્રુધારા વહેવડાવી છે. એ અશ્રુસ્નાનથી પાવન થઈ તેઓ ગૃહભાવનાં ગીતો લલકારે છે. સ્નેહ અને સંતતિ સ્ત્રીપુરુષના જીવનમાં કેવો પ્રકાશ લાવે છે તે सोहम् सोहम् અને साम्यના ભાવો મૂર્ત કરનારની કવિતા બતાવે છે. એમનાં દેશભક્તિનાં કાવ્યોમાં પણ આ જ ભાવો હોય છે. દેશમૈયાનાં બાળક તરીકે જ તેઓ દેશભક્તિની ધૂન જગાવે છે. હિંદુસ્તાનમાં કંપનીનું રાજ્ય મટી ઇંગ્લૅંડના રાજાઓનું રાજ્ય થયું તે બનાવને ૫૦ વર્ષ થયાં તે નિમિત્તે લખેલું એમનું કાવ્ય ‘રાજદંપતી’ને ઉદ્દેશી લખાયું હતું. એમની કવિતાનો હમણાં સંક્રાન્તિયુગ છે. છાતી ઉપરનો ઓથાર રૂંધણ કરતો મટ્યો છે, અને પાંખેના ફફડાટ સંભળાય છે. પરંતુ અજાણતાં શબ્દોની ભાવ વિનાની હાથચાલાકી ઘણીવાર થતી લાગે છે. એમની કવિતામાં લાલિત્ય, માર્દવ અને માધુર્ય છે. હૃદયને સ્પર્શી – હૃદયના તાર ઝણઝણાવી તેમાં સુપ્ત રહેલા અથવા તેને વિહ્વળ કરતા કરુણ ભાવો એમની કવિતામાં અનુકંપા પામી આશ્વાસન મેળવે છે.&lt;br /&gt;
આકાશમાં ઊડવા કરતાં એમને ઘરના છાપરા નીચેના ભારટીયા ઉપર બેસી ગાવાનું વધારે ગમે છે. અશ્રુકવિ મટી તેઓ ગૃહકવિ થવા વાંછે છે. હિંદુ ગૃહમાં સ્ત્રીપ્રતિષ્ઠા ઉન્નત કરવા તેઓ પ્રબોધે છે.&lt;br /&gt;
એમના ભજનિયામાં દીનતા, દયા, શ્રદ્ધા, અધીનતા છે.&lt;br /&gt;
એમણે લખ્યું છે ઘણું; પણ તેમાં સારાં કાવ્યોની સંખ્યા ઓછી છે. સૂર ઘણી વખત એકના એક જ હોવાથી એકતાનતા લાગે છે. ધીમે ધીમે ફેર પડતો જાય છે. ગૃહકાવ્યોના અનુપમ સૂરો જગાડશે એવી આશા છે.&lt;br /&gt;
ગૃહભાવના કવિ વિશે લખતાં એક વાતનો ઉલ્લેખ કરવો ઉચિત લાગે છે. આગળ ઉપર કહ્યું તેમ ગુજરાતમાં સંસાર – ઘર સુધારવા ઉપર લક્ષ વિશેષ અપાય છે. જો એ સંસ્કારી, વિશુદ્ધ, પવિત્ર અને સાત્ત્વિક થશે, રસ, વિચાર, ભાવનાથી છલબલશે તો જ આપણા પ્રજાજીવનના મહાપ્રશ્નો ઉકેલવામાં — નિરૂપવામાં અને અનુભવમાં ઉતારવામાં બિલકુલ મુશ્કેલી કે વિલંબ થશે નહીં.&lt;br /&gt;
‘આજકાલ દેશનું આત્મમાન સૂચવતી ‘સ્વરાજ્ય’ અને ‘સ્વદેશી’ની વીરહાક ચોપાસ વાગી રહી છે તે વચ્ચે થઈને આવતો હિન્દની અબળાનો રોઈ રોઈ બેસી ગયેલો સાદ પણ આપણે જરા વિશેષ કર્ણ દઈ સાંભળવો જોઈએ’ એ વાક્યો તેમ જ એના પ્રણેતા વિદ્વાને ટાંકેલો નીચલો અંગ્રેજી ઉતારો શું સૂચવે છે?&lt;br /&gt;
If a lesson is to be drawn it surely is that – as individuals there is on place like home, so with a state there is on institution like home; that a community can be great only where there are happy, harmonious and virtuous homes, and that homes can not be happy and haṛmonious and virtuous unless woman is accorded a worthy place in these homes, with freedom of action, with a consciousness of responsibility with the right, unfettered by circumstance or prejudice, to develop all that is best and noblest in her to the utmost perfection’(પ્રો. આનંદશંકર ધ્રુવ : નારીપ્રતિષ્ઠા, એ વિષયનું ઐતિહાસિક દર્શન.)&lt;br /&gt;
ગુજરાતના સાહિત્યનું – અર્થાત્ હૃદય અને મનનું લક્ષ ગૃહ અને ગૃહદેવી ઉન્નત બનાવવામાં જ પરોવાયેલું છે. પ્રાચીનકાળમાં પણ સંસ્કૃત સાહિત્યે ગુર્જરોના ગૃહોને વધાવ્યાં છે. મધ્યકાલમાં વૈરાગ્ય જ ગવાતો હતો ત્યારે પ્રેમાનંદે ગૃહભાવો ગાયા અને નવા જમાનામાં ગોવર્ધનરામ પણ એ જ ભાવો મૂર્તિમંત કરી આપણને સોંપી ગયા છે. ગૃહભાવોના ઉત્ક્રમણ(evolution) વિશે વિસ્તારથી લખાય એવું છે. પણ આ લઘુ લેખમાં તે અસ્થાને લેખાશે.&lt;br /&gt;
લલિત, રા. નાનાલાલ કવિ, રા. મૂળજી વેદ, પ્રભૃતિ કાવ્યલેખકો, બંધુસમાજ, રા. અમૃતલાલ પઢિયાર આદિ ગદ્યલેખકો પણ એ જ ભાવનાઓ તરફ આપણું હૃદય આકર્ષે છે. પ્રો. બળવંતરાય ઠાકોર જેવા વિદ્વાન પણ પોતાની અનેક દિશામાં ઘૂમતી સાહિત્યપ્રવૃત્તિને વિરમાવી સંસારના – નાતના – ઘરના પ્રશ્નોની મીમાંસા કરવામાં પડ્યા છે. સંસાર – ગૃહસુધારણા નરી બુદ્ધિથી નહીં પણ સાથે સાથે રસ ઉમેરી કરવી.&lt;br /&gt;
પણ આ રસની રેલમાં એટલું બધું નિમજ્જન થતું જાય છે કે આફ્રિકામાં જે વીરત્વ ગુજરાતનાં સંતાનો – નરનારીઓ દાખવે છે તે લેખકની પ્રતિભા ચમકાવતું નથી. ગુજરાતણો ત્યાં રજપૂતાણીઓ અને સ્પાર્ટન રમણીઓ જેવું હીર જેબાવે છે. હિંદુ મુસલમાન પારસી એક થઈ જઈ, જે ભૂમિમાં તેઓ જન્મ્યા છે તે ભૂમિનું ગૌરવ અધિક તીવ્ર ઓજસ્વી અને સાત્વિક બનાવે છે. પણ – પણ સરસ્વતીની વીણાના તારો એ કુરુક્ષેત્ર નિહાળતાં ધ્રૂજતા નથી. અમારાં સાહસ, વીરત્વ, પરાક્રમ, અર્પણ, જીવન, ક્યારે દેવી! ક્યારે વીણાના અને કંઠના મધુર સંગીતમાં રેલાવશો, એ સંગીતથી અમને હલમલાવશો – ઉત્તેજશો?&lt;br /&gt;
‘મોટી વાતોમાંથી Romance કે ઇતિહાસ હમણાં ગયાં છે; પણ નાની વાતોમાં બહુ રહ્યાં છે. x x x x ગુજરાતમાં હૃદય છે પણ બહાદુરી નથી : soft છે. Romanceનું એક અંગ છે : બીજું જગાડવું જોઈએ છીએ,’ એવી ભાવના જાગી છે એટલે નિરાશ થવાનું કારણ નથી.&lt;br /&gt;
રા. અરદેશર એમની ‘કાવ્ય રસિકા’માં દલપતરામના અનુયાયી બન્યા અને ‘પ્રકાશિકા’માં બેત્રણ ચરણોની ભેગી અસર તળે આવ્યા હોય એમ લાગે છે. આ કહેવાનું તાત્પર્ય એમ નથી કે એમની કવિતા ઉક્ત ચરણોની નકલ જ માત્ર છે, એમનો કવિત્વવારસો ક્યાંથી ઊતરી આવ્યા છે તે જ ફક્ત નિર્દેશવાનો ઉદ્દેશ છે. એમનું પોતાનું વ્યક્તિત્વ સ્પષ્ટ અને સબળ છે. એમણે નવા સૂર જગાડ્યા છે, તેમ દેશમાં ગવાતા સૂર પણ ઝીલ્યા છે.&lt;br /&gt;
સારી કવિતા લખવા અગાઉ ઘણી અજમાયશી કવિતા લખાય છે. આવી કવિતા કવિના જીવનચરિત્રમાં કે અવસાન પછી થયેલા કાવ્યસંગ્રહમાં પ્રસિદ્ધ થાય છે. અથવા અપ્રસિદ્ધ જ રહે છે. રા. અરદેશરે રા. નરસિંહરાવની માફક આ સૂત્રનું અનુકરણ નથી કર્યું એટલે એમનાં ત્રણે પુસ્તકમાં કેટલાંક નિર્માલ્ય કાવ્ય સ્થાન પામ્યાં છે. અજમાયશના કાળમાં કાવ્ય કરતાં પદ્યબંધ ઘણી વખત થઈ જાય છે. એમનાં કાવ્યો જોતાં કવિત્વનો દેહ એમને હાથે સારો બંધાતો અને અલંકૃત થતો લાગે છે; પરંતુ એ દેહમાં વસતો આત્મા પ્રફુલ વિકસે તો જ એમનું કવિત્વ ઝળકી ઊઠે.&lt;br /&gt;
દેહ ઘડતાં અનેક નવા છંદો – નવી ગરબીઓ એમણે રચ્યાં છે. કેટલીક ગરબીઓ જૂની છે–કાઠિયાવાડ તરફ પ્રચલિત છે, પરંતુ એમનાથી તો નવી જ રચાઈ છે. એમનાં ત્રણે કાવ્યસંગ્રહોના સમગ્ર દર્શનથી રા. અરદેશર ખબરદારને કવેતાઈ બાની (poetic diction) ઉપર સારો કાબૂ છે એમ લાગે છે. તરંગ(fancy) છે – કલ્પનાની છાંટ તેમાં ભરેલી છે. વિધાયક શક્તિ ખીલતી જાય છે. એ સર્વમાં વિચાર વધારે ને વધારે ભળશે તેમ તેમ ગાંભીર્ય વધશે. નવીનતા–ચમત્કાર, મનુષ્યના અંતરમાં નવો પ્રકાશ નાંખે એવો ચમત્કાર એમની કવિતામાં જરા ઓછો છે.&lt;br /&gt;
ભાષાની અને શૈલીની ક્લિષ્ટતા નથી : સરળતા છે. સચોટતા આવવી જોઈએ. ઘટ્ટ બંધારણ થવું જોઈએ. એમની કવિતાઓ શરૂઆતમાં ઘટ્ટ હોય છે, પછીથી ઓગળી જાય છે. એક જ વિચાર નવનવા દેહ ધારણ કરે છે એટલે વિચાર કે દેહના ચમત્કાર છૂટી પડે છે. ખૂબ વિચારે અને ઓછું લખે તો ઘણી વધારે સારી કવિતા લખી શકે એવાં ઉજમાળાં ચિહ્ન લાગે છે. વિચારો વધશે અને ખીલશે એટલે ચમત્કાર આવશે અને અનુકરણના અંશો હશે તેટલા એની મેળે જશે.&lt;br /&gt;
‘પ્રકાશિકા’માં સંગીતના અંશ ઊજળા છે. ભાવ પણ હૃદયાકર્ષી છે. ઉત્સાહ સર્વત્ર નજરે ચડે છે. ‘માતા અને તેનું બાળ,’ ‘બરાઈ,’ ‘હલદીઘાટ’ વગેરેમાં વિચાર કરતાં તરંગ અને ભાષાનું પ્રાધાન્ય વધારે છે. ‘અટુલી બાળા’ અને ‘દશરથ અને શ્રવણ વધ’ કલાપીનાં અનુકરણ છે. ‘અમારો દેશ’ અને ‘દેશભક્તની યાચના’ એ બે કાવ્યોમાં ઉત્સાહ અને શક્તિ છે, ગૌરવ અનુભવાય છે. બીજા દેશભક્તિનાં કાવ્યો કાં તો નિર્માલ્ય છે કે નરમ છે, તોપણ ‘અમે દેશી દેશી’ અને ‘ઓ  &amp;lt;ref&amp;gt;‘ઓ’ ને બદલે ‘આ’ હોત તો મજા અનેરી જ આવત.&amp;lt;/ref&amp;gt; દિવ્ય અમારો દેશ’ એવાં વચન કાઢનાર પારસી નરવીર માટે ગુજરાતને અને સમગ્ર હિંદને અભિમાન હોવું જોઈએ. ‘હિન્દના દાદાનું સ્વદેશાગમન’ ઘણું સારું છે. પ્રસંગને અનુકૂળ છંદ વાપર્યો છે. વિચાર, લાગણી અને ભાષા એકરસ થઈ ગયાં છે – spiritથી રસબોળ થયાં છે. રા. અ. ફ. ખબરદારના કવિત્વના શુભ અંશો એમાં પ્રતીત થાય છે. આવું જ સારું કાવ્ય ‘આંસુડાં’ નામનું છે. પરંતુ લંબાણ જરા વિશેષ થઈ ગયું છે. ‘બહેનને આંગણે,’ ‘હાલરડું,’ ‘નવરાજનાં વધામણાં,’ ‘દિવ્યરથ,’ ‘વિદાય,’ ‘વહાલાની વેણુ,’ ‘ગોપિકા,’ ‘બંસરી,’ ‘વિયોગ,’ ‘નભગંગા,’ એટલાં સારાં કાવ્યો આ સંગ્રહમાં છે.&lt;br /&gt;
નવી ગરબીઓમાંની કેટલીક રસભરી છે. ખંડ હરિગીત ઉત્સાહપૂર્ણ છે – spirited છે. શિખરિણીના નવા યોજેલા પ્રસ્તાવ પણ રસપ્રપૂર્ણ છે.&lt;br /&gt;
પરંતુ કહેવું જોઈએ કે ‘પ્રકાશિકા’ કરતાં ‘વિલાસિકા’ માં એમની કવિતાનો વધારે સારો રસાનુભવ થાય છે.&lt;br /&gt;
રા. અરદેશર ખબરદાર આર્યસમાજના અનુયાયી છે. તેઓ પારસી કરતાં હિંદુ વધારે છે. હિંદુ પુરાણોમાંથી કાવ્યયોગ્ય વસ્તુ લે છે; પારસી તવારીખ કે ધર્મશાસ્ત્રમાંથી નહીં. કૉંગ્રેસના એક મુખ્ય અગ્રણી સર ફિરોજશાહ મહેતા માટે એમનું હૃદય આંદોલિત થાય છે. પરંતુ જુદ્દીન ઝઘડો એમને જરા પણ ક્ષુબ્ધ કરતો નથી. ‘ગોપિકા’ અને ‘બંસરી’ નાં કાવ્યો લખનાર પારસી સન્નારીનું જીવન આલેખતા નથી.&lt;br /&gt;
રા. નાનાલાલ દલપતરામ કવિનો એક કાવ્યસંગ્રહ ગયે વર્ષે પ્રકટ થયો હતો. તે આગમચ ‘કેટલાંક કાવ્યો’ના અભિધાનવાળો કાવ્યસંગ્રહ અને ‘વસન્તોત્સવ’ નામનું ખંડકાવ્ય પ્રગટ થયાં હતાં. રા. નાનાલાલની કવિતા વિશે રા. મણિશંકર રત્નજી ભટ્ટ, રા. નરસિંહરાવ ભોળાનાથ, રા. રમણભાઈ મહીપતરામ, રા. કેશવલાલ હ. ધ્રુવ, રા. ઠાકોરલાલ હરિલાલ અને આ લેખના લખનારે પ્રસંગોપાત વિવેચન કરેલાં છે. ‘વસન્તોત્સવ’ ‘જ્ઞાનસુધા‘માં છપાયું ત્યારે રા. નરસિંહરાવે એના પર વિવેચન કર્યું હતું અને ગયે વર્ષે રા. ભાઈશંકર કુબેરજીએ&amp;lt;ref&amp;gt;‘વસન્ત’ પૃ. ૭, અંક ૧૦, ૧૧&amp;lt;/ref&amp;gt; ‘વસન્ત’માં એ કાવ્યનું હાર્દ ખોટી રીતે ઉકેલ્યું હતું. ‘જ્ઞાનસુધા’માં &amp;lt;ref&amp;gt;‘જ્ઞાનસુધા,’ માર્ચ ૧૯૦૯&amp;lt;/ref&amp;gt; એમની ટીકાનો થોડોક (માત્ર અર્પણપત્રિકાનો) વાસ્તવ જવાબ મળી ગયો છે, અને પૂરેપૂરો મળશે એવી આશા છે.&lt;br /&gt;
રા. નાનાલાલની કવિતા ધ્વન્યાત્મક છે અને એમાં રહેલા ધ્વનિનો રસાનુભવ જેમ વિશેષ તેમ આનંદ પણ ઉન્નત અને ચિરસ્થાયી. ‘વસંતોત્સવ’ ધ્વન્યાત્મક ખંડકાવ્ય છે. વસન્ત એટલે નવજીવન. સવિસ્તર ચર્ચા આ લઘુ લેખમાં કરવી યોગ્ય નથી માટે બીજે કોઈ પ્રસંગે રા. નાનાલાલની કવિતામાં રહેલાં સૌંદર્ય, રસ, પ્રસાદ, પ્રતાપ, સંદેશા આદિની ગુજરાતને પીછાન કરાવીશું.&lt;br /&gt;
રા. નાનાલાલ રસપ્રદેશના બંડખોર જેવા સંકુચિત જીવનના કેટલાક પુરુષોને લાગે. પરન્તુ એવો દિવસ આવશે કે રસની રેલ તો વિરલ કવિહૃદયની પ્રસાદીમાંથી જ વહે છે એવું ગુજરાત કબૂલશે. રસનું પુણ્યમય, સાત્ત્વિક અને પ્રતાપી દર્શન તો એમની જ કવિતામાં થાય છે. કલાનું પણ સુઘટ અને સુષ્ઠુ દર્શન એ કવિતા કરાવે છે.&lt;br /&gt;
ભેદના પ્રશ્ન, યૌવના, માફ કરજે બાલા! સૌભાગ્યવતી, વિલાસની શોભા, રાજવીર, રાજયુવરાજને સત્કાર આદિ કાવ્યોના ધ્વનિ અને સંદેશાવિસ્તારથી સ્ફૂટ કરવાનો આ લેખમાં પ્રસંગ હોવાથી સામાન્ય કથન કરી સંતોષ પામશું.&lt;br /&gt;
યૌવના, સૌભાગ્યવતી કે રાજવીર જેવાં ચિત્રકાવ્યોમાં જે જે આનુષંગિક સામગ્રી આલેખી છે તે ધ્યાનમાં લેવાથી મૂળ ચિત્ર સંબંધે ઊઠતા ધ્વનિ સમજાશે અને કાવ્યનું કવિત્વ આનંદ ઉપજાવશે. કેટલાંક ગીતોમાં લગ્નનો પ્રશ્ન છે : લગ્નમાં સ્નેહ – પુણ્યમય સ્નેહને સ્થાન હોવું જોઈએ એ પ્રશ્ન છે. આપણી લગ્નતિથિ, પુનર્લગ્ન, વર્ધમાનપુરી, વિલાસની શોભા, સૌભાગ્યવતી આદિ કાવ્યોમાં કવિનો દાંપત્યસ્નેહ ઝળહળી ઊઠે છે.&lt;br /&gt;
રા. નાનાલાલની કવિતામાં રહેલા આશાવાદ, ગંભીર વિચારો, ઉત્કટ કે સરળ રસ, લલિત અને યોગ્ય પદાવલિ, મનોહર લય, દૂરગામી કલ્પના તીવ્ર અને સતેજ ધાર્મિકતા, એ કવિતાના વાંચનારને આનંદ આપ્યા વિના રહેતાં નથી.&lt;br /&gt;
લાઠી ઠાકોર સુરસિંહની કવિતા ગુજરાત વધાવ્યે જાય છે એ આનંદની વાત છે. સરળ ભાષા અને લાગણીમાં જે કવન એણે ગાયું છે તે ગુજરાતનાં સ્ત્રીપુરુષોનાં હૃદયમાં સમભાવ પામ્યું છે. સાગરના ભાષ્યથી તેમ જ રા. મોહનલાલ દવે કે રા. ચંદ્રશંકર પંડ્યા કે રા. અતિસુખશંકર ત્રિવેદી આદિનાં વિવેચનથી એ ‘કેકારવ’ વધુ ને વધુ લોકપ્રિય થશે.&lt;br /&gt;
નવી કવિતા નવી હોવાથી એનો આદરસત્કાર કરતાં પક્ષાપક્ષી કે મતાંતર સ્વાભાવિક રીતે જન્મ્યાં છે. રા. કમળાશંકર અને રા. તનસુખરામ ત્રિપાઠીની કવિત્વભાવના જુદી હોવાથી નવી કવિતા યથેચ્છ આદરસત્કાર કરનારાઓની ભાવના સાથે તેમનો મેળ નથી ખાતો. પરંતુ અંગ્રેજી કેળવણીના પ્રસાર સાથે, અંગ્રેજી રાજ્યને લીધે જન્મતી રાજકીય, સાંસારિક, ધાર્મિક ભાવનાઓને લીધે, પ્રજાના જીવનમાં નવા cultureની વ્યાપૃતિ થવાથી નવી કવિતા ગુજરાત સત્કારશે એવી અમારી તો દૃઢ પ્રતીતિ છે. સંરક્ષક અને ઉદાર પ્રાગતિક બંનેના સંઘર્ષણથી શુદ્ધ કાંચન કસાય છે અને તેની યોગ્ય કદર દુનિયા કરે છે. પ્રાગતિકોમાં પણ સંરક્ષક વૃત્તિ જન્મે છે તો સંરક્ષકો વધારે સંરક્ષક બને એમાં નવાઈ નથી. રા. નરસિંહરાવ અને રા. રમણભાઈ જેવા એક વખત પ્રાગતિક સુધારક લેખાતા વિદ્વાનો પોતાથી આગળ વધેલાની તરફ મક્કમ સંરક્ષકપણું બતાવે તો જૂના સંરક્ષકો નવામાં નવી થયેલી પ્રગતિથી દૂર નાસે અને તેના તરફ હવામાં તરવાર ઉછાળે એ બનવા જેવું છે. જૂનું એટલું બધું ટકવાનું નથી તેમ નવું એટલું બધું સત્કારવાનું નથી પણ બન્નેમાં રહેલા ઉપયોગી અંશો સ્વીકારાય છે તેમ સાહિત્યમાં પણ થશે. રાજકીય વિષયોમાં વ્યક્તિવાદ જેમ જેમ સ્વીકારાતો જશે તેમ જીવનના બીજા પ્રદેશોમાં પણ તેનો પ્રભાવ પડશે અને વ્યક્તિગત પ્રતાપની કદર ઉદાર હૃદયથી કરવી પડશે.&lt;br /&gt;
જગતમાં જન્મ, બાલ્ય, યૌવન છે તેમ વાર્ધક્ય અને મરણ પણ છે. ગયે વર્ષે આપણી સાક્ષર સેવા કરતાં કોણ કોણ ઇહજીવનમાંથી ચાલ્યા ગયા?&lt;br /&gt;
કચ્છના મહારાજાશ્રીના પ્રાઈવેટ સેક્રેટરી રા. રા. છોટાલાલ સેવકરામ પોતાની જ્ઞાતિના વેદાંતી અખા જેવા વેદાંતી હતા; મનસુખરામ સૂર્યરામના સ્નેહી હતા. કાવ્ય ઉપરાંત કોશ, ઇતિહાસ આદિ પ્રદેશોમાં પણ તેઓ ઘૂમ્યા હતા. એમની કવિતા જૂની ઢબની હતી છતાં ઊછળતી, ભેદતી હતી.&lt;br /&gt;
કચ્છના રેવન્યુ કમિશનર મિ. સચેદીના નાનજીઆણી ખોજા કોમના વિદ્વાન ગુજરાતી લેખક હતા. ‘ખોજાવૃત્તાંત,’ ‘ધર્મની સત્યતા,’ ‘સુખસન્માર્ગ,’ ‘મુક્તિદર્શક આખ્યાન’ આદિ એમની કૃતિ છે. એમનાં વિશાળ વાંચન, શોધક બુદ્ધિ અને ચિંતન આ ગ્રંથોમાં સ્પષ્ટ થાય છે. એમના દૃષ્ટાંતથી અનેક ખોજાઓ – મેમણો – વોરાઓ ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ કરવા ઉત્તેજાશે એવી આશા છે.&lt;br /&gt;
આ બન્ને પુખ્ત ઉંમરે પહોંચેલા ગૃહસ્થો હતા. પરંતુ ડૉ. હરિલાલ હ. ધ્રુવના જ્યેષ્ઠ પુત્ર રા. નરસિંહરાવ હ. ધ્રુવ ૨૫ વર્ષ પણ પૂરાં કરી શક્યા નથી. મુંબઈમાં મરકીથી યૌવન, આશા, ઉત્સાહમાં ઊછળતો એમનો દેહ અવસાન પામ્યો અને એમના અનેક મનોરથો ભાંગી પડ્યા. ‘ઊજળા વિશ્વના અન્ધ એકાન્તે પ્રજળતી,’ તરછોડાયેલી, નિરર્થક લેખાયેલી, ઉત્સાહિની તરુણ બાળાને લગ્નગ્રંથિથી વૈધવ્યમાંથી ઉદ્ધારી હતી. તેના સુપ્ત સંસ્કાર જગાવી સાહિત્યક્ષેત્રમાં તે સંસ્કારો દર્શાવવા તેને પ્રવૃત્ત કરી હતી. એમના જીવનના આ પ્રસંગથી એમની કવિત્વધારા છૂટેલી અને ઝમક દાખવી ગયેલી. શરૂઆતમાં એમની કવિતા એમના પિતાના અનેક દોષોથી ભરેલી હતી. પણ ધીમે ધીમે એઓ રા. નાનાલાલના ચરણ ભણી વળ્યા હતા. કવિતાનો દેહ એ ચરણની ઘાટી પર બાંધતાં શીખતા હતા; અને એ દેશમાં પધરાવવાની મૂર્તિ પણ તેજ ઝળકતી હતી એવામાં એમનું જીવન ખરી પડ્યું. બંગાળી સાહિત્યના વિશાળ અને ગંભીર અભ્યાસી હતા. ગુજરાત બંગાળ જેવું બનાવવા – ગુજરાતી સાહિત્ય બંગાળી સાહિત્ય જેવું સમૃદ્ધ કરવા અભિલાષ રાખતા. એમણે ‘વન્દેમાતરમ્’નું ભાષાંતર કર્યું હતું. બંગાળી વાર્તાનાં ભાષાંતર કર્યાં હતાં. એ પદ્ધતિ ઉપર નવી વાર્તા રચવા માંડી હતી. પરંતુ બેત્રણ સિવાય બીજી લખાઈ નહોતી.&lt;br /&gt;
પોતાના પિતાનું જીવનચરિત્ર લખવા અતિશય હોંશ હતી. જે જે પ્રદેશમાં પિતા ઘૂમેલા તે તે પ્રદેશનો અભ્યાસ પણ આરંભેલો. આથી એમના પિતાની માફક શક્તિ વિશીર્ણ થયેલી – વિકસેલી નહીં. પોતાના પિતાના અવસાન પછી તેમનું ‘ચંદ્ર’ માસિક થોડા વર્ષ ચાલી બંધ પડેલું તે એમણે પાછું ‘સાહિત્ય’- ને નામે દોઢ પોણા બે વર્ષ સુધી ચલાવ્યું હતું. ત્યાર પછી ‘જ્યોતિ’ના નામથી શરૂ કરેલું માસિક ત્રણચાર મહિના ચાલ્યું હતું. મરવા આગમચ સચિત્ર ‘જ્યોતિ’ કાઢવાની યોજના અને વ્યવસ્થા કરી હતી. પહેલો અંક લગભગ છપાઈ તૈયાર પણ થયો હતો.&lt;br /&gt;
ગુજરાતી ભાષાના હિંદુ, પારસી, જૈન, મુસલમાન સેવકોમાં એખલાસ (entente) વધારવાની હિલચાલ એમણે શરૂ કરી હતી. એઓ અરવિંદ અભિનવ, નરહરિ ધ્રુવ, શ્રીનારાયણ, અનુકૂલચંદ્ર પુરાણી આદિ અનેક તખલ્લુસથી લખતા, સંસાર અને ધર્મની સુધારણા માટે તીવ્ર આગ્રહ એમને હતો. બ્રહ્મસમાજના તેઓ અનુયાયી થયા હતા.&lt;br /&gt;
ગયે વર્ષે ગુ. વ. સોસાયટી તરફથી રા. રા. કમળાશંકર પ્રો. ત્રિવેદીનો ‘શાંકરભાષ્યાનુવાદ’ પહેલો ભાગ પ્રગટ થયો છે. ‘મહાકાળ’માં પ્રો. કણીઆનું શાંકરભાષ્ય ભાષાંતર પ્રગટ થાય છે. રા. રા. હીરાલાલ શ્રોફે ઉઠાવેલા પ્રશ્નનો(સદ્ગુરુ કોણ હોઈ શકે? ગૃહસ્થ કે સંન્યાસી) ઉત્તર હજુ એમના તરફથી અપાયો નથી.&lt;br /&gt;
રા. રા. અમૃતલાલ સુંદરજી પઢિયારના ગ્રંથોમાં જૂનાની નવી આવૃત્તિ નીકળતી જાય છે અને નવા પ્રકટ થતા જાય છે.&lt;br /&gt;
આમ આપણે સાહિત્યને પોષવાં – ઉછેરવા મશગૂલ છીએ. પરંતું સંગીત આદિ સાહિત્યના સહોદરો પ્રત્યે લક્ષ નથી. સંગીતનાં તત્ત્વો વિશેની ચર્ચા રા. નરસિંહરાવ દિવેટિયા અને રા. ગણપતરાવ બર્વે વચ્ચે ઊભી થઈ છે. રા. અરદેશરે નવી ગરબીઓ આપી છે. રા. લલિત, રા. નાનાલાલ આપણને જૂના રાગો નવા આત્માથી ભરેલા આપે છે. ભાવનગરના નરેન્દ્ર સર ભાવસિંહજી નવનવી સારીગમ ઊપજાવે છે. તેમાં ઊંચો રસ વહી શકે એવી પણ કેટલીક હોય છે. ‘સેવાસદન’માં ભજન થાય છે એટલે નવા–જૂના રાગો અને કવિત્વનો પ્રસાર મુંબઈમાં થવાનો સંભવ છે. બાકી તો સામાન્યતઃ સંગીત એટલે નાટકી ગાયનો, અથવા ઉસ્તાદી નસફુલામણી. બીટહોવન, વેગ્નર વગેરે સુવિખ્યાત પાશ્ચાત્ય ગવૈયાઓ જેવા ગવૈયા ગુજરાતમાં ક્યારે થશે?&lt;br /&gt;
ચિત્રકળા ઉપર પણ કાંઈ પણ લક્ષ અપાતું નથી. રવિ વર્માની પાશ્ચાત્ય ચિત્રકળાએ આપણને મુગ્ધ કરી દીધા એટલું જ નહીં પણ નાનાવિધની રસિક કળાઓ એના પ્રભાવ નીચે ચાલી ગઈ છે. ધુરંધર એ જ ચરણનો દક્ષિણી ચિત્રકાર અને મહાત્રે દક્ષિણી શિલ્પી છે. ભેદવાર જ ફક્ત કિરણાલેખની કળામાં કવિત્વ પ્રગટાવતો ગુજરાતી છે. બંગાળામાં દેશજ ચિત્રકળા જન્મી છે અને સત્કારાઈ છે. એવો રસ કે ભાવના આપણા જીવનમાં ઊતર્યાં નથી —જાગ્યાં નથી.&lt;br /&gt;
દરેક ગામમાં મકાનો બંધાયાં જાય છે પરંતુ સ્થાપત્યની સુંદરતા, રસિકતા ક્યાંયે અનુભવાતી નથી. &lt;br /&gt;
સ્ત્રૈણ રસિકતા કેળવાતી જાય છે – સૂક્ષ્મ થતી જાય છે. ભારે, બેડોળ દાગીનાને બદલે નાજુક, નકશીદાર, મનોહર અલંકારો પહેરાય છે. એમના પોષાકમાં પણ રસ આવતો જાય છે. આંતર જીવન રસથી રેલાતું જશે તેમ તેમ બાહ્ય સુંદરતા પણ ખીલશે.&lt;br /&gt;
ગુજરાતમાં હજી સંતોષ નથી, વધારે અને સારાને માટે તૃષા છે : એ વિકાસની ઉત્કંઠા છે.&lt;br /&gt;
હજી રસમાં પગ માંડીએ છીએ : એ રસ જીવનમાં ઊતરશે ત્યારે અન્ય દિશાઓ પણ ઊઘડશે. દૃષ્ટિસીમાને છેડો નથી, આપણે હજી થાક્યાં નથી.&lt;br /&gt;
આપણું યૌવન ઊછળતું; આગ્રહ નિશ્ચયશક્તિવંતું છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
એપ્રિલ ૧૯૭૯ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = શુદ્ધ ગુજરાતી ભાષા સામે પારસીઓની ફરિયાદની તપાસ&lt;br /&gt;
|next = કાર્યનો પ્રદેશ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%88%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AB%81_%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7_%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A6%E0%AB%AE&amp;diff=111488</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ઈસુનુ વર્ષ ૧૯૦૮</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%88%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AB%81_%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7_%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A6%E0%AB%AE&amp;diff=111488"/>
		<updated>2026-05-31T07:46:18Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ઈસુનું વર્ષ ૧૯૦૮}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવજીવનના ઇતિહાસ પંચાંગોથી નથી ઘડાતા તોપણ એક વર્ષ દરમ્યાન થયેલી પ્રવૃત્તિની નોંધ લેવામાં આવી હોય તો ભવિષ્યમાં તવારીખ- નવેશનું કામ સરળ થઈ જાય. ગુજરાત પોતાની પ્રવૃત્તિનું સરવૈયું કાઢે તો અનેકધા લાભ થવાનો સંભવ છે.&lt;br /&gt;
ગયા વર્ષથી ગુજરાતી સાહિત્યનું સિંહાવલોકન કરવાની જે પ્રથા આ માસિક ‘જ્ઞાનસુધા’માં શરૂ થઈ છે તેને અન્વયે, મુખ્ય ઉદ્દેશને સહેજ વિસ્તારી આ લેખ લખવામાં આવ્યો છે.&lt;br /&gt;
આવો લેખ લખવાનાં સાધનો&amp;lt;ref&amp;gt;સરકારી ત્રિમાસિક રિપોર્ટો, પત્રોના ગ્રંથસ્વીકાર અને ગ્રંથાવલોકન, ગ્રંથપ્રસિદ્ધિની જાહેરખબરો અને ખાનગી માહિતી સિવાય આવા લેખ લખવાનાં સાધનો નથી. પ્રસ્તુત લેખ માટે બને તેટલી માહિતી મેળવવા આ પત્રના તંત્રી રા. જીવનલાલે મુદ્રાયંત્રોના માલિકોને, ગ્રંથપ્રસારક મંડળોના મંત્રીઓને અને ગ્રંથવિક્રેતાઓને પત્રો લખ્યા હતા. પરંતુ મુંબઈની ડી. લક્ષ્મીદાસની કંપની, વડોદરાના શ્રી શ્રેયઃસાધક અધિકારી વર્ગ, ‘શારદાભવન’ પ્રેસ, અને અમદાવાદના ‘જૈનસમાચાર’ તરફથી જ જવાબ આવ્યા. જેમ જેમ આવા લેખની ઉપયોગિતા સમજાતી જશે તેમ તેમ આ દિશામાંથી સારી મદદ મળવાનો સંભવ છે.&amp;lt;/ref&amp;gt;મેળવવાની ઘણી મુશ્કેલી છે. વખતોવખત થતી સાહિત્યપ્રસિદ્ધિની સંપૂર્ણ માહિતી આપે એવું મંડળ યા પુસ્તકાલય યા માસિક ગુજરાતમાં નથી. સરકારી ત્રિમાસિક રિપોર્ટોમાં પુસ્તકોની નામાવલી ઘણી મોડી છપાય છે; વળી ‘રજિસ્ટર’ કરવા ન મોકલેલાં તેમજ દેશી રાજ્યોમાં પ્રકટ થયેલા ગ્રંથો તેમાં નોંધાતા નથી, એટલે આવો લેખ સર્વતઃ સંપૂર્ણ લખી ન શકાયો હોય તો દરગુજર કરવા વાંચકોને વિનંતી છે.&lt;br /&gt;
જેવું જીવન તેવું સાહિત્ય. જીવનમાં વહેતાં બળોનો પ્રભાવ સાહિત્યમાં અંકાય છે. એટલે એ બળો વિષે કાંઈક જાણવું અવશ્યનું થાય છે. મનુષ્યોના ઐહિક અને આમુષ્મિક અર્થો સિદ્ધ કરવા નાના પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે, અને એ પ્રવૃત્તિઓમાંથી જન્મતાં બળો માનવજીવન ઘડે છે. ધર્મ, સંસાર, રાજ્ય આદિ પરત્વે થતી પ્રક્ષોભણા – મંથનના પડઘા સાહિત્યમાં સંભળાય છે યા તો તેમનો પટ સાહિત્યને બેસે છે.&lt;br /&gt;
ધર્મ પરત્વે ખ્રિસ્તી પાદરીઓને લીધે જે પ્રક્ષોભણ થયું હતું તે બહારથી શમ્યું છે, પણ અંતર પ્રક્ષોભણા શરૂ થઈ ચૂકી છે. પાદરીઓ અને તેમનાં કામ તરફ અણગમો ફેલાતો જોવામાં આવે છે. આ અણગમો બતાવતી વખતે તેમણે ફેલાવેલી કેળવણી અને આણેલી ધાર્મિક જાગૃતિ વીસરી ન જવી જોઈએ. કન્યાકેળવણી માટે તેમ જ સસ્તે દરે માધ્યમિક અને ઊંચી કેળવણી આપવા એમણે ઓછું કર્યું નથી. ગુજરાતમાં રેવરંડ એંડ્રુઝ કે મૅકનીકોલ જેવા પાદરીઓ આવશે તો આ અણગમો ઘટવાનો સંભવ છે.&lt;br /&gt;
પ્રાર્થનાસમાજના અનુયાયીઓએ ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ કરવામાં સારો ફાળો આપ્યો છે. બંગાળની બ્રાહ્મસમાજ અને મુંબઈના પ્રાર્થનાસમાજમાં તેવું ચેતન સ્ફૂરતું જણાય છે. એ ચેતનના પ્રભાવ નીચે ગુજરાતની પ્રાર્થનાસમાજ પણ આવશે. ‘જ્ઞાનસુધા’ આ પંથનું માસિક છે.&lt;br /&gt;
કાઠિયાવાડમાં જન્મેલા દયાનંદ સરસ્વતી પંજાબમાં નવું જીવન લાવી શક્યા.  ગુજરાત હજુ એમના સિદ્ધાંતોની મૂલવણી કરી શક્યું નથી. સુરત જિલ્લાના ગામડામાં નવી શક્તિ, નવી દૃષ્ટિ આર્યસમાજથી આવી છે.&lt;br /&gt;
આર્યસમાજમાં હિંદીપ્રજાનું ઐક્ય કરવાની શક્તિ છે. હિન્દુ, મુસલમાન, પારસીને એ પંથમાં આદરસત્કારથી લેવાય છે. મિ. ખબરદાર એ પંથના કવિ છે. શાસ્ત્રાર્થની વિતંડા એ પંથ છોડી દે તો ઘણું કરી શકે. આ પંથ તરફથી મુંબઈમાં એક સાપ્તાહિક નીકળે છે.&lt;br /&gt;
પરમહંસ રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના શિષ્યો ગુજરાતમાં હશે તો તે છૂટાછવાયા છે.&lt;br /&gt;
યુરોપ અમેરિકાથી આવેલા બ્લાવટસ્કી અને ઓલ્કોટે સ્થાપેલી ‘થિયોસોફિકલ સોસાયટી’ સુરત અને કાઠિયાવાડમાં પ્રબળ છે. ધર્મશિક્ષણ અને જ્ઞાનપ્રસારણ માટે હિંદમાં બીજે તેમ આપણે ત્યાં એ મંડળ તરફથી પ્રયાસ થાય છે. એ મંડળના અનુયાયીઓ તરફથી સાહિત્યસેવા પણ થાય છે. એ મંડળના સિદ્ધાંતોનું પ્રતિપાદન જેમાં કર્યું હોય એવા અંગ્રેજી ગ્રંથોનાં ભાષાંતર તેમજ એ સિદ્ધાંતો ચર્ચતા સ્વતંત્ર ગ્રંથો દર વર્ષે ગુજરાતના ‘થિયોસોફીસ્ટો’ તરફથી પ્રગટ થાય છે. રા. મણિલાલ નથુભાઈ દોશીએ એ પંથના સાહિત્યમાં એક સ્વતંત્ર પુસ્તક લખી વધારો કર્યો છે. પ્રો. મણિલાલનું ‘સુદર્શન’ અને સુરતમાં નીકળતું ‘જિજ્ઞાસુ’ એ પંથનાં વાજિંત્રો છે. અગાઉ એ મંડળ તરફ યુવાન વર્ગ જેટલો આકર્ષાતો હતો તેટલો હાલ આકર્ષાતો નથી. પારસીઓમાં એ મંડળના સિદ્ધાંતો પ્રસરતા જાય છે.&lt;br /&gt;
હવે વડોદરા અને બીલખામાં ચાલતા સંપ્રદાયો – શ્રીમન્નૃસિંહાચાર્ય અને શ્રીમન્નથુરામ શર્માએ પ્રચલિત કરેલા સંપ્રદાયોની પ્રવૃત્તિ નિહાળીએ.&lt;br /&gt;
શ્રીમન્નૃસિંહાચાર્યે પ્રકટાવેલી સાહિત્યધારા એમના અવસાન પછી સુકાઈ નથી પણ વિપુલ થતી જાય છે. ‘મહાકાલ’, ‘પ્રાતઃકાલ’, ‘યમદંડ’, ‘ધર્મધ્વજ’, ‘ભક્ત’ આદિ એ સંપ્રદાયનાં વાજિંત્રો છે. ખ્રિસ્તીઓની માફક પોતાના સિદ્ધાંતો સરળતાથી ફેલાવવા અને પોતાની ભાવનાનુસાર ગુજરાતનું જીવન ફેરવાય એવી જોગવાઈ ઉપજાવવા નાના પ્રકારના ગ્રંથો શ્રી શ્રેયઃસાધક વર્ગ તરફથી વખતોવખત બહાર પડે છે. વર્ષમાં એ મંડળના સર્વે અનુયાયીઓ બે વખત એકત્ર થાય છે. આ સમારંભોના પ્રસંગે થયેલાં ભાષણો અને ભજનો સંગ્રહાઈ પ્રકટ કરવામાં આવે છે. પ્રો. મણિલાલના મરણ પછી પર્યેષક ચર્ચા ગુજરાતમાં મોળી પડી ગઈ છે, તોપણ શ્રેયઃસાધકો તરફથી એ દિશામાં વિવેચનો અવારનવાર થયાં જાય છે. પ્રો. જેકીસનદાસ કણીઆ અને રા. રા. નર્મદાશંકર દેવશંકર જેવા દાર્શનિક એ મંડળમાં છે. એ મંડળને અમેરિકાના એમના જેવા જ ઉદ્દેશવાળાં મંડળો સાથે સંબંધ છે.&lt;br /&gt;
દરેક નવા પંથમાં આદ્ય શિષ્યાઓ સારી સેવા બજાવે છે. વિધવાઓના ઉદ્ધાર સારુ અને સ્ત્રીશિક્ષણ માટે જેવા પ્રયાસો બંગાળ, મદ્રાસ, મહારાષ્ટ્ર કે પંજાબમાં થયા છે તેવા ગુજરાતમાં કરવા તેઓ ઉદ્યુક્ત થયાં છે.&lt;br /&gt;
આપણા દેશમાં હાલમાં ઘુમતાં નવાં રાજકીય કે સાંસારિક બળોને ઉત્તેજન કે પોષણ આ પંથમાંથી મળશે તો વલ્લભ કે સ્વામિનારાયણના સંપ્રદાય જેવું એનું જીવન નહીં થાય.&lt;br /&gt;
બીલખાના આનંદાશ્રમ તરફથી ‘ઉપદેશ ગ્રંથાવલિ’ નામે ચોપાનિયું દર મહિને બહાર પડે છે. ઉપનિષદ્, ગીતા, યોગના ગ્રંથો વગેરે વગેરેનાં રહસ્ય પણ પ્રગટ થાય છે.&lt;br /&gt;
આ બન્ને પંથોમાં નવું કાંઈ નથી, જૂનું છે તે ફરી કહેવામાં આવે છે. જડ થયેલા પંથોમાંથી નીકળી આ નવા – નવા એટલે જડ નહીં એવા – પંથમાં ભળે છે. સામાજિક સુધારણા પરત્વે એ પંથોની દૃષ્ટિ ઉદાર છે.&lt;br /&gt;
જૂના સંપ્રદાયોમાં પણ દેશમાં થયેલી જાગૃતિના પડઘા સંભળાય છે. વૈષ્ણવો પોતાની પરિષદ ભરે છે, હજુ એ મંડળ તરફથી પોતાના સંપ્રદાયના ગ્રંથોની પ્રસિદ્ધિ, તેમના તરજુમા, વગેરે થવું જોઈએ તેવું થયું નથી; આચાર્યોની કેળવણી અને પૈસા ખરચવાની સત્તા વિશે ચર્ચા થઈ નિર્ણય થયા નથી; જમાનાને યોગ્ય એમનાં ક્રિયાકાંડમાં – મંદિરોમાં થવા જોઈતા સુધારા સૂચવાયા નથી; વગેરે વગેરે. સ્વામિનારાયણ અને શંકરાચાર્ય વચ્ચે થયેલા ઝઘડાની સલાહસંપથી પતાવટ થઈ ગઈ છે અને નાહકનું ઊભું થયેલું ધતિંગ જતું રહ્યું છે. એ પંથોમાં હજુ જાગૃતિ આવી લાગતી નથી. ‘સનાતન ધર્મ મહામંડળ’ જેવી સંસ્થાના વક્તાઓ, સંન્યાસીઓ વગેરે તરફથી લોકોને તેમનો ધર્મ સમજાવવા અથવા પોતાની વિદ્વત્તા પ્રદર્શિત કરવા વ્યાખ્યાનો થયાં જાય છે. બાહ્ય આઘાતોથી તેમ જ રાજકીય ભીંસથી સનાતનીઓના મમત અને અંધશ્રદ્ધા છૂટશે અને વિવેકબુદ્ધિનો ઉપયોગ વધશે એવું લાગે છે.&lt;br /&gt;
દિવસે દિવસે ભગવદ્ગીતાનો પ્રચાર અધિકાધિક વધતો જાય છે, અનેક દૃષ્ટિબિંદુથી તેનાં ભાષાંતરો થાય છે, તેના પર વિવેચનો થાય છે, નાનાવિધની તેની આવૃત્તિઓ પણ કઢાય છે. રા. અનંતપ્રસાદ ત્રિકમલાલનું રામાનુજાનુયાયી ભાષાંતર ગયે વર્ષે બહાર પડ્યું છે. રાધનપુરના માજી દીવાન પોતાની જિંદગીનો નમતો પહોર કથાકીર્તનમાં ગાળે છે. ‘આનંદ’ નામનું માસિક પણ એમના લેખોથી ભરાય છે.&lt;br /&gt;
ધર્મગ્રંથો અમુક ભાષામાં જ વાંચવા જોઈએ એમ નથી. તેમાં સમાયેલા વિચારો દરેક જણને પોતાની જન્મભાષામાં પ્રાપ્ત થાય તો જ તે વિચારો સમજી આચારમાં ઉતારી સંસાર સાર્થક કરી શકાય. પદ્યબંધ ભાષાંતર પંડિત ગટુલાલજી તેમ જ બીજાઓ તરફથી થયું હતું. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીનો દેહ પડ્યો ત્યારે એમનું કરેલું પદ્યબંધ ભાષાંતર પ્રેસમાં હતું, અને જાહેરખબર ઉપરથી જણાય છે કે થોડા વખતમાં રા. નાનાલાલ દ. કવિ ગીતાનું સમશ્લોકી ભાષાંતર બહાર પાડનાર છે.&lt;br /&gt;
ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે ગ્રંથપ્રસિદ્ધિ એ ઉત્તમ સાધન છે એવું એ પંથના અનુયાયીઓ માને છે અને તે સારુ અઢળક દ્રવ્ય ખર્ચે છે. આર્યધર્મ શાસ્ત્રો પણ એવી જ રીતે ગુજરાતમાં પ્રચાર પામે એવા સ્તુત્ય ઉદ્દેશથી ભિક્ષુ અખંડાનંદે ‘સસ્તું સાહિત્ય વર્ધક મિત્રમંડળ’ સ્થાપ્યું છે. ત્રણ આનાના જૂજ મૂલ્યે ‘ભગવદ્ગીતા’ મળી શકે એવી આવૃત્તિ એ મંડળે છપાવી છે. એક સાપ્તાહિક પત્રમાં જે આરોપો અને નિંદા એ મંડળ ઉપર વર્ષાવવામાં આવ્યાં હતાં તે તદ્દન અયોગ્ય અને અનુચિત હતાં. એમની યોજના વાંચી વિચારી જવા દરેક દેશી જનને અમારી વિનંતિ છે, અને યથાશક્તિ, યથામતિ એ યોજનાને ઉત્તેજન આપવાથી દેશને અનેકવિધનો લાભ થવાનો સંભવ છે.&lt;br /&gt;
ધર્મ – રાજ્ય – સંસારના મહાપ્રશ્નોના નિરાકરણ કરવામાં અનેક રીતે ભગવદ્ગીતા સહાયભૂત થશે એવી દૃઢ પ્રતીતિ જનસમાજમાં ફેલાતી જાય છે.&lt;br /&gt;
જૈનોમાં પણ ધર્મજાગૃતિ થઈ છે. અનેક સ્થળે સભાઓ સ્થપાઈ છે, પ્રાચીન ગ્રંથો છપાય છે, ગુજરાતીમાં ભાષાંતરો થાય છે, ધાર્મિક વિધિઓ બરાબર પાળી શકાય એટલા સારુ તેમના સંબંધી સરળ લખાણો થાય છે. મંદિરોના જીર્ણોદ્ધાર થાય છે, તેમ જીવનના ધર્મના જીર્ણોદ્ધાર કરવા પણ પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે. શ્રીમદ્ રાજચંદ્રે પ્રગટાવેલા વિચારોના પડઘા ‘સનાતન જૈન’માં સંભળાય છે, અને જૈનસંઘમાં ઉદારતા, ગંભીરતા અને ઉચ્ચતા પ્રેરવા એ મહાનુભાવના અનુયાયીઓ મથે છે. સંઘના ત્રણ વિભાગને એકત્ર કરવા, ધર્મમાં વિવેકબુદ્ધિને પ્રવેશ આપવા, રાજ્ય – સંસારના પ્રશ્નોમાં લક્ષ આપવા ‘સનાતન જૈન’ પોકારી પોકારી પોતાના હમદીનોને જાગૃત કરે છે. એમનામાં સ્ત્રીકેળવણી વધે છે, પણ નારીપ્રતિષ્ઠા ઉન્નત કરવા વિચારણા થતી લાગતી નથી.&lt;br /&gt;
મુસલમાનોમાંથી પણ સુસ્તી ઊડી ગયેલી લાગે છે. અલીગઢ અને ઢાકાથી પ્રગટેલા વિચારપ્રવાહમાં યુગયુગની ચડેલી રજ ધોવાઈ જશે.&lt;br /&gt;
પારસીઓમાં પણ પોતાનો ધર્મ યથાર્થ સમજવા – સમજી તે મુજબ આચરવા – પ્રવૃત્તિ ચાલી રહી છે.&lt;br /&gt;
સર્વત્ર સ્ફૂરણ પેઠું છે – જાગૃતિનાં ચિહ્ન દૃષ્ટિને પથે ચડે છે.&lt;br /&gt;
ધર્મમંદિરોની ઊપજ સાર્વજનિક કામોમાં વાપરવા માટે વડોદરામાં સરકારી કાયદાથી સરળતા થઈ છે, અને બીજે લોકમતથી સરળતા થવાનો સંભવ છે.&lt;br /&gt;
બંગાળા કે મહારાષ્ટ્રમાં જેટલું રાજકીય વિષયોમાં ધ્યાન અપાય છે તેટલું ગુજરાતમાં અપાતું નથી. અર્ધા ઉપરાંત ગુજરાતમાં છૂટાંછવાયાં નાનાંમોટાં દેશી રાજ્યો છે. આ ‘સ્વરાજ્ય’માં રાજકીય ચળવળ જન્મી શકતી નથી. અમદાવાદ કે સુરતના રહેનારને જેટલી લાગણી બંગાળ કે પંજાબના લોકોના સુખદુઃખ માટે થાય છે તેટલી જૂનાગઢ કે ભાવનગરની રૈયતને એકબીજા સારુ નથી થતી. મુંબઈમાં જે પ્રતાપ કચ્છી, કાઠિયાવાડીઓ દાખવે છે તે ‘દેશ’માં બતાવી શકતા નથી. તોપણ સમગ્ર હિંદમાં ફરી વળતી રાજકીય ભરતીનાં મોજાં ગુજરાતમાં પણ ફરી વળ્યાં છે. વડોદરાના દેશાભિમાની નરેશ્વરે પોતાની રૈયતનું રાજકીય જીવન કેળવવા માંડ્યું છે. તે ઉપરાંત સુરતમાં ઈ. સ. ૧૯૦૭માં કૉંગ્રેસમંડપમાં અને બહાર જે દારુણ યુદ્ધ થયું તેની અસર ગુજરાતમાં થઈ. ગુજરાતમાં બે વખત કૉંગ્રેસ ભરાઈ; એક અમદાવાદમાં અને બીજી સુરતમાં. આ બે વખતે જણાયેલી લોકોની જાગૃતિમાં ઉત્સાહ—આગ્રહ—રસમાં આસમાન જમીનનો ફેર લાગે છે.&lt;br /&gt;
ગુજરાતમાં નેતા નથી : બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ વગેરે પ્રાંતોમાં છે તેવા નેતા નથી. મુંબઈમાં, અમદાવાદમાં કે દેશી રાજ્યોમાં બુદ્ધિશાળી ગુજરાતીઓ અનેકઘા દેશહિતનું કામ બજાવે છે. પણ ગુજરાતને દોરનાર નેતાઓની તો ખોટ જ છે. અમે સર્વે ગુજરાતી છીએ—હિંદુ, મુસલમાન, પારસી હોવા છતાં ગુજરાતી છીએ — એવી ભાવના જનેજનમાં જગાવે અને દક્ષિણી કે બંગાળીના જેવો પ્રતાપ ગુજરાતીઓ ગુજરાતમાં અને ખંડખંડના પરદેશનિવાસમાં બતાવે એવા એમને શક્તિમાન કરે એવા નેતાની આપણે ત્યાં ખોટ છે. હિંદુસ્તાનનાં વર્તમાન ભવિષ્ય ઘડવામાં અને તેને અંગે ઊભા થતા મહાપ્રશ્નો ઉકેલવામાં અમે પણ સામેલ છીએ. અમારામાં પણ એ સૌ સારુ જોઈતાં સામર્થ્ય, બુદ્ધિ, લાગણી, આગ્રહ અને ઉત્સાહ છે એવી આત્મશ્રદ્ધા ગુજરાતીઓમાં લાવનાર આચાર્યની જરૂર છે. હિન્દુસ્તાનને તુરતાતુરત ‘આર્થિક સ્વરાજ્ય’ અને ‘કેળવણીના સ્વરાજ્ય’ ની ખાસ જરૂર છે. વેપારી ગુજરાતના હાથમાં આર્થિક સ્વરાજ્ય મેળવવાનું છે. જે પ્રાંતના લગભગ પોણા ભાગ ઉપર દેશી હકૂમત છે, જે પ્રાંતની ચારે કૉલેજો લોકોને આધીન છે, અમદાવાદ, ગોધરા, ભરૂચ, સુરત સિવાયની, હાઈસ્કૂલો પણ એવી સ્થિતિમાં છે; પ્રાથમિક કેળવણી ગામેગામ ફેલાવવાનું કામ જ્યાં ઘણી સરળતાથી થઈ શકે એમ છે ત્યાં કેળવણી પણ લોકોના હાથમાં આવી તેમને ઉપયોગી થઈ પડે એવું સ્વરૂપ લઈ શકે એમ છે છતાં યોગ્ય નેતા–વિચારકોની બિનહયાતીને લીધે ગુજરાત પાછળ છે. આફ્રિકામાં ગોરાઓની સામે જંગ મચાવવામાં હિંદીઓને સેનાની જે પ્રાંતમાંથી મળી આવ્યો છે તે પ્રાંતમાંથી નેતા—વિચારક તેને પોતાને સારુ કેમ નથી જન્મતા? ગુજરાતમાં વિચાર કરી શકે એવા પુરુષો સરકારી યા રજવાડી નોકરીમાં છે. વેપારીઓ અસંસ્કારી અને અણકેળવાયેલા હોય છે એટલું જ નહીં પણ ધર્મની ઘેલછામાં એટલા બધા મશગૂલ રહે છે કે બીજી કોઈ પ્રવૃત્તિ તેમને રુચતી જ નથી. આનંદની વાત છે કે ઉદ્દામ અને વિનીત પક્ષના જન્મથી વેપારીઓની આંખ ઊઘડી છે.&lt;br /&gt;
આપણા વાનપ્રસ્થ થયેલા અનુભવી અધિકારીઓ (દીવાનો, ન્યાયાધીશો, મામલતદારો વગેરે) નિવૃત્ત થયેલા વકીલ, દાક્તરો, દેશસેવા કરવા કેમ ઉદ્યુક્ત નથી થતા? ફક્ત દી. બ. અંબાલાલ સા. દેસાઈ હાલ ગુજરાતની વિધવિધરંગી પ્રવૃત્તિમાં ભાગ લે છે. ગુજરાતમાં પૈસો છે, યૌવન છે, બુદ્ધિ છે, ફક્ત તેનો સદુપયોગ કરવાની જરૂર છે.&lt;br /&gt;
બંગાળની સર્વ પ્રવૃત્તિનું મૂળ જેમ કલકત્તા, મહારાષ્ટ્રની સર્વ પ્રવૃત્તિનું મૂળ જેમ પૂણા છે, તેમ ગુજરાત અને ગુજરાતીઓની સર્વ પ્રવૃત્તિનું મૂળસ્થાન અમદાવાદ થવું જોઈએ. સાહિત્યમાં અમદાવાદ જેમ અગ્રસ્થાન લેતું જાય છે. તેમ, રાજકીયાદિ વિષયોમાં પણ તેણે લેવું જોઈએ.&lt;br /&gt;
કુળ ઉજ્જ્વલ રાખવા સારી સંતતિ ઉછેરવાની માબાપોને જેટલી ફિકર અને કાળજી હોય છે તેનાથી વિશેષ ફિકર અને કાળજી નવા નેતાઓ ઉત્પન્ન કરવા માટે હાલના નેતાઓએ રાખવી જોઈએ.&lt;br /&gt;
ઉદ્દામ અને વિનીત પક્ષ વિશે રૂપકની ભાષા વાપરીએ તો ઉદ્દામ પક્ષ દેશનું હૃદય અને વિનીત પક્ષ દેશનું મગજ છે, એમ કહી શકાય. બન્નેના સાહચર્યથી ફાયદો છે – વિરોધથી નહીં. વ્યવહારનિપુણ ગુજરાતી બન્ને પક્ષની ભાવના અને કાર્યપદ્ધતિનાં સારાસાર તપાસી રુચતું જ સ્વીકારશે.&lt;br /&gt;
લૉર્ડ મોરલીએ કરવા ધારેલા રાજકીય સુધારાનો દેશને લાભ અપાવવો બન્ને પક્ષના હાથમાં છે. આ રીતે આરંભાયેલી રાજકીય પ્રવૃત્તિ ઉદાર નયવાન ગાયકવાડના રાજ્યમાં સારી વૃદ્ધિ પામી ગુજરાતનાં બીજાં દેશી રાજ્યોમાં ચાલતું અંધેર દૂર કરાવી પ્રતિનિધિ રાજ્ય—પ્રજાશાસક રાજ્ય—ચલાવવા ગુજરાતીઓને તાલીમ આપશે.&lt;br /&gt;
આફ્રિકામાં ગુજરાતીઓએ અતુલ વીરત્વ દાખવ્યું છે. સ્ત્રીઓએ પણ રજપુતાણી જેવું શૌર્ય દાખવ્યું છે. હિંદુ, મુસલમાન, પારસીઓએ એકત્ર થઈ ગુજરાતી નામ દીપાવ્યું છે.&lt;br /&gt;
રાજ્ય અને સંસાર સાથે સંબદ્ધ અર્થપ્રાપ્તિ અને શિક્ષણ વિશે થોડુંક વિચારીએ. કરાંચીથી મુંબઈ લગીનો દરિયો ગુજરાતીઓથી ઊભરાય છે; ઇંગ્લૅંડ, ફ્રાન્સ, આફ્રિકા, ચીન, જાપાન જાય છે તે તો જુદું. મુંબઈ અને અમદાવાદમાં વરાળયંત્રથી રૂની બનાવટ કરે છે. તેઓ અનેક નવા હુન્નરો ઉપજાવી દેશને આબાદી કરી શકે એવા છે. તેમની વૃત્તિ એ તરફ દોડી છે. જોઈતાં લાયકાત, કેળવણી અને સાધનો મેળવી તેઓ એ દિશામાં પ્રયાણ કરશે. સ્વદેશપ્રેમ અને પ્રામાણિકતાથી છલબલતાં હૈયાવાળાં મગજો જ્યારે એમાં પડશે ત્યારે જ સાફલ્ય મળશે.&lt;br /&gt;
ગયે વર્ષે બૅંકો, મિલોમાં વધારો થયો હતો તોપણ વેપાર અને હુન્નરઉદ્યોગ શી રીતે વધે તે વિશે હજુ જોઈએ તેવો ગુજરાતમાં વિચાર થયો નથી, અને થતો હોય એમ લાગતું નથી. વેપાર મહાજન  &amp;lt;ref&amp;gt;મુંબઈ અને અમદાવાદમાં એવાં મહાજન સ્થપાયાં છે. બીજે સ્થપાવાના જરૂર છે. ગુજરાતના મહાજનની સ્થાપના થવી જોઈએ.&amp;lt;/ref&amp;gt; (Chamber of Commerce), ઔદ્યોગિક ને વ્યાપારી શિક્ષણ, ઉદ્યોગવેપારના ગ્રંથ, માસિકો, કાચા ને તૈયાર માલનાં સંગ્રહસ્થાનો, બૅંકો, વહાણો, રેલવે, ઇત્યાદિ અસ્તિત્વમાં લાવી, સાહસ—આગ્રહ—પ્રામાણિકતા—જ્ઞાન—ઉદ્યમશીલતા જગાવી, કેળવી અનેકવિધ આર્થિક ખીલવણી થઈ શકે. જાપાન, અમેરિકા ગયેલા દક્ષિણી, બંગાળીઓ કરતાં વિશેષ દેશપ્રેમી અને દેશોદય સારુ અભિલાષક પરદેશ ખેડતા ગુજરાતી વેપારી ક્યારે થશે? મરાઠી અને બંગાળીમાં પરદેશ ગયેલા દક્ષિણી કે બંગાળીઓ નાનાવિધના લેખ લખી પોતાના દેશભાઈઓને જાગૃત અને માહિતગાર કરે છે. આફ્રિકામાં મંડાયેલા કુરુક્ષેત્રનું મહાભારત કહેનાર કેમ કોઈ ગુજરાતી સૂતપુરાણી નીકળી નથી આવ્યો? વેપારી વર્ગ કેળવાશે ત્યારે જ ગુજરાતનું ભાગ્ય ઊઘડશે.&lt;br /&gt;
કેળવણીના મહાપ્રશ્ન વિશે આપણે ત્યાં છેક જ વિચાર – પ્રયત્ન થયા નથી એમ નથી. સરકારે જે ‘પ્રાથમિક કેળવણીની પદ્ધતિ દાખલ કરી તેમાં મર્હુમ માધવલાલ હરિલાલે સુધારો વધારો કર્યો; સાયન્સ અને હુન્નરનું જ્ઞાન આપવા પ્રો. ત્રિ. ક. ગજ્જરે વિચાર્યું અને એકલે હાથે દેશને એ જ્ઞાનનું અગત્ય સમજાવ્યું. ગાયકવાડ સરકાર અને મુંબઈના ધનાઢ્યોને લીધે કલાભવન, વિકટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, ટાટા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આદિ સંસ્થાઓ હયાતીમાં આવી છે; મુંબઈમાં અને બીજે સ્થળે વેપારી કેળવણી આપવા શાળાઓ – વર્ગો ચલાવવામાં આવે છે, અને હાલના આપણા ના. ગવર્નરના આગ્રહને લીધે વેપારી કેળવણી આપવાની સારી યોજના થવાની વકી છે. એમના જ પ્રયાસથી સાયન્સનું પણ આપણને સંગીન જ્ઞાન મળશે એવી આશા છે. આપણા શ્રીમંતોએ ઉદારતાથી ના. ગવર્નરની સાયન્સ શીખવવાની યોજના વધાવી લીધી છે. પ્રો. ત્રિ. ક. ગજ્જરના સ્ત્રીકેળવણી વિશેના વિચારનું ફળ ‘સેવાસદન’માં પ્રત્યક્ષ થતું જાય છે. વડોદરાના શિક્ષકમંડળના વાર્ષિક સંમેલન સિવાય કેળવણી વિશે જાહેર ચર્ચા થતી નથી.&lt;br /&gt;
આમ છતાં પણ હજુ આ દિશામાં બહુ કરવાનું છે. સરકારી અથવા ખાનગી નોકરી મેળવવાની લાયકાત કેળવણીથી આવે છે એવું સામાન્યતઃ મનાય છે, અને એ જ હેતુથી માબાપો પોતાનાં બાળકોને કેળવે છે. કેળવણી લેવાથી જીવન ઉન્નત થાય છે, નાના પ્રકારના હુન્નર, ઉદ્યોગ, વેપાર થઈ શકે છે, ખીલવી શકાય છે, દેશનો અને જાતિનો ઉત્કર્ષ થાય છે વગેરે વગેરેનું ભાન લોકોને જરાયે નથી. એક ચીલો પડ્યો છે તે પર થઈને સૌ ચાલ્યા જાય છે, પણ તે રસ્તે જવાથી સૌને લાભ થશે કે હાનિ થશે તેનો ખ્યાલ નથી. માબાપોને કેળવણીનાં ઉદ્દેશ અને ભિન્ન ભિન્ન સ્વરૂપોની ખબર નથી. શિક્ષકો અને વિચારકોનું લક્ષ હજુ આ મહત્ત્વના પ્રશ્ન તરફ ખેંચાયું નથી. ધર્મગુરુઓ તો પોતે જ અભણ હોય, જ્ઞાનપ્રકાશની જ વિરુદ્ધ હોય ત્યાં તેમની પાસેથી આશા રાખવી નિરર્થક છે. પંજાબમાં આર્યસમાજે અત્રત્ય અને પાશ્ચાત્ય વિચારસરણીનો સંવાદ લાવે એવી કેળવણી આપવા ‘ગુરુકુળ’ નામની સંસ્થા સ્થાપી છે અને કલકત્તાની કૉલેજો ઉપર જ્યારે સરકારી કાયદાના યમદૂતો પાશ લઈ ફરી વળવા લાગ્યા ત્યારે ‘રાષ્ટ્રીય કેળવણી’ રૂપ પાર્ષદો બંગાળની કેળવણીને ‘રાષ્ટ્રીય યુનિવર્સિટી’ રૂપી વૈકુંઠમાં લઈ જવા ઉદ્યુક્ત થયા છે. ગુરુકુળ અને રાષ્ટ્રીય શાળાઓમાં શિક્ષણથી વિદ્યાર્થીઓના જીવન – વિચાર – પ્રવાહ અમુક રીતે વહેવડાવવાનો ઉદ્દેશ છે; એટલે એ ઉદ્દેશ સાધવા આવશ્યક એવા કેટલાક વિષયોને અભ્યાસક્રમમાં સ્થાન અપાયું છે, પરંતુ આ દેશની વિવિધરંગી પ્રજાને વિવિધ પ્રકારની સંપૂર્ણ કેળવણી મળે એવી વ્યવસ્થા અથવા વિચારણા થઈ નથી.&lt;br /&gt;
ગુરુકુળની પદ્ધતિમાં ધાર્મિક અભ્યાસ મહત્ત્વનો લેખાય છે, રાષ્ટ્રીય કેળવણીમાં ઇતિહાસના અભ્યાસને એ સ્થાન અપાય છે. પરધર્મી અને પરદેશી રાજ્યકર્તા પોતાને આધીન વિવિધધર્મી પ્રજાને કેળવણી આપે ત્યારે સાંપ્રદાયિક શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન ન આપે એ વાજબી છે. આપણી નિશાળોમાં એવું શિક્ષણ અપાતું ન હોવાથી તે આપવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ગુરુકુળ જેવી અથવા આ દેશમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવા સ્થપાયેલી શાળાઓની ઘાટી ઉપર કાઢેલી સંસ્થાઓમાં ‘ધાર્મિક શિક્ષણ’ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે; જૈનોની માફક સરકારી નિશાળોમાં વ્યતીત થતા કાળ ઉપરાંત અવકાશનો જે વખત બાળકોને મળે છે તેમાં ધાર્મિક–વ્યાવહારિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે; અલીગઢની મુસલમાન કૉલેજ કે કાશીની હિંદુ કૉલેજ જેવી સંસ્થાઓમાં એક જ ધર્મના અનુયાયીઓને શિક્ષણ આપી તેમનું ધર્મતેજ ઝળહળતું રાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે યા તો હિંદુ ધર્મના સર્વ મતપંથને અનુકૂળ આવે એવાં સર્વમાન્ય તત્ત્વો હિંદુ શાસ્ત્રોમાંથી વીણી કાઢી ક્રમવાર પોથીઓ રચી શાળાઓમાં ચલાવવામાં આવે છે.&lt;br /&gt;
છેલ્લી પદ્ધતિ ‘થિયોસોફિકલ સોસાયટી’ ને લીધે પ્રચારમાં વધુ ને વધુ આવતી જાય છે. ગાયકવાડી રાજ્યમાં પણ એવો જ માર્ગ અખત્યાર કરવામાં આવ્યો છે. મુંબઈની આર્ય પ્રતિનિધિ સભા, બીલખાના આનંદાશ્રમ નિવાસી શ્રીમન્નથુરામ શર્માના શિષ્યો, દ્વારિકાના શંકરાચાર્ય આદિ તરફથી ગુજરાત-કાઠિયાવાડનાં તીર્થસ્થાનોમાં ‘ગુરુકુળ’ જેવી સંસ્થાઓ ઊભી કરવા પ્રયત્નો થાય છે. આર્યસમાજના ‘ગુરુકુળ’ માટે સારું ફંડ જમા થયું છે; મિસિસ એની બિસાંટની સૂચનાથી પારસીઓમાં પોતાની કૉલેજ સ્થાપવાનો વિચાર સ્ફૂર્યો છે; દ્વારિકાના શારદાપીઠના શિષ્યવર્ગ તરફથી નર્મદાતટે એક સંસ્થા ઊભી થઈ છે, એમ સાંભળવામાં આવ્યું છે.&lt;br /&gt;
આ બધી પ્રવૃત્તિના લાભ હશે, પણ પૃથ્વીની આગળ વધેલી અને વધતી પ્રજાઓની સાથે હરીફાઈમાં ઊતરી વિજયવંત થવા આ જાતની કેળવણી આપણને સમર્થ કરશે કે નહીં એ પ્રશ્ન તો ઊભો જ રહે છે. ધાર્મિક શિક્ષણ આપવાની સર્વે યોજનામાં ‘ધર્મના ઇતિહાસ’નું શિક્ષણ સામેલ રાખવું જોઈએ. દરેક સંપ્રદાયવાળાની પોતાના અનુયાયીઓને સંપ્રદાયના સિદ્ધાંત અને વિધિકર્મથી વાકેફ રાખવાની ફરજ છે. એ ફરજ અદા કરવા જૈનપદ્ધતિ અંગીકાર કરવી ઘટે છે.&lt;br /&gt;
ઇતિહાસનું શિક્ષણ આપણને હાલ ખાસ અગત્યનું છે; પરંતુ વેપારી અને હુન્નરબાજ ગુજરાતને એકલા એવા શિક્ષણથી પાલવે એમ નથી. સરળતાથી અને થોડા વખતમાં સમસ્ત ગુજરાતીઓને વાંચતાંલખતાં આવડે એવી કેળવણીની ઘણી જરૂર છે. વેપારી, ખેડૂત, મજૂર, સર્વેને તેની જરૂર છે. રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળે રાત્રિશાળાઓ સ્થપાઈ છે તે તેમ જ ભરૂચમાં નવાં સ્થપાતાં કારખાનાંઓમાં ઉઘાડવામાં આવેલી નિશાળો એ દિશામાં થયેલું પ્રયાણ સૂચવે છે. આ ઉપરાંત આપણે ત્યાં ધુરંધર વેપારીઓ પાકે, હોંશિયાર પ્રતિભાશાળી હુન્નરી નરો પેદા થાય; દેશી રાજ્યોની કે સરકારી અમલદારી કરી દેશોદય સાધે એવા ઉદાત્ત રાજપુરુષો કેળવાય, દેશી રાજ્યો ઉત્તમ રીતે ચલાવી પ્રજાનું સાહચર્ય મેળવી હિંદીઓમાં સ્વરાજ્ય ચલાવવાની શક્તિ કેળવે એવા ઉદાર રાજાઓ ઉત્પન્ન કરે, પ્રજાનો ધર્મ વિશુદ્ધ, પ્રખર અને ભાસ્વર રાખે એવા આચાર્યો બનાવે, આપણી લડાયક જાતોને માલિક સારુ લડવા હાલની યુદ્ધકળાથી વાકેફ કરે, આપણા ખલાસીઓને કેળવી જબરા વહાણવટી બનાવે, આપણા દેશમાં સાહિત્ય, ઇતિહાસ, ચિંતન, સાયન્સ, કળા, ધર્મ ફેલાવે–વધારે–ઘડે એવાં ચેતનનો વરસાદ વરસાવે, આપણી સ્ત્રીઓને જ્ઞાનસંપન્ન કરી તેમના જીવનમાં પ્રકાશ આણે અને આપણા દેશીઓને શરીરે અને હૃદયે આરોગ્ય, હૃષ્ટપુષ્ટ કરે એવી કેળવણીની – એવી કેળવણી વિવિધ સંસ્થા – પ્રણાલીદ્વારા મેળવવાની ખાસ અગત્ય છે. કેળવણીનાં આ વિવિધ અંગો વિશે વર્તમાનપત્રો કે માસિકોમાં ચર્ચા થતી નથી – લોકોમાં એ વિશે ભાષણો કે કથા થતી નથી; પરંતુ એ વિષય સંબંધી ચર્ચા-વિચારણા ઉત્પન્ન કરવાની ખાસ જરૂર છે.&lt;br /&gt;
આપણી માધ્યમિક કેળવણી ઘણી જ અસંતોષપ્રદ નીવડી છે. મુંબઈના હાલના ના. ગવર્નર તેમાં ફેરફાર કરવા ઉત્સુક છે. પરંતુ આપણને જે ફેરફારો જોઈએ છે – ગુજરાતને જે ફેરફારો જોઈએ છે – તેને એમની યોજનાઓમાં સ્થાન મળે તો સારું. આપણને નાનપણથી સાયન્સ અને વાણિજ્ય જ્ઞાન મેળવવાની જરૂર છે. એમણે એ વિષયોને ફક્ત કૉલેજના અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું છે. વળી કેળવણી ઉપર માબાપોના વિચારોનો જે પ્રભાવ પડવો જોઈએ તે એમની યોજનાથી પડે, એમ નથી; પાઈનું શાક લેવું હોય તો ચાર દુકાને ફરનારા લોકો કેળવણી અને ધર્મ જેવી બાબતમાં જરા પણ વિચાર કર્યા વિના ગાડરીયા પ્રવાહની માફક ચાલ્યા જાય એ શું?&lt;br /&gt;
પ્રાથમિક કેળવણીનો સર્વત્ર ફેલાવો થવાની અગત્ય વિશે આગળ ઉપર કહી ગયા છીએ. કાઠિયાવાડનાં દેશી રાજ્યોમાં ઘણે સ્થળે પ્રાથમિક શિક્ષણ મફત આપવાની ઉદારતા બતાવાઈ છે – જૂજ આવતી ઊપજ બંધ કરી પ્રતિષ્ઠા મેળવાઈ છે. પરંતુ તેના ફેલાવા માટે, તેને સંગીન બનાવવા માટે, રૈયતમાંના દરેક જણને પોતાને અનુકૂળ કેળવણી મળી શકે એવી સહેજ પણ પ્રવૃત્તિ એમની તરફથી થઈ નથી. અસલ જેમ મંદિરોને અને બ્રાહ્મણોને ગરાસ અપાતા તેમ જો કેળવણીખાતાને ગરાસ આપી ઊપજ-ખર્ચની બાબતમાં સ્વતંત્ર બનાવવામાં આવે તો દેશી રાજ્યોમાં કેળવણી સારો જ પ્રતાપ બતાવે.&lt;br /&gt;
પ્રાથમિક કેળવણી મફત અને ફરજિયાત કરવાની માગણી સરકારને વારંવાર કરવામાં આવે છે, પણ એ માગણી ઉપર ધ્યાન અપાયું નથી. મુંબઈ બેટમાં એવી યોજના કરવા માટે નિમાયેલી કમિટીએ ઉક્ત માગણીની વિરુદ્ધ રિપોર્ટ કર્યો છે. ભાવનગરના દીવાન રા. રા. પ્રભાશંકર દ. પટણીએ અને મુંબઈની ‘મ્યુનિસિપલ‘ નિશાળોના ઉપરી મિ. વેલીનકરે પણ એ માગણી અવાસ્તવિક છે એમ બતાવ્યું હતું. કેળવણીનો વિસ્તાર કરતા આગમચ તેને સંગીન બનાવો એવું કહેવામાં આવે છે તે માન્ય છે; પરંતુ બન્ને સાથે સાથે થઈ શકે અથવા અમુક સ્થળે સંગીનપણા પર વધારે ધ્યાન અપાય અને બીજે બધે જ્ઞાનપ્રસારણ ઉપર લક્ષ અપાય એવું પણ બની શકે. સરકાર ઉપર જ આધાર રાખી બેસી ન રહેતાં ધનાઢ્યો, રાજાઓ, આચાર્યો, ન્યાતો વગેરે તરફથી લોકોને વાંચતાં લખતાં આવડે એવું કરવાનું કામ ઉપાડી લેવામાં આવે તો ઘણું સારું. બ્રાહ્મણો, સંન્યાસીઓ, બાવાઓ વગેરે નિરૂદ્યમી —દુરાચરણી લોકોનું પૂરું કરવા પાછળ દાનને નામે વપરાતો પૈસો સરસ્વતીદેવીનાં મંદિરો સ્થાપી નિભાવવામાં ખર્ચાવાની જરૂર છે.&lt;br /&gt;
સ્ત્રીકેળવણી સંબંધી પણ લોકોની આંખ ઊઘડી છે અને દિન પર દિન તેનો વધારો થતો જાય છે. શહેરો અને ગામડામાં લોકમત ઘણો જ એની તરફેણમાં વળતો જાય છે, અને ગામડામાં છોકરા-છોકરીઓ હારે રહી ભણે છે. વડોદરા રાજ્ય તરફથી તેમ જ સરકાર તરફથી કન્યાવાંચનમાળા પ્રસિદ્ધ કરવામાં આવી છે, અને એ રીતે બાલકબાલિકાઓના શિક્ષણપ્રવાહ છૂટા પાડ્યા છે. પરંતુ આ વાંચનમાળા આજની આપણી વૃત્તિઓને રુચે એવી નથી. હોપની દેખરેખ નીચે લખાયેલી વાંચનમાળામાં આપણને જૂઠા ગણી સાચું બોલવાનો અને પ્રામાણિકતાથી વર્તવાનો ઠેર ઠેર ઉપદેશ અપાયો હતો તેમ આ નવી કન્યાવાંચનમાળામાં પણ નીતિના ઉપદેશને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ઉપદેશભર્યા પાઠો જીવન પ્રફુલ્લ કરે એવા નથી; વખતે બાળી નાંખે એવા છે. ગૃહ્યકલા સંબંધીનું જે તત્ત્વ ઉમેરવામાં આવ્યું છે તે આ વાંચનમાળાનો એક શુભ અંશ છે. અમદાવાદની સ્ત્રી-શિક્ષકશાળા (Female Training College)નો અભ્યાસક્રમ પણ સુધારવામાં આવ્યો છે.&lt;br /&gt;
અમદાવાદનું ‘ઉદ્બોધન’ પત્ર નવી કન્યાવાંચનમાળા તૈયાર કરાવવા તત્પર થયું છે. મુંબઈના ‘સેવાસદન’ અને ‘ચંદા રામજી હિંદુ કન્યા વિદ્યાલય,’ સુરતના ‘વનિતાવિશ્રામ,’ રાજકોટની ‘હિંદુ કન્યાશાળા’ આદિ સંસ્થાઓને અંગે સ્ત્રીકેળવણીના અભ્યાસ – અને અભ્યાસગ્રંથો સંબંધી ઘણું કામ થવાની વકી છે. બાળકીઓને ઊંચું અને સંગીન શિક્ષણ આપવાને, તેમ પ્રૌઢ સ્ત્રીઓને જ્ઞાનસંપન્ન કરવા – કેળવવા – આ રીતે ગુજરાતમાં પ્રયાસો થતા જાય છે. સ્ત્રીઓ પણ જાતે આગળ પડી પોતાની બહેનોને કેળવવા ઉદ્યુક્ત થતી જાય છે. તોપણ હજુ સ્ત્રી-શિક્ષકોની ઘણી ખોટ છે અને તેથી સ્ત્રીકેળવણીનો ઘણો મંદ ફેલાવો થાય છે. અનાથ વિધવા સ્ત્રીઓને ભરણપોષણ મેળવવા સમર્થ કરે એવા હુન્નરો શીખવવાના પણ પ્રયાસો ચાલે છે. વડોદરામાં બંધુમંડળના સંમેલન પ્રસંગે એ નગર સારુ આવી યોજના ઉપસ્થિત કરવામાં આવી હતી. જૈન સંઘની વસ્તી જ્યાં જ્યાં મોટા જથ્થામાં છે ત્યાં ત્યાં પણ આવાં જ શુભ પગલાં લેવાયાં છે. ગયે વર્ષે ભાવનગરમાં એ લોકો તરફથી સારા દ્રવ્યસંચયથી એક શ્રાવિકાશાળા કાઢવામાં આવી છે. અમદાવાદમાં પણ શ્રાવિકાશાળાઓ ચાલે છે. એ કોમમાં સારી જાગૃતિ આવી છે. બીજાં નગરોમાં પણ બીજી ન્યાતો તરફથી એ દિશામાં પ્રગતિ થતી જાય છે.&lt;br /&gt;
પરંતુ એ બધાંથી લોકોને સંતોષ નથી થયો. જીવન પ્રફુલ્લ કરે, આપણા દેશમાં જાગેલાં નવાં ચેતનને જીવનમાં સંચી દેશ — જનસેવા માટે સમર્થ કરે એવી કેળવણી સ્ત્રીઓને આપવા ચળવળ ચાલે છે.&lt;br /&gt;
પરંતુ આ રીતે ઉપસ્થિત થયેલી સ્ત્રીકેળવણીની યોજનામાં સંસ્કૃતને અતિ મહત્ત્વનું લેખી વૃથા કાલક્ષેપ અને શક્તિવ્યય કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ધાર્મિક ગ્રંથો શીખવવામાં આવે તો શિક્ષણ સંગીન નીવડવા અને આચરણો સંસ્કારી થવા વધારે સંભવ છે. જેમને અવકાશ હોય – સારી કેળવણી ગુજરાતી ભાષા મારફત લીધી હોય અને રુચિ હોય તેમને સંસ્કૃત શીખવવાની બેલાશક જોગવાઈ કરી આપવી. ઇતિહાસ, ભૂગોળ જે વિષયો શીખવવાની હાલ આપણે ખાસ અગત્ય છે તે નિરર્થક ગણવામાં આવે છે, એટલે રાજકીય પ્રવૃત્તિને એથી ધોકો પહોંચવા સંભવ છે, માટે દેશપ્રેમીઓએ એ વિષયો ખાસ રસિકતાથી આનંદ મળે એવી રીતે શીખવાય એવો બંદોબસ્ત કરવો જોઈએ.&lt;br /&gt;
સ્ત્રીકેળવણી વિશે લખાય છે ઘણું પણ હવે જે કરવું જોઈએ તે બહુ થતું નથી. નિશાળો સ્થાપવી જોઈએ, સ્ત્રી-શિક્ષકો તૈયાર કરવાં જોઈએ, અને નાના પ્રકારની અભ્યાસપોથીઓ પ્રકટ કરવી જોઈએ વગેરે બાબતો પર લક્ષ આપવાની જ ઘણી જરૂર છે. એમને સારુ માસિકો, વર્તમાનપત્રો, ગ્રંથો પ્રકાશવાની – ભાષણો, કથા કરાવવાની પણ એટલી જ જરૂર છે. એમને વિનોદવ્યાયામ મળે એવી સંસ્થાઓ સ્થાપવાની પણ એટલી જ આવશ્યકતા છે. મુંબઈમાં સન્નારીઓ સારુ ‘જીમખાના’ સ્થપાયું છે. ગુજરાતમાં એમને માટે ‘સુંદરીસુબોધ’ અને ‘સ્ત્રીબોધ’ નામનાં બે માસિક નીકળે છે. એ બંને આપણી સ્ત્રીઓનાં જીવનને આનંદમય કરે છે; પરંતુ હજુ બંનેમાં વિકાસને અવકાશ છે, અને એવાં બીજાં માસિકોની જરૂર છે.&lt;br /&gt;
આવી રીતે થયેલી જાગૃતિને લીધે સ્ત્રીઓની ઉન્નતિ થતી જાય છે. તેઓમાં પણ જાગૃતિ આવી છે. ‘સેવાસદન’, ‘વનિતાવિશ્રામ’ જેવી સંસ્થાઓ એમને માટે અને એમના વડે અસ્તિત્વમાં આવી છે. દાદાભાઈ જયંતી ઊજવવામાં અગ્રેસર મુંબઈની સન્નારીઓ ‘પૈસાફંડ’ માટે સ્વયંસેવિકાઓ થઈ છે.&lt;br /&gt;
મુંબઈનું ‘ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળ’ પણ સારું કામ કરે છે. દી.બ. અંબાલાલ અને રા. નાનાલાલ કવિએ એ મંડળમાં ગયે વર્ષે કરેલાં ભાષણો ઉત્તમ હતાં.&lt;br /&gt;
કેળવણી, લગ્ન, નારીપ્રતિષ્ઠા આદિ પ્રશ્નો નિરાકરણ લાવવા તેમજ પરદેશગમન આદિ સાંસારિક બંધનો દૂર કરવા તથા નીતિ ઉન્નત કરવા અર્થે કમી કરવા ન્યાતોની પરિષદ ભરાય છે. આ પરિષદોમાંથી હજુ કાંઈ પણ પરિણામ નીપજ્યું નથી ખરું, પણ એથી ગામેગામ ચેતન પ્રસરે છે અને યુગયુગની ઊંઘ ઊડી જાય છે. આર્થિક બળોને લીધે લગ્નની વય વધતી જાય છે, સ્ત્રીકેળવણી ફેલાતી જાય છે. ગાયકવાડ સરકારનો ‘બાલવિવાહ પ્રતિબંધક કાયદો’ પણ શુભ પરિણામી નીવડ્યો છે. વળી હિંદુ વ્યવહારશાસ્ત્રને પદ્ધતિસર ધારારૂપે (Codification of Hindu Law) ઘડવાનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આથી કૌટુંબિક અને દાંપત્યજીવનના સંબંધોમાં આર્થિક અને નૈતિક છૂટ જોઈતા પ્રમાણમાં મળી શકશે. જ્યારે હિંદના બીજા પ્રાંતો રાજકીય પ્રવૃત્તિમાં જ ઘૂમે છે ત્યારે ગુજરાત સંસાર અને ઘરનાં પ્રશ્નો વિચારી – નિરૂપી પોતાનું પ્રજાજીવન મજબૂત બનાવવામાં રત છે. ન્યાતોના મેળાવડા, ફંડો, માસિકો, આપણા સાહિત્યનું સ્વરૂપ, (આ વિશે આગળ વધુ કહેવામાં આવશે,) આપણાં અગ્રેસરોનાં વર્તનો વગેરે ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણાં સંસારગૃહ ઉન્નત કરવા તરફ આપણું લક્ષ છે.&lt;br /&gt;
ગુજરાતમાં ન્યાતોની પરિષદ મળે છે તેમના હેવાલ એકઠા કરવામાં આવે તો સંસારસુધારકને અને સમાજશાસ્ત્રીને એથી લાભ થાય એમ છે. પાશ્ચાત્ય શિક્ષણ, રાજ્ય અને આર્થિક સંવ્યવસ્થાના જે આઘાત આપણા પુરાણા રાફડા ઉપર થવા માંડ્યા છે. તેમના સામા આત્મસંરક્ષણની વૃત્તિના પ્રેર્યા ગુજરાતીઓ આ બધી ચળવળમાં પડ્યા છે. હાલમાં તેથી નાતોનું જોર વધતું લાગશે, પણ સાથે સાથે ઉદારતા પણ તેમના બંધારણમાં પેસશે જ અને ભવિષ્યમાં તેથી લાભ છે.&lt;br /&gt;
મુંબઈના કાયસ્થ સૉલિસિટર મિ. દફતરીએ ન્યાતોના ભેદભાવ દૂર કરી એકત્ર થવાની એક યોજના પ્રકટ કરી હતી. હરકિશનલાલના જેવી જ એ યોજના છે.&lt;br /&gt;
પહેરવેશ, ભોજન, આચારવિચાર, ભાવનાઓમાં સપાટાબંધ ફેરફારો થતા જાય છે. નારીપ્રતિષ્ઠા ઉન્નત કરવા પ્રયાસો અને ઉપદેશો થાય છે. મુંબઈમાં આ દિશામાંથી થતી પ્રવૃત્તિઓની અસર ગુજરાતમાં થાય છે તેમ અમદાવાદની ‘બંધુસમાજ’નાં લખાણોથી પણ એ અસર સબળ બને છે.&lt;br /&gt;
ગુજરાતની નીતિ ઊંચી થતી જાય છે કે કેમ એ ગુનાઓના રિપોર્ટો પરથી, કોર્ટોમાં ચાલતા કેસો ઉપરથી જણાય ખરું. ઉપરાંત દેશની જાહેર નીતિ(Public morality) પ્રગતિમાન છે કે કેમ તે પણ મીમાંસા કરવા જેવો વિષય છે. આ પ્રદેશમાં કોઈ ગુજરાતી વિચરશે અને અન્વેષણ કરશે તો જાણવાનું મળશે ખરું.&lt;br /&gt;
સ્વદેશીની હાકલો દેશમાં વાગે છે અને ખૂણેખૂણામાં સંભળાય છે. આ હાકલોની નૈતિક અસરો થતી હશે અને થવાની. ભવિષ્યમાં નીતિશાસ્ત્રીને એ પ્રશ્ન વિચારવો પડશે.&lt;br /&gt;
દેશમાં જે જે ભાવનાઓ અને તદનુસાર પ્રવૃત્તિઓ ઘૂમી રહી હોય તેમનું તાત્ત્વિક (metaphysical) અને નૈતિક (ethical) સ્વરૂપ ચિંતવવાની ખાસ આવશ્યકતા હોય છે. માટે જ હાલ આપણને એવા એક ચિંતકની જરૂર જણાય છે.&lt;br /&gt;
દરેક પ્રજાને પોતાના આદર્શો હોય છે – કાળે કાળે આદર્શો બદલાય છે પણ ખરા. એક વખત હિંદુસ્તાનમાં જીવનમુક્તનો આદર્શ લોકોમાં પુજાતો હતો. ગોવર્ધનરામે પણ એ જ આદર્શ ફરીથી ‘સરસ્વતીચંદ્ર’માં ઉપદેશ્યો છે. એ આદર્શ ચાલુ હતો એવામાં અર્હંત અને બોધિસત્વના આદર્શો જન્મ્યા. ત્યારપછી જીવનમુક્ત આદર્શ પાછો પુનર્જીવિત કરવામાં આવેલો, અને મુસલમાની સામ્રાજ્ય દરમ્યાન ભક્તનો આદર્શ જન્મ્યો. આજે આ બધા આદર્શો તદ્દન નષ્ટ નથી થયા, પરંતુ એમના મૂળ સ્વચ્છ—ઉગ્ર—પવિત્ર સ્વરૂપમાં તો નથી જ રહ્યા. હવે દેશમાં નવો આદર્શ ઉત્પન્ન થતો જાય છે. આ આદર્શ તે દેશવીરનો (patriot) છે. એ આદર્શમાં જીવનમુક્ત, બોધિસત્ત્વ અને ભક્ત એ ત્રણેના આદર્શો ભળી જશે. આમ બદલાતા આદર્શોના પરિણામ વિચારનાર ને ગુજરાતને સમજાવનાર કોઈ નહીં નીકળી આવે?&lt;br /&gt;
આ લેખ તવારીખ નથી પરંતુ હકીકતોની ખબર જેવો છે, એટલે દેશમાં ચાલતી રાજકીય, સાંસારિક, ધાર્મિક, આર્થિક પ્રવૃત્તિઓનો સાર કહેવાનું સાહસ વહોરવામાં નહીં આવે.&lt;br /&gt;
હવે આ લેખના મૂળ ઉદ્દેશ – સાહિત્યના સિંહાવલોકન પર આવીએ. પ્રથમ ક્રમિક પત્રોના અહેવાલ ઠીક પડશે, કારણ કે એમનાથી સાહિત્યને પોષણ તથા ઉત્તેજન સારું મળે છે.&lt;br /&gt;
માનવસૃષ્ટિમાં જન્મમરણ છે તેમ આ પત્રોની સૃષ્ટિમાં પણ બને છે. કેટલાં પત્રો ગયા વર્ષમાં મરણ પામ્યાં તે તો ચિત્રગુપ્તના ચોપડા સિવાય બીજેથી જાણી શકાય એમ નથી. છતાં જ્યોતિ, સાહિત્ય અને વાર્તા, સ્વદેશહિત, આર્યધર્મસુધા, વલસાડવર્તમાન(ઉર્ફે ગુર્જરગર્જના) આદિ અવસાન પામ્યાં એવું જણાયું છે. આ સ્થળે રા. રા. મૂળજી દુર્લભજી વેદ તરફથી નીકળવાના ‘એશિયા’ પત્રની નોંધ લેવી જોઈએ. રા. મૂળજીભાઈ દેશપ્રેમી, ઉદાત્ત ભાવનાભર્યા છે. એ દૈનિક પત્ર કાઢવામાં એમને ઊંચો અભિલાષ હતો. પરંતુ સરકારે જે સખત કાયદાઓ ગયે વર્ષે પસાર કર્યા તેને લીધે એમણે ધાર્યું હતું તેવી રીતે શેરોથી જોઈન્ટ સ્ટોક કંપની મારફત એ પત્ર ચલાવવું સંભવિત ન રહેવાથી એ અભિલાષ પડતો મુકાયો છે. તેમ સ્વદેશધર્મ, પટેલબંધુ, શિક્ષક, મોઢ બ્રાહ્મણ શુભેચ્છક, નાગર, અનાવિલ, ગર્જના, ચંડિકા, મેઘનાદ, ગદ્યપદ્યસંગ્રહ આદિ જન્મ્યાં પણ છે. &lt;br /&gt;
ચાલુ માસિકોમાં અનિયમિત ઘણાં ચાલે છે. ભારતજીવન અને જ્ઞાનસુધાનું દીર્ઘસૂત્રીપણું તો જાણીતું છે. જ્ઞાનસુધા આ સાલથી નિયમિત થવા તત્પર થયું છે. નવા અંકો જોતાં તે એક પંથના વાજિંત્ર કરતાં સાહિત્યનું ઉદાર માસિક થયું હોય એમ લાગે છે. ઉદાર તો એ માસિક ઘણાં વર્ષ ઉપરનું છે. એક વેળા ‘સુદર્શન’ ઉપર ખ્રિસ્તના ઉપદેશથી ભરેલાં દીન નામના લેખકનાં રચેલાં ત્રણ કાવ્યો મોકલવામાં આવ્યાં હતાં. એ વખતમાં એવાં જ ગીતો કાન્ત તરફથી એ જ માસિકમાં પ્રગટ થયાં હતાં. એટલે સુદર્શનકારે કાન્તને પુછાવ્યું કે ઉક્ત ગીતો તમારાં છે? તેમની ના આવી એટલે તે કાવ્યો એમણે પ્રસિદ્ધ ન કર્યાં, પણ એ કાવ્યો સાથે એક પ્રેમકાવ્ય હતું તે એમણે પ્રસિદ્ધ કર્યું. કાવ્યો સુદર્શનકારે પ્રગટ ન કર્યાં એટલે ત્રણમાંનું ‘બાળકો’ નામનું કાવ્ય જ્ઞાનસુધા અને સાહિત્ય ઉપર મોકલવામાં આવ્યું અને એ બન્ને માસિકોએ ઉદારતાથી તે છાપ્યું. સરસ્વતીદેવીની પૂજા કરતાં ધર્મ કે પંથ જોવાતાં હશે? કાવ્ય લખવાનો અધિકાર ફક્ત હિંદુઓને જ આપ્યો નહીં હોય. મુસલમાન, ઝરથોસ્તી કે ખ્રિસ્તીઓ આપણું સાહિત્ય અલંકૃત અને સમૃદ્ધ કરે એવાં અનુપમ કાવ્યો પોતાના ધર્મના સિદ્ધાંતોથી ભરેલાં રચે તો તેનો અનાદર શા માટે કરવો? આનંદની વાત છે કે આવી ભાવના હવે દૂર થતી જાય છે. પૂર્વ-પશ્ચિમના નિકટ થતા જતા સંબંધોથી અત્રત્ય સમાજની પ્રગતિ ખાતર પાશ્ચાત્ય ભાવનાઓનું આપણા દેશને અનુકૂળ સ્વરૂપ કરી લોકોમાં પ્રસરાવાય છે. Progress by fiction, અને અગસ્ત્યના સમુદ્રાચમન વિશે ગોવર્ધનરામ વારંવાર કહેતા એટલે એ રીતે ચાલતી પ્રગતિ ગુજરાતને સમજવી મુશ્કેલ નથી.&lt;br /&gt;
રાજકીય આગેવાનોમાં પડેલાં પક્ષથી સાપ્તાહિકોમાં પણ બે પક્ષ પડ્યા છે. મુંબઈના ગુજરાતીનો ઉદ્દામ ઝોક વિનીત થયો છે. શક્તિ, ગુજરાત, ગર્જના આદિ ઉદ્દામપક્ષી છે. Extremists અને Moderatesને બદલે હવે Nationalists અને Constitutionalists અભિધાન પ્રચારમાં આવતાં જાય છે. માટે તેમના અર્થસૂચક ગુજરાતી શબ્દો યોજવા જોઈએ. વસંતકારના યોજેલા ઉદ્દામ અને વિનીત શબ્દો ગુજરાતીને લીધે વધારે પ્રચારમાં આવ્યા અને એ રીતે સાક્ષરતાનો પ્રભાવ વર્તમાનપત્રોની ભાષા ઉપર અંકાયો. આપણે ત્યાં નવનવા ઊઠતા વિચારો માટે શબ્દ યોજી આપનાર વિદ્વાન જૂજ હોવાથી અને છે તેમનો વર્તમાનપત્ર સાથે સંબંધ ન હોવાથી કાં તો અંગ્રેજી શબ્દો જ (કૉક્સ, બૉયકોટ, પ્રૉટેસ્ટ વગેરે) વપરાય છે અથવા બંગાળ કે મહારાષ્ટ્રમાં યોજાયેલા સંસ્કૃત કે દેશજ(બહિષ્કાર, નિષેધ, મવાળ વગેરે) શબ્દો ગુજરાતીમાં વપરાતા થઈ જાય છે. શબ્દો બનાવવામાં આપણા વિદ્વાનો સંસ્કૃત પર જ નજર નાંખે છે, દેશજ — તળપદા શબ્દો કે ફારસી શબ્દોની શુદ્ધ (?) બ્રાહ્મણની માફક અવગણના કરે છે.&lt;br /&gt;
‘ગુજરાતી’ના તંત્રીમંડળમાંથી દુર્ગારામ મહેતાજીના પુત્ર રા. ગુલાબરાય નિવૃત્ત થયા છે, અને એ મંડળમાં આ વર્ષથી રા. અંબાલાલ બુલાખીરામ જાની નિમાયા છે. ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના તંત્રીપદ ઉપર લલિત ગયા છે. ‘ઉદ્બોધન’નું તંત્રીમંડળ પણ બદલાયું છે. એના લેખકો લગભગ બધા ઊછરતા યુવાનો છે. એ માસિકના દિશાવલોકન જુદા જુદા આસામીઓ પાસે લખાવવામાં આવે છે. એમાં ગયે વર્ષે ‘તુર્કસ્તાનમાં પાર્લામેન્ટ’ અને ‘હિન્દીઓનો પરદેશ નિવાસ’ એ બે સારા લેખ આવ્યા હતા. રાજ્ય અને સંસારના મહાપ્રશ્નો વિશે સ્વતંત્ર સરળ લેખ લખાવી અથવા તરજુમા કરાવી લોકમત કેળવવો એ આ પત્રનો ઉદ્દેશ છે. એના ટૂંક જીવનમાં એણે જે ‘ઝલક’ બતાવી છે તે ઉપરથી એનું ભવિષ્ય આશાભર્યું અને ઉજમાળું લાગે છે. એ માસિકમાં જ અંત્યજ વર્ગના ઉદ્ધાર માટે લેખ આવ્યો હતો એ શું સૂચવે છે? સંસારસુધારાનાં વાજિંત્રો સિવાયના પત્રમાં આવો લેખ આવે એ, દેશમાં સ્ફૂરતી ઉદારતાનું પરિણામ નથી લાગતું?&lt;br /&gt;
માસિકોનાં કદ વધ્યાં છે. હિન્દી ગ્રાફિક સિવાય સર્વાંગ સચિત્ર માસિક ગુજરાતમાં નીકળતું નથી. જ્યોતિકારને પ્લેગે ગ્રસી લીધા ન હોત તો સર્વાંગસુંદર અને લલિત તથા સચિત્ર માસિક મેળવવા ગુજરાત કદાચ ભાગ્યશાળી થયું હોત. શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીની સહાયથી ‘સમાલોચક’ સચિત્ર પ્રગટ થાય છે.&lt;br /&gt;
છેલ્લાં થોડાં વર્ષોમાં આપણાં માસિકોમાં મોટો ફેરફાર થતો જાય છે. એક વ્યક્તિનાં માસિકો — પ્રો. મણિલાલનું સુદર્શન, ડો. ધ્રુવનું ચંદ્ર, કે રા. રમણ- ભાઈનું જ્ઞાનસુધા જેવાં માસિકોનો યુગ જતો જાય છે અને આપણાં માસિકોમાં autocracy કે oligarchyને બદલે democracyની સત્તા વધતી જતી લાગે છે. માસિકના તંત્રીઓ આચાર્ય થવા ઇંતેજાર નથી; તે ફક્ત આમંત્રણ કરી લેખ એકઠા કરનાર અને વાંચનારાઓને પહોંચાડનાર છે; વિચારવિનોદના લાવલઈજા કરનારા છે. ઘણા તંત્રીઓ તો મહિનાના મહિના સુધી પોતાના માસિકમાં એક આંકડો પણ લખતા નથી.&lt;br /&gt;
માસિકોનું વલણ પ્રજાસત્તાક થવાથી નાના પ્રકારના લેખોને સ્થાન મળવા માંડ્યું છે. સાયન્સ અને હુન્નરઉદ્યોગના લેખો આદરપૂર્વક સ્વીકારવામાં આવે છે. શિષ્ઠ માસિકો પારસી બોલીમાં લખાયેલા સારા લેખો છાપતાં અચકાતા નથી એ સારી વાત છે.&lt;br /&gt;
કેટલાંક પારસી, મુસલમાન અને હિંદુ માસિકો વાંચકો વખત ગાળવા લે છે અને એમની અંદરનો માલ પણ એવા ગ્રાહકોને રૂચે તેવો જ હોય છે. નાતોનાં, પંથનાં અને સંસ્થાઓનાં માસિકો પણ ઘણાં નીકળે છે. નાતોનાં ઘણાંખરાં માસિક નિર્માલ્ય છે. બ્રહ્મક્ષત્રિય ત્રિમાસિક અમને એ બધામાં સારું લાગે છે. નાતોને લગતા સંસાર, અર્થ, આદિના પ્રશ્નો સબળતાથી અને વિદ્વત્તાથી એમાં ચર્ચાય છે. એ માસિકમાં આવતાં કેટલાંક લખાણો સમસ્ત ગુજરાતને વાંચવા જેવાં છે; પરંતુ તે જ્ઞાતિ સિવાય બીજાઓને અપાતું ન હોવાથી તેનો લાભ માત્ર તે જ્ઞાતિના વાચકો સિવાય બીજાઓને મળતો નથી. કાઠિયાવાડનું ત્રિમાસિક અને અમદાવાદનું નાગર, નાગર કોમનાં પત્રો છે. બ્રાહ્મણોને માટે, વૈશ્યોને માટે પણ માસિકો પ્રગટ થાય છે, પણ તેઓમાં જોઈએ તેવો દમ નથી. ક્ષત્રિયો માટે, રાજસ્થાન આદિ પ્રદેશોમાં માસિકો નીકળે છે તેવાં અહીં નથી નીકળતાં.&lt;br /&gt;
પંથોનાં માસિકોમાં વૈષ્ણવોનાં માસિકો ઘણાં નીકળે છે. શ્રેયઃસાધકો તરફથી મહાકાલ, પ્રાતઃકાલ, યમદંડ અને ધર્મધ્વજ પ્રગટ થાય છે. ભક્ત, યોગેંદ્ર, આદિ માસિકો એ મંડળ તરફથી નહીં પરંતુ એ મંડળના અનુયાયીઓ તરફથી કઢાય છે. થિયોસોફી, પ્રાર્થનાસમાજ, આર્યસમાજ, સનાતન ધર્મ મહામંડળ (જેનું આર્યધર્મ સુદ્ધાં વાજિંત્ર હતું) વગેરે વગેરેનાં વાજિંત્રો વિશે ઉલ્લેખ થઈ ગયો છે.&lt;br /&gt;
કેળવણીનાં ત્રણ માસિકો નીકળે છે. એક અંગ્રેજ સરકારનું, બીજું ગાયકવાડી રાજ્યનું અને ત્રીજું કડી પ્રાંત પંચાયતનું વાજિંત્ર છે. ગુજરાત શાળાપત્રમાં ઇતિહાસ, પ્રાકૃત, કાવ્યશાસ્ત્ર આદિને સારૂં સ્થાન અપાય છે. આ ત્રણેમાં તેજ કે ઉષ્મા નથી. પરંપરાથી ચાલ્યો આવતો ચીલો ચાલ્યો જાય છે. દેશને માટે સ્વતંત્ર કેળવણીના પ્રશ્ન ચર્ચાવતા માસિકની અતીવ આવશ્યકતા છે. ‘શિક્ષક‘ની પ્રગતિ ચાલુ રહેશે તો રસકસ વગરના થઈ પડેલા પોતાના કર્તવ્યક્ષેત્રમાં રસકસ પૂરવા તે કેટલેક અંશે શક્તિમાન થશે એવી આશા બંધાય છે.&lt;br /&gt;
વૈદકનાં બે-ત્રણ માસિકો નીકળે છે. શ્રેયઃસાધકો પણ એ વિષય પરત્વે ઘણું ધ્યાન આપે છે. ડૉ. જમનાદાસે આ માસિકમાં કેટલાક લેખ લખ્યા હતા, અને પોતે જે રોગોપચારની પદ્ધતિને અનુસરે છે તેને લોકપ્રિય કરવા સાપ્તાહિક— માસિકોમાં કલમ કસ્યા જાય છે.&lt;br /&gt;
મુંબઈમાં પારસીઓની પોતાની ઇસ્પિતાલ થઈ તે પ્રમાણે હિંદુઓની પોતાની ઇસ્પિતાલ કરવા ગયે વર્ષે લગભગ આઠ લાખ રૂપિયા કે તેથી વધારે ધર્માદા મળ્યા હતા.&lt;br /&gt;
વેપારીઓ, ધંધાદારીઓ, કારીગરો વગેરે માટે આપણે ત્યાં માસિકો નીકળતાં નથી. ઇંડિયન ટેક્ષ્ટાઈલ જર્નલ મિલઉદ્યોગના સંબંધમાં ઠીક નીકળે છે. બાકી પ્રો. ગજ્જરના રંગરસરહસ્ય જેવા માસિકની ખોટ હજુ પુરાઈ નથી. કલાભવનના શિક્ષકો તરફથી બે ત્રણ વાર એવું માસિક કાઢવા જાહેરખબરો પ્રસિદ્ધ કરવામાં આવેલી પણ માસિક નીકળેલાં નહીં. મુંબઈમાં હુન્નરસાગરની ઢબ ઉપર વિદ્યાકલાનિધિ નામનું માસિક ચલાવવામાં આવશે એવી જાહેરખબર જોવામાં આવી હતી, પણ માસિક નીકળ્યું જાણમાં નથી.&lt;br /&gt;
મુંબઈના દેશી વેપારીઓનાં મહાજન (Indian Merchants’ Chambers) તરફથી નવું માસિક નીકળવા માંડ્યું છે. એમાં આંકડાઓ અને માહિતી આપવામાં આવે છે; વેપારીઓને લગતા પ્રશ્નો ચર્ચવામાં નથી આવતા. આવી ચર્ચા કરવા આવી ગયેલા પ્રો. લીઝ સ્મિથનાં ભાષણોથી તેમ જ થોડા દિવસ ઉપર સ્થપાયેલા The Statistical Society of Western India નામના મંડળથી એ દિશામાં ઝલક આવવાની વકી છે.&lt;br /&gt;
ગપસપ જેવું વિનોદી પત્ર એક જ છે. હિંદીપંચના લેખોમાં સાહિત્ય દૃષ્ટિએ વિકાસ થતો જણાય છે. સ્ત્રીઓને માટે ફક્ત સુન્દરીસુબોધ અને સ્ત્રીબોધ સિવાય બીજાં પત્રો નથી. બાળકો માટે તો એકે પત્ર છે જ નહીં. પૂણામાં ખાસ બાળકો માટે જ નીકળતા ‘आनंद’ જેવા માસિકની ઘણી જ આવશ્યકતા છે.&lt;br /&gt;
ગયે વર્ષે નડિયાદમાં ગુજરાતી ભાષાના આધુનિક સ્વરૂપ વિશે રા. રા. કેશવ હર્ષદ ધ્રુવના પ્રમુખપદ નીચે ચર્ચા કરવામાં આવી હતી. એ ચર્ચા સમાલોચકમાં છપાઈ છે.&lt;br /&gt;
માસિકોમાં નવા યુવાન લેખકોનાં લખાણ વધતાં જાય છે અને તંત્રીઓ ઉદારતાથી તેમને સત્કારતા જાય છે એ આનંદની વાત છે. આપણું માસિક-સાહિત્ય ઘણું મહત્ત્વનું છે. એને લીધે ઘણા લેખકો જન્મી પોષાયા છે, એમને લીધે નવા વિચાર ફેલાયા છે — ફેલાવાય છે; જૂના સંરક્ષાય છે. માસિકોના તંત્રીઓના હાથમાં અમૂલ્ય પ્રસંગ અને તેમની સેવામાં ગુજરાતનું યૌવન આવી ઊભું રહે છે. દેશના અને જનસમાજના હિતને માટે એ પ્રસંગો વાપરવાની અને પોતાને સોંપાયેલા યૌવનને સુમાર્ગે ચઢાવી તેમની શક્તિનો દેશહિત અર્થે ઉપયોગ કરવાની જોખમદારી તેમને માથે છે. લખવાના કેફી વ્યસનથી યુવાન લેખકો ખુવાર થાય છે માટે તંત્રીઓએ પોતાના યુવાન લેખકોની વત્સલ ચિંતા રાખવી જોઈએ.&lt;br /&gt;
લિપિની ઝુંબેશ સારૂં વર્ષ ચાલી હતી. પહેલી સાહિત્ય પરિષદ ભરાયા પછી મુંબઈ સમાચારે ગુજરાતી લિપિનો પક્ષ લીધો હતો. એ પક્ષને રા. નરસિંહરાવે ગયે વર્ષે વધારે સબળ કરવા પ્રયત્ન કર્યો હતો. એમની દલીલો વાજબી છે અને સ્વીકારવા જેવી છે, પરંતુ દેશમૈયાના આરાધનમાં લિપિનો ત્યાગ કરવો એ મહત્વનું દુઃખ લાગતું નથી, એટલે નાગરી લિપિનું ભાગ્ય અમને તો ઊજળું લાગે છે. ગયા વર્ષમાં એ લિપિનો પગપેસારો વધતો ગયો છે. બેશક રા. નરસિંહરાવના લેખથી એને ખમવું તો પડશે જ.&lt;br /&gt;
વ્યાકરણ અને શબ્દશુદ્ધિ પરત્વે રા. નરસિંહરાવ ઘણાં વર્ષથી પોકાર ઉઠાવ્યા જાય છે. જોડણી માટે વર્ષો પર્યંત ચલાવેલી ઝપાઝપી સફળ નીવડતી લાગે છે. વ્યાકરણના પ્રશ્નોની એમની ચર્ચા વાસ્તવિક લાગતી હોવાથી એનું ભવિષ્ય પણ સારું જ આવશે. રા. કમળાશંકર આદિ સાથે થતા વિવાદ ઉપરાંત કેટલાક લેખોની ભાષા ઉપર એમણે વખતોવખત પ્રહાર કર્યા છે. પરંતુ એમના લક્ષમાં નીચેની બાબતો આવી હોય એમ લાગતું નથી. ભાષા પહેલી અને પછી વ્યાકરણ. બંધાતી ભાષા બીજી ભાષાઓનાં વ્યાકરણનાં બંધન સ્વીકારતી નથી. ગુજરાતી ભાષાનું વ્યાકરણ હજુ લખાયું નથી — સંસ્કૃત કે અંગ્રેજી વ્યાકરણની નજરે તો ઘણાં લખાયાં છે પરંતુ ગુજરાતી ભાષાના શબ્દ અને વાક્યપ્રયોગોના અભ્યાસ ઉપરથી ઉપજાવેલું વ્યાકરણ લખાયું નથી.&lt;br /&gt;
આવું વ્યાકરણ લખાયેલું ન હોવાથી દેશમાં વપરાતા અમુક પ્રયોગો પ્રતાપી લેખકને હાથે સંસ્કાર પામી સાહિત્યમાં દાખલ થાય તો તેમની સંસ્કૃત કે અંગ્રેજી વ્યાકરણના નિયમાનુસાર કસોટી કાઢવી એ વાજબી નથી લાગતું. રા. નરસિંહરાવે કાઠિયાવાડને ઘણો ગેરઇન્સાફ કર્યો છે. એમની બધી ચર્ચામાં એઓ નરસિંહ મહેતાની ભૂમિને તદ્દન વિસરી જ જાય છે.&lt;br /&gt;
હન્ટરના રચેલા ‘ગેઝેટીઅર’ની નવી આવૃત્તિ થઈ છે. તેના બીજા ગ્રંથમાં ગુજરાતી સાહિત્ય વિશે ડો. ગ્રીઅરસન લખે છે : &lt;br /&gt;
Gujarati has an old literature, dating from the fourteenth century which has been little explored. The oldest writers dealt with philology. The first poet was Narsingh Meheta (1413-79). He does not seem to have written any long work and his fame rests upon his short religious songs, many of which exhibit considerable grace. Among his followers we may mention Premanand Bhatt (flourished 1681) author of the ‘Narsingh Mehetanu Mameru’ Rewasanker(Translator of the Mahabharata), and Samal Bhatt. Gujrat has not yet produced a great poet approaching in excellence the mediaeval masters of Hindustan. Of more importance are its bardic chronicles already mentioned. Under English influence a number of works have issued from the press of late years, but these possess little originality, and are mostly translations.&lt;br /&gt;
આ વાંચી કોને હસવું નહીં આવે? એના ઉપર ટીકા કરવી નિરર્થક છે. ડો. ગ્રીઅરસને Linguistic Survey of India ની ગ્રંથમાળા પ્રગટ કરવા માંડી છે તેમાં ગુજરાતી ભાષા સંબંધી બે ગ્રંથો છે. એક ગ્રંથ છપાઈ ગયો છે. તેમાં ભીલી, ચારણી આદિ ગુજરાતની બોલીનો સંગ્રહ છે.&lt;br /&gt;
ગયે વર્ષે પ્રાચીન ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં કામ સારૂં થયું હતું. રા. છગનલાલ વિદ્યારામ રાવળે ‘સમાલોચક’, ‘ગુ. શાળાપત્ર’ અને ‘ગુજરાતી’માં સારી હકીકત લખી મોકલી હતી. એઓની શોધકવૃત્તિ ડગતી છે એટલે એમનાં અનુમાનો આગળ ઉપર નુકસાન કરનારાં થવાનો સંભવ છે. રા. કેશવલાલ પ્રેમચંદે જૈન રાસાઓની ફેરિસ્ત તૈયાર કરી ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભા મારફત પ્રગટ કરી છે. એ ઉપરાંત પારસીઓના જ્ઞાનવર્ધકમાં પારસીઓનાં પ્રાચીન ગુજરાતી સાહિત્ય વિશે ઉલ્લેખ થયો હતો.&lt;br /&gt;
ગયે વર્ષે માસિકોમાં सागर, રા. ચંદ્રશંકર પંડ્યા, રા. અતિસુખશંકર ત્રિવેદી, રા. મોહનલાલ દવે, રા. કાન્તિલાલ પંડ્યા, રા. નર્મદાશંકર પંડ્યા, રા. કૃષ્ણલાલ ઝવેરી, પ્રભૃતિ તરફથી સાહિત્યચર્ચા પણ સારી થઈ હતી. ‘ફુરસદ,’ ‘જ્ઞાનવર્ધક,’ ‘ગુજરાતી’ આદિ મુંબઈનાં પત્રોમાં ગ્રંથોની નોંધ નિયમિત રીતે લેવાય છે.&lt;br /&gt;
રા. કૃષ્ણરાવ દિવેટિયાએ હાલમાં ચાલતી કેટલીક પ્રવૃત્તિઓ ઉપહાસપાત્ર ઠરાવવા ‘વસન્ત’માં ‘ત્રિકાળદર્શન’ના મથાળા નીચે એક લેખ લખ્યો છે. એ લેખ ઉપરથી જણાય છે કે ત્રિકાળદર્શનના પૂરતા જ્ઞાનના અભાવે એ કોશિશ માત્ર હાસ્યજનક નીવડે એમાં નવાઈ નથી.&lt;br /&gt;
‘સ્ત્રીબોધ’ના સોનેરી આનંદોત્સવ પ્રસંગે અમદાવાદમાં પ્રો. ધ્રુવે ‘નારીપ્રતિષ્ઠાના ઐતિહાસિક દર્શન’ વિશે અને રા. રમણભાઈ મ. નીલકંઠે ‘સુધારાની પદ્ધતિઓ’ ઉપર ભાષણ આપ્યાં હતાં. પહેલું ભાષણ ‘વસન્ત’માં અને ‘છૂટું’ છપાયું છે. વખત થોડો મળેલો એટલે ભાષણ કરતી વખત ઘણી વાતો મૂકી દેવી પડી હતી; પણ પછીથી સમગ્ર ઐતિહાસિક દર્શન કરાવ્યું હોત તો વધારે સારું થાત. યજ્ઞમાં નારીપ્રતિષ્ઠાને કેવું સ્થાન હતું? સ્મૃતિકારોનું એ સંબધે શું કહેવું છે? પુરાણોમાં એની ભાવના કેવી છે? આદિ અનેક પ્રશ્નો છેડવામાં જ નથી આવ્યા.&lt;br /&gt;
રા. રમણભાઈનું ભાષણ આ માસિકમાં છપાયું હતું, એ વિષયના ઉપસંહાર જેવું છે.&lt;br /&gt;
મીરાંબાઈ કુંભાની રાણી નહોતી એવી વાત મેવાડના ઇતિહાસકાર શામળદાસે પ્રસિદ્ધ કર્યા પછી સમગ્ર હિંદમાં ધીમે ધીમે એ વાત કબૂલાતી જાય છે. રા. ભાનુસુખરામ નિર્ગુણરામે ગયે વર્ષે નવી શોધ વાસ્તવિક નથી એમ બતાવવા યત્ન કર્યો હતો. કવિ શામળદાસનો ઇતિહાસ મેવાડના નરેશને છપાવવો ઉચિત ન લાગવાથી અપ્રસિદ્ધ રહ્યો છે એમ સાંભળવામાં આવ્યું છે. એમના ઇતિહાસ ઉપરથી એમના એક શિષ્યે ‘મીરાંચરિત્ર’ હિંદીમાં લખ્યું છે અને તેના પરથી મીરાંબાઈ કુંભાની પટરાણી નહીં પરંતુ રાણા સંગની પુત્રવધૂ હતી એ વાદ ચાલ્યો છે. કવિ શામળદાસે જે કારણોસર પ્રચલિત આખ્યાયિકા ખોટી ઠરાવી છે તે બહાર આવ્યાં નથી એટલે એમની વિદ્વત્તાને ખાતર જ નવો મત સ્વીકારાયો છે. મીરાંના દંતકથાભર્યા જીવન પરથી કે એને નામે ગવાતાં હિંદી, ગુજરાતી, મરાઠી ગીતો ઉપરથી ખરી હકીકતનો નિર્ણય કરવાનું કામ મુશ્કેલ છે. કબીર, તુલસીદાસ વગેરેનાં પદો ઉપરથી પણ નિર્ણય પર આવી શકવાનો સંભવ થોડો છે, કારણ કે એમને નામે પણ અનેક પદો ગવાય છે. હિંદી સાહિત્યનો અને ભરતખંડના મધ્યકાલીન ધાર્મિક અને રાજકીય ઇતિહાસનો અભ્યાસ મીરાંનો જમાનો નક્કી કરવા આવશ્યક છે.&lt;br /&gt;
રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ સાયન્સના તત્ત્વચિંતનના ઉત્સાહી અભ્યાસી છે. કેટલાંક માસિકોમાં એમના એ સંબંધીના લેખો આવ્યા જાય છે. સરળ ભાષામાં સાયન્સની ગહન બાબતો તેઓ સમજાવે છે. સાયન્સમાં ચંચુપાત કર્યા વિના તેને જડવાદી કહી તે શબ્દથી ભડકનારાઓને રા. વિજયલાલના લેખો વાંચવા ભલામણ કરવી જોઈએ. સ્વદેશી હિલચાલને પ્રતાપે સાયન્સનું શિક્ષણ વધવાનું અને એ શિક્ષણના પ્રસારની સાથે આપણા જડ ઘાલી બેઠેલા વહેમો નિર્મૂળ કરવા સાયન્સના તત્ત્વચિંતનનો પણ પ્રસાર થવો જરૂરનો છે.&lt;br /&gt;
આજથી ઘણાં વર્ષ ઉપર ‘નવરાશ’ અને ‘ફુરસદ’ના તંત્રીએ અંગ્રેજી ઉપરથી એક ફારસ ગુજરાતીમાં લખેલો. ઉક્ત બીના જાણમાં ન હોવાથી ‘જ્ઞાનવર્ધક’ના એક ઊછરતા લેખકે, ફરી વાર એ ફારસ ગુજરાતીમાં ઉતાર્યો. આથી એ બે માસિકો વચ્ચે થયેલી ટપાટપીથી તેમના વાચકોને રમૂજ ઠીક આવી હશે.&lt;br /&gt;
આમ પારસી પત્રોમાં અંગ્રેજી લેખોના તરજુમા સ્વતંત્ર લેખ તરીકે છપાયે જાય છે તેમ આપણાં પત્રોમાં બંગાળી, મરાઠી, હિંદી કે અંગ્રેજીમાંથી થયેલાં ભાષાંતરો છપાય છે. જવલ્લે જ લેખકો તરફથી કબૂલવામાં આવે છે કે એમના લેખો ભાષાંતર છે. આવી જાતની ચોરીથી તંત્રીઓએ સાવધ રહેવાની જરૂર છે.&lt;br /&gt;
ધાર્મિક મંડળોનાં વાજિંત્રોમાં પણ આવું થાય તો બીજાને શો દોષ દેવો? ‘મહાકાળ’માં પ્રગટ થતી યોગિની નામની કથા Mata the Magician નામની અમેરિકન નવલકથા ઉપરથી સુધારાવધારા, ઘટાડા સાથે છપાય છે. વાચકોને ઉક્ત વાત જણાવેલી ન હોવાથી એ મંડળનો ઘણો ભાગ એ વાર્તાને સ્વતંત્ર કૃતિ ગણે છે અને એમાં વર્ણવેલી વાતો ખરી બનેલી હોય એવું માને છે.&lt;br /&gt;
છાપખાનાં વધતાં જાય છે તેમ તેમ પત્રોની સંખ્યા પણ વધતી જાય છે. ઘણાંખરાં પત્રોની કિંમત રૂ. સવા અને ‘ફર્મા’ ત્રણ કે ચાર બ્રહ્માને ત્યાંથી લખાઈ આવ્યા હોય તેમ લાગે છે! આ વધી પડેલો ઊકરડો ત્રાસરૂપ થઈ પડ્યો છે.&lt;br /&gt;
દક્ષિણમાં ઘણુંખરું સાપ્તાહિકોની કિંમત કરતાં માસિકોની કિંમત વધારે હોય છે, અને આપણાં માસિકો કરતાં તેમાં આવતાં લખાણો ઊંચા પ્રકારનાં અને વિવિધ વિષયોને લગતાં હોય છે.&lt;br /&gt;
દક્ષિણમાં તંત્રીઓ ઘણે ભાગે બ્રાહ્મણો છે, આપણે ત્યાં વૈશ્યો છે. બે વર્ષ ઉપર આપણા તંત્રીઓની સંખ્યાનું વર્ગીકરણ નીચે પ્રમાણે હતું : ૮ બ્રાહ્મણ, ૧ બ્રહ્મક્ષત્રી, ૧૭ પારસી, ૧૭ વાણિયા, ૨ લોહાણા, ૫ મુસલમાન, અને ૨ મરાઠા. આમાં પારસી, વાણિયા, લોહાણા અને મુસલમાન વૈશ્યનો ધંધો કરનારા હોવાથી ૪૧ વૈશ્ય તંત્રીઓ હતા એમ કહી શકાય. હમણાં શી સ્થિતિ છે તે જાણવા સાધન ઉપલબ્ધ નથી.&lt;br /&gt;
ગ્રંથપ્રસિદ્ધિનું નિરીક્ષણ કરતાં લોકસમૂહ માટે પ્રગટ થતા સાહિત્યનો ઉલ્લેખ કરીશું. અમદાવાદના સાહસિક ગ્રંથવિક્રેતા મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે અને વઢવાણ, મુંબઈના એવા જ ગ્રંથપ્રકાશકો નાના પ્રકારના વાર્તાઓના, ધર્મના, પુરાણોના, ભજનોના ગ્રંથો છપાવ્યે જાય છે. કોઈ મંડળ તરફથી એ લોકોએ પ્રગટ કરેલા સાહિત્યની દર વર્ષે સમાલોચના થવી ઘટે છે.&lt;br /&gt;
પાલીતાણાની જૈન ગ્રંથપ્રસારક મંડળી અને ભાવનગરની જૈન ધર્મ પ્રસારક મંડળી પણ એમના ધર્મનાં પુસ્તકો છપાવવાનું કામ સારા – વિશાળ પાયા ઉપર ચલાવ્યે જાય છે. ભિક્ષુ અખંડાનંદે સ્થાપેલા ‘સસ્તું સાહિત્યવર્ધક મંડળે’ ભગવદ્ગીતા, ભાગવત – એકાદશ સ્કંધ, એ બે પુસ્તકો બહાર પાડ્યાં છે, અને બીજા ગ્રંથો બહાર પાડનાર છે.&lt;br /&gt;
ઉદ્દામ પક્ષના લેખકો તરફથી ટિળક, પાલ, લજપતરાય, હૈદર રેઝા, અરવિન્દ ઘોષ પ્રભૃતિનાં ગ્રંથોનાં ભાષાંતર આ વર્ષમાં પ્રગટ થયાં હતાં. ‘ગુજરાતી’માં રાજ્યવિદ્યા વિશે લેખ આવે છે.&lt;br /&gt;
ગાયકવાડ સરકાર અને ગુ. વ. સોસાયટી તરફથી ઐતિહાસિક ગ્રંથોનાં અંગ્રેજીમાંથી ભાષાંતર કરાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં. પ્રોટેસ્ટંટ રાણી એલિઝાબેથનો સમય, એ વડોદરામાં અને મરાઠી સત્તાનો ઉદય, અને દક્ષિણનો પૂર્વ સમયનો ઇતિહાસ અમદાવાદમાં, અને પોરબંદરના ઇન્સ્પેક્ટરનો રચેલો શાળોપયોગી હિંદનો ઇતિહાસ ગઈ સાલ છપાયાં હતાં.&lt;br /&gt;
ઇતિહાસ ઉપર આપણે ત્યાં બિલકુલ લક્ષ નથી અપાતું એ ખરેખર મોટા ખેદની વાત છે. લોકોમાં બિલકુલ historic sense નથી. તેમ ઇતિહાસરૂપી પ્રમાણનું મહત્ત્વ ખબર ન હોવાથી ખોટા વિચારોમાં ગોથાં ખાય છે.&lt;br /&gt;
આ વર્ષે વલ્લભીના મૈત્રકોનાં શાસનો જડ્યાં હતાં. પાલીતાણામાંથી હાથ આવેલું શાસન Epigraphica Indicaમાં પ્રસિદ્ધ થયું છે. રાજકોટના ઉમંગી અને આગ્રહી પ્રાચીન વસ્તુશોધક રા. વલ્લભજી હરિદત્ત આચાર્યને પણ શાસન મળ્યાં છે. આપણા હાલના તંત્રીઓને આ પ્રદેશમાં રસ પડતો ન હોવાથી આવાં શાસનો અને સિક્કાઓની નોંધ કોણ લે?&lt;br /&gt;
‘મુદ્રારાક્ષસ’ના ગુજરાતી ભાષાંતરની નવી આવૃત્તિના ઉપોદ્ઘાતમાં જે ઐતિહાસિક ભાગ રા. રા. કેશવલાલ ધ્રુવે લખ્યો છે તે હિંદના ઇતિહાસના એક અંધકારગ્રસ્ત પ્રદેશ પર પ્રકાશનું કિરણ ફેંકે છે.&lt;br /&gt;
બંગાળી સાહિત્ય અને પ્રજાજીવનના મહાન આચાર્ય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પ્રાતઃસ્મરણીય નામથી ગુજરાતમાં કોઈક જ અજાણ્યું હશે. વિદેહ નારાયણ હેમચંદ્રે એની કેટલીક વાર્તાઓનાં ભાષાંતર કર્યાં હતાં. ત્યાર પછી બીજાઓએ પણ કર્યાં છે. એની રાજસિંહ નામની નવલકથાનું ભાષાંતર કરનાર રા. કૃષ્ણલાલ ઝવેરીએ બંકિમચંદ્રના કૃષ્ણચરિત્રનું ભાષાંતર આજથી ઘણાં વર્ષ ઉપર કર્યું હતું. પરંતુ ‘પ્રેસ’માં શ્રીકૃષ્ણની બંસરીએ જૈનોને પણ મુગ્ધ કરી દીધા એટલે ચરિત્રને છપાતાં ઘણો વખત લાગ્યો. ચરિત્રમાં શ્રીકૃષ્ણના જીવનમાં ભાગવત, ગીતગોવિંદ, આદિને લઈને જે કાળાશ જણાતી હતી તે બંકિમચંદ્રે દૂર કરી છે. મહાભારતમાં જે પ્રકારનું વ્યાસજીએ શ્રીકૃષ્ણનું ચરિત્ર કહ્યું છે તે જ રીતે આ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે. લેખક કહે છે :&lt;br /&gt;
‘કૃષ્ણ બધી જગાએ, બધે વખતે, બધા ગુણોના તેજથી પ્રકાશિત હતો. તે કોઈનાથી જિતાય તેવો ન હતો, કોઈનાથી જિતાયો ન હતો, વિશુદ્ધ પુણ્યમય, પ્રીતિમય, દયામય હતો; પોતાનાં કર્તવ્ય કરવામાં કદી પાછો પડતો ન હતો. ધર્માત્મા, વેદજ્ઞ, નીતિજ્ઞ, ધર્મજ્ઞ, લોકહિતૈષિ, ન્યાયી, ક્ષમાશીલ, ધિક્કારવૃત્તિ વિનાનો, શાસન કરનાર, ભોળો, અહંકાર વિનાનો, યોગી અને તપસ્વી હતો. પોતે માણસની શક્તિ વાપરી કામ કરતો હતો, છતાં તેનું ચરિત્ર ઈશ્વરી હતું. એવી રીતની માનુષી શક્તિ વડે જ અમાનુષી ચરિત્ર વિકાસ પામે. તેના ઉપરથી તેના મનુષ્યત્વ અથવા ઈશ્વરત્વ વિશે અનુમાન, તે માણસ હશે કે ઈશ્વર હશે તેનો વિચાર, વાચક પોતાની શક્તિ મુજબ કરી લેશે.’&lt;br /&gt;
‘યથાર્થ હિંદુ આદર્શ(Hindu Ideal) તે તો શ્રીકૃષ્ણ જ, મનુષ્યત્વનું ખરેખરું આદર્શ સ્થાન તો તે જ.’&lt;br /&gt;
‘કૃષ્ણ તો સંસારી, ગૃહસ્થાશ્રમી, રાજનીતિનો જાણનારો, લડવૈયો, દંડપ્રણેતા, તપસ્વી અને ધર્મપ્રચારક હતો. સંસારીનો, ગૃહસ્થાશ્રમીનો, રાજાઓનો, યોદ્ધાઓનો, રાજપુરુષોનો, તપસ્વીઓનો, ધર્મવેત્તાઓનો, ટૂંકામાં કહીએ તો મનુષ્ય આખાના સઘળા અંગનો આદર્શરૂપ હતો.&lt;br /&gt;
લેખક પોતે કૃષ્ણને ઈશ્વર તરીકે માને છે છતાં આ ગ્રંથમાં તેનું મનુષ્યત્વ જ આલેખ્યું છે, અને હિંદુ પ્રજાએ પોતાનો પ્રજાકીય આદર્શ કેવો ઉન્નત મેળવ્યો હતો તે બહુ સારું બતાવ્યું છે.&lt;br /&gt;
રા. બ. ચિંતામણ વૈદ્યે પોતાના Epic India (મહાભારત અને રામાયણના સમયનું હિંદુસ્તાન)માં પણ શ્રીકૃષ્ણનું ચરિત્ર નિષ્કલંક અને ઉત્કૃષ્ટ હતું એમ જણાવ્યું છે.&lt;br /&gt;
મૂળ ગ્રંથોનો અભ્યાસ ઘટવાથી નાના પ્રકારના અનર્થો થાય છે. શ્રીકૃષ્ણના ઉક્ત ઉત્તમ ચારિત્ર્યને સ્થાને લંપટતા, કપટીપણું, ક્રૂરતા, નીચતા, અસત્યવાદીતા, ઘાતકતા આદિથી ભરેલું કલુષિત ચારિત્ર્ય જનસમાજમાં પ્રચાર પામ્યું છે. આવા ગ્રંથોને લીધે એ આદર્શણીય ચરિત્ર જોવાની ઉત્સુકતા વધશે એવી આશા છે. મહાભારતના બનાવો અને પાત્રોનો આવો કેટલો બધો વિનિપાત પુરાણો અને આપણા માણભટોએ કર્યો છે? મૂળ ગ્રંથો વાંચવાની ટેવ ન હોવાથી આ રસ્તે જે જણાતું તે મનાતું. પરંતુ હવે તો ગ્રંથો છપાયા છે અને સંસ્કૃતનું જ્ઞાન વધતું જાય છે. તે વખતે વેદ, શાસ્ત્ર, સ્મૃતિ આદિ ગ્રંથોનાં ખોટાં અપાતાં પ્રમાણો જાતે જોયા વિના ન માનવા દરેક જણે તત્પર રહેવું જોઈએ. જો આમ મૂળ ગ્રંથો જોવાની અને બંકિમચંદ્ર તથા રા. ચિંતામણ વૈદ્યે મહાભારત નિરીક્ષ્યું છે તે રીતે એ ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવશે તો ગુજરાતમાં ચાલતી ગપો, વિતંડા નિર્મૂળ થશે. લોકોને ચેતનભર અને સજીવન કરે એવા આદર્શો મળશે. &amp;lt;ref&amp;gt;આવો ઉત્કૃષ્ઠ ગ્રંથ ભિક્ષુ અખંડાનંદના ‘અહાલેક’ પછી પણ રૂ. દોઢની ભારે કિંમતે છપાય તે યોગ્ય નથી લાગતું. પ્રૂફ તપાસવા જેટલી કાળજી રાખવી જોઈએ તેટલી રખાઈ નથી. ભાષાનો પ્રતાપ ઓગાળી નાંખવામાં આવ્યો છે, પ્રલયવાહી રસસરિતા નથી વહેતી; ભાષા ખરબચડી, શિથિલ અને નિર્બળ લાગે છે.&amp;lt;/ref&amp;gt; શ્રીમન્નથુરામ શર્માના શિષ્ય અને ‘મહિમ્ન’નું ભાષાંતર કરનાર રા. વિશ્વનાથ સદારામ પાઠકે નચિકેતાનું આખ્યાન નવલકથારૂપે લખી પ્રગટ કર્યું હતું.&lt;br /&gt;
અમદાવાદના ‘સસ્તા સાહિત્ય પ્રકાશક મંડળે’ અંગ્રેજીમાંથી મૈત્રેયીના નવલકથારૂપે લખાયેલાં જીવનચરિત્રનો તરજુમો પ્રગટ કર્યો છે.&lt;br /&gt;
અભયકુમાર મંત્રીનું જીવનચરિત્ર-એ જૈન ગ્રંથ છે. સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ગયે વર્ષે અર્ધું ભાષાંતર બહાર પડ્યું હતું.&lt;br /&gt;
હિંદની બીજી ભાષામાં લખાયેલાં ગેરિબાલ્ડી અને મેટ્ઝિનીનાં ચરિત્રો ગુજરાતી ભાષામાં અનુવાદિત થયાં હતાં.&lt;br /&gt;
‘સ્ત્રીબોધ’માં અંકે અંકે રા. જીવનજી જમશેદજી મોદી ‘શાહનામાની સુંદરીઓ’ નામના લેખ લખતા હતા તે સમગ્ર સ્વરૂપમાં પ્રગટ થયો હતો.&lt;br /&gt;
પ્રો. બ. ક. ઠાકોરે મહાભારતમાં આવતાં સુન્દરી પાત્રોનાં જીવન વ્યાસજીની જ વાણીમાં ગુજરાતને રોશન કરવા માંડ્યાં છે. સતીઓનાં ચરિત્રો પુરાણો ઉપરથી અને રાજસ્થાન ઉપરથી અનેક લખાયાં છે. પરંતુ પ્રો. ઠાકોરની યોજના તે ગ્રંથોથી તદ્દન નિરાળી છે. મહાભારતમાં છૂટા છૂટા પ્રસંગે આલેખાયેલાં સ્ત્રીજીવન એકત્ર મૂર્તિમન્ત કરવા અને એમના જીવનમાં ઓતપ્રોત રહેલા આદર્શો આજની પ્રજાને આપવા એવો એમનો ઉદ્દેશ જણાય છે. શકુન્તલા, કુન્તી અને સાવિત્રી એ ત્રણ સન્નારીઓનાં જીવન એમણે અત્યાર સુધીમાં પ્રગટ કર્યાં છે.&lt;br /&gt;
આ સર્વે ગ્રંથોમાં – નાના પ્રકારનાં સતીમંડળોમાં મિસિસ જેમીસનની પ્રતિભા, પ્રસાદ, કલ્પના કે બાની તો નથી જ.&lt;br /&gt;
ફ્લોરેન્સ નાઈટીંગેલનું ચરિત્ર, ગુ. વ. સોસાયટી માટે સૌ. શારદા મહેતાએ લખ્યું હતું. સેવાસદન જેવી સંસ્થાની ઉપયોગિતા વધતી જશે અને નૈષ્ઠિક કે ગૃહસ્થ સેવિકાની સંખ્યા વધશે તથા તેમનાં કામની કદર થશે તેમ તેમ આ પરોપકારિણી સાધ્વી સ્ત્રીનું ચરિત્ર વિશેષ વંચાશે.&lt;br /&gt;
રા. લલ્લુભાઈ શામળદાસની પુત્રી સૌ. સુમતીએ પાશ્ચાત્ય સદ્ગુણી સ્ત્રીઓનાં ચરિત્રનું અંગ્રેજી ઉપરથી ભાષાંતર કર્યું હતું. તેમ જ ‘ગીતાર્થસાર’ નામનો લઘુ ગ્રંથ પ્રગટ કર્યો છે. ‘આનંદ’માં એમનું કરેલું એક ભાષાંતર છપાય છે.&lt;br /&gt;
‘બાળવિનોદ’, ‘શિશુસદ્બોધ’ આદિ ગ્રંથો બાળકોને માટે લખાયા છે. મુંબઈના રા. જગન્નાથ રાવળે ‘આનન્દમાલા’ ના બે ભાગ પ્રગટ કર્યા છે. રા. મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેએ પણ ગોંડલના રા. નાગરદાસ ધ્રુવના બાળકોને માટે લખેલા ગ્રંથો પ્રગટ કર્યા છે. બાળકોને માટે ગ્રંથોની ઘણી જ જરૂર છે. તે ગ્રંથો સારી છપાઈના અને સચિત્ર હોય તો સારું. મિ. સ્ટેડની Books for the Bairns અને Plays for Children નામની ગ્રંથાવલિઓ જેવાં,- મિ. એન્ડ્રુ લેઙ્ગ સંપાદિત પરેશાની કથામાળા(Fairy Tales) કે ઇંગ્લૅંડના જુદા જુદા ગ્રંથ પ્રકાશક મંડળના બાળકાવ્યોના ગ્રંથો જેવા ગ્રંથો આપણે ત્યાં રચાવાની ખાસ જરૂર છે. બાળકોને માટે મહારાષ્ટ્ર, બંગાળ વગેરે પ્રાંતોમાં માસિક નીકળે છે પરંતુ આપણે ત્યાં કાંઈ જ નથી. ‘સુન્દરીસુબોધ’ પ્રવર્તક મંડળનું પણ બાળસાહિત્ય પ્રત્યે દુર્લક્ષ છે. માતા, ભગિની, પુત્રી, શિક્ષક, રાજ્યકર્તી, ઉપદેશિકા, પંડિતા, સેવિકા આદિ સ્ત્રીજીવનનાં સ્વરૂપો કરતાં સ્ત્રીનું એકતાનાત્મક દાંપત્યજીવન આલેખવું એ એ માસિકને બહુ રૂચે છે.&lt;br /&gt;
વડોદરા સરકારે ‘દેશી રમતો’નો ગ્રંથ છપાવ્યો (તેમાં પણ છોકરીઓની રમતો નથી. ‘મરાઠી ખેલાંચેં પુસ્તક’માં છોકરા-છોકરીની રમતો છે.) ત્યાર પછી એ રમતોને શિક્ષણનો વિષય બનાવવા – એમાં રહી ગઈ હોય એવી રમતો મેળવવા કે પરદેશી રમતો આપણે ત્યાં દાખલ કરવા બિલકુલ પ્રયત્નો નથી થયા. ઇંગ્લિશ અભ્યાસક્રમોમાં organised games ને સ્થાન હોય છે તે આપણા શિક્ષકોને અને ‘ટ્રેઈનિંગ કૉલેજ’ના અધ્યાપકોને વિદિત હોવું જ જોઈએ.&lt;br /&gt;
બાળશિક્ષણમાં સંગીત પ્રવેશ પામતું જાય છે એ આનંદની વાત છે. બાળકાવ્યો સારાં લખાવાની ઘણી અગત્ય છે. નવલરામની ગરબાવળી અને રા. બાપાલાલની ગરબાવળી બાદ કરતાં ગરબાવળી અને ગીતોનાં જે પુસ્તકો અવારનવાર પ્રગટ થાય છે તેની અંદરની કવિતા કરતાં તો સ્ત્રીઓનાં જોડકણાં વધારે સારાં હોય છે.&lt;br /&gt;
અત્યાર સુધી જે ગ્રંથો બાળકોને માટે લખાયા છે તે તેમનો જુસ્સો પ્રફુલ્લ કરે એવા નથી.&lt;br /&gt;
બાળજીવનમાં કથા, સંગીત, નાટક અને રમતનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો બાળશિક્ષણ તેજસ્વી બનવાનો સંભવ છે. કીંડરગાર્ટન દાખલ થયું છે પણ તે સંબંધીનું સાહિત્ય (literature) તદ્દન નિઃસત્ત્વ સંસ્કારહીન છે તેમ તેનો ઉદ્દેશ યથાર્થ પળાતો પણ નથી.&lt;br /&gt;
છતાં પણ માધવલાલ હરિલાલ દેસાઈએ બાળશિક્ષણ માટે જે ઉત્સાહ કેળવણી ખાતામાં પ્રગટાવ્યો હતો તે મંદ નથી પડ્યો. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેઇનિંગ કૉલેજના શિક્ષક રા. રા. ગંગાશંકર વૈષ્ણવે બાળસ્વભાવ સંક્ષેપમાં પણ સરળતાથી સમજાવવા લખેલા ગ્રંથની બીજી આવૃત્તિ થઈ છે. આ ગ્રંથ શિક્ષકને તેમ જ માબાપ ઉભયને ઉપયોગી છે. યુરોપ અમેરિકામાં આ વિષય ઉપર પુષ્કળ લક્ષ અપાય છે અને ત્યાં બાળસ્વભાવનો સૂક્ષ્મ અને અવિરત અભ્યાસ કરવાની પ્રયોગશાળાઓ પણ હોય છે. તેમ જ એ વિષયનું સાહિત્ય પણ બહોળું છે. આવા ગ્રંથના પ્રચાર અને સત્કાર વધતાં બાળકેળવણીનું સ્વરૂપ પલટાઈ સારું થવાનો સંભવ છે.&lt;br /&gt;
પરચૂરણ ગ્રંથોમાં વહેમખંડન, પુત્રધર્મ, ધાત્રીશિક્ષા, ખેતીવાડીનાં મંડળો વગેરે વગેરેની પ્રસિદ્ધિ થઈ હતી. ધાત્રીશિક્ષા વૈદ્યકલ્પતરુના તંત્રીની કૃતિ છે. ખેતીવાડીનાં મંડળનું પુસ્તક ઘણું ઉપયોગી છે. એ વિષય લોકપ્રિય કરવાની ફરજ આપણા પત્રકારોની છે. સીનોરથી નીકળતા અને ઝળક દાખવતા ‘પટેલ બન્ધુ’ નામના માસિકમાં એ ગ્રંથના કર્તા રા. છોટાલાલ બાબરભાઈ પટેલ એ જ વિષય ચર્ચે છે અને એ દ્વારા પોતાના વર્ગમાં એ બાબતનું જ્ઞાન ફેલાવવા આવશ્યક પ્રવૃત્તિ આરંભી છે. સરળ ભાષામાં અને ખેડૂતોથી સમજાય એવી રીતે એ વિષયની ચર્ચા અનેક રીતે થયા કરે તો અન્તે લાભ છે.&lt;br /&gt;
શ્રેયઃસાધકો વર્ષમાં બે વખત સાધન સમારંભ કરે છે. એ સમારંભ વખતે થયેલાં ભાષણો, કીર્તનો વગેરેનો સંગ્રહ છપાય છે. ગયે વર્ષે સદુપદેશ શ્રેણી(ઉક્ત સંગ્રહનું નામ છે)ના ૧૯ અને ૨૦મા ભાગો પ્રકટ થયા હતા. પ્રો. કણીઆએ કરેલાં શંકાનાં સમાધાન એ પંથની વિચારાચાર શ્રેણીનું દર્શન કરાવે છે. આ ઉપરાંત એમના ‘નિદ્રાનિરૂપણ’ તથા ‘રાગ એટલે પ્રેમ, એ વિરાગનું રહસ્ય છે’ એ બે ભાષણો એ સંગ્રહમાં છે. નિદ્રાનિરૂપણનો વિષય વૈજ્ઞાનિક છે – સર્વને તે વાંચવા જેવો છે. રા. નર્મદાશંકર દેવશંકરનો ‘વેદાંત નિબંધમાલા’ નો લેખ છે. રા. છોટાલાલ જીવનલાલનો ‘વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો જય શ્વસનક્રિયાથી થઈ શકે,’ એવું પ્રતિપાદન કરતો અપૂર્ણ લેખ એ સંગ્રહમાં છે. ૧૯મા અંકમાં રા. કૌશિકરામનો આર્યલગ્ન વિશે લેખ છે. હાલની લગ્નક્રિયાથી એમનો અત્મા કંપી ઊઠે છે. પ્રાચીન લગ્નની ક્રિયા અને ભાવના કેવાં હતાં તેનું નિરૂપણ એમનાં લેખમાં છે. લેખ સારો છે. શ્રેયઃસાધકો આવા વિચારોના આંદોલનથી જ કર્તવ્યસમાપ્તિ થયેલી માને છે કે પ્રાચીન આર્યલગ્નની ભાવના ઉત્તમ હોય તો તેઓ તે પ્રમાણે વ્યવહરવા પ્રવૃત્ત થાય છે?&lt;br /&gt;
આ લેખમાં ભાષણકારે કેટલીક પાશ્ચાત્ય વાતો પર સમજ્યા વિના આક્ષેપ કર્યા છે. ટૉલ્સ્ટૉયે લગ્ન ઉપર જે પ્રહારો કર્યા છે અને જે નિર્ણય આપ્યો છે. તેનો ઉપલક અભ્યાસી તેમ જ પ્લેટૉનિક સ્નેહ વિશે એકાદ અંગ્રેજી કોષમાં આપેલી વ્યાખ્યા જોનાર જણથી રા. કૌશિકરામના એ બેના સંબંધમાં કાઢેલા ઉદ્ગારોથી હર્યા વિના રહેવાશે નહિ. શ્રેયઃસાધકો તો એમની વાણી વેદવાણી તુલ્ય લેખતા હોય તેમ જ એમણે ઉલ્લેખેલી બીનાઓથી અજાણ હોય એટલે એમની સમક્ષ આવી નિરર્થક demagogic (લોકોની હલકી વૃત્તિ તૃપ્ત કરતી) વાણી ઉચ્ચારાય તો તે વિષે શંકાશીલ ન થાય એ સ્વાભાવિક છે. જેવી ભૂલ પાશ્ચાત્યો આપણી સંસ્થા, વિચારણા આદિ સમજતાં કે સમજાવતાં કરે છે તેવી ભૂલ તેમના સંબંધમાં જાણીજોઈને આપણે શા માટે કરવી?&lt;br /&gt;
પુરુષોએ પણ સ્ત્રીની પેઠે પ્રેમ અવ્યભિચરિત રાખવો એવું સબળતાથી કહેવામાં આવ્યું છે. સ્ત્રીપુરુષ ઉભયને માટે એકલગ્ન(monogamy) જ શ્રેયસ્કર છે. પુરુવિવાહ(Polygamy) ત્યાજ્ય છે. શ્રેયઃસાધકોની સંસારઘટનામાં આ સિદ્ધાંતો સ્વીકારાયા છે કે સ્વીકારાવાનો સંભવ છે?&lt;br /&gt;
જપતપથી નહીં પણ હાલમાં આપણા દેશમાં ઊઠતા પ્રજાકીય ને સાંસારિક મહાપ્રશ્નો સરળતાથી નિરૂપી વ્યવહારમાં આણવા પ્રવૃત્ત થાય તો જ શ્રેયઃસાધક સંપ્રદાયની ઉપયોગિતા હશે તેનાથી અધિકતર વધવાનો સંભવ છે. રા. કૌશિકરામ અને પ્રો. કણીયાના લેખો શ્રેયઃસાધકના તર્કશાસ્ત્રના(logic) ગુણદોષના અચ્છા નમૂના છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પ્રણીત ‘દયારામનો અક્ષરદેહ’ એ કવિની કવિતાનું રહસ્ય પ્રગટાવતો ગ્રંથ છે. ગો. મા. ત્રિ. ની વિદ્વત્તાની છેલ્લી પ્રસાદી છે. Inductive appreciationનો ઉત્તમ નમૂનો છે. દરેક પ્રાચીન કવિનો આવી રીતે અભ્યાસ થાય તો જ તેમની કવિતા ખરી કિંમતે અંકાય. ગોવર્ધનરામને દરેક વસ્તુમાં સંદૃંશ જણાતો, તે સ્ફૂટ કરવામાં એમને અતિશય આનંદ પડતો. વલ્લભ સંપ્રદાયના સિદ્ધાન્તો દયારામની કવિતામાં કેવી રીતે વ્યાપ્યા છે, અને એની દરેકે દરેક ગરબીમાં સંપ્રદાયના સિદ્ધાન્ત નિરૂપક કાવ્યોમાં એ વ્યાપ્તિને લીધે શા શા અર્થ નીકળે છે તે સારી રીતે સમજાવ્યું છે. યોગ અને વેદાન્તની કુમક મેળવી દયારામની ભક્તિ સ્ફૂટ કરી છે. જે પ્રણાલિકા દ્વારા દયારામે ભક્તિરસ વહેવડાવ્યો છે તે પ્રણાલિકામાં રહેલા દોષોનું પણ સંક્ષિપ્ત – અતિ સંક્ષિપ્ત સૂચન છે.&lt;br /&gt;
રા. ગંગાશંકર વૈષ્ણવે ‘પદાર્થવિજ્ઞાનનાં મૂળતત્ત્વ, વ્યાખ્યાન ૧લું‘ સોસાયટી સારુ લખી આપ્યું હતું. આશા છે કે ધીમે ધીમે સોસાયટી એમની પાસે પદાર્થવિજ્ઞાનમાં સમાયેલા દરેકે દરેક વિષયોની સરળ, સપ્રયોગ અને સચિત્ર મીમાંસા કરાવશે.&lt;br /&gt;
રા. રતનજી શેઠના એકલે હાથે અને સખીદિલના સાહિત્યપ્રિય પારસી શ્રીમંતોની મદદથી ‘જ્ઞાનચક્ર‘(Encyclopedia) નામનો મોટો કોષ પ્રગટ કર્યા જાય છે. ગયે વર્ષે એ કોષનો સાતમો ગ્રંથ એમણે બહાર પાડ્યો છે. રા. રતનજી શેઠના કાવ્ય, નાટક, વાર્તા આદિના પ્રદેશમાં પણ પોતાની કલમ ઘુમાવે છે.&lt;br /&gt;
નાટક કંપનીઓ નવી નવી ઊભી થાય છે–લુપ્ત પણ થાય છે, પરન્તુ તેમનો ઇતિહાસ નોંધી રાખનાર એકે પત્ર કે સંસ્થા નથી. નાટક કંપનીવાળાઓએ મળી એક સંસ્થા કાઢવી. દરેક કંપનીએ એ સંસ્થાના સભાસદ થવું. એ સંસ્થાના ગ્રંથાલયમાં દરેક કંપનીના ખેલોની છપાયેલી ચોપડીઓ રહે. એ સંસ્થા તરફથી એક માસિક પ્રગટ કરવું. તેમાં અભિનય, સંગીત, સીનરી, વગેરેની ચર્ચા, સારા ખેલાડીની પ્રશંસા, નાટકોનાં અવલોકન, નાટ્યકળા અને તેના વિધાયકો ઉત્તમ શી રીતે થાય તેની મીમાંસા વગેરેને સ્થાન આપવું. આ સંસ્થા નાટક કંપનીઓ વચ્ચે ઊઠતી તકરારોની લવાદી પણ કરે અને એ રીતે એખલાસ રાખી પ્રજાના જાહેર વિનોદ રસિક અને સાત્ત્વિક કરવા તત્પર રહે.&lt;br /&gt;
ગયા વર્ષનાં નાટકોમાં કાઠિયાવાડી નાટક મંડળીનો ‘દેવકન્યા’ નો ખેલ સારો છે.&lt;br /&gt;
પારસી ખેલાડી ‘કાઉખટાઉ’ ની રંગભૂમિ ઉપરની કારકિર્દી ૨૫ વર્ષની થઈ એટલે તે નિમિત્ત તેની રૂપેરી ‘જ્યુબિલી’ ઊજવાઈ હતી. પારસીઓ અને બંગાળીઓમાં પોતાની કોમનાં આગળ પડતાં માણસો માટે અભિમાન હોય છે; આશાનું ઉજમાળું ચિહ્ન કોઈમાં જણાય તો તરત તેને ઉત્તેજન મળવાનું. આપણે ત્યાં એવાં ઉત્તેજન, કદરની ખામી જ છે. હૃદયની ઉદારતા અને મનની મોટાઈ ઓછાં છે.&lt;br /&gt;
રા. રા. મેહરજીભાઈ રતુરા પ્રણિત વાનપ્રસ્થ નાટકમાં વિષય થિયોસોફી– Theosophy અને ઑકલટિઝમ્ – Occultism છે – અને ભાષા પારસીશાઈ ઝડઝમકથી ભરેલી છે. શ્રીમતી ધનદાગૌરીનું રચેલું ‘શાંતિશિયળ નાટક’ એક સન્નારીની કૃતિ છે.&lt;br /&gt;
રા. રા. કેશવ હર્ષદ ધ્રુવે ‘મુદ્રારાક્ષસ’ના ભાષાંતરની બીજી આવૃત્તિ દેવનાગરી લિપિમાં પ્રગટ કરી છે. ભાષાંતર સરળ અને રસિક તથા પ્રસાદી છે. વિશાખદત્તની બાની કરતાં ભાષાંતરકારની બાની વિશેષ હૃદયસ્પર્શી છે. પરન્તુ આ આવૃત્તિનો ઉપોદ્ઘાત સૌથી મહત્ત્વનો ભાગ છે. રચાયું ત્યારની રાજકીય સ્થિતિ અને કાવ્ય, દર્શન, વ્યાકરણ વગેરે પ્રદેશમાં થતી પ્રવૃત્તિ એમાં આલેખાયાં છે. નાટકના બંધારણમાં કાલિદાસ પછી શા શા ફેરફારો થયા અને મુદ્રારાક્ષસનું બંધારણ કેવું છે તે; નાટક ઉપરથી તેનાં પાત્રોની ઐતિહાસિક હકીકત બીજેથી મેળવી વર્ણવી છે તે; વગેરે વગેરે અનેક ઉપયોગી બાબતો એ ઉપોદ્ઘાતમાં ભરેલી છે.&lt;br /&gt;
એમની ભાષા ઉપર સંસ્કૃત ગદ્યભાષાની સબળ અસર છે. પરન્તુ સમાસ અને શ્લેષનો ત્યાગ કર્યો છે એટલે જ એ અસર દીપી નીકળે છે.&lt;br /&gt;
એમના જેવા સમર્થ વિદ્વાનને હાથે લખાયેલા ઉપોદ્ઘાતના ઐતિહાસિક ભાગની ભાષા પોચી લાગે છે તે જોતાં આપણને એમ થાય છે કે ઇતિહાસ લખવાની ભાષા ગુજરાતમાં હજુ જન્મવાની છે.&lt;br /&gt;
વાર્તાઓ વાંચવાનો શોખ જબરો જાગ્યો છે. લગભગ બધાં ક્રમિક પત્રો વાર્તાઓ છાપે છે. કેટલાંક ખાસ વાર્તાઓનાં માસિકો નીકળે છે. પારસીઓમાં તો વિશેષ અંગ્રેજી, બંગાળી, મરાઠી અને હિંદી કે ઉર્દૂ ભાષામાંથી કરેલાં ભાષાંતરોથી શોખ સંતોષાય છે. કેટલીક વખત બે ત્રણ વાતોનો ખીચડો કરી નવી વાત ઊભી કરાય છે, અને ભાષાંતર કે અનુવાદ (adaptation) કર્યું હોય તે છતાં તે ન કબૂલવાની ગુજરાતના લેખકોને કુટેવ પડી ગયેલી હોવાથી એ બધી વાર્તાઓ સ્વતંત્ર કૃતિઓ જ લેખાય.&lt;br /&gt;
વાર્તાઓ બે પ્રકારની લખાય છે : (૧) અવકાશનો સમય ગાળવા તથા નવરાઓનો ક્ષુદ્ર જિજ્ઞાસારસ દ્રવાવા અદ્ભુત રસનો બહોળો ઉપયોગ જેમાં કરાયો હોય એવી વાર્તાઓ. આવી વાર્તાઓ અનેક બહાર પડે છે; (૨) ઉદ્દેશપુરઃસર લખાઈ હોય તે. સંસારના, ધર્મના કે ઇતિહાસના પ્રશ્નો ચર્ચવા નવલકથાનું સાહિત્ય સબળ સાધન હોવાથી એ રીતે એનો ઉપયોગ થાય છે.&lt;br /&gt;
બે મુદ્રિકા, ગુપ્તગુપ્તા, ગૃહલક્ષ્મી એ ડી. લક્ષ્મીદાસની કંપનીની પ્રસિદ્ધિ હતી. ‘ગુજરાતી’એ ‘પેશ્વાની પડતીનો પ્રસ્તાવ’ નામની કથા લાલન વેરાગણના નામથી પ્રખ્યાત થયેલી વાર્તાનો ફરીથી તરજુમો કરી ગ્રાહકોમાં વહેંચી હતી.&lt;br /&gt;
ઇલ્મે રૂહાની વિદ્યાનો પ્રભાવ દાખવતી ‘રશીદા’ નામની સચિત્ર વાર્તા રા. હાજીમહમદ અલારખીઆ શિવજીએ પ્રગટ કરી હતી. રા. હાજીમહમદ ગુજરાતી સાહિત્યના અદ્વિતીય મુસલમાન સેવક છે. કાવ્ય, વાર્તા, ધર્મ વગેરે વિષયોથી આપણું સાહિત્ય અલંકૃત કરે છે. એમના ગ્રંથોની છપાઈ, બાંધણી વગેરે એમની રસિકતા કેટલી ઊંચી છે તેનો ખ્યાલ આપે છે. રશીદાનાં ચિત્રો દક્ષિણી ચિત્રકાર રા. ધુરંધર પાસે ચીતરાવ્યાં છે. સચિત્ર વાર્તાઓ ગુજરાતી ભાષામાં કેવી સરસ રીતે પ્રગટ થઈ શકે તે રા. હાજીમહમદે બતાવ્યું છે.&lt;br /&gt;
રશીદાના દીબાચામાં રા. રતનજી ફરામજી શેઠનાએ ઇલ્મે રૂહાનીના પોતાને થયેલા અનુભવોનું બયાન કરેલું છે. એ વાર્તા અનેક રીતે આકર્ષણીય છે.&lt;br /&gt;
રા. હાજીમહમદ યુરોપ અમેરિકામાં વહાલા થઈ પડેલા ફારસી શાયર ઉમ્મર ખય્યમની કવિતાનું ભાષાંતર થોડાક વખતમાં પ્રગટ કરનાર છે.&lt;br /&gt;
અમદાવાદના ‘ગુજરાતી પંચ’ની બે ભેટવાર્તા ગયે વર્ષે બન્ધુસમાજના બે સભાસદે લખી આપી હતી. ‘ઉષાકાન્ત’ અને ‘પદ્મનાભ’નું સવિસ્તર અવલોકન બીજે લખવા વિચાર હોવાથી અત્રે આટલું સંક્ષિપ્ત ઉલ્લેખન બસ થશે.&lt;br /&gt;
‘સમાલોચક’માં શેઠ પુ. વી. માવજીએ ‘સંધ્યા’ નામની મરાઠા ઇતિહાસને લગતી કથા લખી હતી.&lt;br /&gt;
હવે ગયા વર્ષના કાવ્યસાહિત્ય તરફ નજર કરીએ. રા. કહાન ચકુ ગાંધી કૃત ‘શ્રીકૃષ્ણચરિત્ર’નું વૃત્તબંધ, રા. પાર્વતીપ્રસાદ કૃત ‘સુદામાચરિત્ર’નું વૃત્તબંધ, સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલું ‘શિશુપાળવધ’નું ભાષાંતર, મઢડાકર નાગરકૃત ‘સુશીલ યમુના’, રા. હરજીવન ત્રિપાઠી કૃત ‘વૈરાગ્યશતક અને બ્રહ્મજ્ઞાન’નું હિંદીમાંથી ભાષાંતર, નરમણિ કૃત ‘ભાનુપ્રકાશ’, રા. ભાઈશંકર કુબેરજીનાં ‘હૃદયરંગો’, નનામું પ્રગટ થયેલું ‘વીરસૂ’ નામનું કાવ્ય, અને રા. મગનભાઈ પટેલ કૃત ‘ક્ષાત્રપાળ પ્રતાપ’, રા. અરદેસર ખબરદારની ‘પ્રકાશિકા,’ રા. નાનાલાલ કવિનાં ‘કેટલાંક કાવ્યોનો ભાગ ૨જો’, રા. મૂળજી દુર્લભજી વેદની સેવાસદન માટે લખેલી ‘જાગૃતિમાળા’ વગેરે વગેરે ગયે વર્ષે મુદ્રાયન્ત્રોમાંથી પ્રસિદ્ધ થયાં હતાં.&lt;br /&gt;
આ ઉપરાંત માસિકોમાં રા. નરસિંહરાવ, સાગર, લલિત, સુમન્ત, કુંજ, સ્નેહજ્યોતિ, નૂતનશ્રી, વિશ્વ, દીવાનો, નાજુક, રા. મોહનલાલ પાર્વતીશંકર, રા. કરીમમહમ્મદ માસ્તર, રા. નર્મદાશંકર બાલાશંકર, રા. મૂળજી દુર્લભજી વેદ, ડૉ. હરિ હર્ષદ ધ્રુવ પ્રભૃતિનાં કાવ્યો પ્રગટ થયાં હતાં. ‘સમાલોચક’માં પ્રગટ થતી સવિતાની કવિતા રા. કહાનજી ધર્મસિંહ તરફથી સંગ્રહિત થઈ પ્રકાશ પામવાની છે. ‘વસન્ત’માં ઉષા નામના સ્ત્રેણ તખલ્લુસથી(pseudonym) લખાયેલું ‘સાવિત્રી અને સત્યવાન’નું કાવ્ય છપાયું હતું : સવિતાની કવિતા પ્રાચીન પદ્ધતિની છે; તોપણ એ કવિતા કાગળનાં ફૂલો જેવી નહીં પરંતુ કુદરતી તાજાં ખીલેલાં પુષ્પો જેવી છે.&lt;br /&gt;
નાજુક દખ્ખણ હૈદ્રાબાદમાં વસતો પારસી શાયર છે. પીટીટ ચરણનો અનુયાયી છે. એનાં ઘણાં નાનાં કાવ્યો અંગ્રેજીમાંથી તરજુમો કરેલાં હોય છે. હૈદ્રાબાદના જળપ્રલય વિશે અને સતી થયેલી એક પારસણ વિશે લખાયેલાં કાવ્યોમાં કવિત્વની ઝળક ઝળકે છે.&lt;br /&gt;
દીવાનો એક સારો ખેલાડી છે. ‘ગુજરાતી’માં એના તરફથી દેશભક્તિનાં કાવ્યો છપાય છે. મર્હુમ ખેલાડી અમૃતલાલ કે. નાયકના અવસાન પછી ઉર્દૂ સાહિત્યનો આપણને રસાસ્વાદન કરાવનાર હિંદુઓમાં દીવાનો અગ્રણી છે.&lt;br /&gt;
રા. મગનભાઈનું ‘ક્ષાત્રપાળ પ્રતાપ’નું કાવ્ય વીરરસની જે ખોટ આપણા સાહિત્યમાં છે તે પૂરવા લખાયું છે. આજથી ઘણાં વર્ષ ઉપર ‘સ્વાર્પણ’ નામનું કાવ્ય શિવાજીના સંબંધમાં પ્રગટ થયું હતું. તેના જેવું જ આ કાવ્ય નિર્બળ છે. દેશના વાતાવરણમાં થયેલા ફેરફારો મુજબ ‘સ્વાર્પણ’માં અને ‘ક્ષાત્રપાળ’માં ભાષા, જુસ્સો વગેરેનો વત્તોઓછો ભેદ છે. ક્ષાત્રપાળમાં વૃત્ત, ભાષા, જોડણી વગેરેના સંબંધમાં જે છૂટ લેવાઈ છે, તે જોતાં એમ લાગે છે કે આવાં કાવ્યો ન લખ્યાં હોય તો સારું, પછી વીરરસ જમાવવા એવી છૂટ લેવી પડતી હોય તો ઉપાય નથી! કાવ્યની રચના(Structure) અને કળા પણ દૂષિત છે.&lt;br /&gt;
હિંદુસ્તાનમાં જ્યારે હિંદુ-મુસલમાનને એક પ્રજા બનાવવાનો વિચાર સ્ફૂર્યો છે ત્યારે એ બન્ને જાતોએ પોતપોતાના પરસ્પરના વિગ્રહ ભૂલવા જોઈએ અને સાટે ભેગા મળી જે જે સેવા એમણે સરસ્વતી, કાર્તિકેય, વિશ્વકર્મા અને ઇન્દ્રદેવની કરી હોય તેનો લોકોમાં પ્રચાર કરી એખલાસ વધારવો જોઈએ. શિવાજી અને પ્રતાપનાં વીરત્વ જ્યાં લગી મુસલમાનોની વિરુદ્ધ બતાવાયાં હતાં એ વાત ભુલાઈ જાય નહીં તેમ જ એ વીરત્વની વીરત્વ તરીકે મુસલમાનો પણ કદર કરતા થાય નહીં ત્યાં સુધી એ વિશે મૌન ધરવું એ અમને મુત્સદ્દીગીરીનું લક્ષણ લાગે છે.&lt;br /&gt;
હિંદુઓ શિવાજી મહોત્સવ ઊજવે અને તેનાં વીરત્વનાં યશોગાન ગાય તો મુસલમાનો પણ ઔરંગઝેબનો મહોત્સવ ઊજવશે અને તેનાં જીવનનાં યશોગાન ગાશે.&lt;br /&gt;
બાબુ બંકિમચંદ્રે મુસલમાનોનાં જીવન ઘણી જ અધમતાભરેલાં આલેખ્યાં હતાં, ઘણા દેશભક્ત મુસલમાનોને એથી વ્યથા થઈ છે. ખુશીની વાત છે કે બંકિમચંદ્રે એવું જીવન દુરાચરણી ચીતર્યું હતું તે ઝેબુન્નિસાને રા. હરગોવન પ્રેમશંકર કવિએ યોગ્ય ન્યાય પોતાના ‘શિવાજી અને ઝેબુન્નિસા’ નામના કાવ્યમાં આપ્યો છે.&lt;br /&gt;
ગયા વર્ષના વિશિષ્ટ કાવ્યસાહિત્યનું અવલોકન કરતાં આગમચ સાહિત્યરત્ન, કાવ્યમંજરી અને કવિતાપ્રવેશ નામના સંગ્રહોની નોંધ લઈશું. રા. જીવાભાઈ પટેલે કાવ્યમંજરીમાં નરસિંહથી દયારામ સુધીના યુગના કાવ્યસાહિત્યમાંથી કેટલાંક સારાં કાવ્યો ગૂંથ્યાં છે. વિસ્તૃત ટિપ્પણથી દરેક કાવ્યનો શબ્દાર્થ અને હાર્દ બતાવવા સારો શ્રમ લીધો છે. પ્રાચીન કવિતાને ત્યારની કવિતાની ભાવનાથી તપાસવી હતી, અને તે ભાવનાને હાલની ભાવનાના સામ્યવૈષમ્યની ચર્ચા કરવી હતી. તેને બદલે રા. રમણભાઈના કવિત્વ વિશેના વિચારો પરથી લેખકે પ્રાચીન કવિતા મૂલવી છે. આથી પરીક્ષણ દૂષિત થયું છે. ગોવર્ધનરામની Inductive Criticism ની પદ્ધતિ અંગીકારી હોત તો સંગ્રહ કાંઈ નવું જ સ્વરૂપ અને તેજ દાખવત.&lt;br /&gt;
કાવ્યમાધુર્યકાર રા. હિંમતલાલ ગણેશજી અંજારિયાએ રા. કરીમમહમ્મદ માસ્તરની સહાયથી ‘કવિતાપ્રવેશ’ માં વિદ્યાર્થીઓને ગુજરાતી કવિતા ક્રમશઃ શીખવવા સરળ પડે એવાં કાવ્યોનો સંગ્રહ કર્યો છે. પ્રાચીન ગુજરાતી પદોના નમૂના આપ્યા છે. પીટીટ વગેરે પારસી શાયરોને પણ ઉદારતાથી સ્થાન આપ્યું છે.&lt;br /&gt;
શામળ, પ્રેમાનંદ અને ગિરધરનાં કવનોમાંથી હજુ પણ ઘણા કાવ્યખંડો લઈ શકાયા હોત. રા. રણછોડભાઈ ઉદયરામ, છોટાલાલ સેવકરામ, મનસુખ(ગંજનામુનો કર્તા), રા. ગણપતરામ રાજારામ, પ્રભૃતિનાં કાવ્યોથી પ્રવેશ કરાવવામાં સરળતા થાત. નર્મદાશંકરની કવિતાનું એક સ્વરૂપ – કુદરતવર્ણનનું સ્વરૂપ આ સંગ્રહમાં સ્થાન પામ્યું હોત તો સારું. કોષ ઘણો જ અપૂર્ણ છે. કાઠિયાવાડી દુહાઓ આખ્યાયિકા વિના આપ્યા છે, તેથી અર્થ સમજવાનું બનશે નહીં.&lt;br /&gt;
‘સાહિત્યરત્ન‘માં કાવ્ય, ગદ્ય અને નાટકનાં રત્નોનો સંગ્રહ છે. નિશાળોપયોગી બનાવવાનું હોવાથી બધાં જ રત્નો એમાં ન હોય તેમ એમાં સંગ્રહાયેલા ભાગ ‘રત્ન‘ પણ ન હોય એમ બનવું સહજ છે. છતાં પણ આપણા સાહિત્યનું એ ગ્રંથમાં સારું દર્શન થાય છે.&lt;br /&gt;
આ ત્રણે ગ્રંથોના ઉપોદ્ઘાતો સંતોષપ્રદ નથી.&lt;br /&gt;
રાજકોટની હિંદુકન્યાશાળા તરફથી દલપતકાવ્યમાંથી શાળોપયોગી ગરબીઓ સંગ્રહાઈ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.&lt;br /&gt;
આમ આપણા સાહિત્યની કદર વધતી જાય છે. આવા સંગ્રહોના અભ્યાસ વધતા જાય છે, અને પરિણામે કવિત્વ જીવનમાં ઊતરશે અથવા સુપ્ત સંસ્કારો જાગ્રત કરશે એવી આશા છે.&lt;br /&gt;
અંગ્રેજી વિદ્યાનો પ્રભાવ આપણા જીવન પર વધતો ને વધતો પડતો જાય છે તેમ તેમ સાહિત્યમાં પણ મહત્ત્વના ફેરફાર થતા જાય છે. પરદેશના વિચારો, રૂપો, દૃષ્ટિ આદિની કલમ લાવી અહીંનાં એવાં ઝાડોમાં દાખલ કરવામાં આવે છે. યુરોપીયન કાવ્યશાસ્ત્રની પરિભાષામાં જેને Romanticism કહે છે તેનો યુગ શરૂ થઈ ગયો છે. Romanticism એટલે શું? પ્રો. હેરકર્ડ કહે છે :&lt;br /&gt;
‘It was an extraordinary development of imaginative sensibility. At countless points the universe of sense and thought acquired a new potency of response and appeal to man, a new capacity of ministering to, and mingling with his richest, and intensest life.’&lt;br /&gt;
બંગાળમાં તો આ હિલચાલ પુરજોશમાં ચાલે છે. આપણે ત્યાં પણ નવીન સાહિત્ય એનું જ ફરજંદ છે છતાં પુરવેગ ત્યાં કરતાં નરમ છે. Romanticism નું મોટામાં મોટું ફળ ‘સરસ્વતીચંદ્ર’ છે.&lt;br /&gt;
કવિ નર્મદાશંકર અને દલપતરામથી જ આ નવા યુગની શરૂઆત થયેલી. ત્યાર પછી ગ્રેજ્યુએટ કવિઓના રા. નરસિંહરાવ દીવેટિયા અગ્રણી થયા. કુસુમમાલા અને હૃદયવીણા નામના બે કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ કર્યા પછી એમની કવિત્વધારા બંધ થઈ ગઈ હતી. વચમાં થોડાંક કાવ્યભાષાંતરો પ્રગટ કર્યાં હતાં. બે એક વર્ષથી પાછી એ ધારા છૂટેલી છે. પરન્તુ જે કવિતાઓ પ્રગટ થઈ છે તેમાં હૃદયવીણાનો જ સૂર છે. પ્રગતિ કે વિકાસ થયેલો લાગતો નથી. ઊલટું એમની શક્તિ હ્રાસ પામતી જણાય છે.&lt;br /&gt;
રા. નરસિંહરાવની કવિતાની ગુણપ્રશંસા અનેકવાર રા. રા. રમણભાઈ નીલકંઠે કરી છે, અને ગુજરાત પાસે એ રીતે એ કવિતાની કદર કરાવી છે.&lt;br /&gt;
રા. નરસિંહરાવની કવિતાની છાપ અનેક કાવ્યલેખકો ઉપર પડી છે. એમની કવિતામાં કેટલાક અંતર્ગત દોષો છે. તેમ એ દોષોને લીધે બીજાઓના હાથમાં એ જાતની કવિતા વધારે દૂષિત બને છે. ‘વિલાસિકા’નું અવલોકન કરતાં રા. નરસિંહરાવે તેમાં (૧) વૃથા તર્કતરંગ (૨) અવિશદતા – ક્લિષ્ટતા અને (૩) લાગણીની અવાસ્તવિકતાના દોષો રહેલા છે એમ બતાવ્યું હતું. આમાં (૪) નિષ્પ્રયોજન શબ્દો અને અલંકારો, (૫) શબવત્ અંગ્રેજીનાં અનુકરણ, (૬) છદ્મમૃદુતા, (૭) કલ્પના અને વિધાનની પુનરુક્તિ (૮) અસ્પષ્ટતા (want of precision) અને (૯) કલ્પના તથા કલાની પંગુતાના દોષો ઉમેરી લો. રા. નરસિંહરાવની કવિતામાં આ દોષો પગલે પગલે નથી જણાતા? દરેક સ્થળે બોધ મેળવવાની વૃત્તિ રસભંગ નથી કરતી? કવિત્વ ઘણીવાર કલ્પનાને બદલે ચાતુર્યથી મુગ્ધ નથી થતું? ‘દેશાભિમાન’ શબ્દથી ભડકનારામાંના રા. નરસિંહરાવ પણ એક હોય એમ લાગે છે. એમના સમગ્ર કાવ્યસંગ્રહમાં દેશાભિમાનનું એક પણ સારું કાવ્ય છે? જ્યાં સહેજસાજ ઉદ્ગાર કાઢ્યા છે તે કેટલા નિર્બળ છે? એમણે ઉદ્દીપન કરેલા ભાવો કેટલી બધી વાર અવાસ્તવિક અને અસ્વાભાવિક હોય છે? એમનાં પ્રકૃતિનાં અવલોકન પણ વાસ્તવિક હોય છે? એમનાં વર્ણનો કેટલાં થોડાં આબેહૂબ હોય છે? વર્ણનમાંથી આપોઆપ રસાનુભવ થાય છે? જે વિષયનું અમુક વસ્તુથી સૂચન કરવામાં આવે છે તેનું સ્વાભાવિક રીતે થવું જોઈએ તેવું સૂચન થાય છે? સૂચક અને સૂચિત વિષયોમાં દેખીતો વિરોધ નથી જણાતો? પ્રાસ સાચવતાં અર્થવિરોધ ઘણીવાર નથી થઈ જતો? આવેગ વિચ્છિન્ન થવાથી અને વિચાર સંસ્ખલન પામવાથી ક્ષોભ નથી ઊપજતો? મનુષ્યહૃદયના એમના અનુભવો ન્યૂન નથી લાગતા? કાવ્યનો અંત સ્વાભાવિક રીતે લાવવો, વિવેક વાપરી નકામા અંશો મૂકી દેવાથી અને અગત્યના અંશો પર ભાર મૂકવાથી કલા કેમ સુષ્ઠુ અને સુંદર બનાવવી વગેરે જાણતી બાબતો એમનાથી કેટલી વાર સચવાઈ છે? સંક્ષેપમાં એમની કવિતામાં intensity અને sincerity અતિશય ન્યૂન લાગે છે. કવેતાઈ બાની(poetic diction)નાં કિંમતી વસ્ત્રાલંકારથી શણગારેલી એમની કવિતા કવિત્વહીન હોવા છતાં સારાં કાવ્ય તરીકે ઘણીવાર આદર મેળવે છે. &amp;lt;ref&amp;gt;આ સંબંધમાં, અવકાશ મળ્યે ઉદાહરણસહિત સવિસ્તર વિવેચન પ્રગટ કરવાની ધારણા છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
મકરન્દની રસચર્ચાનું પણ યથાર્થ સમીક્ષણ કરવાની જરૂર છે. જેમ દલપતરામ, શામળ ભટ વગેરેને લીધે કવિતાના ખોટા ખ્યાલો ગુજરાતમાં પ્રચલિત થયા છે તેમ રા. નરસિંહરાવ અને રા. રમણભાઈને લીધે પણ કેટલાક ખોટા ખ્યાલો પ્રચારમાં આવતા જાય છે.&lt;br /&gt;
ગુજરાતે દક્ષિણની માફક સ્વરાજ્ય ગુમાવ્યું નહોતું એટલે ગુજરાતમાં નવા નવા યુગની રાજકીય ભાવનાઓ પ્રખર સ્વરૂપમાં જન્મી નહોતી. નાના પ્રકારના સાંસારિક રિવાજરસમોમાં કચરાતા ગુજરાતે સંસારસુધારણાનો અને તેની અંદર રહેલી ગૃહસુધારણાનો મહત્ત્વનો પ્રશ્ન ઉપાડી લીધો. ગૃહસુધારણામાં લગ્નનો પ્રશ્ન મોખરે આવ્યો. લગ્ન તે પ્રેમલગ્ન થવાં જોઈએ એ ભાવના જન્મી. ઈશ્ક(passion) અને સ્નેહનાં ગાન ગવાયાં. સૂફીવાદી કવિતાના અનુકરણમાં ઈશ્વરી સ્નેહ કે ઈશ્કનું દર્દ ગવાયું છે? અમને તો ઈશ્વરી સ્નેહના નામે ઈશ્કનું દર્દ જ ગવાયેલું લાગે છે. ગાનારાઓએ જાતે જ ટીકાઓ લખી ભ્રમ ઊભો કર્યો છે.&lt;br /&gt;
કલાપીએ પુરુષજીવનમાં સ્નેહશૂન્યતા પૂરનાર સ્નેહરાજ્ઞી મેળવવાની આર્ત્ત ચીસ અને પ્રલંબ રૂદન પોતાની કવિતામાં કર્યાં છે, અને એવા રૂદનના પડઘા હજુ પણ એમના અવસાન પછી ગુજરાતમાં બંધ પડ્યા નથી.&lt;br /&gt;
ઈશ્ક – સ્નેહશૂન્યતા પછી સ્નેહનું પુણ્યમય દર્શન થવું જોઈએ. તે દર્શન કરાવનાર રા. રા. નાનાલાલ દ. કવિ છે. ગોવર્ધનરામનાં સરસ્વતીચંદ્ર અને કુસુમ સ્નેહ ખાતર નહીં પરંતુ ધર્મ ખાતર પરણે છે. બીજા દેશોમાં તેઓ સખ્યભાવથી રહેત. અહીં લગ્નગ્રંથિ વિના એ સખ્યભાવ રાખવો મુશ્કેલ હોવાથી દેખાતો દાંપત્યભાવ એમણે સ્વીકાર્યો. બન્નેના જીવનમાં સ્નેહ તો શૂન્યતા પામી જાય છે, અથવા સ્નેહ છે જ નહીં.&lt;br /&gt;
કલાપી અને ગોવર્ધનરામની રૂરૂદિષા ઝીલી જગતનાં દુઃખોથી દબાતા રીબાતા લલિતે અશ્રુધારા વહેવડાવી છે. એ અશ્રુસ્નાનથી પાવન થઈ તેઓ ગૃહભાવનાં ગીતો લલકારે છે. સ્નેહ અને સંતતિ સ્ત્રીપુરુષના જીવનમાં કેવો પ્રકાશ લાવે છે તે सोहम् सोहम् અને साम्यના ભાવો મૂર્ત કરનારની કવિતા બતાવે છે. એમનાં દેશભક્તિનાં કાવ્યોમાં પણ આ જ ભાવો હોય છે. દેશમૈયાનાં બાળક તરીકે જ તેઓ દેશભક્તિની ધૂન જગાવે છે. હિંદુસ્તાનમાં કંપનીનું રાજ્ય મટી ઇંગ્લૅંડના રાજાઓનું રાજ્ય થયું તે બનાવને ૫૦ વર્ષ થયાં તે નિમિત્તે લખેલું એમનું કાવ્ય ‘રાજદંપતી’ને ઉદ્દેશી લખાયું હતું. એમની કવિતાનો હમણાં સંક્રાન્તિયુગ છે. છાતી ઉપરનો ઓથાર રૂંધણ કરતો મટ્યો છે, અને પાંખેના ફફડાટ સંભળાય છે. પરંતુ અજાણતાં શબ્દોની ભાવ વિનાની હાથચાલાકી ઘણીવાર થતી લાગે છે. એમની કવિતામાં લાલિત્ય, માર્દવ અને માધુર્ય છે. હૃદયને સ્પર્શી – હૃદયના તાર ઝણઝણાવી તેમાં સુપ્ત રહેલા અથવા તેને વિહ્વળ કરતા કરુણ ભાવો એમની કવિતામાં અનુકંપા પામી આશ્વાસન મેળવે છે.&lt;br /&gt;
આકાશમાં ઊડવા કરતાં એમને ઘરના છાપરા નીચેના ભારટીયા ઉપર બેસી ગાવાનું વધારે ગમે છે. અશ્રુકવિ મટી તેઓ ગૃહકવિ થવા વાંછે છે. હિંદુ ગૃહમાં સ્ત્રીપ્રતિષ્ઠા ઉન્નત કરવા તેઓ પ્રબોધે છે.&lt;br /&gt;
એમના ભજનિયામાં દીનતા, દયા, શ્રદ્ધા, અધીનતા છે.&lt;br /&gt;
એમણે લખ્યું છે ઘણું; પણ તેમાં સારાં કાવ્યોની સંખ્યા ઓછી છે. સૂર ઘણી વખત એકના એક જ હોવાથી એકતાનતા લાગે છે. ધીમે ધીમે ફેર પડતો જાય છે. ગૃહકાવ્યોના અનુપમ સૂરો જગાડશે એવી આશા છે.&lt;br /&gt;
ગૃહભાવના કવિ વિશે લખતાં એક વાતનો ઉલ્લેખ કરવો ઉચિત લાગે છે. આગળ ઉપર કહ્યું તેમ ગુજરાતમાં સંસાર – ઘર સુધારવા ઉપર લક્ષ વિશેષ અપાય છે. જો એ સંસ્કારી, વિશુદ્ધ, પવિત્ર અને સાત્ત્વિક થશે, રસ, વિચાર, ભાવનાથી છલબલશે તો જ આપણા પ્રજાજીવનના મહાપ્રશ્નો ઉકેલવામાં — નિરૂપવામાં અને અનુભવમાં ઉતારવામાં બિલકુલ મુશ્કેલી કે વિલંબ થશે નહીં.&lt;br /&gt;
‘આજકાલ દેશનું આત્મમાન સૂચવતી ‘સ્વરાજ્ય’ અને ‘સ્વદેશી’ની વીરહાક ચોપાસ વાગી રહી છે તે વચ્ચે થઈને આવતો હિન્દની અબળાનો રોઈ રોઈ બેસી ગયેલો સાદ પણ આપણે જરા વિશેષ કર્ણ દઈ સાંભળવો જોઈએ’ એ વાક્યો તેમ જ એના પ્રણેતા વિદ્વાને ટાંકેલો નીચલો અંગ્રેજી ઉતારો શું સૂચવે છે?&lt;br /&gt;
If a lesson is to be drawn it surely is that – as individuals there is on place like home, so with a state there is on institution like home; that a community can be great only where there are happy, harmonious and virtuous homes, and that homes can not be happy and haṛmonious and virtuous unless woman is accorded a worthy place in these homes, with freedom of action, with a consciousness of responsibility with the right, unfettered by circumstance or prejudice, to develop all that is best and noblest in her to the utmost perfection’(પ્રો. આનંદશંકર ધ્રુવ : નારીપ્રતિષ્ઠા, એ વિષયનું ઐતિહાસિક દર્શન.)&lt;br /&gt;
ગુજરાતના સાહિત્યનું – અર્થાત્ હૃદય અને મનનું લક્ષ ગૃહ અને ગૃહદેવી ઉન્નત બનાવવામાં જ પરોવાયેલું છે. પ્રાચીનકાળમાં પણ સંસ્કૃત સાહિત્યે ગુર્જરોના ગૃહોને વધાવ્યાં છે. મધ્યકાલમાં વૈરાગ્ય જ ગવાતો હતો ત્યારે પ્રેમાનંદે ગૃહભાવો ગાયા અને નવા જમાનામાં ગોવર્ધનરામ પણ એ જ ભાવો મૂર્તિમંત કરી આપણને સોંપી ગયા છે. ગૃહભાવોના ઉત્ક્રમણ(evolution) વિશે વિસ્તારથી લખાય એવું છે. પણ આ લઘુ લેખમાં તે અસ્થાને લેખાશે.&lt;br /&gt;
લલિત, રા. નાનાલાલ કવિ, રા. મૂળજી વેદ, પ્રભૃતિ કાવ્યલેખકો, બંધુસમાજ, રા. અમૃતલાલ પઢિયાર આદિ ગદ્યલેખકો પણ એ જ ભાવનાઓ તરફ આપણું હૃદય આકર્ષે છે. પ્રો. બળવંતરાય ઠાકોર જેવા વિદ્વાન પણ પોતાની અનેક દિશામાં ઘૂમતી સાહિત્યપ્રવૃત્તિને વિરમાવી સંસારના – નાતના – ઘરના પ્રશ્નોની મીમાંસા કરવામાં પડ્યા છે. સંસાર – ગૃહસુધારણા નરી બુદ્ધિથી નહીં પણ સાથે સાથે રસ ઉમેરી કરવી.&lt;br /&gt;
પણ આ રસની રેલમાં એટલું બધું નિમજ્જન થતું જાય છે કે આફ્રિકામાં જે વીરત્વ ગુજરાતનાં સંતાનો – નરનારીઓ દાખવે છે તે લેખકની પ્રતિભા ચમકાવતું નથી. ગુજરાતણો ત્યાં રજપૂતાણીઓ અને સ્પાર્ટન રમણીઓ જેવું હીર જેબાવે છે. હિંદુ મુસલમાન પારસી એક થઈ જઈ, જે ભૂમિમાં તેઓ જન્મ્યા છે તે ભૂમિનું ગૌરવ અધિક તીવ્ર ઓજસ્વી અને સાત્વિક બનાવે છે. પણ – પણ સરસ્વતીની વીણાના તારો એ કુરુક્ષેત્ર નિહાળતાં ધ્રૂજતા નથી. અમારાં સાહસ, વીરત્વ, પરાક્રમ, અર્પણ, જીવન, ક્યારે દેવી! ક્યારે વીણાના અને કંઠના મધુર સંગીતમાં રેલાવશો, એ સંગીતથી અમને હલમલાવશો – ઉત્તેજશો?&lt;br /&gt;
‘મોટી વાતોમાંથી Romance કે ઇતિહાસ હમણાં ગયાં છે; પણ નાની વાતોમાં બહુ રહ્યાં છે. x x x x ગુજરાતમાં હૃદય છે પણ બહાદુરી નથી : soft છે. Romanceનું એક અંગ છે : બીજું જગાડવું જોઈએ છીએ,’ એવી ભાવના જાગી છે એટલે નિરાશ થવાનું કારણ નથી.&lt;br /&gt;
રા. અરદેશર એમની ‘કાવ્ય રસિકા’માં દલપતરામના અનુયાયી બન્યા અને ‘પ્રકાશિકા’માં બેત્રણ ચરણોની ભેગી અસર તળે આવ્યા હોય એમ લાગે છે. આ કહેવાનું તાત્પર્ય એમ નથી કે એમની કવિતા ઉક્ત ચરણોની નકલ જ માત્ર છે, એમનો કવિત્વવારસો ક્યાંથી ઊતરી આવ્યા છે તે જ ફક્ત નિર્દેશવાનો ઉદ્દેશ છે. એમનું પોતાનું વ્યક્તિત્વ સ્પષ્ટ અને સબળ છે. એમણે નવા સૂર જગાડ્યા છે, તેમ દેશમાં ગવાતા સૂર પણ ઝીલ્યા છે.&lt;br /&gt;
સારી કવિતા લખવા અગાઉ ઘણી અજમાયશી કવિતા લખાય છે. આવી કવિતા કવિના જીવનચરિત્રમાં કે અવસાન પછી થયેલા કાવ્યસંગ્રહમાં પ્રસિદ્ધ થાય છે. અથવા અપ્રસિદ્ધ જ રહે છે. રા. અરદેશરે રા. નરસિંહરાવની માફક આ સૂત્રનું અનુકરણ નથી કર્યું એટલે એમનાં ત્રણે પુસ્તકમાં કેટલાંક નિર્માલ્ય કાવ્ય સ્થાન પામ્યાં છે. અજમાયશના કાળમાં કાવ્ય કરતાં પદ્યબંધ ઘણી વખત થઈ જાય છે. એમનાં કાવ્યો જોતાં કવિત્વનો દેહ એમને હાથે સારો બંધાતો અને અલંકૃત થતો લાગે છે; પરંતુ એ દેહમાં વસતો આત્મા પ્રફુલ વિકસે તો જ એમનું કવિત્વ ઝળકી ઊઠે.&lt;br /&gt;
દેહ ઘડતાં અનેક નવા છંદો – નવી ગરબીઓ એમણે રચ્યાં છે. કેટલીક ગરબીઓ જૂની છે–કાઠિયાવાડ તરફ પ્રચલિત છે, પરંતુ એમનાથી તો નવી જ રચાઈ છે. એમનાં ત્રણે કાવ્યસંગ્રહોના સમગ્ર દર્શનથી રા. અરદેશર ખબરદારને કવેતાઈ બાની (poetic diction) ઉપર સારો કાબૂ છે એમ લાગે છે. તરંગ(fancy) છે – કલ્પનાની છાંટ તેમાં ભરેલી છે. વિધાયક શક્તિ ખીલતી જાય છે. એ સર્વમાં વિચાર વધારે ને વધારે ભળશે તેમ તેમ ગાંભીર્ય વધશે. નવીનતા–ચમત્કાર, મનુષ્યના અંતરમાં નવો પ્રકાશ નાંખે એવો ચમત્કાર એમની કવિતામાં જરા ઓછો છે.&lt;br /&gt;
ભાષાની અને શૈલીની ક્લિષ્ટતા નથી : સરળતા છે. સચોટતા આવવી જોઈએ. ઘટ્ટ બંધારણ થવું જોઈએ. એમની કવિતાઓ શરૂઆતમાં ઘટ્ટ હોય છે, પછીથી ઓગળી જાય છે. એક જ વિચાર નવનવા દેહ ધારણ કરે છે એટલે વિચાર કે દેહના ચમત્કાર છૂટી પડે છે. ખૂબ વિચારે અને ઓછું લખે તો ઘણી વધારે સારી કવિતા લખી શકે એવાં ઉજમાળાં ચિહ્ન લાગે છે. વિચારો વધશે અને ખીલશે એટલે ચમત્કાર આવશે અને અનુકરણના અંશો હશે તેટલા એની મેળે જશે.&lt;br /&gt;
‘પ્રકાશિકા’માં સંગીતના અંશ ઊજળા છે. ભાવ પણ હૃદયાકર્ષી છે. ઉત્સાહ સર્વત્ર નજરે ચડે છે. ‘માતા અને તેનું બાળ,’ ‘બરાઈ,’ ‘હલદીઘાટ’ વગેરેમાં વિચાર કરતાં તરંગ અને ભાષાનું પ્રાધાન્ય વધારે છે. ‘અટુલી બાળા’ અને ‘દશરથ અને શ્રવણ વધ’ કલાપીનાં અનુકરણ છે. ‘અમારો દેશ’ અને ‘દેશભક્તની યાચના’ એ બે કાવ્યોમાં ઉત્સાહ અને શક્તિ છે, ગૌરવ અનુભવાય છે. બીજા દેશભક્તિનાં કાવ્યો કાં તો નિર્માલ્ય છે કે નરમ છે, તોપણ ‘અમે દેશી દેશી’ અને ‘ઓ  &amp;lt;ref&amp;gt;‘ઓ’ ને બદલે ‘આ’ હોત તો મજા અનેરી જ આવત.&amp;lt;/ref&amp;gt; દિવ્ય અમારો દેશ’ એવાં વચન કાઢનાર પારસી નરવીર માટે ગુજરાતને અને સમગ્ર હિંદને અભિમાન હોવું જોઈએ. ‘હિન્દના દાદાનું સ્વદેશાગમન’ ઘણું સારું છે. પ્રસંગને અનુકૂળ છંદ વાપર્યો છે. વિચાર, લાગણી અને ભાષા એકરસ થઈ ગયાં છે – spiritથી રસબોળ થયાં છે. રા. અ. ફ. ખબરદારના કવિત્વના શુભ અંશો એમાં પ્રતીત થાય છે. આવું જ સારું કાવ્ય ‘આંસુડાં’ નામનું છે. પરંતુ લંબાણ જરા વિશેષ થઈ ગયું છે. ‘બહેનને આંગણે,’ ‘હાલરડું,’ ‘નવરાજનાં વધામણાં,’ ‘દિવ્યરથ,’ ‘વિદાય,’ ‘વહાલાની વેણુ,’ ‘ગોપિકા,’ ‘બંસરી,’ ‘વિયોગ,’ ‘નભગંગા,’ એટલાં સારાં કાવ્યો આ સંગ્રહમાં છે.&lt;br /&gt;
નવી ગરબીઓમાંની કેટલીક રસભરી છે. ખંડ હરિગીત ઉત્સાહપૂર્ણ છે – spirited છે. શિખરિણીના નવા યોજેલા પ્રસ્તાવ પણ રસપ્રપૂર્ણ છે.&lt;br /&gt;
પરંતુ કહેવું જોઈએ કે ‘પ્રકાશિકા’ કરતાં ‘વિલાસિકા’ માં એમની કવિતાનો વધારે સારો રસાનુભવ થાય છે.&lt;br /&gt;
રા. અરદેશર ખબરદાર આર્યસમાજના અનુયાયી છે. તેઓ પારસી કરતાં હિંદુ વધારે છે. હિંદુ પુરાણોમાંથી કાવ્યયોગ્ય વસ્તુ લે છે; પારસી તવારીખ કે ધર્મશાસ્ત્રમાંથી નહીં. કૉંગ્રેસના એક મુખ્ય અગ્રણી સર ફિરોજશાહ મહેતા માટે એમનું હૃદય આંદોલિત થાય છે. પરંતુ જુદ્દીન ઝઘડો એમને જરા પણ ક્ષુબ્ધ કરતો નથી. ‘ગોપિકા’ અને ‘બંસરી’ નાં કાવ્યો લખનાર પારસી સન્નારીનું જીવન આલેખતા નથી.&lt;br /&gt;
રા. નાનાલાલ દલપતરામ કવિનો એક કાવ્યસંગ્રહ ગયે વર્ષે પ્રકટ થયો હતો. તે આગમચ ‘કેટલાંક કાવ્યો’ના અભિધાનવાળો કાવ્યસંગ્રહ અને ‘વસન્તોત્સવ’ નામનું ખંડકાવ્ય પ્રગટ થયાં હતાં. રા. નાનાલાલની કવિતા વિશે રા. મણિશંકર રત્નજી ભટ્ટ, રા. નરસિંહરાવ ભોળાનાથ, રા. રમણભાઈ મહીપતરામ, રા. કેશવલાલ હ. ધ્રુવ, રા. ઠાકોરલાલ હરિલાલ અને આ લેખના લખનારે પ્રસંગોપાત વિવેચન કરેલાં છે. ‘વસન્તોત્સવ’ ‘જ્ઞાનસુધા‘માં છપાયું ત્યારે રા. નરસિંહરાવે એના પર વિવેચન કર્યું હતું અને ગયે વર્ષે રા. ભાઈશંકર કુબેરજીએ&amp;lt;ref&amp;gt;‘વસન્ત’ પૃ. ૭, અંક ૧૦, ૧૧&amp;lt;/ref&amp;gt; ‘વસન્ત’માં એ કાવ્યનું હાર્દ ખોટી રીતે ઉકેલ્યું હતું. ‘જ્ઞાનસુધા’માં &amp;lt;ref&amp;gt;‘જ્ઞાનસુધા,’ માર્ચ ૧૯૦૯&amp;lt;/ref&amp;gt; એમની ટીકાનો થોડોક (માત્ર અર્પણપત્રિકાનો) વાસ્તવ જવાબ મળી ગયો છે, અને પૂરેપૂરો મળશે એવી આશા છે.&lt;br /&gt;
રા. નાનાલાલની કવિતા ધ્વન્યાત્મક છે અને એમાં રહેલા ધ્વનિનો રસાનુભવ જેમ વિશેષ તેમ આનંદ પણ ઉન્નત અને ચિરસ્થાયી. ‘વસંતોત્સવ’ ધ્વન્યાત્મક ખંડકાવ્ય છે. વસન્ત એટલે નવજીવન. સવિસ્તર ચર્ચા આ લઘુ લેખમાં કરવી યોગ્ય નથી માટે બીજે કોઈ પ્રસંગે રા. નાનાલાલની કવિતામાં રહેલાં સૌંદર્ય, રસ, પ્રસાદ, પ્રતાપ, સંદેશા આદિની ગુજરાતને પીછાન કરાવીશું.&lt;br /&gt;
રા. નાનાલાલ રસપ્રદેશના બંડખોર જેવા સંકુચિત જીવનના કેટલાક પુરુષોને લાગે. પરન્તુ એવો દિવસ આવશે કે રસની રેલ તો વિરલ કવિહૃદયની પ્રસાદીમાંથી જ વહે છે એવું ગુજરાત કબૂલશે. રસનું પુણ્યમય, સાત્ત્વિક અને પ્રતાપી દર્શન તો એમની જ કવિતામાં થાય છે. કલાનું પણ સુઘટ અને સુષ્ઠુ દર્શન એ કવિતા કરાવે છે.&lt;br /&gt;
ભેદના પ્રશ્ન, યૌવના, માફ કરજે બાલા! સૌભાગ્યવતી, વિલાસની શોભા, રાજવીર, રાજયુવરાજને સત્કાર આદિ કાવ્યોના ધ્વનિ અને સંદેશાવિસ્તારથી સ્ફૂટ કરવાનો આ લેખમાં પ્રસંગ હોવાથી સામાન્ય કથન કરી સંતોષ પામશું.&lt;br /&gt;
યૌવના, સૌભાગ્યવતી કે રાજવીર જેવાં ચિત્રકાવ્યોમાં જે જે આનુષંગિક સામગ્રી આલેખી છે તે ધ્યાનમાં લેવાથી મૂળ ચિત્ર સંબંધે ઊઠતા ધ્વનિ સમજાશે અને કાવ્યનું કવિત્વ આનંદ ઉપજાવશે. કેટલાંક ગીતોમાં લગ્નનો પ્રશ્ન છે : લગ્નમાં સ્નેહ – પુણ્યમય સ્નેહને સ્થાન હોવું જોઈએ એ પ્રશ્ન છે. આપણી લગ્નતિથિ, પુનર્લગ્ન, વર્ધમાનપુરી, વિલાસની શોભા, સૌભાગ્યવતી આદિ કાવ્યોમાં કવિનો દાંપત્યસ્નેહ ઝળહળી ઊઠે છે.&lt;br /&gt;
રા. નાનાલાલની કવિતામાં રહેલા આશાવાદ, ગંભીર વિચારો, ઉત્કટ કે સરળ રસ, લલિત અને યોગ્ય પદાવલિ, મનોહર લય, દૂરગામી કલ્પના તીવ્ર અને સતેજ ધાર્મિકતા, એ કવિતાના વાંચનારને આનંદ આપ્યા વિના રહેતાં નથી.&lt;br /&gt;
લાઠી ઠાકોર સુરસિંહની કવિતા ગુજરાત વધાવ્યે જાય છે એ આનંદની વાત છે. સરળ ભાષા અને લાગણીમાં જે કવન એણે ગાયું છે તે ગુજરાતનાં સ્ત્રીપુરુષોનાં હૃદયમાં સમભાવ પામ્યું છે. સાગરના ભાષ્યથી તેમ જ રા. મોહનલાલ દવે કે રા. ચંદ્રશંકર પંડ્યા કે રા. અતિસુખશંકર ત્રિવેદી આદિનાં વિવેચનથી એ ‘કેકારવ’ વધુ ને વધુ લોકપ્રિય થશે.&lt;br /&gt;
નવી કવિતા નવી હોવાથી એનો આદરસત્કાર કરતાં પક્ષાપક્ષી કે મતાંતર સ્વાભાવિક રીતે જન્મ્યાં છે. રા. કમળાશંકર અને રા. તનસુખરામ ત્રિપાઠીની કવિત્વભાવના જુદી હોવાથી નવી કવિતા યથેચ્છ આદરસત્કાર કરનારાઓની ભાવના સાથે તેમનો મેળ નથી ખાતો. પરંતુ અંગ્રેજી કેળવણીના પ્રસાર સાથે, અંગ્રેજી રાજ્યને લીધે જન્મતી રાજકીય, સાંસારિક, ધાર્મિક ભાવનાઓને લીધે, પ્રજાના જીવનમાં નવા cultureની વ્યાપૃતિ થવાથી નવી કવિતા ગુજરાત સત્કારશે એવી અમારી તો દૃઢ પ્રતીતિ છે. સંરક્ષક અને ઉદાર પ્રાગતિક બંનેના સંઘર્ષણથી શુદ્ધ કાંચન કસાય છે અને તેની યોગ્ય કદર દુનિયા કરે છે. પ્રાગતિકોમાં પણ સંરક્ષક વૃત્તિ જન્મે છે તો સંરક્ષકો વધારે સંરક્ષક બને એમાં નવાઈ નથી. રા. નરસિંહરાવ અને રા. રમણભાઈ જેવા એક વખત પ્રાગતિક સુધારક લેખાતા વિદ્વાનો પોતાથી આગળ વધેલાની તરફ મક્કમ સંરક્ષકપણું બતાવે તો જૂના સંરક્ષકો નવામાં નવી થયેલી પ્રગતિથી દૂર નાસે અને તેના તરફ હવામાં તરવાર ઉછાળે એ બનવા જેવું છે. જૂનું એટલું બધું ટકવાનું નથી તેમ નવું એટલું બધું સત્કારવાનું નથી પણ બન્નેમાં રહેલા ઉપયોગી અંશો સ્વીકારાય છે તેમ સાહિત્યમાં પણ થશે. રાજકીય વિષયોમાં વ્યક્તિવાદ જેમ જેમ સ્વીકારાતો જશે તેમ જીવનના બીજા પ્રદેશોમાં પણ તેનો પ્રભાવ પડશે અને વ્યક્તિગત પ્રતાપની કદર ઉદાર હૃદયથી કરવી પડશે.&lt;br /&gt;
જગતમાં જન્મ, બાલ્ય, યૌવન છે તેમ વાર્ધક્ય અને મરણ પણ છે. ગયે વર્ષે આપણી સાક્ષર સેવા કરતાં કોણ કોણ ઇહજીવનમાંથી ચાલ્યા ગયા?&lt;br /&gt;
કચ્છના મહારાજાશ્રીના પ્રાઈવેટ સેક્રેટરી રા. રા. છોટાલાલ સેવકરામ પોતાની જ્ઞાતિના વેદાંતી અખા જેવા વેદાંતી હતા; મનસુખરામ સૂર્યરામના સ્નેહી હતા. કાવ્ય ઉપરાંત કોશ, ઇતિહાસ આદિ પ્રદેશોમાં પણ તેઓ ઘૂમ્યા હતા. એમની કવિતા જૂની ઢબની હતી છતાં ઊછળતી, ભેદતી હતી.&lt;br /&gt;
કચ્છના રેવન્યુ કમિશનર મિ. સચેદીના નાનજીઆણી ખોજા કોમના વિદ્વાન ગુજરાતી લેખક હતા. ‘ખોજાવૃત્તાંત,’ ‘ધર્મની સત્યતા,’ ‘સુખસન્માર્ગ,’ ‘મુક્તિદર્શક આખ્યાન’ આદિ એમની કૃતિ છે. એમનાં વિશાળ વાંચન, શોધક બુદ્ધિ અને ચિંતન આ ગ્રંથોમાં સ્પષ્ટ થાય છે. એમના દૃષ્ટાંતથી અનેક ખોજાઓ – મેમણો – વોરાઓ ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ કરવા ઉત્તેજાશે એવી આશા છે.&lt;br /&gt;
આ બન્ને પુખ્ત ઉંમરે પહોંચેલા ગૃહસ્થો હતા. પરંતુ ડૉ. હરિલાલ હ. ધ્રુવના જ્યેષ્ઠ પુત્ર રા. નરસિંહરાવ હ. ધ્રુવ ૨૫ વર્ષ પણ પૂરાં કરી શક્યા નથી. મુંબઈમાં મરકીથી યૌવન, આશા, ઉત્સાહમાં ઊછળતો એમનો દેહ અવસાન પામ્યો અને એમના અનેક મનોરથો ભાંગી પડ્યા. ‘ઊજળા વિશ્વના અન્ધ એકાન્તે પ્રજળતી,’ તરછોડાયેલી, નિરર્થક લેખાયેલી, ઉત્સાહિની તરુણ બાળાને લગ્નગ્રંથિથી વૈધવ્યમાંથી ઉદ્ધારી હતી. તેના સુપ્ત સંસ્કાર જગાવી સાહિત્યક્ષેત્રમાં તે સંસ્કારો દર્શાવવા તેને પ્રવૃત્ત કરી હતી. એમના જીવનના આ પ્રસંગથી એમની કવિત્વધારા છૂટેલી અને ઝમક દાખવી ગયેલી. શરૂઆતમાં એમની કવિતા એમના પિતાના અનેક દોષોથી ભરેલી હતી. પણ ધીમે ધીમે એઓ રા. નાનાલાલના ચરણ ભણી વળ્યા હતા. કવિતાનો દેહ એ ચરણની ઘાટી પર બાંધતાં શીખતા હતા; અને એ દેશમાં પધરાવવાની મૂર્તિ પણ તેજ ઝળકતી હતી એવામાં એમનું જીવન ખરી પડ્યું. બંગાળી સાહિત્યના વિશાળ અને ગંભીર અભ્યાસી હતા. ગુજરાત બંગાળ જેવું બનાવવા – ગુજરાતી સાહિત્ય બંગાળી સાહિત્ય જેવું સમૃદ્ધ કરવા અભિલાષ રાખતા. એમણે ‘વન્દેમાતરમ્’નું ભાષાંતર કર્યું હતું. બંગાળી વાર્તાનાં ભાષાંતર કર્યાં હતાં. એ પદ્ધતિ ઉપર નવી વાર્તા રચવા માંડી હતી. પરંતુ બેત્રણ સિવાય બીજી લખાઈ નહોતી.&lt;br /&gt;
પોતાના પિતાનું જીવનચરિત્ર લખવા અતિશય હોંશ હતી. જે જે પ્રદેશમાં પિતા ઘૂમેલા તે તે પ્રદેશનો અભ્યાસ પણ આરંભેલો. આથી એમના પિતાની માફક શક્તિ વિશીર્ણ થયેલી – વિકસેલી નહીં. પોતાના પિતાના અવસાન પછી તેમનું ‘ચંદ્ર’ માસિક થોડા વર્ષ ચાલી બંધ પડેલું તે એમણે પાછું ‘સાહિત્ય’- ને નામે દોઢ પોણા બે વર્ષ સુધી ચલાવ્યું હતું. ત્યાર પછી ‘જ્યોતિ’ના નામથી શરૂ કરેલું માસિક ત્રણચાર મહિના ચાલ્યું હતું. મરવા આગમચ સચિત્ર ‘જ્યોતિ’ કાઢવાની યોજના અને વ્યવસ્થા કરી હતી. પહેલો અંક લગભગ છપાઈ તૈયાર પણ થયો હતો.&lt;br /&gt;
ગુજરાતી ભાષાના હિંદુ, પારસી, જૈન, મુસલમાન સેવકોમાં એખલાસ (entente) વધારવાની હિલચાલ એમણે શરૂ કરી હતી. એઓ અરવિંદ અભિનવ, નરહરિ ધ્રુવ, શ્રીનારાયણ, અનુકૂલચંદ્ર પુરાણી આદિ અનેક તખલ્લુસથી લખતા, સંસાર અને ધર્મની સુધારણા માટે તીવ્ર આગ્રહ એમને હતો. બ્રહ્મસમાજના તેઓ અનુયાયી થયા હતા.&lt;br /&gt;
ગયે વર્ષે ગુ. વ. સોસાયટી તરફથી રા. રા. કમળાશંકર પ્રો. ત્રિવેદીનો ‘શાંકરભાષ્યાનુવાદ’ પહેલો ભાગ પ્રગટ થયો છે. ‘મહાકાળ’માં પ્રો. કણીઆનું શાંકરભાષ્ય ભાષાંતર પ્રગટ થાય છે. રા. રા. હીરાલાલ શ્રોફે ઉઠાવેલા પ્રશ્નનો(સદ્ગુરુ કોણ હોઈ શકે? ગૃહસ્થ કે સંન્યાસી) ઉત્તર હજુ એમના તરફથી અપાયો નથી.&lt;br /&gt;
રા. રા. અમૃતલાલ સુંદરજી પઢિયારના ગ્રંથોમાં જૂનાની નવી આવૃત્તિ નીકળતી જાય છે અને નવા પ્રકટ થતા જાય છે.&lt;br /&gt;
આમ આપણે સાહિત્યને પોષવાં – ઉછેરવા મશગૂલ છીએ. પરંતું સંગીત આદિ સાહિત્યના સહોદરો પ્રત્યે લક્ષ નથી. સંગીતનાં તત્ત્વો વિશેની ચર્ચા રા. નરસિંહરાવ દિવેટિયા અને રા. ગણપતરાવ બર્વે વચ્ચે ઊભી થઈ છે. રા. અરદેશરે નવી ગરબીઓ આપી છે. રા. લલિત, રા. નાનાલાલ આપણને જૂના રાગો નવા આત્માથી ભરેલા આપે છે. ભાવનગરના નરેન્દ્ર સર ભાવસિંહજી નવનવી સારીગમ ઊપજાવે છે. તેમાં ઊંચો રસ વહી શકે એવી પણ કેટલીક હોય છે. ‘સેવાસદન’માં ભજન થાય છે એટલે નવા–જૂના રાગો અને કવિત્વનો પ્રસાર મુંબઈમાં થવાનો સંભવ છે. બાકી તો સામાન્યતઃ સંગીત એટલે નાટકી ગાયનો, અથવા ઉસ્તાદી નસફુલામણી. બીટહોવન, વેગ્નર વગેરે સુવિખ્યાત પાશ્ચાત્ય ગવૈયાઓ જેવા ગવૈયા ગુજરાતમાં ક્યારે થશે?&lt;br /&gt;
ચિત્રકળા ઉપર પણ કાંઈ પણ લક્ષ અપાતું નથી. રવિ વર્માની પાશ્ચાત્ય ચિત્રકળાએ આપણને મુગ્ધ કરી દીધા એટલું જ નહીં પણ નાનાવિધની રસિક કળાઓ એના પ્રભાવ નીચે ચાલી ગઈ છે. ધુરંધર એ જ ચરણનો દક્ષિણી ચિત્રકાર અને મહાત્રે દક્ષિણી શિલ્પી છે. ભેદવાર જ ફક્ત કિરણાલેખની કળામાં કવિત્વ પ્રગટાવતો ગુજરાતી છે. બંગાળામાં દેશજ ચિત્રકળા જન્મી છે અને સત્કારાઈ છે. એવો રસ કે ભાવના આપણા જીવનમાં ઊતર્યાં નથી —જાગ્યાં નથી.&lt;br /&gt;
દરેક ગામમાં મકાનો બંધાયાં જાય છે પરંતુ સ્થાપત્યની સુંદરતા, રસિકતા ક્યાંયે અનુભવાતી નથી. &lt;br /&gt;
સ્ત્રૈણ રસિકતા કેળવાતી જાય છે – સૂક્ષ્મ થતી જાય છે. ભારે, બેડોળ દાગીનાને બદલે નાજુક, નકશીદાર, મનોહર અલંકારો પહેરાય છે. એમના પોષાકમાં પણ રસ આવતો જાય છે. આંતર જીવન રસથી રેલાતું જશે તેમ તેમ બાહ્ય સુંદરતા પણ ખીલશે.&lt;br /&gt;
ગુજરાતમાં હજી સંતોષ નથી, વધારે અને સારાને માટે તૃષા છે : એ વિકાસની ઉત્કંઠા છે.&lt;br /&gt;
હજી રસમાં પગ માંડીએ છીએ : એ રસ જીવનમાં ઊતરશે ત્યારે અન્ય દિશાઓ પણ ઊઘડશે. દૃષ્ટિસીમાને છેડો નથી, આપણે હજી થાક્યાં નથી.&lt;br /&gt;
આપણું યૌવન ઊછળતું; આગ્રહ નિશ્ચયશક્તિવંતું છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
એપ્રિલ ૧૯૭૯ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = શુદ્ધ ગુજરાતી ભાષા સામે પારસીઓની ફરિયાદની તપાસ&lt;br /&gt;
|next = કાર્યનો પ્રદેશ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6&amp;diff=111475</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાત કેળવણી પરિષદ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6&amp;diff=111475"/>
		<updated>2026-05-30T03:39:55Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગુજરાત કેળવણી પરિષદ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભારતવર્ષમાં જે પ્રજાની આણ ઓજ વર્તે છે તે આત્મશાસક પ્રજા છે. ભારતવર્ષના રાજ્યવહીવટમાં–પ્રજાશાસનના તત્ત્વને તેમણે સ્થાન આપ્યું છે. પ્રસંગો હવે એવા આવતા જાય છે કે બ્રિટિશ સામ્રાજ્યમાં ભારતવર્ષને સામ્રાજ્યનાં બીજાં અંગો જેવું સ્થાન પ્રાપ્ત થશે. એ અંગો પ્રજાશાસક છે અને ભારતવર્ષ નથી એટલે આજ દિન લગી ભારતવર્ષની ઉપેક્ષા કરવામાં આવી છે. યુરોપના વર્તમાન કુરુક્ષેત્રમાં ભારતવર્ષનાં સંતાનોના રેડાયેલા લોહીથી એ ઉપેક્ષા કમી થઈ છે. સામ્રાજ્યકુટુંબમાં ભારતવર્ષનો ગૌરવભર્યો આદર થાય માટે એણે પ્રજાશાસક થવું ઘટે છે. શાસનનું મૂલ્ય પ્રજા પીછાનતી હોય, શાસન પર પ્રભાવ પાડવા આતુર હોય અને શાસન હાથમાં લેવા યોગ્ય, સંપન્ન અને શક્તિવાળી હોય તો જ પ્રજાશાસનનો નિર્વાહ થઈ શકે છે. ઇષ્ટાપત્તિ માટે ભારતવર્ષની સમગ્ર પ્રજાએ યોગ્યતા પ્રાપ્ત કરવાની છે. ભારતવર્ષ વિસ્તીર્ણ ખંડ જેવડો દેશ છે તેથી સમગ્રની સંકલના કરનારી હિલચાલની સાથે સાથે સમગ્રનાં અવયવો ચેતનવંતાં કરવાની હિલચાલો પણ થવી જોઈએ. એ અવયવો તે જુદા જુદા પ્રાંતો છે. સર્વની પરિસ્થિતિ પ્રમાણે લોકજીવન જાગૃત કરવા નાનાવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. પ્રાંતિક રાજદ્વારી પરિષદ, જિલ્લા રાજદ્વારી પરિષદ, સાહિત્યસંમેલન, વિદ્યાર્થીસંમેલન, સામાજિક સુધારણા પરિષદ, કેળવણી પરિષદ, પંડિત પરિષદ, પ્રાંતીય પરિષદ (આન્ધ્ર અથવા ઉત્કલ પરિષદ જેવી) વગેરે અનેક ચળવળોનાં મોજાં ભારતવર્ષના વિવિધ પ્રદેશોમાં ઊછળી રહ્યાં છે.&lt;br /&gt;
ગુજરાત ભારતવર્ષનું એક અવયવ છે. ઉદ્યોગ અને વ્યાપારમાં તેનાં સંતાનોની નિપુણતાથી ભારતવર્ષના વર્તમાન જીવનમાં તેનું સ્થાન મહત્ત્વનું છે. તેથી પ્રખર કર્તવ્ય માટે તે નિર્માણ થયેલો છે. એ કર્તવ્ય કરવાની તેની શક્તિ ખીલવવી અને કર્તવ્ય કરવાના પ્રસંગો ઉત્પન્ન કરવા એ ગુજરાતીઓની ફરજ છે.&lt;br /&gt;
ભારતવર્ષના બીજા બધા રાજદ્વારી પ્રાંતો કરતાં ગુજરાતની પરિસ્થિતિ તદ્દન નિરાળી અને વિષમ છે. જેટલો ગુજરાત બ્રિટિશ સત્તામાં છે તેનાથી સાડાપાંચ ગણો દેશી રાજ્યોને અધીન છે. દેશી રાજ્યોના વિસ્તાર પણ નાનામોટા છે – મૂંઝવે એવા છે. એમની પ્રગતિ પણ એવી જ નિરાશ કરે એવી છે. વડોદરા જેવું રાજ્ય ઘણી દિશામાં પ્રગતિમાન છે તો કચ્છ જેવું એટલું જ વિશાળ રાજ્ય હજુ પ્રગતિથી દૂર—ઘણું જ દૂર છે. બ્રિટિશ રાજ્યમાં પ્રજાની સત્તા વધતી જાય છે ત્યારે દેશી રાજ્યોમાં હતી તેટલી સત્તા પણ પ્રજાની ઘટતી જાય છે. છતાં દેશી રાજ્યો ધારે તો ગુજરાતને ગૌરવાન્વિત કરવામાં આગેવાની લઈ શકે એમ છે.&lt;br /&gt;
વસ્તુસ્થિતિ આવી વિષમ છે. પ્રગતિની ગતિમાં પાછળ રહી જવાની તીવ્ર દહેશત પણ લાગે છે; છતાં ગુજરાતના આગેવાનોમાં અને યુવાનોમાં ઉત્સાહ છે. એ ઉત્સાહ કાર્યપરાયણ થતો જાય છે તો કોઈ દિવસ કાર્યસાધક પણ નીવડશે.&lt;br /&gt;
અનેક રાજ્યવહીવટવાળા ગુજરાતમાં સર્વત્ર ફરી વળે એવી રાજદ્વારી પ્રવૃત્તિ શક્ય નથી. ધર્મ અને સંસારના ભેદો પણ એકતા સાધવામાં વિરોધ કરે એવા છે. આમ હોવાથી, જે વસ્તુનો ગુજરાતમાં સર્વત્ર પ્રસાર અને આદર હોય તેના અન્વયે પ્રજાકીય પ્રવૃત્તિ ચલાવી હોય તો લાભ થાય. ગુજરાતી ભાષા સમસ્ત ગુજરાતમાં બોલાય છે. તેનો અને તેના સાહિત્યનો પ્રવેશ સર્વત્ર છે. અમદાવાદની સાહિત્યસભા દ્વારા તેથી ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ થયો અને એ હિલચાલ ગુજરાતમાં બધે ફરી વળી છે. પરંતુ પ્રજાજીવનના પ્રશ્નો એટલા બધા છે – સંખ્યા મોટી છે, વિવિધ છે, વિષમ છે કે એક પ્રવૃત્તિ બસ નથી. આથી ભાષા જેવા સર્વમાન્ય વિષય કેળવણીપરત્વે પણ વાર્ષિક સંમેલન ભરવાની સૂચના સાહિત્યસભા સંમુખ ઈ. સ. ૧૯૦૯ માં રજૂ થઈ હતી. પરંતુ કેટલાંક કારણોસર તેનો અમલ થઈ શક્યો નહોતો પણ રાજકોટની ત્રીજી સાહિત્ય પરિષદના કાર્યક્રમમાં કેળવણીના ઘણા વિષયોને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી ગયે વર્ષે મે મહિનામાં સુરતમાં સાહિત્ય પરિષદનું પાંચમું અધિવેશન થયું. ત્યાં ફરજિયાત કેળવણી, કન્યાકેળવણી આદિ પ્રશ્નો ચર્ચવા કે નહીં એ સવાલ થયો. આખરે એમ કર્યું કે સાહિત્ય પરિષદમાં કેળવણીના પ્રશ્નોને સ્થાન ન આપવું અને જરૂર લાગે તો કેળવણી સંબંધમાં અલાયદી પરિષદ યોજવી. સાહિત્યસભાના જે સભાસદો ત્યાં હાજર હતા તેમને આ વાત રુચી. અમદાવાદ જઈ એમણે સાહિત્યસભા દ્વારા કન્યાકેળવણી માટે પ્રશ્નાવલિ તૈયાર કરી ગુજરાતમાં ફેરવી. ગઈ નાતાલમાં એઓ કૉંગ્રેસમાં મુંબઈ આવ્યા ત્યારે મુંબઈના કેટલાક ગુજરાતી યુવાનો સાથે મસલત થતાં અલાયદી કેળવણી પરિષદ યોજવાની જરૂર ફરીથી સ્વીકારાઈ. વખત વહેતો હતો ત્યાં અમદાવાદમાં ગોખલે સોસાયટીની સ્થાપના થઈ. હિન્દ સેવક સમાજ (Servants of India Society)ના યુવાન ગુજરાતી સભ્ય રા. રા. ઇંદુલાલ કનૈયાલાલ યાજ્ઞિક એવામાં અમદાવાદ ગયા અને ગોખલે સોસાયટી (જેના કેટલાક આગેવાનો સાહિત્યસભાવાળા સભાસદ છે) સમક્ષ આ પ્રશ્નનો ઉહાપોહ થયો અને આગામી પ્રાંતિક રાજદ્વારી પરિષદની સાથે પહેલી કેળવણી પરિષદ ભરવાનું નક્કી થયું. ઑક્ટોબરમાં તેનું સંમેલન થશે અને પ્રમુખસ્થાને ઑનરેબલ મિ. ચિમનલાલ હરીલાલ સેતલવાડ બિરાજશે.&lt;br /&gt;
જેમ જેમ સંમેલનો થતાં જશે તેમ તેમ પરિષદનો ઉદ્દેશ સ્પષ્ટ થતો જશે, આકાર પામતો જશે અને કાર્યપ્રદેશ વ્યવહારુ થતો જશે. આમ છતાં ઉદ્દેશ અને કાર્યપ્રદેશ સંબંધમાં કંઈક કહેવાનું પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
આ ચળવળને ગુજરાત કેળવણી પરિષદનું અભિધાન આપવામાં આવ્યું છે. કોઈ સવાલ કરશે કે કેળવણીનો પ્રશ્ન ભાષા અને સાહિત્ય જેવો એકદેશી નથી, સર્વદેશી છે – માત્ર ગુજરાતને જ લાગુ પડે છે એમ નથી પણ આખા મુંબઈ ઇલાકાને લાગુ પડે છે તો પછી પ્રાન્તિક રાજદ્વારી પરિષદ જેવી પ્રાંતિક કેળવણી પરિષદ ભરવાને બદલે ગુજરાત કેળવણી પરિષદ શા માટે ભરવી? આ ગંભીર સવાલનો ખુલાસો સવિસ્તર કરવો પડશે.&lt;br /&gt;
(૧) ગુજરાત કેળવણી પરિષદ મળવાથી પ્રાંતિક કેળવણી પરિષદની આવશ્યકતા મટી જતી નથી. મુંબઈમાં એ સંબંધમાં હિલચાલ પણ શરૂ થઈ છે. બે વચ્ચે વિરોધ નથી પણ અન્યોન્યને સહાયક થઈ શકશે. દેશ સમગ્રમાં ચેતન જગાવવા તેનાં નાનાં નાનાં અંગોમાં પણ નાનીમોટી પ્રવૃત્તિઓ સંચલિત કરવાનું સૂત્ર જેમને માન્ય હોય તેઓ આથી રાજી થશે.&lt;br /&gt;
(૨) આથી મહત્ત્વના હેતુઓ પણ ગુજરાત કેળવણી પરિષદના પ્રેરક છે.&lt;br /&gt;
ક. ગુજરાત વેપાર અને ઉદ્યોગની ભૂમિ છે. વર્તમાન યુગમાં પ્રજાજીવનમાં એ બેનું સ્થાન ઘણું જ આવશ્યક અને ઉપયોગી છે. રાજદ્વારી પરતંત્રતા કરતાં આર્થિક(વેપાર-ઉદ્યોગની) પરતંત્રતા અધિક હાનિપ્રદ નીવડે છે. ભારતવર્ષ જેવા વિશાળ પ્રદેશ ઉપર પ્રકૃતિ પ્રસન્ન છતાં – પ્રસન્નતાને લીધે વિવિધ પ્રકારનો ‘કાચો માલ‘ (raw materials) હંમેશ મબલખ ઉત્પન્ન થતો હોવા છતાં એ માલમાંથી વપરાશ માટે તૈયાર થતી ચીજો કરવાની આવડત, સાધન વગેરે ભારતવર્ષમાં ન હોવાથી તે ચીજો મેળવવા બીજા દેશોને આધીન તેને રહેવું પડે છે, તેથી પરિણમતી હાનિ સુવિદિત છે. આ હાનિ કાંઈક ઓછી કરવાનો યોગ ગુજરાતના ભાગ્યમાં જણાયો છે. વર્તમાન વૈજ્ઞાનિક યુગની સામગ્રીઓથી ઉદ્યોગો એણે સ્થાપ્યા છે. કલાભવન જેવી સંસ્થા પ્રથમ વડોદરામાં જ સ્થપાઈ અને વૈજ્ઞાનિક કેળવણીનો ઘોષ કરનાર અને સ્વાર્થત્યાગે તેનો પ્રચાર કરનાર પ્રો. ગજ્જર પણ ગુજરાતી છે અને તેમનું કાર્યક્ષેત્ર તે જ રહ્યું છે.&lt;br /&gt;
ભારતવર્ષમાં અને ભારતવર્ષ બહાર જ્યાં જ્યાં હિન્દીઓ વેપાર ખેડે છે તેમાં ગુજરાતીઓની સંખ્યા નાનીસૂની નહીં જણાય. પૂર્વમાં જાપાનથી માંડી પશ્ચિમમાં ઇંગ્લેંડ પર્યંત તેઓ પ્રસર્યા છે.&lt;br /&gt;
જે વેપારઉદ્યોગ ગુજરાતીઓના હાથમાં છે તે સરી ન જાય માટે તેમ જ ઊલટો વધે તે માટે તત્સંબંધી કેળવણીની જેવી અને જેટલી જરૂરિયાત હોય તેની વિચારણા કરવી, વ્યવસ્થા કરાવવી એ પ્રજાજીવનના વિકાસનો નાનોસુનો પ્રશ્ન નથી. વાણિજ્ય માટે જે યોગ્યતા ગુજરાતીઓમાં છે તે યોગ્યતા હજુ વધારે ભારતવર્ષના ઉત્કર્ષની સાધક શી રીતે થાય તેનો ઉત્તર ગુજરાતે દેવાનો છે.  &amp;lt;ref&amp;gt;મુંબઈની સિડનહામ વેપારી કૉલેજનો જન્મ ગુજરાતીઓના જ દ્રવ્યથી થયો છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
ખ. ઉપર કહેવાઈ ગયું કે ગુજરાતમાં અનેક દેશી રાજ્યો છે. બ્રિટિશ રાજ્યમાં રાજ્યવ્યવહારના કેટલાક ખંડોમાં આપણો પ્રવેશ નથી એટલે એમને અંગે ઊંચા પ્રકારનો રાજ્યવહીવટી અનુભવ મેળવવાની જોગવાઈ પણ નથી. એ જોગવાઈને અભાવે આપણી બુદ્ધિનો વિકાસ કુંઠિત રહે અને પરિણામે રાષ્ટ્ર એ શક્તિ વિના પાંગળું રહે છે. પણ દેશી રાજ્યોમાં એવી જોગવાઈઓ પુષ્કળ છે. રાજ્યવહીવટના ઊંચા અને અટપટા પ્રશ્નોથી બુદ્ધિ કેળવવા, એવી બુદ્ધિથી પ્રજાશાસન અને રાષ્ટ્રજીવનની ખીલવણી માટે પ્રયોગો કરવા અને એ પ્રદેશોમાં પ્રાપ્ત કરેલાં બુદ્ધિ અને અનુભવોથી બ્રિટિશ સામ્રાજ્યમાં ભારતવર્ષનું સ્થાન ગૌરવભર્યું કરવા ગુજરાતીઓ શક્તિમાન થાય માટે એમને મળતી કેળવણી રેંજીપેંજી ન હોવી જોઈએ. દેશનાયકો થવાની તાલીમ લેવાની નિશાળો જ્યાં આટલી બધી છે ત્યાં કેળવણીનો પ્રશ્ન મહત્ત્વનો છે.&lt;br /&gt;
ગ. વડોદરાના રાષ્ટ્રવત્સલ નરેશે ગુજરાત ઉપર કરેલા અનેક ઉપકારોમાં પોતાના રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની કરેલી વ્યવસ્થાનો ઉપકાર ઘણો મોટો છે. પ્રત્યક્ષ પરિણામ તેનાં લાભદાયક નીવડતાં તેનું અનુકરણ શીઘ્રતાથી ગુજરાતનાં દેશી રાજ્યોમાં થવા સંભવ છે. વસ્તુતઃ અનુકરણ થવા પણ માંડ્યું છે. પરિસ્થિતિ આવ્યે અનુકૂળતા પ્રમાણે આ રીતે ગુજરાતમાં અનેક પ્રકારની કેળવણીના પ્રયોગો કરવાની જોગવાઈ છે. એ જોગવાઈઓનો લાભ લેવાય અને અન્યોન્યના પ્રયોગો અને તેમાંથી પ્રાપ્ત થતા અનુભવોનો મુકાબલો કરવા અલાયદી ચળવળ અને સંસ્થાની જરૂર છે.&lt;br /&gt;
વડોદરા રાજ્ય કેળવણીમાં અગ્રસ્થાન લેતું હોય અને ગુજરાતના બીજા ભાગો પાછળ રહે તો આપણા અનેક ભેદોમાં નવો એક ભેદ વધશે. પણ સર્વત્ર કેળવણીનો સરખો પ્રસાર કરવાની ચળવળ થાય તો ઘણે અંશે આ વિષમતા દૂર રહેશે.&lt;br /&gt;
ઘ. આ વૈજ્ઞાનિક યુગમાં સમુદ્રને મનુષ્યે પોતાનો દાસ બનાવ્યો છે. વેપારઉદ્યોગમાં આખા જગતનો વ્યવહાર સંકુલ એની મદદથી થયો છે. તેમ આક્રમણ, રક્ષણ આદિને માટે પણ પ્રજાઓને એ મદદ કરે છે. પૂર્વે ભારતવર્ષમાં ઉત્તરમાંથી આક્રમણ થતાં અને સમુદ્રથી રક્ષિત પ્રદેશો નિર્ભય રહેતા પણ હવે એવી નિર્ભયતા રહી નથી. સમુદ્રસ્થ પ્રદેશોને વેપાર માટે જેમ હાલમાં અનુકૂળતા વધી છે તેમ દેશના રક્ષણની જવાબદારી પણ વધી છે. ગુજરાત સમુદ્રસ્થ દેશ છે. એના વેપારીઓ અને ખલાસીઓનાં સાહસ અને પરાક્રમ મશહૂર છે. શોચની વાત છે કે હાલમાં તે બધું સુષુપ્તિમાં છે. બ્રિટિશ સામ્રાજ્યમાં સમાન સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ભારતવર્ષને પોતાનું નૌકાસૈન્ય કરવા અને વાણિજ્યનૌકાઓ રાખવાની જરૂર પડશે એવો વખત આવવાનો છે. આ પ્રસંગ માટે ગુજરાત તૈયાર હોવું જોઈએ. નાવિક શિક્ષણ માટે એક ગુજરાતી મુસલમાને મોટી રકમ સરકારને સ્વાધીન પણ કરી છે.&lt;br /&gt;
ડ. વેપારઉદ્યોગના પ્રદેશમાં જે ધર્મ ગુજરાતને માટે નિર્માણ થયો છે તેનો યથાર્થ નિર્વાહ કરવા ગુજરાતની રાજ્યદ્વારમાં પ્રતિષ્ઠા હોવી જોઈએ. રાજ્યકર્તાઓના સમાગમમાં, રાજ્યવ્યવહારની અનેક શ્રેણીઓમાં સંખ્યાબંધ ગુજરાતી હોય અને તેમની બુદ્ધિ, વિદ્યા, અનુભવ રાજ્યકર્તાને ઉપયોગી નીવડતાં હોય તો રાજ્યદ્વારમાં ગુજરાતની પ્રતિષ્ઠા અને સત્તા જામે. એ પ્રતિષ્ઠા એ સત્તા મેળવવા ગુજરાતીઓએ એવી ઊંચા પ્રકારની વિદ્યાથી સંપન્ન હોવા જોઈએ કે સરકારને તેમને રાજ્યવહીવટમાં સામેલ કર્યા વિના ચાલે જ નહીં.&lt;br /&gt;
ચ. રાજ્યદ્વારમાં જેવી પ્રતિષ્ઠા નથી તેવી પ્રતિષ્ઠા ભારતવર્ષના લોકસમુહમાં પણ નથી. આપણા પડોશી મહારાષ્ટ્રીઓમાં પણ નથી તો બીજેની તો વાત જ ક્યાં? સર જમશેદજી જીજીભાઈ, પ્રેમચંદ રાયચંદ, દાદાભાઈ નવરોજી, સર ફિરોઝશાહ મેહતા, જમશેદજી ટાટા, સર સયાજીરાવ ગાયકવાડ, મોહનદાસ કરમચંદ ગાંધી, દયાનંદ સરસ્વતી, અબદુલ જમાલ, વગેરે અનેક ગુજરાતીઓએ વેપાર અને રાજકીય પ્રશ્નોને અંગે ભારતવર્ષની સેવા કરી છે; છતાં રાનડે, ટિળક, ગોખલે, રામમોહનરાય, કેશવચંદ્રસેન, સુરેન્દ્રનાથ બેનરજી, પ્રો. જગદીશચંદ્ર બસુ, સર રવીન્દ્રનાથ ઠાકુરની સાથે એમની ગાદી મંડાતી નથી. મહારાષ્ટ્ર અને બંગાળને જે પ્રતિષ્ઠા એમનાં સંતાનોથી મળી છે તે ગુજરાતને એનાં સંતાનોથી – એમની અપ્રતિમ અને ચિરસ્થાયી સેવા છતાં મળી નથી. પણ હવે એ પ્રતિષ્ઠા મેળવવા પ્રયત્ન કરવાનો અવસર આવી લાગ્યો છે. પ્રજામાં શક્તિ છે પણ તેનું રાષ્ટ્રીય મમત્વ નથી. તે મમત્વ પ્રદીપ્ત કરી પ્રજ્વલંત કરવાનું છે.&lt;br /&gt;
પ્રતિષ્ઠા અને સત્તા માત્ર વિલાસ ખાતર નથી જોઈતાં, પરંતુ ભારતવર્ષની આધુનિક પ્રગતિને ગુજરાત સહાયક થાય માટે. ગુજરાતમાં કંઈ પાણી ન હોય અને ગુજરાત આવા મોટા મોટા મનોરથો હવામાં બાંધતું હોય તો તે હાસ્યાસ્પદ લેખાય. પરંતુ ગુજરાતમાં શક્તિ છે, ભારતવર્ષના અભ્યુદયમાં એનો હિસ્સો નિર્મિત થયેલો જણાતો જાય છે, પછી શક્તિને કેળવવામાં બેદરકાર રહેવું તે પાપ નથી? જે નવી સંસ્કૃતિ ભારતવર્ષમાં જન્મશે તેમાં ગુજરાતનું સ્થાન તેની સંગીન સેવાના અનુરૂપ થવું જોઈએ. એ મહેચ્છા પુણ્ય લેખાવી જોઈએ.&lt;br /&gt;
છ. વેપાર અને ઉદ્યોગમાં મહાલતા ગુજરાતમાં લક્ષ્મીની છોળ ઊડે છે,  &amp;lt;ref&amp;gt;બંગાળથી કે પંજાબથી ગુજરાત શ્રીમંત છે તેનું માપ કાઢી શક્યો નથી.&amp;lt;/ref&amp;gt; રાષ્ટ્રની ઉન્નતિ અર્થે એ લક્ષ્મી જેટલી વપરાવી જોઈએ તે નથી વપરાતી એ ગંભીર ખેદનો વિષય છે. ગુજરાતમાં એ લક્ષ્મીનો સદુપયોગ કરાવવા લોકોપયોગી ચળવળ થાય તો દેશ, પ્રજા અને રાજ્યને અનેકધા લાભ છે. સદુપયોગ માટે ચર્ચા થાય, આદર્શો રજૂ કરવામાં આવે અને પ્રયોગો કરી તેનાં મીઠાં ફળ બતાવવામાં આવે તો જ લક્ષ્મી રાષ્ટ્રની ઉન્નતિ તરફ વળે.&lt;br /&gt;
જ. વેપારમાં સ્વાભાવિક રીતે આપખુદ કે એકહથ્થુ સત્તાને અવકાશ નથી. તેમાં સર્વનો સરખો સમાસ છે. આપણા પંચો, મહાજનો વગેરે એ સૂત્રનું સમર્થન કરે છે. લોકશાસનનાં (Democracy) તત્ત્વો આપણે ત્યાં વિદ્યમાન છે એટલું જ નહીં પણ પ્રવર્તમાન છે; અલબત્ત અમુક પ્રદેશોમાં, પણ એ તત્ત્વોને નવા જમાનાનો પાસ લાગ્યો નથી. એમનું રૂપ ફર્યું નથી. એમાં વહેતું લોહી નવો જન્મ પામ્યું નથી. લોકશાસનનો જે નવો પ્રવાહ ચાલ્યો આવે છે તેમાં આ જૂના કુંડોનું પાણી નહીં ભેળવવામાં આવે તો તે વધારે સડી જશે અને નવો પ્રવાહ જેટલી શીઘ્રતાથી પ્રજાના રુધિરમાંસમાં એકરસ થવો જોઈએ તેટલી ઝડપથી નહીં થાય. કેળવણીના વિપુલ પ્રચારથી પ્રચલિત જીવનયંત્ર નવેસર ચાલતું હશે.&lt;br /&gt;
ગુજરાતમાં જે નવજીવન ઉદય પામતું જાય છે અને તેના એક ફળરૂપે ગુજરાત કેળવણી પરિષદનો જન્મ છે તેના ગહનતમ અંતરમાં રહેલાં કેટલાંક પ્રેરક બળોનું સંક્ષિપ્ત દિગ્દર્શન કર્યું –એ દર્શન એટલું બધું ભવ્ય અને ગંભીર છે કે એ પ્રમાણે સ્થિતિ પ્રાપ્ત કરવા જે પ્રણાલિકાએ કાર્ય થાય તે અનુભવીઓને ઊણાં લાગવાનાં અને આશાનો ઉલ્લાસ સળગાવવાનાં નહીં. ગુજરાતીઓ વ્યવહારુ છે. ભાવના ઊંચી રાખે પણ કામ જે સામગ્રીથી કાર્યસાધક થઈ શકે તેનો ઉપયોગ કરવામાં પાછા હઠતા નથી. કેવી રીતે કામ કરવા ધારણા છે?&lt;br /&gt;
૧. ગુજરાતમાં વિવિધ રાજ્યસત્તા હોવાથી કેળવણીનો ફેલાવો પણ ઓછો- વત્તો છે. હાલમાં કેળવણીની સ્થિતિ જુદે જુદે સ્થળે કેવી છે? તેનાં કારણો શાં? અને તેમાં વેગ શી રીતે આવી શકે? એ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રસિદ્ધ થયેલા અહેવાલો ઉપરથી, પત્રવ્યવહારથી અને બને તેમ અંગત તપાસથી માહિતી મેળવવામાં આવશે. એ મેળવવા શરૂઆત તરીકે પ્રશ્નમાળા કાઢી ઠેકઠેકાણે મોકલવામાં આવી હતી. &lt;br /&gt;
૨. માહિતી મળ્યા પછી નિકટવર્તી વર્તમાનમાં કેળવણીની વૃદ્ધિ માટે કયા પ્રશ્નો જરૂરના છે તે નોખા તારવવામાં આવશે. સુરત, ગોધરા, અમદાવાદ, રાજકોટ, ભુજ જેવાં શહેરોમાં કૉલેજોની જરૂર; ઊંચામાં ઊંચી વિદ્યા પ્રાપ્ત કરવા ગુજરાતીઓ પરદેશ જઈ શકે એવાં સાધનોની જરૂર; ઊંચા કન્યાશિક્ષણ કે યુવતીશિક્ષણની જરૂર; કેળવણીમાં પછાત કોમોની કેળવણીની જરૂર; ગામડામાં વિશેષ શિક્ષણપ્રસારની જરૂર વગેરે જે કાંઈ લાગશે તે સંબંધમાં ચોક્કસ યોજનાઓ સરકાર સંમુખ, દેશી રાજ્યો સંમુખ અને શ્રીમંત ગુજરાતીઓ સંમુખ રજૂ કરવામાં આવશે. તે યોજનાઓ સિદ્ધ થાય માટે જરૂરની ચળવળ કરવામાં આવશે. &lt;br /&gt;
૩. કેળવણીની વર્તમાન સ્થિતિમાં જે ખામીઓ, દોષો, ન્યૂનતા, સ્ખલનો વગેરે જણાતાં જશે તેમના સંબંધમાં ચોક્કસ અને સંપૂર્ણ માહિતી મળતી જશે તેમ તેમ લાગતાવળગતા સંમુખ ફરિયાદો લઈ જવામાં આવશે અને તેમના નિકાલ માટે પ્રયત્ન કરવામાં આવશે. સરકારની, દેશી રાજ્યોની (ગાયકવાડી રાજ્ય સુદ્ધાંતની) કેળવણીની નીતિની ટીકા થશે અને લોકમત જાગૃત કરી ઇષ્ટપ્રાપ્તિ માટે ચળવળ થશે.&lt;br /&gt;
૪. પ્રચલિત સ્થિતિમાં શુભ ફેરફાર કરાવવામાં જેમ જેમ વિજય મળતો જશે તેમ તેમ તે સ્થિતિમાંથી બીજી દિશાઓમાં ગતિ કરવાના પ્રશ્નો લેવાશે અને તેમના સંબંધમાં લોકમત જાગૃત કરવામાં આવશે. ગુજરાતને માટે અલાયદું વિશ્વવિદ્યાલય (University); વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક શિક્ષણ માટે ગંજાવર વિદ્યાપીઠો, (Technological Institutions) પ્રાચીન આર્ય સંસ્કૃતિના પુનર્જન્મ માટે તેમ જ ગુજરાતીઓના વર્તમાન જીવનને વાસ્તવિક આર્યજીવન કરવાનાં સાધનો—નવા પુરોહિતોની કેળવણી, ધર્મનું શિક્ષણ, ચારિત્ર્યનાં બંધારણની તજવીજ; જે જે નવા નવા ધર્મો ગુજરાતને પ્રાપ્ત થતા જાય. તેમના નિર્વાહ માટે જરૂરી કેળવણીની તદ્દન નવી જ સંસ્થાઓ; વગેરે વગેરે પ્રશ્નો આ કોટિના છે.&lt;br /&gt;
આ રીતે કામ કરવાથી આટલા લાભ થવાનો સંભવ હાલ તો જણાય છે:&lt;br /&gt;
કેળવણીના વિષયમાં ગુજરાત જાગૃત થશે. કેળવણીના વહીવટમાં ક્યાં ખામી છે તે જણાશે અને તે દૂર કરવા લોકો તત્પર થશે. કેળવણીનો ફેલાવો ઓછો અથવા ધીમો લાગશે તો તેમાં વેગ ભરવા પ્રયત્નો થશે.&lt;br /&gt;
કેળવણીની જરૂરિયાત ચર્ચાથી સમજાશે. જ્યાં જ્યાં હાલ કેળવણી વિના મોટા મોટાં સાહસો ખેડાય છે ત્યાં ત્યાં કેળવણીનો પ્રવેશ થશે અને એ સાહસોમાં વિસ્મયકારક પરિવર્તન થશે. ગુજરાતનું દ્રવ્ય અનુત્પાદક અને નિરુપયોગી રીતે ખર્ચાય છે તે ભવિષ્યની પ્રજા તૈયાર કરવામાં ખર્ચાશે.&lt;br /&gt;
કેળવણી માટે ચળવળ કરવામાં અને સરકાર અથવા રાજાઓ પ્રજાની ખરેખરી વાંછનાઓ નહીં સંતોષે તો લોકો જાતે વાંછનાઓ અનુસાર કેળવણીની સંસ્થાઓ ઊભી કરવામાં સ્વાશ્રય શીખશે, આત્મશાસનના પાઠ શીખશે, સાર્વજનિક જીવનનો અનુભવ મેળવશે અને રાષ્ટ્રનું મમત્વ પોષશે.&lt;br /&gt;
કેળવણીના વિશેષ ફેલાવાથી જ્ઞાનની લહાણી વધશે, સંસારની વિષમતા ઘટશે, નવી શક્તિઓ ખીલશે અને આ યુગની સંપન્નતા આવશે, વિચાર વધશે અને ભારતવર્ષની સેવા માટે ગુજરાત તૈયાર થશે.&lt;br /&gt;
પરિષદનો સર્વે વ્યવહાર ગુજરાતીમાં થવાનો છે એટલે અંગ્રેજી નહીં શીખેલા અસંખ્ય ગુજરાતીઓ તેમાં રસ લઈ શકશે, સામેલ થઈ શકશે અને મદદ કરી શકશે. લોકાદર (democratic)નું આ પહેલું અને મહત્ત્વનું પગલું લેવાયું છે.&lt;br /&gt;
એક આવી હિલચાલ ચલાવવાથી ગુજરાતના સાર્વજનિક જીવનમાં નવું ચેતન આવશે. આજે ગુજરાતમાં બોલતા અને વિચારતા આગેવાનો માત્ર સાક્ષરો છે. તેમની સાથે બીજા વર્ગમાંથી આગેવાનો ઉમેરાશે. ‘સાક્ષરતા’ અને સંસ્કૃત શબ્દોથી ભડકતા ઘણા ગુજરાતીઓ આ હિલચાલમાં જોડાતાં સંકોચાશે નહીં. એમના જ્ઞાન અને અનુભવનો ગુજરાતને લાભ મળશે અને એમની નિગૂઢ, ક્રિયારહિત શક્તિઓ ખીલશે.&lt;br /&gt;
હવે વિષય સમેટી લેતાં પુનઃકથનનો દોષ વહોરી લઈ ટૂંકામાં પરિષદની જરૂર જણાવીશું :&lt;br /&gt;
પ્રાન્તિક કેળવણી પરિષદથી નિરાળી ગુજરાત કેળવણી પરિષદ કરવાનાં કારણો સ્પષ્ટ થયાં હશે. (૧) ગુજરાતનું રાષ્ટ્રીય જીવન ઘડવા ગુજરાતને પોતાની ખાસ ચળવળ જોઈએ છીએ. દેશી રાજ્યોવાળા ગુજરાતમાં આદર પામે એવી પણ સાથે સાથે. (૨) પ્રાંતિક કેળવણી પરિષદમાં દેશી રાજ્યોમાં પ્રચલિત કેળવણીના પ્રશ્નો બાતલ રાખવામાં આવે તે ગુજરાતને પાલવે એમ નથી. દેશી રાજ્યોને જુદાં રાખવાથી એની એકતા નિરંતર ખંડિત રહેશે. (૩) પ્રાંતિક કેળવણી પરિષદમાં ઘણીવાર મુંબઈ ઈલાકાના પછાત ભાગો (સિંધ, દક્ષિણ મહારાષ્ટ્ર, ખાનદેશ વગેરે)ના લાભો આગળ ગુજરાતના લાભો દટાઈ જવાનો ભય છે.&lt;br /&gt;
પોતાની ખાસ પરિષદ ભરવાથી ગુજરાતના લોકો પોતાનો ઉદ્ધાર કરવા જાતે જ પ્રવૃત્ત થશે અને રાષ્ટ્રીય જીવન ખીલવી શકશે. પોતાની લક્ષ્મીના પ્રમાણમાં કેળવણીનો લાભ મેળવી શકશે અને મહેચ્છા(aspiration)ના પ્રમાણમાં સિદ્ધિ(achievement) સાધી શકશે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ઑક્ટોબર ૧૯૧૬&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કેળવણી વિષે ટૂંકાં ટિપ્પણો&lt;br /&gt;
|next = શુદ્ધ ગુજરાતી ભાષા સામે પારસીઓની ફરિયાદની તપાસ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6&amp;diff=111474</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાત કેળવણી પરિષદ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6&amp;diff=111474"/>
		<updated>2026-05-30T03:38:51Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગુજરાત કેળવણી પરિષદ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભારતવર્ષમાં જે પ્રજાની આણ ઓજ વર્તે છે તે આત્મશાસક પ્રજા છે. ભારતવર્ષના રાજ્યવહીવટમાં–પ્રજાશાસનના તત્ત્વને તેમણે સ્થાન આપ્યું છે. પ્રસંગો હવે એવા આવતા જાય છે કે બ્રિટિશ સામ્રાજ્યમાં ભારતવર્ષને સામ્રાજ્યનાં બીજાં અંગો જેવું સ્થાન પ્રાપ્ત થશે. એ અંગો પ્રજાશાસક છે અને ભારતવર્ષ નથી એટલે આજ દિન લગી ભારતવર્ષની ઉપેક્ષા કરવામાં આવી છે. યુરોપના વર્તમાન કુરુક્ષેત્રમાં ભારતવર્ષનાં સંતાનોના રેડાયેલા લોહીથી એ ઉપેક્ષા કમી થઈ છે. સામ્રાજ્યકુટુંબમાં ભારતવર્ષનો ગૌરવભર્યો આદર થાય માટે એણે પ્રજાશાસક થવું ઘટે છે. શાસનનું મૂલ્ય પ્રજા પીછાનતી હોય, શાસન પર પ્રભાવ પાડવા આતુર હોય અને શાસન હાથમાં લેવા યોગ્ય, સંપન્ન અને શક્તિવાળી હોય તો જ પ્રજાશાસનનો નિર્વાહ થઈ શકે છે. ઇષ્ટાપત્તિ માટે ભારતવર્ષની સમગ્ર પ્રજાએ યોગ્યતા પ્રાપ્ત કરવાની છે. ભારતવર્ષ વિસ્તીર્ણ ખંડ જેવડો દેશ છે તેથી સમગ્રની સંકલના કરનારી હિલચાલની સાથે સાથે સમગ્રનાં અવયવો ચેતનવંતાં કરવાની હિલચાલો પણ થવી જોઈએ. એ અવયવો તે જુદા જુદા પ્રાંતો છે. સર્વની પરિસ્થિતિ પ્રમાણે લોકજીવન જાગૃત કરવા નાનાવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. પ્રાંતિક રાજદ્વારી પરિષદ, જિલ્લા રાજદ્વારી પરિષદ, સાહિત્યસંમેલન, વિદ્યાર્થીસંમેલન, સામાજિક સુધારણા પરિષદ, કેળવણી પરિષદ, પંડિત પરિષદ, પ્રાંતીય પરિષદ (આન્ધ્ર અથવા ઉત્કલ પરિષદ જેવી) વગેરે અનેક ચળવળોનાં મોજાં ભારતવર્ષના વિવિધ પ્રદેશોમાં ઊછળી રહ્યાં છે.&lt;br /&gt;
ગુજરાત ભારતવર્ષનું એક અવયવ છે. ઉદ્યોગ અને વ્યાપારમાં તેનાં સંતાનોની નિપુણતાથી ભારતવર્ષના વર્તમાન જીવનમાં તેનું સ્થાન મહત્ત્વનું છે. તેથી પ્રખર કર્તવ્ય માટે તે નિર્માણ થયેલો છે. એ કર્તવ્ય કરવાની તેની શક્તિ ખીલવવી અને કર્તવ્ય કરવાના પ્રસંગો ઉત્પન્ન કરવા એ ગુજરાતીઓની ફરજ છે.&lt;br /&gt;
ભારતવર્ષના બીજા બધા રાજદ્વારી પ્રાંતો કરતાં ગુજરાતની પરિસ્થિતિ તદ્દન નિરાળી અને વિષમ છે. જેટલો ગુજરાત બ્રિટિશ સત્તામાં છે તેનાથી સાડાપાંચ ગણો દેશી રાજ્યોને અધીન છે. દેશી રાજ્યોના વિસ્તાર પણ નાનામોટા છે – મૂંઝવે એવા છે. એમની પ્રગતિ પણ એવી જ નિરાશ કરે એવી છે. વડોદરા જેવું રાજ્ય ઘણી દિશામાં પ્રગતિમાન છે તો કચ્છ જેવું એટલું જ વિશાળ રાજ્ય હજુ પ્રગતિથી દૂર—ઘણું જ દૂર છે. બ્રિટિશ રાજ્યમાં પ્રજાની સત્તા વધતી જાય છે ત્યારે દેશી રાજ્યોમાં હતી તેટલી સત્તા પણ પ્રજાની ઘટતી જાય છે. છતાં દેશી રાજ્યો ધારે તો ગુજરાતને ગૌરવાન્વિત કરવામાં આગેવાની લઈ શકે એમ છે.&lt;br /&gt;
વસ્તુસ્થિતિ આવી વિષમ છે. પ્રગતિની ગતિમાં પાછળ રહી જવાની તીવ્ર દહેશત પણ લાગે છે; છતાં ગુજરાતના આગેવાનોમાં અને યુવાનોમાં ઉત્સાહ છે. એ ઉત્સાહ કાર્યપરાયણ થતો જાય છે તો કોઈ દિવસ કાર્યસાધક પણ નીવડશે.&lt;br /&gt;
અનેક રાજ્યવહીવટવાળા ગુજરાતમાં સર્વત્ર ફરી વળે એવી રાજદ્વારી પ્રવૃત્તિ શક્ય નથી. ધર્મ અને સંસારના ભેદો પણ એકતા સાધવામાં વિરોધ કરે એવા છે. આમ હોવાથી, જે વસ્તુનો ગુજરાતમાં સર્વત્ર પ્રસાર અને આદર હોય તેના અન્વયે પ્રજાકીય પ્રવૃત્તિ ચલાવી હોય તો લાભ થાય. ગુજરાતી ભાષા સમસ્ત ગુજરાતમાં બોલાય છે. તેનો અને તેના સાહિત્યનો પ્રવેશ સર્વત્ર છે. અમદાવાદની સાહિત્યસભા દ્વારા તેથી ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ થયો અને એ હિલચાલ ગુજરાતમાં બધે ફરી વળી છે. પરંતુ પ્રજાજીવનના પ્રશ્નો એટલા બધા છે – સંખ્યા મોટી છે, વિવિધ છે, વિષમ છે કે એક પ્રવૃત્તિ બસ નથી. આથી ભાષા જેવા સર્વમાન્ય વિષય કેળવણીપરત્વે પણ વાર્ષિક સંમેલન ભરવાની સૂચના સાહિત્યસભા સંમુખ ઈ. સ. ૧૯૦૯ માં રજૂ થઈ હતી. પરંતુ કેટલાંક કારણોસર તેનો અમલ થઈ શક્યો નહોતો પણ રાજકોટની ત્રીજી સાહિત્ય પરિષદના કાર્યક્રમમાં કેળવણીના ઘણા વિષયોને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી ગયે વર્ષે મે મહિનામાં સુરતમાં સાહિત્ય પરિષદનું પાંચમું અધિવેશન થયું. ત્યાં ફરજિયાત કેળવણી, કન્યાકેળવણી આદિ પ્રશ્નો ચર્ચવા કે નહીં એ સવાલ થયો. આખરે એમ કર્યું કે સાહિત્ય પરિષદમાં કેળવણીના પ્રશ્નોને સ્થાન ન આપવું અને જરૂર લાગે તો કેળવણી સંબંધમાં અલાયદી પરિષદ યોજવી. સાહિત્યસભાના જે સભાસદો ત્યાં હાજર હતા તેમને આ વાત રુચી. અમદાવાદ જઈ એમણે સાહિત્યસભા દ્વારા કન્યાકેળવણી માટે પ્રશ્નાવલિ તૈયાર કરી ગુજરાતમાં ફેરવી. ગઈ નાતાલમાં એઓ કૉંગ્રેસમાં મુંબઈ આવ્યા ત્યારે મુંબઈના કેટલાક ગુજરાતી યુવાનો સાથે મસલત થતાં અલાયદી કેળવણી પરિષદ યોજવાની જરૂર ફરીથી સ્વીકારાઈ. વખત વહેતો હતો ત્યાં અમદાવાદમાં ગોખલે સોસાયટીની સ્થાપના થઈ. હિન્દ સેવક સમાજ (Servants of India Society)ના યુવાન ગુજરાતી સભ્ય રા. રા. ઇંદુલાલ કનૈયાલાલ યાજ્ઞિક એવામાં અમદાવાદ ગયા અને ગોખલે સોસાયટી (જેના કેટલાક આગેવાનો સાહિત્યસભાવાળા સભાસદ છે) સમક્ષ આ પ્રશ્નનો ઉહાપોહ થયો અને આગામી પ્રાંતિક રાજદ્વારી પરિષદની સાથે પહેલી કેળવણી પરિષદ ભરવાનું નક્કી થયું. ઑક્ટોબરમાં તેનું સંમેલન થશે અને પ્રમુખસ્થાને ઑનરેબલ મિ. ચિમનલાલ હરીલાલ સેતલવાડ બિરાજશે.&lt;br /&gt;
જેમ જેમ સંમેલનો થતાં જશે તેમ તેમ પરિષદનો ઉદ્દેશ સ્પષ્ટ થતો જશે, આકાર પામતો જશે અને કાર્યપ્રદેશ વ્યવહારુ થતો જશે. આમ છતાં ઉદ્દેશ અને કાર્યપ્રદેશ સંબંધમાં કંઈક કહેવાનું પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
આ ચળવળને ગુજરાત કેળવણી પરિષદનું અભિધાન આપવામાં આવ્યું છે. કોઈ સવાલ કરશે કે કેળવણીનો પ્રશ્ન ભાષા અને સાહિત્ય જેવો એકદેશી નથી, સર્વદેશી છે – માત્ર ગુજરાતને જ લાગુ પડે છે એમ નથી પણ આખા મુંબઈ ઇલાકાને લાગુ પડે છે તો પછી પ્રાન્તિક રાજદ્વારી પરિષદ જેવી પ્રાંતિક કેળવણી પરિષદ ભરવાને બદલે ગુજરાત કેળવણી પરિષદ શા માટે ભરવી? આ ગંભીર સવાલનો ખુલાસો સવિસ્તર કરવો પડશે.&lt;br /&gt;
(૧) ગુજરાત કેળવણી પરિષદ મળવાથી પ્રાંતિક કેળવણી પરિષદની આવશ્યકતા મટી જતી નથી. મુંબઈમાં એ સંબંધમાં હિલચાલ પણ શરૂ થઈ છે. બે વચ્ચે વિરોધ નથી પણ અન્યોન્યને સહાયક થઈ શકશે. દેશ સમગ્રમાં ચેતન જગાવવા તેનાં નાનાં નાનાં અંગોમાં પણ નાનીમોટી પ્રવૃત્તિઓ સંચલિત કરવાનું સૂત્ર જેમને માન્ય હોય તેઓ આથી રાજી થશે.&lt;br /&gt;
(૨) આથી મહત્ત્વના હેતુઓ પણ ગુજરાત કેળવણી પરિષદના પ્રેરક છે.&lt;br /&gt;
ક. ગુજરાત વેપાર અને ઉદ્યોગની ભૂમિ છે. વર્તમાન યુગમાં પ્રજાજીવનમાં એ બેનું સ્થાન ઘણું જ આવશ્યક અને ઉપયોગી છે. રાજદ્વારી પરતંત્રતા કરતાં આર્થિક(વેપાર-ઉદ્યોગની) પરતંત્રતા અધિક હાનિપ્રદ નીવડે છે. ભારતવર્ષ જેવા વિશાળ પ્રદેશ ઉપર પ્રકૃતિ પ્રસન્ન છતાં – પ્રસન્નતાને લીધે વિવિધ પ્રકારનો ‘કાચો માલ‘ (raw materials) હંમેશ મબલખ ઉત્પન્ન થતો હોવા છતાં એ માલમાંથી વપરાશ માટે તૈયાર થતી ચીજો કરવાની આવડત, સાધન વગેરે ભારતવર્ષમાં ન હોવાથી તે ચીજો મેળવવા બીજા દેશોને આધીન તેને રહેવું પડે છે, તેથી પરિણમતી હાનિ સુવિદિત છે. આ હાનિ કાંઈક ઓછી કરવાનો યોગ ગુજરાતના ભાગ્યમાં જણાયો છે. વર્તમાન વૈજ્ઞાનિક યુગની સામગ્રીઓથી ઉદ્યોગો એણે સ્થાપ્યા છે. કલાભવન જેવી સંસ્થા પ્રથમ વડોદરામાં જ સ્થપાઈ અને વૈજ્ઞાનિક કેળવણીનો ઘોષ કરનાર અને સ્વાર્થત્યાગે તેનો પ્રચાર કરનાર પ્રો. ગજ્જર પણ ગુજરાતી છે અને તેમનું કાર્યક્ષેત્ર તે જ રહ્યું છે.&lt;br /&gt;
ભારતવર્ષમાં અને ભારતવર્ષ બહાર જ્યાં જ્યાં હિન્દીઓ વેપાર ખેડે છે તેમાં ગુજરાતીઓની સંખ્યા નાનીસૂની નહીં જણાય. પૂર્વમાં જાપાનથી માંડી પશ્ચિમમાં ઇંગ્લેંડ પર્યંત તેઓ પ્રસર્યા છે.&lt;br /&gt;
જે વેપારઉદ્યોગ ગુજરાતીઓના હાથમાં છે તે સરી ન જાય માટે તેમ જ ઊલટો વધે તે માટે તત્સંબંધી કેળવણીની જેવી અને જેટલી જરૂરિયાત હોય તેની વિચારણા કરવી, વ્યવસ્થા કરાવવી એ પ્રજાજીવનના વિકાસનો નાનોસુનો પ્રશ્ન નથી. વાણિજ્ય માટે જે યોગ્યતા ગુજરાતીઓમાં છે તે યોગ્યતા હજુ વધારે ભારતવર્ષના ઉત્કર્ષની સાધક શી રીતે થાય તેનો ઉત્તર ગુજરાતે દેવાનો છે.  &amp;lt;ref&amp;gt;મુંબઈની સિડનહામ વેપારી કૉલેજનો જન્મ ગુજરાતીઓના જ દ્રવ્યથી થયો છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
ખ. ઉપર કહેવાઈ ગયું કે ગુજરાતમાં અનેક દેશી રાજ્યો છે. બ્રિટિશ રાજ્યમાં રાજ્યવ્યવહારના કેટલાક ખંડોમાં આપણો પ્રવેશ નથી એટલે એમને અંગે ઊંચા પ્રકારનો રાજ્યવહીવટી અનુભવ મેળવવાની જોગવાઈ પણ નથી. એ જોગવાઈને અભાવે આપણી બુદ્ધિનો વિકાસ કુંઠિત રહે અને પરિણામે રાષ્ટ્ર એ શક્તિ વિના પાંગળું રહે છે. પણ દેશી રાજ્યોમાં એવી જોગવાઈઓ પુષ્કળ છે. રાજ્યવહીવટના ઊંચા અને અટપટા પ્રશ્નોથી બુદ્ધિ કેળવવા, એવી બુદ્ધિથી પ્રજાશાસન અને રાષ્ટ્રજીવનની ખીલવણી માટે પ્રયોગો કરવા અને એ પ્રદેશોમાં પ્રાપ્ત કરેલાં બુદ્ધિ અને અનુભવોથી બ્રિટિશ સામ્રાજ્યમાં ભારતવર્ષનું સ્થાન ગૌરવભર્યું કરવા ગુજરાતીઓ શક્તિમાન થાય માટે એમને મળતી કેળવણી રેંજીપેંજી ન હોવી જોઈએ. દેશનાયકો થવાની તાલીમ લેવાની નિશાળો જ્યાં આટલી બધી છે ત્યાં કેળવણીનો પ્રશ્ન મહત્ત્વનો છે.&lt;br /&gt;
ગ. વડોદરાના રાષ્ટ્રવત્સલ નરેશે ગુજરાત ઉપર કરેલા અનેક ઉપકારોમાં પોતાના રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની કરેલી વ્યવસ્થાનો ઉપકાર ઘણો મોટો છે. પ્રત્યક્ષ પરિણામ તેનાં લાભદાયક નીવડતાં તેનું અનુકરણ શીઘ્રતાથી ગુજરાતનાં દેશી રાજ્યોમાં થવા સંભવ છે. વસ્તુતઃ અનુકરણ થવા પણ માંડ્યું છે. પરિસ્થિતિ આવ્યે અનુકૂળતા પ્રમાણે આ રીતે ગુજરાતમાં અનેક પ્રકારની કેળવણીના પ્રયોગો કરવાની જોગવાઈ છે. એ જોગવાઈઓનો લાભ લેવાય અને અન્યોન્યના પ્રયોગો અને તેમાંથી પ્રાપ્ત થતા અનુભવોનો મુકાબલો કરવા અલાયદી ચળવળ અને સંસ્થાની જરૂર છે.&lt;br /&gt;
વડોદરા રાજ્ય કેળવણીમાં અગ્રસ્થાન લેતું હોય અને ગુજરાતના બીજા ભાગો પાછળ રહે તો આપણા અનેક ભેદોમાં નવો એક ભેદ વધશે. પણ સર્વત્ર કેળવણીનો સરખો પ્રસાર કરવાની ચળવળ થાય તો ઘણે અંશે આ વિષમતા દૂર રહેશે.&lt;br /&gt;
ઘ. આ વૈજ્ઞાનિક યુગમાં સમુદ્રને મનુષ્યે પોતાનો દાસ બનાવ્યો છે. વેપારઉદ્યોગમાં આખા જગતનો વ્યવહાર સંકુલ એની મદદથી થયો છે. તેમ આક્રમણ, રક્ષણ આદિને માટે પણ પ્રજાઓને એ મદદ કરે છે. પૂર્વે ભારતવર્ષમાં ઉત્તરમાંથી આક્રમણ થતાં અને સમુદ્રથી રક્ષિત પ્રદેશો નિર્ભય રહેતા પણ હવે એવી નિર્ભયતા રહી નથી. સમુદ્રસ્થ પ્રદેશોને વેપાર માટે જેમ હાલમાં અનુકૂળતા વધી છે તેમ દેશના રક્ષણની જવાબદારી પણ વધી છે. ગુજરાત સમુદ્રસ્થ દેશ છે. એના વેપારીઓ અને ખલાસીઓનાં સાહસ અને પરાક્રમ મશહૂર છે. શોચની વાત છે કે હાલમાં તે બધું સુષુપ્તિમાં છે. બ્રિટિશ સામ્રાજ્યમાં સમાન સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ભારતવર્ષને પોતાનું નૌકાસૈન્ય કરવા અને વાણિજ્યનૌકાઓ રાખવાની જરૂર પડશે એવો વખત આવવાનો છે. આ પ્રસંગ માટે ગુજરાત તૈયાર હોવું જોઈએ. નાવિક શિક્ષણ માટે એક ગુજરાતી મુસલમાને મોટી રકમ સરકારને સ્વાધીન પણ કરી છે.&lt;br /&gt;
ડ. વેપારઉદ્યોગના પ્રદેશમાં જે ધર્મ ગુજરાતને માટે નિર્માણ થયો છે તેનો યથાર્થ નિર્વાહ કરવા ગુજરાતની રાજ્યદ્વારમાં પ્રતિષ્ઠા હોવી જોઈએ. રાજ્યકર્તાઓના સમાગમમાં, રાજ્યવ્યવહારની અનેક શ્રેણીઓમાં સંખ્યાબંધ ગુજરાતી હોય અને તેમની બુદ્ધિ, વિદ્યા, અનુભવ રાજ્યકર્તાને ઉપયોગી નીવડતાં હોય તો રાજ્યદ્વારમાં ગુજરાતની પ્રતિષ્ઠા અને સત્તા જામે. એ પ્રતિષ્ઠા એ સત્તા મેળવવા ગુજરાતીઓએ એવી ઊંચા પ્રકારની વિદ્યાથી સંપન્ન હોવા જોઈએ કે સરકારને તેમને રાજ્યવહીવટમાં સામેલ કર્યા વિના ચાલે જ નહીં.&lt;br /&gt;
ચ. રાજ્યદ્વારમાં જેવી પ્રતિષ્ઠા નથી તેવી પ્રતિષ્ઠા ભારતવર્ષના લોકસમુહમાં પણ નથી. આપણા પડોશી મહારાષ્ટ્રીઓમાં પણ નથી તો બીજેની તો વાત જ ક્યાં? સર જમશેદજી જીજીભાઈ, પ્રેમચંદ રાયચંદ, દાદાભાઈ નવરોજી, સર ફિરોઝશાહ મેહતા, જમશેદજી ટાટા, સર સયાજીરાવ ગાયકવાડ, મોહનદાસ કરમચંદ ગાંધી, દયાનંદ સરસ્વતી, અબદુલ જમાલ, વગેરે અનેક ગુજરાતીઓએ વેપાર અને રાજકીય પ્રશ્નોને અંગે ભારતવર્ષની સેવા કરી છે; છતાં રાનડે, ટિળક, ગોખલે, રામમોહનરાય, કેશવચંદ્રસેન, સુરેન્દ્રનાથ બેનરજી, પ્રો. જગદીશચંદ્ર બસુ, સર રવીન્દ્રનાથ ઠાકુરની સાથે એમની ગાદી મંડાતી નથી. મહારાષ્ટ્ર અને બંગાળને જે પ્રતિષ્ઠા એમનાં સંતાનોથી મળી છે તે ગુજરાતને એનાં સંતાનોથી – એમની અપ્રતિમ અને ચિરસ્થાયી સેવા છતાં મળી નથી. પણ હવે એ પ્રતિષ્ઠા મેળવવા પ્રયત્ન કરવાનો અવસર આવી લાગ્યો છે. પ્રજામાં શક્તિ છે પણ તેનું રાષ્ટ્રીય મમત્વ નથી. તે મમત્વ પ્રદીપ્ત કરી પ્રજ્વલંત કરવાનું છે.&lt;br /&gt;
પ્રતિષ્ઠા અને સત્તા માત્ર વિલાસ ખાતર નથી જોઈતાં, પરંતુ ભારતવર્ષની આધુનિક પ્રગતિને ગુજરાત સહાયક થાય માટે. ગુજરાતમાં કંઈ પાણી ન હોય અને ગુજરાત આવા મોટા મોટા મનોરથો હવામાં બાંધતું હોય તો તે હાસ્યાસ્પદ લેખાય. પરંતુ ગુજરાતમાં શક્તિ છે, ભારતવર્ષના અભ્યુદયમાં એનો હિસ્સો નિર્મિત થયેલો જણાતો જાય છે, પછી શક્તિને કેળવવામાં બેદરકાર રહેવું તે પાપ નથી? જે નવી સંસ્કૃતિ ભારતવર્ષમાં જન્મશે તેમાં ગુજરાતનું સ્થાન તેની સંગીન સેવાના અનુરૂપ થવું જોઈએ. એ મહેચ્છા પુણ્ય લેખાવી જોઈએ.&lt;br /&gt;
છ. વેપાર અને ઉદ્યોગમાં મહાલતા ગુજરાતમાં લક્ષ્મીની છોળ ઊડે છે,  રાષ્ટ્રની ઉન્નતિ અર્થે એ લક્ષ્મી જેટલી વપરાવી જોઈએ તે નથી વપરાતી એ ગંભીર ખેદનો વિષય છે. ગુજરાતમાં એ લક્ષ્મીનો સદુપયોગ કરાવવા લોકોપયોગી ચળવળ થાય તો દેશ, પ્રજા અને રાજ્યને અનેકધા લાભ છે. સદુપયોગ માટે ચર્ચા થાય, આદર્શો રજૂ કરવામાં આવે અને પ્રયોગો કરી તેનાં મીઠાં ફળ બતાવવામાં આવે તો જ લક્ષ્મી રાષ્ટ્રની ઉન્નતિ તરફ વળે.&lt;br /&gt;
જ. વેપારમાં સ્વાભાવિક રીતે આપખુદ કે એકહથ્થુ સત્તાને અવકાશ નથી. તેમાં સર્વનો સરખો સમાસ છે. આપણા પંચો, મહાજનો વગેરે એ સૂત્રનું સમર્થન કરે છે. લોકશાસનનાં (Democracy) તત્ત્વો આપણે ત્યાં વિદ્યમાન છે એટલું જ નહીં પણ પ્રવર્તમાન છે; અલબત્ત અમુક પ્રદેશોમાં, પણ એ તત્ત્વોને નવા જમાનાનો પાસ લાગ્યો નથી. એમનું રૂપ ફર્યું નથી. એમાં વહેતું લોહી નવો જન્મ પામ્યું નથી. લોકશાસનનો જે નવો પ્રવાહ ચાલ્યો આવે છે તેમાં આ જૂના કુંડોનું પાણી નહીં ભેળવવામાં આવે તો તે વધારે સડી જશે અને નવો પ્રવાહ જેટલી શીઘ્રતાથી પ્રજાના રુધિરમાંસમાં એકરસ થવો જોઈએ તેટલી ઝડપથી નહીં થાય. કેળવણીના વિપુલ પ્રચારથી પ્રચલિત જીવનયંત્ર નવેસર ચાલતું હશે.&lt;br /&gt;
ગુજરાતમાં જે નવજીવન ઉદય પામતું જાય છે અને તેના એક ફળરૂપે ગુજરાત કેળવણી પરિષદનો જન્મ છે તેના ગહનતમ અંતરમાં રહેલાં કેટલાંક પ્રેરક બળોનું સંક્ષિપ્ત દિગ્દર્શન કર્યું –એ દર્શન એટલું બધું ભવ્ય અને ગંભીર છે કે એ પ્રમાણે સ્થિતિ પ્રાપ્ત કરવા જે પ્રણાલિકાએ કાર્ય થાય તે અનુભવીઓને ઊણાં લાગવાનાં અને આશાનો ઉલ્લાસ સળગાવવાનાં નહીં. ગુજરાતીઓ વ્યવહારુ છે. ભાવના ઊંચી રાખે પણ કામ જે સામગ્રીથી કાર્યસાધક થઈ શકે તેનો ઉપયોગ કરવામાં પાછા હઠતા નથી. કેવી રીતે કામ કરવા ધારણા છે?&lt;br /&gt;
૧. ગુજરાતમાં વિવિધ રાજ્યસત્તા હોવાથી કેળવણીનો ફેલાવો પણ ઓછો- વત્તો છે. હાલમાં કેળવણીની સ્થિતિ જુદે જુદે સ્થળે કેવી છે? તેનાં કારણો શાં? અને તેમાં વેગ શી રીતે આવી શકે? એ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રસિદ્ધ થયેલા અહેવાલો ઉપરથી, પત્રવ્યવહારથી અને બને તેમ અંગત તપાસથી માહિતી મેળવવામાં આવશે. એ મેળવવા શરૂઆત તરીકે પ્રશ્નમાળા કાઢી ઠેકઠેકાણે મોકલવામાં આવી હતી. &lt;br /&gt;
૨. માહિતી મળ્યા પછી નિકટવર્તી વર્તમાનમાં કેળવણીની વૃદ્ધિ માટે કયા પ્રશ્નો જરૂરના છે તે નોખા તારવવામાં આવશે. સુરત, ગોધરા, અમદાવાદ, રાજકોટ, ભુજ જેવાં શહેરોમાં કૉલેજોની જરૂર; ઊંચામાં ઊંચી વિદ્યા પ્રાપ્ત કરવા ગુજરાતીઓ પરદેશ જઈ શકે એવાં સાધનોની જરૂર; ઊંચા કન્યાશિક્ષણ કે યુવતીશિક્ષણની જરૂર; કેળવણીમાં પછાત કોમોની કેળવણીની જરૂર; ગામડામાં વિશેષ શિક્ષણપ્રસારની જરૂર વગેરે જે કાંઈ લાગશે તે સંબંધમાં ચોક્કસ યોજનાઓ સરકાર સંમુખ, દેશી રાજ્યો સંમુખ અને શ્રીમંત ગુજરાતીઓ સંમુખ રજૂ કરવામાં આવશે. તે યોજનાઓ સિદ્ધ થાય માટે જરૂરની ચળવળ કરવામાં આવશે. &lt;br /&gt;
૩. કેળવણીની વર્તમાન સ્થિતિમાં જે ખામીઓ, દોષો, ન્યૂનતા, સ્ખલનો વગેરે જણાતાં જશે તેમના સંબંધમાં ચોક્કસ અને સંપૂર્ણ માહિતી મળતી જશે તેમ તેમ લાગતાવળગતા સંમુખ ફરિયાદો લઈ જવામાં આવશે અને તેમના નિકાલ માટે પ્રયત્ન કરવામાં આવશે. સરકારની, દેશી રાજ્યોની (ગાયકવાડી રાજ્ય સુદ્ધાંતની) કેળવણીની નીતિની ટીકા થશે અને લોકમત જાગૃત કરી ઇષ્ટપ્રાપ્તિ માટે ચળવળ થશે.&lt;br /&gt;
૪. પ્રચલિત સ્થિતિમાં શુભ ફેરફાર કરાવવામાં જેમ જેમ વિજય મળતો જશે તેમ તેમ તે સ્થિતિમાંથી બીજી દિશાઓમાં ગતિ કરવાના પ્રશ્નો લેવાશે અને તેમના સંબંધમાં લોકમત જાગૃત કરવામાં આવશે. ગુજરાતને માટે અલાયદું વિશ્વવિદ્યાલય (University); વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક શિક્ષણ માટે ગંજાવર વિદ્યાપીઠો, (Technological Institutions) પ્રાચીન આર્ય સંસ્કૃતિના પુનર્જન્મ માટે તેમ જ ગુજરાતીઓના વર્તમાન જીવનને વાસ્તવિક આર્યજીવન કરવાનાં સાધનો—નવા પુરોહિતોની કેળવણી, ધર્મનું શિક્ષણ, ચારિત્ર્યનાં બંધારણની તજવીજ; જે જે નવા નવા ધર્મો ગુજરાતને પ્રાપ્ત થતા જાય. તેમના નિર્વાહ માટે જરૂરી કેળવણીની તદ્દન નવી જ સંસ્થાઓ; વગેરે વગેરે પ્રશ્નો આ કોટિના છે.&lt;br /&gt;
આ રીતે કામ કરવાથી આટલા લાભ થવાનો સંભવ હાલ તો જણાય છે:&lt;br /&gt;
કેળવણીના વિષયમાં ગુજરાત જાગૃત થશે. કેળવણીના વહીવટમાં ક્યાં ખામી છે તે જણાશે અને તે દૂર કરવા લોકો તત્પર થશે. કેળવણીનો ફેલાવો ઓછો અથવા ધીમો લાગશે તો તેમાં વેગ ભરવા પ્રયત્નો થશે.&lt;br /&gt;
કેળવણીની જરૂરિયાત ચર્ચાથી સમજાશે. જ્યાં જ્યાં હાલ કેળવણી વિના મોટા મોટાં સાહસો ખેડાય છે ત્યાં ત્યાં કેળવણીનો પ્રવેશ થશે અને એ સાહસોમાં વિસ્મયકારક પરિવર્તન થશે. ગુજરાતનું દ્રવ્ય અનુત્પાદક અને નિરુપયોગી રીતે ખર્ચાય છે તે ભવિષ્યની પ્રજા તૈયાર કરવામાં ખર્ચાશે.&lt;br /&gt;
કેળવણી માટે ચળવળ કરવામાં અને સરકાર અથવા રાજાઓ પ્રજાની ખરેખરી વાંછનાઓ નહીં સંતોષે તો લોકો જાતે વાંછનાઓ અનુસાર કેળવણીની સંસ્થાઓ ઊભી કરવામાં સ્વાશ્રય શીખશે, આત્મશાસનના પાઠ શીખશે, સાર્વજનિક જીવનનો અનુભવ મેળવશે અને રાષ્ટ્રનું મમત્વ પોષશે.&lt;br /&gt;
કેળવણીના વિશેષ ફેલાવાથી જ્ઞાનની લહાણી વધશે, સંસારની વિષમતા ઘટશે, નવી શક્તિઓ ખીલશે અને આ યુગની સંપન્નતા આવશે, વિચાર વધશે અને ભારતવર્ષની સેવા માટે ગુજરાત તૈયાર થશે.&lt;br /&gt;
પરિષદનો સર્વે વ્યવહાર ગુજરાતીમાં થવાનો છે એટલે અંગ્રેજી નહીં શીખેલા અસંખ્ય ગુજરાતીઓ તેમાં રસ લઈ શકશે, સામેલ થઈ શકશે અને મદદ કરી શકશે. લોકાદર (democratic)નું આ પહેલું અને મહત્ત્વનું પગલું લેવાયું છે.&lt;br /&gt;
એક આવી હિલચાલ ચલાવવાથી ગુજરાતના સાર્વજનિક જીવનમાં નવું ચેતન આવશે. આજે ગુજરાતમાં બોલતા અને વિચારતા આગેવાનો માત્ર સાક્ષરો છે. તેમની સાથે બીજા વર્ગમાંથી આગેવાનો ઉમેરાશે. ‘સાક્ષરતા’ અને સંસ્કૃત શબ્દોથી ભડકતા ઘણા ગુજરાતીઓ આ હિલચાલમાં જોડાતાં સંકોચાશે નહીં. એમના જ્ઞાન અને અનુભવનો ગુજરાતને લાભ મળશે અને એમની નિગૂઢ, ક્રિયારહિત શક્તિઓ ખીલશે.&lt;br /&gt;
હવે વિષય સમેટી લેતાં પુનઃકથનનો દોષ વહોરી લઈ ટૂંકામાં પરિષદની જરૂર જણાવીશું :&lt;br /&gt;
પ્રાન્તિક કેળવણી પરિષદથી નિરાળી ગુજરાત કેળવણી પરિષદ કરવાનાં કારણો સ્પષ્ટ થયાં હશે. (૧) ગુજરાતનું રાષ્ટ્રીય જીવન ઘડવા ગુજરાતને પોતાની ખાસ ચળવળ જોઈએ છીએ. દેશી રાજ્યોવાળા ગુજરાતમાં આદર પામે એવી પણ સાથે સાથે. (૨) પ્રાંતિક કેળવણી પરિષદમાં દેશી રાજ્યોમાં પ્રચલિત કેળવણીના પ્રશ્નો બાતલ રાખવામાં આવે તે ગુજરાતને પાલવે એમ નથી. દેશી રાજ્યોને જુદાં રાખવાથી એની એકતા નિરંતર ખંડિત રહેશે. (૩) પ્રાંતિક કેળવણી પરિષદમાં ઘણીવાર મુંબઈ ઈલાકાના પછાત ભાગો (સિંધ, દક્ષિણ મહારાષ્ટ્ર, ખાનદેશ વગેરે)ના લાભો આગળ ગુજરાતના લાભો દટાઈ જવાનો ભય છે.&lt;br /&gt;
પોતાની ખાસ પરિષદ ભરવાથી ગુજરાતના લોકો પોતાનો ઉદ્ધાર કરવા જાતે જ પ્રવૃત્ત થશે અને રાષ્ટ્રીય જીવન ખીલવી શકશે. પોતાની લક્ષ્મીના પ્રમાણમાં કેળવણીનો લાભ મેળવી શકશે અને મહેચ્છા(aspiration)ના પ્રમાણમાં સિદ્ધિ(achievement) સાધી શકશે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ઑક્ટોબર ૧૯૧૬&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કેળવણી વિષે ટૂંકાં ટિપ્પણો&lt;br /&gt;
|next = શુદ્ધ ગુજરાતી ભાષા સામે પારસીઓની ફરિયાદની તપાસ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6&amp;diff=111473</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાતી સાહિત્ય પરિષદ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6&amp;diff=111473"/>
		<updated>2026-05-30T03:37:23Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગુજરાતી સાહિત્ય પરિષદ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ. સ. ૧૯૦૪માં અમદાવાદની સાહિત્ય સભાએ સાહિત્ય પરિષદ અમદાવાદમાં ભરવાનો વિચાર કર્યો હતો. ઈ. સ. ૧૯૦૫માં આ વિચાર ફળીભૂત થયો અને પહેલી પરિષદ અમદાવાદમાં મળી. પ્રમુખસ્થાને સદ્ગત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી વિરાજ્યા હતા. પ્રાચીન ગુજરાતી સાહિત્યનું એમનું અવલોકન પ્રશંસા પામ્યું હતું. શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીએ એ ભાષણ જુદું છપાવી વહેંચ્યું હતું.&lt;br /&gt;
પરિષદ ભરવાનો વિચાર સ્ફુર્યો ત્યારે ગોવર્ધનભાઈ ને રા. બ. રમણભાઈ, રા. ઠાકોરલાલ હરિલાલ અને હું, પ્રો. આનંદશંકર ધ્રુવને ત્યાં સલાહ લેવા મળવાને ગયા હતા. ત્યારે તેમણે પ્રશ્ન પૂછ્યો હતો : ‘પરિષદમાં શેની ચર્ચા કરશો? જોડણીની?’ ગુજરાતી સાહિત્યના આ અંગેનો અભ્યાસ કરી તેની સતત અને આગ્રહભરી ચર્ચા કરી રા. નરસિંહરાવ ભોળાનાથે આ પ્રશ્ન પરત્વે ગુજરાતના વિદ્વાનોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. બીજા કોઈ પ્રશ્ન પરત્વે બીજા કોઈ વિદ્વાનોએ એમના જેટલા આગ્રહ, ઉદ્યોગ અને નિષ્ઠાથી ચર્ચા ઉઠાવેલી નહીં એટલે સ્વાભાવિક રીતે એ જ પ્રશ્ન પ્રતિ સર્વેનું ધ્યાન ખેંચાતું. પહેલી પરિષદ સમક્ષ રા. નરસિંહરાવે જોડણી વિશે વિસ્તૃત નિબંધ વાંચ્યો હતો. તેમાં એ પ્રશ્નની ચર્ચાનો ત્યાર લગીનો ઇતિહાસ અને ઘણાં વર્ષોની ચર્ચાના પરિણામે પોતાને જે નિર્ણયો યોગ્ય લાગ્યા હતા તે આપ્યા છે. પ્રો. આનંદશંકર ધ્રુવે પણ એ વિષય ઉપર નિબંધ વાંચ્યો હતો. રા. કેશવલાલ ધ્રુવે વાગ્વ્યાપાર ઉપર નિબંધ વાંચી ગુજરાતી વ્યાકરણના એ અંગ સંબંધે સારો પ્રકાશ નાંખ્યો હતો. એ નિબંધમાં જોડણીના પ્રશ્નને સ્પર્શ હતો. ઉપસંહાર કરતી વેળા પ્રમુખે જોડણી વિશે આગ્રહથી પોતાનો મત દર્શાવ્યો હતો કે, હવે સંસ્કૃત યુગ આવવાનો છે ત્યારે તદ્ભવ અને દેશ્ય અને વિદેશી શબ્દોની જોડણીનો સવાલ નકામો થવાનો છે. ‘સાહિત્ય પરિષદમાં જોડણી’ એવા મથાળાથી રા. નરસિંહરાવે ‘વસન્ત’માં લેખ લખી પોતાના નિબન્ધ સિવાયના બીજા નિબન્ધો અને ચર્ચાનું સમીક્ષણ કર્યું હતું. ઠરાવ સાહિત્ય પરિષદ કરશે નહીં એવો નિર્ણય પ્રમુખે આપ્યો હતો છતાં જોડણી અને લિપિ વિશે સાહિત્યસભાએ પ્રશ્નો પૂછી તેના ઉત્તરો ભેગા કરી બીજી પરિષદને રોશન કરવાનો ઠરાવ થયો હતો. સાહિત્ય સભાએ પ્રશ્નો ઘડી ગુજરાતમાં ફેરવ્યા હતા પણ તેમના સંતોષકારક ઉત્તર જોઈએ તેટલા પ્રમાણમાં નહોતા આવ્યા. એ પ્રશ્નોએ રા. નરસિંહરાવને અને રા. હિમ્મતલાલ અંજારીઆને(ગુજરાતીને બદલે બાલબોધ લિપિનો પ્રચાર કરવાની હિમાયત કરનાર) કેટલેક અંશે સંતોષ નહોતો આપ્યો એટલે એમણે જાહેરમાં મતભેદ ચર્ચ્યો હતો. સાહિત્ય સભાના પ્રશ્નો બીજી સાહિત્ય પરિષદના રિપોર્ટમાં છપાયેલા છે.&lt;br /&gt;
સાહિત્ય સભાની પ્રશ્નાવલિ સંતોષકારક કામ ન કરી શકી એટલે મુંબઈમાં બીજી પરિષદ વખતે જોડણી માટે કમિટી નીમવામાં આવી. લિપિના પ્રશ્ન માટે રા. હિમ્મતલાલે આગ્રહ નહીં બતાવેલો એટલે એ પ્રશ્ન પડતો મુકાયો. અલબત્ત રા. નરસિંહરાવે એ પ્રશ્ન અવસન્ન ‘આર્યધર્મપ્રકાશ’ માસિકમાં ચર્ચ્યો હતો. રાજકોટમાં ત્રીજી પરિષદ મળી ત્યારે જોડણીકમિટી એકમતે પોતાનું કામ કરી શકી નહોતી તેથી ફરીથી થોડા ફેરફાર સાથે કમિટી નિમાઈ. આનો અહેવાલ ત્રીજી પરિષદના રિપોર્ટમાં છે. વડોદરામાં ચોથી પરિષદ મળવાની હતી તેવામાં જોડણીકમિટીએ કેટલાક પ્રશ્નો ઘડી ગુજરાતમાં ફેરવ્યા.  &amp;lt;ref&amp;gt;‘ગુજરાતી’માં રા. તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠીએ પ્રશ્વો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને સ્વ. ગોવર્ધનરામને મળતો કંઈક અભિપ્રાય દર્શાવ્યો છે.&amp;lt;/ref&amp;gt; પ્રશ્નોના આવેલા ઉત્તરોનું પૃથક્કરણ કરી તેમને વ્યવસ્થિત રૂપમાં ગોઠવ્યા અને જોડણીના સંબંધમાં કેટલીક ભલામણો કરી. કમિટીનો રિપોર્ટ વડોદરાની પરિષદમાં નોંધવામાં આવ્યો અને એ પ્રશ્ન વિશે વિચાર કરવાનાં ગુજરાતને સાધનો આપી પરિષદે હમણાં તો એ પ્રશ્નની ચર્ચા મોકૂફ રાખી છે.&lt;br /&gt;
પહેલી પરિષદના અહેવાલને અદ્ધર રાખી વચ્ચે જોડણુની ચર્ચાનો આખો ઇતિહાસ ટૂંકમાં એકી નજરે જોવાય તે માટે આપ્યો છે.&lt;br /&gt;
પહેલી પરિષદમાં શાસ્ત્રીય પરિભાષાનો પ્રશ્ન લેવાયો હતો પણ તે સંબંધમાં કાંઈ વ્યાવહારિક પ્રવૃત્તિ કરાઈ નથી.&lt;br /&gt;
રા. બ. હરગોવિંદદાસે પ્રાચીન કાવ્યોની શોધખોળ વિશે ટૂંકો નિબંધ લખ્યો હતો. ત્રીજી પરિષદ વખતે રાજકોટમાં પ્રાચીન ગ્રંથોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમની યાદી ત્રીજી પરિષદના રિપોર્ટમાં છાપવામાં આવી છે. ચોથી પરિષદમાં રા. છગનલાલ વિદ્યારામ રાવળે ગુજરાતના કવિઓની અને તેમની કૃતિઓની યાદી તૈયાર કરી મોકલી હતી. આ યાદી ચોથી પરિષદના રિપોર્ટમાં છપાઈ છે. જુદે જુદે સ્થળે પ્રાચીન ગ્રંથોના સંગ્રહો જાણીતા છે તેમની યાદી અને સવિસ્તર અહેવાલ તૈયાર થવાની જરૂરિયાત ગુજરાતમાં સર્વ કોઈ સ્વીકારે છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રાચીન ગ્રંથસંગ્રહનો અહેવાલ ‘બુદ્ધિપ્રકાશ’માં છૂટક છૂટક છપાયો છે. સુરતમાં મળનારી પાંચમી સાહિત્ય પરિષદ વખતે એ દિશામાં વિશેષ કામ કરવાની સુરતના કાર્યવાહકો ઉમેદ રાખે છે. બીજી પરિષદ વખતે રા. મનસુખ કીરતચંદ મેહતાએ ‘જૈન સાહિત્ય’ વિશે મુંબઈમાં નિબંધ વાંચ્યો હતો. ત્યાર પછી એમણે જૈન ગુજરાતી રાસાઓની યાદી પ્રગટ કરી હતી. એ યાદીનો વધારો ‘જૈન કોન્ફરન્સ હેરલ્ડ’ના તંત્રી રા. મોહનલાલ દલીચંદ દેસાઈએ બહાર પાડ્યો છે. રાજકોટ પરિષદ વખતે સ્થપાયેલું પરિષદ ભંડોળ ફંડ રા. રા. ડાહ્યાભાઈ દેરાસરી પાસે કાન્હડદે પ્રબંધ છપાવવા તૈયાર થયું હતું પણ વડોદરામાં ચોથી પરિષદ મળી ત્યારે ગાયકવાડ સરકારે પ્રાચીન ગુજરાતી ગ્રંથો છપાવવાની યોજના કરી એટલે તેને અનુસાર કાન્હડદે પ્રબંધ છપાયો. રા. કેશવલાલ ધ્રુવ એ જ યોજના માટે ભાલણની કાદંબરીનું પ્રકાશન કરવાના છે. રા. નરસિંહરાવ અને પ્રો. બળવંતરાય ક. ઠાકોરને એ યોજનાને અંગે કામ સોંપવામાં આવ્યાં છે. ચોથી પરિષદ વડોદરામાં મળ્યા પછી વડોદરાના આગેવાન સાહિત્યસેવક રા. બ. હરગોવિંદદાસના કુટુંબ તરફથી ‘સાહિત્ય’ માસિકનું પ્રકાશન થવા માંડ્યું છે; તેમાં પ્રાચીન કાવ્યો છાપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીવાળા રા. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલે પણ કેટલાંક પ્રાચીન કાવ્યો પ્રકાશમાં આણ્યાં છે. પરિષદની શરૂઆતથી જૈન સાહિત્યની સમૃદ્ધિ તરફ લોકોનું ધ્યાન ખેંચવામાં આવતાં તેનાં શુભ પરિણામ સત્વર જન્મ્યાં. રા. રા. મનસુખભાઈ રવજીભાઈ મહેતાએ ‘રાયચંદ જૈન કાવ્યમાળા’ બે ભાગમાં બહાર પાડી. રા. મોહનલાલ દલીચંદ દેસાઈએ જૈન ઐતિહાસિક રાસમાળાનો એક અંક બહાર પાડ્યો. દેવચંદ લાલચંદ ઝવેરીના ફંડમાંથી રા. જીવણચંદ સાકરચંદ ઝવેરીએ ‘શ્રી આનંદકાવ્ય મહોદધિ’નાં ત્રણ મૌક્તિક બહાર પાડ્યાં છે. સુરતના રા. મણિલાલ બકોરભાઈ વ્યાસે ‘વિમલ પ્રબંધ’ પ્રકાશિત કર્યો છે. રા. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતાએ પ્રેમાનંદનું મહાભારત પ્રાપ્ત કર્યું છે. આ સર્વ સાહિત્ય પરિષદની ચળવળનું પરિણામ છે. હજુ આ દિશામાં ઘણું કરવાનું છે અને પ્રાચીન ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિને નાશ પામતી બચાવવાની છે.&lt;br /&gt;
આ વિષયને લગતા જ એક પ્રશ્નની અહીં નોંધ લેવાનું વાજબી લાગે છે. ત્રીજી સાહિત્ય પરિષદ માટે રા. રા. નરસિંહરાવે વડોદરાની પ્રાચીન કાવ્યમાળામાં પ્રગટ થયેલાં પ્રેમાનંદનાં ત્રણ નાટકો પ્રેમાનંદનાં નથી એવું સાબિત કરવા લેખ લખ્યો હતો. રા. મગનલાલ હરગોવિંદદાસ કાંટાવાળાએ રા. અંબાઈદાસ કાળીદાસ પટેલે, રા. છોટાલાલ નરભેરામ ભટે અને રા. અંબાલાલ બુલાખીરામ જાનીએ એમના લેખના મુદ્દાના રદીઆ આપવા પ્રયત્ન કર્યા છે. પણ જ્યાં લગી મૂળ હસ્તલેખો પ્રાપ્ત ન થાય ત્યાં લગી આ પ્રશ્નનો નિર્ણય થશે નહીં. જોડણીની ચર્ચાથી જેમ કેટલાક વ્યાકરણગત પ્રશ્નો સંબંધે અન્વેષણ થતું હતું તેમ પ્રેમાનંદનાં નાટકોની ચર્ચાથી ગુજરાતી ભાષાની ઉત્પત્તિ, ભાષાના શબ્દપ્રયોગો, ગુજરાતી વ્યાકરણનાં ઐતિહાસિક રૂપાન્તરો વગેરે સંબંધે નવો પ્રકાશ પડતો જાય છે, નવી શોધો થતી જાય છે.&lt;br /&gt;
પ્રાચીન કાવ્યના સંગ્રહ જેવા જ મહત્ત્વનો વિષય કંઠસ્થ સાહિત્યના સંગ્રહનો છે. પહેલી પરિષદમાં એ સંબંધી રામમોહનરાય જસવંતરાય દેસાઈનો અને મારો લેખ હતો, ચોથી પરિષદમાં રા. રા. હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીનો લેખ હતો. રા. રા. હરગોવિંદે કાઠિયાવાડમાં પ્રચલિત દુહાવાળી કથાઓનો સંગ્રહ સારો કર્યો છે. શ્રી ફાર્બસ ગુજરાતી સભા તરફથી એ સંગ્રહ છપાવાનો છે. રાજકોટમાં રા. રા. કાનજી ધર્મસિંહ કવિએ કાઠિયાવાડના કંઠસ્થ સાહિત્યનો સંગ્રહ છપાવ્યો છે પણ તેમાં દુહાઓની ભેળસેળ અને અશુદ્ધિ ઘણી છે. કચ્છ કાઠિયાવાડની આવી દુહાવાળી કથાઓ ‘ગુજરાતી’ પોતાના દિવાળીના અંક દ્વારા દર વર્ષે રા. રા. જીવરામ અજરામર ગોર અને રા. રા. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય તરફથી પ્રગટ કરે છે. સુરતના રા. રા. હરિલાલ હરદેવરામ મુનશીએ(જેઓ ઘણાં વર્ષ ઉપર ભાવનગરમાં કાવ્યપ્રેમી માસિક કાઢતા હતા) ગ્રામ્યજનોને કંઠસ્થ રામાયણ, મહાભારત વગેરેનો સંગ્રહ કર્યો છે. ગુજરાતી પ્રેસે પણ ભારતલોકકથાનો એક સંગ્રહ બહાર પાડ્યો છે. ઘણાં વર્ષો પૂર્વે ફરામજી નામના વિદેહ પારસી ગૃહસ્થે આવી કથાઓનો સંગ્રહ કરી ત્રણ ભાગમાં પ્રગટ કર્યો હતો. જુદી જુદી નાતોમાં ગવાતાં ગીતોનો સંગ્રહ અવારનવાર થતો જાય છે. સુરતની વડનગરા નાગર જ્ઞાતિનો ગીતોનો સંગ્રહ કવિ નર્મદાશંકરે કર્યો હતો. ત્યાર પછી વહાલીબેનના ‘રીતિદર્પણ’માં થોડોએક સંગ્રહ છે. અમદાવાદના વડનગરા નાગરનાં ગીતોનો સંગ્રહ સૌ. બાળાબહેને કર્યો છે. ભાવનગરના જૈનોનાં ગીતોનો સંગ્રહ હમણાં તાજેતરમાં પ્રગટ થયો છે. નડિયાદના સાઠોદરાનાં ગીતોનો સંગ્રહ વિદેહ સૌ. કુન્દનબહેને કર્યો છે. ખંભાતના માજી દીવાન માધવલાલ હરિનારાયણની પુત્રીએ સુરત જિલ્લાના ઔદિચોમાં ગવાતાં ગીતોનો સંગ્રહ કર્યો છે. સુરતના કાયસ્થોના ગીતોનો સંગ્રહ રા. હરિલાલ હરદેવરામ મુનશીએ કર્યો છે. ગોહિલવાડના પ્રશ્નોરાઓમાં ગવાતાં હાલરડાંનો સંગ્રહ રા. રા. દેવશંકર વૈકુંઠજીએ પ્રગટ કર્યો છે. જૂનાગઢના વડનગરાનાં ગીતોનો સંગ્રહ પણ ઘણું કરીને થયેલો છે. વિદેહ બાળાશંકર ઉલ્લાસરામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના આસિસ્ટંટ સેક્રેટરી હતા ત્યારે એમણે સોસાયટી મારફત ગુજરાતમાં ગવાતાં કેટલાંક ગીતોનો સંગ્રહ કરાવ્યો હતો. પંચમહાલના એક વખતના આસિસ્ટંટ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર રા. રા. કૃષ્ણલાલ સૂરજલાલ વકીલે તે તરફના ભીલોનાં ગીતોનો સંગ્રહ કરાવ્યો છે. વડોદરા તરફથી પ્રગટ થયેલ નવસારી પ્રાંતના કાળીપરજ નામના ગ્રંથમાં કાળીપરજનાં થોડાં ગીતો છે. બાળકોનાં ગીતો, ઉખાણાં, કથાઓ વગેરેના નાના નાના સંગ્રહ અવારનવાર ‘સુન્દરીસુબોધ’માં પ્રગટ થાય છે. કંઠસ્થ સાહિત્યના રક્ષણનો અને સંગ્રહનો આ રડતો વૃત્તાંત છે. પરિષદ તરફથી એ દિશામાં જોઈએ તેવો સબળ યત્ન થયો નથી.&lt;br /&gt;
અમદાવાદની પરિષદમાં સદ્ગત વલ્લભજી હરિદત્ત આચાર્યે ઐતિહાસિક શોધખોળને લગતો ટૂંકો નિબંધ મોકલાવ્યો હતો. રાજકોટના સંગ્રહસ્થાનના અધિકારી તરીકે એમણે અને એમના અવસાન પછી એમના પુત્ર રા. રા. ગિરજાશંકરે કાઠિયાવાડ અને કચ્છમાં સ્થળે સ્થળે ફરી ઐતિહાસિક સામગ્રી સારા પ્રમાણમાં એકઠી કરી છે. આવી જ સામગ્રી પૂર્વે ભાવનગરમાં સંગ્રહાઈ હતી. એમાંથી થોડીક પુસ્તક રૂપે-પણ ઘણી જ અશુદ્ધ રીતે પ્રસિદ્ધ થઈ હતી. કેટલીક રાજકોટની અને ભાવનગરની એ સંપત્તિ અપ્રસિદ્ધ છે, એ અફસોસની વાત છે. એનું પ્રકાશન કરવાનું કર્તવ્ય પરિષદનું છે. પરિષદના પ્રારંભ પછી ‘બુદ્ધિપ્રકાશ’માં બે નવા શિલાલેખ રા. રા. તનસુખરામ મનસુખરામ ત્રિપાઠીએ પ્રકાશિત કર્યા છે. ગુજરાતના હિન્દુ સમયના ઇતિહાસને લગતા પ્રસિદ્ધ લેખો – શિલા અને તામ્રના– નો ઘણોખરો સંગ્રહ મેં કર્યો છે. એ લેખોની યાદી ‘બુદ્ધિપ્રકાશ’ ૧૯૧૫ના એપ્રિલના અંકમાં છપાવાની છે. રાજકોટની પરિષદમાં રેવરન્ડ ડૉ. ટેલરે ગુજરાત કૉલેજ સમક્ષ વાંચેલા અંગ્રેજી નિબંધનું ગુજરાતી ભાષાન્તર રજૂ થયું હતું. તેમાં ગુજરાતના સિક્કાઓનો વૃત્તાંત આપેલો છે. એ જ વખતે રા. રા. હીરાલાલ ત્રિભોવનદાસ પારેખનો હિંદુસ્તાનના સિક્કાઓ વિશે પણ નિબંધ આવ્યો હતો. રાજકોટ પરિષદના પ્રદર્શનમાં કેટલાક સિક્કાઓ આવ્યા હતા પણ તે વંચાવી શકાયા નહોતા.&lt;br /&gt;
અમદાવાદની સાહિત્યસભાએ ઐતિહાસિક વ્યાખ્યાનમાળાની યોજના કરી હતી પણ તે સફળ નીવડી નથી. પરિષદવ્યાખ્યાનમાળાને અંગે વિદેહ હરજીવન ભગવાનજી શુક્લે અમરજી દીવાન વિશે રાજકોટમાં ભાષણ આપ્યું હતું. તે સિવાય એ માળાનાં બીજાં ઐતિહાસિક વ્યાખ્યાનો થયાં નથી. પ્રો. આનંદશંકર ધ્રુવે એક વેળા પરિષદ વિશે ‘વસન્ત’માં લખતાં લખ્યું હતું કે ઐતિહાસિક શોધખોળને માટે ગુજરાતમાં હવે અવકાશ નથી. પણ એમનું એ માનવું ભૂલભરેલું છે. ગુજરાતમાં સામાજિક, આર્થિક, કલાવિષયક અને સાહિત્યિક ઇતિહાસ સંબંધે હજુ શરૂઆત પણ નથી થઈ એમ કહીએ તો ખોટું નથી. રાજકોટ પરિષદમાં રા. રા. દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરનો એક અંગ્રેજી નિબંધ આવ્યો હતો. કાઠિયાવાડના નાગરોને એથી માઠું લાગશે એવા ડહાપણભર્યા વિવેકથી આ નિબંધ ત્યાં વાંચવામાં નહોતો આવ્યો પણ તેનું ગુજરાતી ભાષાંતર ‘વસંત’માં છપાયું. જ્ઞાતિઓનાં પુરાણોની ઐતિહાસિક નિરીક્ષા હજુ આરંભાઈ જ નથી. શિલાલેખો, તામ્રલેખો, અને ગ્રંથોમાં જે જે રાજ્યવ્યવસ્થા, ભૂગોળ, ધર્મસંપ્રદાય આદિના ઉલ્લેખો છે તેનો અભ્યાસ હજુ થયો નથી. આ ઉપરાંત હજુ ઘણા પ્રશ્નો અસ્પર્શ્ય પડ્યા છે.&lt;br /&gt;
પહેલી પરિષદ વખતે સ્વાગતનું ભાષણ રા. બ. રમણભાઈએ વાંચ્યું હતું અને એમાં સાહિત્ય પરિષદનો ઉદ્દેશ અને કાર્યપ્રદેશ આલેખ્યો હતો. બીજી સાહિત્ય પરિષદ મુંબઈમાં ભરવાનું કાર્ય સાહિત્યસભાએ રા. રા. ઠાકોરલાલ હરિલાલ દેસાઈ, રા. રા. હિમ્મતલાલ ગણેશજી અંજારીઆ અને મને સોંપ્યું હતું. પ્રો. ગજ્જરના સમભાવે સાહિત્ય પરિષદના કાર્યપ્રદેશ સંબંધીની મારી ભાવના વિશાળ થઈ અને મેં એનું આલેખન પહેલી પરિષદના રિપોર્ટના આમુખમાં કર્યું છે. આ વિશાળ સ્વરૂપને બીજી પરિષદના પ્રમુખ રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે અને સ્વાગતમંડળના પ્રમુખ શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીએ સમર્થન આપ્યું હતું પણ રા. રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીએ ‘સમાલોચક’માં એ વિશાળતા પ્રત્યે વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટમાં પ્રો. બળવંતરાય ક. ઠાકોર અને બીજા વિદ્વાનોએ એ વિશાળતાને પોષી હતી. પણ વડોદરામાં મૂળની સંકુચિત ભાવનાનો પુનઃ સ્વીકાર થયો હતો. રા. રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવને પોતાનો ગુજરાતની ભૂસ્તરરચનાનો નિબંધ છિન્નભિન્ન કરી નાંખી જુદે નામે રજૂ કરવો પડ્યો હતો કારણ કે સાહિત્યની પરિષદમાં વિજ્ઞાનને સ્થાન શી રીતે અપાય? સુરત પરિષદમાં ચર્ચવાના વિષયોની યાદી પર પણ એ સંકુચિતતાનો પ્રભાવ પડ્યો હતો. આમ અત્યારે બે પક્ષ છે. નર્યા સાહિત્યને લગતા જ પ્રશ્નો એકલા વિદ્વાનો મળી ચર્ચે એવો એક મત છે. સાહિત્ય ઉપરાંત જ્ઞાનના સર્વે પ્રશ્નો વિદ્વાનો અને વિદ્યારસિકો ચર્ચે અને લોકસમુદાયને એમાં રસ લેતો અને સહાય આપતો કરે એ બીજો મત છે. બીજા પક્ષવાદીઓ આ સંસ્થા ગુજરાતનું સાર્વજનિક જીવન કેળવવાનું – તેના પાઠ શીખવવાનું સાધન પણ લેખે છે.&lt;br /&gt;
પહેલી પરિષદ વખતે રા. રા. પેસ્તનજી ખરસેદજી તારાપોરવાળાએ પ્રદર્શન ભરવાનું સૂચવ્યું હતું પણ તે સૂચનાનો અમલ નહોતો થઈ શક્યો. મુંબઈમાં ગ્રંથવિક્રેતાઓ પાસે ગુજરાતી ગ્રંથોનું વિક્રય માટે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં પ્રદર્શન ટૂંક વખતમાં મોટા પાયા ઉપર કરવામાં આવ્યું હતું. એમાં પ્રાચીન હસ્તલેખો, મુદ્રિત પુસ્તકો, શિલાલેખો, તામ્રલેખો, સિક્કાઓ વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં, પણ તેમના સંબંધી રસિક અહેવાલ પણ લખવામાં આવ્યો હતો. વડોદરામાં પણ નાનુંસરખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે ગુજરાતી વિદ્વાનો અને ગ્રંથકારોની છબીઓ તૈયાર કરવામાં આવી હતી. &amp;lt;ref&amp;gt;વડોદરા પરિષદ વખતે રા. રા. જ. પુ. જોશીપરાએ ‘સાક્ષરમાળા’ લખી ગુજરાતના ગ્રંથકારો અને લેખકોનાં જીવન, છબીઓ અને કૃતિઓનો પરિચય કરાવ્યો હતો.&amp;lt;/ref&amp;gt; સુરતમાં રાજકોટ અને વડોદરાને ધોરણે બને તો પ્રદર્શન કરવા કાર્યવાહકોનો વિચાર છે. ગુજરાતી ચિત્રકારોનાં ચીતરેલાં ચિત્રો ગુજરાતને લગતા ભિન્ન ભિન્ન વિષયો પરત્વે પ્રદર્શનમાં ભેગાં કરવાનો તેમનો અભિલાષ છે. સાથે અંગ્રેજી સંસ્કારો આપણા જીવન ઉપર પડ્યા તે અગાઉ જે પ્રકારની ચિત્રકલા ગુજરાતમાં પોષાતી હતી તેનો સંગ્રહ કરવા પણ ધારણા છે. ભાવનગર રાજ્યનો શિહોરમાં રાજમહેલ છે ત્યાં ભાવનગરના રાજવંશનાં ચિત્રો છે – હાલ તો લગભગ નષ્ટ થયેલાં છે પણ તેમની નકલો ઉતારી લીધેલી ભાવનગરના સંગ્રહસ્થાનમાં છે. એ ચિત્રો ગયા વર્ષના ‘ગુજરાતી’ના દિવાળી અંકમાં છપાયાં હતાં. હમણાં જ પાલનપુરના નવાબઝાદાએ પોતાના રાજ્યનો ઇતિહાસ લખ્યો છે તેમાં પોતાના પૂર્વજોની છબીઓ આપી છે. આ વગેરે ઉપરથી પ્રાચીન કલાની સામગ્રી ગુજરાતમાં હયાત હોવાનું જણાય છે. તેને નાશ થતી બચાવી લોકાદરને પાત્ર કરવાનો ઉદ્દેશ છે. સચિત્ર હસ્તલેખોના સંગ્રહથી ગુજરાતના પ્રાચીન રીતરિવાજ, પહેરવેશ, અલંકાર, પ્રસાધન આદિનો પરિચય મેળવી શકાય છે. રાજકોટ પ્રદર્શનમાં વસંતવિલાસિકાની સચિત્ર હસ્તલિખિત પ્રત હતી. ચિત્રો પરથી ગુજરાતના તત્કાલીન જીવનનો આબેહૂબ ખ્યાલ મળતો હતો.&lt;br /&gt;
ચિત્રકલાની બહેનપણી બીજી લલિતકલાઓ ગુજરાતના વ્યક્તિ અને સાર્વજનિક જીવનમાં સંસ્કાર ભરે એવી યોજના વિચારવા પરિષદની ધારણા છે. સ્થાપત્ય અને મૂર્તિવિધાનનું હયાત સ્વરૂપ કેવું છે તેનું રેખાદર્શન રા. રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવે ત્રીજી સાહિત્ય પરિષદમાં કરાવ્યું હતું. સુરત પરિષદમાં પણ એ વિશે લેખ આવવાનો છે. ગુજરાતમાં એ કલાઓની જે સુંદર સમૃદ્ધિ છે તેનો બહુ જ થોડાને ખ્યાલ છે.&lt;br /&gt;
સંગીતના વિશેષ સંસ્કારી અભ્યાસ અને પ્રસારણની ખાસ અગત્ય છે. બીજી પરિષદમાં રા. રા. કૃષ્ણરાવ ભોળાનાથે એ વિષે નિબંધ વાંચ્યો હતો. રા. રા. ગણપતરાવ ગોપાળરાવ બર્વેએ પણ શ્રુતિઓ વિશે વિસ્તીર્ણ નિબંધ વાંચ્યો હતો. એમના શ્રુતિસ્વરસિદ્ધાંતની રા. રા. નરસિંહરાવે ‘વસંત’માં સમીક્ષા કરી હતી. સુરત પરિષદ વાસ્તે રા. રા. કૃષ્ણરાવ ભોળાનાથ ગુજરાતના સંગીત સાહિત્ય વિષે લખવાના છે. રતનદેવી નામની ઇંગ્લિશ સન્નારીએ ત્રીસ હિન્દુસ્તાની ગાયનો જેવા રસથી અંગ્રેજીમાં ઉતાર્યાં છે, મિ. ફોક્ષ-સ્ટ્રેગવે, મિ. ક્લેમન્ટસ, ડે આદિ ઇંગ્લિશ સંગીતવિદોએ ભારતવર્ષના સંગીતશાસ્ત્ર વિષે જેવી ચર્ચા કરી છે તેવી ગુજરાતની સંગીતસમૃદ્ધિની થવી ઘટે છે. તે ઉપરાંત ગુજરાતમાં સંગીતનો ઊંચો શોખ ફેલાવવો ઘટે છે. ગુજરાતની રસિકતા ઉત્તેજવી અને પોષવી, એ પણ સાહિત્ય પરિષદનું એક કર્તવ્ય છે.&lt;br /&gt;
બંગીય સાહિત્ય પરિષદે કરેલા પ્રદર્શનનો અહેવાલ પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે ‘સાહિત્ય પરિષદ વિશેનાં વ્યાખ્યાનો’ નામના પોતાના ગ્રંથને છેડે આપેલો છે. એ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રદર્શનને સારી રીતે ખીલવવાની અને તેને માટે સતત મહેનત લેવાની જરૂર છે.&lt;br /&gt;
પહેલી પરિષદમાં સસ્તું સાહિત્ય ઉત્પન્ન કરવા અને તેની આવશ્યકતા વિશે બે નિબંધો વંચાયા હતા. ત્યાર પછી પરિષદે એ દિશામાં કાંઈ પ્રયાસ કર્યો નથી. પણ સંતોષની વાત છે કે સ્વામી અખંડાનંદે એ કાર્ય સફળતાથી પાર પાડ્યું છે. એમના નાનાં અનુસરણો પણ થતાં જાય છે.&lt;br /&gt;
બીજી પરિષદ મુંબઈમાં ઈ. સ. ૧૯૦૭માં યુનિવર્સિટીના હૉલમાં મળી હતી. રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે પ્રમુખસ્થાનેથી પ્રોત્સાહક ભાષણ કર્યું હતું. અપભ્રંશસાહિત્ય પ્રત્યે લોકસમૂહનું ધ્યાન ખેંચ્યું હતું. પદ્યરચનાનાં સ્વરૂપો વિશે એમનો નિબંધ પણ આવ્યો હતો. ગોવર્ધનભાઈએ વખાણેલી વિદ્વત્તાની પ્રસાદી પહેલી બે પરિષદને મળી તે મળી. પછીની પરિષદો તે મેળવવા ભાગ્યશાળી નીવડી નથી.&lt;br /&gt;
રા. રા. નરસિંહરાવે અભિનયકલા વિશે વિસ્તૃત નિબંધ લખ્યો હતો. તેનો સારાંશ ‘વસંત’માં અને બીજી પરિષદના રિપોર્ટમાં છપાયો છે. સમગ્ર નિબંધ હજુ પ્રસિદ્ધ નથી થયો. પહેલી પરિષદમાં રા. રા. કૃષ્ણરાવ ભોળાનાથે આપણાં નાટકો વિશે નિબંધ વાંચ્યો હતો. ત્યાર પછી રંગભૂમિના સંબંધમાં પરિષદ દ્વારા ચર્ચા થઈ નથી. સુરત પરિષદમાં રા. રા. રમણિક અ. મહેતાનો રંગભૂમિના એક અંગ વિષે નિબંધ આવવાનો છે. સદ્ગત જીવાભાઈ અમીચંદ પટેલે ‘ગુજરાતી’માં વર્તમાન રંગભૂમિ વિશે લેખમાળા લખી હતી. તે છૂટી પુસ્તકાકારે પ્રગટ થવી ઘટે છે. દક્ષિણમાં નાટકકારોનું જુદું જ સંમેલન મળે છે. વડોદરામાં રૂ. ૫૦૦૦/– ખર્ચી રોષદર્શિકાસત્યભામાખ્યાન પરિષદ તરફથી ભજવવામાં આવ્યું હતું. આ કાર્ય તરફ વિરોધ ઊઠ્યો હતો. પણ સાહિત્યરસિકો સાહિત્યના કેટલાક ઉત્તમ પ્રસંગો અભિનયથી અને સંગીતથી પરિષદ વખતે ભજવી બતાવે તો સાહિત્યના સંસ્કારો વિસ્તારથી ફેલાય ખરા.&lt;br /&gt;
રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળે ગુજરાતી અક્ષરોના રૂપાંતર વિશે લેખ લખ્યો હતો પણ પ્રાચીન ગુજરાતી ગ્રંથો વાંચવામાં મદદરૂપ થઈ પડે એવાં કોષ્ટકોના અભાવે એ લેખની મહત્તામાં ન્યૂનતા આવી છે.&lt;br /&gt;
બીજી સાહિત્યપરિષદમાં સદ્ગત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું સ્મારક કરવા ઠરાવ થયો હતો. લાખ રૂપિયા ભેગા કરી એમાંથી અમુક વિષયો પર પુસ્તકો લખાવવાની ધારણા હતી. પણ એવડું મોટું ફંડ કરી શકે એવા જે આગેવાનો હતા તેમને અણધારી આસમાની–સુલતાની જોવી પડી એટલે એ સ્મારક જન્મતાં જ અવસાન પામ્યું છે.&lt;br /&gt;
ત્રીજી સાહિત્યપરિષદ રાજકોટમાં કૉનોટ હૉલમાં ઈ. સ. ૧૯૦૯માં મળી. આ પરિષદમાં રાજાઓ અને અંગ્રેજ અમલદારોએ પણ ભાગ લીધો હતો. ગોંડળનાં રાણીસાહેબે પરિષદનું સ્વાગત કર્યું હતું. કાઠિયાવાડમાં તે વખતે ગવર્નરના એજંટ મી. હિલ (હાલ વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભાસદ) હતા તેમણે પરિષદ અને પ્રદર્શનમાં આગેવાની લીધી હતી. અંગ્રેજ અમલદારોની સામિલગીરીના શાશ્વત ચિહ્ન રૂપે તેઓએ થોડુંક ભંડોળ ભેગું કરી તેના વ્યાજમાંથી પરિષદ દ્વારા સૂચિત વિષય પર લખાયેલા સારા નિબંધને ચંદ્રક આપવાની વ્યવસ્થા કરી આપી હતી.&lt;br /&gt;
રાજાઓએ પણ ઉદાર મદદ આપી પરિષદ ભંડોળ ફંડ સ્થાપી આપ્યું હતું. આ ફંડથી પુસ્તકપ્રસિદ્ધિ માટે ગુજરાતમાં ચોથી સંસ્થા થઈ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ધી ફાર્બસ ગુજરાતી સભા, વડોદરા રાજ્ય ઉપરાંત આ ફંડ થયું હતું. એ ફંડમાંથી પ્રો. હરિલાલ માધવજી ભટ્ટ રચિત ‘બ્રિટિશ હિન્દનું રાજ્યબંધારણ,’ નવલરામ પ્રણીત ‘ઈંગ્લેંડનો ઇતિહાસ’ એ બે ગ્રંથ છપાયા છે. રા. રા. મોહનલાલ પાર્વતીશંકર દવેએ તૈયાર કરેલ મૅકડોનલ પ્રણીત સંસ્કૃત સાહિત્યના વૃત્તાંતનો ગુજરાતી તરજુમો છપાવાનો છે.&lt;br /&gt;
પરિષદના પ્રદર્શનમાં આવેલી ગુજરાતી ચોપડીઓનું પરિષદપુસ્તકાલય સ્થાપવામાં આવ્યું છે. એ પુસ્તકાલય ક્યાં સ્થાયી કરવું તેનો નિર્ણય ન થવાથી હાલ સંગ્રહ અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં છે. પરિષદ એક કમિટી નીમી બે પરિષદના અંતરાળમાં જેટલાં પુસ્તકો પ્રગટ થાય તેનાં તટસ્થ અવલોકન કરાવે તો પરિષદપુસ્તકાલયનો સંગ્રહ વધે અને ગુજરાતી સાહિત્યના વિકાસ પર એનો પ્રભાવ પડે. પણ આપણે ત્યાં કાર્યવાહકો થોડા છે અને કામ ઝાઝું છે એટલે હાલ તો આશા ખપુષ્પવત્ છે. છાપખાનાંઓને પોતાને ત્યાં છપાતી દરેક ચોપડીની અમુક નકલ સરકારમાં આપવી પડે છે. તો પરિષદપુસ્તકાલય માટે સરકાર એક ચોપડી વધારે લે, એવી તજવીજ કરવા જેવું છે.&lt;br /&gt;
કૉલેજોના શિક્ષણમાં ગુજરાતી સાહિત્યના અભ્યાસને સ્થાન આપવાનો પ્રશ્ન બીજી પરિષદમાં ઉપસ્થિત થયો હતો. રા. રા. હિમ્મતલાલ ગણેશજી અંજારીયાએ એ સંબંધમાં લેખ વાંચ્યો હતો. રાજકોટ પરિષદમાં રા. રા. ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યાએ ‘યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ગુજરાતીને સ્થાન’ એ વિશે નિબંધ વાંચ્યો હતો. વડોદરામાં માતૃભાષા દ્વારા કેળવણી આપવાના સવાલ ઉપર ચર્ચા થઈ હતી. હજુ આ દિશામાં સતત પ્રયાસ કરવાની જરૂર છે. હાલમાં યુનિવર્સિટી તરફથી એમ. એ. ના વિદ્યાર્થીઓ માટે અમુક અમુક વિષયો ઉપર ભાષણો અપાય છે. આ ભાષણમાળામાં ગુજરાતી સાહિત્યને સ્થાન આપવા પ્રયત્ન કરવાની જરૂર છે.&lt;br /&gt;
નવી ગુજરાતી વાચનમાળાનું અવલોકન રાજકોટ પરિષદમાં પ્રો. હરિલાલ માધવજી ભટ્ટે કર્યું હતું. એ સંબંધમાં કેટલાક સુધારા સૂચવવા વાચનમાળા કમિટી નીમવામાં આવી હતી. આ કમિટીના પ્રયાસથી કેટલાક સુધારા થયા હતા તેમ જ વાચનમાળાની કિંમત સરકારે ઘટાડી હતી. હજુ એ દિશામાં વિશેષ પ્રયાસની જરૂર છે.&lt;br /&gt;
ગુજરાતની કેળવણી અને કેળવણી માટેના ગુજરાતી ગ્રંથો સંબંધમાં પરિષદને હજુ ઘણું કરવાનું છે. સુરતમાં સ્ત્રીકેળવણીના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરવાનો કાર્યવાહકોનો ઇરાદો છે.&lt;br /&gt;
રાજકોટ પરિષદના પ્રમુખપદે સ્વ. દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈની પસંદગી થવાથી ગુજરાતમાં મોટો કોલાહલ મચ્યો હતો. સાહિત્ય પરિષદના પ્રમુખ એકલા સાક્ષરોમાંથી પસંદ કરવા કે ગુજરાતના વિદ્વાન આગેવાનોમાંથી પસંદગી કરવી? એ પ્રશ્નનું રાજકોટે નિરાકરણ કર્યું છે. સાક્ષરો ઉપરાંત સાક્ષર નહીં એવા અગ્રણીઓને એ હિલચાલના સુકાની બનાવવામાં અનેકધા લાભ છે.&lt;br /&gt;
પ્રો. આનંદશંકર ધ્રુવે ગુજરાતના સંસ્કૃત સાહિત્ય વિશે નિબંધ વાંચ્યો હતો અને એ પ્રદેશ પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો હતો. રા. બ. રમણભાઈએ ગુજરાતી ભાષાના આરંભ વિશે ઘણી ઉપયોગી માહિતી અને સામગ્રીથી ભરપુર નિબંધ વાંચ્યો હતો. રા. રા. ડાહ્યાભાઈ દેરાસરીએ કાન્હડદે પ્રબંધ ઉપર નિબંધ વાંચ્યો હતો. રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળે મરૂઠના ભીલ લોકોની બોલીના વ્યાકરણ વિશે લેખ લખી મોકલ્યો હતો. રા. રા. નરસિંહરાવે બે સમર્થ નિબંધો લખ્યા હતા; પ્રેમાનંદનાં નાટકો વિશે અને ભરતખંડ માટે એક ભાષા વિશે. એક ભાષાની ચર્ચા પાછી વડોદરામાં થઈ હતી. એ પ્રશ્ન પરત્વે વિવિધ દૃષ્ટિબિંદુ રજૂ કરાવી પરિષદે એને ગુજરાતને રોશન કર્યો છે. આ ઉપરાંત ત્રીજી પરિષદમાં ઘણાં સારા નિબંધો આવ્યા હતા.&lt;br /&gt;
ત્રીજી પરિષદ વખતે પરિષદના કાર્યવ્યવહારને નિયમિત અને ધારાસર રચવામાં આવ્યો હતો. નિબંધો તપાસવા સાક્ષરકમિટી નીમવામાં આવી હતી. સાક્ષર શબ્દ સાથે વિરોધ ઊઠવાથી એ કમિટી હવે નિરીક્ષક કમિટી કહેવાય છે. પરિષદનું બંધારણ ઘડવા એક કમિટી નીમવામાં આવી હતી. કમિટીનું તૈયાર કરેલું બંધારણ વડોદરામાં રજૂ કરવામાં આવ્યું હતું અને પાંચમી પરિષદ વિખરાય ત્યાં સુધી તેને અમલમાં મૂકવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. સુરતમાં એ બંધારણમાં કેટલાક ફેરફાર થશે. ચોથી પરિષદના રિપોર્ટમાં એ બંધારણ છપાયેલું છે.&lt;br /&gt;
રાજકોટમાં પરિષદવ્યાખ્યાનમાળાની યોજના કરવામાં આવી હતી. આ યોજનાને અનેક વિદ્વાનોએ આશ્રય આપવા કબૂલ્યું હતું. પણ એ યોજના સહેજ પણ સફળ હજુ લગી થઈ શકી નથી. વિદેહ હરજીવન ભગવાનજી શુક્લે રાજકોટમાં કર્નલ વૉકરના સમયનું કાઠિયાવાડ એ વિષયની વ્યાખ્યાનમાળાનું એક વ્યાખ્યાન આપ્યું હતું. રા. રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવે પોતાનાં વ્યાખ્યાનો તૈયાર કર્યાં હતાં. એ વ્યાખ્યાનમાળાને સજીવન કરવાની ખાસ જરૂર છે. જ્ઞાનના અનેક નવા પ્રદેશો એથી આપણા સાહિત્યમાં ઉમેરાશે એટલું જ નહીં પણ વ્યાખ્યાનો દ્વારા જ્ઞાનની લહાણી વધારે વિસ્તારમાં થઈ શકશે.&lt;br /&gt;
ચોથી પરિષદ વડોદરામાં ઈ. સ. ૧૯૧૨માં મળી. પ્રમુખસ્થાને રા. રા. રણછોડભાઈ ઉદયરામ બિરાજ્યા હતા અને સ્વાગતમંડળના પ્રમુખ શ્રીમંત સંપતરાવ ગાયકવાડ હતા. નામદાર ગાયકવાડ સરકારે પણ એમાં હાજરી આપી હતી. ગુજરાતી અને મરાઠી સાહિત્ય સમૃદ્ધ કરવા એઓ નામદારે એક મોટી રકમ અલગ તે વખતે કાઢી હતી.&lt;br /&gt;
રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીએ કાવ્યસંપત્તિનું દિગ્દર્શન વિદ્વત્તાથી કરાવ્યું હતું. રા. બ. રમણભાઈએ ગુજરાતી ભાષાના બંધારણ ઉપર નિબંધ વાંચ્યો હતો. રા. રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવે ગુજરાતના ભૂસ્તરના કેવા કેવા ફેરફારો થયા છે તે દર્શાવવા નકશાઓ તૈયાર કર્યા હતા. સાહિત્ય પરિષદમાં વિજ્ઞાનને વડોદરામાં સ્થાન ન મળવાથી એમણે એમના લેખનું નામ ‘સૃષ્ટિસૌન્દર્ય—તેની સાહિત્ય પર અસર’ એવું રાખ્યું હતું. આ ઉપરાંત બીજા નિબંધોનો ઉલ્લેખ આગળ થઈ ગયો છે.&lt;br /&gt;
બીજી પરિષદ વખતે ઘણા કવિઓ સાહિત્ય પરિષદમાં પોતાની કવિતાઓ ગાવા ઇંતેજાર હતા. મરાઠી અને હિન્દી સાહિત્યસંમેલનમાં પરિષદને લગતી અથવા નવી રચેલી સાદી કવિતાને સ્થાન આપવામાં આવે છે. પરંતુ મુંબઈની પરિષદના કાર્યવાહકોએ તેનો નિષેધ કર્યો હતો. રાજકોટમાં એ નિષેધ કાયમ રહ્યો હતો. વડોદરામાં લિખિત અને રા. રા. રણછોડભાઈની કવિતાઓ ગવાઈ હતી. આ પ્રશ્ન વિકટ છે. કવિતાના આપણે ત્યાં બે – ત્રણ નિરાળા પક્ષ છે. તેમની વચ્ચે વિરોધ છે. પરિષદમાં કવિતાને સ્થાન અપાશે તો વિરોધ વધવાનો વધારે સંભવ છે. વિષયોનો અભ્યાસ કરી શિષ્ટ વિદ્વત્તાપૂર્ણ લેખો કે પુસ્તકો લખવા કરતાં ગુજરાતના યુવાનો કવિતા લખવા વધારે પ્રેરાય છે, એવા સખત આક્ષેપ આગેવાન વિદ્વાનો અને પત્રોના તંત્રીઓ કરે છે. પરિષદમાં કવિતાને સ્થાન મળ્યું તો તે એટલી બધી આવીને પડશે કે બીજી શાસ્ત્રીય ચર્ચાને માટે અવકાશ જ રહેશે નહીં; તેમ પરિષદને યોગ્ય વિષયોના અભ્યાસ તરફ યુવાનોની વૃત્તિ વળશે પણ નહીં.&lt;br /&gt;
બીજી સાહિત્ય પરિષદ વખતે રા. રા. અરદેશર ફરામજી ખબરદારે ‘ગુણવંતી ગુજરાત’નું કાવ્ય રચ્યું હતું. ત્રીજી પરિષદ વખતે રા. લલિતે ‘અમે તો કાઠિયાવાડી’વાળું કાવ્ય રચ્યું હતું.&lt;br /&gt;
વડોદરામાં પાદપૂર્તિનો વિનોદ માણવામાં આવ્યો હતો.&lt;br /&gt;
કાવ્ય જેવો જ સવાલ ભાષણોનો છે. બીજી પરિષદમાં એનો નિષેધ કરવામાં આવ્યો હતો. ત્રીજી પરિષદમાં એને માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક ભાષકને પોતાનું નામ આગળથી નોંધાવવું પડતું હતું. પ્રત્યેકને માટે અમુક સમય નિયત કરવામાં આવ્યો હતો. ભાષણોના મુદ્દા આગળથી કમિટીને બતાવવા પડ્યા હતા. વડોદરામાં આટલી સખતાઈ નહોતી. હજુ આ પ્રશ્નનું સંતોષકારક નિરાકરણ થયું નથી. બીજા મેળાવડામાં ગમે તેમ બોલી જાય તો ચાલે પણ અહીં વિદ્વત્તા, અભ્યાસ અને અનુભવના સંસ્કારવાળું સમયોચિત ભાષણ જોઈએ. એવાં ભાષણોની નોંધ લેનાર ન હોય તો તે પ્રગટ થઈ શકતાં નથી. ગોવર્ધનરામના ઉપસંહારનો સારાંશ ‘પ્રજાબંધુ’માં છપાયેલો હતો તે પહેલી પરિષદના રિપોર્ટમાં છાપવામાં આવ્યો છે. રા. કેશવલાલ ધ્રુવના અને દી. બ. અંબાલાલના ઉપસંહાર નોંધ નહીં હોવાથી પ્રગટ કરી શકાયા નથી.&lt;br /&gt;
રાજકોટ પરિષદ વખતે સ્પર્ધાથી લખાયેલા ઉત્તમ નિબંધને ચંદ્રક આપવા. અમુક રકમ રાજકોટના અંગ્રેજ અમલદારોએ આપી હતી, અને ગોંડલના નામદાર ઠાકોરસાહેબે તેને રૂ. ૨૦૦– આપવા કૃપા બતાવી હતી. પણ બે વખત વિષયની જાહેરાત આપ્યા છતાં એકે નિબંધ આવ્યો નથી. સુરત પરિષદના વ્યવસ્થાપકોએ રૂ. ૫૦૦-૫૫૦નાં ઇનામો કાઢી સાહિત્ય અને કેળવણીને લગતા વિષયો ઉપર નિબંધો મંગાવ્યા છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને શ્રી ફાર્બસ ગુજરાતી સભા વેતન આપી નિબંધો અને ગ્રંથો લખાવે છે તો પછી સાહિત્ય પરિષદે આવી રીતે, ચંદ્રક આપીને અથવા પરિષદ ભંડોળ ફંડ સ્થાપી એ બે સંસ્થાઓના કામમાં સામિલ થવું એ કેટલાકને દુરસ્ત નથી લાગતું.&lt;br /&gt;
સાહિત્ય પરિષદમાં જે નિબંધો આવે છે તેમાંના બહુ જૂજ ઉત્કૃષ્ટ છે. થોડા અભ્યાસે સામાન્ય વિચારોથી ભરેલા ઘણા આવે છે. તેમનો અસ્વીકાર કરવામાં આવે કે પરિષદમાં વાંચવા દેવામાં ન આવે તો લેખકોને ઓછું આવે છે અને પરિષદથી તેઓ રિસાઈ બેસે છે. પોતાની પ્રતિષ્ઠા અને પરિષદના ગૌરવને અનુરૂપ લેખ લખવો જોઈએ એવું ઘણા પ્રતિષ્ઠિત લેખકોના પણ ધ્યાનમાં રહેતું નથી. કૌટુંબિક કે શારીરિક અથવા એવી કોઈ ઉપાધિને લીધે ઘણી વાર વિદ્વાનો પોતાના નિબંધો મોકલી શકતા નથી. યુવાન નવા અભ્યાસીઓ જોઈએ તેટલા પ્રમાણમાં ઊભા થતા નથી એટલે ઘણીવાર સાહિત્ય પરિષદ માટે લખાયેલા નિબંધોમાંથી બહુ જ થોડા ગુર્જર સાહિત્ય સંપત્તિને ભૂષણરૂપ થઈ પડે છે. સારા નિબંધો આવે માટે વડોદરામાં સાહિત્ય પરિષદનું બંધારણ ઘડતી વખતે એક એવી કલમ મૂકવામાં આવી હતી કે, સાહિત્ય પરિષદ મળવાની હોય તેના છ મહિના અગાઉ પરિષદના સામાન્ય મંત્રીઓએ અમુક વિષયો પસંદ કરી પ્રતિષ્ઠિત વિદ્વાનોને સોંપવા અને પરિષદ માટે આવેલા બીજા લેખો છપાય, કે ન છપાય પણ આ વિદ્વાનોના લેખો છાપવા જ અને દરેકને તેના લેખની ૫૦૦ નકલ આપવી. આ નિયમનું પાલન આગામી સુરત પરિષદ માટે થયું નથી.&lt;br /&gt;
સાહિત્ય પરિષદમાં અનેક નિબંધો આવે છે. નિબંધોના ગુણ, વિષય અને વાચક નાના પ્રકારના હોય છે. શ્રોતાઓને એવા શ્રવણથી કંટાળો આવે છે અને જોઈએ તેવું ધ્યાન અપાતું નથી. વસ્તુસ્થિતિ આવી હોવાથી પરિષદનો કાર્યવ્યવહાર વિભાગી કરવાની સૂચના થાય છે. કેટલાક હાલમાં એ સૂચનાનો અમલ કરવાની તરફેણમાં નથી. બંગીય સાહિત્ય સંમેલનમાં ચાર વિભાગથી કાર્યવ્યવહાર ચાલે છે; સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન.&lt;br /&gt;
સાહિત્ય પરિષદ માટે કાયમનું વ્યવસ્થાપક મંડળ જોઈએ કે નહીં? સાહિત્ય પરિષદે સંમેલન રૂપે રહેવું ઇષ્ટ છે કે સાથે સાથે કાયમ સંસ્થાના રૂપમાં પણ મૂર્તિમંત થવું ઇષ્ટ છે? આ પ્રશ્નો હાલ ચર્ચાય છે.&lt;br /&gt;
અમદાવાદની સાહિત્યસભાએ અમદાવાદ અને મુંબઈમાં સાહિત્યપરિષદ મેળવી. રાજકોટમાં કાઠિયાવાડ સમસ્ત તરફથી પરિષદ મળી. વડોદરામાં સમસ્ત ગાયકવાડી રાજ્ય તરફથી મળી. સુરતમાં સુરતના વતનીઓ તરફથી મળશે.&lt;br /&gt;
પહેલી બે પરિષદના મંત્રીઓ સાહિત્યસભાએ નીમ્યા હતા. બીજી પરિષદની પૂર્ણાહૂતી વેળાએ રા. બ. રમણભાઈ અને રા. ઠાકોરલાલ હરિલાલ દેસાઈ પરિષદના મંત્રીઓ નિમાયા. ત્રીજી અને ચોથી પરિષદમાં રા. બ. રમણભાઈ, પ્રો. આનંદશંકર ધ્રુવ અને પ્રો. બ. ક. ઠાકોર મંત્રીઓ નિમાયા હતા. મંત્રીઓ સિવાય પ્રમુખ અને સભાસદોવાળું વ્યવસ્થાપક મંડળ નીમવાની સૂચના કેટલેક સ્થળેથી થાય છે.&lt;br /&gt;
અમદાવાદની સાહિત્ય સભાએ સાહિત્ય પરિષદ મેળવી એટલે સુરત, રાજકોટ અને ભરૂચમાં સાહિત્યસભાઓ સ્થપાઈ. મુંબઈમાં ગુર્જરસભા પોતાના વિશાળ કાર્યપ્રદેશમાં ગુજરાતી સાહિત્યના પ્રસારણ અને ઉત્કર્ષની ચર્ચાને પણ સ્થાન આપે છે. આ સર્વેના કાર્યવ્યવહારનો વૃત્તાંત લખવા જેવો છે.&lt;br /&gt;
સાહિત્ય પરિષદ સંબંધી ગુજરાતી ભાષામાં કેટલુંક ખાસ સાહિત્ય ઊભું થયું છે. રા. બ. રમણભાઈનું અમદાવાદ પરિષદનું સ્વાગત કરતી વખતનું ભાષણ; ભરૂચ સાહિત્યસભા સન્મુખ એમણે આપેલું ભાષણ, પ્રો. બળવંતરાય ક. ઠાકોરનાં સાહિત્ય પરિષદ વિશેનાં ત્રણ વ્યાખ્યાનો, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મણિમહોત્સવના પ્રસંગે દી. બ. અંબાલાલે આપેલું ભાષણ —(આમાં પરિષદનો ઉલ્લેખ નથી પણ પરિષદના પ્રશ્નોનો સ્પર્શ છે), ‘વસંત’માં અવારનવાર પ્રો. ધ્રુવે લખેલા લેખો, મરાઠી અને હિન્દી સાહિત્ય સંમેલનોના વૃત્તાંત અવારનવાર માસિકોમાં પ્રગટ થાય છે. ગુર્જરસભામાં ગયે વર્ષે સાહિત્ય પરિષદ વિશે રા. રા. ચંદ્રશંકર પંડ્યાએ ચર્ચા કરી હતી. તેનો અહેવાલ ‘સમાલોચક’માં છપાયો છે.&lt;br /&gt;
બંગાળામાં સાહિત્ય સંમેલન નિયમિત દર વર્ષે મળે છે. આ વર્ષે વર્ધમાનમાં (Burdwan) આઠમું સંમેલન મળ્યું છે. મરાઠી સાહિત્ય સંમેલન નિયમિત નથી મળતું પણ આ વર્ષે મુંબઈમાં મળવાનું છે. હિન્દી સાહિત્ય સંમેલન દર વર્ષે મળે છે.&lt;br /&gt;
ચારે પરિષદોના રિપોર્ટ છપાયેલા છે. પહેલો રિપોર્ટ સિલકમાં નથી. બીજો અને ત્રીજો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંથી અને ચોથો વડોદરામાંથી મળે છે.&lt;br /&gt;
ગુજરાતના સાર્વજનિક જીવનની સાહિત્ય પરિષદ એ પહેલી મોટી પ્રવૃત્તિ છે. અમદાવાદ, મુંબઈ, રાજકોટ, વડોદરા, સુરત જેવાં ગુજરાતનાં મુખ્ય નગરોમાં તે ફરી વળી છે. નડિયાદ, ગોધરા, નવસારી, ભરૂચ, વીરમગામ, વઢવાણ, ભાવનગર, જામનગર, ગોંડલ, પાલનપુર, પાટણ જેવાં નાનાં શહેરોમાં પણ તે ફરી વળે એવી એના હિતેચ્છુઓની વાંછના છે. હિન્દુ, મુસલમાન, પારસી, અંગ્રેજ રાજાઓ અને રંક – પુરુષો અને સ્ત્રીઓ – અમલદારો, વેપારીઓ વગેરે સૌની આમાં સામેલગીરી છે. પરિષદ ગુજરાત સમસ્તની છે. ગુજરાતમાં એકતાની લાગણી જાગૃત કરી એ સાહિત્ય પરિષદનું મહત્ત્વનું ફળ છે. ઉપરાંત ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસનાં અનેક અંગોના અભ્યાસ તરફ વિશેષ પ્રવૃત્તિ થવા માંડી છે.&lt;br /&gt;
સાહિત્ય પરિષદને લગતા એક પણ સાધન વિના સ્મરણ ઉપરથી આ લેખ લખવામાં આવ્યો છે, એટલે એમાં ઘણાં સ્ખલનો હશે. સાહિત્ય પરિષદમાં અત્યાર લગી કેટલું અને કેવું કામ થયું છે, તેનો ખ્યાલ આ લેખ આપી શકશે તો મારી મહેનત સફળ થશે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
‘સમાલોચક’ એપ્રિલ ૧૯૨૫.&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = આમુખ&lt;br /&gt;
|next = ગુજરાતનું નવજીવન અને સુરતની સાહિત્ય પરિષદ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%81&amp;diff=111472</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/રિપુ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%81&amp;diff=111472"/>
		<updated>2026-05-30T03:34:16Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|રિપુ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પાત્રો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{block center|&amp;lt;poem&amp;gt;ફતેહસિંહ......... 						&lt;br /&gt;
મણિ........&lt;br /&gt;
વૈદ્ય........... 							&lt;br /&gt;
ખવાસ........&lt;br /&gt;
ભૂત.......&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દૃશ્ય ૧ લું.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[રાજમહેલનો ખંડ. એમાંનું રાચરચીલું લઈ જવામાં આવેલું છે. કબાટો, પટારા, પલંગો નીચેના લાકડાના ટેકાઓ માત્ર પડી રહ્યા છે. ભીંત ઉપર ટાંગેલી વસ્તુઓના આંકા અને એમનાથી ઝાંખા થયા વિના રહેલાં રંગનાં ધાબાં. માત્ર ભીંતો ઉપર ચીતરેલા ફતેહસિંહના વડવાઓનાં ચિત્રો રહ્યાં છે. ફતેહસિંહ અને તેની વહુ બેઠાં છે, દીવો ઝાંખો બળે છે. સમય માઝમ રાત.]&lt;br /&gt;
ફતેહસિંહ : મણિ! રયાસત વગરનો ઓરડો, વંટોળિયાથી નાશ પામેલાં પાંદડાં વિનાના વનની પેઠે મારા હૈયામાં સાલે છે. ચિત્રો, હથિયારો – વર્ષોથી દુશ્મનના લોહીમાં તરબોળ થયેલાં હથિયારો, તીર્થયાત્રાની પવિત્ર વસ્તુઓ, વંશપરંપરા ઊતરી આવેલી વડીલોની યાદગીરીઓ, – સર્વે વેચાઈ ગઈ, ઉપાડી જવાઈ! આપણા વંશની આબરૂ ચાલી ગઈ; પણ મારું હૃદય સૌથી વધારે તારે માટે ચરચરે છે. વૈભવ અને આરામમાં વસતી હતી ત્યાં તારા જોબનમાં હું તને પરણ્યો, અને હવે જોબન પૂર બહારમાં ખીલવાની અણી ઉપર છે ત્યારે તને આવા લૂંટાયેલા વેરાન ઘરમાં મેં ગોંધી છે.&lt;br /&gt;
[આવેશથી ઊઠી તે આમતેમ ફરે છે ત્યારે દીવા પાસે જઈ મણિ સંકોરે છે.]&lt;br /&gt;
એમાં મારો દોષ છે? આ ખાનાખરાબી મેં કરી છે? કરકસરથી હંમેશ રહેતો, અફીણ લેતો નહીં, જુગાર રમતો નહીં, છતાં દરરોજ, દર પળે કંઈ ને કંઈ નવી આફત મને જમીન સરસો વાંકો વાળી દે છે. કોઈ શત્રુ નિર્દયતાથી મારી પાછળ પડ્યો છે.&lt;br /&gt;
મણિ : શત્રુ! ભૂતકાળમાં જાઓ, કોઈને હેરાન કર્યાનું યાદ છે? આટલે બધે દિવસે વેર લેવા આવ્યો છે એવો કોઈને હેરાન કર્યો હતો? સસરાજીના કોઈ દુશ્મન હતા? વેર વાળ્યા વગર રહેલા દુશ્મન હતા?&lt;br /&gt;
ફતેહસિંહ : કોઈને કદી પણ દુઃખ દીધું હોય એવું સ્મરણમાં નથી.&lt;br /&gt;
મણિ : અજાણતાં, વખતે?&lt;br /&gt;
ફતેહસિંહ : વારસામાં ઊતરી આવેલા કોપની બાપુએ પણ મને ચેતવણી નથી આપી. આટલું હું પામ્યો છું – અમારા વંશમાં ઊતરી આવેલી જાગીરનાં ખેતરેખેતર એક જણના હાથમાં ચાલ્યાં ગયાં છે અને તેનું નામ છુપાવેલું છે. શરીર ઢાંકી તે મારી છાતીમાં ભોંકે છે. આ દુશ્મનને હું મિથ્યા ખોળું છું.&lt;br /&gt;
[પ્હો ફાટવાના પહેલાં ઝળઝળીયાં દેખાય છે એટલે એની વહુ ધ્રૂજતી ઊભી થાય છે.]&lt;br /&gt;
મણિ : ઝળઝળીયાં થાય છે, ગગા પાસે જવું જોઈએ.&lt;br /&gt;
[અંદરના ઓરડામાં જાય છે.]&lt;br /&gt;
ફતેહસિંહ (પૂર્વજોનાં હથિયારબંધ ચિત્રો તરફ વળીને) : મારા વંશના શસ્ત્રધારી પૂર્વજો, ઝાંખા ગરાસિયાઓ, વીતેલા યુગના જોદ્ધાઓ! દૂર દૂર ઝાંખા ભૂતકાળમાં કંઈ વેર બંધાયું હતું? આજે જેના ત્રાસદાયક ઝપાટામાં હું આવ્યો છું એવા જૂના વેર વિશે જાણો છો? અહ, તું, બૂઢા પથૂ! તારું પાપી નામ સૌને સાંભરે છે, તારી લૂંટફાટો, તારા બળાત્કારો, તારાં ખૂનોની, તારી ભયંકર વાતો અને દંતકથાઓ કહેવાય છે. કોઈ એવા દુષ્ટ પ્રસંગે તેં તો શાપ ઉત્પન્ન નથી કરાવ્યો? એ શાપનો મારા જેવો નિર્દોષ તો ભોગ નથી થતો? બોલો, પ્રભાતના તેજમાં ઝળઝળ થતાં ચિત્રોમાંથી એકાદ તો બોલો.&lt;br /&gt;
[હથિયારસજ્જ આકૃતિઓ ઉપર તેજ પ્રસરે છે.]&lt;br /&gt;
બધા ચૂપ! ફરીથી હું પૂછું છું, મરેલાંઓ પાસે ઉત્તર માગું છું, બોલો. એવો કોણ છે, દુનિયા આગળ કોણે મને લૂંટી લીધો છે, મારું બધું છીનવી લીધું છે, મને પૂરો દિગંબર કરી દીધો છે?&lt;br /&gt;
ભૂત (બારીની જાળી આગળ આખું શરીર ઢાંકેલું) : હું. હું.&lt;br /&gt;
ફતેહસિંહ (મંદ ત્રાસથી) : તું? તું કોણ છે? શું તું જીવતી વસ્તુ છે? કે ત્રાસેલા મગજમાંથી જન્મેલો ઓળો છે? તારું મોં ઢાંકેલું છે. કોણ છે? બોલ!&lt;br /&gt;
[જેવો ફતેહસિંહ ધીમેથી તેની પાસે જાય છે એટલે તે અદૃશ્ય થઈ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દૃશ્ય ૨જું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[એ જ ઓરડો. મધ્યરાત્રિ. ઘડિયાળમાં બાર વાગે છે. જે સ્થળે ભૂત અલોપ થયું હતું ત્યાં જ ફતેહસિંહ ઊભો છે.]&lt;br /&gt;
ફતેહસિંહ : ભૂત, પગથી માથા લગી સંપૂર્ણ ઢંકાયેલું ભૂત, પ્રભાતના ઝળઝળીયામાં દેખાયેલું ભૂત, પોતાને મોંએ આ શાપનો દોષ વહોરનાર ભૂત — તેની પાસેથી જવાબ હું કઢાવી શક્યો નહીં. રફતેથી તેની પાસે જેવો હું ગયો તેવું જ તે અદૃશ્ય થયું; જેવું તીર આવ્યું તેવું જ ગયું.&lt;br /&gt;
(તે અંદરના ઓરડામાં જુએ છે.)&lt;br /&gt;
ગગો ઊંઘે છે; પણ એની બા! બાર વાગ્યા! આટલું મોડું બહાર રહેવાની એને ટેવ નથી.&lt;br /&gt;
[ફાટ્યાંતૂટ્યાં ગંદા કપડાં પહેરેલો બુઢ્ઢો ખવાસ, હાથમાં કાગળ લઈ આવે છે.]&lt;br /&gt;
ખવાસ : બાપુ, મારાં બાએ આ કાગળ મને આપ્યો હતો. બાર વાગ્યા પહેલાં આપને ન આપવાનો હુકમ કર્યો હતો.&lt;br /&gt;
[ફતેહસિંહ કાગળ ઝૂંટવી લે છે, ફોડી વાંચે છે.]&lt;br /&gt;
ફતેહસિંહ (વાંચે છે) : તમને અને ઘરને મેં તજ્યાં છે. હવે હું પાછી નહીં આવું પણ હું કલંકિત નથી એની ખાતરી રાખજો. બીજા સાથે હું નાસી ગઈ નથી. મારો દોષ ક્ષમા કરવાનું ગંગાને પણ શીખવજો....મણિ.&lt;br /&gt;
[ખવાસને જતા રહેવાની સૂચના ફતેહસિંહ કરે છે.]&lt;br /&gt;
ફતેહસિંહ : મારા ઘરની ખેદાનમેદાની શું ઓછી હતી કે તે મને રઝળતો નાખી ચાલી ગઈ? અને તેનું કાંઈ કારણ પણ નહીં? હૃદય કોરી ખાતી પીડાથી, રોજ ને રોજ વધતી જતી ચિંતાથી વૈભવમાં ઊછરેલીને સાલતી કંગાલિયતથી આ છેલ્લો ઘા મારવા તે નિ:સંશય પ્રેરાઈ હશે.&lt;br /&gt;
[એકદમ ચમકે છે. ધીમેથી કમાડ ઉઘાડે છે અને ઓરડાની અંદર જુએ છે.]&lt;br /&gt;
પણ અમારું બચ્ચું કેવું નિરાંતે ઊંઘે છે. ગાલ ઉપરની સુરખી ન હોત તો આ ઊંઘ મૃત્યુની ઊંઘ જેવી જ લાગત. એનો પણ એણે ત્યાગ કર્યો. રાની પશુ મોતની ગંધ આવે ત્યારે પણ પોતાનાં બચ્ચાંને ત્યજતું નથી. બીજા જોડે નાસી નથી ગઈ ત્યારે કયા ત્રાસથી, કઈ આપદાથી તે ભાગી ગઈ? એને ધક્કો મારી કાઢી મૂકનાર કોણ?&lt;br /&gt;
ભૂત (પૂર્વની માફક ફરીથી દેખાયું) : હું.&lt;br /&gt;
ફતેહસિંહ : વળી પાછું તું, એવું ને એવું ઢંકાયેલું અને વીંટળાયેલું! ફરીથી તારા જ હોઠે બોલે છે કે આ બધું દુઃખ તેં જ કર્યું છે. તારું નામ! તારી મગદૂર નથી કે હવે તારું નામ નહીં કહે!											   (અટકે છે.)&lt;br /&gt;
હજુ પણ જવાબ નહીં? માંસ અને લોહીનું બનેલું છે? અથવા સ્મશાનમાંથી આવે છે? મૃત્યુ થયા છતાં યમપુરીમાંથી આવી મારા પ્રત્યે દ્વેષ બતાવે છે? શું તું બહુ કોપાયેલું ભૂત છે? થયેલું નુકસાન વીસરાતું નથી? કે કલાકે કલાકે મને ત્રાસ આપે છે અને મારો પીછો નથી છોડતું? આ વેર માણસનું નથી લાગતું. ગમે તેમ થાઓ પણ તારાં ખરાં પારખાં કરીશ.&lt;br /&gt;
[જાણે પકડવા જતો હોય તેમ ભૂત તરફ ધસે છે, પણ તે પાછું અલોપ થઈ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દૃશ્ય ૩જું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[એનો એ જ વેરાન ઓરડો. માઝમ રાત. સંદેહની સ્થિતિમાં ફતેહસિંહ ઊભો છે. પાસેના ઓરડામાંથી સફેદ વાળવાળો વૈદ્ય મંદ અને નીરવ ગતિથી બહાર આવે છે.]&lt;br /&gt;
ફતેહસિંહ (હાથ પ્રસારીને) : ગયો? હજુ આશા છે? બોલો.&lt;br /&gt;
(વૈદ્ય ઉત્તર આપતો નથી પણ ચૂપકીથી માથું નમાવે છે.) મરી ગયો?&lt;br /&gt;
(વૈદ્ય તેની પાસે જાય છે અને બોલ્યા વગર તેને આશ્વાસન આપવાનો યત્ન કરે છે; એક ગાદી પાસે તેને લઈ જાય છે, ફતેહસિંહ તેના પર ઢગલો થઈ પડે છે. આશ્વાસનની મહેનત નકામી લાગતાં વૈદ્ય જવાનું કરે છે એવામાં ફતેહસિંહ ઇશારતથી તેને થોભાવે છે.)&lt;br /&gt;
ફતેહસિંહ : વૈદ્યરાજ આ એકઠાં થયેલાં દુઃખો — તેમાંયે આ છેલ્લા અને સૌથી ભયંકર દુઃખે મારી બુદ્ધિ ભમાવી દીધી છે. મને લાગ્યું છે કે દરેક નવી પીડા પછી, આ જ ઓરડામાં, પેલી બારી પાસે ઢંકાયેલું ભૂત દેખાય છે. આ જુલ્મી કોપનાં કારણે ઈશ્વરને પૂછું છું ત્યારે તે ભૂતે દરેક વખતે જવાબ દીધો છે ‘હું’. એથી વધારે સ્પષ્ટ શબ્દ એની પાસેથી હું કઢાવી શક્યો નથી. જ્યારે જ્યારે એની નજીક ગયો છું ત્યારે ત્યારે તરત જ તે અલોપ થઈ ગયું છે. તમારી નાડી ઠેકાણે છે, માટે કહો જોઈએ કે મૂંઝાયેલા, ત્રાસેલા મગજમાં જન્મેલું, સ્વયં ઉત્પન્ન થયેલું ભૂત એ છે? અથવા જીવતુંજાગતું વેર લેવાને આવે છે? હમણાં મારી સાથે રહી જુઓ અને મારા મગજને સ્વસ્થ કરો.&lt;br /&gt;
વૈદ્ય : આવાં ગાઢ દુઃખોથી ચીરાયેલું મન આવેશમાં ભૂત ઊભાં કરે એમાં શી નવાઈ? ઊંઘ લાવે એવી દવા, સવાર પડતાં પહેલાં આપને માટે મોકલી આપું છું.&lt;br /&gt;
[પ્રણામ કરી નિઃશબ્દતાથી તે ચાલ્યો જાય છે.]&lt;br /&gt;
ફતેહસિંહ : હે ધર્મરાજા! સર્વેને સજા કરો છો પણ ન્યાયવૃત્તિથી. મરણ પછી જેવો ન્યાય અમારો કરો છો તેવો ન્યાય આજે માગું છું, શા માટે આવો દુઃખી થાઉં છું અને ત્રાસ પામું છું. પહેલું મારું ઘર મેદાનખેદાન થયું, પછી સબબ વગર મારી વહુ ચાલી ગઈ અને હવે મારો એકનો એક દીકરો મરી ગયો. એવો કયો શાપ છે? તેનું મૂળ કોણ છે?&lt;br /&gt;
ભૂત (ફરીથી દર્શન દે છે) : હું.&lt;br /&gt;
ફતેહસિંહ : પાછું તું આવ્યું, ત્રીજીવાર! તું ભૂત નથી લાગતું; હું તને સ્પષ્ટ જોઈ શકું છું. તું મારો દુશ્મન છે, તેં જાતે જ કબૂલ્યું છે, ત્રણ વખત તેં તારી જાતને મારા દુઃખનું કારણ કહ્યું છે, પૃથ્વી અને સમુદ્ર ઉપર તારો કેડો લઈશ, તારી પાછળ પડીશ, તને છુપાવી રાખે એવું કોઈ જંગલ ગાઢ નથી, તને આશરો આપે એવી કોઈ ભીંત મજબૂત નથી, કોઈ તાળું જબરું નથી. જેમ તે, તેમ હું તારો પીછો ઠેઠ લગી મૂકવાનો નથી. હું એકલો છું, વહાલાંઓથી વિયુક્ત અને ધનવૈભવથી મુક્ત; હવે આમાં જ રચ્યોપચ્યો રહીશ, આ વેરાન ઓરડામાં, હજુ ગરમ રહેલા મારા દીકરાના ત્યાં પડેલા શબના સમ ખાઉં છું કે તારી સાથે મારો હિસાબ પતવું નહીં ત્યાં લગી દુનિયામાં ઊંઘ વગર તારી પછવાડે પડીશ.&lt;br /&gt;
[મારવા જતો હોય તેમ ભૂત પર ધસે છે પણ તે અલોપ થઈ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દૃશ્ય ૪થું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[સાંકડો ખાંચો. સમીસાંજ. ખાંચાના ખૂણા તરફ ભૂત ફલાંગ મારતું જાય છે. ફતેહસિંહ તેની પછવાડે દોડે છે. તેનો શ્વાસ માતો નથી. તે ચીંથરેહાલ અને ફિક્કો પૂણી જેવો છે.]&lt;br /&gt;
ફતેહસિંહ : આખરે સપાટામાં આવ્યું. હવે નાઠાબારી નથી. હવે અહીં પાછા ફર્યા વિના છૂટકો નથી, આખરે તારું સ્વરૂપ બતાવ. તારો બુરખો દૂર કર નહીં તો હું ચીરી નાખીશ&lt;br /&gt;
(તરવાર ખેંચે છે.)&lt;br /&gt;
ચાલ, જો તું લોહીમાંસનું જીવતું માણસ હોય તો હવે ખુલાસાની ના પાડવાની તારી મગદૂર નથી. ચાલ સજ્જ થા! પીઠમાં ઘા નહીં મારું.&lt;br /&gt;
ભૂત : ધીમેથી પાછું ફરે છે અને મોં પરનો બુરખો ફેરવી દે છે અને ફતેહસિંહને આકૃતિ બરાબર બતાવે છે. :&lt;br /&gt;
ફતેહસિંહ, નિરાંત વળી?&lt;br /&gt;
ફતેહસિંહ : (ચીસ પાડીને) હું પોતે!&lt;br /&gt;
(ભૂતના પગ આગળ પડી મરી જાય છે. તે શબ ઉપર ઊભું રહે છે અને તે પછી અલોપ થઈ જાય છે.)  &amp;lt;ref&amp;gt;*અંગ્રેજી ઉપરથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = તેજસિંહ&lt;br /&gt;
|next = ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9&amp;diff=111471</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/તેજસિંહ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9&amp;diff=111471"/>
		<updated>2026-05-30T03:33:04Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|તેજસિંહ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પાત્રો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|&lt;br /&gt;
|તેજસિંહ &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાજા		&lt;br /&gt;
|-&lt;br /&gt;
|અબલા&lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાણી		&lt;br /&gt;
|-&lt;br /&gt;
|સાધના &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાણીની મા&lt;br /&gt;
|-&lt;br /&gt;
|વાચસ્પતિ &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાજગુરુ&lt;br /&gt;
|-&lt;br /&gt;
|દેવસેન,&lt;br /&gt;
| rowspan=3|{{brace2|3|r}}&lt;br /&gt;
|rowspan=3|...સરદારો&lt;br /&gt;
|-&lt;br /&gt;
| સ્કંદ,	&lt;br /&gt;
|-&lt;br /&gt;
|આદિત્ય,&lt;br /&gt;
|-{{ts|vmi}}&lt;br /&gt;
|અણહિલ,&lt;br /&gt;
| rowspan=2|{{brace2|2|r}}&lt;br /&gt;
|  rowspan=2|...સૈનિક&lt;br /&gt;
|-&lt;br /&gt;
|હરિહર	&lt;br /&gt;
|-&lt;br /&gt;
|બે પહેરેગીર&lt;br /&gt;
|}&lt;br /&gt;
&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[દૃશ્ય રાજાના તંબુનું છે. પાછળના બારણાની કનાત ઉપર નાંખેલી હોવાથી સિપાહીઓની છાવણી સોંસરી વિશ્વકર્માની ધાર તરફ અને આથમતા સૂર્યના પ્રકાશમાં ચળકતા દૂર સમુદ્ર પર આંખ પથરાય છે. ડાબી બાજુએ જેવું તેવું ઘડેલું રાજસિંહાસન છે. વચમાં બેસવાની પાટ છે. ચામડાં સીવીને બનાવેલો ખાટલો જમણી બાજુએ છે. ઉપર જુદી જુદી જાતનાં હથિયારો લટકાવેલાં છે. જમણી અને ડાબી બાજુએ મશાલો.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧ લો.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૧ લો પહેરેગીર : અલ્યા! ઊંઘી ગયો કે?&lt;br /&gt;
૨ જો : કેમ જાણ્યું કે ઊંઘી ગયો?&lt;br /&gt;
૧ લો : પિનાકની પેઠે કમાન થયેલા ભાલા પર અઢેલી વળેલો ઊભો છે. તેથી જાણ્યું.&lt;br /&gt;
૨ જો : આમ વળેલો ઊભો છું એટલે ભૂખનું દુઃખ ઓછું લાગે છે.&lt;br /&gt;
૧ લો : એ ખોટી વાત છે. એથી તારા કમ્મરબંધ જેટલી જ ગરજ સરે છે. ટટ્ટાર થતાં ઊલટી વધારે કકડીને ભૂખ લાગે છે.&lt;br /&gt;
૨ જો : આમ ક્યાં લગી ચાલવાનું છે?&lt;br /&gt;
૧ લો : વહાણો આવે ત્યાં લગી — તદ્દન સમજાય એવું છે.&lt;br /&gt;
૨ જો : ખરું, પણ વહાણો ક્યારે આવશે?&lt;br /&gt;
૧ લો : એની ખબર મને શી રીતે પડે? ઊંચે ધાર તરફ નજર કર. ત્યાં ઊંચે જો ઇન્દ્રમંડપ પર ચોકીદાર ઊભો છે અને દસ ગામે લાંબે નજર ફેરવે છે. એને ખબર હોય તો હોય! મઠીઆ ડુંગરાની પછાડી વહાણ આવતાં હશે.&lt;br /&gt;
૨ જો : પણ દુશ્મનો આવવા દેશે ત્યારે ને.&lt;br /&gt;
૧ લો : દુશ્મનો પાસે વહાણો નથી.&lt;br /&gt;
૨ જો : વાડની માફક આપણા આખા દેશને ફરી વળે એટલાં વહાણ એની પાસે છે. બે મહિના થયાં એ ગુલામ જેવો આપણને ઘેરી વળ્યો છે તેમ ફરી વળે એટલાં છે.&lt;br /&gt;
૧ લો : બે મહિના!&lt;br /&gt;
૨ જો : તને ખબર છે આજે બપોરે મને શું ખાવા મળ્યું હતું? આઠ દિવસ પર જે રોટલો કરડતાં દાંત કકડ્યા હતા તે જ રોટલાનું તળીઉં. સાચે, નખે નખે મેં તે પર ત્રણ સાથિયા કાઢ્યા. અમે પણ ફરી ઠીક મળ્યા! પણ આજે, તે જ રોટલો ઊલટથી ભચડાવી ગયો...રાજાના લગ્નના દિવસનું જુગતું જમણ!&lt;br /&gt;
૧ લો : શું તું એમ માને છે કે હઝુરસાહેબને વધારે હતું?&lt;br /&gt;
૨ જો : એમની કને વધારે હોત તો શું આપણે બધા આમ મરણીયા થાત, આપણો કચ્ચરઘાણ વળવા દેત, રણમાં આગળ ઝુકાવત, શરમ રાખત કે? કશાની ચોકી નથી કરવાની એવું જાણતા ન હોત તો અહીં સાંકળે બાંધેલા કૂતરાની માફક પડી રહી પહેરો ભરત કે?&lt;br /&gt;
૧ લો : સોનું જોઈએ એટલું છે.&lt;br /&gt;
૨ જો : સોનું! હં, સોનું! સોનું મારી પાસે પણ પુષ્કળ છે. કેશવપુરમાં મારા ભોંયરામાં ધન દાટ્યું છે. હં!......તે એ! શિવપુર પાછળ રહેલી બાયડીઓ કને ખાવાનું રહ્યું હશે......ઢોર જીવતાં હશે તો દૂધ પણ.&lt;br /&gt;
૧ લો : હા, બૈરાંઓને ત્યાં લહેર છે –તારી વહુ નથી. ખરું ને?&lt;br /&gt;
૨ જો : એક દુશ્મને મારી વહુની લાજ લૂંટીને મેં બન્નેના જાન લીધા!(અટકે છે) ઠીક! બાયડીઓને ખાવાનું જોઈએ; દૂધ પણ. પણ કેટલો વખત–(ધીમેથી પાસે આવતાં હથિયારોનો ખડખડ અવાજ) જો લગ્ન ખરેખર પૂરું થયું છે.&lt;br /&gt;
૧ લો : ચૂપ જો, બૂઢો અણહિલ આવે છે– હજૂરની ઢાલ સાથે (બીજો પહેરો ભરવા માંડે છે.)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૨જો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[અણહિલ પ્રવેશે છે. ઢાલને એની જગ્યાએ ભેરવે છે, અને વીખરાયેલાં હથિયારો બાજુ પર ગોઠવે છે.]&lt;br /&gt;
અણહિલ : કેમ, કાંઈ ખબર આવ્યા?&lt;br /&gt;
૧ લો : ના!&lt;br /&gt;
અણહિલ : તમને ભૂખ લાગી છે?&lt;br /&gt;
૨ જો : હા.&lt;br /&gt;
અણહિલ : ભૂખ બૈરાંને લાગે. ચિત્ત ઠેકાણે રાખો! આપણી જુવાન રાણી આગળ આવાં કરમાયેલાં મોં બતાવશો મા. લગ્નદિવસે એવું શોભતું નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૩જો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[ઘોંઘાટ કરતા લોકોથી વીંટળાયેલા તેજસિંહ અને અબળાના હાથ પકડી રાજગુરુ તંબુના આંગણામાં આવે છે. તેમની આગળ ધૂપદાની વીંઝતા બે બટુકો, પાછળ સાધના, દેવસેન, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો અને સેનાનીઓ. તંબુના દરવાજાઓની કનાતો નીચી ઢાળેલી છે. પહેરેગીરો ચાલ્યા જાય છે.&lt;br /&gt;
રાજગુરુ રાજારાણીના હાથ મૂકી દે છે, સાધના તરફ ફરે છે.&lt;br /&gt;
તેજસિંહ ગમગીન અને વિચારગ્રસ્ત ઊભો રહે છે. અબલા આસપાસ લજ્જાલુ પૃચ્છક દૃષ્ટિ નાંખે છે. દુઃખદ શાંતિ.]&lt;br /&gt;
અણહિલ(આસ્તેથી) : રાજેન્દ્ર, નવયૌવના રાણીનો સત્કાર વાણીથી કરવો જોઈએ.&lt;br /&gt;
તેજસિંહ(આસ્તેથી) : કરવો જોઈશે? (ધૂપદાનીવાળા છોકરાની ગરદન પકડી) છોકરા, એટલું બધું આકરું નહીં; ધુમાડો અમારાં નસકોરામાં ઠેઠ ગરી જાય છે. ધૂપદાની ધરવાની ન હોય ત્યારે તું શું કરે છે?&lt;br /&gt;
બટુક : મારી તરવાર ધરું છું, નામદાર!&lt;br /&gt;
તેજસિંહ : બરાબર છે. જલદી તરવાર પકડ નહિતર પાછળ પડી જઈશ. (ધીમેથી) અણહિલ, વહાણ દેખાતાં નથી ને?&lt;br /&gt;
અણહિલ : ના, હજૂર પણ આપની નવોઢા રાણી સાથે બોલો તો ખરા.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક.......ત્યારે હવે હું વહુવાળો થયો. એમ ગુરુદેવ?&lt;br /&gt;
રાજગુરુ : અહીં આપની રાણી ઊભાં છે, રાજેન્દ્ર આપનો શબ્દ સાંભળવા તલસે છે.&lt;br /&gt;
તેજસિંહ : રાણીજી, જોઈતો શબ્દ જડતો નથી માટે ક્ષમા કરો. રણક્ષેત્રોના ખોળામાં ઊછર્યો છું, માણસના નિવાસનાં બીજાં સ્થળોનો પરિચય નથી. મારી સાથે આવી જિંદગી ગાળવાનું તને ભારે પડશે.&lt;br /&gt;
અબળા : રાજેશ્વર...મારી બાએ...મને શીખવ્યું છે...(અટકી પડે છે.)&lt;br /&gt;
તેજસિંહ : (હેતનો દેખાવ કરી) તારી બાએ શું શીખવ્યું છે?&lt;br /&gt;
અબળા : પત્ની સ્વામીને આધીન છે–સંકટના સમયમાં તો ખાસ કરીને; મારી બાએ આટલું શીખવ્યું છે, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : તમારે સ્ત્રીઓ માટે એ તદ્દન વાસ્તવિક અને ધર્મ્ય હશે...પણ સંકટના સમયે પતિ પણ પત્નીને આધીન હોય તો? સાસુજી! પણે શકટપુરમાં પત્નીઓ પાસે હરણીયાં દોડાદોડ કરે છે. દિવસોના દિવસો થયાં મારા સિપાહીઓને ખાવાનું મળ્યું નથી. એ હરણીયાં એમને ખાવા આપો એવી મારી સલાહ છે.&lt;br /&gt;
[સાધના સાથું નમાવે છે]&lt;br /&gt;
રાજગુરુ : મારા રાજેન્દ્ર!&lt;br /&gt;
તેજસિંહ : હે! ગુરુદેવ, હમણાં જ રણભૂમિ પરના લગ્નમંડપમાં આપ સુભાષિત વાણી બોલ્યા છો. આટલી વારમાં ફરી ઉપદેશ આપવા વૃત્તિ થઈ છે?&lt;br /&gt;
રાજગુરૂ : કહેવા વૃત્તિ થઈ છે, દુઃખ આપનો આત્મા કોરી ખાય છે એટલે.&lt;br /&gt;
તેજસિંહ : ખરે જ? આપ શું એમ ધારો છો? ચાલો ત્યારે સાંભળીશ.&lt;br /&gt;
રાજગુરુ : સાંભળ, ઈશ્વરી કોપની મૂર્તિ સરીખો તું અમારામાં ઉદય પામ્યો છે. જુવાન......પ્રજાએ તારાં વર્ષો નથી ગણ્યાં પણ તારાં પરાક્રમો, રાજીખુશીથી વૃદ્ધોએ તારી જુવાનીને નમન કર્યું છે. વિનમ્રતમ હોઈ તારે માટે સેવાનાં લાંબાં વર્ષો હોવાથી, તું જોતજોતામાં અમારો શાસ્તા થયો. ઈશાદિત્યના સુવર્ણતખ્ત પરથી – જે તખ્ત પર એક વેળા દયા ઇન્સાફ આપતી હતી, જ્યાંથી હસતે મુખડે તિષ્યરાજ ક્ષમા આપતા હતા, ત્યાંથી તારા ખૂની શબ્દો ગાજી ઊઠ્યા.....ને ઝેરી ઘા માફક આપત્તિ અમને હેરાન કરી રહી છે. વિશ્વકર્મા પહાડના ઊના વાયરામાં અહીંથી તહીં હેરાન થતાં બૈરાંછોકરાં સાથે અમે છાવણી નાંખી પડ્યાં છીએ; અને દુશ્મનો, તેમના ભાડુતી સિપાઈઓથી આપણને ઘેરી રહ્યા છે.&lt;br /&gt;
તેજસિંહ : બરાબર ઘેરી રહ્યાં છે. હા, હા! સોંસરા ઉંદર પણ આવી શકે નહીં.&lt;br /&gt;
રાજગુરુ : સમુદ્ર ભણી આપણી નજર આશાપ્રેરી દોડે છે; ત્યાંથી ભોજન આવશે.&lt;br /&gt;
તેજસિંહ : વહાણોના કાંઈ જ વાવડ નથી?&lt;br /&gt;
અણહિલ(હળવેથી) : બિલકુલ નથી.&lt;br /&gt;
રાજગુરુ : દુઃખથી નવા વિગ્રહ માટે અમે શસ્ત્રબદ્ધ થયા તે પહેલાં, સ્વતંત્ર મનુષ્યો તરીકે, અસલથી ચાલતા આવેલા રિવાજ મુજબ તારે માટે રાણી પસંદ કરવાનો અમે નિશ્ચય કીધો. પોતાના શરીર દ્વારા તું અનુભવી શકે કે ઈશ્વર શા માટે મૃત્યુ ચાહે છે, તેટલા સારુ અમે અસલી રિવાજ પાળ્યો છે.&lt;br /&gt;
તેજસિંહ : તમારો રાજા જિંદગીને ઘણી વધારે ચાહે છે એવું તમને લાગ્યું?&lt;br /&gt;
રાજગુરુ : મારા રાજેન્દ્ર!&lt;br /&gt;
તેજસિંહ : નહીં જ, એમ ધારવાની હિંમત તમારામાં નથી, કારણ કે આ જીવનની દરેક પળ તમને ખસીઆણા પાડશે... અસલના રિવાજ મુજબ જરૂર હોય છતાં, શા માટે આ બાળક વસ્તુ સાથે તમે મારાં લગ્ન કીધાં?—તે એટલી બાળક છે કે તમારી અને મારી આગળ બીકથી થરથરે છે. અને પોતાની માના છેડામાં સંતાય છે; અને ખાસ કરીને આવા યોગ્ય દિવસે, લગ્નના મંગલગીત ભૂખ ગાય છે ત્યારે...આમ ઊંચે જુઓ, રાણીજી,—અર્ધા કલાકથી મળેલા ઇલ્કાબથી તને બોલાવવી જોઈએ; મારા નાથ! હજુ તારું નામ પણ હું જાણતો નથી. વિનવું છું. મારા સામું જો! મને ઓળખે છે?&lt;br /&gt;
અબળા : આપ રાજેશ્વર છો, નામદાર!&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, પણ તારી નજરમાં હું મનુષ્ય હોવો જોઈએ, રાજા નહીં...તારી આગળ કેવી જાતનો મનુષ્ય ઊભો છે તેની તને ખબર છે?...જો! અત્યાર લગી આ હાથો લોહીમાં બોળવામાં આવ્યા છે. મરદાની જંગમાં રેડાયેલા માનવલોહીમાં નહીં – હું તેની વાત કરતો નથી. કારણ કે તેથી મનુષ્યની કીર્તિ વધે છે – પરંતુ અશસ્ત્રી રક્તહીન બાળકોનાં લોહીમાં, –(કંપે છે) – આવા હાથે તારા કંઠને આશ્લેષ કરવા આવું તો તું આનંદ પામીશ?......સાચે, મારું કહેવું તું સાંભળે છે? મારો સ્વર લલિત, મધુર નથી? જરાક કર્કશ છે. ખૂન કરવા જોસથી આરડેલા હુકમથી તે થાકેલો છે. આવી મોહક કર્કશતામાંથી કોમળ સ્વરો તું સાંભળશે ત્યારે તારો આનંદ અવનવો થશે. હું આ જન્મસિદ્ધ કાન્ત નથી એ આ શાણા પુરુષો જાણતા હતા. એટલે જ એઓએ મને મારો ધંધો શીખવ્યો......અથવા છાવણીમાં જિંદગી ગુજારવાથી થતા કંટાળાથી તમારા રાજાને છેતરવાનું તમારું કર્તવ્ય છે એમ માનો છો? સુવર્ણમય શતવપ્રમાં મહાન ન્યાયવર્ષે જેવી રીતે મોજ માણી અને રૈયતનો સંહાર કરવા પોતાના ખોજાઓને મોકલ્યા હતા તેમ? હા, હા, હા&lt;br /&gt;
રાજગુરુ : નામદાર, સંભાળજો નહીંતર પિત્તો ઉછળશે.&lt;br /&gt;
તેજસિંહ : ગુરુવર્ય, ધ્યાન ખેંચવા માટે ઋણી છું પણ એ નિરર્થક છે. આ તો મારા લગ્નની ગમ્મત છે......પણ હવે તમારી સાથે ખરા દિલથી બોલીશ......(આસન પર ઊંચે ચડે છે.) ઇશાદિત્યના સુવર્ણ આસન પર, જ્યાં દયા ઇન્સાફ આપતી હતી ત્યાં અફસોસ કે હું મારું સ્થાન મેળવી નહીં શકું. દુશ્મનોના પાટનગરમાં બળતણ માટે તેના કટકેકટકા થાય છે...તેમ તિષ્યરાજની પેઠે હસતે મુખડે હું માફ પણ કરી શકતો નથી, કારણ કે હવે કોઈને માફીની જરૂર નથી... દુશ્મનોની પ્રશસ્ત જાતિમાંથી ભૂખ્યા વાઘનું ટોળું જન્મ પામ્યું છે — એમને જેર કરવા પણ વાઘની જરૂર છે. આપે, ગુરુદેવ, મને ઈશ્વરી કોપની મૂર્તિ કહી, પણ હું તે નથી...હું તો ફક્ત તમારી નિરાશાની મૂર્તિ છું. સારા જીવનમાં જેણે કશાની અભિલાષા નથી રાખી, કશાની અપેક્ષા નથી રાખી. એવો હું તમારી સૌની આગળ ઊભો રહું છું અને એવો જ તમારી સમક્ષ કામે આવીશ. તે તમે જાણો છો, તેથી જ ગુપ્ત રીતે મને ઠપકો આપવામાં તમે સૌ ભૂલ કરો છો. મને ખોટો ન પાડો!...તમારી નમેલી ભ્રમરોની નીચેથી હું સ્પષ્ટ વાંચી શકું છું. આપણા પાસા અવળા પડે છે માટે મને હોળીનું નાળિયેર કરો મા. એટલી તમને મારી સલાહ છે.&lt;br /&gt;
આદિત્ય : દેવ, અમને ઘા ન મારો......અમારા લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું આપનું છે. આ ઘરડાઓ સાથે અમને કઢામાં ન નાંખો.&lt;br /&gt;
દેવસેન : અમે ડોસાઓ બીજાઓની પેઠે લડીએ છીએ; અને જુવાન, તેમની જ માફક ચાહીએ પણ છીએ.&lt;br /&gt;
તેજસિંહ : ચાલો, એટલેથી પતાવો. સંકટમાં મિત્રો અંદર અંદર કેવા લડી પડે છે તે તમારી રાણી જલદીથી સારી રીતે શીખશે. તમે છાવણીમાં થઈને જાઓ ત્યારે સૈનિકોને કહો – એ એક જ વાત રાજાને આજે કચવે છે – આ આનંદના દિવસે કેમ ખરું ને – જોઈએ તેવું લગ્નનું જમણ જમાડવાની તાકાત મારામાં નથી......અથવા હજુ કદાચ – અણહિલ!&lt;br /&gt;
અણહિલ : (જમણી તરફ તરત જ આવેલા પહેરેગીર સાથે ગભરામણમાં ગૂપચૂપ વાત કરતો હતો) : જી, હજુર.&lt;br /&gt;
તેજસિંહ : આપણા કોઠારમાં હજુ શું છે? ડોસા?&lt;br /&gt;
અણહિલ : (સંક્ષોભ અંકુશમાં રાખી) આપે આપનો સર્વે ખોરાક આપી દીધો છે.&lt;br /&gt;
તેજસિંહે : પૂછું છું કે શું પડ્યું રહ્યું છે?&lt;br /&gt;
અણહિલ : એક વટલોઈ ભરેલું બગડેલું દૂધ ને બે ફુગાયેલા રોટલા.&lt;br /&gt;
તેજસિંહ : હા, હા, હા! હવે જુઓ, રાણીજી! કેવો મુફલેસ ધણી તમને મળ્યો છે? લોકો કહે છે તેમ ત્યાં વહાણો આવ્યાં હોય તો દરેકની લાયકાત મુજબ સર્વેની બાદશાહી મહેમાનગીરી કરીશ – પણ તેમને એ જણાવશો નહીં, રખેને તેમનો આહ્લાદ કથળે. પણ કહેજો કે જો રણશીંગા સાંભળે તો તમારે માટે સારું સારું ભોજન પીરસાશે, એટલું બધું –(પોતા તરફ સરી આવતા અણહિલને) શું છે?&lt;br /&gt;
અણહિલ : (ધીમેથી) પહેરો ગયો. વહાણો નાશ પામ્યાં.&lt;br /&gt;
તેજસિંહ : (સહેજ પણ ચહેરો બદલ્યા વગર) નાશ પામ્યાં કેમ – કેવી રીતે?&lt;br /&gt;
અણહિલ : દ્રોહથી.&lt;br /&gt;
તેજસિંહ : હં, ઠીક! અહં, સાથે બેસી સૌએ ખાધું હોત જમણ- સર્વેને પીરસ્યું હોત, સ્ત્રીઓ માટે મેવો અને મીઠાઈ...(સિંહાસન પર ગબડતો પડે છે અને દૂર શૂન્ય દૃષ્ટિ નાંખે છે.)&lt;br /&gt;
માણસો : રાજાને શું થયું? રાજાની સામે તો જુઓ!&lt;br /&gt;
અબલા : ખરેખર ભૂખ્યા થયા છે, બા! (પાસે જાય છે, માણસો આઘા ખસે છે) મારા રાજા!&lt;br /&gt;
તેજસિંહ : સ્ત્રી, તું કોણ છે? શું કરવાની છે, સ્ત્રી!&lt;br /&gt;
અબલા : સ્વામી, મદદ કરી શકું?&lt;br /&gt;
તેજસિંહ : હં! તમે રાણી છો. માફ કરો, તમે પણ સૌ દરગુજર કરો, ભાઈઓ.&lt;br /&gt;
રાજગુરુ : આપનું બળ સમેટવું જોઈશે, રાજેન્દ્ર!&lt;br /&gt;
આદિત્ય : હા, હજૂર, અમારી સૌની ખાતર.&lt;br /&gt;
માણસો : અમારી સૌની ખાતર.&lt;br /&gt;
તેજસિંહ : વ્યાજબી છે. તમારી ચેતવણી ખરે વખતે છે. સુંદરીઓ, તમે સૌ તમારી છાવણીમાં જાઓ એટલી મારી વિનંતિ છે. અમારે મસલત કરવી છે. ગુરુદેવ, આપ અમને સહીસલામત પહોંચાડો.&lt;br /&gt;
સાધના : (આસ્તેથી) બહેન, પ્રણામ કરી લે.&lt;br /&gt;
અબલા : ( ,, ) માડી, હવે મારી સાથે એ નહીં બોલે?&lt;br /&gt;
સાધના : પ્રણામ કરી લે! (અબલા આજ્ઞા પ્રમાણે વર્તે છે.)&lt;br /&gt;
તેજસિંહ : તમારું સૌનું કલ્યાણ થાઓ!&lt;br /&gt;
[અબલા, સાધના, રાજગુરુ જાય છે. બહાર પ્રશંસાધ્વનિ એમને વધાવે છે]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૪થો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[તેજસિંહ, આદિત્ય, દેવસેન, અણહિલ, પહેરેગીર, સામંતો]&lt;br /&gt;
તેજસિંહ : સ્ત્રીઓ અને બ્રાહ્મણને મોકલી દીધાં, હવે જે થવાનું છે તેની નિસ્બત આપણે લડવૈયાઓને છે. ક્યાં છે પહેરેગીર? ભાઈ, આગળ આવ.&lt;br /&gt;
માણસો(બબડતાં) : ધાર પરનો પહેરેગીર! પહેરેગીર!&lt;br /&gt;
તેજસિંહ : ભાઈઓ, સાંભળો વહાણ નાંશ પામ્યાં છે.&lt;br /&gt;
{{gap|10em}}[ઘોંઘાટ, દુઃખની કીકીયારી.] &lt;br /&gt;
શાંત પડો; શાંત, વીરો! તારું નામ હરિહર છે?&lt;br /&gt;
પહેરેગીર : શાંત, વીરો! ગરીબ પરવર!&lt;br /&gt;
તેજસિંહ : ક્યારથી પહેરો ભરે છે?&lt;br /&gt;
પહરેગીર : કાલ સવારથી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહે : ક્યાં છે તારી જોડનાં બે સોબતી?&lt;br /&gt;
પહેરેગીર : તેઓ ધાર પર છે, આપના હુકમ પ્રમાણે, નામદાર.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, તમે શું જોયું?&lt;br /&gt;
પહેરેગીર : ખુદાવિંદ, સમુદ્ર પર મીનાક્ષીની ભૂશિરને પેલી મેર, વિશ્વકર્માનો ધુમાડો ઊતર્યો એટલે આજે સાંજના છેલ્લા પહોર લગી અમારી નજરે કાંઈ આવ્યું નહીં. એવામાં વહાણ દેખાયાં – સંખ્યા પાંચની હતી – કિનારાની તદ્દન નજીક – મૌર્યોના જમાનાનું ખંડિયેર નગર દટાયેલું છે ત્યાં......... અમારામાંનો એક ઉતાવળે આવવા તૈયાર થયો, એવામાં –&lt;br /&gt;
તેજસિંહ : ઊભો રહે? વહાણો પર સંકેત શો હતો?&lt;br /&gt;
પહેરેગીર : આગળનું શઢ આડકતરું વીંટાળેલું હતું અને —&lt;br /&gt;
તેજસિંહ : અને?&lt;br /&gt;
પહેરેગીર : તૂતક આગળ આસોપાલવનો ઝુમખો.&lt;br /&gt;
તેજસિંહ : આસોપાલવ તમે નજરે જોયો?&lt;br /&gt;
પહેરેગીર : આપ નામદારને નિહાળું છું તેવી જ રીતે.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક પછી?&lt;br /&gt;
પહેરેગીર : પછી, દુશ્મનો ખારવાનાં જે વહાણોથી ખોરાક મેળવે છે તેમને પેલાં વહાણોની આસપાસ વીંટળાઈ વળતાં જોયાં, અને તરત જ.&lt;br /&gt;
તેજસિંહ : તરત જ શું?&lt;br /&gt;
પહેરેગીર : હજૂર, ક્ષોભ વિના સૌ દુશ્મનની છાવણી તરફ ચાલ્યાં ગયાં. ત્યાં તેમણે માલ ખાલી કર્યો.&lt;br /&gt;
{{right|[માણસો કપાળ કૂટે છે. પ્રગાઢ નીરવતા.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : (એક પછી એક તરફ હસતી નજર નાંખતો) ઠીક થયું... બહાર ત્યાં તું કોઈને આ વિશે કાંઈ વાત કરીશ નહીં. હું એમને કહીશ.&lt;br /&gt;
{{right|[પહેરેગીર ચાલ્યો જાય છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૫મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[તેજસિંહ, આદિત્ય, દેવસેન, સ્કંદ, બીજાઓ, સામંતો]&lt;br /&gt;
તેજસિંહ : બિરાદરો, તમારી સલાહ!&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ, સલાહ અમને સૂઝતી નથી.&lt;br /&gt;
તેજસિંહ : દેવસેન, તું! તારા અનુભવમાંથી કાંઈ?&lt;br /&gt;
દેવસેન : સ્વામી, મહાન ઇશાદિત્યની સેવા મેં કરી છે. છતાં તે પણ કાંઈ આપી શકતી નથી.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, ત્યારે, મને સૂઝે છે......સરળતઃ અને સત્વર સમજાય છે. મરી જાઓ! આવા અવિશ્વાસની નજર કેમ મારા તરફ કરો છો? મારું કહેવું નથી સમજતા? બીકણ દુશ્મનોની પેઠે શરીરે પછેડી લપેટી પીઠમાં ઘા કરવાનું પડોશીને કહેવાનો રસ્તો બતાવું છું એમ ધારો છો? ઠંડા પડો: શરમથી હું તમને બચાવીશ. કીર્તિની પ્રાપ્તિ પ્રત્યે દોરી નહીં જઈ શકું ત્યારે તમારી લાજ નહીં જવા દઉં. જ્યાં લગી ભાલો પકડવાની તાકાત આપણા ત્રીસ જણમાં છે ત્યાં લગી આપણું આ સ્થાન લેવાની કોઈની મગદુર નથી. પણ આખરે વખત આવશે. થોડી જ વારમાં ભૂખથી દુર્બળ થયેલો હાથ આક્રમણ કરતા ખૂનીઓ પાસે રહેમત માગવા લાંબો થઈ શકે નહીં.&lt;br /&gt;
આદિત્ય : મહારાજ, કોઈ આભીર આવું કરતો નથી!&lt;br /&gt;
તેજસિંહ : તું જેવો છું તેની ખાતરી તું કરાવે, પણ તારું શું થશે તેની જામીનગીરી તું મને નહીં આપી શકે; એટલે મારી સલાહ અને આજ્ઞા છે. છેલ્લા યુદ્ધ માટે સૌ સજ્જ થાઓ. પરોઢના ઝળઝળીયામાં આપણે કોતરોમાંથી કૂદી પડશું અને ખુલ્લા મેદાનમાં દુશ્મનોની સામે આપણો વ્યૂહ માંડશું.&lt;br /&gt;
સર્વે : મહારાજ, એ અશક્ય છે.&lt;br /&gt;
આદિત્ય : સ્વામી, વિચાર કરો, આપણા એકની સામે દુશ્મન સો છે.&lt;br /&gt;
તેજસિંહ : તારો અભિપ્રાય, દેવસેન?&lt;br /&gt;
દેવસેન : પ્રભુ, આપ અમને મૃત્યુના માર્ગે લઈ જાઓ છો.&lt;br /&gt;
તેજસિંહ : હા, બરાબર મેં બીજું કહ્યું છે? શું તમે મને રણમાં એવો બિનપલોટાયેલો માનો છો કે પરિણામ મારા લક્ષ બહાર હોય? ત્યારે શા માટે ખચકાઓ છો? જ્યારે તિષ્યરાજ આપણા સેનાની હતા ત્યારે આપણે લાખ હતા, અત્યારે આપણે માત્ર પાંચ છીએ – તે સર્વેને મરતાં આવડતું હતું. આપણે – એમનામાંથી રહેલા સહેલા કંગાળ શું તે વીસરી ગયા હઈશું?&lt;br /&gt;
સર્વે : ના, મહારાજ, ના!&lt;br /&gt;
દેવસેન : પ્રભુ, તે ભયંકર પ્રસંગથી પરિચિત થવા જેટલો વખત આપો.&lt;br /&gt;
તેજસિંહ : ભયંકર? તમને શું ભયંકર લાગે છે? મૃત્યુનો પરિચય મેળવવા સમય જોઈએ છીએ? લીલથી છવાયેલા જૂના પાણાની પેઠે જેની છાતી ઘાના ચાઠાથી અંકિત ન હોય એવો તમારામાં કોઈ નથી. આજ વીસ વર્ષ થયાં તમે મૃત્યુને ઉડાવ્યું છે પણ હવે સાક્ષાત્ આવ્યું છે ત્યારે આભીરો શું ‘ભયંકર’ એવો ઉદ્ગાર કાઢશે? તમે શું કરશો? ભૂખ્યા સૂઈ રહેશો? એકબીજાને ખાઈ જશો? સારું, હું તમારી સાથે એમ વર્તીશ નહીં! હું નહીં જ! આવતી કાલે મારો ભાલો અને ઢાલ લઈ, તમારા ડૂબતા ભાગ્યનો નાયક મને બનાવ્યો ત્યારથી જે મૃત્યુની ચોરની પેઠે રાહ જોઈ ઝૂરું છું તે મૃત્યુને મારી મેળે મળવા જઈશ – તું એકલો, મારા બુઢ્ઢા ગોઠીયા, મારી સાથે આવે છે ને?&lt;br /&gt;
અણહિલ(પગે પડીને) : ખુદાવિંદ, મમતા માથે ચડાવું છું. સાથે આવવાનો સવાલ જ હોય?&lt;br /&gt;
સર્વે : અમે પણ તૈયાર છીએ, રાજેન્દ્ર, અમે બધા.&lt;br /&gt;
આદિત્ય : સુખનો માર્ગ બતાવવા માટે પ્રભુ, આપને ધન્યવાદ દેવો જોઈએ. એકદમ અમે આપની પાછળ સંગ્રામમાં ઊતરવા તૈયાર ન થયા માટે અમારા પર કોપ કરશો મા. હવે જ અમને આપના મહાન વિચારનું વિશદદર્શન થાય છે. શોક, અણબનાવ અને હતાશામાંથી અમે ઊઠીએ છીએ, મૃત્યુ તરફ ઢળી પડતા નથી......દરેક જણ બીજાનાં મુડદા ઉપર હસતાં ચાલશું એટલે તેની પેઠે જ રણશય્યામાં હસતા સૂશું...હાશ! સુવર્ણ કલશમાંથી અમૃતનું પાન થશે—ઉત્સાહપ્રદ ગમ્મતની મસ્તી માણશું. ખમ્મા, મારા નાથ. તારી ગાદીની કેટલીયે વાર ઇર્ષ્યા કરી છે, પણ હવે તે બિલકુલ રહી નથી.&lt;br /&gt;
તેજસિંહ : આદિત્ય, તારી કલ્પનામાં હશે તેથી નિરાળી જ ઘટના ઘણું કરીને થશે. છતાં આભીરોમાં આવો જુસ્સો હજુ વસેલો જોઈ રાજી થાઉં છું.&lt;br /&gt;
દેવસેન : દેવ, સેવકનો એક શબ્દ સૂણશો? મેં સોનેરી દિવસો જોયા છે... આપ વીરશ્રેષ્ઠ છો એટલું નહીં પણ સૌથી શાણા છો. ને હમણાં થાપ ખાધી તો, બચાવ કર્યા વગર, ખૂનીની સમશેરથી આપણા પ્રાણ જવાના......આપણા જ નહીં પણ રોગીઓના — અને બાળકોના — અને વહુઓના.&lt;br /&gt;
તેજસિંહ : અંહ, સાચે, વહુઓ! એમનો તો વિચાર જ નહોતો આવ્યો?&lt;br /&gt;
દેવસેન : પણ હવે આવતી કાલે આપણે જંગમાં ઊતરશું. બીજા અને ત્રીજા દિવસે — એટલો વખત આપણે ટકી શકીશું તો — એ ચમત્કારથી દુશ્મનો અને એમની પાછળ ખેંચાઈ આવતા ભીલ વગેરેના ટોળામાં આશ્ચર્ય અને ભય ફેલાશે...એમનો સદંતર નાશ આપણે નહીં કરી શકીએ, પણ તેઓ કોઈ જાય ત્યાં લગી આપણા લોહીથી તેમને હંફાવશું......અને જ્યારે એમના પક્ષમાં ભાલો કે ધનુષ્ય પકડવાની શક્તિ કોઈનામાં નહીં રહે ત્યારે એ હીજડાઓને કહેવાનો વખત આવશે ‘સુલેહથી ચાલ્યા જાઓ.’ તે વખતે તમારામાંથી કેટલા બચ્યા હશે? મને દહેશત છે કે બહુ નહીં! —&lt;br /&gt;
તેજસિંહ (હસતાં) : આપણે, ખાતરીથી નહીં!&lt;br /&gt;
સર્વે (ક્રૂર હાસ્ય કરતાં) : નહીં જ, અમે નહીં!&lt;br /&gt;
દેવસેન : પછી આપણા ભાઈઓ બૈરાંછોકરાંઓ સાથે દુશ્મનની વચમાં જશે, અને માથું ઊંચું રાખી, ખુલ્લી તલવારે દુશ્મનની છાવણી સોંસરા નૂપુરવંપ્ર. પર રોટલાનો ટુકડો વેચાતો લેવા ઊતરી પડશે. સાચું માનજે, એમનો ધાક પડશે કે ભીલોનો કૂતરો પણ એમની સામે ભસવાની હિમ્મત નહીં કરે. &lt;br /&gt;
તેજસિંહ : બૈરી અને છોકરાં! બૈરી અને છોકરાં! આપણે એમનું શું કામ છે?&lt;br /&gt;
સ્કંદ : મહારાજાસાહેબ, આપ અમારાં વહાલામાં વહાલાનો તિરસ્કાર કરો છો.&lt;br /&gt;
તેજસિંહ : હશે! સવારે જ્યારે ખોરાક વહેંચવામાં આવ્યો ત્યારે ઘણાં પેટ ભરવાનાં હતાં એટલું મને માહિત છે. નહીંતર આપણે ટકી રહેવા સમર્થ થયા હોત. તોપણ આટલી એક વાત તમને કહું છું – બહાર ઊભેલા માણસોને વીરપુરુષો તરીકે વ્રતનિષ્ઠ રહેનારાઓને આજ્ઞા કરું છું – આપણા નિશ્ચયની વાત કોઈ પણ સ્ત્રીને જણાવવી નહીં. સ્ત્રીઓનાં આંસુ અને ચીસથી કોઈ પણ માણસ પોચો પડ્યો હું સાંખીશ નહીં.&lt;br /&gt;
સ્કંદ : પ્રભુ અમારી સહધર્મચારિણીઓ પાસેથી રજા ન લેવાનો હુકમ નિર્માણ છે.&lt;br /&gt;
તેજસિંહ : મારી ઉપેક્ષા કરી તેમની રજા લેજો પણ લેતી વખતે મૂગા રહેજો. જેમને સ્ત્રીસંતતિ હોય તે શકટપુર જાય અને ખાવાપીવાનું લેતા આવે– થોડું પણ બચાવી રાખવામાં સ્ત્રીઓ મોજ માણે છે. પછી વાંઢાઓ સાથે બિસ્મિલ્લાહ કરે અને બને તેટલી લહેર માણી લે.&lt;br /&gt;
દેવસેન : નિશ્ચય જણાવવાની સખ્ત મના કરો છો તો પ્રભુ! એમણે એમની વહુઓને તે શું કહેવું?&lt;br /&gt;
તેજસિંહ : એમ કહો, મારા લગ્નનિમિત્તે મળવા આવ્યા છો! અથવા મનાય એવું લાગે તો કહેજો કે વહાણો આવ્યાં છે. ફાવે તે કહેજો. ફક્ત આટલી વાત તમારા મનમાં રાખજો.&lt;br /&gt;
આદિત્ય : આપ નવોઢા રાણીને પણ નહીં મળો?&lt;br /&gt;
તેજસિંહ : હેં? નહીં... સહેજ પણ વૃત્તિ થતી નથી. હવે લોકો સાથે વાત કરીશ. આદિત્ય, મારી વાણી તારા જેવી હોત તો કેવું સારું – સંદેશો ગૂંચવે એવો છે, મારે ઉત્તેજક શબ્દો ઉચ્ચારવા છે પણ તે સ્ફૂરતા નથી. ચાલો.&lt;br /&gt;
[સર્વે જાય છે, અણહિલ ધીમેથી પાછળ ચાલે છે.]&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
 				&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૬ઠ્ઠો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ટૂંક વખત રંગભૂમિ નિર્જન રહે છે. રાજાનો ઘાંટો સંભળાય છે. તેની વાણી જયઘોષથી વધાવાય છે. પછી થોડીક પળ વીત્યે, દુઃખનાં ગૂંગળાતાં ડૂસકાં.&lt;br /&gt;
અણહિલ રંગભૂમિ પર આવે છે અને પડદા નજીકના ઠૂંઠા પર બેસે છે. પછી બે મશાલો સળગાવી કડામાં ભેરવે છે અને રાજાનાં હથિયાર સજ્જ કરે છે. બહાર ઉત્સાહનો નિનાદ ઊઠે છે, વળી પાછો ધીમો પડી જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૭મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અણહિલ, રાજગુરુ વાચસ્પતિ (થાકથી ને આવેશથી લથડિયાં ખાતો.)&lt;br /&gt;
અણહિલ : પૂજ્ય દેવ, આસને આપ નહી બિરાજો?&lt;br /&gt;
વાચસ્પતિ : મહારાજા શું બોલે છે તે સાંભળવા તું નથી જતો?&lt;br /&gt;
અણહિલ : એને અને મારે કાંઈ નિસ્બત નથી, ગુરુદેવ! મહારાજાસાહેબ અને હું – ઘણા લાંબા કાળથી કામ કરવામાં એકમત છીએ.&lt;br /&gt;
વાચસ્પતિ : ખરે, યમના દૂત જેવાં ત્યાં આગળ તેઓ ઊભા છે.&lt;br /&gt;
અણહિલ : ફિરસ્તા હોય કે જીત હોય, મારે મન એક જ છે.&lt;br /&gt;
[ઉત્સાહનો ઘોષ નવેસરથી ઊડે છે અને તંબુઓની નજીક આવે છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૮મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એના એ જ રાજા (આંખોમાંથી આગના તણખા ઊડતા. ફિક્કો છતાં સ્વસ્થ.)&lt;br /&gt;
તેજસિંહ : હથિયાર સજ્જ છે? — અહો, આપ કયાંથી ગુરુદેવ!&lt;br /&gt;
વાચસ્પતિ : મહારાજા, મારા મહારાજા!&lt;br /&gt;
તેજસિંહ : સાચે, હવે આપને નવા યજમાન ગોતવા પડશે, ગુરુદેવ. આપનો આશીર્વાદ આપવાના હો તો કૃપા કરી સત્વર આપો......આદિત્ય હમણાં આવશે.&lt;br /&gt;
વાચસ્પતિ : દરેક મરતા જીવના થરથરાટથી તારી જાતને મુક્ત માને છે? તાત!&lt;br /&gt;
તેજસિંહ : ગુરુદેવ, આપણા સંપ્રદાયનો હું સાચો ભક્ત હતો. એક વેળા તિષ્યરાજે કર્યું તેમ હું એના મંદિર બંધાવી શક્યો નથી. પણ જે નાશ કરવાનું હતું તે એના શ્રેય અર્થે મેં નાશ કર્યું છે. આશીર્વાદ માટે દંડવત પડું?&lt;br /&gt;
વાચસ્પતિ : વત્સ, તારા કહેવાનો ભાવાર્થ મારાથી પમાતો નથી.&lt;br /&gt;
તેજસિંહ : ગુરુદેવ, નથી સમજાતો તો દિલગીર છું.&lt;br /&gt;
વાચસ્પતિ : તેં રજા લીધી?&lt;br /&gt;
તેજસિંહ : રજા, કોની? ઊલટું મને તો ‘સ્વાગત’નો ધ્વનિ કરવાનું મન થાય છે; પણ હજુ ત્યાં કાંઈ નથી! &lt;br /&gt;
વાચસ્પતિ (ભમ્મર ચડાવી) : આપની રાણીની રજા, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : અત્યારે, હું પુરુષોનો સગો છું, ગુરુદેવ. પત્ની સાથે કાંઈ લાગતું વળગતું નથી. સલામાલેકુમ.&lt;br /&gt;
[આદિત્ય અને અણહિલ પ્રવેશ કરે છે.]&lt;br /&gt;
વાચસ્પતિ : આલેકુમ સલામ — પ્રભુ, તારા આત્મામાં પોતાનો પ્રસાદ ભરો!&lt;br /&gt;
તેજસિંહ : ઋણી છું, ગુરુદેવ...અહો તું આવ્યો, આદિત્ય.&lt;br /&gt;
[વાચસ્પતિ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૯મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, આદિત્ય, અણહિલ (પછવાડાના ભાગમાં, રાજાનાં હથિયાર સજ્જ કરતો નિઃશબ્દ અંદર-બહાર આવ જા કરે છે.)&lt;br /&gt;
તેજસિંહ : યોદ્ધાઓ શું કરે છે?&lt;br /&gt;
આદિત્ય : જેમની વહુઓ છે તે શકટપુર ગયા છે...જરૂર તેઓ ત્યાં ખાશે, પીશે અને પોતાનાં બાળગોપાળ સાથે ખેલશે.&lt;br /&gt;
તેજસિંહ : તારી વહુ અહીં છે?&lt;br /&gt;
આદિત્ય : હા પ્રભુ!&lt;br /&gt;
તેજસિંહ : તારાં છોકરાં?&lt;br /&gt;
આદિત્ય : બે પુત્રો, પ્રભુ!&lt;br /&gt;
તેજસિંહ : છતાં તું ગયો નથી?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ, આપની તહેનાતમાં હાજર રહ્યો છું.&lt;br /&gt;
તેજસિંહ : વખત કેટલો થયો છે?&lt;br /&gt;
આદિત્ય : નવ વાગ્યા છે.&lt;br /&gt;
તેજસિંહ : જેઓ સ્વતંત્ર – અવિવાહિત છે અને જેમની વહુઓ અહીં નથી તેઓ શું કરે છે?&lt;br /&gt;
આદિત્ય : ધૂણી ધખાવી શાંત પડ્યા છે.&lt;br /&gt;
[અણહિલ જાય છે.]&lt;br /&gt;
તેજસિંહ : એમને માટે પણ કાંઈ ખાવાનું આવે તેવી જોગવાઈ કર. મેં ક્યારનો હુકમ કર્યો છે. શું તેઓ ઊંઘશે?&lt;br /&gt;
આદિત્ય : કોઈ ઊંઘશે નહી.&lt;br /&gt;
તેજસિંહ : મધરાતે, મને તેડવા આવજે.&lt;br /&gt;
આદિત્ય : જી, જેવો હુકમ. (જવાનું કરે છે.)&lt;br /&gt;
તેજસિંહ (ચિંતાના શેરડા પડે છે) : આદિત્ય, ઊભો રહે!...તું મારો હંમેશ પ્રતિસ્પર્ધી હતો.&lt;br /&gt;
આદિત્ય : હતો, પ્રભુ. પણ ઘણા લાંબા કાળથી પ્રતિસ્પર્ધી મટી ગયો છું.&lt;br /&gt;
તેજસિંહ (હાથ લંબાવીને) : આવ!&lt;br /&gt;
(ગાઢ આશ્લેષથી બન્ને ભેટે છે, પછી હાથે હાથ મેળવે છે.) ખુશીથી તને અહીં પકડી રાખત, પણ તારે તારી વહુને મળી આવવું જોઈએ.&lt;br /&gt;
[અણહિલ ફરી આવે છે.]&lt;br /&gt;
ધૂણીની તાપણી તાપતા સિપાહીઓ માટે ખાવાનું લાવવાનો બંદોબસ્ત વીસરતો નહિ. તેમનું ચિત્ત વ્યગ્ર રહેવું ન જોઈએ. આવે વખતે વિચાર કરવાથી લાભ નથી.&lt;br /&gt;
આદિત્ય : જી. હજુર.&lt;br /&gt;
[આદિત્ય જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૦મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, અણહિલ&lt;br /&gt;
તેજસિંહ : ચાલ, મારા ડોસા, પૃથ્વી પર હવે આપણે માટે કાંઈ કરવાનું રહેવું ન જોઈએ. વાતો કરશું?&lt;br /&gt;
અણહિલ : ગરીબપરવર, મારા પર મહેરબાની કરશો.&lt;br /&gt;
તેજસિંહ : હજુ મહેરબાની, આવે વખતે? જૂના દોસ્ત, મને લાગે છે કે તારે મને અડાવવો છે.&lt;br /&gt;
અણહિલ : પ્રભુ, હું બુઢ્ઢો થયો. આપની જિંદગીનું રક્ષણ કરવા જોઈતા વખતથી વહેલાં મારો હાથ ભાલો પકડી થાકી જશે. મારી તકસીરથી આપનો નાશ થવો ન જોઈએ, નાથ...કોઈ ઊંઘતું નથી છતાં બાકી રહેલા બે કલાક મને મારા ખાટલામાં સૂવા રજા આપો. મારે માટે બીજો વિચાર લાવશો મા!&lt;br /&gt;
તેજસિંહ (ઊંડી ચિંતાનો નવો ખટકો ખમતાં) : જા, પણ બહુ દૂર નહીં.&lt;br /&gt;
અણહિલ : આપના તંબુ આગળ નિરંતર કૂતરાની માફક સૂઈ રહ્યા છું, પ્રભુ આ છેલ્લી રાતે એમાં બિલકુલ ફેર પડવાનો નથી...હુકમ છે હજૂર!&lt;br /&gt;
તેજસિંહ : સુખી થા!&lt;br /&gt;
[અણહિલ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૧ મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, પછીથી અબલા.&lt;br /&gt;
(તેજસિંહ એકલો પડવાથી, ખાટલા પર પડે છે. થાકેલું, કડવું સ્મિત ફરકાવતો તાકીને પોતાની બરાબર સામે જુએ છે. અબલા લજ્જાભરી આવે છે, એક હાથમાં મીઠાઈ ને મેવો ભરેલો કંડિયો છે; બીજા હાથમાં દારૂથી ભરેલો સોનાનો પ્યાલો છે. પાટ તરફ થોડાંક પગલાં ભરે છે.)&lt;br /&gt;
તેજસિંહ (અર્ધો ઊઠીને) : કોણ છે?&lt;br /&gt;
અબલા(બીતી, હળવે રહીને) : રાજેન્દ્ર, મને ઓળખતા નથી?&lt;br /&gt;
તેજસિંહ (ખાટલા પરથી ઊઠીને) : દીવા ઝાંખા બળે છે.. તારો અવાજ અગાઉ સાંભળેલો છે...મારું શું કામ છે?&lt;br /&gt;
અબલા : હું આપની રાણી છું, રાજેન્દ્ર.&lt;br /&gt;
તેજસિંહ (થોડો વખત ચૂપ રહી) : તારે મારું શું કામ છે?&lt;br /&gt;
અબલા : મારી બાએ મને મોકલી છે, આપને સારુ હું મિષ્ટાન્ન અને સુરા લાવી છું. બીજાઓ ખાય-પીએ છે એટલે મારી બાએ કહ્યું કે...(અટકી પડે છે.)&lt;br /&gt;
તેજસિંહ : તું અંદર કેવી રીતે આવી?...સંત્રીએ તને આવતાં રોકી નહીં?&lt;br /&gt;
અબલા (ટટાર થઈ) : પ્રભુ, હું રાણી છું.&lt;br /&gt;
તેજસિંહ : હં, બરાબર. પણ, અણહિલે શું કહ્યું?&lt;br /&gt;
અબલા : આપણો વૃદ્ધ ભાલેદાર પડ્યો પડ્યો ઊંઘે છે. હું એને ઓળંગી આવી, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : અબલા. તારું કલ્યાણ થાઓ...મને ભૂખ નથી લાગી. તારું કલ્યાણ થાઓ.&lt;br /&gt;
[નિઃશબ્દતા, અબલા ઊભી ઊભી અશ્રુપૂર્ણ દૃષ્ટિ એના પર નાંખે છે.]&lt;br /&gt;
તેજસિંહ : હજુ પણ તારે કાંઈ અરજ કરવાની છે એવું મને લાગે છે. વગર સંકોચે બોલ.&lt;br /&gt;
અબલા : મારા નાથ, ભરેલો કંડિયો લઈ ઘેર પાછી જઈશ તો બીજી સ્ત્રીઓ મને ફિટકાર દેશે...અને પુરુષો કહેશે કે–&lt;br /&gt;
તેજસિંહે (સ્મિત કરતાં) : પુરુષો શું કહેશે?&lt;br /&gt;
અબલા : હું આપના જરાયે લેખામાં નથી. મારા હાથથી જમવાની પણ વૃત્તિ આપને નથી થતી.&lt;br /&gt;
તેજસિંહ : પુરુષોને બીજી વાતોનો વિચાર કરવાનો છે. અબલા, તેની ખાતરી મારા પંડના સોગન ખાઈ તને આપું છું – છતાં, તોપણ મારે લીધે તને બટ્ટો નહીં લાગવા દઉં. ત્યાં કંડિયો મૂક...હજુ પણ તમારી પાસે આવી વસ્તુઓ છે?&lt;br /&gt;
અબલા : પ્રભુ, આ બે સપ્તાહ થયાં મારી બાએ, મેં અને બીજી સ્ત્રીઓએ અમારા ભાગમાંથી સારામાં સારું ઊંચું મૂકી છાંડ્યું છે.—આજ દિન લગી માંસ માટે પશુપક્ષી માર્યાં નથી.&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે તો તમને સ્ત્રીઓને કકડીને ભૂખ લાગી હશે, નહી વારુ?&lt;br /&gt;
અબલા : એથી અમે હેરાન નથી થયાં...એ મિજાની માટે હતું.&lt;br /&gt;
તેજસિંહ : સાચે! આજે અમે મિજબાની આપશું એવું તમારું માનવું હતું.&lt;br /&gt;
અબલા : ઠીક ત્યારે શું મિજબાની નથી, પ્રભુ?&lt;br /&gt;
તેજસિંહ : (છાનોમાનો અધર કરડે છે; ચોરીછૂપીથી અબલાને તપાસે છે) – અબલા તું બેસશે નહીં?... અત્યારમાં તને પાછી ઘેર જવા નહીં દઉં! તેથી પણ તને કલંક લાગે, નહીં?&lt;br /&gt;
{{right|[અબલા મૌન રહે છે અને નીચું જુએ છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : હું હુકમ કરું તો અહીં થોભવા તારી મરજી છે?&lt;br /&gt;
અબલા : નાથ, પતિ સમીપ રહેવા પત્નીને શા માટે ઇચ્છા ન થાય?&lt;br /&gt;
તેજસિંહ : હું — તારો — પતિ છું, એવી લાગણી ત્યારે શું તારા હૃદયમાં છે?&lt;br /&gt;
અબલા : અલબત્ત, એથી બીજું શું હોય? ગુરુદેવે આપણને સંલગ્ન કર્યાં છે.&lt;br /&gt;
તેજસિંહ : એમણે સંલગ્ન કર્યાં ત્યારે તને આનંદ થયો હતો?&lt;br /&gt;
અબલા : હા...ના, ત્યારે આનંદ નહોતો થયો.&lt;br /&gt;
તેજસિંહ : શા માટે નહોતો થયો?&lt;br /&gt;
અબલા : કદાચ,...રખેને...વખતે, વખતે...પ્રભુ, હું બીની હતી, પ્રાર્થના કરતી હતી.&lt;br /&gt;
તેજસિંહ : શા માટે પ્રાર્થના કરતી હતી?&lt;br /&gt;
અબલા : આપને જેની જરૂર છે એવું અને મારાથી આપ અપેક્ષા રાખો એવું સુખ આપને આપવાની શક્તિ, મારા જેવી પરમેશ્વરની નમ્ર કિંકરીને પરમેશ્વર આપે માટે.&lt;br /&gt;
તેજસિંહ : તારી પાસેથી જેની હું...એ વિશે પ્રાર્થના કરતી હતી?&lt;br /&gt;
અબલા : નાથ, આપને માટે પીરસું? સુરા લાવું?&lt;br /&gt;
તેજસિંહ : ના, ના!...આમ જો, અબલા! બહાર, આપણી તાપણી પાસે યોદ્ધાઓ છે—તેઓ ભૂખ્યા છે—મને ભૂખ નથી લાગી.&lt;br /&gt;
અબલા : નાથ, આપને ગમે તે તેમને આપો...તેમને બધું આપી દ્યો!&lt;br /&gt;
તેજસિંહ : તારું કલ્યાણ થાઓ, અબલા. (પડદો ઉપાડે છે.) અરે, પહેરેગીર, અંદર આવ, પણ જાળવીને, ડોસો ઊઠે નહીં...&lt;br /&gt;
[પહેરેગીર આવે છે.]&lt;br /&gt;
લે, મીઠાઈ અને સુરાનો આ કંડિયો; પ્રામાણિકતાથી વહેંચી લેજો;... કહેજે કે તમારી રાણીએ મોકલ્યું છે.&lt;br /&gt;
પહેરેગીર : ખુદાવિંદ, રાણીસાહેબનો આભાર માનું?&lt;br /&gt;
[તેજસિંહ ડોકું નમાવે છે. પહેરેગીર ઉલ્લાસથી રાણીને પગે પડી જાય છે.]&lt;br /&gt;
તેજસિંહ : જા—મારે માટે ખાવાનું લાવ!&lt;br /&gt;
અપ્સરા(મુંઝાઈને) : નાથ — કેમ — મને — બનાવો છો?&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે મારું કહેવું સમજતી નથી? જો મારી વહુ થવું હોય તો, તારે મને મારી મિલકત ધરવી જોઈએ, તારી નહીં!&lt;br /&gt;
અબલા : મારી તે આપની જ મિલકત નથી, નાથ?&lt;br /&gt;
તેજસિંહ : હં! (મૌન. તેના હાથ પકડે છે.) મને નાથ નહીં કહે, રાજા પણ નહીં કહે...મારું નામ તું જાણતી નથી?&lt;br /&gt;
અબલા : આપનું નામ તેજસિંહ છે.&lt;br /&gt;
તેજસિંહે : ફરીથી કહે જોઈએ!&lt;br /&gt;
અબલા (હળવેથી, આડી ફરીને) : તેજસિંહ!&lt;br /&gt;
તેજસિંહ : નામ વિચિત્ર તને લાગે છે?&lt;br /&gt;
{{right|[અબલા ડોકું ધુણાવે છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે આનાકાની કેમ કરે છે?&lt;br /&gt;
અબલા : વિચિત્ર લાગે છે માટે નહીં, નાથ જ્યારથી મેં જાણ્યું કે આપની પત્ની તરીકે આપની સેવા કરવાની છે ત્યારથી રાતે અને દિવસે વારંવાર આપનું નામ મેં લીધા કર્યું છે. ફક્ત મોટેથી નથી ઉચ્ચાર્યું.&lt;br /&gt;
તેજસિંહ : તારી જાણમાં એ આવ્યું તે પહેલાં મારે માટે તારો શો વિચાર હતો?&lt;br /&gt;
અબલા : નાથ, એમ શા માટે પૂછો છો?&lt;br /&gt;
તેજસિંહ : શા માટે જવાબ નથી આપતી?&lt;br /&gt;
અબલા : નાથ, આપની ક્રૂર આજ્ઞાઓ વિશે સાંભળતી અને બીજાઓ આપનાથી ડરતા – ત્યારે વારંવાર વિચાર આવતો : આભીરોનું પ્રારબ્ધ જેને આવાં કામો કરવાની ફરજ પાડે છે તે કેટલો દુઃખી હોવો જોઈએ!&lt;br /&gt;
તેજસિંહ : એવો તને વિચાર આવ્યો? એવો તને –?&lt;br /&gt;
અબલા : એવો વિચાર મને આવ્યો તે શું અનુચિત હતું?&lt;br /&gt;
તેજસિંહ : તેં કદી મારો ચહેરો જોયો નહોતો છતાં તું મને સમજી શકી? મારી આસપાસ રહેનારા ડાહ્યા માણસો અને કસાયેલા યોદ્ધાઓ મને સમજી શક્યા નહીં!...તું કોણ છે, સુંદરી મારું હૃદય વાંચતાં તને કોણે શીખવ્યું? – તને, સર્વમાંથી એકલી તને?&lt;br /&gt;
અબલા : નાથ, હું -&lt;br /&gt;
તેજસિંહ : બધા મારાથી થરથરતા અને ખાણમાં મારાથી સંતાઈ રખડતા પણ રસ્તો જોયો નહીં – સુભાગ્યે જે રસ્તે તેમનું રક્ષણ થયું હોત તે ખરો રસ્તો તેમણે જોયો નહીં. જલ્લાદની છરી તેમની ગરદન પર ઊતરતી ત્યારે પણ બાંધછોડની કંઈક વાત કરતા. એટલામાં લુચ્ચા દુશ્મનો આવ્યા, તેમની સાથે લડ્યા અને એક પછી એક અમારો સંહાર થયો. આમ લાખ નાશ પામ્યાં. મેં શોક અને ક્રોધનાં વસ્ત્રો વીંટાળ્યાં – લોહિયાળ ચીંથરાની પેઠે આશાને મેં ફેંકી દીધી, ભંગાણમાં તિરસ્કાર અને હાસ્યભર્યો હું કૂદી પડ્યો. મારાં પ્રત્યેના ત્રાસથી મારું હૃદય હલમલી રહ્યું હતું ત્યારે મારી આસપાસ મેં ત્રાસ વાવી દીધો. સર્વના લોહીથી એક વખત પણ હું મત્ત નથી થયો. મેં દુશ્મનને માર્યા, છતાં બધો વખત જાણતો હતો કે બધું ફોગટ છે!&lt;br /&gt;
[વેદનાથી પીડિત થઈ શય્યા પર પડે છે; પોતાની સમક્ષ સીધું તાકીને જુએ છે.]&lt;br /&gt;
અબલા (લજવાતી તેના પર વહાલનો હાથ ફેરવવાનો પ્રયત્ન કરે છે) : મારા વહાલા, બિચારા મહારાજા! વહાલા તેજ!&lt;br /&gt;
તેજસિંહ (ડોકું ઊંચું કરી ગભરાયેલો આજુબાજુ જુએ છે) : મારા પ્રભુ, અહીં હું શું કરું છું?...તને શાને આ બધું કહું છું? આવો ભડભડીઓ છું માટે મને ધિક્કારતી નહીં...તેમ એમ પણ ન માનતી કે અનુતાપથી આ હકીકત કબૂલ કરવાની મને ફરજ પડી છે...કદાચ વધ્યો ને માટે મારા હૃદયમાં ઘૃણા થઈ છે, પણ મારું અંતઃકરણ એ સર્વેથી ઊંચે વિરાજે છે!... મારી મુફલિસ આભીર ગાદીથી ઘણું જ ઊંચું!...એમ મારા પર નજર કર... તારી આંખમાં એવું કાંઈક છે જેથી મારા અંતરના વિચારો તારી સમક્ષ પ્રગટ કરવાની મને ફરજ પડે છે...મારા પર આવું સામર્થ્ય મેળવવાની શક્તિથી તને કોણે સંપન્ન કરી છે?...જતી રહે!...નહીં, ઊભી રહે...ઊભી રહે! હજુ, મારે તને કાંઈ કહેવું છે, તદ્દન રહસ્યમાં તારા જતાં પહેલાં...પણ મારે આમ રડવું ન જોઈએ, નહીં તો પહેરેગીર સાંભળી જશે...તારો કાન મારી તરફ નીચો ધર. હજુ લગી કદી પણ કોઈ માણસ પાસે કબૂલ કર્યું નથી, તેમ કોઈ દિવસ કબૂલ કરીશ એવો સંભવ પણ માન્યો નથી. મારા અંતરમાં ઈર્ષ્યા છે, તે મારું કાળજું કોરી ખાય છે, જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે – તને ખબર છે કોની?...તિષ્યરાજની...અલબત્ત, મસાણમાં બાળેલા તિષ્યરાજના... લોકો તેને ‘પ્રભાવી’ તિષ્યરાજ કહેતા અને આજે પણ તેઓ તેને ચાહે છે... અદ્યાપિ જ્યારે તેનું નામ સાંભળે છે ત્યારે લોકોની આંખો ચમકે છે.&lt;br /&gt;
અબલા : અહો, પ્રભુ! આપ કેવા ઊકળ્યા છો?&lt;br /&gt;
તેજસિંહ : તેં કદી તેને જોયો હતો?&lt;br /&gt;
અબલા : કોઈ દિવસ નહી.&lt;br /&gt;
તેજસિંહ : પાડ પ્રભુનો! જે યુદ્ધમાં તે કામ આવ્યો તેની સવારે જેવો તેને મેં જોયો હતો તેવો તેં જોયો હોત...સોનેરી બખ્તરમાં સજ્જ થયેલો... તેની નીચે સફેદ ઘોડો રવાલતો હતો, સૂર્યકિરણની પેઠે તેનાં ઝૂલફાં તેની આસપાસ ફરફરતાં હતાં. દુશ્મનની સામે જોઈ તે અટ્ટહાસ્ય કરતો. બાળકની પેઠે તે હસતો હતો! આહ, તેની માફક હસતાં મરવાનું!&lt;br /&gt;
અબલા : નાથ, તેનું ભાગ્ય સરળ હતું! તે અહીંથી ગયા પણ વારસામાં આપને અર્ધું નષ્ટ થયેલું રાજ્ય સોંપી ગયા... પછી આપને કેવી રીતે હસવું આવત?&lt;br /&gt;
તેજસિંહ (આતુરતાથી) : શું એમ નથી? – શું એમ નથી? – કેવી રીતે...હાશ, એથી ઠીક લાગે છે! (આડા ફરે છે) હાશ! તારાથી મને ઠીક લાગે છે!&lt;br /&gt;
અબલા : દેવ, મારું હૈયું કેટલું ફુલાવો છો!&lt;br /&gt;
તેજસિંહ : પણ જો તેં તેને જોયો હોત અને મારી સાથે મુકાબલો કર્યો હોત તો, તું મારા પર થૂંકત!&lt;br /&gt;
અબલા (સ્નેહના આવેશથી) : પ્રભુ, વહાલા, વહાલા નાથ! આપને જ ફક્ત હું જોવત!&lt;br /&gt;
[તેજસિંહ લજ્જા અને અવિશ્વાસભરી દૃષ્ટિ તેના પર આડકતરી નાંખે છે. પછી ધીમેથી ડાબી બાજુએ ચાલી જાય છે, સિંહાસન આગળની બેઠક પર બેસી જાય છે અને સિંહાસનમાં મોં દાબીને દારૂણ રૂદન કરે છે.]&lt;br /&gt;
અબલા (શરમાતી તેની પાછળ જાય છે અને તેની જોડમાં ઘુંટણીયે પડે છે) : તેજ, વહાલા, ક્ષમા કર, મેં તને દુભવ્યો હોય તો!&lt;br /&gt;
તેજસિંહ (ઊભો થઈ તેનો હાથ પકડે છે) : કોઈને કહીશ મા!&lt;br /&gt;
અબલા : શું, પ્રભુ?&lt;br /&gt;
તેજસિંહ : તેં મને રડતાં જોયો છે તે! સોગન ખા!&lt;br /&gt;
અબલા : મને કહેવામાં આવ્યું છે કે હમણાં પણ હું તારા શરીરનો અંશ છું – તારા આત્માનો પણ!...તો પછી શા માટે સોગન ખાવા?&lt;br /&gt;
તેજસિંહ : મારા શરીરની કલા હોય, તો મારી સોડમાં ભરાવ, એટલે તે મારાં આંસુ નહીં જોઈ શકે.&lt;br /&gt;
અબલા : તારે બદલે મને તે લૂછવા દે! જો, એટલા માટે તો હું અહીં આવી છું.&lt;br /&gt;
તેજસિંહ : હાશ, મને આરામ છે...આજ લગી કોઈ આભીર રોતો જણાયો નથી એટલે શરમનો માર્યો હું મરી જાત. તિષ્યરાજને બાળ્યા ત્યારે પણ અમે રોયા નહોતા...છતાં હું શરમાતો નથી...એકદમ કેમ હું સ્વસ્થ થયો તે સમજાતું હોત!...અબલે, મારે તને કાંઈ કહેવું છે, પણ હસીને મારો તિરસ્કાર કરીશ મા.&lt;br /&gt;
અબલા : કેવી રીતે તારા તરફ દાંત કાઢું, વહાલા!&lt;br /&gt;
તેજસિંહ : મને ભૂખ લાગી છે.&lt;br /&gt;
અબલા (આશ્ચર્યથી ઊછળીને) : અફસોસ, આપે તો બધું આપી દીધું છે!&lt;br /&gt;
તેજસિંહ : ના, બિલકુલ નહીં! પણ જા, જઈશ?&lt;br /&gt;
{{right|[અબલા જાય છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
મારા ખાટલાની પછવાડે – ચૂલો જણાય છે?&lt;br /&gt;
અબલા : અહીં રાખ પડી છે ત્યાં?&lt;br /&gt;
તેજસિંહ : ત્યાં પેટી છે?&lt;br /&gt;
અબલા : હા.&lt;br /&gt;
તેજસિંહ : ઢાંકણું ઉઘાડીશ?&lt;br /&gt;
અબલા : ઓ બા! ભારે છે!&lt;br /&gt;
તેજસિંહ : હવે અંદર હાથ નાંખ! ઠેઠ અંદર, ઠેઠ અંદર...ત્યાં બુઢ્ઢા કંજૂસ અણહિલ – કેમ?&lt;br /&gt;
અબલા (આશાભંગ થઈને) : રોટલાના બે ટુકડા; એટલું જ છે, નાથ?&lt;br /&gt;
તેજસિંહ : સાચે, એથી વિશેષ નથી.&lt;br /&gt;
અબલા : તાકીદે શકટપુર જઈ આવવાની અનુજ્ઞા છે?...કદાચ હજુ...&lt;br /&gt;
તેજસિંહ : ના, ના...તેમને સૌને કકડાબુકડાની જરૂર છે...તે અહીં લાવ! હમશરીખો તરીકે આપણે વહેંચી લઈશું- હું? બન્ને માટે એ પૂરતું છે. લાવીશ?&lt;br /&gt;
અબલા : હા જી.&lt;br /&gt;
{{right|[તેની જોડમાં બેસે છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : ચાલ, તે મને આપ! હાશ કેવું મજેદાર! સ્વાદિષ્ટ છે ને? પણ હું, તારે પણ ખાવું પડશે.&lt;br /&gt;
અબલા : મને ધાસ્તી છે કે આપને માટે પણ પૂરતું નથી.&lt;br /&gt;
તેજસિંહ : નહીં કબૂલતની વિરુદ્ધ...ઠીક...સ્વાદ સારો નથી?&lt;br /&gt;
અબલા : આવી મીઠાશ અર્ધી પણ કદી ચાખી નથી.&lt;br /&gt;
તેજસિંહ : જરા, નજીક આવ...તારા ખોળામાંથી કકડા ખાઈશ...પણ એકદમ મને ભૂખ કેમ લાગી? જો અત્યારે આપણે લગ્નનો કંસાર ખાઈએ છીએ. &lt;br /&gt;
અબલા : બહાર, સુરા અને અન્નથી જમનારાઓથી વધારે સારી મિજબાની ખરું ને? &lt;br /&gt;
તેજસિંહ : મેં તને નહોતું કહ્યું? પણ તારું આસન બરાબર નથી. &lt;br /&gt;
અબલા : ના, હું બરાબર બેઠી છું.&lt;br /&gt;
તેજસિંહ : ચાલ ઊભી થા! ઊભી થા તો જોઉં. &lt;br /&gt;
અબલા (ઊઠીને) : બોલો?&lt;br /&gt;
તેજસિંહ : ત્યાં ઉપર બેસ.&lt;br /&gt;
અબલા : સિંહાસન ઉપર—પ્રભુની ખાતર—હું કેવી રીતે હિમ્મત કરૂં?&lt;br /&gt;
તેજસિંહ : તું રાણી નથી!&lt;br /&gt;
અબલા (નિશ્ચયપૂર્વક) : સાચેસાચું બેસવું જોઈશે! પણ ગમ્મતમાં – નહિ! &lt;br /&gt;
તેજસિંહ : હં લાકડાના પાગલ ટુકડા!&lt;br /&gt;
[સિંહાસન ઊથલાવી પાડે છે.] &lt;br /&gt;
છેવટે કાંઈક કામમાં તો આવવું જોઈએ...વારુ, હવે એને અઢેલી ઊભી રહે.&lt;br /&gt;
અબલા : વહાલા આપ વાજબી વર્તો છો?&lt;br /&gt;
તેજસિંહ : (ચમકીને) નહીં જ!(સિંહાસન હતું તેમ ગોઠવે છે. તેનાં પગથિયાં પર અબલાને લઈ જાય છે અને ગાદી પર તેનું માથું રખાવે છે) બરાબર બેઠી — ખરું!... આવા નજીવા પદાર્થોનો અપરાધ આપણે નથી કરતા. રાજગુરુએ આ જોયું હોત — એમણે, હા! હા! હા! થોભ, હું ફરીથી ખાઈશ.&lt;br /&gt;
અબલા : લો, જમો!&lt;br /&gt;
તેજસિંહ : હજુ–તદ્દન હાલ્યાચાલ્યા વિના રહીશ! હું જાતે લઈ આવીશ.&lt;br /&gt;
(પગથિયાં પર તેની પાસે ઘૂંટણિયે પડે છે.) હવે તારી સાથે હું ઘૂંટણિયે પડ્યો એવું શું નથી જે આપણે શીખતા નથી?...તું રમણીય છે...મારી માનું મને જરાયે સ્મરણ નથી &lt;br /&gt;
અબલા : જરાયે નથી!&lt;br /&gt;
તેજસિંહ : બેન પણ નહોતી...કોઈ નહોતું...જિંદગીમાં કોઈ દિવસ રમ્યો ખેલ્યો પણ નથી...પણ હવે છેલ્લું છતાં ઓછું અગત્યનું નહીં એવું શીખી લઉં છું.&lt;br /&gt;
અબલા : કેમ છેલ્લું છેલ્લું?&lt;br /&gt;
તેજસિંહ : પૂછો મા – નહીં? અહહ, તું, તું! હા, હા, હા, ખા તો ખરી. મારામાંથી કરડ-હું? આજ્ઞા પાળ, રાજગુરુએ કહેલાં મંત્રો યાદ છે ને?&lt;br /&gt;
અબલા (કરડે છે ને – તરત જ ઊછળે છે) : પણ આપ કાંઈ પીશો ખરા ને?&lt;br /&gt;
તેજસિંહ : અલબત્ત! દૂધનો કટોરો માત્ર લાવ! દૂધનો કટોરો માત્ર લાવ! અણહિલે કહેલી વટલોઈ તું ઓળખે છે?&lt;br /&gt;
અબલા (સામી તરફ જોઈને) : આ જ કે!&lt;br /&gt;
તેજસિંહ (ઊભા થઈને) : એ જ તારેય પીવું પડશે.&lt;br /&gt;
અબલા : એ યોગ્ય ગણાય?&lt;br /&gt;
તેજસિંહ : મને માલૂમ નથી પણ હોવું જોઈએ.&lt;br /&gt;
અબલા : ઠીક ત્યારે થવા દો.&lt;br /&gt;
[પીએ છે અને હસવાથી હાલે છે.]&lt;br /&gt;
ઉંહું! ગંધ મારે છે.&lt;br /&gt;
તેજસિંહ : મને આપ. (પીએ છે.) કાંઈ નહીં. (ફરીથી પીએ છે.) જા! અન્નદેવતાનો આવો તું તિરસ્કાર કરે છે?...ઠીક, ત્યારે તું કોણ છે? અહીં કેવી રીતે આવી! કહે મારું શું કામ છે!&lt;br /&gt;
અબલા : તને હું ચાહીશ.&lt;br /&gt;
તેજસિંહ : તું મારી સહધર્મચારિણી! –તું...&lt;br /&gt;
(હાથ પ્રસારી બન્ને દોડી આશ્લિષ્ટ થાય છે. હળવેથી) મને ચુમ્બન નહીં દે?&lt;br /&gt;
તેજસિંહ : કહેને, કેમ નહીં?&lt;br /&gt;
અબલા : તારા કાનમાં કહીશ!&lt;br /&gt;
તેજસિંહ : વારુ.&lt;br /&gt;
અબલા : તારી દાઢી ઋક્ષ છે.&lt;br /&gt;
તેજસિંહ (મોં ગભરાટમાં લૂછે છે. પછી ખોટો ગુસ્સો ધારણ કરીને) : મારી દાઢી કેવી છે! હું કોણ છું તેની તને ખબર નથી? તારા રાજાને આવું કહેવાની બેઅદબી તારામાં ક્યાંથી આવી!... કહે ફરી એકવાર ફરીથી કહે જોઈએ! પછી હું જોઈશ.&lt;br /&gt;
અબલા (હસતાં) : ઋક્ષ — દાઢી — છે.&lt;br /&gt;
તેજસિંહ : (હસતાં) હવે, ઊભી રહે!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૨મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, અણલા, આણહિલ.&lt;br /&gt;
[અબલા શરમાઈને માથું ધુણાવે છે.]&lt;br /&gt;
અણહિલ : હજુર, હાક મારી?&lt;br /&gt;
[આશ્ચર્યથી જડ થઈ ઊભો રહે છે. છાનામાના જતા રહેવાની તૈયારીમાં છે.]&lt;br /&gt;
તેજસિંહ (સપાટામાં સ્વસ્થ થાય છે. સ્વપ્નમાંથી જાગતો હોય એવો દેખાય છે. શરૂઆતમાં જેવી મ્લાન મંદતા એનામાં હતી તેનો અધિકાર તેની રીતભાત અને દેખાવમાં આવે છે) : ઊભો રહે, થોભ, બહાર શું થાય છે?&lt;br /&gt;
અણહિલ : શકટપુરથી યોદ્ધાઓ પાછા આવતા જાય છે. ઘણાની સાથે તેમની વહુઓ આવે છે.&lt;br /&gt;
તેજસિંહ : સામંતો ભેગા થયા?&lt;br /&gt;
અણહિલ : જી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહ : એક ક્ષણ વધારે તેઓ ખામોશ રાખશે?&lt;br /&gt;
અણહિલ : જી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહ : મારેય વહુ છે.&lt;br /&gt;
અણહિલ : જી, છે, હજૂર.&lt;br /&gt;
[જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૩મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ. અબલા.&lt;br /&gt;
અબલા : તેજ, વહાલા શું થાય છે?&lt;br /&gt;
તેજસિંહ (તેની સમક્ષ ઊભા રહી પોતાના હાથમાં તેનું માથું ભીડે છે) : સુખદુઃખના સમગ્ર સંસારમાં થઈને હાથોહાથ મેળવી આપણે ગયાં હોઈએ એવો અનુભવ આ ક્ષણે મને થાય છે. તે અદૃશ્ય થાય છે.–બધું અદૃશ્ય થાય છે. ફરીથી હું છું – હું હતો – ના, તે હું રહ્યો નથી – પણ તું સર્વે સ્ત્રીઓથી શ્રેષ્ઠ થા, રાણી...થઈશ?&lt;br /&gt;
અબલા : દેવ, શી આજ્ઞા છે?&lt;br /&gt;
તેજસિંહ : કાલાવાલા કે રૂદન નહીં કરે ને?&lt;br /&gt;
અબલા : નહીં જ નાથ.&lt;br /&gt;
તેજસિંહ : દિવસ જલદીથી ઊગશે, અમારી આગળ મૃત્યુ ઊભું છે.&lt;br /&gt;
અબલા : નાથ, આપ શું કહો છો તે સમજતી નથી. આપણા ઉપર કોઈ હુમલો કરી શકે એમ નથી, અને વહાણ આવે ત્યાં લગી—&lt;br /&gt;
તેજસિંહ : હવે વહાણ કદી આવવાનાં નથી.&lt;br /&gt;
[અબલા કપાળ કૂટે છે ને પછી નિશ્ચલ ઊભી રહે છે.]&lt;br /&gt;
તેજસિંહ : પણ અમે મરદો કેસરિયાં કરી રણમાં ઊતરવાના છીએ.&lt;br /&gt;
અબલા : તે તમે નહીં કરી શકો—તે ખચિત — અશક્ય છે.&lt;br /&gt;
તેજસિંહ : અમારે ઊતરવું જોઈએ. તું રાણી છે, પછી જોઈ શકતી નથી કે અમારે ઊતરવું જોઈએ.&lt;br /&gt;
અબલા : હા – હું – જો...ઈ...શ...કું...છું.&lt;br /&gt;
તેજસિંહ : રાજા મોખરે લડે છે. હવે આપણે જીવતાં મળી શકીશું નહીં...તેની તને ખબર છે ને?&lt;br /&gt;
અબલા : હા ખબર છે!...&lt;br /&gt;
[શાન્તિ, બન્ને એકેકના સામું જુએ છે.]&lt;br /&gt;
તેજસિંહ : રણસંગ્રામમાં તારી શુભેચ્છાઓ સાથે લઈશ.&lt;br /&gt;
[અબલાને પગે પડે છે. અબલા તેજસિંહના માથા પર હાથ મૂકે છે, તેના તરફ નીચી વળે છે અને ધ્રૂજતી ધ્રૂજતી તેના કપાળમાં ચુમ્બન કરે છે.]&lt;br /&gt;
તેજસિંહ (કૂદી ઊભો થાય છે અને તંબુની કનાત ચીરી નાંખે છે) : રાહ જોતા હોય તે આવો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૪મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એનાં એ જ. સાધના, દેવસેન, વાચસ્પતિ, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો.&lt;br /&gt;
સાધના : રાજેન્દ્ર, આપની પાસે મારી બાળકીને મોકલી હતી...તમે મરદો જંગમાં ઊતરવાના છો એવું સાંભળ્યું છે...તે મને પાછી સોંપો.&lt;br /&gt;
તેજસિંહ : લો, તમારી બાળકી!&lt;br /&gt;
[સાધના અને અબલા જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૫મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અબલા અને સાધના સિવાય એના એ જ.&lt;br /&gt;
તેજસિંહ (તેમની પાછળ તાકી તાકીને જુએ છે; જાગૃત થાય છે ત્યાં રાજગુરુને જુએ છે.) : ગુરુદેવ, કાલે સાંજે મેં આપની અવગણના કરી હતી. માફ કરો. મારી કૃતજ્ઞતાની લાગણી સ્વીકારો. હું પણ સારી રીતે જાણું છું, આભીરોને મૃત્યુ શા માટે પ્રિય છે?...(તરવાર પકડે છે.) ચાલો તૈયાર છો ને? છેલ્લી વિદાયગીરી લેવાઈ રહી?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ! આપની આજ્ઞા અમે તોડી છે. અમારી વહુઓમાંથી કોણે આગળ પડી અથવા અમારામાંથી કોણે વાત કહી દીધી તે જાણી શકાતું નથી. સૌ તે જાણે છે એટલું નિ:સંશય છે.&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે તો સૌએ કકળાટ અને રડારોળ કરી મુક્યાં ને?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ! અમારી ભમ્મરો પર મૃત્યુના આશીર્વાદની નીરવ મુદ્રા તેમણે અંકિત કરી છે.&lt;br /&gt;
તેજસિંહ (અર્ધો પોતાની સાથે ઉદ્ગાર કાઢે છે) : તેમણે પણ! (મોટેથી) ખરે જ આપણે રાજવીઓની પ્રજા છીએ. એ આપણું કમભાગ્ય છે. ચાલો ત્યારે!&lt;br /&gt;
[પાછળ, ફલંગ ભરતો જાય છે. બીજાઓ તેને અનુસરે છે. રાજાને વધાવતી નિનાદભરી લોકવાણી પર પડદો પડે છે.]&amp;lt;ref&amp;gt;*Sundermann નામના જર્મન લેખકના Teja નામના નાટકના ઇંગ્લિશ ભાષાન્તર ઉપરથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = તોળલ અથવા તોળીરાણી&lt;br /&gt;
|next = રિપુ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9&amp;diff=111470</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/તેજસિંહ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9&amp;diff=111470"/>
		<updated>2026-05-30T03:31:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|તેજસિંહ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પાત્રો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|&lt;br /&gt;
|તેજસિંહ &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાજા		&lt;br /&gt;
|-&lt;br /&gt;
|અબલા&lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાણી		&lt;br /&gt;
|-&lt;br /&gt;
|સાધના &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાણીની મા&lt;br /&gt;
|-&lt;br /&gt;
|વાચસ્પતિ &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાજગુરુ&lt;br /&gt;
|-&lt;br /&gt;
|દેવસેન,&lt;br /&gt;
| rowspan=3|{{brace2|3|r}}&lt;br /&gt;
|rowspan=3|...સરદારો&lt;br /&gt;
|-&lt;br /&gt;
| સ્કંદ,	&lt;br /&gt;
|-&lt;br /&gt;
|આદિત્ય,&lt;br /&gt;
|-{{ts|vmi}}&lt;br /&gt;
|અણહિલ,&lt;br /&gt;
| rowspan=2|{{brace2|2|r}}&lt;br /&gt;
|  rowspan=2|...સૈનિક&lt;br /&gt;
|-&lt;br /&gt;
|હરિહર	&lt;br /&gt;
|-&lt;br /&gt;
|બે પહેરેગીર&lt;br /&gt;
|}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[દૃશ્ય રાજાના તંબુનું છે. પાછળના બારણાની કનાત ઉપર નાંખેલી હોવાથી સિપાહીઓની છાવણી સોંસરી વિશ્વકર્માની ધાર તરફ અને આથમતા સૂર્યના પ્રકાશમાં ચળકતા દૂર સમુદ્ર પર આંખ પથરાય છે. ડાબી બાજુએ જેવું તેવું ઘડેલું રાજસિંહાસન છે. વચમાં બેસવાની પાટ છે. ચામડાં સીવીને બનાવેલો ખાટલો જમણી બાજુએ છે. ઉપર જુદી જુદી જાતનાં હથિયારો લટકાવેલાં છે. જમણી અને ડાબી બાજુએ મશાલો.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧ લો.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૧ લો પહેરેગીર : અલ્યા! ઊંઘી ગયો કે?&lt;br /&gt;
૨ જો : કેમ જાણ્યું કે ઊંઘી ગયો?&lt;br /&gt;
૧ લો : પિનાકની પેઠે કમાન થયેલા ભાલા પર અઢેલી વળેલો ઊભો છે. તેથી જાણ્યું.&lt;br /&gt;
૨ જો : આમ વળેલો ઊભો છું એટલે ભૂખનું દુઃખ ઓછું લાગે છે.&lt;br /&gt;
૧ લો : એ ખોટી વાત છે. એથી તારા કમ્મરબંધ જેટલી જ ગરજ સરે છે. ટટ્ટાર થતાં ઊલટી વધારે કકડીને ભૂખ લાગે છે.&lt;br /&gt;
૨ જો : આમ ક્યાં લગી ચાલવાનું છે?&lt;br /&gt;
૧ લો : વહાણો આવે ત્યાં લગી — તદ્દન સમજાય એવું છે.&lt;br /&gt;
૨ જો : ખરું, પણ વહાણો ક્યારે આવશે?&lt;br /&gt;
૧ લો : એની ખબર મને શી રીતે પડે? ઊંચે ધાર તરફ નજર કર. ત્યાં ઊંચે જો ઇન્દ્રમંડપ પર ચોકીદાર ઊભો છે અને દસ ગામે લાંબે નજર ફેરવે છે. એને ખબર હોય તો હોય! મઠીઆ ડુંગરાની પછાડી વહાણ આવતાં હશે.&lt;br /&gt;
૨ જો : પણ દુશ્મનો આવવા દેશે ત્યારે ને.&lt;br /&gt;
૧ લો : દુશ્મનો પાસે વહાણો નથી.&lt;br /&gt;
૨ જો : વાડની માફક આપણા આખા દેશને ફરી વળે એટલાં વહાણ એની પાસે છે. બે મહિના થયાં એ ગુલામ જેવો આપણને ઘેરી વળ્યો છે તેમ ફરી વળે એટલાં છે.&lt;br /&gt;
૧ લો : બે મહિના!&lt;br /&gt;
૨ જો : તને ખબર છે આજે બપોરે મને શું ખાવા મળ્યું હતું? આઠ દિવસ પર જે રોટલો કરડતાં દાંત કકડ્યા હતા તે જ રોટલાનું તળીઉં. સાચે, નખે નખે મેં તે પર ત્રણ સાથિયા કાઢ્યા. અમે પણ ફરી ઠીક મળ્યા! પણ આજે, તે જ રોટલો ઊલટથી ભચડાવી ગયો...રાજાના લગ્નના દિવસનું જુગતું જમણ!&lt;br /&gt;
૧ લો : શું તું એમ માને છે કે હઝુરસાહેબને વધારે હતું?&lt;br /&gt;
૨ જો : એમની કને વધારે હોત તો શું આપણે બધા આમ મરણીયા થાત, આપણો કચ્ચરઘાણ વળવા દેત, રણમાં આગળ ઝુકાવત, શરમ રાખત કે? કશાની ચોકી નથી કરવાની એવું જાણતા ન હોત તો અહીં સાંકળે બાંધેલા કૂતરાની માફક પડી રહી પહેરો ભરત કે?&lt;br /&gt;
૧ લો : સોનું જોઈએ એટલું છે.&lt;br /&gt;
૨ જો : સોનું! હં, સોનું! સોનું મારી પાસે પણ પુષ્કળ છે. કેશવપુરમાં મારા ભોંયરામાં ધન દાટ્યું છે. હં!......તે એ! શિવપુર પાછળ રહેલી બાયડીઓ કને ખાવાનું રહ્યું હશે......ઢોર જીવતાં હશે તો દૂધ પણ.&lt;br /&gt;
૧ લો : હા, બૈરાંઓને ત્યાં લહેર છે –તારી વહુ નથી. ખરું ને?&lt;br /&gt;
૨ જો : એક દુશ્મને મારી વહુની લાજ લૂંટીને મેં બન્નેના જાન લીધા!(અટકે છે) ઠીક! બાયડીઓને ખાવાનું જોઈએ; દૂધ પણ. પણ કેટલો વખત–(ધીમેથી પાસે આવતાં હથિયારોનો ખડખડ અવાજ) જો લગ્ન ખરેખર પૂરું થયું છે.&lt;br /&gt;
૧ લો : ચૂપ જો, બૂઢો અણહિલ આવે છે– હજૂરની ઢાલ સાથે (બીજો પહેરો ભરવા માંડે છે.)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૨જો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[અણહિલ પ્રવેશે છે. ઢાલને એની જગ્યાએ ભેરવે છે, અને વીખરાયેલાં હથિયારો બાજુ પર ગોઠવે છે.]&lt;br /&gt;
અણહિલ : કેમ, કાંઈ ખબર આવ્યા?&lt;br /&gt;
૧ લો : ના!&lt;br /&gt;
અણહિલ : તમને ભૂખ લાગી છે?&lt;br /&gt;
૨ જો : હા.&lt;br /&gt;
અણહિલ : ભૂખ બૈરાંને લાગે. ચિત્ત ઠેકાણે રાખો! આપણી જુવાન રાણી આગળ આવાં કરમાયેલાં મોં બતાવશો મા. લગ્નદિવસે એવું શોભતું નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૩જો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[ઘોંઘાટ કરતા લોકોથી વીંટળાયેલા તેજસિંહ અને અબળાના હાથ પકડી રાજગુરુ તંબુના આંગણામાં આવે છે. તેમની આગળ ધૂપદાની વીંઝતા બે બટુકો, પાછળ સાધના, દેવસેન, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો અને સેનાનીઓ. તંબુના દરવાજાઓની કનાતો નીચી ઢાળેલી છે. પહેરેગીરો ચાલ્યા જાય છે.&lt;br /&gt;
રાજગુરુ રાજારાણીના હાથ મૂકી દે છે, સાધના તરફ ફરે છે.&lt;br /&gt;
તેજસિંહ ગમગીન અને વિચારગ્રસ્ત ઊભો રહે છે. અબલા આસપાસ લજ્જાલુ પૃચ્છક દૃષ્ટિ નાંખે છે. દુઃખદ શાંતિ.]&lt;br /&gt;
અણહિલ(આસ્તેથી) : રાજેન્દ્ર, નવયૌવના રાણીનો સત્કાર વાણીથી કરવો જોઈએ.&lt;br /&gt;
તેજસિંહ(આસ્તેથી) : કરવો જોઈશે? (ધૂપદાનીવાળા છોકરાની ગરદન પકડી) છોકરા, એટલું બધું આકરું નહીં; ધુમાડો અમારાં નસકોરામાં ઠેઠ ગરી જાય છે. ધૂપદાની ધરવાની ન હોય ત્યારે તું શું કરે છે?&lt;br /&gt;
બટુક : મારી તરવાર ધરું છું, નામદાર!&lt;br /&gt;
તેજસિંહ : બરાબર છે. જલદી તરવાર પકડ નહિતર પાછળ પડી જઈશ. (ધીમેથી) અણહિલ, વહાણ દેખાતાં નથી ને?&lt;br /&gt;
અણહિલ : ના, હજૂર પણ આપની નવોઢા રાણી સાથે બોલો તો ખરા.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક.......ત્યારે હવે હું વહુવાળો થયો. એમ ગુરુદેવ?&lt;br /&gt;
રાજગુરુ : અહીં આપની રાણી ઊભાં છે, રાજેન્દ્ર આપનો શબ્દ સાંભળવા તલસે છે.&lt;br /&gt;
તેજસિંહ : રાણીજી, જોઈતો શબ્દ જડતો નથી માટે ક્ષમા કરો. રણક્ષેત્રોના ખોળામાં ઊછર્યો છું, માણસના નિવાસનાં બીજાં સ્થળોનો પરિચય નથી. મારી સાથે આવી જિંદગી ગાળવાનું તને ભારે પડશે.&lt;br /&gt;
અબળા : રાજેશ્વર...મારી બાએ...મને શીખવ્યું છે...(અટકી પડે છે.)&lt;br /&gt;
તેજસિંહ : (હેતનો દેખાવ કરી) તારી બાએ શું શીખવ્યું છે?&lt;br /&gt;
અબળા : પત્ની સ્વામીને આધીન છે–સંકટના સમયમાં તો ખાસ કરીને; મારી બાએ આટલું શીખવ્યું છે, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : તમારે સ્ત્રીઓ માટે એ તદ્દન વાસ્તવિક અને ધર્મ્ય હશે...પણ સંકટના સમયે પતિ પણ પત્નીને આધીન હોય તો? સાસુજી! પણે શકટપુરમાં પત્નીઓ પાસે હરણીયાં દોડાદોડ કરે છે. દિવસોના દિવસો થયાં મારા સિપાહીઓને ખાવાનું મળ્યું નથી. એ હરણીયાં એમને ખાવા આપો એવી મારી સલાહ છે.&lt;br /&gt;
[સાધના સાથું નમાવે છે]&lt;br /&gt;
રાજગુરુ : મારા રાજેન્દ્ર!&lt;br /&gt;
તેજસિંહ : હે! ગુરુદેવ, હમણાં જ રણભૂમિ પરના લગ્નમંડપમાં આપ સુભાષિત વાણી બોલ્યા છો. આટલી વારમાં ફરી ઉપદેશ આપવા વૃત્તિ થઈ છે?&lt;br /&gt;
રાજગુરૂ : કહેવા વૃત્તિ થઈ છે, દુઃખ આપનો આત્મા કોરી ખાય છે એટલે.&lt;br /&gt;
તેજસિંહ : ખરે જ? આપ શું એમ ધારો છો? ચાલો ત્યારે સાંભળીશ.&lt;br /&gt;
રાજગુરુ : સાંભળ, ઈશ્વરી કોપની મૂર્તિ સરીખો તું અમારામાં ઉદય પામ્યો છે. જુવાન......પ્રજાએ તારાં વર્ષો નથી ગણ્યાં પણ તારાં પરાક્રમો, રાજીખુશીથી વૃદ્ધોએ તારી જુવાનીને નમન કર્યું છે. વિનમ્રતમ હોઈ તારે માટે સેવાનાં લાંબાં વર્ષો હોવાથી, તું જોતજોતામાં અમારો શાસ્તા થયો. ઈશાદિત્યના સુવર્ણતખ્ત પરથી – જે તખ્ત પર એક વેળા દયા ઇન્સાફ આપતી હતી, જ્યાંથી હસતે મુખડે તિષ્યરાજ ક્ષમા આપતા હતા, ત્યાંથી તારા ખૂની શબ્દો ગાજી ઊઠ્યા.....ને ઝેરી ઘા માફક આપત્તિ અમને હેરાન કરી રહી છે. વિશ્વકર્મા પહાડના ઊના વાયરામાં અહીંથી તહીં હેરાન થતાં બૈરાંછોકરાં સાથે અમે છાવણી નાંખી પડ્યાં છીએ; અને દુશ્મનો, તેમના ભાડુતી સિપાઈઓથી આપણને ઘેરી રહ્યા છે.&lt;br /&gt;
તેજસિંહ : બરાબર ઘેરી રહ્યાં છે. હા, હા! સોંસરા ઉંદર પણ આવી શકે નહીં.&lt;br /&gt;
રાજગુરુ : સમુદ્ર ભણી આપણી નજર આશાપ્રેરી દોડે છે; ત્યાંથી ભોજન આવશે.&lt;br /&gt;
તેજસિંહ : વહાણોના કાંઈ જ વાવડ નથી?&lt;br /&gt;
અણહિલ(હળવેથી) : બિલકુલ નથી.&lt;br /&gt;
રાજગુરુ : દુઃખથી નવા વિગ્રહ માટે અમે શસ્ત્રબદ્ધ થયા તે પહેલાં, સ્વતંત્ર મનુષ્યો તરીકે, અસલથી ચાલતા આવેલા રિવાજ મુજબ તારે માટે રાણી પસંદ કરવાનો અમે નિશ્ચય કીધો. પોતાના શરીર દ્વારા તું અનુભવી શકે કે ઈશ્વર શા માટે મૃત્યુ ચાહે છે, તેટલા સારુ અમે અસલી રિવાજ પાળ્યો છે.&lt;br /&gt;
તેજસિંહ : તમારો રાજા જિંદગીને ઘણી વધારે ચાહે છે એવું તમને લાગ્યું?&lt;br /&gt;
રાજગુરુ : મારા રાજેન્દ્ર!&lt;br /&gt;
તેજસિંહ : નહીં જ, એમ ધારવાની હિંમત તમારામાં નથી, કારણ કે આ જીવનની દરેક પળ તમને ખસીઆણા પાડશે... અસલના રિવાજ મુજબ જરૂર હોય છતાં, શા માટે આ બાળક વસ્તુ સાથે તમે મારાં લગ્ન કીધાં?—તે એટલી બાળક છે કે તમારી અને મારી આગળ બીકથી થરથરે છે. અને પોતાની માના છેડામાં સંતાય છે; અને ખાસ કરીને આવા યોગ્ય દિવસે, લગ્નના મંગલગીત ભૂખ ગાય છે ત્યારે...આમ ઊંચે જુઓ, રાણીજી,—અર્ધા કલાકથી મળેલા ઇલ્કાબથી તને બોલાવવી જોઈએ; મારા નાથ! હજુ તારું નામ પણ હું જાણતો નથી. વિનવું છું. મારા સામું જો! મને ઓળખે છે?&lt;br /&gt;
અબળા : આપ રાજેશ્વર છો, નામદાર!&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, પણ તારી નજરમાં હું મનુષ્ય હોવો જોઈએ, રાજા નહીં...તારી આગળ કેવી જાતનો મનુષ્ય ઊભો છે તેની તને ખબર છે?...જો! અત્યાર લગી આ હાથો લોહીમાં બોળવામાં આવ્યા છે. મરદાની જંગમાં રેડાયેલા માનવલોહીમાં નહીં – હું તેની વાત કરતો નથી. કારણ કે તેથી મનુષ્યની કીર્તિ વધે છે – પરંતુ અશસ્ત્રી રક્તહીન બાળકોનાં લોહીમાં, –(કંપે છે) – આવા હાથે તારા કંઠને આશ્લેષ કરવા આવું તો તું આનંદ પામીશ?......સાચે, મારું કહેવું તું સાંભળે છે? મારો સ્વર લલિત, મધુર નથી? જરાક કર્કશ છે. ખૂન કરવા જોસથી આરડેલા હુકમથી તે થાકેલો છે. આવી મોહક કર્કશતામાંથી કોમળ સ્વરો તું સાંભળશે ત્યારે તારો આનંદ અવનવો થશે. હું આ જન્મસિદ્ધ કાન્ત નથી એ આ શાણા પુરુષો જાણતા હતા. એટલે જ એઓએ મને મારો ધંધો શીખવ્યો......અથવા છાવણીમાં જિંદગી ગુજારવાથી થતા કંટાળાથી તમારા રાજાને છેતરવાનું તમારું કર્તવ્ય છે એમ માનો છો? સુવર્ણમય શતવપ્રમાં મહાન ન્યાયવર્ષે જેવી રીતે મોજ માણી અને રૈયતનો સંહાર કરવા પોતાના ખોજાઓને મોકલ્યા હતા તેમ? હા, હા, હા&lt;br /&gt;
રાજગુરુ : નામદાર, સંભાળજો નહીંતર પિત્તો ઉછળશે.&lt;br /&gt;
તેજસિંહ : ગુરુવર્ય, ધ્યાન ખેંચવા માટે ઋણી છું પણ એ નિરર્થક છે. આ તો મારા લગ્નની ગમ્મત છે......પણ હવે તમારી સાથે ખરા દિલથી બોલીશ......(આસન પર ઊંચે ચડે છે.) ઇશાદિત્યના સુવર્ણ આસન પર, જ્યાં દયા ઇન્સાફ આપતી હતી ત્યાં અફસોસ કે હું મારું સ્થાન મેળવી નહીં શકું. દુશ્મનોના પાટનગરમાં બળતણ માટે તેના કટકેકટકા થાય છે...તેમ તિષ્યરાજની પેઠે હસતે મુખડે હું માફ પણ કરી શકતો નથી, કારણ કે હવે કોઈને માફીની જરૂર નથી... દુશ્મનોની પ્રશસ્ત જાતિમાંથી ભૂખ્યા વાઘનું ટોળું જન્મ પામ્યું છે — એમને જેર કરવા પણ વાઘની જરૂર છે. આપે, ગુરુદેવ, મને ઈશ્વરી કોપની મૂર્તિ કહી, પણ હું તે નથી...હું તો ફક્ત તમારી નિરાશાની મૂર્તિ છું. સારા જીવનમાં જેણે કશાની અભિલાષા નથી રાખી, કશાની અપેક્ષા નથી રાખી. એવો હું તમારી સૌની આગળ ઊભો રહું છું અને એવો જ તમારી સમક્ષ કામે આવીશ. તે તમે જાણો છો, તેથી જ ગુપ્ત રીતે મને ઠપકો આપવામાં તમે સૌ ભૂલ કરો છો. મને ખોટો ન પાડો!...તમારી નમેલી ભ્રમરોની નીચેથી હું સ્પષ્ટ વાંચી શકું છું. આપણા પાસા અવળા પડે છે માટે મને હોળીનું નાળિયેર કરો મા. એટલી તમને મારી સલાહ છે.&lt;br /&gt;
આદિત્ય : દેવ, અમને ઘા ન મારો......અમારા લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું આપનું છે. આ ઘરડાઓ સાથે અમને કઢામાં ન નાંખો.&lt;br /&gt;
દેવસેન : અમે ડોસાઓ બીજાઓની પેઠે લડીએ છીએ; અને જુવાન, તેમની જ માફક ચાહીએ પણ છીએ.&lt;br /&gt;
તેજસિંહ : ચાલો, એટલેથી પતાવો. સંકટમાં મિત્રો અંદર અંદર કેવા લડી પડે છે તે તમારી રાણી જલદીથી સારી રીતે શીખશે. તમે છાવણીમાં થઈને જાઓ ત્યારે સૈનિકોને કહો – એ એક જ વાત રાજાને આજે કચવે છે – આ આનંદના દિવસે કેમ ખરું ને – જોઈએ તેવું લગ્નનું જમણ જમાડવાની તાકાત મારામાં નથી......અથવા હજુ કદાચ – અણહિલ!&lt;br /&gt;
અણહિલ : (જમણી તરફ તરત જ આવેલા પહેરેગીર સાથે ગભરામણમાં ગૂપચૂપ વાત કરતો હતો) : જી, હજુર.&lt;br /&gt;
તેજસિંહ : આપણા કોઠારમાં હજુ શું છે? ડોસા?&lt;br /&gt;
અણહિલ : (સંક્ષોભ અંકુશમાં રાખી) આપે આપનો સર્વે ખોરાક આપી દીધો છે.&lt;br /&gt;
તેજસિંહે : પૂછું છું કે શું પડ્યું રહ્યું છે?&lt;br /&gt;
અણહિલ : એક વટલોઈ ભરેલું બગડેલું દૂધ ને બે ફુગાયેલા રોટલા.&lt;br /&gt;
તેજસિંહ : હા, હા, હા! હવે જુઓ, રાણીજી! કેવો મુફલેસ ધણી તમને મળ્યો છે? લોકો કહે છે તેમ ત્યાં વહાણો આવ્યાં હોય તો દરેકની લાયકાત મુજબ સર્વેની બાદશાહી મહેમાનગીરી કરીશ – પણ તેમને એ જણાવશો નહીં, રખેને તેમનો આહ્લાદ કથળે. પણ કહેજો કે જો રણશીંગા સાંભળે તો તમારે માટે સારું સારું ભોજન પીરસાશે, એટલું બધું –(પોતા તરફ સરી આવતા અણહિલને) શું છે?&lt;br /&gt;
અણહિલ : (ધીમેથી) પહેરો ગયો. વહાણો નાશ પામ્યાં.&lt;br /&gt;
તેજસિંહ : (સહેજ પણ ચહેરો બદલ્યા વગર) નાશ પામ્યાં કેમ – કેવી રીતે?&lt;br /&gt;
અણહિલ : દ્રોહથી.&lt;br /&gt;
તેજસિંહ : હં, ઠીક! અહં, સાથે બેસી સૌએ ખાધું હોત જમણ- સર્વેને પીરસ્યું હોત, સ્ત્રીઓ માટે મેવો અને મીઠાઈ...(સિંહાસન પર ગબડતો પડે છે અને દૂર શૂન્ય દૃષ્ટિ નાંખે છે.)&lt;br /&gt;
માણસો : રાજાને શું થયું? રાજાની સામે તો જુઓ!&lt;br /&gt;
અબલા : ખરેખર ભૂખ્યા થયા છે, બા! (પાસે જાય છે, માણસો આઘા ખસે છે) મારા રાજા!&lt;br /&gt;
તેજસિંહ : સ્ત્રી, તું કોણ છે? શું કરવાની છે, સ્ત્રી!&lt;br /&gt;
અબલા : સ્વામી, મદદ કરી શકું?&lt;br /&gt;
તેજસિંહ : હં! તમે રાણી છો. માફ કરો, તમે પણ સૌ દરગુજર કરો, ભાઈઓ.&lt;br /&gt;
રાજગુરુ : આપનું બળ સમેટવું જોઈશે, રાજેન્દ્ર!&lt;br /&gt;
આદિત્ય : હા, હજૂર, અમારી સૌની ખાતર.&lt;br /&gt;
માણસો : અમારી સૌની ખાતર.&lt;br /&gt;
તેજસિંહ : વ્યાજબી છે. તમારી ચેતવણી ખરે વખતે છે. સુંદરીઓ, તમે સૌ તમારી છાવણીમાં જાઓ એટલી મારી વિનંતિ છે. અમારે મસલત કરવી છે. ગુરુદેવ, આપ અમને સહીસલામત પહોંચાડો.&lt;br /&gt;
સાધના : (આસ્તેથી) બહેન, પ્રણામ કરી લે.&lt;br /&gt;
અબલા : ( ,, ) માડી, હવે મારી સાથે એ નહીં બોલે?&lt;br /&gt;
સાધના : પ્રણામ કરી લે! (અબલા આજ્ઞા પ્રમાણે વર્તે છે.)&lt;br /&gt;
તેજસિંહ : તમારું સૌનું કલ્યાણ થાઓ!&lt;br /&gt;
[અબલા, સાધના, રાજગુરુ જાય છે. બહાર પ્રશંસાધ્વનિ એમને વધાવે છે]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૪થો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[તેજસિંહ, આદિત્ય, દેવસેન, અણહિલ, પહેરેગીર, સામંતો]&lt;br /&gt;
તેજસિંહ : સ્ત્રીઓ અને બ્રાહ્મણને મોકલી દીધાં, હવે જે થવાનું છે તેની નિસ્બત આપણે લડવૈયાઓને છે. ક્યાં છે પહેરેગીર? ભાઈ, આગળ આવ.&lt;br /&gt;
માણસો(બબડતાં) : ધાર પરનો પહેરેગીર! પહેરેગીર!&lt;br /&gt;
તેજસિંહ : ભાઈઓ, સાંભળો વહાણ નાંશ પામ્યાં છે.&lt;br /&gt;
{{gap|10em}}[ઘોંઘાટ, દુઃખની કીકીયારી.] &lt;br /&gt;
શાંત પડો; શાંત, વીરો! તારું નામ હરિહર છે?&lt;br /&gt;
પહેરેગીર : શાંત, વીરો! ગરીબ પરવર!&lt;br /&gt;
તેજસિંહ : ક્યારથી પહેરો ભરે છે?&lt;br /&gt;
પહરેગીર : કાલ સવારથી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહે : ક્યાં છે તારી જોડનાં બે સોબતી?&lt;br /&gt;
પહેરેગીર : તેઓ ધાર પર છે, આપના હુકમ પ્રમાણે, નામદાર.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, તમે શું જોયું?&lt;br /&gt;
પહેરેગીર : ખુદાવિંદ, સમુદ્ર પર મીનાક્ષીની ભૂશિરને પેલી મેર, વિશ્વકર્માનો ધુમાડો ઊતર્યો એટલે આજે સાંજના છેલ્લા પહોર લગી અમારી નજરે કાંઈ આવ્યું નહીં. એવામાં વહાણ દેખાયાં – સંખ્યા પાંચની હતી – કિનારાની તદ્દન નજીક – મૌર્યોના જમાનાનું ખંડિયેર નગર દટાયેલું છે ત્યાં......... અમારામાંનો એક ઉતાવળે આવવા તૈયાર થયો, એવામાં –&lt;br /&gt;
તેજસિંહ : ઊભો રહે? વહાણો પર સંકેત શો હતો?&lt;br /&gt;
પહેરેગીર : આગળનું શઢ આડકતરું વીંટાળેલું હતું અને —&lt;br /&gt;
તેજસિંહ : અને?&lt;br /&gt;
પહેરેગીર : તૂતક આગળ આસોપાલવનો ઝુમખો.&lt;br /&gt;
તેજસિંહ : આસોપાલવ તમે નજરે જોયો?&lt;br /&gt;
પહેરેગીર : આપ નામદારને નિહાળું છું તેવી જ રીતે.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક પછી?&lt;br /&gt;
પહેરેગીર : પછી, દુશ્મનો ખારવાનાં જે વહાણોથી ખોરાક મેળવે છે તેમને પેલાં વહાણોની આસપાસ વીંટળાઈ વળતાં જોયાં, અને તરત જ.&lt;br /&gt;
તેજસિંહ : તરત જ શું?&lt;br /&gt;
પહેરેગીર : હજૂર, ક્ષોભ વિના સૌ દુશ્મનની છાવણી તરફ ચાલ્યાં ગયાં. ત્યાં તેમણે માલ ખાલી કર્યો.&lt;br /&gt;
{{right|[માણસો કપાળ કૂટે છે. પ્રગાઢ નીરવતા.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : (એક પછી એક તરફ હસતી નજર નાંખતો) ઠીક થયું... બહાર ત્યાં તું કોઈને આ વિશે કાંઈ વાત કરીશ નહીં. હું એમને કહીશ.&lt;br /&gt;
{{right|[પહેરેગીર ચાલ્યો જાય છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૫મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[તેજસિંહ, આદિત્ય, દેવસેન, સ્કંદ, બીજાઓ, સામંતો]&lt;br /&gt;
તેજસિંહ : બિરાદરો, તમારી સલાહ!&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ, સલાહ અમને સૂઝતી નથી.&lt;br /&gt;
તેજસિંહ : દેવસેન, તું! તારા અનુભવમાંથી કાંઈ?&lt;br /&gt;
દેવસેન : સ્વામી, મહાન ઇશાદિત્યની સેવા મેં કરી છે. છતાં તે પણ કાંઈ આપી શકતી નથી.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, ત્યારે, મને સૂઝે છે......સરળતઃ અને સત્વર સમજાય છે. મરી જાઓ! આવા અવિશ્વાસની નજર કેમ મારા તરફ કરો છો? મારું કહેવું નથી સમજતા? બીકણ દુશ્મનોની પેઠે શરીરે પછેડી લપેટી પીઠમાં ઘા કરવાનું પડોશીને કહેવાનો રસ્તો બતાવું છું એમ ધારો છો? ઠંડા પડો: શરમથી હું તમને બચાવીશ. કીર્તિની પ્રાપ્તિ પ્રત્યે દોરી નહીં જઈ શકું ત્યારે તમારી લાજ નહીં જવા દઉં. જ્યાં લગી ભાલો પકડવાની તાકાત આપણા ત્રીસ જણમાં છે ત્યાં લગી આપણું આ સ્થાન લેવાની કોઈની મગદુર નથી. પણ આખરે વખત આવશે. થોડી જ વારમાં ભૂખથી દુર્બળ થયેલો હાથ આક્રમણ કરતા ખૂનીઓ પાસે રહેમત માગવા લાંબો થઈ શકે નહીં.&lt;br /&gt;
આદિત્ય : મહારાજ, કોઈ આભીર આવું કરતો નથી!&lt;br /&gt;
તેજસિંહ : તું જેવો છું તેની ખાતરી તું કરાવે, પણ તારું શું થશે તેની જામીનગીરી તું મને નહીં આપી શકે; એટલે મારી સલાહ અને આજ્ઞા છે. છેલ્લા યુદ્ધ માટે સૌ સજ્જ થાઓ. પરોઢના ઝળઝળીયામાં આપણે કોતરોમાંથી કૂદી પડશું અને ખુલ્લા મેદાનમાં દુશ્મનોની સામે આપણો વ્યૂહ માંડશું.&lt;br /&gt;
સર્વે : મહારાજ, એ અશક્ય છે.&lt;br /&gt;
આદિત્ય : સ્વામી, વિચાર કરો, આપણા એકની સામે દુશ્મન સો છે.&lt;br /&gt;
તેજસિંહ : તારો અભિપ્રાય, દેવસેન?&lt;br /&gt;
દેવસેન : પ્રભુ, આપ અમને મૃત્યુના માર્ગે લઈ જાઓ છો.&lt;br /&gt;
તેજસિંહ : હા, બરાબર મેં બીજું કહ્યું છે? શું તમે મને રણમાં એવો બિનપલોટાયેલો માનો છો કે પરિણામ મારા લક્ષ બહાર હોય? ત્યારે શા માટે ખચકાઓ છો? જ્યારે તિષ્યરાજ આપણા સેનાની હતા ત્યારે આપણે લાખ હતા, અત્યારે આપણે માત્ર પાંચ છીએ – તે સર્વેને મરતાં આવડતું હતું. આપણે – એમનામાંથી રહેલા સહેલા કંગાળ શું તે વીસરી ગયા હઈશું?&lt;br /&gt;
સર્વે : ના, મહારાજ, ના!&lt;br /&gt;
દેવસેન : પ્રભુ, તે ભયંકર પ્રસંગથી પરિચિત થવા જેટલો વખત આપો.&lt;br /&gt;
તેજસિંહ : ભયંકર? તમને શું ભયંકર લાગે છે? મૃત્યુનો પરિચય મેળવવા સમય જોઈએ છીએ? લીલથી છવાયેલા જૂના પાણાની પેઠે જેની છાતી ઘાના ચાઠાથી અંકિત ન હોય એવો તમારામાં કોઈ નથી. આજ વીસ વર્ષ થયાં તમે મૃત્યુને ઉડાવ્યું છે પણ હવે સાક્ષાત્ આવ્યું છે ત્યારે આભીરો શું ‘ભયંકર’ એવો ઉદ્ગાર કાઢશે? તમે શું કરશો? ભૂખ્યા સૂઈ રહેશો? એકબીજાને ખાઈ જશો? સારું, હું તમારી સાથે એમ વર્તીશ નહીં! હું નહીં જ! આવતી કાલે મારો ભાલો અને ઢાલ લઈ, તમારા ડૂબતા ભાગ્યનો નાયક મને બનાવ્યો ત્યારથી જે મૃત્યુની ચોરની પેઠે રાહ જોઈ ઝૂરું છું તે મૃત્યુને મારી મેળે મળવા જઈશ – તું એકલો, મારા બુઢ્ઢા ગોઠીયા, મારી સાથે આવે છે ને?&lt;br /&gt;
અણહિલ(પગે પડીને) : ખુદાવિંદ, મમતા માથે ચડાવું છું. સાથે આવવાનો સવાલ જ હોય?&lt;br /&gt;
સર્વે : અમે પણ તૈયાર છીએ, રાજેન્દ્ર, અમે બધા.&lt;br /&gt;
આદિત્ય : સુખનો માર્ગ બતાવવા માટે પ્રભુ, આપને ધન્યવાદ દેવો જોઈએ. એકદમ અમે આપની પાછળ સંગ્રામમાં ઊતરવા તૈયાર ન થયા માટે અમારા પર કોપ કરશો મા. હવે જ અમને આપના મહાન વિચારનું વિશદદર્શન થાય છે. શોક, અણબનાવ અને હતાશામાંથી અમે ઊઠીએ છીએ, મૃત્યુ તરફ ઢળી પડતા નથી......દરેક જણ બીજાનાં મુડદા ઉપર હસતાં ચાલશું એટલે તેની પેઠે જ રણશય્યામાં હસતા સૂશું...હાશ! સુવર્ણ કલશમાંથી અમૃતનું પાન થશે—ઉત્સાહપ્રદ ગમ્મતની મસ્તી માણશું. ખમ્મા, મારા નાથ. તારી ગાદીની કેટલીયે વાર ઇર્ષ્યા કરી છે, પણ હવે તે બિલકુલ રહી નથી.&lt;br /&gt;
તેજસિંહ : આદિત્ય, તારી કલ્પનામાં હશે તેથી નિરાળી જ ઘટના ઘણું કરીને થશે. છતાં આભીરોમાં આવો જુસ્સો હજુ વસેલો જોઈ રાજી થાઉં છું.&lt;br /&gt;
દેવસેન : દેવ, સેવકનો એક શબ્દ સૂણશો? મેં સોનેરી દિવસો જોયા છે... આપ વીરશ્રેષ્ઠ છો એટલું નહીં પણ સૌથી શાણા છો. ને હમણાં થાપ ખાધી તો, બચાવ કર્યા વગર, ખૂનીની સમશેરથી આપણા પ્રાણ જવાના......આપણા જ નહીં પણ રોગીઓના — અને બાળકોના — અને વહુઓના.&lt;br /&gt;
તેજસિંહ : અંહ, સાચે, વહુઓ! એમનો તો વિચાર જ નહોતો આવ્યો?&lt;br /&gt;
દેવસેન : પણ હવે આવતી કાલે આપણે જંગમાં ઊતરશું. બીજા અને ત્રીજા દિવસે — એટલો વખત આપણે ટકી શકીશું તો — એ ચમત્કારથી દુશ્મનો અને એમની પાછળ ખેંચાઈ આવતા ભીલ વગેરેના ટોળામાં આશ્ચર્ય અને ભય ફેલાશે...એમનો સદંતર નાશ આપણે નહીં કરી શકીએ, પણ તેઓ કોઈ જાય ત્યાં લગી આપણા લોહીથી તેમને હંફાવશું......અને જ્યારે એમના પક્ષમાં ભાલો કે ધનુષ્ય પકડવાની શક્તિ કોઈનામાં નહીં રહે ત્યારે એ હીજડાઓને કહેવાનો વખત આવશે ‘સુલેહથી ચાલ્યા જાઓ.’ તે વખતે તમારામાંથી કેટલા બચ્યા હશે? મને દહેશત છે કે બહુ નહીં! —&lt;br /&gt;
તેજસિંહ (હસતાં) : આપણે, ખાતરીથી નહીં!&lt;br /&gt;
સર્વે (ક્રૂર હાસ્ય કરતાં) : નહીં જ, અમે નહીં!&lt;br /&gt;
દેવસેન : પછી આપણા ભાઈઓ બૈરાંછોકરાંઓ સાથે દુશ્મનની વચમાં જશે, અને માથું ઊંચું રાખી, ખુલ્લી તલવારે દુશ્મનની છાવણી સોંસરા નૂપુરવંપ્ર. પર રોટલાનો ટુકડો વેચાતો લેવા ઊતરી પડશે. સાચું માનજે, એમનો ધાક પડશે કે ભીલોનો કૂતરો પણ એમની સામે ભસવાની હિમ્મત નહીં કરે. &lt;br /&gt;
તેજસિંહ : બૈરી અને છોકરાં! બૈરી અને છોકરાં! આપણે એમનું શું કામ છે?&lt;br /&gt;
સ્કંદ : મહારાજાસાહેબ, આપ અમારાં વહાલામાં વહાલાનો તિરસ્કાર કરો છો.&lt;br /&gt;
તેજસિંહ : હશે! સવારે જ્યારે ખોરાક વહેંચવામાં આવ્યો ત્યારે ઘણાં પેટ ભરવાનાં હતાં એટલું મને માહિત છે. નહીંતર આપણે ટકી રહેવા સમર્થ થયા હોત. તોપણ આટલી એક વાત તમને કહું છું – બહાર ઊભેલા માણસોને વીરપુરુષો તરીકે વ્રતનિષ્ઠ રહેનારાઓને આજ્ઞા કરું છું – આપણા નિશ્ચયની વાત કોઈ પણ સ્ત્રીને જણાવવી નહીં. સ્ત્રીઓનાં આંસુ અને ચીસથી કોઈ પણ માણસ પોચો પડ્યો હું સાંખીશ નહીં.&lt;br /&gt;
સ્કંદ : પ્રભુ અમારી સહધર્મચારિણીઓ પાસેથી રજા ન લેવાનો હુકમ નિર્માણ છે.&lt;br /&gt;
તેજસિંહ : મારી ઉપેક્ષા કરી તેમની રજા લેજો પણ લેતી વખતે મૂગા રહેજો. જેમને સ્ત્રીસંતતિ હોય તે શકટપુર જાય અને ખાવાપીવાનું લેતા આવે– થોડું પણ બચાવી રાખવામાં સ્ત્રીઓ મોજ માણે છે. પછી વાંઢાઓ સાથે બિસ્મિલ્લાહ કરે અને બને તેટલી લહેર માણી લે.&lt;br /&gt;
દેવસેન : નિશ્ચય જણાવવાની સખ્ત મના કરો છો તો પ્રભુ! એમણે એમની વહુઓને તે શું કહેવું?&lt;br /&gt;
તેજસિંહ : એમ કહો, મારા લગ્નનિમિત્તે મળવા આવ્યા છો! અથવા મનાય એવું લાગે તો કહેજો કે વહાણો આવ્યાં છે. ફાવે તે કહેજો. ફક્ત આટલી વાત તમારા મનમાં રાખજો.&lt;br /&gt;
આદિત્ય : આપ નવોઢા રાણીને પણ નહીં મળો?&lt;br /&gt;
તેજસિંહ : હેં? નહીં... સહેજ પણ વૃત્તિ થતી નથી. હવે લોકો સાથે વાત કરીશ. આદિત્ય, મારી વાણી તારા જેવી હોત તો કેવું સારું – સંદેશો ગૂંચવે એવો છે, મારે ઉત્તેજક શબ્દો ઉચ્ચારવા છે પણ તે સ્ફૂરતા નથી. ચાલો.&lt;br /&gt;
[સર્વે જાય છે, અણહિલ ધીમેથી પાછળ ચાલે છે.]&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
 				&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૬ઠ્ઠો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ટૂંક વખત રંગભૂમિ નિર્જન રહે છે. રાજાનો ઘાંટો સંભળાય છે. તેની વાણી જયઘોષથી વધાવાય છે. પછી થોડીક પળ વીત્યે, દુઃખનાં ગૂંગળાતાં ડૂસકાં.&lt;br /&gt;
અણહિલ રંગભૂમિ પર આવે છે અને પડદા નજીકના ઠૂંઠા પર બેસે છે. પછી બે મશાલો સળગાવી કડામાં ભેરવે છે અને રાજાનાં હથિયાર સજ્જ કરે છે. બહાર ઉત્સાહનો નિનાદ ઊઠે છે, વળી પાછો ધીમો પડી જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૭મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અણહિલ, રાજગુરુ વાચસ્પતિ (થાકથી ને આવેશથી લથડિયાં ખાતો.)&lt;br /&gt;
અણહિલ : પૂજ્ય દેવ, આસને આપ નહી બિરાજો?&lt;br /&gt;
વાચસ્પતિ : મહારાજા શું બોલે છે તે સાંભળવા તું નથી જતો?&lt;br /&gt;
અણહિલ : એને અને મારે કાંઈ નિસ્બત નથી, ગુરુદેવ! મહારાજાસાહેબ અને હું – ઘણા લાંબા કાળથી કામ કરવામાં એકમત છીએ.&lt;br /&gt;
વાચસ્પતિ : ખરે, યમના દૂત જેવાં ત્યાં આગળ તેઓ ઊભા છે.&lt;br /&gt;
અણહિલ : ફિરસ્તા હોય કે જીત હોય, મારે મન એક જ છે.&lt;br /&gt;
[ઉત્સાહનો ઘોષ નવેસરથી ઊડે છે અને તંબુઓની નજીક આવે છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૮મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એના એ જ રાજા (આંખોમાંથી આગના તણખા ઊડતા. ફિક્કો છતાં સ્વસ્થ.)&lt;br /&gt;
તેજસિંહ : હથિયાર સજ્જ છે? — અહો, આપ કયાંથી ગુરુદેવ!&lt;br /&gt;
વાચસ્પતિ : મહારાજા, મારા મહારાજા!&lt;br /&gt;
તેજસિંહ : સાચે, હવે આપને નવા યજમાન ગોતવા પડશે, ગુરુદેવ. આપનો આશીર્વાદ આપવાના હો તો કૃપા કરી સત્વર આપો......આદિત્ય હમણાં આવશે.&lt;br /&gt;
વાચસ્પતિ : દરેક મરતા જીવના થરથરાટથી તારી જાતને મુક્ત માને છે? તાત!&lt;br /&gt;
તેજસિંહ : ગુરુદેવ, આપણા સંપ્રદાયનો હું સાચો ભક્ત હતો. એક વેળા તિષ્યરાજે કર્યું તેમ હું એના મંદિર બંધાવી શક્યો નથી. પણ જે નાશ કરવાનું હતું તે એના શ્રેય અર્થે મેં નાશ કર્યું છે. આશીર્વાદ માટે દંડવત પડું?&lt;br /&gt;
વાચસ્પતિ : વત્સ, તારા કહેવાનો ભાવાર્થ મારાથી પમાતો નથી.&lt;br /&gt;
તેજસિંહ : ગુરુદેવ, નથી સમજાતો તો દિલગીર છું.&lt;br /&gt;
વાચસ્પતિ : તેં રજા લીધી?&lt;br /&gt;
તેજસિંહ : રજા, કોની? ઊલટું મને તો ‘સ્વાગત’નો ધ્વનિ કરવાનું મન થાય છે; પણ હજુ ત્યાં કાંઈ નથી! &lt;br /&gt;
વાચસ્પતિ (ભમ્મર ચડાવી) : આપની રાણીની રજા, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : અત્યારે, હું પુરુષોનો સગો છું, ગુરુદેવ. પત્ની સાથે કાંઈ લાગતું વળગતું નથી. સલામાલેકુમ.&lt;br /&gt;
[આદિત્ય અને અણહિલ પ્રવેશ કરે છે.]&lt;br /&gt;
વાચસ્પતિ : આલેકુમ સલામ — પ્રભુ, તારા આત્મામાં પોતાનો પ્રસાદ ભરો!&lt;br /&gt;
તેજસિંહ : ઋણી છું, ગુરુદેવ...અહો તું આવ્યો, આદિત્ય.&lt;br /&gt;
[વાચસ્પતિ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૯મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, આદિત્ય, અણહિલ (પછવાડાના ભાગમાં, રાજાનાં હથિયાર સજ્જ કરતો નિઃશબ્દ અંદર-બહાર આવ જા કરે છે.)&lt;br /&gt;
તેજસિંહ : યોદ્ધાઓ શું કરે છે?&lt;br /&gt;
આદિત્ય : જેમની વહુઓ છે તે શકટપુર ગયા છે...જરૂર તેઓ ત્યાં ખાશે, પીશે અને પોતાનાં બાળગોપાળ સાથે ખેલશે.&lt;br /&gt;
તેજસિંહ : તારી વહુ અહીં છે?&lt;br /&gt;
આદિત્ય : હા પ્રભુ!&lt;br /&gt;
તેજસિંહ : તારાં છોકરાં?&lt;br /&gt;
આદિત્ય : બે પુત્રો, પ્રભુ!&lt;br /&gt;
તેજસિંહ : છતાં તું ગયો નથી?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ, આપની તહેનાતમાં હાજર રહ્યો છું.&lt;br /&gt;
તેજસિંહ : વખત કેટલો થયો છે?&lt;br /&gt;
આદિત્ય : નવ વાગ્યા છે.&lt;br /&gt;
તેજસિંહ : જેઓ સ્વતંત્ર – અવિવાહિત છે અને જેમની વહુઓ અહીં નથી તેઓ શું કરે છે?&lt;br /&gt;
આદિત્ય : ધૂણી ધખાવી શાંત પડ્યા છે.&lt;br /&gt;
[અણહિલ જાય છે.]&lt;br /&gt;
તેજસિંહ : એમને માટે પણ કાંઈ ખાવાનું આવે તેવી જોગવાઈ કર. મેં ક્યારનો હુકમ કર્યો છે. શું તેઓ ઊંઘશે?&lt;br /&gt;
આદિત્ય : કોઈ ઊંઘશે નહી.&lt;br /&gt;
તેજસિંહ : મધરાતે, મને તેડવા આવજે.&lt;br /&gt;
આદિત્ય : જી, જેવો હુકમ. (જવાનું કરે છે.)&lt;br /&gt;
તેજસિંહ (ચિંતાના શેરડા પડે છે) : આદિત્ય, ઊભો રહે!...તું મારો હંમેશ પ્રતિસ્પર્ધી હતો.&lt;br /&gt;
આદિત્ય : હતો, પ્રભુ. પણ ઘણા લાંબા કાળથી પ્રતિસ્પર્ધી મટી ગયો છું.&lt;br /&gt;
તેજસિંહ (હાથ લંબાવીને) : આવ!&lt;br /&gt;
(ગાઢ આશ્લેષથી બન્ને ભેટે છે, પછી હાથે હાથ મેળવે છે.) ખુશીથી તને અહીં પકડી રાખત, પણ તારે તારી વહુને મળી આવવું જોઈએ.&lt;br /&gt;
[અણહિલ ફરી આવે છે.]&lt;br /&gt;
ધૂણીની તાપણી તાપતા સિપાહીઓ માટે ખાવાનું લાવવાનો બંદોબસ્ત વીસરતો નહિ. તેમનું ચિત્ત વ્યગ્ર રહેવું ન જોઈએ. આવે વખતે વિચાર કરવાથી લાભ નથી.&lt;br /&gt;
આદિત્ય : જી. હજુર.&lt;br /&gt;
[આદિત્ય જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૦મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, અણહિલ&lt;br /&gt;
તેજસિંહ : ચાલ, મારા ડોસા, પૃથ્વી પર હવે આપણે માટે કાંઈ કરવાનું રહેવું ન જોઈએ. વાતો કરશું?&lt;br /&gt;
અણહિલ : ગરીબપરવર, મારા પર મહેરબાની કરશો.&lt;br /&gt;
તેજસિંહ : હજુ મહેરબાની, આવે વખતે? જૂના દોસ્ત, મને લાગે છે કે તારે મને અડાવવો છે.&lt;br /&gt;
અણહિલ : પ્રભુ, હું બુઢ્ઢો થયો. આપની જિંદગીનું રક્ષણ કરવા જોઈતા વખતથી વહેલાં મારો હાથ ભાલો પકડી થાકી જશે. મારી તકસીરથી આપનો નાશ થવો ન જોઈએ, નાથ...કોઈ ઊંઘતું નથી છતાં બાકી રહેલા બે કલાક મને મારા ખાટલામાં સૂવા રજા આપો. મારે માટે બીજો વિચાર લાવશો મા!&lt;br /&gt;
તેજસિંહ (ઊંડી ચિંતાનો નવો ખટકો ખમતાં) : જા, પણ બહુ દૂર નહીં.&lt;br /&gt;
અણહિલ : આપના તંબુ આગળ નિરંતર કૂતરાની માફક સૂઈ રહ્યા છું, પ્રભુ આ છેલ્લી રાતે એમાં બિલકુલ ફેર પડવાનો નથી...હુકમ છે હજૂર!&lt;br /&gt;
તેજસિંહ : સુખી થા!&lt;br /&gt;
[અણહિલ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૧ મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, પછીથી અબલા.&lt;br /&gt;
(તેજસિંહ એકલો પડવાથી, ખાટલા પર પડે છે. થાકેલું, કડવું સ્મિત ફરકાવતો તાકીને પોતાની બરાબર સામે જુએ છે. અબલા લજ્જાભરી આવે છે, એક હાથમાં મીઠાઈ ને મેવો ભરેલો કંડિયો છે; બીજા હાથમાં દારૂથી ભરેલો સોનાનો પ્યાલો છે. પાટ તરફ થોડાંક પગલાં ભરે છે.)&lt;br /&gt;
તેજસિંહ (અર્ધો ઊઠીને) : કોણ છે?&lt;br /&gt;
અબલા(બીતી, હળવે રહીને) : રાજેન્દ્ર, મને ઓળખતા નથી?&lt;br /&gt;
તેજસિંહ (ખાટલા પરથી ઊઠીને) : દીવા ઝાંખા બળે છે.. તારો અવાજ અગાઉ સાંભળેલો છે...મારું શું કામ છે?&lt;br /&gt;
અબલા : હું આપની રાણી છું, રાજેન્દ્ર.&lt;br /&gt;
તેજસિંહ (થોડો વખત ચૂપ રહી) : તારે મારું શું કામ છે?&lt;br /&gt;
અબલા : મારી બાએ મને મોકલી છે, આપને સારુ હું મિષ્ટાન્ન અને સુરા લાવી છું. બીજાઓ ખાય-પીએ છે એટલે મારી બાએ કહ્યું કે...(અટકી પડે છે.)&lt;br /&gt;
તેજસિંહ : તું અંદર કેવી રીતે આવી?...સંત્રીએ તને આવતાં રોકી નહીં?&lt;br /&gt;
અબલા (ટટાર થઈ) : પ્રભુ, હું રાણી છું.&lt;br /&gt;
તેજસિંહ : હં, બરાબર. પણ, અણહિલે શું કહ્યું?&lt;br /&gt;
અબલા : આપણો વૃદ્ધ ભાલેદાર પડ્યો પડ્યો ઊંઘે છે. હું એને ઓળંગી આવી, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : અબલા. તારું કલ્યાણ થાઓ...મને ભૂખ નથી લાગી. તારું કલ્યાણ થાઓ.&lt;br /&gt;
[નિઃશબ્દતા, અબલા ઊભી ઊભી અશ્રુપૂર્ણ દૃષ્ટિ એના પર નાંખે છે.]&lt;br /&gt;
તેજસિંહ : હજુ પણ તારે કાંઈ અરજ કરવાની છે એવું મને લાગે છે. વગર સંકોચે બોલ.&lt;br /&gt;
અબલા : મારા નાથ, ભરેલો કંડિયો લઈ ઘેર પાછી જઈશ તો બીજી સ્ત્રીઓ મને ફિટકાર દેશે...અને પુરુષો કહેશે કે–&lt;br /&gt;
તેજસિંહે (સ્મિત કરતાં) : પુરુષો શું કહેશે?&lt;br /&gt;
અબલા : હું આપના જરાયે લેખામાં નથી. મારા હાથથી જમવાની પણ વૃત્તિ આપને નથી થતી.&lt;br /&gt;
તેજસિંહ : પુરુષોને બીજી વાતોનો વિચાર કરવાનો છે. અબલા, તેની ખાતરી મારા પંડના સોગન ખાઈ તને આપું છું – છતાં, તોપણ મારે લીધે તને બટ્ટો નહીં લાગવા દઉં. ત્યાં કંડિયો મૂક...હજુ પણ તમારી પાસે આવી વસ્તુઓ છે?&lt;br /&gt;
અબલા : પ્રભુ, આ બે સપ્તાહ થયાં મારી બાએ, મેં અને બીજી સ્ત્રીઓએ અમારા ભાગમાંથી સારામાં સારું ઊંચું મૂકી છાંડ્યું છે.—આજ દિન લગી માંસ માટે પશુપક્ષી માર્યાં નથી.&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે તો તમને સ્ત્રીઓને કકડીને ભૂખ લાગી હશે, નહી વારુ?&lt;br /&gt;
અબલા : એથી અમે હેરાન નથી થયાં...એ મિજાની માટે હતું.&lt;br /&gt;
તેજસિંહ : સાચે! આજે અમે મિજબાની આપશું એવું તમારું માનવું હતું.&lt;br /&gt;
અબલા : ઠીક ત્યારે શું મિજબાની નથી, પ્રભુ?&lt;br /&gt;
તેજસિંહ : (છાનોમાનો અધર કરડે છે; ચોરીછૂપીથી અબલાને તપાસે છે) – અબલા તું બેસશે નહીં?... અત્યારમાં તને પાછી ઘેર જવા નહીં દઉં! તેથી પણ તને કલંક લાગે, નહીં?&lt;br /&gt;
{{right|[અબલા મૌન રહે છે અને નીચું જુએ છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : હું હુકમ કરું તો અહીં થોભવા તારી મરજી છે?&lt;br /&gt;
અબલા : નાથ, પતિ સમીપ રહેવા પત્નીને શા માટે ઇચ્છા ન થાય?&lt;br /&gt;
તેજસિંહ : હું — તારો — પતિ છું, એવી લાગણી ત્યારે શું તારા હૃદયમાં છે?&lt;br /&gt;
અબલા : અલબત્ત, એથી બીજું શું હોય? ગુરુદેવે આપણને સંલગ્ન કર્યાં છે.&lt;br /&gt;
તેજસિંહ : એમણે સંલગ્ન કર્યાં ત્યારે તને આનંદ થયો હતો?&lt;br /&gt;
અબલા : હા...ના, ત્યારે આનંદ નહોતો થયો.&lt;br /&gt;
તેજસિંહ : શા માટે નહોતો થયો?&lt;br /&gt;
અબલા : કદાચ,...રખેને...વખતે, વખતે...પ્રભુ, હું બીની હતી, પ્રાર્થના કરતી હતી.&lt;br /&gt;
તેજસિંહ : શા માટે પ્રાર્થના કરતી હતી?&lt;br /&gt;
અબલા : આપને જેની જરૂર છે એવું અને મારાથી આપ અપેક્ષા રાખો એવું સુખ આપને આપવાની શક્તિ, મારા જેવી પરમેશ્વરની નમ્ર કિંકરીને પરમેશ્વર આપે માટે.&lt;br /&gt;
તેજસિંહ : તારી પાસેથી જેની હું...એ વિશે પ્રાર્થના કરતી હતી?&lt;br /&gt;
અબલા : નાથ, આપને માટે પીરસું? સુરા લાવું?&lt;br /&gt;
તેજસિંહ : ના, ના!...આમ જો, અબલા! બહાર, આપણી તાપણી પાસે યોદ્ધાઓ છે—તેઓ ભૂખ્યા છે—મને ભૂખ નથી લાગી.&lt;br /&gt;
અબલા : નાથ, આપને ગમે તે તેમને આપો...તેમને બધું આપી દ્યો!&lt;br /&gt;
તેજસિંહ : તારું કલ્યાણ થાઓ, અબલા. (પડદો ઉપાડે છે.) અરે, પહેરેગીર, અંદર આવ, પણ જાળવીને, ડોસો ઊઠે નહીં...&lt;br /&gt;
[પહેરેગીર આવે છે.]&lt;br /&gt;
લે, મીઠાઈ અને સુરાનો આ કંડિયો; પ્રામાણિકતાથી વહેંચી લેજો;... કહેજે કે તમારી રાણીએ મોકલ્યું છે.&lt;br /&gt;
પહેરેગીર : ખુદાવિંદ, રાણીસાહેબનો આભાર માનું?&lt;br /&gt;
[તેજસિંહ ડોકું નમાવે છે. પહેરેગીર ઉલ્લાસથી રાણીને પગે પડી જાય છે.]&lt;br /&gt;
તેજસિંહ : જા—મારે માટે ખાવાનું લાવ!&lt;br /&gt;
અપ્સરા(મુંઝાઈને) : નાથ — કેમ — મને — બનાવો છો?&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે મારું કહેવું સમજતી નથી? જો મારી વહુ થવું હોય તો, તારે મને મારી મિલકત ધરવી જોઈએ, તારી નહીં!&lt;br /&gt;
અબલા : મારી તે આપની જ મિલકત નથી, નાથ?&lt;br /&gt;
તેજસિંહ : હં! (મૌન. તેના હાથ પકડે છે.) મને નાથ નહીં કહે, રાજા પણ નહીં કહે...મારું નામ તું જાણતી નથી?&lt;br /&gt;
અબલા : આપનું નામ તેજસિંહ છે.&lt;br /&gt;
તેજસિંહે : ફરીથી કહે જોઈએ!&lt;br /&gt;
અબલા (હળવેથી, આડી ફરીને) : તેજસિંહ!&lt;br /&gt;
તેજસિંહ : નામ વિચિત્ર તને લાગે છે?&lt;br /&gt;
{{right|[અબલા ડોકું ધુણાવે છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે આનાકાની કેમ કરે છે?&lt;br /&gt;
અબલા : વિચિત્ર લાગે છે માટે નહીં, નાથ જ્યારથી મેં જાણ્યું કે આપની પત્ની તરીકે આપની સેવા કરવાની છે ત્યારથી રાતે અને દિવસે વારંવાર આપનું નામ મેં લીધા કર્યું છે. ફક્ત મોટેથી નથી ઉચ્ચાર્યું.&lt;br /&gt;
તેજસિંહ : તારી જાણમાં એ આવ્યું તે પહેલાં મારે માટે તારો શો વિચાર હતો?&lt;br /&gt;
અબલા : નાથ, એમ શા માટે પૂછો છો?&lt;br /&gt;
તેજસિંહ : શા માટે જવાબ નથી આપતી?&lt;br /&gt;
અબલા : નાથ, આપની ક્રૂર આજ્ઞાઓ વિશે સાંભળતી અને બીજાઓ આપનાથી ડરતા – ત્યારે વારંવાર વિચાર આવતો : આભીરોનું પ્રારબ્ધ જેને આવાં કામો કરવાની ફરજ પાડે છે તે કેટલો દુઃખી હોવો જોઈએ!&lt;br /&gt;
તેજસિંહ : એવો તને વિચાર આવ્યો? એવો તને –?&lt;br /&gt;
અબલા : એવો વિચાર મને આવ્યો તે શું અનુચિત હતું?&lt;br /&gt;
તેજસિંહ : તેં કદી મારો ચહેરો જોયો નહોતો છતાં તું મને સમજી શકી? મારી આસપાસ રહેનારા ડાહ્યા માણસો અને કસાયેલા યોદ્ધાઓ મને સમજી શક્યા નહીં!...તું કોણ છે, સુંદરી મારું હૃદય વાંચતાં તને કોણે શીખવ્યું? – તને, સર્વમાંથી એકલી તને?&lt;br /&gt;
અબલા : નાથ, હું -&lt;br /&gt;
તેજસિંહ : બધા મારાથી થરથરતા અને ખાણમાં મારાથી સંતાઈ રખડતા પણ રસ્તો જોયો નહીં – સુભાગ્યે જે રસ્તે તેમનું રક્ષણ થયું હોત તે ખરો રસ્તો તેમણે જોયો નહીં. જલ્લાદની છરી તેમની ગરદન પર ઊતરતી ત્યારે પણ બાંધછોડની કંઈક વાત કરતા. એટલામાં લુચ્ચા દુશ્મનો આવ્યા, તેમની સાથે લડ્યા અને એક પછી એક અમારો સંહાર થયો. આમ લાખ નાશ પામ્યાં. મેં શોક અને ક્રોધનાં વસ્ત્રો વીંટાળ્યાં – લોહિયાળ ચીંથરાની પેઠે આશાને મેં ફેંકી દીધી, ભંગાણમાં તિરસ્કાર અને હાસ્યભર્યો હું કૂદી પડ્યો. મારાં પ્રત્યેના ત્રાસથી મારું હૃદય હલમલી રહ્યું હતું ત્યારે મારી આસપાસ મેં ત્રાસ વાવી દીધો. સર્વના લોહીથી એક વખત પણ હું મત્ત નથી થયો. મેં દુશ્મનને માર્યા, છતાં બધો વખત જાણતો હતો કે બધું ફોગટ છે!&lt;br /&gt;
[વેદનાથી પીડિત થઈ શય્યા પર પડે છે; પોતાની સમક્ષ સીધું તાકીને જુએ છે.]&lt;br /&gt;
અબલા (લજવાતી તેના પર વહાલનો હાથ ફેરવવાનો પ્રયત્ન કરે છે) : મારા વહાલા, બિચારા મહારાજા! વહાલા તેજ!&lt;br /&gt;
તેજસિંહ (ડોકું ઊંચું કરી ગભરાયેલો આજુબાજુ જુએ છે) : મારા પ્રભુ, અહીં હું શું કરું છું?...તને શાને આ બધું કહું છું? આવો ભડભડીઓ છું માટે મને ધિક્કારતી નહીં...તેમ એમ પણ ન માનતી કે અનુતાપથી આ હકીકત કબૂલ કરવાની મને ફરજ પડી છે...કદાચ વધ્યો ને માટે મારા હૃદયમાં ઘૃણા થઈ છે, પણ મારું અંતઃકરણ એ સર્વેથી ઊંચે વિરાજે છે!... મારી મુફલિસ આભીર ગાદીથી ઘણું જ ઊંચું!...એમ મારા પર નજર કર... તારી આંખમાં એવું કાંઈક છે જેથી મારા અંતરના વિચારો તારી સમક્ષ પ્રગટ કરવાની મને ફરજ પડે છે...મારા પર આવું સામર્થ્ય મેળવવાની શક્તિથી તને કોણે સંપન્ન કરી છે?...જતી રહે!...નહીં, ઊભી રહે...ઊભી રહે! હજુ, મારે તને કાંઈ કહેવું છે, તદ્દન રહસ્યમાં તારા જતાં પહેલાં...પણ મારે આમ રડવું ન જોઈએ, નહીં તો પહેરેગીર સાંભળી જશે...તારો કાન મારી તરફ નીચો ધર. હજુ લગી કદી પણ કોઈ માણસ પાસે કબૂલ કર્યું નથી, તેમ કોઈ દિવસ કબૂલ કરીશ એવો સંભવ પણ માન્યો નથી. મારા અંતરમાં ઈર્ષ્યા છે, તે મારું કાળજું કોરી ખાય છે, જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે – તને ખબર છે કોની?...તિષ્યરાજની...અલબત્ત, મસાણમાં બાળેલા તિષ્યરાજના... લોકો તેને ‘પ્રભાવી’ તિષ્યરાજ કહેતા અને આજે પણ તેઓ તેને ચાહે છે... અદ્યાપિ જ્યારે તેનું નામ સાંભળે છે ત્યારે લોકોની આંખો ચમકે છે.&lt;br /&gt;
અબલા : અહો, પ્રભુ! આપ કેવા ઊકળ્યા છો?&lt;br /&gt;
તેજસિંહ : તેં કદી તેને જોયો હતો?&lt;br /&gt;
અબલા : કોઈ દિવસ નહી.&lt;br /&gt;
તેજસિંહ : પાડ પ્રભુનો! જે યુદ્ધમાં તે કામ આવ્યો તેની સવારે જેવો તેને મેં જોયો હતો તેવો તેં જોયો હોત...સોનેરી બખ્તરમાં સજ્જ થયેલો... તેની નીચે સફેદ ઘોડો રવાલતો હતો, સૂર્યકિરણની પેઠે તેનાં ઝૂલફાં તેની આસપાસ ફરફરતાં હતાં. દુશ્મનની સામે જોઈ તે અટ્ટહાસ્ય કરતો. બાળકની પેઠે તે હસતો હતો! આહ, તેની માફક હસતાં મરવાનું!&lt;br /&gt;
અબલા : નાથ, તેનું ભાગ્ય સરળ હતું! તે અહીંથી ગયા પણ વારસામાં આપને અર્ધું નષ્ટ થયેલું રાજ્ય સોંપી ગયા... પછી આપને કેવી રીતે હસવું આવત?&lt;br /&gt;
તેજસિંહ (આતુરતાથી) : શું એમ નથી? – શું એમ નથી? – કેવી રીતે...હાશ, એથી ઠીક લાગે છે! (આડા ફરે છે) હાશ! તારાથી મને ઠીક લાગે છે!&lt;br /&gt;
અબલા : દેવ, મારું હૈયું કેટલું ફુલાવો છો!&lt;br /&gt;
તેજસિંહ : પણ જો તેં તેને જોયો હોત અને મારી સાથે મુકાબલો કર્યો હોત તો, તું મારા પર થૂંકત!&lt;br /&gt;
અબલા (સ્નેહના આવેશથી) : પ્રભુ, વહાલા, વહાલા નાથ! આપને જ ફક્ત હું જોવત!&lt;br /&gt;
[તેજસિંહ લજ્જા અને અવિશ્વાસભરી દૃષ્ટિ તેના પર આડકતરી નાંખે છે. પછી ધીમેથી ડાબી બાજુએ ચાલી જાય છે, સિંહાસન આગળની બેઠક પર બેસી જાય છે અને સિંહાસનમાં મોં દાબીને દારૂણ રૂદન કરે છે.]&lt;br /&gt;
અબલા (શરમાતી તેની પાછળ જાય છે અને તેની જોડમાં ઘુંટણીયે પડે છે) : તેજ, વહાલા, ક્ષમા કર, મેં તને દુભવ્યો હોય તો!&lt;br /&gt;
તેજસિંહ (ઊભો થઈ તેનો હાથ પકડે છે) : કોઈને કહીશ મા!&lt;br /&gt;
અબલા : શું, પ્રભુ?&lt;br /&gt;
તેજસિંહ : તેં મને રડતાં જોયો છે તે! સોગન ખા!&lt;br /&gt;
અબલા : મને કહેવામાં આવ્યું છે કે હમણાં પણ હું તારા શરીરનો અંશ છું – તારા આત્માનો પણ!...તો પછી શા માટે સોગન ખાવા?&lt;br /&gt;
તેજસિંહ : મારા શરીરની કલા હોય, તો મારી સોડમાં ભરાવ, એટલે તે મારાં આંસુ નહીં જોઈ શકે.&lt;br /&gt;
અબલા : તારે બદલે મને તે લૂછવા દે! જો, એટલા માટે તો હું અહીં આવી છું.&lt;br /&gt;
તેજસિંહ : હાશ, મને આરામ છે...આજ લગી કોઈ આભીર રોતો જણાયો નથી એટલે શરમનો માર્યો હું મરી જાત. તિષ્યરાજને બાળ્યા ત્યારે પણ અમે રોયા નહોતા...છતાં હું શરમાતો નથી...એકદમ કેમ હું સ્વસ્થ થયો તે સમજાતું હોત!...અબલે, મારે તને કાંઈ કહેવું છે, પણ હસીને મારો તિરસ્કાર કરીશ મા.&lt;br /&gt;
અબલા : કેવી રીતે તારા તરફ દાંત કાઢું, વહાલા!&lt;br /&gt;
તેજસિંહ : મને ભૂખ લાગી છે.&lt;br /&gt;
અબલા (આશ્ચર્યથી ઊછળીને) : અફસોસ, આપે તો બધું આપી દીધું છે!&lt;br /&gt;
તેજસિંહ : ના, બિલકુલ નહીં! પણ જા, જઈશ?&lt;br /&gt;
{{right|[અબલા જાય છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
મારા ખાટલાની પછવાડે – ચૂલો જણાય છે?&lt;br /&gt;
અબલા : અહીં રાખ પડી છે ત્યાં?&lt;br /&gt;
તેજસિંહ : ત્યાં પેટી છે?&lt;br /&gt;
અબલા : હા.&lt;br /&gt;
તેજસિંહ : ઢાંકણું ઉઘાડીશ?&lt;br /&gt;
અબલા : ઓ બા! ભારે છે!&lt;br /&gt;
તેજસિંહ : હવે અંદર હાથ નાંખ! ઠેઠ અંદર, ઠેઠ અંદર...ત્યાં બુઢ્ઢા કંજૂસ અણહિલ – કેમ?&lt;br /&gt;
અબલા (આશાભંગ થઈને) : રોટલાના બે ટુકડા; એટલું જ છે, નાથ?&lt;br /&gt;
તેજસિંહ : સાચે, એથી વિશેષ નથી.&lt;br /&gt;
અબલા : તાકીદે શકટપુર જઈ આવવાની અનુજ્ઞા છે?...કદાચ હજુ...&lt;br /&gt;
તેજસિંહ : ના, ના...તેમને સૌને કકડાબુકડાની જરૂર છે...તે અહીં લાવ! હમશરીખો તરીકે આપણે વહેંચી લઈશું- હું? બન્ને માટે એ પૂરતું છે. લાવીશ?&lt;br /&gt;
અબલા : હા જી.&lt;br /&gt;
{{right|[તેની જોડમાં બેસે છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : ચાલ, તે મને આપ! હાશ કેવું મજેદાર! સ્વાદિષ્ટ છે ને? પણ હું, તારે પણ ખાવું પડશે.&lt;br /&gt;
અબલા : મને ધાસ્તી છે કે આપને માટે પણ પૂરતું નથી.&lt;br /&gt;
તેજસિંહ : નહીં કબૂલતની વિરુદ્ધ...ઠીક...સ્વાદ સારો નથી?&lt;br /&gt;
અબલા : આવી મીઠાશ અર્ધી પણ કદી ચાખી નથી.&lt;br /&gt;
તેજસિંહ : જરા, નજીક આવ...તારા ખોળામાંથી કકડા ખાઈશ...પણ એકદમ મને ભૂખ કેમ લાગી? જો અત્યારે આપણે લગ્નનો કંસાર ખાઈએ છીએ. &lt;br /&gt;
અબલા : બહાર, સુરા અને અન્નથી જમનારાઓથી વધારે સારી મિજબાની ખરું ને? &lt;br /&gt;
તેજસિંહ : મેં તને નહોતું કહ્યું? પણ તારું આસન બરાબર નથી. &lt;br /&gt;
અબલા : ના, હું બરાબર બેઠી છું.&lt;br /&gt;
તેજસિંહ : ચાલ ઊભી થા! ઊભી થા તો જોઉં. &lt;br /&gt;
અબલા (ઊઠીને) : બોલો?&lt;br /&gt;
તેજસિંહ : ત્યાં ઉપર બેસ.&lt;br /&gt;
અબલા : સિંહાસન ઉપર—પ્રભુની ખાતર—હું કેવી રીતે હિમ્મત કરૂં?&lt;br /&gt;
તેજસિંહ : તું રાણી નથી!&lt;br /&gt;
અબલા (નિશ્ચયપૂર્વક) : સાચેસાચું બેસવું જોઈશે! પણ ગમ્મતમાં – નહિ! &lt;br /&gt;
તેજસિંહ : હં લાકડાના પાગલ ટુકડા!&lt;br /&gt;
[સિંહાસન ઊથલાવી પાડે છે.] &lt;br /&gt;
છેવટે કાંઈક કામમાં તો આવવું જોઈએ...વારુ, હવે એને અઢેલી ઊભી રહે.&lt;br /&gt;
અબલા : વહાલા આપ વાજબી વર્તો છો?&lt;br /&gt;
તેજસિંહ : (ચમકીને) નહીં જ!(સિંહાસન હતું તેમ ગોઠવે છે. તેનાં પગથિયાં પર અબલાને લઈ જાય છે અને ગાદી પર તેનું માથું રખાવે છે) બરાબર બેઠી — ખરું!... આવા નજીવા પદાર્થોનો અપરાધ આપણે નથી કરતા. રાજગુરુએ આ જોયું હોત — એમણે, હા! હા! હા! થોભ, હું ફરીથી ખાઈશ.&lt;br /&gt;
અબલા : લો, જમો!&lt;br /&gt;
તેજસિંહ : હજુ–તદ્દન હાલ્યાચાલ્યા વિના રહીશ! હું જાતે લઈ આવીશ.&lt;br /&gt;
(પગથિયાં પર તેની પાસે ઘૂંટણિયે પડે છે.) હવે તારી સાથે હું ઘૂંટણિયે પડ્યો એવું શું નથી જે આપણે શીખતા નથી?...તું રમણીય છે...મારી માનું મને જરાયે સ્મરણ નથી &lt;br /&gt;
અબલા : જરાયે નથી!&lt;br /&gt;
તેજસિંહ : બેન પણ નહોતી...કોઈ નહોતું...જિંદગીમાં કોઈ દિવસ રમ્યો ખેલ્યો પણ નથી...પણ હવે છેલ્લું છતાં ઓછું અગત્યનું નહીં એવું શીખી લઉં છું.&lt;br /&gt;
અબલા : કેમ છેલ્લું છેલ્લું?&lt;br /&gt;
તેજસિંહ : પૂછો મા – નહીં? અહહ, તું, તું! હા, હા, હા, ખા તો ખરી. મારામાંથી કરડ-હું? આજ્ઞા પાળ, રાજગુરુએ કહેલાં મંત્રો યાદ છે ને?&lt;br /&gt;
અબલા (કરડે છે ને – તરત જ ઊછળે છે) : પણ આપ કાંઈ પીશો ખરા ને?&lt;br /&gt;
તેજસિંહ : અલબત્ત! દૂધનો કટોરો માત્ર લાવ! દૂધનો કટોરો માત્ર લાવ! અણહિલે કહેલી વટલોઈ તું ઓળખે છે?&lt;br /&gt;
અબલા (સામી તરફ જોઈને) : આ જ કે!&lt;br /&gt;
તેજસિંહ (ઊભા થઈને) : એ જ તારેય પીવું પડશે.&lt;br /&gt;
અબલા : એ યોગ્ય ગણાય?&lt;br /&gt;
તેજસિંહ : મને માલૂમ નથી પણ હોવું જોઈએ.&lt;br /&gt;
અબલા : ઠીક ત્યારે થવા દો.&lt;br /&gt;
[પીએ છે અને હસવાથી હાલે છે.]&lt;br /&gt;
ઉંહું! ગંધ મારે છે.&lt;br /&gt;
તેજસિંહ : મને આપ. (પીએ છે.) કાંઈ નહીં. (ફરીથી પીએ છે.) જા! અન્નદેવતાનો આવો તું તિરસ્કાર કરે છે?...ઠીક, ત્યારે તું કોણ છે? અહીં કેવી રીતે આવી! કહે મારું શું કામ છે!&lt;br /&gt;
અબલા : તને હું ચાહીશ.&lt;br /&gt;
તેજસિંહ : તું મારી સહધર્મચારિણી! –તું...&lt;br /&gt;
(હાથ પ્રસારી બન્ને દોડી આશ્લિષ્ટ થાય છે. હળવેથી) મને ચુમ્બન નહીં દે?&lt;br /&gt;
તેજસિંહ : કહેને, કેમ નહીં?&lt;br /&gt;
અબલા : તારા કાનમાં કહીશ!&lt;br /&gt;
તેજસિંહ : વારુ.&lt;br /&gt;
અબલા : તારી દાઢી ઋક્ષ છે.&lt;br /&gt;
તેજસિંહ (મોં ગભરાટમાં લૂછે છે. પછી ખોટો ગુસ્સો ધારણ કરીને) : મારી દાઢી કેવી છે! હું કોણ છું તેની તને ખબર નથી? તારા રાજાને આવું કહેવાની બેઅદબી તારામાં ક્યાંથી આવી!... કહે ફરી એકવાર ફરીથી કહે જોઈએ! પછી હું જોઈશ.&lt;br /&gt;
અબલા (હસતાં) : ઋક્ષ — દાઢી — છે.&lt;br /&gt;
તેજસિંહ : (હસતાં) હવે, ઊભી રહે!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૨મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, અણલા, આણહિલ.&lt;br /&gt;
[અબલા શરમાઈને માથું ધુણાવે છે.]&lt;br /&gt;
અણહિલ : હજુર, હાક મારી?&lt;br /&gt;
[આશ્ચર્યથી જડ થઈ ઊભો રહે છે. છાનામાના જતા રહેવાની તૈયારીમાં છે.]&lt;br /&gt;
તેજસિંહ (સપાટામાં સ્વસ્થ થાય છે. સ્વપ્નમાંથી જાગતો હોય એવો દેખાય છે. શરૂઆતમાં જેવી મ્લાન મંદતા એનામાં હતી તેનો અધિકાર તેની રીતભાત અને દેખાવમાં આવે છે) : ઊભો રહે, થોભ, બહાર શું થાય છે?&lt;br /&gt;
અણહિલ : શકટપુરથી યોદ્ધાઓ પાછા આવતા જાય છે. ઘણાની સાથે તેમની વહુઓ આવે છે.&lt;br /&gt;
તેજસિંહ : સામંતો ભેગા થયા?&lt;br /&gt;
અણહિલ : જી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહ : એક ક્ષણ વધારે તેઓ ખામોશ રાખશે?&lt;br /&gt;
અણહિલ : જી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહ : મારેય વહુ છે.&lt;br /&gt;
અણહિલ : જી, છે, હજૂર.&lt;br /&gt;
[જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૩મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ. અબલા.&lt;br /&gt;
અબલા : તેજ, વહાલા શું થાય છે?&lt;br /&gt;
તેજસિંહ (તેની સમક્ષ ઊભા રહી પોતાના હાથમાં તેનું માથું ભીડે છે) : સુખદુઃખના સમગ્ર સંસારમાં થઈને હાથોહાથ મેળવી આપણે ગયાં હોઈએ એવો અનુભવ આ ક્ષણે મને થાય છે. તે અદૃશ્ય થાય છે.–બધું અદૃશ્ય થાય છે. ફરીથી હું છું – હું હતો – ના, તે હું રહ્યો નથી – પણ તું સર્વે સ્ત્રીઓથી શ્રેષ્ઠ થા, રાણી...થઈશ?&lt;br /&gt;
અબલા : દેવ, શી આજ્ઞા છે?&lt;br /&gt;
તેજસિંહ : કાલાવાલા કે રૂદન નહીં કરે ને?&lt;br /&gt;
અબલા : નહીં જ નાથ.&lt;br /&gt;
તેજસિંહ : દિવસ જલદીથી ઊગશે, અમારી આગળ મૃત્યુ ઊભું છે.&lt;br /&gt;
અબલા : નાથ, આપ શું કહો છો તે સમજતી નથી. આપણા ઉપર કોઈ હુમલો કરી શકે એમ નથી, અને વહાણ આવે ત્યાં લગી—&lt;br /&gt;
તેજસિંહ : હવે વહાણ કદી આવવાનાં નથી.&lt;br /&gt;
[અબલા કપાળ કૂટે છે ને પછી નિશ્ચલ ઊભી રહે છે.]&lt;br /&gt;
તેજસિંહ : પણ અમે મરદો કેસરિયાં કરી રણમાં ઊતરવાના છીએ.&lt;br /&gt;
અબલા : તે તમે નહીં કરી શકો—તે ખચિત — અશક્ય છે.&lt;br /&gt;
તેજસિંહ : અમારે ઊતરવું જોઈએ. તું રાણી છે, પછી જોઈ શકતી નથી કે અમારે ઊતરવું જોઈએ.&lt;br /&gt;
અબલા : હા – હું – જો...ઈ...શ...કું...છું.&lt;br /&gt;
તેજસિંહ : રાજા મોખરે લડે છે. હવે આપણે જીવતાં મળી શકીશું નહીં...તેની તને ખબર છે ને?&lt;br /&gt;
અબલા : હા ખબર છે!...&lt;br /&gt;
[શાન્તિ, બન્ને એકેકના સામું જુએ છે.]&lt;br /&gt;
તેજસિંહ : રણસંગ્રામમાં તારી શુભેચ્છાઓ સાથે લઈશ.&lt;br /&gt;
[અબલાને પગે પડે છે. અબલા તેજસિંહના માથા પર હાથ મૂકે છે, તેના તરફ નીચી વળે છે અને ધ્રૂજતી ધ્રૂજતી તેના કપાળમાં ચુમ્બન કરે છે.]&lt;br /&gt;
તેજસિંહ (કૂદી ઊભો થાય છે અને તંબુની કનાત ચીરી નાંખે છે) : રાહ જોતા હોય તે આવો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૪મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એનાં એ જ. સાધના, દેવસેન, વાચસ્પતિ, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો.&lt;br /&gt;
સાધના : રાજેન્દ્ર, આપની પાસે મારી બાળકીને મોકલી હતી...તમે મરદો જંગમાં ઊતરવાના છો એવું સાંભળ્યું છે...તે મને પાછી સોંપો.&lt;br /&gt;
તેજસિંહ : લો, તમારી બાળકી!&lt;br /&gt;
[સાધના અને અબલા જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૫મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અબલા અને સાધના સિવાય એના એ જ.&lt;br /&gt;
તેજસિંહ (તેમની પાછળ તાકી તાકીને જુએ છે; જાગૃત થાય છે ત્યાં રાજગુરુને જુએ છે.) : ગુરુદેવ, કાલે સાંજે મેં આપની અવગણના કરી હતી. માફ કરો. મારી કૃતજ્ઞતાની લાગણી સ્વીકારો. હું પણ સારી રીતે જાણું છું, આભીરોને મૃત્યુ શા માટે પ્રિય છે?...(તરવાર પકડે છે.) ચાલો તૈયાર છો ને? છેલ્લી વિદાયગીરી લેવાઈ રહી?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ! આપની આજ્ઞા અમે તોડી છે. અમારી વહુઓમાંથી કોણે આગળ પડી અથવા અમારામાંથી કોણે વાત કહી દીધી તે જાણી શકાતું નથી. સૌ તે જાણે છે એટલું નિ:સંશય છે.&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે તો સૌએ કકળાટ અને રડારોળ કરી મુક્યાં ને?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ! અમારી ભમ્મરો પર મૃત્યુના આશીર્વાદની નીરવ મુદ્રા તેમણે અંકિત કરી છે.&lt;br /&gt;
તેજસિંહ (અર્ધો પોતાની સાથે ઉદ્ગાર કાઢે છે) : તેમણે પણ! (મોટેથી) ખરે જ આપણે રાજવીઓની પ્રજા છીએ. એ આપણું કમભાગ્ય છે. ચાલો ત્યારે!&lt;br /&gt;
[પાછળ, ફલંગ ભરતો જાય છે. બીજાઓ તેને અનુસરે છે. રાજાને વધાવતી નિનાદભરી લોકવાણી પર પડદો પડે છે.]&amp;lt;ref&amp;gt;*Sundermann નામના જર્મન લેખકના Teja નામના નાટકના ઇંગ્લિશ ભાષાન્તર ઉપરથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = તોળલ અથવા તોળીરાણી&lt;br /&gt;
|next = રિપુ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B3%E0%AA%B2_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80&amp;diff=111469</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/તોળલ અથવા તોળીરાણી</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B3%E0%AA%B2_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80&amp;diff=111469"/>
		<updated>2026-05-30T03:29:43Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|તોળલ અથવા તોળીરાણી}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[કલાપીનો ‘જેસલ અને તોળલ’ વાળો સંવાદ વાંચવામાં આવ્યો ત્યારથી જ તોળલ વિશે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી અને તે તૃપ્ત કરવા મારા કાઠિયાવાડી મિત્રો સમર્થ નીવડ્યા નહોતા. વિભાવરી સ્વપ્ન, સ્વરૂપ પુષ્પાંજલિ, કલાપીનો વિરહ આદિ કાવ્યોના કર્તા મહુવાના મસ્ત કવિ અને રાજવી કલાપીના મિત્ર ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી પ્રો. ગજ્જરના દર્શનાર્થે મુંબઈ આવેલા ત્યારે એમની મુલાકાત થઈ. એ પ્રસંગે તોળલ વિશે વાત કહેતા એમણે અદ્ભુત રસથી ભરેલા એ ભક્તાણીની જીવનકથાના કેટલાક પ્રસંગો કહ્યા. ત્યાર પછી બે-ત્રણ ભજનસંગ્રહો મારા વાંચવામાં આવ્યા. આ સંગ્રહોમાં તોળીરાણીનાં ભજનો ઉપરાંત એના વિશે લખાયેલાં ભજનો હતાં. મસ્ત કવિએ વર્ણવેલા ઘણાખરા પ્રસંગો વિશે ઉલ્લેખ આ બધાં ભજનોમાંથી મળ્યો છતાં વિશેષ અને ચોક્કસ જાણવાની ઇચ્છાથી ‘ગુજરાતી’ પત્રમાં જેસલ અને તોળલના જીવન વિશે પ્રશ્નાવલીભર્યું ચર્ચાપત્ર લખ્યું પણ એ પ્રશ્નો આજ દિન લગી અનુત્તર રહ્યા. આ પરથી મારા જાણવામાં આવેલી હકીકત પ્રગટ કરી વિશેષ શોધખોળ તરફ લક્ષ ખેંચવા વૃત્તિ થઈ છે. ગયે વર્ષે ‘ગુજરાતી’ના દિવાળીના અંકમાં એક લેખકે તોળીરાણીનાં ભજનો છપાવ્યાં છે અને ભક્તાણીના જીવન વિશે કાંઈ જાણવામાં ન હોવાથી અફસોસ કર્યો છે.]&lt;br /&gt;
કાઠિયાવાડની એક નાટક કંપની જામનગર રાજકોટમાં જેસલ તોળલનો ખેલ કરતી હતી તે જોવા જનાર એક મિત્ર પાસેથી નાટકનાં ગાયન અને સારની ચોપડી મળી. મસ્તકવિએ વર્ણવેલા પ્રસંગો ઉપરાંત નાટકમાં ઘણા નવા પ્રસંગો હતા. પણ આ પ્રસંગો પરંપરાગત હતા કે નાટકના સંવિધાને ઉપજાવ્યા હતા તેનો ખુલાસો મેળવી શકાયો નથી. મારી શોધખોળ ચાલતી હતી તે દરમ્યાન મસ્તકવિના કનીયસ ભ્રાતા, શિવાજી અને ઝેબુન્નિસાના કર્તા અને કાઠિયાવાડના કંઠસ્થ અદ્ભુત સાહિત્યનો સંગ્રહ કરનાર હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીનો સમાગમ થયો. પોતાના સંગ્રહમાંથી એમણે માર્ગીપંથની ત્રણ ભક્તાણીઓ — તોળલ, રૂપાંદે અને લીલમબાઈનાં ભજનો પ્રસિદ્ધિ માટે મારે સ્વાધીન કર્યાં.&lt;br /&gt;
તોળીરાણી માર્ગપંથની ભક્તાણી છે. આ પંથ કાઠિયાવાડમાં સારી રીતે જૂના વખતથી પ્રચલિત છે. હિંદુ નાતો મુસલમાન પાદરીઓના ઉપદેશથી ઇસ્લામ સ્વીકારી ખોજા કોમ બની છે તે નાતો માર્ગીપંથી હતી એવું ખોજાઓમાં હજુ લગી રહેલા કેટલાક રિવાજો પરથી પ્રતીત થાય છે. મર્હુમ સચેદીના નાનજીઆણી કૃત ખોજાઓના વૃત્તાંતમાં તેમ જ ખોજાઓ વિશે છપાયેલાં બીજાં પુસ્તકોમાં આ હકીકત સ્પષ્ટતઃ વર્ણવેલી છે. એ પંથનું મોટું મંદિર વઢવાણ પાસે દૂધરેજમાં છે, તેમ કાઠિયાવાડનાં ઘણાં નાનાંમોટાં ગામોમાં એના મંદિર અને ભક્તો છે. એ સંપ્રદાયનાં ભજનો ગાનારા બાવાઓ અને રામકીઓની મંડળી કાઠિયાવાડમાં પ્રવાસ કરનારાઓએ જોઈ હશે. વર્ષમાં અમુક અમુક તહેવારે અમુક અમુક સ્થળે એ પંથના ભક્તોનો મેળો ભરાય છે ત્યારે ભજનોની રમઝટ જબરી ચાલે છે અને ભક્તિમાં ગળી ગયેલા ઘણા ભક્તો ત્યાં આવે છે, આપણા પ્રાચીન જીવનનું આ સ્વરૂપ જોવા હું ભાગ્યશાળી નથી થયો એટલે વિસ્તારથી તેનું આલેખન કરી શકતો નથી.&lt;br /&gt;
પોતાના પંથમાં તોળીરાણીની પ્રતિષ્ઠા ઊંચી છે. આદ્યશક્તિનો તે અવતાર લેખાય છે. તેનો જન્મ અદ્ભુત રીતે થયેલો મનાય છે. કાઠી કુળમાં તે ઊછરી હતી. ઉમ્મરે આવતાં તેનાં લગ્ન સાસટીઆ કાઠી સાથે થયાં હતાં. દંતકથા એવી છે કે દેવી હોવાથી માનવી સાથે તેણે સંસાર નહોતો માંડ્યો. પોતાના પ્રભાવથી પોતાના વાસ્તવ સ્વરૂપની સાસટીઆને પિછાન કરાવી તેને પોતાને અનુકૂળ કર્યો હતો. માર્ગીપંથમાં એનો પ્રવેશ શાથી થયો? એના માબાપથી કે પતિથી! એનો ગુરુ કોણ હતો?&lt;br /&gt;
પોતાના સંપ્રદાયમાં તોળલ એટલી બધી ગળી ગઈ હતી કે હંમેશ સાસટીઆને ત્યાં ભજન થતાં અને વરવહુ પૂરી મસ્તીથી તેમાં રમઝટ બોલાવતાં. સાસટીઓ પણ તોળલના સહવાસે ભગત બની ગયો હતો. ભજનસંગ્રહોમાં એનાં બનાવેલાં ભજનો છે.&lt;br /&gt;
કચ્છના અંજાર નગરમાં જેસલ નામનો જાડેજો રહેતો હતો. ભાઈઓ ભાઈને તકરાર થવાથી અથવા ગરાસ ન હોવાથી તે લૂંટવાનો ધંધો કરતો.. ‘જેસલ જગનો ચોરટો‘ એવું વચન ભજનોમાં છે. ‘લૂંટી કુંવારી જાન, મોડબંધા વર માર્યા, પાણિઆરીની હારો લૂંટી‘ વગેરે વગેરે આ લૂંટારાનાં ત્રાસદાયક પરાક્રમો (?) હતાં. કહેવાય છે કે એના જુલ્મથી હેરાન થયેલા વટેમાર્ગુએ એને મહેણું માર્યું, ‘અશક્ત, નિરાધાર વટેમાર્ગુઓને લૂંટી શું મોટું પરાક્રમ કરે છે? સાસટીઆ કાઠીની તોળલ ઘોડી લાવે ત્યારે ખરો.‘ વજ્રપાત થયો હોય તેમ જેસલ ચમક્યો અને વટેમાર્ગુઓને કનડવાનું ત્યજી તોળલ લેવા કાઠિયાવાડને કિનારે ઊતર્યો. &lt;br /&gt;
ઘોડા ઉછેરવામાં કુશળ કાઠીઓની પોતાના જાનવર પરની મમતા મશહૂર છે, માથું જાય, ઘરબાર પાયમાલ થઈ જાય પણ કાઠી પોતાની ઘોડી કોઈને આપે નહિ. એ એનો શ્વાસ ને પ્રાણ છે, ‘કાઠિયાવાડના બહારવટિયા’ નામના પુસ્તકમાં મી. કીનકેડે ઘોડા વિશેના દુહાનું ઇંગ્લિશ ભાષાંતર આપ્યું છે તે પરથી એ વહાલ અને મમતાનો અનુભવ થશે.&lt;br /&gt;
લૂંટારા જેસલે ઘોડી ચોરી લેવાનો સંકલ્પ કર્યો. કાઠીને ગામ ગયો ત્યારે ખબર પડી કે ભજનમંડળી જામી છે. એકતારાની ધૂન લાગી રહેલી અને તોળલ તથા સાસટીયાની સાથે ભક્તમંડળ ભજન ગાવામાં તલ્લીન થયેલું. શ્રોતાઓ પણ ભજન સાથે એકતાન થઈ ચિત્રવત્ બેઠેલા હતા. પાપી ચોર પર આ ભજનોની જરાયે અસર થઈ નહિ. ઊલટું પોતાનું કામ કાઢી લેવાની સંધી ઠીક હાથ આવી છે એમ માની વંડી ઠેકી ઘોડી બાંધી હતી ત્યાં ગયો અને દોરડું છોડતાં અગાઉ તેને પંપાળવા લાગ્યો. પણ વફાદાર ઘોડી ચેતી ગઈ. પોતાના માલિકને ચોરની હાજરી જણાવવા ખૂંખારી તોફાન કરવા લાગી. તોફાન કરતાં ખીલો નીકળી ગયો. આથી જેસલ ગભરાયો; કારણ કે ઘોડીના તોફાનથી ભજનમાં પણ ભંગ પડ્યો હતો અને સાસટીઓ તોફાનનું કારણ તપાસવા ઊભો હતો. પકડાઈ જવાની દહેશતે જેસલ ખંડના ભોરમાં સંતાઈ ગયો. સાસટીએ બહાર આવી જોયું તો કાંઈ જણાયું નહિ પણ ઘોડી છૂટી ગયેલી લાગી. ઊખડી ગયેલો ખીલો મજબૂત દાટવા ખંડની અંદર ખોદ્યો. આ સ્થળે જેસલની હથેળી હતી. અને તે સોંસરો ખીલો જમીનમાં દાટ્યો. હથેળી સોંસરો ખીલો જવાથી થયેલી વેદના થઈ જ ન હોય એવો જેસલ ખમીર થઈ સંતાઈ રહ્યો અને ભજનમાં લીન થયેલાને પણ હથેળીને લીધે વધારે જોર કરવું પડ્યું કે ઘાસ લોહીયાળ થયું તેની ખબર પડી નહીં. કામથી પરવારી પાછો ભજનમાં સામીલ થઈ ગયો. ઘોડી અત્યારે હાથ આવે એમ નથી એવું જોઈ રાહ જોતો વેદના ખમતો જેસલ ઘાસમાં જ લપાઈ રહ્યો.&lt;br /&gt;
ભજન પૂરું થયું. આરતી થઈ. પ્રસાદ વહેંચાવા લાગ્યો. આખરે તોળીની થાળીમાં એક માણસને માટે પ્રસાદ વધ્યો.&lt;br /&gt;
‘બધા ભગતોને પ્રસાદ વહેંચ્યા છતાં વધ્યો કેમ? આટલામાં કોઈ હોવું જોઈએ.’ તોળલ બોલી.&lt;br /&gt;
‘ચાલો આપણે દીવો લઈ બહાર શોધીએ’ સાસટીઆએ કહ્યું.&lt;br /&gt;
તપાસ કરતાં ખંડમાંથી લોહીની નીક વહેતી લાગી એટલે પડ ખસેડતાં છૂપાઈ રહેલો જેસલ જણાયો. તેની હથેળીમાંથી ખૂંટો કાઢી તેને બહાર આણ્યો. તોળલે પાણીથી તેની હથેળી ધોઈ પછેડો ફાડી લાંબા ચીરાથી પાટો બાંધ્યો અને પ્રસાદ આરોગવા દીધો. લોહી જવાથી અધમુવો થયેલો જાડેજો સારવારથી તાજો થયો એટલે સાસટીએ પૂછ્યું, ‘ભાઈ તમે ક્યાંથી આવ્યા છો? અને ખંડમાં કેમ સંતાઈ રહ્યા હતા?’&lt;br /&gt;
આગતાસ્વાગતાથી નરમ થયેલો નિર્ઘૃણ લૂંટારો અવનવા જ અનુભવમાં ઊતરી ગયો હતો. મનુષ્યની નૈસર્ગિક સાધુતા એનામાં જાગૃત થઈ હતી એટલે પોતાના આગમનનું પ્રયોજન અને વંડીની અંદર બનેલો બનાવ વગર સંકોચે કહી દીધાં. આ સાંભળી ઉદાર અને મહાનુભાવ તોળલે ઘોડી આપી દેવાનું પોતાના સ્વામીને કહ્યું. સાસટીઆએ તરત જ ઘોડીને પલાણ વગેરેથી સજ્જ કરી જેસલને સોંપી. જેસલ આ જોઈને દંગ થઈ ગયો. ઘોડી અપાવનાર કાઠિયાણી તરફ જોઈ રહ્યો. ઘોડી પર બેસી વંડી બહાર ગયો તોપણ તોળલ સામું જોયા જ કરે. આથી તોળલને વહેમ પડ્યો કે હજુ એના મનમાં કાંઈ રહી ગયું છે. પતિ પાસે હાક મરાવી જેસલને પાછો બોલાવ્યો. પૂછ્યું કે ‘ભાઈ હજુ શું જોઈએ છે?’ જરા પણ લજ્જા કે સંકોચ વગર જેસલે માગણી કરી ‘કાઠી! ઘોડી અપાવનાર આ સાધ્વી બાઈ મને આપ.’ સાંભળતાં જ કાઠીનાં રૂવાડાં ઊભાં થયાં અને જેસલ સાથે જવા ઘોડી પર ચઢી.&lt;br /&gt;
માર્ગીપંથનાં અનુયાયીઓ હોવાથી સાસટીઆએ એને જવા દીધી? કે એને દેવી તરીકે માનતો હોવાથી? કે દેવી તરીકે જઈ પાપીનો ઉદ્ધાર કરે એવા હેતુથી?&lt;br /&gt;
કાઠિયાવાડમાં આને મળતી દુહાબદ્ધ એક વાત છે. રા. રા. હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીના સંગ્રહમાંથી એનો સાર આપું છું. એક બાઈનાં લગ્ન ઢોલરા નામના શખ્સ સાથે થયાં પણ નાનપણથી દેવરા નામના શખ્સનાં ગુણ અને પરાક્રમ સાંભળેલાં હોવાથી એનું દિલ દેવરા પર લાગ્યું હતું. દેવરા સાથે નહિ પણ ઢોલરા સાથે લગ્ન થયાં અને સાસુ સાથે સાસરે જવા નીકળી. માર્ગમાં રાત પડી જવાથી વિસામો કરવો પડ્યો. ગામમાં મહેમાનગીરી કરનાર આબરુદાર મશહૂર ગૃહસ્થ દેવરો કરીને હતો. સાસુ-વહુ તેને ત્યાં જઈ ઊતર્યાં. વહુના હૃદયમાં વસનાર દેવરાનાં તેને સાક્ષાત્ દર્શન થયાં. એટલું જ નહિ પણ સાંભળેલા ગુણ નજરે પ્રત્યક્ષ નિહાળ્યા, હૃદયમાં નિગૂઢ રહેલો સ્નેહ ઊભરાઈ ગયો પણ હૃદય દોરે ત્યાં જવા તે અશક્ત હતી. પ્હો ફાટ્યે હૃદય ત્યાં મૂકી સાસુ સાથે દેહ લઈ તે ચાલી અને બીજે દી સવારે સાસરે પહોંચી. સાસુએ બેડું આપી પાદરેથી પાણી સીંચવા મોકલી. સવારની સાંજ થઈ પણ વહુ આવી નહિ તેથી ગભરાયેલી સાસુએ દીકરાને વહુની ભાળ કાઢવા મોકલ્યો. પાદરે જઈ જુએ છે તો એક દિશા તરફ નજરયોગ સાધી વહુ કૂવાકાંઠે ઊભી છે, હાથમાં સીંચણીઉં છે, ઘડો વગર ભરાયે કૂવાના પોલાણની હવામાં અદ્ધર તરે છે અને થાળા પર ખાલી હાંડા અને ઉઢણી હતાં. ચતુર ચેતી ગયો કે વહુને હજુ પિયર સાંભરે છે અને તેની વાટ ભણી તેની તરસી નજર વળી રહી છે, વહાલથી પાસે જઈ વહુને સમાધિમાંથી કુનેહથી જગાડી અને પાણી ભરાવી ઘેર તેડી આવ્યો. રાત્રે શયનખંડમાં પતિપત્ની ભેગાં થયાં ત્યારે &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઢોલા મ ઢાળ્ય ઢોલીઓ, ઢોલે&amp;lt;ref&amp;gt;ઢોલા તરફ&amp;lt;/ref&amp;gt;  મન ઢળે નૈ;&lt;br /&gt;
મઝાલ મારા કપડની કોર, દુઃખ માનશે દેવરો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આલમમશહૂર, પરોપકારી અને રસિક દેવરાનું નામ સાંભળતાં જ ઉચ્ચ તુખમ પ્રકાશી નીકળે છે. પરણીઅત પાસેથી કળથી તેના સ્નેહની કહાણી કઢાવે છે. પોતાને પ્રતીતિ થાય છે કે બાઈનું દિલ દેવરા સાથે લાગ્યું છે. જોરજુલમથી હવે એને પોતાની પત્ની કરવામાં સાર નથી પણ ઊલટું પાપ છે. બન્નેનો સંસાર કડવો અને દુઃખી નીવડવાનો. માટે બહેતર છે કે પોતાનું ગમે તેમ થાય પણ બાઈને સુખી કરવી. તરત જ ગાડું જોડી બાઈને દેવરાને ગામ લઈ જાય છે અને બનેલી હકીકત કહી બાઈને તેના વલ્લભને સ્વાધીન કરે છે. કૃતજ્ઞ દેવરો પોતાની બે બહેનો ઢોલરા સાથે પરણાવે છે અને ધામધૂમથી વિદાય કરે છે. આ વખતે દેવરાની મા પૂછે છે, ‘ઢોલરાએ તને એક બાયડી આપી અને તેં એને બે કેમ આપી?’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીકરીયું દેવાય, વવું દેવાય નૈ;&lt;br /&gt;
એક સાટે બે જાય, તોય ઢાળ&amp;lt;ref&amp;gt;વધારો&amp;lt;/ref&amp;gt;  માગે ઢોલરો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ સંગ્રહમાંથી બીજી વાતનો સારાંશ ઉતારીએ. હાટીના માળિયાનો પીઠો હાટી અને ભંડારિયાનો ભોજો કામળીઓ જબરા લૂંટારા હતા. બન્નેએ એકબીજાને જોયા નહોતા છતાં મરદાનીનાં પરાક્રમથી દોસ્તી બન્ને વચ્ચે હતી. એક વખત કામળીઓ મારણ કરવા ગયેલો અને ભંડારિયા પાસેથી આઘેથી લૂંટ કરી પાછો વળતો જતો હતો ત્યાં દોસ્ત સાંભર્યો એટલે ગામમાં પૂછતો મળવા જતો હતો ત્યાં પાદરે વાવડ મળ્યા કે ભોજો બહારગામ ગયેલો છે. આ પરથી તે પોતાને રસ્તે પડ્યો. પણ તેના આવ્યાની ખબર ભોજાની વહુ વેજલને થતાં જ તેણે પીઠાને પાછો વાળી પોતાનો મહેમાન કરી આગતાસ્વાગતા કરી. બે-ત્રણ દિવસ રાહ જોઈ પણ ભોજો આવ્યો નહિ એટલે પીઠો પોતાને વતન ગયો. મારણ પરથી ભોજો આવ્યો ત્યારે હલકા લોકોએ પીઠા અને વેજલ માટે તેના દિલમાં સંશય ઉપજાવ્યો. આથી ખીજવાઈ વેજલને ઘર બહાર કાઢી મૂકી અને મહેણે મહેણે તેને ખિન્ન કરી દીધી.&lt;br /&gt;
વેજલ પહેલાં તો ગભરાઈ પણ વિચાર કરી મૂંઝવણમાંથી અને બેઆબરૂમાંથી રસ્તો કાઢ્યો. પીઠાની પરોણાચાકરી કરવામાં પોતે બદનામ થઈ તો હવે પીઠાના જ ઘરમાં જઈ બેસવું અને ભોજાની સામી આબરૂ લેવી એવો નિશ્ચય કરી તે માળિયા ગઈ. પાદર પરથી બેડું ભરી ચોરે પીઠો બેઠો હતો ત્યાં ગઈ અને&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઉજમમાંથી આવતી, મેં કાંઈ વાટે નથી કરી વેલ&amp;lt;ref&amp;gt;ગાડું&amp;lt;/ref&amp;gt;, &lt;br /&gt;
હાડી તું ઉતાર ને હેલ, નૈં તો પગમાંથી નીકળ પીઠીઆ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પીઠો વિમાસણમાં પડી જાય છે. શું કરવું? હેલ ઉતારે તો કામળીઆ જેવા બહાદુર મર્દ સાથે નાહકનું વેર થાય છે. નથી ઉતારતો તો વેજલના પગમાંથી નીકળી જવાની ગેરઆબરૂ થાય છે. છેવટે ગામના આગેવાનોની સલાહથી હેલ ઉતારે છે. જ્યારે કામળીઆને આ ખબર પડે છે ત્યારે એનાં રુંવેરુંવાં ઊભાં થાય છે. અને પોતાના એક સગાને સાથે લઈ બાવાનો વેશ લઈ માળિયે વેર લેવા આવે છે. પણ ત્યાં પીઠાના હૃદયની ઉચ્ચતા, ઉદારતા, વીરતા, મમતા જોઈ પોતાનું વેર ભૂલી જાય છે અને હતી તેથી વધારે જબરી વજ્રલેપવાળી દોસ્તી કરી પીઠાને ત્યાં જઈ વેજલના હાથથી બન્ને જમે છે.&lt;br /&gt;
આડકથા લંબાય છે છતાં બીજા બે પ્રસંગોનો સંક્ષેપમાં ઉલ્લેખ કરશું. હરણને શીંગડેથી રાંકા વાણિયાએ બાંધેલા વરસાદને છોડાવી પાછા વળતાં વરસાદમાં મડું થઈ ગયેલા એભલવાળાની સારવાર કરવા માટે સાંઈ પર એના ધણીએ હલકા લોકોની શીખવણીથી વહેમ ગયેલો ત્યારે પોતાનું સતીત્વ જણાવવા સાંઈએ પોતાના પર આરોપ મૂકનારને પત નીકળવાનો શાપ દીધો. સતીનો શાપ ફળ્યો અને સાંઈનો ધણી પતીઅલ થયો. એભલવાળાના મોટા કુંવરના લોહીથી સાંઈ એનો રોગ ટાળે છે. (જુઓ હરગોવિંદ પ્રેમશંકરનું કાવ્ય ‘એભલવાળો અને સાંઈ.’)&lt;br /&gt;
બે જીવજાન દોસ્ત હતા. એક દોસ્ત બીજાને મળવા ગયો. ત્યાં દોસ્ત અને તેની વહુએ તેની સારી પરોણાચાકરી કરી. થોડા દિવસ રહી તે પોતાને વતન ગયો. વળાવી પાછાં આવ્યાં ને ધણીધણિયાણી સૂઈ ગયાં. મિત્ર જવાથી પુરુષને ઊંઘ નહોતી આવતી ત્યાં સ્ત્રીએ સ્વપ્નમાં લવતી સાંભળી અને લવારામાં મિત્રનું નામ સાંભળ્યું. પુરુષના વહેમી દિલને લાગ્યું કે બાઈનું ચિત્ત મારા મિત્ર પર આશક થયું છે માટે સવારે એને મિત્રને ગામ વળાવીશ તો સુખી થશે. બાઈ પતિવ્રતા હતી અને એના દિલમાં કશું નહોતું એટલે જવાની આનાકાની કરી. કૂતરા તરીકે ઘરની આસપાસ ભટકવાની આજીજી કરી પણ પુરુષે માન્યું નહિ અને બળાત્કારે મિત્રના ગામને પાદરે એને મૂકી આવ્યો. નિરુપાયે પતિના મિત્રને શરણે જઈ બનેલી વીતક કહે છે. બહેન તરીકે તેને પોતાને ત્યાં નિવાસ આપે છે અને જ્યારે તેના પતિની ભૂલ ભાંગે છે ત્યારે વીરપસલી સાથે તેને પાછી સોંપે છે.&lt;br /&gt;
આ ભિન્ન ભિન્ન પ્રસંગો પરથી કાઠિયાવાડમાં સ્ત્રીપુરુષનાં — પરણેલ સ્ત્રીપુરુષના સંબંધોમાં થતા ફેરફારોનું દર્શન થશે. જેસલની સાથે તોળલ ગઈ તે એ માર્ગીયપંથનો જ પ્રતાપ? કે આવી ભાવનાઓનો પણ ખરો?&lt;br /&gt;
જેસલ અને તોળલે પલાણ કર્યું છે. કાઠીની ઘોડી પૂરપાટ જાય છે. જેસલના દિલમાં નાનાવિધની ઘડભાંગ થાય છે પણ તોળલ સ્વસ્થ અને અંતિમ ઉદ્દેશની સાધના માટે તૈયાર છે. એક ગામ જઈ પહોંચ્યાં ત્યાં ઉતારો કર્યો અને જેસલ વાણિયાની દુકાને સીધું લેવા ગયો. વાણિયાનું નામ સધીર હતું. જેસલ પાસે પાઈ પણ નહોતી એટલે સીધું ઉધાર માગ્યું. વાણિયે ઉધાર આપવા ચોખ્ખી ના પાડી પણ તે રાતે તોળલને પોતાને ત્યાં મૂકી જાય તો સીધું આપવા કહ્યું. માથાનો ફરેલ જગનો ચોરટો જેસલ તોળલની સાથે ઘોડી પર આવવાથી જ બદલાઈ ગયો હતો નહિતર સધીરનું માથું એના ધડ પર રહેત ખરું કે? ઉતારે જઈ જેસલે તોળલને સધીરની દુષ્ટ કીમત કહી સંભળાવી. પ્રસન્ન ચિત્તથી તોળલે રાત્રે જેસલની સાથે જવા હા પાડી. સીધું આવ્યું અને બન્ને જમ્યાં. રાત પડીને વચન પ્રમાણે જવાનો વખત થયો. પણ બહાર વરસાદ ધોધો વરસતો હતો અને રસ્તામાં કાદવ થઈ ગયો હતો. તોળલની પાની ગંદી થવાની દહેશત થઈ પણ અનુરક્ત જેસલ તેને પોતાને ખભે બેસાડી વાણિયાને હાટે તેડી ગયો. બૂમ સાંભળી વાણિયાએ કમાડ ઉઘાડ્યાં ને તોળલને જોઈ વિસ્મય પામ્યો. અંદર આવકાર આપતાં બોલ્યો ‘ઊભાં રહો, પાણી લાવું પગ ધોવા, નહીં તો ગારાથી ચાદર બગડશે.’ તોળલે પોતાના પગ દીવાના પ્રકાશમાં ધરી ચોખ્ખા બતાવ્યા. કારણ પૂછતાં જેસલને ખભે બેસી આવેલી જણાઈ. આ સાંભળતાં આખી આલમને લૂટનાર જેસલની ખાંધ પર આવેલી તેજસ્વી પ્રતાપી સ્ત્રીને જોતાં જ વાણિયાનો વિકાર નાશ પામ્યો અને ઉચ્ચ જીવનનાં કિરણો ફૂટ્યાં. બન્નેને તે પગે લાગ્યો અને પોતાના નીચ હવસ માટે લળી લળી માફી માંગી. ઉદારતાથી તોળલે એનો દોષ માફ કર્યો. વાણિયે તેઓ તે ગામમાં રહે ત્યાં લગી પોતાના મહેમાન થવા વિનંતિ કરી.&lt;br /&gt;
ભજનો ગાય છે કે તોળલે ત્રણ નર તારીયા, સાસટીયા અને સધીરના ઉદ્ધારની કથા આવી ગઈ. હવે બાકી રહ્યો ઉદ્ધાર જેસલનો. સધીરની અનીતિ શેહ ખાઈ નીતિ જયવંત નીવડી જોઈને જેસલમાં રહ્યું સહ્યું પાપ સરવા લાગ્યું. તોળલ તરફ પૂજ્યભાવ વધતો ગયો અને તેનો આજ્ઞાધીન સેવક જેવો થઈ ગયો. એના પાપનું પૂરેપૂરું પ્રાયશ્ચિત થયું નથી એમ જાણી તોળલે એને પોતાનાં મેલાં લૂગડાં ધોવા ગામને તળાવે મોકલ્યો. સારા અંજારમાં રાડ પડાવનાર મરદ જાડેજો એક સ્ત્રીનાં કપડાં ધોવા ગામમાં થઈને ચાલ્યો. ગામમાં જેસલ અને તોળલના આગમનની ખબર પડી ગઈ હતી. જેના જેના ઘર આગળથી જાય તે તે આવું હલકું કામ કરવા માટે એને ફિટકાર દે. ફિટકાર સાંભળી એનું મન ડગમગતું તો પાછો સંકલ્પ દૃઢ કરી લોકવાયકાની દરકાર કર્યા વિના ચાલ્યો જતો. ગામને બીજે છેડે જતાં મોચી ઓળ આવી. ત્યાંના એક મોચીએ ઉદ્ગાર કાઢ્યો ‘માળો જેસલ કેવો ભગત છે! એનું હુંપણું તદ્દન મરી ગયું છે. નહીંતર બાયડીનાં કપડાં ધોવા ન જાય.’ આ સાંભળી જેસલ ફૂલ્યો અને પોતાની કદર કરનાર દુનિયામાં એક જીવ છે એવું જોઈ એ સંતોષ પામ્યો. તળાવને કાંઠે જઈ ગાંસડો છોડી જુએ તો લૂગડાં ધોબીએ ધોયાં હોય એવાં નર્યાં ઊજળાં થઈ ગયેલાં. એક લૂગડા પર ફક્ત ડાઘ હતો. જેસલનો અવતાર આ જોઈ ફરી ગયો. પાપથી ભરેલું જૂનું વસ્ત્ર એના દેહ પરથી સરી પડ્યું. અને પુણ્યની ઉજ્જવળ કાંતિ સ્ફૂરી રહી. ગાંસડી ફરી બાંધી ઉતારે જઈ તોળલને પગે પડ્યો અને ભક્તાણીનો આશીર્વાદ લીધો. કપડાં ઊજળાં થવાનું અને ડાઘ રહેવાનું કારણ પૂછતાં નિન્દાથી ડાઘ અને મેલ જવાની અને ફુલાશથી ડાઘ રહેવાની સમજણ તોળલે પાડી. આ બનાવ વસ્તુતઃ બન્યો હશે? કે આધ્યાત્મિક સત્યની પ્રતીતિ કરાવવા રૂપક કહેવાયેલું?&lt;br /&gt;
લૂંટારો હવે નૈષ્ટિક ભક્ત થયો. તોળલ અને એ ભજનો ગાતાં ગાતાં ગામેગામ ફરવા લાગ્યાં. કપડાં ધોવાની હકીકત બની તે અગાઉ જેસલ તોળલને કચ્છનો અખાત હોડીમાં ઓળંગાવી અંજાર લઈ જતો હતો. દરિયામાં તોફાન થયું અને હોડી ડૂબવા લાગી તે વખતે તોળલે ઉપદેશ દઈ જેસલને અંધકારમાંથી જ્યોતિમાં આણ્યો. ‘બેડલી તારી બૂડવા નહીં દઉં.’ એવું ભજનોમાં છે અને કલાપીનો સંવાદ આ પ્રસંગ પર જ રચાયેલો છે. એટલે સધીરના ગામમાં નહીં પણ અંજારમાં કપડાં ધોવાયેલાં એ વૃત્તાંત વધારે સાચો લાગે છે. અંજારમાં જેસલને સહુ કોઈ ઓળખતાં એટલે ફિટકાર પણ સખ્ત વરસેલો.&lt;br /&gt;
જેસલની ગમે તેવી દુષ્ટ દાનત હશે તે પવિત્ર સાધ્વી તોળલના પરતા આગળ જીવી શકી નહીં. દંતકથા કહે છે કે સાસટીઆ જોડે એણે સંસાર નહોતો માંડ્યો તેમ જેસલના મુવા પછી કબરમાંથી એનું પુનરુત્થાન થયું ત્યારે જેસલ અને તોળલનાં લગ્ન થયાં હતાં છતાં એક ભજનમાં તોળલ ગર્ભવતી હતી એવું કહેલું છે. ચોક્કસ માહિતીની ગેરહાજરીમાં નિર્ણય કરવો મુશ્કેલ છે. માર્ગીપંથમાં સ્વામીનો પાટ મંડાય છે અને અનુયાયીઓને ત્યારે એકત્ર થવાનું નિમંત્રણ હોય છે. ગુરુએ પાટમાં આવવા બે નિમંત્રણ મોકલ્યાં જેસલ અને તોળલને. તોળલના ગર્ભમાં બાળક હતું. એવી સ્થિતિમાં એ જાય તો બે આમંત્રણના બદલામાં ત્રણ જણ ગયાં ગણાય. આવી અજુગતી વાત સાધ્વીથી શી રીતે થઈ શકે? કટારી કાઢી પેટ ચીર્યું અને ગર્ભસ્થ બાળકને બહાર કાઢી પડોશણને ઉછેરવા સોંપ્યું. – એક દંતકથા એવી છે કે આ સાસટીઆ કાઠીનું બાળક હતું – પાટમાં હાજર રહેવા જતાં જતાં વગડામાં આવી પહોંચ્યાં. ત્યાં વાંદરી પોતાનું બચ્ચું પેટે વળગાડી ડાળીએ કૂદતી હતી. રખેને આથી બચ્ચું પડી જાય એવી દહેશતથી તોળીએ વાંદરીને શિખામણ દીધી. વાંદરીને વાચા થઈ અને ઊલટું તેણે તોળીને પોતાનાં આત્મજનો ત્યાગ કરવા માટે સખત ઠપકો આપ્યો અને ત્યાગ અઘટતો અને અધર્મી હતો એવી સમજ પાડી. તોળલને ભાન થયું. બાળક સાંભર્યું. સ્તનમાંથી દૂધની શેરો ફૂટવા માંડી. કરેલા કર્મ માટે વિમાસણ કરતી પાછી વળી અને પડોશણ પાસેથી પોતાનું બાળક લીધું. અને વિશ્વક્રમનો સનાતન નિયમ ભક્તોના સંબંધમાં પણ પ્રવર્તે છે એ સત્ય સિદ્ધ કર્યું.&lt;br /&gt;
તાર, ટપાલ કે આગગાડીના સાધન વિનાના જમાનામાં જાત્રા કરનારા સાધુઓ દેશના એક છેડાથી બીજા છેડા સુધી વર્તમાન પહોંચાડવાનું કામ કરતા હતા. એમના દ્વારા જેસલ અને તોળલની ભક્તિની કીર્તિ દેશપ્રદેશમાં ફેલાતી ચાલી. મારવાડમાં માલદે (માલદેવ) અને તેની રાણી રૂપાંદેને કાને એ કીર્તિ પહોંચી અને કચ્છ કાઠિયાવાડના ભક્તોને મળવા મારવાડના ભક્તો ઉત્કંઠ થયા.&lt;br /&gt;
માલદે અને રૂપાંદે માર્ગીપંથી હતાં. એ પંથમાં પહેલી રૂપાંદે અનુષ્ટિત થઈ હતી. મધરાતે મહેલ છોડી ગુરુની આજ્ઞાથી સ્વામીના પાટમાં હાજર રહેવા તે જતી. જાગતા રહેલા રાજાએ તેને જતાં જોઈ એટલે તેને વહેમ પડ્યો અને તરવાર લઈ પાછળ પાછળ ગયો. પોતાના ધર્મના જોરથી રૂપાંદેએ રાજાને પરચો બતાવ્યો અને પંથમાં દાખલ કર્યો. એક ભજનમાં આ બનાવની સવિસ્તર વિગતો છે.&lt;br /&gt;
રૂપાંદેનાં રચેલાં ભજનોને ભજનસંગ્રહોમાં સ્થાન મળેલું છે. આ મારવાડણે ગુજરાતીમાં ભજનો લખ્યાં હશે? જામનગરની રાજસ્થાનમાં પરણેલી ગુજરાતી રાજકુંવરીની હિંદી કવિતા મહિલા મૃદુ વાણીમાં સંઘરાઈ છે. તેમ મારવાડી ભાષા બોલનારી રાણી પોતાના પંથમાં મોટા ક્ષેત્રમાં આવી કેટલાંક વર્ષો રહી હોય અને બીજા સાધુઓ અથવા તોળલના સંગથી ગુજરાતીમાં ભજન કર્યાં હોય. એનાં ભજનોમાં એના ગુરુનું નામ ઉજમશી છે. આ ગુરુ વિશે કાંઈ મારા જાણવામાં આવ્યું નથી. &lt;br /&gt;
સ્વામીના પાટમાં જેસલ, તોળલ અને માલદે રૂપાંદે મળ્યાં અને અન્યોન્યની ભક્તિ જોઈ પ્રસન્ન થયાં. આ પ્રસંગથી તેઓ વચ્ચે જીવનજાન સખ્ય બંધાયું. પાટની મુદત વીત્યે સૌ સૌને પંથે પડ્યાં.&lt;br /&gt;
કેટલાંક વર્ષો સાથે ભજન કરતાં ફરતાં ફરતાં જેસલ અને તોળલ વિખૂટાં પડ્યાં. જેસલ અંજાર ગયો. ત્યાં અચાનક એનો દેહ પડ્યો. એના શબને દાટી તે પર કબર ચણવામાં આવી. કહે છે કે હજુ આ કબર અંજારમાં મોજૂદ છે.&lt;br /&gt;
આ દુઃખદાયક બનાવના ખબર તોળલને તેમ જ માલદે રૂપાંદેને પડ્યા. સાંભળતાં જ હૈયાફાટ સૌ રોવા લાગ્યાં. તોળલ અંજાર ભણી ચાલી નીકળી. મારવાડથી માલદે અને રૂપાંદે પણ તોળલને આશ્વાસન આપવા અંજાર આવ્યાં. તોળલે એકતારો લઈ ભજન ગાઈ કબરમાંથી જેસલને સજીવન ઊભો કર્યો. આ ભજન ભજનસંગ્રહોમાં છે. માલદે અને રૂપાંદેએ જેસલ અને તોળલનાં લગ્ન કર્યાં. દંતકથા બે પ્રકારની છે. લગ્ન પછી કબરમાં દંપતી સમાઈ ગયાં અને બીજી એવી છે કે સંસાર ઘણાં વર્ષો લગી ચલાવ્યો.&lt;br /&gt;
અદ્ભુત ભક્તિના રંગથી રંગેલા તોળલના જીવનની દંતકથા ચમત્કાર આદિ સંક્ષેપમાં લખ્યાં છે. ઐતિહાસિક સત્ય તારવી કાઢવું બની શક્યું નથી તેમ એમનાં સ્થળ–કાલનો નિર્ણય પણ થઈ શક્યો નથી. માર્ગીપંથના લખેલાં કે કંઠસ્થ દફતરોમાં આ ભક્તાણીના જીવનના પ્રસંગો નોંધાયેલા હોય અને એમની સહાનુભૂતિ મેળવી કોઈ એ પ્રસંગો પ્રગટ કરી એમાં સમાયેલા ચમત્કારનો નિરાસ કરે તો ગુજરાતી સાહિત્યની સેવા કરી ગણાશે.&lt;br /&gt;
મીરાંબાઈ આપણી આદ્ય અને શ્રેષ્ઠ કવિયાણી છતાં તળ ગુજરાતની આગેવાન ભક્તાણી તો તોળીરાણી જ. બન્નેમાં કવનમાં રહેલી ભક્તિ જુદા પ્રકારની છે. મીરાં કૃષ્ણભક્ત હોઈ ગોપીભાવે ભજન ગાઈ રહી છે. તોળીરાણીનાં પદોમાં પાપીઓને ચાબખા છે. અને સંસારનું વાસ્તવ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષને માર્ગે શી રીતે વળવું તેનો ઉપદેશ છે. ગોપીગીતોની મૃદુતા અને મીઠાશ જેટલી મીરાંની કવિતામાં છે તેટલી તોળલની કવિતામાં નથી પણ સાટે ચાબખાનો મરાદામી સૂર છે— પાપીના આત્માને હલમલાવી નાખતી ગર્જના છે. એ સાંભળવાનું ભાગ્ય કાઠિયાવાડ ભજનમંડળીમાં ગયા વિના પ્રાપ્ત નથી થતું છતાં ‘ગ્રામોફોનના રેકર્ડ’ મારફતે હવે ઘરેઘર એ સાંભળવાનો સુયોગ આવેલો છે.&lt;br /&gt;
માર્ગીપંથની બે ભક્તાણી તોળીરાણી અને રૂપાંદે ઉપરાંત લીલમબાઈ(લીળલદે) નામની રાઠોડ કુળમાં થઈ ગઈ છે. તેના સંબંધમાં કાંઈ મારા જાણવામાં નથી આવ્યું. આ લેખના પરિશિષ્ટમાં રૂપાંદે અને લીળલદેનાં ભજનોની વાનગી આપવામાં આવી છે. પ્રાચીન કાવ્યમાળા ને બૃહત્કાવ્યદોહનના પ્રકાશકો તથા રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળથી પ્રસિદ્ધિમાં આવેલી ગુર્જર કવિયાણીઓના વર્ગમાં તોળલ, રૂપાંદે અને લીળલદેને આ લેખથી સ્થાન મળશે તો કૃતકૃત્ય થઈશ.&lt;br /&gt;
કર્ણપરંપરાએ સાંભળેલી વાતોમાં દોષ પ્રવેશ પામ્યા હોય, પ્રસંગો ઉકેલવામાં ભૂલ થઈ હોય તો સુજ્ઞોને તે દૂર કરવા વિનંતી છે.&lt;br /&gt;
તા. ક. લેખ લખતી વેળા એકે ભજનસંગ્રહ મારી પાસે નહોતો તેમ તરતમાં મેળવી શકાય એવું નહોતું. એટલે ભજનોમાંથી નિર્દેશક ઉતારા અપાયા નથી તેમ કેટલીક વાતો અધૂરી અથવા ટૂંકામાં પતાવવી પડી છે. આ લેખથી કોઈ બંધુમાં જિજ્ઞાસા જાગશે અને વાસ્તવ હકીકત મેળવવા તે પ્રવૃત્ત થશે તો આ પ્રયાસમાં રહેલી ખામીઓનું સાટું વળી જશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;રૂપાંદેનાં ભજનો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|[૧]}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;રાઓળ માલા, આ દિલ ખોજો તો,&lt;br /&gt;
{{gap|6em}}માયલાની વણજુ હો જી,&lt;br /&gt;
સાચાં મારાં બેલીડાં હાં,&lt;br /&gt;
નિગ્યારો ધરમ પાળો હે જોગારામ સાધુ હો જી.&lt;br /&gt;
રાઓળ માલા, કોઈ દિન દાતા ને કોઈ દિન ભોગતા :&lt;br /&gt;
એવો કોઈ દિન બાલુડે વેશ રે...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા તાંત વિનાનાં તુંબા કેમ કરી બોલે હો જી,&lt;br /&gt;
એવા કંઠ રે વિનાનાં કેસાં ગાણાં રે...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા પારકાં રૂપ દેખી તમે,&lt;br /&gt;
{{gap|6em}}માંયલાને મત રે ડગાવો હો જી,&lt;br /&gt;
તમે જીતી રે બાજી જાશો હારી હો...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા પારકા ખેતરમાં તમે,&lt;br /&gt;
{{gap|6em}}બીજ મત વાવો હો જી,&lt;br /&gt;
તમે વાવ્યા રે પછી તો પસ્તાશો...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા ભખમ નારી વાંકો સંગ મત કરનાં હો જી,&lt;br /&gt;
એને હાથ રે જોડી અળગા રે’ના...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા જ્ઞાન હીણાને તમે ગુરુ મત કરજો હો જી,&lt;br /&gt;
એવા સુરતા વિનાના કેવા ચેલા... રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા ઉગમશીની ચેલી,&lt;br /&gt;
{{gap|6em}}રાણી રૂપાંદે બોલ્યાં હો જી,&lt;br /&gt;
મારાં સાધુડાં અમરાપુરમાં માલે...રાઓળ માલા ૦&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|[ર]}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ જી,&lt;br /&gt;
મારા વિશ્વાસી નરને મા વેડો મારા રાજ રે. નર રે ૦&lt;br /&gt;
હંસલા ને બગલો બે એક જ વરણાં રે,&lt;br /&gt;
એ તો બેઠા સરોવરીઆની પાળ, મારા રાજ રે,&lt;br /&gt;
હંસલાને જોઈએ સાચાં મોતીડાનો ચારો જી,&lt;br /&gt;
ઓલો બગલો બેઠો રે દુવાસ મારા રાજ રે નર રે ૦&lt;br /&gt;
ધણી રે નામનો પાટ મંડાશે રે જી,&lt;br /&gt;
જળહળ જોત્યું વરસાશે મારા રાજ રે...નર રે ૦&lt;br /&gt;
સાચખોટ બોલે ને ચાલે બજારમાં રે હો જી,&lt;br /&gt;
એ તો કુડીઆં મંદિરીઆમાં માણે મારા રાજ રે...નર રે ૦&lt;br /&gt;
ઉગમશીની ચેલી રૂપાંદે રાણી બોલીઆં રે હો જી,&lt;br /&gt;
મારા સાધુડા તો અમરપુરામાં માલે. મારા રાજ રે...નર રે.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;લીળલદેનાં ભજનો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|[૧]}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;એવાં પુરાં રે મળે તો રાવો રેડીએ હો જી,&lt;br /&gt;
એવાં અધૂરીઆંએ જાય આપણો તોલ, મારી બેનું રે. એવાં૦&lt;br /&gt;
એ તો ખાડા ખાબોચિયાની દેડકડી હો જી,&lt;br /&gt;
એ શું જાણે સમુદરીઆની લેર મારી બેનું રે. એવાં૦&lt;br /&gt;
એવી કૂવાની છાયા તો કૂવામાં વીસમી જી,&lt;br /&gt;
એવી તસ્કરની મા ખૂણે બેસી રૂએ. મારી બાયું રે, એવાં૦&lt;br /&gt;
એવા દુરિજન ને મોઢે શાહીયું ઢળે હો જી.&lt;br /&gt;
મારા હરિજનને મુખડે વરસે નૂર, મારી બાયું રે. એવાં૦&lt;br /&gt;
એવા દુરિજન આડા ડુંગર દવ જલે હો જી.&lt;br /&gt;
એવા હરિજનને વસીએ મુખોમુખ, મારી બાયું રે. એવાં૦&lt;br /&gt;
એવા રાઠોડ કુળમાં લીળલદે બોલીયાં રે,&lt;br /&gt;
દેજો દેજો સાધુ ચરણમાં વાસ, મારી બાયું રે એવાં૦&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|[૨]}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;હાં હાં રે ગુરુજી સતની વેલડીએ,&lt;br /&gt;
{{gap|3em}}આવાં રૂડાં દતફલ રે લાગ્યાં રે હાં. સતની.&lt;br /&gt;
બીજ વરતી, બીજ જાણી, વાવી છે વિશ્વાસ વાણી.&lt;br /&gt;
કરણીના ક્યારા, વાયાં પ્રેમહુંદાં પાણી. ગુરુજી૦&lt;br /&gt;
ઊગી છે અમરવેલી, જેના મૂળ તો પીયાળે પેલી,&lt;br /&gt;
ફાલીને કાંઈ ફૂલી નિજીયા ધરમની એ વેલી. ગુરુજી૦&lt;br /&gt;
પ્રથમ તો પ્રલાદે જાણી, હરિચંદ્ર ને તારા રાણી.&lt;br /&gt;
પાંચ પાંડવ દ્રૌપદી, રાજા બળને ઓળખાણી. ગુરુજી૦&lt;br /&gt;
ભાઈલાનાં ભાગ્ય જાગ્યાં, વેલડીએ દતફલ લાગ્યાં,&lt;br /&gt;
મૂળનાં કાંઈ માલે, અમરાપરથી આઘાં. ગુરુજી૦&lt;br /&gt;
ભાઈલા તમે ભાવ રાખો, ડાળ મેલી ફળ ચાખો,&lt;br /&gt;
બોલીયાં લીળલદે, ગુરુ ચરણમાં રાખો. ગુરુજી૦&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&#039;&#039;&#039;નોંધ:&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ખવાસણ&lt;br /&gt;
|next = તેજસિંહ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E2%80%98%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8_%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E2%80%99%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%85%E0%AA%B5%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8&amp;diff=111468</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/‘નંદશંકર જીવન ચરિત્ર’નું અવલોકન</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E2%80%98%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8_%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E2%80%99%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%85%E0%AA%B5%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8&amp;diff=111468"/>
		<updated>2026-05-30T03:20:38Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|‘નંદશંકર જીવનચરિત્ર’નું અવલોકન}} {{Poem2Open}} કવિ નાનાલાલનાં કેટલાંક કાવ્યો ભા. ૧લાનું અવલોકન લખતાં, રા. બ. રમણભાઈએ ‘જ્ઞાનસુધા’માં લખ્યું હતું કે ગયા જમાનાના લેખકોના પુત્રો દ્વા...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|‘નંદશંકર જીવનચરિત્ર’નું અવલોકન}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ નાનાલાલનાં કેટલાંક કાવ્યો ભા. ૧લાનું અવલોકન લખતાં, રા. બ. રમણભાઈએ ‘જ્ઞાનસુધા’માં લખ્યું હતું કે ગયા જમાનાના લેખકોના પુત્રો દ્વારા પણ આ જમાનાની સાહિત્યપ્રવૃત્તિ ચાલુ રહી છે. ‘કરણઘેલા’ના સમર્થ કર્તાના વિદ્વાન પુત્રની કૃતિ જોતાં અમને એ શબ્દોનું સ્મરણ થઈ આવ્યું છે. ગુજરાતી સાહિત્ય મંદિરમાં પોતાના પરલોકવાસી પિતાનું જીવનચરિત્ર લખી પ્રવેશ કરવા માટે રા. રા. વિનાયકને અમે આવકાર આપીએ છીએ. સાથે સાથે કહી દઈએ છીએ કે આટલા અર્ધ્યથી ગુર્જરીદેવી સંતૃપ્ત નથી થવાની.&lt;br /&gt;
રા. રા. વિનાયકના બે મોટા ભાઈઓએ એમની કેળવણીના પ્રમાણમાં ગુજરાતી સાહિત્યની કાંઈ જ સેવા નથી કરી તેમ તેઓ નહીં કરે એવી આશા છે. દલપતરામનું નામ નાનાલાલે, મહીપતરામનું નામ રા. બ. રમણભાઈએ, ભોળાનાથનું નામ રા. રા. નરસિંહરાવે રાખ્યું છે; તેમ નંદશંકરનું નામ રાખવા રા. રા. વિનાયક ચૂકશે નહીં એવી આશા છે.&lt;br /&gt;
ગુજરાતીઓમાંથી જેઓએ ઊંચામાં ઊંચી કેળવણી લીધી છે તેઓ ગુજરાતી સાહિત્યને કંગાળ રહેવા દેશે તો પછી એમની કેળવણી એ રીતે વૃથા ગઈ છે એમ કહેવામાં સહેજ પણ ખોટું છે? ગુજરાતી સિવિલિયનોની હાલમાં સંખ્યા વધી છે. રા. રા. અબદુલ્લા યુસુફઅલ્લીએ અંગ્રેજી અને ઉર્દૂનો સ્વીકાર કરી પોતાની માતૃભાષાની સહેજ પણ સેવા કરી નથી. પણ રા. રા. વિનાયક અને રા. કાંટાવાળા સાહિત્યપ્રેમી અને સાહિત્યસેવક પિતાના પુત્રો છે. રા. રા. નાનાલાલ ચમનલાલ ઇંગ્લૅંડમાં અભ્યાસ કરતા ત્યારે કવિતાઓ લખતા હતા. આ સર્વે પોતાની સત્તા, વૈભવ, કામકાજમાં ગુજરાતી સાહિત્યનું વિસ્મરણ નહીં કરે એવી એમને અમારી વિનંતિ છે.&lt;br /&gt;
સુરતીઓએ પોતાના આગેવાન સાહિત્યસેવકોનાં જીવનચરિત્ર લખી સુરતના ઇતિહાસનું એક પ્રકરણ લખવા સારી સામગ્રીનો સંગ્રહ કર્યો છે. નર્મદાશંકર, નવલરામ, દુર્ગારામ, મલબારી, ઇચ્છારામ વગેરેનાં જીવનચરિત્રોમાંથી સુરતનો જેવો ખ્યાલ આવે છે તેવો હજુ અમદાવાદ, નડિયાદ કે બીજા ‘સાક્ષર’ નગરનો આવતો નથી. રા. રા. વિનાયકે ‘કરણઘેલા’ને પોતાના પિતાની કીર્તિનો ધ્વજ ગણ્યો છે અને તેમાંની વિગતો કેવા વાતાવરણમાંથી સૂઝી હશે તે પારખવા અને પોતાના પિતાનું અનુપમ શીલ કેવા અનુકૂળ અને પ્રતિકૂળ વાતાવરણમાં ઘડાયું તે નિરૂપવા, બની શકે તેટલી સામગ્રી તત્કાલિક ચિત્ર માટે એકઠી કરી છે. સુરતીઓના લાલાશાહી જીવનનો ખ્યાલ આબેહૂબ આપવા પ્રયત્ન કર્યો છે. મલિન વાતો લખતાં વૃત્તિ ઊંચી રાખી છે અને તેમાં કાંઈ પણ પ્રકારનો રસ લીધા વિના સંયમથી જે લખી શકાય તે લખ્યું છે. પણ તે જીવન અમુક રીતે સભ્યતાવિહીન હતું એટલે વર્ણનમાં પણ એ વિહીનતાના અંશો આવી ગયા છે.&lt;br /&gt;
રા. રા. વિનાયકની પાસે પિતાના ચરિત્ર માટે કાંઈપણ લેખિત માહિતી નહોતી. નવલરામના જીવનચરિત્રમાં જેવા ઉતારા ગોવર્ધનરામે આપ્યા છે તેવા અથવા ગોવર્ધનરામની જીવનકથામાં જેવા ઉતારા એમની Scrap books માંથી આપી શકાય એવા ઉતારા આ ગ્રંથમાં નથી. પણ રા. રા. વિનાયકે પોતાના સંસ્કારી પિતા સાથે આપણા જીવનના વિવિધ પ્રશ્નો વિશે વાતચીત કરી તેમના નિર્ણયો અને અભિપ્રાય જાણેલા તે આ ગ્રંથમાં આપ્યા છે. આ નિર્ણયો અને અભિપ્રાયો જીવનના કયા કાળમાં કેવા કેવા અનુભવને પરિણામે નંદશંકરે બાંધેલા અથવા એમાં પુત્રની વિદ્વત્તાને અજાણતાં ક્યાં ક્યાં પાસ લાગી ગયો છે તેનું નિરાકરણ કરવાની મુશ્કેલી છે. માહિતીને અભાવે અને શ્રુત સામગ્રીની અસંકલિત, વખતે અસંબદ્ધ અને પ્રાસંગિક સ્થિતિને લીધે આ ગ્રંથમાં પણ શિથિલતા લાગે છે; પ્રમાણની ન્યૂનતા આવી ગઈ છે. પિતાના જીવનના બનાવો બહુ ઓછા છે, એ જીવનના માનસવિકાસના નિરૂપણ માટે આવશ્યક સાધનો મોજુદ નથી એટલે પુત્ર વાતાવરણમાં, વિવિધ વિષયોના તલસ્પર્શી વર્ણનોમાં વધારે નિમગ્ન થઈ ગયા છે. નંદશંકર આનુષંગિક લખાણોમાં દબાઈ ગયા છે. એટલું છતાં એ નંદશંકરનું ચિત્ર સ્પષ્ટ આપણી આંખ આગળ તરી આવી ઊભું રહે છે. સુખી જીવન માટે ઉદાહરણરૂપ થઈ પડે એવા છે. દુર્ગારામ, નર્મદાશંકર નવલરામ, મહીપતરામ વગેરે ઉછાળામાં ઉછળી રહ્યા હતા ત્યારે નંદશંકર કેમ શાણા થઈ ગયા એ પ્રશ્ન નિરુત્તર રહે છે. પણ એ શાણપણ અને પ્રભુની કૃપાથી એમણે સુખી, કાર્યપરાયણ, વિદ્યાવિલાસી અને કુટુંબવત્સલ જીવન ગાળ્યું છે. કરણઘેલા સિવાય બીજું કાંઈ પણ સાહિત્યપ્રવૃત્તિ કેમ ન કરી? જો દેશપ્રેમ, ભાષાપ્રેમ, ઇતિહાસપ્રેમ એમને એ કથા લખાવી શક્યો તેમણે બીજી કથાઓ લખવા કેમ પ્રેરણા નહીં કરી?&lt;br /&gt;
આમ અનેક જિજ્ઞાસા અસંતુષ્ટ રહે છે; ઉર્દૂના અવારનવાર પ્રયોગોથી ક્લિષ્ટતા અથવા અર્થબોધની મુશ્કેલી આવેલી છે; છેવટે નંદશંકર વિશેના બીજાના અભિપ્રાયો આપી કળાની ક્ષતિ અને પ્રતિષ્ઠાહાનિ કરેલી છે. આટલું છતાં પણ આ ગ્રંથ સન્માનપાત્ર છે. ઊંચા સંસ્કારથી સંપન્ન છે. વિચારનો ઉત્તેજક છે. બુદ્ધિને સંતોષ અને આશ્ચર્ય પમાડે એવો છે. એમાં જીવનના પ્રશ્નોની ચર્ચા કે નિર્ણયો નથી પણ અનુભવીઓએ તે સંબંધમાં વ્યક્ત કરેલા અભિપ્રાયોથી ચર્ચિત છે અને એ અભિપ્રાયો અવગણના થઈ શકે એવા નથી. ઉપરાંતમાં ‘કરણઘેલા’ જેવી વ્યુત્પન્ન નવલકથાના કર્તાના સંસ્મરણોનો ગ્રંથ છે. ગુજરાતી સાહિત્યના ઉદય અને ઉદયોત્તર કાળમાં કેવી સ્થિતિ હતી, કેવી ભાવનાઓ થનથનાટ કરતી હતી, ભૂતકાળના કેવા વારસા સાથે વર્તમાનમાં સંક્રાંતિ થતી હતી તે સર્વે આ ગ્રંથથી જાણી શકાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|★}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાહિત્ય પરિષદ સ્થપાઈ ત્યારથી તે રણજિતરામ ગુજરી ગયા ત્યાં સુધીનો એમનો એ સંસ્થા જોડેનો નિકટ સંબંધ જગજાહેર છે. છતાં ઘણાને એ ભાગ્યે જ ખબર હશે કે કેટલેક અંશે તે, તે સંસ્થાના આત્માની ગરજ સારતા હતા. એ સંસ્થા વિષે માહિતી પ્રસારવી, નવા નવા પુરુષોને એમાં રસ લેતા કરવા, જુદા જુદા મત ધરાવતા સાક્ષરોનો વિરોધ ભાંગી તેમને એકઠા રાખવા, પરિષદ શોભી નીકળે એવી સામગ્રીઓ એકઠી કરવી અને જ્યાં તે ભરાવાની હોય ત્યાં જઈ તેની બેઠક સફળ થાય તેની બધી તૈયારી કરવી—આ બધાને પોતાના જીવનની આદ્ય પ્રવૃત્તિ તેણે કરી રાખી હતી.&lt;br /&gt;
રણજિતરામ માણસ નહોતા–એક ભાવના હતા. ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(Self Conciousness)ના એ અવતાર હતા. તેને જ માટે તે જીવતા, તેને જ માટે તેણે ત્યાગવૃત્તિ ધારી, તેને જ માટે તે નવા નવા માણસોના સંસર્ગમાં આવવા ઝંખતા, તેને જ માટે ગમે તે વેઠી એ બધાને એ ભાવનાએ પ્રેરવા મથતા. તેના હૃદયમાં એક જ વિચાર હતો : બંગાળની માફક આપણું સાહિત્ય ક્યારે સમૃદ્ધિવાન થાય – આપણી કળા ક્યારે વ્યક્તિત્વ પામે – આપણો ઇતિહાસ ક્યારે સજીવન થાય – આપણી રાષ્ટ્રીય અને સામાજિક અનુકૂળતા ક્યારે સંધાય – આપણી સંસ્કૃતિ ક્યારે વિજય પામે અને આ બધાંને પરિણામે નવીન ગુજરાત ક્યારે અવતરે એમની નજર આગળ નવીન ગુજરાત સ્વપ્નું નહોતું, જીવંત વ્યક્તિ હતી. એ બધાને પ્રેરતા તો એક લક્ષ તરફ – ગુજરાતનાં ગૌરવ, એકતા, અસ્મિતા, વિવિધતાથી ભરપૂર ગામેગામના લેખકોનાં એ – આ ભાવનાના અવતાર – કેન્દ્રસ્થાન હતા. આ ભાવના પ્રસારવી એ જ એનો જીવનમંત્ર હતો.&lt;br /&gt;
{{right|  કનૈયાલાલ મુનશી}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી&lt;br /&gt;
|next = &lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%8B%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A7%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A0%E0%AB%80&amp;diff=111467</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%8B%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A7%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A0%E0%AB%80&amp;diff=111467"/>
		<updated>2026-05-30T03:17:43Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નડિયાદના નાગરવેપારી ધીરજરામ ત્રવાડી મુંબઈ, સુરત અને નડિયાદમાં વેપાર કરતા હતા. તેઓ પોતાના ધંધામાં બાહોશ અને કુનેહબાજ હતા, તેમ જ ધર્માદા કરવામાં અત્યંત ઉદાર હતા. ગોવર્ધનરામના પિતા માધવરામ ત્રવાડીની ઉંમર જ્યારે દશેક વર્ષની હતી ત્યારે ધીરજરામનો કાળ થયો; અંતકાળે વેપારની સુપ્રત પોતાના જમાઈ નવલરામને કરી, તેમ જ કુટુંબ અને વેપારની પ્રતિષ્ઠા વધારનાર કોઈ મહાત્મા આવશે એવી ભવિષ્યવાણી કહી. કાશીથી કે તે તરફના પ્રદેશમાંથી કુટુંબકલેશને લીધે નાસી આવેલા મુનિમહારાજ નામના સાધુને, ત્રવાડી કુટુંબમાં, ધીરજરામની ભવિષ્યવાણીને લીધે, તેમની વિધવા ઉમીયાકોરે સ્થાન આપ્યું. મુનિમહારાજના વહીવટથી વેપાર અસલ મુજબ ધીકતો રહ્યો; પણ એમણે વૈભવ પુષ્કળ વધારી દીધો. સાસુના મરણ પછી એ વૈભવ ઘટાડવા ગોવર્ધનરામનાં માતુશ્રીએ મુનિમહારાજને કહ્યું : ‘મહારાજ! હાટ એનું એ છે, પણ વાણિયો બદલાયો છે.’ ઇંગિત સમજી મુનિમહારાજે વૈભવ ત્યાગી માધવરામનાં બાળગોપાળ ગોવર્ધનરામ અને શણગારલક્ષ્મીને ઉછેરવામાં બાકીનું જીવન ગાળ્યું. બચપણમાં જ આવા સાધુનો ગોવર્ધનરામને સમાગમ થયો.&lt;br /&gt;
વિ. સં. ૧૯૧૧ની વિજયાદશમી જેવા પુનિત અને ઇતિહાસપ્રસિદ્ધ દિવસે માધવરામનાં પત્ની શિવકાશીએ નડિયાદમાં પોતાના પિયરના ઘરમાં ગોવર્ધનરામને જન્મ આપ્યો. બાળક જન્મથી જ અનારોગ્ય રહેતો. એક સંબંધીના હૃષ્ટપુષ્ટ બાળક સાથે તેનો વિનિમય કરવાની માતાને ઉત્કંઠા થયેલી પણ તે સંબંધીની અનિચ્છા વગેરેને લીધે ઉત્કંઠા અતૃપ્ત રહી અને કુલોદ્ધારક ને કુલદીપક બાળક કુળમાં જ ઉછર્યો. સમગ્ર જીવનપર્યંત ગોવર્ધનરામની તબિયત વિવિધ વ્યાધિથી પીડિત રહેતી. તેનાં બીજ કદાચ આમ નાનપણના અનારોગ્યને લીધે ખોવાયેલાં.&lt;br /&gt;
પિતાની વેપારની મોટી પેઢી મુંબઈમાં હોવાથી ગોવર્ધનરામનો ગુજરાતી અભ્યાસ બુદ્ધિવર્ધક શાળામાં થયો હતો.&lt;br /&gt;
વિ. સં. ૧૯૧૭માં મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, જેઓ ધીરજરામ ત્રવાડીના ભાઈ શિવરામના પૌત્ર થતા હતા તે મુંબઈ ભણવા ગયા. બે વર્ષ પછી આંખના વ્યાધિને લીધે અભ્યાસ છોડી તેઓએ માધવરામની પેઢીની વ્યવસ્થા કરવા માંડી. આ વખતથી જ એમના સહવાસમાં ગોવર્ધનરામ આવેલા.&lt;br /&gt;
આ અરસામાં સુધારણાની જુવાળો ઊછળતી હતી. પશ્ચિમના સંસર્ગે યુગપરિવર્તન જમાવ્યું હતું. યુરોપીય સંસ્કૃતિના સંસર્ગ ને ભીંસને લીધે સમગ્ર ભારતમાં ખળભળાટ થઈ રહ્યો હતો. પાદરીઓના ઉપદેશથી અને ઈંગ્લિશ સાહિત્યાદિના પરિચયથી ભાવનાઓ પલટાતી જતી હતી. ધર્મ અને સંસારના પ્રદેશમાં તુમુલ મંથન થઈ રહ્યું હતું. પ્લાસીના વિજયને સો વર્ષ થયાં હતાં— તે દરમ્યાન અંગ્રેજી અમલ ભરતખંડમાં બધે ફરી વળ્યો હતો. પરિણામે ઈ. સ. ૧૮૫૭ ના સીપાઈવિદ્રોહના ભડકામાં મધ્યકાલીન ભારત ભસ્મીભૂત થયું. અને રામમોહનરાય તથા રાધાકાન્તે નવીન યુગના આચાર્ય થઈ નવો જ પ્રકાશ રેલાવ્યો. એ પ્રકાશને લીધે ફ્રેંચ રાજ્યપરિક્રાન્તિની વીરહાકો અને કોમ્ટ, મિલ, બેન્થામ આદિ પાશ્ચાત્ય તત્ત્વચિંતકોના સિદ્ધાંતો દેશમાં રણકાર કરી રહ્યા હતા. સર વિલિયમ જોન્સ, અને તેના યુરોપીય અનુયાયીઓના ભગીરથ અભ્યાસને પરિણામે પ્રાચીન ભારતનું ગૌરવ યુરોપમાં ગવાતું હતું અને એ પ્રગતિના પડઘા આ દેશમાં પડતા હતા.&lt;br /&gt;
પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રત્યક્ષ પરિચયનાં સાધન સીપાઈવિદ્રોહના વર્ષમાં સ્થપાયેલાં વિશ્વવિદ્યાલયો દ્વારા હિંદીઓને પ્રાપ્ત થતાં હતાં. સંસ્કૃતનો અભ્યાસ વધારવા, યુરોપીય સંસ્થાઓના ઇતિહાસ-વ્યવસ્થાદિ વિશે વિશેષ માહિતી મેળવવા, તેમ જ ડાર્વિન, સ્પેન્સર પ્રભૃતિના વિચારોથી અને ‘સાયન્સ’ ના જીવન સાથે વધતા જતા સંબંધથી યુરોપમાં થતા વિચારાચાર વિવર્તના પ્રવાહમાં ઝીલવાના પ્રસંગ વિશ્વવિદ્યાલય ઉપજાવવા લાગ્યાં : ઉત્સાહ ને ઉચ્છેદને સ્થાને દીર્ઘદૃષ્ટિ ને વિચારશીલતાં ઉદ્ભવ્યાં. મૅક્ષમુલર પ્રભૃતિના અભ્યાસને લીધે તેમ જ સંસ્કૃતના જ્ઞાનના પ્રસારને લીધે નવીન ભારત બેને બદલે ત્રણ પ્રવાહમાં – યુરોપીય, અર્વાચીન ને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પ્રવાહોમાં નિમગ્ન થયું. એ પ્રવાહોની ઇષ્ટાનિષ્ટ ગતિ વિષે ગંભીર આલોચના ઉદય પામી.&lt;br /&gt;
રા. રા. મનસુખરામને આ નવીન પ્રવૃત્તિનું અવગાહન થયું હતું. સાથે સાથે સંસ્કૃત સાહિત્ય અને દર્શનનો અભ્યાસ થતો જતો હોવાથી પ્રાચીન ભારત અને તેના આચાર્યો માટે તેમને અભિમાન સ્ફૂર્યું. આવા પુરુષના અહોનિશ સહવાસી ગોવર્ધનરામને તે અભિમાન સ્ફૂરે અને પ્રાચીન આર્યોની પર્યેષકવૃત્તિ તથા ઉદાસીનતા એમને સ્પર્શી જાય એ સહજ છે.&lt;br /&gt;
ઇંગ્લિશ ભાષાનો અભ્યાસ નડિયાદમાં આરંભી ઇ. સ. ૧૮૬૮માં ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં દાખલ થયા. આ જ વર્ષમાં લગ્ન કરી બ્રહ્મચર્યાવસ્થામાં ગૃહી બન્યા. ચતુર અને મેધાવી અભ્યાસમાં આગળ વધતો હતો; અવલોકન અને વિવેકશક્તિ ખીલવતો હતો. માતાનાં અને બીજી સ્ત્રીઓનાં ગીતો, પિતાનાં ભજનો અને માણભટોની કથાથી જાગેલ રસિકતા સંસ્કૃત અને ઇંગ્લિશ સાહિત્યના આસ્વાદથી ઉચ્ચતર થતી હતી, અને દાંપત્યસ્નેહનાં મનોરાજ્ય કલ્પાવતી હતી, કોઈક વખત તેનો અનુભવ કરાવતી હતી, અને સંસ્કૃત કે ઇંગ્લિશ પદ્યબંધમાં આવિર્ભાવ પામતી હતી.&lt;br /&gt;
ઈ. સ. ૧૮૭૧માં ‘મૅટ્રિક્યુલેશન’ માં પાસ થયા ત્યારે રા. મનસુખરામે ગોવર્ધનરામને ‘સિવિલ સર્વિસ’ ની પરીક્ષા માટે ઇંગ્લૅન્ડ મોકલવા ધાર્યું. પણ વિચાર અમલમાં મુકાયો નહીં. ઇંગ્લૅન્ડના વાતાવરણમાં ઘૂમી આવેલા ગોવર્ધનરામની પર્યેષણા અને ભાવનાઓએ કેવું સ્વરૂપ લીધું હોત તે કલ્પવું કઠિન છે.&lt;br /&gt;
મૅટ્રિક્યુલેશનમાં રોમનો ઇતિહાસ વાંચતાં હેનિબાલની ઉગ્ર પ્રતિજ્ઞા તથા તેની અને સીપીઓની વિક્રમાકુલ કથા વાંચી જવાલા ભભૂકી ઊઠી હતી. કૉલેજમાં પ્રવેશ પામ્યા પછી ત્યાંના વાતાવરણે અને અભ્યાસે તે જ્વાલા અખંડ રાખી. પણ ઈ. સ. ૧૮૭૨માં જીવન આસપાસ ફરી વળતી જ્વાલાઓમાં તપતા ગોવર્ધનરામે ભડકા શાન્ત કરવા પ્રયત્ન આરંભ્યા અને ભડકા હોલવતાં ગરમી ઊડી ન જાય તેની સંભાળ લીધી. જ્વાલા શાન્ત કરવાની વૃત્તિએ રગેરગમાં વૈરાગ્ય પ્રસરાવ્યો અને જનહિતની વાસના સ્ફુરાવી.&lt;br /&gt;
કૉલેજમાં આગ્રહી અને રસિક પણ ગરીબ સહાધ્યાયીઓ હરિરામ ઉત્તમરામ ભટ્ટ અને રામચંદ્ર વિષ્ણુ ગોખલેના સહવાસમાં એ વાસના અધિક દૃઢ અને ઉત્તેજિત થઈ. હરિરામ અને ગોવર્ધનરામના જીવ અદ્વૈત પામ્યા હતા—બંને એકબીજાની અભિલાષાઓ, સુખોપભોગનાઓ ને વેદનાઓમાં સહભાગી થતા. ગોવર્ધનરામની કવિતાઓ હરિરામ પાસે વંચાતી અને બંને મિત્રો તેનું રસપાન યથેચ્છ કરતા. ‘સ્નેહમુદ્રા‘ એકવાર આ મિત્રને અર્પણ કરવા ઇચ્છા થયેલી પણ જેના વિચ્છેદથી એ કાવ્ય પ્રગટ્યું હતું તે હરિલક્ષ્મીને અર્પણ થયું. પ્રણયશીલા પત્ની અને સાનુરૂપ સુહૃદના સહવાસમાં ગોવર્ધનરામનું આંતરજીવન વિકસતું ચાલ્યું.&lt;br /&gt;
કૉલેજમાં મંડળીઓ સન્મુખ ભાષણ આપવાના રિવાજ મુજબ ઈ. સ. ૧૮૭૩માં ‘Is there any Creator of the Universe?’ અને ‘Stale of Hindu Society in the Bombay Presidency’ નામના બે નિબંધો વાંચ્યા. કવિતાના સ્વરૂપ વિષે પણ નિબંધ વાંચ્યો હતો અને ત્યારે જે વિચારો બાંધ્યા હતા તે જ વિચારો પોતાનાં કાવ્યોમાં અનુસ્યૂત છે તથા ‘સમાલોચક’ માં એક વખતે તે પ્રસિદ્ધ કર્યા હતા.&lt;br /&gt;
મીઠા અને સુખના દિવસો વહી ગયા – જીવનવીણાનો તાર તૂટ્યો. એક બાળકને મૂકી ગાઢ સ્નેહનો રસ ચખાડી હરિલક્ષ્મી ઈ. સ. ૧૮૭૪માં પંચત્વ પામી. વિરહથી થયેલી વ્યથાથી એવો મર્મભિદ્ કરુણ રસ ગોવર્ધનરામના જીવનમાં વ્યાપી ગયો હતો કે સંસ્કૃત અને ગુજરાતીમાં શોકગીત રચવા છતાં તે રસ ન ખૂટતાં, દ્વિતીય લગ્નથી થયેલાં બાળકોથી વીંટળાયેલા ગોવર્ધનરામને ઘણીવાર મધ્યરાત્રિએ અશ્રુરૂદ્ધ કરતો. મૃત્યુ અને વિચ્છેદથી કવિત્વના ઊંડાં ઝરણાં ફૂટી નીકળે છે – તેમનાં સ્ફુલિઙ્ગથી ભાવનાઓના અપ્રતિમ આદર્શો ભભૂકી ઊઠે છે તેમ સ્નેહચ્છેદથી માનસસ્નેહનો ઉચ્ચગ્રાહ અને મહિલાઓ પ્રતિ ઘણામિશ્ર સાનુકંપા અને બહુમાનની વૃત્તિ પ્રગટ્યાં.&lt;br /&gt;
કોમલ, ભાવસ્નિગ્ધ, કલ્પનાશીલ અને મહેચ્છુ હૃદયને ચૂર્ણ કરવા આ વિરહ શક્તિમાન ન હોય તેમ આ જ અરસામાં માધવરામની પેઢી ભાંગી. સુદૃઢ વ્યવસ્થાને અભાવે, સગાં અને ન્યાતીલાઓના સંતાપ ને સ્પર્ધાથી તેમ જ દીર્ઘદૃષ્ટિ યથાર્થ ન વાપરવાથી એકમાર્ગી ને ભલા પરમવૈષ્ણવ માધવરામની દુકાન ભાંગી. —ચિત્ત, હૃદય અને શરીર ક્ષુબ્ધ થયાં. ગર્ભશ્રીમાનને મનોરાજ્યમાં ઊડતા આવો ઉદ્વેગપ્રદ ને ચિત્ત વિહ્વલ કરનારો પ્રખર ઝપાટો લાગ્યો. માનસિક સમતોલન દોલાયમાન થયું અને પરિણામે ઉત્તરપત્રો ફાડી નાખવાથી બી. એ. માં નાપાસ થયા. હૃદયમાં ઘૂઘવતા શોક અને સંતાપનાં તોફાનો આ વખતે લખાતી કવિતા મારફત ગોવર્ધનરામ શાંત કરતા. પાંખ પર પ્રહાર થવાથી પૃથ્વી પર પડેલા પંખીરાજની દૃષ્ટિ વેદના ખમતી ખમતી ગગનભેદી રહી. અવડીન—હતાશ ગોવર્ધનરામની લોકકલ્યાણ સાધવાની પ્રતિજ્ઞા તીવ્રતમ અને વેગભરી બની.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘I know not me and care not how I fare!&lt;br /&gt;
I live to work and work for other’s good.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઇંગ્લિશ ભાષામાં લખેલા જોડકણામાં જનહિત-કર્તવ્યના ઉગ્ર આગ્રહની ગર્જના સંક્ષોભથી મેઘાચ્છન્ન હૃદયે કરી છે.&lt;br /&gt;
દુકાન ભાંગવાથી પિતા નડિયાદ ગયા ત્યારે રા. મનઃસુખરામને ત્યાં રહી ગોવર્ધનરામે અભ્યાસ કર્યો. જે વર્ષમાં દયાનંદે આર્યસમાજ અને બ્લાવટ્સ્કીએ Theosophical Society સ્થાપ્યાં તે જ વર્ષમાં પ્રાચીન આર્ય ધર્મનું ગૌરવ અને મહત્ત્વ ગાનાર ગ્રેજ્યુએટ થયો. આ વખતે ‘Scope of University Education’ નામનો લેખ વાંચ્યો, ‘Influence of Asceticism on the Social Morality of the Hindus’ નામના સંકલ્પેલા લેખને સુધારી Friendly Society સન્મુખ ‘Asceticism in my sense of the term’ એવું નામ આપી વાંચ્યો. ‘A mind retiring from the vain external colours and talks of nature into the real inward soul and, heart of the whole and a blind furious rush into the battlefield of benevolence, looking ever onwards caring never for the uplifted sword and their wounds and undaunted by the browbeatings of Death and Defeat’ તેમ જ ‘It is a ceaseless industry for its own sake and tending to the good of Society.’ — આ લેખમાંથી આપેલા ઉતારા એમના વૈરાગ્યનું સ્વરૂપ સ્પષ્ટ આંકે છે. જે વૈરાગ્ય એમના જીવનમાં પ્રસરી રહ્યો હતો — જે વૈરાગ્ય ‘સરસ્વતીચંદ્ર’ માં આલેખ્યો છે, તેની રૂપરેખાઓ આ લેખમાં દર્શન દે છે. પરતંત્ર અને અવસન્ન ભારતના ઉદ્ધાર માટે નિષ્કામ ને પ્રવૃત્તિપૂર્ણ વૈરાગ્ય આવશ્યક છે એવો સિદ્ધાંત ગોવર્ધનરામના અનુભવો ઊપજાવે છે. ઉલ્લાસ, ઉત્સાહ મરી ગયાં છે; નિરાશા, અવસાદ, આધિવ્યાધિ કેર વર્તાવી રહ્યાં છે ત્યારે નિઃસ્વાર્થ કલ્યાણ, ઉડ્ડયન, પ્રવૃત્તિમાં ભાવો આશ્વાસન – ઉત્તેજન આપે છે, મૃતઃપ્રાય થતા જીવનને સંજીવની સુંઘાડી ચેતનમય રાખે છે.&lt;br /&gt;
પત્નીનાં સ્નેહાવશેષ ઉપર ‘હૃદયરૂદિતશતક’ ની સમાધિ ચણી હતી. ભવભૂતિનો કરૂણારસ ગીર્વાણભાષામાં ગોવર્ધનરામના મર્મભિદ્ શોકથી પુનર્જન્મ પામતો હતો. રસનું પાન કરવાનો અધિકારી હરિરામ કરછમાં નોકર હતો ત્યાં બાલપત્ની અને વૃદ્ધ પિતાને રઝળતાં મૂકી વિદેહ થયો. તુલ્લુ અને ગોખલે પણ એને જ પંથ પળ્યા. હૃદયમાં ઊંડા વ્રણ ખોદાતા ગયા. શોકધારા અધિક વેગથી ફૂટવા લાગી. ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં શોકગીતિ રચવા માંડી.&lt;br /&gt;
પહેલી એલએલ. બી. પાસ કરી એમ. એ. નો અભ્યાસ સાહિત્ય(અંગ્રેજી અને સંસ્કૃત, તેમાં ન્યાય ઐચ્છિક વિષય) લઈ કર્યો. એક પછી એક થતા ઋતુના સખત ફેરફારોથી ગિરિરાજની વજ્રછાંટો પણ ઘસાઈ જાય છે, તેમ પ્રખર અને ભૈરવ વિપદથી ભયસ્નિગ્ધ ગોવર્ધનરામ મસ્તિષ્કવ્યાધિ(Brain disease)થી પીડાવા લાગ્યાં. આશામાં સુનકાર ડરાવતો ઊભો. મનોરાજ્યો ધ્વસ્ત થઈ ગયાં.&lt;br /&gt;
જીવનને આંગણે ત્રણ પ્રતિજ્ઞા ગોવર્ધનરામે લીધી હતી : (૧) એલએલ. બી. થઈ (૨) નોકરી ન કરતાં સ્વતંત્ર વકીલાત કરવી ને (૩) ૪૦ કે ૪૨ વર્ષે નિવૃત્ત થઈ લોકકલ્યાણ સાધવા જીવન અર્પવું. આ પ્રતિજ્ઞાનુસાર ગ્રેજ્યુએટ થયા ત્યારે દી. બા. મણિભાઈ જશભાઈએ કચ્છમાં આપવા માંડેલી રૂ. ૩૦૦ ની નોકરી ન સ્વીકારનાર ઋણી અને આધિવ્યાધિગ્રસ્ત હોવાથી રૂ. ૧૨૫/– ના પગારે ભાવનગર ગયા. દીવાન શામળદાસની મહેરબાનીથી કામ જૂજ હતું. તેથી કાયદાનો અભ્યાસ થઈ શક્યો અને પૈતૃક ઋણશોધન તથા કુટુમ્બપોષણનાં સાધન પ્રાપ્ત થયાં. ભાવનગરમાં ગોવર્ધનરામ જનસ્વભાવ નિરીક્ષતા હતા અને જીવનના અનેક પ્રશ્નો વિશે આલોચના શરૂ કરી હતી.&lt;br /&gt;
રા. મનઃસુખરામના સાક્ષર, મિત્રમંડળના સહવાસમાં લેખક થવાની અભિલાષા ઊગી હતી. ‘મનોદૂત’ અને ‘હૃદયરુદિતશતક’ નામનાં ખંડકાવ્યો અને સુંદરજી જીવાજી પારિતોષિક મેળવવા લખેલી ‘વિધિકુણ્ઠિત’ની કથા સંસ્કૃતમાં લખ્યાં હતાં. પરચૂરણ કાવ્યો ઉપરાંત ‘Jiji The Mother of Shivaji’ નામનું વિસ્તીર્ણ પદ્યબંધ ઇંગ્લિશમાં કર્યું હતું. બંગાળી લેખકોને જેમ સમજાયું હતું તેમ ઇંગ્લિશ અને સંસ્કૃત ભાષાઓ વર્જી ગુજરાતીમાં લેખ લખવા માંડ્યાં. ગીર્વાણ ભાષાના રસિયાની રા. રા. મનસુખરામના પ્રભાવ નીચે લખાતી ગુજરાતી ભાષા પ્રૌઢ, પ્રલયવાહી, સંસ્કારી અને અર્થગંભીર બની હતી. કાવ્યો ઉપરાંત વાર્તા લખવા વસ્તુ યોજાતાં હતાં. ધર્મજન્મ અને સત્યવ્રતાના પુત્ર દુઃખજન્મનો ઇંગ્લિશમાં દિનચર્યાલેખ લખી હૃદયનો શોકભાર હલકો કરવા માંડ્યો હતો. કામ, રતિ(માનસસ્નેહ,), લક્ષ્મી, અકિંચનતા, દ્વેષ, દુનિયાની આસમાનીસુલતાની, રમણીઓનાં પવિત્ર સતીત્વ અને અધમ દુરાચારનાં સ્વરૂપ સમજવા ને ગુજરાતને સમજાવવા વસ્તુ ગૂંથાતાં હતાં. મુંબઈ, સુરત અને ગામડાંઓની જિંદગી આલેખવા ધારણા થતી હતી. માનસસ્નેહ અને મન્મથના પ્રભાવ ત્રણ મિત્રોની કથા દ્વારા બતાવવા નવલકથાનું અસ્થિપિંજર ઊભું કર્યું હતું. ‘સદ્ગુણચંદ્રની કસોટી’ માં મન્મથની સત્તા નિરૂપવાનો વિચાર તે અપૂર્ણ રહેવાથી અમલમાં નહોતો મુકાયો. બેકનના નિબંધોના અનુવાદ પણ આરંભ્યા હતા.&lt;br /&gt;
અંગ્રેજોની જામતી નવી રાજ્યસત્તાથી કાઠિયાવાડમાં નિયમ ને વ્યવસ્થા જામતાં હતાં. સ્વતંત્ર સત્તા અને ક્ષાત્ર ઉદ્રેક ન્યૂન થતાં હતાં ત્યારે સંક્રાંતિકાળમાં જૂના નવા રાજા, જૂના નવા કારભારીઓ, પોલિટિકલ એજંટ વગેરેના આચારવિચાર–ખટપટમાં વસનાર ગોવર્ધનરામ નવલકથા લખવા પોતાની આસપાસના સંજોગો ઉપયોગમાં લેતા હતા. ‘સરસ્વતીચંદ્ર’ની મૂળ કથા યોજાઈ હતી. પ્રસિદ્ધ થયેલી કથામાં જેટલું ભાવનાને પ્રાધાન્ય છે તેટલું મૂળ કથામાં નહોતું.&lt;br /&gt;
હરસ, આંખનો દુખાવો, મગજના વ્યાધિથી પીડાતાં પીડાતાં કાયદાનો અભ્યાસ કરી ત્રણ વખત ગોવર્ધનરામ એલએલ. બી. ની પરીક્ષામાં બેઠા, પણ નિષ્ફળ થયા. ચોથે પ્રયત્ને સફળ થયા. આ વખતે ભાવનગર અને જૂનાગઢમાં ન્યાયખાતામાં મળતી જગ્યાઓ ન લેતાં મુંબઈ જઈ વકીલાત આરંભી – વકીલાત દરમ્યાન ગુજરાત, કાઠિયાવાડ અને દક્ષિણમાંથી કેસ મળતા એટલું જ નહીં પણ રાજા રજવાડા તથા ભિન્ન ભિન્ન કોમો - હિંદુ, પારસી, મુસલમાનના ધર્મગુરુઓના કેસો પણ એમને મળેલા. ગુજરાતની રગેરગ પરખવાનો અચ્છો પ્રસંગ આથી એમને મળ્યો હતો. વકીલાત અન્નપૂર્ણાના સાધન તરીકે કરતા હતા છતાં ગમે તેવો કેસ હોય તોપણ બાહોશીથી અને પ્રામાણિકપણાથી તે ચલાવતા. આથી ન્યાયાધીશો, વકીલો અને અસીલો તેમનાથી પ્રસન્ન રહેતા અને વખતે વખતે તેમને માટે સન્માન ને પૂજ્યભાવ ધરાવતા.&lt;br /&gt;
મુંબઈમાં સ્વસ્થ થયે નિયમિત વાંચન અને મનન શરૂ કર્યું. સાહિત્ય, ધર્મ, ઇતિહાસતત્ત્વચિંતન ને ધારાશાસ્ત્રના ગ્રંથો વાંચવા ઉપરાંત આલેખન, (drawing) કવાયત, વિગ્રહ, શાસ્ત્રાદિના ગ્રંથો પણ જોતા. ઇંગ્લિશ દૈનિક કે માસિક પત્રો વાંચી તારણ કાઢતા કે ઉતારી લેતા. ગુજરાતીમાં માસિક પ્રગટ કરવાની યોજના પણ લખી કાઢી હતી. વડોદરામાં વિદ્યાખાતામાં રૂ. ૫૦૦/-ની જગ્યા આ વખતે મળતી હતી પણ તે નહીં સ્વીકારી. &lt;br /&gt;
મિ. મલબારીએ બાલવિવાહ અને વિધવાઓની સ્થિતિ વિશે પ્રગટ કરેલા લેખોથી ભરતખંડના વિદ્વાનોમાં સંક્ષોભણ થયું હતું. એવામાં મિ. મલબારીના અંગ્રેજ મિત્રોના આગ્રહ અને દબાણને લીધે સરકારે સંમતિવયનો કાયદો કર્યો. ગોવર્ધનરામ આ કાયદાની વિરુદ્ધ નહોતા પણ સુધારક અને સંરક્ષક પક્ષ વચ્ચે થયેલી ઝપાઝપીમાં તટસ્થ ઊભા રહી એમણે જોયું કે દેશમાં નેતા નથી. તેમ જ સુધારકો સંરક્ષકોનો પક્ષવાદ બરાબર સાંભળતા નથી એ ભૂલ કરે છે. સંરક્ષકો અને પ્રાચીનપક્ષ તેમ જ સુધારકો ગુણદોષ જાણવાથી જ પ્રજાના નેતા થઈ શકાય. A priori વિચાર મગજમાં ભરી દેશહિત સાધવા મથનારથી પોતાની શુભેચ્છાનાં હાનિપ્રદ પરિણામો જોવાતાં નથી એ ખ્યાલમાં આવ્યું. પોતાને ઊભા થતાં આવડ્યા પહેલાં બીજાને ચાલતાં શીખવવાના પ્રયત્ન થતા જોઈ ખિન્ન થયા. હેનીબાલ અને સીપીઓનાં પરાક્રમ કરવાના–ઇટાલી કે અમેરિકાને સ્વતંત્ર કરવાના વિગ્રહ ચલાવવાના જમાના જેવો હાલ વખત નથી. તે જમાનાનાં સત્ત્વ અને સ્વદેશપ્રેમની તથા ડહાપણની દેશને જરૂર છે. દેશસેવામાં આવા વિચારથી પ્રવૃત્ત થાય છે અને એ સેવાના પરિણામની જોખમદારી સમજવા પોતાને અજરામર કલ્પે છે. વધારે જ્ઞાન તથા અનુભવ મેળવવા જગતનો ઇતિહાસ અભ્યસવા અને જીવનના વ્યવહારમાં પણ એક પ્રકારનો ઇતિહાસ હોવાથી તે નિરીક્ષવા કાર્યક્રમ ઘડે છે. સંસાર, શરીર, બુદ્ધિ, નીતિ અને રાજ્યના સંબંધમાં પોતાના સ્વદેશીઓ જાગૃત, વીર્યવાન અને સમૃદ્ધ કેવી રીતે થાય તેની મીમાંસા કરે છે. લશ્કરી બળવાથી નહીં પણ પ્રજાનું આંતરજીવન ઉન્નત અને ધર્મનિષ્ઠ વિકસે ત્યારે જ દેશનો ઉદ્ધાર થશે એવી પ્રતીતિ થવાથી પ્રજાનું આંતરજીવન સ્પર્શવા કેવા ઉપાયો લેવા તે વિચારે છે. જાહેર હિલચાલોમાં ભાગ લેવા અનુત્સુક રહેતા : કારણ કે એવી હિલચાલો ક્ષણિક હોય છે – ‘A breath can unmake them as a breath has made’ એવું ગોવર્ધનરામ આવી હિલચાલો માટે ધારતા. હાલ મચી રહેલા કોલાહલમાં – પશ્ચિમના પ્રવાહથી જૂની સંસ્થાઓ ખોદાતી જોઈ ગોવર્ધનરામ નિશ્ચય કરે છે કે : ‘I wish to produce or to see produced a people who shall be higher and stronger than they are, who shall be better able to look and manage for themselves than is the present helpless generation of my educated and uneducated countrymen.’ ભારતવર્ષના દેદીપ્યમાન ભૂતકાળ અને ગંભીર વર્તમાનકાળના ક્રાન્તદર્શીને લાગ્યું કે પરંપરાભંગ વિના નવા યુગને આવશ્યક અને યોગ્ય બળો તથા સંજોગો દેશમાં ઉત્પન્ન કરવા, ભૂતકાળનો ઇતિહાસ ઉકેલી, ક્યારે ક્યારે અને કેવી કેવી રીતે પ્રજાના નેતાઓએ પ્રજાજીવનના મહાપ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું તે જાણી તે જ માર્ગે ઇતિહાસવૃદ્ધ આર્યપ્રજાનું પ્રગમન કરાવવું. સહસ્રરંગી આસમાનીસુલતાનીમાં અખંડ અને ભાસ્વર રહેલી આર્યતાના ગુણો આ બૂતશિકસ્ત જમાનામાં નાશ ન પામે માટે તે ગુણોનું સામર્થ્ય ને ઔચિત્ય સંપૂર્ણતઃ બતાવવું. ‘દોષને પાળવાથી જેમ હાનિ છે તેથી અધિક હાનિ ગુણોના તિરસ્કાર કરવાથી છે. દોષ સુધારવામાં પ્રયત્ન નથી પડતો તેટલો ગયેલા ગુણોને શોધી કાઢતાં—પ્રાપ્ત કરતાં પડે છે.’ ઈ. સ. ૧૮૮૭ની વસંતઋતુમાં ‘સરસ્વતીચંદ્ર’ની કથા પ્રગટ કરી. ઉક્ત વિચારોથી જ એ ગ્રંથોનો દેહ બંધાયેલો છે. ગુજરાતી સાહિત્યમાં અને પ્રજાજીવનમાં પ્રચંડ પ્રકાશ પડ્યો. કલ્પના, રસ, વિચાર, ભાવના, કલા, જનસ્વભાવની વિવિધ કોટિઓ આ ગ્રંથમાં દૃગ્ગોચર થાય છે. પ્રકાશથી તિમિર ઊડી ગયાં—અનેક પદાર્થોમાં તેનું પરાવર્તન થવાથી તેઓ પ્રકાશવા લાગ્યાં — ચેતન અને જીવન સર્વત્ર સ્ફૂરવા લાગ્યાં.&lt;br /&gt;
દેશને પ્રયાણ માટે દિશા બતાવવા હાલ ઊઠતા પ્રશ્નો વિશે નિબંધો લખવા ધારણા હતી; પણ દેશકાળનો વિચાર કરી તે પ્રશ્નો નવલકથા લખી ચર્ચ્યા– અમૂર્તને બદલે મૂર્ત સ્વરૂપમાં કલાવિધાનથી આલેખ્યા. પ્રાચીન પુરાણકથા અને દંતકથાઓનો નવીન વિચારના શરીર તરીકે ઉપયોગ કરવાની ગૅટેની પદ્ધતિ અંગીકાર કરી હતી. બૌદ્ધ ધર્મની અવનતિના કાળમાં બ્રાહ્મણ ધર્મના પુનરુત્થાન માટે શંકરાચાર્ય પ્રભૃતિએ જે ઉપાયો લીધા હતા તેવા ઉપાયો દ્વારા અર્વાચીનકાળમાં પ્રજાને પ્રગતિની દિશા બતાવી. જૂનું કેવું હતું, તેના ગુણદોષ કેવા હતા, નવી વિદ્યાથી તેમની શી દશા થાય છે, નવી વિદ્યા કેવાં બળો ઊપજાવે છે, તેના ગુણદોષ કેવા છે ઇત્યાદિ દૃષ્ટિબિંદુથી વર્તમાનકાળ નિરીક્ષવો અને જે કલ્યાણપ્રદ અને ઉન્નતિસાધક સાધન પ્રાપ્ત થાય તે વડે આગળ ઘૂમવું. &lt;br /&gt;
માનવજીવનની ઉત્કૃષ્ટાવકૃષ્ટ પરિસ્થિતિ કરનાર ભાવનાઓ – મહાશક્તિઓ સ્નેહ, ધર્મ ને વૈરાગ્ય છે; એ ત્રણના વિરોધ, સમવાય કે ઔદાસીન્યથી માનુષજીવન કેવું થાય તે; એ ત્રણ ભાવનાઓ જેમના જીવનમાં ઘૂમી રહી છે તેઓ વિપ્રલંભના(Temptation) તુમુલ પ્રભંજનથી શરીર, મન અને આત્મા અત્યંત ક્ષુબ્ધ થવા છતાં પરાજય પામતા નથી પણ ઓર કેવી રીતે પોતાનું અને જગતનું શ્રેય સાધે છે તે આ ગ્રંથમાં આલેખ્યું છે.&lt;br /&gt;
આર્યતા— આર્યસંસ્કૃતિ શું છે? કેવી છે? મનુષ્યજાતિના ઇતિહાસમાં તેનું કયું સ્થાન છે? કેવું મહત્ત્વ છે? જીવનના કેવા ઉચ્ચગ્રાહો જગતને એણે અર્પ્યા છે? – નાનપણથી આર્યતાનો સંસ્કારી અને અભિમાની આ જ ગ્રંથમાં આ પ્રશ્નોની મીમાંસા ઉપાડે છે.&lt;br /&gt;
આ જ વર્ષમાં ‘રસસુંદરી અને તત્ત્વાનંદસ્વામી‘નું અપૂર્ણ કાવ્ય લખવા માંડ્યું. રસ અને તત્ત્વ—હૃદય અને મનમાં અદ્વૈતથી જ જીવન રમણીય, ઉચ્ચ અને વિશાળ બને છે. પત્ની અને મિત્રોના મૃત્યુથી ફૂટેલું કવિત્વ ‘વિપ્રલંભ કે સંસ્કારમુદ્રા‘ને નામે શબ્દોમાં વ્યક્ત થતું હતું. તે ઈ. સ. ૧૮૮૯ માં ‘સ્નેહમુદ્રા‘ને નામે પ્રસિદ્ધ થયું. મન્મથમાં ઉત્પન્ન થતો સ્નેહ માનસસ્નેહ થઈ જાય છે, જગતમાં વ્યાપી જાય છે; ધર્મની પ્રચંડ જ્વાલા સળગાવનાર અને તે અખંડ રાખનાર માનસસ્નેહ છે; એ સ્નેહ ઊપજાવનાર મહિલાઓ જગતમાં કેવી દિવ્ય ઉદ્ધારક શક્તિઓ છે; સ્નેહમાંથી જાગેલી ધર્મની તીવ્ર ભાવના જગતનું કલ્યાણ સાધી શકે છે. આવા આવા ‘સ્નેહમુદ્રા‘ના સંદેશા છે. ‘સરસ્વતીચંદ્ર‘માં સ્નેહનું જે સ્વરૂપ નાયકનાયિકાના જીવનમાં વ્યાપ્ત જણાય છે તે આ કાવ્યમાં કવિત્વમય રીતિએ આલેખ્યું છે.&lt;br /&gt;
ઉપનિષદ્ અને ભક્તિમાર્ગના પ્રવાહ ક્યાંથી નીકળ્યા, ક્યાં વહ્યા, ક્યાં થંભ્યા અને મલિન થયા વગેરે ઐતિહાસિક અને ધાર્મિક વિચારણા શરૂ કરી હતી; તેનાં ફળ છૂટક નિબંધોમાં અને ‘સરસ્વતીચંદ્ર’ માં આપ્યા છે. દર્શનો અને સંપ્રદાયના અભ્યાસમાંથી ‘લક્ષ્યાલક્ષ્ય સિદ્ધાંત’ તારવ્યો.&lt;br /&gt;
‘ન્યૂ ઓરિયેન્ટલ બેંક’ તૂટવાથી રૂ. ૨૭૦૦/– ખોયા. વિલ્સન કૉલેજમાં ‘Classical Poets of Gujarat’ નો લેખ વાંચ્યો. મોજની ખાતર ગુજરાતી સાહિત્ય વાંચ્યું હતું છતાં આ લેખ, પરિષદનું વ્યાખ્યાન, દયારામનો અક્ષરદેહ – એ ત્રણ અપ્રતિમ લેખો એમણે લખ્યા છે.&lt;br /&gt;
‘સરસ્વતીચંદ્ર’નો બીજો ભાગ આ અરસામાં પ્રસિદ્ધ કર્યો અને ત્રીજા ભાગ માટે વસ્તુ યોજવા માંડ્યું. રજવાડાની દુર્દશા તથા ભારતના ઉત્કર્ષ માટે તેમનામાં રહેલી શક્તિ અસ્ફુટ રહેતી જોઈ ક્ષત્રિયોને સંક્રાન્તિકાળમાં કેમ વર્તવું તે દર્શાવ્યું. મરાઠા, મોઘલ અને રોમના રાજ્યોના ઇતિહાસની આંખે તેમના રોગ તપાસ્યા અને તેનું ઔષધ બતાવ્યું. ‘યુરોપ અને એશિયાની મહાપ્રજાઓનાં લાક્ષણિક દૃષ્ટાંત’ના વ્યાખ્યાનમાં ઉત્થાન ધર્મ—પ્રવૃત્તિમાર્ગ જે વિશે ‘સરસ્વતીચંદ્ર’ ચોથા ભાગમાં વિસ્તારથી લખ્યું છે તેનો બોધ કર્યો.&lt;br /&gt;
ધર્મ અને પર્યેષણા હંમેશ ચિંતનના વિષય હતા. રા. રા. મનઃસુખરામને ત્યાં આવતા સંન્યાસીઓ, વેદાંતીઓની સાથે ચર્ચા, આલાપ કરવાથી, પાશ્ચાત્ય અને અત્રત્ય તત્વચિંતનનો અભ્યાસ કરવાથી વિવિધ વિચારો સ્ફુરતાં લખાણોમાં પરિપક્વ સ્વરૂપમાં એ વિચારો દર્શાવ્યા છે. શોપનહોરના સિદ્ધાંતોને મળતા એમના સિદ્ધાંતો હતા. ચંદ્રાવલી અને વિષ્ણુદાસ દ્વારા તેમ જ ‘અરુણોદય’ માં છપાતા ‘સંસારપ્રતિબિંબ’ના કાવ્યમાં એ સિદ્ધાંતો પ્રકટ કર્યા છે.&lt;br /&gt;
સ્નેહાળ કનિષ્ઠ ભગિની સમર્થલક્ષ્મીના અવસાનથી, ને સંધિવા તથા આંખના વ્યાધિથી સંતપ્ત થવાથી હૃદયને જબરો આઘાત લાગેલો. ભગિનીના સ્નેહની નિવાપાંજલિનું કાવ્ય ત્રીજા ભાગમાં પ્રસિદ્ધ કર્યું. કુટુંબને ઉન્નત કરવા તેઓ મથતા. માતાપિતાને, બેનોને, પત્નીને, સંતાનોને સંસ્કારી કરવા નાનાવિધના ઉપાયો યોજ્યા હતા. પત્નીને યોગવાસિષ્ઠ, પુત્રી લીલાવતીને ઉપનિષદ્ આદિ ગ્રંથો શાસ્ત્રી પાસે શીખવાડાવ્યા હતા. એ અભ્યાસનું પરિણામ લીલાવતીના જીવનમાં કેવું આવ્યું હતું તે ‘લીલાવતીની જીવનકલા‘ વાંચતાં પ્રતીત થાય છે.&lt;br /&gt;
નિવૃત્ત થવાનો સમય પાસે આવતો ગયો. તેમ કામ ઓછું કરી નાંખવા માંડ્યું. ઈ. સ. ૧૮૯૭માં રા. રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને પોતાના સહાયક વકીલ કર્યા. અને ઈ. સ. ૧૮૯૮માં જેને વડીલ ગણતા હતા તે રા. રા. મનઃસુખરામની અનુજ્ઞા તથા તેમણે ઠેરવેલી શરતો કબૂલ રાખી નિવૃત્ત થયા. આ પ્રસંગે ઑ. ચિમનલાલ હરિલાલ સેતલવાડે ‘પાર્ટી’ આપી હતી. આ ‘પાર્ટી’ માં મળેલા સ્નહીઓ, વકીલો વગેરેની સન્મુખ નિવૃત્તિનિવાસના લાભ, અર્થશાસ્ત્ર, નિતીશાસ્ત્ર અને રસવિજ્ઞાનની દૃષ્ટિએ બતાવવા નોંધ તૈયાર કરી હતી. તે નોંધનો ઉપયોગ નહોતો કર્યો. ટીપ્પણમાં લખ્યું છે કે ‘ઈશ્વરે મને અમુક શક્તિઓ બક્ષી છે તેનો બને તેટલો ઉપયોગ કરવો તે મારો ધર્મ છે.’ વિ. સં. ૧૯૫૪ ની લલિતાપાંચમે નિવૃત્ત થયા અને મુંબઈના વકીલાત મંડળમાં ન બનેલો બનાવ બન્યો.&lt;br /&gt;
કચ્છના રાવે પોતાની દીવાનગીરી આપવા માંડી. પણ દેશસેવામાં ઈશ્વરે આપેલી શક્તિઓના ઉપયોગમાં કોઈ પણ પ્રકારનો પ્રત્યવાય ન આવે માટે તે સ્વીકારી નહીં. સ્વતંત્રતાના રસિકે પાંચમી વાર દાસત્વ કબૂલ્યું નહીં. લાઠીના રાજવી કવિ સુરસિંહજીની સાથેના સંબંધથી નડિયાદ સ્વસ્થ થઈ લાઠી ગયા અને ‘બજેટ’ વગેરેની વ્યવસ્થા કરી. ‘સ્નેહમુદ્રા’ ની રુરુદિષા ‘કલાપીના કેકારવ’માં પણ છે. ‘સરસ્વતીચંદ્ર’ નો ત્રીજો ભાગ આ વર્ષમાં પ્રગટ કર્યો.&lt;br /&gt;
બીજે વર્ષે ‘સમાલોચક’માં ‘સાક્ષરજીવન’નો લેખ આરંભ્યો. આ દેશમાં સાક્ષરજીવન કેવું હતું તે તથા પર્યેષણા જીવનને કેવી રીતે રસે છે તે આ લેખમાં લક્ષ્યદૃષ્ટિથી બતાવ્યું છે. રોમનો ઇતિહાસ ગોવર્ધનરામને અતિશય પ્રિય હતો. સ્ટોઇક દર્શનનું રોમન પ્રજાના જીવનમાં કયું સ્થાન હતું તે આ લેખમાં નિરૂપ્યું છે. વેદાંતનું સ્થાન આર્યજીવનમાં કેવું છે તે આલેખવાની અભિલાષા અકાળ મૃત્યુથી અસંતુષ્ટ રહી.&lt;br /&gt;
ઈ. સ. ૧૯૦૦માં માધવરામ–જેમનું મૃત્યુ ઈ. સ. ૧૮૯૭ માં થયું હતું તેના સ્મરણમાં જ્ઞાતિજનોની વંશાવલિ વિષે ગ્રંથ બહાર પાડ્યો. પિતાને યાત્રા કરાવી હતી તથા તેમની ઇચ્છા મુજબ તેમના ઠાકોરજીને મંદિર બંધાવી પધરાવ્યા હતા. ધર્મ(duty)ની ભાવના પ્રદીપ્ત અને તીવ્ર હતી. અતિથિધર્મ, કુટુમ્બ, જ્ઞાતિ, દેશ, ને મનુષ્યજાત પ્રત્યે બજાવ્યું છે.&lt;br /&gt;
આ જ વર્ષમાં એમનું મહાન કાર્ય પૂરું થયું – સરસ્વતીચંદ્રનો ચોથો ભાગ લખી રહ્યા. ઈ. સ. ૧૮૮૭માં પ્રસિદ્ધ કરેલો ગ્રંથ ઈ. સ. ૧૯૦૧માં પૂર્ણ થયો. પોતાની પ્રજાને ‘સ્રજવા‘ની ઉદાત્ત અભિલાષાથી એ ગ્રંથ લખાયો છે. ‘ભૂતદશાના ભણકારા, વર્તમાન દશાનો પ્રત્યક્ષ પડદો અને ભવિષ્યકાળમાં વિદ્યાર્થી થનાર અવસ્થાની, આજથી આપણી કલ્પના ઉપર પડતી પ્રતિચ્છાયા એ સર્વના મિશ્રણમાં વિદ્યા, દ્રવ્ય, અધિકાર, સ્વતંત્રતા અને વિશુદ્ધિના પ્રકાશ, છાયા અને અંધકારમાં કે અધવચ રહેતા મનુષ્યોની સ્થિતિઓ કે સંક્રાન્તિઓ કેવી થાય છે તે દર્શાવવા ‘વ્યસ્થારક્ષક લોકાચાર અને સ્વતંત્રતાવિકાસક પાશ્ચાત્યાચારના નવીન ગુણોના ઉદ્ભાવક સંગત પ્રવાહોમાં તેમ સંક્રાન્તિકાળનાં કષ્ટોનાં ભ્રામર વચ્ચે વર્તમાનથી વ્યાકુળ અને ભવિષ્યથી ક્ષણમાં ઉદ્વિગ્ન કે ક્ષણમાં મેહિત ચિંતાઓની ભીડાભીડના દબાણ વચ્ચે સર્વસંગ્રહી ઉદારતા અને સારસંગ્રહી બુદ્ધિ તેમ જ ઉચ્ચગ્રાહી ઉદાત્તતા કેવી રીતે ઉદય પામે છે. આ સંક્રાન્તિનું વર્તમાનચિત્ર અને ઉદયકિરણોનું ભાવી ચિત્ર‘ દોરવા અને આ સંક્રાન્તિનું મંથન શાંત થયે હિંદુસ્તાનમાં કેવા પ્રકારનાં શાંતિ અને સ્વસ્થતા થશે તે કલ્પવાં એ આ ગ્રંથનો પ્રધાન ઉદ્દેશ છે. Darkness, error, strife ના પ્રસંગમાં નાયકનાયિકા ઉચ્ચગામી રહે છે. ચિરંજીવશૃંગની ગુફામાં થયેલાં તુમુલ માનસિક અને શારીરિક ઉન્માદથી તેઓ પરાસ્ત થતાં નથી. પણ સરસ્વતીચંદ્રનો વૈરાગ્ય તીવ્ર ને વિશુદ્ધ થયા છે, સ્નેહ નષ્ટ પામે છે અને સાધુજનોમાં વસ્યાથી અતિથિધર્મ અને લોકકલ્યાણની વાસનાના નિર્વાહાર્થે મુંબઈ જવા તત્પર થાય છે. આ ગ્રંથમાં આર્યધર્મનાં ઉચ્ચ સનાતન તત્ત્વો ચર્ચ્યાં છે; સ્નેહ, વૈરાગ્ય, કલ્યાણ, માનવધર્મ, દેશસેવાનાં ઉન્નત ને ગંભીર સ્વરૂપ પર્યેષક કલાથી બતાવ્યાં છે. University Town જેવું ‘કલ્યાણગ્રામ‘ કલ્પ્યું છે. વિચાર કરવાથી જ ગોવર્ધનરામને આ આદર્શ જડ્યો. પ્રો. ગજ્જરને કામ કરતાં કરતાં એ આદર્શ સૂઝ્યો. બંનેના આદર્શ સમાન થવાથી તેમને ગાઢ મૈત્રી થઈ હતી.&lt;br /&gt;
‘સરસ્વતીચંદ્ર અને કુસુમ’ નો ગૃહસ્થાશ્રમ બતાવવા કલ્યાણગ્રામની યોજના વ્યવહારમાં કેમ ચાલી તે દેખાડવા ‘ક્ષેમરાજ અને સાધ્વી’ નામનું નાટક લખ્યું હતું. ‘દમયન્તીદમનાન્ત’ અને ‘સરસ્વતી તથા માયા’ નાં અપૂર્વ નાટકોએ બતાવી આપ્યું હતું કે ગોવર્ધનરામમાં નાટ્યકારની શક્તિ નહોતી. ‘ક્ષેમરાજ’ પણ નિર્માલ્ય જેવું લખાયું હોવાથી અપ્રસિદ્ધ રહ્યું છે.&lt;br /&gt;
બીજે વર્ષે ક્ષયરોગથી એમની જ્યેષ્ઠ મેધાવિની પુત્રી લીલાવતી મરણ પામી. તેની જીવનકલા લખી પિતાએ પોતાના શોકમાં ગુજરાતને સહભાગી કીધું.&lt;br /&gt;
નડિયાદમાં દેશસેવા માટે યોજના કરવા માંડી. ‘Glory, public applause, eminence, moneys, public leaderships &amp;amp; c., are things I do not want at all.’ એવો વિચાર કરી લોકોનું શ્રેય કેમ સાધવું તે વિચારે છે. રાજા પ્રજાના સંબંધ વિશે પણ વિચારવા માંડે છે. ‘To understand the rulers I must study their ways of thinking, feeling, acting, and conduct in private life, in public, in society and politics, in ruling themselves and others including my own country, and in morals and religion, domestic and interracial.’ આ જ્ઞાન અધિક મળે માટે બીજી પ્રજાઓ વિશે પણ આવું જ્ઞાન મેળવવું અને અંગ્રેજોનાં, હિંદુસ્તાનમાં જે જે આચરણો થાય છે તે સૂક્ષ્મતઃ નિરીક્ષવાં અને ‘See how far as regards both England and India they are suitable or Inconvenient against prejudices or sentiments or against real benefits, how far they can or should be improved upon and how far not.’ આમ વિચારતાં જે જે નિર્ણયો પ્રાપ્ત થાય તે દર વર્ષે ચોપાનિયાં મારફત પ્રસિદ્ધ કરવા – એવા સ્વરૂપમાં પ્રગટ કરવા કે ઇંગ્લૅંડ, હિંદુસ્તાન કે બીજા દેશો એ નિર્ણયો તરફ આકર્ષાય અને વર્તમાન કે ભવિષ્યમાં રાજકીય વિચાર કે આચાર પર તેમનો પ્રભાવ અંકાય. આવું કામ ચાલુ રાખવા Thinkers અને Advisorsનો વર્ગ ઊભો કરવો.&lt;br /&gt;
‘For my own people I must study their life in all its aspects from their works and writings from the Vedic times upto the present date. It will be a study of my people in all their mental and physical traits as visible through literature and history, and through their conduct, failures, successes, changes, intentions organizations, and in the organism as a whole and in organic parts.&lt;br /&gt;
I must study customs, social matters, political life, variable temperatures, tempers and idiosyncracies of castes and localities first in Gujarat and then throughout India. These things also to be studied through rituals and ceremonials, caste-practices and instincts and traditions and changes.&lt;br /&gt;
I must study what my people were without British influences, and see how the advent and growth of the influences have changed them.&lt;br /&gt;
આ ઉપરાંત પોતાના પૂર્વજોનાં wisdom, follies, powers and attainments વર્તમાન ભારતવાસીઓને જાણવાનું સાધન પ્રાપ્ત કરી આપવા ઉત્સુક હતા. પ્રાચીન ભારતનો ઇતિહાસ લખવાની કલ્પના આમ જન્મી હતી. એ યોજનાના સંબંધમાં લખે છે કે :&lt;br /&gt;
‘The whole must show what legacies of goods and evils we are born to, what we must do with them, and how we must think, behave and act on our account as well as in the interests of our future generations so as to keep pace with the age, to come forward in the race of nations at least for the purpose of self-preservation and development, to avoid the dangers of rotting and decaying, to preserve and get, and increase our self respect, health, strength, happiness, to be relieved from the diseases of childhood, imbecility and dotage, to carry forward the good work begun or left by our ancestors, to form and develop our own individuality as a nation and as a factor of civilization, to be felt and loved by our ruleres so as to hasten the moment that shall weld into one homogeneous organism the Aryans of India and England and make them live one life.’&lt;br /&gt;
આ સર્વ અભ્યાસનો સાર ઇંગ્લિશમાં દર વર્ષે બે ચોપાનિયાં પ્રગટ કરીને અને દર વર્ષે ગુજરાતીમાં એક નવલકથા લખી સ્વદેશીઓને રોશન કરવો. ધારાશાસ્ત્ર, સાહિત્ય, સંસારશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર કે રાજ્યનીતિના મહત્ત્વના પ્રશ્નો વિશે વખતોવખત ઇંગ્લિશ કે ગુજરાતી માસિકમાં લખવું.&lt;br /&gt;
મુંબઈમાં ‘Some sidelights on Vedic mythology,’ અમદાવાદમાં ‘Some historical aspects of our social and domestic institutions,’ ‘Practical aspects of our ideals of life,’ ‘Higher Brahmanism in Ancient India,’ સુરતમાં ‘The aptitudes of the leading communities of Surat,’ અને વસો, સિદ્ધપુરમાં કરેલાં વ્યાખ્યાનો; East and West નામના માસિકમાં ‘Marriage Forms Under Ancient Hindu Law,’ ‘Ideals of Indian poverty;’ Indian Review માં ‘King as the parent of his state,’ આદિ લેખો આ ઉદ્દેશ અને અભ્યાસનાં ફલ હતાં.&lt;br /&gt;
મુંબઈમાં આરંભેલો ઉપનિષદનો અભ્યાસ નડિયાદમાં ઊંડાણથી આગળ વધાર્યો. Survey of Indian Upanishad નામનો વિસ્તીર્ણ ગ્રંથ લખવા તૈયારી કરવા માંડી. ગુજરાતીમાં તેની રેખાઓ આલેખી ચરક, સુશ્રુત પ્રભૃતિના વૈદ્યક ગ્રંથો અને જ્યોતિષ ગ્રંથો પણ અભ્યાસ માટે વંચાયા. ‘Physics in Ancient India’ અને ‘Physiology in Ancient India’ નામના બે લેખો મરતા પહેલાં શરૂ કીધા. ઉપનિષદ્ નું તત્ત્વચિંતન વિમર્શતા લેખ લખવા રહી ગયા. યોગની પણ સાધના આરંભી હતી.&lt;br /&gt;
ઈ. સ. ૧૯૦૫માં ગુજરાતી વિદ્વાનોની પ્રથમ પરિષદમાં ગોવર્ધનરામને પ્રમુખસ્થાન આપી ગુજરાતે એમની વિદ્વત્તા અને દેશસેવાની યોગ્ય કદર બતાવી. ગુજરાતી ભાષામાં પણ સચોટ અને પ્રલયવાહી વક્તૃત્વ થઈ શકે છે તે પ્રમુખસ્થાનના વ્યાખ્યાનથી સિદ્ધ કીધું.&lt;br /&gt;
ગયે વર્ષે ઉનાળામાં આબુ, જયપુર વગેરે સ્થળે ગયા હતા. જયપુરમાં એક શાસ્ત્રીનો મેળાપ થયો હતો. ‘સરસ્વતીચંદ્ર’ નો સંસ્કૃતમાં સંક્ષેપ પ્રસિદ્ધ કરવાની તેની અભિલાષા તેણે ગોવર્ધનરામને જણાવી હતી. મુંબઈના એક શ્રીમંત યુવાન શેઠિયાને ત્યાં રહી તેનામાં ઉચ્ચ ભાવનાઓ જગાવવા રૂ. ૩૦૦/-ની જગ્યા આ અરસામાં અપાવવાની તજવીજ એક સ્નેહી તરફથી થઈ હતી. પણ પોતાના નિશ્ચયને મક્કમપણે વળગી રહીને – અન્નપૂર્ણાને માટે ચિંતા કરવાથી અને દ્રવ્ય લઈ ભાવનાઓ ‘વેચવા’ થી મહાપાતક પોતે આચરે છે એમ માની તે માગણી સ્વીકારી નહોતી એટલું જ નહીં પણ તે સ્નેહીને સખત ઠપકો આપ્યો હતો.&lt;br /&gt;
યાત્રામાંથી બગડેલી તબિયત સુધરી નહીં અને આ વર્ષના(૧૯૦૭) જાન્યુઆરીની ૪ થી તારીખે મુંબઈમાં વાલકેશ્વરમાં તેમના પરમ સ્નેહી પ્રો. ગજ્જરના બંગલામાં તેમના દેહ તથા પ્રાણનો વિયોગ થયો.&lt;br /&gt;
લેખક અને વ્યક્તિ તરીકે ગોવર્ધનરામનું જીવન ઉચ્ચ હતું. ધર્મની ભાવના પ્રબલ અને જાગૃત હતી. પ્રવાહપતિત ધર્મ પાળી સર્વ મનુષ્યોનો તેઓ અતિથિસત્કાર કરતા. ગુજરાતને જે જે આદર્શો અર્પ્યા છે તે ભવ્ય અને ગંભીર છે. એ આદર્શો જેમ જેમ ગુજરાતના જીવનમાં પ્રગટ થતા જશે તેમ તેમ ગુજરાતનો ઉદ્ધાર સત્વર થશે. આવો ઉષ્માવાન પ્રકાશ ગુજરાતમાં પહેલાં પડ્યો નહોતો અને હવે ક્યારે પડશે તે ભવિષ્ય જાણે છે. પ્રાચીન ભારતના ગુણદોષના તેઓ જ્ઞાતા હતા – એ જ્ઞાનને બળે નવીન ભારતના નેતા થવાથી જે યોગ્યતા એમનામાં આવતી હતી તે યોગ્યતાના લાભ મળી શક્યા નથી અને દેશ પાછો નેતૃવિહીન રહ્યો છે. મનુષ્ય માત્રને ધર્મ છે–હક્ક નથી એવું કહેનાર અને આચરનાર જે જે ચેતન જગાડી ગયો છે તેની ગુજરાત અર્ચના કરે છે તેમાં આ લેખક પણ ભાંગ્યુંતૂટ્યું સ્તોત્ર કરી વિરમે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = મલ્હાર ભીકાજી બેલસરે&lt;br /&gt;
|next = ‘નંદશંકર જીવન ચરિત્ર’નું અવલોકન&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AD%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80_%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2%E0%AA%B8%E0%AA%B0%E0%AB%87&amp;diff=111466</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/મલ્હાર ભીકાજી બેલસરે</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AD%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80_%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2%E0%AA%B8%E0%AA%B0%E0%AB%87&amp;diff=111466"/>
		<updated>2026-05-30T03:16:00Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|મલ્હાર ભીકાજી બેલસરે}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્વર્ગસ્થ રા. મલ્હાર ભીકાજી બેલસરેનો જન્મ તા. ૨૨ મે ૧૮૫૩માં થયો. એમનું મૂળ વસ્તીસ્થાન પુણા જિલ્લામાં જેજુરીની પાસે આવેલું બેલસર ગામ હતું. તેમના પિતાનું નામ ભીકાજીપંત અને દાદાનું નામ મલ્હારરાવ હતું, એટલે જે તેમના દાદાનું નામ તે જ તેમનું નામ હતું. તેમના દાદા અસલ પેશવાઈમાં મરાઠી સરદાર હતા; અને કુલાબા જિલ્લાના નાગોઠણા પ્રાંતના પાગેદાર હતા. તેમના પિતાજી પંત અશિક્ષિત હોવાથી ભિક્ષુકવૃત્તિ કરતા. ભીકાજીપંતને ચાર પુત્ર અને બે પુત્રીઓ હતી. પુત્રોનાં નામ રંગોપંત, બાપુજી, મલ્હારરાવ અને ખંડેરાવ. પુત્રીઓનાં નામ બયાબાઈ અને બજુબાઈ, એટલે કે કૈલાસવાસી મલ્હારરાવ પોતાના પિતાના ત્રીજા પુત્ર હતા પણ અનુક્રમમાં ચોથા વંશજ હતા. ભીકાજીપંતે કુલાબા જિલ્લાના પેણ ગામમાં પોતાનું ઘરબાર બાંધીને વસતિસ્થાન કર્યું. રંગોપંત થાણા જિલ્લાના મોખાડા, ઉંબરગામ પેટાના મહાલકરી હતા. બાપુજી પેણ તાલુકાના સરકારી વકીલ હતા.&lt;br /&gt;
કૈલાસવાસી મલ્હારરાવે પોતાના મોટા ભાઈની સાથે રહીને થાણામાં અંગ્રેજી ભાષાના નીચલા ધોરણોનો અને મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં ઉપલા ધોરણોનો અભ્યાસ કર્યો અને સને ૧૮૭૦માં મૅટ્રિક્યુલેશન પરીક્ષામાં પાસ થયા. ત્યાર પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં આગળ અભ્યાસ કરીને સને ૧૮૭૩ માં એફ. એ. ની પરીક્ષા પાસ કરી. ઈ. સ. ૧૮૭૫માં રાજકોટ હાઈસ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક નિમાયા. નોકરી પર હતા તોપણ તેમની વિદ્યાભિરુચિ પહેલાંની માફક કાયમ હતી. રાજકોટથી સુરત, સુરતથી પાછા રાજકોટ અને રાજકોટથી જૂનાગઢ બદલી થઈ. જૂનાગઢ ૧૮૭૭ થી ૧૮૮૩ સુધી પાંચ વર્ષ રહ્યા. આ બધે ઠેકાણે સુદૈવથી તેમના ઉપરી હેડમાસ્તર મર્હુમ રા. સા. ઉત્તમરામ નરભેરામ મહેતાજી જ હતા. રા. સા. ઉત્તમરામ તેમને અતિ ઉદ્યોગી, ઉત્સાહી અને પાપભીરુ સમજીને તેમના પર પ્રીતિ રાખતા.&lt;br /&gt;
જૂનાગઢ હાઈસ્કૂલમાંથી બદલાઈને વીરમગામની ઍંગ્લો વર્નાક્યુલર સ્કૂલના હેડમાસ્તર તરીકે નિમાયા. ત્યાં સને ૧૮૮૭ સુધી રહ્યા. વીરમગામ આવ્યા પછી તેઓએ ગુજરાતી ભાષાનું માર્મિકપણે અધ્યયન કરવા માંડ્યું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ જાહેર કર્યા પ્રમાણે જ્હૉન સ્ટુઅર્ટ મિલનું લિબર્ટી નામક ગ્રંથનું ભાષાંતર સોસાયટી તરફ મોકલ્યું. તે પરીક્ષક કમિટીમાં મુકાઈને સર્વોત્તમ ઠર્યું, અને તેને માટે રૂ. ૧૫૦ નું ઇનામ મળ્યું. વીરમગામમાં પ્રાર્થનાસમાજ, નેટિવ જનરલ લાઇબ્રેરી, લોકહિતવર્ધક સભા અને જોઈન્ટ સ્ટૉક કંપની ઊભી કરીને તેની મારફત પહેલું છાપખાનું સ્થાપન કર્યું. સિવાય વીરમગામની મ્યુનિસિપાલિટીમાં ચેરમેન(Chairman) તરીકે સાર્વજનિક કામો કરતા હતા. તે વખતે વીરમગામમાં સબ-જજ રાવબહાદુર લાલશંકરભાઈ હોવાથી તેમની સાથે પ્રથમ પરિચય થયો. વીરમગામની લોકહિતવર્ધકસભાની મારફતે મુંબઈ અને કલકત્તામાં સને ૧૮૮૫ અને ૧૮૮૬ ની સાલમાં ભરાયેલી ઇંડિયન નેશનલ કૉંગ્રેસોમાં ડેલિગેટો મોકલ્યા.&lt;br /&gt;
વીરમગામથી સને ૧૮૮૭ માં અમદાવાદની હાઈસ્કૂલમાં બદલી થઈ. અહીંયાં તેમને ગુજરાતી ભાષામાં એક સારી ગુજરાતી-અંગ્રેજી ડિક્ષનરીની ઘણી જ ખોટ છે એવું જણાયું, અને ત્યારથી ડિક્ષનરી લખવાનું કામ શરૂ કરવા માંડ્યું. એટલામાં રા. રા. હરિશંકર પાઠક તરફથી તેમને દ્રવ્ય સંબંધી મદદ મળી. તે ડિક્ષનરી ઈ. સ. ૧૮૯૫ માં છપાઈને બહાર પડી. આવી ડિક્ષનરી ગુજરાતી ભાષામાં પ્રથમ હોવાથી પહેલી આવૃત્તિની નકલો બેત્રણ વરસમાં ખપી ગઈ. બીજી આવૃત્તિ ઘણા વિસ્તૃત પ્રમાણ પર લખવાનું કામ ઈ. સ. ૧૮૯૯ માં હાથમાં લીધું. તે આવૃત્તિ ઈ. સ. ૧૯૦૫ માં છપાઈને બહાર પડી. આ ડિક્ષનરીના કામમાં વિશેષ કરીને રેવરન્ડ ડૉ. ટેલર તરફથી કેટલીક સૂચનાની અને મિસિસ ટેલર તરફથી શબ્દસંગ્રહની સારી મદદ મળી હતી. ઈ. સ. ૧૯૦૧ માં અમદાવાદ શહેરમાં સનાતન ભારત ધર્મ મહાપરિષદનું દ્વિતીય અધિવેશન થયું તેના તેઓ મુખ્ય સેક્રેટરી હતા.&lt;br /&gt;
ઈ. સ. ૧૯૦૩ માં તેઓ અમદાવાદની મેલ ટ્રેનિંગ કૉલેજમાં વાઈસ પ્રિન્સિપાલ નિમાયા. પોતાની માતૃભાષા મરાઠી છતાં ગુજરાતી જેવી પારકી ભાષામાં પ્રાવીણ્ય સંપાદન કરીને ગુજરાતની ટ્રેનિંગ કૉલેજમાં વાઈસ પ્રિન્સિપાલની પદવી મેળવી એ તેમને વિશેષ ભૂષણાસ્પદ છે. ડિક્ષનરી જેવું ભારતી કામ એક હાથે થવાથી તેમના જ્ઞાનતંતુ પર ઘણી જ ખરાબ અસર થઈ, તેમને અપસ્માર(Appoplexy)નો રોગ થયો અને છેવટે ઈ. સ. ૧૯૦૬ની ૪થી એપ્રિલ બુધવારે(ચૈત્ર સુદ ૧૦ ને દિવસે) સવારમાં કલાક ૬-૪૫ મિનિટે તેમનું દેહાવસાન થયું.&lt;br /&gt;
પ્રાર્થનાસમાજના પંથના તેઓ ઘણા ચુસ્ત અનુયાયી હતા. તેઓ વીરમગામ હતા ત્યારે તેમણે રા. બા. લાલશંકરભાઈની મદદથી પ્રાર્થનાસમાજ સ્થાપ્યો; તે હજુ ત્યાં ચાલે છે. અમદાવાદ આવ્યા પછી તેઓ અમદાવાદ પ્રાર્થનાસમાજના સભાસદ થયા. સમાજમાં તેઓ ઘણી વાર ઉપદેશ કરતાં તેમ જ વાર્ષિકોત્સવ વખતે પુરાણ વાંચતા.&lt;br /&gt;
સંસાર સુધારાના સંબંધમાં તેઓ સુધારણાવાદી હતા. લોકરૂઢિને ચુસ્ત વળગી ન રહેતા. હાલના કાળને અનુસરીને લોકોએ પોતે રૂઢિ પાડવી જોઈએ એવો તેમનો મત હતો. હાલના જમાનાની આગળ, કે જેમાં દિનપ્રતિદિન નવી શાસ્ત્રીય શોધો બહાર પડે છે અને લોકોની ઐહિક યાત્રા સુખકર થતી જાય છે, એવા જમાનાની આગળ, કૂપમંડૂક જેવી સંકુચિત વૃત્તિથી દૃઢ થયેલી સ્થાનિક રૂઢિઓ નાબૂદ કરવી જોઈએ, એવું તેઓ ધારતા.&lt;br /&gt;
એલ્ફિન્સ્ટન કૉલેજમાં વિદ્યાર્થી તરીકે શીખતા હતા ત્યારથી ભાષા સાહિત્ય સંબંધી વિષયોનો તેમને ઘણો શોખ હતો. ગુજરાત પ્રાંતમાં પ્રથમ નોકરી મળી ત્યારથી ગુજરાતી ભાષાનું બીજી ભાષાઓ સાથે(સંસ્કૃત અને મરાઠી) ઘણું જ મળતાપણું છે એમ માલૂમ પડવાથી ગુજરાતી ભાષાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધ્યયન કરવા લાગ્યા. પહેલવહેલાં તો ગુજરાતી લોકોની મધ્ય વસ્તીમાં રહીને કાંઈ નવાઈ જેવી કહેવતો, શબ્દપ્રબંધો અને વાક્યો માલૂમ પડતાં તે પોતાની સ્મરણવહીમાં નોંધ કરી રાખતા અને બીજી(એટલે મરાઠી, સંસ્કૃતમાં) ભાષામાં તેવી જ કહેવતો, વાક્યો વગેરેની સાથે સરખાવતાં ભેદ માલૂમ પડે તો તે ભેદ શાથી થયો, તેનું બીજા આસીસ્ટંટ માસ્તરો સાથે વિવેચન કરતા.&lt;br /&gt;
અમદાવાદ હાઈસ્કૂલમાં હતા ત્યારે રા. રા. અમીધર રણછોડજી દેસાઈ અને રા. રા. તાપીશંકર પ્રાણશંકર દવે તરફથી વિવેચન કરવામાં મદદ મળતી.&lt;br /&gt;
કૈલાસવાસી મલ્હારરાવે પ્રસિદ્ધ કરેલાં પુસ્તકો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
::૧. હિંદુસ્તાનની રાજ્યપદ્ધતિ.&lt;br /&gt;
::2. System of Government in India.&lt;br /&gt;
::3. Guj. Eng. Dictionary (Two editions).&lt;br /&gt;
::4. Dr. Bhandarkar’s Sanskrit First Book in Gujarati (3 editions)&lt;br /&gt;
::5. Translation into Gujarati of R. S. Tarkhadker’s.(તર્ખડકરની) Marathi Translation Series (in 3 Parts).&lt;br /&gt;
::૬. સ્વાતંત્ર્ય.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મરાઠી ભાષામાં એકે પુસ્તક પ્રસિદ્ધ કર્યું નથી. સ્વાભાવિક રીતે મરાઠી ભાષામાં લખવા કરતાં ગુજરાતી ભાષામાં ગ્રંથો લખવા તરફ તેમની વધારે પ્રવૃત્તિ હતી. નં રનું પૂના મેલ ટ્રેનિંગ કૉલેજના આસિસ્ટંટ માસ્તર મિ. વિષ્ણુ નાટેકરે મરાઠીમાં ભાષાંતર કર્યું છે.&lt;br /&gt;
આ સિવાય તેમણે ઉર્દૂ, લેટીન અને ફ્રેંચ ભાષાનો અભ્યાસ કર્યો હતો. સાધારણપણે બીજા વિષયો કરતાં ભાષાસાહિત્ય વિષય તરફ વધારે લાગણી હતી.&lt;br /&gt;
તેમણે મરાઠી ભાષાની કેન્ડી અને મોલ્સ્વર્થની ડિક્ષનરીઓની સુધારાવધારા સાથે બીજી આવૃત્તિ છપાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેને માટે તે વખતના કેળવણી ખાતાના વડા મિ. જાઈલ્સે જોઈતા શબ્દો, વાક્યો ઇત્યાદિનો સંગ્રહ કરવાનો મધ્ય વિભાગના મરાઠી શાળા માસ્તરોને હુકમ કર્યો હતો. અને તે પ્રમાણે મિ. હરિશંકર પાઠકને કેટલાંક manuscripts મળ્યાં છે. તેને માટે મરાઠી લેખકોની એક કમિટી નિમાઈ ને તેના મેનેજિંગ એડિટર (Managing Editor) કે. મલ્હારરાવ હતા.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ડાહ્યાભાઈ ધોળશાજી&lt;br /&gt;
|next = ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88_%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B3%E0%AA%B6%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80&amp;diff=111465</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ડાહ્યાભાઈ ધોળશાજી</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88_%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B3%E0%AA%B6%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80&amp;diff=111465"/>
		<updated>2026-05-30T03:12:12Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ડાહ્યાભાઈ ધોળશાજી}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ. સ. ૧૮૯૪માં અમદાવાદની મીશન સ્કૂલમાં गम् गच्छનાં રૂપાખ્યાન શીખનારને સ્વપ્નેય પણ ખ્યાલ નહોતો કે ઈ. સ. ૧૯૦૬માં અર્થાત્ બાર વર્ષ જેટલી ટૂંક મુદત બાદ પોતાના સંસ્કૃત શિક્ષકના જીવનની જાહેર સેવાની નોંધ લેવાનો પ્રસંગ આવશે.&lt;br /&gt;
આઠદશ વર્ષ જેટલા અલ્પ સમયમાં શ્રી દેશી નાટક સમાજના મર્હુમ માલિક રા. રા. ડાહ્યાભાઈ ધોળશાજી લોકાદરની પૂર્ણ જાહોજલાલીમાં વિદેહ થયા એ બીના ઉક્ત સ્મૃતિસંસ્કાર પ્રદીપ્ત કરે છે એટલું જ નહીં પણ પોતાનાં નાટકોમાં ઠેર ઠેર જે ઉપદેશ અંશસ્વર તરીકે ગાયો છે તે તેમના પોતાના જ જીવનમાં તેમણે સાક્ષાત્કાર કર્યો એવી પ્રતીતિ કરાવે છે.&lt;br /&gt;
એ અંશસ્વર કયો?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કાયા કાચો કુમ્ભ છે, જીવ મુસાફર પાસ,&lt;br /&gt;
તારો ત્યાં લગી જાણજે, જ્યાં લગી શ્વાસોશ્વાસ.’&lt;br /&gt;
{{right|વીણાવેલી.}}&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જીવન નશ્વર છે; પંખીનો મેળો જામ્યો છે, ઘડી પછી તે વીખરાઈ જશે, પાણીમાં વાદળનો પડછાયો પડ્યો છે, પળ પછી પડછાયો વિલુપ્ત થશે; ચાંદની પથરાઈ છે, ચંદ્ર અસ્ત થયો ને સર્વત્ર અંધકાર ફેલાયું; મનુષ્યની મેદની જામી છે, માણસો વેરાયાં અને બધે સુનકાર છે; કાયાનો ઘડો કાચો છે અને ફૂટતાં વાર નથી: આવી રીતે રા. રા. ડાહ્યાભાઈએ ઇહજીવન નાશવંત છે એવો ઉપદેશ બોધ્યો છે.&lt;br /&gt;
સંસાર પ્રત્યે વિરાગ ઉપદેશનારાનાં દૃષ્ટિબિંદુ વિવિધ હોય છે. સંસારના કર્દમમાં પચી રહી વિશાળ આકાશમાં ઊડવાની જેને સહેજ પણ અભિલાષા નથી, અર્થાત્ અધમ જીવન જીવનારને ઉન્નત આચરણો આચરવાની વૃત્તિ નથી તેને અધમતામાંથી ઉદ્ધારવા નશ્વરતાનો બોધ કરવામાં આવે છે : અધમતા અનેકરંગી હોય છે! સ્વહાનિપ્રદ ને પરહાનિપ્રદ એવાં બે વિશાળ સ્વરૂપ થઈ શકે. બેશક જગતની ઘટના એવી છે કે પોતાને અધમ કરનાર વસ્તુ જગતને પણ અધમ બનાવે છે અને તેથી ઊલટું પણ થાય છે. ફક્ત સ્પષ્ટતાને ખાતર ઉક્ત સ્વરૂપો લખ્યાં છે.&lt;br /&gt;
રા. રા. ડાહ્યાભાઈનું રંગભૂમિ પર વિહરતું વિશ્વ સાંકેતિક છે તેથી જે વસ્તુસંવિધાન અને પાત્રઘટના ત્યાં ગોચર થાય છે તે પણ સાંકેતિક છે. પાપનું સૂક્ષ્મ અને તીક્ષ્ણ પૃથક્કરણ નથી તેમ જુગુપ્સા કે સંપૂર્ણ વૈરાગ્ય ઊપજે એવું કલાવિધાન નથી. પશ્ચાત્તાપના દાવાનળમાં શુદ્ધ થતાં કંચન પાત્રો જેવાં ઉત્કૃષ્ટ પાત્રો જવલ્લે જ દર્શન દે છે. Poetic Justice (અર્થાત્ કવિઓની સૃષ્ટિમાં વપરાતી ન્યાયબુદ્ધિ – સત્યનો જય અને પાપનો ક્ષય)નું અવલંબન લેવામાં આવ્યું છે. પોતાના બધા પાસા અવળા પડે અને છેવટે જીવનનો હેતુ નિષ્ફળ નીવડે એ શઠપાત્રોના અનુભવ છે. તેઓની અધમતા, સ્વાર્થસાધના, ઈર્ષ્યા, અસૂયા, કામવાંછના, અહંતા આદિમાં સમાયેલી છે. પોતાનો હેતુ બર લાવવા અનેક પ્રપંચો તેઓ રમે છે. પોતાનું મમત્વ પ્રતિપાદવા નાનાવિધના અનાચારો આચરે છે. આવી જેની રહેણી છે તેઓ પૂર્ણ અંશે આત્મશ્રદ્ધાશીલ હોવા જોઈએ. દુનિયા ઉથલાવી નાખવાની – ધાર્યું સાધવાની શક્તિ આપણામાં છે એવી જ્યાં લગી પ્રતીતિ ન હોય ત્યાં લગી તેમનાથી એક ડગલું પણ ભરવું બને એમ નથી. ઉત્તમ જીવનોને આત્મશ્રદ્ધા (Self confidence) ઉન્નત પથે લઈ જાય છે પરંતુ પામર જીવો તો તેથી અભિમાની, દમામી, મમતીલા, જોહુકમી અને ખારીલા થાય છે. આપણા લૌકિક નીતિશાસ્ત્રે આ દુર્ગુણોની સખત ખંખેરણી કરી છે. નીતિતત્ત્વો એવાં વિચિત્ર છે કે મર્યાદામાં રહીને દુર્ગુણો પણ સદ્ગુણો થઈ શકે છે અને મર્યાદા છોડતાં જ સદ્ગુણો દુર્ગુણો થઈ જાય છે. રાજ્યની લગામ તાણીને પકડવી જોઈએ પણ તે નિયમસર. હદબહાર ખેંચાણ થતાં જુલ્મના રૂપમાં બાદશાહી કબર ફેરવાઈ જાય છે અને પરિણામે પદભ્રંશના કે વિદ્રોહ થાય છે. તે જ પ્રમાણે અભિમાન, મમત, દમામ વગેરે પણ શુભ અને કલ્યાણકારી કામો કરી શકે છે એ વાત રા. ડાહ્યાભાઈના લક્ષ બહાર રહી ગઈ હતી. ઉચ્છંખલ દુર્ગુણોનાં હાનિપ્રદ પરિણામો જ એમણે બતાવ્યાં છે. એ દુર્ગુણોનું જનન અને પોષણ શી રીતે થાય છે તે યથાર્થ જાણવાની ઉત્કંઠા અતૃપ્ત જ રહે છે.&lt;br /&gt;
દુર્ગુણોને ધિક્કારવામાં આવ્યા છે તે તેમનાં અનિષ્ટ પરિણામને લીધે જ નહીં – જન સમાજને જાલીમ નુકસાન તેઓથી થાય છે તે સારુ નહીં પણ મનુષ્યની નિર્બળતા અને અંધતાની ખાતર.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘દશા કરે તે કોઈ ન કરશે, મૂર્ખ કરે અભિમાન;&lt;br /&gt;
પ્રાણી બિચારું તુચ્છ મગતરું, કાળ કથા અણજાણ;&lt;br /&gt;
હુંપદમાં મરડાઈ મરે પણ, ધાર્યું કરે ભગવાન – દશા૦’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}} &lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
મનુષ્યથી પર કોઈ એક શક્તિ છે – જે દશા, સમય, નશીબ કે કર્મના નામે રા. ડાહ્યાભાઈના નાટકમાં ઉલ્લેખાઈ છે – તેને આધીન માનવી છે, તેના નચાવ્યા તે નાચે છે. ભવિષ્યનું ક્ષિતિજ ધુમ્મસથી આવૃત્ત છે – ત્યાં શું છે તે કહી પણ નથી શકાતું. જરાક દોડતાં ઊંધે માથે બોખ જેવા ખાડામાં નિપાત થવાના છે છતાં આંધળો થઈ માનવી દોડી જાય છે. છતાં ‘હું’ ‘હું’ કરતો તે ફરે છે તે ખોટું છે – અહંભાવ રાખવો તે પાપાચરણ છે. સમયના સામર્થ્ય આગળ આવો ભાવ ટકતો નથી – મગતરાં જેવાં માનવીને ચોળાતાં વાર શી?&lt;br /&gt;
વસ્તુસ્થિતિ આમ છે ત્યારે વર્તવું શી રીતે? દશાને તાબે થાઓ. સુખદુઃખ સરખાં ગણો. જે સ્થિતિ પ્રાપ્ત થાય તેનો તિરસ્કાર ન કરતાં તે આદરથી સત્કારો. મુફલીસ ભટકતા કઠિયારા સાથે પિતાએ વીણાને પરણાવી, પોતાના કર્મમાં જે હશે તે થશે એમ ધારી પતિભાવ સંપૂર્ણતઃ કઠિયારાની શુશ્રુષામાં સમર્પ્યો. પોતાને વેઠવી પડતી આસમાનીસુલ્તાનીમાં મેવાડનો વીરકિરીટી રાણો પ્રતાપ પણ આ જ સિદ્ધાંતના અન્વયે સહેજ પણ વિષમતા વિના જીવન ગાળે છે.&lt;br /&gt;
આ સિદ્ધાંતો અમને તો ઊણા લાગે છે. ‘હું’ ‘હું’ કરતો માનવી સંસારનું શ્રેય કેમ ન સાધી શકે? ઉદાત્ત અહંભાવવાળો વૉશિંગ્ટન કે મીકાડો પોતાના દેશનો ઉદ્ધાર કરી શકે છે, વિજ્ઞાની કે વૈદ નવી નવી શોધખોળ કરી શકે છે, અને માનવીની અપ્રતિમ સેવા બજાવી શકે છે. સેનાની રણક્ષેત્રમાં વિજય મેળવે છે ઇત્યાદિ. કર્તવ્યનો ઉચ્ચ આદર્શ નિષ્કામના અને સમર્પણમાં મનાયો છે; અહંભાવને ભસ્મીભૂત કરવામાં નહીં. વીણાના જીવનની ખરી કસોટી એનો પતિ રાજકુંવર ન નીકળતાં કઠિયારો જ રહ્યો હોત ત્યારે થાત. ગરીબ દેખાતા નાયકો અન્તે રાજબીજ નીવડે એવો સંપ્રદાય ઉચ્ચ આદર્શ ઉત્પન્ન કરી શકતો નથી. જીવનની નશ્વરતા દુઃખીને દિલાસો દેવા બોધાય તો ઠીક છે. સુખદુઃખ ફરતા ફરતી છાંયડી જેવાં છે એમ માનવાથી દુઃખની વેદના ઓછી થાય છે પણ તેથી કર્તવ્યપરાયણતા પ્રદીપ્ત થતી નથી. પોતાનું કે પારકાનું કલ્યાણ કરવાની વૃત્તિ અને આચરણ ઉદ્ભવતાં નથી. સંસાર ક્ષણભંગુર છે એવા નિરાશાવાદથી જનસમાજને અનેકધા હાનિ થાય છે. સમાજ કદાચ, નિર્વીર્ય, બેનૂર, અઋજુ અને વખતે તો અતીવ અધમ થાય છે. હિંદુસ્તાનને આજ નિરાશાવાદનો ખપ નથી. પ્રોત્સાહક આશાવાદનો નિનાદ દિશાઓ મુખરિત કરશે—શતકોની બધિરતા દૂર કરશે ત્યારે જ આ પતિત દેશનો ઉદ્ધાર થશે. ‘એક ફૂલ ખરે તે માટે શોચો નહીં પણ બીજો ફૂલછોડ વાવો’ એવો ઉપદેશ પીશું ત્યારે જ અમારું જીવન પ્રફુલ્લ ખીલશે.&lt;br /&gt;
વળી મનુષ્યને અધ અને દશાનું રમકડું ગણવાથી ‘અનુભવ’ એવી વસ્તુને નિષ્કાસન આપવામાં આવે છે – મનુષ્યનું મનુષ્યત્વ ખૂંચવી લેવામાં આવે છે. દશાના દાબમાં રહેનાર સ્વતંત્ર નથી એમ માન્યા છતાં સ્વતંત્ર આચરણ કરે છે. Determinismમાં માન્યા છતાં આચરણો Free Willથી આચરે છે. રા. ડાહ્યાભાઈની ફિલસૂફી આટલે અંશે ન્યૂન લાગે છે.&lt;br /&gt;
કર્મને આધીન થવામાં પણ એક પ્રકારનો અહંભાવ રહ્યો છે. કઠિયારા સાથે પરણેલી વીણા, વેષધારી મારવાડના કુમાર સાથે પરણેલી વેલીના ઉપર મનમાં સરસાઈ ભોગવે છે અને છેલ્લા પ્રવેશમાં એ જ અહંભાવ પિતાને ટાણો મારવાની યુક્તિ રચવાની પ્રેરણા કરે છે. દશા, સમો, કર્મ આદિનો પ્રભાવ સ્વીકાર્યા છતાં પરિણામ આવું આવે છે.&lt;br /&gt;
વળી નૈરાશ્ય જે પ્રગટ કરવામાં આવ્યું છે તે હિમ જેવું છે. બાળી નાખે એવું છે. જેમના દહાડા નબળા નથી – જેઓ વૈભવમાં રાચે છે તેમના તરફ જ નૈરાશ્યના કટાક્ષ ફેંકવામાં આવ્યા છે. વસંતમાં વિહરનારને પાનખરનું સ્મરણ આપવાથી કે યૌવનમાં મહાલનારને વાર્ધક્યનું ચિત્ર બતાવવાથી શો અર્થ સરતો હશે? ઉત્સાહ, ઉમંગ, આશા, અભિલાષા, ઉડ્ડયન આદિ જગાવવા જો દશાના ફેરફારો વિશે કહેવામાં આવ્યું હોત તો કેવું સારું થાત? મહેનત કરો —મંડ્યા રહો—કોઈક દિવસ પણ ઉત્તર કે દક્ષિણ ધ્રુવના પ્રદેશમાં પહોંચશો, કોઈક દિવસ પણ હિમાલયના ઉત્તુંગતમ શિખરે માનવી જઈ ઊભો રહેશે, કોઈક દિવસ પણ પૃથ્વી અને બીજા ગ્રહો વચ્ચે અવરજવર થશે, કોઈક દિવસ પણ માનવી પ્રયોગશાળામાં ઊપજાવી શકશો એવો ઉપદેશ જગતનું કલ્યાણ સાધે છે; નૈરાશ્યમાંથી આશા પ્રગટાવે ત્યારે જ જીવનસાફલ્ય.&lt;br /&gt;
સહેજ વિસ્તારથી રા. ડાહ્યાભાઈના ઉપદેશોનો પ્રધાન ઉપદેશ વિવેચ્યો છે. વિરક્તિ આગળ કહ્યું તેમ વિવિધ કારણસર ઉપદેશવામાં આવે છે. કર્દમમાં ન પડી રહે —ઉડ્ડયનની પળો વિરલ છે માટે તેનો થાય તેટલો શુભ ઉપયોગ કરી લે. પાપાચરણથી તારું અને જગતનું નુકસાન થાય છે, ક્ષણભંગુર જીવનમાં એટલું નુકસાન શા માટે કરે છે? માથે આવી પડેલી દશામાં વિષમતા વિના જીવન ગાળ : આદિ આદિ પ્રસંગો માટે સંસારનો વૈરાગ્ય અને ક્ષણભંગુરતાનો ઉપદેશ લાભપ્રદ છે.&lt;br /&gt;
સાથે સાથે રા. ડાહ્યાભાઈનાં શઠપાત્રો વિશે સંક્ષેપમાં વિવેચન કરી લઈશું. આ પાત્ર સંસ્કૃત નાટકોમાં હાલ જે સ્વરૂપમાં તે ગુર્જર રંગભૂમિ પર જોવામાં આવે છે તે સ્વરૂપમાં નથી. શેક્સપિયર અને અંગ્રેજી નવલકથાનો પ્રભાવ જેમ જેમ આપણી રંગભૂમિ પર વધતો ગયો તેમ તેમ આ પાત્રનો વિકાસ થતો ગયો. એ પાત્રોમાં શેક્સપિયરના આએગો(Iago)ની છાયા જણાય છે. પ્રપંચ, સ્વાર્થ, સ્ત્રીલંપટતા અને ભોળાઓને પોતાનાં રમકડાં બનાવવાની કળાના તેઓ ઉસ્તાદ હોય છે. સતીને તેઓ હેરાન કરે છે– તેનું સતીત્વ કસે છે. સતીત્વ આ પ્રમાણે કસવામાં આવે છે તેમ પૂજ્યભાવથી પ્રશંસવામાં આવતું હોય તો કૌશલ ઉત્તમ થાય.&lt;br /&gt;
કરુણાંત પ્રબંધોમાં જેવું શાઠ્ય કુશળ અભિનય દ્વારા પાડી શકાય છે તેવું સુખાંત પ્રબંધોમાં નથી થતું. શઠપાત્રોની શઠતા એકતાનાત્મક હોય છે. વિવિધરંગી નથી હોતી. વળી એક જ નટ દરેક નાટકમાં શઠ થતો હોવાથી શઠની શઠતા કરતાં તે નટના વ્યક્તિત્વ પર પ્રેક્ષકોનું લક્ષ જાય છે. અભિનય પણ બીબાંની ભાત જેવા થઈ જાય છે. શઠ અને તેના સાગ્રીતોની પાત્રતા મારફત સાંકેતિક રીતે સમાજમાં પ્રચલિત અનર્થો રા. ડાહ્યાભાઈએ ઝાટકી કાઢ્યા છે. વ્યભિચાર; વેશ્યાસંગ, મદ્યપાન, લોભ વગેરે સપાટામાં આવી ગયા છે. શઠની પાત્રતા આગળ નાયકની પાત્રતા ઝાંખી પડી જાય છે. આ દૂષણ ઇંગ્લૅંડની રંગભૂમિનું પણ છે. ગુર્જર રંગભૂમિ પર રા. ડાહ્યાભાઈને લીધે જ આજ શઠ અવિરલ થયો છે.&lt;br /&gt;
શઠ અને નાયિકાને સંઘર્ષણમાં આવવાના અનેક પ્રસંગો બને છે. શઠની મોહજાળમાં તે સપડાતી નથી અને પોતાના શીલને અખંડ જાળવી રાખે છે. જૈન સૂરિઓના કથાનક પરથી રા. ડાહ્યાભાઈએ પોતાનાં નાટકોનાં વસ્તુ લીધાં છે. સૂરિઓ શીલનો મહિમા હંમેશ ગાતા. એટલે રા. ડાહ્યાભાઈનાં નાટકોમાં પણ એનો મહિમા ગવાયેલ જ. શીલ અને પાતિવ્રત્ય સંબંધી પાત્રોનાં સંભાષણો અને ગાયનો દરેક નાટકમાંથી મળશે.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સખી! જેને પતિનું માન – તેનાં ગાંધર્વ ગાયે ગાન;&lt;br /&gt;
પામે દેવી સમાન સન્માન – રમે રામા રસિક લઈ તાન.’&lt;br /&gt;
{{right|વીણાવેલી.}}&lt;br /&gt;
‘કરે કામની શું સંસારે, વારે વારે પતિને સંભારે&lt;br /&gt;
બધી આળ પંપાળ વિસારે, પતિ રામનું નામ ઉચ્ચારે—&lt;br /&gt;
ભલેને દાબો બ્રહ્માંડભારે, ભલેને કાપો તિક્ષણ ધારે—&lt;br /&gt;
દેહ ગેહ શુદ્ધિ નહીં, તૂટી ગઈ જગપ્રીત,&lt;br /&gt;
ગોરી તો ગાતી ફરે, રસીઆનું રસગીત;&lt;br /&gt;
ખાન પતિનું ને પાન પતિનું ગાન પતિ ગુલતાન.’&lt;br /&gt;
{{right|વીણાવેલી.}}&lt;br /&gt;
‘પટોળીએ ભાત પડી, પડી તે તો પડી પડી&lt;br /&gt;
સાચી પ્રીત સમજવી જેવી એક ચુંદડી&lt;br /&gt;
ફાટતાં બેહાલ થતાં ભાત દીસે ખડી ખડી&lt;br /&gt;
પતિવૃત્ત પટોળીએ પ્રીતભાત તેવી પડી&lt;br /&gt;
કમજાત પતિવ્રત રત્ન અરેરે ગુમાવે.’&lt;br /&gt;
{{right|સરદારબા.}}&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક પત્નીવ્રત અને એક પતિવ્રત એ રા. ડાહ્યાભાઈની ભાવના છે; બેશક એક પત્નીના મૃત્યુ બાદ બીજું લગ્ન પતિ કરી શકે છે. પતિ પરમેશ્વર છે — પૂજ્ય છે; પત્ની પર ગમે તેવો જુલમ ગુજારવાનો અધિકાર તેને છે. પત્નીનો તિરસ્કાર તે કરે છે. રા. ડાહ્યાભાઈ વનિતાદ્વેષી નથી; તેમનાં નાટકોમાં વનિતાસન્માન છે. તોપણ ‘ઉદયભાણ’માં ભાણજીનું ભાણીબા વિશેનું ગાયન, પત્ની વિશે પતિને ખોટી ભંભેરણીથી ઊપજતો સંશય વગેરે આપણને ખૂંચે છે. જ્યાંથી પોતાનાં વસ્તુ લીધાં હતાં તેના સંસ્કારોને લીધે આવું થયું હશે. સ્ત્રીઓથી પોતાના પતિઓનો ઉદ્ધાર થતો એવું ઘણાં નાટકોમાં આલેખાયેલું છે.&lt;br /&gt;
શીલનો મહિમા વિષયપરત્વેના વિરોધને લઈ ગવાયો છે. શીલવતી સતીનો પ્રભાવ સંતતી પર, પાપવાંછનાહીન અનુચરો અને સમાગમીઓ, કે પ્રજા પર પડ્યો હોય એવું વિધાન નથી; સાધુની સાધુતા વધારે, વીરનું વીરત્વ ઉત્તેજે, અર્થાત્ મનુષ્યની દૈવી સંપત અધિક ઓજથી પ્રકટાવે એવા પ્રસંગ શીલગૌરવ દર્શાવવા યોજાયા નથી. આસુરી સંપતનો વિનાશ કરવા સાથે દૈવી સંપતને વધારે કલ્યાણ કરતું કલાવિધાન હિતાવહ અને પ્રેય છે.&lt;br /&gt;
નીતિના સબળ પાયા પર જ દરેક નાટકની ઈમારત ચણાયેલી છે. રા. ડાહ્યાભાઈ એટલા બધા નીતિપ્રચારણ માટે આતુર હતા કે રુચિરતાની ક્ષતિ થાય તેવે પ્રસંગે પણ નીતિતત્ત્વો પ્રત્યક્ષ રીતે ઉદ્ઘોષ્યા વિના રહેતા નહીં. તેમનાં ગાયનોમાં એ તત્ત્વોનો સંભાર છે, પ્રલંબ ભાષણો દ્વારા એ તત્ત્વો ભાર દઈ પ્રેક્ષકો સમક્ષ રજૂ થતાં. આ દેશની પ્રજાને ‘શીખામણિયાં’ લખાણ (didactic writings) વધારે અસર કરે છે. રા. ડાહ્યાભાઈનાં નાટકોમાં આ તત્ત્વોનો જેટલો વિસ્તૃત ઉપયોગ થઈ શકે તેટલો કરવામાં આવ્યો હતો. સરળ પણ સચોટ ભાષામાં, કહેવતો, સંસ્કૃત અને ગુજરાતી ગ્રંથોના અભ્યાસે હાથ લાગેલા અલંકારો જેમાંના કેટલાંક વર્ષો થયાં હિન્દુ સમાજને પરિચિત હતાં તેમનો ઉપયોગ કરી પોતાને કહેવાનું રા. ડાહ્યાભાઈ કહેતા. એમના નાટક પર આ પ્રમાણે નીતિના પટા ઉજ્જ્વળ અને વિશાળ પડ્યા છે. પરોક્ષ ઉપદેશ જે કલાવિધાનનો પ્રધાન ઉદ્દેશ છે તે આજના અશિક્ષિત કે અલ્પ શિક્ષણવાળા શ્રોતાઓને માટે હિતાવહ નથી એમ માની પ્રત્યક્ષ ઉપદેશ એમણે ઉચ્ચ નાદે કર્યો છે.&lt;br /&gt;
રા. ડાહ્યાભાઈની કૃતિનાં મુખ્ય લક્ષણ તપાસતાં પાત્રતા વિશે પણ વચ્ચે ચર્ચા કરી. વસ્તુસંવિધાન તપાસતાં પણ એમણે બજાવેલી સેવાની કદર પિછાનીશું. ગુર્જર રંગભૂમિ પર સંસ્કૃત નાટકોના વિદૂષક અને રંગલાનો અવતાર હાસ્યરસ ઉપજાવવા લાવવામાં આવતો. આથી સંકલના શિથિલ રહેતી અને રસનિષ્પત્તિમાં ક્ષતિ લાગતી. પારસી કંપનીઓએ આ દિશામાં સુધારો કર્યો હતો. રા. ડાહ્યાભાઈએ વિદૂષકને રૂખસદ આપી હાસ્યરસ જમાવવા અને સાથે સાથે ઉપદેશ આપવા ઉપકથા યોજી નાટકના મૂળ વસ્તુમાં સંયોજી લીધી. પ્રારંભમાં ઉપકથા છૂટી રહેતી. રફતે રફતે કૌશલથી ઉપકથા દાખલ કરવામાં આવી. મોલીયરનાં નાટકોની કથાને ગુજરાતી લેબાસમાં આપણી રંગભૂમિ પર આણ્યાં. આથી કાંઈક કૌશલ ઊંચું થયું. આ ફેરફાર પ્રેક્ષકોને પસંદ પડ્યો અને બીજી કંપનીઓએ પણ અખત્યાર કીધો. વાણિયા, વોરા, બાવા, પારસી, સસરાજમાઈ, અનેકપત્નીવિવાહ વગેરે કોમો અને સંબંધો તેમ જ સંસ્થાઓનાં દૂષણોથી જે રીતે આપણો સમાજ આનંદ મેળવે છે—એ દૂષણોના ઉપહાસથી એમનાથી થતી હાનિ સમજે છે તે જ રીતે એ સર્વનો રા. ડાહ્યાભાઈએ ઉપયોગ કીધો છે.&lt;br /&gt;
આજની આપણી રંગભૂમિના અધ્યક્ષોનો હાસ્યરસનાં શક્તિ અને સ્થાન વિશેનો અભ્યાસ અધૂરો છે એ અસંદિગ્ધ વાત છે. શૃંગાર અને હાસ્ય, વીર અને હાસ્ય, કરુણ અને હાસ્ય તથા અદ્ભુત કે જુગુપ્સા અને હાસ્યના સમવાય કેવા અને કેટલે અંશે યોજવા જોઈએ તે હજુ રંગભૂમિના રસશાસ્ત્રીઓને શીખવાનું છે. હાસ્યોત્પાદક પ્રવેશો હલકા પ્રેક્ષકોને રીઝવવા, મોજમાં રાત ગાળવા આવેલાની વૃત્તિ સંતોષવા, કરુણ કે શૃંગારનું આધિક્ય છાંટવા, કે ‘સીનરી’ ગોઠવવામાં લાગતો વખત મેળવવા નાટકના તખ્તા પર ભજવવામાં આવે છે. રા. ડાહ્યાભાઈનાં નાટકોના આ પ્રસંગો પણ સાંકેતિક છે; આ જ દિવસે દિવસે નવીન થતા જતા આપણા સંસારનું તેઓ નિરીક્ષણ કરતા હતા એવી પ્રતીતિ કરાવનાર પ્રસંગો જવલ્લે જ એમની કલમથી લખાયા છે. ‘ઇલેક્શન અને ક્વૉરન્ટાઇન’નો ખેલ ફક્ત અપવાદરૂપ છે. તેમાં પણ ઉપહાસ અગ્રસ્થાને છે—પ્રતિનિધિરાજ્યતત્ત્વ આદિ નવીન પાશ્ચાત્ય રાજકીય પ્રશ્નો સમાજ સરળતાથી સમજી ઉપયોગમાં લઈ શકે એવા દૃષ્ટિબિન્દુનો આશ્રય લેવામાં નથી આવ્યો. કૉલેજનું શિક્ષણ લેનાર રા. ડાહ્યાભાઈએ પોતાનાં નાટકો દ્વારા રાજ્ય, સંસાર, ગૃહ અને ધર્મનાં પ્રશ્નો ચર્ચી શ્રોતાઓમાં અલૌકિક પ્રબળ ચેતન જગાવ્યું હોત તો જે જે સેવાઓ એમણે કરી છે તે વધુ શ્રેયસ્કર અને ચિરંજીવ થઈ હોત — ભારતના આધુનિક ઇતિહાસ ઘડનારની કક્ષામાં તેઓ સ્થાન પામ્યા હોત.&lt;br /&gt;
ગાયનોના સંગીત વિશે ચર્ચા કરતાં અતિ વિસ્તાર થાય માટે આજ તે મુલતવી રાખવી વાજબી ગણાશે. રા. ડાહ્યાભાઈના ગરબા યોગ્ય લોકાદર પામ્યા છે. કાઠિયાવાડના રાસડા રા. રા. વાઘજી આશારામ ઓઝાએ નાટકોમાં દાખલ કર્યા. રા. રા. ડાહ્યાભાઈની રસિકતા આ રાસડાઓની રસનિષ્પાદન શક્તિ, પ્રેક્ષ (Scene) તરીકે અને સંગીત પરત્વેની ખૂબી પામી શકી. દરેક ખેલમાં અકેકો ગરબો સ્થાન પામ્યો. આ દેશના આલંકારિકોએ નાનાવિધની નાયિકા વર્ણવી છે તેવી નાયિકાના પ્રસંગો આછા પ્રકૃતિવર્ણનોથી રંગી ગરબામાં રા. ડાહ્યાભાઈએ આણ્યા છે. લય લલિત, સૂરાવટ મધુર અને ભાષા કોમળ છે; અલંકાર રૂચિકર છે; શૈલી સરળ અને સાદી છે; વચ્ચે વચ્ચે પ્રાચીન કાવ્યોની ભાષા, કે અલંકારો કે વિચારો સૌરસ્યથી ગોઠવ્યા છે. ગોપીગીતો અથવા કલગીતોરાની છટેલ મસ્તી કે અનીતિ છેકી નાંખી તેમની મનોહરતા, શ્રુતિપ્રિયતા, સુગમ્યતા, લાલિત્ય, માધુર્ય અને પ્રવાહીત્વ પોતાનાં ગીતોમાં રા. ડાહ્યાભાઈ લાવ્યા છે. આજનાં ઘણાં નાટકી ગાયનોમાં અસંબદ્ધતા, શિથિલતા, નિરર્થકતા, અવિશદતા, પ્રયોજનહીન શબ્દપ્રાચુર્ય વગેરે જે અરુચિકર તત્ત્વો હોય છે તે દૂષણો રા. ડાહ્યાભાઈનાં લગભગ બધાં ગીતોમાં નથી; બેશક સંપૂર્ણ અંશે શુદ્ધ તો બધાં નથી જ. હલકાં જોડકણાંને બદલે રસભર્યાં એમણે રચ્યાં છે. ગરબા અને નાયિકાને ગાવાનાં ગીતોના ભાવ સારા આલેખવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. કંચનીઓનાં ગીતો પણ ઉસ્તાદી સંગીતની પ્રસાદી પામ્યાં છે. ‘મોરી ધીરેસે ગગરી ઉતાર લીજે રે’થી શરૂ થતું ગીત ઉદાહરણ તરીકે બસ થશે. અલંકારો વર્ણવતાં જ ધારેલો ભાવ ઉદ્દીપન કરે—અર્થાત્ આજના પ્રેક્ષકવર્ગને સહેજ પણ આયાસ વગર તે ભાવ સમજાય એવાં પસંદ કરવામાં આવ્યાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સંસારને રૂડે રસોડે દેવતા દુઃખનો ભર્યો;&lt;br /&gt;
પેઠા વિષયદૂધ લાલચે તો મનબિલાડા ઠાર મુઓ;&lt;br /&gt;
સાચે ન સુખનો રોટલો છે પાણીમાંનો છાંયડો,&lt;br /&gt;
કૂતરા ખુએ કર્મમાં હાડકાંનો હાયડો.’&lt;br /&gt;
{{right|મોહિનીચંદ્ર}}&lt;br /&gt;
‘કળી કુમળી કેમ ઉપાડે, કોવાડાના માર,&lt;br /&gt;
ગુલાબના ઢગલામાં શોભે ધગધગતા અંગાર;&lt;br /&gt;
અંગ આપણું અબળા કહીએ, કહો ભાઈ અંગ તજીને રહીએ’ વગેરે&lt;br /&gt;
{{right|વીણાવેલી.}}&lt;br /&gt;
‘પોપટ પૂરીને પૂરું પાંજરે ન પાણી પાય,&lt;br /&gt;
મામો કહીને દૂધ સાપને તો દેવા જાય.’&lt;br /&gt;
{{right|વીણાવેલી.}}&lt;br /&gt;
‘બાંધે હવામાં બાપડાં પાપી બરફનાં માળીયાં,&lt;br /&gt;
કાળનો ઉકળાટ થાતાં હાય વહેતાં ચાલીયાં.’&lt;br /&gt;
{{right|સરદારબા.}}&lt;br /&gt;
‘પતિપરાયણ તારામતી ભીડ, નારાયણે જ નિવારી,&lt;br /&gt;
નરસિંહ મહેતાની હોંસથી હૂંડી, શામળીયાએ સ્વીકારી;&lt;br /&gt;
કંકોતરી વિના શ્રીકિરતારે પરણાવી ઓખાકુમારી.’&lt;br /&gt;
{{right|ઉદયભાણ.}}&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવાં અનેક ઉદાહરણો ટાંકી શકાય. કેવા કેવા પ્રકારનાં ઉપમાનો રા. ડાહ્યાભાઈ વાપરતા તેનો ખ્યાલ આપવા ઉપરનાં ઉદાહરણો પૂરતાં થશે એવી આશા છે. દંભી જોગ, કે સંસારીઓની અધમતા અને નિર્બળતા ખંખેરતાં અથવા ઈશ્વર પર ભરોસો રાખતાં જૂના ગુજરાતી કવિઓની શૈલી અખત્યાર કરી છે; તેથી તે તે ભાવવાળાં ગીતો લોકપ્રિય થયાં છે. ‘તુંહી તુંહી’થી શરૂ થતું સરદારબા નાટકમાંના ગુરુનું ગીત, ‘જોજો કૌતક જગનું કામ સધાય ઠગનું’ એ ધમલાનું ગીત, ‘નથી જગતમાં સાથ સંબંધી વિના ત્રિભુવન નાથ’ એ ભીખીનું ગીત, ‘સુંદર શામળીઆ, નામ જપીશ, નિત્ય તારું’ એ વીણાનું ગીત ઇત્યાદિ ગીતો વિશે પ્રશંસાવચન કથવાની જરૂર રહી નથી. ‘વીણાવેલી’માં કુંભારોનું ભજન, ‘ઉમાદેવડી’માં પૂજારીનું ભજન વગેરે પણ જૂનાં ભજનોની ધાટી પર રચાયેલાં હોવાથી શ્રોતાઓને રૂચ્યાં છે; બેશક નવીનતા, ચમત્કાર કે ગાંભીર્ય નથી.&lt;br /&gt;
ઉપમાનો રમણીય કે સાધારણ વપરાયાં છે, કેટલેક સ્થળે તો ક્ષતિ ઊપજે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘લોભના લગડે નહીં લાધે–પ્રેમતણું પરવાળ જો,&lt;br /&gt;
સ્વારથ કાકાકૌઆ કોટે નહીં પ્રીત મોતીમાળ જો.’&lt;br /&gt;
{{right|વિજયાવિજય.}}&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીંયા સ્વાર્થને કાકાકૌઆનો સંબંધ શી રીતે બેસાડ્યો છે? કાકાકૌઆ કોટે મોતીમાળ કેમ ન શોભે? શ્વેત અને શ્વેતના સમાગમથી સુન્દરતા અલૌકિક પ્રકાશી નીકળ્યા વિના રહે જ નહીં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જગતમાં તે નરને ધિક્કાર – તજે જે પરણી ઘરની નાર,&lt;br /&gt;
બગાડે મૂરખ તે સંસાર, ભેળવે દીવેલમાં કંસાર.&lt;br /&gt;
{{right|વીણાવેલી.}}&lt;br /&gt;
‘કોને કહીયે કજોડાની કહાણી રે,&lt;br /&gt;
જેમ બળદ પીલાયે ઘાણી રે.’&lt;br /&gt;
{{right|સરદારબા.}}&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વગેરે સ્થળે અવિશદતા અને ગ્રામ્યતા છે.&lt;br /&gt;
ભાષા અમુક અંશે સંસ્કારી રા. ડાહ્યાભાઈએ વાપરી છે. વર્ણસગાઈ પર ઝોક જબરો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘બોલો મારા પ્રેમી પોપટજી બોલ બોલો,&lt;br /&gt;
બોલો બોલો મેના બોલાવે.’&lt;br /&gt;
{{right|ઉદયભાણ.}}&lt;br /&gt;
‘કોઈ ફૂલ લ્યો રે ફૂલ—&lt;br /&gt;
ફૂલ સાથે દિલ છે ડૂલ રે—’&lt;br /&gt;
{{right|ઉમાદેવડી.}}&lt;br /&gt;
‘જપતી પ્રીતમની જપમાળા જુવતી જો અલબેલી,&lt;br /&gt;
જોબન રસરંગે જોની આ બની ઘેલી.’ &lt;br /&gt;
{{right|અશ્રુમતી.}}&lt;br /&gt;
‘પ્રીતમની પાછળ હું જોગણ બની,&lt;br /&gt;
વ્હાલાની વાંસે વિજોગણ બની રે—’&lt;br /&gt;
{{right|વિજયાવિજય.}}&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઉતારાએ વર્ણસગાઈ, અનુપ્રાસ આદિ શબ્દાલંકારોનો કેવો વપરાશ થયો છે તે દાખવે છે. બેશક ગુજરાતમાં જે જાતની કવિતા આજ દિન લગી પ્રચારમાં છે – જે કવિતા લોકો હોંશથી વાંચે છે તેના કેટલાક ગુણો પોતાના ગાયનોમાં આણ્યાથી રા. ડાહ્યાભાઈએ લોકપ્રિયતા મેળવી એ સ્વાભાવિક છે.&lt;br /&gt;
ફક્ત ગાયનો જ પ્રગટ કરવામાં આવે છે – સમગ્ર નાટકો છાપવામાં આવતાં નથી એટલે વિવેચન સંપૂર્ણતઃ યથાર્થ થઈ શકવાનો સંભવ નથી. ગદ્યની ભાષા, – વિવિધ વૃત્તિ દાખવતી ભાષા કેવી રીતે ઘડાઈ હતી, કેવા પ્રકારના સંવેગનો પાસ દેવામાં આવતો – એ વિશે ચર્ચવાને સાધનો નથી. ઉપદેશ આપતી વખત આલંકારિક ભાષાનો બહોળે હાથે ઉપયોગ કરવામાં આવે છે. આથી કહેવાનું સચોટ રીતે કહેવાય છે અને નટ શાબાશીની તાળીઓથી વધાવાય છે. કલ્પના કરતાં ‘દુનિયાદારી’ તરંગ(fancy) આવી ભાષા રચવામાં સહાય આપી શકે છે. ઉચ્ચ કવિત્વની આશા ખપુષ્પ મળે તો ફળીભૂત થાય. ‘ગૌડબંગાળાકાશી’ બંગાળની ભીખારણોની એક પછી એક ઊથલાતી છબી ઐક્યનું ભાન કરાવતી નથી તેમ જ જોનાર બાળકોને ફક્ત અલ્પજીવી આનંદ આપે છે, પણ તેમનાં જ્ઞાનને વધારતી નથી. એ જ પ્રમાણે કેટલીક વખત અલંકારપરંપરા સાંભળવાથી સૌરસ્યનું બાષ્પીભવન થાય છે, એકતા ખંડિત થાય છે અને શ્રોતાઓનાં જ્ઞાન કે અનુભવ હતાં તેવાં ને તેવાં રહે છે. રા. ડાહ્યાભાઈ વધારે જીવ્યા હોત તો એમનું કલાવિધાન હજુ વિકસત અને આવી ખામીઓ જતી રહી હોત.&lt;br /&gt;
અભિનય પરત્વે બોલતાં કહેવું પડશે કે આજની આપણી રંગભૂમિ પર જેટલા અભિનયદોષ થાય છે તે સર્વથી પૂરે અંશે રા. ડાહ્યાભાઈના ખેલો મુક્ત નથી. ‘ટેબલો’ના અભિનયની ખૂબી પીછાની તેને રંગભૂમિ પર સ્થાન આપવા માટે પ્રેક્ષકો રા. ડાહ્યાભાઈના અતીવ આભારી છે. અમુક વૃત્તિ કે સંવેગ મૂક અને નીરવ રીતે પ્રકૃષ્ટ સ્વરૂપમાં દાખવનાર અભિનયની કિંમત આંકવા લેખિની અસમર્થ છે. જ્યારે હૃદયમાં તુમુલ તોફાન ચાલે છે, ભક્તિ અને પૂજ્યભાવના મહાધોધ ગડગડે છે, વૈરવૃત્તિ ભડભડ ભભૂકતી હોય છે ઇત્યાદિ પ્રસંગે માનવીની વાચા નિર્બળ થાય છે; ફક્ત તેના મુખ અને શરીરનાં બીજાં અંગોના હાવભાવથી હૃદયમાં ચાલતા વ્યાપારનાં પ્રભાવ કે માપ પમાય છે. ‘ટેબલો’ ક્રમશઃ તીવ્ર થતા જતા સંવેગ કે વિકારની પ્રબળ અને પ્રલંબ અસર નીરવ અભિનયથી ઊપજાવે છે. કરુણરસ જ્યારે ઘાડો જામ્યો હોય ત્યારે રસિક કલાવિધાન ‘ટેબલો’- નો ઉપયોગ કરે તો પ્રેક્ષકોને નવો પ્રકાશ – નવું જીવન જગાવતું ચેતન આપી શકે.&lt;br /&gt;
વસ્તુ, ગીત, ભાષા અને અભિનય સંબંધી ‘ઉપર ચુટકી‘ કરેલી ચર્ચા આજના પ્રેક્ષકો વિશે સંક્ષેપમાં કાંઈ કહેવાને પ્રેરે છે. પૈસો કમાવા નાટકો ભજવવામાં આવે છે. દુકાનદાર પોતાનો માલ કેમ વધારે ખપે – પોતાને અધિક લાભ શાથી થાય એ વિચાર કરી વર્તે છે. તે જ પ્રમાણે નાટકવાળાઓ પોતાને ત્યાં પ્રેક્ષકની ઠઠ શાથી જામે અને પોતાને ત્યાં કેવી રીતે ટંકશાળ પડે એ હેતુ લક્ષમાં રાખી પોતાનો ધંધો ચલાવે છે. પ્રેક્ષકની રુચિને અનુસરવાથી નાટ્યકલા અધોગતિ પામે તે ઉક્ત દૃષ્ટિબિન્દુથી તેઓ દોષમુક્ત. પ્રેક્ષકોની રુચિ શું અધોગતિ આણે એવી છે? પ્રેક્ષકો કોણ હોય છે? સારો દિવસ કામ કરી થાકી ગયેલા લોકો જેઓ થાક ઉતારવા અને પોતાના સંસ્કારને અનુરૂપ આનંદ અને ગમ્મત મેળવવા નાટ્યગૃહમાં જાય છે. સખત મજૂરી કરનાર અધિક અંશે વિકારોને વશ હોય છે. પીઠામાં કે વેશ્યાલયમાં, આસાયશ માટે મળેલી રાત્રિ, નિર્ગમવાને બદલે અમુક વર્ગ નાટકશાળામાં રાત ગાળે છે. ઉક્ત સ્થળે પોષાતી વૃત્તિઓ નાટકશાળામાં ન પોષાય તો તેઓ નાટકોને ઉત્તેજન અને દ્રવ્યસહાય આપતા અટકી જાય. પૈસો રળવા બેઠેલા માલિકો એ વર્ગથી ઊપજતી દ્રવ્યની ખોટ ખમવા તૈયાર નથી; એટલે નાટકોમાં અધમતા, ક્ષુદ્રતા કે ગ્રામ્યતા પ્રવેશે જ. બીજો વર્ગ અભણ અને અસંસ્કારી શ્રીમંતોનો છે. પૈસાના તુમાખમાં છકેલા મોજશોખ માણવાનું સ્થળ નાટકશાળામાં શોધે છે. જ્યાફત અને નાચરંગની મઝા નાટકના તખ્તા પર ઘૂમતાં પાત્રો પાસેથી મેળવે છે. આ દેશને જોઈએ એવા ધર્મનાં ધતીંગથી મોકળા જાહેર વિનોદો બહુ થોડા છે; ને જે છે તે પણ વિલુપ્ત થતા જાય છે. આવા સમામાં નાટકો વિનોદો મેળવવા જોવા જવાય એ સ્વાભાવિક છે. અંગ્રેજોના આવ્યા પહેલાં ભવાઈ કે કલગીતોરાવાળાની મહેફિલ કે અફિણીયાનો ડાયરો કે હોળી જેવા બિભત્સ તહેવારો વિનોદ ને વિરામ મેળવવાનાં સાધનો હતાં. જ્યારે આવાં અધમ સાધનોનો સંપ્રદાય પ્રચલિત હોય ત્યારે નાટકો ઉચ્ચગ્રાહી ભજવાય એ અસંભવિત છે. જે દેશમાં સહેજ પણ સંકોચ વિના અશ્લીલ ભાષાનો બારે પહોર ને બત્રીસે ઘડી ઉપયોગ થતો હોય, સ્ત્રીચરિત્ર અને એવી જાતના વિષયો વંચાતા કે ચર્ચાતા હોય ત્યાંના વતનીઓ પાસે ઊંચા સંસ્કારની આશા રાખવી એ ફોકટ છે. સંસ્કૃત અને ઇંગ્લિશ સાહિત્યના ગાઢ વાંચન —બેશક જીવનપર્યંત રહેતો સમાગમ તો નહીં જ – છતાં પણ જે દેશના ગ્રેજ્યુએટોની રસવૃત્તિ હલકી ટળી શકતી નથી, ત્યાંની રંગભૂમિ પર ઉત્કૃષ્ટ ભાવનામય કૃતિ ભજવાતી જોવાની અભિલાષા વ્યર્થ છે. નાટકશાળામાં પ્રેક્ષકો મઝા અને ગમ્મતને માટે જાય છે – જ્ઞાન કે અનુભવ લેવા નહીં. ધાર્મિક વધારે ધાર્મિક થાય, કે પાપી ઓછો પાપી થાય એવા હેતુથી અથવા નવીન ભાવના મેળવવા ત્યાં કોઈ જતું નથી.&lt;br /&gt;
જેઓની રસવૃત્તિ સંસ્કારી નથી, કેળવાયેલી નથી, જગતમાં અનુપમ અને ઉન્નત સાહિત્યને જેમને સમાગમ નથી તેવા પ્રેક્ષકોને માટે ઉચ્ચ પ્રકારનાં નાટકો ન રચાય એ સર્વ રીતે વાસ્તવિક છે.&lt;br /&gt;
રા. રા. ડાહ્યાભાઈ આ બધું સમજતા હશે. પોતાના પ્રેક્ષકોને ધીરે ધીરે સંસ્કારી કરવા, તેમની સન્મુખ તેમને પચે એવા આદર્શો મૂકવા, બને તેટલી ભભક ઓછી રાખી સંગીન ઉપદેશ આપવો – એવા કાંઈક એમના હેતુ હશે. પોતાની શક્તિના પ્રમાણમાં તેઓથી બન્યું તેટલું એમણે કર્યું છે – છતાં એમની વિદ્યા જોતાં વધારેની અપેક્ષા રહે છે.&lt;br /&gt;
રા. રા. ડાહ્યાભાઈની કૃતિ વિશે સહેજસાજ કહ્યા પછી એમના જીવન વિશે બોલવાનું રહે છે. દૃઢતા અને મંડ્યા રહેવાના ઉત્તમ ગુણો એમનામાં હતા. શરૂઆતમાં આગ લાગવાથી તેમ જ બીજાં કારણોથી તેમને ખમવું પડ્યું હતું. છતાં નાસીપાસ ન થતાં પોતાનું ચિત્ત નાટકના પેશામાં લગાડી પોતાની કંપનીને આજની સ્થિતિ સંપાદી આપી. તેમ જ પોતાના જીવનનું સાર્થક્ય કીધું છે. અમદાવાદના ‘આનંદભવન’ ‘થિયેટર’માં પોતાની પુનર્જીવિત કંપની પાસે ‘ભોજરાજા’નો ખેલ ભજવાવ્યો હતો તે વખત અને આજનો ખેલ જોતાં રા. ડાહ્યાભાઈની બુદ્ધિ, હિંમત અને કાર્યકુશળતાનો ખ્યાલ આવશે.&lt;br /&gt;
જ્યારે દુકાળના પંજામાં આ દેશ સપડાયો હતો ત્યારે પોતાનાં નાટકો ભજવી તેથી થતી ઊપજ રાંકાંઓના નિર્વાહ અર્થે એમણે આપી દીધી હતી. આવાં અપૂર્વ સ્વાર્થત્યાગ અને વિરલ દાનશીલતા તેમનામાં હતાં. પોતાની કોમની સેવા કરવા માટે, દુઃખી બંધુઓની વહાર કરવા માટે અને નાટકના ધંધાને સહેજ ઉન્નત કરવા માટે શ્રી માંગરોળ જૈન સભા તરફથી આજનો પ્રસંગ ઊજવાય એ સુસંગત અને યોગ્ય છે. આ પરાસ્ત દેશની અલ્પ પણ જે સેવા કરે છે, તે તેનું પ્રારબ્ધ ઉઘાડવામાં મદદ કરે છે – તે આ દેશનો ઉદ્ધાર સમીપ આણતી જાય છે માટે તે તે સેવાની કદર બુઝાવી જોઈએ અને ઋણ ફિટાવવું જોઈએ. શ્રી માંગરોળ જૈન સભાએ આવો સ્તુત્ય સમારંભ યોજ્યો માટે તેમને અનેકવાર ધન્યવાદ છે અને જેમના સ્મારક માટે અત્રે આપણે મળ્યા છીએ તેમની અને તેમના ધંધાની યોગ્ય કિંમત જો આજે આપણાથી અંકાઈ હશે તો સભાનો પ્રયાસ સફળ, ઉપયોગી અને આદરણીય લેખવો જોઈશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = રા. બ. નંદશંકર તુલજાશંકર&lt;br /&gt;
|next = મલ્હાર ભીકાજી બેલસરે&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B0%E0%AA%BE._%E0%AA%AC._%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0&amp;diff=111464</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/રા. બ. નંદશંકર તુલજાશંકર</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B0%E0%AA%BE._%E0%AA%AC._%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0&amp;diff=111464"/>
		<updated>2026-05-30T03:05:12Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|રા. બા. નંદશંકર તુળજાશંકર}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘સમાલોચક’(જુલાઈ–સપ્ટેમ્બર)માં ‘વિદ્યમાન ગુર્જર ગ્રન્થકારો’ના શિરોનામની લેખાવલીની શરૂઆત થઈ છે. પહેલો લેખ ‘કરણઘેલા’ના કર્તા રા. બા. નંદશંકર તુળજાશંકર સંબંધી છે. રા. બા. નંદશંકર સુરતના રહેવાસી વડનગરા નાગર જ્ઞાતિના ગૃહસ્થ છે. તેમનો જન્મ ઈ. સ. ૧૮૩૫ના એપ્રિલ માસમાં સુરત શહેરમાં થયો હતો. તેમના પિતાની દ્રવ્ય સંબંધીની સ્થિતિ સારી નહોતી. તે સમય અનુસાર સુરતમાં જેટલું જ્ઞાન મેળવી શકાય તેટલું જ્ઞાન તેમણે પંદર વરસની બાળવયે મેળવી લીધું હતું. અભ્યાસમાં હોંશિયારી બતાવવાથી શિક્ષક મિ. ગ્રેહામની તેમના ઉપર મહેરબાની થઈ હતી. મુંબઈ જઈ અભ્યાસ વધારવાની શક્તિ ન હોવાથી ૧૫-૧૬ વરસની વયે મોનિટરની જગ્યાએથી ચઢતાં ચઢતાં તેઓ એક હેડમાસ્તરની જગ્યા મેળવવાને ભાગ્યશાળી થયા.&lt;br /&gt;
મુંબઈ એલ્ફિન્સ્ટન પાઠશાળા નવી સ્થપાઈ ત્યારે દક્ષિણી અને પારસી વિદ્યાર્થીઓના પ્રમાણમાં ગુજરાતી વિદ્યાર્થી ઘણા થોડા હતા; તેથી તેમને સમજાવી મુંબઈ અભ્યાસ કરવા માટે મોકલવાનું કામ કેળવણીખાતાના વડા મિ. હાવર્ડ તરફથી રા. નંદશંકરને સોંપવામાં આવ્યું હતું. તે કાર્યને અંગે તેઓ મુંબઈ આવ્યા, ને એલ્ફિન્સ્ટન પાઠશાળામાં વખતોવખત જઈ ગુજરાતી અભ્યાસનો ક્રમ કેમ ચાલે છે તે ઉપર દેખરેખ રાખવા લાગ્યા. રા. નંદશંકરને તે વખતે કેટલાંક અંગ્રેજી પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, અને તે પ્રસંગે તેમણે ત્રિકોણમિતિ વગેરે અંગ્રેજી પુસ્તકો ઉપરથી તથા માર્ગોપદેશિકા સંસ્કૃત ઉપરથી ગુજરાતી વિદ્યાર્થીઓ માટે તૈયાર કર્યાં હતાં. આ જ વખતે તેમને મિ. ગ્રેહામે  એક સારી નવલકથા ગુજરાતી ભાષામાં લખવા કહ્યું; તે ઉપરથી તેમણે ‘કરણઘેલો’ એ નામનું સુપ્રસિદ્ધ પુસ્તક લખ્યું. તે છપાવી પ્રસિદ્ધ કરવાની શક્તિ તેમની ન હોવાથી તે પ્રસિદ્ધ કરવાનો હક તેમણે સરકારને આપ્યો તેના બદલામાં સરકારે તેમને રૂ. ૧,૦૦૦ નું ઇનામ આપ્યું.&lt;br /&gt;
મ્યુનિસિપાલિટી, લિટરરી અને સોશિયલ મંડળીઓમાં ઉત્સાહથી તેઓ ભાગ લેતા. વર્તમાનપત્રમાં લખવાનો પણ તેમને શોખ હતો. ‘ગુજરાત મિત્ર’ના તેઓ અંગ્રેજી લેખક હતા. મર્હૂમ રા. સા. મહીપતરામ ઇંગ્લૅંડથી આવ્યા તે વખતે તેમના પક્ષ લેવામાં મુખ્ય ભાગ રા. બા. નંદશંકરે લીધો હતો. તેમની જ્ઞાતિમાં લગ્ન, સીમંત અને મરણ વખતે નકામા ખરચ કરવાના રિવાજો સામે તેઓ હિમ્મતથી લડ્યા ને ફાવ્યા. પોતાના કુટુંબમાં લગ્નની વય પણ તેમણે વધારી છે.&lt;br /&gt;
સર થીઓડર હોપ સુરતના કલેક્ટર હતા ત્યારે રા. બા. નંદશંકરની નોકરીની કુશળતાથી સંતુષ્ટ થઈ રેવન્યુ ખાતામાં સારી નોકરી આપવાનું સૂચવ્યું. ઈ. સ. ૧૮૬૪માં રૂ. ૩૮૦/- ના પગારે તે ખાતામાં તેઓ જોડાયા. સને ૧૮૬૮માં તેઓ મામલતદાર થયા. અંકલેશ્વર અને ધંધુકે મામલતદારી કર્યા પછી દેવગઢબારીયાના એડમિનિસ્ટ્રેટર નિમાયા. ત્યાં ૧૮૭૧-૭૫ સુધી રહી રાજ્યની સ્થિતિ સુધારી. તેમની કાર્યકુશળતાથી પ્રસન્ન થઈ સરકારે તેમને લુણાવાડા અને સુંથરામપુરના એડમિનિસ્ટ્રેટર નીમ્યા. ઈ. સ. ૧૮૮૦માં કચ્છના દીવાનની જગ્યા તેમને મળી. ઈ.સ. ૧૮૮૬માં દીવાનગીરી છોડવી પડી ત્યારે રાવે તેમના કાર્યથી સંતુષ્ટ થઈ રૂ. ૧૦,૦૦૦ નું ઇનામ આપ્યું. કચ્છમાંથી તેઓ રેવાકાંઠાના પોલિટિકલ એજંટના આસિસ્ટંટની પદવીએ નીમાઈ આવ્યા. ૧૮૭૭માં દિલ્હી દરબાર વખતે રેવાકાંઠાના પો. એજંટને દિલ્હી જવું પડ્યું ત્યારે પોતાનો ચાર્જ રા. નંદશંકરને આપવાનો હુકમ આપ્યો હતો. તેમની કાર્યદક્ષતાથી સંતુષ્ટ થઈ સરકારે એ ચાર્જ એમને સોંપાવ્યો હતો. આ જ વખતે એમને ‘રાવબહાદુર‘નો ખિતાબ તથા ચાંદ એનાયત થયા હતા. સને ૧૮૮૪માં રાજપીપળાના અંગ્રેજ એડમિનિસ્ટ્રેટરના મદદનીશ તરીકે તેમની નિમણુક થઈ. સને ૧૮૯૦માં ૫૫ વરસની ઉંમરે આંખોમાં કંઈક અચાનક વિકાર થયાથી પેન્શન પર રિટાયર થયા. હાલ તેઓ નિવૃત્તિમાં પોતાનો કાળ નિર્ગમે છે. રાવબહાદુરના જીવન સંબંધી માત્ર એટલું જ કહેવું બસ છે કે તેમની જનમંડળમાં સંપૂર્ણ ખ્યાતિ હોવાથી તેઓ એક ગૃહસ્થ, અધિકારી અને વિદ્વાનને કરવા યોગ્ય કાર્ય કરી લક્ષ્મી અને કીર્તિથી સંતુષ્ટ થઈ કુટુંબની અભિવૃદ્ધિનો ઉદય જોતા સુખથી વાર્ધક્યની વિરતિ લેતા સ્વદેશમાં જ બેઠેલા છે.&lt;br /&gt;
ગુજરાતી ભાષા બોલનારી પ્રજામાં ‘કરણઘેલા’એ દિગંત ડંકો વગાડી તેમને આધુનિક ઐતિહાસિક નવલકથાકારનું કીર્તિવંત પદ અપાવેલું છે. કાઠિયાવાડના જ્યુડિશિયલ આસિસ્ટંટ મિ. કીનકેડે મુંબઈના સુપ્રસિદ્ધ માસિક ‘ઇસ્ટ એન્ડ વેસ્ટ’માં આ ગ્રન્થ પર એક અવલોકન લખ્યું છે. તેમાં ગ્રન્થની સારી પ્રશંસા કરી છે.&lt;br /&gt;
‘સમાલોચક’માં લખ્યું છે કે ‘કરણઘેલા’ની લોકપ્રિયતામાં હજુ સુધી કોઈએ ભાગ પડાવ્યો નથી, તે ખોટું છે. ‘સરસ્વતીચંદ્ર’ ની કીર્તિ આગળ ‘કરણઘેલા’ ની કીર્તિ ઝાંખી છે. કરણઘેલાની કીર્તિ વર્ણનપરત્વે છે. વસ્તુગૂંફન છે પણ બહુ ઊંચા પ્રકારનું નથી. પાત્રાલેખન તો બહુ નિકૃષ્ટ પ્રતિનું છે.&lt;br /&gt;
ગ્રંથનો હેતુ તે વખતનું બને તેટલું ખરું ચિત્ર આપવાનો છે. આ ઉપરાંત હાલમાં સારી ગણાતી રાજ્યવ્યવસ્થા, સંસારવ્યવસ્થા વગેરે તે વખતે પણ કંઈક અમુક સ્થિતિમાં હતાં એમ પણ બતાવ્યું છે. ભૂત પર કંઈક આરોપ થયો છે. ‘કરણઘેલા’ ના અનુકરણથી લખાયેલાં ‘વનરાજ ચાવડો’ અને ‘સિદ્ધરાજ જયસિંહ’માં આ આરોપ સંપૂર્ણપણે થયો છે. આમ કરવાથી ભૂતમાંથી વર્તમાન ઘટાવવા કંઈક સંદેશા, આદેશો, માર્ગ જડે અને નવુંજૂનું લાગવાથી તેનો યોગ્ય સત્કાર થાય એવો હેતુ પણ ખરો.&lt;br /&gt;
‘સમાલોચક’માં રા. બા. નંદશંકરની તસ્વીર આપવામાં આવી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નર્મદજયંતી&lt;br /&gt;
|next = ડાહ્યાભાઈ ધોળશાજી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7_%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF&amp;diff=111463</id>
		<title>ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7_%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF&amp;diff=111463"/>
		<updated>2026-05-30T03:00:43Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ, પ્રસાદ બ્રહ્મભટ્ટ&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= Gujarati Shodhprabhndh Sandrabhsuchi - Book Cover.jpg&lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:Gujarati Shodhprabhndh Sandrabhsuchi - Book Cover.jpg&lt;br /&gt;
|title = ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ&lt;br /&gt;
|editor = પ્રસાદ બ્રહ્મભટ્ટ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/નિવેદન|નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/પ્રાક્કથન|પ્રાક્કથન]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સંક્ષેપોની સમજ|સંક્ષેપોની સમજ]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમણિકા&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* ૧. ગુજરાતી સાહિત્ય, ઈ. ૧૧૫૦-૧૮૫૦&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/વિષય અને કૃતિ-વિવેચન|ક. વિષય અને કૃતિ-વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સર્જક મૂલ્યાંકન-વિવેચન (ઈ. ૧૧૫૦-૧૮૫૦)|ખ. સર્જક મૂલ્યાંકન-વિવેચન]]&lt;br /&gt;
* ૨. ગુજરાતી સાહિત્ય, ઈ. ૧૮૫૧-૨૦૦૧&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/કથા સાહિત્ય વિવેચન|ક. કથા સાહિત્ય વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/ટૂંકી વાર્તા વિવેચન|૧. ટૂંકી વાર્તા વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/નવલકથા|૨. નવલકથા]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/કવિતા વિવેચન|ખ. કવિતા વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/નાટ્ય વિવેચન|ગ. નાટ્ય વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/પ્રકીર્ણ વિષય વિવેચન|ઘ. પ્રકીર્ણ વિષય વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સર્જક મૂલ્યાંકન-વિવેચન (ઈ. ૧૮૫૧-૨૦૦૧)|ચ. સર્જક મૂલ્યાંકન-વિવેચન]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સાહિત્યસિદ્ધાંત અને વિવેચન|૩. સાહિત્યસિદ્ધાંત અને વિવેચન]]&lt;br /&gt;
* ૪. ભાષાવિજ્ઞાન અને ગુજરાતી ભાષા&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સ્વરૂપ, સિદ્ધાંત અને વિવેચન|ક. સ્વરૂપ, સિદ્ધાંત અને વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/ધ્વનિવ્યવસ્થા અને રૂપતંત્ર|ખ. ધ્વનિવ્યવસ્થા અને રૂપતંત્ર]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/રચનાતંત્ર (વ્યાકરણ)|ગ. રચનાતંત્ર (વ્યાકરણ)]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/બોલી|ઘ. બોલી]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સંદર્ભ]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7_%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF&amp;diff=111462</id>
		<title>ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7_%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF&amp;diff=111462"/>
		<updated>2026-05-30T02:59:42Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ, પ્રસાદ બ્રહ્મભટ્ટ&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= Gujarati Shodhprabhndh Sandrabhsuchi - Book Cover.jpg&lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:Gujarati Shodhprabhndh Sandrabhsuchi - Book Cover.jpg&lt;br /&gt;
|title = ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ&lt;br /&gt;
|editor = પ્રસાદ બ્રહ્મભટ્ટ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/નિવેદન|નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/પ્રાક્કથન|પ્રાક્કથન]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સંક્ષેપોની સમજ|સંક્ષેપોની સમજ]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમણિકા&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* ૧. ગુજરાતી સાહિત્ય, ઈ. ૧૧૫૦-૧૮૫૦&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/વિષય અને કૃતિ-વિવેચન|ક. વિષય અને કૃતિ-વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સર્જક મૂલ્યાંકન-વિવેચન (ઈ. ૧૧૫૦-૧૮૫૦)|ખ. સર્જક મૂલ્યાંકન-વિવેચન]]&lt;br /&gt;
૨. ગુજરાતી સાહિત્ય, ઈ. ૧૮૫૧-૨૦૦૧&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/કથા સાહિત્ય વિવેચન|ક. કથા સાહિત્ય વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/ટૂંકી વાર્તા વિવેચન|૧. ટૂંકી વાર્તા વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/નવલકથા|૨. નવલકથા]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/કવિતા વિવેચન|ખ. કવિતા વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/નાટ્ય વિવેચન|ગ. નાટ્ય વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/પ્રકીર્ણ વિષય વિવેચન|ઘ. પ્રકીર્ણ વિષય વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સર્જક મૂલ્યાંકન-વિવેચન (ઈ. ૧૮૫૧-૨૦૦૧)|ચ. સર્જક મૂલ્યાંકન-વિવેચન]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સાહિત્યસિદ્ધાંત અને વિવેચન|૩. સાહિત્યસિદ્ધાંત અને વિવેચન]]&lt;br /&gt;
* ૪. ભાષાવિજ્ઞાન અને ગુજરાતી ભાષા&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સ્વરૂપ, સિદ્ધાંત અને વિવેચન|ક. સ્વરૂપ, સિદ્ધાંત અને વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/ધ્વનિવ્યવસ્થા અને રૂપતંત્ર|ખ. ધ્વનિવ્યવસ્થા અને રૂપતંત્ર]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/રચનાતંત્ર (વ્યાકરણ)|ગ. રચનાતંત્ર (વ્યાકરણ)]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/બોલી|ઘ. બોલી]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સંદર્ભ]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7_%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF&amp;diff=111461</id>
		<title>ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7_%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF&amp;diff=111461"/>
		<updated>2026-05-30T02:59:21Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ, પ્રસાદ બ્રહ્મભટ્ટ&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= Gujarati Shodhprabhndh Sandrabhsuchi - Book Cover.jpg&lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:Gujarati Shodhprabhndh Sandrabhsuchi - Book Cover.jpg&lt;br /&gt;
|title = ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ&lt;br /&gt;
|editor = પ્રસાદ બ્રહ્મભટ્ટ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/નિવેદન|નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/પ્રાક્કથન|પ્રાક્કથન]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સંક્ષેપોની સમજ|સંક્ષેપોની સમજ]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]&lt;br /&gt;
* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમણિકા&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* ૧. ગુજરાતી સાહિત્ય, ઈ. ૧૧૫૦-૧૮૫૦&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/વિષય અને કૃતિ-વિવેચન|ક. વિષય અને કૃતિ-વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સર્જક મૂલ્યાંકન-વિવેચન (ઈ. ૧૧૫૦-૧૮૫૦)|ખ. સર્જક મૂલ્યાંકન-વિવેચન]]&lt;br /&gt;
૨. ગુજરાતી સાહિત્ય, ઈ. ૧૮૫૧-૨૦૦૧&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/કથા સાહિત્ય વિવેચન|ક. કથા સાહિત્ય વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/ટૂંકી વાર્તા વિવેચન|૧. ટૂંકી વાર્તા વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/નવલકથા|૨. નવલકથા]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/કવિતા વિવેચન|ખ. કવિતા વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/નાટ્ય વિવેચન|ગ. નાટ્ય વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/પ્રકીર્ણ વિષય વિવેચન|ઘ. પ્રકીર્ણ વિષય વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સર્જક મૂલ્યાંકન-વિવેચન (ઈ. ૧૮૫૧-૨૦૦૧)|ચ. સર્જક મૂલ્યાંકન-વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સાહિત્યસિદ્ધાંત અને વિવેચન|૩. સાહિત્યસિદ્ધાંત અને વિવેચન]]&lt;br /&gt;
* ૪. ભાષાવિજ્ઞાન અને ગુજરાતી ભાષા&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સ્વરૂપ, સિદ્ધાંત અને વિવેચન|ક. સ્વરૂપ, સિદ્ધાંત અને વિવેચન]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/ધ્વનિવ્યવસ્થા અને રૂપતંત્ર|ખ. ધ્વનિવ્યવસ્થા અને રૂપતંત્ર]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/રચનાતંત્ર (વ્યાકરણ)|ગ. રચનાતંત્ર (વ્યાકરણ)]]&lt;br /&gt;
:* [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/બોલી|ઘ. બોલી]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સંદર્ભ]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%9C%E0%AA%AF%E0%AA%82%E0%AA%A4%E0%AB%80&amp;diff=111452</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/નર્મદજયંતી</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%9C%E0%AA%AF%E0%AA%82%E0%AA%A4%E0%AB%80&amp;diff=111452"/>
		<updated>2026-05-29T16:22:06Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|નર્મદજયંતી}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા (પૂર્વની ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેસન) તરફથી ગુર્જર સાક્ષરોની જયંતી પાળવાનો ઉપક્રમ ગયા વર્ષથી આરંભાયો છે. ગયે વર્ષે ત્રણ જયંતી ઊજવાઈ હતી. આ સાલ નર્મદાશંકરની જયંતીથી શરૂઆત થઈ છે. તા. ૨૪મી ઑગસ્ટે, આ જયંતી પળાઈ હતી. તે વખતે રા. રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીનો લખેલો લેખ વંચાયો હતો. આ લેખ વસન્ત (શ્રાવણ)માં છપાયો છે. તેનો સાર નીચે લખ્યા મુજબ છે :&lt;br /&gt;
નર્મદાશંકરના પિતા લાલશંકર દવે સુરતના વડનગરા બ્રાહ્મણ હતા. તેઓ લહિયાનો ધંધો કરતા. કેળવણીના આરંભકાળે શિલાછાપમાં છપાતી ચોપડીઓ તેઓ લખતા, અર્થાત્ તેમનાં હાથનાં લખેલાં પુસ્તકોથી કેળવણીનું બીજ રોપાયું હતું. આથી એક રીતે ગુજરાતના અર્વાચીન વિકાસ સાથે તેમનો સંબંધ છે. આ જ લાલશંકરના દીકરા નર્મદાશંકરે પોતાની સ્વશક્તિથી લખેલાં પુસ્તકોથી ગુજરાતી સાહિત્યની અને ગુજરાતના જનમંડળની અનન્ય અને અપૂર્વ સેવા કરી.&lt;br /&gt;
નર્મદાશંકર મુંબઈમાં જ ઊછર્યા હતા. નાનપણમાં તેઓ બહુ શાણી અને ઠાવકી પ્રકૃતિના હતા. અભ્યાસકાળમાં પણ રમતગમતથી તે દૂર રહેતા અને બાલ્યમાંથી જ બુદ્ધિચમત્કાર તો તેમનામાં જણાયો હતો. એમની પત્ની ઉંમરે થવાથી આઠ મહિના પર્યંત કૉલેજમાં કરેલો અભ્યાસ છોડી સુરત જઈ ઘર માંડવું પડ્યું. નિર્વાહ માટે નાનીસરખી નોકરી સ્વીકારી.&lt;br /&gt;
મુંબઈની હવા, નવી કેળવણીનો આંજી નાંખતો પ્રકાશ, સત્ત્વવાળું મન અને યૌવનનું સામીપ્ય એ ચારે તત્ત્વો આ વખતે નર્મદાશંકરમાં એકઠાં થયાં હતાં; અને તેના સંયુક્ત બળે તેની મનોવૃત્તિઓ અનેક અનેક દિશામાં ઉછાળા મારતી હોય એમ જણાય છે. સાથે સાથે નવા જમાનાનો રાગ પણ લાગ્યો હતો. નિબંધો લખવા, મંડળીઓ સ્થાપવી, તેમાં ભાષણો આપવાં–અપાવવાં વગેરે ઊંચી આકાંક્ષાવાળાં અને જનસમાજને ફાયદો કરનારાં કૃત્યો શરૂ થઈ ગયાં હતાં. વિદ્વાન દાખલ પ્રસિદ્ધિ મેળવવાનો ઉત્તેજક અભિલાષ તેમનામાં ઉત્પન્ન થઈ ચૂક્યો હતો. ‘ભભકાદાર હોદ્દો મેળવી કે મહાવિદ્યા ભણી કે સુધારાનાં કામ કરી કોઈ પ્રકારે હું દુનિયામાં નામાંકિત શી રીતે થાઉં’ તેની જ તુલના અને બુટ્ટાઓ રાતદિવસ ઊઠ્યા કરતા હતા. સુરતમાં દલપતરામ અને તેમની કવિતા સંબંધી કંઈક શ્રવણ થયું હતું. ધીરા ભગતનાં પદોથી કવિતાનો અભ્યાસ આરંભાયો હતો. પત્નીના મરણથી પાછા મુંબઈ આવી વસ્યા હતા. ત્યાં ભણવું, કમાવું, બૈરી કરવી એ બધું આનંદને માટે છે ને મને જ્યારે પદો બનાવવાથી જ આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ – શેર જુવાર તો મળી રહેશે – એ મહાન નિશ્ચય સાથે નર્મદે પોતાનું કવિજીવન શરૂ કર્યું.’ ‘શેર જુવાર તો મળી રહેશે’ એ કેવી શ્રદ્ધા! ધનનો વૈરાગ્ય એ મોટાઈ કમાવાનું પહેલું પગથિયું છે. હોદ્દાનો અભિલાષ છોડી દઈ નર્મદાશંકરે ‘કવિ’ થઈને પ્રસિદ્ધિ મેળવવાનો નિશ્ચય કર્યો. સંસ્કૃત વ્યાકરણ, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર વગેરે સર્વ સિદ્ધ કર્યા વિના ‘કવિ’ પદ ધારણ કરવું ઠીક ન લાગવાથી ઘણી મહેનત, ખંત અને નમનતાઈથી તત્સંબંધી ગ્રંથો મેળવી તેમનો પરિચય કર્યો. બધી સામગ્રી સંપાદન કર્યા પછી સને ૧૮૫૮ના નવેમ્બર માસમાં નોકરીનું રાજીનામું આપી, નર્મદાશંકરે શારદાસેવનમાં કાળ નિર્ગમન કરવાનું કઠિન વ્રત લીધું. આ વખતે નર્મદનું વય ૨૪ વરસનું હતું.&lt;br /&gt;
કવિ થવાનો ઉચ્ચાભિલાષ, અને તેને માટે સામગ્રી સંપાદન કરવામાં વાપરેલી ઊંચી ખંત ઉપરથી નર્મદાશંકર કેવા earnest હતા તે જણાય છે. Earnestness એ મોટાઈનું પ્રથમ લક્ષણ છે. નર્મદ ‘કવિ,’ લેખક અને પ્રજાને ઉપદેશ કરનાર તરીકે પ્રસિદ્ધ થયો. આ સ્વાંગ તેણે કેવી રીતે પાર પાડ્યો તે અજાણ્યું નથી. મુંબઈમાં હજી સુધી ‘કવિ’ એ શબ્દ નર્મદાશંકરનો જ બોધક છે. આટલા ઉપરથી ‘કવિ’ જનમંડળની હૃદયગુહામાં કેવો પ્રબળ પ્રતિબોધ પાડી શક્યા છે એ સહજ સમજાશે. કલમથી પ્રસિદ્ધ થવાનો તેમનો મનોરથ સર્વ રીતે સફળ થયો. તે સફળતા તે હલકી લોકપ્રિયતા માત્ર જ નહીં. લેખક અને શારદાના ઉપાસક તરીકે તેમ જ ગુજરાતી ભાષાની તેમણે અદ્વિતીય સેવા બજાવી. ગુજરાતી ભાષાના પ્રથમ કોષકર્તા તરીકે તેમ જ ગુજરાતી ભાષાના અર્વાચીન ગદ્યના પ્રથમ પ્રણેતા તરીકે નર્મદાશંકરની કીર્તિ જ્યાં સુધી ઇતિહાસ રહેશે ત્યાં સુધી કાયમ રહેશે. તેમનાં પદ્યો પણ ગુર્જર સાહિત્યમંડળમાં તેમને ઊંચું સ્થાન આપે છે.&lt;br /&gt;
કવિ પોતે કહી ગયા છે કે સને ૧૮૫૯ જે અરસામાં એમણે કલમ માત્રથી નિર્વાહ કરવાનો નિશ્ચય કર્યો તે વખતથી તેઓ ‘સંસ્કારી’ સુધારક થયા, એટલે એમનું કવિજીવન એમના સુધારકજીવન સાથે જ શરૂ થયું એમ કહી શકાય. કવિતા દ્વારા એમણે સુધારાના વિષયો ઉપર બહુ અસરકારક ઉપદેશ કર્યા, અને તે કવિતામાં દેખાતી કવિના આત્માની સત્યનિષ્ઠાથી સુધારાના સંબંધમાં તેઓ મુંબઈના જનમંડળ ઉપર સંગીન સંસ્કાર પાડી શક્યા. થોડા વર્ષના ગાળામાં વૈધવ્યચિત્ર, હિન્દુઓની પડતી વગેરે સુધારા સારુ પ્રોત્સાહન કરે એવાં આપણાં જનસમાજનાં દયાજનક ચિત્રો તેમણે પ્રસિદ્ધ કર્યાં, અને એ કાવ્યગ્રંથોને સુધારાનું ‘બાઇબલ’ એવું કોઈકવાર નામ આપવા સુધી પણ મિત્રમંડળમાં હિંમત ધરતા. તાત્પર્ય કે પોતાની આ કૃતિઓથી કવિ પૂર્ણ સંતોષ પામ્યા હતા, પોતે પોતાને કૃતકૃત્ય માનતા હતા, અને નવલરામભાઈ કહે છે કે, ‘આ વખતનો કવિના જીવનનો કીર્તિરંગ ન્યારો જ હતો.’&lt;br /&gt;
‘હિંદુઓની પડતી’ તેમણે સને ૧૮૬૪માં લખી; નર્મગદ્ય સને ૧૮૬૫માં બહાર પડ્યું. તે પછી કવિ નર્મકોષ કરવામાં રોકાયા. તે દરમિયાન તેમના વિચારો ધીમે ધીમે બદલાતા ગયા, અને પરિણામ એવું આવ્યું કે સુધારાના ‘બાઇબલ’નો લખનાર કવિ ‘ધર્મવિચાર’માં પ્રાચીન ધર્મનો ચુસ્ત ઉપાસક અને આવેશવાન ઉપદેશક થયો. આ વિચારસંક્રમણ, વૃદ્ધાવસ્થા કે મરણસામીપ્યનું ચિહ્ન ન હતું એમ રા. નવલરામ પોતાના જ્ઞાનથી નિઃશંક કહે છે. અને તે કાળનું તથા નર્મદની પોતાની પ્રવૃત્તિનાં પ્રવાહનું દર્શન કરતાં આપણને પણ તે વિચાર સ્વાભાવિક સંક્રમણ લાગશે, તેના હૃદયના ખરાપણાની સાક્ષી પૂરશે, તથા સત્યશોધન અને સત્યસ્વીકાર કરવાના તેના ઉદાત્ત વ્રતનો જ પુરાવો આપશે.&lt;br /&gt;
‘રાજ્યરંગ’ લખવાના પ્રસંગે જુદા જુદા ઇતિહાસ જોતાં એમની દૃષ્ટિમર્યાદાનો વિસ્તાર થયો, નવું દૃષ્ટિબિન્દુ મળ્યું, ને તે પ્રકાશથી સુધારક વિચારો ફેરવાયા. નર્મદના એક પરમપ્રિય મિત્ર કીસનદાસ બાવાને ત્યાં એક સારો વાંસળી વગાડનારો આવ્યો હતો. તેણે એવી કુશળતાથી વાંસળી વગાડી કે શ્રોતા તલ્લીન થઈ ગયા. અને એક કલાક સુધી નર્મદાશંકર પણ જાણે સમાધિગ્રસ્ત થઈ ગયા. આ અનુભવ પછી શ્રીકૃષ્ણ ભગવાનની વાંસળી અને તેણે ગોપીને ઉત્પન્ન કરેલો મોહ વગેરે વાતોમાં કવિને સત્યનાં અંશો જણાવા માંડ્યાં. તે વખતથી હિંદુસ્તાનના પ્રાચીન ધર્મને શંકાથી નહીં પણ શ્રદ્ધાથી એમણે અવલોકવા માંડ્યો. સુધારકોની લોકપ્રિયતા insincerity વગેરેની સ્થિતિ થઈ. આ બધી પરિસ્થિતિથી પ્રાચીન પ્રવાહ નિમગ્ન થઈ કવિએ જ્ઞાનમાર્ગનું શરણ શોધ્યું. સુધારાનું ‘બાઇબલ’ લખનાર સનાતન સિદ્ધાંત સ્વીકારવા શક્તિમાન થયો. આ સ્થળે કહેવું જોઈએ કે સુધારાનું ‘બાઇબલ’ પણ કેવળ સત્યવિહીન નથી. નવા સંયોગોને અનુકૂળ થવારૂપ આપણા જ દૃષ્ટિબિન્દુથી આપણી પરીક્ષા કરી આપણા પ્રાચીન પ્રવાહથી વિશ્લેષ ન થાય તેવી રીતે સાધ્ય વસ્તુને ધ્યાનમાં રાખી ફેરફાર કરવા તેની હિમાયત કરવી એમાં કાંઈ જ ખોટું નથી. સર્વથા આવશ્યક છે. અને આટલું ધ્યાનમાં રાખ્યા પછી નર્મદના ‘બાઇબલ‘માંથી આપણે ઘણો ઉપદેશ લઈ શકીએ છીએ. તે સત્યનિષ્ઠા, તે શ્રદ્ધા, તે સત્ય જોવાની અને નિરૂપણ કરવાની શક્તિ, હઠીલા અને અશિક્ષિત જનસમાજ આગળ તે કટુ સત્યો તે રીતે રજૂ કરવામાં સમાયેલી નીડરતા, તે અંતરાત્માનો જુસ્સો, તે હૃદયદ્રવ્યનો ઉકળાટ, ટૂંકામાં સમાજભક્તિમાં તે દૈવી સર્વસ્વદાન, જે ‘સુધારાના બાઇબલ’માં અને નર્મદાશંકરના જીવનચરિત્રમાં પગલે પગલે જણાય છે તેના ઉપર આપણું ધ્યાન ખેંચવાની આવશ્યકતા છે. સુધારાના સવાલોને વેગથી પ્રસિદ્ધિમાં આણવામાં ઇષ્ટ માનેલા માર્ગે પોતે ચડવામાં અને જનમંડળને ચડાવવાનો યત્ન કરવામાં, અને આખરે આત્મનિરીક્ષણ કરી પોતાના જ ઉપદેશેલા સુધારા સંબંધી સત્યાસત્યનો નિર્ણય કરવા ઉપર પોતાનું અને જનસમાજનું આવેશથી ધ્યાન ખેંચવામાં નર્મદાશંકરે આપણા દેશની અપૂર્વ સેવા બજાવી. સુધારાના સિદ્ધાન્તોનો આરંભથી એના મન ઉપર વેગવાન કાબૂ નહોતો તે સિદ્ધાન્તો રજૂ કરવામાં સત્ય અને નિર્દયતા અથવા પ્રેમ અને શૌર્યનો માર્ગ ન સ્વીકાર્યો હોત તો નર્મદાશંકર પણ તે કાળના અનેક સાધારણ માણસોની પેઠે શંકામાં ને શંકામાં જ નિર્વાણ પામત. નર્મદાશંકરના આત્માનો આ ઇતિહાસ એક પ્રસિદ્ધ સત્યની સાક્ષી પૂરે છે કે યોગ, અનન્ય યોગ, પછી તે ગમે તે વસ્તુમાં હોય તે પરિણામે સત્ય વસ્તુનું દર્શન કરાવે છે.&lt;br /&gt;
નર્મદાશંકરે સુરતના પોતાના બંગલા ઉપર ‘પ્રેમ અને શૌર્ય’નો મંત્ર આલેખ્યો હતો. આ બે પરમ સિદ્ધાન્તને પહોંચાડનાર ઊર્મિઓને પોતાની જીવનનૌકાનો ધ્રુવ કરનાર કેટલા વિરલા છે? અને એમાં શો શક છે કે આ કામમાં આપણા જનસમાજની આ જ અમૃતવલ્લી છે. બંધુઓ! આપણા મુડદાલ જીવન ઉપર જરાક નજર કરો આપણે જે રીતનું જીવન ગાળીએ છીએ તે રીતનું જીવન તો આપણાં વૃક્ષો પણ ગાળે છે. તે પણ આપણી પેઠે પૃથ્વીમાંથી જીવનરસ ખેંચી પોતાના શરીરનું પોષણ કરે છે. તે પણ આપણી પેઠે પુષ્પપરાગથી ફલોત્પત્તિ કરે છે. બંધુઓ! આપણામાં શું વૈશેષ્ય છે જેથી આપણે મનુષ્યતાનું અભિમાન રાખવાને હકદાર થઈએ? જીવવાનો યત્ન કરો. જીવનનાં કાંઈક લક્ષ્ય નક્કી કરો, તે સિદ્ધ કરવાને ‘પ્રેમ અને શૌર્ય’નો મહામંત્ર રાખી સત્યપ્રયત્નો કરો. જે ઊંચા અભિમાનથી નર્મદના લેખો ભરાયા છે તે અભિમાનથી આપણે ભરાઈએ તો ગયેલી સ્થિતિ પાછા કમાવામાં કંઈ વિલંબ નહીં થાય. અભિમાન, અભ્યાસ, વિચાર, નિશ્ચય, ઉત્સાહ અને આગ્રહ એ દરેક કામમાં વિજયનાં પગથિયાં છે, અને ધૈર્યથી એનું અવલંબન કરીએ તો એવું શું છે કે જે આપણે પુનઃસંપાદન ન કરી શકીએ? આપણે અત્યારે અનેક રીતે અસંતુષ્ટ રહેવાનાં કારણો છે; તેના ઉપાય પણ આપણા હાથમાં જ છે, અને તે ઉપાય એ જ કે, ‘ધીરવીર’ થવું, આપણે આપણું શીલ જમાવવું. નિઃસંશય સમજો, અને પૂર્ણ શ્રદ્ધા રાખો કે શીલ એ જ સર્વને માટે સર્વ કામ માટે અમૂલ્ય ચિંતામણિ છે. નર્મદ પણ જીવનભર આપણી પરીક્ષા કરી કહે છે :&lt;br /&gt;
‘સ્વધર્મ ઉપર આસ્થા, જિતેન્દ્રિયપણું, શમદમ, શાન્તિ, સંતોષ, મહાત્મ્ય, ઔદાર્ય, સત્ય, પ્રામાણિકપણું, દયા, પરોપકાર, ગુણજ્ઞપણું, એ મનુષ્ય માત્રના ઉચ્ચ સદ્ગુણો આપણામાં નિસ્તેજ છે. કેવળ સંસારી સ્વાર્થ, સંશય, ભ્રમ, જૂઠ, કપટ, અપ્રામાણિકપણું, અસંતોષ, આશા, તૃષ્ણા, લોભ, ધનવંત કે મિત્રના આશ્રયથી ઉદ્યમ ખોળવો, સ્વાશ્રયનો વિચાર જ નહીં, બીજાનું સારું ખમાય નહીં, સ્ત્રી–વિષયમાં લલુતા, કામચોરી, કાળચોરી, વચનચોરી, ધનચોરી એ સર્વત્ર જોવામાં આવે છે. જ્યાં સુધી સદ્ગુણ પાળવા જ એવી ભક્તિ નહીં થાય ત્યાં લગી ધર્મ, અર્થ કે કામ કોઈપણ વિષયમાં ખરું મોટું ઊજળું કાર્ય પોતાના આ લોકના કે પરલોકના કલ્યાણને અર્થે કે આ લોકના સર્વેના કલ્યાણના અર્થે થવાનું નથી. અનેક પ્રકારની અવ્યવસ્થા છતે પણ ધીરજ રાખવી, દુઃખને ખમવું, પણ નીતિનું ઉલ્લંઘન કરવું નહીં એવી નિશ્ચયબુદ્ધિ, વૃત્તિ થયે જ લાભ છે’ અને બીજે ઠેકાણે :&lt;br /&gt;
‘ધીટ થઈને દુઃખ વેઠવું, બુદ્ધિનું અભિમાન મૂકી પરંપરાનું ધર્માચરણ પાળવું, પરદેશી ધર્મ, નીતિ, વસ્તુ ઉપર મોહ ન રાખવો, નિશ્ચય તથા ખંત અને ધૈર્ય તથા સત્યે ઉદ્યોગ કરવો. બીજા શબ્દોમાં ધીરવીર થવું, શીલનું સેવન કરવું, એ જ આપણી અત્યારની અસંતુષ્ઠિનાં કારણો દૂર કરવાનો અને આપણે જ વાંકે ખોવાઈ ગયેલાં આપણાં બળ, પરાક્રમ અને લક્ષ્મીનો પુનઃ સંયોગ પ્રાપ્ત કરવાનો ખરો ઉપયોગ છે.’&lt;br /&gt;
ખરાપણું એ નર્મદના જીવનની કૂંચી હતી. નર્મદ ખરો ગુજરાતી હતો. ગુજરાતી ભાષા, ગુજરાતનું સાહિત્ય, ગુજરાતના રીતરિવાજ, ગુજરાતનો ધર્મ, ગુજરાતની ખૂબી તથા ખામીઓનો તે પૂર્ણ અભ્યાસી હતો. તેણે જે લખ્યું છે તે ખરી સ્વદેશભક્તિ, ખરા બન્ધુભાવથી, ખરા પ્રેમ અને શૌર્યથી લખેલું છે, તેનું આખું જીવન જાણે આ બે ભાવનાઓનો ગુજરાત અને ગુજરાતીઓને ઉદ્દેશીને સાક્ષાત્કાર કરવામાં જ ગાળ્યું છે. ગુજરાત આને માટે તેનું અત્યંત આભારી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નવલકથા&lt;br /&gt;
|next = રા. બ. નંદશંકર તુલજાશંકર&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE&amp;diff=111451</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/નવલકથા</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE&amp;diff=111451"/>
		<updated>2026-05-29T16:20:48Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|નવલકથા}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નાની વાર્તામાં ફક્ત એક જ પાત્ર હોય છે. અમુક પ્રસંગથી તેની સાંસારિક અથવા માનસિક સ્થિતિ તદ્દન પલટાઈ જાય છે. નવલકથામાં અનેક પાત્રોનું સંઘર્ષણ થવાથી એકબીજાનાં જીવન અરસપરસ રંગાય છે. આપણી હંમેશની જિંદગીમાં આપણા સહવાસમાં જે જે વસ્તુઓ આવે છે તેની અસર આપણા પર થયા વિના રહેતી નથી. આપણી જિંદગી પ્રતિબિંબરૂપે દેખાડનાર નવલકથા હોવાથી સંસારની વાસ્તવિકતા ત્યાં સંપૂર્ણપણે જળવાઈ રહે છે.&lt;br /&gt;
અંગ્રેજી સાહિત્યના સંસર્ગમાં આવ્યા પછી નવલકથાનું સાહિત્ય આપણે ઉપજાવ્યું છે. ‘નવલકથા’ શબ્દ જ અંગ્રેજી ‘નૉવેલ’ ઉપરથી પ્રચારમાં આવ્યો છે, નૉવેલ શબ્દ પણ વપરાય છે. બંગાળમાં ઉપન્યાસ શબ્દ પ્રચારમાં છે. વિદેહ મણિલાલ નભુભાઈએ ‘સંસારચિત્ર’ શબ્દ સૂચવ્યો હતો.&lt;br /&gt;
નવલકથાનું સાહિત્ય પરદેશથી આવ્યું છે છતાં નવા વતનના સંસ્કાર પામ્યું છે. ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં નજર ફેરવીએ તે નવલકથાની ગરજ સારે એવું સાહિત્ય શામળે લખ્યું હતું એમ માલુમ પડે છે. રાગબદ્ધ કે છંદોબદ્ધ લેખ લખવાનો પ્રચાર એટલો બધો હતો કે પ્રેમાનંદનાં નાટકો બાદ કરતાં ગદ્યમાં તે વખતે ઘણા જ જૂજ ગ્રંથો લખાયા છે. શામળે વાર્તાઓ છંદોબદ્ધ જ કરી છે. શામળે વસ્તુ હિંદી ગ્રંથો, ભાટચારણોના રાસા, જૈનના રાસા, ફારસી કિસ્સા આદિ સ્થળેથી સંગ્રહ્યું છે. તેના લખાણનું સ્વરૂ૫ તેણે તુલસી, વચ્છરાજ, વગેરે ગુર્જર કવિઓ તેમ જ કેટલાક હિંદી કવિઓના લખાણોની ધાટી પર ઘડ્યું છે.&lt;br /&gt;
આધુનિક ગુર્જર સાહિત્યના ઉદયકાળે શામળની અસર ઘણી જ હતી. એના મુખ્ય અનુયાયી કવીશ્વર દલપતરામ હતા. શામળની જ ધાટી પર એમણે નાનપણમાં એક વાર્તા પણ લખી હતી. સુતરીયા નામના એક પારસી લેખકે ‘કુળવંતી વિલાપ’ નામની વાર્તા શામળના જ ચીલામાં ચાલી રહી છે.&lt;br /&gt;
ગુજરાતમાં નવલકથા – જનસ્વભાવ, સંસારના પ્રતિબિંબનું દર્શન કરાવનાર તરીકે જવલ્લે જ લખાઈ છે. એક સમર્થ પ્રજાના આચારવિચાર સાથે થયેલા સંઘટનના પરિણામે જે જે પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય અને તેમાંથી જે જે સંદેશાનું વહન થાય તે સંદેશા પહોંચાડવા સાધનોની જરૂર પડે છે. શરૂઆતમાં ‘નાટકો’ ને સાધનો તરીકે વાપરવામાં આવ્યાં. તે વખતના સંસારસુધારા વિશેનાં નાટકો જોઈશું તો આપણી ખાતરી થશે કે નવલકથા જો ત્યારે સારી રીતે ખેડાઈ હોત તો નાટકો ન લખાત. કરસનદાસ મૂળજી, નગીનદાસ તુલસીદાસ, રણછોડભાઈ, ઉદયરામ વગેરેની કૃતિનાં અને ‘કાન્તા’ ના નિર્માણમાં અતિશય ફરક છે. રણછોડભાઈનાં જયકુમારી વિજયમાં લાંબા સંવાદ, લાંબા પત્રો વગેરે નવલકથાને યોગ્ય પ્રસંગો ઘણા છે. ત્યાં શામળની અસર ઘણી પ્રબળ જોવામાં આવે છે. કજોડાં, કન્યાવિક્રય, પ્રેમલગ્ન, મદ્ય અને વેશ્યાના સહવાસથી થતી ખુવારીનું દિગ્દર્શન કરાવવા, જનસમૂહને તે માર્ગેથી દૂર ખસેડવા નાટકો લખાતાં. હાલ નાટકોનું એ કર્તવ્ય ખલાસ થયું છે. નાટક સંબંધીની આપણી ભાવના દિન-પરદિન વધતી જાય છે. શેક્સપિયરનાં નાટકોનો પરિચય થતાં આપણી તત્સંબંધી ભાવના તદ્દન ફેરવાઈ ગઈ છે; તેનું પરિણામ એવું આવ્યું છે કે હવે નાટક લખવાની હિંમત કરતાં વિશિષ્ટ સાક્ષરો અચકાય છે. રા. રા. દોલતરામ કૃપારામ પંડ્યાનું ‘અમરસત્ર’ કેટલું બધું નિર્માલ્ય છે! સંસ્કૃત નિયમાનુસાર નાટક લખવા બેઠા પરંતુ નિર્માણશક્તિની ઊણપ હોવાથી એમનું નિબંધન નિકૃષ્ટ પંક્તિમાં આવી ગયું છે! પ્રારંભમાં નાટકથી જે હેતુ સારવા ઉદ્દેશ રખાતો તે હેતુ સાધવા નવલકથાનો હાલ આશ્રય લેવામાં આવે છે. વસ્તુસ્થિતિ આમ બદલાઈ છે છતાં પ્રારંભનો આચાર હજુ તદ્દન નાબૂદ થયો નથી. ‘વસન્ત’માં પ્રસિદ્ધ થતું ‘બાલસિંહ મોતીબા’નું નાટક તે સમયનો સંપ્રદાય જાળવી રાખે છે.&lt;br /&gt;
નવલકથાસાહિત્યનો પરિચય થતાં આપણી ભાષામાં નવલકથાનો જન્મ થયો. વાર્તા, કહાણી, ટુચકા, કિસ્સા આદિથી નવલકથા કેવી રીતે જુદી પડે છે તે જાણવું આવશ્યક છે. વાર્તા, કહાણીમાં અમુક હકીકત, વૃત્તાંત કેવી રીતે બન્યાં હતાં તે વર્ણવવા ઉપરાંત બીજું કાંઈ વિશેષ નથી હોતું. ટુચકામાં અમુક ખાસિયતના મનુષ્યો વિશેના હાસ્યોત્પાદક પ્રસંગો અથવા શિખામણ મળે એવા પ્રસંગોનું ટૂંકું કથન હોય છે. કિસ્સામાં કોઈ પણ પ્રકારનું ઐક્ય નથી હોતું; અદ્ભુત પ્રસંગો એક પછી એક આવતા જાય છે; મુખ્ય નાયકના પાત્ર ઉપર જ વિશેષ ધ્યાન અપાય છે, તેનાં પરાક્રમ, ગૌરવ, મહિમા વધારવામાં જ જ્ઞાન, પ્રતિભા આદિ શક્તિઓનો ઉપયોગ થાય છે. મુખ્ય નાયકનાં પાત્ર નિર્મવામાં પુષ્કળ લક્ષ આપવાથી બીજાં પાત્રોનું નિર્માણ સારું થઈ શકતું નથી.&lt;br /&gt;
નવલકથા અને ઉપરના કથાપ્રભેદોમાં મોટો ભેદ વસ્તુગુંફન પરત્વે હોય છે. વાર્તા આદિમાં વસ્તુ હોય છે પરંતુ ગુંફનમાં વપરાયેલું કૌશલ નવલકથામાં ઓતપ્રોત હોય છે તેનાથી અતિશય નિકૃષ્ટ હોય છે.&lt;br /&gt;
વસ્તુનું મુખ્ય કર્તવ્ય એક પ્રશ્ન(issue) ઉદ્ભૂત કરવો અને તેનો નિર્ણય કરવો. છેવટે નિરાકરણ શું થશે તે જાણવાની જિજ્ઞાસાથી પ્રેરાઈ વાંચનાર રસમાં બૂડી એકચિત્તથી આખી કથા વાંચી જાય છે. વાર્તા, કહાણી કિસ્સામાં ઘણી વેળા પ્રશ્ન ઉત્થાપિત કરવામાં આવતા જ નથી – કદી કદી આવે છે તો તેનું નિરાકરણ ઝટ પામી જવાય છે. વાંચનારનો રસ કિસ્સાનવીસ અદ્ભુત પ્રસંગો, ભાષાની છટા, વાક્ચાતુર્ય વગેરેથી જમાવે છે. નવલકથા આમનો આશ્રય લે છે છતાં વસ્તુગુંફન પરત્વે ઉત્પન્ન થયેલું કલાવિધાન ઓર જ પ્રકારની રસિકતા લાવે છે. &lt;br /&gt;
વસ્તુને આરંભ અને અંત હોવાં જોઈએ. આરંભથી અંતમાં ક્રમશઃ જવાનું જોઈએ, વચ્ચે અટકી પડવું ન જોઈએ. આરંભથી ક્રમશઃ વિકાસ પામતાં પરાકોટિએ પહોંચી ત્યાંથી ક્રમશઃ અંતે પહોંચવું જોઈએ. અમુક આકારમાં વસ્તુ ગૂંથાવું જોઈએ. આકાર લક્ષમાંથી ખસી ન જવો જોઈએ. આકારની ઘટના જોઈએ તેવી કરવા માટે જિંદગીને બરાબર તપાસવી પડે છે, પસંદગી કરવી પડે છે, સરસમાં સરસને અગાડી લાવવાનું હોય છે. ઘણું અપહ્નુત રાખી થોડાં ઉત્કૃષ્ટનું દર્શન કરાવી શકાય છે. રંધો મારી છોલી લીસું કરવું પડે છે. ઓપી, તાસી, ચળકતું કરવું પડે છે. વસ્તુના સર્વ અંગની નિષ્પત્તિ – નિર્મિતિ -સમપ્રમાણમાં થવી જરૂરની છે; એવું કૌશલ વપરાવું જોઈએ કે જેનું દર્શન કરાવવું આવશ્યક હોય તેનું જ દર્શન થાય. જે અપહ્નુત રાખવું હોય તે અપદ્ભુત જ રહે. કથાના વાણાતાણામાં કોઈ પણ તરેહની ખૂંચ રહી જવી ન જોઈએ. એક અંગ્રેજ લેખકના નીચેના શબ્દ ધ્યાનમાં લેવા જોગ છે.&lt;br /&gt;
‘Like the composition of a picture or a symphony, a plot in the first place should be decorative, it must disclose the beauty of balance, it must partake of the nature of a pattern. A plot cannot be like life: but life may on rare occasions, by sheer accident, fail into a design and so resemble a plot just, as ink spilt on a tablecloth will sometimes make a design.’&lt;br /&gt;
વસ્તુ નિર્દિષ્ટ થયા પછી વિગત, હકીકતનોં સવાલ રહે છે. સૌ સૌની તાકાત મુજબ વિગતનું આલેખન થાય છે. વિગત એકની એક હોય તોપણ વસ્તુગુમ્ફન પરત્વે પ્રતિભાશાળી જે ચિરંજીવતા તેને માટે પ્રાપ્ત કરી શકે છે તે હલકી પ્રતિનો લેખક નથી મેળવી શકતો. વિગત લાંબી કે ટૂંકી, છવાયેલી કે ખીચોખીચ રાખવી એનો આધાર જે વખતે તે નિબંધ રચાય તે વખતની સાક્ષર આબોહવા ઉપર હોય છે.&lt;br /&gt;
પોતાની સન્મુખ જેટલી વિગત હોય તેટલીનો ઉપયોગ ન કરતાં તેમાંથી પસંદ કરી પોતાની કૃતિને ઉત્કૃષ્ટ બનાવવા તરફ કેટલાકનું લક્ષ હોય છે. કેટલાક બધી વિગતનો ઉપયોગ કરી ધારેલો અર્થ સાધે છે.&lt;br /&gt;
વિગત માટે બે વાદ છે. મનુષ્યજીવન જેવું છે તેવું ને તેવું જ આલેખવું કે તેની સત્પળો જ આલેખવી? મનુષ્યજીવનમાં કલહ, અસંતોષ, ઈર્ષ્યા, વ્યભિચાર, ઇત્યાદિ પાપની અધમોધમ કોટિનું દર્શન કરાવી સદ્ગુણ તરફ મનુષ્યોને દોરવા એમાં ખરું કલાવિધાન સમાયું છે? દુર્ગુણ, પાપ ન હોત તો સદ્ગુણ, પુણ્યની કિંમત સમજાત નહીં. જગતમાં આ સર્વ દ્વંદ્વનું સંઘટ્ટન થાય છે, તેનું પરિણામ અનેકધા આવે છે, ને તે પરિણામનું નિરૂપણ ધર્મ વિવિધ રીતે કરે છે. સંઘટ્ટનનું દર્શન કરાવવું આવશ્યક છે, પરંતુ પાપના કર્દમમાં ખદબદતા કીડાનું જીવન, તેમને ખમવી પડતી વેદના, નિરન્તર એવા સહવાસમાં રહેવાથી ઊપજતી નિષ્ઠુરતા, — તેમાંથી પરિણમતી આત્મા અને મનુષ્યત્વને હાનિ આદિનું ભયંકર અને કારમી રીતે દર્શન કરાવવું એ કલાવિધાનનો હેતુ છે એવું એક વાદ સ્થાપિત કરે છે. મનુષ્યજીવનનું ખાસ લક્ષણ પાપનો કર્દમ નથી પરંતુ કદી કદી સ્વપ્ન માફક આવતી ધન્ય પળો છે – તેમને પકડી યથાસ્થિત આલેખન આપવામાં જ કલાવિધાયકનું કર્તવ્ય છે એવી બીજા વાદની ભાવના છે.&lt;br /&gt;
મનુષ્યોની અધમતાને નિર્દયતાથી ચીતરવી એ ઘણાંને નહીં રુચે; તેથી પ્રથમ વાદને સર્વત્ર વિજય મળે એ શંકાસ્પદ છે. એમ છતાં એ વાદની ઘણી અસર થઈ છે. એ વાદનો મુખ્ય સિદ્ધાંત એવો છે કે જેવું વર્ણન કરવું હોય તે જાતે જોઈતપાસી આવવું જોઈએ. વિગતમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન આવવી જોઈએ. જે સ્થળનું, ત્યાં વસતા જે લોકોનું વર્ણન કરવું હોય તે સ્થળે જઈ તેમના ભેગા થોડો કાળ રહી ત્યાંની પૂર્ણ માહિતી મેળવી ધારેલું કામ હાથમાં લેવું. ઘણી વખત અંગ્રેજી વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ કે ફલાણો ફલાણો લેખક ફલાણા ગામમાં પોતાની નવી નવલકથા લખવા ગયો છે. આપણે ત્યાં તો ‘સુવર્ણપુર’ અને ‘રત્નનગરી’ તથા ‘સુન્દરગિરિ’ જેવાં ઉટંગ સ્થળો નીપજાવી કાઢવાનો પવન પડશે ત્યારે હયાત સ્થળોનો જોઈએ તેવો ઉપયોગ થશે.&lt;br /&gt;
ઇતિહાસ કે કોઈ વિજ્ઞાન શાસ્ત્ર પરત્વેના વિષય પર નવલકથા લખવી હોય તો તે વિષયનું પરિપૂર્ણ જ્ઞાન સંપાદવું આવશ્યક ગણાય છે. જે સમયનો ઇતિહાસ ઉપયોગમાં લીધો હોય તે સમયના રીતરિવાજ; આચારવિચાર; રાજકીય કે આર્થિક સ્થિતિ; પહેરવેશ, સરસામાન વગેરેની સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ. ‘વનરાજ ચાવડા’માં વનરાજને આ જમાનાનો મનુષ્ય બનાવ્યો છે એ કાળવ્યુત્ક્રમની જબરી ભૂલ લેખાય. ‘સિદ્ધરાજ જયસિંહ’માં પારસીઓની હાલની ઉદારતાનું ચિત્ર આપવું એ પણ એ જ દોષને આધીન છે. સ્થળનાં વર્ણન હોય તેવાં જ આપવાથી તે સ્થળો યાત્રાસ્થાન થઈ પડ્યાં છે – અમુક પ્રદેશનાં વાસ્તવ વર્ણન આપવાથી તેમના વિશેનું જ્ઞાન અવિચ્છિન્ન સ્થિતિમાં ફેલાય છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કાર્યનો પ્રદેશ&lt;br /&gt;
|next = નર્મદજયંતી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6&amp;diff=111450</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/કાર્યનો પ્રદેશ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6&amp;diff=111450"/>
		<updated>2026-05-29T16:19:21Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કાર્યના પ્રદેશ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વીરત્વ તેમ રસિકતા માટે કાઠિયાવાડ સુપ્રસિદ્ધ છે. જે દિવસે મથુરાથી યાદવોએ આવી એ ભૂમિમાં નિવાસ કીધો તે દિવસથી એનાં પુણ્ય ઉદય પામ્યાં છે. એનાં સંતાનોનો ઉજ્જ્વળ ઇતિહાસ સુવિદિત છે. વર્તમાનકાળમાં પણ ભારતવર્ષની અને ગુજરાતની સેવા કરવાના દેદીપ્યમાન પ્રસંગો કાઠિયાવાડીઓએ ઊજવ્યા છે. એવી પુણ્યભૂમિનાં સંતાનો તરફથી અવિરત સાહિત્ય સેવા કરવાને આ પત્ર દ્વારા જે પ્રસંગ ઉપસ્થિત કરવામાં આવ્યો છે તે પ્રસંગ વધાવી લઉં છું અને સેવાના પ્રદેશોનો યથાશક્તિ નિર્દેશ કરવા પ્રવૃત્ત થાઉં છું.&lt;br /&gt;
ભારતવર્ષમાં નવું ચેતન આવતું જાય છે, કર્તવ્યના નવનવા પ્રસંગો જન્મતા જાય છે. રાષ્ટ્રભાવના પ્રબળ થતી જાય છે. આવા સમયમાં કેટલાંક લક્ષ્ય પણ નક્કી થતાં જાય છે. ભારતવર્ષ ખંડ છે. એના વિસ્તાર, વસ્તી, હવા, સંસ્કૃતિ આદિની વિવિધતાને લીધે એક દેશ જેવો એનો વિકાસ થવો કઠિન છે, પરંતુ એના જે જે સ્વાભાવિક ભાગો છે તે પ્રત્યેકનો વિકાસ એના વિકાસનું લક્ષ્ય રાખી શકાય છે, બલ્કે આવશ્યક છે. ભારતવર્ષની ઉન્નતિ સાધવી હોય તો ગુજરાતે, મહારાષ્ટ્રે, આન્ધ્રે, કર્ણાટકે, કલિંગે, બંગાળે, હિંદુસ્તાને, પંજાબે, સિંધે, રાજસ્થાને, માળવાએ ઉન્નત થવું ઘટે છે. પ્રત્યેક અંગ વિકસિત થાય તો પછી સમગ્ર ભારતવર્ષ શે પછાત રહેશે?&lt;br /&gt;
આથી પ્રતીત થાય છે કે ભારતવર્ષની ઉન્નતિ માટે ગુજરાતે પોતાની ઉન્નતિ કરવાની છે. ગુજરાતના ઉત્કર્ષ માટે ગુજરાતનાં અંગોએ મહેનત કરવાની છે. કાઠિયાવાડ ગુજરાતનું અંગ છે. એણે પોતાનો ઉત્કર્ષ એવી રીતે સાધવાનો છે કે તેથી ગુજરાત અને ભારતવર્ષનો ઉત્કર્ષ થાય.&lt;br /&gt;
ઉક્ત ઉત્કર્ષના માર્ગમાં ક્રમણ કરવાના કેટલાક ઉપાયોનો સંક્ષેપમાં નિર્દેશ કરીશું.&lt;br /&gt;
પ્રથમ કાઠિયાવાડમાં સૌએ એકતાની લાગણી કેળવવી અને અનુભવવી. કાઠિયાવાડ એટલું બધું વિભક્ત છે કે સંસારમાં સગપણો છતાં રાષ્ટ્રીય એકતા એનામાં નથી. ગાયકવાડી રાજ્યમાં જે શુભ પ્રવૃત્તિ થતી હોય તે પ્રત્યે કાઠિયાવાડમાં બીજે આદર, સહાનુભૂતિ કે સહાય નથી. તેમ એક રાજ્યમાં જુલ્મ થતો હોય તો બીજા સુખી રાજ્યની રૈયત તરફથી તેમના મોક્ષ માટે ચળવળ થતી નથી. સંસારની પણ એકતા નથી. ઝાલાવાડ, ગોહીલવાડ, સોરઠ અને હાલારથી સમાજના સંબંધો પણ વિભક્ત છે. પ્રથમ કર્તવ્ય છે કે કાઠિયાવાડીઓએ પોતાની એકતા અનુભવવી. પછી ગુજરાતીઓ તરીકેની એકતા કેળવવી. હજુ કાઠિયાવાડીઓમાં એવું છે કે અમે ગુજરાતીઓ નથી, પણ એ ભૂલ છે, મોટો અપરાધ છે; જેમની જન્મભાષા ગુજરાતી છે તેઓ સર્વે ગુજરાતી છે. કરાંચી, મુંબઈ, રંગુન વગેરે સ્થળે વસતા કાઠિયાવાડીઓમાં અમે ગુજરાતીઓ છીએ એવી ભાવના, એવું અભિમાન હોય તો ભારતવર્ષના વર્તમાન જીવનમાં ગુજરાતીઓનાં ‘પ્રતિષ્ઠા અને સન્માન’ નથી એવી શોચનીય સ્થિતિ રહેત નહીં. માટે અમે સૌ ગુજરાતીઓ છીએ અને બંગાળીઓ, મહારાષ્ટ્રીયનો વગેરે જેમ પોતાનો ઉત્કર્ષ સાધે છે તેમ અમે પણ સાધીશું, એવા વ્રતનિષ્ઠ થવું જોઈએ. પછી અમે હિંદીઓ છીએ એવી ઉત્તમ લાગણીથી પ્રજ્વલિત થવું જોઈએ.&lt;br /&gt;
આ ભિન્ન ભિન્ન શ્રેણીની એકતા જગાડવા, પોષવા અને વધારવા કેળવણીની જરૂર છે. કાઠિયાવાડમાં દેશી રાજ્યો છે; પરદેશમાં કાઠિયાવાડીઓ વિપુલ દ્રવ્ય ઉપાર્જન કરે છે. આવી સ્થિતિમાં પ્રાથમિક શિક્ષણથી કોઈ સ્ત્રીપુરુષ વિમુખ હોવાં ન જોઈએ. ઉચ્ચ શિક્ષણને માટે હજુ વધારે સંસ્થા સ્થાપવાની જરૂર છે. માત્ર બે જ કૉલેજો એ શરમાવનારું છે. દશ કૉલેજો અથવા એક યુનિવર્સિટી કાઠિયાવાડ સહજ નિભાવી શકે એમ છે. શિક્ષણના સર્વવિધના પ્રચાર માટે જેટલી જેટલી દિશામાંથી પ્રયાસ થઈ શકે એમ હોય તે સર્વનું વ્યવહારુ સૂચન થઈ કાર્યમાં પરિણમવું જોઈએ.&lt;br /&gt;
એકતા સાધવામાં લગ્નવ્યવહાર જબરું સાધન છે. એટલે સ્ત્રીકેળવણીનો વિશેષ પ્રચાર થાય તો સારું. માતાઓ સુશિક્ષિત હશે તો ભવિષ્યની પ્રજા ઝોળીમાંથી ઉદાત્ત ભાવના અને ચારિત્ર્યવાળી થશે.&lt;br /&gt;
આ જમાનો લોકશાસનનો છે. કાઠિયાવાડમાં હજુ એક વ્યક્તિનું શાસન છે. ભારતવર્ષનું લક્ષ્ય લોકશાસન અથવા રાજનિયંત્રિત લોકશાસન છે. એ પ્રકારના રાજ્યવહીવટના સિદ્ધાંતો શા છે? એ સિદ્ધાંતો અમલમાં આણવા માટે પ્રજા કેવા ચારિત્ર્યથી સંપન્ન હોવી જોઈએ? એ ચારિત્ર્ય શી રીતે સંપાદન કરવું? જુદાં જુદાં રાજ્યોનો વહીવટ કેવો છે? રૈયતને કેટલે દરજ્જે લાભ કે હાનિકારક છે? લોકશાસનની દૃષ્ટિએ સંતોષપ્રદ છે? કેવા નાના ફેરફારોથી એ વહીવટ લોકશાસન રફતે રફતે થઈ શકે? જુદાં જુદાં રાજ્યોની જુદી જુદી રાજ્યવહીવટ પદ્ધતિના મુકાબલાથી રૈયતનું સુખ અને રાજ્યતંત્ર પર તેમના અંકુશ અને પ્રભાવના માર્ગ સૂઝે એવી ચર્ચા થવી જોઈએ.&lt;br /&gt;
લોકશાસનનું આવશ્યક અંગ લોકપ્રતિષ્ઠા છે. ખેડૂતો, વેપારીઓ, કારીગરો વગેરેની દરેક રાજ્યમાં રાજ્યપ્રતિષ્ઠા કેવી છે? શી રીતે તે સાદી થઈ શકે?&lt;br /&gt;
કાઠિયાવાડના રાજ્યવહીવટની નીડર, નિષ્પક્ષપાત, રાષ્ટ્રીય ચર્ચા કરનાર પત્રની ખાસ જરૂર છે. કોઈ પણ જાતની લાંચરુશ્વત લીધા વિના લોકોન્નતિનું જ લક્ષ્ય રાખી કામ કરવાનું છે.&lt;br /&gt;
પ્રજાઓમાં ચેતન જગાડનાર સામગ્રીઓમાં ઇતિહાસનું સ્થાન ઊજળું છે. કાઠિયાવાડનો ઇતિહાસ જેવો તેવો નથી. નવા યુગના નવા રાષ્ટ્રીય ચેતનને પોષે એવો, છતાં સત્યથી મુક્ત નહીં એવી રીતે ઇતિહાસ લખાવો જોઈએ.&lt;br /&gt;
દંતકથાઓ, વાર્તાઓ, દોહા, સોરઠા, ભજનો, રમતો, ઉખાણાં, રિવાજો વગેરે ભૂતકાળનું રસિક ચિત્ર ઊભું કરતી સામગ્રીનો સંગ્રહ અને રક્ષણ થવા ઉપરાંત આ નવા યુગને અનુરૂપ એવી સામગ્રીઓ નવેસરથી ઘડાવી જોઈએ.&lt;br /&gt;
સાહિત્યે પોતાનું સ્વરૂપ ફેરવવું જોઈએ. રાજાઓનાં ખોટાં વખાણ એ કવિતાનો કાર્યપ્રદેશ નથી. ભક્તિના નવા આવેશ, અનુભવ કે સ્વરૂપ વિનાનાં લૂખાં ભજનિયાં રચાતાં બંધ થવાં જોઈએ. વીરરસોત્પાદક કાવ્ય લખવા માટે કાઠિયાવાડના રાજાઓ, સેનાનીઓ, બહારવટિયાઓ, ચાંચિયાઓ, વેપારીઓનાં વૃત્તાંતો મોજૂદ છે. કુદરત એટલી બધી વિવિધ છે — સમુદ્ર છે, નદીઓ છે, તળાવો છે, ડુંગરો છે, ધારો છે, જંગલો છે, વાડીઓ છે, પશુપંખીઓ જાતજાતનાં છે—તે સર્વે નવનવી જાતની કવિતાની પ્રેરક નીવડે એવી છે.&lt;br /&gt;
જે એકતા, જે રાષ્ટ્રીય ચેતનનો પ્રારંભમાં ઉલ્લેખ કર્યો છે તેને ઉદ્દેશીને નવું સાહિત્ય થવું જોઈએ. હવે માત્ર એક રજપૂતના નાના લશ્કરને પાનો ચડાવવાનો નથી પણ આખી પ્રજાને જાગૃત કરી જીવનસંગ્રામમાં તેને વિજયવંતી કરવાની છે. હવે માત્ર એક ગામડાના નિરક્ષર લોકને ધર્મનો ગમે તેવો બોધ કરવા ભજનિયાં લખવાનાં નથી, પણ આખી પ્રજાની ધર્મભાવના જાગૃત થઈ પ્રદીપ્ત રહે એવાં પરમ સ્તોત્રો લખવાનાં છે. ઘણાં વર્ષ થયાં કાઠિયાવાડે સરસ્વતીદેવીનું અપમાન કર્યું છે. તેનું દિવ્ય પદ ધૂળમાં રગદોળ્યું છે. સમય આવ્યો છે, હવે નિજસ્વરૂપ પામવાનો.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
૧૫-૦૭-૧૬&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ઈસુનુ વર્ષ ૧૯૦૮&lt;br /&gt;
|next = નવલકથા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%88%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AB%81_%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7_%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A6%E0%AB%AE&amp;diff=111449</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ઈસુનુ વર્ષ ૧૯૦૮</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%88%E0%AA%B8%E0%AB%81%E0%AA%A8%E0%AB%81_%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7_%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A6%E0%AB%AE&amp;diff=111449"/>
		<updated>2026-05-29T16:17:16Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ઈસુનું વર્ષ ૧૯૦૮}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવજીવનના ઇતિહાસ પંચાંગોથી નથી ઘડાતા તોપણ એક વર્ષ દરમ્યાન થયેલી પ્રવૃત્તિની નોંધ લેવામાં આવી હોય તો ભવિષ્યમાં તવારીખ- નવેશનું કામ સરળ થઈ જાય. ગુજરાત પોતાની પ્રવૃત્તિનું સરવૈયું કાઢે તો અનેકધા લાભ થવાનો સંભવ છે.&lt;br /&gt;
ગયા વર્ષથી ગુજરાતી સાહિત્યનું સિંહાવલોકન કરવાની જે પ્રથા આ માસિક ‘જ્ઞાનસુધા’માં શરૂ થઈ છે તેને અન્વયે, મુખ્ય ઉદ્દેશને સહેજ વિસ્તારી આ લેખ લખવામાં આવ્યો છે.&lt;br /&gt;
આવો લેખ લખવાનાં સાધનો  મેળવવાની ઘણી મુશ્કેલી છે. વખતોવખત થતી સાહિત્યપ્રસિદ્ધિની સંપૂર્ણ માહિતી આપે એવું મંડળ યા પુસ્તકાલય યા માસિક ગુજરાતમાં નથી. સરકારી ત્રિમાસિક રિપોર્ટોમાં પુસ્તકોની નામાવલી ઘણી મોડી છપાય છે; વળી ‘રજિસ્ટર’ કરવા ન મોકલેલાં તેમજ દેશી રાજ્યોમાં પ્રકટ થયેલા ગ્રંથો તેમાં નોંધાતા નથી, એટલે આવો લેખ સર્વતઃ સંપૂર્ણ લખી ન શકાયો હોય તો દરગુજર કરવા વાંચકોને વિનંતી છે.&lt;br /&gt;
જેવું જીવન તેવું સાહિત્ય. જીવનમાં વહેતાં બળોનો પ્રભાવ સાહિત્યમાં અંકાય છે. એટલે એ બળો વિષે કાંઈક જાણવું અવશ્યનું થાય છે. મનુષ્યોના ઐહિક અને આમુષ્મિક અર્થો સિદ્ધ કરવા નાના પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે, અને એ પ્રવૃત્તિઓમાંથી જન્મતાં બળો માનવજીવન ઘડે છે. ધર્મ, સંસાર, રાજ્ય આદિ પરત્વે થતી પ્રક્ષોભણા – મંથનના પડઘા સાહિત્યમાં સંભળાય છે યા તો તેમનો પટ સાહિત્યને બેસે છે.&lt;br /&gt;
ધર્મ પરત્વે ખ્રિસ્તી પાદરીઓને લીધે જે પ્રક્ષોભણ થયું હતું તે બહારથી શમ્યું છે, પણ અંતર પ્રક્ષોભણા શરૂ થઈ ચૂકી છે. પાદરીઓ અને તેમનાં કામ તરફ અણગમો ફેલાતો જોવામાં આવે છે. આ અણગમો બતાવતી વખતે તેમણે ફેલાવેલી કેળવણી અને આણેલી ધાર્મિક જાગૃતિ વીસરી ન જવી જોઈએ. કન્યાકેળવણી માટે તેમ જ સસ્તે દરે માધ્યમિક અને ઊંચી કેળવણી આપવા એમણે ઓછું કર્યું નથી. ગુજરાતમાં રેવરંડ એંડ્રુઝ કે મૅકનીકોલ જેવા પાદરીઓ આવશે તો આ અણગમો ઘટવાનો સંભવ છે.&lt;br /&gt;
પ્રાર્થનાસમાજના અનુયાયીઓએ ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ કરવામાં સારો ફાળો આપ્યો છે. બંગાળની બ્રાહ્મસમાજ અને મુંબઈના પ્રાર્થનાસમાજમાં તેવું ચેતન સ્ફૂરતું જણાય છે. એ ચેતનના પ્રભાવ નીચે ગુજરાતની પ્રાર્થનાસમાજ પણ આવશે. ‘જ્ઞાનસુધા’ આ પંથનું માસિક છે.&lt;br /&gt;
કાઠિયાવાડમાં જન્મેલા દયાનંદ સરસ્વતી પંજાબમાં નવું જીવન લાવી શક્યા.  ગુજરાત હજુ એમના સિદ્ધાંતોની મૂલવણી કરી શક્યું નથી. સુરત જિલ્લાના ગામડામાં નવી શક્તિ, નવી દૃષ્ટિ આર્યસમાજથી આવી છે.&lt;br /&gt;
આર્યસમાજમાં હિંદીપ્રજાનું ઐક્ય કરવાની શક્તિ છે. હિન્દુ, મુસલમાન, પારસીને એ પંથમાં આદરસત્કારથી લેવાય છે. મિ. ખબરદાર એ પંથના કવિ છે. શાસ્ત્રાર્થની વિતંડા એ પંથ છોડી દે તો ઘણું કરી શકે. આ પંથ તરફથી મુંબઈમાં એક સાપ્તાહિક નીકળે છે.&lt;br /&gt;
પરમહંસ રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના શિષ્યો ગુજરાતમાં હશે તો તે છૂટાછવાયા છે.&lt;br /&gt;
યુરોપ અમેરિકાથી આવેલા બ્લાવટસ્કી અને ઓલ્કોટે સ્થાપેલી ‘થિયોસોફિકલ સોસાયટી’ સુરત અને કાઠિયાવાડમાં પ્રબળ છે. ધર્મશિક્ષણ અને જ્ઞાનપ્રસારણ માટે હિંદમાં બીજે તેમ આપણે ત્યાં એ મંડળ તરફથી પ્રયાસ થાય છે. એ મંડળના અનુયાયીઓ તરફથી સાહિત્યસેવા પણ થાય છે. એ મંડળના સિદ્ધાંતોનું પ્રતિપાદન જેમાં કર્યું હોય એવા અંગ્રેજી ગ્રંથોનાં ભાષાંતર તેમજ એ સિદ્ધાંતો ચર્ચતા સ્વતંત્ર ગ્રંથો દર વર્ષે ગુજરાતના ‘થિયોસોફીસ્ટો’ તરફથી પ્રગટ થાય છે. રા. મણિલાલ નથુભાઈ દોશીએ એ પંથના સાહિત્યમાં એક સ્વતંત્ર પુસ્તક લખી વધારો કર્યો છે. પ્રો. મણિલાલનું ‘સુદર્શન’ અને સુરતમાં નીકળતું ‘જિજ્ઞાસુ’ એ પંથનાં વાજિંત્રો છે. અગાઉ એ મંડળ તરફ યુવાન વર્ગ જેટલો આકર્ષાતો હતો તેટલો હાલ આકર્ષાતો નથી. પારસીઓમાં એ મંડળના સિદ્ધાંતો પ્રસરતા જાય છે.&lt;br /&gt;
હવે વડોદરા અને બીલખામાં ચાલતા સંપ્રદાયો – શ્રીમન્નૃસિંહાચાર્ય અને શ્રીમન્નથુરામ શર્માએ પ્રચલિત કરેલા સંપ્રદાયોની પ્રવૃત્તિ નિહાળીએ.&lt;br /&gt;
શ્રીમન્નૃસિંહાચાર્યે પ્રકટાવેલી સાહિત્યધારા એમના અવસાન પછી સુકાઈ નથી પણ વિપુલ થતી જાય છે. ‘મહાકાલ’, ‘પ્રાતઃકાલ’, ‘યમદંડ’, ‘ધર્મધ્વજ’, ‘ભક્ત’ આદિ એ સંપ્રદાયનાં વાજિંત્રો છે. ખ્રિસ્તીઓની માફક પોતાના સિદ્ધાંતો સરળતાથી ફેલાવવા અને પોતાની ભાવનાનુસાર ગુજરાતનું જીવન ફેરવાય એવી જોગવાઈ ઉપજાવવા નાના પ્રકારના ગ્રંથો શ્રી શ્રેયઃસાધક વર્ગ તરફથી વખતોવખત બહાર પડે છે. વર્ષમાં એ મંડળના સર્વે અનુયાયીઓ બે વખત એકત્ર થાય છે. આ સમારંભોના પ્રસંગે થયેલાં ભાષણો અને ભજનો સંગ્રહાઈ પ્રકટ કરવામાં આવે છે. પ્રો. મણિલાલના મરણ પછી પર્યેષક ચર્ચા ગુજરાતમાં મોળી પડી ગઈ છે, તોપણ શ્રેયઃસાધકો તરફથી એ દિશામાં વિવેચનો અવારનવાર થયાં જાય છે. પ્રો. જેકીસનદાસ કણીઆ અને રા. રા. નર્મદાશંકર દેવશંકર જેવા દાર્શનિક એ મંડળમાં છે. એ મંડળને અમેરિકાના એમના જેવા જ ઉદ્દેશવાળાં મંડળો સાથે સંબંધ છે.&lt;br /&gt;
દરેક નવા પંથમાં આદ્ય શિષ્યાઓ સારી સેવા બજાવે છે. વિધવાઓના ઉદ્ધાર સારુ અને સ્ત્રીશિક્ષણ માટે જેવા પ્રયાસો બંગાળ, મદ્રાસ, મહારાષ્ટ્ર કે પંજાબમાં થયા છે તેવા ગુજરાતમાં કરવા તેઓ ઉદ્યુક્ત થયાં છે.&lt;br /&gt;
આપણા દેશમાં હાલમાં ઘુમતાં નવાં રાજકીય કે સાંસારિક બળોને ઉત્તેજન કે પોષણ આ પંથમાંથી મળશે તો વલ્લભ કે સ્વામિનારાયણના સંપ્રદાય જેવું એનું જીવન નહીં થાય.&lt;br /&gt;
બીલખાના આનંદાશ્રમ તરફથી ‘ઉપદેશ ગ્રંથાવલિ’ નામે ચોપાનિયું દર મહિને બહાર પડે છે. ઉપનિષદ્, ગીતા, યોગના ગ્રંથો વગેરે વગેરેનાં રહસ્ય પણ પ્રગટ થાય છે.&lt;br /&gt;
આ બન્ને પંથોમાં નવું કાંઈ નથી, જૂનું છે તે ફરી કહેવામાં આવે છે. જડ થયેલા પંથોમાંથી નીકળી આ નવા – નવા એટલે જડ નહીં એવા – પંથમાં ભળે છે. સામાજિક સુધારણા પરત્વે એ પંથોની દૃષ્ટિ ઉદાર છે.&lt;br /&gt;
જૂના સંપ્રદાયોમાં પણ દેશમાં થયેલી જાગૃતિના પડઘા સંભળાય છે. વૈષ્ણવો પોતાની પરિષદ ભરે છે, હજુ એ મંડળ તરફથી પોતાના સંપ્રદાયના ગ્રંથોની પ્રસિદ્ધિ, તેમના તરજુમા, વગેરે થવું જોઈએ તેવું થયું નથી; આચાર્યોની કેળવણી અને પૈસા ખરચવાની સત્તા વિશે ચર્ચા થઈ નિર્ણય થયા નથી; જમાનાને યોગ્ય એમનાં ક્રિયાકાંડમાં – મંદિરોમાં થવા જોઈતા સુધારા સૂચવાયા નથી; વગેરે વગેરે. સ્વામિનારાયણ અને શંકરાચાર્ય વચ્ચે થયેલા ઝઘડાની સલાહસંપથી પતાવટ થઈ ગઈ છે અને નાહકનું ઊભું થયેલું ધતિંગ જતું રહ્યું છે. એ પંથોમાં હજુ જાગૃતિ આવી લાગતી નથી. ‘સનાતન ધર્મ મહામંડળ’ જેવી સંસ્થાના વક્તાઓ, સંન્યાસીઓ વગેરે તરફથી લોકોને તેમનો ધર્મ સમજાવવા અથવા પોતાની વિદ્વત્તા પ્રદર્શિત કરવા વ્યાખ્યાનો થયાં જાય છે. બાહ્ય આઘાતોથી તેમ જ રાજકીય ભીંસથી સનાતનીઓના મમત અને અંધશ્રદ્ધા છૂટશે અને વિવેકબુદ્ધિનો ઉપયોગ વધશે એવું લાગે છે.&lt;br /&gt;
દિવસે દિવસે ભગવદ્ગીતાનો પ્રચાર અધિકાધિક વધતો જાય છે, અનેક દૃષ્ટિબિંદુથી તેનાં ભાષાંતરો થાય છે, તેના પર વિવેચનો થાય છે, નાનાવિધની તેની આવૃત્તિઓ પણ કઢાય છે. રા. અનંતપ્રસાદ ત્રિકમલાલનું રામાનુજાનુયાયી ભાષાંતર ગયે વર્ષે બહાર પડ્યું છે. રાધનપુરના માજી દીવાન પોતાની જિંદગીનો નમતો પહોર કથાકીર્તનમાં ગાળે છે. ‘આનંદ’ નામનું માસિક પણ એમના લેખોથી ભરાય છે.&lt;br /&gt;
ધર્મગ્રંથો અમુક ભાષામાં જ વાંચવા જોઈએ એમ નથી. તેમાં સમાયેલા વિચારો દરેક જણને પોતાની જન્મભાષામાં પ્રાપ્ત થાય તો જ તે વિચારો સમજી આચારમાં ઉતારી સંસાર સાર્થક કરી શકાય. પદ્યબંધ ભાષાંતર પંડિત ગટુલાલજી તેમ જ બીજાઓ તરફથી થયું હતું. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીનો દેહ પડ્યો ત્યારે એમનું કરેલું પદ્યબંધ ભાષાંતર પ્રેસમાં હતું, અને જાહેરખબર ઉપરથી જણાય છે કે થોડા વખતમાં રા. નાનાલાલ દ. કવિ ગીતાનું સમશ્લોકી ભાષાંતર બહાર પાડનાર છે.&lt;br /&gt;
ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે ગ્રંથપ્રસિદ્ધિ એ ઉત્તમ સાધન છે એવું એ પંથના અનુયાયીઓ માને છે અને તે સારુ અઢળક દ્રવ્ય ખર્ચે છે. આર્યધર્મ શાસ્ત્રો પણ એવી જ રીતે ગુજરાતમાં પ્રચાર પામે એવા સ્તુત્ય ઉદ્દેશથી ભિક્ષુ અખંડાનંદે ‘સસ્તું સાહિત્ય વર્ધક મિત્રમંડળ’ સ્થાપ્યું છે. ત્રણ આનાના જૂજ મૂલ્યે ‘ભગવદ્ગીતા’ મળી શકે એવી આવૃત્તિ એ મંડળે છપાવી છે. એક સાપ્તાહિક પત્રમાં જે આરોપો અને નિંદા એ મંડળ ઉપર વર્ષાવવામાં આવ્યાં હતાં તે તદ્દન અયોગ્ય અને અનુચિત હતાં. એમની યોજના વાંચી વિચારી જવા દરેક દેશી જનને અમારી વિનંતિ છે, અને યથાશક્તિ, યથામતિ એ યોજનાને ઉત્તેજન આપવાથી દેશને અનેકવિધનો લાભ થવાનો સંભવ છે.&lt;br /&gt;
ધર્મ – રાજ્ય – સંસારના મહાપ્રશ્નોના નિરાકરણ કરવામાં અનેક રીતે ભગવદ્ગીતા સહાયભૂત થશે એવી દૃઢ પ્રતીતિ જનસમાજમાં ફેલાતી જાય છે.&lt;br /&gt;
જૈનોમાં પણ ધર્મજાગૃતિ થઈ છે. અનેક સ્થળે સભાઓ સ્થપાઈ છે, પ્રાચીન ગ્રંથો છપાય છે, ગુજરાતીમાં ભાષાંતરો થાય છે, ધાર્મિક વિધિઓ બરાબર પાળી શકાય એટલા સારુ તેમના સંબંધી સરળ લખાણો થાય છે. મંદિરોના જીર્ણોદ્ધાર થાય છે, તેમ જીવનના ધર્મના જીર્ણોદ્ધાર કરવા પણ પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે. શ્રીમદ્ રાજચંદ્રે પ્રગટાવેલા વિચારોના પડઘા ‘સનાતન જૈન’માં સંભળાય છે, અને જૈનસંઘમાં ઉદારતા, ગંભીરતા અને ઉચ્ચતા પ્રેરવા એ મહાનુભાવના અનુયાયીઓ મથે છે. સંઘના ત્રણ વિભાગને એકત્ર કરવા, ધર્મમાં વિવેકબુદ્ધિને પ્રવેશ આપવા, રાજ્ય – સંસારના પ્રશ્નોમાં લક્ષ આપવા ‘સનાતન જૈન’ પોકારી પોકારી પોતાના હમદીનોને જાગૃત કરે છે. એમનામાં સ્ત્રીકેળવણી વધે છે, પણ નારીપ્રતિષ્ઠા ઉન્નત કરવા વિચારણા થતી લાગતી નથી.&lt;br /&gt;
મુસલમાનોમાંથી પણ સુસ્તી ઊડી ગયેલી લાગે છે. અલીગઢ અને ઢાકાથી પ્રગટેલા વિચારપ્રવાહમાં યુગયુગની ચડેલી રજ ધોવાઈ જશે.&lt;br /&gt;
પારસીઓમાં પણ પોતાનો ધર્મ યથાર્થ સમજવા – સમજી તે મુજબ આચરવા – પ્રવૃત્તિ ચાલી રહી છે.&lt;br /&gt;
સર્વત્ર સ્ફૂરણ પેઠું છે – જાગૃતિનાં ચિહ્ન દૃષ્ટિને પથે ચડે છે.&lt;br /&gt;
ધર્મમંદિરોની ઊપજ સાર્વજનિક કામોમાં વાપરવા માટે વડોદરામાં સરકારી કાયદાથી સરળતા થઈ છે, અને બીજે લોકમતથી સરળતા થવાનો સંભવ છે.&lt;br /&gt;
બંગાળા કે મહારાષ્ટ્રમાં જેટલું રાજકીય વિષયોમાં ધ્યાન અપાય છે તેટલું ગુજરાતમાં અપાતું નથી. અર્ધા ઉપરાંત ગુજરાતમાં છૂટાંછવાયાં નાનાંમોટાં દેશી રાજ્યો છે. આ ‘સ્વરાજ્ય’માં રાજકીય ચળવળ જન્મી શકતી નથી. અમદાવાદ કે સુરતના રહેનારને જેટલી લાગણી બંગાળ કે પંજાબના લોકોના સુખદુઃખ માટે થાય છે તેટલી જૂનાગઢ કે ભાવનગરની રૈયતને એકબીજા સારુ નથી થતી. મુંબઈમાં જે પ્રતાપ કચ્છી, કાઠિયાવાડીઓ દાખવે છે તે ‘દેશ’માં બતાવી શકતા નથી. તોપણ સમગ્ર હિંદમાં ફરી વળતી રાજકીય ભરતીનાં મોજાં ગુજરાતમાં પણ ફરી વળ્યાં છે. વડોદરાના દેશાભિમાની નરેશ્વરે પોતાની રૈયતનું રાજકીય જીવન કેળવવા માંડ્યું છે. તે ઉપરાંત સુરતમાં ઈ. સ. ૧૯૦૭માં કૉંગ્રેસમંડપમાં અને બહાર જે દારુણ યુદ્ધ થયું તેની અસર ગુજરાતમાં થઈ. ગુજરાતમાં બે વખત કૉંગ્રેસ ભરાઈ; એક અમદાવાદમાં અને બીજી સુરતમાં. આ બે વખતે જણાયેલી લોકોની જાગૃતિમાં ઉત્સાહ—આગ્રહ—રસમાં આસમાન જમીનનો ફેર લાગે છે.&lt;br /&gt;
ગુજરાતમાં નેતા નથી : બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ વગેરે પ્રાંતોમાં છે તેવા નેતા નથી. મુંબઈમાં, અમદાવાદમાં કે દેશી રાજ્યોમાં બુદ્ધિશાળી ગુજરાતીઓ અનેકઘા દેશહિતનું કામ બજાવે છે. પણ ગુજરાતને દોરનાર નેતાઓની તો ખોટ જ છે. અમે સર્વે ગુજરાતી છીએ—હિંદુ, મુસલમાન, પારસી હોવા છતાં ગુજરાતી છીએ — એવી ભાવના જનેજનમાં જગાવે અને દક્ષિણી કે બંગાળીના જેવો પ્રતાપ ગુજરાતીઓ ગુજરાતમાં અને ખંડખંડના પરદેશનિવાસમાં બતાવે એવા એમને શક્તિમાન કરે એવા નેતાની આપણે ત્યાં ખોટ છે. હિંદુસ્તાનનાં વર્તમાન ભવિષ્ય ઘડવામાં અને તેને અંગે ઊભા થતા મહાપ્રશ્નો ઉકેલવામાં અમે પણ સામેલ છીએ. અમારામાં પણ એ સૌ સારુ જોઈતાં સામર્થ્ય, બુદ્ધિ, લાગણી, આગ્રહ અને ઉત્સાહ છે એવી આત્મશ્રદ્ધા ગુજરાતીઓમાં લાવનાર આચાર્યની જરૂર છે. હિન્દુસ્તાનને તુરતાતુરત ‘આર્થિક સ્વરાજ્ય’ અને ‘કેળવણીના સ્વરાજ્ય’ ની ખાસ જરૂર છે. વેપારી ગુજરાતના હાથમાં આર્થિક સ્વરાજ્ય મેળવવાનું છે. જે પ્રાંતના લગભગ પોણા ભાગ ઉપર દેશી હકૂમત છે, જે પ્રાંતની ચારે કૉલેજો લોકોને આધીન છે, અમદાવાદ, ગોધરા, ભરૂચ, સુરત સિવાયની, હાઈસ્કૂલો પણ એવી સ્થિતિમાં છે; પ્રાથમિક કેળવણી ગામેગામ ફેલાવવાનું કામ જ્યાં ઘણી સરળતાથી થઈ શકે એમ છે ત્યાં કેળવણી પણ લોકોના હાથમાં આવી તેમને ઉપયોગી થઈ પડે એવું સ્વરૂપ લઈ શકે એમ છે છતાં યોગ્ય નેતા–વિચારકોની બિનહયાતીને લીધે ગુજરાત પાછળ છે. આફ્રિકામાં ગોરાઓની સામે જંગ મચાવવામાં હિંદીઓને સેનાની જે પ્રાંતમાંથી મળી આવ્યો છે તે પ્રાંતમાંથી નેતા—વિચારક તેને પોતાને સારુ કેમ નથી જન્મતા? ગુજરાતમાં વિચાર કરી શકે એવા પુરુષો સરકારી યા રજવાડી નોકરીમાં છે. વેપારીઓ અસંસ્કારી અને અણકેળવાયેલા હોય છે એટલું જ નહીં પણ ધર્મની ઘેલછામાં એટલા બધા મશગૂલ રહે છે કે બીજી કોઈ પ્રવૃત્તિ તેમને રુચતી જ નથી. આનંદની વાત છે કે ઉદ્દામ અને વિનીત પક્ષના જન્મથી વેપારીઓની આંખ ઊઘડી છે.&lt;br /&gt;
આપણા વાનપ્રસ્થ થયેલા અનુભવી અધિકારીઓ (દીવાનો, ન્યાયાધીશો, મામલતદારો વગેરે) નિવૃત્ત થયેલા વકીલ, દાક્તરો, દેશસેવા કરવા કેમ ઉદ્યુક્ત નથી થતા? ફક્ત દી. બ. અંબાલાલ સા. દેસાઈ હાલ ગુજરાતની વિધવિધરંગી પ્રવૃત્તિમાં ભાગ લે છે. ગુજરાતમાં પૈસો છે, યૌવન છે, બુદ્ધિ છે, ફક્ત તેનો સદુપયોગ કરવાની જરૂર છે.&lt;br /&gt;
બંગાળની સર્વ પ્રવૃત્તિનું મૂળ જેમ કલકત્તા, મહારાષ્ટ્રની સર્વ પ્રવૃત્તિનું મૂળ જેમ પૂણા છે, તેમ ગુજરાત અને ગુજરાતીઓની સર્વ પ્રવૃત્તિનું મૂળસ્થાન અમદાવાદ થવું જોઈએ. સાહિત્યમાં અમદાવાદ જેમ અગ્રસ્થાન લેતું જાય છે. તેમ, રાજકીયાદિ વિષયોમાં પણ તેણે લેવું જોઈએ.&lt;br /&gt;
કુળ ઉજ્જ્વલ રાખવા સારી સંતતિ ઉછેરવાની માબાપોને જેટલી ફિકર અને કાળજી હોય છે તેનાથી વિશેષ ફિકર અને કાળજી નવા નેતાઓ ઉત્પન્ન કરવા માટે હાલના નેતાઓએ રાખવી જોઈએ.&lt;br /&gt;
ઉદ્દામ અને વિનીત પક્ષ વિશે રૂપકની ભાષા વાપરીએ તો ઉદ્દામ પક્ષ દેશનું હૃદય અને વિનીત પક્ષ દેશનું મગજ છે, એમ કહી શકાય. બન્નેના સાહચર્યથી ફાયદો છે – વિરોધથી નહીં. વ્યવહારનિપુણ ગુજરાતી બન્ને પક્ષની ભાવના અને કાર્યપદ્ધતિનાં સારાસાર તપાસી રુચતું જ સ્વીકારશે.&lt;br /&gt;
લૉર્ડ મોરલીએ કરવા ધારેલા રાજકીય સુધારાનો દેશને લાભ અપાવવો બન્ને પક્ષના હાથમાં છે. આ રીતે આરંભાયેલી રાજકીય પ્રવૃત્તિ ઉદાર નયવાન ગાયકવાડના રાજ્યમાં સારી વૃદ્ધિ પામી ગુજરાતનાં બીજાં દેશી રાજ્યોમાં ચાલતું અંધેર દૂર કરાવી પ્રતિનિધિ રાજ્ય—પ્રજાશાસક રાજ્ય—ચલાવવા ગુજરાતીઓને તાલીમ આપશે.&lt;br /&gt;
આફ્રિકામાં ગુજરાતીઓએ અતુલ વીરત્વ દાખવ્યું છે. સ્ત્રીઓએ પણ રજપુતાણી જેવું શૌર્ય દાખવ્યું છે. હિંદુ, મુસલમાન, પારસીઓએ એકત્ર થઈ ગુજરાતી નામ દીપાવ્યું છે.&lt;br /&gt;
રાજ્ય અને સંસાર સાથે સંબદ્ધ અર્થપ્રાપ્તિ અને શિક્ષણ વિશે થોડુંક વિચારીએ. કરાંચીથી મુંબઈ લગીનો દરિયો ગુજરાતીઓથી ઊભરાય છે; ઇંગ્લૅંડ, ફ્રાન્સ, આફ્રિકા, ચીન, જાપાન જાય છે તે તો જુદું. મુંબઈ અને અમદાવાદમાં વરાળયંત્રથી રૂની બનાવટ કરે છે. તેઓ અનેક નવા હુન્નરો ઉપજાવી દેશને આબાદી કરી શકે એવા છે. તેમની વૃત્તિ એ તરફ દોડી છે. જોઈતાં લાયકાત, કેળવણી અને સાધનો મેળવી તેઓ એ દિશામાં પ્રયાણ કરશે. સ્વદેશપ્રેમ અને પ્રામાણિકતાથી છલબલતાં હૈયાવાળાં મગજો જ્યારે એમાં પડશે ત્યારે જ સાફલ્ય મળશે.&lt;br /&gt;
ગયે વર્ષે બૅંકો, મિલોમાં વધારો થયો હતો તોપણ વેપાર અને હુન્નરઉદ્યોગ શી રીતે વધે તે વિશે હજુ જોઈએ તેવો ગુજરાતમાં વિચાર થયો નથી, અને થતો હોય એમ લાગતું નથી. વેપાર મહાજન  (Chamber of Commerce), ઔદ્યોગિક ને વ્યાપારી શિક્ષણ, ઉદ્યોગવેપારના ગ્રંથ, માસિકો, કાચા ને તૈયાર માલનાં સંગ્રહસ્થાનો, બૅંકો, વહાણો, રેલવે, ઇત્યાદિ અસ્તિત્વમાં લાવી, સાહસ—આગ્રહ—પ્રામાણિકતા—જ્ઞાન—ઉદ્યમશીલતા જગાવી, કેળવી અનેકવિધ આર્થિક ખીલવણી થઈ શકે. જાપાન, અમેરિકા ગયેલા દક્ષિણી, બંગાળીઓ કરતાં વિશેષ દેશપ્રેમી અને દેશોદય સારુ અભિલાષક પરદેશ ખેડતા ગુજરાતી વેપારી ક્યારે થશે? મરાઠી અને બંગાળીમાં પરદેશ ગયેલા દક્ષિણી કે બંગાળીઓ નાનાવિધના લેખ લખી પોતાના દેશભાઈઓને જાગૃત અને માહિતગાર કરે છે. આફ્રિકામાં મંડાયેલા કુરુક્ષેત્રનું મહાભારત કહેનાર કેમ કોઈ ગુજરાતી સૂતપુરાણી નીકળી નથી આવ્યો? વેપારી વર્ગ કેળવાશે ત્યારે જ ગુજરાતનું ભાગ્ય ઊઘડશે.&lt;br /&gt;
કેળવણીના મહાપ્રશ્ન વિશે આપણે ત્યાં છેક જ વિચાર – પ્રયત્ન થયા નથી એમ નથી. સરકારે જે ‘પ્રાથમિક કેળવણીની પદ્ધતિ દાખલ કરી તેમાં મર્હુમ માધવલાલ હરિલાલે સુધારો વધારો કર્યો; સાયન્સ અને હુન્નરનું જ્ઞાન આપવા પ્રો. ત્રિ. ક. ગજ્જરે વિચાર્યું અને એકલે હાથે દેશને એ જ્ઞાનનું અગત્ય સમજાવ્યું. ગાયકવાડ સરકાર અને મુંબઈના ધનાઢ્યોને લીધે કલાભવન, વિકટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, ટાટા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આદિ સંસ્થાઓ હયાતીમાં આવી છે; મુંબઈમાં અને બીજે સ્થળે વેપારી કેળવણી આપવા શાળાઓ – વર્ગો ચલાવવામાં આવે છે, અને હાલના આપણા ના. ગવર્નરના આગ્રહને લીધે વેપારી કેળવણી આપવાની સારી યોજના થવાની વકી છે. એમના જ પ્રયાસથી સાયન્સનું પણ આપણને સંગીન જ્ઞાન મળશે એવી આશા છે. આપણા શ્રીમંતોએ ઉદારતાથી ના. ગવર્નરની સાયન્સ શીખવવાની યોજના વધાવી લીધી છે. પ્રો. ત્રિ. ક. ગજ્જરના સ્ત્રીકેળવણી વિશેના વિચારનું ફળ ‘સેવાસદન’માં પ્રત્યક્ષ થતું જાય છે. વડોદરાના શિક્ષકમંડળના વાર્ષિક સંમેલન સિવાય કેળવણી વિશે જાહેર ચર્ચા થતી નથી.&lt;br /&gt;
આમ છતાં પણ હજુ આ દિશામાં બહુ કરવાનું છે. સરકારી અથવા ખાનગી નોકરી મેળવવાની લાયકાત કેળવણીથી આવે છે એવું સામાન્યતઃ મનાય છે, અને એ જ હેતુથી માબાપો પોતાનાં બાળકોને કેળવે છે. કેળવણી લેવાથી જીવન ઉન્નત થાય છે, નાના પ્રકારના હુન્નર, ઉદ્યોગ, વેપાર થઈ શકે છે, ખીલવી શકાય છે, દેશનો અને જાતિનો ઉત્કર્ષ થાય છે વગેરે વગેરેનું ભાન લોકોને જરાયે નથી. એક ચીલો પડ્યો છે તે પર થઈને સૌ ચાલ્યા જાય છે, પણ તે રસ્તે જવાથી સૌને લાભ થશે કે હાનિ થશે તેનો ખ્યાલ નથી. માબાપોને કેળવણીનાં ઉદ્દેશ અને ભિન્ન ભિન્ન સ્વરૂપોની ખબર નથી. શિક્ષકો અને વિચારકોનું લક્ષ હજુ આ મહત્ત્વના પ્રશ્ન તરફ ખેંચાયું નથી. ધર્મગુરુઓ તો પોતે જ અભણ હોય, જ્ઞાનપ્રકાશની જ વિરુદ્ધ હોય ત્યાં તેમની પાસેથી આશા રાખવી નિરર્થક છે. પંજાબમાં આર્યસમાજે અત્રત્ય અને પાશ્ચાત્ય વિચારસરણીનો સંવાદ લાવે એવી કેળવણી આપવા ‘ગુરુકુળ’ નામની સંસ્થા સ્થાપી છે અને કલકત્તાની કૉલેજો ઉપર જ્યારે સરકારી કાયદાના યમદૂતો પાશ લઈ ફરી વળવા લાગ્યા ત્યારે ‘રાષ્ટ્રીય કેળવણી’ રૂપ પાર્ષદો બંગાળની કેળવણીને ‘રાષ્ટ્રીય યુનિવર્સિટી’ રૂપી વૈકુંઠમાં લઈ જવા ઉદ્યુક્ત થયા છે. ગુરુકુળ અને રાષ્ટ્રીય શાળાઓમાં શિક્ષણથી વિદ્યાર્થીઓના જીવન – વિચાર – પ્રવાહ અમુક રીતે વહેવડાવવાનો ઉદ્દેશ છે; એટલે એ ઉદ્દેશ સાધવા આવશ્યક એવા કેટલાક વિષયોને અભ્યાસક્રમમાં સ્થાન અપાયું છે, પરંતુ આ દેશની વિવિધરંગી પ્રજાને વિવિધ પ્રકારની સંપૂર્ણ કેળવણી મળે એવી વ્યવસ્થા અથવા વિચારણા થઈ નથી.&lt;br /&gt;
ગુરુકુળની પદ્ધતિમાં ધાર્મિક અભ્યાસ મહત્ત્વનો લેખાય છે, રાષ્ટ્રીય કેળવણીમાં ઇતિહાસના અભ્યાસને એ સ્થાન અપાય છે. પરધર્મી અને પરદેશી રાજ્યકર્તા પોતાને આધીન વિવિધધર્મી પ્રજાને કેળવણી આપે ત્યારે સાંપ્રદાયિક શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન ન આપે એ વાજબી છે. આપણી નિશાળોમાં એવું શિક્ષણ અપાતું ન હોવાથી તે આપવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ગુરુકુળ જેવી અથવા આ દેશમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવા સ્થપાયેલી શાળાઓની ઘાટી ઉપર કાઢેલી સંસ્થાઓમાં ‘ધાર્મિક શિક્ષણ’ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે; જૈનોની માફક સરકારી નિશાળોમાં વ્યતીત થતા કાળ ઉપરાંત અવકાશનો જે વખત બાળકોને મળે છે તેમાં ધાર્મિક–વ્યાવહારિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે; અલીગઢની મુસલમાન કૉલેજ કે કાશીની હિંદુ કૉલેજ જેવી સંસ્થાઓમાં એક જ ધર્મના અનુયાયીઓને શિક્ષણ આપી તેમનું ધર્મતેજ ઝળહળતું રાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે યા તો હિંદુ ધર્મના સર્વ મતપંથને અનુકૂળ આવે એવાં સર્વમાન્ય તત્ત્વો હિંદુ શાસ્ત્રોમાંથી વીણી કાઢી ક્રમવાર પોથીઓ રચી શાળાઓમાં ચલાવવામાં આવે છે.&lt;br /&gt;
છેલ્લી પદ્ધતિ ‘થિયોસોફિકલ સોસાયટી’ ને લીધે પ્રચારમાં વધુ ને વધુ આવતી જાય છે. ગાયકવાડી રાજ્યમાં પણ એવો જ માર્ગ અખત્યાર કરવામાં આવ્યો છે. મુંબઈની આર્ય પ્રતિનિધિ સભા, બીલખાના આનંદાશ્રમ નિવાસી શ્રીમન્નથુરામ શર્માના શિષ્યો, દ્વારિકાના શંકરાચાર્ય આદિ તરફથી ગુજરાત-કાઠિયાવાડનાં તીર્થસ્થાનોમાં ‘ગુરુકુળ’ જેવી સંસ્થાઓ ઊભી કરવા પ્રયત્નો થાય છે. આર્યસમાજના ‘ગુરુકુળ’ માટે સારું ફંડ જમા થયું છે; મિસિસ એની બિસાંટની સૂચનાથી પારસીઓમાં પોતાની કૉલેજ સ્થાપવાનો વિચાર સ્ફૂર્યો છે; દ્વારિકાના શારદાપીઠના શિષ્યવર્ગ તરફથી નર્મદાતટે એક સંસ્થા ઊભી થઈ છે, એમ સાંભળવામાં આવ્યું છે.&lt;br /&gt;
આ બધી પ્રવૃત્તિના લાભ હશે, પણ પૃથ્વીની આગળ વધેલી અને વધતી પ્રજાઓની સાથે હરીફાઈમાં ઊતરી વિજયવંત થવા આ જાતની કેળવણી આપણને સમર્થ કરશે કે નહીં એ પ્રશ્ન તો ઊભો જ રહે છે. ધાર્મિક શિક્ષણ આપવાની સર્વે યોજનામાં ‘ધર્મના ઇતિહાસ’નું શિક્ષણ સામેલ રાખવું જોઈએ. દરેક સંપ્રદાયવાળાની પોતાના અનુયાયીઓને સંપ્રદાયના સિદ્ધાંત અને વિધિકર્મથી વાકેફ રાખવાની ફરજ છે. એ ફરજ અદા કરવા જૈનપદ્ધતિ અંગીકાર કરવી ઘટે છે.&lt;br /&gt;
ઇતિહાસનું શિક્ષણ આપણને હાલ ખાસ અગત્યનું છે; પરંતુ વેપારી અને હુન્નરબાજ ગુજરાતને એકલા એવા શિક્ષણથી પાલવે એમ નથી. સરળતાથી અને થોડા વખતમાં સમસ્ત ગુજરાતીઓને વાંચતાંલખતાં આવડે એવી કેળવણીની ઘણી જરૂર છે. વેપારી, ખેડૂત, મજૂર, સર્વેને તેની જરૂર છે. રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળે રાત્રિશાળાઓ સ્થપાઈ છે તે તેમ જ ભરૂચમાં નવાં સ્થપાતાં કારખાનાંઓમાં ઉઘાડવામાં આવેલી નિશાળો એ દિશામાં થયેલું પ્રયાણ સૂચવે છે. આ ઉપરાંત આપણે ત્યાં ધુરંધર વેપારીઓ પાકે, હોંશિયાર પ્રતિભાશાળી હુન્નરી નરો પેદા થાય; દેશી રાજ્યોની કે સરકારી અમલદારી કરી દેશોદય સાધે એવા ઉદાત્ત રાજપુરુષો કેળવાય, દેશી રાજ્યો ઉત્તમ રીતે ચલાવી પ્રજાનું સાહચર્ય મેળવી હિંદીઓમાં સ્વરાજ્ય ચલાવવાની શક્તિ કેળવે એવા ઉદાર રાજાઓ ઉત્પન્ન કરે, પ્રજાનો ધર્મ વિશુદ્ધ, પ્રખર અને ભાસ્વર રાખે એવા આચાર્યો બનાવે, આપણી લડાયક જાતોને માલિક સારુ લડવા હાલની યુદ્ધકળાથી વાકેફ કરે, આપણા ખલાસીઓને કેળવી જબરા વહાણવટી બનાવે, આપણા દેશમાં સાહિત્ય, ઇતિહાસ, ચિંતન, સાયન્સ, કળા, ધર્મ ફેલાવે–વધારે–ઘડે એવાં ચેતનનો વરસાદ વરસાવે, આપણી સ્ત્રીઓને જ્ઞાનસંપન્ન કરી તેમના જીવનમાં પ્રકાશ આણે અને આપણા દેશીઓને શરીરે અને હૃદયે આરોગ્ય, હૃષ્ટપુષ્ટ કરે એવી કેળવણીની – એવી કેળવણી વિવિધ સંસ્થા – પ્રણાલીદ્વારા મેળવવાની ખાસ અગત્ય છે. કેળવણીનાં આ વિવિધ અંગો વિશે વર્તમાનપત્રો કે માસિકોમાં ચર્ચા થતી નથી – લોકોમાં એ વિશે ભાષણો કે કથા થતી નથી; પરંતુ એ વિષય સંબંધી ચર્ચા-વિચારણા ઉત્પન્ન કરવાની ખાસ જરૂર છે.&lt;br /&gt;
આપણી માધ્યમિક કેળવણી ઘણી જ અસંતોષપ્રદ નીવડી છે. મુંબઈના હાલના ના. ગવર્નર તેમાં ફેરફાર કરવા ઉત્સુક છે. પરંતુ આપણને જે ફેરફારો જોઈએ છે – ગુજરાતને જે ફેરફારો જોઈએ છે – તેને એમની યોજનાઓમાં સ્થાન મળે તો સારું. આપણને નાનપણથી સાયન્સ અને વાણિજ્ય જ્ઞાન મેળવવાની જરૂર છે. એમણે એ વિષયોને ફક્ત કૉલેજના અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું છે. વળી કેળવણી ઉપર માબાપોના વિચારોનો જે પ્રભાવ પડવો જોઈએ તે એમની યોજનાથી પડે, એમ નથી; પાઈનું શાક લેવું હોય તો ચાર દુકાને ફરનારા લોકો કેળવણી અને ધર્મ જેવી બાબતમાં જરા પણ વિચાર કર્યા વિના ગાડરીયા પ્રવાહની માફક ચાલ્યા જાય એ શું?&lt;br /&gt;
પ્રાથમિક કેળવણીનો સર્વત્ર ફેલાવો થવાની અગત્ય વિશે આગળ ઉપર કહી ગયા છીએ. કાઠિયાવાડનાં દેશી રાજ્યોમાં ઘણે સ્થળે પ્રાથમિક શિક્ષણ મફત આપવાની ઉદારતા બતાવાઈ છે – જૂજ આવતી ઊપજ બંધ કરી પ્રતિષ્ઠા મેળવાઈ છે. પરંતુ તેના ફેલાવા માટે, તેને સંગીન બનાવવા માટે, રૈયતમાંના દરેક જણને પોતાને અનુકૂળ કેળવણી મળી શકે એવી સહેજ પણ પ્રવૃત્તિ એમની તરફથી થઈ નથી. અસલ જેમ મંદિરોને અને બ્રાહ્મણોને ગરાસ અપાતા તેમ જો કેળવણીખાતાને ગરાસ આપી ઊપજ-ખર્ચની બાબતમાં સ્વતંત્ર બનાવવામાં આવે તો દેશી રાજ્યોમાં કેળવણી સારો જ પ્રતાપ બતાવે.&lt;br /&gt;
પ્રાથમિક કેળવણી મફત અને ફરજિયાત કરવાની માગણી સરકારને વારંવાર કરવામાં આવે છે, પણ એ માગણી ઉપર ધ્યાન અપાયું નથી. મુંબઈ બેટમાં એવી યોજના કરવા માટે નિમાયેલી કમિટીએ ઉક્ત માગણીની વિરુદ્ધ રિપોર્ટ કર્યો છે. ભાવનગરના દીવાન રા. રા. પ્રભાશંકર દ. પટણીએ અને મુંબઈની ‘મ્યુનિસિપલ‘ નિશાળોના ઉપરી મિ. વેલીનકરે પણ એ માગણી અવાસ્તવિક છે એમ બતાવ્યું હતું. કેળવણીનો વિસ્તાર કરતા આગમચ તેને સંગીન બનાવો એવું કહેવામાં આવે છે તે માન્ય છે; પરંતુ બન્ને સાથે સાથે થઈ શકે અથવા અમુક સ્થળે સંગીનપણા પર વધારે ધ્યાન અપાય અને બીજે બધે જ્ઞાનપ્રસારણ ઉપર લક્ષ અપાય એવું પણ બની શકે. સરકાર ઉપર જ આધાર રાખી બેસી ન રહેતાં ધનાઢ્યો, રાજાઓ, આચાર્યો, ન્યાતો વગેરે તરફથી લોકોને વાંચતાં લખતાં આવડે એવું કરવાનું કામ ઉપાડી લેવામાં આવે તો ઘણું સારું. બ્રાહ્મણો, સંન્યાસીઓ, બાવાઓ વગેરે નિરૂદ્યમી —દુરાચરણી લોકોનું પૂરું કરવા પાછળ દાનને નામે વપરાતો પૈસો સરસ્વતીદેવીનાં મંદિરો સ્થાપી નિભાવવામાં ખર્ચાવાની જરૂર છે.&lt;br /&gt;
સ્ત્રીકેળવણી સંબંધી પણ લોકોની આંખ ઊઘડી છે અને દિન પર દિન તેનો વધારો થતો જાય છે. શહેરો અને ગામડામાં લોકમત ઘણો જ એની તરફેણમાં વળતો જાય છે, અને ગામડામાં છોકરા-છોકરીઓ હારે રહી ભણે છે. વડોદરા રાજ્ય તરફથી તેમ જ સરકાર તરફથી કન્યાવાંચનમાળા પ્રસિદ્ધ કરવામાં આવી છે, અને એ રીતે બાલકબાલિકાઓના શિક્ષણપ્રવાહ છૂટા પાડ્યા છે. પરંતુ આ વાંચનમાળા આજની આપણી વૃત્તિઓને રુચે એવી નથી. હોપની દેખરેખ નીચે લખાયેલી વાંચનમાળામાં આપણને જૂઠા ગણી સાચું બોલવાનો અને પ્રામાણિકતાથી વર્તવાનો ઠેર ઠેર ઉપદેશ અપાયો હતો તેમ આ નવી કન્યાવાંચનમાળામાં પણ નીતિના ઉપદેશને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ઉપદેશભર્યા પાઠો જીવન પ્રફુલ્લ કરે એવા નથી; વખતે બાળી નાંખે એવા છે. ગૃહ્યકલા સંબંધીનું જે તત્ત્વ ઉમેરવામાં આવ્યું છે તે આ વાંચનમાળાનો એક શુભ અંશ છે. અમદાવાદની સ્ત્રી-શિક્ષકશાળા (Female Training College)નો અભ્યાસક્રમ પણ સુધારવામાં આવ્યો છે.&lt;br /&gt;
અમદાવાદનું ‘ઉદ્બોધન’ પત્ર નવી કન્યાવાંચનમાળા તૈયાર કરાવવા તત્પર થયું છે. મુંબઈના ‘સેવાસદન’ અને ‘ચંદા રામજી હિંદુ કન્યા વિદ્યાલય,’ સુરતના ‘વનિતાવિશ્રામ,’ રાજકોટની ‘હિંદુ કન્યાશાળા’ આદિ સંસ્થાઓને અંગે સ્ત્રીકેળવણીના અભ્યાસ – અને અભ્યાસગ્રંથો સંબંધી ઘણું કામ થવાની વકી છે. બાળકીઓને ઊંચું અને સંગીન શિક્ષણ આપવાને, તેમ પ્રૌઢ સ્ત્રીઓને જ્ઞાનસંપન્ન કરવા – કેળવવા – આ રીતે ગુજરાતમાં પ્રયાસો થતા જાય છે. સ્ત્રીઓ પણ જાતે આગળ પડી પોતાની બહેનોને કેળવવા ઉદ્યુક્ત થતી જાય છે. તોપણ હજુ સ્ત્રી-શિક્ષકોની ઘણી ખોટ છે અને તેથી સ્ત્રીકેળવણીનો ઘણો મંદ ફેલાવો થાય છે. અનાથ વિધવા સ્ત્રીઓને ભરણપોષણ મેળવવા સમર્થ કરે એવા હુન્નરો શીખવવાના પણ પ્રયાસો ચાલે છે. વડોદરામાં બંધુમંડળના સંમેલન પ્રસંગે એ નગર સારુ આવી યોજના ઉપસ્થિત કરવામાં આવી હતી. જૈન સંઘની વસ્તી જ્યાં જ્યાં મોટા જથ્થામાં છે ત્યાં ત્યાં પણ આવાં જ શુભ પગલાં લેવાયાં છે. ગયે વર્ષે ભાવનગરમાં એ લોકો તરફથી સારા દ્રવ્યસંચયથી એક શ્રાવિકાશાળા કાઢવામાં આવી છે. અમદાવાદમાં પણ શ્રાવિકાશાળાઓ ચાલે છે. એ કોમમાં સારી જાગૃતિ આવી છે. બીજાં નગરોમાં પણ બીજી ન્યાતો તરફથી એ દિશામાં પ્રગતિ થતી જાય છે.&lt;br /&gt;
પરંતુ એ બધાંથી લોકોને સંતોષ નથી થયો. જીવન પ્રફુલ્લ કરે, આપણા દેશમાં જાગેલાં નવાં ચેતનને જીવનમાં સંચી દેશ — જનસેવા માટે સમર્થ કરે એવી કેળવણી સ્ત્રીઓને આપવા ચળવળ ચાલે છે.&lt;br /&gt;
પરંતુ આ રીતે ઉપસ્થિત થયેલી સ્ત્રીકેળવણીની યોજનામાં સંસ્કૃતને અતિ મહત્ત્વનું લેખી વૃથા કાલક્ષેપ અને શક્તિવ્યય કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ધાર્મિક ગ્રંથો શીખવવામાં આવે તો શિક્ષણ સંગીન નીવડવા અને આચરણો સંસ્કારી થવા વધારે સંભવ છે. જેમને અવકાશ હોય – સારી કેળવણી ગુજરાતી ભાષા મારફત લીધી હોય અને રુચિ હોય તેમને સંસ્કૃત શીખવવાની બેલાશક જોગવાઈ કરી આપવી. ઇતિહાસ, ભૂગોળ જે વિષયો શીખવવાની હાલ આપણે ખાસ અગત્ય છે તે નિરર્થક ગણવામાં આવે છે, એટલે રાજકીય પ્રવૃત્તિને એથી ધોકો પહોંચવા સંભવ છે, માટે દેશપ્રેમીઓએ એ વિષયો ખાસ રસિકતાથી આનંદ મળે એવી રીતે શીખવાય એવો બંદોબસ્ત કરવો જોઈએ.&lt;br /&gt;
સ્ત્રીકેળવણી વિશે લખાય છે ઘણું પણ હવે જે કરવું જોઈએ તે બહુ થતું નથી. નિશાળો સ્થાપવી જોઈએ, સ્ત્રી-શિક્ષકો તૈયાર કરવાં જોઈએ, અને નાના પ્રકારની અભ્યાસપોથીઓ પ્રકટ કરવી જોઈએ વગેરે બાબતો પર લક્ષ આપવાની જ ઘણી જરૂર છે. એમને સારુ માસિકો, વર્તમાનપત્રો, ગ્રંથો પ્રકાશવાની – ભાષણો, કથા કરાવવાની પણ એટલી જ જરૂર છે. એમને વિનોદવ્યાયામ મળે એવી સંસ્થાઓ સ્થાપવાની પણ એટલી જ આવશ્યકતા છે. મુંબઈમાં સન્નારીઓ સારુ ‘જીમખાના’ સ્થપાયું છે. ગુજરાતમાં એમને માટે ‘સુંદરીસુબોધ’ અને ‘સ્ત્રીબોધ’ નામનાં બે માસિક નીકળે છે. એ બંને આપણી સ્ત્રીઓનાં જીવનને આનંદમય કરે છે; પરંતુ હજુ બંનેમાં વિકાસને અવકાશ છે, અને એવાં બીજાં માસિકોની જરૂર છે.&lt;br /&gt;
આવી રીતે થયેલી જાગૃતિને લીધે સ્ત્રીઓની ઉન્નતિ થતી જાય છે. તેઓમાં પણ જાગૃતિ આવી છે. ‘સેવાસદન’, ‘વનિતાવિશ્રામ’ જેવી સંસ્થાઓ એમને માટે અને એમના વડે અસ્તિત્વમાં આવી છે. દાદાભાઈ જયંતી ઊજવવામાં અગ્રેસર મુંબઈની સન્નારીઓ ‘પૈસાફંડ’ માટે સ્વયંસેવિકાઓ થઈ છે.&lt;br /&gt;
મુંબઈનું ‘ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળ’ પણ સારું કામ કરે છે. દી.બ. અંબાલાલ અને રા. નાનાલાલ કવિએ એ મંડળમાં ગયે વર્ષે કરેલાં ભાષણો ઉત્તમ હતાં.&lt;br /&gt;
કેળવણી, લગ્ન, નારીપ્રતિષ્ઠા આદિ પ્રશ્નો નિરાકરણ લાવવા તેમજ પરદેશગમન આદિ સાંસારિક બંધનો દૂર કરવા તથા નીતિ ઉન્નત કરવા અર્થે કમી કરવા ન્યાતોની પરિષદ ભરાય છે. આ પરિષદોમાંથી હજુ કાંઈ પણ પરિણામ નીપજ્યું નથી ખરું, પણ એથી ગામેગામ ચેતન પ્રસરે છે અને યુગયુગની ઊંઘ ઊડી જાય છે. આર્થિક બળોને લીધે લગ્નની વય વધતી જાય છે, સ્ત્રીકેળવણી ફેલાતી જાય છે. ગાયકવાડ સરકારનો ‘બાલવિવાહ પ્રતિબંધક કાયદો’ પણ શુભ પરિણામી નીવડ્યો છે. વળી હિંદુ વ્યવહારશાસ્ત્રને પદ્ધતિસર ધારારૂપે (Codification of Hindu Law) ઘડવાનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આથી કૌટુંબિક અને દાંપત્યજીવનના સંબંધોમાં આર્થિક અને નૈતિક છૂટ જોઈતા પ્રમાણમાં મળી શકશે. જ્યારે હિંદના બીજા પ્રાંતો રાજકીય પ્રવૃત્તિમાં જ ઘૂમે છે ત્યારે ગુજરાત સંસાર અને ઘરનાં પ્રશ્નો વિચારી – નિરૂપી પોતાનું પ્રજાજીવન મજબૂત બનાવવામાં રત છે. ન્યાતોના મેળાવડા, ફંડો, માસિકો, આપણા સાહિત્યનું સ્વરૂપ, (આ વિશે આગળ વધુ કહેવામાં આવશે,) આપણાં અગ્રેસરોનાં વર્તનો વગેરે ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણાં સંસારગૃહ ઉન્નત કરવા તરફ આપણું લક્ષ છે.&lt;br /&gt;
ગુજરાતમાં ન્યાતોની પરિષદ મળે છે તેમના હેવાલ એકઠા કરવામાં આવે તો સંસારસુધારકને અને સમાજશાસ્ત્રીને એથી લાભ થાય એમ છે. પાશ્ચાત્ય શિક્ષણ, રાજ્ય અને આર્થિક સંવ્યવસ્થાના જે આઘાત આપણા પુરાણા રાફડા ઉપર થવા માંડ્યા છે. તેમના સામા આત્મસંરક્ષણની વૃત્તિના પ્રેર્યા ગુજરાતીઓ આ બધી ચળવળમાં પડ્યા છે. હાલમાં તેથી નાતોનું જોર વધતું લાગશે, પણ સાથે સાથે ઉદારતા પણ તેમના બંધારણમાં પેસશે જ અને ભવિષ્યમાં તેથી લાભ છે.&lt;br /&gt;
મુંબઈના કાયસ્થ સૉલિસિટર મિ. દફતરીએ ન્યાતોના ભેદભાવ દૂર કરી એકત્ર થવાની એક યોજના પ્રકટ કરી હતી. હરકિશનલાલના જેવી જ એ યોજના છે.&lt;br /&gt;
પહેરવેશ, ભોજન, આચારવિચાર, ભાવનાઓમાં સપાટાબંધ ફેરફારો થતા જાય છે. નારીપ્રતિષ્ઠા ઉન્નત કરવા પ્રયાસો અને ઉપદેશો થાય છે. મુંબઈમાં આ દિશામાંથી થતી પ્રવૃત્તિઓની અસર ગુજરાતમાં થાય છે તેમ અમદાવાદની ‘બંધુસમાજ’નાં લખાણોથી પણ એ અસર સબળ બને છે.&lt;br /&gt;
ગુજરાતની નીતિ ઊંચી થતી જાય છે કે કેમ એ ગુનાઓના રિપોર્ટો પરથી, કોર્ટોમાં ચાલતા કેસો ઉપરથી જણાય ખરું. ઉપરાંત દેશની જાહેર નીતિ(Public morality) પ્રગતિમાન છે કે કેમ તે પણ મીમાંસા કરવા જેવો વિષય છે. આ પ્રદેશમાં કોઈ ગુજરાતી વિચરશે અને અન્વેષણ કરશે તો જાણવાનું મળશે ખરું.&lt;br /&gt;
સ્વદેશીની હાકલો દેશમાં વાગે છે અને ખૂણેખૂણામાં સંભળાય છે. આ હાકલોની નૈતિક અસરો થતી હશે અને થવાની. ભવિષ્યમાં નીતિશાસ્ત્રીને એ પ્રશ્ન વિચારવો પડશે.&lt;br /&gt;
દેશમાં જે જે ભાવનાઓ અને તદનુસાર પ્રવૃત્તિઓ ઘૂમી રહી હોય તેમનું તાત્ત્વિક (metaphysical) અને નૈતિક (ethical) સ્વરૂપ ચિંતવવાની ખાસ આવશ્યકતા હોય છે. માટે જ હાલ આપણને એવા એક ચિંતકની જરૂર જણાય છે.&lt;br /&gt;
દરેક પ્રજાને પોતાના આદર્શો હોય છે – કાળે કાળે આદર્શો બદલાય છે પણ ખરા. એક વખત હિંદુસ્તાનમાં જીવનમુક્તનો આદર્શ લોકોમાં પુજાતો હતો. ગોવર્ધનરામે પણ એ જ આદર્શ ફરીથી ‘સરસ્વતીચંદ્ર’માં ઉપદેશ્યો છે. એ આદર્શ ચાલુ હતો એવામાં અર્હંત અને બોધિસત્વના આદર્શો જન્મ્યા. ત્યારપછી જીવનમુક્ત આદર્શ પાછો પુનર્જીવિત કરવામાં આવેલો, અને મુસલમાની સામ્રાજ્ય દરમ્યાન ભક્તનો આદર્શ જન્મ્યો. આજે આ બધા આદર્શો તદ્દન નષ્ટ નથી થયા, પરંતુ એમના મૂળ સ્વચ્છ—ઉગ્ર—પવિત્ર સ્વરૂપમાં તો નથી જ રહ્યા. હવે દેશમાં નવો આદર્શ ઉત્પન્ન થતો જાય છે. આ આદર્શ તે દેશવીરનો (patriot) છે. એ આદર્શમાં જીવનમુક્ત, બોધિસત્ત્વ અને ભક્ત એ ત્રણેના આદર્શો ભળી જશે. આમ બદલાતા આદર્શોના પરિણામ વિચારનાર ને ગુજરાતને સમજાવનાર કોઈ નહીં નીકળી આવે?&lt;br /&gt;
આ લેખ તવારીખ નથી પરંતુ હકીકતોની ખબર જેવો છે, એટલે દેશમાં ચાલતી રાજકીય, સાંસારિક, ધાર્મિક, આર્થિક પ્રવૃત્તિઓનો સાર કહેવાનું સાહસ વહોરવામાં નહીં આવે.&lt;br /&gt;
હવે આ લેખના મૂળ ઉદ્દેશ – સાહિત્યના સિંહાવલોકન પર આવીએ. પ્રથમ ક્રમિક પત્રોના અહેવાલ ઠીક પડશે, કારણ કે એમનાથી સાહિત્યને પોષણ તથા ઉત્તેજન સારું મળે છે.&lt;br /&gt;
માનવસૃષ્ટિમાં જન્મમરણ છે તેમ આ પત્રોની સૃષ્ટિમાં પણ બને છે. કેટલાં પત્રો ગયા વર્ષમાં મરણ પામ્યાં તે તો ચિત્રગુપ્તના ચોપડા સિવાય બીજેથી જાણી શકાય એમ નથી. છતાં જ્યોતિ, સાહિત્ય અને વાર્તા, સ્વદેશહિત, આર્યધર્મસુધા, વલસાડવર્તમાન(ઉર્ફે ગુર્જરગર્જના) આદિ અવસાન પામ્યાં એવું જણાયું છે. આ સ્થળે રા. રા. મૂળજી દુર્લભજી વેદ તરફથી નીકળવાના ‘એશિયા’ પત્રની નોંધ લેવી જોઈએ. રા. મૂળજીભાઈ દેશપ્રેમી, ઉદાત્ત ભાવનાભર્યા છે. એ દૈનિક પત્ર કાઢવામાં એમને ઊંચો અભિલાષ હતો. પરંતુ સરકારે જે સખત કાયદાઓ ગયે વર્ષે પસાર કર્યા તેને લીધે એમણે ધાર્યું હતું તેવી રીતે શેરોથી જોઈન્ટ સ્ટોક કંપની મારફત એ પત્ર ચલાવવું સંભવિત ન રહેવાથી એ અભિલાષ પડતો મુકાયો છે. તેમ સ્વદેશધર્મ, પટેલબંધુ, શિક્ષક, મોઢ બ્રાહ્મણ શુભેચ્છક, નાગર, અનાવિલ, ગર્જના, ચંડિકા, મેઘનાદ, ગદ્યપદ્યસંગ્રહ આદિ જન્મ્યાં પણ છે. &lt;br /&gt;
ચાલુ માસિકોમાં અનિયમિત ઘણાં ચાલે છે. ભારતજીવન અને જ્ઞાનસુધાનું દીર્ઘસૂત્રીપણું તો જાણીતું છે. જ્ઞાનસુધા આ સાલથી નિયમિત થવા તત્પર થયું છે. નવા અંકો જોતાં તે એક પંથના વાજિંત્ર કરતાં સાહિત્યનું ઉદાર માસિક થયું હોય એમ લાગે છે. ઉદાર તો એ માસિક ઘણાં વર્ષ ઉપરનું છે. એક વેળા ‘સુદર્શન’ ઉપર ખ્રિસ્તના ઉપદેશથી ભરેલાં દીન નામના લેખકનાં રચેલાં ત્રણ કાવ્યો મોકલવામાં આવ્યાં હતાં. એ વખતમાં એવાં જ ગીતો કાન્ત તરફથી એ જ માસિકમાં પ્રગટ થયાં હતાં. એટલે સુદર્શનકારે કાન્તને પુછાવ્યું કે ઉક્ત ગીતો તમારાં છે? તેમની ના આવી એટલે તે કાવ્યો એમણે પ્રસિદ્ધ ન કર્યાં, પણ એ કાવ્યો સાથે એક પ્રેમકાવ્ય હતું તે એમણે પ્રસિદ્ધ કર્યું. કાવ્યો સુદર્શનકારે પ્રગટ ન કર્યાં એટલે ત્રણમાંનું ‘બાળકો’ નામનું કાવ્ય જ્ઞાનસુધા અને સાહિત્ય ઉપર મોકલવામાં આવ્યું અને એ બન્ને માસિકોએ ઉદારતાથી તે છાપ્યું. સરસ્વતીદેવીની પૂજા કરતાં ધર્મ કે પંથ જોવાતાં હશે? કાવ્ય લખવાનો અધિકાર ફક્ત હિંદુઓને જ આપ્યો નહીં હોય. મુસલમાન, ઝરથોસ્તી કે ખ્રિસ્તીઓ આપણું સાહિત્ય અલંકૃત અને સમૃદ્ધ કરે એવાં અનુપમ કાવ્યો પોતાના ધર્મના સિદ્ધાંતોથી ભરેલાં રચે તો તેનો અનાદર શા માટે કરવો? આનંદની વાત છે કે આવી ભાવના હવે દૂર થતી જાય છે. પૂર્વ-પશ્ચિમના નિકટ થતા જતા સંબંધોથી અત્રત્ય સમાજની પ્રગતિ ખાતર પાશ્ચાત્ય ભાવનાઓનું આપણા દેશને અનુકૂળ સ્વરૂપ કરી લોકોમાં પ્રસરાવાય છે. Progress by fiction, અને અગસ્ત્યના સમુદ્રાચમન વિશે ગોવર્ધનરામ વારંવાર કહેતા એટલે એ રીતે ચાલતી પ્રગતિ ગુજરાતને સમજવી મુશ્કેલ નથી.&lt;br /&gt;
રાજકીય આગેવાનોમાં પડેલાં પક્ષથી સાપ્તાહિકોમાં પણ બે પક્ષ પડ્યા છે. મુંબઈના ગુજરાતીનો ઉદ્દામ ઝોક વિનીત થયો છે. શક્તિ, ગુજરાત, ગર્જના આદિ ઉદ્દામપક્ષી છે. Extremists અને Moderatesને બદલે હવે Nationalists અને Constitutionalists અભિધાન પ્રચારમાં આવતાં જાય છે. માટે તેમના અર્થસૂચક ગુજરાતી શબ્દો યોજવા જોઈએ. વસંતકારના યોજેલા ઉદ્દામ અને વિનીત શબ્દો ગુજરાતીને લીધે વધારે પ્રચારમાં આવ્યા અને એ રીતે સાક્ષરતાનો પ્રભાવ વર્તમાનપત્રોની ભાષા ઉપર અંકાયો. આપણે ત્યાં નવનવા ઊઠતા વિચારો માટે શબ્દ યોજી આપનાર વિદ્વાન જૂજ હોવાથી અને છે તેમનો વર્તમાનપત્ર સાથે સંબંધ ન હોવાથી કાં તો અંગ્રેજી શબ્દો જ (કૉક્સ, બૉયકોટ, પ્રૉટેસ્ટ વગેરે) વપરાય છે અથવા બંગાળ કે મહારાષ્ટ્રમાં યોજાયેલા સંસ્કૃત કે દેશજ(બહિષ્કાર, નિષેધ, મવાળ વગેરે) શબ્દો ગુજરાતીમાં વપરાતા થઈ જાય છે. શબ્દો બનાવવામાં આપણા વિદ્વાનો સંસ્કૃત પર જ નજર નાંખે છે, દેશજ — તળપદા શબ્દો કે ફારસી શબ્દોની શુદ્ધ (?) બ્રાહ્મણની માફક અવગણના કરે છે.&lt;br /&gt;
‘ગુજરાતી’ના તંત્રીમંડળમાંથી દુર્ગારામ મહેતાજીના પુત્ર રા. ગુલાબરાય નિવૃત્ત થયા છે, અને એ મંડળમાં આ વર્ષથી રા. અંબાલાલ બુલાખીરામ જાની નિમાયા છે. ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના તંત્રીપદ ઉપર લલિત ગયા છે. ‘ઉદ્બોધન’નું તંત્રીમંડળ પણ બદલાયું છે. એના લેખકો લગભગ બધા ઊછરતા યુવાનો છે. એ માસિકના દિશાવલોકન જુદા જુદા આસામીઓ પાસે લખાવવામાં આવે છે. એમાં ગયે વર્ષે ‘તુર્કસ્તાનમાં પાર્લામેન્ટ’ અને ‘હિન્દીઓનો પરદેશ નિવાસ’ એ બે સારા લેખ આવ્યા હતા. રાજ્ય અને સંસારના મહાપ્રશ્નો વિશે સ્વતંત્ર સરળ લેખ લખાવી અથવા તરજુમા કરાવી લોકમત કેળવવો એ આ પત્રનો ઉદ્દેશ છે. એના ટૂંક જીવનમાં એણે જે ‘ઝલક’ બતાવી છે તે ઉપરથી એનું ભવિષ્ય આશાભર્યું અને ઉજમાળું લાગે છે. એ માસિકમાં જ અંત્યજ વર્ગના ઉદ્ધાર માટે લેખ આવ્યો હતો એ શું સૂચવે છે? સંસારસુધારાનાં વાજિંત્રો સિવાયના પત્રમાં આવો લેખ આવે એ, દેશમાં સ્ફૂરતી ઉદારતાનું પરિણામ નથી લાગતું?&lt;br /&gt;
માસિકોનાં કદ વધ્યાં છે. હિન્દી ગ્રાફિક સિવાય સર્વાંગ સચિત્ર માસિક ગુજરાતમાં નીકળતું નથી. જ્યોતિકારને પ્લેગે ગ્રસી લીધા ન હોત તો સર્વાંગસુંદર અને લલિત તથા સચિત્ર માસિક મેળવવા ગુજરાત કદાચ ભાગ્યશાળી થયું હોત. શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીની સહાયથી ‘સમાલોચક’ સચિત્ર પ્રગટ થાય છે.&lt;br /&gt;
છેલ્લાં થોડાં વર્ષોમાં આપણાં માસિકોમાં મોટો ફેરફાર થતો જાય છે. એક વ્યક્તિનાં માસિકો — પ્રો. મણિલાલનું સુદર્શન, ડો. ધ્રુવનું ચંદ્ર, કે રા. રમણ- ભાઈનું જ્ઞાનસુધા જેવાં માસિકોનો યુગ જતો જાય છે અને આપણાં માસિકોમાં autocracy કે oligarchyને બદલે democracyની સત્તા વધતી જતી લાગે છે. માસિકના તંત્રીઓ આચાર્ય થવા ઇંતેજાર નથી; તે ફક્ત આમંત્રણ કરી લેખ એકઠા કરનાર અને વાંચનારાઓને પહોંચાડનાર છે; વિચારવિનોદના લાવલઈજા કરનારા છે. ઘણા તંત્રીઓ તો મહિનાના મહિના સુધી પોતાના માસિકમાં એક આંકડો પણ લખતા નથી.&lt;br /&gt;
માસિકોનું વલણ પ્રજાસત્તાક થવાથી નાના પ્રકારના લેખોને સ્થાન મળવા માંડ્યું છે. સાયન્સ અને હુન્નરઉદ્યોગના લેખો આદરપૂર્વક સ્વીકારવામાં આવે છે. શિષ્ઠ માસિકો પારસી બોલીમાં લખાયેલા સારા લેખો છાપતાં અચકાતા નથી એ સારી વાત છે.&lt;br /&gt;
કેટલાંક પારસી, મુસલમાન અને હિંદુ માસિકો વાંચકો વખત ગાળવા લે છે અને એમની અંદરનો માલ પણ એવા ગ્રાહકોને રૂચે તેવો જ હોય છે. નાતોનાં, પંથનાં અને સંસ્થાઓનાં માસિકો પણ ઘણાં નીકળે છે. નાતોનાં ઘણાંખરાં માસિક નિર્માલ્ય છે. બ્રહ્મક્ષત્રિય ત્રિમાસિક અમને એ બધામાં સારું લાગે છે. નાતોને લગતા સંસાર, અર્થ, આદિના પ્રશ્નો સબળતાથી અને વિદ્વત્તાથી એમાં ચર્ચાય છે. એ માસિકમાં આવતાં કેટલાંક લખાણો સમસ્ત ગુજરાતને વાંચવા જેવાં છે; પરંતુ તે જ્ઞાતિ સિવાય બીજાઓને અપાતું ન હોવાથી તેનો લાભ માત્ર તે જ્ઞાતિના વાચકો સિવાય બીજાઓને મળતો નથી. કાઠિયાવાડનું ત્રિમાસિક અને અમદાવાદનું નાગર, નાગર કોમનાં પત્રો છે. બ્રાહ્મણોને માટે, વૈશ્યોને માટે પણ માસિકો પ્રગટ થાય છે, પણ તેઓમાં જોઈએ તેવો દમ નથી. ક્ષત્રિયો માટે, રાજસ્થાન આદિ પ્રદેશોમાં માસિકો નીકળે છે તેવાં અહીં નથી નીકળતાં.&lt;br /&gt;
પંથોનાં માસિકોમાં વૈષ્ણવોનાં માસિકો ઘણાં નીકળે છે. શ્રેયઃસાધકો તરફથી મહાકાલ, પ્રાતઃકાલ, યમદંડ અને ધર્મધ્વજ પ્રગટ થાય છે. ભક્ત, યોગેંદ્ર, આદિ માસિકો એ મંડળ તરફથી નહીં પરંતુ એ મંડળના અનુયાયીઓ તરફથી કઢાય છે. થિયોસોફી, પ્રાર્થનાસમાજ, આર્યસમાજ, સનાતન ધર્મ મહામંડળ (જેનું આર્યધર્મ સુદ્ધાં વાજિંત્ર હતું) વગેરે વગેરેનાં વાજિંત્રો વિશે ઉલ્લેખ થઈ ગયો છે.&lt;br /&gt;
કેળવણીનાં ત્રણ માસિકો નીકળે છે. એક અંગ્રેજ સરકારનું, બીજું ગાયકવાડી રાજ્યનું અને ત્રીજું કડી પ્રાંત પંચાયતનું વાજિંત્ર છે. ગુજરાત શાળાપત્રમાં ઇતિહાસ, પ્રાકૃત, કાવ્યશાસ્ત્ર આદિને સારૂં સ્થાન અપાય છે. આ ત્રણેમાં તેજ કે ઉષ્મા નથી. પરંપરાથી ચાલ્યો આવતો ચીલો ચાલ્યો જાય છે. દેશને માટે સ્વતંત્ર કેળવણીના પ્રશ્ન ચર્ચાવતા માસિકની અતીવ આવશ્યકતા છે. ‘શિક્ષક‘ની પ્રગતિ ચાલુ રહેશે તો રસકસ વગરના થઈ પડેલા પોતાના કર્તવ્યક્ષેત્રમાં રસકસ પૂરવા તે કેટલેક અંશે શક્તિમાન થશે એવી આશા બંધાય છે.&lt;br /&gt;
વૈદકનાં બે-ત્રણ માસિકો નીકળે છે. શ્રેયઃસાધકો પણ એ વિષય પરત્વે ઘણું ધ્યાન આપે છે. ડૉ. જમનાદાસે આ માસિકમાં કેટલાક લેખ લખ્યા હતા, અને પોતે જે રોગોપચારની પદ્ધતિને અનુસરે છે તેને લોકપ્રિય કરવા સાપ્તાહિક— માસિકોમાં કલમ કસ્યા જાય છે.&lt;br /&gt;
મુંબઈમાં પારસીઓની પોતાની ઇસ્પિતાલ થઈ તે પ્રમાણે હિંદુઓની પોતાની ઇસ્પિતાલ કરવા ગયે વર્ષે લગભગ આઠ લાખ રૂપિયા કે તેથી વધારે ધર્માદા મળ્યા હતા.&lt;br /&gt;
વેપારીઓ, ધંધાદારીઓ, કારીગરો વગેરે માટે આપણે ત્યાં માસિકો નીકળતાં નથી. ઇંડિયન ટેક્ષ્ટાઈલ જર્નલ મિલઉદ્યોગના સંબંધમાં ઠીક નીકળે છે. બાકી પ્રો. ગજ્જરના રંગરસરહસ્ય જેવા માસિકની ખોટ હજુ પુરાઈ નથી. કલાભવનના શિક્ષકો તરફથી બે ત્રણ વાર એવું માસિક કાઢવા જાહેરખબરો પ્રસિદ્ધ કરવામાં આવેલી પણ માસિક નીકળેલાં નહીં. મુંબઈમાં હુન્નરસાગરની ઢબ ઉપર વિદ્યાકલાનિધિ નામનું માસિક ચલાવવામાં આવશે એવી જાહેરખબર જોવામાં આવી હતી, પણ માસિક નીકળ્યું જાણમાં નથી.&lt;br /&gt;
મુંબઈના દેશી વેપારીઓનાં મહાજન (Indian Merchants’ Chambers) તરફથી નવું માસિક નીકળવા માંડ્યું છે. એમાં આંકડાઓ અને માહિતી આપવામાં આવે છે; વેપારીઓને લગતા પ્રશ્નો ચર્ચવામાં નથી આવતા. આવી ચર્ચા કરવા આવી ગયેલા પ્રો. લીઝ સ્મિથનાં ભાષણોથી તેમ જ થોડા દિવસ ઉપર સ્થપાયેલા The Statistical Society of Western India નામના મંડળથી એ દિશામાં ઝલક આવવાની વકી છે.&lt;br /&gt;
ગપસપ જેવું વિનોદી પત્ર એક જ છે. હિંદીપંચના લેખોમાં સાહિત્ય દૃષ્ટિએ વિકાસ થતો જણાય છે. સ્ત્રીઓને માટે ફક્ત સુન્દરીસુબોધ અને સ્ત્રીબોધ સિવાય બીજાં પત્રો નથી. બાળકો માટે તો એકે પત્ર છે જ નહીં. પૂણામાં ખાસ બાળકો માટે જ નીકળતા ‘आनंद’ જેવા માસિકની ઘણી જ આવશ્યકતા છે.&lt;br /&gt;
ગયે વર્ષે નડિયાદમાં ગુજરાતી ભાષાના આધુનિક સ્વરૂપ વિશે રા. રા. કેશવ હર્ષદ ધ્રુવના પ્રમુખપદ નીચે ચર્ચા કરવામાં આવી હતી. એ ચર્ચા સમાલોચકમાં છપાઈ છે.&lt;br /&gt;
માસિકોમાં નવા યુવાન લેખકોનાં લખાણ વધતાં જાય છે અને તંત્રીઓ ઉદારતાથી તેમને સત્કારતા જાય છે એ આનંદની વાત છે. આપણું માસિક-સાહિત્ય ઘણું મહત્ત્વનું છે. એને લીધે ઘણા લેખકો જન્મી પોષાયા છે, એમને લીધે નવા વિચાર ફેલાયા છે — ફેલાવાય છે; જૂના સંરક્ષાય છે. માસિકોના તંત્રીઓના હાથમાં અમૂલ્ય પ્રસંગ અને તેમની સેવામાં ગુજરાતનું યૌવન આવી ઊભું રહે છે. દેશના અને જનસમાજના હિતને માટે એ પ્રસંગો વાપરવાની અને પોતાને સોંપાયેલા યૌવનને સુમાર્ગે ચઢાવી તેમની શક્તિનો દેશહિત અર્થે ઉપયોગ કરવાની જોખમદારી તેમને માથે છે. લખવાના કેફી વ્યસનથી યુવાન લેખકો ખુવાર થાય છે માટે તંત્રીઓએ પોતાના યુવાન લેખકોની વત્સલ ચિંતા રાખવી જોઈએ.&lt;br /&gt;
લિપિની ઝુંબેશ સારૂં વર્ષ ચાલી હતી. પહેલી સાહિત્ય પરિષદ ભરાયા પછી મુંબઈ સમાચારે ગુજરાતી લિપિનો પક્ષ લીધો હતો. એ પક્ષને રા. નરસિંહરાવે ગયે વર્ષે વધારે સબળ કરવા પ્રયત્ન કર્યો હતો. એમની દલીલો વાજબી છે અને સ્વીકારવા જેવી છે, પરંતુ દેશમૈયાના આરાધનમાં લિપિનો ત્યાગ કરવો એ મહત્વનું દુઃખ લાગતું નથી, એટલે નાગરી લિપિનું ભાગ્ય અમને તો ઊજળું લાગે છે. ગયા વર્ષમાં એ લિપિનો પગપેસારો વધતો ગયો છે. બેશક રા. નરસિંહરાવના લેખથી એને ખમવું તો પડશે જ.&lt;br /&gt;
વ્યાકરણ અને શબ્દશુદ્ધિ પરત્વે રા. નરસિંહરાવ ઘણાં વર્ષથી પોકાર ઉઠાવ્યા જાય છે. જોડણી માટે વર્ષો પર્યંત ચલાવેલી ઝપાઝપી સફળ નીવડતી લાગે છે. વ્યાકરણના પ્રશ્નોની એમની ચર્ચા વાસ્તવિક લાગતી હોવાથી એનું ભવિષ્ય પણ સારું જ આવશે. રા. કમળાશંકર આદિ સાથે થતા વિવાદ ઉપરાંત કેટલાક લેખોની ભાષા ઉપર એમણે વખતોવખત પ્રહાર કર્યા છે. પરંતુ એમના લક્ષમાં નીચેની બાબતો આવી હોય એમ લાગતું નથી. ભાષા પહેલી અને પછી વ્યાકરણ. બંધાતી ભાષા બીજી ભાષાઓનાં વ્યાકરણનાં બંધન સ્વીકારતી નથી. ગુજરાતી ભાષાનું વ્યાકરણ હજુ લખાયું નથી — સંસ્કૃત કે અંગ્રેજી વ્યાકરણની નજરે તો ઘણાં લખાયાં છે પરંતુ ગુજરાતી ભાષાના શબ્દ અને વાક્યપ્રયોગોના અભ્યાસ ઉપરથી ઉપજાવેલું વ્યાકરણ લખાયું નથી.&lt;br /&gt;
આવું વ્યાકરણ લખાયેલું ન હોવાથી દેશમાં વપરાતા અમુક પ્રયોગો પ્રતાપી લેખકને હાથે સંસ્કાર પામી સાહિત્યમાં દાખલ થાય તો તેમની સંસ્કૃત કે અંગ્રેજી વ્યાકરણના નિયમાનુસાર કસોટી કાઢવી એ વાજબી નથી લાગતું. રા. નરસિંહરાવે કાઠિયાવાડને ઘણો ગેરઇન્સાફ કર્યો છે. એમની બધી ચર્ચામાં એઓ નરસિંહ મહેતાની ભૂમિને તદ્દન વિસરી જ જાય છે.&lt;br /&gt;
હન્ટરના રચેલા ‘ગેઝેટીઅર’ની નવી આવૃત્તિ થઈ છે. તેના બીજા ગ્રંથમાં ગુજરાતી સાહિત્ય વિશે ડો. ગ્રીઅરસન લખે છે : &lt;br /&gt;
Gujarati has an old literature, dating from the fourteenth century which has been little explored. The oldest writers dealt with philology. The first poet was Narsingh Meheta (1413-79). He does not seem to have written any long work and his fame rests upon his short religious songs, many of which exhibit considerable grace. Among his followers we may mention Premanand Bhatt (flourished 1681) author of the ‘Narsingh Mehetanu Mameru’ Rewasanker(Translator of the Mahabharata), and Samal Bhatt. Gujrat has not yet produced a great poet approaching in excellence the mediaeval masters of Hindustan. Of more importance are its bardic chronicles already mentioned. Under English influence a number of works have issued from the press of late years, but these possess little originality, and are mostly translations.&lt;br /&gt;
આ વાંચી કોને હસવું નહીં આવે? એના ઉપર ટીકા કરવી નિરર્થક છે. ડો. ગ્રીઅરસને Linguistic Survey of India ની ગ્રંથમાળા પ્રગટ કરવા માંડી છે તેમાં ગુજરાતી ભાષા સંબંધી બે ગ્રંથો છે. એક ગ્રંથ છપાઈ ગયો છે. તેમાં ભીલી, ચારણી આદિ ગુજરાતની બોલીનો સંગ્રહ છે.&lt;br /&gt;
ગયે વર્ષે પ્રાચીન ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં કામ સારૂં થયું હતું. રા. છગનલાલ વિદ્યારામ રાવળે ‘સમાલોચક’, ‘ગુ. શાળાપત્ર’ અને ‘ગુજરાતી’માં સારી હકીકત લખી મોકલી હતી. એઓની શોધકવૃત્તિ ડગતી છે એટલે એમનાં અનુમાનો આગળ ઉપર નુકસાન કરનારાં થવાનો સંભવ છે. રા. કેશવલાલ પ્રેમચંદે જૈન રાસાઓની ફેરિસ્ત તૈયાર કરી ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભા મારફત પ્રગટ કરી છે. એ ઉપરાંત પારસીઓના જ્ઞાનવર્ધકમાં પારસીઓનાં પ્રાચીન ગુજરાતી સાહિત્ય વિશે ઉલ્લેખ થયો હતો.&lt;br /&gt;
ગયે વર્ષે માસિકોમાં सागर, રા. ચંદ્રશંકર પંડ્યા, રા. અતિસુખશંકર ત્રિવેદી, રા. મોહનલાલ દવે, રા. કાન્તિલાલ પંડ્યા, રા. નર્મદાશંકર પંડ્યા, રા. કૃષ્ણલાલ ઝવેરી, પ્રભૃતિ તરફથી સાહિત્યચર્ચા પણ સારી થઈ હતી. ‘ફુરસદ,’ ‘જ્ઞાનવર્ધક,’ ‘ગુજરાતી’ આદિ મુંબઈનાં પત્રોમાં ગ્રંથોની નોંધ નિયમિત રીતે લેવાય છે.&lt;br /&gt;
રા. કૃષ્ણરાવ દિવેટિયાએ હાલમાં ચાલતી કેટલીક પ્રવૃત્તિઓ ઉપહાસપાત્ર ઠરાવવા ‘વસન્ત’માં ‘ત્રિકાળદર્શન’ના મથાળા નીચે એક લેખ લખ્યો છે. એ લેખ ઉપરથી જણાય છે કે ત્રિકાળદર્શનના પૂરતા જ્ઞાનના અભાવે એ કોશિશ માત્ર હાસ્યજનક નીવડે એમાં નવાઈ નથી.&lt;br /&gt;
‘સ્ત્રીબોધ’ના સોનેરી આનંદોત્સવ પ્રસંગે અમદાવાદમાં પ્રો. ધ્રુવે ‘નારીપ્રતિષ્ઠાના ઐતિહાસિક દર્શન’ વિશે અને રા. રમણભાઈ મ. નીલકંઠે ‘સુધારાની પદ્ધતિઓ’ ઉપર ભાષણ આપ્યાં હતાં. પહેલું ભાષણ ‘વસન્ત’માં અને ‘છૂટું’ છપાયું છે. વખત થોડો મળેલો એટલે ભાષણ કરતી વખત ઘણી વાતો મૂકી દેવી પડી હતી; પણ પછીથી સમગ્ર ઐતિહાસિક દર્શન કરાવ્યું હોત તો વધારે સારું થાત. યજ્ઞમાં નારીપ્રતિષ્ઠાને કેવું સ્થાન હતું? સ્મૃતિકારોનું એ સંબધે શું કહેવું છે? પુરાણોમાં એની ભાવના કેવી છે? આદિ અનેક પ્રશ્નો છેડવામાં જ નથી આવ્યા.&lt;br /&gt;
રા. રમણભાઈનું ભાષણ આ માસિકમાં છપાયું હતું, એ વિષયના ઉપસંહાર જેવું છે.&lt;br /&gt;
મીરાંબાઈ કુંભાની રાણી નહોતી એવી વાત મેવાડના ઇતિહાસકાર શામળદાસે પ્રસિદ્ધ કર્યા પછી સમગ્ર હિંદમાં ધીમે ધીમે એ વાત કબૂલાતી જાય છે. રા. ભાનુસુખરામ નિર્ગુણરામે ગયે વર્ષે નવી શોધ વાસ્તવિક નથી એમ બતાવવા યત્ન કર્યો હતો. કવિ શામળદાસનો ઇતિહાસ મેવાડના નરેશને છપાવવો ઉચિત ન લાગવાથી અપ્રસિદ્ધ રહ્યો છે એમ સાંભળવામાં આવ્યું છે. એમના ઇતિહાસ ઉપરથી એમના એક શિષ્યે ‘મીરાંચરિત્ર’ હિંદીમાં લખ્યું છે અને તેના પરથી મીરાંબાઈ કુંભાની પટરાણી નહીં પરંતુ રાણા સંગની પુત્રવધૂ હતી એ વાદ ચાલ્યો છે. કવિ શામળદાસે જે કારણોસર પ્રચલિત આખ્યાયિકા ખોટી ઠરાવી છે તે બહાર આવ્યાં નથી એટલે એમની વિદ્વત્તાને ખાતર જ નવો મત સ્વીકારાયો છે. મીરાંના દંતકથાભર્યા જીવન પરથી કે એને નામે ગવાતાં હિંદી, ગુજરાતી, મરાઠી ગીતો ઉપરથી ખરી હકીકતનો નિર્ણય કરવાનું કામ મુશ્કેલ છે. કબીર, તુલસીદાસ વગેરેનાં પદો ઉપરથી પણ નિર્ણય પર આવી શકવાનો સંભવ થોડો છે, કારણ કે એમને નામે પણ અનેક પદો ગવાય છે. હિંદી સાહિત્યનો અને ભરતખંડના મધ્યકાલીન ધાર્મિક અને રાજકીય ઇતિહાસનો અભ્યાસ મીરાંનો જમાનો નક્કી કરવા આવશ્યક છે.&lt;br /&gt;
રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ સાયન્સના તત્ત્વચિંતનના ઉત્સાહી અભ્યાસી છે. કેટલાંક માસિકોમાં એમના એ સંબંધીના લેખો આવ્યા જાય છે. સરળ ભાષામાં સાયન્સની ગહન બાબતો તેઓ સમજાવે છે. સાયન્સમાં ચંચુપાત કર્યા વિના તેને જડવાદી કહી તે શબ્દથી ભડકનારાઓને રા. વિજયલાલના લેખો વાંચવા ભલામણ કરવી જોઈએ. સ્વદેશી હિલચાલને પ્રતાપે સાયન્સનું શિક્ષણ વધવાનું અને એ શિક્ષણના પ્રસારની સાથે આપણા જડ ઘાલી બેઠેલા વહેમો નિર્મૂળ કરવા સાયન્સના તત્ત્વચિંતનનો પણ પ્રસાર થવો જરૂરનો છે.&lt;br /&gt;
આજથી ઘણાં વર્ષ ઉપર ‘નવરાશ’ અને ‘ફુરસદ’ના તંત્રીએ અંગ્રેજી ઉપરથી એક ફારસ ગુજરાતીમાં લખેલો. ઉક્ત બીના જાણમાં ન હોવાથી ‘જ્ઞાનવર્ધક’ના એક ઊછરતા લેખકે, ફરી વાર એ ફારસ ગુજરાતીમાં ઉતાર્યો. આથી એ બે માસિકો વચ્ચે થયેલી ટપાટપીથી તેમના વાચકોને રમૂજ ઠીક આવી હશે.&lt;br /&gt;
આમ પારસી પત્રોમાં અંગ્રેજી લેખોના તરજુમા સ્વતંત્ર લેખ તરીકે છપાયે જાય છે તેમ આપણાં પત્રોમાં બંગાળી, મરાઠી, હિંદી કે અંગ્રેજીમાંથી થયેલાં ભાષાંતરો છપાય છે. જવલ્લે જ લેખકો તરફથી કબૂલવામાં આવે છે કે એમના લેખો ભાષાંતર છે. આવી જાતની ચોરીથી તંત્રીઓએ સાવધ રહેવાની જરૂર છે.&lt;br /&gt;
ધાર્મિક મંડળોનાં વાજિંત્રોમાં પણ આવું થાય તો બીજાને શો દોષ દેવો? ‘મહાકાળ’માં પ્રગટ થતી યોગિની નામની કથા Mata the Magician નામની અમેરિકન નવલકથા ઉપરથી સુધારાવધારા, ઘટાડા સાથે છપાય છે. વાચકોને ઉક્ત વાત જણાવેલી ન હોવાથી એ મંડળનો ઘણો ભાગ એ વાર્તાને સ્વતંત્ર કૃતિ ગણે છે અને એમાં વર્ણવેલી વાતો ખરી બનેલી હોય એવું માને છે.&lt;br /&gt;
છાપખાનાં વધતાં જાય છે તેમ તેમ પત્રોની સંખ્યા પણ વધતી જાય છે. ઘણાંખરાં પત્રોની કિંમત રૂ. સવા અને ‘ફર્મા’ ત્રણ કે ચાર બ્રહ્માને ત્યાંથી લખાઈ આવ્યા હોય તેમ લાગે છે! આ વધી પડેલો ઊકરડો ત્રાસરૂપ થઈ પડ્યો છે.&lt;br /&gt;
દક્ષિણમાં ઘણુંખરું સાપ્તાહિકોની કિંમત કરતાં માસિકોની કિંમત વધારે હોય છે, અને આપણાં માસિકો કરતાં તેમાં આવતાં લખાણો ઊંચા પ્રકારનાં અને વિવિધ વિષયોને લગતાં હોય છે.&lt;br /&gt;
દક્ષિણમાં તંત્રીઓ ઘણે ભાગે બ્રાહ્મણો છે, આપણે ત્યાં વૈશ્યો છે. બે વર્ષ ઉપર આપણા તંત્રીઓની સંખ્યાનું વર્ગીકરણ નીચે પ્રમાણે હતું : ૮ બ્રાહ્મણ, ૧ બ્રહ્મક્ષત્રી, ૧૭ પારસી, ૧૭ વાણિયા, ૨ લોહાણા, ૫ મુસલમાન, અને ૨ મરાઠા. આમાં પારસી, વાણિયા, લોહાણા અને મુસલમાન વૈશ્યનો ધંધો કરનારા હોવાથી ૪૧ વૈશ્ય તંત્રીઓ હતા એમ કહી શકાય. હમણાં શી સ્થિતિ છે તે જાણવા સાધન ઉપલબ્ધ નથી.&lt;br /&gt;
ગ્રંથપ્રસિદ્ધિનું નિરીક્ષણ કરતાં લોકસમૂહ માટે પ્રગટ થતા સાહિત્યનો ઉલ્લેખ કરીશું. અમદાવાદના સાહસિક ગ્રંથવિક્રેતા મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે અને વઢવાણ, મુંબઈના એવા જ ગ્રંથપ્રકાશકો નાના પ્રકારના વાર્તાઓના, ધર્મના, પુરાણોના, ભજનોના ગ્રંથો છપાવ્યે જાય છે. કોઈ મંડળ તરફથી એ લોકોએ પ્રગટ કરેલા સાહિત્યની દર વર્ષે સમાલોચના થવી ઘટે છે.&lt;br /&gt;
પાલીતાણાની જૈન ગ્રંથપ્રસારક મંડળી અને ભાવનગરની જૈન ધર્મ પ્રસારક મંડળી પણ એમના ધર્મનાં પુસ્તકો છપાવવાનું કામ સારા – વિશાળ પાયા ઉપર ચલાવ્યે જાય છે. ભિક્ષુ અખંડાનંદે સ્થાપેલા ‘સસ્તું સાહિત્યવર્ધક મંડળે’ ભગવદ્ગીતા, ભાગવત – એકાદશ સ્કંધ, એ બે પુસ્તકો બહાર પાડ્યાં છે, અને બીજા ગ્રંથો બહાર પાડનાર છે.&lt;br /&gt;
ઉદ્દામ પક્ષના લેખકો તરફથી ટિળક, પાલ, લજપતરાય, હૈદર રેઝા, અરવિન્દ ઘોષ પ્રભૃતિનાં ગ્રંથોનાં ભાષાંતર આ વર્ષમાં પ્રગટ થયાં હતાં. ‘ગુજરાતી’માં રાજ્યવિદ્યા વિશે લેખ આવે છે.&lt;br /&gt;
ગાયકવાડ સરકાર અને ગુ. વ. સોસાયટી તરફથી ઐતિહાસિક ગ્રંથોનાં અંગ્રેજીમાંથી ભાષાંતર કરાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં. પ્રોટેસ્ટંટ રાણી એલિઝાબેથનો સમય, એ વડોદરામાં અને મરાઠી સત્તાનો ઉદય, અને દક્ષિણનો પૂર્વ સમયનો ઇતિહાસ અમદાવાદમાં, અને પોરબંદરના ઇન્સ્પેક્ટરનો રચેલો શાળોપયોગી હિંદનો ઇતિહાસ ગઈ સાલ છપાયાં હતાં.&lt;br /&gt;
ઇતિહાસ ઉપર આપણે ત્યાં બિલકુલ લક્ષ નથી અપાતું એ ખરેખર મોટા ખેદની વાત છે. લોકોમાં બિલકુલ historic sense નથી. તેમ ઇતિહાસરૂપી પ્રમાણનું મહત્ત્વ ખબર ન હોવાથી ખોટા વિચારોમાં ગોથાં ખાય છે.&lt;br /&gt;
આ વર્ષે વલ્લભીના મૈત્રકોનાં શાસનો જડ્યાં હતાં. પાલીતાણામાંથી હાથ આવેલું શાસન Epigraphica Indicaમાં પ્રસિદ્ધ થયું છે. રાજકોટના ઉમંગી અને આગ્રહી પ્રાચીન વસ્તુશોધક રા. વલ્લભજી હરિદત્ત આચાર્યને પણ શાસન મળ્યાં છે. આપણા હાલના તંત્રીઓને આ પ્રદેશમાં રસ પડતો ન હોવાથી આવાં શાસનો અને સિક્કાઓની નોંધ કોણ લે?&lt;br /&gt;
‘મુદ્રારાક્ષસ’ના ગુજરાતી ભાષાંતરની નવી આવૃત્તિના ઉપોદ્ઘાતમાં જે ઐતિહાસિક ભાગ રા. રા. કેશવલાલ ધ્રુવે લખ્યો છે તે હિંદના ઇતિહાસના એક અંધકારગ્રસ્ત પ્રદેશ પર પ્રકાશનું કિરણ ફેંકે છે.&lt;br /&gt;
બંગાળી સાહિત્ય અને પ્રજાજીવનના મહાન આચાર્ય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પ્રાતઃસ્મરણીય નામથી ગુજરાતમાં કોઈક જ અજાણ્યું હશે. વિદેહ નારાયણ હેમચંદ્રે એની કેટલીક વાર્તાઓનાં ભાષાંતર કર્યાં હતાં. ત્યાર પછી બીજાઓએ પણ કર્યાં છે. એની રાજસિંહ નામની નવલકથાનું ભાષાંતર કરનાર રા. કૃષ્ણલાલ ઝવેરીએ બંકિમચંદ્રના કૃષ્ણચરિત્રનું ભાષાંતર આજથી ઘણાં વર્ષ ઉપર કર્યું હતું. પરંતુ ‘પ્રેસ’માં શ્રીકૃષ્ણની બંસરીએ જૈનોને પણ મુગ્ધ કરી દીધા એટલે ચરિત્રને છપાતાં ઘણો વખત લાગ્યો. ચરિત્રમાં શ્રીકૃષ્ણના જીવનમાં ભાગવત, ગીતગોવિંદ, આદિને લઈને જે કાળાશ જણાતી હતી તે બંકિમચંદ્રે દૂર કરી છે. મહાભારતમાં જે પ્રકારનું વ્યાસજીએ શ્રીકૃષ્ણનું ચરિત્ર કહ્યું છે તે જ રીતે આ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે. લેખક કહે છે :&lt;br /&gt;
‘કૃષ્ણ બધી જગાએ, બધે વખતે, બધા ગુણોના તેજથી પ્રકાશિત હતો. તે કોઈનાથી જિતાય તેવો ન હતો, કોઈનાથી જિતાયો ન હતો, વિશુદ્ધ પુણ્યમય, પ્રીતિમય, દયામય હતો; પોતાનાં કર્તવ્ય કરવામાં કદી પાછો પડતો ન હતો. ધર્માત્મા, વેદજ્ઞ, નીતિજ્ઞ, ધર્મજ્ઞ, લોકહિતૈષિ, ન્યાયી, ક્ષમાશીલ, ધિક્કારવૃત્તિ વિનાનો, શાસન કરનાર, ભોળો, અહંકાર વિનાનો, યોગી અને તપસ્વી હતો. પોતે માણસની શક્તિ વાપરી કામ કરતો હતો, છતાં તેનું ચરિત્ર ઈશ્વરી હતું. એવી રીતની માનુષી શક્તિ વડે જ અમાનુષી ચરિત્ર વિકાસ પામે. તેના ઉપરથી તેના મનુષ્યત્વ અથવા ઈશ્વરત્વ વિશે અનુમાન, તે માણસ હશે કે ઈશ્વર હશે તેનો વિચાર, વાચક પોતાની શક્તિ મુજબ કરી લેશે.’&lt;br /&gt;
‘યથાર્થ હિંદુ આદર્શ(Hindu Ideal) તે તો શ્રીકૃષ્ણ જ, મનુષ્યત્વનું ખરેખરું આદર્શ સ્થાન તો તે જ.’&lt;br /&gt;
‘કૃષ્ણ તો સંસારી, ગૃહસ્થાશ્રમી, રાજનીતિનો જાણનારો, લડવૈયો, દંડપ્રણેતા, તપસ્વી અને ધર્મપ્રચારક હતો. સંસારીનો, ગૃહસ્થાશ્રમીનો, રાજાઓનો, યોદ્ધાઓનો, રાજપુરુષોનો, તપસ્વીઓનો, ધર્મવેત્તાઓનો, ટૂંકામાં કહીએ તો મનુષ્ય આખાના સઘળા અંગનો આદર્શરૂપ હતો.&lt;br /&gt;
લેખક પોતે કૃષ્ણને ઈશ્વર તરીકે માને છે છતાં આ ગ્રંથમાં તેનું મનુષ્યત્વ જ આલેખ્યું છે, અને હિંદુ પ્રજાએ પોતાનો પ્રજાકીય આદર્શ કેવો ઉન્નત મેળવ્યો હતો તે બહુ સારું બતાવ્યું છે.&lt;br /&gt;
રા. બ. ચિંતામણ વૈદ્યે પોતાના Epic India (મહાભારત અને રામાયણના સમયનું હિંદુસ્તાન)માં પણ શ્રીકૃષ્ણનું ચરિત્ર નિષ્કલંક અને ઉત્કૃષ્ટ હતું એમ જણાવ્યું છે.&lt;br /&gt;
મૂળ ગ્રંથોનો અભ્યાસ ઘટવાથી નાના પ્રકારના અનર્થો થાય છે. શ્રીકૃષ્ણના ઉક્ત ઉત્તમ ચારિત્ર્યને સ્થાને લંપટતા, કપટીપણું, ક્રૂરતા, નીચતા, અસત્યવાદીતા, ઘાતકતા આદિથી ભરેલું કલુષિત ચારિત્ર્ય જનસમાજમાં પ્રચાર પામ્યું છે. આવા ગ્રંથોને લીધે એ આદર્શણીય ચરિત્ર જોવાની ઉત્સુકતા વધશે એવી આશા છે. મહાભારતના બનાવો અને પાત્રોનો આવો કેટલો બધો વિનિપાત પુરાણો અને આપણા માણભટોએ કર્યો છે? મૂળ ગ્રંથો વાંચવાની ટેવ ન હોવાથી આ રસ્તે જે જણાતું તે મનાતું. પરંતુ હવે તો ગ્રંથો છપાયા છે અને સંસ્કૃતનું જ્ઞાન વધતું જાય છે. તે વખતે વેદ, શાસ્ત્ર, સ્મૃતિ આદિ ગ્રંથોનાં ખોટાં અપાતાં પ્રમાણો જાતે જોયા વિના ન માનવા દરેક જણે તત્પર રહેવું જોઈએ. જો આમ મૂળ ગ્રંથો જોવાની અને બંકિમચંદ્ર તથા રા. ચિંતામણ વૈદ્યે મહાભારત નિરીક્ષ્યું છે તે રીતે એ ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવશે તો ગુજરાતમાં ચાલતી ગપો, વિતંડા નિર્મૂળ થશે. લોકોને ચેતનભર અને સજીવન કરે એવા આદર્શો મળશે. &lt;br /&gt;
શ્રીમન્નથુરામ શર્માના શિષ્ય અને ‘મહિમ્ન’નું ભાષાંતર કરનાર રા. વિશ્વનાથ સદારામ પાઠકે નચિકેતાનું આખ્યાન નવલકથારૂપે લખી પ્રગટ કર્યું હતું.&lt;br /&gt;
અમદાવાદના ‘સસ્તા સાહિત્ય પ્રકાશક મંડળે’ અંગ્રેજીમાંથી મૈત્રેયીના નવલકથારૂપે લખાયેલાં જીવનચરિત્રનો તરજુમો પ્રગટ કર્યો છે.&lt;br /&gt;
અભયકુમાર મંત્રીનું જીવનચરિત્ર-એ જૈન ગ્રંથ છે. સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ગયે વર્ષે અર્ધું ભાષાંતર બહાર પડ્યું હતું.&lt;br /&gt;
હિંદની બીજી ભાષામાં લખાયેલાં ગેરિબાલ્ડી અને મેટ્ઝિનીનાં ચરિત્રો ગુજરાતી ભાષામાં અનુવાદિત થયાં હતાં.&lt;br /&gt;
‘સ્ત્રીબોધ’માં અંકે અંકે રા. જીવનજી જમશેદજી મોદી ‘શાહનામાની સુંદરીઓ’ નામના લેખ લખતા હતા તે સમગ્ર સ્વરૂપમાં પ્રગટ થયો હતો.&lt;br /&gt;
પ્રો. બ. ક. ઠાકોરે મહાભારતમાં આવતાં સુન્દરી પાત્રોનાં જીવન વ્યાસજીની જ વાણીમાં ગુજરાતને રોશન કરવા માંડ્યાં છે. સતીઓનાં ચરિત્રો પુરાણો ઉપરથી અને રાજસ્થાન ઉપરથી અનેક લખાયાં છે. પરંતુ પ્રો. ઠાકોરની યોજના તે ગ્રંથોથી તદ્દન નિરાળી છે. મહાભારતમાં છૂટા છૂટા પ્રસંગે આલેખાયેલાં સ્ત્રીજીવન એકત્ર મૂર્તિમન્ત કરવા અને એમના જીવનમાં ઓતપ્રોત રહેલા આદર્શો આજની પ્રજાને આપવા એવો એમનો ઉદ્દેશ જણાય છે. શકુન્તલા, કુન્તી અને સાવિત્રી એ ત્રણ સન્નારીઓનાં જીવન એમણે અત્યાર સુધીમાં પ્રગટ કર્યાં છે.&lt;br /&gt;
આ સર્વે ગ્રંથોમાં – નાના પ્રકારનાં સતીમંડળોમાં મિસિસ જેમીસનની પ્રતિભા, પ્રસાદ, કલ્પના કે બાની તો નથી જ.&lt;br /&gt;
ફ્લોરેન્સ નાઈટીંગેલનું ચરિત્ર, ગુ. વ. સોસાયટી માટે સૌ. શારદા મહેતાએ લખ્યું હતું. સેવાસદન જેવી સંસ્થાની ઉપયોગિતા વધતી જશે અને નૈષ્ઠિક કે ગૃહસ્થ સેવિકાની સંખ્યા વધશે તથા તેમનાં કામની કદર થશે તેમ તેમ આ પરોપકારિણી સાધ્વી સ્ત્રીનું ચરિત્ર વિશેષ વંચાશે.&lt;br /&gt;
રા. લલ્લુભાઈ શામળદાસની પુત્રી સૌ. સુમતીએ પાશ્ચાત્ય સદ્ગુણી સ્ત્રીઓનાં ચરિત્રનું અંગ્રેજી ઉપરથી ભાષાંતર કર્યું હતું. તેમ જ ‘ગીતાર્થસાર’ નામનો લઘુ ગ્રંથ પ્રગટ કર્યો છે. ‘આનંદ’માં એમનું કરેલું એક ભાષાંતર છપાય છે.&lt;br /&gt;
‘બાળવિનોદ’, ‘શિશુસદ્બોધ’ આદિ ગ્રંથો બાળકોને માટે લખાયા છે. મુંબઈના રા. જગન્નાથ રાવળે ‘આનન્દમાલા’ ના બે ભાગ પ્રગટ કર્યા છે. રા. મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેએ પણ ગોંડલના રા. નાગરદાસ ધ્રુવના બાળકોને માટે લખેલા ગ્રંથો પ્રગટ કર્યા છે. બાળકોને માટે ગ્રંથોની ઘણી જ જરૂર છે. તે ગ્રંથો સારી છપાઈના અને સચિત્ર હોય તો સારું. મિ. સ્ટેડની Books for the Bairns અને Plays for Children નામની ગ્રંથાવલિઓ જેવાં,- મિ. એન્ડ્રુ લેઙ્ગ સંપાદિત પરેશાની કથામાળા(Fairy Tales) કે ઇંગ્લૅંડના જુદા જુદા ગ્રંથ પ્રકાશક મંડળના બાળકાવ્યોના ગ્રંથો જેવા ગ્રંથો આપણે ત્યાં રચાવાની ખાસ જરૂર છે. બાળકોને માટે મહારાષ્ટ્ર, બંગાળ વગેરે પ્રાંતોમાં માસિક નીકળે છે પરંતુ આપણે ત્યાં કાંઈ જ નથી. ‘સુન્દરીસુબોધ’ પ્રવર્તક મંડળનું પણ બાળસાહિત્ય પ્રત્યે દુર્લક્ષ છે. માતા, ભગિની, પુત્રી, શિક્ષક, રાજ્યકર્તી, ઉપદેશિકા, પંડિતા, સેવિકા આદિ સ્ત્રીજીવનનાં સ્વરૂપો કરતાં સ્ત્રીનું એકતાનાત્મક દાંપત્યજીવન આલેખવું એ એ માસિકને બહુ રૂચે છે.&lt;br /&gt;
વડોદરા સરકારે ‘દેશી રમતો’નો ગ્રંથ છપાવ્યો (તેમાં પણ છોકરીઓની રમતો નથી. ‘મરાઠી ખેલાંચેં પુસ્તક’માં છોકરા-છોકરીની રમતો છે.) ત્યાર પછી એ રમતોને શિક્ષણનો વિષય બનાવવા – એમાં રહી ગઈ હોય એવી રમતો મેળવવા કે પરદેશી રમતો આપણે ત્યાં દાખલ કરવા બિલકુલ પ્રયત્નો નથી થયા. ઇંગ્લિશ અભ્યાસક્રમોમાં organised games ને સ્થાન હોય છે તે આપણા શિક્ષકોને અને ‘ટ્રેઈનિંગ કૉલેજ’ના અધ્યાપકોને વિદિત હોવું જ જોઈએ.&lt;br /&gt;
બાળશિક્ષણમાં સંગીત પ્રવેશ પામતું જાય છે એ આનંદની વાત છે. બાળકાવ્યો સારાં લખાવાની ઘણી અગત્ય છે. નવલરામની ગરબાવળી અને રા. બાપાલાલની ગરબાવળી બાદ કરતાં ગરબાવળી અને ગીતોનાં જે પુસ્તકો અવારનવાર પ્રગટ થાય છે તેની અંદરની કવિતા કરતાં તો સ્ત્રીઓનાં જોડકણાં વધારે સારાં હોય છે.&lt;br /&gt;
અત્યાર સુધી જે ગ્રંથો બાળકોને માટે લખાયા છે તે તેમનો જુસ્સો પ્રફુલ્લ કરે એવા નથી.&lt;br /&gt;
બાળજીવનમાં કથા, સંગીત, નાટક અને રમતનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો બાળશિક્ષણ તેજસ્વી બનવાનો સંભવ છે. કીંડરગાર્ટન દાખલ થયું છે પણ તે સંબંધીનું સાહિત્ય (literature) તદ્દન નિઃસત્ત્વ સંસ્કારહીન છે તેમ તેનો ઉદ્દેશ યથાર્થ પળાતો પણ નથી.&lt;br /&gt;
છતાં પણ માધવલાલ હરિલાલ દેસાઈએ બાળશિક્ષણ માટે જે ઉત્સાહ કેળવણી ખાતામાં પ્રગટાવ્યો હતો તે મંદ નથી પડ્યો. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેઇનિંગ કૉલેજના શિક્ષક રા. રા. ગંગાશંકર વૈષ્ણવે બાળસ્વભાવ સંક્ષેપમાં પણ સરળતાથી સમજાવવા લખેલા ગ્રંથની બીજી આવૃત્તિ થઈ છે. આ ગ્રંથ શિક્ષકને તેમ જ માબાપ ઉભયને ઉપયોગી છે. યુરોપ અમેરિકામાં આ વિષય ઉપર પુષ્કળ લક્ષ અપાય છે અને ત્યાં બાળસ્વભાવનો સૂક્ષ્મ અને અવિરત અભ્યાસ કરવાની પ્રયોગશાળાઓ પણ હોય છે. તેમ જ એ વિષયનું સાહિત્ય પણ બહોળું છે. આવા ગ્રંથના પ્રચાર અને સત્કાર વધતાં બાળકેળવણીનું સ્વરૂપ પલટાઈ સારું થવાનો સંભવ છે.&lt;br /&gt;
પરચૂરણ ગ્રંથોમાં વહેમખંડન, પુત્રધર્મ, ધાત્રીશિક્ષા, ખેતીવાડીનાં મંડળો વગેરે વગેરેની પ્રસિદ્ધિ થઈ હતી. ધાત્રીશિક્ષા વૈદ્યકલ્પતરુના તંત્રીની કૃતિ છે. ખેતીવાડીનાં મંડળનું પુસ્તક ઘણું ઉપયોગી છે. એ વિષય લોકપ્રિય કરવાની ફરજ આપણા પત્રકારોની છે. સીનોરથી નીકળતા અને ઝળક દાખવતા ‘પટેલ બન્ધુ’ નામના માસિકમાં એ ગ્રંથના કર્તા રા. છોટાલાલ બાબરભાઈ પટેલ એ જ વિષય ચર્ચે છે અને એ દ્વારા પોતાના વર્ગમાં એ બાબતનું જ્ઞાન ફેલાવવા આવશ્યક પ્રવૃત્તિ આરંભી છે. સરળ ભાષામાં અને ખેડૂતોથી સમજાય એવી રીતે એ વિષયની ચર્ચા અનેક રીતે થયા કરે તો અન્તે લાભ છે.&lt;br /&gt;
શ્રેયઃસાધકો વર્ષમાં બે વખત સાધન સમારંભ કરે છે. એ સમારંભ વખતે થયેલાં ભાષણો, કીર્તનો વગેરેનો સંગ્રહ છપાય છે. ગયે વર્ષે સદુપદેશ શ્રેણી(ઉક્ત સંગ્રહનું નામ છે)ના ૧૯ અને ૨૦મા ભાગો પ્રકટ થયા હતા. પ્રો. કણીઆએ કરેલાં શંકાનાં સમાધાન એ પંથની વિચારાચાર શ્રેણીનું દર્શન કરાવે છે. આ ઉપરાંત એમના ‘નિદ્રાનિરૂપણ’ તથા ‘રાગ એટલે પ્રેમ, એ વિરાગનું રહસ્ય છે’ એ બે ભાષણો એ સંગ્રહમાં છે. નિદ્રાનિરૂપણનો વિષય વૈજ્ઞાનિક છે – સર્વને તે વાંચવા જેવો છે. રા. નર્મદાશંકર દેવશંકરનો ‘વેદાંત નિબંધમાલા’ નો લેખ છે. રા. છોટાલાલ જીવનલાલનો ‘વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો જય શ્વસનક્રિયાથી થઈ શકે,’ એવું પ્રતિપાદન કરતો અપૂર્ણ લેખ એ સંગ્રહમાં છે. ૧૯મા અંકમાં રા. કૌશિકરામનો આર્યલગ્ન વિશે લેખ છે. હાલની લગ્નક્રિયાથી એમનો અત્મા કંપી ઊઠે છે. પ્રાચીન લગ્નની ક્રિયા અને ભાવના કેવાં હતાં તેનું નિરૂપણ એમનાં લેખમાં છે. લેખ સારો છે. શ્રેયઃસાધકો આવા વિચારોના આંદોલનથી જ કર્તવ્યસમાપ્તિ થયેલી માને છે કે પ્રાચીન આર્યલગ્નની ભાવના ઉત્તમ હોય તો તેઓ તે પ્રમાણે વ્યવહરવા પ્રવૃત્ત થાય છે?&lt;br /&gt;
આ લેખમાં ભાષણકારે કેટલીક પાશ્ચાત્ય વાતો પર સમજ્યા વિના આક્ષેપ કર્યા છે. ટૉલ્સ્ટૉયે લગ્ન ઉપર જે પ્રહારો કર્યા છે અને જે નિર્ણય આપ્યો છે. તેનો ઉપલક અભ્યાસી તેમ જ પ્લેટૉનિક સ્નેહ વિશે એકાદ અંગ્રેજી કોષમાં આપેલી વ્યાખ્યા જોનાર જણથી રા. કૌશિકરામના એ બેના સંબંધમાં કાઢેલા ઉદ્ગારોથી હર્યા વિના રહેવાશે નહિ. શ્રેયઃસાધકો તો એમની વાણી વેદવાણી તુલ્ય લેખતા હોય તેમ જ એમણે ઉલ્લેખેલી બીનાઓથી અજાણ હોય એટલે એમની સમક્ષ આવી નિરર્થક demagogic (લોકોની હલકી વૃત્તિ તૃપ્ત કરતી) વાણી ઉચ્ચારાય તો તે વિષે શંકાશીલ ન થાય એ સ્વાભાવિક છે. જેવી ભૂલ પાશ્ચાત્યો આપણી સંસ્થા, વિચારણા આદિ સમજતાં કે સમજાવતાં કરે છે તેવી ભૂલ તેમના સંબંધમાં જાણીજોઈને આપણે શા માટે કરવી?&lt;br /&gt;
પુરુષોએ પણ સ્ત્રીની પેઠે પ્રેમ અવ્યભિચરિત રાખવો એવું સબળતાથી કહેવામાં આવ્યું છે. સ્ત્રીપુરુષ ઉભયને માટે એકલગ્ન(monogamy) જ શ્રેયસ્કર છે. પુરુવિવાહ(Polygamy) ત્યાજ્ય છે. શ્રેયઃસાધકોની સંસારઘટનામાં આ સિદ્ધાંતો સ્વીકારાયા છે કે સ્વીકારાવાનો સંભવ છે?&lt;br /&gt;
જપતપથી નહીં પણ હાલમાં આપણા દેશમાં ઊઠતા પ્રજાકીય ને સાંસારિક મહાપ્રશ્નો સરળતાથી નિરૂપી વ્યવહારમાં આણવા પ્રવૃત્ત થાય તો જ શ્રેયઃસાધક સંપ્રદાયની ઉપયોગિતા હશે તેનાથી અધિકતર વધવાનો સંભવ છે. રા. કૌશિકરામ અને પ્રો. કણીયાના લેખો શ્રેયઃસાધકના તર્કશાસ્ત્રના(logic) ગુણદોષના અચ્છા નમૂના છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પ્રણીત ‘દયારામનો અક્ષરદેહ’ એ કવિની કવિતાનું રહસ્ય પ્રગટાવતો ગ્રંથ છે. ગો. મા. ત્રિ. ની વિદ્વત્તાની છેલ્લી પ્રસાદી છે. Inductive appreciationનો ઉત્તમ નમૂનો છે. દરેક પ્રાચીન કવિનો આવી રીતે અભ્યાસ થાય તો જ તેમની કવિતા ખરી કિંમતે અંકાય. ગોવર્ધનરામને દરેક વસ્તુમાં સંદૃંશ જણાતો, તે સ્ફૂટ કરવામાં એમને અતિશય આનંદ પડતો. વલ્લભ સંપ્રદાયના સિદ્ધાન્તો દયારામની કવિતામાં કેવી રીતે વ્યાપ્યા છે, અને એની દરેકે દરેક ગરબીમાં સંપ્રદાયના સિદ્ધાન્ત નિરૂપક કાવ્યોમાં એ વ્યાપ્તિને લીધે શા શા અર્થ નીકળે છે તે સારી રીતે સમજાવ્યું છે. યોગ અને વેદાન્તની કુમક મેળવી દયારામની ભક્તિ સ્ફૂટ કરી છે. જે પ્રણાલિકા દ્વારા દયારામે ભક્તિરસ વહેવડાવ્યો છે તે પ્રણાલિકામાં રહેલા દોષોનું પણ સંક્ષિપ્ત – અતિ સંક્ષિપ્ત સૂચન છે.&lt;br /&gt;
રા. ગંગાશંકર વૈષ્ણવે ‘પદાર્થવિજ્ઞાનનાં મૂળતત્ત્વ, વ્યાખ્યાન ૧લું‘ સોસાયટી સારુ લખી આપ્યું હતું. આશા છે કે ધીમે ધીમે સોસાયટી એમની પાસે પદાર્થવિજ્ઞાનમાં સમાયેલા દરેકે દરેક વિષયોની સરળ, સપ્રયોગ અને સચિત્ર મીમાંસા કરાવશે.&lt;br /&gt;
રા. રતનજી શેઠના એકલે હાથે અને સખીદિલના સાહિત્યપ્રિય પારસી શ્રીમંતોની મદદથી ‘જ્ઞાનચક્ર‘(Encyclopedia) નામનો મોટો કોષ પ્રગટ કર્યા જાય છે. ગયે વર્ષે એ કોષનો સાતમો ગ્રંથ એમણે બહાર પાડ્યો છે. રા. રતનજી શેઠના કાવ્ય, નાટક, વાર્તા આદિના પ્રદેશમાં પણ પોતાની કલમ ઘુમાવે છે.&lt;br /&gt;
નાટક કંપનીઓ નવી નવી ઊભી થાય છે–લુપ્ત પણ થાય છે, પરન્તુ તેમનો ઇતિહાસ નોંધી રાખનાર એકે પત્ર કે સંસ્થા નથી. નાટક કંપનીવાળાઓએ મળી એક સંસ્થા કાઢવી. દરેક કંપનીએ એ સંસ્થાના સભાસદ થવું. એ સંસ્થાના ગ્રંથાલયમાં દરેક કંપનીના ખેલોની છપાયેલી ચોપડીઓ રહે. એ સંસ્થા તરફથી એક માસિક પ્રગટ કરવું. તેમાં અભિનય, સંગીત, સીનરી, વગેરેની ચર્ચા, સારા ખેલાડીની પ્રશંસા, નાટકોનાં અવલોકન, નાટ્યકળા અને તેના વિધાયકો ઉત્તમ શી રીતે થાય તેની મીમાંસા વગેરેને સ્થાન આપવું. આ સંસ્થા નાટક કંપનીઓ વચ્ચે ઊઠતી તકરારોની લવાદી પણ કરે અને એ રીતે એખલાસ રાખી પ્રજાના જાહેર વિનોદ રસિક અને સાત્ત્વિક કરવા તત્પર રહે.&lt;br /&gt;
ગયા વર્ષનાં નાટકોમાં કાઠિયાવાડી નાટક મંડળીનો ‘દેવકન્યા’ નો ખેલ સારો છે.&lt;br /&gt;
પારસી ખેલાડી ‘કાઉખટાઉ’ ની રંગભૂમિ ઉપરની કારકિર્દી ૨૫ વર્ષની થઈ એટલે તે નિમિત્ત તેની રૂપેરી ‘જ્યુબિલી’ ઊજવાઈ હતી. પારસીઓ અને બંગાળીઓમાં પોતાની કોમનાં આગળ પડતાં માણસો માટે અભિમાન હોય છે; આશાનું ઉજમાળું ચિહ્ન કોઈમાં જણાય તો તરત તેને ઉત્તેજન મળવાનું. આપણે ત્યાં એવાં ઉત્તેજન, કદરની ખામી જ છે. હૃદયની ઉદારતા અને મનની મોટાઈ ઓછાં છે.&lt;br /&gt;
રા. રા. મેહરજીભાઈ રતુરા પ્રણિત વાનપ્રસ્થ નાટકમાં વિષય થિયોસોફી– Theosophy અને ઑકલટિઝમ્ – Occultism છે – અને ભાષા પારસીશાઈ ઝડઝમકથી ભરેલી છે. શ્રીમતી ધનદાગૌરીનું રચેલું ‘શાંતિશિયળ નાટક’ એક સન્નારીની કૃતિ છે.&lt;br /&gt;
રા. રા. કેશવ હર્ષદ ધ્રુવે ‘મુદ્રારાક્ષસ’ના ભાષાંતરની બીજી આવૃત્તિ દેવનાગરી લિપિમાં પ્રગટ કરી છે. ભાષાંતર સરળ અને રસિક તથા પ્રસાદી છે. વિશાખદત્તની બાની કરતાં ભાષાંતરકારની બાની વિશેષ હૃદયસ્પર્શી છે. પરન્તુ આ આવૃત્તિનો ઉપોદ્ઘાત સૌથી મહત્ત્વનો ભાગ છે. રચાયું ત્યારની રાજકીય સ્થિતિ અને કાવ્ય, દર્શન, વ્યાકરણ વગેરે પ્રદેશમાં થતી પ્રવૃત્તિ એમાં આલેખાયાં છે. નાટકના બંધારણમાં કાલિદાસ પછી શા શા ફેરફારો થયા અને મુદ્રારાક્ષસનું બંધારણ કેવું છે તે; નાટક ઉપરથી તેનાં પાત્રોની ઐતિહાસિક હકીકત બીજેથી મેળવી વર્ણવી છે તે; વગેરે વગેરે અનેક ઉપયોગી બાબતો એ ઉપોદ્ઘાતમાં ભરેલી છે.&lt;br /&gt;
એમની ભાષા ઉપર સંસ્કૃત ગદ્યભાષાની સબળ અસર છે. પરન્તુ સમાસ અને શ્લેષનો ત્યાગ કર્યો છે એટલે જ એ અસર દીપી નીકળે છે.&lt;br /&gt;
એમના જેવા સમર્થ વિદ્વાનને હાથે લખાયેલા ઉપોદ્ઘાતના ઐતિહાસિક ભાગની ભાષા પોચી લાગે છે તે જોતાં આપણને એમ થાય છે કે ઇતિહાસ લખવાની ભાષા ગુજરાતમાં હજુ જન્મવાની છે.&lt;br /&gt;
વાર્તાઓ વાંચવાનો શોખ જબરો જાગ્યો છે. લગભગ બધાં ક્રમિક પત્રો વાર્તાઓ છાપે છે. કેટલાંક ખાસ વાર્તાઓનાં માસિકો નીકળે છે. પારસીઓમાં તો વિશેષ અંગ્રેજી, બંગાળી, મરાઠી અને હિંદી કે ઉર્દૂ ભાષામાંથી કરેલાં ભાષાંતરોથી શોખ સંતોષાય છે. કેટલીક વખત બે ત્રણ વાતોનો ખીચડો કરી નવી વાત ઊભી કરાય છે, અને ભાષાંતર કે અનુવાદ (adaptation) કર્યું હોય તે છતાં તે ન કબૂલવાની ગુજરાતના લેખકોને કુટેવ પડી ગયેલી હોવાથી એ બધી વાર્તાઓ સ્વતંત્ર કૃતિઓ જ લેખાય.&lt;br /&gt;
વાર્તાઓ બે પ્રકારની લખાય છે : (૧) અવકાશનો સમય ગાળવા તથા નવરાઓનો ક્ષુદ્ર જિજ્ઞાસારસ દ્રવાવા અદ્ભુત રસનો બહોળો ઉપયોગ જેમાં કરાયો હોય એવી વાર્તાઓ. આવી વાર્તાઓ અનેક બહાર પડે છે; (૨) ઉદ્દેશપુરઃસર લખાઈ હોય તે. સંસારના, ધર્મના કે ઇતિહાસના પ્રશ્નો ચર્ચવા નવલકથાનું સાહિત્ય સબળ સાધન હોવાથી એ રીતે એનો ઉપયોગ થાય છે.&lt;br /&gt;
બે મુદ્રિકા, ગુપ્તગુપ્તા, ગૃહલક્ષ્મી એ ડી. લક્ષ્મીદાસની કંપનીની પ્રસિદ્ધિ હતી. ‘ગુજરાતી’એ ‘પેશ્વાની પડતીનો પ્રસ્તાવ’ નામની કથા લાલન વેરાગણના નામથી પ્રખ્યાત થયેલી વાર્તાનો ફરીથી તરજુમો કરી ગ્રાહકોમાં વહેંચી હતી.&lt;br /&gt;
ઇલ્મે રૂહાની વિદ્યાનો પ્રભાવ દાખવતી ‘રશીદા’ નામની સચિત્ર વાર્તા રા. હાજીમહમદ અલારખીઆ શિવજીએ પ્રગટ કરી હતી. રા. હાજીમહમદ ગુજરાતી સાહિત્યના અદ્વિતીય મુસલમાન સેવક છે. કાવ્ય, વાર્તા, ધર્મ વગેરે વિષયોથી આપણું સાહિત્ય અલંકૃત કરે છે. એમના ગ્રંથોની છપાઈ, બાંધણી વગેરે એમની રસિકતા કેટલી ઊંચી છે તેનો ખ્યાલ આપે છે. રશીદાનાં ચિત્રો દક્ષિણી ચિત્રકાર રા. ધુરંધર પાસે ચીતરાવ્યાં છે. સચિત્ર વાર્તાઓ ગુજરાતી ભાષામાં કેવી સરસ રીતે પ્રગટ થઈ શકે તે રા. હાજીમહમદે બતાવ્યું છે.&lt;br /&gt;
રશીદાના દીબાચામાં રા. રતનજી ફરામજી શેઠનાએ ઇલ્મે રૂહાનીના પોતાને થયેલા અનુભવોનું બયાન કરેલું છે. એ વાર્તા અનેક રીતે આકર્ષણીય છે.&lt;br /&gt;
રા. હાજીમહમદ યુરોપ અમેરિકામાં વહાલા થઈ પડેલા ફારસી શાયર ઉમ્મર ખય્યમની કવિતાનું ભાષાંતર થોડાક વખતમાં પ્રગટ કરનાર છે.&lt;br /&gt;
અમદાવાદના ‘ગુજરાતી પંચ’ની બે ભેટવાર્તા ગયે વર્ષે બન્ધુસમાજના બે સભાસદે લખી આપી હતી. ‘ઉષાકાન્ત’ અને ‘પદ્મનાભ’નું સવિસ્તર અવલોકન બીજે લખવા વિચાર હોવાથી અત્રે આટલું સંક્ષિપ્ત ઉલ્લેખન બસ થશે.&lt;br /&gt;
‘સમાલોચક’માં શેઠ પુ. વી. માવજીએ ‘સંધ્યા’ નામની મરાઠા ઇતિહાસને લગતી કથા લખી હતી.&lt;br /&gt;
હવે ગયા વર્ષના કાવ્યસાહિત્ય તરફ નજર કરીએ. રા. કહાન ચકુ ગાંધી કૃત ‘શ્રીકૃષ્ણચરિત્ર’નું વૃત્તબંધ, રા. પાર્વતીપ્રસાદ કૃત ‘સુદામાચરિત્ર’નું વૃત્તબંધ, સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલું ‘શિશુપાળવધ’નું ભાષાંતર, મઢડાકર નાગરકૃત ‘સુશીલ યમુના’, રા. હરજીવન ત્રિપાઠી કૃત ‘વૈરાગ્યશતક અને બ્રહ્મજ્ઞાન’નું હિંદીમાંથી ભાષાંતર, નરમણિ કૃત ‘ભાનુપ્રકાશ’, રા. ભાઈશંકર કુબેરજીનાં ‘હૃદયરંગો’, નનામું પ્રગટ થયેલું ‘વીરસૂ’ નામનું કાવ્ય, અને રા. મગનભાઈ પટેલ કૃત ‘ક્ષાત્રપાળ પ્રતાપ’, રા. અરદેસર ખબરદારની ‘પ્રકાશિકા,’ રા. નાનાલાલ કવિનાં ‘કેટલાંક કાવ્યોનો ભાગ ૨જો’, રા. મૂળજી દુર્લભજી વેદની સેવાસદન માટે લખેલી ‘જાગૃતિમાળા’ વગેરે વગેરે ગયે વર્ષે મુદ્રાયન્ત્રોમાંથી પ્રસિદ્ધ થયાં હતાં.&lt;br /&gt;
આ ઉપરાંત માસિકોમાં રા. નરસિંહરાવ, સાગર, લલિત, સુમન્ત, કુંજ, સ્નેહજ્યોતિ, નૂતનશ્રી, વિશ્વ, દીવાનો, નાજુક, રા. મોહનલાલ પાર્વતીશંકર, રા. કરીમમહમ્મદ માસ્તર, રા. નર્મદાશંકર બાલાશંકર, રા. મૂળજી દુર્લભજી વેદ, ડૉ. હરિ હર્ષદ ધ્રુવ પ્રભૃતિનાં કાવ્યો પ્રગટ થયાં હતાં. ‘સમાલોચક’માં પ્રગટ થતી સવિતાની કવિતા રા. કહાનજી ધર્મસિંહ તરફથી સંગ્રહિત થઈ પ્રકાશ પામવાની છે. ‘વસન્ત’માં ઉષા નામના સ્ત્રેણ તખલ્લુસથી(pseudonym) લખાયેલું ‘સાવિત્રી અને સત્યવાન’નું કાવ્ય છપાયું હતું : સવિતાની કવિતા પ્રાચીન પદ્ધતિની છે; તોપણ એ કવિતા કાગળનાં ફૂલો જેવી નહીં પરંતુ કુદરતી તાજાં ખીલેલાં પુષ્પો જેવી છે.&lt;br /&gt;
નાજુક દખ્ખણ હૈદ્રાબાદમાં વસતો પારસી શાયર છે. પીટીટ ચરણનો અનુયાયી છે. એનાં ઘણાં નાનાં કાવ્યો અંગ્રેજીમાંથી તરજુમો કરેલાં હોય છે. હૈદ્રાબાદના જળપ્રલય વિશે અને સતી થયેલી એક પારસણ વિશે લખાયેલાં કાવ્યોમાં કવિત્વની ઝળક ઝળકે છે.&lt;br /&gt;
દીવાનો એક સારો ખેલાડી છે. ‘ગુજરાતી’માં એના તરફથી દેશભક્તિનાં કાવ્યો છપાય છે. મર્હુમ ખેલાડી અમૃતલાલ કે. નાયકના અવસાન પછી ઉર્દૂ સાહિત્યનો આપણને રસાસ્વાદન કરાવનાર હિંદુઓમાં દીવાનો અગ્રણી છે.&lt;br /&gt;
રા. મગનભાઈનું ‘ક્ષાત્રપાળ પ્રતાપ’નું કાવ્ય વીરરસની જે ખોટ આપણા સાહિત્યમાં છે તે પૂરવા લખાયું છે. આજથી ઘણાં વર્ષ ઉપર ‘સ્વાર્પણ’ નામનું કાવ્ય શિવાજીના સંબંધમાં પ્રગટ થયું હતું. તેના જેવું જ આ કાવ્ય નિર્બળ છે. દેશના વાતાવરણમાં થયેલા ફેરફારો મુજબ ‘સ્વાર્પણ’માં અને ‘ક્ષાત્રપાળ’માં ભાષા, જુસ્સો વગેરેનો વત્તોઓછો ભેદ છે. ક્ષાત્રપાળમાં વૃત્ત, ભાષા, જોડણી વગેરેના સંબંધમાં જે છૂટ લેવાઈ છે, તે જોતાં એમ લાગે છે કે આવાં કાવ્યો ન લખ્યાં હોય તો સારું, પછી વીરરસ જમાવવા એવી છૂટ લેવી પડતી હોય તો ઉપાય નથી! કાવ્યની રચના(Structure) અને કળા પણ દૂષિત છે.&lt;br /&gt;
હિંદુસ્તાનમાં જ્યારે હિંદુ-મુસલમાનને એક પ્રજા બનાવવાનો વિચાર સ્ફૂર્યો છે ત્યારે એ બન્ને જાતોએ પોતપોતાના પરસ્પરના વિગ્રહ ભૂલવા જોઈએ અને સાટે ભેગા મળી જે જે સેવા એમણે સરસ્વતી, કાર્તિકેય, વિશ્વકર્મા અને ઇન્દ્રદેવની કરી હોય તેનો લોકોમાં પ્રચાર કરી એખલાસ વધારવો જોઈએ. શિવાજી અને પ્રતાપનાં વીરત્વ જ્યાં લગી મુસલમાનોની વિરુદ્ધ બતાવાયાં હતાં એ વાત ભુલાઈ જાય નહીં તેમ જ એ વીરત્વની વીરત્વ તરીકે મુસલમાનો પણ કદર કરતા થાય નહીં ત્યાં સુધી એ વિશે મૌન ધરવું એ અમને મુત્સદ્દીગીરીનું લક્ષણ લાગે છે.&lt;br /&gt;
હિંદુઓ શિવાજી મહોત્સવ ઊજવે અને તેનાં વીરત્વનાં યશોગાન ગાય તો મુસલમાનો પણ ઔરંગઝેબનો મહોત્સવ ઊજવશે અને તેનાં જીવનનાં યશોગાન ગાશે.&lt;br /&gt;
બાબુ બંકિમચંદ્રે મુસલમાનોનાં જીવન ઘણી જ અધમતાભરેલાં આલેખ્યાં હતાં, ઘણા દેશભક્ત મુસલમાનોને એથી વ્યથા થઈ છે. ખુશીની વાત છે કે બંકિમચંદ્રે એવું જીવન દુરાચરણી ચીતર્યું હતું તે ઝેબુન્નિસાને રા. હરગોવન પ્રેમશંકર કવિએ યોગ્ય ન્યાય પોતાના ‘શિવાજી અને ઝેબુન્નિસા’ નામના કાવ્યમાં આપ્યો છે.&lt;br /&gt;
ગયા વર્ષના વિશિષ્ટ કાવ્યસાહિત્યનું અવલોકન કરતાં આગમચ સાહિત્યરત્ન, કાવ્યમંજરી અને કવિતાપ્રવેશ નામના સંગ્રહોની નોંધ લઈશું. રા. જીવાભાઈ પટેલે કાવ્યમંજરીમાં નરસિંહથી દયારામ સુધીના યુગના કાવ્યસાહિત્યમાંથી કેટલાંક સારાં કાવ્યો ગૂંથ્યાં છે. વિસ્તૃત ટિપ્પણથી દરેક કાવ્યનો શબ્દાર્થ અને હાર્દ બતાવવા સારો શ્રમ લીધો છે. પ્રાચીન કવિતાને ત્યારની કવિતાની ભાવનાથી તપાસવી હતી, અને તે ભાવનાને હાલની ભાવનાના સામ્યવૈષમ્યની ચર્ચા કરવી હતી. તેને બદલે રા. રમણભાઈના કવિત્વ વિશેના વિચારો પરથી લેખકે પ્રાચીન કવિતા મૂલવી છે. આથી પરીક્ષણ દૂષિત થયું છે. ગોવર્ધનરામની Inductive Criticism ની પદ્ધતિ અંગીકારી હોત તો સંગ્રહ કાંઈ નવું જ સ્વરૂપ અને તેજ દાખવત.&lt;br /&gt;
કાવ્યમાધુર્યકાર રા. હિંમતલાલ ગણેશજી અંજારિયાએ રા. કરીમમહમ્મદ માસ્તરની સહાયથી ‘કવિતાપ્રવેશ’ માં વિદ્યાર્થીઓને ગુજરાતી કવિતા ક્રમશઃ શીખવવા સરળ પડે એવાં કાવ્યોનો સંગ્રહ કર્યો છે. પ્રાચીન ગુજરાતી પદોના નમૂના આપ્યા છે. પીટીટ વગેરે પારસી શાયરોને પણ ઉદારતાથી સ્થાન આપ્યું છે.&lt;br /&gt;
શામળ, પ્રેમાનંદ અને ગિરધરનાં કવનોમાંથી હજુ પણ ઘણા કાવ્યખંડો લઈ શકાયા હોત. રા. રણછોડભાઈ ઉદયરામ, છોટાલાલ સેવકરામ, મનસુખ(ગંજનામુનો કર્તા), રા. ગણપતરામ રાજારામ, પ્રભૃતિનાં કાવ્યોથી પ્રવેશ કરાવવામાં સરળતા થાત. નર્મદાશંકરની કવિતાનું એક સ્વરૂપ – કુદરતવર્ણનનું સ્વરૂપ આ સંગ્રહમાં સ્થાન પામ્યું હોત તો સારું. કોષ ઘણો જ અપૂર્ણ છે. કાઠિયાવાડી દુહાઓ આખ્યાયિકા વિના આપ્યા છે, તેથી અર્થ સમજવાનું બનશે નહીં.&lt;br /&gt;
‘સાહિત્યરત્ન‘માં કાવ્ય, ગદ્ય અને નાટકનાં રત્નોનો સંગ્રહ છે. નિશાળોપયોગી બનાવવાનું હોવાથી બધાં જ રત્નો એમાં ન હોય તેમ એમાં સંગ્રહાયેલા ભાગ ‘રત્ન‘ પણ ન હોય એમ બનવું સહજ છે. છતાં પણ આપણા સાહિત્યનું એ ગ્રંથમાં સારું દર્શન થાય છે.&lt;br /&gt;
આ ત્રણે ગ્રંથોના ઉપોદ્ઘાતો સંતોષપ્રદ નથી.&lt;br /&gt;
રાજકોટની હિંદુકન્યાશાળા તરફથી દલપતકાવ્યમાંથી શાળોપયોગી ગરબીઓ સંગ્રહાઈ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.&lt;br /&gt;
આમ આપણા સાહિત્યની કદર વધતી જાય છે. આવા સંગ્રહોના અભ્યાસ વધતા જાય છે, અને પરિણામે કવિત્વ જીવનમાં ઊતરશે અથવા સુપ્ત સંસ્કારો જાગ્રત કરશે એવી આશા છે.&lt;br /&gt;
અંગ્રેજી વિદ્યાનો પ્રભાવ આપણા જીવન પર વધતો ને વધતો પડતો જાય છે તેમ તેમ સાહિત્યમાં પણ મહત્ત્વના ફેરફાર થતા જાય છે. પરદેશના વિચારો, રૂપો, દૃષ્ટિ આદિની કલમ લાવી અહીંનાં એવાં ઝાડોમાં દાખલ કરવામાં આવે છે. યુરોપીયન કાવ્યશાસ્ત્રની પરિભાષામાં જેને Romanticism કહે છે તેનો યુગ શરૂ થઈ ગયો છે. Romanticism એટલે શું? પ્રો. હેરકર્ડ કહે છે :&lt;br /&gt;
‘It was an extraordinary development of imaginative sensibility. At countless points the universe of sense and thought acquired a new potency of response and appeal to man, a new capacity of ministering to, and mingling with his richest, and intensest life.’&lt;br /&gt;
બંગાળમાં તો આ હિલચાલ પુરજોશમાં ચાલે છે. આપણે ત્યાં પણ નવીન સાહિત્ય એનું જ ફરજંદ છે છતાં પુરવેગ ત્યાં કરતાં નરમ છે. Romanticism નું મોટામાં મોટું ફળ ‘સરસ્વતીચંદ્ર’ છે.&lt;br /&gt;
કવિ નર્મદાશંકર અને દલપતરામથી જ આ નવા યુગની શરૂઆત થયેલી. ત્યાર પછી ગ્રેજ્યુએટ કવિઓના રા. નરસિંહરાવ દીવેટિયા અગ્રણી થયા. કુસુમમાલા અને હૃદયવીણા નામના બે કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ કર્યા પછી એમની કવિત્વધારા બંધ થઈ ગઈ હતી. વચમાં થોડાંક કાવ્યભાષાંતરો પ્રગટ કર્યાં હતાં. બે એક વર્ષથી પાછી એ ધારા છૂટેલી છે. પરન્તુ જે કવિતાઓ પ્રગટ થઈ છે તેમાં હૃદયવીણાનો જ સૂર છે. પ્રગતિ કે વિકાસ થયેલો લાગતો નથી. ઊલટું એમની શક્તિ હ્રાસ પામતી જણાય છે.&lt;br /&gt;
રા. નરસિંહરાવની કવિતાની ગુણપ્રશંસા અનેકવાર રા. રા. રમણભાઈ નીલકંઠે કરી છે, અને ગુજરાત પાસે એ રીતે એ કવિતાની કદર કરાવી છે.&lt;br /&gt;
રા. નરસિંહરાવની કવિતાની છાપ અનેક કાવ્યલેખકો ઉપર પડી છે. એમની કવિતામાં કેટલાક અંતર્ગત દોષો છે. તેમ એ દોષોને લીધે બીજાઓના હાથમાં એ જાતની કવિતા વધારે દૂષિત બને છે. ‘વિલાસિકા’નું અવલોકન કરતાં રા. નરસિંહરાવે તેમાં (૧) વૃથા તર્કતરંગ (૨) અવિશદતા – ક્લિષ્ટતા અને (૩) લાગણીની અવાસ્તવિકતાના દોષો રહેલા છે એમ બતાવ્યું હતું. આમાં (૪) નિષ્પ્રયોજન શબ્દો અને અલંકારો, (૫) શબવત્ અંગ્રેજીનાં અનુકરણ, (૬) છદ્મમૃદુતા, (૭) કલ્પના અને વિધાનની પુનરુક્તિ (૮) અસ્પષ્ટતા (want of precision) અને (૯) કલ્પના તથા કલાની પંગુતાના દોષો ઉમેરી લો. રા. નરસિંહરાવની કવિતામાં આ દોષો પગલે પગલે નથી જણાતા? દરેક સ્થળે બોધ મેળવવાની વૃત્તિ રસભંગ નથી કરતી? કવિત્વ ઘણીવાર કલ્પનાને બદલે ચાતુર્યથી મુગ્ધ નથી થતું? ‘દેશાભિમાન’ શબ્દથી ભડકનારામાંના રા. નરસિંહરાવ પણ એક હોય એમ લાગે છે. એમના સમગ્ર કાવ્યસંગ્રહમાં દેશાભિમાનનું એક પણ સારું કાવ્ય છે? જ્યાં સહેજસાજ ઉદ્ગાર કાઢ્યા છે તે કેટલા નિર્બળ છે? એમણે ઉદ્દીપન કરેલા ભાવો કેટલી બધી વાર અવાસ્તવિક અને અસ્વાભાવિક હોય છે? એમનાં પ્રકૃતિનાં અવલોકન પણ વાસ્તવિક હોય છે? એમનાં વર્ણનો કેટલાં થોડાં આબેહૂબ હોય છે? વર્ણનમાંથી આપોઆપ રસાનુભવ થાય છે? જે વિષયનું અમુક વસ્તુથી સૂચન કરવામાં આવે છે તેનું સ્વાભાવિક રીતે થવું જોઈએ તેવું સૂચન થાય છે? સૂચક અને સૂચિત વિષયોમાં દેખીતો વિરોધ નથી જણાતો? પ્રાસ સાચવતાં અર્થવિરોધ ઘણીવાર નથી થઈ જતો? આવેગ વિચ્છિન્ન થવાથી અને વિચાર સંસ્ખલન પામવાથી ક્ષોભ નથી ઊપજતો? મનુષ્યહૃદયના એમના અનુભવો ન્યૂન નથી લાગતા? કાવ્યનો અંત સ્વાભાવિક રીતે લાવવો, વિવેક વાપરી નકામા અંશો મૂકી દેવાથી અને અગત્યના અંશો પર ભાર મૂકવાથી કલા કેમ સુષ્ઠુ અને સુંદર બનાવવી વગેરે જાણતી બાબતો એમનાથી કેટલી વાર સચવાઈ છે? સંક્ષેપમાં એમની કવિતામાં intensity અને sincerity અતિશય ન્યૂન લાગે છે. કવેતાઈ બાની(poetic diction)નાં કિંમતી વસ્ત્રાલંકારથી શણગારેલી એમની કવિતા કવિત્વહીન હોવા છતાં સારાં કાવ્ય તરીકે ઘણીવાર આદર મેળવે છે. &lt;br /&gt;
મકરન્દની રસચર્ચાનું પણ યથાર્થ સમીક્ષણ કરવાની જરૂર છે. જેમ દલપતરામ, શામળ ભટ વગેરેને લીધે કવિતાના ખોટા ખ્યાલો ગુજરાતમાં પ્રચલિત થયા છે તેમ રા. નરસિંહરાવ અને રા. રમણભાઈને લીધે પણ કેટલાક ખોટા ખ્યાલો પ્રચારમાં આવતા જાય છે.&lt;br /&gt;
ગુજરાતે દક્ષિણની માફક સ્વરાજ્ય ગુમાવ્યું નહોતું એટલે ગુજરાતમાં નવા નવા યુગની રાજકીય ભાવનાઓ પ્રખર સ્વરૂપમાં જન્મી નહોતી. નાના પ્રકારના સાંસારિક રિવાજરસમોમાં કચરાતા ગુજરાતે સંસારસુધારણાનો અને તેની અંદર રહેલી ગૃહસુધારણાનો મહત્ત્વનો પ્રશ્ન ઉપાડી લીધો. ગૃહસુધારણામાં લગ્નનો પ્રશ્ન મોખરે આવ્યો. લગ્ન તે પ્રેમલગ્ન થવાં જોઈએ એ ભાવના જન્મી. ઈશ્ક(passion) અને સ્નેહનાં ગાન ગવાયાં. સૂફીવાદી કવિતાના અનુકરણમાં ઈશ્વરી સ્નેહ કે ઈશ્કનું દર્દ ગવાયું છે? અમને તો ઈશ્વરી સ્નેહના નામે ઈશ્કનું દર્દ જ ગવાયેલું લાગે છે. ગાનારાઓએ જાતે જ ટીકાઓ લખી ભ્રમ ઊભો કર્યો છે.&lt;br /&gt;
કલાપીએ પુરુષજીવનમાં સ્નેહશૂન્યતા પૂરનાર સ્નેહરાજ્ઞી મેળવવાની આર્ત્ત ચીસ અને પ્રલંબ રૂદન પોતાની કવિતામાં કર્યાં છે, અને એવા રૂદનના પડઘા હજુ પણ એમના અવસાન પછી ગુજરાતમાં બંધ પડ્યા નથી.&lt;br /&gt;
ઈશ્ક – સ્નેહશૂન્યતા પછી સ્નેહનું પુણ્યમય દર્શન થવું જોઈએ. તે દર્શન કરાવનાર રા. રા. નાનાલાલ દ. કવિ છે. ગોવર્ધનરામનાં સરસ્વતીચંદ્ર અને કુસુમ સ્નેહ ખાતર નહીં પરંતુ ધર્મ ખાતર પરણે છે. બીજા દેશોમાં તેઓ સખ્યભાવથી રહેત. અહીં લગ્નગ્રંથિ વિના એ સખ્યભાવ રાખવો મુશ્કેલ હોવાથી દેખાતો દાંપત્યભાવ એમણે સ્વીકાર્યો. બન્નેના જીવનમાં સ્નેહ તો શૂન્યતા પામી જાય છે, અથવા સ્નેહ છે જ નહીં.&lt;br /&gt;
કલાપી અને ગોવર્ધનરામની રૂરૂદિષા ઝીલી જગતનાં દુઃખોથી દબાતા રીબાતા લલિતે અશ્રુધારા વહેવડાવી છે. એ અશ્રુસ્નાનથી પાવન થઈ તેઓ ગૃહભાવનાં ગીતો લલકારે છે. સ્નેહ અને સંતતિ સ્ત્રીપુરુષના જીવનમાં કેવો પ્રકાશ લાવે છે તે सोहम् सोहम् અને साम्यના ભાવો મૂર્ત કરનારની કવિતા બતાવે છે. એમનાં દેશભક્તિનાં કાવ્યોમાં પણ આ જ ભાવો હોય છે. દેશમૈયાનાં બાળક તરીકે જ તેઓ દેશભક્તિની ધૂન જગાવે છે. હિંદુસ્તાનમાં કંપનીનું રાજ્ય મટી ઇંગ્લૅંડના રાજાઓનું રાજ્ય થયું તે બનાવને ૫૦ વર્ષ થયાં તે નિમિત્તે લખેલું એમનું કાવ્ય ‘રાજદંપતી’ને ઉદ્દેશી લખાયું હતું. એમની કવિતાનો હમણાં સંક્રાન્તિયુગ છે. છાતી ઉપરનો ઓથાર રૂંધણ કરતો મટ્યો છે, અને પાંખેના ફફડાટ સંભળાય છે. પરંતુ અજાણતાં શબ્દોની ભાવ વિનાની હાથચાલાકી ઘણીવાર થતી લાગે છે. એમની કવિતામાં લાલિત્ય, માર્દવ અને માધુર્ય છે. હૃદયને સ્પર્શી – હૃદયના તાર ઝણઝણાવી તેમાં સુપ્ત રહેલા અથવા તેને વિહ્વળ કરતા કરુણ ભાવો એમની કવિતામાં અનુકંપા પામી આશ્વાસન મેળવે છે.&lt;br /&gt;
આકાશમાં ઊડવા કરતાં એમને ઘરના છાપરા નીચેના ભારટીયા ઉપર બેસી ગાવાનું વધારે ગમે છે. અશ્રુકવિ મટી તેઓ ગૃહકવિ થવા વાંછે છે. હિંદુ ગૃહમાં સ્ત્રીપ્રતિષ્ઠા ઉન્નત કરવા તેઓ પ્રબોધે છે.&lt;br /&gt;
એમના ભજનિયામાં દીનતા, દયા, શ્રદ્ધા, અધીનતા છે.&lt;br /&gt;
એમણે લખ્યું છે ઘણું; પણ તેમાં સારાં કાવ્યોની સંખ્યા ઓછી છે. સૂર ઘણી વખત એકના એક જ હોવાથી એકતાનતા લાગે છે. ધીમે ધીમે ફેર પડતો જાય છે. ગૃહકાવ્યોના અનુપમ સૂરો જગાડશે એવી આશા છે.&lt;br /&gt;
ગૃહભાવના કવિ વિશે લખતાં એક વાતનો ઉલ્લેખ કરવો ઉચિત લાગે છે. આગળ ઉપર કહ્યું તેમ ગુજરાતમાં સંસાર – ઘર સુધારવા ઉપર લક્ષ વિશેષ અપાય છે. જો એ સંસ્કારી, વિશુદ્ધ, પવિત્ર અને સાત્ત્વિક થશે, રસ, વિચાર, ભાવનાથી છલબલશે તો જ આપણા પ્રજાજીવનના મહાપ્રશ્નો ઉકેલવામાં — નિરૂપવામાં અને અનુભવમાં ઉતારવામાં બિલકુલ મુશ્કેલી કે વિલંબ થશે નહીં.&lt;br /&gt;
‘આજકાલ દેશનું આત્મમાન સૂચવતી ‘સ્વરાજ્ય’ અને ‘સ્વદેશી’ની વીરહાક ચોપાસ વાગી રહી છે તે વચ્ચે થઈને આવતો હિન્દની અબળાનો રોઈ રોઈ બેસી ગયેલો સાદ પણ આપણે જરા વિશેષ કર્ણ દઈ સાંભળવો જોઈએ’ એ વાક્યો તેમ જ એના પ્રણેતા વિદ્વાને ટાંકેલો નીચલો અંગ્રેજી ઉતારો શું સૂચવે છે?&lt;br /&gt;
If a lesson is to be drawn it surely is that – as individuals there is on place like home, so with a state there is on institution like home; that a community can be great only where there are happy, harmonious and virtuous homes, and that homes can not be happy and haṛmonious and virtuous unless woman is accorded a worthy place in these homes, with freedom of action, with a consciousness of responsibility with the right, unfettered by circumstance or prejudice, to develop all that is best and noblest in her to the utmost perfection’(પ્રો. આનંદશંકર ધ્રુવ : નારીપ્રતિષ્ઠા, એ વિષયનું ઐતિહાસિક દર્શન.)&lt;br /&gt;
ગુજરાતના સાહિત્યનું – અર્થાત્ હૃદય અને મનનું લક્ષ ગૃહ અને ગૃહદેવી ઉન્નત બનાવવામાં જ પરોવાયેલું છે. પ્રાચીનકાળમાં પણ સંસ્કૃત સાહિત્યે ગુર્જરોના ગૃહોને વધાવ્યાં છે. મધ્યકાલમાં વૈરાગ્ય જ ગવાતો હતો ત્યારે પ્રેમાનંદે ગૃહભાવો ગાયા અને નવા જમાનામાં ગોવર્ધનરામ પણ એ જ ભાવો મૂર્તિમંત કરી આપણને સોંપી ગયા છે. ગૃહભાવોના ઉત્ક્રમણ(evolution) વિશે વિસ્તારથી લખાય એવું છે. પણ આ લઘુ લેખમાં તે અસ્થાને લેખાશે.&lt;br /&gt;
લલિત, રા. નાનાલાલ કવિ, રા. મૂળજી વેદ, પ્રભૃતિ કાવ્યલેખકો, બંધુસમાજ, રા. અમૃતલાલ પઢિયાર આદિ ગદ્યલેખકો પણ એ જ ભાવનાઓ તરફ આપણું હૃદય આકર્ષે છે. પ્રો. બળવંતરાય ઠાકોર જેવા વિદ્વાન પણ પોતાની અનેક દિશામાં ઘૂમતી સાહિત્યપ્રવૃત્તિને વિરમાવી સંસારના – નાતના – ઘરના પ્રશ્નોની મીમાંસા કરવામાં પડ્યા છે. સંસાર – ગૃહસુધારણા નરી બુદ્ધિથી નહીં પણ સાથે સાથે રસ ઉમેરી કરવી.&lt;br /&gt;
પણ આ રસની રેલમાં એટલું બધું નિમજ્જન થતું જાય છે કે આફ્રિકામાં જે વીરત્વ ગુજરાતનાં સંતાનો – નરનારીઓ દાખવે છે તે લેખકની પ્રતિભા ચમકાવતું નથી. ગુજરાતણો ત્યાં રજપૂતાણીઓ અને સ્પાર્ટન રમણીઓ જેવું હીર જેબાવે છે. હિંદુ મુસલમાન પારસી એક થઈ જઈ, જે ભૂમિમાં તેઓ જન્મ્યા છે તે ભૂમિનું ગૌરવ અધિક તીવ્ર ઓજસ્વી અને સાત્વિક બનાવે છે. પણ – પણ સરસ્વતીની વીણાના તારો એ કુરુક્ષેત્ર નિહાળતાં ધ્રૂજતા નથી. અમારાં સાહસ, વીરત્વ, પરાક્રમ, અર્પણ, જીવન, ક્યારે દેવી! ક્યારે વીણાના અને કંઠના મધુર સંગીતમાં રેલાવશો, એ સંગીતથી અમને હલમલાવશો – ઉત્તેજશો?&lt;br /&gt;
‘મોટી વાતોમાંથી Romance કે ઇતિહાસ હમણાં ગયાં છે; પણ નાની વાતોમાં બહુ રહ્યાં છે. x x x x ગુજરાતમાં હૃદય છે પણ બહાદુરી નથી : soft છે. Romanceનું એક અંગ છે : બીજું જગાડવું જોઈએ છીએ,’ એવી ભાવના જાગી છે એટલે નિરાશ થવાનું કારણ નથી.&lt;br /&gt;
રા. અરદેશર એમની ‘કાવ્ય રસિકા’માં દલપતરામના અનુયાયી બન્યા અને ‘પ્રકાશિકા’માં બેત્રણ ચરણોની ભેગી અસર તળે આવ્યા હોય એમ લાગે છે. આ કહેવાનું તાત્પર્ય એમ નથી કે એમની કવિતા ઉક્ત ચરણોની નકલ જ માત્ર છે, એમનો કવિત્વવારસો ક્યાંથી ઊતરી આવ્યા છે તે જ ફક્ત નિર્દેશવાનો ઉદ્દેશ છે. એમનું પોતાનું વ્યક્તિત્વ સ્પષ્ટ અને સબળ છે. એમણે નવા સૂર જગાડ્યા છે, તેમ દેશમાં ગવાતા સૂર પણ ઝીલ્યા છે.&lt;br /&gt;
સારી કવિતા લખવા અગાઉ ઘણી અજમાયશી કવિતા લખાય છે. આવી કવિતા કવિના જીવનચરિત્રમાં કે અવસાન પછી થયેલા કાવ્યસંગ્રહમાં પ્રસિદ્ધ થાય છે. અથવા અપ્રસિદ્ધ જ રહે છે. રા. અરદેશરે રા. નરસિંહરાવની માફક આ સૂત્રનું અનુકરણ નથી કર્યું એટલે એમનાં ત્રણે પુસ્તકમાં કેટલાંક નિર્માલ્ય કાવ્ય સ્થાન પામ્યાં છે. અજમાયશના કાળમાં કાવ્ય કરતાં પદ્યબંધ ઘણી વખત થઈ જાય છે. એમનાં કાવ્યો જોતાં કવિત્વનો દેહ એમને હાથે સારો બંધાતો અને અલંકૃત થતો લાગે છે; પરંતુ એ દેહમાં વસતો આત્મા પ્રફુલ વિકસે તો જ એમનું કવિત્વ ઝળકી ઊઠે.&lt;br /&gt;
દેહ ઘડતાં અનેક નવા છંદો – નવી ગરબીઓ એમણે રચ્યાં છે. કેટલીક ગરબીઓ જૂની છે–કાઠિયાવાડ તરફ પ્રચલિત છે, પરંતુ એમનાથી તો નવી જ રચાઈ છે. એમનાં ત્રણે કાવ્યસંગ્રહોના સમગ્ર દર્શનથી રા. અરદેશર ખબરદારને કવેતાઈ બાની (poetic diction) ઉપર સારો કાબૂ છે એમ લાગે છે. તરંગ(fancy) છે – કલ્પનાની છાંટ તેમાં ભરેલી છે. વિધાયક શક્તિ ખીલતી જાય છે. એ સર્વમાં વિચાર વધારે ને વધારે ભળશે તેમ તેમ ગાંભીર્ય વધશે. નવીનતા–ચમત્કાર, મનુષ્યના અંતરમાં નવો પ્રકાશ નાંખે એવો ચમત્કાર એમની કવિતામાં જરા ઓછો છે.&lt;br /&gt;
ભાષાની અને શૈલીની ક્લિષ્ટતા નથી : સરળતા છે. સચોટતા આવવી જોઈએ. ઘટ્ટ બંધારણ થવું જોઈએ. એમની કવિતાઓ શરૂઆતમાં ઘટ્ટ હોય છે, પછીથી ઓગળી જાય છે. એક જ વિચાર નવનવા દેહ ધારણ કરે છે એટલે વિચાર કે દેહના ચમત્કાર છૂટી પડે છે. ખૂબ વિચારે અને ઓછું લખે તો ઘણી વધારે સારી કવિતા લખી શકે એવાં ઉજમાળાં ચિહ્ન લાગે છે. વિચારો વધશે અને ખીલશે એટલે ચમત્કાર આવશે અને અનુકરણના અંશો હશે તેટલા એની મેળે જશે.&lt;br /&gt;
‘પ્રકાશિકા’માં સંગીતના અંશ ઊજળા છે. ભાવ પણ હૃદયાકર્ષી છે. ઉત્સાહ સર્વત્ર નજરે ચડે છે. ‘માતા અને તેનું બાળ,’ ‘બરાઈ,’ ‘હલદીઘાટ’ વગેરેમાં વિચાર કરતાં તરંગ અને ભાષાનું પ્રાધાન્ય વધારે છે. ‘અટુલી બાળા’ અને ‘દશરથ અને શ્રવણ વધ’ કલાપીનાં અનુકરણ છે. ‘અમારો દેશ’ અને ‘દેશભક્તની યાચના’ એ બે કાવ્યોમાં ઉત્સાહ અને શક્તિ છે, ગૌરવ અનુભવાય છે. બીજા દેશભક્તિનાં કાવ્યો કાં તો નિર્માલ્ય છે કે નરમ છે, તોપણ ‘અમે દેશી દેશી’ અને ‘ઓ  દિવ્ય અમારો દેશ’ એવાં વચન કાઢનાર પારસી નરવીર માટે ગુજરાતને અને સમગ્ર હિંદને અભિમાન હોવું જોઈએ. ‘હિન્દના દાદાનું સ્વદેશાગમન’ ઘણું સારું છે. પ્રસંગને અનુકૂળ છંદ વાપર્યો છે. વિચાર, લાગણી અને ભાષા એકરસ થઈ ગયાં છે – spiritથી રસબોળ થયાં છે. રા. અ. ફ. ખબરદારના કવિત્વના શુભ અંશો એમાં પ્રતીત થાય છે. આવું જ સારું કાવ્ય ‘આંસુડાં’ નામનું છે. પરંતુ લંબાણ જરા વિશેષ થઈ ગયું છે. ‘બહેનને આંગણે,’ ‘હાલરડું,’ ‘નવરાજનાં વધામણાં,’ ‘દિવ્યરથ,’ ‘વિદાય,’ ‘વહાલાની વેણુ,’ ‘ગોપિકા,’ ‘બંસરી,’ ‘વિયોગ,’ ‘નભગંગા,’ એટલાં સારાં કાવ્યો આ સંગ્રહમાં છે.&lt;br /&gt;
નવી ગરબીઓમાંની કેટલીક રસભરી છે. ખંડ હરિગીત ઉત્સાહપૂર્ણ છે – spirited છે. શિખરિણીના નવા યોજેલા પ્રસ્તાવ પણ રસપ્રપૂર્ણ છે.&lt;br /&gt;
પરંતુ કહેવું જોઈએ કે ‘પ્રકાશિકા’ કરતાં ‘વિલાસિકા’ માં એમની કવિતાનો વધારે સારો રસાનુભવ થાય છે.&lt;br /&gt;
રા. અરદેશર ખબરદાર આર્યસમાજના અનુયાયી છે. તેઓ પારસી કરતાં હિંદુ વધારે છે. હિંદુ પુરાણોમાંથી કાવ્યયોગ્ય વસ્તુ લે છે; પારસી તવારીખ કે ધર્મશાસ્ત્રમાંથી નહીં. કૉંગ્રેસના એક મુખ્ય અગ્રણી સર ફિરોજશાહ મહેતા માટે એમનું હૃદય આંદોલિત થાય છે. પરંતુ જુદ્દીન ઝઘડો એમને જરા પણ ક્ષુબ્ધ કરતો નથી. ‘ગોપિકા’ અને ‘બંસરી’ નાં કાવ્યો લખનાર પારસી સન્નારીનું જીવન આલેખતા નથી.&lt;br /&gt;
રા. નાનાલાલ દલપતરામ કવિનો એક કાવ્યસંગ્રહ ગયે વર્ષે પ્રકટ થયો હતો. તે આગમચ ‘કેટલાંક કાવ્યો’ના અભિધાનવાળો કાવ્યસંગ્રહ અને ‘વસન્તોત્સવ’ નામનું ખંડકાવ્ય પ્રગટ થયાં હતાં. રા. નાનાલાલની કવિતા વિશે રા. મણિશંકર રત્નજી ભટ્ટ, રા. નરસિંહરાવ ભોળાનાથ, રા. રમણભાઈ મહીપતરામ, રા. કેશવલાલ હ. ધ્રુવ, રા. ઠાકોરલાલ હરિલાલ અને આ લેખના લખનારે પ્રસંગોપાત વિવેચન કરેલાં છે. ‘વસન્તોત્સવ’ ‘જ્ઞાનસુધા‘માં છપાયું ત્યારે રા. નરસિંહરાવે એના પર વિવેચન કર્યું હતું અને ગયે વર્ષે રા. ભાઈશંકર કુબેરજીએ  ‘વસન્ત’માં એ કાવ્યનું હાર્દ ખોટી રીતે ઉકેલ્યું હતું. ‘જ્ઞાનસુધા’માં  એમની ટીકાનો થોડોક (માત્ર અર્પણપત્રિકાનો) વાસ્તવ જવાબ મળી ગયો છે, અને પૂરેપૂરો મળશે એવી આશા છે.&lt;br /&gt;
રા. નાનાલાલની કવિતા ધ્વન્યાત્મક છે અને એમાં રહેલા ધ્વનિનો રસાનુભવ જેમ વિશેષ તેમ આનંદ પણ ઉન્નત અને ચિરસ્થાયી. ‘વસંતોત્સવ’ ધ્વન્યાત્મક ખંડકાવ્ય છે. વસન્ત એટલે નવજીવન. સવિસ્તર ચર્ચા આ લઘુ લેખમાં કરવી યોગ્ય નથી માટે બીજે કોઈ પ્રસંગે રા. નાનાલાલની કવિતામાં રહેલાં સૌંદર્ય, રસ, પ્રસાદ, પ્રતાપ, સંદેશા આદિની ગુજરાતને પીછાન કરાવીશું.&lt;br /&gt;
રા. નાનાલાલ રસપ્રદેશના બંડખોર જેવા સંકુચિત જીવનના કેટલાક પુરુષોને લાગે. પરન્તુ એવો દિવસ આવશે કે રસની રેલ તો વિરલ કવિહૃદયની પ્રસાદીમાંથી જ વહે છે એવું ગુજરાત કબૂલશે. રસનું પુણ્યમય, સાત્ત્વિક અને પ્રતાપી દર્શન તો એમની જ કવિતામાં થાય છે. કલાનું પણ સુઘટ અને સુષ્ઠુ દર્શન એ કવિતા કરાવે છે.&lt;br /&gt;
ભેદના પ્રશ્ન, યૌવના, માફ કરજે બાલા! સૌભાગ્યવતી, વિલાસની શોભા, રાજવીર, રાજયુવરાજને સત્કાર આદિ કાવ્યોના ધ્વનિ અને સંદેશાવિસ્તારથી સ્ફૂટ કરવાનો આ લેખમાં પ્રસંગ હોવાથી સામાન્ય કથન કરી સંતોષ પામશું.&lt;br /&gt;
યૌવના, સૌભાગ્યવતી કે રાજવીર જેવાં ચિત્રકાવ્યોમાં જે જે આનુષંગિક સામગ્રી આલેખી છે તે ધ્યાનમાં લેવાથી મૂળ ચિત્ર સંબંધે ઊઠતા ધ્વનિ સમજાશે અને કાવ્યનું કવિત્વ આનંદ ઉપજાવશે. કેટલાંક ગીતોમાં લગ્નનો પ્રશ્ન છે : લગ્નમાં સ્નેહ – પુણ્યમય સ્નેહને સ્થાન હોવું જોઈએ એ પ્રશ્ન છે. આપણી લગ્નતિથિ, પુનર્લગ્ન, વર્ધમાનપુરી, વિલાસની શોભા, સૌભાગ્યવતી આદિ કાવ્યોમાં કવિનો દાંપત્યસ્નેહ ઝળહળી ઊઠે છે.&lt;br /&gt;
રા. નાનાલાલની કવિતામાં રહેલા આશાવાદ, ગંભીર વિચારો, ઉત્કટ કે સરળ રસ, લલિત અને યોગ્ય પદાવલિ, મનોહર લય, દૂરગામી કલ્પના તીવ્ર અને સતેજ ધાર્મિકતા, એ કવિતાના વાંચનારને આનંદ આપ્યા વિના રહેતાં નથી.&lt;br /&gt;
લાઠી ઠાકોર સુરસિંહની કવિતા ગુજરાત વધાવ્યે જાય છે એ આનંદની વાત છે. સરળ ભાષા અને લાગણીમાં જે કવન એણે ગાયું છે તે ગુજરાતનાં સ્ત્રીપુરુષોનાં હૃદયમાં સમભાવ પામ્યું છે. સાગરના ભાષ્યથી તેમ જ રા. મોહનલાલ દવે કે રા. ચંદ્રશંકર પંડ્યા કે રા. અતિસુખશંકર ત્રિવેદી આદિનાં વિવેચનથી એ ‘કેકારવ’ વધુ ને વધુ લોકપ્રિય થશે.&lt;br /&gt;
નવી કવિતા નવી હોવાથી એનો આદરસત્કાર કરતાં પક્ષાપક્ષી કે મતાંતર સ્વાભાવિક રીતે જન્મ્યાં છે. રા. કમળાશંકર અને રા. તનસુખરામ ત્રિપાઠીની કવિત્વભાવના જુદી હોવાથી નવી કવિતા યથેચ્છ આદરસત્કાર કરનારાઓની ભાવના સાથે તેમનો મેળ નથી ખાતો. પરંતુ અંગ્રેજી કેળવણીના પ્રસાર સાથે, અંગ્રેજી રાજ્યને લીધે જન્મતી રાજકીય, સાંસારિક, ધાર્મિક ભાવનાઓને લીધે, પ્રજાના જીવનમાં નવા cultureની વ્યાપૃતિ થવાથી નવી કવિતા ગુજરાત સત્કારશે એવી અમારી તો દૃઢ પ્રતીતિ છે. સંરક્ષક અને ઉદાર પ્રાગતિક બંનેના સંઘર્ષણથી શુદ્ધ કાંચન કસાય છે અને તેની યોગ્ય કદર દુનિયા કરે છે. પ્રાગતિકોમાં પણ સંરક્ષક વૃત્તિ જન્મે છે તો સંરક્ષકો વધારે સંરક્ષક બને એમાં નવાઈ નથી. રા. નરસિંહરાવ અને રા. રમણભાઈ જેવા એક વખત પ્રાગતિક સુધારક લેખાતા વિદ્વાનો પોતાથી આગળ વધેલાની તરફ મક્કમ સંરક્ષકપણું બતાવે તો જૂના સંરક્ષકો નવામાં નવી થયેલી પ્રગતિથી દૂર નાસે અને તેના તરફ હવામાં તરવાર ઉછાળે એ બનવા જેવું છે. જૂનું એટલું બધું ટકવાનું નથી તેમ નવું એટલું બધું સત્કારવાનું નથી પણ બન્નેમાં રહેલા ઉપયોગી અંશો સ્વીકારાય છે તેમ સાહિત્યમાં પણ થશે. રાજકીય વિષયોમાં વ્યક્તિવાદ જેમ જેમ સ્વીકારાતો જશે તેમ જીવનના બીજા પ્રદેશોમાં પણ તેનો પ્રભાવ પડશે અને વ્યક્તિગત પ્રતાપની કદર ઉદાર હૃદયથી કરવી પડશે.&lt;br /&gt;
જગતમાં જન્મ, બાલ્ય, યૌવન છે તેમ વાર્ધક્ય અને મરણ પણ છે. ગયે વર્ષે આપણી સાક્ષર સેવા કરતાં કોણ કોણ ઇહજીવનમાંથી ચાલ્યા ગયા?&lt;br /&gt;
કચ્છના મહારાજાશ્રીના પ્રાઈવેટ સેક્રેટરી રા. રા. છોટાલાલ સેવકરામ પોતાની જ્ઞાતિના વેદાંતી અખા જેવા વેદાંતી હતા; મનસુખરામ સૂર્યરામના સ્નેહી હતા. કાવ્ય ઉપરાંત કોશ, ઇતિહાસ આદિ પ્રદેશોમાં પણ તેઓ ઘૂમ્યા હતા. એમની કવિતા જૂની ઢબની હતી છતાં ઊછળતી, ભેદતી હતી.&lt;br /&gt;
કચ્છના રેવન્યુ કમિશનર મિ. સચેદીના નાનજીઆણી ખોજા કોમના વિદ્વાન ગુજરાતી લેખક હતા. ‘ખોજાવૃત્તાંત,’ ‘ધર્મની સત્યતા,’ ‘સુખસન્માર્ગ,’ ‘મુક્તિદર્શક આખ્યાન’ આદિ એમની કૃતિ છે. એમનાં વિશાળ વાંચન, શોધક બુદ્ધિ અને ચિંતન આ ગ્રંથોમાં સ્પષ્ટ થાય છે. એમના દૃષ્ટાંતથી અનેક ખોજાઓ – મેમણો – વોરાઓ ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ કરવા ઉત્તેજાશે એવી આશા છે.&lt;br /&gt;
આ બન્ને પુખ્ત ઉંમરે પહોંચેલા ગૃહસ્થો હતા. પરંતુ ડૉ. હરિલાલ હ. ધ્રુવના જ્યેષ્ઠ પુત્ર રા. નરસિંહરાવ હ. ધ્રુવ ૨૫ વર્ષ પણ પૂરાં કરી શક્યા નથી. મુંબઈમાં મરકીથી યૌવન, આશા, ઉત્સાહમાં ઊછળતો એમનો દેહ અવસાન પામ્યો અને એમના અનેક મનોરથો ભાંગી પડ્યા. ‘ઊજળા વિશ્વના અન્ધ એકાન્તે પ્રજળતી,’ તરછોડાયેલી, નિરર્થક લેખાયેલી, ઉત્સાહિની તરુણ બાળાને લગ્નગ્રંથિથી વૈધવ્યમાંથી ઉદ્ધારી હતી. તેના સુપ્ત સંસ્કાર જગાવી સાહિત્યક્ષેત્રમાં તે સંસ્કારો દર્શાવવા તેને પ્રવૃત્ત કરી હતી. એમના જીવનના આ પ્રસંગથી એમની કવિત્વધારા છૂટેલી અને ઝમક દાખવી ગયેલી. શરૂઆતમાં એમની કવિતા એમના પિતાના અનેક દોષોથી ભરેલી હતી. પણ ધીમે ધીમે એઓ રા. નાનાલાલના ચરણ ભણી વળ્યા હતા. કવિતાનો દેહ એ ચરણની ઘાટી પર બાંધતાં શીખતા હતા; અને એ દેશમાં પધરાવવાની મૂર્તિ પણ તેજ ઝળકતી હતી એવામાં એમનું જીવન ખરી પડ્યું. બંગાળી સાહિત્યના વિશાળ અને ગંભીર અભ્યાસી હતા. ગુજરાત બંગાળ જેવું બનાવવા – ગુજરાતી સાહિત્ય બંગાળી સાહિત્ય જેવું સમૃદ્ધ કરવા અભિલાષ રાખતા. એમણે ‘વન્દેમાતરમ્’નું ભાષાંતર કર્યું હતું. બંગાળી વાર્તાનાં ભાષાંતર કર્યાં હતાં. એ પદ્ધતિ ઉપર નવી વાર્તા રચવા માંડી હતી. પરંતુ બેત્રણ સિવાય બીજી લખાઈ નહોતી.&lt;br /&gt;
પોતાના પિતાનું જીવનચરિત્ર લખવા અતિશય હોંશ હતી. જે જે પ્રદેશમાં પિતા ઘૂમેલા તે તે પ્રદેશનો અભ્યાસ પણ આરંભેલો. આથી એમના પિતાની માફક શક્તિ વિશીર્ણ થયેલી – વિકસેલી નહીં. પોતાના પિતાના અવસાન પછી તેમનું ‘ચંદ્ર’ માસિક થોડા વર્ષ ચાલી બંધ પડેલું તે એમણે પાછું ‘સાહિત્ય’- ને નામે દોઢ પોણા બે વર્ષ સુધી ચલાવ્યું હતું. ત્યાર પછી ‘જ્યોતિ’ના નામથી શરૂ કરેલું માસિક ત્રણચાર મહિના ચાલ્યું હતું. મરવા આગમચ સચિત્ર ‘જ્યોતિ’ કાઢવાની યોજના અને વ્યવસ્થા કરી હતી. પહેલો અંક લગભગ છપાઈ તૈયાર પણ થયો હતો.&lt;br /&gt;
ગુજરાતી ભાષાના હિંદુ, પારસી, જૈન, મુસલમાન સેવકોમાં એખલાસ (entente) વધારવાની હિલચાલ એમણે શરૂ કરી હતી. એઓ અરવિંદ અભિનવ, નરહરિ ધ્રુવ, શ્રીનારાયણ, અનુકૂલચંદ્ર પુરાણી આદિ અનેક તખલ્લુસથી લખતા, સંસાર અને ધર્મની સુધારણા માટે તીવ્ર આગ્રહ એમને હતો. બ્રહ્મસમાજના તેઓ અનુયાયી થયા હતા.&lt;br /&gt;
ગયે વર્ષે ગુ. વ. સોસાયટી તરફથી રા. રા. કમળાશંકર પ્રો. ત્રિવેદીનો ‘શાંકરભાષ્યાનુવાદ’ પહેલો ભાગ પ્રગટ થયો છે. ‘મહાકાળ’માં પ્રો. કણીઆનું શાંકરભાષ્ય ભાષાંતર પ્રગટ થાય છે. રા. રા. હીરાલાલ શ્રોફે ઉઠાવેલા પ્રશ્નનો(સદ્ગુરુ કોણ હોઈ શકે? ગૃહસ્થ કે સંન્યાસી) ઉત્તર હજુ એમના તરફથી અપાયો નથી.&lt;br /&gt;
રા. રા. અમૃતલાલ સુંદરજી પઢિયારના ગ્રંથોમાં જૂનાની નવી આવૃત્તિ નીકળતી જાય છે અને નવા પ્રકટ થતા જાય છે.&lt;br /&gt;
આમ આપણે સાહિત્યને પોષવાં – ઉછેરવા મશગૂલ છીએ. પરંતું સંગીત આદિ સાહિત્યના સહોદરો પ્રત્યે લક્ષ નથી. સંગીતનાં તત્ત્વો વિશેની ચર્ચા રા. નરસિંહરાવ દિવેટિયા અને રા. ગણપતરાવ બર્વે વચ્ચે ઊભી થઈ છે. રા. અરદેશરે નવી ગરબીઓ આપી છે. રા. લલિત, રા. નાનાલાલ આપણને જૂના રાગો નવા આત્માથી ભરેલા આપે છે. ભાવનગરના નરેન્દ્ર સર ભાવસિંહજી નવનવી સારીગમ ઊપજાવે છે. તેમાં ઊંચો રસ વહી શકે એવી પણ કેટલીક હોય છે. ‘સેવાસદન’માં ભજન થાય છે એટલે નવા–જૂના રાગો અને કવિત્વનો પ્રસાર મુંબઈમાં થવાનો સંભવ છે. બાકી તો સામાન્યતઃ સંગીત એટલે નાટકી ગાયનો, અથવા ઉસ્તાદી નસફુલામણી. બીટહોવન, વેગ્નર વગેરે સુવિખ્યાત પાશ્ચાત્ય ગવૈયાઓ જેવા ગવૈયા ગુજરાતમાં ક્યારે થશે?&lt;br /&gt;
ચિત્રકળા ઉપર પણ કાંઈ પણ લક્ષ અપાતું નથી. રવિ વર્માની પાશ્ચાત્ય ચિત્રકળાએ આપણને મુગ્ધ કરી દીધા એટલું જ નહીં પણ નાનાવિધની રસિક કળાઓ એના પ્રભાવ નીચે ચાલી ગઈ છે. ધુરંધર એ જ ચરણનો દક્ષિણી ચિત્રકાર અને મહાત્રે દક્ષિણી શિલ્પી છે. ભેદવાર જ ફક્ત કિરણાલેખની કળામાં કવિત્વ પ્રગટાવતો ગુજરાતી છે. બંગાળામાં દેશજ ચિત્રકળા જન્મી છે અને સત્કારાઈ છે. એવો રસ કે ભાવના આપણા જીવનમાં ઊતર્યાં નથી —જાગ્યાં નથી.&lt;br /&gt;
દરેક ગામમાં મકાનો બંધાયાં જાય છે પરંતુ સ્થાપત્યની સુંદરતા, રસિકતા ક્યાંયે અનુભવાતી નથી. &lt;br /&gt;
સ્ત્રૈણ રસિકતા કેળવાતી જાય છે – સૂક્ષ્મ થતી જાય છે. ભારે, બેડોળ દાગીનાને બદલે નાજુક, નકશીદાર, મનોહર અલંકારો પહેરાય છે. એમના પોષાકમાં પણ રસ આવતો જાય છે. આંતર જીવન રસથી રેલાતું જશે તેમ તેમ બાહ્ય સુંદરતા પણ ખીલશે.&lt;br /&gt;
ગુજરાતમાં હજી સંતોષ નથી, વધારે અને સારાને માટે તૃષા છે : એ વિકાસની ઉત્કંઠા છે.&lt;br /&gt;
હજી રસમાં પગ માંડીએ છીએ : એ રસ જીવનમાં ઊતરશે ત્યારે અન્ય દિશાઓ પણ ઊઘડશે. દૃષ્ટિસીમાને છેડો નથી, આપણે હજી થાક્યાં નથી.&lt;br /&gt;
આપણું યૌવન ઊછળતું; આગ્રહ નિશ્ચયશક્તિવંતું છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
એપ્રિલ ૧૯૭૯ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = શુદ્ધ ગુજરાતી ભાષા સામે પારસીઓની ફરિયાદની તપાસ&lt;br /&gt;
|next = કાર્યનો પ્રદેશ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B6%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8&amp;diff=111448</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/શુદ્ધ ગુજરાતી ભાષા સામે પારસીઓની ફરિયાદની તપાસ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B6%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8&amp;diff=111448"/>
		<updated>2026-05-29T16:12:12Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|શુદ્ધ ગુજરાતી ભાષા સામે પારસીઓની ફરિયાદની તપાસ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હિંદુઓ અને પારસીઓ ગુજરાતી સાહિત્યની સેવા તરેહ તરેહ રીતે બજાવે છે. બન્નેનાં જાતિસ્વભાવ, સંસ્કાર(culture), ધર્મ, કેળવણી, રહેણીકરણી અને લક્ષ્ય(goal) જુદાં હોવાથી બન્નેની સાહિત્યસેવા નિરાળી ખાસિયતવાળી થઈ છે. આ નિરાળી ખાસિયતને લીધે કેટલીક ગેરસમજ થયા કરે છે અને તેથી બન્ને વચ્ચે કડવો મતભેદ વારંવાર વિખવાદ ઊભો કર્યા કરે છે.&lt;br /&gt;
હિંદુઓ ‘જડબાતોડ’ સંસ્કૃત શબ્દો વાપરે છે અને જાણી જોઈને ફારસી શબ્દોનો ત્યાગ કરે છે—આવી ફરિયાદ અવારનવાર પારસીઓ તરફથી કરવામાં આવે છે. પારસીઓની ફરિયાદ એમની નજરે વાજબી છે છતાં હિંદુઓની વર્તણૂક ગંભીરતાથી તપાસવાના પ્રયત્ન થયા નથી એટલે એ ફરિયાદ એની યોગ્યતા કરતાં વધારે વજન પામે છે.&lt;br /&gt;
હિંદુઓની વર્તણૂકનો કાંઈક ખુલાસો કરવામાં આવે અને સમજુ પારસીઓ એ ખુલાસાથી સંતોષ પામી બન્ને કોમ વચ્ચેની કડવાશ દૂર કરવા તૈયાર થાય એવા હેતુથી આ લેખ લખવામાં આવ્યો છે.&lt;br /&gt;
૧. અંગ્રેજોની છાયા નીચે હિન્દુસ્તાનની દરેક ભાષાનાં વિકાસ અને વૃદ્ધિ થતાં જાય છે. નવા નવા વિચારો દેશમાં પ્રવેશતા અને જન્મતા જાય છે. એ નવા વિચારો માટે નવા શબ્દો, નવાં રૂપો વગેરે ઘડવાં પડે છે. ઘડતરની આ નવી સામગ્રી ભાષામાં ન હોય તો કુદરતી રીતે તેનાં પિયરમાંથી જોઈતી સામગ્રી લાવવામાં આવે. ગુજરાતી ભાષાને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે તે પોતાની(નાનીના) દાદીના અખૂટ ભંડારમાંથી જોઈતી વસ્તુઓ લઈ આવી છે અને હાલ લાવે છે. હાલમાં નવા વિચારો જથ્થાબંધ ઉત્પન્ન થતા જાય છે એટલે તે દર્શાવવા નવા નવા શબ્દો પણ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં જથ્થાબંધ આવતા જાય છે. જાણી જોઈને સંસ્કૃત શબ્દો હિંદુઓ વાપરે છે તેના કરતાં એ શબ્દો વાપર્યા વિના છૂટકો જ નથી એવી સ્થિતિ આવી છે એવું આથી સાબિત થાય છે.&lt;br /&gt;
૨. કેળવણીના ફેલાવા સાથે સંસ્કૃતનું જ્ઞાન હિંદુઓમાં વધારે ને વધારે ફેલાતું જાય છે. લેખકોને કેળવણી મારફત પોતાની જન્મભાષાનું જ્ઞાન બહુ જ જૂજ મળે છે એટલે લખતી વખતે સંસ્કૃતના જ્ઞાનનો કુદરતી ઉપયોગ થઈ જાય છે. અંગ્રેજી અને સંસ્કૃત ભાષા અને સાહિત્યનો તેમને પરિચય હોય છે. અંગ્રેજી સાહિત્યના પરિચયથી જે જે વિચારો નવા સૂઝે તે તે દર્શાવવાના શબ્દો સંસ્કૃત ભાષામાંથી એકદમ સૂઝી આવે છે અને એ શબ્દો ગુજરાતીમાં વપરાય છે.&lt;br /&gt;
૩. હિન્દુઓના ધર્મ તથા સંસ્કાર(culture)ના ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે. છાપખાનાંની સગવડને લીધે એ ગ્રંથો મૂળ સ્વરૂપમાં વાંચવા હિન્દુઓને વૃત્તિ થાય છે. આ વૃત્તિ દહાડે દહાડે વધતી જવાની. કારણ કે સંસ્કૃત ભાષામાં હિન્દુઓના બાપદાદાઓએ મૂલ્ય ન થાય એવો ખજાનો હિન્દુઓને માટે અને દુનિયાને માટે મૂક્યો છે. એ ખજાનાનો લાભ લેવા અને બીજાને આપવા હિન્દુઓ પ્રયત્ન કરવાના. આમ સંસ્કૃતનો પરિચય જેમ જેમ વધતો જશે તેમ તેમ લોકભાષામાં સંસ્કૃત શબ્દોનો વપરાશ વધતો જવાનો.&lt;br /&gt;
૪. સમગ્ર હિન્દુસ્તાનમાં હાલ એકરાષ્ટ્રભાવના(Nationality) જન્મ પામી છે. એ લાગણીને પોષવા અને વધારે વ્યવહારુ કરવા હિન્દુસ્તાનના વતનીઓના અરસપરસના વ્યવહાર માટે એક ભાષાની જરૂર લાગે છે.&lt;br /&gt;
અંગ્રેજી રાજ્યકર્તાની ભાષા હોવા છતાં એક ભાષા થઈ શકે એમ નથી. હિન્દુ પ્રજાને જે ચેતન સંસ્કૃત ભાષા આપી શકે એમ છે, મુસલમાનોને જે ચેતન અરબી ભાષા આપી શકે એમ છે તે અંગ્રેજી આપી શકે એમ નથી. અમારી ખાસિયતથી એ ભાષા તદ્દન જુદી જ છે. વળી હિન્દુસ્તાનનો દરેક વતની એ શીખી એથી ચેતન મેળવે એવી જોગવાઈ કે સગવડ હાલ નથી.&lt;br /&gt;
હિન્દુસ્તાનના જુદા જુદા પ્રાંતની ભાષાઓમાંથી પણ એકે એ સ્થાન લઈ શકે એમ નથી. ચેતન જગાડનારું સામર્થ્ય એકેમાં નથી; અને હોય તો પ્રાંતિક ભાષાઓનો નાશ કરી તેમનું સ્થાન લઈ શકે એવા સંજોગો નથી. પ્રાંતિક ભાષાઓની નિરાળી વૃદ્ધિ થયા કરે છતાં તેઓ વચ્ચેનું અંતર શી રીતે ઘટે? સંસ્કૃત શબ્દોના સર્વત્ર વધારે વપરાશથી. આ માત્ર તરંગ નથી પણ સૌની આંખ આગળ બનતો બનાવ છે. અત્યારે જેને સંસ્કૃત આવડતું હોય છે તે અર્વાચીન બંગાલી, હિન્દી, મરાઠી, ગુજરાતી સાહિત્ય વાંચી સમજી શકે છે. હિન્દુઓમાં એકતા લાવવા સંસ્કૃત શબ્દો છૂટથી વાપરવાની જરૂર હોવાથી ગુજરાતીમાં તે વપરાવાના.&lt;br /&gt;
૫. હિંદુસ્તાનની બધી પ્રાંતિક ભાષાઓમાં–બંગાળી, મરાઠી, હિંદી, પંજાબી, આર્ય ભાષાઓમાં, તેમ જ તામીલ, આંધ્ર જેવી દ્રવિડ ભાષાઓમાં પણ સંસ્કૃત શબ્દો વધારે ને વધારે વપરાશમાં આવતા જાય છે. ઉર્દૂમાં ફારસી અને અરબી ભાષાના શબ્દો વધારે ને વધારે વપરાશમાં આવતા જાય છે. હાલ પ્રગતિનો અને પ્રવૃદ્ધિનો યુગ છે. ભાષાઓના શબ્દભંડાર તવંગર થતા જાય છે. આવે વખતે કોઈ પણ પ્રજા – અને તેમાંયે ખાસ કરીને જેને ઉન્નત થવું છે એવી પ્રજા પોતાના અમુક ભાગની સગવડ ખાતર દરિદ્ર રહેવા પ્રયત્ન કરે તો તેનો આત્મઘાત જ થાય. ગુજરાતી ભાષામાં સંસ્કૃત શબ્દોનો વપરાશ છૂટથી નહીં થાય તો ગુજરાતી ભાષા એની બીજી બેન – ભાષાઓને મુકાબલે કંગાળ રહેશે અને પોતાની આબરૂ ખોશે.&lt;br /&gt;
બોલવાની ભાષામાં ગમે તેવા ભેદ હોય પણ લખવાની ભાષા તો સરખી જ હોવી જોઈએ. બંગાળમાં મુસલમાનોની સંખ્યા ઘણી મોટી છે છતાં શિષ્ટ મુસલમાની લેખકો સંસ્કૃતમય બંગાળીમાં જ લખે છે.&lt;br /&gt;
૬. સંસ્કૃત ભાષા અને સાહિત્યનો એકવાર પરિચય થયો કે એના ગુણોનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. લાઘવનો એનો મશહુર ગુણ સંસ્કૃત શબ્દોનો વધારે ઉપયોગ કરાવે છે. એના શબ્દોની મીઠાશ, શબ્દોનો અવાજ અને રણકો એવાં મજાનાં લાગે છે કે એમની સાથે બીજી ભાષાની મીઠાશ કે તેના શબ્દોનો રણકો ખૂંચે છે.&lt;br /&gt;
સંસ્કૃત ભાષાના વધારે વપરાશનાં કારણો ટૂંકામાં જોયાં. હવે ફારસીના વપરાશનો ઘટાડો શાથી થાય છે તે તપાસીએ.&lt;br /&gt;
૧. રાજ્યકર્તાની ભાષા તરીકે ફારસી ભાષા હિન્દુસ્તાનમાં ફેલાવા પામી. રાજ્યના વ્યવહારને અંગે જેટલી અસર થઈ તેટલી એણે હિન્દુઓની જિંદગી પર કરી. હિન્દુઓ એનો સારો અભ્યાસ કરતા પણ સાદી, હાફીઝ, ફીરદોસી જેવા લેખકો હિંદુઓમાંથી ઉત્પન્ન થયા નથી. તેમ મનુ, કાલિદાસ, ભવભૂતિ, શંકરાચાર્ય, વ્યાસ, વાલ્મિકી, બાણ, ચાણક્ય, તુલસીદાસ, સુરદાસ, મીરાંબાઈ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ જેવા સમર્થ હિન્દુ લેખકો ફારસીમાં થયા નથી અને ફારસી વાણી દ્વારા હિન્દુ પ્રજાની જિંદગીના રૂપરંગ ફેરવ્યા નથી. ફારસી ભાષા હિંદુઓની જિંદગીમાં પચી ગઈ નહોતી. જે સત્તાને લીધે એનો વ્યવહાર જરૂરી હતો તે સત્તાના નાશથી એનો વ્યવહાર અટકી પડ્યો.&lt;br /&gt;
૨. વ્યવહાર અટકી પડવાથી – એ શીખવાની જરૂર જતી રહેવાથી હિંદુઓ એનો અભ્યાસ કરતા નથી. ફારસી સાહિત્ય સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યને મુકાબલે એટલું બધું ઊતરતું છે કે એ રીતે પણ એનો અભ્યાસ કરવાનું ખાસ આકર્ષણ થાય એમ નથી.&lt;br /&gt;
આ કારણોથી ફારસી શબ્દો આપોઆપ વપરાશમાંથી ઘટતા જાય છે. અભણ હિંદુઓમાં દેખાદેખીથી જે જે ફારસી શબ્દો દાખલ થઈ ગયા હતા તે શબ્દોમાંના ઘણાકને બદલે હવે અંગ્રેજી કે સંસ્કૃત શબ્દો વપરાવા માંડ્યા છે. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં ન્યાયને ખાતર કહેવું જોઈએ કે ગુજરાતી હિંદુઓએ ફારસીનો તદ્દન તિરસ્કાર નથી કર્યો. મણિલાલ નભુભાઈ, કલાપી, સાગર વગેરેની કવિતા વાંચશે અથવા રા. રા. નારાયણ વસનજી ઠક્કુરની કેટલીક વાર્તાઓ વાંચશે તો ગુજરાતીમાં રૂઢ નહીં એવા કેટલા બધા ફારસી શબ્દો વાપરેલા જણાશે.&lt;br /&gt;
અત્યારે દેશમાં જે જે બળો પ્રવર્તે છે તે તે બળો લક્ષમાં લેવામાં આવે તો ફરિયાદ તદ્દન ટકી શકે એમ નથી. હિંદુઓને એક થઈ પોતાના પૂર્વજોની સંસ્કૃતિ(civilization) અને સંસ્કારિતા(culture)નો લાભ લેવો છે અને યુરોપની સંસ્કૃતિ અને સંસ્કારિતાનો પણ લેવાય એટલો લાભ લઈ બન્નેના સમવાયથી નવી સંસ્કૃતિ અને સંસ્કારિતાને જન્મ આપવાનો છે. આ ઊંચું લક્ષ હિંદુઓના હૃદયને હલાવી રહ્યું છે. એ લક્ષની પ્રાપ્તિ માટે મહેનત કરતા હિન્દુઓ વ્યવહાર માટે સંસ્કૃત શબ્દો વધારે વાપરે એ તદ્દન કુદરતી હોવા છતાં એ વપરાશ સામે સમજ વગર ફરિયાદ કરવામાં આવે એ ગેરવ્યાજબી છે.&lt;br /&gt;
ગુજરાતી ભાષા વાપરવી હોય, હિંદુસ્તાનના નવા જીવનમાં સામેલ થવું હોય, તો પારસીઓને સંસ્કૃત શીખ્યા વિના છૂટકો નથી.&lt;br /&gt;
ઘરમાં ગુજરાતી ભાષા બોલીએ એટલે તે ભાષામાં લખાયેલા શિષ્ટ ગ્રંથો સમજાય જ એવો નિયમ નથી. જે લોકો ઘરમાં અંગ્રેજી બોલતા હશે તે બધા અભ્યાસ વગર મિલ્ટન, ટેનિસન, રસ્કિન, બેકન, મેકોલે, બાર્કલિ, હોબ્ઝ, ડાર્વિન, હક્ષલિ, ઓસ્ટેન કે શેક્સપિયર સમજી નથી શકતા. પારસી વાંચનારા અને પારસી લેખકોનું ગુજરાતી ભાષાનું જ્ઞાન કેટલું? વાંચનમાળાની ત્રણચાર ચોપડી દસ વર્ષની ઉંમર લગીમાં શીખ્યા હોય અને તેથી ગુજરાતીનું જેટલું જ્ઞાન મળ્યું હોય તે. ગુજરાતી ભાષાનું અને સાહિત્યનું સારું જ્ઞાન મેળવશો તો ફરિયાદ કરવાનું કારણ રહેશે નહીં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|[૨]}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક પક્ષ કહ્યો. બીજા પક્ષની વાત પણ જરા તપાસવી ઘટે છે.&lt;br /&gt;
ઈરાનથી કયા પારસીઓ ગુજરાતમાં આવી વસ્યા હતા? અમીર ઉમરાવો અને લડવૈયાઓ મુસલમાનો સામે ખપી ગયેલા અથવા વટલી ગયેલા. ખેડૂતો અને કારીગરોનો કેટલોક ધર્મચુસ્ત ભાગ ગુજરાતમાં નાસી આવ્યો હશે, નાસી આવેલામાં સર્વ સંસ્કારી ઊંચા વર્ગના હોત તો તે પોતાની ભાષાનો ત્યાગ કરત જ નહીં; બહારના વ્યવહારમાં લોકભાષા વાપરત પણ ઘરમાં તો પોતાની જન્મભાષા જ વાપરત. જે ગુજરાતીઓ ઉત્તર હિંદુસ્તાન, મહારાષ્ટ્ર કે મદ્રાસ ઇલાકામાં જઈ વસ્યા છે તેઓ હજુ પણ ઘરમાં ગુજરાતી વાપરે છે અને બહાર લોકભાષા વાપરે છે. હાલના પારસીઓ ગમે તેટલા અંગ્રેજી કેળવણીમાં વધેલા હોય છે. છતાં ગુજરાતી ભાષા ઘરમાં વાપરે છે. સંસ્કારી લોકો પોતાની જન્મભાષાનો કદી ત્યાગ કરતા નથી.&lt;br /&gt;
પારસીઓ આવી થાણા, સુરત, ખંભાત, ભરૂચ જિલ્લાનાં ગામડામાં વસ્યા. પશ્ચિમ એશિયામાં મહારાજ્ય સ્થાપનાર લડાયક પારસીઓના વંશજો નાસી આવ્યા હોત તો મુસલમાની સલ્તનતમાં, રણક્ષેત્રમાં, રાજ્યવહીવટમાં તેઓ આગેવાન થયા વિના રહેત નહીં. પણ ખેડૂત અને કારીગર વર્ગ હોવાથી તેઓ ગામડામાં વસ્યા. કારણ કે ત્યાં તેમના નિર્વાહની જોગવાઈ થઈ શકે એમ હતું. ગામડામાં કુદરતી રીતે એમના જેવા જ ધંધાદારીનો સહવાસ થતો એટલે એમની ગુજરાતી ભાષા સુરત ભરૂચનાં ગામડાંની ભાષા જેવી થઈ. આ ભાષામાં અશુદ્ધિ હોય તો તેનો દોષ પારસીઓનો નહીં પણ એ ગામડાના વતની હિંદુઓનો છે.&lt;br /&gt;
ભાષા એ પ્રજાના જીવનમાંથી જન્મે છે. પ્રત્યેક પ્રજાની જે ખાસિયતો હોય છે તેની અસર ભાષાને પણ થાય છે. પારસીઓની પોતાની ભાષાની અમુક ખાસિયત હતી. એમના મનમાં અને દેહનાં બંધારણથી કેટલીક ખાસિયતો આવી હતી. પોતાની ભાષા મૂકી દઈ તદ્દન અલાયદી ભાષા સ્વીકારી રોજના વ્યવહાર તરીકે તે વાપરવા માંડ્યા છતાં મૂળની ખાસિયતો જતી નથી. કેટલાક અક્ષરોના ખરા ઉચ્ચાર પારસીઓથી નથી થઈ શકતા તેથી તેમની હાંસી કરવી ઘટતી નથી. એ જાતિસ્વભાવનું પરિણામ છે.&lt;br /&gt;
ગુજરાતમાં વસી પારસીઓ ગુજરાતી ભાષા બોલતા થયા ત્યારે જેવી ગુજરાતી ભાષા બોલાતી હતી તેવી જ ભાષા હવે બોલાતી નથી. ભાષાના દેહમાં અનેક ફેરફારો થયા છે અને થતા જાય છે. ફેરફાર થાય છે ત્યારે જૂની સ્થિતિ અશિષ્ટ લાગે છે.—જેટલા ફેરફાર હિંદુઓની ભાષામાં થાય છે એટલા પારસીઓની ભાષામાં થયા નથી એટલે કેટલાક શબ્દો, રૂપો, પ્રયોગો જે પૂર્વે ગુજરાતી ભાષામાં વપરાતા પણ હવે લુપ્તપ્રાય(obsolete) થયા છે તે હજુ પારસીઓ વાપરે છે એટલે એમની ભાષા હાલમાં હિંદુઓને અશિષ્ટ લાગે એ સ્વાભાવિક છે. આમ જૂના શબ્દો, પ્રયોગો વગેરેનો પ્રચાર ગુજરાતના ઘણા ભાગમાં છે. ખુદ નડિયાદની બોલીમાં એવા ઘણા પ્રયોગો છે. સંસ્કારી હિંદુ તે પ્રયોગો સાંભળી હસે છે. સાહિત્યમાં આવા પ્રયોગો કે શબ્દોને સ્થાન નથી આવતું પણ શુદ્ધ સાર્વજનિક ભાષા લખવામાં આવે છે. ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવા માટે સંસ્થાઓ અને સાધનો નથી. આમ હોવાથી હિન્દુઓ અને પારસીઓ સરખી જાતની ભૂલો ઘણીવાર કરે છે.&lt;br /&gt;
પ્રજાની ખાસિયત, ગુજરાતી ભાષા સ્વીકારવાના સંજોગ અને હાલમાં તેની શુદ્ધ અભ્યાસ માટેની સગવડોની ખામી ધ્યાનમાં લેતાં પારસીઓની ભૂલોનો કાગનો વાઘ હિન્દુઓએ કરવો નહીં.&lt;br /&gt;
પારસીઓ પોતાનાં લખાણોમાં વધારે ફારસી શબ્દો કે વાક્યરચના વાપરે તેથી ગુજરાતી ભાષા વધારે તવંગર થશે; ગુજરાતી ભાષાની શક્તિ વધશે એવું સુજ્ઞ હિન્દુઓ માને છે. પારસીઓએ સંસ્કૃત શબ્દો જ વાપરવા અને ફારસી ન જ વાપરવા એવો આગ્રહ કોઈ સુજ્ઞ હિન્દુ કરતો નથી.&lt;br /&gt;
પારસીઓમાં ગુજરાતી લખાણો સામે અમારા વાંધા નીચે પ્રમાણે છે :&lt;br /&gt;
૧. લેખક અને વાંચનારાની ગુજરાતી કેળવણી સંસ્કારી ન હોવાથી ભાષામાં ઘણી વાર ગામડીયા પ્રયોગો હોય છે; શિષ્ટ(classical) ભાષા અને શૈલીની ખામી હોય છે. પારસી લખનારાઓનો મોટો ભાગ તરજુમા કરનારનો છે; તેમાંયે ખાસ કરીને વાર્તાઓના મૂળ ગ્રંથ સાથે એમનો એકે તરજુમો સરખાવાઈ ઊંચો ઠર્યો નથી. ગુજરાતી ભાષા અને શક્તિઓની પૂરી પીછાન ન હોવાથી એ તરજુમાઓથી ગુજરાતી ભાષાની શક્તિઓ ખીલવી શકાઈ નથી.&lt;br /&gt;
પારસીઓ આટલા બધા કેળવાયેલા અને સંસ્કારી હોવા છતાં એમનામાંથી રામમોહનરાય, કેશવચંદ્ર સેન, દયાનંદ સરસ્વતી, રાનડે, ગોવર્ધનરામ, બંકિમચંદ્ર કે રવીન્દ્રનાથની હારમાં બેસે એવું કોઈ જન્મ્યું નથી. અંગ્રેજીનો અભ્યાસ એમનામાં લગભગ સાર્વજનિક હોવા છતાં તરુદત્ત કે સરોજિની નાયડુની પ્રતિષ્ઠા ઝાંખી પાડે એવો અંગ્રેજીમાં પણ પારસી કવિ થયો નથી. ચિત્રકલાનો પ્રચાર પારસીઓમાં ઘણો છે છતાં રવિ વર્મા, ધુરંધર કે અવનીન્દ્રનાથ ઠાકુર અને એમના શિષ્યોનાં ચિત્રો જેવાં ચિત્રો કોઈ પારસી ચિત્રકારે ચીતર્યાં નથી. સંગીતના અભ્યાસ અને પ્રચારનું પણ એવું જ નિરાશાજનક પરિણામ છે. પારસી પ્રજામાં સ્નેહલગ્ન, સંવનનનો(love marriage, courtship) પ્રચાર છે છતાં સ્નેહનાં કે વિરહનાં મીઠાં કવન કે ગાન હજુ કોઈ પારસીએ કર્યાં નથી. પારસીઓનો વૈભવ, કેળવણી, સંસ્કાર ઉછીનાં છે. હજુ એમનું હૃદય જાગૃત થયું હોત અને ગુજરાતી ભાષા દ્વારા તે આવિર્ભાવ પામ્યું હોત તો એમની ભાષાની અનેક ખામી હોવા છતાં ગુજરાતી હિન્દુઓ નહીં પણ હિંદુસ્તાનના બીજા વતનીઓ પણ એમનાં લખાણો તરફ ખેંચાયા વિના રહેત જ નહીં. સર રવીન્દ્રનાથ ઠાકુરનો દાખલો મોજૂદ છે.&lt;br /&gt;
અમારી ફરિયાદ પારસીઓની ભાષા માટે જ નથી પણ તેમનાં લખાણોના છીછરાપણા (Superficiality) અને સ્થાયી ગુણના અભાવ માટે પણ છે.&lt;br /&gt;
૨. અંગ્રેજી સાહિત્ય અને ભાષાનો પરિચય આપણી જિંદગીમાં વધતો જતો હોવાથી આપણા બોલવાં– લખવા ઉપર તેમની છાપ કુદરતી રીતે પડે છે. હિન્દુઓ પોતાનાં લખાણોમાં અંગ્રેજી શૈલી, વાક્યરચના, શબ્દો, રૂઢિઓનો ઉપયોગ કરે છે પણ બનતાં લગી તેમને અંગ્રેજી ન રાખતાં ગુજરાતી બનાવવા પ્રયત્ન કરે છે. પારસીઓ આવું કરતા નથી એટલે એમની ગુજરાતી ભાષા હાસ્યજનક અને કૃત્રિમ થાય છે. ભાષાના સ્વભાવથી વિરુદ્ધ વર્તવાથી ભાષા બગડી જાય છે અને તેની શક્તિઓ મરી જાય છે. પોષાકમાં અંગ્રેજી અને દેશી ઢબની સુંદર મેળવણી કરવાની જેવી કળા પારસી સુંદરીઓને આવડી છે તેવી સુંદર કળા ભાષાઓની મેળવણી કરવામાં વાપરતાં પારસી લેખકોને આવડતી નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|[૩]}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બે પક્ષની ફરિયાદની તપાસ કરી. હવે શું કરવું? ઊંચા પ્રકારના સ્વતંત્ર (Original) શિષ્ટ(Classical) લખાણ લખવા પ્રયત્ન કરવો. પછી તેમાં શબ્દો સંસ્કૃત વધારે હો કે ફારસી વધારે હો. ભાષા સંસ્કારી અને સુશ્લિષ્ટ તથા મધુર અને તેજસ્વી હશે – વિષય આકર્ષક અને ઉચ્ચ હશે તો તો લેખનો સત્કાર થયા વિના રહેશે જ નહીં.&lt;br /&gt;
લેખક થયા પહેલાં અને પછી શિષ્ટ ગુજરાતી ગ્રંથોનો અભ્યાસ ચાલુ રાખવો. પાંચ અંગ્રેજી વાર્તાના ગમે તેવા તરજુમા કર્યા એટલે ગુજરાતી ભાષાનું જ્ઞાન સર્વોત્તમ થઈ ગયું એમ માનવું નહીં પણ ગુજરાતી ભાષામાં સારું સાહિત્ય — દુનિયાનાં બીજાં સાહિત્યને મુકાબલે જરા પણ ઊતરે નહીં એવું સાહિત્ય — શી રીતે થઈ શકે તેનો અહોરાત્ર વિચાર કરી ઉપાય યોજવા.&lt;br /&gt;
જોડણી વિશે એક પદ્ધતિ અંગીકાર કરી તે પ્રમાણે હંમેશાં લખ્યા જવું. નર્મકોશ કે બેલસરે કૃત ગુજરાતી–અંગ્રેજી કોશ અને આપ્તે કૃત સંસ્કૃત–અંગ્રેજી કોશ દરેક લેખકે પોતાની પાસે રાખવા અને શબ્દોના અર્થ ન સમજાય તો તેમની મદદથી સમજવા.&lt;br /&gt;
હિન્દુ લેખકોએ જાણીજોઈને સંસ્કૃત શબ્દો કે સમાસો વાપરવા નહીં. અર્થ સરળતાથી સમજાય એવી ભાષા વાપરવા પર વધારે લક્ષ આપવું. પારસી લેખકો અને વાંચનારાઓની ભાષા વધારે સંસ્કારી અને શિષ્ટ થઈ શકે માટે ક્રમવાર પ્રયત્ન કરવા. સાધનોની ખોટ હોય તો તે ઉપજાવવાં. આનંદની વાત છે કે પારસીઓની ગુજરાતી ભાષા દિવસે દિવસે સુધરતી જાય છે અને આની આ ગતિ ચાલુ રહેશે તો બન્ને વચ્ચેનું ખરું અંતર થોડા વખતમાં દૂર થઈ જશે. પારસી માસિકોમાં હિન્દુ લેખકો પાસેથી લેખ મેળવવા અને હિન્દુ લેખકોનાં લખાણોનું અવલોકન આપવા હંમેશ તજવીજ કરવી જોઈએ. આવી તજવીજ પારસી લેખકો અને તેમનાં લખાણો માટે હિન્દુ માસિકોમાં થવી જોઈએ.&lt;br /&gt;
પારસીઓમાં વાર્તા લખનારાઓ પુષ્કળ થાય છે તેના કરતાં ડૉ. મોદી, પ્રો. દસ્તુર, પ્રો. વાડીઆ, પ્રો. સંજાણા, પ્રો. હોડીવાળા, મેસર્સ ભરડા, મસાણી, ખરેઘાટ, દલાલ, મુસ, નાયગામવાળા વગેરે વિદ્વાનો સરળ પણ શિષ્ટ ગુજરાતી ભાષા મારફત પોતાના જ્ઞાનનો ગુજરાતને લાભ આપે તો હિન્દુઓ અને પારસીઓ વચ્ચેનું અંતર દૂર થતાં વાર લાગે નહીં.&lt;br /&gt;
કેટલાક હિન્દુઓ ફારસી ભાષાનું અને સાહિત્યનું ગાઢ સેવન કરે અને ફારસીના સંસ્કારવાળી ગુજરાતી ભાષામાં ગ્રંથો લખે તેમ જ કેટલાક પારસીઓ સંસ્કૃત ભાષા અને સાહિત્યનું ગાઢ સેવન કરે અને સંસ્કૃતના સંસ્કારવાળી ગુજરાતી ભાષામાં ગ્રંથો લખે તો બન્ને કોમ વચ્ચે વિરોધ થાય છે તે જલદી ઘટી જશે.&lt;br /&gt;
શિષ્ટ ફારસી ગ્રંથોના સંસ્કૃતમય ગુજરાતીમાં રસિક ભાષાંતરો કે અનુવાદો હિન્દુઓ કરે અને શિષ્ટ સંસ્કૃત ગ્રંથોના ફારસી ગુજરાતીમાં રસિક ભાષાંતરો કે અનુવાદો પારસીઓ કરે તો બન્ને કોમની ભાષા અને સાહિત્ય વચ્ચે એખલાસ વહેલો વધશે.&lt;br /&gt;
પારસી છાપખાનાંઓમાં પારસી વર્તમાનપત્રોના ‘ઍડિટોરિયલ સ્ટાફ’માં ‘ટ્રેન્ડ’ ગુજરાતી શિક્ષકો રાખવામાં આવે, પારસી ગ્રંથોનાં પ્રૂફ એમની પાસે સુધરાવવામાં આવે તો પારસી – ગુજરાતી દોષરહિત થતાં વાર લાગશે નહીં અને પારસીઓને સારી શુદ્ધ ગુજરાતી લખવાની ટેવ પડશે.&lt;br /&gt;
બન્ને પ્રજાઓ વચ્ચેનો વિખવાદ વધારવા નહીં પણ ઓછો કરવા આ લેખ સફળ થશે તો મારી મહેનત કૃતાર્થ થયેલી માનીશ.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
સપ્ટેમ્બર ૧૯૧૫&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ગુજરાત કેળવણી પરિષદ&lt;br /&gt;
|next = ઈસુનુ વર્ષ ૧૯૦૮&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B6%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8&amp;diff=111447</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/શુદ્ધ ગુજરાતી ભાષા સામે પારસીઓની ફરિયાદની તપાસ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B6%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B8%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AB%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%A4%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8&amp;diff=111447"/>
		<updated>2026-05-29T16:11:37Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|શુદ્ધ ગુજરાતી ભાષા સામે પારસીઓની ફરિયાદની તપાસ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હિંદુઓ અને પારસીઓ ગુજરાતી સાહિત્યની સેવા તરેહ તરેહ રીતે બજાવે છે. બન્નેનાં જાતિસ્વભાવ, સંસ્કાર(culture), ધર્મ, કેળવણી, રહેણીકરણી અને લક્ષ્ય(goal) જુદાં હોવાથી બન્નેની સાહિત્યસેવા નિરાળી ખાસિયતવાળી થઈ છે. આ નિરાળી ખાસિયતને લીધે કેટલીક ગેરસમજ થયા કરે છે અને તેથી બન્ને વચ્ચે કડવો મતભેદ વારંવાર વિખવાદ ઊભો કર્યા કરે છે.&lt;br /&gt;
હિંદુઓ ‘જડબાતોડ’ સંસ્કૃત શબ્દો વાપરે છે અને જાણી જોઈને ફારસી શબ્દોનો ત્યાગ કરે છે—આવી ફરિયાદ અવારનવાર પારસીઓ તરફથી કરવામાં આવે છે. પારસીઓની ફરિયાદ એમની નજરે વાજબી છે છતાં હિંદુઓની વર્તણૂક ગંભીરતાથી તપાસવાના પ્રયત્ન થયા નથી એટલે એ ફરિયાદ એની યોગ્યતા કરતાં વધારે વજન પામે છે.&lt;br /&gt;
હિંદુઓની વર્તણૂકનો કાંઈક ખુલાસો કરવામાં આવે અને સમજુ પારસીઓ એ ખુલાસાથી સંતોષ પામી બન્ને કોમ વચ્ચેની કડવાશ દૂર કરવા તૈયાર થાય એવા હેતુથી આ લેખ લખવામાં આવ્યો છે.&lt;br /&gt;
૧. અંગ્રેજોની છાયા નીચે હિન્દુસ્તાનની દરેક ભાષાનાં વિકાસ અને વૃદ્ધિ થતાં જાય છે. નવા નવા વિચારો દેશમાં પ્રવેશતા અને જન્મતા જાય છે. એ નવા વિચારો માટે નવા શબ્દો, નવાં રૂપો વગેરે ઘડવાં પડે છે. ઘડતરની આ નવી સામગ્રી ભાષામાં ન હોય તો કુદરતી રીતે તેનાં પિયરમાંથી જોઈતી સામગ્રી લાવવામાં આવે. ગુજરાતી ભાષાને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે તે પોતાની(નાનીના) દાદીના અખૂટ ભંડારમાંથી જોઈતી વસ્તુઓ લઈ આવી છે અને હાલ લાવે છે. હાલમાં નવા વિચારો જથ્થાબંધ ઉત્પન્ન થતા જાય છે એટલે તે દર્શાવવા નવા નવા શબ્દો પણ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં જથ્થાબંધ આવતા જાય છે. જાણી જોઈને સંસ્કૃત શબ્દો હિંદુઓ વાપરે છે તેના કરતાં એ શબ્દો વાપર્યા વિના છૂટકો જ નથી એવી સ્થિતિ આવી છે એવું આથી સાબિત થાય છે.&lt;br /&gt;
૨. કેળવણીના ફેલાવા સાથે સંસ્કૃતનું જ્ઞાન હિંદુઓમાં વધારે ને વધારે ફેલાતું જાય છે. લેખકોને કેળવણી મારફત પોતાની જન્મભાષાનું જ્ઞાન બહુ જ જૂજ મળે છે એટલે લખતી વખતે સંસ્કૃતના જ્ઞાનનો કુદરતી ઉપયોગ થઈ જાય છે. અંગ્રેજી અને સંસ્કૃત ભાષા અને સાહિત્યનો તેમને પરિચય હોય છે. અંગ્રેજી સાહિત્યના પરિચયથી જે જે વિચારો નવા સૂઝે તે તે દર્શાવવાના શબ્દો સંસ્કૃત ભાષામાંથી એકદમ સૂઝી આવે છે અને એ શબ્દો ગુજરાતીમાં વપરાય છે.&lt;br /&gt;
૩. હિન્દુઓના ધર્મ તથા સંસ્કાર(culture)ના ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે. છાપખાનાંની સગવડને લીધે એ ગ્રંથો મૂળ સ્વરૂપમાં વાંચવા હિન્દુઓને વૃત્તિ થાય છે. આ વૃત્તિ દહાડે દહાડે વધતી જવાની. કારણ કે સંસ્કૃત ભાષામાં હિન્દુઓના બાપદાદાઓએ મૂલ્ય ન થાય એવો ખજાનો હિન્દુઓને માટે અને દુનિયાને માટે મૂક્યો છે. એ ખજાનાનો લાભ લેવા અને બીજાને આપવા હિન્દુઓ પ્રયત્ન કરવાના. આમ સંસ્કૃતનો પરિચય જેમ જેમ વધતો જશે તેમ તેમ લોકભાષામાં સંસ્કૃત શબ્દોનો વપરાશ વધતો જવાનો.&lt;br /&gt;
૪. સમગ્ર હિન્દુસ્તાનમાં હાલ એકરાષ્ટ્રભાવના(Nationality) જન્મ પામી છે. એ લાગણીને પોષવા અને વધારે વ્યવહારુ કરવા હિન્દુસ્તાનના વતનીઓના અરસપરસના વ્યવહાર માટે એક ભાષાની જરૂર લાગે છે.&lt;br /&gt;
અંગ્રેજી રાજ્યકર્તાની ભાષા હોવા છતાં એક ભાષા થઈ શકે એમ નથી. હિન્દુ પ્રજાને જે ચેતન સંસ્કૃત ભાષા આપી શકે એમ છે, મુસલમાનોને જે ચેતન અરબી ભાષા આપી શકે એમ છે તે અંગ્રેજી આપી શકે એમ નથી. અમારી ખાસિયતથી એ ભાષા તદ્દન જુદી જ છે. વળી હિન્દુસ્તાનનો દરેક વતની એ શીખી એથી ચેતન મેળવે એવી જોગવાઈ કે સગવડ હાલ નથી.&lt;br /&gt;
હિન્દુસ્તાનના જુદા જુદા પ્રાંતની ભાષાઓમાંથી પણ એકે એ સ્થાન લઈ શકે એમ નથી. ચેતન જગાડનારું સામર્થ્ય એકેમાં નથી; અને હોય તો પ્રાંતિક ભાષાઓનો નાશ કરી તેમનું સ્થાન લઈ શકે એવા સંજોગો નથી. પ્રાંતિક ભાષાઓની નિરાળી વૃદ્ધિ થયા કરે છતાં તેઓ વચ્ચેનું અંતર શી રીતે ઘટે? સંસ્કૃત શબ્દોના સર્વત્ર વધારે વપરાશથી. આ માત્ર તરંગ નથી પણ સૌની આંખ આગળ બનતો બનાવ છે. અત્યારે જેને સંસ્કૃત આવડતું હોય છે તે અર્વાચીન બંગાલી, હિન્દી, મરાઠી, ગુજરાતી સાહિત્ય વાંચી સમજી શકે છે. હિન્દુઓમાં એકતા લાવવા સંસ્કૃત શબ્દો છૂટથી વાપરવાની જરૂર હોવાથી ગુજરાતીમાં તે વપરાવાના.&lt;br /&gt;
૫. હિંદુસ્તાનની બધી પ્રાંતિક ભાષાઓમાં–બંગાળી, મરાઠી, હિંદી, પંજાબી, આર્ય ભાષાઓમાં, તેમ જ તામીલ, આંધ્ર જેવી દ્રવિડ ભાષાઓમાં પણ સંસ્કૃત શબ્દો વધારે ને વધારે વપરાશમાં આવતા જાય છે. ઉર્દૂમાં ફારસી અને અરબી ભાષાના શબ્દો વધારે ને વધારે વપરાશમાં આવતા જાય છે. હાલ પ્રગતિનો અને પ્રવૃદ્ધિનો યુગ છે. ભાષાઓના શબ્દભંડાર તવંગર થતા જાય છે. આવે વખતે કોઈ પણ પ્રજા – અને તેમાંયે ખાસ કરીને જેને ઉન્નત થવું છે એવી પ્રજા પોતાના અમુક ભાગની સગવડ ખાતર દરિદ્ર રહેવા પ્રયત્ન કરે તો તેનો આત્મઘાત જ થાય. ગુજરાતી ભાષામાં સંસ્કૃત શબ્દોનો વપરાશ છૂટથી નહીં થાય તો ગુજરાતી ભાષા એની બીજી બેન – ભાષાઓને મુકાબલે કંગાળ રહેશે અને પોતાની આબરૂ ખોશે.&lt;br /&gt;
બોલવાની ભાષામાં ગમે તેવા ભેદ હોય પણ લખવાની ભાષા તો સરખી જ હોવી જોઈએ. બંગાળમાં મુસલમાનોની સંખ્યા ઘણી મોટી છે છતાં શિષ્ટ મુસલમાની લેખકો સંસ્કૃતમય બંગાળીમાં જ લખે છે.&lt;br /&gt;
૬. સંસ્કૃત ભાષા અને સાહિત્યનો એકવાર પરિચય થયો કે એના ગુણોનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. લાઘવનો એનો મશહુર ગુણ સંસ્કૃત શબ્દોનો વધારે ઉપયોગ કરાવે છે. એના શબ્દોની મીઠાશ, શબ્દોનો અવાજ અને રણકો એવાં મજાનાં લાગે છે કે એમની સાથે બીજી ભાષાની મીઠાશ કે તેના શબ્દોનો રણકો ખૂંચે છે.&lt;br /&gt;
સંસ્કૃત ભાષાના વધારે વપરાશનાં કારણો ટૂંકામાં જોયાં. હવે ફારસીના વપરાશનો ઘટાડો શાથી થાય છે તે તપાસીએ.&lt;br /&gt;
૧. રાજ્યકર્તાની ભાષા તરીકે ફારસી ભાષા હિન્દુસ્તાનમાં ફેલાવા પામી. રાજ્યના વ્યવહારને અંગે જેટલી અસર થઈ તેટલી એણે હિન્દુઓની જિંદગી પર કરી. હિન્દુઓ એનો સારો અભ્યાસ કરતા પણ સાદી, હાફીઝ, ફીરદોસી જેવા લેખકો હિંદુઓમાંથી ઉત્પન્ન થયા નથી. તેમ મનુ, કાલિદાસ, ભવભૂતિ, શંકરાચાર્ય, વ્યાસ, વાલ્મિકી, બાણ, ચાણક્ય, તુલસીદાસ, સુરદાસ, મીરાંબાઈ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ જેવા સમર્થ હિન્દુ લેખકો ફારસીમાં થયા નથી અને ફારસી વાણી દ્વારા હિન્દુ પ્રજાની જિંદગીના રૂપરંગ ફેરવ્યા નથી. ફારસી ભાષા હિંદુઓની જિંદગીમાં પચી ગઈ નહોતી. જે સત્તાને લીધે એનો વ્યવહાર જરૂરી હતો તે સત્તાના નાશથી એનો વ્યવહાર અટકી પડ્યો.&lt;br /&gt;
૨. વ્યવહાર અટકી પડવાથી – એ શીખવાની જરૂર જતી રહેવાથી હિંદુઓ એનો અભ્યાસ કરતા નથી. ફારસી સાહિત્ય સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યને મુકાબલે એટલું બધું ઊતરતું છે કે એ રીતે પણ એનો અભ્યાસ કરવાનું ખાસ આકર્ષણ થાય એમ નથી.&lt;br /&gt;
આ કારણોથી ફારસી શબ્દો આપોઆપ વપરાશમાંથી ઘટતા જાય છે. અભણ હિંદુઓમાં દેખાદેખીથી જે જે ફારસી શબ્દો દાખલ થઈ ગયા હતા તે શબ્દોમાંના ઘણાકને બદલે હવે અંગ્રેજી કે સંસ્કૃત શબ્દો વપરાવા માંડ્યા છે. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં ન્યાયને ખાતર કહેવું જોઈએ કે ગુજરાતી હિંદુઓએ ફારસીનો તદ્દન તિરસ્કાર નથી કર્યો. મણિલાલ નભુભાઈ, કલાપી, સાગર વગેરેની કવિતા વાંચશે અથવા રા. રા. નારાયણ વસનજી ઠક્કુરની કેટલીક વાર્તાઓ વાંચશે તો ગુજરાતીમાં રૂઢ નહીં એવા કેટલા બધા ફારસી શબ્દો વાપરેલા જણાશે.&lt;br /&gt;
અત્યારે દેશમાં જે જે બળો પ્રવર્તે છે તે તે બળો લક્ષમાં લેવામાં આવે તો ફરિયાદ તદ્દન ટકી શકે એમ નથી. હિંદુઓને એક થઈ પોતાના પૂર્વજોની સંસ્કૃતિ(civilization) અને સંસ્કારિતા(culture)નો લાભ લેવો છે અને યુરોપની સંસ્કૃતિ અને સંસ્કારિતાનો પણ લેવાય એટલો લાભ લઈ બન્નેના સમવાયથી નવી સંસ્કૃતિ અને સંસ્કારિતાને જન્મ આપવાનો છે. આ ઊંચું લક્ષ હિંદુઓના હૃદયને હલાવી રહ્યું છે. એ લક્ષની પ્રાપ્તિ માટે મહેનત કરતા હિન્દુઓ વ્યવહાર માટે સંસ્કૃત શબ્દો વધારે વાપરે એ તદ્દન કુદરતી હોવા છતાં એ વપરાશ સામે સમજ વગર ફરિયાદ કરવામાં આવે એ ગેરવ્યાજબી છે.&lt;br /&gt;
ગુજરાતી ભાષા વાપરવી હોય, હિંદુસ્તાનના નવા જીવનમાં સામેલ થવું હોય, તો પારસીઓને સંસ્કૃત શીખ્યા વિના છૂટકો નથી.&lt;br /&gt;
ઘરમાં ગુજરાતી ભાષા બોલીએ એટલે તે ભાષામાં લખાયેલા શિષ્ટ ગ્રંથો સમજાય જ એવો નિયમ નથી. જે લોકો ઘરમાં અંગ્રેજી બોલતા હશે તે બધા અભ્યાસ વગર મિલ્ટન, ટેનિસન, રસ્કિન, બેકન, મેકોલે, બાર્કલિ, હોબ્ઝ, ડાર્વિન, હક્ષલિ, ઓસ્ટેન કે શેક્સપિયર સમજી નથી શકતા. પારસી વાંચનારા અને પારસી લેખકોનું ગુજરાતી ભાષાનું જ્ઞાન કેટલું? વાંચનમાળાની ત્રણચાર ચોપડી દસ વર્ષની ઉંમર લગીમાં શીખ્યા હોય અને તેથી ગુજરાતીનું જેટલું જ્ઞાન મળ્યું હોય તે. ગુજરાતી ભાષાનું અને સાહિત્યનું સારું જ્ઞાન મેળવશો તો ફરિયાદ કરવાનું કારણ રહેશે નહીં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|[૨]}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક પક્ષ કહ્યો. બીજા પક્ષની વાત પણ જરા તપાસવી ઘટે છે.&lt;br /&gt;
 ઈરાનથી કયા પારસીઓ ગુજરાતમાં આવી વસ્યા હતા? અમીર ઉમરાવો અને લડવૈયાઓ મુસલમાનો સામે ખપી ગયેલા અથવા વટલી ગયેલા. ખેડૂતો અને કારીગરોનો કેટલોક ધર્મચુસ્ત ભાગ ગુજરાતમાં નાસી આવ્યો હશે, નાસી આવેલામાં સર્વ સંસ્કારી ઊંચા વર્ગના હોત તો તે પોતાની ભાષાનો ત્યાગ કરત જ નહીં; બહારના વ્યવહારમાં લોકભાષા વાપરત પણ ઘરમાં તો પોતાની જન્મભાષા જ વાપરત. જે ગુજરાતીઓ ઉત્તર હિંદુસ્તાન, મહારાષ્ટ્ર કે મદ્રાસ ઇલાકામાં જઈ વસ્યા છે તેઓ હજુ પણ ઘરમાં ગુજરાતી વાપરે છે અને બહાર લોકભાષા વાપરે છે. હાલના પારસીઓ ગમે તેટલા અંગ્રેજી કેળવણીમાં વધેલા હોય છે. છતાં ગુજરાતી ભાષા ઘરમાં વાપરે છે. સંસ્કારી લોકો પોતાની જન્મભાષાનો કદી ત્યાગ કરતા નથી.&lt;br /&gt;
પારસીઓ આવી થાણા, સુરત, ખંભાત, ભરૂચ જિલ્લાનાં ગામડામાં વસ્યા. પશ્ચિમ એશિયામાં મહારાજ્ય સ્થાપનાર લડાયક પારસીઓના વંશજો નાસી આવ્યા હોત તો મુસલમાની સલ્તનતમાં, રણક્ષેત્રમાં, રાજ્યવહીવટમાં તેઓ આગેવાન થયા વિના રહેત નહીં. પણ ખેડૂત અને કારીગર વર્ગ હોવાથી તેઓ ગામડામાં વસ્યા. કારણ કે ત્યાં તેમના નિર્વાહની જોગવાઈ થઈ શકે એમ હતું. ગામડામાં કુદરતી રીતે એમના જેવા જ ધંધાદારીનો સહવાસ થતો એટલે એમની ગુજરાતી ભાષા સુરત ભરૂચનાં ગામડાંની ભાષા જેવી થઈ. આ ભાષામાં અશુદ્ધિ હોય તો તેનો દોષ પારસીઓનો નહીં પણ એ ગામડાના વતની હિંદુઓનો છે.&lt;br /&gt;
ભાષા એ પ્રજાના જીવનમાંથી જન્મે છે. પ્રત્યેક પ્રજાની જે ખાસિયતો હોય છે તેની અસર ભાષાને પણ થાય છે. પારસીઓની પોતાની ભાષાની અમુક ખાસિયત હતી. એમના મનમાં અને દેહનાં બંધારણથી કેટલીક ખાસિયતો આવી હતી. પોતાની ભાષા મૂકી દઈ તદ્દન અલાયદી ભાષા સ્વીકારી રોજના વ્યવહાર તરીકે તે વાપરવા માંડ્યા છતાં મૂળની ખાસિયતો જતી નથી. કેટલાક અક્ષરોના ખરા ઉચ્ચાર પારસીઓથી નથી થઈ શકતા તેથી તેમની હાંસી કરવી ઘટતી નથી. એ જાતિસ્વભાવનું પરિણામ છે.&lt;br /&gt;
ગુજરાતમાં વસી પારસીઓ ગુજરાતી ભાષા બોલતા થયા ત્યારે જેવી ગુજરાતી ભાષા બોલાતી હતી તેવી જ ભાષા હવે બોલાતી નથી. ભાષાના દેહમાં અનેક ફેરફારો થયા છે અને થતા જાય છે. ફેરફાર થાય છે ત્યારે જૂની સ્થિતિ અશિષ્ટ લાગે છે.—જેટલા ફેરફાર હિંદુઓની ભાષામાં થાય છે એટલા પારસીઓની ભાષામાં થયા નથી એટલે કેટલાક શબ્દો, રૂપો, પ્રયોગો જે પૂર્વે ગુજરાતી ભાષામાં વપરાતા પણ હવે લુપ્તપ્રાય(obsolete) થયા છે તે હજુ પારસીઓ વાપરે છે એટલે એમની ભાષા હાલમાં હિંદુઓને અશિષ્ટ લાગે એ સ્વાભાવિક છે. આમ જૂના શબ્દો, પ્રયોગો વગેરેનો પ્રચાર ગુજરાતના ઘણા ભાગમાં છે. ખુદ નડિયાદની બોલીમાં એવા ઘણા પ્રયોગો છે. સંસ્કારી હિંદુ તે પ્રયોગો સાંભળી હસે છે. સાહિત્યમાં આવા પ્રયોગો કે શબ્દોને સ્થાન નથી આવતું પણ શુદ્ધ સાર્વજનિક ભાષા લખવામાં આવે છે. ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવા માટે સંસ્થાઓ અને સાધનો નથી. આમ હોવાથી હિન્દુઓ અને પારસીઓ સરખી જાતની ભૂલો ઘણીવાર કરે છે.&lt;br /&gt;
પ્રજાની ખાસિયત, ગુજરાતી ભાષા સ્વીકારવાના સંજોગ અને હાલમાં તેની શુદ્ધ અભ્યાસ માટેની સગવડોની ખામી ધ્યાનમાં લેતાં પારસીઓની ભૂલોનો કાગનો વાઘ હિન્દુઓએ કરવો નહીં.&lt;br /&gt;
પારસીઓ પોતાનાં લખાણોમાં વધારે ફારસી શબ્દો કે વાક્યરચના વાપરે તેથી ગુજરાતી ભાષા વધારે તવંગર થશે; ગુજરાતી ભાષાની શક્તિ વધશે એવું સુજ્ઞ હિન્દુઓ માને છે. પારસીઓએ સંસ્કૃત શબ્દો જ વાપરવા અને ફારસી ન જ વાપરવા એવો આગ્રહ કોઈ સુજ્ઞ હિન્દુ કરતો નથી.&lt;br /&gt;
પારસીઓમાં ગુજરાતી લખાણો સામે અમારા વાંધા નીચે પ્રમાણે છે :&lt;br /&gt;
૧. લેખક અને વાંચનારાની ગુજરાતી કેળવણી સંસ્કારી ન હોવાથી ભાષામાં ઘણી વાર ગામડીયા પ્રયોગો હોય છે; શિષ્ટ(classical) ભાષા અને શૈલીની ખામી હોય છે. પારસી લખનારાઓનો મોટો ભાગ તરજુમા કરનારનો છે; તેમાંયે ખાસ કરીને વાર્તાઓના મૂળ ગ્રંથ સાથે એમનો એકે તરજુમો સરખાવાઈ ઊંચો ઠર્યો નથી. ગુજરાતી ભાષા અને શક્તિઓની પૂરી પીછાન ન હોવાથી એ તરજુમાઓથી ગુજરાતી ભાષાની શક્તિઓ ખીલવી શકાઈ નથી.&lt;br /&gt;
પારસીઓ આટલા બધા કેળવાયેલા અને સંસ્કારી હોવા છતાં એમનામાંથી રામમોહનરાય, કેશવચંદ્ર સેન, દયાનંદ સરસ્વતી, રાનડે, ગોવર્ધનરામ, બંકિમચંદ્ર કે રવીન્દ્રનાથની હારમાં બેસે એવું કોઈ જન્મ્યું નથી. અંગ્રેજીનો અભ્યાસ એમનામાં લગભગ સાર્વજનિક હોવા છતાં તરુદત્ત કે સરોજિની નાયડુની પ્રતિષ્ઠા ઝાંખી પાડે એવો અંગ્રેજીમાં પણ પારસી કવિ થયો નથી. ચિત્રકલાનો પ્રચાર પારસીઓમાં ઘણો છે છતાં રવિ વર્મા, ધુરંધર કે અવનીન્દ્રનાથ ઠાકુર અને એમના શિષ્યોનાં ચિત્રો જેવાં ચિત્રો કોઈ પારસી ચિત્રકારે ચીતર્યાં નથી. સંગીતના અભ્યાસ અને પ્રચારનું પણ એવું જ નિરાશાજનક પરિણામ છે. પારસી પ્રજામાં સ્નેહલગ્ન, સંવનનનો(love marriage, courtship) પ્રચાર છે છતાં સ્નેહનાં કે વિરહનાં મીઠાં કવન કે ગાન હજુ કોઈ પારસીએ કર્યાં નથી. પારસીઓનો વૈભવ, કેળવણી, સંસ્કાર ઉછીનાં છે. હજુ એમનું હૃદય જાગૃત થયું હોત અને ગુજરાતી ભાષા દ્વારા તે આવિર્ભાવ પામ્યું હોત તો એમની ભાષાની અનેક ખામી હોવા છતાં ગુજરાતી હિન્દુઓ નહીં પણ હિંદુસ્તાનના બીજા વતનીઓ પણ એમનાં લખાણો તરફ ખેંચાયા વિના રહેત જ નહીં. સર રવીન્દ્રનાથ ઠાકુરનો દાખલો મોજૂદ છે.&lt;br /&gt;
અમારી ફરિયાદ પારસીઓની ભાષા માટે જ નથી પણ તેમનાં લખાણોના છીછરાપણા (Superficiality) અને સ્થાયી ગુણના અભાવ માટે પણ છે.&lt;br /&gt;
૨. અંગ્રેજી સાહિત્ય અને ભાષાનો પરિચય આપણી જિંદગીમાં વધતો જતો હોવાથી આપણા બોલવાં– લખવા ઉપર તેમની છાપ કુદરતી રીતે પડે છે. હિન્દુઓ પોતાનાં લખાણોમાં અંગ્રેજી શૈલી, વાક્યરચના, શબ્દો, રૂઢિઓનો ઉપયોગ કરે છે પણ બનતાં લગી તેમને અંગ્રેજી ન રાખતાં ગુજરાતી બનાવવા પ્રયત્ન કરે છે. પારસીઓ આવું કરતા નથી એટલે એમની ગુજરાતી ભાષા હાસ્યજનક અને કૃત્રિમ થાય છે. ભાષાના સ્વભાવથી વિરુદ્ધ વર્તવાથી ભાષા બગડી જાય છે અને તેની શક્તિઓ મરી જાય છે. પોષાકમાં અંગ્રેજી અને દેશી ઢબની સુંદર મેળવણી કરવાની જેવી કળા પારસી સુંદરીઓને આવડી છે તેવી સુંદર કળા ભાષાઓની મેળવણી કરવામાં વાપરતાં પારસી લેખકોને આવડતી નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|[૩]}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બે પક્ષની ફરિયાદની તપાસ કરી. હવે શું કરવું? ઊંચા પ્રકારના સ્વતંત્ર (Original) શિષ્ટ(Classical) લખાણ લખવા પ્રયત્ન કરવો. પછી તેમાં શબ્દો સંસ્કૃત વધારે હો કે ફારસી વધારે હો. ભાષા સંસ્કારી અને સુશ્લિષ્ટ તથા મધુર અને તેજસ્વી હશે – વિષય આકર્ષક અને ઉચ્ચ હશે તો તો લેખનો સત્કાર થયા વિના રહેશે જ નહીં.&lt;br /&gt;
લેખક થયા પહેલાં અને પછી શિષ્ટ ગુજરાતી ગ્રંથોનો અભ્યાસ ચાલુ રાખવો. પાંચ અંગ્રેજી વાર્તાના ગમે તેવા તરજુમા કર્યા એટલે ગુજરાતી ભાષાનું જ્ઞાન સર્વોત્તમ થઈ ગયું એમ માનવું નહીં પણ ગુજરાતી ભાષામાં સારું સાહિત્ય — દુનિયાનાં બીજાં સાહિત્યને મુકાબલે જરા પણ ઊતરે નહીં એવું સાહિત્ય — શી રીતે થઈ શકે તેનો અહોરાત્ર વિચાર કરી ઉપાય યોજવા.&lt;br /&gt;
જોડણી વિશે એક પદ્ધતિ અંગીકાર કરી તે પ્રમાણે હંમેશાં લખ્યા જવું. નર્મકોશ કે બેલસરે કૃત ગુજરાતી–અંગ્રેજી કોશ અને આપ્તે કૃત સંસ્કૃત–અંગ્રેજી કોશ દરેક લેખકે પોતાની પાસે રાખવા અને શબ્દોના અર્થ ન સમજાય તો તેમની મદદથી સમજવા.&lt;br /&gt;
હિન્દુ લેખકોએ જાણીજોઈને સંસ્કૃત શબ્દો કે સમાસો વાપરવા નહીં. અર્થ સરળતાથી સમજાય એવી ભાષા વાપરવા પર વધારે લક્ષ આપવું. પારસી લેખકો અને વાંચનારાઓની ભાષા વધારે સંસ્કારી અને શિષ્ટ થઈ શકે માટે ક્રમવાર પ્રયત્ન કરવા. સાધનોની ખોટ હોય તો તે ઉપજાવવાં. આનંદની વાત છે કે પારસીઓની ગુજરાતી ભાષા દિવસે દિવસે સુધરતી જાય છે અને આની આ ગતિ ચાલુ રહેશે તો બન્ને વચ્ચેનું ખરું અંતર થોડા વખતમાં દૂર થઈ જશે. પારસી માસિકોમાં હિન્દુ લેખકો પાસેથી લેખ મેળવવા અને હિન્દુ લેખકોનાં લખાણોનું અવલોકન આપવા હંમેશ તજવીજ કરવી જોઈએ. આવી તજવીજ પારસી લેખકો અને તેમનાં લખાણો માટે હિન્દુ માસિકોમાં થવી જોઈએ.&lt;br /&gt;
પારસીઓમાં વાર્તા લખનારાઓ પુષ્કળ થાય છે તેના કરતાં ડૉ. મોદી, પ્રો. દસ્તુર, પ્રો. વાડીઆ, પ્રો. સંજાણા, પ્રો. હોડીવાળા, મેસર્સ ભરડા, મસાણી, ખરેઘાટ, દલાલ, મુસ, નાયગામવાળા વગેરે વિદ્વાનો સરળ પણ શિષ્ટ ગુજરાતી ભાષા મારફત પોતાના જ્ઞાનનો ગુજરાતને લાભ આપે તો હિન્દુઓ અને પારસીઓ વચ્ચેનું અંતર દૂર થતાં વાર લાગે નહીં.&lt;br /&gt;
કેટલાક હિન્દુઓ ફારસી ભાષાનું અને સાહિત્યનું ગાઢ સેવન કરે અને ફારસીના સંસ્કારવાળી ગુજરાતી ભાષામાં ગ્રંથો લખે તેમ જ કેટલાક પારસીઓ સંસ્કૃત ભાષા અને સાહિત્યનું ગાઢ સેવન કરે અને સંસ્કૃતના સંસ્કારવાળી ગુજરાતી ભાષામાં ગ્રંથો લખે તો બન્ને કોમ વચ્ચે વિરોધ થાય છે તે જલદી ઘટી જશે.&lt;br /&gt;
શિષ્ટ ફારસી ગ્રંથોના સંસ્કૃતમય ગુજરાતીમાં રસિક ભાષાંતરો કે અનુવાદો હિન્દુઓ કરે અને શિષ્ટ સંસ્કૃત ગ્રંથોના ફારસી ગુજરાતીમાં રસિક ભાષાંતરો કે અનુવાદો પારસીઓ કરે તો બન્ને કોમની ભાષા અને સાહિત્ય વચ્ચે એખલાસ વહેલો વધશે.&lt;br /&gt;
પારસી છાપખાનાંઓમાં પારસી વર્તમાનપત્રોના ‘ઍડિટોરિયલ સ્ટાફ’માં ‘ટ્રેન્ડ’ ગુજરાતી શિક્ષકો રાખવામાં આવે, પારસી ગ્રંથોનાં પ્રૂફ એમની પાસે સુધરાવવામાં આવે તો પારસી – ગુજરાતી દોષરહિત થતાં વાર લાગશે નહીં અને પારસીઓને સારી શુદ્ધ ગુજરાતી લખવાની ટેવ પડશે.&lt;br /&gt;
બન્ને પ્રજાઓ વચ્ચેનો વિખવાદ વધારવા નહીં પણ ઓછો કરવા આ લેખ સફળ થશે તો મારી મહેનત કૃતાર્થ થયેલી માનીશ.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
સપ્ટેમ્બર ૧૯૧૫&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ગુજરાત કેળવણી પરિષદ&lt;br /&gt;
|next = ઈસુનુ વર્ષ ૧૯૦૮&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6&amp;diff=111446</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાત કેળવણી પરિષદ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6&amp;diff=111446"/>
		<updated>2026-05-29T16:06:18Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગુજરાત કેળવણી પરિષદ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભારતવર્ષમાં જે પ્રજાની આણ ઓજ વર્તે છે તે આત્મશાસક પ્રજા છે. ભારતવર્ષના રાજ્યવહીવટમાં–પ્રજાશાસનના તત્ત્વને તેમણે સ્થાન આપ્યું છે. પ્રસંગો હવે એવા આવતા જાય છે કે બ્રિટિશ સામ્રાજ્યમાં ભારતવર્ષને સામ્રાજ્યનાં બીજાં અંગો જેવું સ્થાન પ્રાપ્ત થશે. એ અંગો પ્રજાશાસક છે અને ભારતવર્ષ નથી એટલે આજ દિન લગી ભારતવર્ષની ઉપેક્ષા કરવામાં આવી છે. યુરોપના વર્તમાન કુરુક્ષેત્રમાં ભારતવર્ષનાં સંતાનોના રેડાયેલા લોહીથી એ ઉપેક્ષા કમી થઈ છે. સામ્રાજ્યકુટુંબમાં ભારતવર્ષનો ગૌરવભર્યો આદર થાય માટે એણે પ્રજાશાસક થવું ઘટે છે. શાસનનું મૂલ્ય પ્રજા પીછાનતી હોય, શાસન પર પ્રભાવ પાડવા આતુર હોય અને શાસન હાથમાં લેવા યોગ્ય, સંપન્ન અને શક્તિવાળી હોય તો જ પ્રજાશાસનનો નિર્વાહ થઈ શકે છે. ઇષ્ટાપત્તિ માટે ભારતવર્ષની સમગ્ર પ્રજાએ યોગ્યતા પ્રાપ્ત કરવાની છે. ભારતવર્ષ વિસ્તીર્ણ ખંડ જેવડો દેશ છે તેથી સમગ્રની સંકલના કરનારી હિલચાલની સાથે સાથે સમગ્રનાં અવયવો ચેતનવંતાં કરવાની હિલચાલો પણ થવી જોઈએ. એ અવયવો તે જુદા જુદા પ્રાંતો છે. સર્વની પરિસ્થિતિ પ્રમાણે લોકજીવન જાગૃત કરવા નાનાવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. પ્રાંતિક રાજદ્વારી પરિષદ, જિલ્લા રાજદ્વારી પરિષદ, સાહિત્યસંમેલન, વિદ્યાર્થીસંમેલન, સામાજિક સુધારણા પરિષદ, કેળવણી પરિષદ, પંડિત પરિષદ, પ્રાંતીય પરિષદ (આન્ધ્ર અથવા ઉત્કલ પરિષદ જેવી) વગેરે અનેક ચળવળોનાં મોજાં ભારતવર્ષના વિવિધ પ્રદેશોમાં ઊછળી રહ્યાં છે.&lt;br /&gt;
ગુજરાત ભારતવર્ષનું એક અવયવ છે. ઉદ્યોગ અને વ્યાપારમાં તેનાં સંતાનોની નિપુણતાથી ભારતવર્ષના વર્તમાન જીવનમાં તેનું સ્થાન મહત્ત્વનું છે. તેથી પ્રખર કર્તવ્ય માટે તે નિર્માણ થયેલો છે. એ કર્તવ્ય કરવાની તેની શક્તિ ખીલવવી અને કર્તવ્ય કરવાના પ્રસંગો ઉત્પન્ન કરવા એ ગુજરાતીઓની ફરજ છે.&lt;br /&gt;
ભારતવર્ષના બીજા બધા રાજદ્વારી પ્રાંતો કરતાં ગુજરાતની પરિસ્થિતિ તદ્દન નિરાળી અને વિષમ છે. જેટલો ગુજરાત બ્રિટિશ સત્તામાં છે તેનાથી સાડાપાંચ ગણો દેશી રાજ્યોને અધીન છે. દેશી રાજ્યોના વિસ્તાર પણ નાનામોટા છે – મૂંઝવે એવા છે. એમની પ્રગતિ પણ એવી જ નિરાશ કરે એવી છે. વડોદરા જેવું રાજ્ય ઘણી દિશામાં પ્રગતિમાન છે તો કચ્છ જેવું એટલું જ વિશાળ રાજ્ય હજુ પ્રગતિથી દૂર—ઘણું જ દૂર છે. બ્રિટિશ રાજ્યમાં પ્રજાની સત્તા વધતી જાય છે ત્યારે દેશી રાજ્યોમાં હતી તેટલી સત્તા પણ પ્રજાની ઘટતી જાય છે. છતાં દેશી રાજ્યો ધારે તો ગુજરાતને ગૌરવાન્વિત કરવામાં આગેવાની લઈ શકે એમ છે.&lt;br /&gt;
વસ્તુસ્થિતિ આવી વિષમ છે. પ્રગતિની ગતિમાં પાછળ રહી જવાની તીવ્ર દહેશત પણ લાગે છે; છતાં ગુજરાતના આગેવાનોમાં અને યુવાનોમાં ઉત્સાહ છે. એ ઉત્સાહ કાર્યપરાયણ થતો જાય છે તો કોઈ દિવસ કાર્યસાધક પણ નીવડશે.&lt;br /&gt;
અનેક રાજ્યવહીવટવાળા ગુજરાતમાં સર્વત્ર ફરી વળે એવી રાજદ્વારી પ્રવૃત્તિ શક્ય નથી. ધર્મ અને સંસારના ભેદો પણ એકતા સાધવામાં વિરોધ કરે એવા છે. આમ હોવાથી, જે વસ્તુનો ગુજરાતમાં સર્વત્ર પ્રસાર અને આદર હોય તેના અન્વયે પ્રજાકીય પ્રવૃત્તિ ચલાવી હોય તો લાભ થાય. ગુજરાતી ભાષા સમસ્ત ગુજરાતમાં બોલાય છે. તેનો અને તેના સાહિત્યનો પ્રવેશ સર્વત્ર છે. અમદાવાદની સાહિત્યસભા દ્વારા તેથી ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ થયો અને એ હિલચાલ ગુજરાતમાં બધે ફરી વળી છે. પરંતુ પ્રજાજીવનના પ્રશ્નો એટલા બધા છે – સંખ્યા મોટી છે, વિવિધ છે, વિષમ છે કે એક પ્રવૃત્તિ બસ નથી. આથી ભાષા જેવા સર્વમાન્ય વિષય કેળવણીપરત્વે પણ વાર્ષિક સંમેલન ભરવાની સૂચના સાહિત્યસભા સંમુખ ઈ. સ. ૧૯૦૯ માં રજૂ થઈ હતી. પરંતુ કેટલાંક કારણોસર તેનો અમલ થઈ શક્યો નહોતો પણ રાજકોટની ત્રીજી સાહિત્ય પરિષદના કાર્યક્રમમાં કેળવણીના ઘણા વિષયોને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી ગયે વર્ષે મે મહિનામાં સુરતમાં સાહિત્ય પરિષદનું પાંચમું અધિવેશન થયું. ત્યાં ફરજિયાત કેળવણી, કન્યાકેળવણી આદિ પ્રશ્નો ચર્ચવા કે નહીં એ સવાલ થયો. આખરે એમ કર્યું કે સાહિત્ય પરિષદમાં કેળવણીના પ્રશ્નોને સ્થાન ન આપવું અને જરૂર લાગે તો કેળવણી સંબંધમાં અલાયદી પરિષદ યોજવી. સાહિત્યસભાના જે સભાસદો ત્યાં હાજર હતા તેમને આ વાત રુચી. અમદાવાદ જઈ એમણે સાહિત્યસભા દ્વારા કન્યાકેળવણી માટે પ્રશ્નાવલિ તૈયાર કરી ગુજરાતમાં ફેરવી. ગઈ નાતાલમાં એઓ કૉંગ્રેસમાં મુંબઈ આવ્યા ત્યારે મુંબઈના કેટલાક ગુજરાતી યુવાનો સાથે મસલત થતાં અલાયદી કેળવણી પરિષદ યોજવાની જરૂર ફરીથી સ્વીકારાઈ. વખત વહેતો હતો ત્યાં અમદાવાદમાં ગોખલે સોસાયટીની સ્થાપના થઈ. હિન્દ સેવક સમાજ (Servants of India Society)ના યુવાન ગુજરાતી સભ્ય રા. રા. ઇંદુલાલ કનૈયાલાલ યાજ્ઞિક એવામાં અમદાવાદ ગયા અને ગોખલે સોસાયટી (જેના કેટલાક આગેવાનો સાહિત્યસભાવાળા સભાસદ છે) સમક્ષ આ પ્રશ્નનો ઉહાપોહ થયો અને આગામી પ્રાંતિક રાજદ્વારી પરિષદની સાથે પહેલી કેળવણી પરિષદ ભરવાનું નક્કી થયું. ઑક્ટોબરમાં તેનું સંમેલન થશે અને પ્રમુખસ્થાને ઑનરેબલ મિ. ચિમનલાલ હરીલાલ સેતલવાડ બિરાજશે.&lt;br /&gt;
જેમ જેમ સંમેલનો થતાં જશે તેમ તેમ પરિષદનો ઉદ્દેશ સ્પષ્ટ થતો જશે, આકાર પામતો જશે અને કાર્યપ્રદેશ વ્યવહારુ થતો જશે. આમ છતાં ઉદ્દેશ અને કાર્યપ્રદેશ સંબંધમાં કંઈક કહેવાનું પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
આ ચળવળને ગુજરાત કેળવણી પરિષદનું અભિધાન આપવામાં આવ્યું છે. કોઈ સવાલ કરશે કે કેળવણીનો પ્રશ્ન ભાષા અને સાહિત્ય જેવો એકદેશી નથી, સર્વદેશી છે – માત્ર ગુજરાતને જ લાગુ પડે છે એમ નથી પણ આખા મુંબઈ ઇલાકાને લાગુ પડે છે તો પછી પ્રાન્તિક રાજદ્વારી પરિષદ જેવી પ્રાંતિક કેળવણી પરિષદ ભરવાને બદલે ગુજરાત કેળવણી પરિષદ શા માટે ભરવી? આ ગંભીર સવાલનો ખુલાસો સવિસ્તર કરવો પડશે.&lt;br /&gt;
(૧) ગુજરાત કેળવણી પરિષદ મળવાથી પ્રાંતિક કેળવણી પરિષદની આવશ્યકતા મટી જતી નથી. મુંબઈમાં એ સંબંધમાં હિલચાલ પણ શરૂ થઈ છે. બે વચ્ચે વિરોધ નથી પણ અન્યોન્યને સહાયક થઈ શકશે. દેશ સમગ્રમાં ચેતન જગાવવા તેનાં નાનાં નાનાં અંગોમાં પણ નાનીમોટી પ્રવૃત્તિઓ સંચલિત કરવાનું સૂત્ર જેમને માન્ય હોય તેઓ આથી રાજી થશે.&lt;br /&gt;
(૨) આથી મહત્ત્વના હેતુઓ પણ ગુજરાત કેળવણી પરિષદના પ્રેરક છે.&lt;br /&gt;
ક. ગુજરાત વેપાર અને ઉદ્યોગની ભૂમિ છે. વર્તમાન યુગમાં પ્રજાજીવનમાં એ બેનું સ્થાન ઘણું જ આવશ્યક અને ઉપયોગી છે. રાજદ્વારી પરતંત્રતા કરતાં આર્થિક(વેપાર-ઉદ્યોગની) પરતંત્રતા અધિક હાનિપ્રદ નીવડે છે. ભારતવર્ષ જેવા વિશાળ પ્રદેશ ઉપર પ્રકૃતિ પ્રસન્ન છતાં – પ્રસન્નતાને લીધે વિવિધ પ્રકારનો ‘કાચો માલ‘ (raw materials) હંમેશ મબલખ ઉત્પન્ન થતો હોવા છતાં એ માલમાંથી વપરાશ માટે તૈયાર થતી ચીજો કરવાની આવડત, સાધન વગેરે ભારતવર્ષમાં ન હોવાથી તે ચીજો મેળવવા બીજા દેશોને આધીન તેને રહેવું પડે છે, તેથી પરિણમતી હાનિ સુવિદિત છે. આ હાનિ કાંઈક ઓછી કરવાનો યોગ ગુજરાતના ભાગ્યમાં જણાયો છે. વર્તમાન વૈજ્ઞાનિક યુગની સામગ્રીઓથી ઉદ્યોગો એણે સ્થાપ્યા છે. કલાભવન જેવી સંસ્થા પ્રથમ વડોદરામાં જ સ્થપાઈ અને વૈજ્ઞાનિક કેળવણીનો ઘોષ કરનાર અને સ્વાર્થત્યાગે તેનો પ્રચાર કરનાર પ્રો. ગજ્જર પણ ગુજરાતી છે અને તેમનું કાર્યક્ષેત્ર તે જ રહ્યું છે.&lt;br /&gt;
ભારતવર્ષમાં અને ભારતવર્ષ બહાર જ્યાં જ્યાં હિન્દીઓ વેપાર ખેડે છે તેમાં ગુજરાતીઓની સંખ્યા નાનીસૂની નહીં જણાય. પૂર્વમાં જાપાનથી માંડી પશ્ચિમમાં ઇંગ્લેંડ પર્યંત તેઓ પ્રસર્યા છે.&lt;br /&gt;
જે વેપારઉદ્યોગ ગુજરાતીઓના હાથમાં છે તે સરી ન જાય માટે તેમ જ ઊલટો વધે તે માટે તત્સંબંધી કેળવણીની જેવી અને જેટલી જરૂરિયાત હોય તેની વિચારણા કરવી, વ્યવસ્થા કરાવવી એ પ્રજાજીવનના વિકાસનો નાનોસુનો પ્રશ્ન નથી. વાણિજ્ય માટે જે યોગ્યતા ગુજરાતીઓમાં છે તે યોગ્યતા હજુ વધારે ભારતવર્ષના ઉત્કર્ષની સાધક શી રીતે થાય તેનો ઉત્તર ગુજરાતે દેવાનો છે. &lt;br /&gt;
ખ. ઉપર કહેવાઈ ગયું કે ગુજરાતમાં અનેક દેશી રાજ્યો છે. બ્રિટિશ રાજ્યમાં રાજ્યવ્યવહારના કેટલાક ખંડોમાં આપણો પ્રવેશ નથી એટલે એમને અંગે ઊંચા પ્રકારનો રાજ્યવહીવટી અનુભવ મેળવવાની જોગવાઈ પણ નથી. એ જોગવાઈને અભાવે આપણી બુદ્ધિનો વિકાસ કુંઠિત રહે અને પરિણામે રાષ્ટ્ર એ શક્તિ વિના પાંગળું રહે છે. પણ દેશી રાજ્યોમાં એવી જોગવાઈઓ પુષ્કળ છે. રાજ્યવહીવટના ઊંચા અને અટપટા પ્રશ્નોથી બુદ્ધિ કેળવવા, એવી બુદ્ધિથી પ્રજાશાસન અને રાષ્ટ્રજીવનની ખીલવણી માટે પ્રયોગો કરવા અને એ પ્રદેશોમાં પ્રાપ્ત કરેલાં બુદ્ધિ અને અનુભવોથી બ્રિટિશ સામ્રાજ્યમાં ભારતવર્ષનું સ્થાન ગૌરવભર્યું કરવા ગુજરાતીઓ શક્તિમાન થાય માટે એમને મળતી કેળવણી રેંજીપેંજી ન હોવી જોઈએ. દેશનાયકો થવાની તાલીમ લેવાની નિશાળો જ્યાં આટલી બધી છે ત્યાં કેળવણીનો પ્રશ્ન મહત્ત્વનો છે.&lt;br /&gt;
ગ. વડોદરાના રાષ્ટ્રવત્સલ નરેશે ગુજરાત ઉપર કરેલા અનેક ઉપકારોમાં પોતાના રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની કરેલી વ્યવસ્થાનો ઉપકાર ઘણો મોટો છે. પ્રત્યક્ષ પરિણામ તેનાં લાભદાયક નીવડતાં તેનું અનુકરણ શીઘ્રતાથી ગુજરાતનાં દેશી રાજ્યોમાં થવા સંભવ છે. વસ્તુતઃ અનુકરણ થવા પણ માંડ્યું છે. પરિસ્થિતિ આવ્યે અનુકૂળતા પ્રમાણે આ રીતે ગુજરાતમાં અનેક પ્રકારની કેળવણીના પ્રયોગો કરવાની જોગવાઈ છે. એ જોગવાઈઓનો લાભ લેવાય અને અન્યોન્યના પ્રયોગો અને તેમાંથી પ્રાપ્ત થતા અનુભવોનો મુકાબલો કરવા અલાયદી ચળવળ અને સંસ્થાની જરૂર છે.&lt;br /&gt;
વડોદરા રાજ્ય કેળવણીમાં અગ્રસ્થાન લેતું હોય અને ગુજરાતના બીજા ભાગો પાછળ રહે તો આપણા અનેક ભેદોમાં નવો એક ભેદ વધશે. પણ સર્વત્ર કેળવણીનો સરખો પ્રસાર કરવાની ચળવળ થાય તો ઘણે અંશે આ વિષમતા દૂર રહેશે.&lt;br /&gt;
ઘ. આ વૈજ્ઞાનિક યુગમાં સમુદ્રને મનુષ્યે પોતાનો દાસ બનાવ્યો છે. વેપારઉદ્યોગમાં આખા જગતનો વ્યવહાર સંકુલ એની મદદથી થયો છે. તેમ આક્રમણ, રક્ષણ આદિને માટે પણ પ્રજાઓને એ મદદ કરે છે. પૂર્વે ભારતવર્ષમાં ઉત્તરમાંથી આક્રમણ થતાં અને સમુદ્રથી રક્ષિત પ્રદેશો નિર્ભય રહેતા પણ હવે એવી નિર્ભયતા રહી નથી. સમુદ્રસ્થ પ્રદેશોને વેપાર માટે જેમ હાલમાં અનુકૂળતા વધી છે તેમ દેશના રક્ષણની જવાબદારી પણ વધી છે. ગુજરાત સમુદ્રસ્થ દેશ છે. એના વેપારીઓ અને ખલાસીઓનાં સાહસ અને પરાક્રમ મશહૂર છે. શોચની વાત છે કે હાલમાં તે બધું સુષુપ્તિમાં છે. બ્રિટિશ સામ્રાજ્યમાં સમાન સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ભારતવર્ષને પોતાનું નૌકાસૈન્ય કરવા અને વાણિજ્યનૌકાઓ રાખવાની જરૂર પડશે એવો વખત આવવાનો છે. આ પ્રસંગ માટે ગુજરાત તૈયાર હોવું જોઈએ. નાવિક શિક્ષણ માટે એક ગુજરાતી મુસલમાને મોટી રકમ સરકારને સ્વાધીન પણ કરી છે.&lt;br /&gt;
ડ. વેપારઉદ્યોગના પ્રદેશમાં જે ધર્મ ગુજરાતને માટે નિર્માણ થયો છે તેનો યથાર્થ નિર્વાહ કરવા ગુજરાતની રાજ્યદ્વારમાં પ્રતિષ્ઠા હોવી જોઈએ. રાજ્યકર્તાઓના સમાગમમાં, રાજ્યવ્યવહારની અનેક શ્રેણીઓમાં સંખ્યાબંધ ગુજરાતી હોય અને તેમની બુદ્ધિ, વિદ્યા, અનુભવ રાજ્યકર્તાને ઉપયોગી નીવડતાં હોય તો રાજ્યદ્વારમાં ગુજરાતની પ્રતિષ્ઠા અને સત્તા જામે. એ પ્રતિષ્ઠા એ સત્તા મેળવવા ગુજરાતીઓએ એવી ઊંચા પ્રકારની વિદ્યાથી સંપન્ન હોવા જોઈએ કે સરકારને તેમને રાજ્યવહીવટમાં સામેલ કર્યા વિના ચાલે જ નહીં.&lt;br /&gt;
ચ. રાજ્યદ્વારમાં જેવી પ્રતિષ્ઠા નથી તેવી પ્રતિષ્ઠા ભારતવર્ષના લોકસમુહમાં પણ નથી. આપણા પડોશી મહારાષ્ટ્રીઓમાં પણ નથી તો બીજેની તો વાત જ ક્યાં? સર જમશેદજી જીજીભાઈ, પ્રેમચંદ રાયચંદ, દાદાભાઈ નવરોજી, સર ફિરોઝશાહ મેહતા, જમશેદજી ટાટા, સર સયાજીરાવ ગાયકવાડ, મોહનદાસ કરમચંદ ગાંધી, દયાનંદ સરસ્વતી, અબદુલ જમાલ, વગેરે અનેક ગુજરાતીઓએ વેપાર અને રાજકીય પ્રશ્નોને અંગે ભારતવર્ષની સેવા કરી છે; છતાં રાનડે, ટિળક, ગોખલે, રામમોહનરાય, કેશવચંદ્રસેન, સુરેન્દ્રનાથ બેનરજી, પ્રો. જગદીશચંદ્ર બસુ, સર રવીન્દ્રનાથ ઠાકુરની સાથે એમની ગાદી મંડાતી નથી. મહારાષ્ટ્ર અને બંગાળને જે પ્રતિષ્ઠા એમનાં સંતાનોથી મળી છે તે ગુજરાતને એનાં સંતાનોથી – એમની અપ્રતિમ અને ચિરસ્થાયી સેવા છતાં મળી નથી. પણ હવે એ પ્રતિષ્ઠા મેળવવા પ્રયત્ન કરવાનો અવસર આવી લાગ્યો છે. પ્રજામાં શક્તિ છે પણ તેનું રાષ્ટ્રીય મમત્વ નથી. તે મમત્વ પ્રદીપ્ત કરી પ્રજ્વલંત કરવાનું છે.&lt;br /&gt;
પ્રતિષ્ઠા અને સત્તા માત્ર વિલાસ ખાતર નથી જોઈતાં, પરંતુ ભારતવર્ષની આધુનિક પ્રગતિને ગુજરાત સહાયક થાય માટે. ગુજરાતમાં કંઈ પાણી ન હોય અને ગુજરાત આવા મોટા મોટા મનોરથો હવામાં બાંધતું હોય તો તે હાસ્યાસ્પદ લેખાય. પરંતુ ગુજરાતમાં શક્તિ છે, ભારતવર્ષના અભ્યુદયમાં એનો હિસ્સો નિર્મિત થયેલો જણાતો જાય છે, પછી શક્તિને કેળવવામાં બેદરકાર રહેવું તે પાપ નથી? જે નવી સંસ્કૃતિ ભારતવર્ષમાં જન્મશે તેમાં ગુજરાતનું સ્થાન તેની સંગીન સેવાના અનુરૂપ થવું જોઈએ. એ મહેચ્છા પુણ્ય લેખાવી જોઈએ.&lt;br /&gt;
છ. વેપાર અને ઉદ્યોગમાં મહાલતા ગુજરાતમાં લક્ષ્મીની છોળ ઊડે છે,  રાષ્ટ્રની ઉન્નતિ અર્થે એ લક્ષ્મી જેટલી વપરાવી જોઈએ તે નથી વપરાતી એ ગંભીર ખેદનો વિષય છે. ગુજરાતમાં એ લક્ષ્મીનો સદુપયોગ કરાવવા લોકોપયોગી ચળવળ થાય તો દેશ, પ્રજા અને રાજ્યને અનેકધા લાભ છે. સદુપયોગ માટે ચર્ચા થાય, આદર્શો રજૂ કરવામાં આવે અને પ્રયોગો કરી તેનાં મીઠાં ફળ બતાવવામાં આવે તો જ લક્ષ્મી રાષ્ટ્રની ઉન્નતિ તરફ વળે.&lt;br /&gt;
જ. વેપારમાં સ્વાભાવિક રીતે આપખુદ કે એકહથ્થુ સત્તાને અવકાશ નથી. તેમાં સર્વનો સરખો સમાસ છે. આપણા પંચો, મહાજનો વગેરે એ સૂત્રનું સમર્થન કરે છે. લોકશાસનનાં (Democracy) તત્ત્વો આપણે ત્યાં વિદ્યમાન છે એટલું જ નહીં પણ પ્રવર્તમાન છે; અલબત્ત અમુક પ્રદેશોમાં, પણ એ તત્ત્વોને નવા જમાનાનો પાસ લાગ્યો નથી. એમનું રૂપ ફર્યું નથી. એમાં વહેતું લોહી નવો જન્મ પામ્યું નથી. લોકશાસનનો જે નવો પ્રવાહ ચાલ્યો આવે છે તેમાં આ જૂના કુંડોનું પાણી નહીં ભેળવવામાં આવે તો તે વધારે સડી જશે અને નવો પ્રવાહ જેટલી શીઘ્રતાથી પ્રજાના રુધિરમાંસમાં એકરસ થવો જોઈએ તેટલી ઝડપથી નહીં થાય. કેળવણીના વિપુલ પ્રચારથી પ્રચલિત જીવનયંત્ર નવેસર ચાલતું હશે.&lt;br /&gt;
ગુજરાતમાં જે નવજીવન ઉદય પામતું જાય છે અને તેના એક ફળરૂપે ગુજરાત કેળવણી પરિષદનો જન્મ છે તેના ગહનતમ અંતરમાં રહેલાં કેટલાંક પ્રેરક બળોનું સંક્ષિપ્ત દિગ્દર્શન કર્યું –એ દર્શન એટલું બધું ભવ્ય અને ગંભીર છે કે એ પ્રમાણે સ્થિતિ પ્રાપ્ત કરવા જે પ્રણાલિકાએ કાર્ય થાય તે અનુભવીઓને ઊણાં લાગવાનાં અને આશાનો ઉલ્લાસ સળગાવવાનાં નહીં. ગુજરાતીઓ વ્યવહારુ છે. ભાવના ઊંચી રાખે પણ કામ જે સામગ્રીથી કાર્યસાધક થઈ શકે તેનો ઉપયોગ કરવામાં પાછા હઠતા નથી. કેવી રીતે કામ કરવા ધારણા છે?&lt;br /&gt;
૧. ગુજરાતમાં વિવિધ રાજ્યસત્તા હોવાથી કેળવણીનો ફેલાવો પણ ઓછો- વત્તો છે. હાલમાં કેળવણીની સ્થિતિ જુદે જુદે સ્થળે કેવી છે? તેનાં કારણો શાં? અને તેમાં વેગ શી રીતે આવી શકે? એ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રસિદ્ધ થયેલા અહેવાલો ઉપરથી, પત્રવ્યવહારથી અને બને તેમ અંગત તપાસથી માહિતી મેળવવામાં આવશે. એ મેળવવા શરૂઆત તરીકે પ્રશ્નમાળા કાઢી ઠેકઠેકાણે મોકલવામાં આવી હતી. &lt;br /&gt;
૨. માહિતી મળ્યા પછી નિકટવર્તી વર્તમાનમાં કેળવણીની વૃદ્ધિ માટે કયા પ્રશ્નો જરૂરના છે તે નોખા તારવવામાં આવશે. સુરત, ગોધરા, અમદાવાદ, રાજકોટ, ભુજ જેવાં શહેરોમાં કૉલેજોની જરૂર; ઊંચામાં ઊંચી વિદ્યા પ્રાપ્ત કરવા ગુજરાતીઓ પરદેશ જઈ શકે એવાં સાધનોની જરૂર; ઊંચા કન્યાશિક્ષણ કે યુવતીશિક્ષણની જરૂર; કેળવણીમાં પછાત કોમોની કેળવણીની જરૂર; ગામડામાં વિશેષ શિક્ષણપ્રસારની જરૂર વગેરે જે કાંઈ લાગશે તે સંબંધમાં ચોક્કસ યોજનાઓ સરકાર સંમુખ, દેશી રાજ્યો સંમુખ અને શ્રીમંત ગુજરાતીઓ સંમુખ રજૂ કરવામાં આવશે. તે યોજનાઓ સિદ્ધ થાય માટે જરૂરની ચળવળ કરવામાં આવશે. &lt;br /&gt;
૩. કેળવણીની વર્તમાન સ્થિતિમાં જે ખામીઓ, દોષો, ન્યૂનતા, સ્ખલનો વગેરે જણાતાં જશે તેમના સંબંધમાં ચોક્કસ અને સંપૂર્ણ માહિતી મળતી જશે તેમ તેમ લાગતાવળગતા સંમુખ ફરિયાદો લઈ જવામાં આવશે અને તેમના નિકાલ માટે પ્રયત્ન કરવામાં આવશે. સરકારની, દેશી રાજ્યોની (ગાયકવાડી રાજ્ય સુદ્ધાંતની) કેળવણીની નીતિની ટીકા થશે અને લોકમત જાગૃત કરી ઇષ્ટપ્રાપ્તિ માટે ચળવળ થશે.&lt;br /&gt;
૪. પ્રચલિત સ્થિતિમાં શુભ ફેરફાર કરાવવામાં જેમ જેમ વિજય મળતો જશે તેમ તેમ તે સ્થિતિમાંથી બીજી દિશાઓમાં ગતિ કરવાના પ્રશ્નો લેવાશે અને તેમના સંબંધમાં લોકમત જાગૃત કરવામાં આવશે. ગુજરાતને માટે અલાયદું વિશ્વવિદ્યાલય (University); વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક શિક્ષણ માટે ગંજાવર વિદ્યાપીઠો, (Technological Institutions) પ્રાચીન આર્ય સંસ્કૃતિના પુનર્જન્મ માટે તેમ જ ગુજરાતીઓના વર્તમાન જીવનને વાસ્તવિક આર્યજીવન કરવાનાં સાધનો—નવા પુરોહિતોની કેળવણી, ધર્મનું શિક્ષણ, ચારિત્ર્યનાં બંધારણની તજવીજ; જે જે નવા નવા ધર્મો ગુજરાતને પ્રાપ્ત થતા જાય. તેમના નિર્વાહ માટે જરૂરી કેળવણીની તદ્દન નવી જ સંસ્થાઓ; વગેરે વગેરે પ્રશ્નો આ કોટિના છે.&lt;br /&gt;
આ રીતે કામ કરવાથી આટલા લાભ થવાનો સંભવ હાલ તો જણાય છે:&lt;br /&gt;
કેળવણીના વિષયમાં ગુજરાત જાગૃત થશે. કેળવણીના વહીવટમાં ક્યાં ખામી છે તે જણાશે અને તે દૂર કરવા લોકો તત્પર થશે. કેળવણીનો ફેલાવો ઓછો અથવા ધીમો લાગશે તો તેમાં વેગ ભરવા પ્રયત્નો થશે.&lt;br /&gt;
કેળવણીની જરૂરિયાત ચર્ચાથી સમજાશે. જ્યાં જ્યાં હાલ કેળવણી વિના મોટા મોટાં સાહસો ખેડાય છે ત્યાં ત્યાં કેળવણીનો પ્રવેશ થશે અને એ સાહસોમાં વિસ્મયકારક પરિવર્તન થશે. ગુજરાતનું દ્રવ્ય અનુત્પાદક અને નિરુપયોગી રીતે ખર્ચાય છે તે ભવિષ્યની પ્રજા તૈયાર કરવામાં ખર્ચાશે.&lt;br /&gt;
કેળવણી માટે ચળવળ કરવામાં અને સરકાર અથવા રાજાઓ પ્રજાની ખરેખરી વાંછનાઓ નહીં સંતોષે તો લોકો જાતે વાંછનાઓ અનુસાર કેળવણીની સંસ્થાઓ ઊભી કરવામાં સ્વાશ્રય શીખશે, આત્મશાસનના પાઠ શીખશે, સાર્વજનિક જીવનનો અનુભવ મેળવશે અને રાષ્ટ્રનું મમત્વ પોષશે.&lt;br /&gt;
કેળવણીના વિશેષ ફેલાવાથી જ્ઞાનની લહાણી વધશે, સંસારની વિષમતા ઘટશે, નવી શક્તિઓ ખીલશે અને આ યુગની સંપન્નતા આવશે, વિચાર વધશે અને ભારતવર્ષની સેવા માટે ગુજરાત તૈયાર થશે.&lt;br /&gt;
પરિષદનો સર્વે વ્યવહાર ગુજરાતીમાં થવાનો છે એટલે અંગ્રેજી નહીં શીખેલા અસંખ્ય ગુજરાતીઓ તેમાં રસ લઈ શકશે, સામેલ થઈ શકશે અને મદદ કરી શકશે. લોકાદર (democratic)નું આ પહેલું અને મહત્ત્વનું પગલું લેવાયું છે.&lt;br /&gt;
એક આવી હિલચાલ ચલાવવાથી ગુજરાતના સાર્વજનિક જીવનમાં નવું ચેતન આવશે. આજે ગુજરાતમાં બોલતા અને વિચારતા આગેવાનો માત્ર સાક્ષરો છે. તેમની સાથે બીજા વર્ગમાંથી આગેવાનો ઉમેરાશે. ‘સાક્ષરતા’ અને સંસ્કૃત શબ્દોથી ભડકતા ઘણા ગુજરાતીઓ આ હિલચાલમાં જોડાતાં સંકોચાશે નહીં. એમના જ્ઞાન અને અનુભવનો ગુજરાતને લાભ મળશે અને એમની નિગૂઢ, ક્રિયારહિત શક્તિઓ ખીલશે.&lt;br /&gt;
હવે વિષય સમેટી લેતાં પુનઃકથનનો દોષ વહોરી લઈ ટૂંકામાં પરિષદની જરૂર જણાવીશું :&lt;br /&gt;
પ્રાન્તિક કેળવણી પરિષદથી નિરાળી ગુજરાત કેળવણી પરિષદ કરવાનાં કારણો સ્પષ્ટ થયાં હશે. (૧) ગુજરાતનું રાષ્ટ્રીય જીવન ઘડવા ગુજરાતને પોતાની ખાસ ચળવળ જોઈએ છીએ. દેશી રાજ્યોવાળા ગુજરાતમાં આદર પામે એવી પણ સાથે સાથે. (૨) પ્રાંતિક કેળવણી પરિષદમાં દેશી રાજ્યોમાં પ્રચલિત કેળવણીના પ્રશ્નો બાતલ રાખવામાં આવે તે ગુજરાતને પાલવે એમ નથી. દેશી રાજ્યોને જુદાં રાખવાથી એની એકતા નિરંતર ખંડિત રહેશે. (૩) પ્રાંતિક કેળવણી પરિષદમાં ઘણીવાર મુંબઈ ઈલાકાના પછાત ભાગો (સિંધ, દક્ષિણ મહારાષ્ટ્ર, ખાનદેશ વગેરે)ના લાભો આગળ ગુજરાતના લાભો દટાઈ જવાનો ભય છે.&lt;br /&gt;
પોતાની ખાસ પરિષદ ભરવાથી ગુજરાતના લોકો પોતાનો ઉદ્ધાર કરવા જાતે જ પ્રવૃત્ત થશે અને રાષ્ટ્રીય જીવન ખીલવી શકશે. પોતાની લક્ષ્મીના પ્રમાણમાં કેળવણીનો લાભ મેળવી શકશે અને મહેચ્છા(aspiration)ના પ્રમાણમાં સિદ્ધિ(achievement) સાધી શકશે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ઑક્ટોબર ૧૯૧૬&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કેળવણી વિષે ટૂંકાં ટિપ્પણો&lt;br /&gt;
|next = શુદ્ધ ગુજરાતી ભાષા સામે પારસીઓની ફરિયાદની તપાસ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87_%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%82_%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3%E0%AB%8B&amp;diff=111445</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/કેળવણી વિષે ટૂંકાં ટિપ્પણો</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87_%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%82_%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3%E0%AB%8B&amp;diff=111445"/>
		<updated>2026-05-29T16:04:11Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કેળવણી વિષે ટૂંકાં ટિપ્પણો}}&lt;br /&gt;
{{center|[૧]}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અંગ્રેજી ભાષાનું જ્ઞાન આધુનિક સમયમાં ઉપયોગી ગણાય છે. તે રાજભાષા છે એટલું જ નહીં પણ વિશ્વભાષા જેવી છે. દેશપરદેશમાં ગમે ત્યાં દુનિયામાં જાઓ ત્યાં એ ભાષા આવડતી હશે તો ઘણી અગવડો ભોગવવી નહીં પડે. ગુજરાતી જેવા વેપારી લોકોમાં એ ભાષાનો વિસ્તૃત પ્રસાર થવાની ખાસ  અગત્ય છે. ગુજરાતના જે લોકો વેપાર અને ઉદ્યોગમાં પડેલા છે તેઓ અંગ્રેજી ભાષા અને તેમાં લખાયેલા સાહિત્યથી વાકેફગાર હોત તો આજે એમણે વેપારમાં પરદેશી વેપારીઓને હંફાવી દીધા હોત અને દુકાનદારી કરી નિર્વાહ કરે છે તેને બદલે વણિગ્રાજની પ્રતિષ્ઠા પામ્યા હોત; અને હિંદુસ્તાનમાં આજે કેટલાયે નવા ઉદ્યોગો એમને હાથે ચાલતા હોત. યુરોપના વર્તમાન મહાવિગ્રહને લીધે&lt;br /&gt;
ઘણી વસ્તુ આપણા દેશમાં આવતી બંધ થઈ ગઈ છે એટલે તેમની મોંઘવારી આપણા અનેક સુખસગવડનો ભંગ કરે છે તે દિવસ તો ન આવત. ગુજરાતમાં જ્યાં જ્યાં નિશાળો હોય ત્યાં ત્યાં અંગ્રેજી શીખવવાની તજવીજ સરકારે અથવા ધનાઢ્ય ગુજરાતીઓએ કરવાની ખાસ અગત્ય છે. આ સંબંધમાં બે-ત્રણ સંસ્થાઓમાં અંગ્રેજી દાખલ કરવાના પ્રશ્ન વિશે ટૂંકી ચર્ચા આ પરિચ્છેદનો વિષય છે.&lt;br /&gt;
ક. પ્રાથમિક નિશાળોમાં ગુજરાતી સાતમી ચોપડી લગી શીખવાય છે. જેમને અંગ્રેજી શીખવું હોય છે તેઓ ચોથી ચોપડી પૂરી કરી અંગ્રેજી નિશાળોમાં જાય છે અને ત્યાં અંગ્રેજીની સાથે બીજા વિષયો શીખે છે. આમાંના ઘણા વિષયો હાઈસ્કૂલમાં તેમને પાછા અંગ્રેજી મારફત શીખવા પડે છે એટલે એમની શક્તિ ખીલવાને બદલે કરમાવાનો વધારે સંભવ રહે છે. હવે સાત ચોપડીવાળી નિશાળોમાં અંગ્રેજી બીજી ભાષા તરીકે પાંચમી ચોપડીથી શીખવાય તો વિદ્યાર્થી સાતમી ચોપડીની સાથે ત્રીજી અંગ્રેજી ચોપડી પૂરી કરશે. આ&lt;br /&gt;
વિદ્યાર્થી હાઈસ્કૂલમાં દાખલ થયા પછી તેનું અંગ્રેજી સહેજ કાચું લાગે તો તેના પર અધિક ધ્યાન આપવાથી ચારને બદલે ત્રણ વર્ષમાં સુખેથી મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી શકે. ભાવનગર શહેરમાં ગુજરાતી નિશાળમાં અંગ્રેજી બીજી ભાષા તરીકે શીખવાય છે તેમ ચોથી ચોપડીમાંથી ઊઠી ઍંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં ભણનાર પણ છે. ચોથા ધોરણમાં બન્ને નિશાળમાંથી આવનારા વિદ્યાર્થીઓમાં ગુજરાતીવાળા બીજા બધા વિષયોમાં હોંશિયાર હોય છે માત્ર અંગ્રેજીમાં કાચા હોય છે. એંગ્લો વર્નાક્યુલરમાંથી આવનારા અંગ્રેજીમાં પ્રવીણ હોય છે ત્યારે બીજા વિષયોમાં કાચા હોય છે.&lt;br /&gt;
ગુજરાતી નિશાળ અને હાઈસ્કૂલ વચ્ચે એકદિલી હોય તો જે કાંઈ ખામીઓ આ વ્યવસ્થામાં રહેવાનો સંભવ છે તે દૂર થઈ શકે. હાઈસ્કૂલમાં જે વિદ્યાર્થીઓ આવી રીતે શીખીને ગુજરાતી નિશાળમાં આવે ત્યારે તેમનું અંગ્રેજી શિક્ષણ સંગીન કરવા ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. એથી શિક્ષકનું કામ વધવાનું નથી. વર્ગમાં શીખવવાના બીજા વિષયોમાં વિદ્યાર્થી કાબેલ હોવાથી એ રીતે જે વખત બચે તે અંગ્રેજી પાકું કરવામાં ગાળવાનો છે. વિદ્યાર્થીની બુદ્ધિ પણ ખીલેલી હોવાથી અંગ્રેજી પાકું કરતાં તેને વાર નહીં લાગે. બીજો ફેરફાર કરવાનો તે ગુજરાતી નિશાળના હેડમાસ્તર તરીકે ગ્રેજ્યુએટની નિમણુક થવી જોઈએ. આવા ગ્રેજ્યુએટને એક વર્ષ ટ્રેનિંગ કૉલેજમાં તાલીમ આપવાની જરૂર છે. આવા ટ્રેન્ડ ગ્રેજ્યુએટ હેડમાસ્તર હશે તો નિશાળમાં અંગ્રેજી કાચું રહેવાનો સંભવ નહીં રહે. આવી સંકલના થવાથી વિદ્યાર્થીઓની બુદ્ધિ ખીલશે અને મૅટ્રિકની પરીક્ષા ઓછાં વર્ષમાં અને વધારે સંગીન જ્ઞાનથી તેઓ આપી શકશે.&lt;br /&gt;
ખ. ગુજરાતમાં સંસ્કૃત પાઠશાળાઓની સંખ્યા સારી પેઠે છે. માત્ર સંસ્કૃત શીખીને તેઓ પોતાનો નિર્વાહ યથાર્થ કરી શકતા નથી. પણ જો તેઓ ત્રણ ચાર ચોપડી અંગ્રેજીની શીખ્યા હોય તો તેમને ઘણો લાભ થાય. (૧) હાઈસ્કુલમાં સંસ્કૃત શિક્ષક તરીકે તેઓ કામ કરી શકે. (૨) પાઠશાળામાંથી નીકળ્યા પછી શાસ્ત્રી તરીકે કામ કરતા હોય ત્યારે અંગ્રેજી જ્ઞાન વધારી શકે તો અંગ્રેજી વિદ્યા અને સંસ્કૃત વિદ્યાનો મુકાબલો કરવાથી એમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય. એવી સ્થિતિમાં તેઓ અંગ્રેજી ભણેલાઓ પાસે સન્માન મેળવી શકશે; અને એ રીતે પોતાની પ્રતિષ્ઠા વધારી શકશે. (૩) સારા સંજોગ પ્રાપ્ત થતાં પોતાનું અંગ્રેજી જ્ઞાન વધારવાની જેમને વૃત્તિ થાય તેઓ થોડું અંગ્રેજી ભણેલા હશે તો તેમ કરી શકી પોતાની સ્થિતિ સુધારી શકશે.&lt;br /&gt;
હાઈસ્કૂલો અથવા એંગ્લો વર્નાક્યુલર સ્કૂલોમાં અંગ્રેજી માત્ર શીખવા તેઓ જઈ શકે એવો બંદોબસ્ત હોય અથવા રાત્રિશાળા દ્વારા અંગ્રેજી તેમને શીખવી શકાય તો ઉપર વર્ણવેલ લાભ થાય.&lt;br /&gt;
ગ. પુરુષોની અને સ્ત્રીઓની ટ્રેનિંગ કૉલેજમાં અંગ્રેજીનું શિક્ષણ દાખલ કરવાની અગત્ય છે. અંગ્રેજી સાહિત્ય વિશાળ છે. ગુજરાતી સાહિત્યની હાલની કંગાળ સ્થિતિમાં શિક્ષકો અંગ્રેજી અથવા સંસ્કૃત સાહિત્યના પરિચયમાં હોય તો તેમની બુદ્ધિ નિરંતર ખીલતી રહેવાનો સંભવ છે. શિક્ષકની બુદ્ધિ ખીલતી રહે તે દેશનાં બાળકોનું શિક્ષણ ઉત્તમ કરી શકે એ નિઃસંદેહ છે. અત્યારે આપણા દેશમાં જે રાજકીય અને આર્થિક વ્યવસ્થા કે ઊથલપાથલ થતી જાય છે, તેમાં રસ લેવો હોય અથવા સામીલ થવું હોય તો અંગ્રેજી સાહિત્યના જ્ઞાનની અગત્ય છે. આપણા દેશના ભવિષ્ય માટે જે અભિલાષો આપણા સુશિક્ષિત વર્ગમાં થનથનાટ કરી રહેલા છે તે જ્યાં લગી ગામડાંઓમાં પણ આદર નહીં પામે ત્યાં લગી સમગ્ર રચના પાયા વિનાની થવાની દહેશત છે. ગામડાંઓમાં જ્ઞાનનો પ્રદીપ મહેતાજી છે. તેનું જ્ઞાન જેમ વધારે અને સંગીન તેમ ગામડાની પ્રગતિ વહેલી અને વેગભરી થશે. શિક્ષકને અંગ્રેજી આવડતું હશે તો ગામડાંઓમાં અંગ્રેજી શિક્ષણનું પ્રસારણ પણ વહેલું અને વધારે થઈ શકશે. આ ઉપરાંત ટ્રેનિંગ કૉલેજમાં પાસ થયેલા વિદ્યાર્થીને ત્રણચાર અંગ્રેજી ચોપડી આવડતી હશે તો એક બે વર્ષમાં અંગ્રેજી પાકું કરી તે મૅટ્રિક થઈ શકશે. એ રીતે પોતાની સ્થિતિ સુધારી શકશે. જો શિક્ષણખાતામાં જ રહેશે તો શિક્ષણને એના ઊંચા જ્ઞાનથી લાભ થશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|[ર]}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જગતના ઇતિહાસમાં કોઈ દિવસ ન બનેલો બનાવ આપણા દેશમાં બને છે. આપણે આપણું શિક્ષણ જન્મભાષા દ્વારા નહીં પણ પરભાષા દ્વારા લઈએ છીએ. આ પરભાષા આપણી ભાષા સાથે બિલકુલ સગપણવાળી નથી. બંન્નેનાં વ્યાકરણ, રૂઢિ, રીતિ, આત્મા તદ્દન નોખાં છે. આવું છતાં આપણી જન્મભાષાનો ત્યાગ કરી એ ભાષા મારફત શિક્ષણ લેવું પડે છે તેનાં બે મુખ્ય કારણ છે : (ક) અંગ્રેજી રાજભાષા છે; એનું સાહિત્ય વિશાળ છે. જગતના નિરનિરાળા સાહિત્યના ઉત્તમ ગ્રંથોના એ ભાષામાં તરજુમા થયેલા છે. આધુનિક કાળમાં એ ભાષાના જ્ઞાનથી દુનિયામાં પુષ્કળ સગવડ પ્રાપ્ત થાય છે. (ખ) આપણી જન્મભાષા એને મુકાબલે દરિદ્ર છે. એના વ્યવહારનો પ્રદેશ સંકુચિત છે. આવી સ્થિતિમાં નવમે વર્ષે આપણે જન્મભાષાના શિક્ષણનો ત્યાગ કરી અંગ્રેજી શીખવા માંડીએ છીએ અને એ ભાષા દ્વારા ઊંચામાં ઊંચું જ્ઞાન સંપાદન કરીએ છીએ. પરિણામ એ આવ્યું છે કે અમારી જન્મભાષા તરફ અમને મમતા નથી રહી. નિરંતર અમારે એનો ઉપયોગ હોવાથી અમે એને વળગી રહ્યા છીએ. અંગ્રેજીનું જ્ઞાન દેશમાં સર્વત્ર ન ફેલાયું હોવાથી અમારે એનો નછૂટકે વપરાશ રાખવો પડે છે. પણ સર્વે સુજ્ઞ વિચારકોને જન્મભાષાની અધમ સ્થિતિ સંતપ્ત કરે છે. તેની ખીલવણીની તેઓને અતિશય આવશ્યકતા લાગે છે. (૧) ભાષા એ પ્રત્યેક પ્રજાની સંસ્કૃતિનું માપ છે. આપણા સંસ્કારોના વિકાસ સાથે ભાષાનો પણ વિકાસ ન થાય તો પ્રજાના જીવનમાં જબરો અંતરાય પડી જાય. દરેકમાં વિચારક વર્ગ હોય છે તે ભાષા અને સાહિત્ય પર પોતાના વિચારોનો પ્રભાવ પાડે છે અને એ પ્રભાવ ભાષા દ્વારા પ્રાકૃત વર્ગ પર પડે છે. હવે આપણે ત્યાં વિચારો અંગ્રેજીમાં જ થયા કરે — જન્મભાષામાં ન થાય, જન્મભાષાના વિકાસના પ્રેરક તે ન નીવડે તો આપણો પ્રાકૃત વર્ગ કેવી અધમ સ્થિતિમાં રહેવાનો? વધારામાં આપણી પ્રજામાં બે ભાગ નિરાળા પડતા જવાના અને તેમની વચ્ચેનું અંતર રોજ વધતું જવાનું. આ સ્થિતિ ઉચિત છે? સુખપ્રદ છે? શાંતિજનક છે? (૨) પોતાની જ ભાષા દ્વારા શિક્ષણ લેવાનું હોય તો બુદ્ધિને શ્રમ પડતો નથી. પ્રત્યેક પ્રજાની સર્વે ખાસિયતો તેમની ભાષામાં વસેલી હોય છે. એટલે એ ભાષા દ્વારા શીખતાં – બુદ્ધિને ખીલવતાં ઘણી સુગમતા પડે છે. કાચી વયમાં પરભાષા શીખવી પડે અને તે પણ પોપટની પેઠે, તો પછી બુદ્ધિનો વિકાસ સંકોચ પામે જ. વળી તે ભાષા જ શીખવામાં સાત આઠ વર્ષ, અને તે પણ ખીલતા કૌમાર્યનાં અમૂલ્ય વર્ષો ગાળવાં પડે તો કુલ સરવાળે પ્રજાની જ્ઞાનવૃદ્ધિ હાનિ પામવાની. પ્રજાનો બુદ્ધિપ્રભાવ જેટલા ગૌરવથી પ્રકટવો જોઈએ તે આવી પરિસ્થિતિમાં પ્રકટતો નથી. (૩) પરભાષાનો ગમે તેટલો પ્રચાર વધે છતાં તે હંમેશ પર જ રહેવાની અથવા લાગવાની. પર પ્રત્યે જે વિરોધ મનુષ્યસ્વભાવમાં રહેલો છે તે વિરોધનો ભોગ એની મારફત લીધેલું જ્ઞાન પણ થવાનું. સ્વભાષા મારફત એ જ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તો આવો પ્રસંગ ઊપજે નહીં.&lt;br /&gt;
આપણી જન્મભાષાની સ્થિતિ કંગાળ છે તેનું એક મુખ્ય કારણ એ દ્વારા શિક્ષણ નથી મળતું તે છે. જો શિક્ષણ મળતું હોય તો પાઠ્યપુસ્તકોની ન્યૂનતા ક્યારની દૂર થઈ હોત. બીજું જન્મભાષામાં જ વિચાર કરવાની ટેવ પડી હોત તો પોતાનાં જ્ઞાન અથવા બુદ્ધિના વિકાસના પ્રમાણમાં જન્મભાષામાં ગ્રંથો લખવા ઘણા વિદ્વાનો પ્રેરાત; હાલ તો એમની સ્થિતિ કફોડી છે. વિચાર પરભાષામાં કરવો અને જે ભાષામાં લખવું હોય તે ભાષા આવડે નહીં.&lt;br /&gt;
જન્મભાષાને શિક્ષણમાં સ્થાન આપવાનો પ્રશ્ન બે રીતે વિચારાય છે. (૧) શિક્ષણના અનેક વિષયો છે તેમાં એનો એક વિષય ઉમેરવો. જ્યારથી જન્મભાષાનું જ્ઞાન પડતું મૂકવામાં આવે છે, ત્યારથી માંડીને જ્યાં લગી ઊંચામાં ઊંચું જ્ઞાન મેળવાય છે ત્યાં લગી જન્મભાષા અને તેના સાહિત્યનું શિક્ષણ પ્રત્યેક વિદ્યાર્થીને માટે ફરજિયાત થવું જોઈએ. એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ, હાઈસ્કૂલ, કૉલેજ (પછી તે આર્ટ્સ, ખેતી, દાક્તરી, ઇજનેરી, વેપારી હોય,) ઔદ્યોગિક કે લલિતકલાના શિક્ષણની સંસ્થાઓ – સર્વત્ર આ શિક્ષણ ફરજિયાત રાખવું જોઈએ. આથી ઘણો ફેર પડી જશે. જન્મભાષાનું વિસ્મરણ થશે નહીં. એના સંસ્કારો પડશે અને માત્ર પરભાષામાં જ નહીં પરંતુ પોતાની ભાષામાં વિચાર કરવાની ટેવ પડશે.&lt;br /&gt;
વર્તમાન સ્થિતિમાં ગુજરાતમાં જન્મભાષાનું શિક્ષણ કેવું અપાય છે? મૅટ્રિક લગી વિષય તરીકે એને શીખવવી એવું વિધાન છે પરંતુ ખુદ મૅટ્રિકની પરીક્ષામાં એને સ્થાન ન હોવાથી એના શિક્ષણ માટે રખાવવી જોઈએ એટલી કાળજી નથી રખાતી. લેખન ઉપર જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું અપાતું નથી. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તરજુમો કરતી વખતે એવું ખરાબ ગુજરાતી વપરાય છે કે સંસ્કારી વિદ્યાર્થીની પણ ભાષા બગડી જાય. કૉલેજમાં તો બિલકુલ શીખવાતું નથી. માત્ર એમ. એ.માં ઐચ્છિક વિષય તરીકે એનું સ્થાન છે. એ રીતે પણ ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ તે શીખવા તત્પર થતા નથી. ગુજરાતી લઈને એમ. એ. થયેલા વિદ્યાર્થીનું ભવિષ્ય સુધરતું નથી પણ ઊલટું બગડે છે. સંસ્કૃત, ઇતિહાસ અથવા બીજા કોઈ વિષયથી તે પાસ થયો હોય તો પ્રોફેસર થવાનો સંભવ રહે છે પરંતુ ગુજરાતીવાળા એમ. એ. ને માટે ભાષાભિમાનની વૃત્તિના તર્પણ સિવાય બીજો લાભ નથી. નાનપણમાં જે ભાષાનો અભ્યાસ છોડી દીધેલો તેનો ઠેઠ મોટી ઉંમરે શાસ્ત્રીય અભ્યાસ કરવો એ સહેલું નથી. એ અભ્યાસ માટે જોઈતાં સાધનો તૈયાર કરવામાં મુંબઈ યુનિવર્સિટી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ફાર્બસ સભા અને વડોદરા રાજ્યે બહુ જ બેદરકારી બતાવી છે. અધૂરામાં પૂરું આપણા જે વિદ્વાનો પરીક્ષકો થાય છે તે બહુ કડક છે અને પરીક્ષાનું ધોરણ બહુ ઊંચું રાખે છે. પોતાના જેટલી વિદ્વત્તાની અપેક્ષા પરીક્ષાર્થીઓ પાસે રાખે છે. આ સર્વ વસ્તુસ્થિતિમાં જલદી ફેરફાર થવાની જરૂર છે.&lt;br /&gt;
(૨) શિક્ષણ જ જન્મભાષા દ્વારા આપવું એ પ્રશ્ન વિકટ છે અને મતભેદવાળો છે. આમાં એક વાત થઈ શકે. નીચેથી શરૂઆત કરતાં આવવું. જે જે ન્યૂનતા હશે તે એટલા વખતમાં પુરાઈ જશે. પહેલાં ઍંગ્લો વર્નાક્યુલર અને હાઈસ્કૂલોમાં શરૂઆત થઈ શકે. મૅટ્રિકમાં અને પછી રફતે રફતે કૉલેજોની પરીક્ષામાં જન્મભાષા દ્વારા પરીક્ષા આપવાની છૂટ મુકાય. અંગ્રેજી ભાષાના સંપૂર્ણ પ્રભુત્વની જરૂરિયાત ઓછી કરવી જોઈએ. ભાષાજ્ઞાન કરતાં બુદ્ધિવિકાસ ઉપર વિશેષ લક્ષ અપાવું જોઈએ. હાલ જેટલો સમય અંગ્રેજી શીખવા પાછળ ગળાય છે તેટલા વિશાળ સમયમાં અંગ્રેજી સંગીન શીખાતું નથી તેનાં કારણોની તપાસ થવી જોઈએ. જે વાંધાઓ હોય તે દૂર કરવામાં આવે અને સાથે સાથે ઓછા વખતમાં અંગ્રેજી સંગીન શીખવવાનો બંદોબસ્ત કરવામાં આવે તો ફરિયાદ કરવાનું રહેશે નહીં.&lt;br /&gt;
જન્મભાષાનો અભ્યાસ અને જન્મભાષા દ્વારા અભ્યાસના પ્રશ્નો હિંદુસ્તાનમાં હમણાં હમણાં જોશથી ચર્ચાય છે. કર્વેના મહિલા વિશ્વવિદ્યાલયમાં તો જન્મભાષા દ્વારા જ શિક્ષણ માટે નિમાયેલી કમિટીએ પણ એવી જ ભલામણ કરી છે. એ જ પ્રશ્નના સંબંધમાં પંજાબમાં સરકાર તરફથી એક સભા મળવાની છે. બંગાળામાં મૅટ્રિક્યુલેશનમાં અને કૉલેજની ઈંટરની પરીક્ષામાં જેમની મરજી હોય તેઓ બંગાળી ભાષામાં કેટલાક વિષયોના પ્રશ્નોના ઉત્તરો આપી શકે છે એવું સાંભળ્યું છે. બંગાળી ભાષા દ્વારા વૈદ્યકનું શિક્ષણ ફેલાવવા બંગાળીઓ જબરી ચળવળ કરે છે. વડોદરામાં કલાભવન સ્થપાયું ત્યારે જન્મભાષા દ્વારા જ શિક્ષણ આપવાનો બંદોબસ્ત થયો હતો.&lt;br /&gt;
જન્મભાષાનું શિક્ષણ સંગીન થશે તો તેમના સાહિત્યને લાભ થશે. હાલ જેમને તેનો બિલકુલ અભ્યાસ નથી હોતો એવા અંગ્રેજી અને સંસ્કૃતના અભ્યાસને બળે તેમાં ગ્રંથો લખવા માંડે છે અને જન્મભાષાનો અભ્યાસકાળમાં નિરંતર પરિચય રહેવાથી તેમાં લખાયેલા ગ્રંથો વાંચવાની અભિરુચિ રહેશે. વાચકવર્ગ વધારે સંસ્કારી, રસિક અને વિદ્વાન તેમ સાહિત્યસૃષ્ટિ પણ ઉન્નત થશે. આશ્રય અને ઉત્તેજન પણ પ્રમાણમાં વધવાનાં એટલે જન્મભાષાના સાહિત્યની વિવિધ સમૃદ્ધિ પણ વધવાની.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|[૩]}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સંસ્કૃત પાઠશાળાઓ આપણે ત્યાં ભિન્ન ભિન્ન ઉત્પત્તિવાળી છે. જુદાં જુદાં ગામો જ્યાં બ્રાહ્મણોની વસ્તી વધારે હોય છે, ત્યાં ત્યાં બ્રાહ્મણોની નિરનિરાળી જ્ઞાતિઓનાં બાળકોને સંધ્યાદિ શીખવવા માટે પુષ્કળ પાઠશાળાઓનો નિભાવ છે, તે સિવાય કેટલાંક દેશી રાજ્યો અને અમદાવાદ, સુરત, મુંબઈ જેવાં મોટાં નગરોમાં ઊંચા શિક્ષણની પાઠશાળાઓ હોય છે. ત્યાં માત્ર બ્રાહ્મણનાં બાળકોને સંસ્કૃત શીખવવામાં આવે છે. વ્યાકરણ, કાવ્ય, ભાગવત, મહાભારત, રામાયણ, ન્યાય અથવા વેદાંત ત્યાં શીખવવામાં આવે છે. જેમને વધારે શીખવાની ઇચ્છા હોય છે તેઓ કાશી જાય છે. જેઓ પાઠશાળામાં અભ્યાસ કરે છે તેમને ભવિષ્યમાં બહુ ઊજળા લાભ પ્રાપ્ત થતા નથી. તેઓ બીજી સંસ્કૃત પાઠશાળાઓમાં શાસ્ત્રી તરીકે રહે છે; કથા વાંચી પોતાનો નિર્વાહ કરે છે; મુદ્રાયંત્રોના માલિકો માટે સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતર કરે છે; વખતે હાઈસ્કૂલોમાં સંસ્કૃત શિક્ષકનું કામ કરે છે. અમુક પ્રકારના મમત્વથી — અમે બ્રાહ્મણો છીએ, અમારા પૂર્વજોએ સંસ્કૃત વિદ્યા સંપાદન કરી નિર્વાહ કર્યો હતો, અમારાથી મ્લેચ્છ ભાષા શીખાય નહીં, વગેરેથી ઉત્પન્ન થયેલી મમતથી ઘણા વિદ્યાર્થીઓ આ શાળાઓમાં જાય છે. વળી બ્રાહ્મણોને ભિક્ષા માગવાની છૂટ હોવાથી ભણવાને બદલે ઘણા બ્રાહ્મણબટુકો ઉદરનિર્વાહ માટે ભિક્ષા મેળવી પોતાનો બાકીનો વખત નિરૂદ્યમમાં અને રમતગમતમાં ગાળે છે. ઉંમર મોટી થતાં ભણવાની જરૂર લાગે છે — ભિખારીને કોઈ કન્યા ન આપે એવા પ્રસંગે ક્યાં ભણવા જવું? મોટી ઉંમરે અંગ્રેજી નિશાળમાં જવાથી નાનમ લાગે. વળી ત્યાં ખર્ચ પણ વિશેષ થાય. પાઠશાળામાં તેવું કાંઈ નહીં, ખર્ચ બિલકુલ નહીં. પુસ્તકો જોઈએ તો તેની ભિક્ષા માગી આવવાની. સીધાં પણ નિર્વાહ માટે મળે એટલે નિરાંતે ભણી શકાય. આમ બે પ્રકારના વિદ્યાર્થીઓ તેમાં જાય છે. આ શાળાઓની આખી ઉત્પત્તિ અત્યારે જે બ્રાહ્મણ વર્ગ છે તેને સંસ્કારી કરવા પૂરતી છે. હિન્દુ પ્રજાનાં ધર્મ અને સંસ્કૃતિના ખરા આશ્રયસ્થાન અને પ્રચારક થાય, હિન્દુ ધર્મ હાલ છે તેથી વધારે ઉજજ્વળ સ્વરૂપમાં પ્રસારનાર થાય, જમાનાને અનુકૂળ થાય, હિન્દુઓને તેમના સંસ્કારો સારી વિધિઓથી કરાવનાર થાય, એવા પુરોહિતો ઉત્પન્ન કરવાનો આ પાઠશાળાઓનો ઉદ્દેશ નથી, પણ દિવસે દિવસે એની જરૂર લાગતી જવાની. આર્યધર્મનું ગંભીર અને પ્રૌઢ સ્વરૂપ સમજનારા તીવ્ર બુદ્ધિશાળી વર્ગની નિરંતર જરૂર પડવાની જ. ઈતર વ્યવસ્થાઓમાં મચી રહેલી પ્રજાને માટે ધર્મનો પ્રદીપ અખંડ અને પ્રકાશોજ્વલ રાખનાર વર્ગની જરૂર રહેવાની જ.&lt;br /&gt;
વ્યક્તિઓનાં જ્ઞાન વધતાં જશે, તેમની લાગણીઓ કેળવાતી જશે, તેમના સંસ્કારો રસિક થતા જશે ત્યારે અભણ કે અલ્પશિક્ષિત બ્રાહ્મણો જે વિધિઓ કરાવે છે અથવા મંદિરોની જે વ્યવસ્થા (દુર્વ્યવસ્થા!) રાખે છે તે સંતોષ આપી શકશે નહીં, તેવે વખતે એવા જ જ્ઞાનસંપન્ન, સંસ્કારી પુરોહિતોનો ખપ પડશે. જે આર્થિક વ્યવસ્થા ગોરોને માટે કરવામાં આવેલી છે તે મોંઘવારીના અને જિંદગીની લાલાઈના જમાનામાં ટકી શકવાની નથી. જે બુદ્ધિશાળી અથવા મહેચ્છુ બ્રાહ્મણો હશે તે ગોરપદાંનો ત્યાગ કરવાના. રહેશે માત્ર અભણ, આળસુ, ‘સંતોષી‘ કે મમતાવાળા બ્રાહ્મણો. એવાને હાથે થતી વિધિઓ કોને સંતોષ આપી શકશે? સંતોષ નહીં આપી શકે ત્યારે ધર્મ પર શ્રદ્ધા રહેશે ખરી? અને શ્રદ્ધા વગરના સંસ્કારો પરિણામે કેવી વિપત્તિ આણશે? આવા મહત્ત્વના પ્રશ્નોના વિચાર માટે ખાસ જુદી જ પરિષદ બોલાવવી જોઈએ અને સંસ્કૃત પાઠશાળાઓના અભ્યાસ, વિદ્યાર્થીઓનાં ભવિષ્ય, પાઠશાળાઓના નિભાવ ખર્ચ વગેરે વિષે ઉહાપોહ થઈ વ્યવહારુ પગલાં લેવાવાં જોઈએ.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ઑક્ટોબર ૧૯૧૬. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ગુજરાતનું નવજીવન અને સુરતની સાહિત્ય પરિષદ&lt;br /&gt;
|next = ગુજરાત કેળવણી પરિષદ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87_%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%82_%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3%E0%AB%8B&amp;diff=111444</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/કેળવણી વિષે ટૂંકાં ટિપ્પણો</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87_%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%82_%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3%E0%AB%8B&amp;diff=111444"/>
		<updated>2026-05-29T16:03:13Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કેળવણી વિષે ટૂંકાં ટિપ્પણો}}&lt;br /&gt;
{{center|[૧]}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અંગ્રેજી ભાષાનું જ્ઞાન આધુનિક સમયમાં ઉપયોગી ગણાય છે. તે રાજભાષા છે એટલું જ નહીં પણ વિશ્વભાષા જેવી છે. દેશપરદેશમાં ગમે ત્યાં દુનિયામાં જાઓ ત્યાં એ ભાષા આવડતી હશે તો ઘણી અગવડો ભોગવવી નહીં પડે. ગુજરાતી જેવા વેપારી લોકોમાં એ ભાષાનો વિસ્તૃત પ્રસાર થવાની ખાસ  અગત્ય છે. ગુજરાતના જે લોકો વેપાર અને ઉદ્યોગમાં પડેલા છે તેઓ અંગ્રેજી ભાષા અને તેમાં લખાયેલા સાહિત્યથી વાકેફગાર હોત તો આજે એમણે વેપારમાં પરદેશી વેપારીઓને હંફાવી દીધા હોત અને દુકાનદારી કરી નિર્વાહ કરે છે તેને બદલે વણિગ્રાજની પ્રતિષ્ઠા પામ્યા હોત; અને હિંદુસ્તાનમાં આજે કેટલાયે નવા ઉદ્યોગો એમને હાથે ચાલતા હોત. યુરોપના વર્તમાન મહાવિગ્રહને લીધે&lt;br /&gt;
ઘણી વસ્તુ આપણા દેશમાં આવતી બંધ થઈ ગઈ છે એટલે તેમની મોંઘવારી આપણા અનેક સુખસગવડનો ભંગ કરે છે તે દિવસ તો ન આવત. ગુજરાતમાં જ્યાં જ્યાં નિશાળો હોય ત્યાં ત્યાં અંગ્રેજી શીખવવાની તજવીજ સરકારે અથવા ધનાઢ્ય ગુજરાતીઓએ કરવાની ખાસ અગત્ય છે. આ સંબંધમાં બે-ત્રણ સંસ્થાઓમાં અંગ્રેજી દાખલ કરવાના પ્રશ્ન વિશે ટૂંકી ચર્ચા આ પરિચ્છેદનો વિષય છે.&lt;br /&gt;
ક. પ્રાથમિક નિશાળોમાં ગુજરાતી સાતમી ચોપડી લગી શીખવાય છે. જેમને અંગ્રેજી શીખવું હોય છે તેઓ ચોથી ચોપડી પૂરી કરી અંગ્રેજી નિશાળોમાં જાય છે અને ત્યાં અંગ્રેજીની સાથે બીજા વિષયો શીખે છે. આમાંના ઘણા વિષયો હાઈસ્કૂલમાં તેમને પાછા અંગ્રેજી મારફત શીખવા પડે છે એટલે એમની શક્તિ ખીલવાને બદલે કરમાવાનો વધારે સંભવ રહે છે. હવે સાત ચોપડીવાળી નિશાળોમાં અંગ્રેજી બીજી ભાષા તરીકે પાંચમી ચોપડીથી શીખવાય તો વિદ્યાર્થી સાતમી ચોપડીની સાથે ત્રીજી અંગ્રેજી ચોપડી પૂરી કરશે. આ&lt;br /&gt;
વિદ્યાર્થી હાઈસ્કૂલમાં દાખલ થયા પછી તેનું અંગ્રેજી સહેજ કાચું લાગે તો તેના પર અધિક ધ્યાન આપવાથી ચારને બદલે ત્રણ વર્ષમાં સુખેથી મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી શકે. ભાવનગર શહેરમાં ગુજરાતી નિશાળમાં અંગ્રેજી બીજી ભાષા તરીકે શીખવાય છે તેમ ચોથી ચોપડીમાંથી ઊઠી ઍંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં ભણનાર પણ છે. ચોથા ધોરણમાં બન્ને નિશાળમાંથી આવનારા વિદ્યાર્થીઓમાં ગુજરાતીવાળા બીજા બધા વિષયોમાં હોંશિયાર હોય છે માત્ર અંગ્રેજીમાં કાચા હોય છે. એંગ્લો વર્નાક્યુલરમાંથી આવનારા અંગ્રેજીમાં પ્રવીણ હોય છે ત્યારે બીજા વિષયોમાં કાચા હોય છે.&lt;br /&gt;
ગુજરાતી નિશાળ અને હાઈસ્કૂલ વચ્ચે એકદિલી હોય તો જે કાંઈ ખામીઓ આ વ્યવસ્થામાં રહેવાનો સંભવ છે તે દૂર થઈ શકે. હાઈસ્કૂલમાં જે વિદ્યાર્થીઓ આવી રીતે શીખીને ગુજરાતી નિશાળમાં આવે ત્યારે તેમનું અંગ્રેજી શિક્ષણ સંગીન કરવા ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. એથી શિક્ષકનું કામ વધવાનું નથી. વર્ગમાં શીખવવાના બીજા વિષયોમાં વિદ્યાર્થી કાબેલ હોવાથી એ રીતે જે વખત બચે તે અંગ્રેજી પાકું કરવામાં ગાળવાનો છે. વિદ્યાર્થીની બુદ્ધિ પણ ખીલેલી હોવાથી અંગ્રેજી પાકું કરતાં તેને વાર નહીં લાગે. બીજો ફેરફાર કરવાનો તે ગુજરાતી નિશાળના હેડમાસ્તર તરીકે ગ્રેજ્યુએટની નિમણુક થવી જોઈએ. આવા ગ્રેજ્યુએટને એક વર્ષ ટ્રેનિંગ કૉલેજમાં તાલીમ આપવાની જરૂર છે. આવા ટ્રેન્ડ ગ્રેજ્યુએટ હેડમાસ્તર હશે તો નિશાળમાં અંગ્રેજી કાચું રહેવાનો સંભવ નહીં રહે. આવી સંકલના થવાથી વિદ્યાર્થીઓની બુદ્ધિ ખીલશે અને મૅટ્રિકની પરીક્ષા ઓછાં વર્ષમાં અને વધારે સંગીન જ્ઞાનથી તેઓ આપી શકશે.&lt;br /&gt;
ખ. ગુજરાતમાં સંસ્કૃત પાઠશાળાઓની સંખ્યા સારી પેઠે છે. માત્ર સંસ્કૃત શીખીને તેઓ પોતાનો નિર્વાહ યથાર્થ કરી શકતા નથી. પણ જો તેઓ ત્રણ ચાર ચોપડી અંગ્રેજીની શીખ્યા હોય તો તેમને ઘણો લાભ થાય. (૧) હાઈસ્કુલમાં સંસ્કૃત શિક્ષક તરીકે તેઓ કામ કરી શકે. (૨) પાઠશાળામાંથી નીકળ્યા પછી શાસ્ત્રી તરીકે કામ કરતા હોય ત્યારે અંગ્રેજી જ્ઞાન વધારી શકે તો અંગ્રેજી વિદ્યા અને સંસ્કૃત વિદ્યાનો મુકાબલો કરવાથી એમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય. એવી સ્થિતિમાં તેઓ અંગ્રેજી ભણેલાઓ પાસે સન્માન મેળવી શકશે; અને એ રીતે પોતાની પ્રતિષ્ઠા વધારી શકશે. (૩) સારા સંજોગ પ્રાપ્ત થતાં પોતાનું અંગ્રેજી જ્ઞાન વધારવાની જેમને વૃત્તિ થાય તેઓ થોડું અંગ્રેજી ભણેલા હશે તો તેમ કરી શકી પોતાની સ્થિતિ સુધારી શકશે.&lt;br /&gt;
હાઈસ્કૂલો અથવા એંગ્લો વર્નાક્યુલર સ્કૂલોમાં અંગ્રેજી માત્ર શીખવા તેઓ જઈ શકે એવો બંદોબસ્ત હોય અથવા રાત્રિશાળા દ્વારા અંગ્રેજી તેમને શીખવી શકાય તો ઉપર વર્ણવેલ લાભ થાય.&lt;br /&gt;
ગ. પુરુષોની અને સ્ત્રીઓની ટ્રેનિંગ કૉલેજમાં અંગ્રેજીનું શિક્ષણ દાખલ કરવાની અગત્ય છે. અંગ્રેજી સાહિત્ય વિશાળ છે. ગુજરાતી સાહિત્યની હાલની કંગાળ સ્થિતિમાં શિક્ષકો અંગ્રેજી અથવા સંસ્કૃત સાહિત્યના પરિચયમાં હોય તો તેમની બુદ્ધિ નિરંતર ખીલતી રહેવાનો સંભવ છે. શિક્ષકની બુદ્ધિ ખીલતી રહે તે દેશનાં બાળકોનું શિક્ષણ ઉત્તમ કરી શકે એ નિઃસંદેહ છે. અત્યારે આપણા દેશમાં જે રાજકીય અને આર્થિક વ્યવસ્થા કે ઊથલપાથલ થતી જાય છે, તેમાં રસ લેવો હોય અથવા સામીલ થવું હોય તો અંગ્રેજી સાહિત્યના જ્ઞાનની અગત્ય છે. આપણા દેશના ભવિષ્ય માટે જે અભિલાષો આપણા સુશિક્ષિત વર્ગમાં થનથનાટ કરી રહેલા છે તે જ્યાં લગી ગામડાંઓમાં પણ આદર નહીં પામે ત્યાં લગી સમગ્ર રચના પાયા વિનાની થવાની દહેશત છે. ગામડાંઓમાં જ્ઞાનનો પ્રદીપ મહેતાજી છે. તેનું જ્ઞાન જેમ વધારે અને સંગીન તેમ ગામડાની પ્રગતિ વહેલી અને વેગભરી થશે. શિક્ષકને અંગ્રેજી આવડતું હશે તો ગામડાંઓમાં અંગ્રેજી શિક્ષણનું પ્રસારણ પણ વહેલું અને વધારે થઈ શકશે. આ ઉપરાંત ટ્રેનિંગ કૉલેજમાં પાસ થયેલા વિદ્યાર્થીને ત્રણચાર અંગ્રેજી ચોપડી આવડતી હશે તો એક બે વર્ષમાં અંગ્રેજી પાકું કરી તે મૅટ્રિક થઈ શકશે. એ રીતે પોતાની સ્થિતિ સુધારી શકશે. જો શિક્ષણખાતામાં જ રહેશે તો શિક્ષણને એના ઊંચા જ્ઞાનથી લાભ થશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|[ર]}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જગતના ઇતિહાસમાં કોઈ દિવસ ન બનેલો બનાવ આપણા દેશમાં બને છે. આપણે આપણું શિક્ષણ જન્મભાષા દ્વારા નહીં પણ પરભાષા દ્વારા લઈએ છીએ. આ પરભાષા આપણી ભાષા સાથે બિલકુલ સગપણવાળી નથી. બંન્નેનાં વ્યાકરણ, રૂઢિ, રીતિ, આત્મા તદ્દન નોખાં છે. આવું છતાં આપણી જન્મભાષાનો ત્યાગ કરી એ ભાષા મારફત શિક્ષણ લેવું પડે છે તેનાં બે મુખ્ય કારણ છે : (ક) અંગ્રેજી રાજભાષા છે; એનું સાહિત્ય વિશાળ છે. જગતના નિરનિરાળા સાહિત્યના ઉત્તમ ગ્રંથોના એ ભાષામાં તરજુમા થયેલા છે. આધુનિક કાળમાં એ ભાષાના જ્ઞાનથી દુનિયામાં પુષ્કળ સગવડ પ્રાપ્ત થાય છે. (ખ) આપણી જન્મભાષા એને મુકાબલે દરિદ્ર છે. એના વ્યવહારનો પ્રદેશ સંકુચિત છે. આવી સ્થિતિમાં નવમે વર્ષે આપણે જન્મભાષાના શિક્ષણનો ત્યાગ કરી અંગ્રેજી શીખવા માંડીએ છીએ અને એ ભાષા દ્વારા ઊંચામાં ઊંચું જ્ઞાન સંપાદન કરીએ છીએ. પરિણામ એ આવ્યું છે કે અમારી જન્મભાષા તરફ અમને મમતા નથી રહી. નિરંતર અમારે એનો ઉપયોગ હોવાથી અમે એને વળગી રહ્યા છીએ. અંગ્રેજીનું જ્ઞાન દેશમાં સર્વત્ર ન ફેલાયું હોવાથી અમારે એનો નછૂટકે વપરાશ રાખવો પડે છે. પણ સર્વે સુજ્ઞ વિચારકોને જન્મભાષાની અધમ સ્થિતિ સંતપ્ત કરે છે. તેની ખીલવણીની તેઓને અતિશય આવશ્યકતા લાગે છે. (૧) ભાષા એ પ્રત્યેક પ્રજાની સંસ્કૃતિનું માપ છે. આપણા સંસ્કારોના વિકાસ સાથે ભાષાનો પણ વિકાસ ન થાય તો પ્રજાના જીવનમાં જબરો અંતરાય પડી જાય. દરેકમાં વિચારક વર્ગ હોય છે તે ભાષા અને સાહિત્ય પર પોતાના વિચારોનો પ્રભાવ પાડે છે અને એ પ્રભાવ ભાષા દ્વારા પ્રાકૃત વર્ગ પર પડે છે. હવે આપણે ત્યાં વિચારો અંગ્રેજીમાં જ થયા કરે — જન્મભાષામાં ન થાય, જન્મભાષાના વિકાસના પ્રેરક તે ન નીવડે તો આપણો પ્રાકૃત વર્ગ કેવી અધમ સ્થિતિમાં રહેવાનો? વધારામાં આપણી પ્રજામાં બે ભાગ નિરાળા પડતા જવાના અને તેમની વચ્ચેનું અંતર રોજ વધતું જવાનું. આ સ્થિતિ ઉચિત છે? સુખપ્રદ છે? શાંતિજનક છે? (૨) પોતાની જ ભાષા દ્વારા શિક્ષણ લેવાનું હોય તો બુદ્ધિને શ્રમ પડતો નથી. પ્રત્યેક પ્રજાની સર્વે ખાસિયતો તેમની ભાષામાં વસેલી હોય છે. એટલે એ ભાષા દ્વારા શીખતાં – બુદ્ધિને ખીલવતાં ઘણી સુગમતા પડે છે. કાચી વયમાં પરભાષા શીખવી પડે અને તે પણ પોપટની પેઠે, તો પછી બુદ્ધિનો વિકાસ સંકોચ પામે જ. વળી તે ભાષા જ શીખવામાં સાત આઠ વર્ષ, અને તે પણ ખીલતા કૌમાર્યનાં અમૂલ્ય વર્ષો ગાળવાં પડે તો કુલ સરવાળે પ્રજાની જ્ઞાનવૃદ્ધિ હાનિ પામવાની. પ્રજાનો બુદ્ધિપ્રભાવ જેટલા ગૌરવથી પ્રકટવો જોઈએ તે આવી પરિસ્થિતિમાં પ્રકટતો નથી. (૩) પરભાષાનો ગમે તેટલો પ્રચાર વધે છતાં તે હંમેશ પર જ રહેવાની અથવા લાગવાની. પર પ્રત્યે જે વિરોધ મનુષ્યસ્વભાવમાં રહેલો છે તે વિરોધનો ભોગ એની મારફત લીધેલું જ્ઞાન પણ થવાનું. સ્વભાષા મારફત એ જ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તો આવો પ્રસંગ ઊપજે નહીં.&lt;br /&gt;
આપણી જન્મભાષાની સ્થિતિ કંગાળ છે તેનું એક મુખ્ય કારણ એ દ્વારા શિક્ષણ નથી મળતું તે છે. જો શિક્ષણ મળતું હોય તો પાઠ્યપુસ્તકોની ન્યૂનતા ક્યારની દૂર થઈ હોત. બીજું જન્મભાષામાં જ વિચાર કરવાની ટેવ પડી હોત તો પોતાનાં જ્ઞાન અથવા બુદ્ધિના વિકાસના પ્રમાણમાં જન્મભાષામાં ગ્રંથો લખવા ઘણા વિદ્વાનો પ્રેરાત; હાલ તો એમની સ્થિતિ કફોડી છે. વિચાર પરભાષામાં કરવો અને જે ભાષામાં લખવું હોય તે ભાષા આવડે નહીં.&lt;br /&gt;
જન્મભાષાને શિક્ષણમાં સ્થાન આપવાનો પ્રશ્ન બે રીતે વિચારાય છે. (૧) શિક્ષણના અનેક વિષયો છે તેમાં એનો એક વિષય ઉમેરવો. જ્યારથી જન્મભાષાનું જ્ઞાન પડતું મૂકવામાં આવે છે, ત્યારથી માંડીને જ્યાં લગી ઊંચામાં ઊંચું જ્ઞાન મેળવાય છે ત્યાં લગી જન્મભાષા અને તેના સાહિત્યનું શિક્ષણ પ્રત્યેક વિદ્યાર્થીને માટે ફરજિયાત થવું જોઈએ. એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ, હાઈસ્કૂલ, કૉલેજ (પછી તે આર્ટ્સ, ખેતી, દાક્તરી, ઇજનેરી, વેપારી હોય,) ઔદ્યોગિક કે લલિતકલાના શિક્ષણની સંસ્થાઓ – સર્વત્ર આ શિક્ષણ ફરજિયાત રાખવું જોઈએ. આથી ઘણો ફેર પડી જશે. જન્મભાષાનું વિસ્મરણ થશે નહીં. એના સંસ્કારો પડશે અને માત્ર પરભાષામાં જ નહીં પરંતુ પોતાની ભાષામાં વિચાર કરવાની ટેવ પડશે.&lt;br /&gt;
વર્તમાન સ્થિતિમાં ગુજરાતમાં જન્મભાષાનું શિક્ષણ કેવું અપાય છે? મૅટ્રિક લગી વિષય તરીકે એને શીખવવી એવું વિધાન છે પરંતુ ખુદ મૅટ્રિકની પરીક્ષામાં એને સ્થાન ન હોવાથી એના શિક્ષણ માટે રખાવવી જોઈએ એટલી કાળજી નથી રખાતી. લેખન ઉપર જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું અપાતું નથી. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તરજુમો કરતી વખતે એવું ખરાબ ગુજરાતી વપરાય છે કે સંસ્કારી વિદ્યાર્થીની પણ ભાષા બગડી જાય. કૉલેજમાં તો બિલકુલ શીખવાતું નથી. માત્ર એમ. એ.માં ઐચ્છિક વિષય તરીકે એનું સ્થાન છે. એ રીતે પણ ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ તે શીખવા તત્પર થતા નથી. ગુજરાતી લઈને એમ. એ. થયેલા વિદ્યાર્થીનું ભવિષ્ય સુધરતું નથી પણ ઊલટું બગડે છે. સંસ્કૃત, ઇતિહાસ અથવા બીજા કોઈ વિષયથી તે પાસ થયો હોય તો પ્રોફેસર થવાનો સંભવ રહે છે પરંતુ ગુજરાતીવાળા એમ. એ. ને માટે ભાષાભિમાનની વૃત્તિના તર્પણ સિવાય બીજો લાભ નથી. નાનપણમાં જે ભાષાનો અભ્યાસ છોડી દીધેલો તેનો ઠેઠ મોટી ઉંમરે શાસ્ત્રીય અભ્યાસ કરવો એ સહેલું નથી. એ અભ્યાસ માટે જોઈતાં સાધનો તૈયાર કરવામાં મુંબઈ યુનિવર્સિટી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ફાર્બસ સભા અને વડોદરા રાજ્યે બહુ જ બેદરકારી બતાવી છે. અધૂરામાં પૂરું આપણા જે વિદ્વાનો પરીક્ષકો થાય છે તે બહુ કડક છે અને પરીક્ષાનું ધોરણ બહુ ઊંચું રાખે છે. પોતાના જેટલી વિદ્વત્તાની અપેક્ષા પરીક્ષાર્થીઓ પાસે રાખે છે. આ સર્વ વસ્તુસ્થિતિમાં જલદી ફેરફાર થવાની જરૂર છે.&lt;br /&gt;
(૨) શિક્ષણ જ જન્મભાષા દ્વારા આપવું એ પ્રશ્ન વિકટ છે અને મતભેદવાળો છે. આમાં એક વાત થઈ શકે. નીચેથી શરૂઆત કરતાં આવવું. જે જે ન્યૂનતા હશે તે એટલા વખતમાં પુરાઈ જશે. પહેલાં ઍંગ્લો વર્નાક્યુલર અને હાઈસ્કૂલોમાં શરૂઆત થઈ શકે. મૅટ્રિકમાં અને પછી રફતે રફતે કૉલેજોની પરીક્ષામાં જન્મભાષા દ્વારા પરીક્ષા આપવાની છૂટ મુકાય. અંગ્રેજી ભાષાના સંપૂર્ણ પ્રભુત્વની જરૂરિયાત ઓછી કરવી જોઈએ. ભાષાજ્ઞાન કરતાં બુદ્ધિવિકાસ ઉપર વિશેષ લક્ષ અપાવું જોઈએ. હાલ જેટલો સમય અંગ્રેજી શીખવા પાછળ ગળાય છે તેટલા વિશાળ સમયમાં અંગ્રેજી સંગીન શીખાતું નથી તેનાં કારણોની તપાસ થવી જોઈએ. જે વાંધાઓ હોય તે દૂર કરવામાં આવે અને સાથે સાથે ઓછા વખતમાં અંગ્રેજી સંગીન શીખવવાનો બંદોબસ્ત કરવામાં આવે તો ફરિયાદ કરવાનું રહેશે નહીં.&lt;br /&gt;
જન્મભાષાનો અભ્યાસ અને જન્મભાષા દ્વારા અભ્યાસના પ્રશ્નો હિંદુસ્તાનમાં હમણાં હમણાં જોશથી ચર્ચાય છે. કર્વેના મહિલા વિશ્વવિદ્યાલયમાં તો જન્મભાષા દ્વારા જ શિક્ષણ માટે નિમાયેલી કમિટીએ પણ એવી જ ભલામણ કરી છે. એ જ પ્રશ્નના સંબંધમાં પંજાબમાં સરકાર તરફથી એક સભા મળવાની છે. બંગાળામાં મૅટ્રિક્યુલેશનમાં અને કૉલેજની ઈંટરની પરીક્ષામાં જેમની મરજી હોય તેઓ બંગાળી ભાષામાં કેટલાક વિષયોના પ્રશ્નોના ઉત્તરો આપી શકે છે એવું સાંભળ્યું છે. બંગાળી ભાષા દ્વારા વૈદ્યકનું શિક્ષણ ફેલાવવા બંગાળીઓ જબરી ચળવળ કરે છે. વડોદરામાં કલાભવન સ્થપાયું ત્યારે જન્મભાષા દ્વારા જ શિક્ષણ આપવાનો બંદોબસ્ત થયો હતો.&lt;br /&gt;
જન્મભાષાનું શિક્ષણ સંગીન થશે તો તેમના સાહિત્યને લાભ થશે. હાલ જેમને તેનો બિલકુલ અભ્યાસ નથી હોતો એવા અંગ્રેજી અને સંસ્કૃતના અભ્યાસને બળે તેમાં ગ્રંથો લખવા માંડે છે અને જન્મભાષાનો અભ્યાસકાળમાં નિરંતર પરિચય રહેવાથી તેમાં લખાયેલા ગ્રંથો વાંચવાની અભિરુચિ રહેશે. વાચકવર્ગ વધારે સંસ્કારી, રસિક અને વિદ્વાન તેમ સાહિત્યસૃષ્ટિ પણ ઉન્નત થશે. આશ્રય અને ઉત્તેજન પણ પ્રમાણમાં વધવાનાં એટલે જન્મભાષાના સાહિત્યની વિવિધ સમૃદ્ધિ પણ વધવાની.&lt;br /&gt;
[૩]&lt;br /&gt;
સંસ્કૃત પાઠશાળાઓ આપણે ત્યાં ભિન્ન ભિન્ન ઉત્પત્તિવાળી છે. જુદાં જુદાં ગામો જ્યાં બ્રાહ્મણોની વસ્તી વધારે હોય છે, ત્યાં ત્યાં બ્રાહ્મણોની નિરનિરાળી જ્ઞાતિઓનાં બાળકોને સંધ્યાદિ શીખવવા માટે પુષ્કળ પાઠશાળાઓનો નિભાવ છે, તે સિવાય કેટલાંક દેશી રાજ્યો અને અમદાવાદ, સુરત, મુંબઈ જેવાં મોટાં નગરોમાં ઊંચા શિક્ષણની પાઠશાળાઓ હોય છે. ત્યાં માત્ર બ્રાહ્મણનાં બાળકોને સંસ્કૃત શીખવવામાં આવે છે. વ્યાકરણ, કાવ્ય, ભાગવત, મહાભારત, રામાયણ, ન્યાય અથવા વેદાંત ત્યાં શીખવવામાં આવે છે. જેમને વધારે શીખવાની ઇચ્છા હોય છે તેઓ કાશી જાય છે. જેઓ પાઠશાળામાં અભ્યાસ કરે છે તેમને ભવિષ્યમાં બહુ ઊજળા લાભ પ્રાપ્ત થતા નથી. તેઓ બીજી સંસ્કૃત પાઠશાળાઓમાં શાસ્ત્રી તરીકે રહે છે; કથા વાંચી પોતાનો નિર્વાહ કરે છે; મુદ્રાયંત્રોના માલિકો માટે સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતર કરે છે; વખતે હાઈસ્કૂલોમાં સંસ્કૃત શિક્ષકનું કામ કરે છે. અમુક પ્રકારના મમત્વથી — અમે બ્રાહ્મણો છીએ, અમારા પૂર્વજોએ સંસ્કૃત વિદ્યા સંપાદન કરી નિર્વાહ કર્યો હતો, અમારાથી મ્લેચ્છ ભાષા શીખાય નહીં, વગેરેથી ઉત્પન્ન થયેલી મમતથી ઘણા વિદ્યાર્થીઓ આ શાળાઓમાં જાય છે. વળી બ્રાહ્મણોને ભિક્ષા માગવાની છૂટ હોવાથી ભણવાને બદલે ઘણા બ્રાહ્મણબટુકો ઉદરનિર્વાહ માટે ભિક્ષા મેળવી પોતાનો બાકીનો વખત નિરૂદ્યમમાં અને રમતગમતમાં ગાળે છે. ઉંમર મોટી થતાં ભણવાની જરૂર લાગે છે — ભિખારીને કોઈ કન્યા ન આપે એવા પ્રસંગે ક્યાં ભણવા જવું? મોટી ઉંમરે અંગ્રેજી નિશાળમાં જવાથી નાનમ લાગે. વળી ત્યાં ખર્ચ પણ વિશેષ થાય. પાઠશાળામાં તેવું કાંઈ નહીં, ખર્ચ બિલકુલ નહીં. પુસ્તકો જોઈએ તો તેની ભિક્ષા માગી આવવાની. સીધાં પણ નિર્વાહ માટે મળે એટલે નિરાંતે ભણી શકાય. આમ બે પ્રકારના વિદ્યાર્થીઓ તેમાં જાય છે. આ શાળાઓની આખી ઉત્પત્તિ અત્યારે જે બ્રાહ્મણ વર્ગ છે તેને સંસ્કારી કરવા પૂરતી છે. હિન્દુ પ્રજાનાં ધર્મ અને સંસ્કૃતિના ખરા આશ્રયસ્થાન અને પ્રચારક થાય, હિન્દુ ધર્મ હાલ છે તેથી વધારે ઉજજ્વળ સ્વરૂપમાં પ્રસારનાર થાય, જમાનાને અનુકૂળ થાય, હિન્દુઓને તેમના સંસ્કારો સારી વિધિઓથી કરાવનાર થાય, એવા પુરોહિતો ઉત્પન્ન કરવાનો આ પાઠશાળાઓનો ઉદ્દેશ નથી, પણ દિવસે દિવસે એની જરૂર લાગતી જવાની. આર્યધર્મનું ગંભીર અને પ્રૌઢ સ્વરૂપ સમજનારા તીવ્ર બુદ્ધિશાળી વર્ગની નિરંતર જરૂર પડવાની જ. ઈતર વ્યવસ્થાઓમાં મચી રહેલી પ્રજાને માટે ધર્મનો પ્રદીપ અખંડ અને પ્રકાશોજ્વલ રાખનાર વર્ગની જરૂર રહેવાની જ.&lt;br /&gt;
વ્યક્તિઓનાં જ્ઞાન વધતાં જશે, તેમની લાગણીઓ કેળવાતી જશે, તેમના સંસ્કારો રસિક થતા જશે ત્યારે અભણ કે અલ્પશિક્ષિત બ્રાહ્મણો જે વિધિઓ કરાવે છે અથવા મંદિરોની જે વ્યવસ્થા (દુર્વ્યવસ્થા!) રાખે છે તે સંતોષ આપી શકશે નહીં, તેવે વખતે એવા જ જ્ઞાનસંપન્ન, સંસ્કારી પુરોહિતોનો ખપ પડશે. જે આર્થિક વ્યવસ્થા ગોરોને માટે કરવામાં આવેલી છે તે મોંઘવારીના અને જિંદગીની લાલાઈના જમાનામાં ટકી શકવાની નથી. જે બુદ્ધિશાળી અથવા મહેચ્છુ બ્રાહ્મણો હશે તે ગોરપદાંનો ત્યાગ કરવાના. રહેશે માત્ર અભણ, આળસુ, ‘સંતોષી‘ કે મમતાવાળા બ્રાહ્મણો. એવાને હાથે થતી વિધિઓ કોને સંતોષ આપી શકશે? સંતોષ નહીં આપી શકે ત્યારે ધર્મ પર શ્રદ્ધા રહેશે ખરી? અને શ્રદ્ધા વગરના સંસ્કારો પરિણામે કેવી વિપત્તિ આણશે? આવા મહત્ત્વના પ્રશ્નોના વિચાર માટે ખાસ જુદી જ પરિષદ બોલાવવી જોઈએ અને સંસ્કૃત પાઠશાળાઓના અભ્યાસ, વિદ્યાર્થીઓનાં ભવિષ્ય, પાઠશાળાઓના નિભાવ ખર્ચ વગેરે વિષે ઉહાપોહ થઈ વ્યવહારુ પગલાં લેવાવાં જોઈએ.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ઑક્ટોબર ૧૯૧૬. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ગુજરાતનું નવજીવન અને સુરતની સાહિત્ય પરિષદ&lt;br /&gt;
|next = ગુજરાત કેળવણી પરિષદ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6&amp;diff=111443</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાતનું નવજીવન અને સુરતની સાહિત્ય પરિષદ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6&amp;diff=111443"/>
		<updated>2026-05-29T16:01:05Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગુજરાતનું નવજીવન અને સુરતની સાહિત્ય પરિષદ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
રાજ્યવહીવટની દૃષ્ટિએ ગુજરાત એક દેશ નથી. અંગ્રેજી અને દેશી રાજ સત્તાથી તે છિન્નભિન્ન છે. રાજ્યવહીવટથી જે એકતાનો અનુભવ થવો જોઈએ તે થતો નથી. એકતાની લાગણી જ્વલંત રાખનારાં બળોમાં એક ભાષાનું બળ નાનુંસૂનું નથી. ગુજરાતના વતનીઓ ગુજરાતી ભાષા બોલે છે છતાં ભાષાબળથી એકતા અનુભવી પોતે સૌ ગુજરાતી છે એવી રાષ્ટ્રીય ભાવનામાં તેઓ વહેતા નથી. જો પોતાની ભાષા અને તે દ્વારા પ્રગટ થયેલું સાહિત્ય ગુજરાતના વતનીઓમાં એકતાની લાગણી જગાવવા હજુ સમર્થ ન થયું હોય તો ગુજરાતીઓનો ઇતિહાસ, સંસ્કારિતા વગેરે એ લાગણી જગાવવા કે પોષવા શી રીતે સમર્થ થાય?&lt;br /&gt;
જે બળોથી દેશનું રાષ્ટ્રજીવન રચાય છે તે બળો ગુજરાતમાં હયાત છે, પણ તેમનો જેટલો પ્રભાવ પડવો જોઈએ તેટલો પડતો નથી એટલું જ. જેમ જેમ રાષ્ટ્રજીવન માટે તૃષ્ણા જાગતી જશે તેમ તેમ એ બળો માટે દરકાર વધશે અને દરકાર વધશે ત્યારે એ બળો વિપુલ અને વેગવાન થશે. ભેદો દૂર કરી એકતા આણશે.&lt;br /&gt;
ગુજરાત તદ્દન નિશ્ચેતન નથી. ગુજરાતના ઘણા પુત્રોને આ સ્થિતિ વિદિત થઈ છે. ઇષ્ટની સિદ્ધિને અર્થે નાના પ્રકારના અભિલાષ, પ્રયત્નો જન્મતા જાય છે. સાહિત્ય પરિષદ ગુજરાતની એકતા લાવનારી સાર્વજનિક પ્રવૃત્તિઓમાંની પહેલી છે. વસ્તુતઃ હાલ તો તે એક જ છે.&lt;br /&gt;
ગૌરવનું ભાન થયા વિના પણ એકતા આવતી નથી. ગુજરાતના ગૌરવ અને ગુજરાતની એકતાની દિશામાં સુરતની સાહિત્ય પરિષદે શું કર્યું?&lt;br /&gt;
સાર્વજનિક પ્રવૃત્તિથી ઉપયોગી કાર્ય નીપજે છે તેમ નવા નવા વિચારો પણ જન્મે છે અને એ વિચારોથી પ્રજા પોતાનું જીવન અનેક દૃષ્ટિબિન્દુથી તપાસે છે અને રચે છે.&lt;br /&gt;
સાહિત્ય પરિષદે શું ઉપયોગી કાર્ય કર્યું? એ પ્રશ્નનો ઉત્તર, મોકૂફ રાખીશ. કયા વિચારોને જન્મ આપ્યો અથવા પસાર કર્યા?&lt;br /&gt;
૧. રાષ્ટ્રની એકતા આણનાર બળોમાં ભાષા બહુ જબરું બળ છે. અરસપરસના વ્યવહારનું એ સાધન છે. રાષ્ટ્રની વાંછના, અભિલાષા, યંત્રણા, સિદ્ધિની છાપ તેની પર પડે છે અને એ વાંછનાદિને જન્મ આપી પોષનાર પણ એ જ છે. જે ઉદાત્ત ભાવોથી પ્રજા સંચલિત થતી હોય તે ભાવો ભાષા દ્વારા જ્યાં લગી મૂર્ત નથી થયા ત્યાં લગી પ્રજાની પ્રગતિ નથી. જ્યાં લગી ભાષા પ્રત્યે આદર હોય નહીં, તેનું અહોનિશ સેવન થાય નહીં, ભાષા દ્વારા પ્રજાની બુદ્ધિ ખીલે નહીં, ત્યાં લગી પ્રજાના ભાવો ભાષા દ્વારા મૂર્ત થવાની આશા આશા જ રહેવાની.&lt;br /&gt;
ગુજરાતી ભાષાનું હાલ જેટલું આપણે સેવન કરીએ છીએ તે આપણી પ્રગતિ માટે બહુ ઓછું છે. આપણા સાર્વજનિક શિક્ષણમાં ગુજરાતી ભાષાનો પ્રવેશ બે રીતે થઈ શકે : (ક) ગુજરાતી ભાષા દ્વારા શિક્ષણ આપી શકાય તો અને (ખ) હાલના શિક્ષણક્રમમાં સર્વત્ર નીચેથી ઠેઠ ઉપર લગી એ ભાષાના અભ્યાસને સ્થાન આપી શકાય તો.&lt;br /&gt;
પહેલી વાત અત્યારે અશક્ય છે તેમ કેટલાક કારણસર ઇષ્ટ પણ નથી. બીજી વાત થઈ શકે એવી છે એને કેવી રીતે વ્યવહારુ સ્વરૂપ આપવું તે વિષે સૂચના કરવા સુરતની સાહિત્ય પરિષદે એક કમિટી નીમી છે.&lt;br /&gt;
૨. રાષ્ટ્રજીવન માટે વાંછના જગાડનાર ઇતિહાસ છે. પોતાનાં પરાક્રમોથી જેવી પ્રજા ઉત્તેજિત થાય છે, તેવી બીજી રીતે થઈ શકતી નથી. આપણા પૂર્વજોનાં બુદ્ધિપ્રભાવનાં સ્વરૂપ અને માપ કાઢવાની ભલામણ સુરત સાહિત્ય પરિષદે કરી છે.&lt;br /&gt;
સંસ્કારિતા (culture) નીતિ અને સૌન્દર્યની સંસ્કારિતા દેશમાં એક સ્વરૂપ અને એક કક્ષાની જેમ જેમ થતી જાય; પ્રજાના જાતિસ્વભાવ ઇતિહાસ, વિકાસના પ્રમાણમાં સંસ્કારિતા ખીલે અને પ્રત્યેક પ્રજાજન એ સંસ્કારિતાથી સંપન્ન થાય તો રાષ્ટ્રની એકતા રચવામાં સંસ્કારિતા મોટું સાધન બને છે.&lt;br /&gt;
સંસ્કારિતાનું એક અંગ ચિત્રકળા છે. પ્રજાની વાંછના, અભિલાષા, આશા, નિરાશા, યંત્રણા વગેરે ચિત્રકારની પીંછીથી જન્મ પામી પ્રજાની સૌંદર્યભાવના પોષી, રાષ્ટ્રજીવનના પ્રસંગો પ્રત્યેક પ્રજાજનની દૃષ્ટિ સમક્ષ લાવી દેશના ઉત્કર્ષ માટે તેમનામાં લાગણી ઉત્તેજી શકે છે. પ્રજાની પોતાની ચિત્રકળા ન હોય; પોતાના જીવનમાંથી એ ચિત્રકળા જન્મે નહીં ત્યાં લગી આ બધું થઈ શકતું નથી.&lt;br /&gt;
સુરત સાહિત્ય પરિષદે ગુજરાતી ચિત્રકારોના ગુજરાતને લગતા ગુજરાતી વાતાવરણનાં ચિત્રો પ્રદર્શનમાં મંગાવી ઉક્ત વિચાર ગુજરાતને ચરણે ધર્યો છે.&lt;br /&gt;
સુરતની સાહિત્ય પરિષદની નાનાવિધની ન્યૂનતા હશે; જાણ્યેઅજાણ્યે એના કાર્યવાહકોથી સ્ખલનો થયાં હશે પણ આ ત્રણ વિચાર – જે વિચારો ગુજરાતના નવજીવનને પોષે એવા છે તેમના – પ્રત્યે સમસ્ત પ્રજાનું લક્ષ એણે ખેંચ્યું એ એની ગુજરાતની નાની પણ મહત્ત્વની સેવા છે.&lt;br /&gt;
ગુજરાતની પ્રગતિ જેમને ઇષ્ટ છે, અને એ પ્રગતિ સાધવા સાહિત્ય પરિષદ ઉપયોગી થાય એવું છે તો પછી પ્રજામાં એની પ્રતિષ્ઠા પડે, એના પ્રત્યે પ્રજાની મમતા જામે અને એની સાથે સહકાર્ય કરવા પ્રજાજનો પ્રેરાય એ દૃષ્ટિથી એનું કાર્ય નિરીક્ષવું જોઈએ. એના કાર્યવ્યવહારમાં વ્યક્તિગત સ્ખલનો થયાં હોય તો ઉદારતાથી તેમની ઉપેક્ષા કરી ગુજરાતની જે સેવા એનાથી થઈ હોય તે મોખરે લાવવી જોઈએ અને હજુ પણ ગુજરાતની એનાથી જે સેવા થઈ શકે તે મમતાથી અને ઊમળકાથી બતાવવી જોઈએ.&lt;br /&gt;
વ્યક્તિ મૃત્યુશીલ છે. તેમનાં માનાપમાન ક્ષણિક છે. ગુજરાત ચિરંજીવ છે. ગુજરાતી પ્રજાની પ્રગતિ ક્ષણિક નહીં પણ ક્ષણે ક્ષણે વધતી જવી જોઈએ. ગુજરાતની પ્રગતિ સાધવામાં સાહિત્ય પરિષદ જેમ જેમ ઉપયોગી થતી જશે, તેમ તેમ વ્યક્તિઓની વિરોધી સ્વાર્થવૃત્તિઓ સહાનુભૂતિ અને સહકાર્યની વૃત્તિમાં પલટાઈ જશે એવી અમને આશા છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous =  ગુજરાતી સાહિત્ય પરિષદ&lt;br /&gt;
|next = કેળવણી વિષે ટૂંકાં ટિપ્પણો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6&amp;diff=111442</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાતી સાહિત્ય પરિષદ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6&amp;diff=111442"/>
		<updated>2026-05-29T15:59:54Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગુજરાતી સાહિત્ય પરિષદ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ. સ. ૧૯૦૪માં અમદાવાદની સાહિત્ય સભાએ સાહિત્ય પરિષદ અમદાવાદમાં ભરવાનો વિચાર કર્યો હતો. ઈ. સ. ૧૯૦૫માં આ વિચાર ફળીભૂત થયો અને પહેલી પરિષદ અમદાવાદમાં મળી. પ્રમુખસ્થાને સદ્ગત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી વિરાજ્યા હતા. પ્રાચીન ગુજરાતી સાહિત્યનું એમનું અવલોકન પ્રશંસા પામ્યું હતું. શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીએ એ ભાષણ જુદું છપાવી વહેંચ્યું હતું.&lt;br /&gt;
પરિષદ ભરવાનો વિચાર સ્ફુર્યો ત્યારે ગોવર્ધનભાઈ ને રા. બ. રમણભાઈ, રા. ઠાકોરલાલ હરિલાલ અને હું, પ્રો. આનંદશંકર ધ્રુવને ત્યાં સલાહ લેવા મળવાને ગયા હતા. ત્યારે તેમણે પ્રશ્ન પૂછ્યો હતો : ‘પરિષદમાં શેની ચર્ચા કરશો? જોડણીની?’ ગુજરાતી સાહિત્યના આ અંગેનો અભ્યાસ કરી તેની સતત અને આગ્રહભરી ચર્ચા કરી રા. નરસિંહરાવ ભોળાનાથે આ પ્રશ્ન પરત્વે ગુજરાતના વિદ્વાનોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. બીજા કોઈ પ્રશ્ન પરત્વે બીજા કોઈ વિદ્વાનોએ એમના જેટલા આગ્રહ, ઉદ્યોગ અને નિષ્ઠાથી ચર્ચા ઉઠાવેલી નહીં એટલે સ્વાભાવિક રીતે એ જ પ્રશ્ન પ્રતિ સર્વેનું ધ્યાન ખેંચાતું. પહેલી પરિષદ સમક્ષ રા. નરસિંહરાવે જોડણી વિશે વિસ્તૃત નિબંધ વાંચ્યો હતો. તેમાં એ પ્રશ્નની ચર્ચાનો ત્યાર લગીનો ઇતિહાસ અને ઘણાં વર્ષોની ચર્ચાના પરિણામે પોતાને જે નિર્ણયો યોગ્ય લાગ્યા હતા તે આપ્યા છે. પ્રો. આનંદશંકર ધ્રુવે પણ એ વિષય ઉપર નિબંધ વાંચ્યો હતો. રા. કેશવલાલ ધ્રુવે વાગ્વ્યાપાર ઉપર નિબંધ વાંચી ગુજરાતી વ્યાકરણના એ અંગ સંબંધે સારો પ્રકાશ નાંખ્યો હતો. એ નિબંધમાં જોડણીના પ્રશ્નને સ્પર્શ હતો. ઉપસંહાર કરતી વેળા પ્રમુખે જોડણી વિશે આગ્રહથી પોતાનો મત દર્શાવ્યો હતો કે, હવે સંસ્કૃત યુગ આવવાનો છે ત્યારે તદ્ભવ અને દેશ્ય અને વિદેશી શબ્દોની જોડણીનો સવાલ નકામો થવાનો છે. ‘સાહિત્ય પરિષદમાં જોડણી’ એવા મથાળાથી રા. નરસિંહરાવે ‘વસન્ત’માં લેખ લખી પોતાના નિબન્ધ સિવાયના બીજા નિબન્ધો અને ચર્ચાનું સમીક્ષણ કર્યું હતું. ઠરાવ સાહિત્ય પરિષદ કરશે નહીં એવો નિર્ણય પ્રમુખે આપ્યો હતો છતાં જોડણી અને લિપિ વિશે સાહિત્યસભાએ પ્રશ્નો પૂછી તેના ઉત્તરો ભેગા કરી બીજી પરિષદને રોશન કરવાનો ઠરાવ થયો હતો. સાહિત્ય સભાએ પ્રશ્નો ઘડી ગુજરાતમાં ફેરવ્યા હતા પણ તેમના સંતોષકારક ઉત્તર જોઈએ તેટલા પ્રમાણમાં નહોતા આવ્યા. એ પ્રશ્નોએ રા. નરસિંહરાવને અને રા. હિમ્મતલાલ અંજારીઆને(ગુજરાતીને બદલે બાલબોધ લિપિનો પ્રચાર કરવાની હિમાયત કરનાર) કેટલેક અંશે સંતોષ નહોતો આપ્યો એટલે એમણે જાહેરમાં મતભેદ ચર્ચ્યો હતો. સાહિત્ય સભાના પ્રશ્નો બીજી સાહિત્ય પરિષદના રિપોર્ટમાં છપાયેલા છે.&lt;br /&gt;
સાહિત્ય સભાની પ્રશ્નાવલિ સંતોષકારક કામ ન કરી શકી એટલે મુંબઈમાં બીજી પરિષદ વખતે જોડણી માટે કમિટી નીમવામાં આવી. લિપિના પ્રશ્ન માટે રા. હિમ્મતલાલે આગ્રહ નહીં બતાવેલો એટલે એ પ્રશ્ન પડતો મુકાયો. અલબત્ત રા. નરસિંહરાવે એ પ્રશ્ન અવસન્ન ‘આર્યધર્મપ્રકાશ’ માસિકમાં ચર્ચ્યો હતો. રાજકોટમાં ત્રીજી પરિષદ મળી ત્યારે જોડણીકમિટી એકમતે પોતાનું કામ કરી શકી નહોતી તેથી ફરીથી થોડા ફેરફાર સાથે કમિટી નિમાઈ. આનો અહેવાલ ત્રીજી પરિષદના રિપોર્ટમાં છે. વડોદરામાં ચોથી પરિષદ મળવાની હતી તેવામાં જોડણીકમિટીએ કેટલાક પ્રશ્નો ઘડી ગુજરાતમાં ફેરવ્યા.  પ્રશ્નોના આવેલા ઉત્તરોનું પૃથક્કરણ કરી તેમને વ્યવસ્થિત રૂપમાં ગોઠવ્યા અને જોડણીના સંબંધમાં કેટલીક ભલામણો કરી. કમિટીનો રિપોર્ટ વડોદરાની પરિષદમાં નોંધવામાં આવ્યો અને એ પ્રશ્ન વિશે વિચાર કરવાનાં ગુજરાતને સાધનો આપી પરિષદે હમણાં તો એ પ્રશ્નની ચર્ચા મોકૂફ રાખી છે.&lt;br /&gt;
પહેલી પરિષદના અહેવાલને અદ્ધર રાખી વચ્ચે જોડણુની ચર્ચાનો આખો ઇતિહાસ ટૂંકમાં એકી નજરે જોવાય તે માટે આપ્યો છે.&lt;br /&gt;
પહેલી પરિષદમાં શાસ્ત્રીય પરિભાષાનો પ્રશ્ન લેવાયો હતો પણ તે સંબંધમાં કાંઈ વ્યાવહારિક પ્રવૃત્તિ કરાઈ નથી.&lt;br /&gt;
રા. બ. હરગોવિંદદાસે પ્રાચીન કાવ્યોની શોધખોળ વિશે ટૂંકો નિબંધ લખ્યો હતો. ત્રીજી પરિષદ વખતે રાજકોટમાં પ્રાચીન ગ્રંથોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમની યાદી ત્રીજી પરિષદના રિપોર્ટમાં છાપવામાં આવી છે. ચોથી પરિષદમાં રા. છગનલાલ વિદ્યારામ રાવળે ગુજરાતના કવિઓની અને તેમની કૃતિઓની યાદી તૈયાર કરી મોકલી હતી. આ યાદી ચોથી પરિષદના રિપોર્ટમાં છપાઈ છે. જુદે જુદે સ્થળે પ્રાચીન ગ્રંથોના સંગ્રહો જાણીતા છે તેમની યાદી અને સવિસ્તર અહેવાલ તૈયાર થવાની જરૂરિયાત ગુજરાતમાં સર્વ કોઈ સ્વીકારે છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રાચીન ગ્રંથસંગ્રહનો અહેવાલ ‘બુદ્ધિપ્રકાશ’માં છૂટક છૂટક છપાયો છે. સુરતમાં મળનારી પાંચમી સાહિત્ય પરિષદ વખતે એ દિશામાં વિશેષ કામ કરવાની સુરતના કાર્યવાહકો ઉમેદ રાખે છે. બીજી પરિષદ વખતે રા. મનસુખ કીરતચંદ મેહતાએ ‘જૈન સાહિત્ય’ વિશે મુંબઈમાં નિબંધ વાંચ્યો હતો. ત્યાર પછી એમણે જૈન ગુજરાતી રાસાઓની યાદી પ્રગટ કરી હતી. એ યાદીનો વધારો ‘જૈન કોન્ફરન્સ હેરલ્ડ’ના તંત્રી રા. મોહનલાલ દલીચંદ દેસાઈએ બહાર પાડ્યો છે. રાજકોટ પરિષદ વખતે સ્થપાયેલું પરિષદ ભંડોળ ફંડ રા. રા. ડાહ્યાભાઈ દેરાસરી પાસે કાન્હડદે પ્રબંધ છપાવવા તૈયાર થયું હતું પણ વડોદરામાં ચોથી પરિષદ મળી ત્યારે ગાયકવાડ સરકારે પ્રાચીન ગુજરાતી ગ્રંથો છપાવવાની યોજના કરી એટલે તેને અનુસાર કાન્હડદે પ્રબંધ છપાયો. રા. કેશવલાલ ધ્રુવ એ જ યોજના માટે ભાલણની કાદંબરીનું પ્રકાશન કરવાના છે. રા. નરસિંહરાવ અને પ્રો. બળવંતરાય ક. ઠાકોરને એ યોજનાને અંગે કામ સોંપવામાં આવ્યાં છે. ચોથી પરિષદ વડોદરામાં મળ્યા પછી વડોદરાના આગેવાન સાહિત્યસેવક રા. બ. હરગોવિંદદાસના કુટુંબ તરફથી ‘સાહિત્ય’ માસિકનું પ્રકાશન થવા માંડ્યું છે; તેમાં પ્રાચીન કાવ્યો છાપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીવાળા રા. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલે પણ કેટલાંક પ્રાચીન કાવ્યો પ્રકાશમાં આણ્યાં છે. પરિષદની શરૂઆતથી જૈન સાહિત્યની સમૃદ્ધિ તરફ લોકોનું ધ્યાન ખેંચવામાં આવતાં તેનાં શુભ પરિણામ સત્વર જન્મ્યાં. રા. રા. મનસુખભાઈ રવજીભાઈ મહેતાએ ‘રાયચંદ જૈન કાવ્યમાળા’ બે ભાગમાં બહાર પાડી. રા. મોહનલાલ દલીચંદ દેસાઈએ જૈન ઐતિહાસિક રાસમાળાનો એક અંક બહાર પાડ્યો. દેવચંદ લાલચંદ ઝવેરીના ફંડમાંથી રા. જીવણચંદ સાકરચંદ ઝવેરીએ ‘શ્રી આનંદકાવ્ય મહોદધિ’નાં ત્રણ મૌક્તિક બહાર પાડ્યાં છે. સુરતના રા. મણિલાલ બકોરભાઈ વ્યાસે ‘વિમલ પ્રબંધ’ પ્રકાશિત કર્યો છે. રા. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતાએ પ્રેમાનંદનું મહાભારત પ્રાપ્ત કર્યું છે. આ સર્વ સાહિત્ય પરિષદની ચળવળનું પરિણામ છે. હજુ આ દિશામાં ઘણું કરવાનું છે અને પ્રાચીન ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિને નાશ પામતી બચાવવાની છે.&lt;br /&gt;
આ વિષયને લગતા જ એક પ્રશ્નની અહીં નોંધ લેવાનું વાજબી લાગે છે. ત્રીજી સાહિત્ય પરિષદ માટે રા. રા. નરસિંહરાવે વડોદરાની પ્રાચીન કાવ્યમાળામાં પ્રગટ થયેલાં પ્રેમાનંદનાં ત્રણ નાટકો પ્રેમાનંદનાં નથી એવું સાબિત કરવા લેખ લખ્યો હતો. રા. મગનલાલ હરગોવિંદદાસ કાંટાવાળાએ રા. અંબાઈદાસ કાળીદાસ પટેલે, રા. છોટાલાલ નરભેરામ ભટે અને રા. અંબાલાલ બુલાખીરામ જાનીએ એમના લેખના મુદ્દાના રદીઆ આપવા પ્રયત્ન કર્યા છે. પણ જ્યાં લગી મૂળ હસ્તલેખો પ્રાપ્ત ન થાય ત્યાં લગી આ પ્રશ્નનો નિર્ણય થશે નહીં. જોડણીની ચર્ચાથી જેમ કેટલાક વ્યાકરણગત પ્રશ્નો સંબંધે અન્વેષણ થતું હતું તેમ પ્રેમાનંદનાં નાટકોની ચર્ચાથી ગુજરાતી ભાષાની ઉત્પત્તિ, ભાષાના શબ્દપ્રયોગો, ગુજરાતી વ્યાકરણનાં ઐતિહાસિક રૂપાન્તરો વગેરે સંબંધે નવો પ્રકાશ પડતો જાય છે, નવી શોધો થતી જાય છે.&lt;br /&gt;
પ્રાચીન કાવ્યના સંગ્રહ જેવા જ મહત્ત્વનો વિષય કંઠસ્થ સાહિત્યના સંગ્રહનો છે. પહેલી પરિષદમાં એ સંબંધી રામમોહનરાય જસવંતરાય દેસાઈનો અને મારો લેખ હતો, ચોથી પરિષદમાં રા. રા. હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીનો લેખ હતો. રા. રા. હરગોવિંદે કાઠિયાવાડમાં પ્રચલિત દુહાવાળી કથાઓનો સંગ્રહ સારો કર્યો છે. શ્રી ફાર્બસ ગુજરાતી સભા તરફથી એ સંગ્રહ છપાવાનો છે. રાજકોટમાં રા. રા. કાનજી ધર્મસિંહ કવિએ કાઠિયાવાડના કંઠસ્થ સાહિત્યનો સંગ્રહ છપાવ્યો છે પણ તેમાં દુહાઓની ભેળસેળ અને અશુદ્ધિ ઘણી છે. કચ્છ કાઠિયાવાડની આવી દુહાવાળી કથાઓ ‘ગુજરાતી’ પોતાના દિવાળીના અંક દ્વારા દર વર્ષે રા. રા. જીવરામ અજરામર ગોર અને રા. રા. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય તરફથી પ્રગટ કરે છે. સુરતના રા. રા. હરિલાલ હરદેવરામ મુનશીએ(જેઓ ઘણાં વર્ષ ઉપર ભાવનગરમાં કાવ્યપ્રેમી માસિક કાઢતા હતા) ગ્રામ્યજનોને કંઠસ્થ રામાયણ, મહાભારત વગેરેનો સંગ્રહ કર્યો છે. ગુજરાતી પ્રેસે પણ ભારતલોકકથાનો એક સંગ્રહ બહાર પાડ્યો છે. ઘણાં વર્ષો પૂર્વે ફરામજી નામના વિદેહ પારસી ગૃહસ્થે આવી કથાઓનો સંગ્રહ કરી ત્રણ ભાગમાં પ્રગટ કર્યો હતો. જુદી જુદી નાતોમાં ગવાતાં ગીતોનો સંગ્રહ અવારનવાર થતો જાય છે. સુરતની વડનગરા નાગર જ્ઞાતિનો ગીતોનો સંગ્રહ કવિ નર્મદાશંકરે કર્યો હતો. ત્યાર પછી વહાલીબેનના ‘રીતિદર્પણ’માં થોડોએક સંગ્રહ છે. અમદાવાદના વડનગરા નાગરનાં ગીતોનો સંગ્રહ સૌ. બાળાબહેને કર્યો છે. ભાવનગરના જૈનોનાં ગીતોનો સંગ્રહ હમણાં તાજેતરમાં પ્રગટ થયો છે. નડિયાદના સાઠોદરાનાં ગીતોનો સંગ્રહ વિદેહ સૌ. કુન્દનબહેને કર્યો છે. ખંભાતના માજી દીવાન માધવલાલ હરિનારાયણની પુત્રીએ સુરત જિલ્લાના ઔદિચોમાં ગવાતાં ગીતોનો સંગ્રહ કર્યો છે. સુરતના કાયસ્થોના ગીતોનો સંગ્રહ રા. હરિલાલ હરદેવરામ મુનશીએ કર્યો છે. ગોહિલવાડના પ્રશ્નોરાઓમાં ગવાતાં હાલરડાંનો સંગ્રહ રા. રા. દેવશંકર વૈકુંઠજીએ પ્રગટ કર્યો છે. જૂનાગઢના વડનગરાનાં ગીતોનો સંગ્રહ પણ ઘણું કરીને થયેલો છે. વિદેહ બાળાશંકર ઉલ્લાસરામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના આસિસ્ટંટ સેક્રેટરી હતા ત્યારે એમણે સોસાયટી મારફત ગુજરાતમાં ગવાતાં કેટલાંક ગીતોનો સંગ્રહ કરાવ્યો હતો. પંચમહાલના એક વખતના આસિસ્ટંટ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર રા. રા. કૃષ્ણલાલ સૂરજલાલ વકીલે તે તરફના ભીલોનાં ગીતોનો સંગ્રહ કરાવ્યો છે. વડોદરા તરફથી પ્રગટ થયેલ નવસારી પ્રાંતના કાળીપરજ નામના ગ્રંથમાં કાળીપરજનાં થોડાં ગીતો છે. બાળકોનાં ગીતો, ઉખાણાં, કથાઓ વગેરેના નાના નાના સંગ્રહ અવારનવાર ‘સુન્દરીસુબોધ’માં પ્રગટ થાય છે. કંઠસ્થ સાહિત્યના રક્ષણનો અને સંગ્રહનો આ રડતો વૃત્તાંત છે. પરિષદ તરફથી એ દિશામાં જોઈએ તેવો સબળ યત્ન થયો નથી.&lt;br /&gt;
અમદાવાદની પરિષદમાં સદ્ગત વલ્લભજી હરિદત્ત આચાર્યે ઐતિહાસિક શોધખોળને લગતો ટૂંકો નિબંધ મોકલાવ્યો હતો. રાજકોટના સંગ્રહસ્થાનના અધિકારી તરીકે એમણે અને એમના અવસાન પછી એમના પુત્ર રા. રા. ગિરજાશંકરે કાઠિયાવાડ અને કચ્છમાં સ્થળે સ્થળે ફરી ઐતિહાસિક સામગ્રી સારા પ્રમાણમાં એકઠી કરી છે. આવી જ સામગ્રી પૂર્વે ભાવનગરમાં સંગ્રહાઈ હતી. એમાંથી થોડીક પુસ્તક રૂપે-પણ ઘણી જ અશુદ્ધ રીતે પ્રસિદ્ધ થઈ હતી. કેટલીક રાજકોટની અને ભાવનગરની એ સંપત્તિ અપ્રસિદ્ધ છે, એ અફસોસની વાત છે. એનું પ્રકાશન કરવાનું કર્તવ્ય પરિષદનું છે. પરિષદના પ્રારંભ પછી ‘બુદ્ધિપ્રકાશ’માં બે નવા શિલાલેખ રા. રા. તનસુખરામ મનસુખરામ ત્રિપાઠીએ પ્રકાશિત કર્યા છે. ગુજરાતના હિન્દુ સમયના ઇતિહાસને લગતા પ્રસિદ્ધ લેખો – શિલા અને તામ્રના– નો ઘણોખરો સંગ્રહ મેં કર્યો છે. એ લેખોની યાદી ‘બુદ્ધિપ્રકાશ’ ૧૯૧૫ના એપ્રિલના અંકમાં છપાવાની છે. રાજકોટની પરિષદમાં રેવરન્ડ ડૉ. ટેલરે ગુજરાત કૉલેજ સમક્ષ વાંચેલા અંગ્રેજી નિબંધનું ગુજરાતી ભાષાન્તર રજૂ થયું હતું. તેમાં ગુજરાતના સિક્કાઓનો વૃત્તાંત આપેલો છે. એ જ વખતે રા. રા. હીરાલાલ ત્રિભોવનદાસ પારેખનો હિંદુસ્તાનના સિક્કાઓ વિશે પણ નિબંધ આવ્યો હતો. રાજકોટ પરિષદના પ્રદર્શનમાં કેટલાક સિક્કાઓ આવ્યા હતા પણ તે વંચાવી શકાયા નહોતા.&lt;br /&gt;
અમદાવાદની સાહિત્યસભાએ ઐતિહાસિક વ્યાખ્યાનમાળાની યોજના કરી હતી પણ તે સફળ નીવડી નથી. પરિષદવ્યાખ્યાનમાળાને અંગે વિદેહ હરજીવન ભગવાનજી શુક્લે અમરજી દીવાન વિશે રાજકોટમાં ભાષણ આપ્યું હતું. તે સિવાય એ માળાનાં બીજાં ઐતિહાસિક વ્યાખ્યાનો થયાં નથી. પ્રો. આનંદશંકર ધ્રુવે એક વેળા પરિષદ વિશે ‘વસન્ત’માં લખતાં લખ્યું હતું કે ઐતિહાસિક શોધખોળને માટે ગુજરાતમાં હવે અવકાશ નથી. પણ એમનું એ માનવું ભૂલભરેલું છે. ગુજરાતમાં સામાજિક, આર્થિક, કલાવિષયક અને સાહિત્યિક ઇતિહાસ સંબંધે હજુ શરૂઆત પણ નથી થઈ એમ કહીએ તો ખોટું નથી. રાજકોટ પરિષદમાં રા. રા. દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરનો એક અંગ્રેજી નિબંધ આવ્યો હતો. કાઠિયાવાડના નાગરોને એથી માઠું લાગશે એવા ડહાપણભર્યા વિવેકથી આ નિબંધ ત્યાં વાંચવામાં નહોતો આવ્યો પણ તેનું ગુજરાતી ભાષાંતર ‘વસંત’માં છપાયું. જ્ઞાતિઓનાં પુરાણોની ઐતિહાસિક નિરીક્ષા હજુ આરંભાઈ જ નથી. શિલાલેખો, તામ્રલેખો, અને ગ્રંથોમાં જે જે રાજ્યવ્યવસ્થા, ભૂગોળ, ધર્મસંપ્રદાય આદિના ઉલ્લેખો છે તેનો અભ્યાસ હજુ થયો નથી. આ ઉપરાંત હજુ ઘણા પ્રશ્નો અસ્પર્શ્ય પડ્યા છે.&lt;br /&gt;
પહેલી પરિષદ વખતે સ્વાગતનું ભાષણ રા. બ. રમણભાઈએ વાંચ્યું હતું અને એમાં સાહિત્ય પરિષદનો ઉદ્દેશ અને કાર્યપ્રદેશ આલેખ્યો હતો. બીજી સાહિત્ય પરિષદ મુંબઈમાં ભરવાનું કાર્ય સાહિત્યસભાએ રા. રા. ઠાકોરલાલ હરિલાલ દેસાઈ, રા. રા. હિમ્મતલાલ ગણેશજી અંજારીઆ અને મને સોંપ્યું હતું. પ્રો. ગજ્જરના સમભાવે સાહિત્ય પરિષદના કાર્યપ્રદેશ સંબંધીની મારી ભાવના વિશાળ થઈ અને મેં એનું આલેખન પહેલી પરિષદના રિપોર્ટના આમુખમાં કર્યું છે. આ વિશાળ સ્વરૂપને બીજી પરિષદના પ્રમુખ રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે અને સ્વાગતમંડળના પ્રમુખ શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીએ સમર્થન આપ્યું હતું પણ રા. રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીએ ‘સમાલોચક’માં એ વિશાળતા પ્રત્યે વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટમાં પ્રો. બળવંતરાય ક. ઠાકોર અને બીજા વિદ્વાનોએ એ વિશાળતાને પોષી હતી. પણ વડોદરામાં મૂળની સંકુચિત ભાવનાનો પુનઃ સ્વીકાર થયો હતો. રા. રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવને પોતાનો ગુજરાતની ભૂસ્તરરચનાનો નિબંધ છિન્નભિન્ન કરી નાંખી જુદે નામે રજૂ કરવો પડ્યો હતો કારણ કે સાહિત્યની પરિષદમાં વિજ્ઞાનને સ્થાન શી રીતે અપાય? સુરત પરિષદમાં ચર્ચવાના વિષયોની યાદી પર પણ એ સંકુચિતતાનો પ્રભાવ પડ્યો હતો. આમ અત્યારે બે પક્ષ છે. નર્યા સાહિત્યને લગતા જ પ્રશ્નો એકલા વિદ્વાનો મળી ચર્ચે એવો એક મત છે. સાહિત્ય ઉપરાંત જ્ઞાનના સર્વે પ્રશ્નો વિદ્વાનો અને વિદ્યારસિકો ચર્ચે અને લોકસમુદાયને એમાં રસ લેતો અને સહાય આપતો કરે એ બીજો મત છે. બીજા પક્ષવાદીઓ આ સંસ્થા ગુજરાતનું સાર્વજનિક જીવન કેળવવાનું – તેના પાઠ શીખવવાનું સાધન પણ લેખે છે.&lt;br /&gt;
પહેલી પરિષદ વખતે રા. રા. પેસ્તનજી ખરસેદજી તારાપોરવાળાએ પ્રદર્શન ભરવાનું સૂચવ્યું હતું પણ તે સૂચનાનો અમલ નહોતો થઈ શક્યો. મુંબઈમાં ગ્રંથવિક્રેતાઓ પાસે ગુજરાતી ગ્રંથોનું વિક્રય માટે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં પ્રદર્શન ટૂંક વખતમાં મોટા પાયા ઉપર કરવામાં આવ્યું હતું. એમાં પ્રાચીન હસ્તલેખો, મુદ્રિત પુસ્તકો, શિલાલેખો, તામ્રલેખો, સિક્કાઓ વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં, પણ તેમના સંબંધી રસિક અહેવાલ પણ લખવામાં આવ્યો હતો. વડોદરામાં પણ નાનુંસરખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે ગુજરાતી વિદ્વાનો અને ગ્રંથકારોની છબીઓ તૈયાર કરવામાં આવી હતી.  સુરતમાં રાજકોટ અને વડોદરાને ધોરણે બને તો પ્રદર્શન કરવા કાર્યવાહકોનો વિચાર છે. ગુજરાતી ચિત્રકારોનાં ચીતરેલાં ચિત્રો ગુજરાતને લગતા ભિન્ન ભિન્ન વિષયો પરત્વે પ્રદર્શનમાં ભેગાં કરવાનો તેમનો અભિલાષ છે. સાથે અંગ્રેજી સંસ્કારો આપણા જીવન ઉપર પડ્યા તે અગાઉ જે પ્રકારની ચિત્રકલા ગુજરાતમાં પોષાતી હતી તેનો સંગ્રહ કરવા પણ ધારણા છે. ભાવનગર રાજ્યનો શિહોરમાં રાજમહેલ છે ત્યાં ભાવનગરના રાજવંશનાં ચિત્રો છે – હાલ તો લગભગ નષ્ટ થયેલાં છે પણ તેમની નકલો ઉતારી લીધેલી ભાવનગરના સંગ્રહસ્થાનમાં છે. એ ચિત્રો ગયા વર્ષના ‘ગુજરાતી’ના દિવાળી અંકમાં છપાયાં હતાં. હમણાં જ પાલનપુરના નવાબઝાદાએ પોતાના રાજ્યનો ઇતિહાસ લખ્યો છે તેમાં પોતાના પૂર્વજોની છબીઓ આપી છે. આ વગેરે ઉપરથી પ્રાચીન કલાની સામગ્રી ગુજરાતમાં હયાત હોવાનું જણાય છે. તેને નાશ થતી બચાવી લોકાદરને પાત્ર કરવાનો ઉદ્દેશ છે. સચિત્ર હસ્તલેખોના સંગ્રહથી ગુજરાતના પ્રાચીન રીતરિવાજ, પહેરવેશ, અલંકાર, પ્રસાધન આદિનો પરિચય મેળવી શકાય છે. રાજકોટ પ્રદર્શનમાં વસંતવિલાસિકાની સચિત્ર હસ્તલિખિત પ્રત હતી. ચિત્રો પરથી ગુજરાતના તત્કાલીન જીવનનો આબેહૂબ ખ્યાલ મળતો હતો.&lt;br /&gt;
ચિત્રકલાની બહેનપણી બીજી લલિતકલાઓ ગુજરાતના વ્યક્તિ અને સાર્વજનિક જીવનમાં સંસ્કાર ભરે એવી યોજના વિચારવા પરિષદની ધારણા છે. સ્થાપત્ય અને મૂર્તિવિધાનનું હયાત સ્વરૂપ કેવું છે તેનું રેખાદર્શન રા. રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવે ત્રીજી સાહિત્ય પરિષદમાં કરાવ્યું હતું. સુરત પરિષદમાં પણ એ વિશે લેખ આવવાનો છે. ગુજરાતમાં એ કલાઓની જે સુંદર સમૃદ્ધિ છે તેનો બહુ જ થોડાને ખ્યાલ છે.&lt;br /&gt;
સંગીતના વિશેષ સંસ્કારી અભ્યાસ અને પ્રસારણની ખાસ અગત્ય છે. બીજી પરિષદમાં રા. રા. કૃષ્ણરાવ ભોળાનાથે એ વિષે નિબંધ વાંચ્યો હતો. રા. રા. ગણપતરાવ ગોપાળરાવ બર્વેએ પણ શ્રુતિઓ વિશે વિસ્તીર્ણ નિબંધ વાંચ્યો હતો. એમના શ્રુતિસ્વરસિદ્ધાંતની રા. રા. નરસિંહરાવે ‘વસંત’માં સમીક્ષા કરી હતી. સુરત પરિષદ વાસ્તે રા. રા. કૃષ્ણરાવ ભોળાનાથ ગુજરાતના સંગીત સાહિત્ય વિષે લખવાના છે. રતનદેવી નામની ઇંગ્લિશ સન્નારીએ ત્રીસ હિન્દુસ્તાની ગાયનો જેવા રસથી અંગ્રેજીમાં ઉતાર્યાં છે, મિ. ફોક્ષ-સ્ટ્રેગવે, મિ. ક્લેમન્ટસ, ડે આદિ ઇંગ્લિશ સંગીતવિદોએ ભારતવર્ષના સંગીતશાસ્ત્ર વિષે જેવી ચર્ચા કરી છે તેવી ગુજરાતની સંગીતસમૃદ્ધિની થવી ઘટે છે. તે ઉપરાંત ગુજરાતમાં સંગીતનો ઊંચો શોખ ફેલાવવો ઘટે છે. ગુજરાતની રસિકતા ઉત્તેજવી અને પોષવી, એ પણ સાહિત્ય પરિષદનું એક કર્તવ્ય છે.&lt;br /&gt;
બંગીય સાહિત્ય પરિષદે કરેલા પ્રદર્શનનો અહેવાલ પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે ‘સાહિત્ય પરિષદ વિશેનાં વ્યાખ્યાનો’ નામના પોતાના ગ્રંથને છેડે આપેલો છે. એ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રદર્શનને સારી રીતે ખીલવવાની અને તેને માટે સતત મહેનત લેવાની જરૂર છે.&lt;br /&gt;
પહેલી પરિષદમાં સસ્તું સાહિત્ય ઉત્પન્ન કરવા અને તેની આવશ્યકતા વિશે બે નિબંધો વંચાયા હતા. ત્યાર પછી પરિષદે એ દિશામાં કાંઈ પ્રયાસ કર્યો નથી. પણ સંતોષની વાત છે કે સ્વામી અખંડાનંદે એ કાર્ય સફળતાથી પાર પાડ્યું છે. એમના નાનાં અનુસરણો પણ થતાં જાય છે.&lt;br /&gt;
બીજી પરિષદ મુંબઈમાં ઈ. સ. ૧૯૦૭માં યુનિવર્સિટીના હૉલમાં મળી હતી. રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે પ્રમુખસ્થાનેથી પ્રોત્સાહક ભાષણ કર્યું હતું. અપભ્રંશસાહિત્ય પ્રત્યે લોકસમૂહનું ધ્યાન ખેંચ્યું હતું. પદ્યરચનાનાં સ્વરૂપો વિશે એમનો નિબંધ પણ આવ્યો હતો. ગોવર્ધનભાઈએ વખાણેલી વિદ્વત્તાની પ્રસાદી પહેલી બે પરિષદને મળી તે મળી. પછીની પરિષદો તે મેળવવા ભાગ્યશાળી નીવડી નથી.&lt;br /&gt;
રા. રા. નરસિંહરાવે અભિનયકલા વિશે વિસ્તૃત નિબંધ લખ્યો હતો. તેનો સારાંશ ‘વસંત’માં અને બીજી પરિષદના રિપોર્ટમાં છપાયો છે. સમગ્ર નિબંધ હજુ પ્રસિદ્ધ નથી થયો. પહેલી પરિષદમાં રા. રા. કૃષ્ણરાવ ભોળાનાથે આપણાં નાટકો વિશે નિબંધ વાંચ્યો હતો. ત્યાર પછી રંગભૂમિના સંબંધમાં પરિષદ દ્વારા ચર્ચા થઈ નથી. સુરત પરિષદમાં રા. રા. રમણિક અ. મહેતાનો રંગભૂમિના એક અંગ વિષે નિબંધ આવવાનો છે. સદ્ગત જીવાભાઈ અમીચંદ પટેલે ‘ગુજરાતી’માં વર્તમાન રંગભૂમિ વિશે લેખમાળા લખી હતી. તે છૂટી પુસ્તકાકારે પ્રગટ થવી ઘટે છે. દક્ષિણમાં નાટકકારોનું જુદું જ સંમેલન મળે છે. વડોદરામાં રૂ. ૫૦૦૦/– ખર્ચી રોષદર્શિકાસત્યભામાખ્યાન પરિષદ તરફથી ભજવવામાં આવ્યું હતું. આ કાર્ય તરફ વિરોધ ઊઠ્યો હતો. પણ સાહિત્યરસિકો સાહિત્યના કેટલાક ઉત્તમ પ્રસંગો અભિનયથી અને સંગીતથી પરિષદ વખતે ભજવી બતાવે તો સાહિત્યના સંસ્કારો વિસ્તારથી ફેલાય ખરા.&lt;br /&gt;
રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળે ગુજરાતી અક્ષરોના રૂપાંતર વિશે લેખ લખ્યો હતો પણ પ્રાચીન ગુજરાતી ગ્રંથો વાંચવામાં મદદરૂપ થઈ પડે એવાં કોષ્ટકોના અભાવે એ લેખની મહત્તામાં ન્યૂનતા આવી છે.&lt;br /&gt;
બીજી સાહિત્યપરિષદમાં સદ્ગત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું સ્મારક કરવા ઠરાવ થયો હતો. લાખ રૂપિયા ભેગા કરી એમાંથી અમુક વિષયો પર પુસ્તકો લખાવવાની ધારણા હતી. પણ એવડું મોટું ફંડ કરી શકે એવા જે આગેવાનો હતા તેમને અણધારી આસમાની–સુલતાની જોવી પડી એટલે એ સ્મારક જન્મતાં જ અવસાન પામ્યું છે.&lt;br /&gt;
ત્રીજી સાહિત્યપરિષદ રાજકોટમાં કૉનોટ હૉલમાં ઈ. સ. ૧૯૦૯માં મળી. આ પરિષદમાં રાજાઓ અને અંગ્રેજ અમલદારોએ પણ ભાગ લીધો હતો. ગોંડળનાં રાણીસાહેબે પરિષદનું સ્વાગત કર્યું હતું. કાઠિયાવાડમાં તે વખતે ગવર્નરના એજંટ મી. હિલ (હાલ વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભાસદ) હતા તેમણે પરિષદ અને પ્રદર્શનમાં આગેવાની લીધી હતી. અંગ્રેજ અમલદારોની સામિલગીરીના શાશ્વત ચિહ્ન રૂપે તેઓએ થોડુંક ભંડોળ ભેગું કરી તેના વ્યાજમાંથી પરિષદ દ્વારા સૂચિત વિષય પર લખાયેલા સારા નિબંધને ચંદ્રક આપવાની વ્યવસ્થા કરી આપી હતી.&lt;br /&gt;
રાજાઓએ પણ ઉદાર મદદ આપી પરિષદ ભંડોળ ફંડ સ્થાપી આપ્યું હતું. આ ફંડથી પુસ્તકપ્રસિદ્ધિ માટે ગુજરાતમાં ચોથી સંસ્થા થઈ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ધી ફાર્બસ ગુજરાતી સભા, વડોદરા રાજ્ય ઉપરાંત આ ફંડ થયું હતું. એ ફંડમાંથી પ્રો. હરિલાલ માધવજી ભટ્ટ રચિત ‘બ્રિટિશ હિન્દનું રાજ્યબંધારણ,’ નવલરામ પ્રણીત ‘ઈંગ્લેંડનો ઇતિહાસ’ એ બે ગ્રંથ છપાયા છે. રા. રા. મોહનલાલ પાર્વતીશંકર દવેએ તૈયાર કરેલ મૅકડોનલ પ્રણીત સંસ્કૃત સાહિત્યના વૃત્તાંતનો ગુજરાતી તરજુમો છપાવાનો છે.&lt;br /&gt;
પરિષદના પ્રદર્શનમાં આવેલી ગુજરાતી ચોપડીઓનું પરિષદપુસ્તકાલય સ્થાપવામાં આવ્યું છે. એ પુસ્તકાલય ક્યાં સ્થાયી કરવું તેનો નિર્ણય ન થવાથી હાલ સંગ્રહ અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં છે. પરિષદ એક કમિટી નીમી બે પરિષદના અંતરાળમાં જેટલાં પુસ્તકો પ્રગટ થાય તેનાં તટસ્થ અવલોકન કરાવે તો પરિષદપુસ્તકાલયનો સંગ્રહ વધે અને ગુજરાતી સાહિત્યના વિકાસ પર એનો પ્રભાવ પડે. પણ આપણે ત્યાં કાર્યવાહકો થોડા છે અને કામ ઝાઝું છે એટલે હાલ તો આશા ખપુષ્પવત્ છે. છાપખાનાંઓને પોતાને ત્યાં છપાતી દરેક ચોપડીની અમુક નકલ સરકારમાં આપવી પડે છે. તો પરિષદપુસ્તકાલય માટે સરકાર એક ચોપડી વધારે લે, એવી તજવીજ કરવા જેવું છે.&lt;br /&gt;
કૉલેજોના શિક્ષણમાં ગુજરાતી સાહિત્યના અભ્યાસને સ્થાન આપવાનો પ્રશ્ન બીજી પરિષદમાં ઉપસ્થિત થયો હતો. રા. રા. હિમ્મતલાલ ગણેશજી અંજારીયાએ એ સંબંધમાં લેખ વાંચ્યો હતો. રાજકોટ પરિષદમાં રા. રા. ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યાએ ‘યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ગુજરાતીને સ્થાન’ એ વિશે નિબંધ વાંચ્યો હતો. વડોદરામાં માતૃભાષા દ્વારા કેળવણી આપવાના સવાલ ઉપર ચર્ચા થઈ હતી. હજુ આ દિશામાં સતત પ્રયાસ કરવાની જરૂર છે. હાલમાં યુનિવર્સિટી તરફથી એમ. એ. ના વિદ્યાર્થીઓ માટે અમુક અમુક વિષયો ઉપર ભાષણો અપાય છે. આ ભાષણમાળામાં ગુજરાતી સાહિત્યને સ્થાન આપવા પ્રયત્ન કરવાની જરૂર છે.&lt;br /&gt;
નવી ગુજરાતી વાચનમાળાનું અવલોકન રાજકોટ પરિષદમાં પ્રો. હરિલાલ માધવજી ભટ્ટે કર્યું હતું. એ સંબંધમાં કેટલાક સુધારા સૂચવવા વાચનમાળા કમિટી નીમવામાં આવી હતી. આ કમિટીના પ્રયાસથી કેટલાક સુધારા થયા હતા તેમ જ વાચનમાળાની કિંમત સરકારે ઘટાડી હતી. હજુ એ દિશામાં વિશેષ પ્રયાસની જરૂર છે.&lt;br /&gt;
ગુજરાતની કેળવણી અને કેળવણી માટેના ગુજરાતી ગ્રંથો સંબંધમાં પરિષદને હજુ ઘણું કરવાનું છે. સુરતમાં સ્ત્રીકેળવણીના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરવાનો કાર્યવાહકોનો ઇરાદો છે.&lt;br /&gt;
રાજકોટ પરિષદના પ્રમુખપદે સ્વ. દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈની પસંદગી થવાથી ગુજરાતમાં મોટો કોલાહલ મચ્યો હતો. સાહિત્ય પરિષદના પ્રમુખ એકલા સાક્ષરોમાંથી પસંદ કરવા કે ગુજરાતના વિદ્વાન આગેવાનોમાંથી પસંદગી કરવી? એ પ્રશ્નનું રાજકોટે નિરાકરણ કર્યું છે. સાક્ષરો ઉપરાંત સાક્ષર નહીં એવા અગ્રણીઓને એ હિલચાલના સુકાની બનાવવામાં અનેકધા લાભ છે.&lt;br /&gt;
પ્રો. આનંદશંકર ધ્રુવે ગુજરાતના સંસ્કૃત સાહિત્ય વિશે નિબંધ વાંચ્યો હતો અને એ પ્રદેશ પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો હતો. રા. બ. રમણભાઈએ ગુજરાતી ભાષાના આરંભ વિશે ઘણી ઉપયોગી માહિતી અને સામગ્રીથી ભરપુર નિબંધ વાંચ્યો હતો. રા. રા. ડાહ્યાભાઈ દેરાસરીએ કાન્હડદે પ્રબંધ ઉપર નિબંધ વાંચ્યો હતો. રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળે મરૂઠના ભીલ લોકોની બોલીના વ્યાકરણ વિશે લેખ લખી મોકલ્યો હતો. રા. રા. નરસિંહરાવે બે સમર્થ નિબંધો લખ્યા હતા; પ્રેમાનંદનાં નાટકો વિશે અને ભરતખંડ માટે એક ભાષા વિશે. એક ભાષાની ચર્ચા પાછી વડોદરામાં થઈ હતી. એ પ્રશ્ન પરત્વે વિવિધ દૃષ્ટિબિંદુ રજૂ કરાવી પરિષદે એને ગુજરાતને રોશન કર્યો છે. આ ઉપરાંત ત્રીજી પરિષદમાં ઘણાં સારા નિબંધો આવ્યા હતા.&lt;br /&gt;
ત્રીજી પરિષદ વખતે પરિષદના કાર્યવ્યવહારને નિયમિત અને ધારાસર રચવામાં આવ્યો હતો. નિબંધો તપાસવા સાક્ષરકમિટી નીમવામાં આવી હતી. સાક્ષર શબ્દ સાથે વિરોધ ઊઠવાથી એ કમિટી હવે નિરીક્ષક કમિટી કહેવાય છે. પરિષદનું બંધારણ ઘડવા એક કમિટી નીમવામાં આવી હતી. કમિટીનું તૈયાર કરેલું બંધારણ વડોદરામાં રજૂ કરવામાં આવ્યું હતું અને પાંચમી પરિષદ વિખરાય ત્યાં સુધી તેને અમલમાં મૂકવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. સુરતમાં એ બંધારણમાં કેટલાક ફેરફાર થશે. ચોથી પરિષદના રિપોર્ટમાં એ બંધારણ છપાયેલું છે.&lt;br /&gt;
રાજકોટમાં પરિષદવ્યાખ્યાનમાળાની યોજના કરવામાં આવી હતી. આ યોજનાને અનેક વિદ્વાનોએ આશ્રય આપવા કબૂલ્યું હતું. પણ એ યોજના સહેજ પણ સફળ હજુ લગી થઈ શકી નથી. વિદેહ હરજીવન ભગવાનજી શુક્લે રાજકોટમાં કર્નલ વૉકરના સમયનું કાઠિયાવાડ એ વિષયની વ્યાખ્યાનમાળાનું એક વ્યાખ્યાન આપ્યું હતું. રા. રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવે પોતાનાં વ્યાખ્યાનો તૈયાર કર્યાં હતાં. એ વ્યાખ્યાનમાળાને સજીવન કરવાની ખાસ જરૂર છે. જ્ઞાનના અનેક નવા પ્રદેશો એથી આપણા સાહિત્યમાં ઉમેરાશે એટલું જ નહીં પણ વ્યાખ્યાનો દ્વારા જ્ઞાનની લહાણી વધારે વિસ્તારમાં થઈ શકશે.&lt;br /&gt;
ચોથી પરિષદ વડોદરામાં ઈ. સ. ૧૯૧૨માં મળી. પ્રમુખસ્થાને રા. રા. રણછોડભાઈ ઉદયરામ બિરાજ્યા હતા અને સ્વાગતમંડળના પ્રમુખ શ્રીમંત સંપતરાવ ગાયકવાડ હતા. નામદાર ગાયકવાડ સરકારે પણ એમાં હાજરી આપી હતી. ગુજરાતી અને મરાઠી સાહિત્ય સમૃદ્ધ કરવા એઓ નામદારે એક મોટી રકમ અલગ તે વખતે કાઢી હતી.&lt;br /&gt;
રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીએ કાવ્યસંપત્તિનું દિગ્દર્શન વિદ્વત્તાથી કરાવ્યું હતું. રા. બ. રમણભાઈએ ગુજરાતી ભાષાના બંધારણ ઉપર નિબંધ વાંચ્યો હતો. રા. રા. વિજયલાલ કનૈયાલાલ ધ્રુવે ગુજરાતના ભૂસ્તરના કેવા કેવા ફેરફારો થયા છે તે દર્શાવવા નકશાઓ તૈયાર કર્યા હતા. સાહિત્ય પરિષદમાં વિજ્ઞાનને વડોદરામાં સ્થાન ન મળવાથી એમણે એમના લેખનું નામ ‘સૃષ્ટિસૌન્દર્ય—તેની સાહિત્ય પર અસર’ એવું રાખ્યું હતું. આ ઉપરાંત બીજા નિબંધોનો ઉલ્લેખ આગળ થઈ ગયો છે.&lt;br /&gt;
બીજી પરિષદ વખતે ઘણા કવિઓ સાહિત્ય પરિષદમાં પોતાની કવિતાઓ ગાવા ઇંતેજાર હતા. મરાઠી અને હિન્દી સાહિત્યસંમેલનમાં પરિષદને લગતી અથવા નવી રચેલી સાદી કવિતાને સ્થાન આપવામાં આવે છે. પરંતુ મુંબઈની પરિષદના કાર્યવાહકોએ તેનો નિષેધ કર્યો હતો. રાજકોટમાં એ નિષેધ કાયમ રહ્યો હતો. વડોદરામાં લિખિત અને રા. રા. રણછોડભાઈની કવિતાઓ ગવાઈ હતી. આ પ્રશ્ન વિકટ છે. કવિતાના આપણે ત્યાં બે – ત્રણ નિરાળા પક્ષ છે. તેમની વચ્ચે વિરોધ છે. પરિષદમાં કવિતાને સ્થાન અપાશે તો વિરોધ વધવાનો વધારે સંભવ છે. વિષયોનો અભ્યાસ કરી શિષ્ટ વિદ્વત્તાપૂર્ણ લેખો કે પુસ્તકો લખવા કરતાં ગુજરાતના યુવાનો કવિતા લખવા વધારે પ્રેરાય છે, એવા સખત આક્ષેપ આગેવાન વિદ્વાનો અને પત્રોના તંત્રીઓ કરે છે. પરિષદમાં કવિતાને સ્થાન મળ્યું તો તે એટલી બધી આવીને પડશે કે બીજી શાસ્ત્રીય ચર્ચાને માટે અવકાશ જ રહેશે નહીં; તેમ પરિષદને યોગ્ય વિષયોના અભ્યાસ તરફ યુવાનોની વૃત્તિ વળશે પણ નહીં.&lt;br /&gt;
બીજી સાહિત્ય પરિષદ વખતે રા. રા. અરદેશર ફરામજી ખબરદારે ‘ગુણવંતી ગુજરાત’નું કાવ્ય રચ્યું હતું. ત્રીજી પરિષદ વખતે રા. લલિતે ‘અમે તો કાઠિયાવાડી’વાળું કાવ્ય રચ્યું હતું.&lt;br /&gt;
વડોદરામાં પાદપૂર્તિનો વિનોદ માણવામાં આવ્યો હતો.&lt;br /&gt;
કાવ્ય જેવો જ સવાલ ભાષણોનો છે. બીજી પરિષદમાં એનો નિષેધ કરવામાં આવ્યો હતો. ત્રીજી પરિષદમાં એને માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક ભાષકને પોતાનું નામ આગળથી નોંધાવવું પડતું હતું. પ્રત્યેકને માટે અમુક સમય નિયત કરવામાં આવ્યો હતો. ભાષણોના મુદ્દા આગળથી કમિટીને બતાવવા પડ્યા હતા. વડોદરામાં આટલી સખતાઈ નહોતી. હજુ આ પ્રશ્નનું સંતોષકારક નિરાકરણ થયું નથી. બીજા મેળાવડામાં ગમે તેમ બોલી જાય તો ચાલે પણ અહીં વિદ્વત્તા, અભ્યાસ અને અનુભવના સંસ્કારવાળું સમયોચિત ભાષણ જોઈએ. એવાં ભાષણોની નોંધ લેનાર ન હોય તો તે પ્રગટ થઈ શકતાં નથી. ગોવર્ધનરામના ઉપસંહારનો સારાંશ ‘પ્રજાબંધુ’માં છપાયેલો હતો તે પહેલી પરિષદના રિપોર્ટમાં છાપવામાં આવ્યો છે. રા. કેશવલાલ ધ્રુવના અને દી. બ. અંબાલાલના ઉપસંહાર નોંધ નહીં હોવાથી પ્રગટ કરી શકાયા નથી.&lt;br /&gt;
રાજકોટ પરિષદ વખતે સ્પર્ધાથી લખાયેલા ઉત્તમ નિબંધને ચંદ્રક આપવા. અમુક રકમ રાજકોટના અંગ્રેજ અમલદારોએ આપી હતી, અને ગોંડલના નામદાર ઠાકોરસાહેબે તેને રૂ. ૨૦૦– આપવા કૃપા બતાવી હતી. પણ બે વખત વિષયની જાહેરાત આપ્યા છતાં એકે નિબંધ આવ્યો નથી. સુરત પરિષદના વ્યવસ્થાપકોએ રૂ. ૫૦૦-૫૫૦નાં ઇનામો કાઢી સાહિત્ય અને કેળવણીને લગતા વિષયો ઉપર નિબંધો મંગાવ્યા છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને શ્રી ફાર્બસ ગુજરાતી સભા વેતન આપી નિબંધો અને ગ્રંથો લખાવે છે તો પછી સાહિત્ય પરિષદે આવી રીતે, ચંદ્રક આપીને અથવા પરિષદ ભંડોળ ફંડ સ્થાપી એ બે સંસ્થાઓના કામમાં સામિલ થવું એ કેટલાકને દુરસ્ત નથી લાગતું.&lt;br /&gt;
સાહિત્ય પરિષદમાં જે નિબંધો આવે છે તેમાંના બહુ જૂજ ઉત્કૃષ્ટ છે. થોડા અભ્યાસે સામાન્ય વિચારોથી ભરેલા ઘણા આવે છે. તેમનો અસ્વીકાર કરવામાં આવે કે પરિષદમાં વાંચવા દેવામાં ન આવે તો લેખકોને ઓછું આવે છે અને પરિષદથી તેઓ રિસાઈ બેસે છે. પોતાની પ્રતિષ્ઠા અને પરિષદના ગૌરવને અનુરૂપ લેખ લખવો જોઈએ એવું ઘણા પ્રતિષ્ઠિત લેખકોના પણ ધ્યાનમાં રહેતું નથી. કૌટુંબિક કે શારીરિક અથવા એવી કોઈ ઉપાધિને લીધે ઘણી વાર વિદ્વાનો પોતાના નિબંધો મોકલી શકતા નથી. યુવાન નવા અભ્યાસીઓ જોઈએ તેટલા પ્રમાણમાં ઊભા થતા નથી એટલે ઘણીવાર સાહિત્ય પરિષદ માટે લખાયેલા નિબંધોમાંથી બહુ જ થોડા ગુર્જર સાહિત્ય સંપત્તિને ભૂષણરૂપ થઈ પડે છે. સારા નિબંધો આવે માટે વડોદરામાં સાહિત્ય પરિષદનું બંધારણ ઘડતી વખતે એક એવી કલમ મૂકવામાં આવી હતી કે, સાહિત્ય પરિષદ મળવાની હોય તેના છ મહિના અગાઉ પરિષદના સામાન્ય મંત્રીઓએ અમુક વિષયો પસંદ કરી પ્રતિષ્ઠિત વિદ્વાનોને સોંપવા અને પરિષદ માટે આવેલા બીજા લેખો છપાય, કે ન છપાય પણ આ વિદ્વાનોના લેખો છાપવા જ અને દરેકને તેના લેખની ૫૦૦ નકલ આપવી. આ નિયમનું પાલન આગામી સુરત પરિષદ માટે થયું નથી.&lt;br /&gt;
સાહિત્ય પરિષદમાં અનેક નિબંધો આવે છે. નિબંધોના ગુણ, વિષય અને વાચક નાના પ્રકારના હોય છે. શ્રોતાઓને એવા શ્રવણથી કંટાળો આવે છે અને જોઈએ તેવું ધ્યાન અપાતું નથી. વસ્તુસ્થિતિ આવી હોવાથી પરિષદનો કાર્યવ્યવહાર વિભાગી કરવાની સૂચના થાય છે. કેટલાક હાલમાં એ સૂચનાનો અમલ કરવાની તરફેણમાં નથી. બંગીય સાહિત્ય સંમેલનમાં ચાર વિભાગથી કાર્યવ્યવહાર ચાલે છે; સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન.&lt;br /&gt;
સાહિત્ય પરિષદ માટે કાયમનું વ્યવસ્થાપક મંડળ જોઈએ કે નહીં? સાહિત્ય પરિષદે સંમેલન રૂપે રહેવું ઇષ્ટ છે કે સાથે સાથે કાયમ સંસ્થાના રૂપમાં પણ મૂર્તિમંત થવું ઇષ્ટ છે? આ પ્રશ્નો હાલ ચર્ચાય છે.&lt;br /&gt;
અમદાવાદની સાહિત્યસભાએ અમદાવાદ અને મુંબઈમાં સાહિત્યપરિષદ મેળવી. રાજકોટમાં કાઠિયાવાડ સમસ્ત તરફથી પરિષદ મળી. વડોદરામાં સમસ્ત ગાયકવાડી રાજ્ય તરફથી મળી. સુરતમાં સુરતના વતનીઓ તરફથી મળશે.&lt;br /&gt;
પહેલી બે પરિષદના મંત્રીઓ સાહિત્યસભાએ નીમ્યા હતા. બીજી પરિષદની પૂર્ણાહૂતી વેળાએ રા. બ. રમણભાઈ અને રા. ઠાકોરલાલ હરિલાલ દેસાઈ પરિષદના મંત્રીઓ નિમાયા. ત્રીજી અને ચોથી પરિષદમાં રા. બ. રમણભાઈ, પ્રો. આનંદશંકર ધ્રુવ અને પ્રો. બ. ક. ઠાકોર મંત્રીઓ નિમાયા હતા. મંત્રીઓ સિવાય પ્રમુખ અને સભાસદોવાળું વ્યવસ્થાપક મંડળ નીમવાની સૂચના કેટલેક સ્થળેથી થાય છે.&lt;br /&gt;
અમદાવાદની સાહિત્ય સભાએ સાહિત્ય પરિષદ મેળવી એટલે સુરત, રાજકોટ અને ભરૂચમાં સાહિત્યસભાઓ સ્થપાઈ. મુંબઈમાં ગુર્જરસભા પોતાના વિશાળ કાર્યપ્રદેશમાં ગુજરાતી સાહિત્યના પ્રસારણ અને ઉત્કર્ષની ચર્ચાને પણ સ્થાન આપે છે. આ સર્વેના કાર્યવ્યવહારનો વૃત્તાંત લખવા જેવો છે.&lt;br /&gt;
સાહિત્ય પરિષદ સંબંધી ગુજરાતી ભાષામાં કેટલુંક ખાસ સાહિત્ય ઊભું થયું છે. રા. બ. રમણભાઈનું અમદાવાદ પરિષદનું સ્વાગત કરતી વખતનું ભાષણ; ભરૂચ સાહિત્યસભા સન્મુખ એમણે આપેલું ભાષણ, પ્રો. બળવંતરાય ક. ઠાકોરનાં સાહિત્ય પરિષદ વિશેનાં ત્રણ વ્યાખ્યાનો, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મણિમહોત્સવના પ્રસંગે દી. બ. અંબાલાલે આપેલું ભાષણ —(આમાં પરિષદનો ઉલ્લેખ નથી પણ પરિષદના પ્રશ્નોનો સ્પર્શ છે), ‘વસંત’માં અવારનવાર પ્રો. ધ્રુવે લખેલા લેખો, મરાઠી અને હિન્દી સાહિત્ય સંમેલનોના વૃત્તાંત અવારનવાર માસિકોમાં પ્રગટ થાય છે. ગુર્જરસભામાં ગયે વર્ષે સાહિત્ય પરિષદ વિશે રા. રા. ચંદ્રશંકર પંડ્યાએ ચર્ચા કરી હતી. તેનો અહેવાલ ‘સમાલોચક’માં છપાયો છે.&lt;br /&gt;
બંગાળામાં સાહિત્ય સંમેલન નિયમિત દર વર્ષે મળે છે. આ વર્ષે વર્ધમાનમાં (Burdwan) આઠમું સંમેલન મળ્યું છે. મરાઠી સાહિત્ય સંમેલન નિયમિત નથી મળતું પણ આ વર્ષે મુંબઈમાં મળવાનું છે. હિન્દી સાહિત્ય સંમેલન દર વર્ષે મળે છે.&lt;br /&gt;
ચારે પરિષદોના રિપોર્ટ છપાયેલા છે. પહેલો રિપોર્ટ સિલકમાં નથી. બીજો અને ત્રીજો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંથી અને ચોથો વડોદરામાંથી મળે છે.&lt;br /&gt;
ગુજરાતના સાર્વજનિક જીવનની સાહિત્ય પરિષદ એ પહેલી મોટી પ્રવૃત્તિ છે. અમદાવાદ, મુંબઈ, રાજકોટ, વડોદરા, સુરત જેવાં ગુજરાતનાં મુખ્ય નગરોમાં તે ફરી વળી છે. નડિયાદ, ગોધરા, નવસારી, ભરૂચ, વીરમગામ, વઢવાણ, ભાવનગર, જામનગર, ગોંડલ, પાલનપુર, પાટણ જેવાં નાનાં શહેરોમાં પણ તે ફરી વળે એવી એના હિતેચ્છુઓની વાંછના છે. હિન્દુ, મુસલમાન, પારસી, અંગ્રેજ રાજાઓ અને રંક – પુરુષો અને સ્ત્રીઓ – અમલદારો, વેપારીઓ વગેરે સૌની આમાં સામેલગીરી છે. પરિષદ ગુજરાત સમસ્તની છે. ગુજરાતમાં એકતાની લાગણી જાગૃત કરી એ સાહિત્ય પરિષદનું મહત્ત્વનું ફળ છે. ઉપરાંત ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસનાં અનેક અંગોના અભ્યાસ તરફ વિશેષ પ્રવૃત્તિ થવા માંડી છે.&lt;br /&gt;
સાહિત્ય પરિષદને લગતા એક પણ સાધન વિના સ્મરણ ઉપરથી આ લેખ લખવામાં આવ્યો છે, એટલે એમાં ઘણાં સ્ખલનો હશે. સાહિત્ય પરિષદમાં અત્યાર લગી કેટલું અને કેવું કામ થયું છે, તેનો ખ્યાલ આ લેખ આપી શકશે તો મારી મહેનત સફળ થશે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
‘સમાલોચક’ એપ્રિલ ૧૯૨૫.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = આમુખ&lt;br /&gt;
|next = ગુજરાતનું નવજીવન અને સુરતની સાહિત્ય પરિષદ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%86%E0%AA%AE%E0%AB%81%E0%AA%96&amp;diff=111441</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/આમુખ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%86%E0%AA%AE%E0%AB%81%E0%AA%96&amp;diff=111441"/>
		<updated>2026-05-29T15:57:57Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|આમુખ}}&lt;br /&gt;
{{Poem2Open}} &lt;br /&gt;
સાહિત્ય પ્રજાઓની સંસ્કૃતિની કોટિ દર્શાવનાર દર્પણ છે. પ્રજાઓનું વિચારજીવન ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ છે તે બતાવનાર નિકષશિલા તે છે. પ્રજાઓના ઉડ્ડયન, વાંછના, ઉચ્ચગ્રાહો આદિ તે દ્વારા આવિર્ભાવ પામે છે તેમ સાહિત્યથી તેમને ઉત્તેજન, ઉન્નતિ, આગ્રહ અને વિશદતા મળે છે. પ્રજાના સમગ્ર જીવનને – રાયથી રંક, આબાળવૃદ્ધ સ્ત્રીપુરુષોને ભાવનાથી રંગનાર સાહિત્ય છે. માટે જ તેનાં વિકાસ અને પ્રગતિ માટે દેશના વિદ્વાનોની પરિષદ મળવી જોઈએ અને સાહિત્યના ઉચ્ચ આશયો અને દિવ્ય હેતુઓ સધાય માટે તેઓ તરફથી ઉપાયો અને યોજના ઘડવાં જોઈએ. આ વસ્તુસ્થિતિએ ‘સાહિત્ય સભા’ને પરિષદ ભરવાની પ્રેરણા કરી હતી.&lt;br /&gt;
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગ્રન્થપ્રસિદ્ધિનું જ ફક્ત કામ કરે છે; તેમ જ એ મંડળના ગમે તે સભાસદ થઈ શકે છે એટલે ત્યાં હંમેશ ગુજરાતના સર્વમાન્ય પંડિતો અને સાક્ષરો વિરાજમાન હોય એવો સંભવ નથી. ગુજરાતને ફ્રેન્ચ એકેડેમી અથવા બંગીય સાહિત્ય પરિષદ, નાગરી પ્રચારિણી સભા આદિ મંડળ જેવાની આવશ્યકતા છે એ સર્વ કબૂલ કરશે જ. નવી વાંચનમાળા રચાઈ તે વખતે આવા મંડળના અનસ્તિત્વથી થતું નુકસાન પૂરેપૂરું સમજાયું હતું. આવી ખોટ પૂરી પાડવાનો પ્રયાસ ‘ગુજરાત સાહિત્ય સભા’ એ આરંભ્યો છે. વિદ્વાનો, સાક્ષરો અને પંડિતોને સન્માનિત(honorary) સભ્યો થવા વિનંતિ કરી સાક્ષર મંડળ સ્થાપવા પ્રયાસો ચાલે છે. દરમ્યાન સાક્ષરો, વિદ્વાનો અને પંડિતોને એકઠા મળવાનો પ્રસંગ બે અથવા પાંચ વર્ષે કરી આપી અન્યોન્ય સાથે પીછાન થાય, અન્યોન્યના અભ્યાસનો ને વિદ્વત્તાનો લાભ ગુજરાતી આલમને મળે એવા ઉદ્દેશથી સાહિત્ય પરિષદની યોજના કરવામાં આવી. ગુજરાતી ભાષામાં પાંડિત્ય અને રસિકતા ખીલે, નવીન શોધખોળ માટે ઉત્કંઠા તીવ્ર થાય, વિદ્યામાં સમાયેલા સર્વ વિષયોનું સાહિત્ય આપણી ભાષામાં રચાય, એ હેતુથી ગુજરાત સાહિત્ય સભાએ અમદાવાદમાં પહેલી સાહિત્ય પરિષદ ભરવાનું સાહસ કર્યું હતું. ગુજરાતના સાક્ષરો, પંડિતો અને વિદ્વાનો જે જે અભ્યાસમાં રત હોય તે તે અભ્યાસનું આસ્વાદન ગુજરાતી ભાષા બોલનારાઓને કરાવે ને તેથી નવીન અભ્યાસીઓ ઉત્પન્ન થાય તેમ જ ભારતવર્ષના ઇતિહાસ, આચારવિચાર, ધર્મ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, – એટલે સમગ્ર જ્ઞાનસંપત્તિ વિશે જેટલું અંગ્રેજી વાચક જાણી શકે તેટલું સ્વતંત્ર લેખો દ્વારા ન બની શકે તો અનુવાદિત લેખો દ્વારા પ્રજા સમક્ષ રોશન થઈ શકે; પશ્ચિમના વિચાર અને જ્ઞાનભંડારમાંથી કયાં કયાં રત્નો લાવી આપણે અલંકૃત થઈશું – પાશ્ચાત્ય ઉદ્યાનના કયાં કયાં કુસુમો લાવી સૌંદર્ય અને સૌરભ આપણા આંગણામાં બહલાવશું, આપણા પૂર્વજોની જ્ઞાનસમૃદ્ધિ કેવી રીતે ઉપયોગમાં લઈશું, આદિ આદિ પ્રશ્નો અને હેતુઓએ સાહિત્ય પરિષદ યોજવા ગુજરાત સાહિત્ય સભાને પ્રેરી હતી.&lt;br /&gt;
ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે જેટલા પ્રકારે વિવેચન થઈ શકે અર્થાત્ તેનો ઇતિહાસ, ઘટના, જોડણી, વ્યાકરણ, લિપિ વગેરે વગેરે વિશે જે કાંઈ થઈ શકે તે કરવું; આપણી લલિતકળાઓ ચિત્ર, શિલ્પસ્થાપત્ય વગેરેનો પુનરુદ્ધાર શી રીતે થઈ શકે – સૌંદર્ય જેના દ્વારા માનવીનો ઉન્નત વિકાસ થાય છે એમ કવિઓ અને તત્ત્વજ્ઞાનીઓ કહે છે તેનો વાસ ગુર્જર હૃદયે હૃદયે કરાવવો, પ્રતિભાશાળી કલાવિધાનીને જોગવાઈઓ કરી આપી આગળ લાવવા, પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ જાણવા પુરાણવસ્તુશાસ્ત્ર, ઉન્નિલેખન, (epigraphy) નિષ્કશાસ્ત્ર(numismatics) પ્રભૃતિ શાસ્ત્રોનો અભ્યાસ અને શોખ જગાડવો, ઐતિહાસિક શોધખોળ જગાડી ઉત્તેજવી, આપણી પ્રજાના આચાર, રીતભાત, ને જીવનવ્યાપાર પ્રકાશિત કરતા લેખો, ચિત્રો, શિલ્પ વગેરેની માહિતી પ્રજાને આપવી અને સામાન્યતઃ સર્વને ઉપલબ્ધ થાય તેવા રૂપમાં પ્રગટ કરવાની જોગવાઈ કરવી – અને સરવાળે આપણી પ્રજામાં historical spirit જગાડવો; ભૂગોળનો અભ્યાસ, વ્યાપાર અને ઇતિહાસ તથા ધર્મના લાભાર્થે વધારવો; ‘સાયન્સ’ના અભ્યાસ માટે જોગવાઈ અને રુચિ ઉત્પન્ન કરવાં; હુન્નરઉદ્યોગના વિકાસ અને પ્રગતિને આવશ્યક એવા રસાયણશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર, વિદ્યુતશાસ્ત્ર અને જીવનશાસ્ત્રનાં મૂળ તત્ત્વો સરળ ભાષામાં દરેક ગુજરાતી સસ્તી રીતે પ્રાપ્ત કરી વાંચી શકે એવા ઉપાયો સૂચવવા અને યોજવા, – આ હેતુ સાધવા પરિભાષા અને લેખનપદ્ધતિ (diction) કેવાં ઘડવાં તેનો નિર્ણય કરવો; આ ઉપરાંત સંસારશાસ્ત્ર(sociology) જેવા મહત્ત્વના વિષયને ચર્ચવો, તેની અંદર સમાયેલા માનવશાસ્ત્ર(anthropology) નૃવંશવિદ્યા(ethnology) માનસશાસ્ત્ર(psychology) નીતિતત્ત્વચિંતન(ethics) ને તત્ત્વચિંતન(Philosophy) સંબંધી જુદા જુદા દૃષ્ટિબિન્દુથી અભ્યાસ કરાવવા;(તત્ત્વચિંતન ઇતિહાસદૃષ્ટિએ ઉકેલવું, આપણા જીવન અને પ્રારબ્ધને તેણે કેવી રીતે રચ્યું છે તે માપવું ઇત્યાદિ); આપણા દેશમાં ચાલતા સંપ્રદાયોના સિદ્ધાંતો ઇતિહાસ તથા તેમણે બજાવેલી દેશ, ભાષા અને સાહિત્યની સેવા પીછાનવી; હાલ અપાતી કેળવણી આપણી ભાષા દ્વારા કેવી રીતે સંગીન થઈ શકે તે વિચારવું અને ઉપાયો શોધી સરકારને સૂચવવા, તેમ જ પ્રજાજીવનના ઊર્ધ્વ પ્રયાણને વેગ મળે એવી કેળવણીની યોજના વિમર્શવી—વિવેચવી અને પ્રજા તથા સરકાર સન્મુખ મૂકવી; આપણાં સ્ત્રીબાળકો, વેપારીઓ, કારીગરો વગેરેને વિનોદ સાથે ઉન્નત કરે એવું સાહિત્ય શી રીતે ઉપજાવવું; રંગભૂમિ અને વર્તમાનપત્રો જેવાં પ્રજાજીવન ઘડનારી પ્રણાલિકાઓનાં કર્તવ્યાકર્તવ્ય નક્કી કરવાં—આપણાં પ્રજાજીવનને અધિક ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર તેઓ શી રીતે કરી શકે તે વિચારી રાહ દાખવવો; તાત્પર્ય કે વિદ્યાના પ્રભાવથી આપણું દેશનું ભાગ્ય ઊઘડે— આપણી પ્રજાનો ઉત્કર્ષ શાથી થાય? એ પ્રશ્નના ઉત્તર અને નિરાકરણ માટે પરિષદે પ્રજાને જાગ્રત કરવી અને કર્તવ્ય આચરવા પ્રેરવી.&lt;br /&gt;
અલબત્ત ઉદ્દેશ મહત્વાકાંક્ષી અને પ્રગલ્ભ છે; એક, બે કે પાંચ-છ પરિષદ ભરાય એટલે સિદ્ધ થાય એવો સંભવ નથી. જ્યારે સિદ્ધ થાય ત્યારે ખરો. જે થોડું તે ઘણું થયું છે એમ માનવું. સ્ફુલ્લિંગ પ્રગટાવશો તો કોઈ કાળે ભુવન-ભુવન અજવાળતો. સૂર્યનારાયણ પણ જન્મશે. હિમાલયના ઉત્તુંગ શિખર પર ચડવાની અભિલાષા હશે તો જ ઘોડાસરના ટેકરા ચડાશે.&lt;br /&gt;
ઉદ્દેશ પરથી સમજાયું હશે કે પરિષદને પ્રતિવર્ષ મળવાની જરૂર નથી તેમ કૉંગ્રેસ કે કોન્ફરન્સની માફક ઠરાવો પસાર નથી કરવાના – ફક્ત તેનું કર્તવ્ય પ્રજામાં નવીન પણ વિરલ spirit જગાવવાનો છે. થોડા વિષયો લઈ નિર્ણય ઉપર આવવાનો ઉદ્દેશ નથી પરંતુ જ્ઞાનના સર્વ પ્રદેશ ગુજરાતીઓ માટે ખુલ્લા કરી જગતના ઇતિહાસમાં તેઓ ઉચ્ચ સ્થાન મેળવે એવી મહત્ત્વાકાંક્ષા એમનામાં ઉત્તેજવાની છે.&lt;br /&gt;
યુરોપની પંડિત પરિષદો જે ધોરણે કામ કરે છે તે જ ધોરણે આપણી પરિષદ પ્રયાણ કરશે તો નર્મદ અને મણિલાલના મનમાં જ પરિષદ ભરી પ્રજાનો ઉત્કર્ષ સાધવાની રહી ગયેલી અભિલાષા ગુજરાત કર્તવ્યપરાયણ અને પ્રવૃત્તિમાન તેમ જ ઉદાર ને ઉત્ક્રમમાન(evolving) રહેશે તો અલ્પ સમયમાં સફળ થશે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ઑગસ્ટ ૧૯૦૭&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = પ્રથમ સાહિત્ય પરિષદનો ઇતિહાસ&lt;br /&gt;
|next = ગુજરાતી સાહિત્ય પરિષદ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%86%E0%AA%AE%E0%AB%81%E0%AA%96&amp;diff=111440</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/આમુખ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%86%E0%AA%AE%E0%AB%81%E0%AA%96&amp;diff=111440"/>
		<updated>2026-05-29T15:57:29Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|આમુખ}}&lt;br /&gt;
{{Poem2Open}} &lt;br /&gt;
સાહિત્ય પ્રજાઓની સંસ્કૃતિની કોટિ દર્શાવનાર દર્પણ છે. પ્રજાઓનું વિચારજીવન ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ છે તે બતાવનાર નિકષશિલા તે છે. પ્રજાઓના ઉડ્ડયન, વાંછના, ઉચ્ચગ્રાહો આદિ તે દ્વારા આવિર્ભાવ પામે છે તેમ સાહિત્યથી તેમને ઉત્તેજન, ઉન્નતિ, આગ્રહ અને વિશદતા મળે છે. પ્રજાના સમગ્ર જીવનને – રાયથી રંક, આબાળવૃદ્ધ સ્ત્રીપુરુષોને ભાવનાથી રંગનાર સાહિત્ય છે. માટે જ તેનાં વિકાસ અને પ્રગતિ માટે દેશના વિદ્વાનોની પરિષદ મળવી જોઈએ અને સાહિત્યના ઉચ્ચ આશયો અને દિવ્ય હેતુઓ સધાય માટે તેઓ તરફથી ઉપાયો અને યોજના ઘડવાં જોઈએ. આ વસ્તુસ્થિતિએ ‘સાહિત્ય સભા’ને પરિષદ ભરવાની પ્રેરણા કરી હતી.&lt;br /&gt;
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગ્રન્થપ્રસિદ્ધિનું જ ફક્ત કામ કરે છે; તેમ જ એ મંડળના ગમે તે સભાસદ થઈ શકે છે એટલે ત્યાં હંમેશ ગુજરાતના સર્વમાન્ય પંડિતો અને સાક્ષરો વિરાજમાન હોય એવો સંભવ નથી. ગુજરાતને ફ્રેન્ચ એકેડેમી અથવા બંગીય સાહિત્ય પરિષદ, નાગરી પ્રચારિણી સભા આદિ મંડળ જેવાની આવશ્યકતા છે એ સર્વ કબૂલ કરશે જ. નવી વાંચનમાળા રચાઈ તે વખતે આવા મંડળના અનસ્તિત્વથી થતું નુકસાન પૂરેપૂરું સમજાયું હતું. આવી ખોટ પૂરી પાડવાનો પ્રયાસ ‘ગુજરાત સાહિત્ય સભા’ એ આરંભ્યો છે. વિદ્વાનો, સાક્ષરો અને પંડિતોને સન્માનિત(honorary) સભ્યો થવા વિનંતિ કરી સાક્ષર મંડળ સ્થાપવા પ્રયાસો ચાલે છે. દરમ્યાન સાક્ષરો, વિદ્વાનો અને પંડિતોને એકઠા મળવાનો પ્રસંગ બે અથવા પાંચ વર્ષે કરી આપી અન્યોન્ય સાથે પીછાન થાય, અન્યોન્યના અભ્યાસનો ને વિદ્વત્તાનો લાભ ગુજરાતી આલમને મળે એવા ઉદ્દેશથી સાહિત્ય પરિષદની યોજના કરવામાં આવી. ગુજરાતી ભાષામાં પાંડિત્ય અને રસિકતા ખીલે, નવીન શોધખોળ માટે ઉત્કંઠા તીવ્ર થાય, વિદ્યામાં સમાયેલા સર્વ વિષયોનું સાહિત્ય આપણી ભાષામાં રચાય, એ હેતુથી ગુજરાત સાહિત્ય સભાએ અમદાવાદમાં પહેલી સાહિત્ય પરિષદ ભરવાનું સાહસ કર્યું હતું. ગુજરાતના સાક્ષરો, પંડિતો અને વિદ્વાનો જે જે અભ્યાસમાં રત હોય તે તે અભ્યાસનું આસ્વાદન ગુજરાતી ભાષા બોલનારાઓને કરાવે ને તેથી નવીન અભ્યાસીઓ ઉત્પન્ન થાય તેમ જ ભારતવર્ષના ઇતિહાસ, આચારવિચાર, ધર્મ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, – એટલે સમગ્ર જ્ઞાનસંપત્તિ વિશે જેટલું અંગ્રેજી વાચક જાણી શકે તેટલું સ્વતંત્ર લેખો દ્વારા ન બની શકે તો અનુવાદિત લેખો દ્વારા પ્રજા સમક્ષ રોશન થઈ શકે; પશ્ચિમના વિચાર અને જ્ઞાનભંડારમાંથી કયાં કયાં રત્નો લાવી આપણે અલંકૃત થઈશું – પાશ્ચાત્ય ઉદ્યાનના કયાં કયાં કુસુમો લાવી સૌંદર્ય અને સૌરભ આપણા આંગણામાં બહલાવશું, આપણા પૂર્વજોની જ્ઞાનસમૃદ્ધિ કેવી રીતે ઉપયોગમાં લઈશું, આદિ આદિ પ્રશ્નો અને હેતુઓએ સાહિત્ય પરિષદ યોજવા ગુજરાત સાહિત્ય સભાને પ્રેરી હતી.&lt;br /&gt;
ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે જેટલા પ્રકારે વિવેચન થઈ શકે અર્થાત્ તેનો ઇતિહાસ, ઘટના, જોડણી, વ્યાકરણ, લિપિ વગેરે વગેરે વિશે જે કાંઈ થઈ શકે તે કરવું; આપણી લલિતકળાઓ ચિત્ર, શિલ્પસ્થાપત્ય વગેરેનો પુનરુદ્ધાર શી રીતે થઈ શકે – સૌંદર્ય જેના દ્વારા માનવીનો ઉન્નત વિકાસ થાય છે એમ કવિઓ અને તત્ત્વજ્ઞાનીઓ કહે છે તેનો વાસ ગુર્જર હૃદયે હૃદયે કરાવવો, પ્રતિભાશાળી કલાવિધાનીને જોગવાઈઓ કરી આપી આગળ લાવવા, પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ જાણવા પુરાણવસ્તુશાસ્ત્ર, ઉન્નિલેખન, (epigraphy) નિષ્કશાસ્ત્ર(numismatics) પ્રભૃતિ શાસ્ત્રોનો અભ્યાસ અને શોખ જગાડવો, ઐતિહાસિક શોધખોળ જગાડી ઉત્તેજવી, આપણી પ્રજાના આચાર, રીતભાત, ને જીવનવ્યાપાર પ્રકાશિત કરતા લેખો, ચિત્રો, શિલ્પ વગેરેની માહિતી પ્રજાને આપવી અને સામાન્યતઃ સર્વને ઉપલબ્ધ થાય તેવા રૂપમાં પ્રગટ કરવાની જોગવાઈ કરવી – અને સરવાળે આપણી પ્રજામાં historical spirit જગાડવો; ભૂગોળનો અભ્યાસ, વ્યાપાર અને ઇતિહાસ તથા ધર્મના લાભાર્થે વધારવો; ‘સાયન્સ’ના અભ્યાસ માટે જોગવાઈ અને રુચિ ઉત્પન્ન કરવાં; હુન્નરઉદ્યોગના વિકાસ અને પ્રગતિને આવશ્યક એવા રસાયણશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર, વિદ્યુતશાસ્ત્ર અને જીવનશાસ્ત્રનાં મૂળ તત્ત્વો સરળ ભાષામાં દરેક ગુજરાતી સસ્તી રીતે પ્રાપ્ત કરી વાંચી શકે એવા ઉપાયો સૂચવવા અને યોજવા, – આ હેતુ સાધવા પરિભાષા અને લેખનપદ્ધતિ (diction) કેવાં ઘડવાં તેનો નિર્ણય કરવો; આ ઉપરાંત સંસારશાસ્ત્ર(sociology) જેવા મહત્ત્વના વિષયને ચર્ચવો, તેની અંદર સમાયેલા માનવશાસ્ત્ર(anthropology) નૃવંશવિદ્યા(ethnology) માનસશાસ્ત્ર(psychology) નીતિતત્ત્વચિંતન(ethics) ને તત્ત્વચિંતન(Philosophy) સંબંધી જુદા જુદા દૃષ્ટિબિન્દુથી અભ્યાસ કરાવવા;(તત્ત્વચિંતન ઇતિહાસદૃષ્ટિએ ઉકેલવું, આપણા જીવન અને પ્રારબ્ધને તેણે કેવી રીતે રચ્યું છે તે માપવું ઇત્યાદિ); આપણા દેશમાં ચાલતા સંપ્રદાયોના સિદ્ધાંતો ઇતિહાસ તથા તેમણે બજાવેલી દેશ, ભાષા અને સાહિત્યની સેવા પીછાનવી; હાલ અપાતી કેળવણી આપણી ભાષા દ્વારા કેવી રીતે સંગીન થઈ શકે તે વિચારવું અને ઉપાયો શોધી સરકારને સૂચવવા, તેમ જ પ્રજાજીવનના ઊર્ધ્વ પ્રયાણને વેગ મળે એવી કેળવણીની યોજના વિમર્શવી—વિવેચવી અને પ્રજા તથા સરકાર સન્મુખ મૂકવી; આપણાં સ્ત્રીબાળકો, વેપારીઓ, કારીગરો વગેરેને વિનોદ સાથે ઉન્નત કરે એવું સાહિત્ય શી રીતે ઉપજાવવું; રંગભૂમિ અને વર્તમાનપત્રો જેવાં પ્રજાજીવન ઘડનારી પ્રણાલિકાઓનાં કર્તવ્યાકર્તવ્ય નક્કી કરવાં—આપણાં પ્રજાજીવનને અધિક ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર તેઓ શી રીતે કરી શકે તે વિચારી રાહ દાખવવો; તાત્પર્ય કે વિદ્યાના પ્રભાવથી આપણું દેશનું ભાગ્ય ઊઘડે— આપણી પ્રજાનો ઉત્કર્ષ શાથી થાય? એ પ્રશ્નના ઉત્તર અને નિરાકરણ માટે પરિષદે પ્રજાને જાગ્રત કરવી અને કર્તવ્ય આચરવા પ્રેરવી.&lt;br /&gt;
અલબત્ત ઉદ્દેશ મહત્વાકાંક્ષી અને પ્રગલ્ભ છે; એક, બે કે પાંચ-છ પરિષદ ભરાય એટલે સિદ્ધ થાય એવો સંભવ નથી. જ્યારે સિદ્ધ થાય ત્યારે ખરો. જે થોડું તે ઘણું થયું છે એમ માનવું. સ્ફુલ્લિંગ પ્રગટાવશો તો કોઈ કાળે ભુવન-ભુવન અજવાળતો. સૂર્યનારાયણ પણ જન્મશે. હિમાલયના ઉત્તુંગ શિખર પર ચડવાની અભિલાષા હશે તો જ ઘોડાસરના ટેકરા ચડાશે.&lt;br /&gt;
ઉદ્દેશ પરથી સમજાયું હશે કે પરિષદને પ્રતિવર્ષ મળવાની જરૂર નથી તેમ કૉંગ્રેસ કે કોન્ફરન્સની માફક ઠરાવો પસાર નથી કરવાના – ફક્ત તેનું કર્તવ્ય પ્રજામાં નવીન પણ વિરલ spirit જગાવવાનો છે. થોડા વિષયો લઈ નિર્ણય ઉપર આવવાનો ઉદ્દેશ નથી પરંતુ જ્ઞાનના સર્વ પ્રદેશ ગુજરાતીઓ માટે ખુલ્લા કરી જગતના ઇતિહાસમાં તેઓ ઉચ્ચ સ્થાન મેળવે એવી મહત્ત્વાકાંક્ષા એમનામાં ઉત્તેજવાની છે.&lt;br /&gt;
યુરોપની પંડિત પરિષદો જે ધોરણે કામ કરે છે તે જ ધોરણે આપણી પરિષદ પ્રયાણ કરશે તો નર્મદ અને મણિલાલના મનમાં જ પરિષદ ભરી પ્રજાનો ઉત્કર્ષ સાધવાની રહી ગયેલી અભિલાષા ગુજરાત કર્તવ્યપરાયણ અને પ્રવૃત્તિમાન તેમ જ ઉદાર ને ઉત્ક્રમમાન(evolving) રહેશે તો અલ્પ સમયમાં સફળ થશે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
ઑગસ્ટ ૧૯૦૭&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = પ્રથમ સાહિત્ય પરિષદનો ઇતિહાસ&lt;br /&gt;
|next = ગુજરાતી સાહિત્ય પરિષદ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8&amp;diff=111439</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/પ્રથમ સાહિત્ય પરિષદનો ઇતિહાસ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8&amp;diff=111439"/>
		<updated>2026-05-29T15:54:32Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|પ્રથમ સાહિત્ય પરિષદનો ઇતિહાસ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જ્યારે અમદાવાદની ‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશન’ને ‘ગુજરાત સાહિત્ય સભા’માં ફેરવી નાખવામાં આવી ત્યારે જે ઉદ્દેશો યોજ્યા હતા તેમાં સાહિત્ય પરિષદ ભરવાના ઉદ્દેશાનુસાર ઈ. સ. ૧૯૦૫ના એપ્રિલમાં ‘ગુડફ્રાઈડે’ના તહેવારો દરમ્યાન અમદાવાદમાં પહેલી સાહિત્ય પરિષદ ભરવાનું નિર્ધાર્યું. પરંતુ અમદાવાદમાં મરકી ફાટી નીકળવાથી પરિષદની બેઠક મુલતવી રાખવી પડી. અંતે એજ વર્ષના જૂનની આખરમાં અને જુલાઈની શરૂઆતમાં પરિષદ ભરવામાં આવી. પ્રમુખસ્થાને સમગ્ર ગુજરાતી ભાષા બોલનારી આલમમાં દિગન્ત ડંકો વગાડનાર નવીન ભારતના અગ્રગણ્ય વિચારકોની કક્ષામાં વિરાજનાર સાક્ષર રા. રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પોતાના નિવૃત્તિસ્થાન નડિયાદથી પધારી બિરાજ્યા હતા.&lt;br /&gt;
અમદાવાદનો ‘ટાઉનહૉલ ‘પ્રેમાભાઈ હૉલ પરિષદના દિવસોમાં શ્રોતાઓથી ચિકાર ભરાઈ ગયો હતો. તલમાત્ર પણ સ્થળ ખાલી રહ્યું નહોતું. પોતાના ઉમંગ અને ઉત્સાહથી અમદાવાદના નાગરિકોએ બતાવી આપ્યું કે ‘સાહિત્ય પરિષદ‘ જેવી સંસ્થાની અત્યંત ઉપયોગિતા છે. ઉપરાંતમાં અમદાવાદનાં જાહેર મંડળો — ગુજરાત ક્લબ, વડનગરા નાગર એસોસિયેશન, બ્રહ્મક્ષત્રિય એસોસિયેશન, વૈશ્ય સભા, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આદિ તરફથી પ્રતિનિધિઓ નીમવામાં આવ્યા હતા. પરિષદના હેતુ આગળ જણાવ્યા છે તે મુજબ દરેક સંસ્થાને પોતાના પ્રતિનિધિ મોકલવાની છૂટ હતી. પરિષદની ઘટના નક્કી થયે પ્રતિનિધિઓનાં કાર્ય, હક્ક અને ફરજની દિશા પણ નિર્ણીત થશે.&lt;br /&gt;
પરિષદ નિમંત્રવાનું નક્કી થયે સાહિત્યસભાએ ચર્ચવાના ૮ વિષયોની કાચી યાદી છપાવી ગુજરાતના વિદ્વાનો ઉપર મોકલી. તેઓ તરફથી ઉત્સાહક સત્કાર મળ્યો. કાચી યાદીમાં જેટલા વિષયો હતા તેથી અધિક વિષયો પર લેખ લખાઈ આવવાના પત્રો આવ્યા. દરમ્યાન વિદેહ સાક્ષર ગોવર્ધનરામ પ્રો. આણંદશંકરને ત્યાં અમદાવાદ આવ્યા હતા. તેમની સલાહ લેવા તથા તેમને પ્રમુખપદ સ્વીકારવા વિનંતિ કરવા સભાના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી ગયા હતા. રા. રા. ગોવર્ધનરામે પ્રમુખપદ સ્વીકારી પ્રથમ પરિષદને અલંકૃત કરી હતી તેમ જ ગુજરાતે એમને એ માન આપી એમની વિદ્વત્તા અને દેશસેવાની કદર પિછાની હતી.&lt;br /&gt;
પારસી લેખકો તરફથી પણ સારું ઉત્તેજન મળ્યું હતું અને મિ. શેઠના તથા ઊગતા પારસી કવિ મિ. ખબરદાર પણ પરિષદમાં આવ્યા હતા. ગુજરાતી શાળાના મહેતાજીઓએ પણ સારી હાજરી આપી હતી.&lt;br /&gt;
પરિષદના ખર્ચ માટે સભાના ઉપપ્રમુખ રા. ઠાકોરલાલ હરિલાલ દેસાઈએ પ્રારંભમાં થવાનો સઘળો ખર્ચ આપ્યો હતો. તેમ જ રિપોર્ટ છપાવવા જોઈતાં નાણાં પણ એ જ ગૃહસ્થ ઉઘરાવી લાવ્યા હતા. વળી એ ઉઘરાવી લાવેલાં નાણાં પણ ખર્ચ માટે કમી જણાયાં; ત્યારે પોતાના છાપખાનામાં રિપોર્ટ છાપી બહાર પાડવાનું એમણે માથે લીધું. રા. ઠાકોરલાલની ઉદારતા અને પરિષદ માટેની ઉમંગભરેલી મહેનતને લીધે જ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉજ્જ્વળ રંગે દીપતી ‘સાહિત્ય પરિષદ‘ ભરાઈ. નાણાંની અડચણને લીધે પરિષદ ભરવાની સભાની ધારણા ઘણાં વર્ષો સુધી ધારણા જ રહેત. પરંતુ રાજા રજવાડા, સરકાર કે શ્રીમંતોની મદદ વગર આવું સાહસ સભા પોતાના ઉપપ્રમુખની સહાયથી જ ઉઠાવી શકી. ઉપમંત્રી રા. હરિપ્રસાદ પિતામ્બરદાસે પોતાના ‘હિતેચ્છુ‘ છાપખાનામાં શરૂઆતનું કામ છાપી આપી ઘણી સરળતા કરી આપી હતી.&lt;br /&gt;
પરિષદના ખર્ચ માટે અમદાવાદમાં પ્રતિનિધિઓ અને પ્રેક્ષકો તરફથી ટિકિટના લગભગ રૂ. ૧૦૦/- આવ્યા હતા. મુંબઈના વિદ્યાવિલાસી શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીએ રૂ. ૨૦૦/-, કચ્છના માજી દિવાન મોતીલાલ લાલભાઈના કુટુમ્બીઓએ રૂ. ૧૦૧/-, અમદાવાદના શેઠ મંગળદાસ ગિરધરદાસે રૂ. ૫૦/-, રા. રા. નરસિંહરાવ ભોળાનાથે રૂ. ૫૦/- આપ્યા હતા. અર્થાત્ કુલ્લે રૂ. ૫૦૧/- મળ્યા છે.&lt;br /&gt;
પરિષદ ભરવા ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ એ ‘પ્રેમાભાઈ હૉલ’માં સગવડ કરી આપી હતી તેમ જ પરિષદના પ્રતિનિધિઓના વિનોદ સારુ કરવામાં આવેલી પાર્ટી માટે ‘ભોળાનાથ લેડીઝ ઈન્સ્ટિટ્યુટ’નું મકાન ઉપયોગમાં લેવા તેના મંત્રી તરફથી જોઈતી સગવડ કરી આપવામાં આવી હતી માટે તેમની પરિષદ આભારી છે. ગુજરાતના જે જે વિદ્વાનો પરિષદમાં આવ્યા હતા – તેમ જ જેમણે લેખ લખી મોકલ્યા હતા કે ત્યાં આવી વાંચ્યા હતા તે સર્વના ઉત્સાહ અને સાહિત્યસ્નેહને લીધે જે વિજય પરિષદને મળ્યો તે માટે પરિષદ તેમની ઉપકૃત છે. ધનની મદદ કરનાર શ્રીમંતોનું અહેસાન પરિષદ સાનંદ માને છે. અને પરિષદ અભિલાષા રાખે છે કે ભવિષ્યમાં પણ સર્વનો આવો જ ઉત્સાહ અને ઉત્તેજન કાયમ રહેશે તો ગુજરાતનું ભવિષ્ય પ્રોજ્જ્વલ કરવા પરિષદ કંઈક અંશે સમર્થ થશે.&lt;br /&gt;
ઑગસ્ટ ૧૯૭૭&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ&lt;br /&gt;
|next = આમુખ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2&amp;diff=111438</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2&amp;diff=111438"/>
		<updated>2026-05-29T15:53:02Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ. સ. ૧૮૯૭માં અમદાવાદના યુવાનોએ ‘ધી યંગ મેન્સ યુનિયન’ નામનું મંડળ સ્થાપ્યું. પ્રથમ વર્ષની સમાપ્તિ પહેલાં મતભેદ થવાથી ‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશન’ નામનું મંડળ મૂળ મંડળમાંથી ફંટાયું. એકાદ બે વર્ષમાં ‘ધી યંગ મેન્સ યુનિયન’ના ક્ષણિક જીવનનો અન્ત આવ્યો. જેમ જબરા ઝાડનો નાશ થતાં જે જગાએ તે ઊગતું હતું ત્યાં ઝીણી ઝીણી વનસ્પતિ અંકુરી નીકળે છે તેમ આ મંડળ વિલુપ્ત થતાં અનેક જ્ઞાતિસમાજો અમદાવાદમાં સ્થપાયા.&lt;br /&gt;
‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશને‘ સંસારસુધારાની પ્રવૃત્તિ સાથે સાહિત્યપક્ષે નીચે લખ્યા મુજબ જાહેર વ્યાખ્યાનો કરાવરાવ્યાં હતાં :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:70%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| &lt;br /&gt;
| {{center|ભાષણનો વિષય}}&lt;br /&gt;
| {{center|વ્યાખ્યાનકાર}}&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧.&lt;br /&gt;
| ગુજરાતી સાહિત્યનું હાલનું વલણ&lt;br /&gt;
| રા. રમણભાઈ મહીપતરામ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨.&lt;br /&gt;
| કવિતા અને સંગીત&lt;br /&gt;
| રા. નરસિંહરાવ ભોળાનાથ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩.&lt;br /&gt;
| ગુજરાતી કવિતા&lt;br /&gt;
| રા. ગોવર્ધનરામ માધવરામ&lt;br /&gt;
|}&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ. સ. ૧૯૦૪માં ‘ગુર્જર સાક્ષર જયંતી’નો ઉપક્રમ સમારંભાયો. કલાપી, અખો અને મીરાંની જયંતી તે વર્ષે ઊજવાઈ. જયંતીની યોજના સફળ કરવા સાહિત્યપક્ષને સબળ કરવું આવશ્યક લાગ્યું. ગયા વર્ષના જાન્યુઆરીની પહેલી તારીખે અમારી સભા ‘ધી લિટરરી એસોસિયેશન’ થઈ; ને એપ્રિલમાં ‘ગુજરાત સાહિત્ય સભા’નું અભિધાન પામી.&lt;br /&gt;
ભિન્ન ભિન્ન સાક્ષરોનાં સાહિત્યસેવા રૂપી રસળતાં કિરણો એક સ્થળે કેન્દ્રિત થાય તો આપણા સાહિત્યને હાલ થાય છે તેથી વિશેષ લાભ થાય તથા ઐક્યની ભાવના ઉદ્ભવે, – એટલા સારુ એક મંડળની આવશ્યકતા હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગ્રંથપ્રસિદ્ધિનું કામ કરે છે, પરંતુ સાહિત્યના અભ્યાસ ને સંશોધન પર વિશેષ લક્ષ આપનાર મંડળની ખોટ તેથી પૂરી પડતી નથી. બંગ પરિષદ, નાગરીપ્રચારિણી સભા, તામિલ સાહિત્ય સભા(Tamil Literary Academy) આદિ મંડળો પોતાના પ્રાંતની જેવી સેવા બજાવે છે તેવી સેવા ગુજરાત અને ગુજરાતી ભાષાની બજાવે એવા મંડળની જરૂર લાગતી હતી. આવી અગવડો કંઈક અંશે દૂર કરવા પ્રયત્ન થાય એટલા માટે અમારી સભાનું ‘ગુજરાત સાહિત્ય સભા’ નામ પાડી, ‘ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવાનો તથા બનતા પ્રયાસે તેને લોકપ્રિય કરવાનો’ ઉદ્દેશ રાખ્યો. ઉદ્દેશસાધના અર્થે વિવિધ સાધનો પ્રયોજ્યાં છે.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યની ઉદ્દામ અને અવિરત સેવા કરનાર સાક્ષરો આ મંડળ પર મમતા રાખી તેને ઉછેરે એટલા સારુ ઑનનરી સભાસદનો વર્ગ રાખવામાં આવ્યો છે. સભાએ રા. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, રા. રણછોડભાઈ ઉદયરામ, રા. ગોવર્ધનરામ માધવરામ, રા. નરસિંહરાવ ભોળાનાથ, રા. મણિશંકર રત્નજી ભટ્ટ, રા. રમણભાઈ મહીપતરામ, રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, આટલા સાક્ષરોને ઑનરરી સભાસદ થવા વિનંતિ કરી હતી. આ સર્વે સાક્ષરોએ એ વિનંતી સ્વીકારી છે. ‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશને’ ઉપસ્થિત કરેલો ‘ગુર્જર સાક્ષર જયંતી’નો સમારંભ ચાલુ રાખવામાં આવ્યો છે. જેટલા સમારંભો પ્રયોજાયા છે તે નીચે લખ્યા છે :&lt;br /&gt;
{{Poem2Close}}&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:90%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| &lt;br /&gt;
| જેમની જયંતી ઊજવાય&amp;lt;br&amp;gt;	છે તેમનું નામ						&lt;br /&gt;
| તિથિ&lt;br /&gt;
| જયંતી પ્રસંગે વ્યાખ્યાન &amp;lt;br&amp;gt;કરનારનું નામ    &lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧.&lt;br /&gt;
| નરસિંહ મહેતા&lt;br /&gt;
| વૈશાખ સુદ ૫&lt;br /&gt;
| રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૨.&lt;br /&gt;
| મીરાંબાઈ&lt;br /&gt;
| શ્રાવણ વદ ૮&lt;br /&gt;
| રા. ન્હાનાલાલ દલપતરામ કવિ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૩.&lt;br /&gt;
| અખો&lt;br /&gt;
| ચૈત્ર સુદ ૯&lt;br /&gt;
| રા. નર્મદાશંકર દેવશંકર મહેતા&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૪.&lt;br /&gt;
| પ્રેમાનંદ&lt;br /&gt;
| પોષ સુદ ૨&lt;br /&gt;
| રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૫.&lt;br /&gt;
| શામળ&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. છોટાલાલ લલ્લુભાઈ પટેલ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૬.&lt;br /&gt;
| વલ્લભ&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. હિંમતલાલ ગણેશજી અંજારીઆ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૭.&lt;br /&gt;
| દયારામ&lt;br /&gt;
| માઘ વદ ૫&lt;br /&gt;
| રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૮.&lt;br /&gt;
| ધીરો&lt;br /&gt;
| આશ્વિન સુદ ૧૫&lt;br /&gt;
| રા. કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૯.&lt;br /&gt;
| દલપતરામ&lt;br /&gt;
| ચૈત્ર સુદ ૩&lt;br /&gt;
| રા. નરસિંહલાલ માધવલાલ દેસાઈ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૦.&lt;br /&gt;
| નર્મદાશંકર &lt;br /&gt;
| જન્મ ભાદરવા સુદ ૧૦, &amp;lt;br&amp;gt;મૃત્યુ ઑગસ્ટ ૨૪&lt;br /&gt;
| રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૧.&lt;br /&gt;
| નવલરામ&lt;br /&gt;
| આષાઢ વદ અમાવસ્યા&lt;br /&gt;
| રા. ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૨.&lt;br /&gt;
| મણિલાલ નભુભાઈ&lt;br /&gt;
| ઑક્ટોબર ૩&lt;br /&gt;
| રા. આણંદશંકર બાપુભાઈ ધ્રુવ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૩.&lt;br /&gt;
| હરિ હર્ષદ ધ્રુવ&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. ન્હાનાલાલ દલપતરામ કવિ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૪.&lt;br /&gt;
| સુરસિંહ (કલાપી) &lt;br /&gt;
| જન્મ મહા સુદ ૯, &amp;lt;br&amp;gt;મૃત્યુ જેઠ સુદ ૧૧&lt;br /&gt;
| રા. મણિશંકર રત્નજી ભટ્ટ&lt;br /&gt;
|}&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘ગુજરાતના વેદાંતી કવિઓ’ સંબંધે એક વ્યાખ્યાન તૈયાર કરવાની સભાની વિનંતિ રા. નર્મદાશંકર દેવશંકરે સ્વીકારી છે. ગઈ સાલ રા. ગણપતરાવ ગોપાળરાવ બર્વેએ ‘ગુજરાતના કવિઓનું સંગીતજ્ઞાન’ – એ વિષય પર સુપ્રયોગ વ્યાખ્યાન કર્યું હતું. આ સર્વે સદ્ગૃહસ્થોનો તેમ જ રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી અને રા. અમૃતલાલ સુન્દરજી પઢિયારનો સભા ઉપર અત્યંત ઉપકાર થયો છે. ‘વસન્ત’ માસિકમાં પોતાનાં વ્યાખ્યાનો પ્રસિદ્ધ કરવા વ્યાખ્યાનકારોએ સંમતિ આપી છે. પોતાના માસિકમાં આ સર્વ લેખો પ્રસિદ્ધ કરવાની સગવડ કરી આપી પ્રો. આણંદશંકરે સભાને આભારી કરી છે.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો અભ્યાસ વધે તથા જનસમાજનું સાહિત્યના ઉત્કર્ષ પ્રત્યે લક્ષ આકર્ષાય એવા હેતુથી જયંતીઓ યોજાઈ છે. હાલ તો ફક્ત જાહેર વ્યાખ્યાનોથી જ જયંતી ઊજવીએ છીએ. સમારંભનું નામ જયંતી રાખ્યું છે પણ વસ્તુતઃ સાક્ષરોનું શ્રાદ્ધ સારવાની યોજના છે. જયંતી માટે મૃત્યુતિથિ ન મળે તો જન્મતિથિ લેવી, તેના અભાવે સાક્ષરની કૃતિ સંપૂર્ણ થયાની તિથિ, અને તે પણ અનુપલબ્ધ હોય તો ગમે તે તિથિ પર જયંતીનો ઉત્સવ પાળવો. આ સંબંધે સવિસ્તર ચર્ચા સભાના પ્રમુખ રા. રમણભાઈએ પોતાના પ્રાસ્તાવિક ભાષણમાં કરી હતી. જયંતી ઉપરાંત પ્રાચીન કાવ્યો સંશોધી પ્રસિદ્ધ કરવાની ધારણા છે. હાલમાં મીરાંબાઈનાં પદનો સંગ્રહ થાય છે. ગ્રન્થો, હસ્તલેખ, શિલાલેખ વગેરેનો યથાશક્તિ સંગ્રહ કરવા વિચાર છે.&lt;br /&gt;
આ વર્ષે ગુડફ્રાઈડેના તહેવારોમાં એક સાહિત્ય પરિષદ ભરવાની યોજના ઘડાઈ છે. યોજના તેમ જ પરિષદમાં ભાગ લેવા માટે નિમંત્રણપત્રો પ્રતિષ્ઠિત વિદ્વાનો પર મોકલવામાં આવ્યાં છે. જોડણી, લિપિ, દેશજસાહિત્ય, વ્યાકરણ, કોષ, ઇતિહાસ, સાયન્સ અને સાયન્સની પરિભાષા, વગેરે વગેરે વિષયો પરિષદમાં ચર્ચવાના છે. જે ધોરણે ઑરિયેન્ટલ કૉન્ગ્રેસ પોતાની કાર્યઘટના કરે છે તે ધોરણે પરિષદનું કામ કરવામાં આવશે. સર્વ સ્થાનેથી ઉત્તેજન મળતું જાય છે. પ્રથમ સમારંભ સફળ થવાની આશા છે.&lt;br /&gt;
સભા તરફથી સુપ્રસિદ્ધ ગુજરાતી, પારસી, ઇસ્લામી, લેખકોને પરિષદમાં પધારવા વિનંતિ કરવામાં આવી છે. છતાં ઘણા સાહિત્યપ્રિય મહાશયોને પત્રો મોકલવા રહી જાય એ સ્વાભાવિક છે, તેથી આ લેખ દ્વારા તેઓને વિનંતિ છે કે પરિષદમાં ભાગ લેવા સર્વને આમંત્રણ છે. સભાના મંત્રીને લખ્યાની બધી વિગત તેમને પહોંચાડવામાં આવશે.&lt;br /&gt;
સભામાં નીચે લખ્યા મુજબ સાહિત્ય ચર્ચા થઈ હતી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:70%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘કવિવર શૅલીની ગુજરાતી સાહિત્ય પર અસર’&lt;br /&gt;
| રા. રામમોહનરાય જશવંતરાય.&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘કેટલાંક કાવ્યો’ની ગુણપરીક્ષા’&lt;br /&gt;
| રા. ઠાકોરલાલ હરિલાલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘કલાપી અને કેકારવ‘&lt;br /&gt;
| રા. રણજિતરામ વાવાભાઈ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસનું સ્થાન’&lt;br /&gt;
| રા. રમણભાઈ મહીપતરામ&lt;br /&gt;
|}&lt;br /&gt;
{{Poem2Open}}&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
થોડા વખતમાં ‘ગુજરાતી વર્તમાનપત્રો‘ અને ‘ગુજરાતી માસિકપત્રો‘ સંબંધે બે સભાસદ બન્ધુઓ ચર્ચા કરવાના છે. ‘કુસુમમાળા‘, ‘કેટલાંક કાવ્યો‘ અને ‘ચક્રવાક-મિથુન‘નું સભામાં વાંચન થયું હતું. સભાના પેટ્રન રા. રા. લાલશંકર ઉમિયાશંકર છે. પ્રમુખ રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ છે.&lt;br /&gt;
રા. રમણભાઈએ પોતાના પિતા મહીપતરામનાં બનાવેલાં પુસ્તકો તેમ જ પોતાના ગ્રંથો સભાને ભેટ આપ્યા છે, તે સારુ સભા એમને આભારી છે. રા. હરિપ્રસાદ પીતામ્બરદાસે પોતાના ‘હિતેચ્છુ’ છાપખાનામાં સભાને કામકાજનું છપાવવાની સગવડ કરી આપી મહાન ઉપકાર કર્યો છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તા. ૧૩-૧-૦૪.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = રિપુ&lt;br /&gt;
|next = પ્રથમ સાહિત્ય પરિષદનો ઇતિહાસ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2&amp;diff=111437</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2&amp;diff=111437"/>
		<updated>2026-05-29T15:52:01Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ. સ. ૧૮૯૭માં અમદાવાદના યુવાનોએ ‘ધી યંગ મેન્સ યુનિયન’ નામનું મંડળ સ્થાપ્યું. પ્રથમ વર્ષની સમાપ્તિ પહેલાં મતભેદ થવાથી ‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશન’ નામનું મંડળ મૂળ મંડળમાંથી ફંટાયું. એકાદ બે વર્ષમાં ‘ધી યંગ મેન્સ યુનિયન’ના ક્ષણિક જીવનનો અન્ત આવ્યો. જેમ જબરા ઝાડનો નાશ થતાં જે જગાએ તે ઊગતું હતું ત્યાં ઝીણી ઝીણી વનસ્પતિ અંકુરી નીકળે છે તેમ આ મંડળ વિલુપ્ત થતાં અનેક જ્ઞાતિસમાજો અમદાવાદમાં સ્થપાયા.&lt;br /&gt;
‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશને‘ સંસારસુધારાની પ્રવૃત્તિ સાથે સાહિત્યપક્ષે નીચે લખ્યા મુજબ જાહેર વ્યાખ્યાનો કરાવરાવ્યાં હતાં :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:70%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| &lt;br /&gt;
| ભાષણનો વિષય&lt;br /&gt;
| વ્યાખ્યાનકાર&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧.&lt;br /&gt;
| ગુજરાતી સાહિત્યનું હાલનું વલણ&lt;br /&gt;
| રા. રમણભાઈ મહીપતરામ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨.&lt;br /&gt;
| કવિતા અને સંગીત&lt;br /&gt;
| રા. નરસિંહરાવ ભોળાનાથ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩.&lt;br /&gt;
| ગુજરાતી કવિતા&lt;br /&gt;
| રા. ગોવર્ધનરામ માધવરામ&lt;br /&gt;
|}&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ. સ. ૧૯૦૪માં ‘ગુર્જર સાક્ષર જયંતી’નો ઉપક્રમ સમારંભાયો. કલાપી, અખો અને મીરાંની જયંતી તે વર્ષે ઊજવાઈ. જયંતીની યોજના સફળ કરવા સાહિત્યપક્ષને સબળ કરવું આવશ્યક લાગ્યું. ગયા વર્ષના જાન્યુઆરીની પહેલી તારીખે અમારી સભા ‘ધી લિટરરી એસોસિયેશન’ થઈ; ને એપ્રિલમાં ‘ગુજરાત સાહિત્ય સભા’નું અભિધાન પામી.&lt;br /&gt;
ભિન્ન ભિન્ન સાક્ષરોનાં સાહિત્યસેવા રૂપી રસળતાં કિરણો એક સ્થળે કેન્દ્રિત થાય તો આપણા સાહિત્યને હાલ થાય છે તેથી વિશેષ લાભ થાય તથા ઐક્યની ભાવના ઉદ્ભવે, – એટલા સારુ એક મંડળની આવશ્યકતા હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગ્રંથપ્રસિદ્ધિનું કામ કરે છે, પરંતુ સાહિત્યના અભ્યાસ ને સંશોધન પર વિશેષ લક્ષ આપનાર મંડળની ખોટ તેથી પૂરી પડતી નથી. બંગ પરિષદ, નાગરીપ્રચારિણી સભા, તામિલ સાહિત્ય સભા(Tamil Literary Academy) આદિ મંડળો પોતાના પ્રાંતની જેવી સેવા બજાવે છે તેવી સેવા ગુજરાત અને ગુજરાતી ભાષાની બજાવે એવા મંડળની જરૂર લાગતી હતી. આવી અગવડો કંઈક અંશે દૂર કરવા પ્રયત્ન થાય એટલા માટે અમારી સભાનું ‘ગુજરાત સાહિત્ય સભા’ નામ પાડી, ‘ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવાનો તથા બનતા પ્રયાસે તેને લોકપ્રિય કરવાનો’ ઉદ્દેશ રાખ્યો. ઉદ્દેશસાધના અર્થે વિવિધ સાધનો પ્રયોજ્યાં છે.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યની ઉદ્દામ અને અવિરત સેવા કરનાર સાક્ષરો આ મંડળ પર મમતા રાખી તેને ઉછેરે એટલા સારુ ઑનનરી સભાસદનો વર્ગ રાખવામાં આવ્યો છે. સભાએ રા. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, રા. રણછોડભાઈ ઉદયરામ, રા. ગોવર્ધનરામ માધવરામ, રા. નરસિંહરાવ ભોળાનાથ, રા. મણિશંકર રત્નજી ભટ્ટ, રા. રમણભાઈ મહીપતરામ, રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, આટલા સાક્ષરોને ઑનરરી સભાસદ થવા વિનંતિ કરી હતી. આ સર્વે સાક્ષરોએ એ વિનંતી સ્વીકારી છે. ‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશને’ ઉપસ્થિત કરેલો ‘ગુર્જર સાક્ષર જયંતી’નો સમારંભ ચાલુ રાખવામાં આવ્યો છે. જેટલા સમારંભો પ્રયોજાયા છે તે નીચે લખ્યા છે :&lt;br /&gt;
{{Poem2Close}}&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:90%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| &lt;br /&gt;
| જેમની જયંતી ઊજવાય&amp;lt;br&amp;gt;	છે તેમનું નામ						&lt;br /&gt;
| તિથિ&lt;br /&gt;
| જયંતી પ્રસંગે વ્યાખ્યાન &amp;lt;br&amp;gt;કરનારનું નામ    &lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧.&lt;br /&gt;
| નરસિંહ મહેતા&lt;br /&gt;
| વૈશાખ સુદ ૫&lt;br /&gt;
| રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૨.&lt;br /&gt;
| મીરાંબાઈ&lt;br /&gt;
| શ્રાવણ વદ ૮&lt;br /&gt;
| રા. ન્હાનાલાલ દલપતરામ કવિ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૩.&lt;br /&gt;
| અખો&lt;br /&gt;
| ચૈત્ર સુદ ૯&lt;br /&gt;
| રા. નર્મદાશંકર દેવશંકર મહેતા&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૪.&lt;br /&gt;
| પ્રેમાનંદ&lt;br /&gt;
| પોષ સુદ ૨&lt;br /&gt;
| રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૫.&lt;br /&gt;
| શામળ&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. છોટાલાલ લલ્લુભાઈ પટેલ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૬.&lt;br /&gt;
| વલ્લભ&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. હિંમતલાલ ગણેશજી અંજારીઆ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૭.&lt;br /&gt;
| દયારામ&lt;br /&gt;
| માઘ વદ ૫&lt;br /&gt;
| રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૮.&lt;br /&gt;
| ધીરો&lt;br /&gt;
| આશ્વિન સુદ ૧૫&lt;br /&gt;
| રા. કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૯.&lt;br /&gt;
| દલપતરામ&lt;br /&gt;
| ચૈત્ર સુદ ૩&lt;br /&gt;
| રા. નરસિંહલાલ માધવલાલ દેસાઈ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૦.&lt;br /&gt;
| નર્મદાશંકર &lt;br /&gt;
| (જન્મ ભાદરવા સુદ ૧૦, &amp;lt;br&amp;gt;મૃત્યુ ઑગસ્ટ ૨૪)&lt;br /&gt;
| રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૧.&lt;br /&gt;
| નવલરામ&lt;br /&gt;
| આષાઢ વદ અમાવસ્યા&lt;br /&gt;
| રા. ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૨.&lt;br /&gt;
| મણિલાલ નભુભાઈ&lt;br /&gt;
| ઑક્ટોબર ૩&lt;br /&gt;
| રા. આણંદશંકર બાપુભાઈ ધ્રુવ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૩.&lt;br /&gt;
| હરિ હર્ષદ ધ્રુવ&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. ન્હાનાલાલ દલપતરામ કવિ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૪.&lt;br /&gt;
| સુરસિંહ (કલાપી) &lt;br /&gt;
| (જન્મ મહા સુદ ૯, &amp;lt;br&amp;gt;મૃત્યુ જેઠ સુદ ૧૧)&lt;br /&gt;
| રા. મણિશંકર રત્નજી ભટ્ટ&lt;br /&gt;
|}&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘ગુજરાતના વેદાંતી કવિઓ’ સંબંધે એક વ્યાખ્યાન તૈયાર કરવાની સભાની વિનંતિ રા. નર્મદાશંકર દેવશંકરે સ્વીકારી છે. ગઈ સાલ રા. ગણપતરાવ ગોપાળરાવ બર્વેએ ‘ગુજરાતના કવિઓનું સંગીતજ્ઞાન’ – એ વિષય પર સુપ્રયોગ વ્યાખ્યાન કર્યું હતું. આ સર્વે સદ્ગૃહસ્થોનો તેમ જ રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી અને રા. અમૃતલાલ સુન્દરજી પઢિયારનો સભા ઉપર અત્યંત ઉપકાર થયો છે. ‘વસન્ત’ માસિકમાં પોતાનાં વ્યાખ્યાનો પ્રસિદ્ધ કરવા વ્યાખ્યાનકારોએ સંમતિ આપી છે. પોતાના માસિકમાં આ સર્વ લેખો પ્રસિદ્ધ કરવાની સગવડ કરી આપી પ્રો. આણંદશંકરે સભાને આભારી કરી છે.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો અભ્યાસ વધે તથા જનસમાજનું સાહિત્યના ઉત્કર્ષ પ્રત્યે લક્ષ આકર્ષાય એવા હેતુથી જયંતીઓ યોજાઈ છે. હાલ તો ફક્ત જાહેર વ્યાખ્યાનોથી જ જયંતી ઊજવીએ છીએ. સમારંભનું નામ જયંતી રાખ્યું છે પણ વસ્તુતઃ સાક્ષરોનું શ્રાદ્ધ સારવાની યોજના છે. જયંતી માટે મૃત્યુતિથિ ન મળે તો જન્મતિથિ લેવી, તેના અભાવે સાક્ષરની કૃતિ સંપૂર્ણ થયાની તિથિ, અને તે પણ અનુપલબ્ધ હોય તો ગમે તે તિથિ પર જયંતીનો ઉત્સવ પાળવો. આ સંબંધે સવિસ્તર ચર્ચા સભાના પ્રમુખ રા. રમણભાઈએ પોતાના પ્રાસ્તાવિક ભાષણમાં કરી હતી. જયંતી ઉપરાંત પ્રાચીન કાવ્યો સંશોધી પ્રસિદ્ધ કરવાની ધારણા છે. હાલમાં મીરાંબાઈનાં પદનો સંગ્રહ થાય છે. ગ્રન્થો, હસ્તલેખ, શિલાલેખ વગેરેનો યથાશક્તિ સંગ્રહ કરવા વિચાર છે.&lt;br /&gt;
આ વર્ષે ગુડફ્રાઈડેના તહેવારોમાં એક સાહિત્ય પરિષદ ભરવાની યોજના ઘડાઈ છે. યોજના તેમ જ પરિષદમાં ભાગ લેવા માટે નિમંત્રણપત્રો પ્રતિષ્ઠિત વિદ્વાનો પર મોકલવામાં આવ્યાં છે. જોડણી, લિપિ, દેશજસાહિત્ય, વ્યાકરણ, કોષ, ઇતિહાસ, સાયન્સ અને સાયન્સની પરિભાષા, વગેરે વગેરે વિષયો પરિષદમાં ચર્ચવાના છે. જે ધોરણે ઑરિયેન્ટલ કૉન્ગ્રેસ પોતાની કાર્યઘટના કરે છે તે ધોરણે પરિષદનું કામ કરવામાં આવશે. સર્વ સ્થાનેથી ઉત્તેજન મળતું જાય છે. પ્રથમ સમારંભ સફળ થવાની આશા છે.&lt;br /&gt;
સભા તરફથી સુપ્રસિદ્ધ ગુજરાતી, પારસી, ઇસ્લામી, લેખકોને પરિષદમાં પધારવા વિનંતિ કરવામાં આવી છે. છતાં ઘણા સાહિત્યપ્રિય મહાશયોને પત્રો મોકલવા રહી જાય એ સ્વાભાવિક છે, તેથી આ લેખ દ્વારા તેઓને વિનંતિ છે કે પરિષદમાં ભાગ લેવા સર્વને આમંત્રણ છે. સભાના મંત્રીને લખ્યાની બધી વિગત તેમને પહોંચાડવામાં આવશે.&lt;br /&gt;
સભામાં નીચે લખ્યા મુજબ સાહિત્ય ચર્ચા થઈ હતી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:70%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘કવિવર શૅલીની ગુજરાતી સાહિત્ય પર અસર’&lt;br /&gt;
| રા. રામમોહનરાય જશવંતરાય.&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘કેટલાંક કાવ્યો’ની ગુણપરીક્ષા’&lt;br /&gt;
| રા. ઠાકોરલાલ હરિલાલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘કલાપી અને કેકારવ‘&lt;br /&gt;
| રા. રણજિતરામ વાવાભાઈ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસનું સ્થાન’&lt;br /&gt;
| રા. રમણભાઈ મહીપતરામ&lt;br /&gt;
|}&lt;br /&gt;
{{Poem2Open}}&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
થોડા વખતમાં ‘ગુજરાતી વર્તમાનપત્રો‘ અને ‘ગુજરાતી માસિકપત્રો‘ સંબંધે બે સભાસદ બન્ધુઓ ચર્ચા કરવાના છે. ‘કુસુમમાળા‘, ‘કેટલાંક કાવ્યો‘ અને ‘ચક્રવાક-મિથુન‘નું સભામાં વાંચન થયું હતું. સભાના પેટ્રન રા. રા. લાલશંકર ઉમિયાશંકર છે. પ્રમુખ રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ છે.&lt;br /&gt;
રા. રમણભાઈએ પોતાના પિતા મહીપતરામનાં બનાવેલાં પુસ્તકો તેમ જ પોતાના ગ્રંથો સભાને ભેટ આપ્યા છે, તે સારુ સભા એમને આભારી છે. રા. હરિપ્રસાદ પીતામ્બરદાસે પોતાના ‘હિતેચ્છુ’ છાપખાનામાં સભાને કામકાજનું છપાવવાની સગવડ કરી આપી મહાન ઉપકાર કર્યો છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તા. ૧૩-૧-૦૪.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = રિપુ&lt;br /&gt;
|next = પ્રથમ સાહિત્ય પરિષદનો ઇતિહાસ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2&amp;diff=111436</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2&amp;diff=111436"/>
		<updated>2026-05-29T15:51:31Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ. સ. ૧૮૯૭માં અમદાવાદના યુવાનોએ ‘ધી યંગ મેન્સ યુનિયન’ નામનું મંડળ સ્થાપ્યું. પ્રથમ વર્ષની સમાપ્તિ પહેલાં મતભેદ થવાથી ‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશન’ નામનું મંડળ મૂળ મંડળમાંથી ફંટાયું. એકાદ બે વર્ષમાં ‘ધી યંગ મેન્સ યુનિયન’ના ક્ષણિક જીવનનો અન્ત આવ્યો. જેમ જબરા ઝાડનો નાશ થતાં જે જગાએ તે ઊગતું હતું ત્યાં ઝીણી ઝીણી વનસ્પતિ અંકુરી નીકળે છે તેમ આ મંડળ વિલુપ્ત થતાં અનેક જ્ઞાતિસમાજો અમદાવાદમાં સ્થપાયા.&lt;br /&gt;
‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશને‘ સંસારસુધારાની પ્રવૃત્તિ સાથે સાહિત્યપક્ષે નીચે લખ્યા મુજબ જાહેર વ્યાખ્યાનો કરાવરાવ્યાં હતાં :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:70%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| &lt;br /&gt;
| ભાષણનો વિષય&lt;br /&gt;
| વ્યાખ્યાનકાર&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧.&lt;br /&gt;
| ગુજરાતી સાહિત્યનું હાલનું વલણ&lt;br /&gt;
| રા. રમણભાઈ મહીપતરામ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨.&lt;br /&gt;
| કવિતા અને સંગીત&lt;br /&gt;
| રા. નરસિંહરાવ ભોળાનાથ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩.&lt;br /&gt;
| ગુજરાતી કવિતા&lt;br /&gt;
| રા. ગોવર્ધનરામ માધવરામ&lt;br /&gt;
|}&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ. સ. ૧૯૦૪માં ‘ગુર્જર સાક્ષર જયંતી’નો ઉપક્રમ સમારંભાયો. કલાપી, અખો અને મીરાંની જયંતી તે વર્ષે ઊજવાઈ. જયંતીની યોજના સફળ કરવા સાહિત્યપક્ષને સબળ કરવું આવશ્યક લાગ્યું. ગયા વર્ષના જાન્યુઆરીની પહેલી તારીખે અમારી સભા ‘ધી લિટરરી એસોસિયેશન’ થઈ; ને એપ્રિલમાં ‘ગુજરાત સાહિત્ય સભા’નું અભિધાન પામી.&lt;br /&gt;
ભિન્ન ભિન્ન સાક્ષરોનાં સાહિત્યસેવા રૂપી રસળતાં કિરણો એક સ્થળે કેન્દ્રિત થાય તો આપણા સાહિત્યને હાલ થાય છે તેથી વિશેષ લાભ થાય તથા ઐક્યની ભાવના ઉદ્ભવે, – એટલા સારુ એક મંડળની આવશ્યકતા હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગ્રંથપ્રસિદ્ધિનું કામ કરે છે, પરંતુ સાહિત્યના અભ્યાસ ને સંશોધન પર વિશેષ લક્ષ આપનાર મંડળની ખોટ તેથી પૂરી પડતી નથી. બંગ પરિષદ, નાગરીપ્રચારિણી સભા, તામિલ સાહિત્ય સભા(Tamil Literary Academy) આદિ મંડળો પોતાના પ્રાંતની જેવી સેવા બજાવે છે તેવી સેવા ગુજરાત અને ગુજરાતી ભાષાની બજાવે એવા મંડળની જરૂર લાગતી હતી. આવી અગવડો કંઈક અંશે દૂર કરવા પ્રયત્ન થાય એટલા માટે અમારી સભાનું ‘ગુજરાત સાહિત્ય સભા’ નામ પાડી, ‘ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવાનો તથા બનતા પ્રયાસે તેને લોકપ્રિય કરવાનો’ ઉદ્દેશ રાખ્યો. ઉદ્દેશસાધના અર્થે વિવિધ સાધનો પ્રયોજ્યાં છે.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યની ઉદ્દામ અને અવિરત સેવા કરનાર સાક્ષરો આ મંડળ પર મમતા રાખી તેને ઉછેરે એટલા સારુ ઑનનરી સભાસદનો વર્ગ રાખવામાં આવ્યો છે. સભાએ રા. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, રા. રણછોડભાઈ ઉદયરામ, રા. ગોવર્ધનરામ માધવરામ, રા. નરસિંહરાવ ભોળાનાથ, રા. મણિશંકર રત્નજી ભટ્ટ, રા. રમણભાઈ મહીપતરામ, રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, આટલા સાક્ષરોને ઑનરરી સભાસદ થવા વિનંતિ કરી હતી. આ સર્વે સાક્ષરોએ એ વિનંતી સ્વીકારી છે. ‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશને’ ઉપસ્થિત કરેલો ‘ગુર્જર સાક્ષર જયંતી’નો સમારંભ ચાલુ રાખવામાં આવ્યો છે. જેટલા સમારંભો પ્રયોજાયા છે તે નીચે લખ્યા છે :&lt;br /&gt;
{{Poem2Close}}&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:90%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| &lt;br /&gt;
| જેમની જયંતી ઊજવાય&amp;lt;br&amp;gt;	છે તેમનું નામ						&lt;br /&gt;
| તિથિ&lt;br /&gt;
| જયંતી પ્રસંગે વ્યાખ્યાન &amp;lt;br&amp;gt;કરનારનું નામ    &lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧.&lt;br /&gt;
| નરસિંહ મહેતા&lt;br /&gt;
| વૈશાખ સુદ ૫&lt;br /&gt;
| રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૨.&lt;br /&gt;
| મીરાંબાઈ&lt;br /&gt;
| શ્રાવણ વદ ૮&lt;br /&gt;
| રા. ન્હાનાલાલ દલપતરામ કવિ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૩.&lt;br /&gt;
| અખો&lt;br /&gt;
| ચૈત્ર સુદ ૯&lt;br /&gt;
| રા. નર્મદાશંકર દેવશંકર મહેતા&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૪.&lt;br /&gt;
| પ્રેમાનંદ&lt;br /&gt;
| પોષ સુદ ૨&lt;br /&gt;
| રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૫.&lt;br /&gt;
| શામળ&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. છોટાલાલ લલ્લુભાઈ પટેલ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૬.&lt;br /&gt;
| વલ્લભ&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. હિંમતલાલ ગણેશજી અંજારીઆ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૭.&lt;br /&gt;
| દયારામ&lt;br /&gt;
| માઘ વદ ૫&lt;br /&gt;
| રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૮.&lt;br /&gt;
| ધીરો&lt;br /&gt;
| આશ્વિન સુદ ૧૫&lt;br /&gt;
| રા. કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૯.&lt;br /&gt;
| દલપતરામ&lt;br /&gt;
| ચૈત્ર સુદ ૩&lt;br /&gt;
| રા. નરસિંહલાલ માધવલાલ દેસાઈ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૦.&lt;br /&gt;
| નર્મદાશંકર &lt;br /&gt;
| (જન્મ ભાદરવા સુદ ૧૦, &amp;lt;br&amp;gt;મૃત્યુ ઑગસ્ટ ૨૪)&lt;br /&gt;
| રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૧.&lt;br /&gt;
| નવલરામ&lt;br /&gt;
| આષાઢ વદ અમાવસ્યા&lt;br /&gt;
| રા. ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૨.&lt;br /&gt;
| મણિલાલ નભુભાઈ&lt;br /&gt;
| ઑક્ટોબર ૩&lt;br /&gt;
| રા. આણંદશંકર બાપુભાઈ ધ્રુવ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૩.&lt;br /&gt;
| હરિ હર્ષદ ધ્રુવ&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. ન્હાનાલાલ દલપતરામ કવિ&lt;br /&gt;
|-{{ts|vtp}}&lt;br /&gt;
| ૧૪.&lt;br /&gt;
| સુરસિંહ (કલાપી) &lt;br /&gt;
| (જન્મ મહા સુદ ૯, &amp;lt;br&amp;gt;મૃત્યુ જેઠ સુદ ૧૧)&lt;br /&gt;
| રા. મણિશંકર રત્નજી ભટ્ટ&lt;br /&gt;
|}&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘ગુજરાતના વેદાંતી કવિઓ’ સંબંધે એક વ્યાખ્યાન તૈયાર કરવાની સભાની વિનંતિ રા. નર્મદાશંકર દેવશંકરે સ્વીકારી છે. ગઈ સાલ રા. ગણપતરાવ ગોપાળરાવ બર્વેએ ‘ગુજરાતના કવિઓનું સંગીતજ્ઞાન’ – એ વિષય પર સુપ્રયોગ વ્યાખ્યાન કર્યું હતું. આ સર્વે સદ્ગૃહસ્થોનો તેમ જ રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી અને રા. અમૃતલાલ સુન્દરજી પઢિયારનો સભા ઉપર અત્યંત ઉપકાર થયો છે. ‘વસન્ત’ માસિકમાં પોતાનાં વ્યાખ્યાનો પ્રસિદ્ધ કરવા વ્યાખ્યાનકારોએ સંમતિ આપી છે. પોતાના માસિકમાં આ સર્વ લેખો પ્રસિદ્ધ કરવાની સગવડ કરી આપી પ્રો. આણંદશંકરે સભાને આભારી કરી છે.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો અભ્યાસ વધે તથા જનસમાજનું સાહિત્યના ઉત્કર્ષ પ્રત્યે લક્ષ આકર્ષાય એવા હેતુથી જયંતીઓ યોજાઈ છે. હાલ તો ફક્ત જાહેર વ્યાખ્યાનોથી જ જયંતી ઊજવીએ છીએ. સમારંભનું નામ જયંતી રાખ્યું છે પણ વસ્તુતઃ સાક્ષરોનું શ્રાદ્ધ સારવાની યોજના છે. જયંતી માટે મૃત્યુતિથિ ન મળે તો જન્મતિથિ લેવી, તેના અભાવે સાક્ષરની કૃતિ સંપૂર્ણ થયાની તિથિ, અને તે પણ અનુપલબ્ધ હોય તો ગમે તે તિથિ પર જયંતીનો ઉત્સવ પાળવો. આ સંબંધે સવિસ્તર ચર્ચા સભાના પ્રમુખ રા. રમણભાઈએ પોતાના પ્રાસ્તાવિક ભાષણમાં કરી હતી. જયંતી ઉપરાંત પ્રાચીન કાવ્યો સંશોધી પ્રસિદ્ધ કરવાની ધારણા છે. હાલમાં મીરાંબાઈનાં પદનો સંગ્રહ થાય છે. ગ્રન્થો, હસ્તલેખ, શિલાલેખ વગેરેનો યથાશક્તિ સંગ્રહ કરવા વિચાર છે.&lt;br /&gt;
આ વર્ષે ગુડફ્રાઈડેના તહેવારોમાં એક સાહિત્ય પરિષદ ભરવાની યોજના ઘડાઈ છે. યોજના તેમ જ પરિષદમાં ભાગ લેવા માટે નિમંત્રણપત્રો પ્રતિષ્ઠિત વિદ્વાનો પર મોકલવામાં આવ્યાં છે. જોડણી, લિપિ, દેશજસાહિત્ય, વ્યાકરણ, કોષ, ઇતિહાસ, સાયન્સ અને સાયન્સની પરિભાષા, વગેરે વગેરે વિષયો પરિષદમાં ચર્ચવાના છે. જે ધોરણે ઑરિયેન્ટલ કૉન્ગ્રેસ પોતાની કાર્યઘટના કરે છે તે ધોરણે પરિષદનું કામ કરવામાં આવશે. સર્વ સ્થાનેથી ઉત્તેજન મળતું જાય છે. પ્રથમ સમારંભ સફળ થવાની આશા છે.&lt;br /&gt;
સભા તરફથી સુપ્રસિદ્ધ ગુજરાતી, પારસી, ઇસ્લામી, લેખકોને પરિષદમાં પધારવા વિનંતિ કરવામાં આવી છે. છતાં ઘણા સાહિત્યપ્રિય મહાશયોને પત્રો મોકલવા રહી જાય એ સ્વાભાવિક છે, તેથી આ લેખ દ્વારા તેઓને વિનંતિ છે કે પરિષદમાં ભાગ લેવા સર્વને આમંત્રણ છે. સભાના મંત્રીને લખ્યાની બધી વિગત તેમને પહોંચાડવામાં આવશે.&lt;br /&gt;
સભામાં નીચે લખ્યા મુજબ સાહિત્ય ચર્ચા થઈ હતી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:70%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘કવિવર શૅલીની ગુજરાતી સાહિત્ય પર અસર’&lt;br /&gt;
| રા. રામમોહનરાય જશવંતરાય.&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘કેટલાંક કાવ્યો’ની ગુણપરીક્ષા’&lt;br /&gt;
| રા. ઠાકોરલાલ હરિલાલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘કલાપી અને કેકારવ‘&lt;br /&gt;
| રા. રણજિતરામ વાવાભાઈ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસનું સ્થાન’&lt;br /&gt;
| રા. રમણભાઈ મહીપતરામ&lt;br /&gt;
|}&lt;br /&gt;
{{Poem2Open}}&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
થોડા વખતમાં ‘ગુજરાતી વર્તમાનપત્રો‘ અને ‘ગુજરાતી માસિકપત્રો‘ સંબંધે બે સભાસદ બન્ધુઓ ચર્ચા કરવાના છે. ‘કુસુમમાળા‘, ‘કેટલાંક કાવ્યો‘ અને ‘ચક્રવાક-મિથુન‘નું સભામાં વાંચન થયું હતું. સભાના પેટ્રન રા. રા. લાલશંકર ઉમિયાશંકર છે. પ્રમુખ રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ છે.&lt;br /&gt;
રા. રમણભાઈએ પોતાના પિતા મહીપતરામનાં બનાવેલાં પુસ્તકો તેમ જ પોતાના ગ્રંથો સભાને ભેટ આપ્યા છે, તે સારુ સભા એમને આભારી છે. રા. હરિપ્રસાદ પીતામ્બરદાસે પોતાના ‘હિતેચ્છુ’ છાપખાનામાં સભાને કામકાજનું છપાવવાની સગવડ કરી આપી મહાન ઉપકાર કર્યો છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તા. ૧૩-૧-૦૪.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = રિપુ&lt;br /&gt;
|next = પ્રથમ સાહિત્ય પરિષદનો ઇતિહાસ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2&amp;diff=111435</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%85%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2&amp;diff=111435"/>
		<updated>2026-05-29T15:46:49Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ. સ. ૧૮૯૭માં અમદાવાદના યુવાનોએ ‘ધી યંગ મેન્સ યુનિયન’ નામનું મંડળ સ્થાપ્યું. પ્રથમ વર્ષની સમાપ્તિ પહેલાં મતભેદ થવાથી ‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશન’ નામનું મંડળ મૂળ મંડળમાંથી ફંટાયું. એકાદ બે વર્ષમાં ‘ધી યંગ મેન્સ યુનિયન’ના ક્ષણિક જીવનનો અન્ત આવ્યો. જેમ જબરા ઝાડનો નાશ થતાં જે જગાએ તે ઊગતું હતું ત્યાં ઝીણી ઝીણી વનસ્પતિ અંકુરી નીકળે છે તેમ આ મંડળ વિલુપ્ત થતાં અનેક જ્ઞાતિસમાજો અમદાવાદમાં સ્થપાયા.&lt;br /&gt;
‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશને‘ સંસારસુધારાની પ્રવૃત્તિ સાથે સાહિત્યપક્ષે નીચે લખ્યા મુજબ જાહેર વ્યાખ્યાનો કરાવરાવ્યાં હતાં :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:70%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| &lt;br /&gt;
| ભાષણનો વિષય&lt;br /&gt;
| વ્યાખ્યાનકાર&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧.&lt;br /&gt;
| ગુજરાતી સાહિત્યનું હાલનું વલણ&lt;br /&gt;
| રા. રમણભાઈ મહીપતરામ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨.&lt;br /&gt;
| કવિતા અને સંગીત&lt;br /&gt;
| રા. નરસિંહરાવ ભોળાનાથ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩.&lt;br /&gt;
| ગુજરાતી કવિતા&lt;br /&gt;
| રા. ગોવર્ધનરામ માધવરામ&lt;br /&gt;
|}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ. સ. ૧૯૦૪માં ‘ગુર્જર સાક્ષર જયંતી’નો ઉપક્રમ સમારંભાયો. કલાપી, અખો અને મીરાંની જયંતી તે વર્ષે ઊજવાઈ. જયંતીની યોજના સફળ કરવા સાહિત્યપક્ષને સબળ કરવું આવશ્યક લાગ્યું. ગયા વર્ષના જાન્યુઆરીની પહેલી તારીખે અમારી સભા ‘ધી લિટરરી એસોસિયેશન’ થઈ; ને એપ્રિલમાં ‘ગુજરાત સાહિત્ય સભા’નું અભિધાન પામી.&lt;br /&gt;
ભિન્ન ભિન્ન સાક્ષરોનાં સાહિત્યસેવા રૂપી રસળતાં કિરણો એક સ્થળે કેન્દ્રિત થાય તો આપણા સાહિત્યને હાલ થાય છે તેથી વિશેષ લાભ થાય તથા ઐક્યની ભાવના ઉદ્ભવે, – એટલા સારુ એક મંડળની આવશ્યકતા હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગ્રંથપ્રસિદ્ધિનું કામ કરે છે, પરંતુ સાહિત્યના અભ્યાસ ને સંશોધન પર વિશેષ લક્ષ આપનાર મંડળની ખોટ તેથી પૂરી પડતી નથી. બંગ પરિષદ, નાગરીપ્રચારિણી સભા, તામિલ સાહિત્ય સભા(Tamil Literary Academy) આદિ મંડળો પોતાના પ્રાંતની જેવી સેવા બજાવે છે તેવી સેવા ગુજરાત અને ગુજરાતી ભાષાની બજાવે એવા મંડળની જરૂર લાગતી હતી. આવી અગવડો કંઈક અંશે દૂર કરવા પ્રયત્ન થાય એટલા માટે અમારી સભાનું ‘ગુજરાત સાહિત્ય સભા’ નામ પાડી, ‘ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવાનો તથા બનતા પ્રયાસે તેને લોકપ્રિય કરવાનો’ ઉદ્દેશ રાખ્યો. ઉદ્દેશસાધના અર્થે વિવિધ સાધનો પ્રયોજ્યાં છે.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યની ઉદ્દામ અને અવિરત સેવા કરનાર સાક્ષરો આ મંડળ પર મમતા રાખી તેને ઉછેરે એટલા સારુ ઑનનરી સભાસદનો વર્ગ રાખવામાં આવ્યો છે. સભાએ રા. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, રા. રણછોડભાઈ ઉદયરામ, રા. ગોવર્ધનરામ માધવરામ, રા. નરસિંહરાવ ભોળાનાથ, રા. મણિશંકર રત્નજી ભટ્ટ, રા. રમણભાઈ મહીપતરામ, રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, આટલા સાક્ષરોને ઑનરરી સભાસદ થવા વિનંતિ કરી હતી. આ સર્વે સાક્ષરોએ એ વિનંતી સ્વીકારી છે. ‘ધી સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશને’ ઉપસ્થિત કરેલો ‘ગુર્જર સાક્ષર જયંતી’નો સમારંભ ચાલુ રાખવામાં આવ્યો છે. જેટલા સમારંભો પ્રયોજાયા છે તે નીચે લખ્યા છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:70%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| &lt;br /&gt;
| જેમની જયંતી ઊજવાય&amp;lt;br&amp;gt;	છે તેમનું નામ						&lt;br /&gt;
| તિથિ&lt;br /&gt;
| જયંતી પ્રસંગે વ્યાખ્યાન &amp;lt;br&amp;gt;કરનારનું નામ    &lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧.&lt;br /&gt;
| નરસિંહ મહેતા&lt;br /&gt;
| વૈશાખ સુદ ૫&lt;br /&gt;
| રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨.&lt;br /&gt;
| મીરાંબાઈ&lt;br /&gt;
| શ્રાવણ વદ ૮&lt;br /&gt;
| રા. ન્હાનાલાલ દલપતરામ કવિ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩.&lt;br /&gt;
| અખો&lt;br /&gt;
| ચૈત્ર સુદ ૯&lt;br /&gt;
| રા. નર્મદાશંકર દેવશંકર મહેતા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪.&lt;br /&gt;
| પ્રેમાનંદ&lt;br /&gt;
| પોષ સુદ ૨&lt;br /&gt;
| રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫.&lt;br /&gt;
| શામળ&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. છોટાલાલ લલ્લુભાઈ પટેલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬.&lt;br /&gt;
| વલ્લભ&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. હિંમતલાલ ગણેશજી અંજારીઆ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭.&lt;br /&gt;
| દયારામ&lt;br /&gt;
| માઘ વદ ૫&lt;br /&gt;
| રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮.&lt;br /&gt;
| ધીરો&lt;br /&gt;
| આશ્વિન સુદ ૧૫&lt;br /&gt;
| રા. કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૯.&lt;br /&gt;
| દલપતરામ&lt;br /&gt;
| ચૈત્ર સુદ ૩&lt;br /&gt;
| રા. નરસિંહલાલ માધવલાલ દેસાઈ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૦.&lt;br /&gt;
| નર્મદાશંકર (જન્મ ભાદરવા સુદ ૧૦, મૃત્યુ ઑગસ્ટ ૨૪)&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૧.&lt;br /&gt;
| નવલરામ&lt;br /&gt;
| આષાઢ વદ અમાવસ્યા&lt;br /&gt;
| રા. ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૨.&lt;br /&gt;
| મણિલાલ નભુભાઈ&lt;br /&gt;
| ઑક્ટોબર ૩&lt;br /&gt;
| રા. આણંદશંકર બાપુભાઈ ધ્રુવ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૩.&lt;br /&gt;
| હરિ હર્ષદ ધ્રુવ&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. ન્હાનાલાલ દલપતરામ કવિ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૪.&lt;br /&gt;
| સુરસિંહ (કલાપી) (જન્મ મહા સુદ ૯, મૃત્યુ જેઠ સુદ ૧૧)&lt;br /&gt;
| &lt;br /&gt;
| રા. મણિશંકર રત્નજી ભટ્ટ&lt;br /&gt;
|}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘ગુજરાતના વેદાંતી કવિઓ’ સંબંધે એક વ્યાખ્યાન તૈયાર કરવાની સભાની વિનંતિ રા. નર્મદાશંકર દેવશંકરે સ્વીકારી છે. ગઈ સાલ રા. ગણપતરાવ ગોપાળરાવ બર્વેએ ‘ગુજરાતના કવિઓનું સંગીતજ્ઞાન’ – એ વિષય પર સુપ્રયોગ વ્યાખ્યાન કર્યું હતું. આ સર્વે સદ્ગૃહસ્થોનો તેમ જ રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી અને રા. અમૃતલાલ સુન્દરજી પઢિયારનો સભા ઉપર અત્યંત ઉપકાર થયો છે. ‘વસન્ત’ માસિકમાં પોતાનાં વ્યાખ્યાનો પ્રસિદ્ધ કરવા વ્યાખ્યાનકારોએ સંમતિ આપી છે. પોતાના માસિકમાં આ સર્વ લેખો પ્રસિદ્ધ કરવાની સગવડ કરી આપી પ્રો. આણંદશંકરે સભાને આભારી કરી છે.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો અભ્યાસ વધે તથા જનસમાજનું સાહિત્યના ઉત્કર્ષ પ્રત્યે લક્ષ આકર્ષાય એવા હેતુથી જયંતીઓ યોજાઈ છે. હાલ તો ફક્ત જાહેર વ્યાખ્યાનોથી જ જયંતી ઊજવીએ છીએ. સમારંભનું નામ જયંતી રાખ્યું છે પણ વસ્તુતઃ સાક્ષરોનું શ્રાદ્ધ સારવાની યોજના છે. જયંતી માટે મૃત્યુતિથિ ન મળે તો જન્મતિથિ લેવી, તેના અભાવે સાક્ષરની કૃતિ સંપૂર્ણ થયાની તિથિ, અને તે પણ અનુપલબ્ધ હોય તો ગમે તે તિથિ પર જયંતીનો ઉત્સવ પાળવો. આ સંબંધે સવિસ્તર ચર્ચા સભાના પ્રમુખ રા. રમણભાઈએ પોતાના પ્રાસ્તાવિક ભાષણમાં કરી હતી. જયંતી ઉપરાંત પ્રાચીન કાવ્યો સંશોધી પ્રસિદ્ધ કરવાની ધારણા છે. હાલમાં મીરાંબાઈનાં પદનો સંગ્રહ થાય છે. ગ્રન્થો, હસ્તલેખ, શિલાલેખ વગેરેનો યથાશક્તિ સંગ્રહ કરવા વિચાર છે.&lt;br /&gt;
આ વર્ષે ગુડફ્રાઈડેના તહેવારોમાં એક સાહિત્ય પરિષદ ભરવાની યોજના ઘડાઈ છે. યોજના તેમ જ પરિષદમાં ભાગ લેવા માટે નિમંત્રણપત્રો પ્રતિષ્ઠિત વિદ્વાનો પર મોકલવામાં આવ્યાં છે. જોડણી, લિપિ, દેશજસાહિત્ય, વ્યાકરણ, કોષ, ઇતિહાસ, સાયન્સ અને સાયન્સની પરિભાષા, વગેરે વગેરે વિષયો પરિષદમાં ચર્ચવાના છે. જે ધોરણે ઑરિયેન્ટલ કૉન્ગ્રેસ પોતાની કાર્યઘટના કરે છે તે ધોરણે પરિષદનું કામ કરવામાં આવશે. સર્વ સ્થાનેથી ઉત્તેજન મળતું જાય છે. પ્રથમ સમારંભ સફળ થવાની આશા છે.&lt;br /&gt;
સભા તરફથી સુપ્રસિદ્ધ ગુજરાતી, પારસી, ઇસ્લામી, લેખકોને પરિષદમાં પધારવા વિનંતિ કરવામાં આવી છે. છતાં ઘણા સાહિત્યપ્રિય મહાશયોને પત્રો મોકલવા રહી જાય એ સ્વાભાવિક છે, તેથી આ લેખ દ્વારા તેઓને વિનંતિ છે કે પરિષદમાં ભાગ લેવા સર્વને આમંત્રણ છે. સભાના મંત્રીને લખ્યાની બધી વિગત તેમને પહોંચાડવામાં આવશે.&lt;br /&gt;
સભામાં નીચે લખ્યા મુજબ સાહિત્ય ચર્ચા થઈ હતી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:70%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘કવિવર શૅલીની ગુજરાતી સાહિત્ય પર અસર’&lt;br /&gt;
| રા. રામમોહનરાય જશવંતરાય.&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘કેટલાંક કાવ્યો’ની ગુણપરીક્ષા’&lt;br /&gt;
| રા. ઠાકોરલાલ હરિલાલ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘કલાપી અને કેકારવ‘&lt;br /&gt;
| રા. રણજિતરામ વાવાભાઈ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ‘ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસનું સ્થાન’&lt;br /&gt;
| રા. રમણભાઈ મહીપતરામ&lt;br /&gt;
|}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
થોડા વખતમાં ‘ગુજરાતી વર્તમાનપત્રો‘ અને ‘ગુજરાતી માસિકપત્રો‘ સંબંધે બે સભાસદ બન્ધુઓ ચર્ચા કરવાના છે. ‘કુસુમમાળા‘, ‘કેટલાંક કાવ્યો‘ અને ‘ચક્રવાક-મિથુન‘નું સભામાં વાંચન થયું હતું. સભાના પેટ્રન રા. રા. લાલશંકર ઉમિયાશંકર છે. પ્રમુખ રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ છે.&lt;br /&gt;
રા. રમણભાઈએ પોતાના પિતા મહીપતરામનાં બનાવેલાં પુસ્તકો તેમ જ પોતાના ગ્રંથો સભાને ભેટ આપ્યા છે, તે સારુ સભા એમને આભારી છે. રા. હરિપ્રસાદ પીતામ્બરદાસે પોતાના ‘હિતેચ્છુ’ છાપખાનામાં સભાને કામકાજનું છપાવવાની સગવડ કરી આપી મહાન ઉપકાર કર્યો છે.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તા. ૧૩-૧-૦૪.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = રિપુ&lt;br /&gt;
|next = પ્રથમ સાહિત્ય પરિષદનો ઇતિહાસ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%81&amp;diff=111434</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/રિપુ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%81&amp;diff=111434"/>
		<updated>2026-05-29T15:37:34Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|રિપુ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પાત્રો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{block center|&amp;lt;poem&amp;gt;ફતેહસિંહ......... 						&lt;br /&gt;
મણિ........&lt;br /&gt;
વૈદ્ય........... 							&lt;br /&gt;
ખવાસ........&lt;br /&gt;
ભૂત.......&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દૃશ્ય ૧ લું.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[રાજમહેલનો ખંડ. એમાંનું રાચરચીલું લઈ જવામાં આવેલું છે. કબાટો, પટારા, પલંગો નીચેના લાકડાના ટેકાઓ માત્ર પડી રહ્યા છે. ભીંત ઉપર ટાંગેલી વસ્તુઓના આંકા અને એમનાથી ઝાંખા થયા વિના રહેલાં રંગનાં ધાબાં. માત્ર ભીંતો ઉપર ચીતરેલા ફતેહસિંહના વડવાઓનાં ચિત્રો રહ્યાં છે. ફતેહસિંહ અને તેની વહુ બેઠાં છે, દીવો ઝાંખો બળે છે. સમય માઝમ રાત.]&lt;br /&gt;
ફતેહસિંહ : મણિ! રયાસત વગરનો ઓરડો, વંટોળિયાથી નાશ પામેલાં પાંદડાં વિનાના વનની પેઠે મારા હૈયામાં સાલે છે. ચિત્રો, હથિયારો – વર્ષોથી દુશ્મનના લોહીમાં તરબોળ થયેલાં હથિયારો, તીર્થયાત્રાની પવિત્ર વસ્તુઓ, વંશપરંપરા ઊતરી આવેલી વડીલોની યાદગીરીઓ, – સર્વે વેચાઈ ગઈ, ઉપાડી જવાઈ! આપણા વંશની આબરૂ ચાલી ગઈ; પણ મારું હૃદય સૌથી વધારે તારે માટે ચરચરે છે. વૈભવ અને આરામમાં વસતી હતી ત્યાં તારા જોબનમાં હું તને પરણ્યો, અને હવે જોબન પૂર બહારમાં ખીલવાની અણી ઉપર છે ત્યારે તને આવા લૂંટાયેલા વેરાન ઘરમાં મેં ગોંધી છે.&lt;br /&gt;
[આવેશથી ઊઠી તે આમતેમ ફરે છે ત્યારે દીવા પાસે જઈ મણિ સંકોરે છે.]&lt;br /&gt;
એમાં મારો દોષ છે? આ ખાનાખરાબી મેં કરી છે? કરકસરથી હંમેશ રહેતો, અફીણ લેતો નહીં, જુગાર રમતો નહીં, છતાં દરરોજ, દર પળે કંઈ ને કંઈ નવી આફત મને જમીન સરસો વાંકો વાળી દે છે. કોઈ શત્રુ નિર્દયતાથી મારી પાછળ પડ્યો છે.&lt;br /&gt;
મણિ : શત્રુ! ભૂતકાળમાં જાઓ, કોઈને હેરાન કર્યાનું યાદ છે? આટલે બધે દિવસે વેર લેવા આવ્યો છે એવો કોઈને હેરાન કર્યો હતો? સસરાજીના કોઈ દુશ્મન હતા? વેર વાળ્યા વગર રહેલા દુશ્મન હતા?&lt;br /&gt;
ફતેહસિંહ : કોઈને કદી પણ દુઃખ દીધું હોય એવું સ્મરણમાં નથી.&lt;br /&gt;
મણિ : અજાણતાં, વખતે?&lt;br /&gt;
ફતેહસિંહ : વારસામાં ઊતરી આવેલા કોપની બાપુએ પણ મને ચેતવણી નથી આપી. આટલું હું પામ્યો છું – અમારા વંશમાં ઊતરી આવેલી જાગીરનાં ખેતરેખેતર એક જણના હાથમાં ચાલ્યાં ગયાં છે અને તેનું નામ છુપાવેલું છે. શરીર ઢાંકી તે મારી છાતીમાં ભોંકે છે. આ દુશ્મનને હું મિથ્યા ખોળું છું.&lt;br /&gt;
[પ્હો ફાટવાના પહેલાં ઝળઝળીયાં દેખાય છે એટલે એની વહુ ધ્રૂજતી ઊભી થાય છે.]&lt;br /&gt;
મણિ : ઝળઝળીયાં થાય છે, ગગા પાસે જવું જોઈએ.&lt;br /&gt;
[અંદરના ઓરડામાં જાય છે.]&lt;br /&gt;
ફતેહસિંહ (પૂર્વજોનાં હથિયારબંધ ચિત્રો તરફ વળીને) : મારા વંશના શસ્ત્રધારી પૂર્વજો, ઝાંખા ગરાસિયાઓ, વીતેલા યુગના જોદ્ધાઓ! દૂર દૂર ઝાંખા ભૂતકાળમાં કંઈ વેર બંધાયું હતું? આજે જેના ત્રાસદાયક ઝપાટામાં હું આવ્યો છું એવા જૂના વેર વિશે જાણો છો? અહ, તું, બૂઢા પથૂ! તારું પાપી નામ સૌને સાંભરે છે, તારી લૂંટફાટો, તારા બળાત્કારો, તારાં ખૂનોની, તારી ભયંકર વાતો અને દંતકથાઓ કહેવાય છે. કોઈ એવા દુષ્ટ પ્રસંગે તેં તો શાપ ઉત્પન્ન નથી કરાવ્યો? એ શાપનો મારા જેવો નિર્દોષ તો ભોગ નથી થતો? બોલો, પ્રભાતના તેજમાં ઝળઝળ થતાં ચિત્રોમાંથી એકાદ તો બોલો.&lt;br /&gt;
[હથિયારસજ્જ આકૃતિઓ ઉપર તેજ પ્રસરે છે.]&lt;br /&gt;
બધા ચૂપ! ફરીથી હું પૂછું છું, મરેલાંઓ પાસે ઉત્તર માગું છું, બોલો. એવો કોણ છે, દુનિયા આગળ કોણે મને લૂંટી લીધો છે, મારું બધું છીનવી લીધું છે, મને પૂરો દિગંબર કરી દીધો છે?&lt;br /&gt;
ભૂત (બારીની જાળી આગળ આખું શરીર ઢાંકેલું) : હું. હું.&lt;br /&gt;
ફતેહસિંહ (મંદ ત્રાસથી) : તું? તું કોણ છે? શું તું જીવતી વસ્તુ છે? કે ત્રાસેલા મગજમાંથી જન્મેલો ઓળો છે? તારું મોં ઢાંકેલું છે. કોણ છે? બોલ!&lt;br /&gt;
[જેવો ફતેહસિંહ ધીમેથી તેની પાસે જાય છે એટલે તે અદૃશ્ય થઈ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દૃશ્ય ૨જું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[એ જ ઓરડો. મધ્યરાત્રિ. ઘડિયાળમાં બાર વાગે છે. જે સ્થળે ભૂત અલોપ થયું હતું ત્યાં જ ફતેહસિંહ ઊભો છે.]&lt;br /&gt;
ફતેહસિંહ : ભૂત, પગથી માથા લગી સંપૂર્ણ ઢંકાયેલું ભૂત, પ્રભાતના ઝળઝળીયામાં દેખાયેલું ભૂત, પોતાને મોંએ આ શાપનો દોષ વહોરનાર ભૂત — તેની પાસેથી જવાબ હું કઢાવી શક્યો નહીં. રફતેથી તેની પાસે જેવો હું ગયો તેવું જ તે અદૃશ્ય થયું; જેવું તીર આવ્યું તેવું જ ગયું.&lt;br /&gt;
(તે અંદરના ઓરડામાં જુએ છે.)&lt;br /&gt;
ગગો ઊંઘે છે; પણ એની બા! બાર વાગ્યા! આટલું મોડું બહાર રહેવાની એને ટેવ નથી.&lt;br /&gt;
[ફાટ્યાંતૂટ્યાં ગંદા કપડાં પહેરેલો બુઢ્ઢો ખવાસ, હાથમાં કાગળ લઈ આવે છે.]&lt;br /&gt;
ખવાસ : બાપુ, મારાં બાએ આ કાગળ મને આપ્યો હતો. બાર વાગ્યા પહેલાં આપને ન આપવાનો હુકમ કર્યો હતો.&lt;br /&gt;
[ફતેહસિંહ કાગળ ઝૂંટવી લે છે, ફોડી વાંચે છે.]&lt;br /&gt;
ફતેહસિંહ (વાંચે છે) : તમને અને ઘરને મેં તજ્યાં છે. હવે હું પાછી નહીં આવું પણ હું કલંકિત નથી એની ખાતરી રાખજો. બીજા સાથે હું નાસી ગઈ નથી. મારો દોષ ક્ષમા કરવાનું ગંગાને પણ શીખવજો....મણિ.&lt;br /&gt;
[ખવાસને જતા રહેવાની સૂચના ફતેહસિંહ કરે છે.]&lt;br /&gt;
ફતેહસિંહ : મારા ઘરની ખેદાનમેદાની શું ઓછી હતી કે તે મને રઝળતો નાખી ચાલી ગઈ? અને તેનું કાંઈ કારણ પણ નહીં? હૃદય કોરી ખાતી પીડાથી, રોજ ને રોજ વધતી જતી ચિંતાથી વૈભવમાં ઊછરેલીને સાલતી કંગાલિયતથી આ છેલ્લો ઘા મારવા તે નિ:સંશય પ્રેરાઈ હશે.&lt;br /&gt;
[એકદમ ચમકે છે. ધીમેથી કમાડ ઉઘાડે છે અને ઓરડાની અંદર જુએ છે.]&lt;br /&gt;
પણ અમારું બચ્ચું કેવું નિરાંતે ઊંઘે છે. ગાલ ઉપરની સુરખી ન હોત તો આ ઊંઘ મૃત્યુની ઊંઘ જેવી જ લાગત. એનો પણ એણે ત્યાગ કર્યો. રાની પશુ મોતની ગંધ આવે ત્યારે પણ પોતાનાં બચ્ચાંને ત્યજતું નથી. બીજા જોડે નાસી નથી ગઈ ત્યારે કયા ત્રાસથી, કઈ આપદાથી તે ભાગી ગઈ? એને ધક્કો મારી કાઢી મૂકનાર કોણ?&lt;br /&gt;
ભૂત (પૂર્વની માફક ફરીથી દેખાયું) : હું.&lt;br /&gt;
ફતેહસિંહ : વળી પાછું તું, એવું ને એવું ઢંકાયેલું અને વીંટળાયેલું! ફરીથી તારા જ હોઠે બોલે છે કે આ બધું દુઃખ તેં જ કર્યું છે. તારું નામ! તારી મગદૂર નથી કે હવે તારું નામ નહીં કહે!											   (અટકે છે.)&lt;br /&gt;
હજુ પણ જવાબ નહીં? માંસ અને લોહીનું બનેલું છે? અથવા સ્મશાનમાંથી આવે છે? મૃત્યુ થયા છતાં યમપુરીમાંથી આવી મારા પ્રત્યે દ્વેષ બતાવે છે? શું તું બહુ કોપાયેલું ભૂત છે? થયેલું નુકસાન વીસરાતું નથી? કે કલાકે કલાકે મને ત્રાસ આપે છે અને મારો પીછો નથી છોડતું? આ વેર માણસનું નથી લાગતું. ગમે તેમ થાઓ પણ તારાં ખરાં પારખાં કરીશ.&lt;br /&gt;
[જાણે પકડવા જતો હોય તેમ ભૂત તરફ ધસે છે, પણ તે પાછું અલોપ થઈ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દૃશ્ય ૩જું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[એનો એ જ વેરાન ઓરડો. માઝમ રાત. સંદેહની સ્થિતિમાં ફતેહસિંહ ઊભો છે. પાસેના ઓરડામાંથી સફેદ વાળવાળો વૈદ્ય મંદ અને નીરવ ગતિથી બહાર આવે છે.]&lt;br /&gt;
ફતેહસિંહ (હાથ પ્રસારીને) : ગયો? હજુ આશા છે? બોલો.&lt;br /&gt;
(વૈદ્ય ઉત્તર આપતો નથી પણ ચૂપકીથી માથું નમાવે છે.) મરી ગયો?&lt;br /&gt;
(વૈદ્ય તેની પાસે જાય છે અને બોલ્યા વગર તેને આશ્વાસન આપવાનો યત્ન કરે છે; એક ગાદી પાસે તેને લઈ જાય છે, ફતેહસિંહ તેના પર ઢગલો થઈ પડે છે. આશ્વાસનની મહેનત નકામી લાગતાં વૈદ્ય જવાનું કરે છે એવામાં ફતેહસિંહ ઇશારતથી તેને થોભાવે છે.)&lt;br /&gt;
ફતેહસિંહ : વૈદ્યરાજ આ એકઠાં થયેલાં દુઃખો — તેમાંયે આ છેલ્લા અને સૌથી ભયંકર દુઃખે મારી બુદ્ધિ ભમાવી દીધી છે. મને લાગ્યું છે કે દરેક નવી પીડા પછી, આ જ ઓરડામાં, પેલી બારી પાસે ઢંકાયેલું ભૂત દેખાય છે. આ જુલ્મી કોપનાં કારણે ઈશ્વરને પૂછું છું ત્યારે તે ભૂતે દરેક વખતે જવાબ દીધો છે ‘હું’. એથી વધારે સ્પષ્ટ શબ્દ એની પાસેથી હું કઢાવી શક્યો નથી. જ્યારે જ્યારે એની નજીક ગયો છું ત્યારે ત્યારે તરત જ તે અલોપ થઈ ગયું છે. તમારી નાડી ઠેકાણે છે, માટે કહો જોઈએ કે મૂંઝાયેલા, ત્રાસેલા મગજમાં જન્મેલું, સ્વયં ઉત્પન્ન થયેલું ભૂત એ છે? અથવા જીવતુંજાગતું વેર લેવાને આવે છે? હમણાં મારી સાથે રહી જુઓ અને મારા મગજને સ્વસ્થ કરો.&lt;br /&gt;
વૈદ્ય : આવાં ગાઢ દુઃખોથી ચીરાયેલું મન આવેશમાં ભૂત ઊભાં કરે એમાં શી નવાઈ? ઊંઘ લાવે એવી દવા, સવાર પડતાં પહેલાં આપને માટે મોકલી આપું છું.&lt;br /&gt;
[પ્રણામ કરી નિઃશબ્દતાથી તે ચાલ્યો જાય છે.]&lt;br /&gt;
ફતેહસિંહ : હે ધર્મરાજા! સર્વેને સજા કરો છો પણ ન્યાયવૃત્તિથી. મરણ પછી જેવો ન્યાય અમારો કરો છો તેવો ન્યાય આજે માગું છું, શા માટે આવો દુઃખી થાઉં છું અને ત્રાસ પામું છું. પહેલું મારું ઘર મેદાનખેદાન થયું, પછી સબબ વગર મારી વહુ ચાલી ગઈ અને હવે મારો એકનો એક દીકરો મરી ગયો. એવો કયો શાપ છે? તેનું મૂળ કોણ છે?&lt;br /&gt;
ભૂત (ફરીથી દર્શન દે છે) : હું.&lt;br /&gt;
ફતેહસિંહ : પાછું તું આવ્યું, ત્રીજીવાર! તું ભૂત નથી લાગતું; હું તને સ્પષ્ટ જોઈ શકું છું. તું મારો દુશ્મન છે, તેં જાતે જ કબૂલ્યું છે, ત્રણ વખત તેં તારી જાતને મારા દુઃખનું કારણ કહ્યું છે, પૃથ્વી અને સમુદ્ર ઉપર તારો કેડો લઈશ, તારી પાછળ પડીશ, તને છુપાવી રાખે એવું કોઈ જંગલ ગાઢ નથી, તને આશરો આપે એવી કોઈ ભીંત મજબૂત નથી, કોઈ તાળું જબરું નથી. જેમ તે, તેમ હું તારો પીછો ઠેઠ લગી મૂકવાનો નથી. હું એકલો છું, વહાલાંઓથી વિયુક્ત અને ધનવૈભવથી મુક્ત; હવે આમાં જ રચ્યોપચ્યો રહીશ, આ વેરાન ઓરડામાં, હજુ ગરમ રહેલા મારા દીકરાના ત્યાં પડેલા શબના સમ ખાઉં છું કે તારી સાથે મારો હિસાબ પતવું નહીં ત્યાં લગી દુનિયામાં ઊંઘ વગર તારી પછવાડે પડીશ.&lt;br /&gt;
[મારવા જતો હોય તેમ ભૂત પર ધસે છે પણ તે અલોપ થઈ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દૃશ્ય ૪થું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[સાંકડો ખાંચો. સમીસાંજ. ખાંચાના ખૂણા તરફ ભૂત ફલાંગ મારતું જાય છે. ફતેહસિંહ તેની પછવાડે દોડે છે. તેનો શ્વાસ માતો નથી. તે ચીંથરેહાલ અને ફિક્કો પૂણી જેવો છે.]&lt;br /&gt;
ફતેહસિંહ : આખરે સપાટામાં આવ્યું. હવે નાઠાબારી નથી. હવે અહીં પાછા ફર્યા વિના છૂટકો નથી, આખરે તારું સ્વરૂપ બતાવ. તારો બુરખો દૂર કર નહીં તો હું ચીરી નાખીશ&lt;br /&gt;
(તરવાર ખેંચે છે.)&lt;br /&gt;
ચાલ, જો તું લોહીમાંસનું જીવતું માણસ હોય તો હવે ખુલાસાની ના પાડવાની તારી મગદૂર નથી. ચાલ સજ્જ થા! પીઠમાં ઘા નહીં મારું.&lt;br /&gt;
ભૂત : ધીમેથી પાછું ફરે છે અને મોં પરનો બુરખો ફેરવી દે છે અને ફતેહસિંહને આકૃતિ બરાબર બતાવે છે. :&lt;br /&gt;
ફતેહસિંહ, નિરાંત વળી?&lt;br /&gt;
ફતેહસિંહ : (ચીસ પાડીને) હું પોતે!&lt;br /&gt;
(ભૂતના પગ આગળ પડી મરી જાય છે. તે શબ ઉપર ઊભું રહે છે અને તે પછી અલોપ થઈ જાય છે.)&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = તેજસિંહ&lt;br /&gt;
|next = ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%81&amp;diff=111433</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/રિપુ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%81&amp;diff=111433"/>
		<updated>2026-05-29T15:35:51Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|રિપુ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|પાત્રો}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;ફતેહસિંહ......... 						&lt;br /&gt;
મણિ........&lt;br /&gt;
વૈદ્ય........... 							&lt;br /&gt;
ખવાસ........&lt;br /&gt;
ભૂત.......&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દૃશ્ય ૧ લું.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;[રાજમહેલનો ખંડ. એમાંનું રાચરચીલું લઈ જવામાં આવેલું છે. કબાટો, પટારા, પલંગો નીચેના લાકડાના ટેકાઓ માત્ર પડી રહ્યા છે. ભીંત ઉપર ટાંગેલી વસ્તુઓના આંકા અને એમનાથી ઝાંખા થયા વિના રહેલાં રંગનાં ધાબાં. માત્ર ભીંતો ઉપર ચીતરેલા ફતેહસિંહના વડવાઓનાં ચિત્રો રહ્યાં છે. ફતેહસિંહ અને તેની વહુ બેઠાં છે, દીવો ઝાંખો બળે છે. સમય માઝમ રાત.]&lt;br /&gt;
ફતેહસિંહ : મણિ! રયાસત વગરનો ઓરડો, વંટોળિયાથી નાશ પામેલાં પાંદડાં વિનાના વનની પેઠે મારા હૈયામાં સાલે છે. ચિત્રો, હથિયારો – વર્ષોથી દુશ્મનના લોહીમાં તરબોળ થયેલાં હથિયારો, તીર્થયાત્રાની પવિત્ર વસ્તુઓ, વંશપરંપરા ઊતરી આવેલી વડીલોની યાદગીરીઓ, – સર્વે વેચાઈ ગઈ, ઉપાડી જવાઈ! આપણા વંશની આબરૂ ચાલી ગઈ; પણ મારું હૃદય સૌથી વધારે તારે માટે ચરચરે છે. વૈભવ અને આરામમાં વસતી હતી ત્યાં તારા જોબનમાં હું તને પરણ્યો, અને હવે જોબન પૂર બહારમાં ખીલવાની અણી ઉપર છે ત્યારે તને આવા લૂંટાયેલા વેરાન ઘરમાં મેં ગોંધી છે.&lt;br /&gt;
[આવેશથી ઊઠી તે આમતેમ ફરે છે ત્યારે દીવા પાસે જઈ મણિ સંકોરે છે.]&lt;br /&gt;
એમાં મારો દોષ છે? આ ખાનાખરાબી મેં કરી છે? કરકસરથી હંમેશ રહેતો, અફીણ લેતો નહીં, જુગાર રમતો નહીં, છતાં દરરોજ, દર પળે કંઈ ને કંઈ નવી આફત મને જમીન સરસો વાંકો વાળી દે છે. કોઈ શત્રુ નિર્દયતાથી મારી પાછળ પડ્યો છે.&lt;br /&gt;
મણિ : શત્રુ! ભૂતકાળમાં જાઓ, કોઈને હેરાન કર્યાનું યાદ છે? આટલે બધે દિવસે વેર લેવા આવ્યો છે એવો કોઈને હેરાન કર્યો હતો? સસરાજીના કોઈ દુશ્મન હતા? વેર વાળ્યા વગર રહેલા દુશ્મન હતા?&lt;br /&gt;
ફતેહસિંહ : કોઈને કદી પણ દુઃખ દીધું હોય એવું સ્મરણમાં નથી.&lt;br /&gt;
મણિ : અજાણતાં, વખતે?&lt;br /&gt;
ફતેહસિંહ : વારસામાં ઊતરી આવેલા કોપની બાપુએ પણ મને ચેતવણી નથી આપી. આટલું હું પામ્યો છું – અમારા વંશમાં ઊતરી આવેલી જાગીરનાં ખેતરેખેતર એક જણના હાથમાં ચાલ્યાં ગયાં છે અને તેનું નામ છુપાવેલું છે. શરીર ઢાંકી તે મારી છાતીમાં ભોંકે છે. આ દુશ્મનને હું મિથ્યા ખોળું છું.&lt;br /&gt;
[પ્હો ફાટવાના પહેલાં ઝળઝળીયાં દેખાય છે એટલે એની વહુ ધ્રૂજતી ઊભી થાય છે.]&lt;br /&gt;
મણિ : ઝળઝળીયાં થાય છે, ગગા પાસે જવું જોઈએ.&lt;br /&gt;
[અંદરના ઓરડામાં જાય છે.]&lt;br /&gt;
ફતેહસિંહ (પૂર્વજોનાં હથિયારબંધ ચિત્રો તરફ વળીને) : મારા વંશના શસ્ત્રધારી પૂર્વજો, ઝાંખા ગરાસિયાઓ, વીતેલા યુગના જોદ્ધાઓ! દૂર દૂર ઝાંખા ભૂતકાળમાં કંઈ વેર બંધાયું હતું? આજે જેના ત્રાસદાયક ઝપાટામાં હું આવ્યો છું એવા જૂના વેર વિશે જાણો છો? અહ, તું, બૂઢા પથૂ! તારું પાપી નામ સૌને સાંભરે છે, તારી લૂંટફાટો, તારા બળાત્કારો, તારાં ખૂનોની, તારી ભયંકર વાતો અને દંતકથાઓ કહેવાય છે. કોઈ એવા દુષ્ટ પ્રસંગે તેં તો શાપ ઉત્પન્ન નથી કરાવ્યો? એ શાપનો મારા જેવો નિર્દોષ તો ભોગ નથી થતો? બોલો, પ્રભાતના તેજમાં ઝળઝળ થતાં ચિત્રોમાંથી એકાદ તો બોલો.&lt;br /&gt;
[હથિયારસજ્જ આકૃતિઓ ઉપર તેજ પ્રસરે છે.]&lt;br /&gt;
બધા ચૂપ! ફરીથી હું પૂછું છું, મરેલાંઓ પાસે ઉત્તર માગું છું, બોલો. એવો કોણ છે, દુનિયા આગળ કોણે મને લૂંટી લીધો છે, મારું બધું છીનવી લીધું છે, મને પૂરો દિગંબર કરી દીધો છે?&lt;br /&gt;
ભૂત (બારીની જાળી આગળ આખું શરીર ઢાંકેલું) : હું. હું.&lt;br /&gt;
ફતેહસિંહ (મંદ ત્રાસથી) : તું? તું કોણ છે? શું તું જીવતી વસ્તુ છે? કે ત્રાસેલા મગજમાંથી જન્મેલો ઓળો છે? તારું મોં ઢાંકેલું છે. કોણ છે? બોલ!&lt;br /&gt;
[જેવો ફતેહસિંહ ધીમેથી તેની પાસે જાય છે એટલે તે અદૃશ્ય થઈ જાય છે.]&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દૃશ્ય ૨જું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[એ જ ઓરડો. મધ્યરાત્રિ. ઘડિયાળમાં બાર વાગે છે. જે સ્થળે ભૂત અલોપ થયું હતું ત્યાં જ ફતેહસિંહ ઊભો છે.]&lt;br /&gt;
ફતેહસિંહ : ભૂત, પગથી માથા લગી સંપૂર્ણ ઢંકાયેલું ભૂત, પ્રભાતના ઝળઝળીયામાં દેખાયેલું ભૂત, પોતાને મોંએ આ શાપનો દોષ વહોરનાર ભૂત — તેની પાસેથી જવાબ હું કઢાવી શક્યો નહીં. રફતેથી તેની પાસે જેવો હું ગયો તેવું જ તે અદૃશ્ય થયું; જેવું તીર આવ્યું તેવું જ ગયું.&lt;br /&gt;
(તે અંદરના ઓરડામાં જુએ છે.)&lt;br /&gt;
ગગો ઊંઘે છે; પણ એની બા! બાર વાગ્યા! આટલું મોડું બહાર રહેવાની એને ટેવ નથી.&lt;br /&gt;
[ફાટ્યાંતૂટ્યાં ગંદા કપડાં પહેરેલો બુઢ્ઢો ખવાસ, હાથમાં કાગળ લઈ આવે છે.]&lt;br /&gt;
ખવાસ : બાપુ, મારાં બાએ આ કાગળ મને આપ્યો હતો. બાર વાગ્યા પહેલાં આપને ન આપવાનો હુકમ કર્યો હતો.&lt;br /&gt;
[ફતેહસિંહ કાગળ ઝૂંટવી લે છે, ફોડી વાંચે છે.]&lt;br /&gt;
ફતેહસિંહ (વાંચે છે) : તમને અને ઘરને મેં તજ્યાં છે. હવે હું પાછી નહીં આવું પણ હું કલંકિત નથી એની ખાતરી રાખજો. બીજા સાથે હું નાસી ગઈ નથી. મારો દોષ ક્ષમા કરવાનું ગંગાને પણ શીખવજો....મણિ.&lt;br /&gt;
[ખવાસને જતા રહેવાની સૂચના ફતેહસિંહ કરે છે.]&lt;br /&gt;
ફતેહસિંહ : મારા ઘરની ખેદાનમેદાની શું ઓછી હતી કે તે મને રઝળતો નાખી ચાલી ગઈ? અને તેનું કાંઈ કારણ પણ નહીં? હૃદય કોરી ખાતી પીડાથી, રોજ ને રોજ વધતી જતી ચિંતાથી વૈભવમાં ઊછરેલીને સાલતી કંગાલિયતથી આ છેલ્લો ઘા મારવા તે નિ:સંશય પ્રેરાઈ હશે.&lt;br /&gt;
[એકદમ ચમકે છે. ધીમેથી કમાડ ઉઘાડે છે અને ઓરડાની અંદર જુએ છે.]&lt;br /&gt;
પણ અમારું બચ્ચું કેવું નિરાંતે ઊંઘે છે. ગાલ ઉપરની સુરખી ન હોત તો આ ઊંઘ મૃત્યુની ઊંઘ જેવી જ લાગત. એનો પણ એણે ત્યાગ કર્યો. રાની પશુ મોતની ગંધ આવે ત્યારે પણ પોતાનાં બચ્ચાંને ત્યજતું નથી. બીજા જોડે નાસી નથી ગઈ ત્યારે કયા ત્રાસથી, કઈ આપદાથી તે ભાગી ગઈ? એને ધક્કો મારી કાઢી મૂકનાર કોણ?&lt;br /&gt;
ભૂત (પૂર્વની માફક ફરીથી દેખાયું) : હું.&lt;br /&gt;
ફતેહસિંહ : વળી પાછું તું, એવું ને એવું ઢંકાયેલું અને વીંટળાયેલું! ફરીથી તારા જ હોઠે બોલે છે કે આ બધું દુઃખ તેં જ કર્યું છે. તારું નામ! તારી મગદૂર નથી કે હવે તારું નામ નહીં કહે!											   (અટકે છે.)&lt;br /&gt;
હજુ પણ જવાબ નહીં? માંસ અને લોહીનું બનેલું છે? અથવા સ્મશાનમાંથી આવે છે? મૃત્યુ થયા છતાં યમપુરીમાંથી આવી મારા પ્રત્યે દ્વેષ બતાવે છે? શું તું બહુ કોપાયેલું ભૂત છે? થયેલું નુકસાન વીસરાતું નથી? કે કલાકે કલાકે મને ત્રાસ આપે છે અને મારો પીછો નથી છોડતું? આ વેર માણસનું નથી લાગતું. ગમે તેમ થાઓ પણ તારાં ખરાં પારખાં કરીશ.&lt;br /&gt;
[જાણે પકડવા જતો હોય તેમ ભૂત તરફ ધસે છે, પણ તે પાછું અલોપ થઈ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દૃશ્ય ૩જું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[એનો એ જ વેરાન ઓરડો. માઝમ રાત. સંદેહની સ્થિતિમાં ફતેહસિંહ ઊભો છે. પાસેના ઓરડામાંથી સફેદ વાળવાળો વૈદ્ય મંદ અને નીરવ ગતિથી બહાર આવે છે.]&lt;br /&gt;
ફતેહસિંહ (હાથ પ્રસારીને) : ગયો? હજુ આશા છે? બોલો.&lt;br /&gt;
(વૈદ્ય ઉત્તર આપતો નથી પણ ચૂપકીથી માથું નમાવે છે.) મરી ગયો?&lt;br /&gt;
(વૈદ્ય તેની પાસે જાય છે અને બોલ્યા વગર તેને આશ્વાસન આપવાનો યત્ન કરે છે; એક ગાદી પાસે તેને લઈ જાય છે, ફતેહસિંહ તેના પર ઢગલો થઈ પડે છે. આશ્વાસનની મહેનત નકામી લાગતાં વૈદ્ય જવાનું કરે છે એવામાં ફતેહસિંહ ઇશારતથી તેને થોભાવે છે.)&lt;br /&gt;
ફતેહસિંહ : વૈદ્યરાજ આ એકઠાં થયેલાં દુઃખો — તેમાંયે આ છેલ્લા અને સૌથી ભયંકર દુઃખે મારી બુદ્ધિ ભમાવી દીધી છે. મને લાગ્યું છે કે દરેક નવી પીડા પછી, આ જ ઓરડામાં, પેલી બારી પાસે ઢંકાયેલું ભૂત દેખાય છે. આ જુલ્મી કોપનાં કારણે ઈશ્વરને પૂછું છું ત્યારે તે ભૂતે દરેક વખતે જવાબ દીધો છે ‘હું’. એથી વધારે સ્પષ્ટ શબ્દ એની પાસેથી હું કઢાવી શક્યો નથી. જ્યારે જ્યારે એની નજીક ગયો છું ત્યારે ત્યારે તરત જ તે અલોપ થઈ ગયું છે. તમારી નાડી ઠેકાણે છે, માટે કહો જોઈએ કે મૂંઝાયેલા, ત્રાસેલા મગજમાં જન્મેલું, સ્વયં ઉત્પન્ન થયેલું ભૂત એ છે? અથવા જીવતુંજાગતું વેર લેવાને આવે છે? હમણાં મારી સાથે રહી જુઓ અને મારા મગજને સ્વસ્થ કરો.&lt;br /&gt;
વૈદ્ય : આવાં ગાઢ દુઃખોથી ચીરાયેલું મન આવેશમાં ભૂત ઊભાં કરે એમાં શી નવાઈ? ઊંઘ લાવે એવી દવા, સવાર પડતાં પહેલાં આપને માટે મોકલી આપું છું.&lt;br /&gt;
[પ્રણામ કરી નિઃશબ્દતાથી તે ચાલ્યો જાય છે.]&lt;br /&gt;
ફતેહસિંહ : હે ધર્મરાજા! સર્વેને સજા કરો છો પણ ન્યાયવૃત્તિથી. મરણ પછી જેવો ન્યાય અમારો કરો છો તેવો ન્યાય આજે માગું છું, શા માટે આવો દુઃખી થાઉં છું અને ત્રાસ પામું છું. પહેલું મારું ઘર મેદાનખેદાન થયું, પછી સબબ વગર મારી વહુ ચાલી ગઈ અને હવે મારો એકનો એક દીકરો મરી ગયો. એવો કયો શાપ છે? તેનું મૂળ કોણ છે?&lt;br /&gt;
ભૂત (ફરીથી દર્શન દે છે) : હું.&lt;br /&gt;
ફતેહસિંહ : પાછું તું આવ્યું, ત્રીજીવાર! તું ભૂત નથી લાગતું; હું તને સ્પષ્ટ જોઈ શકું છું. તું મારો દુશ્મન છે, તેં જાતે જ કબૂલ્યું છે, ત્રણ વખત તેં તારી જાતને મારા દુઃખનું કારણ કહ્યું છે, પૃથ્વી અને સમુદ્ર ઉપર તારો કેડો લઈશ, તારી પાછળ પડીશ, તને છુપાવી રાખે એવું કોઈ જંગલ ગાઢ નથી, તને આશરો આપે એવી કોઈ ભીંત મજબૂત નથી, કોઈ તાળું જબરું નથી. જેમ તે, તેમ હું તારો પીછો ઠેઠ લગી મૂકવાનો નથી. હું એકલો છું, વહાલાંઓથી વિયુક્ત અને ધનવૈભવથી મુક્ત; હવે આમાં જ રચ્યોપચ્યો રહીશ, આ વેરાન ઓરડામાં, હજુ ગરમ રહેલા મારા દીકરાના ત્યાં પડેલા શબના સમ ખાઉં છું કે તારી સાથે મારો હિસાબ પતવું નહીં ત્યાં લગી દુનિયામાં ઊંઘ વગર તારી પછવાડે પડીશ.&lt;br /&gt;
[મારવા જતો હોય તેમ ભૂત પર ધસે છે પણ તે અલોપ થઈ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;દૃશ્ય ૪થું&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[સાંકડો ખાંચો. સમીસાંજ. ખાંચાના ખૂણા તરફ ભૂત ફલાંગ મારતું જાય છે. ફતેહસિંહ તેની પછવાડે દોડે છે. તેનો શ્વાસ માતો નથી. તે ચીંથરેહાલ અને ફિક્કો પૂણી જેવો છે.]&lt;br /&gt;
ફતેહસિંહ : આખરે સપાટામાં આવ્યું. હવે નાઠાબારી નથી. હવે અહીં પાછા ફર્યા વિના છૂટકો નથી, આખરે તારું સ્વરૂપ બતાવ. તારો બુરખો દૂર કર નહીં તો હું ચીરી નાખીશ&lt;br /&gt;
(તરવાર ખેંચે છે.)&lt;br /&gt;
ચાલ, જો તું લોહીમાંસનું જીવતું માણસ હોય તો હવે ખુલાસાની ના પાડવાની તારી મગદૂર નથી. ચાલ સજ્જ થા! પીઠમાં ઘા નહીં મારું.&lt;br /&gt;
ભૂત : ધીમેથી પાછું ફરે છે અને મોં પરનો બુરખો ફેરવી દે છે અને ફતેહસિંહને આકૃતિ બરાબર બતાવે છે. :&lt;br /&gt;
ફતેહસિંહ, નિરાંત વળી?&lt;br /&gt;
ફતેહસિંહ : (ચીસ પાડીને) હું પોતે!&lt;br /&gt;
(ભૂતના પગ આગળ પડી મરી જાય છે. તે શબ ઉપર ઊભું રહે છે અને તે પછી અલોપ થઈ જાય છે.)&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = તેજસિંહ&lt;br /&gt;
|next = ગુજરાત સાહિત્ય સભાનો અહેવાલ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9&amp;diff=111418</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/તેજસિંહ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9&amp;diff=111418"/>
		<updated>2026-05-28T05:20:15Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|તેજસિંહ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પાત્રો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|&lt;br /&gt;
|તેજસિંહ &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાજા		&lt;br /&gt;
|-&lt;br /&gt;
|અબલા&lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાણી		&lt;br /&gt;
|-&lt;br /&gt;
|સાધના &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાણીની મા&lt;br /&gt;
|-&lt;br /&gt;
|વાચસ્પતિ &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાજગુરુ&lt;br /&gt;
|-&lt;br /&gt;
|દેવસેન,&lt;br /&gt;
| rowspan=3|{{brace2|3|r}}&lt;br /&gt;
|rowspan=3|...સરદારો&lt;br /&gt;
|-&lt;br /&gt;
| સ્કંદ,	&lt;br /&gt;
|-&lt;br /&gt;
|આદિત્ય,&lt;br /&gt;
|-{{ts|vmi}}&lt;br /&gt;
|અણહિલ,&lt;br /&gt;
| rowspan=2|{{brace2|2|r}}&lt;br /&gt;
|  rowspan=2|...સૈનિક&lt;br /&gt;
|-&lt;br /&gt;
|હરિહર	&lt;br /&gt;
|-&lt;br /&gt;
|બે પહેરેગીર&lt;br /&gt;
|}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[દૃશ્ય રાજાના તંબુનું છે. પાછળના બારણાની કનાત ઉપર નાંખેલી હોવાથી સિપાહીઓની છાવણી સોંસરી વિશ્વકર્માની ધાર તરફ અને આથમતા સૂર્યના પ્રકાશમાં ચળકતા દૂર સમુદ્ર પર આંખ પથરાય છે. ડાબી બાજુએ જેવું તેવું ઘડેલું રાજસિંહાસન છે. વચમાં બેસવાની પાટ છે. ચામડાં સીવીને બનાવેલો ખાટલો જમણી બાજુએ છે. ઉપર જુદી જુદી જાતનાં હથિયારો લટકાવેલાં છે. જમણી અને ડાબી બાજુએ મશાલો.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧ લો.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૧ લો પહેરેગીર : અલ્યા! ઊંઘી ગયો કે?&lt;br /&gt;
૨ જો : કેમ જાણ્યું કે ઊંઘી ગયો?&lt;br /&gt;
૧ લો : પિનાકની પેઠે કમાન થયેલા ભાલા પર અઢેલી વળેલો ઊભો છે. તેથી જાણ્યું.&lt;br /&gt;
૨ જો : આમ વળેલો ઊભો છું એટલે ભૂખનું દુઃખ ઓછું લાગે છે.&lt;br /&gt;
૧ લો : એ ખોટી વાત છે. એથી તારા કમ્મરબંધ જેટલી જ ગરજ સરે છે. ટટ્ટાર થતાં ઊલટી વધારે કકડીને ભૂખ લાગે છે.&lt;br /&gt;
૨ જો : આમ ક્યાં લગી ચાલવાનું છે?&lt;br /&gt;
૧ લો : વહાણો આવે ત્યાં લગી — તદ્દન સમજાય એવું છે.&lt;br /&gt;
૨ જો : ખરું, પણ વહાણો ક્યારે આવશે?&lt;br /&gt;
૧ લો : એની ખબર મને શી રીતે પડે? ઊંચે ધાર તરફ નજર કર. ત્યાં ઊંચે જો ઇન્દ્રમંડપ પર ચોકીદાર ઊભો છે અને દસ ગામે લાંબે નજર ફેરવે છે. એને ખબર હોય તો હોય! મઠીઆ ડુંગરાની પછાડી વહાણ આવતાં હશે.&lt;br /&gt;
૨ જો : પણ દુશ્મનો આવવા દેશે ત્યારે ને.&lt;br /&gt;
૧ લો : દુશ્મનો પાસે વહાણો નથી.&lt;br /&gt;
૨ જો : વાડની માફક આપણા આખા દેશને ફરી વળે એટલાં વહાણ એની પાસે છે. બે મહિના થયાં એ ગુલામ જેવો આપણને ઘેરી વળ્યો છે તેમ ફરી વળે એટલાં છે.&lt;br /&gt;
૧ લો : બે મહિના!&lt;br /&gt;
૨ જો : તને ખબર છે આજે બપોરે મને શું ખાવા મળ્યું હતું? આઠ દિવસ પર જે રોટલો કરડતાં દાંત કકડ્યા હતા તે જ રોટલાનું તળીઉં. સાચે, નખે નખે મેં તે પર ત્રણ સાથિયા કાઢ્યા. અમે પણ ફરી ઠીક મળ્યા! પણ આજે, તે જ રોટલો ઊલટથી ભચડાવી ગયો...રાજાના લગ્નના દિવસનું જુગતું જમણ!&lt;br /&gt;
૧ લો : શું તું એમ માને છે કે હઝુરસાહેબને વધારે હતું?&lt;br /&gt;
૨ જો : એમની કને વધારે હોત તો શું આપણે બધા આમ મરણીયા થાત, આપણો કચ્ચરઘાણ વળવા દેત, રણમાં આગળ ઝુકાવત, શરમ રાખત કે? કશાની ચોકી નથી કરવાની એવું જાણતા ન હોત તો અહીં સાંકળે બાંધેલા કૂતરાની માફક પડી રહી પહેરો ભરત કે?&lt;br /&gt;
૧ લો : સોનું જોઈએ એટલું છે.&lt;br /&gt;
૨ જો : સોનું! હં, સોનું! સોનું મારી પાસે પણ પુષ્કળ છે. કેશવપુરમાં મારા ભોંયરામાં ધન દાટ્યું છે. હં!......તે એ! શિવપુર પાછળ રહેલી બાયડીઓ કને ખાવાનું રહ્યું હશે......ઢોર જીવતાં હશે તો દૂધ પણ.&lt;br /&gt;
૧ લો : હા, બૈરાંઓને ત્યાં લહેર છે –તારી વહુ નથી. ખરું ને?&lt;br /&gt;
૨ જો : એક દુશ્મને મારી વહુની લાજ લૂંટીને મેં બન્નેના જાન લીધા!(અટકે છે) ઠીક! બાયડીઓને ખાવાનું જોઈએ; દૂધ પણ. પણ કેટલો વખત–(ધીમેથી પાસે આવતાં હથિયારોનો ખડખડ અવાજ) જો લગ્ન ખરેખર પૂરું થયું છે.&lt;br /&gt;
૧ લો : ચૂપ જો, બૂઢો અણહિલ આવે છે– હજૂરની ઢાલ સાથે (બીજો પહેરો ભરવા માંડે છે.)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૨જો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[અણહિલ પ્રવેશે છે. ઢાલને એની જગ્યાએ ભેરવે છે, અને વીખરાયેલાં હથિયારો બાજુ પર ગોઠવે છે.]&lt;br /&gt;
અણહિલ : કેમ, કાંઈ ખબર આવ્યા?&lt;br /&gt;
૧ લો : ના!&lt;br /&gt;
અણહિલ : તમને ભૂખ લાગી છે?&lt;br /&gt;
૨ જો : હા.&lt;br /&gt;
અણહિલ : ભૂખ બૈરાંને લાગે. ચિત્ત ઠેકાણે રાખો! આપણી જુવાન રાણી આગળ આવાં કરમાયેલાં મોં બતાવશો મા. લગ્નદિવસે એવું શોભતું નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૩જો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[ઘોંઘાટ કરતા લોકોથી વીંટળાયેલા તેજસિંહ અને અબળાના હાથ પકડી રાજગુરુ તંબુના આંગણામાં આવે છે. તેમની આગળ ધૂપદાની વીંઝતા બે બટુકો, પાછળ સાધના, દેવસેન, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો અને સેનાનીઓ. તંબુના દરવાજાઓની કનાતો નીચી ઢાળેલી છે. પહેરેગીરો ચાલ્યા જાય છે.&lt;br /&gt;
રાજગુરુ રાજારાણીના હાથ મૂકી દે છે, સાધના તરફ ફરે છે.&lt;br /&gt;
તેજસિંહ ગમગીન અને વિચારગ્રસ્ત ઊભો રહે છે. અબલા આસપાસ લજ્જાલુ પૃચ્છક દૃષ્ટિ નાંખે છે. દુઃખદ શાંતિ.]&lt;br /&gt;
અણહિલ(આસ્તેથી) : રાજેન્દ્ર, નવયૌવના રાણીનો સત્કાર વાણીથી કરવો જોઈએ.&lt;br /&gt;
તેજસિંહ(આસ્તેથી) : કરવો જોઈશે? (ધૂપદાનીવાળા છોકરાની ગરદન પકડી) છોકરા, એટલું બધું આકરું નહીં; ધુમાડો અમારાં નસકોરામાં ઠેઠ ગરી જાય છે. ધૂપદાની ધરવાની ન હોય ત્યારે તું શું કરે છે?&lt;br /&gt;
બટુક : મારી તરવાર ધરું છું, નામદાર!&lt;br /&gt;
તેજસિંહ : બરાબર છે. જલદી તરવાર પકડ નહિતર પાછળ પડી જઈશ. (ધીમેથી) અણહિલ, વહાણ દેખાતાં નથી ને?&lt;br /&gt;
અણહિલ : ના, હજૂર પણ આપની નવોઢા રાણી સાથે બોલો તો ખરા.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક.......ત્યારે હવે હું વહુવાળો થયો. એમ ગુરુદેવ?&lt;br /&gt;
રાજગુરુ : અહીં આપની રાણી ઊભાં છે, રાજેન્દ્ર આપનો શબ્દ સાંભળવા તલસે છે.&lt;br /&gt;
તેજસિંહ : રાણીજી, જોઈતો શબ્દ જડતો નથી માટે ક્ષમા કરો. રણક્ષેત્રોના ખોળામાં ઊછર્યો છું, માણસના નિવાસનાં બીજાં સ્થળોનો પરિચય નથી. મારી સાથે આવી જિંદગી ગાળવાનું તને ભારે પડશે.&lt;br /&gt;
અબળા : રાજેશ્વર...મારી બાએ...મને શીખવ્યું છે...(અટકી પડે છે.)&lt;br /&gt;
તેજસિંહ : (હેતનો દેખાવ કરી) તારી બાએ શું શીખવ્યું છે?&lt;br /&gt;
અબળા : પત્ની સ્વામીને આધીન છે–સંકટના સમયમાં તો ખાસ કરીને; મારી બાએ આટલું શીખવ્યું છે, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : તમારે સ્ત્રીઓ માટે એ તદ્દન વાસ્તવિક અને ધર્મ્ય હશે...પણ સંકટના સમયે પતિ પણ પત્નીને આધીન હોય તો? સાસુજી! પણે શકટપુરમાં પત્નીઓ પાસે હરણીયાં દોડાદોડ કરે છે. દિવસોના દિવસો થયાં મારા સિપાહીઓને ખાવાનું મળ્યું નથી. એ હરણીયાં એમને ખાવા આપો એવી મારી સલાહ છે.&lt;br /&gt;
[સાધના સાથું નમાવે છે]&lt;br /&gt;
રાજગુરુ : મારા રાજેન્દ્ર!&lt;br /&gt;
તેજસિંહ : હે! ગુરુદેવ, હમણાં જ રણભૂમિ પરના લગ્નમંડપમાં આપ સુભાષિત વાણી બોલ્યા છો. આટલી વારમાં ફરી ઉપદેશ આપવા વૃત્તિ થઈ છે?&lt;br /&gt;
રાજગુરૂ : કહેવા વૃત્તિ થઈ છે, દુઃખ આપનો આત્મા કોરી ખાય છે એટલે.&lt;br /&gt;
તેજસિંહ : ખરે જ? આપ શું એમ ધારો છો? ચાલો ત્યારે સાંભળીશ.&lt;br /&gt;
રાજગુરુ : સાંભળ, ઈશ્વરી કોપની મૂર્તિ સરીખો તું અમારામાં ઉદય પામ્યો છે. જુવાન......પ્રજાએ તારાં વર્ષો નથી ગણ્યાં પણ તારાં પરાક્રમો, રાજીખુશીથી વૃદ્ધોએ તારી જુવાનીને નમન કર્યું છે. વિનમ્રતમ હોઈ તારે માટે સેવાનાં લાંબાં વર્ષો હોવાથી, તું જોતજોતામાં અમારો શાસ્તા થયો. ઈશાદિત્યના સુવર્ણતખ્ત પરથી – જે તખ્ત પર એક વેળા દયા ઇન્સાફ આપતી હતી, જ્યાંથી હસતે મુખડે તિષ્યરાજ ક્ષમા આપતા હતા, ત્યાંથી તારા ખૂની શબ્દો ગાજી ઊઠ્યા.....ને ઝેરી ઘા માફક આપત્તિ અમને હેરાન કરી રહી છે. વિશ્વકર્મા પહાડના ઊના વાયરામાં અહીંથી તહીં હેરાન થતાં બૈરાંછોકરાં સાથે અમે છાવણી નાંખી પડ્યાં છીએ; અને દુશ્મનો, તેમના ભાડુતી સિપાઈઓથી આપણને ઘેરી રહ્યા છે.&lt;br /&gt;
તેજસિંહ : બરાબર ઘેરી રહ્યાં છે. હા, હા! સોંસરા ઉંદર પણ આવી શકે નહીં.&lt;br /&gt;
રાજગુરુ : સમુદ્ર ભણી આપણી નજર આશાપ્રેરી દોડે છે; ત્યાંથી ભોજન આવશે.&lt;br /&gt;
તેજસિંહ : વહાણોના કાંઈ જ વાવડ નથી?&lt;br /&gt;
અણહિલ(હળવેથી) : બિલકુલ નથી.&lt;br /&gt;
રાજગુરુ : દુઃખથી નવા વિગ્રહ માટે અમે શસ્ત્રબદ્ધ થયા તે પહેલાં, સ્વતંત્ર મનુષ્યો તરીકે, અસલથી ચાલતા આવેલા રિવાજ મુજબ તારે માટે રાણી પસંદ કરવાનો અમે નિશ્ચય કીધો. પોતાના શરીર દ્વારા તું અનુભવી શકે કે ઈશ્વર શા માટે મૃત્યુ ચાહે છે, તેટલા સારુ અમે અસલી રિવાજ પાળ્યો છે.&lt;br /&gt;
તેજસિંહ : તમારો રાજા જિંદગીને ઘણી વધારે ચાહે છે એવું તમને લાગ્યું?&lt;br /&gt;
રાજગુરુ : મારા રાજેન્દ્ર!&lt;br /&gt;
તેજસિંહ : નહીં જ, એમ ધારવાની હિંમત તમારામાં નથી, કારણ કે આ જીવનની દરેક પળ તમને ખસીઆણા પાડશે... અસલના રિવાજ મુજબ જરૂર હોય છતાં, શા માટે આ બાળક વસ્તુ સાથે તમે મારાં લગ્ન કીધાં?—તે એટલી બાળક છે કે તમારી અને મારી આગળ બીકથી થરથરે છે. અને પોતાની માના છેડામાં સંતાય છે; અને ખાસ કરીને આવા યોગ્ય દિવસે, લગ્નના મંગલગીત ભૂખ ગાય છે ત્યારે...આમ ઊંચે જુઓ, રાણીજી,—અર્ધા કલાકથી મળેલા ઇલ્કાબથી તને બોલાવવી જોઈએ; મારા નાથ! હજુ તારું નામ પણ હું જાણતો નથી. વિનવું છું. મારા સામું જો! મને ઓળખે છે?&lt;br /&gt;
અબળા : આપ રાજેશ્વર છો, નામદાર!&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, પણ તારી નજરમાં હું મનુષ્ય હોવો જોઈએ, રાજા નહીં...તારી આગળ કેવી જાતનો મનુષ્ય ઊભો છે તેની તને ખબર છે?...જો! અત્યાર લગી આ હાથો લોહીમાં બોળવામાં આવ્યા છે. મરદાની જંગમાં રેડાયેલા માનવલોહીમાં નહીં – હું તેની વાત કરતો નથી. કારણ કે તેથી મનુષ્યની કીર્તિ વધે છે – પરંતુ અશસ્ત્રી રક્તહીન બાળકોનાં લોહીમાં, –(કંપે છે) – આવા હાથે તારા કંઠને આશ્લેષ કરવા આવું તો તું આનંદ પામીશ?......સાચે, મારું કહેવું તું સાંભળે છે? મારો સ્વર લલિત, મધુર નથી? જરાક કર્કશ છે. ખૂન કરવા જોસથી આરડેલા હુકમથી તે થાકેલો છે. આવી મોહક કર્કશતામાંથી કોમળ સ્વરો તું સાંભળશે ત્યારે તારો આનંદ અવનવો થશે. હું આ જન્મસિદ્ધ કાન્ત નથી એ આ શાણા પુરુષો જાણતા હતા. એટલે જ એઓએ મને મારો ધંધો શીખવ્યો......અથવા છાવણીમાં જિંદગી ગુજારવાથી થતા કંટાળાથી તમારા રાજાને છેતરવાનું તમારું કર્તવ્ય છે એમ માનો છો? સુવર્ણમય શતવપ્રમાં મહાન ન્યાયવર્ષે જેવી રીતે મોજ માણી અને રૈયતનો સંહાર કરવા પોતાના ખોજાઓને મોકલ્યા હતા તેમ? હા, હા, હા&lt;br /&gt;
રાજગુરુ : નામદાર, સંભાળજો નહીંતર પિત્તો ઉછળશે.&lt;br /&gt;
તેજસિંહ : ગુરુવર્ય, ધ્યાન ખેંચવા માટે ઋણી છું પણ એ નિરર્થક છે. આ તો મારા લગ્નની ગમ્મત છે......પણ હવે તમારી સાથે ખરા દિલથી બોલીશ......(આસન પર ઊંચે ચડે છે.) ઇશાદિત્યના સુવર્ણ આસન પર, જ્યાં દયા ઇન્સાફ આપતી હતી ત્યાં અફસોસ કે હું મારું સ્થાન મેળવી નહીં શકું. દુશ્મનોના પાટનગરમાં બળતણ માટે તેના કટકેકટકા થાય છે...તેમ તિષ્યરાજની પેઠે હસતે મુખડે હું માફ પણ કરી શકતો નથી, કારણ કે હવે કોઈને માફીની જરૂર નથી... દુશ્મનોની પ્રશસ્ત જાતિમાંથી ભૂખ્યા વાઘનું ટોળું જન્મ પામ્યું છે — એમને જેર કરવા પણ વાઘની જરૂર છે. આપે, ગુરુદેવ, મને ઈશ્વરી કોપની મૂર્તિ કહી, પણ હું તે નથી...હું તો ફક્ત તમારી નિરાશાની મૂર્તિ છું. સારા જીવનમાં જેણે કશાની અભિલાષા નથી રાખી, કશાની અપેક્ષા નથી રાખી. એવો હું તમારી સૌની આગળ ઊભો રહું છું અને એવો જ તમારી સમક્ષ કામે આવીશ. તે તમે જાણો છો, તેથી જ ગુપ્ત રીતે મને ઠપકો આપવામાં તમે સૌ ભૂલ કરો છો. મને ખોટો ન પાડો!...તમારી નમેલી ભ્રમરોની નીચેથી હું સ્પષ્ટ વાંચી શકું છું. આપણા પાસા અવળા પડે છે માટે મને હોળીનું નાળિયેર કરો મા. એટલી તમને મારી સલાહ છે.&lt;br /&gt;
આદિત્ય : દેવ, અમને ઘા ન મારો......અમારા લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું આપનું છે. આ ઘરડાઓ સાથે અમને કઢામાં ન નાંખો.&lt;br /&gt;
દેવસેન : અમે ડોસાઓ બીજાઓની પેઠે લડીએ છીએ; અને જુવાન, તેમની જ માફક ચાહીએ પણ છીએ.&lt;br /&gt;
તેજસિંહ : ચાલો, એટલેથી પતાવો. સંકટમાં મિત્રો અંદર અંદર કેવા લડી પડે છે તે તમારી રાણી જલદીથી સારી રીતે શીખશે. તમે છાવણીમાં થઈને જાઓ ત્યારે સૈનિકોને કહો – એ એક જ વાત રાજાને આજે કચવે છે – આ આનંદના દિવસે કેમ ખરું ને – જોઈએ તેવું લગ્નનું જમણ જમાડવાની તાકાત મારામાં નથી......અથવા હજુ કદાચ – અણહિલ!&lt;br /&gt;
અણહિલ : (જમણી તરફ તરત જ આવેલા પહેરેગીર સાથે ગભરામણમાં ગૂપચૂપ વાત કરતો હતો) : જી, હજુર.&lt;br /&gt;
તેજસિંહ : આપણા કોઠારમાં હજુ શું છે? ડોસા?&lt;br /&gt;
અણહિલ : (સંક્ષોભ અંકુશમાં રાખી) આપે આપનો સર્વે ખોરાક આપી દીધો છે.&lt;br /&gt;
તેજસિંહે : પૂછું છું કે શું પડ્યું રહ્યું છે?&lt;br /&gt;
અણહિલ : એક વટલોઈ ભરેલું બગડેલું દૂધ ને બે ફુગાયેલા રોટલા.&lt;br /&gt;
તેજસિંહ : હા, હા, હા! હવે જુઓ, રાણીજી! કેવો મુફલેસ ધણી તમને મળ્યો છે? લોકો કહે છે તેમ ત્યાં વહાણો આવ્યાં હોય તો દરેકની લાયકાત મુજબ સર્વેની બાદશાહી મહેમાનગીરી કરીશ – પણ તેમને એ જણાવશો નહીં, રખેને તેમનો આહ્લાદ કથળે. પણ કહેજો કે જો રણશીંગા સાંભળે તો તમારે માટે સારું સારું ભોજન પીરસાશે, એટલું બધું –(પોતા તરફ સરી આવતા અણહિલને) શું છે?&lt;br /&gt;
અણહિલ : (ધીમેથી) પહેરો ગયો. વહાણો નાશ પામ્યાં.&lt;br /&gt;
તેજસિંહ : (સહેજ પણ ચહેરો બદલ્યા વગર) નાશ પામ્યાં કેમ – કેવી રીતે?&lt;br /&gt;
અણહિલ : દ્રોહથી.&lt;br /&gt;
તેજસિંહ : હં, ઠીક! અહં, સાથે બેસી સૌએ ખાધું હોત જમણ- સર્વેને પીરસ્યું હોત, સ્ત્રીઓ માટે મેવો અને મીઠાઈ...(સિંહાસન પર ગબડતો પડે છે અને દૂર શૂન્ય દૃષ્ટિ નાંખે છે.)&lt;br /&gt;
માણસો : રાજાને શું થયું? રાજાની સામે તો જુઓ!&lt;br /&gt;
અબલા : ખરેખર ભૂખ્યા થયા છે, બા! (પાસે જાય છે, માણસો આઘા ખસે છે) મારા રાજા!&lt;br /&gt;
તેજસિંહ : સ્ત્રી, તું કોણ છે? શું કરવાની છે, સ્ત્રી!&lt;br /&gt;
અબલા : સ્વામી, મદદ કરી શકું?&lt;br /&gt;
તેજસિંહ : હં! તમે રાણી છો. માફ કરો, તમે પણ સૌ દરગુજર કરો, ભાઈઓ.&lt;br /&gt;
રાજગુરુ : આપનું બળ સમેટવું જોઈશે, રાજેન્દ્ર!&lt;br /&gt;
આદિત્ય : હા, હજૂર, અમારી સૌની ખાતર.&lt;br /&gt;
માણસો : અમારી સૌની ખાતર.&lt;br /&gt;
તેજસિંહ : વ્યાજબી છે. તમારી ચેતવણી ખરે વખતે છે. સુંદરીઓ, તમે સૌ તમારી છાવણીમાં જાઓ એટલી મારી વિનંતિ છે. અમારે મસલત કરવી છે. ગુરુદેવ, આપ અમને સહીસલામત પહોંચાડો.&lt;br /&gt;
સાધના : (આસ્તેથી) બહેન, પ્રણામ કરી લે.&lt;br /&gt;
અબલા : ( ,, ) માડી, હવે મારી સાથે એ નહીં બોલે?&lt;br /&gt;
સાધના : પ્રણામ કરી લે! (અબલા આજ્ઞા પ્રમાણે વર્તે છે.)&lt;br /&gt;
તેજસિંહ : તમારું સૌનું કલ્યાણ થાઓ!&lt;br /&gt;
[અબલા, સાધના, રાજગુરુ જાય છે. બહાર પ્રશંસાધ્વનિ એમને વધાવે છે]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૪થો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[તેજસિંહ, આદિત્ય, દેવસેન, અણહિલ, પહેરેગીર, સામંતો]&lt;br /&gt;
તેજસિંહ : સ્ત્રીઓ અને બ્રાહ્મણને મોકલી દીધાં, હવે જે થવાનું છે તેની નિસ્બત આપણે લડવૈયાઓને છે. ક્યાં છે પહેરેગીર? ભાઈ, આગળ આવ.&lt;br /&gt;
માણસો(બબડતાં) : ધાર પરનો પહેરેગીર! પહેરેગીર!&lt;br /&gt;
તેજસિંહ : ભાઈઓ, સાંભળો વહાણ નાંશ પામ્યાં છે.&lt;br /&gt;
{{gap|10em}}[ઘોંઘાટ, દુઃખની કીકીયારી.] &lt;br /&gt;
શાંત પડો; શાંત, વીરો! તારું નામ હરિહર છે?&lt;br /&gt;
પહેરેગીર : શાંત, વીરો! ગરીબ પરવર!&lt;br /&gt;
તેજસિંહ : ક્યારથી પહેરો ભરે છે?&lt;br /&gt;
પહરેગીર : કાલ સવારથી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહે : ક્યાં છે તારી જોડનાં બે સોબતી?&lt;br /&gt;
પહેરેગીર : તેઓ ધાર પર છે, આપના હુકમ પ્રમાણે, નામદાર.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, તમે શું જોયું?&lt;br /&gt;
પહેરેગીર : ખુદાવિંદ, સમુદ્ર પર મીનાક્ષીની ભૂશિરને પેલી મેર, વિશ્વકર્માનો ધુમાડો ઊતર્યો એટલે આજે સાંજના છેલ્લા પહોર લગી અમારી નજરે કાંઈ આવ્યું નહીં. એવામાં વહાણ દેખાયાં – સંખ્યા પાંચની હતી – કિનારાની તદ્દન નજીક – મૌર્યોના જમાનાનું ખંડિયેર નગર દટાયેલું છે ત્યાં......... અમારામાંનો એક ઉતાવળે આવવા તૈયાર થયો, એવામાં –&lt;br /&gt;
તેજસિંહ : ઊભો રહે? વહાણો પર સંકેત શો હતો?&lt;br /&gt;
પહેરેગીર : આગળનું શઢ આડકતરું વીંટાળેલું હતું અને —&lt;br /&gt;
તેજસિંહ : અને?&lt;br /&gt;
પહેરેગીર : તૂતક આગળ આસોપાલવનો ઝુમખો.&lt;br /&gt;
તેજસિંહ : આસોપાલવ તમે નજરે જોયો?&lt;br /&gt;
પહેરેગીર : આપ નામદારને નિહાળું છું તેવી જ રીતે.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક પછી?&lt;br /&gt;
પહેરેગીર : પછી, દુશ્મનો ખારવાનાં જે વહાણોથી ખોરાક મેળવે છે તેમને પેલાં વહાણોની આસપાસ વીંટળાઈ વળતાં જોયાં, અને તરત જ.&lt;br /&gt;
તેજસિંહ : તરત જ શું?&lt;br /&gt;
પહેરેગીર : હજૂર, ક્ષોભ વિના સૌ દુશ્મનની છાવણી તરફ ચાલ્યાં ગયાં. ત્યાં તેમણે માલ ખાલી કર્યો.&lt;br /&gt;
{{right|[માણસો કપાળ કૂટે છે. પ્રગાઢ નીરવતા.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : (એક પછી એક તરફ હસતી નજર નાંખતો) ઠીક થયું... બહાર ત્યાં તું કોઈને આ વિશે કાંઈ વાત કરીશ નહીં. હું એમને કહીશ.&lt;br /&gt;
{{right|[પહેરેગીર ચાલ્યો જાય છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૫મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[તેજસિંહ, આદિત્ય, દેવસેન, સ્કંદ, બીજાઓ, સામંતો]&lt;br /&gt;
તેજસિંહ : બિરાદરો, તમારી સલાહ!&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ, સલાહ અમને સૂઝતી નથી.&lt;br /&gt;
તેજસિંહ : દેવસેન, તું! તારા અનુભવમાંથી કાંઈ?&lt;br /&gt;
દેવસેન : સ્વામી, મહાન ઇશાદિત્યની સેવા મેં કરી છે. છતાં તે પણ કાંઈ આપી શકતી નથી.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, ત્યારે, મને સૂઝે છે......સરળતઃ અને સત્વર સમજાય છે. મરી જાઓ! આવા અવિશ્વાસની નજર કેમ મારા તરફ કરો છો? મારું કહેવું નથી સમજતા? બીકણ દુશ્મનોની પેઠે શરીરે પછેડી લપેટી પીઠમાં ઘા કરવાનું પડોશીને કહેવાનો રસ્તો બતાવું છું એમ ધારો છો? ઠંડા પડો: શરમથી હું તમને બચાવીશ. કીર્તિની પ્રાપ્તિ પ્રત્યે દોરી નહીં જઈ શકું ત્યારે તમારી લાજ નહીં જવા દઉં. જ્યાં લગી ભાલો પકડવાની તાકાત આપણા ત્રીસ જણમાં છે ત્યાં લગી આપણું આ સ્થાન લેવાની કોઈની મગદુર નથી. પણ આખરે વખત આવશે. થોડી જ વારમાં ભૂખથી દુર્બળ થયેલો હાથ આક્રમણ કરતા ખૂનીઓ પાસે રહેમત માગવા લાંબો થઈ શકે નહીં.&lt;br /&gt;
આદિત્ય : મહારાજ, કોઈ આભીર આવું કરતો નથી!&lt;br /&gt;
તેજસિંહ : તું જેવો છું તેની ખાતરી તું કરાવે, પણ તારું શું થશે તેની જામીનગીરી તું મને નહીં આપી શકે; એટલે મારી સલાહ અને આજ્ઞા છે. છેલ્લા યુદ્ધ માટે સૌ સજ્જ થાઓ. પરોઢના ઝળઝળીયામાં આપણે કોતરોમાંથી કૂદી પડશું અને ખુલ્લા મેદાનમાં દુશ્મનોની સામે આપણો વ્યૂહ માંડશું.&lt;br /&gt;
સર્વે : મહારાજ, એ અશક્ય છે.&lt;br /&gt;
આદિત્ય : સ્વામી, વિચાર કરો, આપણા એકની સામે દુશ્મન સો છે.&lt;br /&gt;
તેજસિંહ : તારો અભિપ્રાય, દેવસેન?&lt;br /&gt;
દેવસેન : પ્રભુ, આપ અમને મૃત્યુના માર્ગે લઈ જાઓ છો.&lt;br /&gt;
તેજસિંહ : હા, બરાબર મેં બીજું કહ્યું છે? શું તમે મને રણમાં એવો બિનપલોટાયેલો માનો છો કે પરિણામ મારા લક્ષ બહાર હોય? ત્યારે શા માટે ખચકાઓ છો? જ્યારે તિષ્યરાજ આપણા સેનાની હતા ત્યારે આપણે લાખ હતા, અત્યારે આપણે માત્ર પાંચ છીએ – તે સર્વેને મરતાં આવડતું હતું. આપણે – એમનામાંથી રહેલા સહેલા કંગાળ શું તે વીસરી ગયા હઈશું?&lt;br /&gt;
સર્વે : ના, મહારાજ, ના!&lt;br /&gt;
દેવસેન : પ્રભુ, તે ભયંકર પ્રસંગથી પરિચિત થવા જેટલો વખત આપો.&lt;br /&gt;
તેજસિંહ : ભયંકર? તમને શું ભયંકર લાગે છે? મૃત્યુનો પરિચય મેળવવા સમય જોઈએ છીએ? લીલથી છવાયેલા જૂના પાણાની પેઠે જેની છાતી ઘાના ચાઠાથી અંકિત ન હોય એવો તમારામાં કોઈ નથી. આજ વીસ વર્ષ થયાં તમે મૃત્યુને ઉડાવ્યું છે પણ હવે સાક્ષાત્ આવ્યું છે ત્યારે આભીરો શું ‘ભયંકર’ એવો ઉદ્ગાર કાઢશે? તમે શું કરશો? ભૂખ્યા સૂઈ રહેશો? એકબીજાને ખાઈ જશો? સારું, હું તમારી સાથે એમ વર્તીશ નહીં! હું નહીં જ! આવતી કાલે મારો ભાલો અને ઢાલ લઈ, તમારા ડૂબતા ભાગ્યનો નાયક મને બનાવ્યો ત્યારથી જે મૃત્યુની ચોરની પેઠે રાહ જોઈ ઝૂરું છું તે મૃત્યુને મારી મેળે મળવા જઈશ – તું એકલો, મારા બુઢ્ઢા ગોઠીયા, મારી સાથે આવે છે ને?&lt;br /&gt;
અણહિલ(પગે પડીને) : ખુદાવિંદ, મમતા માથે ચડાવું છું. સાથે આવવાનો સવાલ જ હોય?&lt;br /&gt;
સર્વે : અમે પણ તૈયાર છીએ, રાજેન્દ્ર, અમે બધા.&lt;br /&gt;
આદિત્ય : સુખનો માર્ગ બતાવવા માટે પ્રભુ, આપને ધન્યવાદ દેવો જોઈએ. એકદમ અમે આપની પાછળ સંગ્રામમાં ઊતરવા તૈયાર ન થયા માટે અમારા પર કોપ કરશો મા. હવે જ અમને આપના મહાન વિચારનું વિશદદર્શન થાય છે. શોક, અણબનાવ અને હતાશામાંથી અમે ઊઠીએ છીએ, મૃત્યુ તરફ ઢળી પડતા નથી......દરેક જણ બીજાનાં મુડદા ઉપર હસતાં ચાલશું એટલે તેની પેઠે જ રણશય્યામાં હસતા સૂશું...હાશ! સુવર્ણ કલશમાંથી અમૃતનું પાન થશે—ઉત્સાહપ્રદ ગમ્મતની મસ્તી માણશું. ખમ્મા, મારા નાથ. તારી ગાદીની કેટલીયે વાર ઇર્ષ્યા કરી છે, પણ હવે તે બિલકુલ રહી નથી.&lt;br /&gt;
તેજસિંહ : આદિત્ય, તારી કલ્પનામાં હશે તેથી નિરાળી જ ઘટના ઘણું કરીને થશે. છતાં આભીરોમાં આવો જુસ્સો હજુ વસેલો જોઈ રાજી થાઉં છું.&lt;br /&gt;
દેવસેન : દેવ, સેવકનો એક શબ્દ સૂણશો? મેં સોનેરી દિવસો જોયા છે... આપ વીરશ્રેષ્ઠ છો એટલું નહીં પણ સૌથી શાણા છો. ને હમણાં થાપ ખાધી તો, બચાવ કર્યા વગર, ખૂનીની સમશેરથી આપણા પ્રાણ જવાના......આપણા જ નહીં પણ રોગીઓના — અને બાળકોના — અને વહુઓના.&lt;br /&gt;
તેજસિંહ : અંહ, સાચે, વહુઓ! એમનો તો વિચાર જ નહોતો આવ્યો?&lt;br /&gt;
દેવસેન : પણ હવે આવતી કાલે આપણે જંગમાં ઊતરશું. બીજા અને ત્રીજા દિવસે — એટલો વખત આપણે ટકી શકીશું તો — એ ચમત્કારથી દુશ્મનો અને એમની પાછળ ખેંચાઈ આવતા ભીલ વગેરેના ટોળામાં આશ્ચર્ય અને ભય ફેલાશે...એમનો સદંતર નાશ આપણે નહીં કરી શકીએ, પણ તેઓ કોઈ જાય ત્યાં લગી આપણા લોહીથી તેમને હંફાવશું......અને જ્યારે એમના પક્ષમાં ભાલો કે ધનુષ્ય પકડવાની શક્તિ કોઈનામાં નહીં રહે ત્યારે એ હીજડાઓને કહેવાનો વખત આવશે ‘સુલેહથી ચાલ્યા જાઓ.’ તે વખતે તમારામાંથી કેટલા બચ્યા હશે? મને દહેશત છે કે બહુ નહીં! —&lt;br /&gt;
તેજસિંહ (હસતાં) : આપણે, ખાતરીથી નહીં!&lt;br /&gt;
સર્વે (ક્રૂર હાસ્ય કરતાં) : નહીં જ, અમે નહીં!&lt;br /&gt;
દેવસેન : પછી આપણા ભાઈઓ બૈરાંછોકરાંઓ સાથે દુશ્મનની વચમાં જશે, અને માથું ઊંચું રાખી, ખુલ્લી તલવારે દુશ્મનની છાવણી સોંસરા નૂપુરવંપ્ર. પર રોટલાનો ટુકડો વેચાતો લેવા ઊતરી પડશે. સાચું માનજે, એમનો ધાક પડશે કે ભીલોનો કૂતરો પણ એમની સામે ભસવાની હિમ્મત નહીં કરે. &lt;br /&gt;
તેજસિંહ : બૈરી અને છોકરાં! બૈરી અને છોકરાં! આપણે એમનું શું કામ છે?&lt;br /&gt;
સ્કંદ : મહારાજાસાહેબ, આપ અમારાં વહાલામાં વહાલાનો તિરસ્કાર કરો છો.&lt;br /&gt;
તેજસિંહ : હશે! સવારે જ્યારે ખોરાક વહેંચવામાં આવ્યો ત્યારે ઘણાં પેટ ભરવાનાં હતાં એટલું મને માહિત છે. નહીંતર આપણે ટકી રહેવા સમર્થ થયા હોત. તોપણ આટલી એક વાત તમને કહું છું – બહાર ઊભેલા માણસોને વીરપુરુષો તરીકે વ્રતનિષ્ઠ રહેનારાઓને આજ્ઞા કરું છું – આપણા નિશ્ચયની વાત કોઈ પણ સ્ત્રીને જણાવવી નહીં. સ્ત્રીઓનાં આંસુ અને ચીસથી કોઈ પણ માણસ પોચો પડ્યો હું સાંખીશ નહીં.&lt;br /&gt;
સ્કંદ : પ્રભુ અમારી સહધર્મચારિણીઓ પાસેથી રજા ન લેવાનો હુકમ નિર્માણ છે.&lt;br /&gt;
તેજસિંહ : મારી ઉપેક્ષા કરી તેમની રજા લેજો પણ લેતી વખતે મૂગા રહેજો. જેમને સ્ત્રીસંતતિ હોય તે શકટપુર જાય અને ખાવાપીવાનું લેતા આવે– થોડું પણ બચાવી રાખવામાં સ્ત્રીઓ મોજ માણે છે. પછી વાંઢાઓ સાથે બિસ્મિલ્લાહ કરે અને બને તેટલી લહેર માણી લે.&lt;br /&gt;
દેવસેન : નિશ્ચય જણાવવાની સખ્ત મના કરો છો તો પ્રભુ! એમણે એમની વહુઓને તે શું કહેવું?&lt;br /&gt;
તેજસિંહ : એમ કહો, મારા લગ્નનિમિત્તે મળવા આવ્યા છો! અથવા મનાય એવું લાગે તો કહેજો કે વહાણો આવ્યાં છે. ફાવે તે કહેજો. ફક્ત આટલી વાત તમારા મનમાં રાખજો.&lt;br /&gt;
આદિત્ય : આપ નવોઢા રાણીને પણ નહીં મળો?&lt;br /&gt;
તેજસિંહ : હેં? નહીં... સહેજ પણ વૃત્તિ થતી નથી. હવે લોકો સાથે વાત કરીશ. આદિત્ય, મારી વાણી તારા જેવી હોત તો કેવું સારું – સંદેશો ગૂંચવે એવો છે, મારે ઉત્તેજક શબ્દો ઉચ્ચારવા છે પણ તે સ્ફૂરતા નથી. ચાલો.&lt;br /&gt;
[સર્વે જાય છે, અણહિલ ધીમેથી પાછળ ચાલે છે.]&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
 				&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૬ઠ્ઠો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ટૂંક વખત રંગભૂમિ નિર્જન રહે છે. રાજાનો ઘાંટો સંભળાય છે. તેની વાણી જયઘોષથી વધાવાય છે. પછી થોડીક પળ વીત્યે, દુઃખનાં ગૂંગળાતાં ડૂસકાં.&lt;br /&gt;
અણહિલ રંગભૂમિ પર આવે છે અને પડદા નજીકના ઠૂંઠા પર બેસે છે. પછી બે મશાલો સળગાવી કડામાં ભેરવે છે અને રાજાનાં હથિયાર સજ્જ કરે છે. બહાર ઉત્સાહનો નિનાદ ઊઠે છે, વળી પાછો ધીમો પડી જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૭મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અણહિલ, રાજગુરુ વાચસ્પતિ (થાકથી ને આવેશથી લથડિયાં ખાતો.)&lt;br /&gt;
અણહિલ : પૂજ્ય દેવ, આસને આપ નહી બિરાજો?&lt;br /&gt;
વાચસ્પતિ : મહારાજા શું બોલે છે તે સાંભળવા તું નથી જતો?&lt;br /&gt;
અણહિલ : એને અને મારે કાંઈ નિસ્બત નથી, ગુરુદેવ! મહારાજાસાહેબ અને હું – ઘણા લાંબા કાળથી કામ કરવામાં એકમત છીએ.&lt;br /&gt;
વાચસ્પતિ : ખરે, યમના દૂત જેવાં ત્યાં આગળ તેઓ ઊભા છે.&lt;br /&gt;
અણહિલ : ફિરસ્તા હોય કે જીત હોય, મારે મન એક જ છે.&lt;br /&gt;
[ઉત્સાહનો ઘોષ નવેસરથી ઊડે છે અને તંબુઓની નજીક આવે છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૮મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એના એ જ રાજા (આંખોમાંથી આગના તણખા ઊડતા. ફિક્કો છતાં સ્વસ્થ.)&lt;br /&gt;
તેજસિંહ : હથિયાર સજ્જ છે? — અહો, આપ કયાંથી ગુરુદેવ!&lt;br /&gt;
વાચસ્પતિ : મહારાજા, મારા મહારાજા!&lt;br /&gt;
તેજસિંહ : સાચે, હવે આપને નવા યજમાન ગોતવા પડશે, ગુરુદેવ. આપનો આશીર્વાદ આપવાના હો તો કૃપા કરી સત્વર આપો......આદિત્ય હમણાં આવશે.&lt;br /&gt;
વાચસ્પતિ : દરેક મરતા જીવના થરથરાટથી તારી જાતને મુક્ત માને છે? તાત!&lt;br /&gt;
તેજસિંહ : ગુરુદેવ, આપણા સંપ્રદાયનો હું સાચો ભક્ત હતો. એક વેળા તિષ્યરાજે કર્યું તેમ હું એના મંદિર બંધાવી શક્યો નથી. પણ જે નાશ કરવાનું હતું તે એના શ્રેય અર્થે મેં નાશ કર્યું છે. આશીર્વાદ માટે દંડવત પડું?&lt;br /&gt;
વાચસ્પતિ : વત્સ, તારા કહેવાનો ભાવાર્થ મારાથી પમાતો નથી.&lt;br /&gt;
તેજસિંહ : ગુરુદેવ, નથી સમજાતો તો દિલગીર છું.&lt;br /&gt;
વાચસ્પતિ : તેં રજા લીધી?&lt;br /&gt;
તેજસિંહ : રજા, કોની? ઊલટું મને તો ‘સ્વાગત’નો ધ્વનિ કરવાનું મન થાય છે; પણ હજુ ત્યાં કાંઈ નથી! &lt;br /&gt;
વાચસ્પતિ (ભમ્મર ચડાવી) : આપની રાણીની રજા, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : અત્યારે, હું પુરુષોનો સગો છું, ગુરુદેવ. પત્ની સાથે કાંઈ લાગતું વળગતું નથી. સલામાલેકુમ.&lt;br /&gt;
[આદિત્ય અને અણહિલ પ્રવેશ કરે છે.]&lt;br /&gt;
વાચસ્પતિ : આલેકુમ સલામ — પ્રભુ, તારા આત્મામાં પોતાનો પ્રસાદ ભરો!&lt;br /&gt;
તેજસિંહ : ઋણી છું, ગુરુદેવ...અહો તું આવ્યો, આદિત્ય.&lt;br /&gt;
[વાચસ્પતિ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૯મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, આદિત્ય, અણહિલ (પછવાડાના ભાગમાં, રાજાનાં હથિયાર સજ્જ કરતો નિઃશબ્દ અંદર-બહાર આવ જા કરે છે.)&lt;br /&gt;
તેજસિંહ : યોદ્ધાઓ શું કરે છે?&lt;br /&gt;
આદિત્ય : જેમની વહુઓ છે તે શકટપુર ગયા છે...જરૂર તેઓ ત્યાં ખાશે, પીશે અને પોતાનાં બાળગોપાળ સાથે ખેલશે.&lt;br /&gt;
તેજસિંહ : તારી વહુ અહીં છે?&lt;br /&gt;
આદિત્ય : હા પ્રભુ!&lt;br /&gt;
તેજસિંહ : તારાં છોકરાં?&lt;br /&gt;
આદિત્ય : બે પુત્રો, પ્રભુ!&lt;br /&gt;
તેજસિંહ : છતાં તું ગયો નથી?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ, આપની તહેનાતમાં હાજર રહ્યો છું.&lt;br /&gt;
તેજસિંહ : વખત કેટલો થયો છે?&lt;br /&gt;
આદિત્ય : નવ વાગ્યા છે.&lt;br /&gt;
તેજસિંહ : જેઓ સ્વતંત્ર – અવિવાહિત છે અને જેમની વહુઓ અહીં નથી તેઓ શું કરે છે?&lt;br /&gt;
આદિત્ય : ધૂણી ધખાવી શાંત પડ્યા છે.&lt;br /&gt;
[અણહિલ જાય છે.]&lt;br /&gt;
તેજસિંહ : એમને માટે પણ કાંઈ ખાવાનું આવે તેવી જોગવાઈ કર. મેં ક્યારનો હુકમ કર્યો છે. શું તેઓ ઊંઘશે?&lt;br /&gt;
આદિત્ય : કોઈ ઊંઘશે નહી.&lt;br /&gt;
તેજસિંહ : મધરાતે, મને તેડવા આવજે.&lt;br /&gt;
આદિત્ય : જી, જેવો હુકમ. (જવાનું કરે છે.)&lt;br /&gt;
તેજસિંહ (ચિંતાના શેરડા પડે છે) : આદિત્ય, ઊભો રહે!...તું મારો હંમેશ પ્રતિસ્પર્ધી હતો.&lt;br /&gt;
આદિત્ય : હતો, પ્રભુ. પણ ઘણા લાંબા કાળથી પ્રતિસ્પર્ધી મટી ગયો છું.&lt;br /&gt;
તેજસિંહ (હાથ લંબાવીને) : આવ!&lt;br /&gt;
(ગાઢ આશ્લેષથી બન્ને ભેટે છે, પછી હાથે હાથ મેળવે છે.) ખુશીથી તને અહીં પકડી રાખત, પણ તારે તારી વહુને મળી આવવું જોઈએ.&lt;br /&gt;
[અણહિલ ફરી આવે છે.]&lt;br /&gt;
ધૂણીની તાપણી તાપતા સિપાહીઓ માટે ખાવાનું લાવવાનો બંદોબસ્ત વીસરતો નહિ. તેમનું ચિત્ત વ્યગ્ર રહેવું ન જોઈએ. આવે વખતે વિચાર કરવાથી લાભ નથી.&lt;br /&gt;
આદિત્ય : જી. હજુર.&lt;br /&gt;
[આદિત્ય જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૦મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, અણહિલ&lt;br /&gt;
તેજસિંહ : ચાલ, મારા ડોસા, પૃથ્વી પર હવે આપણે માટે કાંઈ કરવાનું રહેવું ન જોઈએ. વાતો કરશું?&lt;br /&gt;
અણહિલ : ગરીબપરવર, મારા પર મહેરબાની કરશો.&lt;br /&gt;
તેજસિંહ : હજુ મહેરબાની, આવે વખતે? જૂના દોસ્ત, મને લાગે છે કે તારે મને અડાવવો છે.&lt;br /&gt;
અણહિલ : પ્રભુ, હું બુઢ્ઢો થયો. આપની જિંદગીનું રક્ષણ કરવા જોઈતા વખતથી વહેલાં મારો હાથ ભાલો પકડી થાકી જશે. મારી તકસીરથી આપનો નાશ થવો ન જોઈએ, નાથ...કોઈ ઊંઘતું નથી છતાં બાકી રહેલા બે કલાક મને મારા ખાટલામાં સૂવા રજા આપો. મારે માટે બીજો વિચાર લાવશો મા!&lt;br /&gt;
તેજસિંહ (ઊંડી ચિંતાનો નવો ખટકો ખમતાં) : જા, પણ બહુ દૂર નહીં.&lt;br /&gt;
અણહિલ : આપના તંબુ આગળ નિરંતર કૂતરાની માફક સૂઈ રહ્યા છું, પ્રભુ આ છેલ્લી રાતે એમાં બિલકુલ ફેર પડવાનો નથી...હુકમ છે હજૂર!&lt;br /&gt;
તેજસિંહ : સુખી થા!&lt;br /&gt;
[અણહિલ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૧ મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, પછીથી અબલા.&lt;br /&gt;
(તેજસિંહ એકલો પડવાથી, ખાટલા પર પડે છે. થાકેલું, કડવું સ્મિત ફરકાવતો તાકીને પોતાની બરાબર સામે જુએ છે. અબલા લજ્જાભરી આવે છે, એક હાથમાં મીઠાઈ ને મેવો ભરેલો કંડિયો છે; બીજા હાથમાં દારૂથી ભરેલો સોનાનો પ્યાલો છે. પાટ તરફ થોડાંક પગલાં ભરે છે.)&lt;br /&gt;
તેજસિંહ (અર્ધો ઊઠીને) : કોણ છે?&lt;br /&gt;
અબલા(બીતી, હળવે રહીને) : રાજેન્દ્ર, મને ઓળખતા નથી?&lt;br /&gt;
તેજસિંહ (ખાટલા પરથી ઊઠીને) : દીવા ઝાંખા બળે છે.. તારો અવાજ અગાઉ સાંભળેલો છે...મારું શું કામ છે?&lt;br /&gt;
અબલા : હું આપની રાણી છું, રાજેન્દ્ર.&lt;br /&gt;
તેજસિંહ (થોડો વખત ચૂપ રહી) : તારે મારું શું કામ છે?&lt;br /&gt;
અબલા : મારી બાએ મને મોકલી છે, આપને સારુ હું મિષ્ટાન્ન અને સુરા લાવી છું. બીજાઓ ખાય-પીએ છે એટલે મારી બાએ કહ્યું કે...(અટકી પડે છે.)&lt;br /&gt;
તેજસિંહ : તું અંદર કેવી રીતે આવી?...સંત્રીએ તને આવતાં રોકી નહીં?&lt;br /&gt;
અબલા (ટટાર થઈ) : પ્રભુ, હું રાણી છું.&lt;br /&gt;
તેજસિંહ : હં, બરાબર. પણ, અણહિલે શું કહ્યું?&lt;br /&gt;
અબલા : આપણો વૃદ્ધ ભાલેદાર પડ્યો પડ્યો ઊંઘે છે. હું એને ઓળંગી આવી, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : અબલા. તારું કલ્યાણ થાઓ...મને ભૂખ નથી લાગી. તારું કલ્યાણ થાઓ.&lt;br /&gt;
[નિઃશબ્દતા, અબલા ઊભી ઊભી અશ્રુપૂર્ણ દૃષ્ટિ એના પર નાંખે છે.]&lt;br /&gt;
તેજસિંહ : હજુ પણ તારે કાંઈ અરજ કરવાની છે એવું મને લાગે છે. વગર સંકોચે બોલ.&lt;br /&gt;
અબલા : મારા નાથ, ભરેલો કંડિયો લઈ ઘેર પાછી જઈશ તો બીજી સ્ત્રીઓ મને ફિટકાર દેશે...અને પુરુષો કહેશે કે–&lt;br /&gt;
તેજસિંહે (સ્મિત કરતાં) : પુરુષો શું કહેશે?&lt;br /&gt;
અબલા : હું આપના જરાયે લેખામાં નથી. મારા હાથથી જમવાની પણ વૃત્તિ આપને નથી થતી.&lt;br /&gt;
તેજસિંહ : પુરુષોને બીજી વાતોનો વિચાર કરવાનો છે. અબલા, તેની ખાતરી મારા પંડના સોગન ખાઈ તને આપું છું – છતાં, તોપણ મારે લીધે તને બટ્ટો નહીં લાગવા દઉં. ત્યાં કંડિયો મૂક...હજુ પણ તમારી પાસે આવી વસ્તુઓ છે?&lt;br /&gt;
અબલા : પ્રભુ, આ બે સપ્તાહ થયાં મારી બાએ, મેં અને બીજી સ્ત્રીઓએ અમારા ભાગમાંથી સારામાં સારું ઊંચું મૂકી છાંડ્યું છે.—આજ દિન લગી માંસ માટે પશુપક્ષી માર્યાં નથી.&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે તો તમને સ્ત્રીઓને કકડીને ભૂખ લાગી હશે, નહી વારુ?&lt;br /&gt;
અબલા : એથી અમે હેરાન નથી થયાં...એ મિજાની માટે હતું.&lt;br /&gt;
તેજસિંહ : સાચે! આજે અમે મિજબાની આપશું એવું તમારું માનવું હતું.&lt;br /&gt;
અબલા : ઠીક ત્યારે શું મિજબાની નથી, પ્રભુ?&lt;br /&gt;
તેજસિંહ : (છાનોમાનો અધર કરડે છે; ચોરીછૂપીથી અબલાને તપાસે છે) – અબલા તું બેસશે નહીં?... અત્યારમાં તને પાછી ઘેર જવા નહીં દઉં! તેથી પણ તને કલંક લાગે, નહીં?&lt;br /&gt;
{{right|[અબલા મૌન રહે છે અને નીચું જુએ છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : હું હુકમ કરું તો અહીં થોભવા તારી મરજી છે?&lt;br /&gt;
અબલા : નાથ, પતિ સમીપ રહેવા પત્નીને શા માટે ઇચ્છા ન થાય?&lt;br /&gt;
તેજસિંહ : હું — તારો — પતિ છું, એવી લાગણી ત્યારે શું તારા હૃદયમાં છે?&lt;br /&gt;
અબલા : અલબત્ત, એથી બીજું શું હોય? ગુરુદેવે આપણને સંલગ્ન કર્યાં છે.&lt;br /&gt;
તેજસિંહ : એમણે સંલગ્ન કર્યાં ત્યારે તને આનંદ થયો હતો?&lt;br /&gt;
અબલા : હા...ના, ત્યારે આનંદ નહોતો થયો.&lt;br /&gt;
તેજસિંહ : શા માટે નહોતો થયો?&lt;br /&gt;
અબલા : કદાચ,...રખેને...વખતે, વખતે...પ્રભુ, હું બીની હતી, પ્રાર્થના કરતી હતી.&lt;br /&gt;
તેજસિંહ : શા માટે પ્રાર્થના કરતી હતી?&lt;br /&gt;
અબલા : આપને જેની જરૂર છે એવું અને મારાથી આપ અપેક્ષા રાખો એવું સુખ આપને આપવાની શક્તિ, મારા જેવી પરમેશ્વરની નમ્ર કિંકરીને પરમેશ્વર આપે માટે.&lt;br /&gt;
તેજસિંહ : તારી પાસેથી જેની હું...એ વિશે પ્રાર્થના કરતી હતી?&lt;br /&gt;
અબલા : નાથ, આપને માટે પીરસું? સુરા લાવું?&lt;br /&gt;
તેજસિંહ : ના, ના!...આમ જો, અબલા! બહાર, આપણી તાપણી પાસે યોદ્ધાઓ છે—તેઓ ભૂખ્યા છે—મને ભૂખ નથી લાગી.&lt;br /&gt;
અબલા : નાથ, આપને ગમે તે તેમને આપો...તેમને બધું આપી દ્યો!&lt;br /&gt;
તેજસિંહ : તારું કલ્યાણ થાઓ, અબલા. (પડદો ઉપાડે છે.) અરે, પહેરેગીર, અંદર આવ, પણ જાળવીને, ડોસો ઊઠે નહીં...&lt;br /&gt;
[પહેરેગીર આવે છે.]&lt;br /&gt;
લે, મીઠાઈ અને સુરાનો આ કંડિયો; પ્રામાણિકતાથી વહેંચી લેજો;... કહેજે કે તમારી રાણીએ મોકલ્યું છે.&lt;br /&gt;
પહેરેગીર : ખુદાવિંદ, રાણીસાહેબનો આભાર માનું?&lt;br /&gt;
[તેજસિંહ ડોકું નમાવે છે. પહેરેગીર ઉલ્લાસથી રાણીને પગે પડી જાય છે.]&lt;br /&gt;
તેજસિંહ : જા—મારે માટે ખાવાનું લાવ!&lt;br /&gt;
અપ્સરા(મુંઝાઈને) : નાથ — કેમ — મને — બનાવો છો?&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે મારું કહેવું સમજતી નથી? જો મારી વહુ થવું હોય તો, તારે મને મારી મિલકત ધરવી જોઈએ, તારી નહીં!&lt;br /&gt;
અબલા : મારી તે આપની જ મિલકત નથી, નાથ?&lt;br /&gt;
તેજસિંહ : હં! (મૌન. તેના હાથ પકડે છે.) મને નાથ નહીં કહે, રાજા પણ નહીં કહે...મારું નામ તું જાણતી નથી?&lt;br /&gt;
અબલા : આપનું નામ તેજસિંહ છે.&lt;br /&gt;
તેજસિંહે : ફરીથી કહે જોઈએ!&lt;br /&gt;
અબલા (હળવેથી, આડી ફરીને) : તેજસિંહ!&lt;br /&gt;
તેજસિંહ : નામ વિચિત્ર તને લાગે છે?&lt;br /&gt;
{{right|[અબલા ડોકું ધુણાવે છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે આનાકાની કેમ કરે છે?&lt;br /&gt;
અબલા : વિચિત્ર લાગે છે માટે નહીં, નાથ જ્યારથી મેં જાણ્યું કે આપની પત્ની તરીકે આપની સેવા કરવાની છે ત્યારથી રાતે અને દિવસે વારંવાર આપનું નામ મેં લીધા કર્યું છે. ફક્ત મોટેથી નથી ઉચ્ચાર્યું.&lt;br /&gt;
તેજસિંહ : તારી જાણમાં એ આવ્યું તે પહેલાં મારે માટે તારો શો વિચાર હતો?&lt;br /&gt;
અબલા : નાથ, એમ શા માટે પૂછો છો?&lt;br /&gt;
તેજસિંહ : શા માટે જવાબ નથી આપતી?&lt;br /&gt;
અબલા : નાથ, આપની ક્રૂર આજ્ઞાઓ વિશે સાંભળતી અને બીજાઓ આપનાથી ડરતા – ત્યારે વારંવાર વિચાર આવતો : આભીરોનું પ્રારબ્ધ જેને આવાં કામો કરવાની ફરજ પાડે છે તે કેટલો દુઃખી હોવો જોઈએ!&lt;br /&gt;
તેજસિંહ : એવો તને વિચાર આવ્યો? એવો તને –?&lt;br /&gt;
અબલા : એવો વિચાર મને આવ્યો તે શું અનુચિત હતું?&lt;br /&gt;
તેજસિંહ : તેં કદી મારો ચહેરો જોયો નહોતો છતાં તું મને સમજી શકી? મારી આસપાસ રહેનારા ડાહ્યા માણસો અને કસાયેલા યોદ્ધાઓ મને સમજી શક્યા નહીં!...તું કોણ છે, સુંદરી મારું હૃદય વાંચતાં તને કોણે શીખવ્યું? – તને, સર્વમાંથી એકલી તને?&lt;br /&gt;
અબલા : નાથ, હું -&lt;br /&gt;
તેજસિંહ : બધા મારાથી થરથરતા અને ખાણમાં મારાથી સંતાઈ રખડતા પણ રસ્તો જોયો નહીં – સુભાગ્યે જે રસ્તે તેમનું રક્ષણ થયું હોત તે ખરો રસ્તો તેમણે જોયો નહીં. જલ્લાદની છરી તેમની ગરદન પર ઊતરતી ત્યારે પણ બાંધછોડની કંઈક વાત કરતા. એટલામાં લુચ્ચા દુશ્મનો આવ્યા, તેમની સાથે લડ્યા અને એક પછી એક અમારો સંહાર થયો. આમ લાખ નાશ પામ્યાં. મેં શોક અને ક્રોધનાં વસ્ત્રો વીંટાળ્યાં – લોહિયાળ ચીંથરાની પેઠે આશાને મેં ફેંકી દીધી, ભંગાણમાં તિરસ્કાર અને હાસ્યભર્યો હું કૂદી પડ્યો. મારાં પ્રત્યેના ત્રાસથી મારું હૃદય હલમલી રહ્યું હતું ત્યારે મારી આસપાસ મેં ત્રાસ વાવી દીધો. સર્વના લોહીથી એક વખત પણ હું મત્ત નથી થયો. મેં દુશ્મનને માર્યા, છતાં બધો વખત જાણતો હતો કે બધું ફોગટ છે!&lt;br /&gt;
[વેદનાથી પીડિત થઈ શય્યા પર પડે છે; પોતાની સમક્ષ સીધું તાકીને જુએ છે.]&lt;br /&gt;
અબલા (લજવાતી તેના પર વહાલનો હાથ ફેરવવાનો પ્રયત્ન કરે છે) : મારા વહાલા, બિચારા મહારાજા! વહાલા તેજ!&lt;br /&gt;
તેજસિંહ (ડોકું ઊંચું કરી ગભરાયેલો આજુબાજુ જુએ છે) : મારા પ્રભુ, અહીં હું શું કરું છું?...તને શાને આ બધું કહું છું? આવો ભડભડીઓ છું માટે મને ધિક્કારતી નહીં...તેમ એમ પણ ન માનતી કે અનુતાપથી આ હકીકત કબૂલ કરવાની મને ફરજ પડી છે...કદાચ વધ્યો ને માટે મારા હૃદયમાં ઘૃણા થઈ છે, પણ મારું અંતઃકરણ એ સર્વેથી ઊંચે વિરાજે છે!... મારી મુફલિસ આભીર ગાદીથી ઘણું જ ઊંચું!...એમ મારા પર નજર કર... તારી આંખમાં એવું કાંઈક છે જેથી મારા અંતરના વિચારો તારી સમક્ષ પ્રગટ કરવાની મને ફરજ પડે છે...મારા પર આવું સામર્થ્ય મેળવવાની શક્તિથી તને કોણે સંપન્ન કરી છે?...જતી રહે!...નહીં, ઊભી રહે...ઊભી રહે! હજુ, મારે તને કાંઈ કહેવું છે, તદ્દન રહસ્યમાં તારા જતાં પહેલાં...પણ મારે આમ રડવું ન જોઈએ, નહીં તો પહેરેગીર સાંભળી જશે...તારો કાન મારી તરફ નીચો ધર. હજુ લગી કદી પણ કોઈ માણસ પાસે કબૂલ કર્યું નથી, તેમ કોઈ દિવસ કબૂલ કરીશ એવો સંભવ પણ માન્યો નથી. મારા અંતરમાં ઈર્ષ્યા છે, તે મારું કાળજું કોરી ખાય છે, જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે – તને ખબર છે કોની?...તિષ્યરાજની...અલબત્ત, મસાણમાં બાળેલા તિષ્યરાજના... લોકો તેને ‘પ્રભાવી’ તિષ્યરાજ કહેતા અને આજે પણ તેઓ તેને ચાહે છે... અદ્યાપિ જ્યારે તેનું નામ સાંભળે છે ત્યારે લોકોની આંખો ચમકે છે.&lt;br /&gt;
અબલા : અહો, પ્રભુ! આપ કેવા ઊકળ્યા છો?&lt;br /&gt;
તેજસિંહ : તેં કદી તેને જોયો હતો?&lt;br /&gt;
અબલા : કોઈ દિવસ નહી.&lt;br /&gt;
તેજસિંહ : પાડ પ્રભુનો! જે યુદ્ધમાં તે કામ આવ્યો તેની સવારે જેવો તેને મેં જોયો હતો તેવો તેં જોયો હોત...સોનેરી બખ્તરમાં સજ્જ થયેલો... તેની નીચે સફેદ ઘોડો રવાલતો હતો, સૂર્યકિરણની પેઠે તેનાં ઝૂલફાં તેની આસપાસ ફરફરતાં હતાં. દુશ્મનની સામે જોઈ તે અટ્ટહાસ્ય કરતો. બાળકની પેઠે તે હસતો હતો! આહ, તેની માફક હસતાં મરવાનું!&lt;br /&gt;
અબલા : નાથ, તેનું ભાગ્ય સરળ હતું! તે અહીંથી ગયા પણ વારસામાં આપને અર્ધું નષ્ટ થયેલું રાજ્ય સોંપી ગયા... પછી આપને કેવી રીતે હસવું આવત?&lt;br /&gt;
તેજસિંહ (આતુરતાથી) : શું એમ નથી? – શું એમ નથી? – કેવી રીતે...હાશ, એથી ઠીક લાગે છે! (આડા ફરે છે) હાશ! તારાથી મને ઠીક લાગે છે!&lt;br /&gt;
અબલા : દેવ, મારું હૈયું કેટલું ફુલાવો છો!&lt;br /&gt;
તેજસિંહ : પણ જો તેં તેને જોયો હોત અને મારી સાથે મુકાબલો કર્યો હોત તો, તું મારા પર થૂંકત!&lt;br /&gt;
અબલા (સ્નેહના આવેશથી) : પ્રભુ, વહાલા, વહાલા નાથ! આપને જ ફક્ત હું જોવત!&lt;br /&gt;
[તેજસિંહ લજ્જા અને અવિશ્વાસભરી દૃષ્ટિ તેના પર આડકતરી નાંખે છે. પછી ધીમેથી ડાબી બાજુએ ચાલી જાય છે, સિંહાસન આગળની બેઠક પર બેસી જાય છે અને સિંહાસનમાં મોં દાબીને દારૂણ રૂદન કરે છે.]&lt;br /&gt;
અબલા (શરમાતી તેની પાછળ જાય છે અને તેની જોડમાં ઘુંટણીયે પડે છે) : તેજ, વહાલા, ક્ષમા કર, મેં તને દુભવ્યો હોય તો!&lt;br /&gt;
તેજસિંહ (ઊભો થઈ તેનો હાથ પકડે છે) : કોઈને કહીશ મા!&lt;br /&gt;
અબલા : શું, પ્રભુ?&lt;br /&gt;
તેજસિંહ : તેં મને રડતાં જોયો છે તે! સોગન ખા!&lt;br /&gt;
અબલા : મને કહેવામાં આવ્યું છે કે હમણાં પણ હું તારા શરીરનો અંશ છું – તારા આત્માનો પણ!...તો પછી શા માટે સોગન ખાવા?&lt;br /&gt;
તેજસિંહ : મારા શરીરની કલા હોય, તો મારી સોડમાં ભરાવ, એટલે તે મારાં આંસુ નહીં જોઈ શકે.&lt;br /&gt;
અબલા : તારે બદલે મને તે લૂછવા દે! જો, એટલા માટે તો હું અહીં આવી છું.&lt;br /&gt;
તેજસિંહ : હાશ, મને આરામ છે...આજ લગી કોઈ આભીર રોતો જણાયો નથી એટલે શરમનો માર્યો હું મરી જાત. તિષ્યરાજને બાળ્યા ત્યારે પણ અમે રોયા નહોતા...છતાં હું શરમાતો નથી...એકદમ કેમ હું સ્વસ્થ થયો તે સમજાતું હોત!...અબલે, મારે તને કાંઈ કહેવું છે, પણ હસીને મારો તિરસ્કાર કરીશ મા.&lt;br /&gt;
અબલા : કેવી રીતે તારા તરફ દાંત કાઢું, વહાલા!&lt;br /&gt;
તેજસિંહ : મને ભૂખ લાગી છે.&lt;br /&gt;
અબલા (આશ્ચર્યથી ઊછળીને) : અફસોસ, આપે તો બધું આપી દીધું છે!&lt;br /&gt;
તેજસિંહ : ના, બિલકુલ નહીં! પણ જા, જઈશ?&lt;br /&gt;
{{right|[અબલા જાય છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
મારા ખાટલાની પછવાડે – ચૂલો જણાય છે?&lt;br /&gt;
અબલા : અહીં રાખ પડી છે ત્યાં?&lt;br /&gt;
તેજસિંહ : ત્યાં પેટી છે?&lt;br /&gt;
અબલા : હા.&lt;br /&gt;
તેજસિંહ : ઢાંકણું ઉઘાડીશ?&lt;br /&gt;
અબલા : ઓ બા! ભારે છે!&lt;br /&gt;
તેજસિંહ : હવે અંદર હાથ નાંખ! ઠેઠ અંદર, ઠેઠ અંદર...ત્યાં બુઢ્ઢા કંજૂસ અણહિલ – કેમ?&lt;br /&gt;
અબલા (આશાભંગ થઈને) : રોટલાના બે ટુકડા; એટલું જ છે, નાથ?&lt;br /&gt;
તેજસિંહ : સાચે, એથી વિશેષ નથી.&lt;br /&gt;
અબલા : તાકીદે શકટપુર જઈ આવવાની અનુજ્ઞા છે?...કદાચ હજુ...&lt;br /&gt;
તેજસિંહ : ના, ના...તેમને સૌને કકડાબુકડાની જરૂર છે...તે અહીં લાવ! હમશરીખો તરીકે આપણે વહેંચી લઈશું- હું? બન્ને માટે એ પૂરતું છે. લાવીશ?&lt;br /&gt;
અબલા : હા જી.&lt;br /&gt;
{{right|[તેની જોડમાં બેસે છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : ચાલ, તે મને આપ! હાશ કેવું મજેદાર! સ્વાદિષ્ટ છે ને? પણ હું, તારે પણ ખાવું પડશે.&lt;br /&gt;
અબલા : મને ધાસ્તી છે કે આપને માટે પણ પૂરતું નથી.&lt;br /&gt;
તેજસિંહ : નહીં કબૂલતની વિરુદ્ધ...ઠીક...સ્વાદ સારો નથી?&lt;br /&gt;
અબલા : આવી મીઠાશ અર્ધી પણ કદી ચાખી નથી.&lt;br /&gt;
તેજસિંહ : જરા, નજીક આવ...તારા ખોળામાંથી કકડા ખાઈશ...પણ એકદમ મને ભૂખ કેમ લાગી? જો અત્યારે આપણે લગ્નનો કંસાર ખાઈએ છીએ. &lt;br /&gt;
અબલા : બહાર, સુરા અને અન્નથી જમનારાઓથી વધારે સારી મિજબાની ખરું ને? &lt;br /&gt;
તેજસિંહ : મેં તને નહોતું કહ્યું? પણ તારું આસન બરાબર નથી. &lt;br /&gt;
અબલા : ના, હું બરાબર બેઠી છું.&lt;br /&gt;
તેજસિંહ : ચાલ ઊભી થા! ઊભી થા તો જોઉં. &lt;br /&gt;
અબલા (ઊઠીને) : બોલો?&lt;br /&gt;
તેજસિંહ : ત્યાં ઉપર બેસ.&lt;br /&gt;
અબલા : સિંહાસન ઉપર—પ્રભુની ખાતર—હું કેવી રીતે હિમ્મત કરૂં?&lt;br /&gt;
તેજસિંહ : તું રાણી નથી!&lt;br /&gt;
અબલા (નિશ્ચયપૂર્વક) : સાચેસાચું બેસવું જોઈશે! પણ ગમ્મતમાં – નહિ! &lt;br /&gt;
તેજસિંહ : હં લાકડાના પાગલ ટુકડા!&lt;br /&gt;
[સિંહાસન ઊથલાવી પાડે છે.] &lt;br /&gt;
છેવટે કાંઈક કામમાં તો આવવું જોઈએ...વારુ, હવે એને અઢેલી ઊભી રહે.&lt;br /&gt;
અબલા : વહાલા આપ વાજબી વર્તો છો?&lt;br /&gt;
તેજસિંહ : (ચમકીને) નહીં જ!(સિંહાસન હતું તેમ ગોઠવે છે. તેનાં પગથિયાં પર અબલાને લઈ જાય છે અને ગાદી પર તેનું માથું રખાવે છે) બરાબર બેઠી — ખરું!... આવા નજીવા પદાર્થોનો અપરાધ આપણે નથી કરતા. રાજગુરુએ આ જોયું હોત — એમણે, હા! હા! હા! થોભ, હું ફરીથી ખાઈશ.&lt;br /&gt;
અબલા : લો, જમો!&lt;br /&gt;
તેજસિંહ : હજુ–તદ્દન હાલ્યાચાલ્યા વિના રહીશ! હું જાતે લઈ આવીશ.&lt;br /&gt;
(પગથિયાં પર તેની પાસે ઘૂંટણિયે પડે છે.) હવે તારી સાથે હું ઘૂંટણિયે પડ્યો એવું શું નથી જે આપણે શીખતા નથી?...તું રમણીય છે...મારી માનું મને જરાયે સ્મરણ નથી &lt;br /&gt;
અબલા : જરાયે નથી!&lt;br /&gt;
તેજસિંહ : બેન પણ નહોતી...કોઈ નહોતું...જિંદગીમાં કોઈ દિવસ રમ્યો ખેલ્યો પણ નથી...પણ હવે છેલ્લું છતાં ઓછું અગત્યનું નહીં એવું શીખી લઉં છું.&lt;br /&gt;
અબલા : કેમ છેલ્લું છેલ્લું?&lt;br /&gt;
તેજસિંહ : પૂછો મા – નહીં? અહહ, તું, તું! હા, હા, હા, ખા તો ખરી. મારામાંથી કરડ-હું? આજ્ઞા પાળ, રાજગુરુએ કહેલાં મંત્રો યાદ છે ને?&lt;br /&gt;
અબલા (કરડે છે ને – તરત જ ઊછળે છે) : પણ આપ કાંઈ પીશો ખરા ને?&lt;br /&gt;
તેજસિંહ : અલબત્ત! દૂધનો કટોરો માત્ર લાવ! દૂધનો કટોરો માત્ર લાવ! અણહિલે કહેલી વટલોઈ તું ઓળખે છે?&lt;br /&gt;
અબલા (સામી તરફ જોઈને) : આ જ કે!&lt;br /&gt;
તેજસિંહ (ઊભા થઈને) : એ જ તારેય પીવું પડશે.&lt;br /&gt;
અબલા : એ યોગ્ય ગણાય?&lt;br /&gt;
તેજસિંહ : મને માલૂમ નથી પણ હોવું જોઈએ.&lt;br /&gt;
અબલા : ઠીક ત્યારે થવા દો.&lt;br /&gt;
[પીએ છે અને હસવાથી હાલે છે.]&lt;br /&gt;
ઉંહું! ગંધ મારે છે.&lt;br /&gt;
તેજસિંહ : મને આપ. (પીએ છે.) કાંઈ નહીં. (ફરીથી પીએ છે.) જા! અન્નદેવતાનો આવો તું તિરસ્કાર કરે છે?...ઠીક, ત્યારે તું કોણ છે? અહીં કેવી રીતે આવી! કહે મારું શું કામ છે!&lt;br /&gt;
અબલા : તને હું ચાહીશ.&lt;br /&gt;
તેજસિંહ : તું મારી સહધર્મચારિણી! –તું...&lt;br /&gt;
(હાથ પ્રસારી બન્ને દોડી આશ્લિષ્ટ થાય છે. હળવેથી) મને ચુમ્બન નહીં દે?&lt;br /&gt;
તેજસિંહ : કહેને, કેમ નહીં?&lt;br /&gt;
અબલા : તારા કાનમાં કહીશ!&lt;br /&gt;
તેજસિંહ : વારુ.&lt;br /&gt;
અબલા : તારી દાઢી ઋક્ષ છે.&lt;br /&gt;
તેજસિંહ (મોં ગભરાટમાં લૂછે છે. પછી ખોટો ગુસ્સો ધારણ કરીને) : મારી દાઢી કેવી છે! હું કોણ છું તેની તને ખબર નથી? તારા રાજાને આવું કહેવાની બેઅદબી તારામાં ક્યાંથી આવી!... કહે ફરી એકવાર ફરીથી કહે જોઈએ! પછી હું જોઈશ.&lt;br /&gt;
અબલા (હસતાં) : ઋક્ષ — દાઢી — છે.&lt;br /&gt;
તેજસિંહ : (હસતાં) હવે, ઊભી રહે!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૨મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, અણલા, આણહિલ.&lt;br /&gt;
[અબલા શરમાઈને માથું ધુણાવે છે.]&lt;br /&gt;
અણહિલ : હજુર, હાક મારી?&lt;br /&gt;
[આશ્ચર્યથી જડ થઈ ઊભો રહે છે. છાનામાના જતા રહેવાની તૈયારીમાં છે.]&lt;br /&gt;
તેજસિંહ (સપાટામાં સ્વસ્થ થાય છે. સ્વપ્નમાંથી જાગતો હોય એવો દેખાય છે. શરૂઆતમાં જેવી મ્લાન મંદતા એનામાં હતી તેનો અધિકાર તેની રીતભાત અને દેખાવમાં આવે છે) : ઊભો રહે, થોભ, બહાર શું થાય છે?&lt;br /&gt;
અણહિલ : શકટપુરથી યોદ્ધાઓ પાછા આવતા જાય છે. ઘણાની સાથે તેમની વહુઓ આવે છે.&lt;br /&gt;
તેજસિંહ : સામંતો ભેગા થયા?&lt;br /&gt;
અણહિલ : જી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહ : એક ક્ષણ વધારે તેઓ ખામોશ રાખશે?&lt;br /&gt;
અણહિલ : જી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહ : મારેય વહુ છે.&lt;br /&gt;
અણહિલ : જી, છે, હજૂર.&lt;br /&gt;
[જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૩મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ. અબલા.&lt;br /&gt;
અબલા : તેજ, વહાલા શું થાય છે?&lt;br /&gt;
તેજસિંહ (તેની સમક્ષ ઊભા રહી પોતાના હાથમાં તેનું માથું ભીડે છે) : સુખદુઃખના સમગ્ર સંસારમાં થઈને હાથોહાથ મેળવી આપણે ગયાં હોઈએ એવો અનુભવ આ ક્ષણે મને થાય છે. તે અદૃશ્ય થાય છે.–બધું અદૃશ્ય થાય છે. ફરીથી હું છું – હું હતો – ના, તે હું રહ્યો નથી – પણ તું સર્વે સ્ત્રીઓથી શ્રેષ્ઠ થા, રાણી...થઈશ?&lt;br /&gt;
અબલા : દેવ, શી આજ્ઞા છે?&lt;br /&gt;
તેજસિંહ : કાલાવાલા કે રૂદન નહીં કરે ને?&lt;br /&gt;
અબલા : નહીં જ નાથ.&lt;br /&gt;
તેજસિંહ : દિવસ જલદીથી ઊગશે, અમારી આગળ મૃત્યુ ઊભું છે.&lt;br /&gt;
અબલા : નાથ, આપ શું કહો છો તે સમજતી નથી. આપણા ઉપર કોઈ હુમલો કરી શકે એમ નથી, અને વહાણ આવે ત્યાં લગી—&lt;br /&gt;
તેજસિંહ : હવે વહાણ કદી આવવાનાં નથી.&lt;br /&gt;
[અબલા કપાળ કૂટે છે ને પછી નિશ્ચલ ઊભી રહે છે.]&lt;br /&gt;
તેજસિંહ : પણ અમે મરદો કેસરિયાં કરી રણમાં ઊતરવાના છીએ.&lt;br /&gt;
અબલા : તે તમે નહીં કરી શકો—તે ખચિત — અશક્ય છે.&lt;br /&gt;
તેજસિંહ : અમારે ઊતરવું જોઈએ. તું રાણી છે, પછી જોઈ શકતી નથી કે અમારે ઊતરવું જોઈએ.&lt;br /&gt;
અબલા : હા – હું – જો...ઈ...શ...કું...છું.&lt;br /&gt;
તેજસિંહ : રાજા મોખરે લડે છે. હવે આપણે જીવતાં મળી શકીશું નહીં...તેની તને ખબર છે ને?&lt;br /&gt;
અબલા : હા ખબર છે!...&lt;br /&gt;
[શાન્તિ, બન્ને એકેકના સામું જુએ છે.]&lt;br /&gt;
તેજસિંહ : રણસંગ્રામમાં તારી શુભેચ્છાઓ સાથે લઈશ.&lt;br /&gt;
[અબલાને પગે પડે છે. અબલા તેજસિંહના માથા પર હાથ મૂકે છે, તેના તરફ નીચી વળે છે અને ધ્રૂજતી ધ્રૂજતી તેના કપાળમાં ચુમ્બન કરે છે.]&lt;br /&gt;
તેજસિંહ (કૂદી ઊભો થાય છે અને તંબુની કનાત ચીરી નાંખે છે) : રાહ જોતા હોય તે આવો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૪મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એનાં એ જ. સાધના, દેવસેન, વાચસ્પતિ, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો.&lt;br /&gt;
સાધના : રાજેન્દ્ર, આપની પાસે મારી બાળકીને મોકલી હતી...તમે મરદો જંગમાં ઊતરવાના છો એવું સાંભળ્યું છે...તે મને પાછી સોંપો.&lt;br /&gt;
તેજસિંહ : લો, તમારી બાળકી!&lt;br /&gt;
[સાધના અને અબલા જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૫મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અબલા અને સાધના સિવાય એના એ જ.&lt;br /&gt;
તેજસિંહ (તેમની પાછળ તાકી તાકીને જુએ છે; જાગૃત થાય છે ત્યાં રાજગુરુને જુએ છે.) : ગુરુદેવ, કાલે સાંજે મેં આપની અવગણના કરી હતી. માફ કરો. મારી કૃતજ્ઞતાની લાગણી સ્વીકારો. હું પણ સારી રીતે જાણું છું, આભીરોને મૃત્યુ શા માટે પ્રિય છે?...(તરવાર પકડે છે.) ચાલો તૈયાર છો ને? છેલ્લી વિદાયગીરી લેવાઈ રહી?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ! આપની આજ્ઞા અમે તોડી છે. અમારી વહુઓમાંથી કોણે આગળ પડી અથવા અમારામાંથી કોણે વાત કહી દીધી તે જાણી શકાતું નથી. સૌ તે જાણે છે એટલું નિ:સંશય છે.&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે તો સૌએ કકળાટ અને રડારોળ કરી મુક્યાં ને?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ! અમારી ભમ્મરો પર મૃત્યુના આશીર્વાદની નીરવ મુદ્રા તેમણે અંકિત કરી છે.&lt;br /&gt;
તેજસિંહ (અર્ધો પોતાની સાથે ઉદ્ગાર કાઢે છે) : તેમણે પણ! (મોટેથી) ખરે જ આપણે રાજવીઓની પ્રજા છીએ. એ આપણું કમભાગ્ય છે. ચાલો ત્યારે!&lt;br /&gt;
[પાછળ, ફલંગ ભરતો જાય છે. બીજાઓ તેને અનુસરે છે. રાજાને વધાવતી નિનાદભરી લોકવાણી પર પડદો પડે છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = તોળલ અથવા તોળીરાણી&lt;br /&gt;
|next = રિપુ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9&amp;diff=111417</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/તેજસિંહ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9&amp;diff=111417"/>
		<updated>2026-05-28T05:13:06Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|તેજસિંહ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પાત્રો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|&lt;br /&gt;
|તેજસિંહ &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાજા		&lt;br /&gt;
|-&lt;br /&gt;
|અબલા&lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાણી		&lt;br /&gt;
|-&lt;br /&gt;
|સાધના &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાણીની મા&lt;br /&gt;
|-&lt;br /&gt;
|વાચસ્પતિ &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાજગુરુ&lt;br /&gt;
|-&lt;br /&gt;
|દેવસેન,&lt;br /&gt;
| rowspan=3|{{brace2|3|r}}&lt;br /&gt;
|rowspan=3|...સરદારો&lt;br /&gt;
|-&lt;br /&gt;
| સ્કંદ,	&lt;br /&gt;
|-&lt;br /&gt;
|આદિત્ય,&lt;br /&gt;
|-{{ts|vmi}}&lt;br /&gt;
|અણહિલ,&lt;br /&gt;
| rowspan=2|{{brace2|2|r}}&lt;br /&gt;
|  rowspan=2|...સૈનિક&lt;br /&gt;
|-&lt;br /&gt;
|હરિહર	&lt;br /&gt;
|-&lt;br /&gt;
|બે પહેરેગીર&lt;br /&gt;
|}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[દૃશ્ય રાજાના તંબુનું છે. પાછળના બારણાની કનાત ઉપર નાંખેલી હોવાથી સિપાહીઓની છાવણી સોંસરી વિશ્વકર્માની ધાર તરફ અને આથમતા સૂર્યના પ્રકાશમાં ચળકતા દૂર સમુદ્ર પર આંખ પથરાય છે. ડાબી બાજુએ જેવું તેવું ઘડેલું રાજસિંહાસન છે. વચમાં બેસવાની પાટ છે. ચામડાં સીવીને બનાવેલો ખાટલો જમણી બાજુએ છે. ઉપર જુદી જુદી જાતનાં હથિયારો લટકાવેલાં છે. જમણી અને ડાબી બાજુએ મશાલો.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧ લો.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૧ લો પહેરેગીર : અલ્યા! ઊંઘી ગયો કે?&lt;br /&gt;
૨ જો : કેમ જાણ્યું કે ઊંઘી ગયો?&lt;br /&gt;
૧ લો : પિનાકની પેઠે કમાન થયેલા ભાલા પર અઢેલી વળેલો ઊભો છે. તેથી જાણ્યું.&lt;br /&gt;
૨ જો : આમ વળેલો ઊભો છું એટલે ભૂખનું દુઃખ ઓછું લાગે છે.&lt;br /&gt;
૧ લો : એ ખોટી વાત છે. એથી તારા કમ્મરબંધ જેટલી જ ગરજ સરે છે. ટટ્ટાર થતાં ઊલટી વધારે કકડીને ભૂખ લાગે છે.&lt;br /&gt;
૨ જો : આમ ક્યાં લગી ચાલવાનું છે?&lt;br /&gt;
૧ લો : વહાણો આવે ત્યાં લગી — તદ્દન સમજાય એવું છે.&lt;br /&gt;
૨ જો : ખરું, પણ વહાણો ક્યારે આવશે?&lt;br /&gt;
૧ લો : એની ખબર મને શી રીતે પડે? ઊંચે ધાર તરફ નજર કર. ત્યાં ઊંચે જો ઇન્દ્રમંડપ પર ચોકીદાર ઊભો છે અને દસ ગામે લાંબે નજર ફેરવે છે. એને ખબર હોય તો હોય! મઠીઆ ડુંગરાની પછાડી વહાણ આવતાં હશે.&lt;br /&gt;
૨ જો : પણ દુશ્મનો આવવા દેશે ત્યારે ને.&lt;br /&gt;
૧ લો : દુશ્મનો પાસે વહાણો નથી.&lt;br /&gt;
૨ જો : વાડની માફક આપણા આખા દેશને ફરી વળે એટલાં વહાણ એની પાસે છે. બે મહિના થયાં એ ગુલામ જેવો આપણને ઘેરી વળ્યો છે તેમ ફરી વળે એટલાં છે.&lt;br /&gt;
૧ લો : બે મહિના!&lt;br /&gt;
૨ જો : તને ખબર છે આજે બપોરે મને શું ખાવા મળ્યું હતું? આઠ દિવસ પર જે રોટલો કરડતાં દાંત કકડ્યા હતા તે જ રોટલાનું તળીઉં. સાચે, નખે નખે મેં તે પર ત્રણ સાથિયા કાઢ્યા. અમે પણ ફરી ઠીક મળ્યા! પણ આજે, તે જ રોટલો ઊલટથી ભચડાવી ગયો...રાજાના લગ્નના દિવસનું જુગતું જમણ!&lt;br /&gt;
૧ લો : શું તું એમ માને છે કે હઝુરસાહેબને વધારે હતું?&lt;br /&gt;
૨ જો : એમની કને વધારે હોત તો શું આપણે બધા આમ મરણીયા થાત, આપણો કચ્ચરઘાણ વળવા દેત, રણમાં આગળ ઝુકાવત, શરમ રાખત કે? કશાની ચોકી નથી કરવાની એવું જાણતા ન હોત તો અહીં સાંકળે બાંધેલા કૂતરાની માફક પડી રહી પહેરો ભરત કે?&lt;br /&gt;
૧ લો : સોનું જોઈએ એટલું છે.&lt;br /&gt;
૨ જો : સોનું! હં, સોનું! સોનું મારી પાસે પણ પુષ્કળ છે. કેશવપુરમાં મારા ભોંયરામાં ધન દાટ્યું છે. હં!......તે એ! શિવપુર પાછળ રહેલી બાયડીઓ કને ખાવાનું રહ્યું હશે......ઢોર જીવતાં હશે તો દૂધ પણ.&lt;br /&gt;
૧ લો : હા, બૈરાંઓને ત્યાં લહેર છે –તારી વહુ નથી. ખરું ને?&lt;br /&gt;
૨ જો : એક દુશ્મને મારી વહુની લાજ લૂંટીને મેં બન્નેના જાન લીધા!(અટકે છે) ઠીક! બાયડીઓને ખાવાનું જોઈએ; દૂધ પણ. પણ કેટલો વખત–(ધીમેથી પાસે આવતાં હથિયારોનો ખડખડ અવાજ) જો લગ્ન ખરેખર પૂરું થયું છે.&lt;br /&gt;
૧ લો : ચૂપ જો, બૂઢો અણહિલ આવે છે– હજૂરની ઢાલ સાથે (બીજો પહેરો ભરવા માંડે છે.)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૨જો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[અણહિલ પ્રવેશે છે. ઢાલને એની જગ્યાએ ભેરવે છે, અને વીખરાયેલાં હથિયારો બાજુ પર ગોઠવે છે.]&lt;br /&gt;
અણહિલ : કેમ, કાંઈ ખબર આવ્યા?&lt;br /&gt;
૧ લો : ના!&lt;br /&gt;
અણહિલ : તમને ભૂખ લાગી છે?&lt;br /&gt;
૨ જો : હા.&lt;br /&gt;
અણહિલ : ભૂખ બૈરાંને લાગે. ચિત્ત ઠેકાણે રાખો! આપણી જુવાન રાણી આગળ આવાં કરમાયેલાં મોં બતાવશો મા. લગ્નદિવસે એવું શોભતું નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૩જો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[ઘોંઘાટ કરતા લોકોથી વીંટળાયેલા તેજસિંહ અને અબળાના હાથ પકડી રાજગુરુ તંબુના આંગણામાં આવે છે. તેમની આગળ ધૂપદાની વીંઝતા બે બટુકો, પાછળ સાધના, દેવસેન, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો અને સેનાનીઓ. તંબુના દરવાજાઓની કનાતો નીચી ઢાળેલી છે. પહેરેગીરો ચાલ્યા જાય છે.&lt;br /&gt;
રાજગુરુ રાજારાણીના હાથ મૂકી દે છે, સાધના તરફ ફરે છે.&lt;br /&gt;
તેજસિંહ ગમગીન અને વિચારગ્રસ્ત ઊભો રહે છે. અબલા આસપાસ લજ્જાલુ પૃચ્છક દૃષ્ટિ નાંખે છે. દુઃખદ શાંતિ.]&lt;br /&gt;
અણહિલ(આસ્તેથી) : રાજેન્દ્ર, નવયૌવના રાણીનો સત્કાર વાણીથી કરવો જોઈએ.&lt;br /&gt;
તેજસિંહ(આસ્તેથી) : કરવો જોઈશે? (ધૂપદાનીવાળા છોકરાની ગરદન પકડી) છોકરા, એટલું બધું આકરું નહીં; ધુમાડો અમારાં નસકોરામાં ઠેઠ ગરી જાય છે. ધૂપદાની ધરવાની ન હોય ત્યારે તું શું કરે છે?&lt;br /&gt;
બટુક : મારી તરવાર ધરું છું, નામદાર!&lt;br /&gt;
તેજસિંહ : બરાબર છે. જલદી તરવાર પકડ નહિતર પાછળ પડી જઈશ. (ધીમેથી) અણહિલ, વહાણ દેખાતાં નથી ને?&lt;br /&gt;
અણહિલ : ના, હજૂર પણ આપની નવોઢા રાણી સાથે બોલો તો ખરા.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક.......ત્યારે હવે હું વહુવાળો થયો. એમ ગુરુદેવ?&lt;br /&gt;
રાજગુરુ : અહીં આપની રાણી ઊભાં છે, રાજેન્દ્ર આપનો શબ્દ સાંભળવા તલસે છે.&lt;br /&gt;
તેજસિંહ : રાણીજી, જોઈતો શબ્દ જડતો નથી માટે ક્ષમા કરો. રણક્ષેત્રોના ખોળામાં ઊછર્યો છું, માણસના નિવાસનાં બીજાં સ્થળોનો પરિચય નથી. મારી સાથે આવી જિંદગી ગાળવાનું તને ભારે પડશે.&lt;br /&gt;
અબળા : રાજેશ્વર...મારી બાએ...મને શીખવ્યું છે...(અટકી પડે છે.)&lt;br /&gt;
તેજસિંહ : (હેતનો દેખાવ કરી) તારી બાએ શું શીખવ્યું છે?&lt;br /&gt;
અબળા : પત્ની સ્વામીને આધીન છે–સંકટના સમયમાં તો ખાસ કરીને; મારી બાએ આટલું શીખવ્યું છે, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : તમારે સ્ત્રીઓ માટે એ તદ્દન વાસ્તવિક અને ધર્મ્ય હશે...પણ સંકટના સમયે પતિ પણ પત્નીને આધીન હોય તો? સાસુજી! પણે શકટપુરમાં પત્નીઓ પાસે હરણીયાં દોડાદોડ કરે છે. દિવસોના દિવસો થયાં મારા સિપાહીઓને ખાવાનું મળ્યું નથી. એ હરણીયાં એમને ખાવા આપો એવી મારી સલાહ છે.&lt;br /&gt;
[સાધના સાથું નમાવે છે]&lt;br /&gt;
રાજગુરુ : મારા રાજેન્દ્ર!&lt;br /&gt;
તેજસિંહ : હે! ગુરુદેવ, હમણાં જ રણભૂમિ પરના લગ્નમંડપમાં આપ સુભાષિત વાણી બોલ્યા છો. આટલી વારમાં ફરી ઉપદેશ આપવા વૃત્તિ થઈ છે?&lt;br /&gt;
રાજગુરૂ : કહેવા વૃત્તિ થઈ છે, દુઃખ આપનો આત્મા કોરી ખાય છે એટલે.&lt;br /&gt;
તેજસિંહ : ખરે જ? આપ શું એમ ધારો છો? ચાલો ત્યારે સાંભળીશ.&lt;br /&gt;
રાજગુરુ : સાંભળ, ઈશ્વરી કોપની મૂર્તિ સરીખો તું અમારામાં ઉદય પામ્યો છે. જુવાન......પ્રજાએ તારાં વર્ષો નથી ગણ્યાં પણ તારાં પરાક્રમો, રાજીખુશીથી વૃદ્ધોએ તારી જુવાનીને નમન કર્યું છે. વિનમ્રતમ હોઈ તારે માટે સેવાનાં લાંબાં વર્ષો હોવાથી, તું જોતજોતામાં અમારો શાસ્તા થયો. ઈશાદિત્યના સુવર્ણતખ્ત પરથી – જે તખ્ત પર એક વેળા દયા ઇન્સાફ આપતી હતી, જ્યાંથી હસતે મુખડે તિષ્યરાજ ક્ષમા આપતા હતા, ત્યાંથી તારા ખૂની શબ્દો ગાજી ઊઠ્યા.....ને ઝેરી ઘા માફક આપત્તિ અમને હેરાન કરી રહી છે. વિશ્વકર્મા પહાડના ઊના વાયરામાં અહીંથી તહીં હેરાન થતાં બૈરાંછોકરાં સાથે અમે છાવણી નાંખી પડ્યાં છીએ; અને દુશ્મનો, તેમના ભાડુતી સિપાઈઓથી આપણને ઘેરી રહ્યા છે.&lt;br /&gt;
તેજસિંહ : બરાબર ઘેરી રહ્યાં છે. હા, હા! સોંસરા ઉંદર પણ આવી શકે નહીં.&lt;br /&gt;
રાજગુરુ : સમુદ્ર ભણી આપણી નજર આશાપ્રેરી દોડે છે; ત્યાંથી ભોજન આવશે.&lt;br /&gt;
તેજસિંહ : વહાણોના કાંઈ જ વાવડ નથી?&lt;br /&gt;
અણહિલ(હળવેથી) : બિલકુલ નથી.&lt;br /&gt;
રાજગુરુ : દુઃખથી નવા વિગ્રહ માટે અમે શસ્ત્રબદ્ધ થયા તે પહેલાં, સ્વતંત્ર મનુષ્યો તરીકે, અસલથી ચાલતા આવેલા રિવાજ મુજબ તારે માટે રાણી પસંદ કરવાનો અમે નિશ્ચય કીધો. પોતાના શરીર દ્વારા તું અનુભવી શકે કે ઈશ્વર શા માટે મૃત્યુ ચાહે છે, તેટલા સારુ અમે અસલી રિવાજ પાળ્યો છે.&lt;br /&gt;
તેજસિંહ : તમારો રાજા જિંદગીને ઘણી વધારે ચાહે છે એવું તમને લાગ્યું?&lt;br /&gt;
રાજગુરુ : મારા રાજેન્દ્ર!&lt;br /&gt;
તેજસિંહ : નહીં જ, એમ ધારવાની હિંમત તમારામાં નથી, કારણ કે આ જીવનની દરેક પળ તમને ખસીઆણા પાડશે... અસલના રિવાજ મુજબ જરૂર હોય છતાં, શા માટે આ બાળક વસ્તુ સાથે તમે મારાં લગ્ન કીધાં?—તે એટલી બાળક છે કે તમારી અને મારી આગળ બીકથી થરથરે છે. અને પોતાની માના છેડામાં સંતાય છે; અને ખાસ કરીને આવા યોગ્ય દિવસે, લગ્નના મંગલગીત ભૂખ ગાય છે ત્યારે...આમ ઊંચે જુઓ, રાણીજી,—અર્ધા કલાકથી મળેલા ઇલ્કાબથી તને બોલાવવી જોઈએ; મારા નાથ! હજુ તારું નામ પણ હું જાણતો નથી. વિનવું છું. મારા સામું જો! મને ઓળખે છે?&lt;br /&gt;
અબળા : આપ રાજેશ્વર છો, નામદાર!&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, પણ તારી નજરમાં હું મનુષ્ય હોવો જોઈએ, રાજા નહીં...તારી આગળ કેવી જાતનો મનુષ્ય ઊભો છે તેની તને ખબર છે?...જો! અત્યાર લગી આ હાથો લોહીમાં બોળવામાં આવ્યા છે. મરદાની જંગમાં રેડાયેલા માનવલોહીમાં નહીં – હું તેની વાત કરતો નથી. કારણ કે તેથી મનુષ્યની કીર્તિ વધે છે – પરંતુ અશસ્ત્રી રક્તહીન બાળકોનાં લોહીમાં, –(કંપે છે) – આવા હાથે તારા કંઠને આશ્લેષ કરવા આવું તો તું આનંદ પામીશ?......સાચે, મારું કહેવું તું સાંભળે છે? મારો સ્વર લલિત, મધુર નથી? જરાક કર્કશ છે. ખૂન કરવા જોસથી આરડેલા હુકમથી તે થાકેલો છે. આવી મોહક કર્કશતામાંથી કોમળ સ્વરો તું સાંભળશે ત્યારે તારો આનંદ અવનવો થશે. હું આ જન્મસિદ્ધ કાન્ત નથી એ આ શાણા પુરુષો જાણતા હતા. એટલે જ એઓએ મને મારો ધંધો શીખવ્યો......અથવા છાવણીમાં જિંદગી ગુજારવાથી થતા કંટાળાથી તમારા રાજાને છેતરવાનું તમારું કર્તવ્ય છે એમ માનો છો? સુવર્ણમય શતવપ્રમાં મહાન ન્યાયવર્ષે જેવી રીતે મોજ માણી અને રૈયતનો સંહાર કરવા પોતાના ખોજાઓને મોકલ્યા હતા તેમ? હા, હા, હા&lt;br /&gt;
રાજગુરુ : નામદાર, સંભાળજો નહીંતર પિત્તો ઉછળશે.&lt;br /&gt;
તેજસિંહ : ગુરુવર્ય, ધ્યાન ખેંચવા માટે ઋણી છું પણ એ નિરર્થક છે. આ તો મારા લગ્નની ગમ્મત છે......પણ હવે તમારી સાથે ખરા દિલથી બોલીશ......(આસન પર ઊંચે ચડે છે.) ઇશાદિત્યના સુવર્ણ આસન પર, જ્યાં દયા ઇન્સાફ આપતી હતી ત્યાં અફસોસ કે હું મારું સ્થાન મેળવી નહીં શકું. દુશ્મનોના પાટનગરમાં બળતણ માટે તેના કટકેકટકા થાય છે...તેમ તિષ્યરાજની પેઠે હસતે મુખડે હું માફ પણ કરી શકતો નથી, કારણ કે હવે કોઈને માફીની જરૂર નથી... દુશ્મનોની પ્રશસ્ત જાતિમાંથી ભૂખ્યા વાઘનું ટોળું જન્મ પામ્યું છે — એમને જેર કરવા પણ વાઘની જરૂર છે. આપે, ગુરુદેવ, મને ઈશ્વરી કોપની મૂર્તિ કહી, પણ હું તે નથી...હું તો ફક્ત તમારી નિરાશાની મૂર્તિ છું. સારા જીવનમાં જેણે કશાની અભિલાષા નથી રાખી, કશાની અપેક્ષા નથી રાખી. એવો હું તમારી સૌની આગળ ઊભો રહું છું અને એવો જ તમારી સમક્ષ કામે આવીશ. તે તમે જાણો છો, તેથી જ ગુપ્ત રીતે મને ઠપકો આપવામાં તમે સૌ ભૂલ કરો છો. મને ખોટો ન પાડો!...તમારી નમેલી ભ્રમરોની નીચેથી હું સ્પષ્ટ વાંચી શકું છું. આપણા પાસા અવળા પડે છે માટે મને હોળીનું નાળિયેર કરો મા. એટલી તમને મારી સલાહ છે.&lt;br /&gt;
આદિત્ય : દેવ, અમને ઘા ન મારો......અમારા લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું આપનું છે. આ ઘરડાઓ સાથે અમને કઢામાં ન નાંખો.&lt;br /&gt;
દેવસેન : અમે ડોસાઓ બીજાઓની પેઠે લડીએ છીએ; અને જુવાન, તેમની જ માફક ચાહીએ પણ છીએ.&lt;br /&gt;
તેજસિંહ : ચાલો, એટલેથી પતાવો. સંકટમાં મિત્રો અંદર અંદર કેવા લડી પડે છે તે તમારી રાણી જલદીથી સારી રીતે શીખશે. તમે છાવણીમાં થઈને જાઓ ત્યારે સૈનિકોને કહો – એ એક જ વાત રાજાને આજે કચવે છે – આ આનંદના દિવસે કેમ ખરું ને – જોઈએ તેવું લગ્નનું જમણ જમાડવાની તાકાત મારામાં નથી......અથવા હજુ કદાચ – અણહિલ!&lt;br /&gt;
અણહિલ : (જમણી તરફ તરત જ આવેલા પહેરેગીર સાથે ગભરામણમાં ગૂપચૂપ વાત કરતો હતો) : જી, હજુર.&lt;br /&gt;
તેજસિંહ : આપણા કોઠારમાં હજુ શું છે? ડોસા?&lt;br /&gt;
અણહિલ : (સંક્ષોભ અંકુશમાં રાખી) આપે આપનો સર્વે ખોરાક આપી દીધો છે.&lt;br /&gt;
તેજસિંહે : પૂછું છું કે શું પડ્યું રહ્યું છે?&lt;br /&gt;
અણહિલ : એક વટલોઈ ભરેલું બગડેલું દૂધ ને બે ફુગાયેલા રોટલા.&lt;br /&gt;
તેજસિંહ : હા, હા, હા! હવે જુઓ, રાણીજી! કેવો મુફલેસ ધણી તમને મળ્યો છે? લોકો કહે છે તેમ ત્યાં વહાણો આવ્યાં હોય તો દરેકની લાયકાત મુજબ સર્વેની બાદશાહી મહેમાનગીરી કરીશ – પણ તેમને એ જણાવશો નહીં, રખેને તેમનો આહ્લાદ કથળે. પણ કહેજો કે જો રણશીંગા સાંભળે તો તમારે માટે સારું સારું ભોજન પીરસાશે, એટલું બધું –(પોતા તરફ સરી આવતા અણહિલને) શું છે?&lt;br /&gt;
અણહિલ : (ધીમેથી) પહેરો ગયો. વહાણો નાશ પામ્યાં.&lt;br /&gt;
તેજસિંહ : (સહેજ પણ ચહેરો બદલ્યા વગર) નાશ પામ્યાં કેમ – કેવી રીતે?&lt;br /&gt;
અણહિલ : દ્રોહથી.&lt;br /&gt;
તેજસિંહ : હં, ઠીક! અહં, સાથે બેસી સૌએ ખાધું હોત જમણ- સર્વેને પીરસ્યું હોત, સ્ત્રીઓ માટે મેવો અને મીઠાઈ...(સિંહાસન પર ગબડતો પડે છે અને દૂર શૂન્ય દૃષ્ટિ નાંખે છે.)&lt;br /&gt;
માણસો : રાજાને શું થયું? રાજાની સામે તો જુઓ!&lt;br /&gt;
અબલા : ખરેખર ભૂખ્યા થયા છે, બા! (પાસે જાય છે, માણસો આઘા ખસે છે) મારા રાજા!&lt;br /&gt;
તેજસિંહ : સ્ત્રી, તું કોણ છે? શું કરવાની છે, સ્ત્રી!&lt;br /&gt;
અબલા : સ્વામી, મદદ કરી શકું?&lt;br /&gt;
તેજસિંહ : હં! તમે રાણી છો. માફ કરો, તમે પણ સૌ દરગુજર કરો, ભાઈઓ.&lt;br /&gt;
રાજગુરુ : આપનું બળ સમેટવું જોઈશે, રાજેન્દ્ર!&lt;br /&gt;
આદિત્ય : હા, હજૂર, અમારી સૌની ખાતર.&lt;br /&gt;
માણસો : અમારી સૌની ખાતર.&lt;br /&gt;
તેજસિંહ : વ્યાજબી છે. તમારી ચેતવણી ખરે વખતે છે. સુંદરીઓ, તમે સૌ તમારી છાવણીમાં જાઓ એટલી મારી વિનંતિ છે. અમારે મસલત કરવી છે. ગુરુદેવ, આપ અમને સહીસલામત પહોંચાડો.&lt;br /&gt;
સાધના : (આસ્તેથી) બહેન, પ્રણામ કરી લે.&lt;br /&gt;
અબલા : ( ,, ) માડી, હવે મારી સાથે એ નહીં બોલે?&lt;br /&gt;
સાધના : પ્રણામ કરી લે! (અબલા આજ્ઞા પ્રમાણે વર્તે છે.)&lt;br /&gt;
તેજસિંહ : તમારું સૌનું કલ્યાણ થાઓ!&lt;br /&gt;
[અબલા, સાધના, રાજગુરુ જાય છે. બહાર પ્રશંસાધ્વનિ એમને વધાવે છે]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૪થો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[તેજસિંહ, આદિત્ય, દેવસેન, અણહિલ, પહેરેગીર, સામંતો]&lt;br /&gt;
તેજસિંહ : સ્ત્રીઓ અને બ્રાહ્મણને મોકલી દીધાં, હવે જે થવાનું છે તેની નિસ્બત આપણે લડવૈયાઓને છે. ક્યાં છે પહેરેગીર? ભાઈ, આગળ આવ.&lt;br /&gt;
માણસો(બબડતાં) : ધાર પરનો પહેરેગીર! પહેરેગીર!&lt;br /&gt;
તેજસિંહ : ભાઈઓ, સાંભળો વહાણ નાંશ પામ્યાં છે.&lt;br /&gt;
{{gap|10em}}[ઘોંઘાટ, દુઃખની કીકીયારી.] &lt;br /&gt;
શાંત પડો; શાંત, વીરો! તારું નામ હરિહર છે?&lt;br /&gt;
પહેરેગીર : શાંત, વીરો! ગરીબ પરવર!&lt;br /&gt;
તેજસિંહ : ક્યારથી પહેરો ભરે છે?&lt;br /&gt;
પહરેગીર : કાલ સવારથી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહે : ક્યાં છે તારી જોડનાં બે સોબતી?&lt;br /&gt;
પહેરેગીર : તેઓ ધાર પર છે, આપના હુકમ પ્રમાણે, નામદાર.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, તમે શું જોયું?&lt;br /&gt;
પહેરેગીર : ખુદાવિંદ, સમુદ્ર પર મીનાક્ષીની ભૂશિરને પેલી મેર, વિશ્વકર્માનો ધુમાડો ઊતર્યો એટલે આજે સાંજના છેલ્લા પહોર લગી અમારી નજરે કાંઈ આવ્યું નહીં. એવામાં વહાણ દેખાયાં – સંખ્યા પાંચની હતી – કિનારાની તદ્દન નજીક – મૌર્યોના જમાનાનું ખંડિયેર નગર દટાયેલું છે ત્યાં......... અમારામાંનો એક ઉતાવળે આવવા તૈયાર થયો, એવામાં –&lt;br /&gt;
તેજસિંહ : ઊભો રહે? વહાણો પર સંકેત શો હતો?&lt;br /&gt;
પહેરેગીર : આગળનું શઢ આડકતરું વીંટાળેલું હતું અને —&lt;br /&gt;
તેજસિંહ : અને?&lt;br /&gt;
પહેરેગીર : તૂતક આગળ આસોપાલવનો ઝુમખો.&lt;br /&gt;
તેજસિંહ : આસોપાલવ તમે નજરે જોયો?&lt;br /&gt;
પહેરેગીર : આપ નામદારને નિહાળું છું તેવી જ રીતે.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક પછી?&lt;br /&gt;
પહેરેગીર : પછી, દુશ્મનો ખારવાનાં જે વહાણોથી ખોરાક મેળવે છે તેમને પેલાં વહાણોની આસપાસ વીંટળાઈ વળતાં જોયાં, અને તરત જ.&lt;br /&gt;
તેજસિંહ : તરત જ શું?&lt;br /&gt;
પહેરેગીર : હજૂર, ક્ષોભ વિના સૌ દુશ્મનની છાવણી તરફ ચાલ્યાં ગયાં. ત્યાં તેમણે માલ ખાલી કર્યો.&lt;br /&gt;
{{gap|10em}} [માણસો કપાળ કૂટે છે. પ્રગાઢ નીરવતા.]&lt;br /&gt;
તેજસિંહ : (એક પછી એક તરફ હસતી નજર નાંખતો) ઠીક થયું... બહાર ત્યાં તું કોઈને આ વિશે કાંઈ વાત કરીશ નહીં. હું એમને કહીશ.&lt;br /&gt;
{{gap|10em}} [પહેરેગીર ચાલ્યો જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૫મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[તેજસિંહ, આદિત્ય, દેવસેન, સ્કંદ, બીજાઓ, સામંતો]&lt;br /&gt;
તેજસિંહ : બિરાદરો, તમારી સલાહ!&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ, સલાહ અમને સૂઝતી નથી.&lt;br /&gt;
તેજસિંહ : દેવસેન, તું! તારા અનુભવમાંથી કાંઈ?&lt;br /&gt;
દેવસેન : સ્વામી, મહાન ઇશાદિત્યની સેવા મેં કરી છે. છતાં તે પણ કાંઈ આપી શકતી નથી.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, ત્યારે, મને સૂઝે છે......સરળતઃ અને સત્વર સમજાય છે. મરી જાઓ! આવા અવિશ્વાસની નજર કેમ મારા તરફ કરો છો? મારું કહેવું નથી સમજતા? બીકણ દુશ્મનોની પેઠે શરીરે પછેડી લપેટી પીઠમાં ઘા કરવાનું પડોશીને કહેવાનો રસ્તો બતાવું છું એમ ધારો છો? ઠંડા પડો: શરમથી હું તમને બચાવીશ. કીર્તિની પ્રાપ્તિ પ્રત્યે દોરી નહીં જઈ શકું ત્યારે તમારી લાજ નહીં જવા દઉં. જ્યાં લગી ભાલો પકડવાની તાકાત આપણા ત્રીસ જણમાં છે ત્યાં લગી આપણું આ સ્થાન લેવાની કોઈની મગદુર નથી. પણ આખરે વખત આવશે. થોડી જ વારમાં ભૂખથી દુર્બળ થયેલો હાથ આક્રમણ કરતા ખૂનીઓ પાસે રહેમત માગવા લાંબો થઈ શકે નહીં.&lt;br /&gt;
આદિત્ય : મહારાજ, કોઈ આભીર આવું કરતો નથી!&lt;br /&gt;
તેજસિંહ : તું જેવો છું તેની ખાતરી તું કરાવે, પણ તારું શું થશે તેની જામીનગીરી તું મને નહીં આપી શકે; એટલે મારી સલાહ અને આજ્ઞા છે. છેલ્લા યુદ્ધ માટે સૌ સજ્જ થાઓ. પરોઢના ઝળઝળીયામાં આપણે કોતરોમાંથી કૂદી પડશું અને ખુલ્લા મેદાનમાં દુશ્મનોની સામે આપણો વ્યૂહ માંડશું.&lt;br /&gt;
સર્વે : મહારાજ, એ અશક્ય છે.&lt;br /&gt;
આદિત્ય : સ્વામી, વિચાર કરો, આપણા એકની સામે દુશ્મન સો છે.&lt;br /&gt;
તેજસિંહ : તારો અભિપ્રાય, દેવસેન?&lt;br /&gt;
દેવસેન : પ્રભુ, આપ અમને મૃત્યુના માર્ગે લઈ જાઓ છો.&lt;br /&gt;
તેજસિંહ : હા, બરાબર મેં બીજું કહ્યું છે? શું તમે મને રણમાં એવો બિનપલોટાયેલો માનો છો કે પરિણામ મારા લક્ષ બહાર હોય? ત્યારે શા માટે ખચકાઓ છો? જ્યારે તિષ્યરાજ આપણા સેનાની હતા ત્યારે આપણે લાખ હતા, અત્યારે આપણે માત્ર પાંચ છીએ – તે સર્વેને મરતાં આવડતું હતું. આપણે – એમનામાંથી રહેલા સહેલા કંગાળ શું તે વીસરી ગયા હઈશું?&lt;br /&gt;
સર્વે : ના, મહારાજ, ના!&lt;br /&gt;
દેવસેન : પ્રભુ, તે ભયંકર પ્રસંગથી પરિચિત થવા જેટલો વખત આપો.&lt;br /&gt;
તેજસિંહ : ભયંકર? તમને શું ભયંકર લાગે છે? મૃત્યુનો પરિચય મેળવવા સમય જોઈએ છીએ? લીલથી છવાયેલા જૂના પાણાની પેઠે જેની છાતી ઘાના ચાઠાથી અંકિત ન હોય એવો તમારામાં કોઈ નથી. આજ વીસ વર્ષ થયાં તમે મૃત્યુને ઉડાવ્યું છે પણ હવે સાક્ષાત્ આવ્યું છે ત્યારે આભીરો શું ‘ભયંકર’ એવો ઉદ્ગાર કાઢશે? તમે શું કરશો? ભૂખ્યા સૂઈ રહેશો? એકબીજાને ખાઈ જશો? સારું, હું તમારી સાથે એમ વર્તીશ નહીં! હું નહીં જ! આવતી કાલે મારો ભાલો અને ઢાલ લઈ, તમારા ડૂબતા ભાગ્યનો નાયક મને બનાવ્યો ત્યારથી જે મૃત્યુની ચોરની પેઠે રાહ જોઈ ઝૂરું છું તે મૃત્યુને મારી મેળે મળવા જઈશ – તું એકલો, મારા બુઢ્ઢા ગોઠીયા, મારી સાથે આવે છે ને?&lt;br /&gt;
અણહિલ(પગે પડીને) : ખુદાવિંદ, મમતા માથે ચડાવું છું. સાથે આવવાનો સવાલ જ હોય?&lt;br /&gt;
સર્વે : અમે પણ તૈયાર છીએ, રાજેન્દ્ર, અમે બધા.&lt;br /&gt;
આદિત્ય : સુખનો માર્ગ બતાવવા માટે પ્રભુ, આપને ધન્યવાદ દેવો જોઈએ. એકદમ અમે આપની પાછળ સંગ્રામમાં ઊતરવા તૈયાર ન થયા માટે અમારા પર કોપ કરશો મા. હવે જ અમને આપના મહાન વિચારનું વિશદદર્શન થાય છે. શોક, અણબનાવ અને હતાશામાંથી અમે ઊઠીએ છીએ, મૃત્યુ તરફ ઢળી પડતા નથી......દરેક જણ બીજાનાં મુડદા ઉપર હસતાં ચાલશું એટલે તેની પેઠે જ રણશય્યામાં હસતા સૂશું...હાશ! સુવર્ણ કલશમાંથી અમૃતનું પાન થશે—ઉત્સાહપ્રદ ગમ્મતની મસ્તી માણશું. ખમ્મા, મારા નાથ. તારી ગાદીની કેટલીયે વાર ઇર્ષ્યા કરી છે, પણ હવે તે બિલકુલ રહી નથી.&lt;br /&gt;
તેજસિંહ : આદિત્ય, તારી કલ્પનામાં હશે તેથી નિરાળી જ ઘટના ઘણું કરીને થશે. છતાં આભીરોમાં આવો જુસ્સો હજુ વસેલો જોઈ રાજી થાઉં છું.&lt;br /&gt;
દેવસેન : દેવ, સેવકનો એક શબ્દ સૂણશો? મેં સોનેરી દિવસો જોયા છે... આપ વીરશ્રેષ્ઠ છો એટલું નહીં પણ સૌથી શાણા છો. ને હમણાં થાપ ખાધી તો, બચાવ કર્યા વગર, ખૂનીની સમશેરથી આપણા પ્રાણ જવાના......આપણા જ નહીં પણ રોગીઓના — અને બાળકોના — અને વહુઓના.&lt;br /&gt;
તેજસિંહ : અંહ, સાચે, વહુઓ! એમનો તો વિચાર જ નહોતો આવ્યો?&lt;br /&gt;
દેવસેન : પણ હવે આવતી કાલે આપણે જંગમાં ઊતરશું. બીજા અને ત્રીજા દિવસે — એટલો વખત આપણે ટકી શકીશું તો — એ ચમત્કારથી દુશ્મનો અને એમની પાછળ ખેંચાઈ આવતા ભીલ વગેરેના ટોળામાં આશ્ચર્ય અને ભય ફેલાશે...એમનો સદંતર નાશ આપણે નહીં કરી શકીએ, પણ તેઓ કોઈ જાય ત્યાં લગી આપણા લોહીથી તેમને હંફાવશું......અને જ્યારે એમના પક્ષમાં ભાલો કે ધનુષ્ય પકડવાની શક્તિ કોઈનામાં નહીં રહે ત્યારે એ હીજડાઓને કહેવાનો વખત આવશે ‘સુલેહથી ચાલ્યા જાઓ.’ તે વખતે તમારામાંથી કેટલા બચ્યા હશે? મને દહેશત છે કે બહુ નહીં! —&lt;br /&gt;
તેજસિંહ (હસતાં) : આપણે, ખાતરીથી નહીં!&lt;br /&gt;
સર્વે (ક્રૂર હાસ્ય કરતાં) : નહીં જ, અમે નહીં!&lt;br /&gt;
દેવસેન : પછી આપણા ભાઈઓ બૈરાંછોકરાંઓ સાથે દુશ્મનની વચમાં જશે, અને માથું ઊંચું રાખી, ખુલ્લી તલવારે દુશ્મનની છાવણી સોંસરા નૂપુરવંપ્ર. પર રોટલાનો ટુકડો વેચાતો લેવા ઊતરી પડશે. સાચું માનજે, એમનો ધાક પડશે કે ભીલોનો કૂતરો પણ એમની સામે ભસવાની હિમ્મત નહીં કરે. &lt;br /&gt;
તેજસિંહ : બૈરી અને છોકરાં! બૈરી અને છોકરાં! આપણે એમનું શું કામ છે?&lt;br /&gt;
સ્કંદ : મહારાજાસાહેબ, આપ અમારાં વહાલામાં વહાલાનો તિરસ્કાર કરો છો.&lt;br /&gt;
તેજસિંહ : હશે! સવારે જ્યારે ખોરાક વહેંચવામાં આવ્યો ત્યારે ઘણાં પેટ ભરવાનાં હતાં એટલું મને માહિત છે. નહીંતર આપણે ટકી રહેવા સમર્થ થયા હોત. તોપણ આટલી એક વાત તમને કહું છું – બહાર ઊભેલા માણસોને વીરપુરુષો તરીકે વ્રતનિષ્ઠ રહેનારાઓને આજ્ઞા કરું છું – આપણા નિશ્ચયની વાત કોઈ પણ સ્ત્રીને જણાવવી નહીં. સ્ત્રીઓનાં આંસુ અને ચીસથી કોઈ પણ માણસ પોચો પડ્યો હું સાંખીશ નહીં.&lt;br /&gt;
સ્કંદ : પ્રભુ અમારી સહધર્મચારિણીઓ પાસેથી રજા ન લેવાનો હુકમ નિર્માણ છે.&lt;br /&gt;
તેજસિંહ : મારી ઉપેક્ષા કરી તેમની રજા લેજો પણ લેતી વખતે મૂગા રહેજો. જેમને સ્ત્રીસંતતિ હોય તે શકટપુર જાય અને ખાવાપીવાનું લેતા આવે– થોડું પણ બચાવી રાખવામાં સ્ત્રીઓ મોજ માણે છે. પછી વાંઢાઓ સાથે બિસ્મિલ્લાહ કરે અને બને તેટલી લહેર માણી લે.&lt;br /&gt;
દેવસેન : નિશ્ચય જણાવવાની સખ્ત મના કરો છો તો પ્રભુ! એમણે એમની વહુઓને તે શું કહેવું?&lt;br /&gt;
તેજસિંહ : એમ કહો, મારા લગ્નનિમિત્તે મળવા આવ્યા છો! અથવા મનાય એવું લાગે તો કહેજો કે વહાણો આવ્યાં છે. ફાવે તે કહેજો. ફક્ત આટલી વાત તમારા મનમાં રાખજો.&lt;br /&gt;
આદિત્ય : આપ નવોઢા રાણીને પણ નહીં મળો?&lt;br /&gt;
તેજસિંહ : હેં? નહીં... સહેજ પણ વૃત્તિ થતી નથી. હવે લોકો સાથે વાત કરીશ. આદિત્ય, મારી વાણી તારા જેવી હોત તો કેવું સારું – સંદેશો ગૂંચવે એવો છે, મારે ઉત્તેજક શબ્દો ઉચ્ચારવા છે પણ તે સ્ફૂરતા નથી. ચાલો.&lt;br /&gt;
[સર્વે જાય છે, અણહિલ ધીમેથી પાછળ ચાલે છે.]&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
 				&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૬ઠ્ઠો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ટૂંક વખત રંગભૂમિ નિર્જન રહે છે. રાજાનો ઘાંટો સંભળાય છે. તેની વાણી જયઘોષથી વધાવાય છે. પછી થોડીક પળ વીત્યે, દુઃખનાં ગૂંગળાતાં ડૂસકાં.&lt;br /&gt;
અણહિલ રંગભૂમિ પર આવે છે અને પડદા નજીકના ઠૂંઠા પર બેસે છે. પછી બે મશાલો સળગાવી કડામાં ભેરવે છે અને રાજાનાં હથિયાર સજ્જ કરે છે. બહાર ઉત્સાહનો નિનાદ ઊઠે છે, વળી પાછો ધીમો પડી જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૭મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અણહિલ, રાજગુરુ વાચસ્પતિ (થાકથી ને આવેશથી લથડિયાં ખાતો.)&lt;br /&gt;
અણહિલ : પૂજ્ય દેવ, આસને આપ નહી બિરાજો?&lt;br /&gt;
વાચસ્પતિ : મહારાજા શું બોલે છે તે સાંભળવા તું નથી જતો?&lt;br /&gt;
અણહિલ : એને અને મારે કાંઈ નિસ્બત નથી, ગુરુદેવ! મહારાજાસાહેબ અને હું – ઘણા લાંબા કાળથી કામ કરવામાં એકમત છીએ.&lt;br /&gt;
વાચસ્પતિ : ખરે, યમના દૂત જેવાં ત્યાં આગળ તેઓ ઊભા છે.&lt;br /&gt;
અણહિલ : ફિરસ્તા હોય કે જીત હોય, મારે મન એક જ છે.&lt;br /&gt;
[ઉત્સાહનો ઘોષ નવેસરથી ઊડે છે અને તંબુઓની નજીક આવે છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૮મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એના એ જ રાજા (આંખોમાંથી આગના તણખા ઊડતા. ફિક્કો છતાં સ્વસ્થ.)&lt;br /&gt;
તેજસિંહ : હથિયાર સજ્જ છે? — અહો, આપ કયાંથી ગુરુદેવ!&lt;br /&gt;
વાચસ્પતિ : મહારાજા, મારા મહારાજા!&lt;br /&gt;
તેજસિંહ : સાચે, હવે આપને નવા યજમાન ગોતવા પડશે, ગુરુદેવ. આપનો આશીર્વાદ આપવાના હો તો કૃપા કરી સત્વર આપો......આદિત્ય હમણાં આવશે.&lt;br /&gt;
વાચસ્પતિ : દરેક મરતા જીવના થરથરાટથી તારી જાતને મુક્ત માને છે? તાત!&lt;br /&gt;
તેજસિંહ : ગુરુદેવ, આપણા સંપ્રદાયનો હું સાચો ભક્ત હતો. એક વેળા તિષ્યરાજે કર્યું તેમ હું એના મંદિર બંધાવી શક્યો નથી. પણ જે નાશ કરવાનું હતું તે એના શ્રેય અર્થે મેં નાશ કર્યું છે. આશીર્વાદ માટે દંડવત પડું?&lt;br /&gt;
વાચસ્પતિ : વત્સ, તારા કહેવાનો ભાવાર્થ મારાથી પમાતો નથી.&lt;br /&gt;
તેજસિંહ : ગુરુદેવ, નથી સમજાતો તો દિલગીર છું.&lt;br /&gt;
વાચસ્પતિ : તેં રજા લીધી?&lt;br /&gt;
તેજસિંહ : રજા, કોની? ઊલટું મને તો ‘સ્વાગત’નો ધ્વનિ કરવાનું મન થાય છે; પણ હજુ ત્યાં કાંઈ નથી! &lt;br /&gt;
વાચસ્પતિ (ભમ્મર ચડાવી) : આપની રાણીની રજા, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : અત્યારે, હું પુરુષોનો સગો છું, ગુરુદેવ. પત્ની સાથે કાંઈ લાગતું વળગતું નથી. સલામાલેકુમ.&lt;br /&gt;
[આદિત્ય અને અણહિલ પ્રવેશ કરે છે.]&lt;br /&gt;
વાચસ્પતિ : આલેકુમ સલામ — પ્રભુ, તારા આત્મામાં પોતાનો પ્રસાદ ભરો!&lt;br /&gt;
તેજસિંહ : ઋણી છું, ગુરુદેવ...અહો તું આવ્યો, આદિત્ય.&lt;br /&gt;
[વાચસ્પતિ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૯મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, આદિત્ય, અણહિલ (પછવાડાના ભાગમાં, રાજાનાં હથિયાર સજ્જ કરતો નિઃશબ્દ અંદર-બહાર આવ જા કરે છે.)&lt;br /&gt;
તેજસિંહ : યોદ્ધાઓ શું કરે છે?&lt;br /&gt;
આદિત્ય : જેમની વહુઓ છે તે શકટપુર ગયા છે...જરૂર તેઓ ત્યાં ખાશે, પીશે અને પોતાનાં બાળગોપાળ સાથે ખેલશે.&lt;br /&gt;
તેજસિંહ : તારી વહુ અહીં છે?&lt;br /&gt;
આદિત્ય : હા પ્રભુ!&lt;br /&gt;
તેજસિંહ : તારાં છોકરાં?&lt;br /&gt;
આદિત્ય : બે પુત્રો, પ્રભુ!&lt;br /&gt;
તેજસિંહ : છતાં તું ગયો નથી?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ, આપની તહેનાતમાં હાજર રહ્યો છું.&lt;br /&gt;
તેજસિંહ : વખત કેટલો થયો છે?&lt;br /&gt;
આદિત્ય : નવ વાગ્યા છે.&lt;br /&gt;
તેજસિંહ : જેઓ સ્વતંત્ર – અવિવાહિત છે અને જેમની વહુઓ અહીં નથી તેઓ શું કરે છે?&lt;br /&gt;
આદિત્ય : ધૂણી ધખાવી શાંત પડ્યા છે.&lt;br /&gt;
[અણહિલ જાય છે.]&lt;br /&gt;
તેજસિંહ : એમને માટે પણ કાંઈ ખાવાનું આવે તેવી જોગવાઈ કર. મેં ક્યારનો હુકમ કર્યો છે. શું તેઓ ઊંઘશે?&lt;br /&gt;
આદિત્ય : કોઈ ઊંઘશે નહી.&lt;br /&gt;
તેજસિંહ : મધરાતે, મને તેડવા આવજે.&lt;br /&gt;
આદિત્ય : જી, જેવો હુકમ. (જવાનું કરે છે.)&lt;br /&gt;
તેજસિંહ (ચિંતાના શેરડા પડે છે) : આદિત્ય, ઊભો રહે!...તું મારો હંમેશ પ્રતિસ્પર્ધી હતો.&lt;br /&gt;
આદિત્ય : હતો, પ્રભુ. પણ ઘણા લાંબા કાળથી પ્રતિસ્પર્ધી મટી ગયો છું.&lt;br /&gt;
તેજસિંહ (હાથ લંબાવીને) : આવ!&lt;br /&gt;
(ગાઢ આશ્લેષથી બન્ને ભેટે છે, પછી હાથે હાથ મેળવે છે.) ખુશીથી તને અહીં પકડી રાખત, પણ તારે તારી વહુને મળી આવવું જોઈએ.&lt;br /&gt;
[અણહિલ ફરી આવે છે.]&lt;br /&gt;
ધૂણીની તાપણી તાપતા સિપાહીઓ માટે ખાવાનું લાવવાનો બંદોબસ્ત વીસરતો નહિ. તેમનું ચિત્ત વ્યગ્ર રહેવું ન જોઈએ. આવે વખતે વિચાર કરવાથી લાભ નથી.&lt;br /&gt;
આદિત્ય : જી. હજુર.&lt;br /&gt;
[આદિત્ય જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૦મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, અણહિલ&lt;br /&gt;
તેજસિંહ : ચાલ, મારા ડોસા, પૃથ્વી પર હવે આપણે માટે કાંઈ કરવાનું રહેવું ન જોઈએ. વાતો કરશું?&lt;br /&gt;
અણહિલ : ગરીબપરવર, મારા પર મહેરબાની કરશો.&lt;br /&gt;
તેજસિંહ : હજુ મહેરબાની, આવે વખતે? જૂના દોસ્ત, મને લાગે છે કે તારે મને અડાવવો છે.&lt;br /&gt;
અણહિલ : પ્રભુ, હું બુઢ્ઢો થયો. આપની જિંદગીનું રક્ષણ કરવા જોઈતા વખતથી વહેલાં મારો હાથ ભાલો પકડી થાકી જશે. મારી તકસીરથી આપનો નાશ થવો ન જોઈએ, નાથ...કોઈ ઊંઘતું નથી છતાં બાકી રહેલા બે કલાક મને મારા ખાટલામાં સૂવા રજા આપો. મારે માટે બીજો વિચાર લાવશો મા!&lt;br /&gt;
તેજસિંહ (ઊંડી ચિંતાનો નવો ખટકો ખમતાં) : જા, પણ બહુ દૂર નહીં.&lt;br /&gt;
અણહિલ : આપના તંબુ આગળ નિરંતર કૂતરાની માફક સૂઈ રહ્યા છું, પ્રભુ આ છેલ્લી રાતે એમાં બિલકુલ ફેર પડવાનો નથી...હુકમ છે હજૂર!&lt;br /&gt;
તેજસિંહ : સુખી થા!&lt;br /&gt;
[અણહિલ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૧ મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, પછીથી અબલા.&lt;br /&gt;
(તેજસિંહ એકલો પડવાથી, ખાટલા પર પડે છે. થાકેલું, કડવું સ્મિત ફરકાવતો તાકીને પોતાની બરાબર સામે જુએ છે. અબલા લજ્જાભરી આવે છે, એક હાથમાં મીઠાઈ ને મેવો ભરેલો કંડિયો છે; બીજા હાથમાં દારૂથી ભરેલો સોનાનો પ્યાલો છે. પાટ તરફ થોડાંક પગલાં ભરે છે.)&lt;br /&gt;
તેજસિંહ (અર્ધો ઊઠીને) : કોણ છે?&lt;br /&gt;
અબલા(બીતી, હળવે રહીને) : રાજેન્દ્ર, મને ઓળખતા નથી?&lt;br /&gt;
તેજસિંહ (ખાટલા પરથી ઊઠીને) : દીવા ઝાંખા બળે છે.. તારો અવાજ અગાઉ સાંભળેલો છે...મારું શું કામ છે?&lt;br /&gt;
અબલા : હું આપની રાણી છું, રાજેન્દ્ર.&lt;br /&gt;
તેજસિંહ (થોડો વખત ચૂપ રહી) : તારે મારું શું કામ છે?&lt;br /&gt;
અબલા : મારી બાએ મને મોકલી છે, આપને સારુ હું મિષ્ટાન્ન અને સુરા લાવી છું. બીજાઓ ખાય-પીએ છે એટલે મારી બાએ કહ્યું કે...(અટકી પડે છે.)&lt;br /&gt;
તેજસિંહ : તું અંદર કેવી રીતે આવી?...સંત્રીએ તને આવતાં રોકી નહીં?&lt;br /&gt;
અબલા (ટટાર થઈ) : પ્રભુ, હું રાણી છું.&lt;br /&gt;
તેજસિંહ : હં, બરાબર. પણ, અણહિલે શું કહ્યું?&lt;br /&gt;
અબલા : આપણો વૃદ્ધ ભાલેદાર પડ્યો પડ્યો ઊંઘે છે. હું એને ઓળંગી આવી, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : અબલા. તારું કલ્યાણ થાઓ...મને ભૂખ નથી લાગી. તારું કલ્યાણ થાઓ.&lt;br /&gt;
[નિઃશબ્દતા, અબલા ઊભી ઊભી અશ્રુપૂર્ણ દૃષ્ટિ એના પર નાંખે છે.]&lt;br /&gt;
તેજસિંહ : હજુ પણ તારે કાંઈ અરજ કરવાની છે એવું મને લાગે છે. વગર સંકોચે બોલ.&lt;br /&gt;
અબલા : મારા નાથ, ભરેલો કંડિયો લઈ ઘેર પાછી જઈશ તો બીજી સ્ત્રીઓ મને ફિટકાર દેશે...અને પુરુષો કહેશે કે–&lt;br /&gt;
તેજસિંહે (સ્મિત કરતાં) : પુરુષો શું કહેશે?&lt;br /&gt;
અબલા : હું આપના જરાયે લેખામાં નથી. મારા હાથથી જમવાની પણ વૃત્તિ આપને નથી થતી.&lt;br /&gt;
તેજસિંહ : પુરુષોને બીજી વાતોનો વિચાર કરવાનો છે. અબલા, તેની ખાતરી મારા પંડના સોગન ખાઈ તને આપું છું – છતાં, તોપણ મારે લીધે તને બટ્ટો નહીં લાગવા દઉં. ત્યાં કંડિયો મૂક...હજુ પણ તમારી પાસે આવી વસ્તુઓ છે?&lt;br /&gt;
અબલા : પ્રભુ, આ બે સપ્તાહ થયાં મારી બાએ, મેં અને બીજી સ્ત્રીઓએ અમારા ભાગમાંથી સારામાં સારું ઊંચું મૂકી છાંડ્યું છે.—આજ દિન લગી માંસ માટે પશુપક્ષી માર્યાં નથી.&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે તો તમને સ્ત્રીઓને કકડીને ભૂખ લાગી હશે, નહી વારુ?&lt;br /&gt;
અબલા : એથી અમે હેરાન નથી થયાં...એ મિજાની માટે હતું.&lt;br /&gt;
તેજસિંહ : સાચે! આજે અમે મિજબાની આપશું એવું તમારું માનવું હતું.&lt;br /&gt;
અબલા : ઠીક ત્યારે શું મિજબાની નથી, પ્રભુ?&lt;br /&gt;
તેજસિંહ : (છાનોમાનો અધર કરડે છે; ચોરીછૂપીથી અબલાને તપાસે છે) – અબલા તું બેસશે નહીં?... અત્યારમાં તને પાછી ઘેર જવા નહીં દઉં! તેથી પણ તને કલંક લાગે, નહીં?&lt;br /&gt;
{{right|[અબલા મૌન રહે છે અને નીચું જુએ છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : હું હુકમ કરું તો અહીં થોભવા તારી મરજી છે?&lt;br /&gt;
અબલા : નાથ, પતિ સમીપ રહેવા પત્નીને શા માટે ઇચ્છા ન થાય?&lt;br /&gt;
તેજસિંહ : હું — તારો — પતિ છું, એવી લાગણી ત્યારે શું તારા હૃદયમાં છે?&lt;br /&gt;
અબલા : અલબત્ત, એથી બીજું શું હોય? ગુરુદેવે આપણને સંલગ્ન કર્યાં છે.&lt;br /&gt;
તેજસિંહ : એમણે સંલગ્ન કર્યાં ત્યારે તને આનંદ થયો હતો?&lt;br /&gt;
અબલા : હા...ના, ત્યારે આનંદ નહોતો થયો.&lt;br /&gt;
તેજસિંહ : શા માટે નહોતો થયો?&lt;br /&gt;
અબલા : કદાચ,...રખેને...વખતે, વખતે...પ્રભુ, હું બીની હતી, પ્રાર્થના કરતી હતી.&lt;br /&gt;
તેજસિંહ : શા માટે પ્રાર્થના કરતી હતી?&lt;br /&gt;
અબલા : આપને જેની જરૂર છે એવું અને મારાથી આપ અપેક્ષા રાખો એવું સુખ આપને આપવાની શક્તિ, મારા જેવી પરમેશ્વરની નમ્ર કિંકરીને પરમેશ્વર આપે માટે.&lt;br /&gt;
તેજસિંહ : તારી પાસેથી જેની હું...એ વિશે પ્રાર્થના કરતી હતી?&lt;br /&gt;
અબલા : નાથ, આપને માટે પીરસું? સુરા લાવું?&lt;br /&gt;
તેજસિંહ : ના, ના!...આમ જો, અબલા! બહાર, આપણી તાપણી પાસે યોદ્ધાઓ છે—તેઓ ભૂખ્યા છે—મને ભૂખ નથી લાગી.&lt;br /&gt;
અબલા : નાથ, આપને ગમે તે તેમને આપો...તેમને બધું આપી દ્યો!&lt;br /&gt;
તેજસિંહ : તારું કલ્યાણ થાઓ, અબલા. (પડદો ઉપાડે છે.) અરે, પહેરેગીર, અંદર આવ, પણ જાળવીને, ડોસો ઊઠે નહીં...&lt;br /&gt;
[પહેરેગીર આવે છે.]&lt;br /&gt;
લે, મીઠાઈ અને સુરાનો આ કંડિયો; પ્રામાણિકતાથી વહેંચી લેજો;... કહેજે કે તમારી રાણીએ મોકલ્યું છે.&lt;br /&gt;
પહેરેગીર : ખુદાવિંદ, રાણીસાહેબનો આભાર માનું?&lt;br /&gt;
[તેજસિંહ ડોકું નમાવે છે. પહેરેગીર ઉલ્લાસથી રાણીને પગે પડી જાય છે.]&lt;br /&gt;
તેજસિંહ : જા—મારે માટે ખાવાનું લાવ!&lt;br /&gt;
અપ્સરા(મુંઝાઈને) : નાથ — કેમ — મને — બનાવો છો?&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે મારું કહેવું સમજતી નથી? જો મારી વહુ થવું હોય તો, તારે મને મારી મિલકત ધરવી જોઈએ, તારી નહીં!&lt;br /&gt;
અબલા : મારી તે આપની જ મિલકત નથી, નાથ?&lt;br /&gt;
તેજસિંહ : હં! (મૌન. તેના હાથ પકડે છે.) મને નાથ નહીં કહે, રાજા પણ નહીં કહે...મારું નામ તું જાણતી નથી?&lt;br /&gt;
અબલા : આપનું નામ તેજસિંહ છે.&lt;br /&gt;
તેજસિંહે : ફરીથી કહે જોઈએ!&lt;br /&gt;
અબલા (હળવેથી, આડી ફરીને) : તેજસિંહ!&lt;br /&gt;
તેજસિંહ : નામ વિચિત્ર તને લાગે છે?&lt;br /&gt;
{{right|[અબલા ડોકું ધુણાવે છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે આનાકાની કેમ કરે છે?&lt;br /&gt;
અબલા : વિચિત્ર લાગે છે માટે નહીં, નાથ જ્યારથી મેં જાણ્યું કે આપની પત્ની તરીકે આપની સેવા કરવાની છે ત્યારથી રાતે અને દિવસે વારંવાર આપનું નામ મેં લીધા કર્યું છે. ફક્ત મોટેથી નથી ઉચ્ચાર્યું.&lt;br /&gt;
તેજસિંહ : તારી જાણમાં એ આવ્યું તે પહેલાં મારે માટે તારો શો વિચાર હતો?&lt;br /&gt;
અબલા : નાથ, એમ શા માટે પૂછો છો?&lt;br /&gt;
તેજસિંહ : શા માટે જવાબ નથી આપતી?&lt;br /&gt;
અબલા : નાથ, આપની ક્રૂર આજ્ઞાઓ વિશે સાંભળતી અને બીજાઓ આપનાથી ડરતા – ત્યારે વારંવાર વિચાર આવતો : આભીરોનું પ્રારબ્ધ જેને આવાં કામો કરવાની ફરજ પાડે છે તે કેટલો દુઃખી હોવો જોઈએ!&lt;br /&gt;
તેજસિંહ : એવો તને વિચાર આવ્યો? એવો તને –?&lt;br /&gt;
અબલા : એવો વિચાર મને આવ્યો તે શું અનુચિત હતું?&lt;br /&gt;
તેજસિંહ : તેં કદી મારો ચહેરો જોયો નહોતો છતાં તું મને સમજી શકી? મારી આસપાસ રહેનારા ડાહ્યા માણસો અને કસાયેલા યોદ્ધાઓ મને સમજી શક્યા નહીં!...તું કોણ છે, સુંદરી મારું હૃદય વાંચતાં તને કોણે શીખવ્યું? – તને, સર્વમાંથી એકલી તને?&lt;br /&gt;
અબલા : નાથ, હું -&lt;br /&gt;
તેજસિંહ : બધા મારાથી થરથરતા અને ખાણમાં મારાથી સંતાઈ રખડતા પણ રસ્તો જોયો નહીં – સુભાગ્યે જે રસ્તે તેમનું રક્ષણ થયું હોત તે ખરો રસ્તો તેમણે જોયો નહીં. જલ્લાદની છરી તેમની ગરદન પર ઊતરતી ત્યારે પણ બાંધછોડની કંઈક વાત કરતા. એટલામાં લુચ્ચા દુશ્મનો આવ્યા, તેમની સાથે લડ્યા અને એક પછી એક અમારો સંહાર થયો. આમ લાખ નાશ પામ્યાં. મેં શોક અને ક્રોધનાં વસ્ત્રો વીંટાળ્યાં – લોહિયાળ ચીંથરાની પેઠે આશાને મેં ફેંકી દીધી, ભંગાણમાં તિરસ્કાર અને હાસ્યભર્યો હું કૂદી પડ્યો. મારાં પ્રત્યેના ત્રાસથી મારું હૃદય હલમલી રહ્યું હતું ત્યારે મારી આસપાસ મેં ત્રાસ વાવી દીધો. સર્વના લોહીથી એક વખત પણ હું મત્ત નથી થયો. મેં દુશ્મનને માર્યા, છતાં બધો વખત જાણતો હતો કે બધું ફોગટ છે!&lt;br /&gt;
[વેદનાથી પીડિત થઈ શય્યા પર પડે છે; પોતાની સમક્ષ સીધું તાકીને જુએ છે.]&lt;br /&gt;
અબલા (લજવાતી તેના પર વહાલનો હાથ ફેરવવાનો પ્રયત્ન કરે છે) : મારા વહાલા, બિચારા મહારાજા! વહાલા તેજ!&lt;br /&gt;
તેજસિંહ (ડોકું ઊંચું કરી ગભરાયેલો આજુબાજુ જુએ છે) : મારા પ્રભુ, અહીં હું શું કરું છું?...તને શાને આ બધું કહું છું? આવો ભડભડીઓ છું માટે મને ધિક્કારતી નહીં...તેમ એમ પણ ન માનતી કે અનુતાપથી આ હકીકત કબૂલ કરવાની મને ફરજ પડી છે...કદાચ વધ્યો ને માટે મારા હૃદયમાં ઘૃણા થઈ છે, પણ મારું અંતઃકરણ એ સર્વેથી ઊંચે વિરાજે છે!... મારી મુફલિસ આભીર ગાદીથી ઘણું જ ઊંચું!...એમ મારા પર નજર કર... તારી આંખમાં એવું કાંઈક છે જેથી મારા અંતરના વિચારો તારી સમક્ષ પ્રગટ કરવાની મને ફરજ પડે છે...મારા પર આવું સામર્થ્ય મેળવવાની શક્તિથી તને કોણે સંપન્ન કરી છે?...જતી રહે!...નહીં, ઊભી રહે...ઊભી રહે! હજુ, મારે તને કાંઈ કહેવું છે, તદ્દન રહસ્યમાં તારા જતાં પહેલાં...પણ મારે આમ રડવું ન જોઈએ, નહીં તો પહેરેગીર સાંભળી જશે...તારો કાન મારી તરફ નીચો ધર. હજુ લગી કદી પણ કોઈ માણસ પાસે કબૂલ કર્યું નથી, તેમ કોઈ દિવસ કબૂલ કરીશ એવો સંભવ પણ માન્યો નથી. મારા અંતરમાં ઈર્ષ્યા છે, તે મારું કાળજું કોરી ખાય છે, જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે – તને ખબર છે કોની?...તિષ્યરાજની...અલબત્ત, મસાણમાં બાળેલા તિષ્યરાજના... લોકો તેને ‘પ્રભાવી’ તિષ્યરાજ કહેતા અને આજે પણ તેઓ તેને ચાહે છે... અદ્યાપિ જ્યારે તેનું નામ સાંભળે છે ત્યારે લોકોની આંખો ચમકે છે.&lt;br /&gt;
અબલા : અહો, પ્રભુ! આપ કેવા ઊકળ્યા છો?&lt;br /&gt;
તેજસિંહ : તેં કદી તેને જોયો હતો?&lt;br /&gt;
અબલા : કોઈ દિવસ નહી.&lt;br /&gt;
તેજસિંહ : પાડ પ્રભુનો! જે યુદ્ધમાં તે કામ આવ્યો તેની સવારે જેવો તેને મેં જોયો હતો તેવો તેં જોયો હોત...સોનેરી બખ્તરમાં સજ્જ થયેલો... તેની નીચે સફેદ ઘોડો રવાલતો હતો, સૂર્યકિરણની પેઠે તેનાં ઝૂલફાં તેની આસપાસ ફરફરતાં હતાં. દુશ્મનની સામે જોઈ તે અટ્ટહાસ્ય કરતો. બાળકની પેઠે તે હસતો હતો! આહ, તેની માફક હસતાં મરવાનું!&lt;br /&gt;
અબલા : નાથ, તેનું ભાગ્ય સરળ હતું! તે અહીંથી ગયા પણ વારસામાં આપને અર્ધું નષ્ટ થયેલું રાજ્ય સોંપી ગયા... પછી આપને કેવી રીતે હસવું આવત?&lt;br /&gt;
તેજસિંહ (આતુરતાથી) : શું એમ નથી? – શું એમ નથી? – કેવી રીતે...હાશ, એથી ઠીક લાગે છે! (આડા ફરે છે) હાશ! તારાથી મને ઠીક લાગે છે!&lt;br /&gt;
અબલા : દેવ, મારું હૈયું કેટલું ફુલાવો છો!&lt;br /&gt;
તેજસિંહ : પણ જો તેં તેને જોયો હોત અને મારી સાથે મુકાબલો કર્યો હોત તો, તું મારા પર થૂંકત!&lt;br /&gt;
અબલા (સ્નેહના આવેશથી) : પ્રભુ, વહાલા, વહાલા નાથ! આપને જ ફક્ત હું જોવત!&lt;br /&gt;
[તેજસિંહ લજ્જા અને અવિશ્વાસભરી દૃષ્ટિ તેના પર આડકતરી નાંખે છે. પછી ધીમેથી ડાબી બાજુએ ચાલી જાય છે, સિંહાસન આગળની બેઠક પર બેસી જાય છે અને સિંહાસનમાં મોં દાબીને દારૂણ રૂદન કરે છે.]&lt;br /&gt;
અબલા (શરમાતી તેની પાછળ જાય છે અને તેની જોડમાં ઘુંટણીયે પડે છે) : તેજ, વહાલા, ક્ષમા કર, મેં તને દુભવ્યો હોય તો!&lt;br /&gt;
તેજસિંહ (ઊભો થઈ તેનો હાથ પકડે છે) : કોઈને કહીશ મા!&lt;br /&gt;
અબલા : શું, પ્રભુ?&lt;br /&gt;
તેજસિંહ : તેં મને રડતાં જોયો છે તે! સોગન ખા!&lt;br /&gt;
અબલા : મને કહેવામાં આવ્યું છે કે હમણાં પણ હું તારા શરીરનો અંશ છું – તારા આત્માનો પણ!...તો પછી શા માટે સોગન ખાવા?&lt;br /&gt;
તેજસિંહ : મારા શરીરની કલા હોય, તો મારી સોડમાં ભરાવ, એટલે તે મારાં આંસુ નહીં જોઈ શકે.&lt;br /&gt;
અબલા : તારે બદલે મને તે લૂછવા દે! જો, એટલા માટે તો હું અહીં આવી છું.&lt;br /&gt;
તેજસિંહ : હાશ, મને આરામ છે...આજ લગી કોઈ આભીર રોતો જણાયો નથી એટલે શરમનો માર્યો હું મરી જાત. તિષ્યરાજને બાળ્યા ત્યારે પણ અમે રોયા નહોતા...છતાં હું શરમાતો નથી...એકદમ કેમ હું સ્વસ્થ થયો તે સમજાતું હોત!...અબલે, મારે તને કાંઈ કહેવું છે, પણ હસીને મારો તિરસ્કાર કરીશ મા.&lt;br /&gt;
અબલા : કેવી રીતે તારા તરફ દાંત કાઢું, વહાલા!&lt;br /&gt;
તેજસિંહ : મને ભૂખ લાગી છે.&lt;br /&gt;
અબલા (આશ્ચર્યથી ઊછળીને) : અફસોસ, આપે તો બધું આપી દીધું છે!&lt;br /&gt;
તેજસિંહ : ના, બિલકુલ નહીં! પણ જા, જઈશ?&lt;br /&gt;
{{right|[અબલા જાય છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
મારા ખાટલાની પછવાડે – ચૂલો જણાય છે?&lt;br /&gt;
અબલા : અહીં રાખ પડી છે ત્યાં?&lt;br /&gt;
તેજસિંહ : ત્યાં પેટી છે?&lt;br /&gt;
અબલા : હા.&lt;br /&gt;
તેજસિંહ : ઢાંકણું ઉઘાડીશ?&lt;br /&gt;
અબલા : ઓ બા! ભારે છે!&lt;br /&gt;
તેજસિંહ : હવે અંદર હાથ નાંખ! ઠેઠ અંદર, ઠેઠ અંદર...ત્યાં બુઢ્ઢા કંજૂસ અણહિલ – કેમ?&lt;br /&gt;
અબલા (આશાભંગ થઈને) : રોટલાના બે ટુકડા; એટલું જ છે, નાથ?&lt;br /&gt;
તેજસિંહ : સાચે, એથી વિશેષ નથી.&lt;br /&gt;
અબલા : તાકીદે શકટપુર જઈ આવવાની અનુજ્ઞા છે?...કદાચ હજુ...&lt;br /&gt;
તેજસિંહ : ના, ના...તેમને સૌને કકડાબુકડાની જરૂર છે...તે અહીં લાવ! હમશરીખો તરીકે આપણે વહેંચી લઈશું- હું? બન્ને માટે એ પૂરતું છે. લાવીશ?&lt;br /&gt;
અબલા : હા જી.&lt;br /&gt;
{{right|[તેની જોડમાં બેસે છે.]}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
તેજસિંહ : ચાલ, તે મને આપ! હાશ કેવું મજેદાર! સ્વાદિષ્ટ છે ને? પણ હું, તારે પણ ખાવું પડશે.&lt;br /&gt;
અબલા : મને ધાસ્તી છે કે આપને માટે પણ પૂરતું નથી.&lt;br /&gt;
તેજસિંહ : નહીં કબૂલતની વિરુદ્ધ...ઠીક...સ્વાદ સારો નથી?&lt;br /&gt;
અબલા : આવી મીઠાશ અર્ધી પણ કદી ચાખી નથી.&lt;br /&gt;
તેજસિંહ : જરા, નજીક આવ...તારા ખોળામાંથી કકડા ખાઈશ...પણ એકદમ મને ભૂખ કેમ લાગી? જો અત્યારે આપણે લગ્નનો કંસાર ખાઈએ છીએ. &lt;br /&gt;
અબલા : બહાર, સુરા અને અન્નથી જમનારાઓથી વધારે સારી મિજબાની ખરું ને? &lt;br /&gt;
તેજસિંહ : મેં તને નહોતું કહ્યું? પણ તારું આસન બરાબર નથી. &lt;br /&gt;
અબલા : ના, હું બરાબર બેઠી છું.&lt;br /&gt;
તેજસિંહ : ચાલ ઊભી થા! ઊભી થા તો જોઉં. &lt;br /&gt;
અબલા (ઊઠીને) : બોલો?&lt;br /&gt;
તેજસિંહ : ત્યાં ઉપર બેસ.&lt;br /&gt;
અબલા : સિંહાસન ઉપર—પ્રભુની ખાતર—હું કેવી રીતે હિમ્મત કરૂં?&lt;br /&gt;
તેજસિંહ : તું રાણી નથી!&lt;br /&gt;
અબલા (નિશ્ચયપૂર્વક) : સાચેસાચું બેસવું જોઈશે! પણ ગમ્મતમાં – નહિ! &lt;br /&gt;
તેજસિંહ : હં લાકડાના પાગલ ટુકડા!&lt;br /&gt;
[સિંહાસન ઊથલાવી પાડે છે.] &lt;br /&gt;
છેવટે કાંઈક કામમાં તો આવવું જોઈએ...વારુ, હવે એને અઢેલી ઊભી રહે.&lt;br /&gt;
અબલા : વહાલા આપ વાજબી વર્તો છો?&lt;br /&gt;
તેજસિંહ : (ચમકીને) નહીં જ!(સિંહાસન હતું તેમ ગોઠવે છે. તેનાં પગથિયાં પર અબલાને લઈ જાય છે અને ગાદી પર તેનું માથું રખાવે છે) બરાબર બેઠી — ખરું!... આવા નજીવા પદાર્થોનો અપરાધ આપણે નથી કરતા. રાજગુરુએ આ જોયું હોત — એમણે, હા! હા! હા! થોભ, હું ફરીથી ખાઈશ.&lt;br /&gt;
અબલા : લો, જમો!&lt;br /&gt;
તેજસિંહ : હજુ–તદ્દન હાલ્યાચાલ્યા વિના રહીશ! હું જાતે લઈ આવીશ.&lt;br /&gt;
(પગથિયાં પર તેની પાસે ઘૂંટણિયે પડે છે.) હવે તારી સાથે હું ઘૂંટણિયે પડ્યો એવું શું નથી જે આપણે શીખતા નથી?...તું રમણીય છે...મારી માનું મને જરાયે સ્મરણ નથી &lt;br /&gt;
અબલા : જરાયે નથી!&lt;br /&gt;
તેજસિંહ : બેન પણ નહોતી...કોઈ નહોતું...જિંદગીમાં કોઈ દિવસ રમ્યો ખેલ્યો પણ નથી...પણ હવે છેલ્લું છતાં ઓછું અગત્યનું નહીં એવું શીખી લઉં છું.&lt;br /&gt;
અબલા : કેમ છેલ્લું છેલ્લું?&lt;br /&gt;
તેજસિંહ : પૂછો મા – નહીં? અહહ, તું, તું! હા, હા, હા, ખા તો ખરી. મારામાંથી કરડ-હું? આજ્ઞા પાળ, રાજગુરુએ કહેલાં મંત્રો યાદ છે ને?&lt;br /&gt;
અબલા (કરડે છે ને – તરત જ ઊછળે છે) : પણ આપ કાંઈ પીશો ખરા ને?&lt;br /&gt;
તેજસિંહ : અલબત્ત! દૂધનો કટોરો માત્ર લાવ! દૂધનો કટોરો માત્ર લાવ! અણહિલે કહેલી વટલોઈ તું ઓળખે છે?&lt;br /&gt;
અબલા (સામી તરફ જોઈને) : આ જ કે!&lt;br /&gt;
તેજસિંહ (ઊભા થઈને) : એ જ તારેય પીવું પડશે.&lt;br /&gt;
અબલા : એ યોગ્ય ગણાય?&lt;br /&gt;
તેજસિંહ : મને માલૂમ નથી પણ હોવું જોઈએ.&lt;br /&gt;
અબલા : ઠીક ત્યારે થવા દો.&lt;br /&gt;
[પીએ છે અને હસવાથી હાલે છે.]&lt;br /&gt;
ઉંહું! ગંધ મારે છે.&lt;br /&gt;
તેજસિંહ : મને આપ. (પીએ છે.) કાંઈ નહીં. (ફરીથી પીએ છે.) જા! અન્નદેવતાનો આવો તું તિરસ્કાર કરે છે?...ઠીક, ત્યારે તું કોણ છે? અહીં કેવી રીતે આવી! કહે મારું શું કામ છે!&lt;br /&gt;
અબલા : તને હું ચાહીશ.&lt;br /&gt;
તેજસિંહ : તું મારી સહધર્મચારિણી! –તું...&lt;br /&gt;
(હાથ પ્રસારી બન્ને દોડી આશ્લિષ્ટ થાય છે. હળવેથી) મને ચુમ્બન નહીં દે?&lt;br /&gt;
તેજસિંહ : કહેને, કેમ નહીં?&lt;br /&gt;
અબલા : તારા કાનમાં કહીશ!&lt;br /&gt;
તેજસિંહ : વારુ.&lt;br /&gt;
અબલા : તારી દાઢી ઋક્ષ છે.&lt;br /&gt;
તેજસિંહ (મોં ગભરાટમાં લૂછે છે. પછી ખોટો ગુસ્સો ધારણ કરીને) : મારી દાઢી કેવી છે! હું કોણ છું તેની તને ખબર નથી? તારા રાજાને આવું કહેવાની બેઅદબી તારામાં ક્યાંથી આવી!... કહે ફરી એકવાર ફરીથી કહે જોઈએ! પછી હું જોઈશ.&lt;br /&gt;
અબલા (હસતાં) : ઋક્ષ — દાઢી — છે.&lt;br /&gt;
તેજસિંહ : (હસતાં) હવે, ઊભી રહે!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૨મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, અણલા, આણહિલ.&lt;br /&gt;
[અબલા શરમાઈને માથું ધુણાવે છે.]&lt;br /&gt;
અણહિલ : હજુર, હાક મારી?&lt;br /&gt;
[આશ્ચર્યથી જડ થઈ ઊભો રહે છે. છાનામાના જતા રહેવાની તૈયારીમાં છે.]&lt;br /&gt;
તેજસિંહ (સપાટામાં સ્વસ્થ થાય છે. સ્વપ્નમાંથી જાગતો હોય એવો દેખાય છે. શરૂઆતમાં જેવી મ્લાન મંદતા એનામાં હતી તેનો અધિકાર તેની રીતભાત અને દેખાવમાં આવે છે) : ઊભો રહે, થોભ, બહાર શું થાય છે?&lt;br /&gt;
અણહિલ : શકટપુરથી યોદ્ધાઓ પાછા આવતા જાય છે. ઘણાની સાથે તેમની વહુઓ આવે છે.&lt;br /&gt;
તેજસિંહ : સામંતો ભેગા થયા?&lt;br /&gt;
અણહિલ : જી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહ : એક ક્ષણ વધારે તેઓ ખામોશ રાખશે?&lt;br /&gt;
અણહિલ : જી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહ : મારેય વહુ છે.&lt;br /&gt;
અણહિલ : જી, છે, હજૂર.&lt;br /&gt;
[જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૩મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ. અબલા.&lt;br /&gt;
અબલા : તેજ, વહાલા શું થાય છે?&lt;br /&gt;
તેજસિંહ (તેની સમક્ષ ઊભા રહી પોતાના હાથમાં તેનું માથું ભીડે છે) : સુખદુઃખના સમગ્ર સંસારમાં થઈને હાથોહાથ મેળવી આપણે ગયાં હોઈએ એવો અનુભવ આ ક્ષણે મને થાય છે. તે અદૃશ્ય થાય છે.–બધું અદૃશ્ય થાય છે. ફરીથી હું છું – હું હતો – ના, તે હું રહ્યો નથી – પણ તું સર્વે સ્ત્રીઓથી શ્રેષ્ઠ થા, રાણી...થઈશ?&lt;br /&gt;
અબલા : દેવ, શી આજ્ઞા છે?&lt;br /&gt;
તેજસિંહ : કાલાવાલા કે રૂદન નહીં કરે ને?&lt;br /&gt;
અબલા : નહીં જ નાથ.&lt;br /&gt;
તેજસિંહ : દિવસ જલદીથી ઊગશે, અમારી આગળ મૃત્યુ ઊભું છે.&lt;br /&gt;
અબલા : નાથ, આપ શું કહો છો તે સમજતી નથી. આપણા ઉપર કોઈ હુમલો કરી શકે એમ નથી, અને વહાણ આવે ત્યાં લગી—&lt;br /&gt;
તેજસિંહ : હવે વહાણ કદી આવવાનાં નથી.&lt;br /&gt;
[અબલા કપાળ કૂટે છે ને પછી નિશ્ચલ ઊભી રહે છે.]&lt;br /&gt;
તેજસિંહ : પણ અમે મરદો કેસરિયાં કરી રણમાં ઊતરવાના છીએ.&lt;br /&gt;
અબલા : તે તમે નહીં કરી શકો—તે ખચિત — અશક્ય છે.&lt;br /&gt;
તેજસિંહ : અમારે ઊતરવું જોઈએ. તું રાણી છે, પછી જોઈ શકતી નથી કે અમારે ઊતરવું જોઈએ.&lt;br /&gt;
અબલા : હા – હું – જો...ઈ...શ...કું...છું.&lt;br /&gt;
તેજસિંહ : રાજા મોખરે લડે છે. હવે આપણે જીવતાં મળી શકીશું નહીં...તેની તને ખબર છે ને?&lt;br /&gt;
અબલા : હા ખબર છે!...&lt;br /&gt;
[શાન્તિ, બન્ને એકેકના સામું જુએ છે.]&lt;br /&gt;
તેજસિંહ : રણસંગ્રામમાં તારી શુભેચ્છાઓ સાથે લઈશ.&lt;br /&gt;
[અબલાને પગે પડે છે. અબલા તેજસિંહના માથા પર હાથ મૂકે છે, તેના તરફ નીચી વળે છે અને ધ્રૂજતી ધ્રૂજતી તેના કપાળમાં ચુમ્બન કરે છે.]&lt;br /&gt;
તેજસિંહ (કૂદી ઊભો થાય છે અને તંબુની કનાત ચીરી નાંખે છે) : રાહ જોતા હોય તે આવો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૪મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એનાં એ જ. સાધના, દેવસેન, વાચસ્પતિ, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો.&lt;br /&gt;
સાધના : રાજેન્દ્ર, આપની પાસે મારી બાળકીને મોકલી હતી...તમે મરદો જંગમાં ઊતરવાના છો એવું સાંભળ્યું છે...તે મને પાછી સોંપો.&lt;br /&gt;
તેજસિંહ : લો, તમારી બાળકી!&lt;br /&gt;
[સાધના અને અબલા જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૫મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અબલા અને સાધના સિવાય એના એ જ.&lt;br /&gt;
તેજસિંહ (તેમની પાછળ તાકી તાકીને જુએ છે; જાગૃત થાય છે ત્યાં રાજગુરુને જુએ છે.) : ગુરુદેવ, કાલે સાંજે મેં આપની અવગણના કરી હતી. માફ કરો. મારી કૃતજ્ઞતાની લાગણી સ્વીકારો. હું પણ સારી રીતે જાણું છું, આભીરોને મૃત્યુ શા માટે પ્રિય છે?...(તરવાર પકડે છે.) ચાલો તૈયાર છો ને? છેલ્લી વિદાયગીરી લેવાઈ રહી?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ! આપની આજ્ઞા અમે તોડી છે. અમારી વહુઓમાંથી કોણે આગળ પડી અથવા અમારામાંથી કોણે વાત કહી દીધી તે જાણી શકાતું નથી. સૌ તે જાણે છે એટલું નિ:સંશય છે.&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે તો સૌએ કકળાટ અને રડારોળ કરી મુક્યાં ને?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ! અમારી ભમ્મરો પર મૃત્યુના આશીર્વાદની નીરવ મુદ્રા તેમણે અંકિત કરી છે.&lt;br /&gt;
તેજસિંહ (અર્ધો પોતાની સાથે ઉદ્ગાર કાઢે છે) : તેમણે પણ! (મોટેથી) ખરે જ આપણે રાજવીઓની પ્રજા છીએ. એ આપણું કમભાગ્ય છે. ચાલો ત્યારે!&lt;br /&gt;
[પાછળ, ફલંગ ભરતો જાય છે. બીજાઓ તેને અનુસરે છે. રાજાને વધાવતી નિનાદભરી લોકવાણી પર પડદો પડે છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = તોળલ અથવા તોળીરાણી&lt;br /&gt;
|next = રિપુ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9&amp;diff=111416</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/તેજસિંહ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9&amp;diff=111416"/>
		<updated>2026-05-28T05:04:14Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|તેજસિંહ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પાત્રો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
 &lt;br /&gt;
{|&lt;br /&gt;
|તેજસિંહ &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાજા		&lt;br /&gt;
|-&lt;br /&gt;
|અબલા&lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાણી		&lt;br /&gt;
|-&lt;br /&gt;
|સાધના &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાણીની મા&lt;br /&gt;
|-&lt;br /&gt;
|વાચસ્પતિ &lt;br /&gt;
|&lt;br /&gt;
|... રાજગુરુ&lt;br /&gt;
|-&lt;br /&gt;
|દેવસેન,&lt;br /&gt;
| rowspan=3|{{brace2|3|r}}&lt;br /&gt;
|rowspan=3|...સરદારો&lt;br /&gt;
|-&lt;br /&gt;
| સ્કંદ,	&lt;br /&gt;
|-&lt;br /&gt;
|આદિત્ય,&lt;br /&gt;
|-&lt;br /&gt;
|અણહિલ,&lt;br /&gt;
| rowspan=2|{{brace2|2|r}}&lt;br /&gt;
|  ...સૈનિક&lt;br /&gt;
|-&lt;br /&gt;
|હરિહર	&lt;br /&gt;
|-&lt;br /&gt;
|બે પહેરેગીર&lt;br /&gt;
|}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[દૃશ્ય રાજાના તંબુનું છે. પાછળના બારણાની કનાત ઉપર નાંખેલી હોવાથી સિપાહીઓની છાવણી સોંસરી વિશ્વકર્માની ધાર તરફ અને આથમતા સૂર્યના પ્રકાશમાં ચળકતા દૂર સમુદ્ર પર આંખ પથરાય છે. ડાબી બાજુએ જેવું તેવું ઘડેલું રાજસિંહાસન છે. વચમાં બેસવાની પાટ છે. ચામડાં સીવીને બનાવેલો ખાટલો જમણી બાજુએ છે. ઉપર જુદી જુદી જાતનાં હથિયારો લટકાવેલાં છે. જમણી અને ડાબી બાજુએ મશાલો.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧ લો.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૧ લો પહેરેગીર : અલ્યા! ઊંઘી ગયો કે?&lt;br /&gt;
૨ જો : કેમ જાણ્યું કે ઊંઘી ગયો?&lt;br /&gt;
૧ લો : પિનાકની પેઠે કમાન થયેલા ભાલા પર અઢેલી વળેલો ઊભો છે. તેથી જાણ્યું.&lt;br /&gt;
૨ જો : આમ વળેલો ઊભો છું એટલે ભૂખનું દુઃખ ઓછું લાગે છે.&lt;br /&gt;
૧ લો : એ ખોટી વાત છે. એથી તારા કમ્મરબંધ જેટલી જ ગરજ સરે છે. ટટ્ટાર થતાં ઊલટી વધારે કકડીને ભૂખ લાગે છે.&lt;br /&gt;
૨ જો : આમ ક્યાં લગી ચાલવાનું છે?&lt;br /&gt;
૧ લો : વહાણો આવે ત્યાં લગી — તદ્દન સમજાય એવું છે.&lt;br /&gt;
૨ જો : ખરું, પણ વહાણો ક્યારે આવશે?&lt;br /&gt;
૧ લો : એની ખબર મને શી રીતે પડે? ઊંચે ધાર તરફ નજર કર. ત્યાં ઊંચે જો ઇન્દ્રમંડપ પર ચોકીદાર ઊભો છે અને દસ ગામે લાંબે નજર ફેરવે છે. એને ખબર હોય તો હોય! મઠીઆ ડુંગરાની પછાડી વહાણ આવતાં હશે.&lt;br /&gt;
૨ જો : પણ દુશ્મનો આવવા દેશે ત્યારે ને.&lt;br /&gt;
૧ લો : દુશ્મનો પાસે વહાણો નથી.&lt;br /&gt;
૨ જો : વાડની માફક આપણા આખા દેશને ફરી વળે એટલાં વહાણ એની પાસે છે. બે મહિના થયાં એ ગુલામ જેવો આપણને ઘેરી વળ્યો છે તેમ ફરી વળે એટલાં છે.&lt;br /&gt;
૧ લો : બે મહિના!&lt;br /&gt;
૨ જો : તને ખબર છે આજે બપોરે મને શું ખાવા મળ્યું હતું? આઠ દિવસ પર જે રોટલો કરડતાં દાંત કકડ્યા હતા તે જ રોટલાનું તળીઉં. સાચે, નખે નખે મેં તે પર ત્રણ સાથિયા કાઢ્યા. અમે પણ ફરી ઠીક મળ્યા! પણ આજે, તે જ રોટલો ઊલટથી ભચડાવી ગયો...રાજાના લગ્નના દિવસનું જુગતું જમણ!&lt;br /&gt;
૧ લો : શું તું એમ માને છે કે હઝુરસાહેબને વધારે હતું?&lt;br /&gt;
૨ જો : એમની કને વધારે હોત તો શું આપણે બધા આમ મરણીયા થાત, આપણો કચ્ચરઘાણ વળવા દેત, રણમાં આગળ ઝુકાવત, શરમ રાખત કે? કશાની ચોકી નથી કરવાની એવું જાણતા ન હોત તો અહીં સાંકળે બાંધેલા કૂતરાની માફક પડી રહી પહેરો ભરત કે?&lt;br /&gt;
૧ લો : સોનું જોઈએ એટલું છે.&lt;br /&gt;
૨ જો : સોનું! હં, સોનું! સોનું મારી પાસે પણ પુષ્કળ છે. કેશવપુરમાં મારા ભોંયરામાં ધન દાટ્યું છે. હં!......તે એ! શિવપુર પાછળ રહેલી બાયડીઓ કને ખાવાનું રહ્યું હશે......ઢોર જીવતાં હશે તો દૂધ પણ.&lt;br /&gt;
૧ લો : હા, બૈરાંઓને ત્યાં લહેર છે –તારી વહુ નથી. ખરું ને?&lt;br /&gt;
૨ જો : એક દુશ્મને મારી વહુની લાજ લૂંટીને મેં બન્નેના જાન લીધા!(અટકે છે) ઠીક! બાયડીઓને ખાવાનું જોઈએ; દૂધ પણ. પણ કેટલો વખત–(ધીમેથી પાસે આવતાં હથિયારોનો ખડખડ અવાજ) જો લગ્ન ખરેખર પૂરું થયું છે.&lt;br /&gt;
૧ લો : ચૂપ જો, બૂઢો અણહિલ આવે છે– હજૂરની ઢાલ સાથે (બીજો પહેરો ભરવા માંડે છે.)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|પ્રવેશ ૨જો}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[અણહિલ પ્રવેશે છે. ઢાલને એની જગ્યાએ ભેરવે છે, અને વીખરાયેલાં હથિયારો બાજુ પર ગોઠવે છે.]&lt;br /&gt;
અણહિલ : કેમ, કાંઈ ખબર આવ્યા?&lt;br /&gt;
૧ લો : ના!&lt;br /&gt;
અણહિલ : તમને ભૂખ લાગી છે?&lt;br /&gt;
૨ જો : હા.&lt;br /&gt;
અણહિલ : ભૂખ બૈરાંને લાગે. ચિત્ત ઠેકાણે રાખો! આપણી જુવાન રાણી આગળ આવાં કરમાયેલાં મોં બતાવશો મા. લગ્નદિવસે એવું શોભતું નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૩જો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[ઘોંઘાટ કરતા લોકોથી વીંટળાયેલા તેજસિંહ અને અબળાના હાથ પકડી રાજગુરુ તંબુના આંગણામાં આવે છે. તેમની આગળ ધૂપદાની વીંઝતા બે બટુકો, પાછળ સાધના, દેવસેન, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો અને સેનાનીઓ. તંબુના દરવાજાઓની કનાતો નીચી ઢાળેલી છે. પહેરેગીરો ચાલ્યા જાય છે.&lt;br /&gt;
રાજગુરુ રાજારાણીના હાથ મૂકી દે છે, સાધના તરફ ફરે છે.&lt;br /&gt;
તેજસિંહ ગમગીન અને વિચારગ્રસ્ત ઊભો રહે છે. અબલા આસપાસ લજ્જાલુ પૃચ્છક દૃષ્ટિ નાંખે છે. દુઃખદ શાંતિ.]&lt;br /&gt;
અણહિલ(આસ્તેથી) : રાજેન્દ્ર, નવયૌવના રાણીનો સત્કાર વાણીથી કરવો જોઈએ.&lt;br /&gt;
તેજસિંહ(આસ્તેથી) : કરવો જોઈશે? (ધૂપદાનીવાળા છોકરાની ગરદન પકડી) છોકરા, એટલું બધું આકરું નહીં; ધુમાડો અમારાં નસકોરામાં ઠેઠ ગરી જાય છે. ધૂપદાની ધરવાની ન હોય ત્યારે તું શું કરે છે?&lt;br /&gt;
બટુક : મારી તરવાર ધરું છું, નામદાર!&lt;br /&gt;
તેજસિંહ : બરાબર છે. જલદી તરવાર પકડ નહિતર પાછળ પડી જઈશ. (ધીમેથી) અણહિલ, વહાણ દેખાતાં નથી ને?&lt;br /&gt;
અણહિલ : ના, હજૂર પણ આપની નવોઢા રાણી સાથે બોલો તો ખરા.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક.......ત્યારે હવે હું વહુવાળો થયો. એમ ગુરુદેવ?&lt;br /&gt;
રાજગુરુ : અહીં આપની રાણી ઊભાં છે, રાજેન્દ્ર આપનો શબ્દ સાંભળવા તલસે છે.&lt;br /&gt;
તેજસિંહ : રાણીજી, જોઈતો શબ્દ જડતો નથી માટે ક્ષમા કરો. રણક્ષેત્રોના ખોળામાં ઊછર્યો છું, માણસના નિવાસનાં બીજાં સ્થળોનો પરિચય નથી. મારી સાથે આવી જિંદગી ગાળવાનું તને ભારે પડશે.&lt;br /&gt;
અબળા : રાજેશ્વર...મારી બાએ...મને શીખવ્યું છે...(અટકી પડે છે.)&lt;br /&gt;
તેજસિંહ : (હેતનો દેખાવ કરી) તારી બાએ શું શીખવ્યું છે?&lt;br /&gt;
અબળા : પત્ની સ્વામીને આધીન છે–સંકટના સમયમાં તો ખાસ કરીને; મારી બાએ આટલું શીખવ્યું છે, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : તમારે સ્ત્રીઓ માટે એ તદ્દન વાસ્તવિક અને ધર્મ્ય હશે...પણ સંકટના સમયે પતિ પણ પત્નીને આધીન હોય તો? સાસુજી! પણે શકટપુરમાં પત્નીઓ પાસે હરણીયાં દોડાદોડ કરે છે. દિવસોના દિવસો થયાં મારા સિપાહીઓને ખાવાનું મળ્યું નથી. એ હરણીયાં એમને ખાવા આપો એવી મારી સલાહ છે.&lt;br /&gt;
[સાધના સાથું નમાવે છે]&lt;br /&gt;
રાજગુરુ : મારા રાજેન્દ્ર!&lt;br /&gt;
તેજસિંહ : હે! ગુરુદેવ, હમણાં જ રણભૂમિ પરના લગ્નમંડપમાં આપ સુભાષિત વાણી બોલ્યા છો. આટલી વારમાં ફરી ઉપદેશ આપવા વૃત્તિ થઈ છે?&lt;br /&gt;
રાજગુરૂ : કહેવા વૃત્તિ થઈ છે, દુઃખ આપનો આત્મા કોરી ખાય છે એટલે.&lt;br /&gt;
તેજસિંહ : ખરે જ? આપ શું એમ ધારો છો? ચાલો ત્યારે સાંભળીશ.&lt;br /&gt;
રાજગુરુ : સાંભળ, ઈશ્વરી કોપની મૂર્તિ સરીખો તું અમારામાં ઉદય પામ્યો છે. જુવાન......પ્રજાએ તારાં વર્ષો નથી ગણ્યાં પણ તારાં પરાક્રમો, રાજીખુશીથી વૃદ્ધોએ તારી જુવાનીને નમન કર્યું છે. વિનમ્રતમ હોઈ તારે માટે સેવાનાં લાંબાં વર્ષો હોવાથી, તું જોતજોતામાં અમારો શાસ્તા થયો. ઈશાદિત્યના સુવર્ણતખ્ત પરથી – જે તખ્ત પર એક વેળા દયા ઇન્સાફ આપતી હતી, જ્યાંથી હસતે મુખડે તિષ્યરાજ ક્ષમા આપતા હતા, ત્યાંથી તારા ખૂની શબ્દો ગાજી ઊઠ્યા.....ને ઝેરી ઘા માફક આપત્તિ અમને હેરાન કરી રહી છે. વિશ્વકર્મા પહાડના ઊના વાયરામાં અહીંથી તહીં હેરાન થતાં બૈરાંછોકરાં સાથે અમે છાવણી નાંખી પડ્યાં છીએ; અને દુશ્મનો, તેમના ભાડુતી સિપાઈઓથી આપણને ઘેરી રહ્યા છે.&lt;br /&gt;
તેજસિંહ : બરાબર ઘેરી રહ્યાં છે. હા, હા! સોંસરા ઉંદર પણ આવી શકે નહીં.&lt;br /&gt;
રાજગુરુ : સમુદ્ર ભણી આપણી નજર આશાપ્રેરી દોડે છે; ત્યાંથી ભોજન આવશે.&lt;br /&gt;
તેજસિંહ : વહાણોના કાંઈ જ વાવડ નથી?&lt;br /&gt;
અણહિલ(હળવેથી) : બિલકુલ નથી.&lt;br /&gt;
રાજગુરુ : દુઃખથી નવા વિગ્રહ માટે અમે શસ્ત્રબદ્ધ થયા તે પહેલાં, સ્વતંત્ર મનુષ્યો તરીકે, અસલથી ચાલતા આવેલા રિવાજ મુજબ તારે માટે રાણી પસંદ કરવાનો અમે નિશ્ચય કીધો. પોતાના શરીર દ્વારા તું અનુભવી શકે કે ઈશ્વર શા માટે મૃત્યુ ચાહે છે, તેટલા સારુ અમે અસલી રિવાજ પાળ્યો છે.&lt;br /&gt;
તેજસિંહ : તમારો રાજા જિંદગીને ઘણી વધારે ચાહે છે એવું તમને લાગ્યું?&lt;br /&gt;
રાજગુરુ : મારા રાજેન્દ્ર!&lt;br /&gt;
તેજસિંહ : નહીં જ, એમ ધારવાની હિંમત તમારામાં નથી, કારણ કે આ જીવનની દરેક પળ તમને ખસીઆણા પાડશે... અસલના રિવાજ મુજબ જરૂર હોય છતાં, શા માટે આ બાળક વસ્તુ સાથે તમે મારાં લગ્ન કીધાં?—તે એટલી બાળક છે કે તમારી અને મારી આગળ બીકથી થરથરે છે. અને પોતાની માના છેડામાં સંતાય છે; અને ખાસ કરીને આવા યોગ્ય દિવસે, લગ્નના મંગલગીત ભૂખ ગાય છે ત્યારે...આમ ઊંચે જુઓ, રાણીજી,—અર્ધા કલાકથી મળેલા ઇલ્કાબથી તને બોલાવવી જોઈએ; મારા નાથ! હજુ તારું નામ પણ હું જાણતો નથી. વિનવું છું. મારા સામું જો! મને ઓળખે છે?&lt;br /&gt;
અબળા : આપ રાજેશ્વર છો, નામદાર!&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, પણ તારી નજરમાં હું મનુષ્ય હોવો જોઈએ, રાજા નહીં...તારી આગળ કેવી જાતનો મનુષ્ય ઊભો છે તેની તને ખબર છે?...જો! અત્યાર લગી આ હાથો લોહીમાં બોળવામાં આવ્યા છે. મરદાની જંગમાં રેડાયેલા માનવલોહીમાં નહીં – હું તેની વાત કરતો નથી. કારણ કે તેથી મનુષ્યની કીર્તિ વધે છે – પરંતુ અશસ્ત્રી રક્તહીન બાળકોનાં લોહીમાં, –(કંપે છે) – આવા હાથે તારા કંઠને આશ્લેષ કરવા આવું તો તું આનંદ પામીશ?......સાચે, મારું કહેવું તું સાંભળે છે? મારો સ્વર લલિત, મધુર નથી? જરાક કર્કશ છે. ખૂન કરવા જોસથી આરડેલા હુકમથી તે થાકેલો છે. આવી મોહક કર્કશતામાંથી કોમળ સ્વરો તું સાંભળશે ત્યારે તારો આનંદ અવનવો થશે. હું આ જન્મસિદ્ધ કાન્ત નથી એ આ શાણા પુરુષો જાણતા હતા. એટલે જ એઓએ મને મારો ધંધો શીખવ્યો......અથવા છાવણીમાં જિંદગી ગુજારવાથી થતા કંટાળાથી તમારા રાજાને છેતરવાનું તમારું કર્તવ્ય છે એમ માનો છો? સુવર્ણમય શતવપ્રમાં મહાન ન્યાયવર્ષે જેવી રીતે મોજ માણી અને રૈયતનો સંહાર કરવા પોતાના ખોજાઓને મોકલ્યા હતા તેમ? હા, હા, હા&lt;br /&gt;
રાજગુરુ : નામદાર, સંભાળજો નહીંતર પિત્તો ઉછળશે.&lt;br /&gt;
તેજસિંહ : ગુરુવર્ય, ધ્યાન ખેંચવા માટે ઋણી છું પણ એ નિરર્થક છે. આ તો મારા લગ્નની ગમ્મત છે......પણ હવે તમારી સાથે ખરા દિલથી બોલીશ......(આસન પર ઊંચે ચડે છે.) ઇશાદિત્યના સુવર્ણ આસન પર, જ્યાં દયા ઇન્સાફ આપતી હતી ત્યાં અફસોસ કે હું મારું સ્થાન મેળવી નહીં શકું. દુશ્મનોના પાટનગરમાં બળતણ માટે તેના કટકેકટકા થાય છે...તેમ તિષ્યરાજની પેઠે હસતે મુખડે હું માફ પણ કરી શકતો નથી, કારણ કે હવે કોઈને માફીની જરૂર નથી... દુશ્મનોની પ્રશસ્ત જાતિમાંથી ભૂખ્યા વાઘનું ટોળું જન્મ પામ્યું છે — એમને જેર કરવા પણ વાઘની જરૂર છે. આપે, ગુરુદેવ, મને ઈશ્વરી કોપની મૂર્તિ કહી, પણ હું તે નથી...હું તો ફક્ત તમારી નિરાશાની મૂર્તિ છું. સારા જીવનમાં જેણે કશાની અભિલાષા નથી રાખી, કશાની અપેક્ષા નથી રાખી. એવો હું તમારી સૌની આગળ ઊભો રહું છું અને એવો જ તમારી સમક્ષ કામે આવીશ. તે તમે જાણો છો, તેથી જ ગુપ્ત રીતે મને ઠપકો આપવામાં તમે સૌ ભૂલ કરો છો. મને ખોટો ન પાડો!...તમારી નમેલી ભ્રમરોની નીચેથી હું સ્પષ્ટ વાંચી શકું છું. આપણા પાસા અવળા પડે છે માટે મને હોળીનું નાળિયેર કરો મા. એટલી તમને મારી સલાહ છે.&lt;br /&gt;
આદિત્ય : દેવ, અમને ઘા ન મારો......અમારા લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું આપનું છે. આ ઘરડાઓ સાથે અમને કઢામાં ન નાંખો.&lt;br /&gt;
દેવસેન : અમે ડોસાઓ બીજાઓની પેઠે લડીએ છીએ; અને જુવાન, તેમની જ માફક ચાહીએ પણ છીએ.&lt;br /&gt;
તેજસિંહ : ચાલો, એટલેથી પતાવો. સંકટમાં મિત્રો અંદર અંદર કેવા લડી પડે છે તે તમારી રાણી જલદીથી સારી રીતે શીખશે. તમે છાવણીમાં થઈને જાઓ ત્યારે સૈનિકોને કહો – એ એક જ વાત રાજાને આજે કચવે છે – આ આનંદના દિવસે કેમ ખરું ને – જોઈએ તેવું લગ્નનું જમણ જમાડવાની તાકાત મારામાં નથી......અથવા હજુ કદાચ – અણહિલ!&lt;br /&gt;
અણહિલ : (જમણી તરફ તરત જ આવેલા પહેરેગીર સાથે ગભરામણમાં ગૂપચૂપ વાત કરતો હતો) : જી, હજુર.&lt;br /&gt;
તેજસિંહ : આપણા કોઠારમાં હજુ શું છે? ડોસા?&lt;br /&gt;
અણહિલ : (સંક્ષોભ અંકુશમાં રાખી) આપે આપનો સર્વે ખોરાક આપી દીધો છે.&lt;br /&gt;
તેજસિંહે : પૂછું છું કે શું પડ્યું રહ્યું છે?&lt;br /&gt;
અણહિલ : એક વટલોઈ ભરેલું બગડેલું દૂધ ને બે ફુગાયેલા રોટલા.&lt;br /&gt;
તેજસિંહ : હા, હા, હા! હવે જુઓ, રાણીજી! કેવો મુફલેસ ધણી તમને મળ્યો છે? લોકો કહે છે તેમ ત્યાં વહાણો આવ્યાં હોય તો દરેકની લાયકાત મુજબ સર્વેની બાદશાહી મહેમાનગીરી કરીશ – પણ તેમને એ જણાવશો નહીં, રખેને તેમનો આહ્લાદ કથળે. પણ કહેજો કે જો રણશીંગા સાંભળે તો તમારે માટે સારું સારું ભોજન પીરસાશે, એટલું બધું –(પોતા તરફ સરી આવતા અણહિલને) શું છે?&lt;br /&gt;
અણહિલ : (ધીમેથી) પહેરો ગયો. વહાણો નાશ પામ્યાં.&lt;br /&gt;
તેજસિંહ : (સહેજ પણ ચહેરો બદલ્યા વગર) નાશ પામ્યાં કેમ – કેવી રીતે?&lt;br /&gt;
અણહિલ : દ્રોહથી.&lt;br /&gt;
તેજસિંહ : હં, ઠીક! અહં, સાથે બેસી સૌએ ખાધું હોત જમણ- સર્વેને પીરસ્યું હોત, સ્ત્રીઓ માટે મેવો અને મીઠાઈ...(સિંહાસન પર ગબડતો પડે છે અને દૂર શૂન્ય દૃષ્ટિ નાંખે છે.)&lt;br /&gt;
માણસો : રાજાને શું થયું? રાજાની સામે તો જુઓ!&lt;br /&gt;
અબલા : ખરેખર ભૂખ્યા થયા છે, બા! (પાસે જાય છે, માણસો આઘા ખસે છે) મારા રાજા!&lt;br /&gt;
તેજસિંહ : સ્ત્રી, તું કોણ છે? શું કરવાની છે, સ્ત્રી!&lt;br /&gt;
અબલા : સ્વામી, મદદ કરી શકું?&lt;br /&gt;
તેજસિંહ : હં! તમે રાણી છો. માફ કરો, તમે પણ સૌ દરગુજર કરો, ભાઈઓ.&lt;br /&gt;
રાજગુરુ : આપનું બળ સમેટવું જોઈશે, રાજેન્દ્ર!&lt;br /&gt;
આદિત્ય : હા, હજૂર, અમારી સૌની ખાતર.&lt;br /&gt;
માણસો : અમારી સૌની ખાતર.&lt;br /&gt;
તેજસિંહ : વ્યાજબી છે. તમારી ચેતવણી ખરે વખતે છે. સુંદરીઓ, તમે સૌ તમારી છાવણીમાં જાઓ એટલી મારી વિનંતિ છે. અમારે મસલત કરવી છે. ગુરુદેવ, આપ અમને સહીસલામત પહોંચાડો.&lt;br /&gt;
સાધના : (આસ્તેથી) બહેન, પ્રણામ કરી લે.&lt;br /&gt;
અબલા : ( ,, ) માડી, હવે મારી સાથે એ નહીં બોલે?&lt;br /&gt;
સાધના : પ્રણામ કરી લે! (અબલા આજ્ઞા પ્રમાણે વર્તે છે.)&lt;br /&gt;
તેજસિંહ : તમારું સૌનું કલ્યાણ થાઓ!&lt;br /&gt;
[અબલા, સાધના, રાજગુરુ જાય છે. બહાર પ્રશંસાધ્વનિ એમને વધાવે છે]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૪થો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[તેજસિંહ, આદિત્ય, દેવસેન, અણહિલ, પહેરેગીર, સામંતો]&lt;br /&gt;
તેજસિંહ : સ્ત્રીઓ અને બ્રાહ્મણને મોકલી દીધાં, હવે જે થવાનું છે તેની નિસ્બત આપણે લડવૈયાઓને છે. ક્યાં છે પહેરેગીર? ભાઈ, આગળ આવ.&lt;br /&gt;
માણસો(બબડતાં) : ધાર પરનો પહેરેગીર! પહેરેગીર!&lt;br /&gt;
તેજસિંહ : ભાઈઓ, સાંભળો વહાણ નાંશ પામ્યાં છે.&lt;br /&gt;
 						[ઘોંઘાટ, દુઃખની કીકીયારી.] &lt;br /&gt;
શાંત પડો; શાંત, વીરો! તારું નામ હરિહર છે?&lt;br /&gt;
પહેરેગીર : શાંત, વીરો! ગરીબ પરવર!&lt;br /&gt;
તેજસિંહ : ક્યારથી પહેરો ભરે છે?&lt;br /&gt;
પહરેગીર : કાલ સવારથી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહે : ક્યાં છે તારી જોડનાં બે સોબતી?&lt;br /&gt;
પહેરેગીર : તેઓ ધાર પર છે, આપના હુકમ પ્રમાણે, નામદાર.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, તમે શું જોયું?&lt;br /&gt;
પહેરેગીર : ખુદાવિંદ, સમુદ્ર પર મીનાક્ષીની ભૂશિરને પેલી મેર, વિશ્વકર્માનો ધુમાડો ઊતર્યો એટલે આજે સાંજના છેલ્લા પહોર લગી અમારી નજરે કાંઈ આવ્યું નહીં. એવામાં વહાણ દેખાયાં – સંખ્યા પાંચની હતી – કિનારાની તદ્દન નજીક – મૌર્યોના જમાનાનું ખંડિયેર નગર દટાયેલું છે ત્યાં......... અમારામાંનો એક ઉતાવળે આવવા તૈયાર થયો, એવામાં –&lt;br /&gt;
તેજસિંહ : ઊભો રહે? વહાણો પર સંકેત શો હતો?&lt;br /&gt;
પહેરેગીર : આગળનું શઢ આડકતરું વીંટાળેલું હતું અને —&lt;br /&gt;
તેજસિંહ : અને?&lt;br /&gt;
પહેરેગીર : તૂતક આગળ આસોપાલવનો ઝુમખો.&lt;br /&gt;
તેજસિંહ : આસોપાલવ તમે નજરે જોયો?&lt;br /&gt;
પહેરેગીર : આપ નામદારને નિહાળું છું તેવી જ રીતે.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક પછી?&lt;br /&gt;
પહેરેગીર : પછી, દુશ્મનો ખારવાનાં જે વહાણોથી ખોરાક મેળવે છે તેમને પેલાં વહાણોની આસપાસ વીંટળાઈ વળતાં જોયાં, અને તરત જ.&lt;br /&gt;
તેજસિંહ : તરત જ શું?&lt;br /&gt;
પહેરેગીર : હજૂર, ક્ષોભ વિના સૌ દુશ્મનની છાવણી તરફ ચાલ્યાં ગયાં. ત્યાં તેમણે માલ ખાલી કર્યો.&lt;br /&gt;
 							[માણસો કપાળ કૂટે છે. પ્રગાઢ નીરવતા.]&lt;br /&gt;
તેજસિંહ : (એક પછી એક તરફ હસતી નજર નાંખતો) ઠીક થયું... બહાર ત્યાં તું કોઈને આ વિશે કાંઈ વાત કરીશ નહીં. હું એમને કહીશ.&lt;br /&gt;
 								      [પહેરેગીર ચાલ્યો જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૫મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[તેજસિંહ, આદિત્ય, દેવસેન, સ્કંદ, બીજાઓ, સામંતો]&lt;br /&gt;
તેજસિંહ : બિરાદરો, તમારી સલાહ!&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ, સલાહ અમને સૂઝતી નથી.&lt;br /&gt;
તેજસિંહ : દેવસેન, તું! તારા અનુભવમાંથી કાંઈ?&lt;br /&gt;
દેવસેન : સ્વામી, મહાન ઇશાદિત્યની સેવા મેં કરી છે. છતાં તે પણ કાંઈ આપી શકતી નથી.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, ત્યારે, મને સૂઝે છે......સરળતઃ અને સત્વર સમજાય છે. મરી જાઓ! આવા અવિશ્વાસની નજર કેમ મારા તરફ કરો છો? મારું કહેવું નથી સમજતા? બીકણ દુશ્મનોની પેઠે શરીરે પછેડી લપેટી પીઠમાં ઘા કરવાનું પડોશીને કહેવાનો રસ્તો બતાવું છું એમ ધારો છો? ઠંડા પડો: શરમથી હું તમને બચાવીશ. કીર્તિની પ્રાપ્તિ પ્રત્યે દોરી નહીં જઈ શકું ત્યારે તમારી લાજ નહીં જવા દઉં. જ્યાં લગી ભાલો પકડવાની તાકાત આપણા ત્રીસ જણમાં છે ત્યાં લગી આપણું આ સ્થાન લેવાની કોઈની મગદુર નથી. પણ આખરે વખત આવશે. થોડી જ વારમાં ભૂખથી દુર્બળ થયેલો હાથ આક્રમણ કરતા ખૂનીઓ પાસે રહેમત માગવા લાંબો થઈ શકે નહીં.&lt;br /&gt;
આદિત્ય : મહારાજ, કોઈ આભીર આવું કરતો નથી!&lt;br /&gt;
તેજસિંહ : તું જેવો છું તેની ખાતરી તું કરાવે, પણ તારું શું થશે તેની જામીનગીરી તું મને નહીં આપી શકે; એટલે મારી સલાહ અને આજ્ઞા છે. છેલ્લા યુદ્ધ માટે સૌ સજ્જ થાઓ. પરોઢના ઝળઝળીયામાં આપણે કોતરોમાંથી કૂદી પડશું અને ખુલ્લા મેદાનમાં દુશ્મનોની સામે આપણો વ્યૂહ માંડશું.&lt;br /&gt;
સર્વે : મહારાજ, એ અશક્ય છે.&lt;br /&gt;
આદિત્ય : સ્વામી, વિચાર કરો, આપણા એકની સામે દુશ્મન સો છે.&lt;br /&gt;
તેજસિંહ : તારો અભિપ્રાય, દેવસેન?&lt;br /&gt;
દેવસેન : પ્રભુ, આપ અમને મૃત્યુના માર્ગે લઈ જાઓ છો.&lt;br /&gt;
તેજસિંહ : હા, બરાબર મેં બીજું કહ્યું છે? શું તમે મને રણમાં એવો બિનપલોટાયેલો માનો છો કે પરિણામ મારા લક્ષ બહાર હોય? ત્યારે શા માટે ખચકાઓ છો? જ્યારે તિષ્યરાજ આપણા સેનાની હતા ત્યારે આપણે લાખ હતા, અત્યારે આપણે માત્ર પાંચ છીએ – તે સર્વેને મરતાં આવડતું હતું. આપણે – એમનામાંથી રહેલા સહેલા કંગાળ શું તે વીસરી ગયા હઈશું?&lt;br /&gt;
સર્વે : ના, મહારાજ, ના!&lt;br /&gt;
દેવસેન : પ્રભુ, તે ભયંકર પ્રસંગથી પરિચિત થવા જેટલો વખત આપો.&lt;br /&gt;
તેજસિંહ : ભયંકર? તમને શું ભયંકર લાગે છે? મૃત્યુનો પરિચય મેળવવા સમય જોઈએ છીએ? લીલથી છવાયેલા જૂના પાણાની પેઠે જેની છાતી ઘાના ચાઠાથી અંકિત ન હોય એવો તમારામાં કોઈ નથી. આજ વીસ વર્ષ થયાં તમે મૃત્યુને ઉડાવ્યું છે પણ હવે સાક્ષાત્ આવ્યું છે ત્યારે આભીરો શું ‘ભયંકર’ એવો ઉદ્ગાર કાઢશે? તમે શું કરશો? ભૂખ્યા સૂઈ રહેશો? એકબીજાને ખાઈ જશો? સારું, હું તમારી સાથે એમ વર્તીશ નહીં! હું નહીં જ! આવતી કાલે મારો ભાલો અને ઢાલ લઈ, તમારા ડૂબતા ભાગ્યનો નાયક મને બનાવ્યો ત્યારથી જે મૃત્યુની ચોરની પેઠે રાહ જોઈ ઝૂરું છું તે મૃત્યુને મારી મેળે મળવા જઈશ – તું એકલો, મારા બુઢ્ઢા ગોઠીયા, મારી સાથે આવે છે ને?&lt;br /&gt;
અણહિલ(પગે પડીને) : ખુદાવિંદ, મમતા માથે ચડાવું છું. સાથે આવવાનો સવાલ જ હોય?&lt;br /&gt;
સર્વે : અમે પણ તૈયાર છીએ, રાજેન્દ્ર, અમે બધા.&lt;br /&gt;
આદિત્ય : સુખનો માર્ગ બતાવવા માટે પ્રભુ, આપને ધન્યવાદ દેવો જોઈએ. એકદમ અમે આપની પાછળ સંગ્રામમાં ઊતરવા તૈયાર ન થયા માટે અમારા પર કોપ કરશો મા. હવે જ અમને આપના મહાન વિચારનું વિશદદર્શન થાય છે. શોક, અણબનાવ અને હતાશામાંથી અમે ઊઠીએ છીએ, મૃત્યુ તરફ ઢળી પડતા નથી......દરેક જણ બીજાનાં મુડદા ઉપર હસતાં ચાલશું એટલે તેની પેઠે જ રણશય્યામાં હસતા સૂશું...હાશ! સુવર્ણ કલશમાંથી અમૃતનું પાન થશે—ઉત્સાહપ્રદ ગમ્મતની મસ્તી માણશું. ખમ્મા, મારા નાથ. તારી ગાદીની કેટલીયે વાર ઇર્ષ્યા કરી છે, પણ હવે તે બિલકુલ રહી નથી.&lt;br /&gt;
તેજસિંહ : આદિત્ય, તારી કલ્પનામાં હશે તેથી નિરાળી જ ઘટના ઘણું કરીને થશે. છતાં આભીરોમાં આવો જુસ્સો હજુ વસેલો જોઈ રાજી થાઉં છું.&lt;br /&gt;
દેવસેન : દેવ, સેવકનો એક શબ્દ સૂણશો? મેં સોનેરી દિવસો જોયા છે... આપ વીરશ્રેષ્ઠ છો એટલું નહીં પણ સૌથી શાણા છો. ને હમણાં થાપ ખાધી તો, બચાવ કર્યા વગર, ખૂનીની સમશેરથી આપણા પ્રાણ જવાના......આપણા જ નહીં પણ રોગીઓના — અને બાળકોના — અને વહુઓના.&lt;br /&gt;
તેજસિંહ : અંહ, સાચે, વહુઓ! એમનો તો વિચાર જ નહોતો આવ્યો?&lt;br /&gt;
દેવસેન : પણ હવે આવતી કાલે આપણે જંગમાં ઊતરશું. બીજા અને ત્રીજા દિવસે — એટલો વખત આપણે ટકી શકીશું તો — એ ચમત્કારથી દુશ્મનો અને એમની પાછળ ખેંચાઈ આવતા ભીલ વગેરેના ટોળામાં આશ્ચર્ય અને ભય ફેલાશે...એમનો સદંતર નાશ આપણે નહીં કરી શકીએ, પણ તેઓ કોઈ જાય ત્યાં લગી આપણા લોહીથી તેમને હંફાવશું......અને જ્યારે એમના પક્ષમાં ભાલો કે ધનુષ્ય પકડવાની શક્તિ કોઈનામાં નહીં રહે ત્યારે એ હીજડાઓને કહેવાનો વખત આવશે ‘સુલેહથી ચાલ્યા જાઓ.’ તે વખતે તમારામાંથી કેટલા બચ્યા હશે? મને દહેશત છે કે બહુ નહીં! —&lt;br /&gt;
તેજસિંહ (હસતાં) : આપણે, ખાતરીથી નહીં!&lt;br /&gt;
સર્વે (ક્રૂર હાસ્ય કરતાં) : નહીં જ, અમે નહીં!&lt;br /&gt;
દેવસેન : પછી આપણા ભાઈઓ બૈરાંછોકરાંઓ સાથે દુશ્મનની વચમાં જશે, અને માથું ઊંચું રાખી, ખુલ્લી તલવારે દુશ્મનની છાવણી સોંસરા નૂપુરવંપ્ર. પર રોટલાનો ટુકડો વેચાતો લેવા ઊતરી પડશે. સાચું માનજે, એમનો ધાક પડશે કે ભીલોનો કૂતરો પણ એમની સામે ભસવાની હિમ્મત નહીં કરે. &lt;br /&gt;
તેજસિંહ : બૈરી અને છોકરાં! બૈરી અને છોકરાં! આપણે એમનું શું કામ છે?&lt;br /&gt;
સ્કંદ : મહારાજાસાહેબ, આપ અમારાં વહાલામાં વહાલાનો તિરસ્કાર કરો છો.&lt;br /&gt;
તેજસિંહ : હશે! સવારે જ્યારે ખોરાક વહેંચવામાં આવ્યો ત્યારે ઘણાં પેટ ભરવાનાં હતાં એટલું મને માહિત છે. નહીંતર આપણે ટકી રહેવા સમર્થ થયા હોત. તોપણ આટલી એક વાત તમને કહું છું – બહાર ઊભેલા માણસોને વીરપુરુષો તરીકે વ્રતનિષ્ઠ રહેનારાઓને આજ્ઞા કરું છું – આપણા નિશ્ચયની વાત કોઈ પણ સ્ત્રીને જણાવવી નહીં. સ્ત્રીઓનાં આંસુ અને ચીસથી કોઈ પણ માણસ પોચો પડ્યો હું સાંખીશ નહીં.&lt;br /&gt;
સ્કંદ : પ્રભુ અમારી સહધર્મચારિણીઓ પાસેથી રજા ન લેવાનો હુકમ નિર્માણ છે.&lt;br /&gt;
તેજસિંહ : મારી ઉપેક્ષા કરી તેમની રજા લેજો પણ લેતી વખતે મૂગા રહેજો. જેમને સ્ત્રીસંતતિ હોય તે શકટપુર જાય અને ખાવાપીવાનું લેતા આવે– થોડું પણ બચાવી રાખવામાં સ્ત્રીઓ મોજ માણે છે. પછી વાંઢાઓ સાથે બિસ્મિલ્લાહ કરે અને બને તેટલી લહેર માણી લે.&lt;br /&gt;
દેવસેન : નિશ્ચય જણાવવાની સખ્ત મના કરો છો તો પ્રભુ! એમણે એમની વહુઓને તે શું કહેવું?&lt;br /&gt;
તેજસિંહ : એમ કહો, મારા લગ્નનિમિત્તે મળવા આવ્યા છો! અથવા મનાય એવું લાગે તો કહેજો કે વહાણો આવ્યાં છે. ફાવે તે કહેજો. ફક્ત આટલી વાત તમારા મનમાં રાખજો.&lt;br /&gt;
આદિત્ય : આપ નવોઢા રાણીને પણ નહીં મળો?&lt;br /&gt;
તેજસિંહ : હેં? નહીં... સહેજ પણ વૃત્તિ થતી નથી. હવે લોકો સાથે વાત કરીશ. આદિત્ય, મારી વાણી તારા જેવી હોત તો કેવું સારું – સંદેશો ગૂંચવે એવો છે, મારે ઉત્તેજક શબ્દો ઉચ્ચારવા છે પણ તે સ્ફૂરતા નથી. ચાલો.&lt;br /&gt;
[સર્વે જાય છે, અણહિલ ધીમેથી પાછળ ચાલે છે.]&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
 				&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૬ઠ્ઠો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ટૂંક વખત રંગભૂમિ નિર્જન રહે છે. રાજાનો ઘાંટો સંભળાય છે. તેની વાણી જયઘોષથી વધાવાય છે. પછી થોડીક પળ વીત્યે, દુઃખનાં ગૂંગળાતાં ડૂસકાં.&lt;br /&gt;
અણહિલ રંગભૂમિ પર આવે છે અને પડદા નજીકના ઠૂંઠા પર બેસે છે. પછી બે મશાલો સળગાવી કડામાં ભેરવે છે અને રાજાનાં હથિયાર સજ્જ કરે છે. બહાર ઉત્સાહનો નિનાદ ઊઠે છે, વળી પાછો ધીમો પડી જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૭મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અણહિલ, રાજગુરુ વાચસ્પતિ (થાકથી ને આવેશથી લથડિયાં ખાતો.)&lt;br /&gt;
અણહિલ : પૂજ્ય દેવ, આસને આપ નહી બિરાજો?&lt;br /&gt;
વાચસ્પતિ : મહારાજા શું બોલે છે તે સાંભળવા તું નથી જતો?&lt;br /&gt;
અણહિલ : એને અને મારે કાંઈ નિસ્બત નથી, ગુરુદેવ! મહારાજાસાહેબ અને હું – ઘણા લાંબા કાળથી કામ કરવામાં એકમત છીએ.&lt;br /&gt;
વાચસ્પતિ : ખરે, યમના દૂત જેવાં ત્યાં આગળ તેઓ ઊભા છે.&lt;br /&gt;
અણહિલ : ફિરસ્તા હોય કે જીત હોય, મારે મન એક જ છે.&lt;br /&gt;
[ઉત્સાહનો ઘોષ નવેસરથી ઊડે છે અને તંબુઓની નજીક આવે છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૮મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એના એ જ રાજા (આંખોમાંથી આગના તણખા ઊડતા. ફિક્કો છતાં સ્વસ્થ.)&lt;br /&gt;
તેજસિંહ : હથિયાર સજ્જ છે? — અહો, આપ કયાંથી ગુરુદેવ!&lt;br /&gt;
વાચસ્પતિ : મહારાજા, મારા મહારાજા!&lt;br /&gt;
તેજસિંહ : સાચે, હવે આપને નવા યજમાન ગોતવા પડશે, ગુરુદેવ. આપનો આશીર્વાદ આપવાના હો તો કૃપા કરી સત્વર આપો......આદિત્ય હમણાં આવશે.&lt;br /&gt;
વાચસ્પતિ : દરેક મરતા જીવના થરથરાટથી તારી જાતને મુક્ત માને છે? તાત!&lt;br /&gt;
તેજસિંહ : ગુરુદેવ, આપણા સંપ્રદાયનો હું સાચો ભક્ત હતો. એક વેળા તિષ્યરાજે કર્યું તેમ હું એના મંદિર બંધાવી શક્યો નથી. પણ જે નાશ કરવાનું હતું તે એના શ્રેય અર્થે મેં નાશ કર્યું છે. આશીર્વાદ માટે દંડવત પડું?&lt;br /&gt;
વાચસ્પતિ : વત્સ, તારા કહેવાનો ભાવાર્થ મારાથી પમાતો નથી.&lt;br /&gt;
તેજસિંહ : ગુરુદેવ, નથી સમજાતો તો દિલગીર છું.&lt;br /&gt;
વાચસ્પતિ : તેં રજા લીધી?&lt;br /&gt;
તેજસિંહ : રજા, કોની? ઊલટું મને તો ‘સ્વાગત’નો ધ્વનિ કરવાનું મન થાય છે; પણ હજુ ત્યાં કાંઈ નથી! &lt;br /&gt;
વાચસ્પતિ (ભમ્મર ચડાવી) : આપની રાણીની રજા, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : અત્યારે, હું પુરુષોનો સગો છું, ગુરુદેવ. પત્ની સાથે કાંઈ લાગતું વળગતું નથી. સલામાલેકુમ.&lt;br /&gt;
[આદિત્ય અને અણહિલ પ્રવેશ કરે છે.]&lt;br /&gt;
વાચસ્પતિ : આલેકુમ સલામ — પ્રભુ, તારા આત્મામાં પોતાનો પ્રસાદ ભરો!&lt;br /&gt;
તેજસિંહ : ઋણી છું, ગુરુદેવ...અહો તું આવ્યો, આદિત્ય.&lt;br /&gt;
[વાચસ્પતિ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૯મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, આદિત્ય, અણહિલ (પછવાડાના ભાગમાં, રાજાનાં હથિયાર સજ્જ કરતો નિઃશબ્દ અંદર-બહાર આવ જા કરે છે.)&lt;br /&gt;
તેજસિંહ : યોદ્ધાઓ શું કરે છે?&lt;br /&gt;
આદિત્ય : જેમની વહુઓ છે તે શકટપુર ગયા છે...જરૂર તેઓ ત્યાં ખાશે, પીશે અને પોતાનાં બાળગોપાળ સાથે ખેલશે.&lt;br /&gt;
તેજસિંહ : તારી વહુ અહીં છે?&lt;br /&gt;
આદિત્ય : હા પ્રભુ!&lt;br /&gt;
તેજસિંહ : તારાં છોકરાં?&lt;br /&gt;
આદિત્ય : બે પુત્રો, પ્રભુ!&lt;br /&gt;
તેજસિંહ : છતાં તું ગયો નથી?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ, આપની તહેનાતમાં હાજર રહ્યો છું.&lt;br /&gt;
તેજસિંહ : વખત કેટલો થયો છે?&lt;br /&gt;
આદિત્ય : નવ વાગ્યા છે.&lt;br /&gt;
તેજસિંહ : જેઓ સ્વતંત્ર – અવિવાહિત છે અને જેમની વહુઓ અહીં નથી તેઓ શું કરે છે?&lt;br /&gt;
આદિત્ય : ધૂણી ધખાવી શાંત પડ્યા છે.&lt;br /&gt;
[અણહિલ જાય છે.]&lt;br /&gt;
તેજસિંહ : એમને માટે પણ કાંઈ ખાવાનું આવે તેવી જોગવાઈ કર. મેં ક્યારનો હુકમ કર્યો છે. શું તેઓ ઊંઘશે?&lt;br /&gt;
આદિત્ય : કોઈ ઊંઘશે નહી.&lt;br /&gt;
તેજસિંહ : મધરાતે, મને તેડવા આવજે.&lt;br /&gt;
આદિત્ય : જી, જેવો હુકમ. (જવાનું કરે છે.)&lt;br /&gt;
તેજસિંહ (ચિંતાના શેરડા પડે છે) : આદિત્ય, ઊભો રહે!...તું મારો હંમેશ પ્રતિસ્પર્ધી હતો.&lt;br /&gt;
આદિત્ય : હતો, પ્રભુ. પણ ઘણા લાંબા કાળથી પ્રતિસ્પર્ધી મટી ગયો છું.&lt;br /&gt;
તેજસિંહ (હાથ લંબાવીને) : આવ!&lt;br /&gt;
(ગાઢ આશ્લેષથી બન્ને ભેટે છે, પછી હાથે હાથ મેળવે છે.) ખુશીથી તને અહીં પકડી રાખત, પણ તારે તારી વહુને મળી આવવું જોઈએ.&lt;br /&gt;
[અણહિલ ફરી આવે છે.]&lt;br /&gt;
ધૂણીની તાપણી તાપતા સિપાહીઓ માટે ખાવાનું લાવવાનો બંદોબસ્ત વીસરતો નહિ. તેમનું ચિત્ત વ્યગ્ર રહેવું ન જોઈએ. આવે વખતે વિચાર કરવાથી લાભ નથી.&lt;br /&gt;
આદિત્ય : જી. હજુર.&lt;br /&gt;
[આદિત્ય જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૦મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, અણહિલ&lt;br /&gt;
તેજસિંહ : ચાલ, મારા ડોસા, પૃથ્વી પર હવે આપણે માટે કાંઈ કરવાનું રહેવું ન જોઈએ. વાતો કરશું?&lt;br /&gt;
અણહિલ : ગરીબપરવર, મારા પર મહેરબાની કરશો.&lt;br /&gt;
તેજસિંહ : હજુ મહેરબાની, આવે વખતે? જૂના દોસ્ત, મને લાગે છે કે તારે મને અડાવવો છે.&lt;br /&gt;
અણહિલ : પ્રભુ, હું બુઢ્ઢો થયો. આપની જિંદગીનું રક્ષણ કરવા જોઈતા વખતથી વહેલાં મારો હાથ ભાલો પકડી થાકી જશે. મારી તકસીરથી આપનો નાશ થવો ન જોઈએ, નાથ...કોઈ ઊંઘતું નથી છતાં બાકી રહેલા બે કલાક મને મારા ખાટલામાં સૂવા રજા આપો. મારે માટે બીજો વિચાર લાવશો મા!&lt;br /&gt;
તેજસિંહ (ઊંડી ચિંતાનો નવો ખટકો ખમતાં) : જા, પણ બહુ દૂર નહીં.&lt;br /&gt;
અણહિલ : આપના તંબુ આગળ નિરંતર કૂતરાની માફક સૂઈ રહ્યા છું, પ્રભુ આ છેલ્લી રાતે એમાં બિલકુલ ફેર પડવાનો નથી...હુકમ છે હજૂર!&lt;br /&gt;
તેજસિંહ : સુખી થા!&lt;br /&gt;
[અણહિલ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૧ મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, પછીથી અબલા.&lt;br /&gt;
(તેજસિંહ એકલો પડવાથી, ખાટલા પર પડે છે. થાકેલું, કડવું સ્મિત ફરકાવતો તાકીને પોતાની બરાબર સામે જુએ છે. અબલા લજ્જાભરી આવે છે, એક હાથમાં મીઠાઈ ને મેવો ભરેલો કંડિયો છે; બીજા હાથમાં દારૂથી ભરેલો સોનાનો પ્યાલો છે. પાટ તરફ થોડાંક પગલાં ભરે છે.)&lt;br /&gt;
તેજસિંહ (અર્ધો ઊઠીને) : કોણ છે?&lt;br /&gt;
અબલા(બીતી, હળવે રહીને) : રાજેન્દ્ર, મને ઓળખતા નથી?&lt;br /&gt;
તેજસિંહ (ખાટલા પરથી ઊઠીને) : દીવા ઝાંખા બળે છે.. તારો અવાજ અગાઉ સાંભળેલો છે...મારું શું કામ છે?&lt;br /&gt;
અબલા : હું આપની રાણી છું, રાજેન્દ્ર.&lt;br /&gt;
તેજસિંહ (થોડો વખત ચૂપ રહી) : તારે મારું શું કામ છે?&lt;br /&gt;
અબલા : મારી બાએ મને મોકલી છે, આપને સારુ હું મિષ્ટાન્ન અને સુરા લાવી છું. બીજાઓ ખાય-પીએ છે એટલે મારી બાએ કહ્યું કે...(અટકી પડે છે.)&lt;br /&gt;
તેજસિંહ : તું અંદર કેવી રીતે આવી?...સંત્રીએ તને આવતાં રોકી નહીં?&lt;br /&gt;
અબલા (ટટાર થઈ) : પ્રભુ, હું રાણી છું.&lt;br /&gt;
તેજસિંહ : હં, બરાબર. પણ, અણહિલે શું કહ્યું?&lt;br /&gt;
અબલા : આપણો વૃદ્ધ ભાલેદાર પડ્યો પડ્યો ઊંઘે છે. હું એને ઓળંગી આવી, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : અબલા. તારું કલ્યાણ થાઓ...મને ભૂખ નથી લાગી. તારું કલ્યાણ થાઓ.&lt;br /&gt;
[નિઃશબ્દતા, અબલા ઊભી ઊભી અશ્રુપૂર્ણ દૃષ્ટિ એના પર નાંખે છે.]&lt;br /&gt;
તેજસિંહ : હજુ પણ તારે કાંઈ અરજ કરવાની છે એવું મને લાગે છે. વગર સંકોચે બોલ.&lt;br /&gt;
અબલા : મારા નાથ, ભરેલો કંડિયો લઈ ઘેર પાછી જઈશ તો બીજી સ્ત્રીઓ મને ફિટકાર દેશે...અને પુરુષો કહેશે કે–&lt;br /&gt;
તેજસિંહે (સ્મિત કરતાં) : પુરુષો શું કહેશે?&lt;br /&gt;
અબલા : હું આપના જરાયે લેખામાં નથી. મારા હાથથી જમવાની પણ વૃત્તિ આપને નથી થતી.&lt;br /&gt;
તેજસિંહ : પુરુષોને બીજી વાતોનો વિચાર કરવાનો છે. અબલા, તેની ખાતરી મારા પંડના સોગન ખાઈ તને આપું છું – છતાં, તોપણ મારે લીધે તને બટ્ટો નહીં લાગવા દઉં. ત્યાં કંડિયો મૂક...હજુ પણ તમારી પાસે આવી વસ્તુઓ છે?&lt;br /&gt;
અબલા : પ્રભુ, આ બે સપ્તાહ થયાં મારી બાએ, મેં અને બીજી સ્ત્રીઓએ અમારા ભાગમાંથી સારામાં સારું ઊંચું મૂકી છાંડ્યું છે.—આજ દિન લગી માંસ માટે પશુપક્ષી માર્યાં નથી.&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે તો તમને સ્ત્રીઓને કકડીને ભૂખ લાગી હશે, નહી વારુ?&lt;br /&gt;
અબલા : એથી અમે હેરાન નથી થયાં...એ મિજાની માટે હતું.&lt;br /&gt;
તેજસિંહ : સાચે! આજે અમે મિજબાની આપશું એવું તમારું માનવું હતું.&lt;br /&gt;
અબલા : ઠીક ત્યારે શું મિજબાની નથી, પ્રભુ?&lt;br /&gt;
તેજસિંહ : (છાનોમાનો અધર કરડે છે; ચોરીછૂપીથી અબલાને તપાસે છે) – અબલા તું બેસશે નહીં?... અત્યારમાં તને પાછી ઘેર જવા નહીં દઉં! તેથી પણ તને કલંક લાગે, નહીં?&lt;br /&gt;
   [અબલા મૌન રહે છે અને નીચું જુએ છે.]&lt;br /&gt;
તેજસિંહ : હું હુકમ કરું તો અહીં થોભવા તારી મરજી છે?&lt;br /&gt;
અબલા : નાથ, પતિ સમીપ રહેવા પત્નીને શા માટે ઇચ્છા ન થાય?&lt;br /&gt;
તેજસિંહ : હું — તારો — પતિ છું, એવી લાગણી ત્યારે શું તારા હૃદયમાં છે?&lt;br /&gt;
અબલા : અલબત્ત, એથી બીજું શું હોય? ગુરુદેવે આપણને સંલગ્ન કર્યાં છે.&lt;br /&gt;
તેજસિંહ : એમણે સંલગ્ન કર્યાં ત્યારે તને આનંદ થયો હતો?&lt;br /&gt;
અબલા : હા...ના, ત્યારે આનંદ નહોતો થયો.&lt;br /&gt;
તેજસિંહ : શા માટે નહોતો થયો?&lt;br /&gt;
અબલા : કદાચ,...રખેને...વખતે, વખતે...પ્રભુ, હું બીની હતી, પ્રાર્થના કરતી હતી.&lt;br /&gt;
તેજસિંહ : શા માટે પ્રાર્થના કરતી હતી?&lt;br /&gt;
અબલા : આપને જેની જરૂર છે એવું અને મારાથી આપ અપેક્ષા રાખો એવું સુખ આપને આપવાની શક્તિ, મારા જેવી પરમેશ્વરની નમ્ર કિંકરીને પરમેશ્વર આપે માટે.&lt;br /&gt;
તેજસિંહ : તારી પાસેથી જેની હું...એ વિશે પ્રાર્થના કરતી હતી?&lt;br /&gt;
અબલા : નાથ, આપને માટે પીરસું? સુરા લાવું?&lt;br /&gt;
તેજસિંહ : ના, ના!...આમ જો, અબલા! બહાર, આપણી તાપણી પાસે યોદ્ધાઓ છે—તેઓ ભૂખ્યા છે—મને ભૂખ નથી લાગી.&lt;br /&gt;
અબલા : નાથ, આપને ગમે તે તેમને આપો...તેમને બધું આપી દ્યો!&lt;br /&gt;
તેજસિંહ : તારું કલ્યાણ થાઓ, અબલા. (પડદો ઉપાડે છે.) અરે, પહેરેગીર, અંદર આવ, પણ જાળવીને, ડોસો ઊઠે નહીં...&lt;br /&gt;
[પહેરેગીર આવે છે.]&lt;br /&gt;
લે, મીઠાઈ અને સુરાનો આ કંડિયો; પ્રામાણિકતાથી વહેંચી લેજો;... કહેજે કે તમારી રાણીએ મોકલ્યું છે.&lt;br /&gt;
પહેરેગીર : ખુદાવિંદ, રાણીસાહેબનો આભાર માનું?&lt;br /&gt;
[તેજસિંહ ડોકું નમાવે છે. પહેરેગીર ઉલ્લાસથી રાણીને પગે પડી જાય છે.]&lt;br /&gt;
તેજસિંહ : જા—મારે માટે ખાવાનું લાવ!&lt;br /&gt;
અપ્સરા(મુંઝાઈને) : નાથ — કેમ — મને — બનાવો છો?&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે મારું કહેવું સમજતી નથી? જો મારી વહુ થવું હોય તો, તારે મને મારી મિલકત ધરવી જોઈએ, તારી નહીં!&lt;br /&gt;
અબલા : મારી તે આપની જ મિલકત નથી, નાથ?&lt;br /&gt;
તેજસિંહ : હં! (મૌન. તેના હાથ પકડે છે.) મને નાથ નહીં કહે, રાજા પણ નહીં કહે...મારું નામ તું જાણતી નથી?&lt;br /&gt;
અબલા : આપનું નામ તેજસિંહ છે.&lt;br /&gt;
તેજસિંહે : ફરીથી કહે જોઈએ!&lt;br /&gt;
અબલા (હળવેથી, આડી ફરીને) : તેજસિંહ!&lt;br /&gt;
તેજસિંહ : નામ વિચિત્ર તને લાગે છે?&lt;br /&gt;
   [અબલા ડોકું ધુણાવે છે.]&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે આનાકાની કેમ કરે છે?&lt;br /&gt;
અબલા : વિચિત્ર લાગે છે માટે નહીં, નાથ જ્યારથી મેં જાણ્યું કે આપની પત્ની તરીકે આપની સેવા કરવાની છે ત્યારથી રાતે અને દિવસે વારંવાર આપનું નામ મેં લીધા કર્યું છે. ફક્ત મોટેથી નથી ઉચ્ચાર્યું.&lt;br /&gt;
તેજસિંહ : તારી જાણમાં એ આવ્યું તે પહેલાં મારે માટે તારો શો વિચાર હતો?&lt;br /&gt;
અબલા : નાથ, એમ શા માટે પૂછો છો?&lt;br /&gt;
તેજસિંહ : શા માટે જવાબ નથી આપતી?&lt;br /&gt;
અબલા : નાથ, આપની ક્રૂર આજ્ઞાઓ વિશે સાંભળતી અને બીજાઓ આપનાથી ડરતા – ત્યારે વારંવાર વિચાર આવતો : આભીરોનું પ્રારબ્ધ જેને આવાં કામો કરવાની ફરજ પાડે છે તે કેટલો દુઃખી હોવો જોઈએ!&lt;br /&gt;
તેજસિંહ : એવો તને વિચાર આવ્યો? એવો તને –?&lt;br /&gt;
અબલા : એવો વિચાર મને આવ્યો તે શું અનુચિત હતું?&lt;br /&gt;
તેજસિંહ : તેં કદી મારો ચહેરો જોયો નહોતો છતાં તું મને સમજી શકી? મારી આસપાસ રહેનારા ડાહ્યા માણસો અને કસાયેલા યોદ્ધાઓ મને સમજી શક્યા નહીં!...તું કોણ છે, સુંદરી મારું હૃદય વાંચતાં તને કોણે શીખવ્યું? – તને, સર્વમાંથી એકલી તને?&lt;br /&gt;
અબલા : નાથ, હું -&lt;br /&gt;
તેજસિંહ : બધા મારાથી થરથરતા અને ખાણમાં મારાથી સંતાઈ રખડતા પણ રસ્તો જોયો નહીં – સુભાગ્યે જે રસ્તે તેમનું રક્ષણ થયું હોત તે ખરો રસ્તો તેમણે જોયો નહીં. જલ્લાદની છરી તેમની ગરદન પર ઊતરતી ત્યારે પણ બાંધછોડની કંઈક વાત કરતા. એટલામાં લુચ્ચા દુશ્મનો આવ્યા, તેમની સાથે લડ્યા અને એક પછી એક અમારો સંહાર થયો. આમ લાખ નાશ પામ્યાં. મેં શોક અને ક્રોધનાં વસ્ત્રો વીંટાળ્યાં – લોહિયાળ ચીંથરાની પેઠે આશાને મેં ફેંકી દીધી, ભંગાણમાં તિરસ્કાર અને હાસ્યભર્યો હું કૂદી પડ્યો. મારાં પ્રત્યેના ત્રાસથી મારું હૃદય હલમલી રહ્યું હતું ત્યારે મારી આસપાસ મેં ત્રાસ વાવી દીધો. સર્વના લોહીથી એક વખત પણ હું મત્ત નથી થયો. મેં દુશ્મનને માર્યા, છતાં બધો વખત જાણતો હતો કે બધું ફોગટ છે!&lt;br /&gt;
[વેદનાથી પીડિત થઈ શય્યા પર પડે છે; પોતાની સમક્ષ સીધું તાકીને જુએ છે.]&lt;br /&gt;
અબલા (લજવાતી તેના પર વહાલનો હાથ ફેરવવાનો પ્રયત્ન કરે છે) : મારા વહાલા, બિચારા મહારાજા! વહાલા તેજ!&lt;br /&gt;
તેજસિંહ (ડોકું ઊંચું કરી ગભરાયેલો આજુબાજુ જુએ છે) : મારા પ્રભુ, અહીં હું શું કરું છું?...તને શાને આ બધું કહું છું? આવો ભડભડીઓ છું માટે મને ધિક્કારતી નહીં...તેમ એમ પણ ન માનતી કે અનુતાપથી આ હકીકત કબૂલ કરવાની મને ફરજ પડી છે...કદાચ વધ્યો ને માટે મારા હૃદયમાં ઘૃણા થઈ છે, પણ મારું અંતઃકરણ એ સર્વેથી ઊંચે વિરાજે છે!... મારી મુફલિસ આભીર ગાદીથી ઘણું જ ઊંચું!...એમ મારા પર નજર કર... તારી આંખમાં એવું કાંઈક છે જેથી મારા અંતરના વિચારો તારી સમક્ષ પ્રગટ કરવાની મને ફરજ પડે છે...મારા પર આવું સામર્થ્ય મેળવવાની શક્તિથી તને કોણે સંપન્ન કરી છે?...જતી રહે!...નહીં, ઊભી રહે...ઊભી રહે! હજુ, મારે તને કાંઈ કહેવું છે, તદ્દન રહસ્યમાં તારા જતાં પહેલાં...પણ મારે આમ રડવું ન જોઈએ, નહીં તો પહેરેગીર સાંભળી જશે...તારો કાન મારી તરફ નીચો ધર. હજુ લગી કદી પણ કોઈ માણસ પાસે કબૂલ કર્યું નથી, તેમ કોઈ દિવસ કબૂલ કરીશ એવો સંભવ પણ માન્યો નથી. મારા અંતરમાં ઈર્ષ્યા છે, તે મારું કાળજું કોરી ખાય છે, જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે – તને ખબર છે કોની?...તિષ્યરાજની...અલબત્ત, મસાણમાં બાળેલા તિષ્યરાજના... લોકો તેને ‘પ્રભાવી’ તિષ્યરાજ કહેતા અને આજે પણ તેઓ તેને ચાહે છે... અદ્યાપિ જ્યારે તેનું નામ સાંભળે છે ત્યારે લોકોની આંખો ચમકે છે.&lt;br /&gt;
અબલા : અહો, પ્રભુ! આપ કેવા ઊકળ્યા છો?&lt;br /&gt;
તેજસિંહ : તેં કદી તેને જોયો હતો?&lt;br /&gt;
અબલા : કોઈ દિવસ નહી.&lt;br /&gt;
તેજસિંહ : પાડ પ્રભુનો! જે યુદ્ધમાં તે કામ આવ્યો તેની સવારે જેવો તેને મેં જોયો હતો તેવો તેં જોયો હોત...સોનેરી બખ્તરમાં સજ્જ થયેલો... તેની નીચે સફેદ ઘોડો રવાલતો હતો, સૂર્યકિરણની પેઠે તેનાં ઝૂલફાં તેની આસપાસ ફરફરતાં હતાં. દુશ્મનની સામે જોઈ તે અટ્ટહાસ્ય કરતો. બાળકની પેઠે તે હસતો હતો! આહ, તેની માફક હસતાં મરવાનું!&lt;br /&gt;
અબલા : નાથ, તેનું ભાગ્ય સરળ હતું! તે અહીંથી ગયા પણ વારસામાં આપને અર્ધું નષ્ટ થયેલું રાજ્ય સોંપી ગયા... પછી આપને કેવી રીતે હસવું આવત?&lt;br /&gt;
તેજસિંહ (આતુરતાથી) : શું એમ નથી? – શું એમ નથી? – કેવી રીતે...હાશ, એથી ઠીક લાગે છે! (આડા ફરે છે) હાશ! તારાથી મને ઠીક લાગે છે!&lt;br /&gt;
અબલા : દેવ, મારું હૈયું કેટલું ફુલાવો છો!&lt;br /&gt;
તેજસિંહ : પણ જો તેં તેને જોયો હોત અને મારી સાથે મુકાબલો કર્યો હોત તો, તું મારા પર થૂંકત!&lt;br /&gt;
અબલા (સ્નેહના આવેશથી) : પ્રભુ, વહાલા, વહાલા નાથ! આપને જ ફક્ત હું જોવત!&lt;br /&gt;
[તેજસિંહ લજ્જા અને અવિશ્વાસભરી દૃષ્ટિ તેના પર આડકતરી નાંખે છે. પછી ધીમેથી ડાબી બાજુએ ચાલી જાય છે, સિંહાસન આગળની બેઠક પર બેસી જાય છે અને સિંહાસનમાં મોં દાબીને દારૂણ રૂદન કરે છે.]&lt;br /&gt;
અબલા (શરમાતી તેની પાછળ જાય છે અને તેની જોડમાં ઘુંટણીયે પડે છે) : તેજ, વહાલા, ક્ષમા કર, મેં તને દુભવ્યો હોય તો!&lt;br /&gt;
તેજસિંહ (ઊભો થઈ તેનો હાથ પકડે છે) : કોઈને કહીશ મા!&lt;br /&gt;
અબલા : શું, પ્રભુ?&lt;br /&gt;
તેજસિંહ : તેં મને રડતાં જોયો છે તે! સોગન ખા!&lt;br /&gt;
અબલા : મને કહેવામાં આવ્યું છે કે હમણાં પણ હું તારા શરીરનો અંશ છું – તારા આત્માનો પણ!...તો પછી શા માટે સોગન ખાવા?&lt;br /&gt;
તેજસિંહ : મારા શરીરની કલા હોય, તો મારી સોડમાં ભરાવ, એટલે તે મારાં આંસુ નહીં જોઈ શકે.&lt;br /&gt;
અબલા : તારે બદલે મને તે લૂછવા દે! જો, એટલા માટે તો હું અહીં આવી છું.&lt;br /&gt;
તેજસિંહ : હાશ, મને આરામ છે...આજ લગી કોઈ આભીર રોતો જણાયો નથી એટલે શરમનો માર્યો હું મરી જાત. તિષ્યરાજને બાળ્યા ત્યારે પણ અમે રોયા નહોતા...છતાં હું શરમાતો નથી...એકદમ કેમ હું સ્વસ્થ થયો તે સમજાતું હોત!...અબલે, મારે તને કાંઈ કહેવું છે, પણ હસીને મારો તિરસ્કાર કરીશ મા.&lt;br /&gt;
અબલા : કેવી રીતે તારા તરફ દાંત કાઢું, વહાલા!&lt;br /&gt;
તેજસિંહ : મને ભૂખ લાગી છે.&lt;br /&gt;
અબલા (આશ્ચર્યથી ઊછળીને) : અફસોસ, આપે તો બધું આપી દીધું છે!&lt;br /&gt;
તેજસિંહ : ના, બિલકુલ નહીં! પણ જા, જઈશ?&lt;br /&gt;
   [અબલા જાય છે.]&lt;br /&gt;
મારા ખાટલાની પછવાડે – ચૂલો જણાય છે?&lt;br /&gt;
અબલા : અહીં રાખ પડી છે ત્યાં?&lt;br /&gt;
તેજસિંહ : ત્યાં પેટી છે?&lt;br /&gt;
અબલા : હા.&lt;br /&gt;
તેજસિંહ : ઢાંકણું ઉઘાડીશ?&lt;br /&gt;
અબલા : ઓ બા! ભારે છે!&lt;br /&gt;
તેજસિંહ : હવે અંદર હાથ નાંખ! ઠેઠ અંદર, ઠેઠ અંદર...ત્યાં બુઢ્ઢા કંજૂસ અણહિલ – કેમ?&lt;br /&gt;
અબલા (આશાભંગ થઈને) : રોટલાના બે ટુકડા; એટલું જ છે, નાથ?&lt;br /&gt;
તેજસિંહ : સાચે, એથી વિશેષ નથી.&lt;br /&gt;
અબલા : તાકીદે શકટપુર જઈ આવવાની અનુજ્ઞા છે?...કદાચ હજુ...&lt;br /&gt;
તેજસિંહ : ના, ના...તેમને સૌને કકડાબુકડાની જરૂર છે...તે અહીં લાવ! હમશરીખો તરીકે આપણે વહેંચી લઈશું- હું? બન્ને માટે એ પૂરતું છે. લાવીશ?&lt;br /&gt;
અબલા : હા જી.&lt;br /&gt;
 [તેની જોડમાં બેસે છે.]&lt;br /&gt;
તેજસિંહ : ચાલ, તે મને આપ! હાશ કેવું મજેદાર! સ્વાદિષ્ટ છે ને? પણ હું, તારે પણ ખાવું પડશે.&lt;br /&gt;
અબલા : મને ધાસ્તી છે કે આપને માટે પણ પૂરતું નથી.&lt;br /&gt;
તેજસિંહ : નહીં કબૂલતની વિરુદ્ધ...ઠીક...સ્વાદ સારો નથી?&lt;br /&gt;
અબલા : આવી મીઠાશ અર્ધી પણ કદી ચાખી નથી.&lt;br /&gt;
તેજસિંહ : જરા, નજીક આવ...તારા ખોળામાંથી કકડા ખાઈશ...પણ એકદમ મને ભૂખ કેમ લાગી? જો અત્યારે આપણે લગ્નનો કંસાર ખાઈએ છીએ. &lt;br /&gt;
અબલા : બહાર, સુરા અને અન્નથી જમનારાઓથી વધારે સારી મિજબાની ખરું ને? &lt;br /&gt;
તેજસિંહ : મેં તને નહોતું કહ્યું? પણ તારું આસન બરાબર નથી. &lt;br /&gt;
અબલા : ના, હું બરાબર બેઠી છું.&lt;br /&gt;
તેજસિંહ : ચાલ ઊભી થા! ઊભી થા તો જોઉં. &lt;br /&gt;
અબલા (ઊઠીને) : બોલો?&lt;br /&gt;
તેજસિંહ : ત્યાં ઉપર બેસ.&lt;br /&gt;
અબલા : સિંહાસન ઉપર—પ્રભુની ખાતર—હું કેવી રીતે હિમ્મત કરૂં?&lt;br /&gt;
તેજસિંહ : તું રાણી નથી!&lt;br /&gt;
અબલા (નિશ્ચયપૂર્વક) : સાચેસાચું બેસવું જોઈશે! પણ ગમ્મતમાં – નહિ! &lt;br /&gt;
તેજસિંહ : હં લાકડાના પાગલ ટુકડા!&lt;br /&gt;
[સિંહાસન ઊથલાવી પાડે છે.] &lt;br /&gt;
છેવટે કાંઈક કામમાં તો આવવું જોઈએ...વારુ, હવે એને અઢેલી ઊભી રહે.&lt;br /&gt;
અબલા : વહાલા આપ વાજબી વર્તો છો?&lt;br /&gt;
તેજસિંહ : (ચમકીને) નહીં જ!(સિંહાસન હતું તેમ ગોઠવે છે. તેનાં પગથિયાં પર અબલાને લઈ જાય છે અને ગાદી પર તેનું માથું રખાવે છે) બરાબર બેઠી — ખરું!... આવા નજીવા પદાર્થોનો અપરાધ આપણે નથી કરતા. રાજગુરુએ આ જોયું હોત — એમણે, હા! હા! હા! થોભ, હું ફરીથી ખાઈશ.&lt;br /&gt;
અબલા : લો, જમો!&lt;br /&gt;
તેજસિંહ : હજુ–તદ્દન હાલ્યાચાલ્યા વિના રહીશ! હું જાતે લઈ આવીશ.&lt;br /&gt;
(પગથિયાં પર તેની પાસે ઘૂંટણિયે પડે છે.) હવે તારી સાથે હું ઘૂંટણિયે પડ્યો એવું શું નથી જે આપણે શીખતા નથી?...તું રમણીય છે...મારી માનું મને જરાયે સ્મરણ નથી &lt;br /&gt;
અબલા : જરાયે નથી!&lt;br /&gt;
તેજસિંહ : બેન પણ નહોતી...કોઈ નહોતું...જિંદગીમાં કોઈ દિવસ રમ્યો ખેલ્યો પણ નથી...પણ હવે છેલ્લું છતાં ઓછું અગત્યનું નહીં એવું શીખી લઉં છું.&lt;br /&gt;
અબલા : કેમ છેલ્લું છેલ્લું?&lt;br /&gt;
તેજસિંહ : પૂછો મા – નહીં? અહહ, તું, તું! હા, હા, હા, ખા તો ખરી. મારામાંથી કરડ-હું? આજ્ઞા પાળ, રાજગુરુએ કહેલાં મંત્રો યાદ છે ને?&lt;br /&gt;
અબલા (કરડે છે ને – તરત જ ઊછળે છે) : પણ આપ કાંઈ પીશો ખરા ને?&lt;br /&gt;
તેજસિંહ : અલબત્ત! દૂધનો કટોરો માત્ર લાવ! દૂધનો કટોરો માત્ર લાવ! અણહિલે કહેલી વટલોઈ તું ઓળખે છે?&lt;br /&gt;
અબલા (સામી તરફ જોઈને) : આ જ કે!&lt;br /&gt;
તેજસિંહ (ઊભા થઈને) : એ જ તારેય પીવું પડશે.&lt;br /&gt;
અબલા : એ યોગ્ય ગણાય?&lt;br /&gt;
તેજસિંહ : મને માલૂમ નથી પણ હોવું જોઈએ.&lt;br /&gt;
અબલા : ઠીક ત્યારે થવા દો.&lt;br /&gt;
[પીએ છે અને હસવાથી હાલે છે.]&lt;br /&gt;
ઉંહું! ગંધ મારે છે.&lt;br /&gt;
તેજસિંહ : મને આપ. (પીએ છે.) કાંઈ નહીં. (ફરીથી પીએ છે.) જા! અન્નદેવતાનો આવો તું તિરસ્કાર કરે છે?...ઠીક, ત્યારે તું કોણ છે? અહીં કેવી રીતે આવી! કહે મારું શું કામ છે!&lt;br /&gt;
અબલા : તને હું ચાહીશ.&lt;br /&gt;
તેજસિંહ : તું મારી સહધર્મચારિણી! –તું...&lt;br /&gt;
(હાથ પ્રસારી બન્ને દોડી આશ્લિષ્ટ થાય છે. હળવેથી) મને ચુમ્બન નહીં દે?&lt;br /&gt;
તેજસિંહ : કહેને, કેમ નહીં?&lt;br /&gt;
અબલા : તારા કાનમાં કહીશ!&lt;br /&gt;
તેજસિંહ : વારુ.&lt;br /&gt;
અબલા : તારી દાઢી ઋક્ષ છે.&lt;br /&gt;
તેજસિંહ (મોં ગભરાટમાં લૂછે છે. પછી ખોટો ગુસ્સો ધારણ કરીને) : મારી દાઢી કેવી છે! હું કોણ છું તેની તને ખબર નથી? તારા રાજાને આવું કહેવાની બેઅદબી તારામાં ક્યાંથી આવી!... કહે ફરી એકવાર ફરીથી કહે જોઈએ! પછી હું જોઈશ.&lt;br /&gt;
અબલા (હસતાં) : ઋક્ષ — દાઢી — છે.&lt;br /&gt;
તેજસિંહ : (હસતાં) હવે, ઊભી રહે!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૨મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, અણલા, આણહિલ.&lt;br /&gt;
[અબલા શરમાઈને માથું ધુણાવે છે.]&lt;br /&gt;
અણહિલ : હજુર, હાક મારી?&lt;br /&gt;
[આશ્ચર્યથી જડ થઈ ઊભો રહે છે. છાનામાના જતા રહેવાની તૈયારીમાં છે.]&lt;br /&gt;
તેજસિંહ (સપાટામાં સ્વસ્થ થાય છે. સ્વપ્નમાંથી જાગતો હોય એવો દેખાય છે. શરૂઆતમાં જેવી મ્લાન મંદતા એનામાં હતી તેનો અધિકાર તેની રીતભાત અને દેખાવમાં આવે છે) : ઊભો રહે, થોભ, બહાર શું થાય છે?&lt;br /&gt;
અણહિલ : શકટપુરથી યોદ્ધાઓ પાછા આવતા જાય છે. ઘણાની સાથે તેમની વહુઓ આવે છે.&lt;br /&gt;
તેજસિંહ : સામંતો ભેગા થયા?&lt;br /&gt;
અણહિલ : જી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહ : એક ક્ષણ વધારે તેઓ ખામોશ રાખશે?&lt;br /&gt;
અણહિલ : જી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહ : મારેય વહુ છે.&lt;br /&gt;
અણહિલ : જી, છે, હજૂર.&lt;br /&gt;
[જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૩મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ. અબલા.&lt;br /&gt;
અબલા : તેજ, વહાલા શું થાય છે?&lt;br /&gt;
તેજસિંહ (તેની સમક્ષ ઊભા રહી પોતાના હાથમાં તેનું માથું ભીડે છે) : સુખદુઃખના સમગ્ર સંસારમાં થઈને હાથોહાથ મેળવી આપણે ગયાં હોઈએ એવો અનુભવ આ ક્ષણે મને થાય છે. તે અદૃશ્ય થાય છે.–બધું અદૃશ્ય થાય છે. ફરીથી હું છું – હું હતો – ના, તે હું રહ્યો નથી – પણ તું સર્વે સ્ત્રીઓથી શ્રેષ્ઠ થા, રાણી...થઈશ?&lt;br /&gt;
અબલા : દેવ, શી આજ્ઞા છે?&lt;br /&gt;
તેજસિંહ : કાલાવાલા કે રૂદન નહીં કરે ને?&lt;br /&gt;
અબલા : નહીં જ નાથ.&lt;br /&gt;
તેજસિંહ : દિવસ જલદીથી ઊગશે, અમારી આગળ મૃત્યુ ઊભું છે.&lt;br /&gt;
અબલા : નાથ, આપ શું કહો છો તે સમજતી નથી. આપણા ઉપર કોઈ હુમલો કરી શકે એમ નથી, અને વહાણ આવે ત્યાં લગી—&lt;br /&gt;
તેજસિંહ : હવે વહાણ કદી આવવાનાં નથી.&lt;br /&gt;
[અબલા કપાળ કૂટે છે ને પછી નિશ્ચલ ઊભી રહે છે.]&lt;br /&gt;
તેજસિંહ : પણ અમે મરદો કેસરિયાં કરી રણમાં ઊતરવાના છીએ.&lt;br /&gt;
અબલા : તે તમે નહીં કરી શકો—તે ખચિત — અશક્ય છે.&lt;br /&gt;
તેજસિંહ : અમારે ઊતરવું જોઈએ. તું રાણી છે, પછી જોઈ શકતી નથી કે અમારે ઊતરવું જોઈએ.&lt;br /&gt;
અબલા : હા – હું – જો...ઈ...શ...કું...છું.&lt;br /&gt;
તેજસિંહ : રાજા મોખરે લડે છે. હવે આપણે જીવતાં મળી શકીશું નહીં...તેની તને ખબર છે ને?&lt;br /&gt;
અબલા : હા ખબર છે!...&lt;br /&gt;
[શાન્તિ, બન્ને એકેકના સામું જુએ છે.]&lt;br /&gt;
તેજસિંહ : રણસંગ્રામમાં તારી શુભેચ્છાઓ સાથે લઈશ.&lt;br /&gt;
[અબલાને પગે પડે છે. અબલા તેજસિંહના માથા પર હાથ મૂકે છે, તેના તરફ નીચી વળે છે અને ધ્રૂજતી ધ્રૂજતી તેના કપાળમાં ચુમ્બન કરે છે.]&lt;br /&gt;
તેજસિંહ (કૂદી ઊભો થાય છે અને તંબુની કનાત ચીરી નાંખે છે) : રાહ જોતા હોય તે આવો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૪મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એનાં એ જ. સાધના, દેવસેન, વાચસ્પતિ, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો.&lt;br /&gt;
સાધના : રાજેન્દ્ર, આપની પાસે મારી બાળકીને મોકલી હતી...તમે મરદો જંગમાં ઊતરવાના છો એવું સાંભળ્યું છે...તે મને પાછી સોંપો.&lt;br /&gt;
તેજસિંહ : લો, તમારી બાળકી!&lt;br /&gt;
[સાધના અને અબલા જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૫મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અબલા અને સાધના સિવાય એના એ જ.&lt;br /&gt;
તેજસિંહ (તેમની પાછળ તાકી તાકીને જુએ છે; જાગૃત થાય છે ત્યાં રાજગુરુને જુએ છે.) : ગુરુદેવ, કાલે સાંજે મેં આપની અવગણના કરી હતી. માફ કરો. મારી કૃતજ્ઞતાની લાગણી સ્વીકારો. હું પણ સારી રીતે જાણું છું, આભીરોને મૃત્યુ શા માટે પ્રિય છે?...(તરવાર પકડે છે.) ચાલો તૈયાર છો ને? છેલ્લી વિદાયગીરી લેવાઈ રહી?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ! આપની આજ્ઞા અમે તોડી છે. અમારી વહુઓમાંથી કોણે આગળ પડી અથવા અમારામાંથી કોણે વાત કહી દીધી તે જાણી શકાતું નથી. સૌ તે જાણે છે એટલું નિ:સંશય છે.&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે તો સૌએ કકળાટ અને રડારોળ કરી મુક્યાં ને?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ! અમારી ભમ્મરો પર મૃત્યુના આશીર્વાદની નીરવ મુદ્રા તેમણે અંકિત કરી છે.&lt;br /&gt;
તેજસિંહ (અર્ધો પોતાની સાથે ઉદ્ગાર કાઢે છે) : તેમણે પણ! (મોટેથી) ખરે જ આપણે રાજવીઓની પ્રજા છીએ. એ આપણું કમભાગ્ય છે. ચાલો ત્યારે!&lt;br /&gt;
[પાછળ, ફલંગ ભરતો જાય છે. બીજાઓ તેને અનુસરે છે. રાજાને વધાવતી નિનાદભરી લોકવાણી પર પડદો પડે છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = તોળલ અથવા તોળીરાણી&lt;br /&gt;
|next = રિપુ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=Template:Parameter/styles.css&amp;diff=111415</id>
		<title>Template:Parameter/styles.css</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=Template:Parameter/styles.css&amp;diff=111415"/>
		<updated>2026-05-28T05:01:40Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: 1 revision imported: Template : Brace 2&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;.wst-doc-parameter {&lt;br /&gt;
	color:var(--color-icon-success, #099979);&lt;br /&gt;
	background-color:var(--background-color-neutral-subtle, #f8f9fa);&lt;br /&gt;
	font-weight:bold;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
@media screen {&lt;br /&gt;
	html.skin-theme-clientpref-night .wst-doc-parameter {&lt;br /&gt;
		color:var(--color-icon-success, #24ebbf);&lt;br /&gt;
		background-color:var(--background-color-neutral-subtle, #202122);&lt;br /&gt;
	}&lt;br /&gt;
}&lt;br /&gt;
@media screen and (prefers-color-scheme: dark) {&lt;br /&gt;
	html.skin-theme-clientpref-os .wst-doc-parameter {&lt;br /&gt;
		color:var(--color-icon-success, #24ebbf);&lt;br /&gt;
		background-color:var(--background-color-neutral-subtle, #202122);&lt;br /&gt;
	}&lt;br /&gt;
}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=Template:Brace2/doc&amp;diff=111413</id>
		<title>Template:Brace2/doc</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=Template:Brace2/doc&amp;diff=111413"/>
		<updated>2026-05-28T05:01:40Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: 1 revision imported: Template : Brace 2&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{documentation subpage}}&lt;br /&gt;
&lt;br /&gt;
==Usage==&lt;br /&gt;
The template generates a variable height brace using LaTeX math markup. These are especially useful in tables where they are used to group items. For the technical details, see: [[mw:Extension:Math]].&lt;br /&gt;
&lt;br /&gt;
;Parameters:&lt;br /&gt;
* {{parameter|1}}: the height of the brace in lines (this is not necessarily the same as lines of text, you may need to tweak it). Optional, default: 1&lt;br /&gt;
* {{parameter|2}}: the direction of the brace (&amp;quot;up&amp;quot;, &amp;quot;u&amp;quot;, &amp;quot;down&amp;quot;, &amp;quot;d&amp;quot;, &amp;quot;left&amp;quot;, &amp;quot;l&amp;quot;, &amp;quot;right&amp;quot; or &amp;quot;r&amp;quot;). Optional, default: right.&lt;br /&gt;
&lt;br /&gt;
==Examples==&lt;br /&gt;
&lt;br /&gt;
===Plain use===&lt;br /&gt;
&amp;lt;pre&amp;gt;&lt;br /&gt;
{{brace2|}}&lt;br /&gt;
{{brace2|2}}&lt;br /&gt;
{{brace2|4|r}}&lt;br /&gt;
{{brace2|1|l}}&lt;br /&gt;
{{brace2|3|l}}&lt;br /&gt;
{{brace2|1|u}}&lt;br /&gt;
{{brace2|6|u}}&lt;br /&gt;
{{brace2|1|d}}&lt;br /&gt;
{{brace2|6|d}}&lt;br /&gt;
&amp;lt;/pre&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{brace2|}}&lt;br /&gt;
{{brace2|2|r}}&lt;br /&gt;
{{brace2|4|r}}&lt;br /&gt;
{{brace2|1|l}}&lt;br /&gt;
{{brace2|3|l}}&lt;br /&gt;
{{brace2|1|u}}&lt;br /&gt;
{{brace2|6|u}}&lt;br /&gt;
{{brace2|1|d}}&lt;br /&gt;
{{brace2|6|d}}&lt;br /&gt;
&lt;br /&gt;
===Formatting with tables===&lt;br /&gt;
&amp;lt;pre&amp;gt;&lt;br /&gt;
{|&lt;br /&gt;
| Item 1&lt;br /&gt;
| rowspan=2|{{brace2|2|r}}&lt;br /&gt;
|-&lt;br /&gt;
| Item 2&lt;br /&gt;
|}&lt;br /&gt;
&amp;lt;/pre&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{|&lt;br /&gt;
| Item 1&lt;br /&gt;
| rowspan=2|{{brace2|2|r}}&lt;br /&gt;
|-&lt;br /&gt;
| Item 2&lt;br /&gt;
|}&lt;br /&gt;
&lt;br /&gt;
For putting a line on the right side of the brace, as well as for creating this brace in case of Non-English Wikisource if this template is not present, see example [https://web.archive.org/web/20190324113215/https://bn.wikisource.org/w/index.php?title=মেঘনাদবধ_কাব্য/মঙ্গলাচরণ&amp;amp;action=edit here]. However, if the line on right is to be put immediately after or at slight gap from the brace, it can be done as per [[Page:Nil Durpan.djvu/22|here]].&lt;br /&gt;
&lt;br /&gt;
==See also==&lt;br /&gt;
*{{tl|brace}}&lt;br /&gt;
*{{tl|brace3}} - Uses CSS instead of LaTeX; allows positioning of the bracket point&lt;br /&gt;
*{{tl|brace border}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;!-- template categories and interwiki links --&amp;gt;&lt;br /&gt;
&amp;lt;includeonly&amp;gt;&lt;br /&gt;
[[Category:Formatting templates]]&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;/includeonly&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=Template:Parameter&amp;diff=111411</id>
		<title>Template:Parameter</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=Template:Parameter&amp;diff=111411"/>
		<updated>2026-05-28T05:01:39Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: 1 revision imported: Template : Brace 2&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;includeonly&amp;gt;&amp;lt;templatestyles src=&amp;quot;Template:Parameter/styles.css&amp;quot; /&amp;gt;&amp;lt;span class=&amp;quot;wst-doc-parameter&amp;quot;&amp;gt;{{{1}}}&amp;lt;/span&amp;gt;&amp;lt;/includeonly&amp;gt;&amp;lt;noinclude&amp;gt;&lt;br /&gt;
{{documentation}}&lt;br /&gt;
&amp;lt;/noinclude&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=Module:Documentation/config&amp;diff=111409</id>
		<title>Module:Documentation/config</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=Module:Documentation/config&amp;diff=111409"/>
		<updated>2026-05-28T05:01:39Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: 1 revision imported: Template : Brace 2&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
--&lt;br /&gt;
--                               Configuration for Module:Documentation&lt;br /&gt;
--&lt;br /&gt;
-- Here you can set the values of the parameters and messages used in Module:Documentation to&lt;br /&gt;
-- localise it to your wiki and your language. Unless specified otherwise, values given here&lt;br /&gt;
-- should be string values.&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
&lt;br /&gt;
local cfg = {} -- Do not edit this line.&lt;br /&gt;
&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
-- Protection template configuration&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;protection-reason-edit&#039;]&lt;br /&gt;
-- The protection reason for edit-protected templates to pass to&lt;br /&gt;
-- [[Module:Protection banner]].&lt;br /&gt;
cfg[&#039;protection-reason-edit&#039;] = &#039;template&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
--[[&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
-- Sandbox notice configuration&lt;br /&gt;
--&lt;br /&gt;
-- On sandbox pages the module can display a template notifying users that the current page is a&lt;br /&gt;
-- sandbox, and the location of test cases pages, etc. The module decides whether the page is a&lt;br /&gt;
-- sandbox or not based on the value of cfg[&#039;sandbox-subpage&#039;]. The following settings configure the&lt;br /&gt;
-- messages that the notices contains.&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
--]]&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-image&#039;]&lt;br /&gt;
-- The image displayed in the sandbox notice.&lt;br /&gt;
cfg[&#039;sandbox-notice-image&#039;] = &#039;[[File:Sandbox.svg|50px|alt=|link=]]&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
--[[&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-pagetype-template&#039;]&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-pagetype-module&#039;]&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-pagetype-other&#039;]&lt;br /&gt;
-- The page type of the sandbox page. The message that is displayed depends on the current subject&lt;br /&gt;
-- namespace. This message is used in either cfg[&#039;sandbox-notice-blurb&#039;] or&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-diff-blurb&#039;].&lt;br /&gt;
--]]&lt;br /&gt;
cfg[&#039;sandbox-notice-pagetype-template&#039;] = &#039;[[w:Wikipedia:Template test cases|template sandbox]] page&#039;&lt;br /&gt;
cfg[&#039;sandbox-notice-pagetype-module&#039;] = &#039;[[w:Wikipedia:Template test cases|module sandbox]] page&#039;&lt;br /&gt;
cfg[&#039;sandbox-notice-pagetype-other&#039;] = &#039;sandbox page&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
--[[&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-blurb&#039;]&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-diff-blurb&#039;]&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-diff-display&#039;]&lt;br /&gt;
-- Either cfg[&#039;sandbox-notice-blurb&#039;] or cfg[&#039;sandbox-notice-diff-blurb&#039;] is the opening sentence&lt;br /&gt;
-- of the sandbox notice. The latter has a diff link, but the former does not. $1 is the page&lt;br /&gt;
-- type, which is either cfg[&#039;sandbox-notice-pagetype-template&#039;],&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-pagetype-module&#039;] or cfg[&#039;sandbox-notice-pagetype-other&#039;] depending what&lt;br /&gt;
-- namespace we are in. $2 is a link to the main template page, and $3 is a diff link between&lt;br /&gt;
-- the sandbox and the main template. The display value of the diff link is set by &lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-compare-link-display&#039;].&lt;br /&gt;
--]]&lt;br /&gt;
cfg[&#039;sandbox-notice-blurb&#039;] = &#039;This is the $1 for $2.&#039;&lt;br /&gt;
cfg[&#039;sandbox-notice-diff-blurb&#039;] = &#039;This is the $1 for $2 ($3).&#039;&lt;br /&gt;
cfg[&#039;sandbox-notice-compare-link-display&#039;] = &#039;diff&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
--[[&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-testcases-blurb&#039;]&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-testcases-link-display&#039;]&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-testcases-run-blurb&#039;]&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-testcases-run-link-display&#039;]&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-testcases-blurb&#039;] is a sentence notifying the user that there is a test cases page&lt;br /&gt;
-- corresponding to this sandbox that they can edit. $1 is a link to the test cases page.&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-testcases-link-display&#039;] is the display value for that link.&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-testcases-run-blurb&#039;] is a sentence notifying the user that there is a test cases page&lt;br /&gt;
-- corresponding to this sandbox that they can edit, along with a link to run it. $1 is a link to the test&lt;br /&gt;
-- cases page, and $2 is a link to the page to run it.&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-notice-testcases-run-link-display&#039;] is the display value for the link to run the test&lt;br /&gt;
-- cases.&lt;br /&gt;
--]]&lt;br /&gt;
cfg[&#039;sandbox-notice-testcases-blurb&#039;] = &#039;See also the companion subpage for $1.&#039;&lt;br /&gt;
cfg[&#039;sandbox-notice-testcases-link-display&#039;] = &#039;test cases&#039;&lt;br /&gt;
cfg[&#039;sandbox-notice-testcases-run-blurb&#039;] = &#039;See also the companion subpage for $1 ($2).&#039;&lt;br /&gt;
cfg[&#039;sandbox-notice-testcases-run-link-display&#039;] = &#039;run&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-category&#039;] - A category to add to all template sandboxes.&lt;br /&gt;
-- cfg[&#039;module-sandbox-category&#039;] - A category to add to all module sandboxes.&lt;br /&gt;
-- cfg[&#039;module-sandbox-category&#039;] - A category to add to all sandboxe not in templates or modules.&lt;br /&gt;
cfg[&#039;sandbox-category&#039;] = &#039;Template sandboxes&#039;&lt;br /&gt;
cfg[&#039;module-sandbox-category&#039;] = &#039;Module sandboxes&#039;&lt;br /&gt;
cfg[&#039;other-sandbox-category&#039;] = &#039;Sandboxes outside of template or module namespace&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
-- Start box configuration&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;documentation-icon-wikitext&#039;]&lt;br /&gt;
-- The wikitext for the icon shown at the top of the template.&lt;br /&gt;
cfg[&#039;documentation-icon-wikitext&#039;] = &#039;[[File:Test Template Info-Icon - Version (2).svg|50px|link=|alt=]]&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;template-namespace-heading&#039;]&lt;br /&gt;
-- The heading shown in the template namespace.&lt;br /&gt;
cfg[&#039;template-namespace-heading&#039;] = &#039;Template documentation&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;module-namespace-heading&#039;]&lt;br /&gt;
-- The heading shown in the module namespace.&lt;br /&gt;
cfg[&#039;module-namespace-heading&#039;] = &#039;Module documentation&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;file-namespace-heading&#039;]&lt;br /&gt;
-- The heading shown in the file namespace.&lt;br /&gt;
cfg[&#039;file-namespace-heading&#039;] = &#039;Summary&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;other-namespaces-heading&#039;]&lt;br /&gt;
-- The heading shown in other namespaces.&lt;br /&gt;
cfg[&#039;other-namespaces-heading&#039;] = &#039;Documentation&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;view-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for &amp;quot;view&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;view-link-display&#039;] = &#039;view&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;edit-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for &amp;quot;edit&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;edit-link-display&#039;] = &#039;edit&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;history-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for &amp;quot;history&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;history-link-display&#039;] = &#039;history&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;purge-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for &amp;quot;purge&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;purge-link-display&#039;] = &#039;purge&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;create-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for &amp;quot;create&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;create-link-display&#039;] = &#039;create&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
-- Link box (end box) configuration&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;transcluded-from-blurb&#039;]&lt;br /&gt;
-- Notice displayed when the docs are transcluded from another page. $1 is a wikilink to that page.&lt;br /&gt;
cfg[&#039;transcluded-from-blurb&#039;] = &#039;The above [[w:Wikipedia:Template documentation|documentation]] is [[Help:Transclusion|transcluded]] from $1.&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
--[[&lt;br /&gt;
-- cfg[&#039;create-module-doc-blurb&#039;]&lt;br /&gt;
-- Notice displayed in the module namespace when the documentation subpage does not exist.&lt;br /&gt;
-- $1 is a link to create the documentation page with the preload cfg[&#039;module-preload&#039;] and the&lt;br /&gt;
-- display cfg[&#039;create-link-display&#039;].&lt;br /&gt;
--]]&lt;br /&gt;
cfg[&#039;create-module-doc-blurb&#039;] = &#039;You might want to $1 a documentation page for this [[w:Wikipedia:Lua|Scribunto module]].&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
-- Experiment blurb configuration&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
&lt;br /&gt;
--[[&lt;br /&gt;
-- cfg[&#039;experiment-blurb-template&#039;]&lt;br /&gt;
-- cfg[&#039;experiment-blurb-module&#039;]&lt;br /&gt;
-- The experiment blurb is the text inviting editors to experiment in sandbox and test cases pages.&lt;br /&gt;
-- It is only shown in the template and module namespaces. With the default English settings, it&lt;br /&gt;
-- might look like this:&lt;br /&gt;
--&lt;br /&gt;
-- Editors can experiment in this template&#039;s sandbox (edit | diff) and testcases (edit) pages.&lt;br /&gt;
--&lt;br /&gt;
-- In this example, &amp;quot;sandbox&amp;quot;, &amp;quot;edit&amp;quot;, &amp;quot;diff&amp;quot;, &amp;quot;testcases&amp;quot;, and &amp;quot;edit&amp;quot; would all be links.&lt;br /&gt;
--&lt;br /&gt;
-- There are two versions, cfg[&#039;experiment-blurb-template&#039;] and cfg[&#039;experiment-blurb-module&#039;], depending&lt;br /&gt;
-- on what namespace we are in.&lt;br /&gt;
-- &lt;br /&gt;
-- Parameters:&lt;br /&gt;
--&lt;br /&gt;
-- $1 is a link to the sandbox page. If the sandbox exists, it is in the following format:&lt;br /&gt;
--&lt;br /&gt;
--     cfg[&#039;sandbox-link-display&#039;] (cfg[&#039;sandbox-edit-link-display&#039;] | cfg[&#039;compare-link-display&#039;])&lt;br /&gt;
-- &lt;br /&gt;
-- If the sandbox doesn&#039;t exist, it is in the format:&lt;br /&gt;
--&lt;br /&gt;
--     cfg[&#039;sandbox-link-display&#039;] (cfg[&#039;sandbox-create-link-display&#039;] | cfg[&#039;mirror-link-display&#039;])&lt;br /&gt;
-- &lt;br /&gt;
-- The link for cfg[&#039;sandbox-create-link-display&#039;] link preloads the page with cfg[&#039;template-sandbox-preload&#039;]&lt;br /&gt;
-- or cfg[&#039;module-sandbox-preload&#039;], depending on the current namespace. The link for cfg[&#039;mirror-link-display&#039;]&lt;br /&gt;
-- loads a default edit summary of cfg[&#039;mirror-edit-summary&#039;].&lt;br /&gt;
--&lt;br /&gt;
-- $2 is a link to the test cases page. If the test cases page exists, it is in the following format:&lt;br /&gt;
--&lt;br /&gt;
--     cfg[&#039;testcases-link-display&#039;] (cfg[&#039;testcases-edit-link-display&#039;] | cfg[&#039;testcases-run-link-display&#039;])&lt;br /&gt;
--&lt;br /&gt;
-- If the test cases page doesn&#039;t exist, it is in the format:&lt;br /&gt;
-- &lt;br /&gt;
--     cfg[&#039;testcases-link-display&#039;] (cfg[&#039;testcases-create-link-display&#039;])&lt;br /&gt;
--&lt;br /&gt;
-- If the test cases page doesn&#039;t exist, the link for cfg[&#039;testcases-create-link-display&#039;] preloads the&lt;br /&gt;
-- page with cfg[&#039;template-testcases-preload&#039;] or cfg[&#039;module-testcases-preload&#039;], depending on the current&lt;br /&gt;
-- namespace.&lt;br /&gt;
--]]&lt;br /&gt;
cfg[&#039;experiment-blurb-template&#039;] = &amp;quot;Editors can experiment in this template&#039;s $1 and $2 pages.&amp;quot;&lt;br /&gt;
cfg[&#039;experiment-blurb-module&#039;] = &amp;quot;Editors can experiment in this module&#039;s $1 and $2 pages.&amp;quot;&lt;br /&gt;
&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
-- Sandbox link configuration&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-subpage&#039;]&lt;br /&gt;
-- The name of the template subpage typically used for sandboxes.&lt;br /&gt;
cfg[&#039;sandbox-subpage&#039;] = &#039;sandbox&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;template-sandbox-preload&#039;]&lt;br /&gt;
-- Preload file for template sandbox pages.&lt;br /&gt;
cfg[&#039;template-sandbox-preload&#039;] = &#039;Template:Documentation/preload-sandbox&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;module-sandbox-preload&#039;]&lt;br /&gt;
-- Preload file for Lua module sandbox pages.&lt;br /&gt;
cfg[&#039;module-sandbox-preload&#039;] = &#039;Template:Documentation/preload-module-sandbox&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for &amp;quot;sandbox&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;sandbox-link-display&#039;] = &#039;sandbox&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-edit-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for sandbox &amp;quot;edit&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;sandbox-edit-link-display&#039;] = &#039;edit&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;sandbox-create-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for sandbox &amp;quot;create&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;sandbox-create-link-display&#039;] = &#039;create&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;compare-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for &amp;quot;compare&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;compare-link-display&#039;] = &#039;diff&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;mirror-edit-summary&#039;]&lt;br /&gt;
-- The default edit summary to use when a user clicks the &amp;quot;mirror&amp;quot; link. $1 is a wikilink to the&lt;br /&gt;
-- template page.&lt;br /&gt;
cfg[&#039;mirror-edit-summary&#039;] = &#039;Create sandbox version of $1&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;mirror-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for &amp;quot;mirror&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;mirror-link-display&#039;] = &#039;mirror&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;mirror-link-preload&#039;]&lt;br /&gt;
-- The page to preload when a user clicks the &amp;quot;mirror&amp;quot; link.&lt;br /&gt;
cfg[&#039;mirror-link-preload&#039;] = &#039;Template:Documentation/mirror&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
-- Test cases link configuration&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;testcases-subpage&#039;]&lt;br /&gt;
-- The name of the template subpage typically used for test cases.&lt;br /&gt;
cfg[&#039;testcases-subpage&#039;] = &#039;testcases&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;template-testcases-preload&#039;]&lt;br /&gt;
-- Preload file for template test cases pages.&lt;br /&gt;
cfg[&#039;template-testcases-preload&#039;] = &#039;Template:Documentation/preload-testcases&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;module-testcases-preload&#039;]&lt;br /&gt;
-- Preload file for Lua module test cases pages.&lt;br /&gt;
cfg[&#039;module-testcases-preload&#039;] = &#039;Module:Documentation/preload-module-testcases&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;testcases-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for &amp;quot;testcases&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;testcases-link-display&#039;] = &#039;testcases&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;testcases-edit-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for test cases &amp;quot;edit&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;testcases-edit-link-display&#039;] = &#039;edit&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;testcases-run-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for test cases &amp;quot;run&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;testcases-run-link-display&#039;] = &#039;run&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;testcases-create-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for test cases &amp;quot;create&amp;quot; links.&lt;br /&gt;
cfg[&#039;testcases-create-link-display&#039;] = &#039;create&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
-- Add categories blurb configuration&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
&lt;br /&gt;
--[[&lt;br /&gt;
-- cfg[&#039;add-categories-blurb&#039;]&lt;br /&gt;
-- Text to direct users to add categories to the /doc subpage. Not used if the &amp;quot;content&amp;quot; or&lt;br /&gt;
-- &amp;quot;docname fed&amp;quot; arguments are set, as then it is not clear where to add the categories. $1 is a&lt;br /&gt;
-- link to the /doc subpage with a display value of cfg[&#039;doc-link-display&#039;].&lt;br /&gt;
--]]&lt;br /&gt;
cfg[&#039;add-categories-blurb&#039;] = &#039;Add categories to the $1 subpage.&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;doc-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display when linking to the /doc subpage.&lt;br /&gt;
cfg[&#039;doc-link-display&#039;] = &#039;/doc&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
-- Subpages link configuration&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
&lt;br /&gt;
--[[&lt;br /&gt;
-- cfg[&#039;subpages-blurb&#039;]&lt;br /&gt;
-- The &amp;quot;Subpages of this template&amp;quot; blurb. $1 is a link to the main template&#039;s subpages with a&lt;br /&gt;
-- display value of cfg[&#039;subpages-link-display&#039;]. In the English version this blurb is simply&lt;br /&gt;
-- the link followed by a period, and the link display provides the actual text.&lt;br /&gt;
--]]&lt;br /&gt;
cfg[&#039;subpages-blurb&#039;] = &#039;$1.&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
--[[&lt;br /&gt;
-- cfg[&#039;subpages-link-display&#039;]&lt;br /&gt;
-- The text to display for the &amp;quot;subpages of this page&amp;quot; link. $1 is cfg[&#039;template-pagetype&#039;],&lt;br /&gt;
-- cfg[&#039;module-pagetype&#039;] or cfg[&#039;default-pagetype&#039;], depending on whether the current page is in&lt;br /&gt;
-- the template namespace, the module namespace, or another namespace.&lt;br /&gt;
--]]&lt;br /&gt;
cfg[&#039;subpages-link-display&#039;] = &#039;Subpages of this $1&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;template-pagetype&#039;]&lt;br /&gt;
-- The pagetype to display for template pages.&lt;br /&gt;
cfg[&#039;template-pagetype&#039;] = &#039;template&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;module-pagetype&#039;]&lt;br /&gt;
-- The pagetype to display for Lua module pages.&lt;br /&gt;
cfg[&#039;module-pagetype&#039;] = &#039;module&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;default-pagetype&#039;]&lt;br /&gt;
-- The pagetype to display for pages other than templates or Lua modules.&lt;br /&gt;
cfg[&#039;default-pagetype&#039;] = &#039;page&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
-- Doc link configuration&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;doc-subpage&#039;]&lt;br /&gt;
-- The name of the subpage typically used for documentation pages.&lt;br /&gt;
cfg[&#039;doc-subpage&#039;] = &#039;doc&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;docpage-preload&#039;]&lt;br /&gt;
-- Preload file for template documentation pages in all namespaces.&lt;br /&gt;
cfg[&#039;docpage-preload&#039;] = &#039;Template:Documentation/preload&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;module-preload&#039;]&lt;br /&gt;
-- Preload file for Lua module documentation pages.&lt;br /&gt;
cfg[&#039;module-preload&#039;] = &#039;Template:Documentation/preload-module-doc&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
-- HTML and CSS configuration&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;templatestyles&#039;]&lt;br /&gt;
-- The name of the TemplateStyles page where CSS is kept.&lt;br /&gt;
-- Sandbox CSS will be at Module:Documentation/sandbox/styles.css when needed.&lt;br /&gt;
cfg[&#039;templatestyles&#039;] = &#039;Module:Documentation/styles.css&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;container&#039;]&lt;br /&gt;
-- Class which can be used to set flex or grid CSS on the&lt;br /&gt;
-- two child divs documentation and documentation-metadata&lt;br /&gt;
cfg[&#039;container&#039;] = &#039;documentation-container&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;main-div-classes&#039;]&lt;br /&gt;
-- Classes added to the main HTML &amp;quot;div&amp;quot; tag.&lt;br /&gt;
cfg[&#039;main-div-classes&#039;] = &#039;documentation&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;main-div-heading-class&#039;]&lt;br /&gt;
-- Class for the main heading for templates and modules and assoc. talk spaces&lt;br /&gt;
cfg[&#039;main-div-heading-class&#039;] = &#039;documentation-heading&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;start-box-class&#039;]&lt;br /&gt;
-- Class for the start box&lt;br /&gt;
cfg[&#039;start-box-class&#039;] = &#039;documentation-startbox&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;start-box-link-classes&#039;]&lt;br /&gt;
-- Classes used for the [view][edit][history] or [create] links in the start box.&lt;br /&gt;
-- mw-editsection-like is per [[w:Wikipedia:Village pump (technical)/Archive 117#Template documentation header problem]]&lt;br /&gt;
cfg[&#039;start-box-link-classes&#039;] = &#039;mw-editsection-like plainlinks&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;end-box-class&#039;]&lt;br /&gt;
-- Class for the end box.&lt;br /&gt;
cfg[&#039;end-box-class&#039;] = &#039;documentation-metadata&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;end-box-plainlinks&#039;]&lt;br /&gt;
-- Plainlinks&lt;br /&gt;
cfg[&#039;end-box-plainlinks&#039;] = &#039;plainlinks&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;toolbar-class&#039;]&lt;br /&gt;
-- Class added for toolbar links.&lt;br /&gt;
cfg[&#039;toolbar-class&#039;] = &#039;documentation-toolbar&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;clear&#039;]&lt;br /&gt;
-- Just used to clear things.&lt;br /&gt;
cfg[&#039;clear&#039;] = &#039;documentation-clear&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
-- Tracking category configuration&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;display-strange-usage-category&#039;]&lt;br /&gt;
-- Set to true to enable output of cfg[&#039;strange-usage-category&#039;] if the module is used on a /doc subpage&lt;br /&gt;
-- or a /testcases subpage. This should be a boolean value (either true or false).&lt;br /&gt;
cfg[&#039;display-strange-usage-category&#039;] = true&lt;br /&gt;
&lt;br /&gt;
-- cfg[&#039;strange-usage-category&#039;]&lt;br /&gt;
-- Category to output if cfg[&#039;display-strange-usage-category&#039;] is set to true and the module is used on a&lt;br /&gt;
-- /doc subpage or a /testcases subpage.&lt;br /&gt;
cfg[&#039;strange-usage-category&#039;] = &#039;Pages with strange documentation template usage&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
--[[&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
-- End configuration&lt;br /&gt;
--&lt;br /&gt;
-- Don&#039;t edit anything below this line.&lt;br /&gt;
----------------------------------------------------------------------------------------------------&lt;br /&gt;
--]]&lt;br /&gt;
&lt;br /&gt;
return cfg&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=Template:Brace2&amp;diff=111407</id>
		<title>Template:Brace2</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=Template:Brace2&amp;diff=111407"/>
		<updated>2026-05-28T05:01:39Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: 1 revision imported: Template : Brace 2&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#tag:math|\scriptstyle{&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;!--horizontal brackets--&amp;gt;&lt;br /&gt;
{{#switch:{{{2|}}}|u|up|d|down=&lt;br /&gt;
{{#switch:{{{2|}}}|d|down=\underbrace{|u|up=\overbrace{}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;!--loop of em spaces--&amp;gt;&lt;br /&gt;
{{#invoke:String|rep|\quad|{{#expr: {{{1|1}}}-1 }}}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;!--end horizontal brackets--&amp;gt;&lt;br /&gt;
}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;!--vertical brackets--&amp;gt;&lt;br /&gt;
|#default=&lt;br /&gt;
&amp;lt;!--left side bracket--&amp;gt;&lt;br /&gt;
\left{{#switch:{{{2|}}}|left|l=\{|#default=.}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;!--loop of new lines--&amp;gt;&lt;br /&gt;
\begin{matrix}&lt;br /&gt;
\ {{#invoke:String|rep|\\ \|{{#expr: {{{1|1}}}-1 }}}} &lt;br /&gt;
\end{matrix}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;!--right side bracket--&amp;gt;&lt;br /&gt;
\right{{#switch:{{{2|}}}|left|l=.|#default=\}\,}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;!--end math tag--&amp;gt;&lt;br /&gt;
}} } }}&amp;lt;noinclude&amp;gt;&lt;br /&gt;
{{documentation}}&lt;br /&gt;
&amp;lt;/noinclude&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9&amp;diff=111405</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/તેજસિંહ</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%87%E0%AA%9C%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9&amp;diff=111405"/>
		<updated>2026-05-28T04:52:22Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|તેજસિંહ}}   પાત્રો  					 તેજસિંહ ... રાજા					 અબલા ... રાણી				 સાધના ... રાણીની મા વાચસ્પતિ ... રાજગુરુ દેવસેન, સ્કંદ,	...સરદારો આદિત્ય, અણહિલ,    ...સૈનિક હરિહર						 બે પહેરેગીર  {{Poem2Open}} [દૃશ્ય રાજાના...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|તેજસિંહ}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
પાત્રો&lt;br /&gt;
 					&lt;br /&gt;
તેજસિંહ ... રાજા					&lt;br /&gt;
અબલા ... રાણી				&lt;br /&gt;
સાધના ... રાણીની મા&lt;br /&gt;
વાચસ્પતિ ... રાજગુરુ&lt;br /&gt;
દેવસેન,&lt;br /&gt;
સ્કંદ,	...સરદારો&lt;br /&gt;
આદિત્ય,&lt;br /&gt;
અણહિલ,    ...સૈનિક&lt;br /&gt;
હરિહર						&lt;br /&gt;
બે પહેરેગીર&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[દૃશ્ય રાજાના તંબુનું છે. પાછળના બારણાની કનાત ઉપર નાંખેલી હોવાથી સિપાહીઓની છાવણી સોંસરી વિશ્વકર્માની ધાર તરફ અને આથમતા સૂર્યના પ્રકાશમાં ચળકતા દૂર સમુદ્ર પર આંખ પથરાય છે. ડાબી બાજુએ જેવું તેવું ઘડેલું રાજસિંહાસન છે. વચમાં બેસવાની પાટ છે. ચામડાં સીવીને બનાવેલો ખાટલો જમણી બાજુએ છે. ઉપર જુદી જુદી જાતનાં હથિયારો લટકાવેલાં છે. જમણી અને ડાબી બાજુએ મશાલો.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧ લો.&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૧ લો પહેરેગીર : અલ્યા! ઊંઘી ગયો કે?&lt;br /&gt;
૨ જો : કેમ જાણ્યું કે ઊંઘી ગયો?&lt;br /&gt;
૧ લો : પિનાકની પેઠે કમાન થયેલા ભાલા પર અઢેલી વળેલો ઊભો છે. તેથી જાણ્યું.&lt;br /&gt;
૨ જો : આમ વળેલો ઊભો છું એટલે ભૂખનું દુઃખ ઓછું લાગે છે.&lt;br /&gt;
૧ લો : એ ખોટી વાત છે. એથી તારા કમ્મરબંધ જેટલી જ ગરજ સરે છે. ટટ્ટાર થતાં ઊલટી વધારે કકડીને ભૂખ લાગે છે.&lt;br /&gt;
૨ જો : આમ ક્યાં લગી ચાલવાનું છે?&lt;br /&gt;
૧ લો : વહાણો આવે ત્યાં લગી — તદ્દન સમજાય એવું છે.&lt;br /&gt;
૨ જો : ખરું, પણ વહાણો ક્યારે આવશે?&lt;br /&gt;
૧ લો : એની ખબર મને શી રીતે પડે? ઊંચે ધાર તરફ નજર કર. ત્યાં ઊંચે જો ઇન્દ્રમંડપ પર ચોકીદાર ઊભો છે અને દસ ગામે લાંબે નજર ફેરવે છે. એને ખબર હોય તો હોય! મઠીઆ ડુંગરાની પછાડી વહાણ આવતાં હશે.&lt;br /&gt;
૨ જો : પણ દુશ્મનો આવવા દેશે ત્યારે ને.&lt;br /&gt;
૧ લો : દુશ્મનો પાસે વહાણો નથી.&lt;br /&gt;
૨ જો : વાડની માફક આપણા આખા દેશને ફરી વળે એટલાં વહાણ એની પાસે છે. બે મહિના થયાં એ ગુલામ જેવો આપણને ઘેરી વળ્યો છે તેમ ફરી વળે એટલાં છે.&lt;br /&gt;
૧ લો : બે મહિના!&lt;br /&gt;
૨ જો : તને ખબર છે આજે બપોરે મને શું ખાવા મળ્યું હતું? આઠ દિવસ પર જે રોટલો કરડતાં દાંત કકડ્યા હતા તે જ રોટલાનું તળીઉં. સાચે, નખે નખે મેં તે પર ત્રણ સાથિયા કાઢ્યા. અમે પણ ફરી ઠીક મળ્યા! પણ આજે, તે જ રોટલો ઊલટથી ભચડાવી ગયો...રાજાના લગ્નના દિવસનું જુગતું જમણ!&lt;br /&gt;
૧ લો : શું તું એમ માને છે કે હઝુરસાહેબને વધારે હતું?&lt;br /&gt;
૨ જો : એમની કને વધારે હોત તો શું આપણે બધા આમ મરણીયા થાત, આપણો કચ્ચરઘાણ વળવા દેત, રણમાં આગળ ઝુકાવત, શરમ રાખત કે? કશાની ચોકી નથી કરવાની એવું જાણતા ન હોત તો અહીં સાંકળે બાંધેલા કૂતરાની માફક પડી રહી પહેરો ભરત કે?&lt;br /&gt;
૧ લો : સોનું જોઈએ એટલું છે.&lt;br /&gt;
૨ જો : સોનું! હં, સોનું! સોનું મારી પાસે પણ પુષ્કળ છે. કેશવપુરમાં મારા ભોંયરામાં ધન દાટ્યું છે. હં!......તે એ! શિવપુર પાછળ રહેલી બાયડીઓ કને ખાવાનું રહ્યું હશે......ઢોર જીવતાં હશે તો દૂધ પણ.&lt;br /&gt;
૧ લો : હા, બૈરાંઓને ત્યાં લહેર છે –તારી વહુ નથી. ખરું ને?&lt;br /&gt;
૨ જો : એક દુશ્મને મારી વહુની લાજ લૂંટીને મેં બન્નેના જાન લીધા!(અટકે છે) ઠીક! બાયડીઓને ખાવાનું જોઈએ; દૂધ પણ. પણ કેટલો વખત–(ધીમેથી પાસે આવતાં હથિયારોનો ખડખડ અવાજ) જો લગ્ન ખરેખર પૂરું થયું છે.&lt;br /&gt;
૧ લો : ચૂપ જો, બૂઢો અણહિલ આવે છે– હજૂરની ઢાલ સાથે (બીજો પહેરો ભરવા માંડે છે.)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|પ્રવેશ ૨જો}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[અણહિલ પ્રવેશે છે. ઢાલને એની જગ્યાએ ભેરવે છે, અને વીખરાયેલાં હથિયારો બાજુ પર ગોઠવે છે.]&lt;br /&gt;
અણહિલ : કેમ, કાંઈ ખબર આવ્યા?&lt;br /&gt;
૧ લો : ના!&lt;br /&gt;
અણહિલ : તમને ભૂખ લાગી છે?&lt;br /&gt;
૨ જો : હા.&lt;br /&gt;
અણહિલ : ભૂખ બૈરાંને લાગે. ચિત્ત ઠેકાણે રાખો! આપણી જુવાન રાણી આગળ આવાં કરમાયેલાં મોં બતાવશો મા. લગ્નદિવસે એવું શોભતું નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૩જો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[ઘોંઘાટ કરતા લોકોથી વીંટળાયેલા તેજસિંહ અને અબળાના હાથ પકડી રાજગુરુ તંબુના આંગણામાં આવે છે. તેમની આગળ ધૂપદાની વીંઝતા બે બટુકો, પાછળ સાધના, દેવસેન, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો અને સેનાનીઓ. તંબુના દરવાજાઓની કનાતો નીચી ઢાળેલી છે. પહેરેગીરો ચાલ્યા જાય છે.&lt;br /&gt;
રાજગુરુ રાજારાણીના હાથ મૂકી દે છે, સાધના તરફ ફરે છે.&lt;br /&gt;
તેજસિંહ ગમગીન અને વિચારગ્રસ્ત ઊભો રહે છે. અબલા આસપાસ લજ્જાલુ પૃચ્છક દૃષ્ટિ નાંખે છે. દુઃખદ શાંતિ.]&lt;br /&gt;
અણહિલ(આસ્તેથી) : રાજેન્દ્ર, નવયૌવના રાણીનો સત્કાર વાણીથી કરવો જોઈએ.&lt;br /&gt;
તેજસિંહ(આસ્તેથી) : કરવો જોઈશે? (ધૂપદાનીવાળા છોકરાની ગરદન પકડી) છોકરા, એટલું બધું આકરું નહીં; ધુમાડો અમારાં નસકોરામાં ઠેઠ ગરી જાય છે. ધૂપદાની ધરવાની ન હોય ત્યારે તું શું કરે છે?&lt;br /&gt;
બટુક : મારી તરવાર ધરું છું, નામદાર!&lt;br /&gt;
તેજસિંહ : બરાબર છે. જલદી તરવાર પકડ નહિતર પાછળ પડી જઈશ. (ધીમેથી) અણહિલ, વહાણ દેખાતાં નથી ને?&lt;br /&gt;
અણહિલ : ના, હજૂર પણ આપની નવોઢા રાણી સાથે બોલો તો ખરા.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક.......ત્યારે હવે હું વહુવાળો થયો. એમ ગુરુદેવ?&lt;br /&gt;
રાજગુરુ : અહીં આપની રાણી ઊભાં છે, રાજેન્દ્ર આપનો શબ્દ સાંભળવા તલસે છે.&lt;br /&gt;
તેજસિંહ : રાણીજી, જોઈતો શબ્દ જડતો નથી માટે ક્ષમા કરો. રણક્ષેત્રોના ખોળામાં ઊછર્યો છું, માણસના નિવાસનાં બીજાં સ્થળોનો પરિચય નથી. મારી સાથે આવી જિંદગી ગાળવાનું તને ભારે પડશે.&lt;br /&gt;
અબળા : રાજેશ્વર...મારી બાએ...મને શીખવ્યું છે...(અટકી પડે છે.)&lt;br /&gt;
તેજસિંહ : (હેતનો દેખાવ કરી) તારી બાએ શું શીખવ્યું છે?&lt;br /&gt;
અબળા : પત્ની સ્વામીને આધીન છે–સંકટના સમયમાં તો ખાસ કરીને; મારી બાએ આટલું શીખવ્યું છે, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : તમારે સ્ત્રીઓ માટે એ તદ્દન વાસ્તવિક અને ધર્મ્ય હશે...પણ સંકટના સમયે પતિ પણ પત્નીને આધીન હોય તો? સાસુજી! પણે શકટપુરમાં પત્નીઓ પાસે હરણીયાં દોડાદોડ કરે છે. દિવસોના દિવસો થયાં મારા સિપાહીઓને ખાવાનું મળ્યું નથી. એ હરણીયાં એમને ખાવા આપો એવી મારી સલાહ છે.&lt;br /&gt;
[સાધના સાથું નમાવે છે]&lt;br /&gt;
રાજગુરુ : મારા રાજેન્દ્ર!&lt;br /&gt;
તેજસિંહ : હે! ગુરુદેવ, હમણાં જ રણભૂમિ પરના લગ્નમંડપમાં આપ સુભાષિત વાણી બોલ્યા છો. આટલી વારમાં ફરી ઉપદેશ આપવા વૃત્તિ થઈ છે?&lt;br /&gt;
રાજગુરૂ : કહેવા વૃત્તિ થઈ છે, દુઃખ આપનો આત્મા કોરી ખાય છે એટલે.&lt;br /&gt;
તેજસિંહ : ખરે જ? આપ શું એમ ધારો છો? ચાલો ત્યારે સાંભળીશ.&lt;br /&gt;
રાજગુરુ : સાંભળ, ઈશ્વરી કોપની મૂર્તિ સરીખો તું અમારામાં ઉદય પામ્યો છે. જુવાન......પ્રજાએ તારાં વર્ષો નથી ગણ્યાં પણ તારાં પરાક્રમો, રાજીખુશીથી વૃદ્ધોએ તારી જુવાનીને નમન કર્યું છે. વિનમ્રતમ હોઈ તારે માટે સેવાનાં લાંબાં વર્ષો હોવાથી, તું જોતજોતામાં અમારો શાસ્તા થયો. ઈશાદિત્યના સુવર્ણતખ્ત પરથી – જે તખ્ત પર એક વેળા દયા ઇન્સાફ આપતી હતી, જ્યાંથી હસતે મુખડે તિષ્યરાજ ક્ષમા આપતા હતા, ત્યાંથી તારા ખૂની શબ્દો ગાજી ઊઠ્યા.....ને ઝેરી ઘા માફક આપત્તિ અમને હેરાન કરી રહી છે. વિશ્વકર્મા પહાડના ઊના વાયરામાં અહીંથી તહીં હેરાન થતાં બૈરાંછોકરાં સાથે અમે છાવણી નાંખી પડ્યાં છીએ; અને દુશ્મનો, તેમના ભાડુતી સિપાઈઓથી આપણને ઘેરી રહ્યા છે.&lt;br /&gt;
તેજસિંહ : બરાબર ઘેરી રહ્યાં છે. હા, હા! સોંસરા ઉંદર પણ આવી શકે નહીં.&lt;br /&gt;
રાજગુરુ : સમુદ્ર ભણી આપણી નજર આશાપ્રેરી દોડે છે; ત્યાંથી ભોજન આવશે.&lt;br /&gt;
તેજસિંહ : વહાણોના કાંઈ જ વાવડ નથી?&lt;br /&gt;
અણહિલ(હળવેથી) : બિલકુલ નથી.&lt;br /&gt;
રાજગુરુ : દુઃખથી નવા વિગ્રહ માટે અમે શસ્ત્રબદ્ધ થયા તે પહેલાં, સ્વતંત્ર મનુષ્યો તરીકે, અસલથી ચાલતા આવેલા રિવાજ મુજબ તારે માટે રાણી પસંદ કરવાનો અમે નિશ્ચય કીધો. પોતાના શરીર દ્વારા તું અનુભવી શકે કે ઈશ્વર શા માટે મૃત્યુ ચાહે છે, તેટલા સારુ અમે અસલી રિવાજ પાળ્યો છે.&lt;br /&gt;
તેજસિંહ : તમારો રાજા જિંદગીને ઘણી વધારે ચાહે છે એવું તમને લાગ્યું?&lt;br /&gt;
રાજગુરુ : મારા રાજેન્દ્ર!&lt;br /&gt;
તેજસિંહ : નહીં જ, એમ ધારવાની હિંમત તમારામાં નથી, કારણ કે આ જીવનની દરેક પળ તમને ખસીઆણા પાડશે... અસલના રિવાજ મુજબ જરૂર હોય છતાં, શા માટે આ બાળક વસ્તુ સાથે તમે મારાં લગ્ન કીધાં?—તે એટલી બાળક છે કે તમારી અને મારી આગળ બીકથી થરથરે છે. અને પોતાની માના છેડામાં સંતાય છે; અને ખાસ કરીને આવા યોગ્ય દિવસે, લગ્નના મંગલગીત ભૂખ ગાય છે ત્યારે...આમ ઊંચે જુઓ, રાણીજી,—અર્ધા કલાકથી મળેલા ઇલ્કાબથી તને બોલાવવી જોઈએ; મારા નાથ! હજુ તારું નામ પણ હું જાણતો નથી. વિનવું છું. મારા સામું જો! મને ઓળખે છે?&lt;br /&gt;
અબળા : આપ રાજેશ્વર છો, નામદાર!&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, પણ તારી નજરમાં હું મનુષ્ય હોવો જોઈએ, રાજા નહીં...તારી આગળ કેવી જાતનો મનુષ્ય ઊભો છે તેની તને ખબર છે?...જો! અત્યાર લગી આ હાથો લોહીમાં બોળવામાં આવ્યા છે. મરદાની જંગમાં રેડાયેલા માનવલોહીમાં નહીં – હું તેની વાત કરતો નથી. કારણ કે તેથી મનુષ્યની કીર્તિ વધે છે – પરંતુ અશસ્ત્રી રક્તહીન બાળકોનાં લોહીમાં, –(કંપે છે) – આવા હાથે તારા કંઠને આશ્લેષ કરવા આવું તો તું આનંદ પામીશ?......સાચે, મારું કહેવું તું સાંભળે છે? મારો સ્વર લલિત, મધુર નથી? જરાક કર્કશ છે. ખૂન કરવા જોસથી આરડેલા હુકમથી તે થાકેલો છે. આવી મોહક કર્કશતામાંથી કોમળ સ્વરો તું સાંભળશે ત્યારે તારો આનંદ અવનવો થશે. હું આ જન્મસિદ્ધ કાન્ત નથી એ આ શાણા પુરુષો જાણતા હતા. એટલે જ એઓએ મને મારો ધંધો શીખવ્યો......અથવા છાવણીમાં જિંદગી ગુજારવાથી થતા કંટાળાથી તમારા રાજાને છેતરવાનું તમારું કર્તવ્ય છે એમ માનો છો? સુવર્ણમય શતવપ્રમાં મહાન ન્યાયવર્ષે જેવી રીતે મોજ માણી અને રૈયતનો સંહાર કરવા પોતાના ખોજાઓને મોકલ્યા હતા તેમ? હા, હા, હા&lt;br /&gt;
રાજગુરુ : નામદાર, સંભાળજો નહીંતર પિત્તો ઉછળશે.&lt;br /&gt;
તેજસિંહ : ગુરુવર્ય, ધ્યાન ખેંચવા માટે ઋણી છું પણ એ નિરર્થક છે. આ તો મારા લગ્નની ગમ્મત છે......પણ હવે તમારી સાથે ખરા દિલથી બોલીશ......(આસન પર ઊંચે ચડે છે.) ઇશાદિત્યના સુવર્ણ આસન પર, જ્યાં દયા ઇન્સાફ આપતી હતી ત્યાં અફસોસ કે હું મારું સ્થાન મેળવી નહીં શકું. દુશ્મનોના પાટનગરમાં બળતણ માટે તેના કટકેકટકા થાય છે...તેમ તિષ્યરાજની પેઠે હસતે મુખડે હું માફ પણ કરી શકતો નથી, કારણ કે હવે કોઈને માફીની જરૂર નથી... દુશ્મનોની પ્રશસ્ત જાતિમાંથી ભૂખ્યા વાઘનું ટોળું જન્મ પામ્યું છે — એમને જેર કરવા પણ વાઘની જરૂર છે. આપે, ગુરુદેવ, મને ઈશ્વરી કોપની મૂર્તિ કહી, પણ હું તે નથી...હું તો ફક્ત તમારી નિરાશાની મૂર્તિ છું. સારા જીવનમાં જેણે કશાની અભિલાષા નથી રાખી, કશાની અપેક્ષા નથી રાખી. એવો હું તમારી સૌની આગળ ઊભો રહું છું અને એવો જ તમારી સમક્ષ કામે આવીશ. તે તમે જાણો છો, તેથી જ ગુપ્ત રીતે મને ઠપકો આપવામાં તમે સૌ ભૂલ કરો છો. મને ખોટો ન પાડો!...તમારી નમેલી ભ્રમરોની નીચેથી હું સ્પષ્ટ વાંચી શકું છું. આપણા પાસા અવળા પડે છે માટે મને હોળીનું નાળિયેર કરો મા. એટલી તમને મારી સલાહ છે.&lt;br /&gt;
આદિત્ય : દેવ, અમને ઘા ન મારો......અમારા લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું આપનું છે. આ ઘરડાઓ સાથે અમને કઢામાં ન નાંખો.&lt;br /&gt;
દેવસેન : અમે ડોસાઓ બીજાઓની પેઠે લડીએ છીએ; અને જુવાન, તેમની જ માફક ચાહીએ પણ છીએ.&lt;br /&gt;
તેજસિંહ : ચાલો, એટલેથી પતાવો. સંકટમાં મિત્રો અંદર અંદર કેવા લડી પડે છે તે તમારી રાણી જલદીથી સારી રીતે શીખશે. તમે છાવણીમાં થઈને જાઓ ત્યારે સૈનિકોને કહો – એ એક જ વાત રાજાને આજે કચવે છે – આ આનંદના દિવસે કેમ ખરું ને – જોઈએ તેવું લગ્નનું જમણ જમાડવાની તાકાત મારામાં નથી......અથવા હજુ કદાચ – અણહિલ!&lt;br /&gt;
અણહિલ : (જમણી તરફ તરત જ આવેલા પહેરેગીર સાથે ગભરામણમાં ગૂપચૂપ વાત કરતો હતો) : જી, હજુર.&lt;br /&gt;
તેજસિંહ : આપણા કોઠારમાં હજુ શું છે? ડોસા?&lt;br /&gt;
અણહિલ : (સંક્ષોભ અંકુશમાં રાખી) આપે આપનો સર્વે ખોરાક આપી દીધો છે.&lt;br /&gt;
તેજસિંહે : પૂછું છું કે શું પડ્યું રહ્યું છે?&lt;br /&gt;
અણહિલ : એક વટલોઈ ભરેલું બગડેલું દૂધ ને બે ફુગાયેલા રોટલા.&lt;br /&gt;
તેજસિંહ : હા, હા, હા! હવે જુઓ, રાણીજી! કેવો મુફલેસ ધણી તમને મળ્યો છે? લોકો કહે છે તેમ ત્યાં વહાણો આવ્યાં હોય તો દરેકની લાયકાત મુજબ સર્વેની બાદશાહી મહેમાનગીરી કરીશ – પણ તેમને એ જણાવશો નહીં, રખેને તેમનો આહ્લાદ કથળે. પણ કહેજો કે જો રણશીંગા સાંભળે તો તમારે માટે સારું સારું ભોજન પીરસાશે, એટલું બધું –(પોતા તરફ સરી આવતા અણહિલને) શું છે?&lt;br /&gt;
અણહિલ : (ધીમેથી) પહેરો ગયો. વહાણો નાશ પામ્યાં.&lt;br /&gt;
તેજસિંહ : (સહેજ પણ ચહેરો બદલ્યા વગર) નાશ પામ્યાં કેમ – કેવી રીતે?&lt;br /&gt;
અણહિલ : દ્રોહથી.&lt;br /&gt;
તેજસિંહ : હં, ઠીક! અહં, સાથે બેસી સૌએ ખાધું હોત જમણ- સર્વેને પીરસ્યું હોત, સ્ત્રીઓ માટે મેવો અને મીઠાઈ...(સિંહાસન પર ગબડતો પડે છે અને દૂર શૂન્ય દૃષ્ટિ નાંખે છે.)&lt;br /&gt;
માણસો : રાજાને શું થયું? રાજાની સામે તો જુઓ!&lt;br /&gt;
અબલા : ખરેખર ભૂખ્યા થયા છે, બા! (પાસે જાય છે, માણસો આઘા ખસે છે) મારા રાજા!&lt;br /&gt;
તેજસિંહ : સ્ત્રી, તું કોણ છે? શું કરવાની છે, સ્ત્રી!&lt;br /&gt;
અબલા : સ્વામી, મદદ કરી શકું?&lt;br /&gt;
તેજસિંહ : હં! તમે રાણી છો. માફ કરો, તમે પણ સૌ દરગુજર કરો, ભાઈઓ.&lt;br /&gt;
રાજગુરુ : આપનું બળ સમેટવું જોઈશે, રાજેન્દ્ર!&lt;br /&gt;
આદિત્ય : હા, હજૂર, અમારી સૌની ખાતર.&lt;br /&gt;
માણસો : અમારી સૌની ખાતર.&lt;br /&gt;
તેજસિંહ : વ્યાજબી છે. તમારી ચેતવણી ખરે વખતે છે. સુંદરીઓ, તમે સૌ તમારી છાવણીમાં જાઓ એટલી મારી વિનંતિ છે. અમારે મસલત કરવી છે. ગુરુદેવ, આપ અમને સહીસલામત પહોંચાડો.&lt;br /&gt;
સાધના : (આસ્તેથી) બહેન, પ્રણામ કરી લે.&lt;br /&gt;
અબલા : ( ,, ) માડી, હવે મારી સાથે એ નહીં બોલે?&lt;br /&gt;
સાધના : પ્રણામ કરી લે! (અબલા આજ્ઞા પ્રમાણે વર્તે છે.)&lt;br /&gt;
તેજસિંહ : તમારું સૌનું કલ્યાણ થાઓ!&lt;br /&gt;
[અબલા, સાધના, રાજગુરુ જાય છે. બહાર પ્રશંસાધ્વનિ એમને વધાવે છે]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૪થો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[તેજસિંહ, આદિત્ય, દેવસેન, અણહિલ, પહેરેગીર, સામંતો]&lt;br /&gt;
તેજસિંહ : સ્ત્રીઓ અને બ્રાહ્મણને મોકલી દીધાં, હવે જે થવાનું છે તેની નિસ્બત આપણે લડવૈયાઓને છે. ક્યાં છે પહેરેગીર? ભાઈ, આગળ આવ.&lt;br /&gt;
માણસો(બબડતાં) : ધાર પરનો પહેરેગીર! પહેરેગીર!&lt;br /&gt;
તેજસિંહ : ભાઈઓ, સાંભળો વહાણ નાંશ પામ્યાં છે.&lt;br /&gt;
 						[ઘોંઘાટ, દુઃખની કીકીયારી.] &lt;br /&gt;
શાંત પડો; શાંત, વીરો! તારું નામ હરિહર છે?&lt;br /&gt;
પહેરેગીર : શાંત, વીરો! ગરીબ પરવર!&lt;br /&gt;
તેજસિંહ : ક્યારથી પહેરો ભરે છે?&lt;br /&gt;
પહરેગીર : કાલ સવારથી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહે : ક્યાં છે તારી જોડનાં બે સોબતી?&lt;br /&gt;
પહેરેગીર : તેઓ ધાર પર છે, આપના હુકમ પ્રમાણે, નામદાર.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, તમે શું જોયું?&lt;br /&gt;
પહેરેગીર : ખુદાવિંદ, સમુદ્ર પર મીનાક્ષીની ભૂશિરને પેલી મેર, વિશ્વકર્માનો ધુમાડો ઊતર્યો એટલે આજે સાંજના છેલ્લા પહોર લગી અમારી નજરે કાંઈ આવ્યું નહીં. એવામાં વહાણ દેખાયાં – સંખ્યા પાંચની હતી – કિનારાની તદ્દન નજીક – મૌર્યોના જમાનાનું ખંડિયેર નગર દટાયેલું છે ત્યાં......... અમારામાંનો એક ઉતાવળે આવવા તૈયાર થયો, એવામાં –&lt;br /&gt;
તેજસિંહ : ઊભો રહે? વહાણો પર સંકેત શો હતો?&lt;br /&gt;
પહેરેગીર : આગળનું શઢ આડકતરું વીંટાળેલું હતું અને —&lt;br /&gt;
તેજસિંહ : અને?&lt;br /&gt;
પહેરેગીર : તૂતક આગળ આસોપાલવનો ઝુમખો.&lt;br /&gt;
તેજસિંહ : આસોપાલવ તમે નજરે જોયો?&lt;br /&gt;
પહેરેગીર : આપ નામદારને નિહાળું છું તેવી જ રીતે.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક પછી?&lt;br /&gt;
પહેરેગીર : પછી, દુશ્મનો ખારવાનાં જે વહાણોથી ખોરાક મેળવે છે તેમને પેલાં વહાણોની આસપાસ વીંટળાઈ વળતાં જોયાં, અને તરત જ.&lt;br /&gt;
તેજસિંહ : તરત જ શું?&lt;br /&gt;
પહેરેગીર : હજૂર, ક્ષોભ વિના સૌ દુશ્મનની છાવણી તરફ ચાલ્યાં ગયાં. ત્યાં તેમણે માલ ખાલી કર્યો.&lt;br /&gt;
 							[માણસો કપાળ કૂટે છે. પ્રગાઢ નીરવતા.]&lt;br /&gt;
તેજસિંહ : (એક પછી એક તરફ હસતી નજર નાંખતો) ઠીક થયું... બહાર ત્યાં તું કોઈને આ વિશે કાંઈ વાત કરીશ નહીં. હું એમને કહીશ.&lt;br /&gt;
 								      [પહેરેગીર ચાલ્યો જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૫મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[તેજસિંહ, આદિત્ય, દેવસેન, સ્કંદ, બીજાઓ, સામંતો]&lt;br /&gt;
તેજસિંહ : બિરાદરો, તમારી સલાહ!&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ, સલાહ અમને સૂઝતી નથી.&lt;br /&gt;
તેજસિંહ : દેવસેન, તું! તારા અનુભવમાંથી કાંઈ?&lt;br /&gt;
દેવસેન : સ્વામી, મહાન ઇશાદિત્યની સેવા મેં કરી છે. છતાં તે પણ કાંઈ આપી શકતી નથી.&lt;br /&gt;
તેજસિંહ : ઠીક, ત્યારે, મને સૂઝે છે......સરળતઃ અને સત્વર સમજાય છે. મરી જાઓ! આવા અવિશ્વાસની નજર કેમ મારા તરફ કરો છો? મારું કહેવું નથી સમજતા? બીકણ દુશ્મનોની પેઠે શરીરે પછેડી લપેટી પીઠમાં ઘા કરવાનું પડોશીને કહેવાનો રસ્તો બતાવું છું એમ ધારો છો? ઠંડા પડો: શરમથી હું તમને બચાવીશ. કીર્તિની પ્રાપ્તિ પ્રત્યે દોરી નહીં જઈ શકું ત્યારે તમારી લાજ નહીં જવા દઉં. જ્યાં લગી ભાલો પકડવાની તાકાત આપણા ત્રીસ જણમાં છે ત્યાં લગી આપણું આ સ્થાન લેવાની કોઈની મગદુર નથી. પણ આખરે વખત આવશે. થોડી જ વારમાં ભૂખથી દુર્બળ થયેલો હાથ આક્રમણ કરતા ખૂનીઓ પાસે રહેમત માગવા લાંબો થઈ શકે નહીં.&lt;br /&gt;
આદિત્ય : મહારાજ, કોઈ આભીર આવું કરતો નથી!&lt;br /&gt;
તેજસિંહ : તું જેવો છું તેની ખાતરી તું કરાવે, પણ તારું શું થશે તેની જામીનગીરી તું મને નહીં આપી શકે; એટલે મારી સલાહ અને આજ્ઞા છે. છેલ્લા યુદ્ધ માટે સૌ સજ્જ થાઓ. પરોઢના ઝળઝળીયામાં આપણે કોતરોમાંથી કૂદી પડશું અને ખુલ્લા મેદાનમાં દુશ્મનોની સામે આપણો વ્યૂહ માંડશું.&lt;br /&gt;
સર્વે : મહારાજ, એ અશક્ય છે.&lt;br /&gt;
આદિત્ય : સ્વામી, વિચાર કરો, આપણા એકની સામે દુશ્મન સો છે.&lt;br /&gt;
તેજસિંહ : તારો અભિપ્રાય, દેવસેન?&lt;br /&gt;
દેવસેન : પ્રભુ, આપ અમને મૃત્યુના માર્ગે લઈ જાઓ છો.&lt;br /&gt;
તેજસિંહ : હા, બરાબર મેં બીજું કહ્યું છે? શું તમે મને રણમાં એવો બિનપલોટાયેલો માનો છો કે પરિણામ મારા લક્ષ બહાર હોય? ત્યારે શા માટે ખચકાઓ છો? જ્યારે તિષ્યરાજ આપણા સેનાની હતા ત્યારે આપણે લાખ હતા, અત્યારે આપણે માત્ર પાંચ છીએ – તે સર્વેને મરતાં આવડતું હતું. આપણે – એમનામાંથી રહેલા સહેલા કંગાળ શું તે વીસરી ગયા હઈશું?&lt;br /&gt;
સર્વે : ના, મહારાજ, ના!&lt;br /&gt;
દેવસેન : પ્રભુ, તે ભયંકર પ્રસંગથી પરિચિત થવા જેટલો વખત આપો.&lt;br /&gt;
તેજસિંહ : ભયંકર? તમને શું ભયંકર લાગે છે? મૃત્યુનો પરિચય મેળવવા સમય જોઈએ છીએ? લીલથી છવાયેલા જૂના પાણાની પેઠે જેની છાતી ઘાના ચાઠાથી અંકિત ન હોય એવો તમારામાં કોઈ નથી. આજ વીસ વર્ષ થયાં તમે મૃત્યુને ઉડાવ્યું છે પણ હવે સાક્ષાત્ આવ્યું છે ત્યારે આભીરો શું ‘ભયંકર’ એવો ઉદ્ગાર કાઢશે? તમે શું કરશો? ભૂખ્યા સૂઈ રહેશો? એકબીજાને ખાઈ જશો? સારું, હું તમારી સાથે એમ વર્તીશ નહીં! હું નહીં જ! આવતી કાલે મારો ભાલો અને ઢાલ લઈ, તમારા ડૂબતા ભાગ્યનો નાયક મને બનાવ્યો ત્યારથી જે મૃત્યુની ચોરની પેઠે રાહ જોઈ ઝૂરું છું તે મૃત્યુને મારી મેળે મળવા જઈશ – તું એકલો, મારા બુઢ્ઢા ગોઠીયા, મારી સાથે આવે છે ને?&lt;br /&gt;
અણહિલ(પગે પડીને) : ખુદાવિંદ, મમતા માથે ચડાવું છું. સાથે આવવાનો સવાલ જ હોય?&lt;br /&gt;
સર્વે : અમે પણ તૈયાર છીએ, રાજેન્દ્ર, અમે બધા.&lt;br /&gt;
આદિત્ય : સુખનો માર્ગ બતાવવા માટે પ્રભુ, આપને ધન્યવાદ દેવો જોઈએ. એકદમ અમે આપની પાછળ સંગ્રામમાં ઊતરવા તૈયાર ન થયા માટે અમારા પર કોપ કરશો મા. હવે જ અમને આપના મહાન વિચારનું વિશદદર્શન થાય છે. શોક, અણબનાવ અને હતાશામાંથી અમે ઊઠીએ છીએ, મૃત્યુ તરફ ઢળી પડતા નથી......દરેક જણ બીજાનાં મુડદા ઉપર હસતાં ચાલશું એટલે તેની પેઠે જ રણશય્યામાં હસતા સૂશું...હાશ! સુવર્ણ કલશમાંથી અમૃતનું પાન થશે—ઉત્સાહપ્રદ ગમ્મતની મસ્તી માણશું. ખમ્મા, મારા નાથ. તારી ગાદીની કેટલીયે વાર ઇર્ષ્યા કરી છે, પણ હવે તે બિલકુલ રહી નથી.&lt;br /&gt;
તેજસિંહ : આદિત્ય, તારી કલ્પનામાં હશે તેથી નિરાળી જ ઘટના ઘણું કરીને થશે. છતાં આભીરોમાં આવો જુસ્સો હજુ વસેલો જોઈ રાજી થાઉં છું.&lt;br /&gt;
દેવસેન : દેવ, સેવકનો એક શબ્દ સૂણશો? મેં સોનેરી દિવસો જોયા છે... આપ વીરશ્રેષ્ઠ છો એટલું નહીં પણ સૌથી શાણા છો. ને હમણાં થાપ ખાધી તો, બચાવ કર્યા વગર, ખૂનીની સમશેરથી આપણા પ્રાણ જવાના......આપણા જ નહીં પણ રોગીઓના — અને બાળકોના — અને વહુઓના.&lt;br /&gt;
તેજસિંહ : અંહ, સાચે, વહુઓ! એમનો તો વિચાર જ નહોતો આવ્યો?&lt;br /&gt;
દેવસેન : પણ હવે આવતી કાલે આપણે જંગમાં ઊતરશું. બીજા અને ત્રીજા દિવસે — એટલો વખત આપણે ટકી શકીશું તો — એ ચમત્કારથી દુશ્મનો અને એમની પાછળ ખેંચાઈ આવતા ભીલ વગેરેના ટોળામાં આશ્ચર્ય અને ભય ફેલાશે...એમનો સદંતર નાશ આપણે નહીં કરી શકીએ, પણ તેઓ કોઈ જાય ત્યાં લગી આપણા લોહીથી તેમને હંફાવશું......અને જ્યારે એમના પક્ષમાં ભાલો કે ધનુષ્ય પકડવાની શક્તિ કોઈનામાં નહીં રહે ત્યારે એ હીજડાઓને કહેવાનો વખત આવશે ‘સુલેહથી ચાલ્યા જાઓ.’ તે વખતે તમારામાંથી કેટલા બચ્યા હશે? મને દહેશત છે કે બહુ નહીં! —&lt;br /&gt;
તેજસિંહ (હસતાં) : આપણે, ખાતરીથી નહીં!&lt;br /&gt;
સર્વે (ક્રૂર હાસ્ય કરતાં) : નહીં જ, અમે નહીં!&lt;br /&gt;
દેવસેન : પછી આપણા ભાઈઓ બૈરાંછોકરાંઓ સાથે દુશ્મનની વચમાં જશે, અને માથું ઊંચું રાખી, ખુલ્લી તલવારે દુશ્મનની છાવણી સોંસરા નૂપુરવંપ્ર. પર રોટલાનો ટુકડો વેચાતો લેવા ઊતરી પડશે. સાચું માનજે, એમનો ધાક પડશે કે ભીલોનો કૂતરો પણ એમની સામે ભસવાની હિમ્મત નહીં કરે. &lt;br /&gt;
તેજસિંહ : બૈરી અને છોકરાં! બૈરી અને છોકરાં! આપણે એમનું શું કામ છે?&lt;br /&gt;
સ્કંદ : મહારાજાસાહેબ, આપ અમારાં વહાલામાં વહાલાનો તિરસ્કાર કરો છો.&lt;br /&gt;
તેજસિંહ : હશે! સવારે જ્યારે ખોરાક વહેંચવામાં આવ્યો ત્યારે ઘણાં પેટ ભરવાનાં હતાં એટલું મને માહિત છે. નહીંતર આપણે ટકી રહેવા સમર્થ થયા હોત. તોપણ આટલી એક વાત તમને કહું છું – બહાર ઊભેલા માણસોને વીરપુરુષો તરીકે વ્રતનિષ્ઠ રહેનારાઓને આજ્ઞા કરું છું – આપણા નિશ્ચયની વાત કોઈ પણ સ્ત્રીને જણાવવી નહીં. સ્ત્રીઓનાં આંસુ અને ચીસથી કોઈ પણ માણસ પોચો પડ્યો હું સાંખીશ નહીં.&lt;br /&gt;
સ્કંદ : પ્રભુ અમારી સહધર્મચારિણીઓ પાસેથી રજા ન લેવાનો હુકમ નિર્માણ છે.&lt;br /&gt;
તેજસિંહ : મારી ઉપેક્ષા કરી તેમની રજા લેજો પણ લેતી વખતે મૂગા રહેજો. જેમને સ્ત્રીસંતતિ હોય તે શકટપુર જાય અને ખાવાપીવાનું લેતા આવે– થોડું પણ બચાવી રાખવામાં સ્ત્રીઓ મોજ માણે છે. પછી વાંઢાઓ સાથે બિસ્મિલ્લાહ કરે અને બને તેટલી લહેર માણી લે.&lt;br /&gt;
દેવસેન : નિશ્ચય જણાવવાની સખ્ત મના કરો છો તો પ્રભુ! એમણે એમની વહુઓને તે શું કહેવું?&lt;br /&gt;
તેજસિંહ : એમ કહો, મારા લગ્નનિમિત્તે મળવા આવ્યા છો! અથવા મનાય એવું લાગે તો કહેજો કે વહાણો આવ્યાં છે. ફાવે તે કહેજો. ફક્ત આટલી વાત તમારા મનમાં રાખજો.&lt;br /&gt;
આદિત્ય : આપ નવોઢા રાણીને પણ નહીં મળો?&lt;br /&gt;
તેજસિંહ : હેં? નહીં... સહેજ પણ વૃત્તિ થતી નથી. હવે લોકો સાથે વાત કરીશ. આદિત્ય, મારી વાણી તારા જેવી હોત તો કેવું સારું – સંદેશો ગૂંચવે એવો છે, મારે ઉત્તેજક શબ્દો ઉચ્ચારવા છે પણ તે સ્ફૂરતા નથી. ચાલો.&lt;br /&gt;
[સર્વે જાય છે, અણહિલ ધીમેથી પાછળ ચાલે છે.]&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
 				&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૬ઠ્ઠો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ટૂંક વખત રંગભૂમિ નિર્જન રહે છે. રાજાનો ઘાંટો સંભળાય છે. તેની વાણી જયઘોષથી વધાવાય છે. પછી થોડીક પળ વીત્યે, દુઃખનાં ગૂંગળાતાં ડૂસકાં.&lt;br /&gt;
અણહિલ રંગભૂમિ પર આવે છે અને પડદા નજીકના ઠૂંઠા પર બેસે છે. પછી બે મશાલો સળગાવી કડામાં ભેરવે છે અને રાજાનાં હથિયાર સજ્જ કરે છે. બહાર ઉત્સાહનો નિનાદ ઊઠે છે, વળી પાછો ધીમો પડી જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૭મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અણહિલ, રાજગુરુ વાચસ્પતિ (થાકથી ને આવેશથી લથડિયાં ખાતો.)&lt;br /&gt;
અણહિલ : પૂજ્ય દેવ, આસને આપ નહી બિરાજો?&lt;br /&gt;
વાચસ્પતિ : મહારાજા શું બોલે છે તે સાંભળવા તું નથી જતો?&lt;br /&gt;
અણહિલ : એને અને મારે કાંઈ નિસ્બત નથી, ગુરુદેવ! મહારાજાસાહેબ અને હું – ઘણા લાંબા કાળથી કામ કરવામાં એકમત છીએ.&lt;br /&gt;
વાચસ્પતિ : ખરે, યમના દૂત જેવાં ત્યાં આગળ તેઓ ઊભા છે.&lt;br /&gt;
અણહિલ : ફિરસ્તા હોય કે જીત હોય, મારે મન એક જ છે.&lt;br /&gt;
[ઉત્સાહનો ઘોષ નવેસરથી ઊડે છે અને તંબુઓની નજીક આવે છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૮મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એના એ જ રાજા (આંખોમાંથી આગના તણખા ઊડતા. ફિક્કો છતાં સ્વસ્થ.)&lt;br /&gt;
તેજસિંહ : હથિયાર સજ્જ છે? — અહો, આપ કયાંથી ગુરુદેવ!&lt;br /&gt;
વાચસ્પતિ : મહારાજા, મારા મહારાજા!&lt;br /&gt;
તેજસિંહ : સાચે, હવે આપને નવા યજમાન ગોતવા પડશે, ગુરુદેવ. આપનો આશીર્વાદ આપવાના હો તો કૃપા કરી સત્વર આપો......આદિત્ય હમણાં આવશે.&lt;br /&gt;
વાચસ્પતિ : દરેક મરતા જીવના થરથરાટથી તારી જાતને મુક્ત માને છે? તાત!&lt;br /&gt;
તેજસિંહ : ગુરુદેવ, આપણા સંપ્રદાયનો હું સાચો ભક્ત હતો. એક વેળા તિષ્યરાજે કર્યું તેમ હું એના મંદિર બંધાવી શક્યો નથી. પણ જે નાશ કરવાનું હતું તે એના શ્રેય અર્થે મેં નાશ કર્યું છે. આશીર્વાદ માટે દંડવત પડું?&lt;br /&gt;
વાચસ્પતિ : વત્સ, તારા કહેવાનો ભાવાર્થ મારાથી પમાતો નથી.&lt;br /&gt;
તેજસિંહ : ગુરુદેવ, નથી સમજાતો તો દિલગીર છું.&lt;br /&gt;
વાચસ્પતિ : તેં રજા લીધી?&lt;br /&gt;
તેજસિંહ : રજા, કોની? ઊલટું મને તો ‘સ્વાગત’નો ધ્વનિ કરવાનું મન થાય છે; પણ હજુ ત્યાં કાંઈ નથી! &lt;br /&gt;
વાચસ્પતિ (ભમ્મર ચડાવી) : આપની રાણીની રજા, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : અત્યારે, હું પુરુષોનો સગો છું, ગુરુદેવ. પત્ની સાથે કાંઈ લાગતું વળગતું નથી. સલામાલેકુમ.&lt;br /&gt;
[આદિત્ય અને અણહિલ પ્રવેશ કરે છે.]&lt;br /&gt;
વાચસ્પતિ : આલેકુમ સલામ — પ્રભુ, તારા આત્મામાં પોતાનો પ્રસાદ ભરો!&lt;br /&gt;
તેજસિંહ : ઋણી છું, ગુરુદેવ...અહો તું આવ્યો, આદિત્ય.&lt;br /&gt;
[વાચસ્પતિ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૯મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, આદિત્ય, અણહિલ (પછવાડાના ભાગમાં, રાજાનાં હથિયાર સજ્જ કરતો નિઃશબ્દ અંદર-બહાર આવ જા કરે છે.)&lt;br /&gt;
તેજસિંહ : યોદ્ધાઓ શું કરે છે?&lt;br /&gt;
આદિત્ય : જેમની વહુઓ છે તે શકટપુર ગયા છે...જરૂર તેઓ ત્યાં ખાશે, પીશે અને પોતાનાં બાળગોપાળ સાથે ખેલશે.&lt;br /&gt;
તેજસિંહ : તારી વહુ અહીં છે?&lt;br /&gt;
આદિત્ય : હા પ્રભુ!&lt;br /&gt;
તેજસિંહ : તારાં છોકરાં?&lt;br /&gt;
આદિત્ય : બે પુત્રો, પ્રભુ!&lt;br /&gt;
તેજસિંહ : છતાં તું ગયો નથી?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ, આપની તહેનાતમાં હાજર રહ્યો છું.&lt;br /&gt;
તેજસિંહ : વખત કેટલો થયો છે?&lt;br /&gt;
આદિત્ય : નવ વાગ્યા છે.&lt;br /&gt;
તેજસિંહ : જેઓ સ્વતંત્ર – અવિવાહિત છે અને જેમની વહુઓ અહીં નથી તેઓ શું કરે છે?&lt;br /&gt;
આદિત્ય : ધૂણી ધખાવી શાંત પડ્યા છે.&lt;br /&gt;
[અણહિલ જાય છે.]&lt;br /&gt;
તેજસિંહ : એમને માટે પણ કાંઈ ખાવાનું આવે તેવી જોગવાઈ કર. મેં ક્યારનો હુકમ કર્યો છે. શું તેઓ ઊંઘશે?&lt;br /&gt;
આદિત્ય : કોઈ ઊંઘશે નહી.&lt;br /&gt;
તેજસિંહ : મધરાતે, મને તેડવા આવજે.&lt;br /&gt;
આદિત્ય : જી, જેવો હુકમ. (જવાનું કરે છે.)&lt;br /&gt;
તેજસિંહ (ચિંતાના શેરડા પડે છે) : આદિત્ય, ઊભો રહે!...તું મારો હંમેશ પ્રતિસ્પર્ધી હતો.&lt;br /&gt;
આદિત્ય : હતો, પ્રભુ. પણ ઘણા લાંબા કાળથી પ્રતિસ્પર્ધી મટી ગયો છું.&lt;br /&gt;
તેજસિંહ (હાથ લંબાવીને) : આવ!&lt;br /&gt;
(ગાઢ આશ્લેષથી બન્ને ભેટે છે, પછી હાથે હાથ મેળવે છે.) ખુશીથી તને અહીં પકડી રાખત, પણ તારે તારી વહુને મળી આવવું જોઈએ.&lt;br /&gt;
[અણહિલ ફરી આવે છે.]&lt;br /&gt;
ધૂણીની તાપણી તાપતા સિપાહીઓ માટે ખાવાનું લાવવાનો બંદોબસ્ત વીસરતો નહિ. તેમનું ચિત્ત વ્યગ્ર રહેવું ન જોઈએ. આવે વખતે વિચાર કરવાથી લાભ નથી.&lt;br /&gt;
આદિત્ય : જી. હજુર.&lt;br /&gt;
[આદિત્ય જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૦મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, અણહિલ&lt;br /&gt;
તેજસિંહ : ચાલ, મારા ડોસા, પૃથ્વી પર હવે આપણે માટે કાંઈ કરવાનું રહેવું ન જોઈએ. વાતો કરશું?&lt;br /&gt;
અણહિલ : ગરીબપરવર, મારા પર મહેરબાની કરશો.&lt;br /&gt;
તેજસિંહ : હજુ મહેરબાની, આવે વખતે? જૂના દોસ્ત, મને લાગે છે કે તારે મને અડાવવો છે.&lt;br /&gt;
અણહિલ : પ્રભુ, હું બુઢ્ઢો થયો. આપની જિંદગીનું રક્ષણ કરવા જોઈતા વખતથી વહેલાં મારો હાથ ભાલો પકડી થાકી જશે. મારી તકસીરથી આપનો નાશ થવો ન જોઈએ, નાથ...કોઈ ઊંઘતું નથી છતાં બાકી રહેલા બે કલાક મને મારા ખાટલામાં સૂવા રજા આપો. મારે માટે બીજો વિચાર લાવશો મા!&lt;br /&gt;
તેજસિંહ (ઊંડી ચિંતાનો નવો ખટકો ખમતાં) : જા, પણ બહુ દૂર નહીં.&lt;br /&gt;
અણહિલ : આપના તંબુ આગળ નિરંતર કૂતરાની માફક સૂઈ રહ્યા છું, પ્રભુ આ છેલ્લી રાતે એમાં બિલકુલ ફેર પડવાનો નથી...હુકમ છે હજૂર!&lt;br /&gt;
તેજસિંહ : સુખી થા!&lt;br /&gt;
[અણહિલ જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૧ મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, પછીથી અબલા.&lt;br /&gt;
(તેજસિંહ એકલો પડવાથી, ખાટલા પર પડે છે. થાકેલું, કડવું સ્મિત ફરકાવતો તાકીને પોતાની બરાબર સામે જુએ છે. અબલા લજ્જાભરી આવે છે, એક હાથમાં મીઠાઈ ને મેવો ભરેલો કંડિયો છે; બીજા હાથમાં દારૂથી ભરેલો સોનાનો પ્યાલો છે. પાટ તરફ થોડાંક પગલાં ભરે છે.)&lt;br /&gt;
તેજસિંહ (અર્ધો ઊઠીને) : કોણ છે?&lt;br /&gt;
અબલા(બીતી, હળવે રહીને) : રાજેન્દ્ર, મને ઓળખતા નથી?&lt;br /&gt;
તેજસિંહ (ખાટલા પરથી ઊઠીને) : દીવા ઝાંખા બળે છે.. તારો અવાજ અગાઉ સાંભળેલો છે...મારું શું કામ છે?&lt;br /&gt;
અબલા : હું આપની રાણી છું, રાજેન્દ્ર.&lt;br /&gt;
તેજસિંહ (થોડો વખત ચૂપ રહી) : તારે મારું શું કામ છે?&lt;br /&gt;
અબલા : મારી બાએ મને મોકલી છે, આપને સારુ હું મિષ્ટાન્ન અને સુરા લાવી છું. બીજાઓ ખાય-પીએ છે એટલે મારી બાએ કહ્યું કે...(અટકી પડે છે.)&lt;br /&gt;
તેજસિંહ : તું અંદર કેવી રીતે આવી?...સંત્રીએ તને આવતાં રોકી નહીં?&lt;br /&gt;
અબલા (ટટાર થઈ) : પ્રભુ, હું રાણી છું.&lt;br /&gt;
તેજસિંહ : હં, બરાબર. પણ, અણહિલે શું કહ્યું?&lt;br /&gt;
અબલા : આપણો વૃદ્ધ ભાલેદાર પડ્યો પડ્યો ઊંઘે છે. હું એને ઓળંગી આવી, પ્રભુ.&lt;br /&gt;
તેજસિંહ : અબલા. તારું કલ્યાણ થાઓ...મને ભૂખ નથી લાગી. તારું કલ્યાણ થાઓ.&lt;br /&gt;
[નિઃશબ્દતા, અબલા ઊભી ઊભી અશ્રુપૂર્ણ દૃષ્ટિ એના પર નાંખે છે.]&lt;br /&gt;
તેજસિંહ : હજુ પણ તારે કાંઈ અરજ કરવાની છે એવું મને લાગે છે. વગર સંકોચે બોલ.&lt;br /&gt;
અબલા : મારા નાથ, ભરેલો કંડિયો લઈ ઘેર પાછી જઈશ તો બીજી સ્ત્રીઓ મને ફિટકાર દેશે...અને પુરુષો કહેશે કે–&lt;br /&gt;
તેજસિંહે (સ્મિત કરતાં) : પુરુષો શું કહેશે?&lt;br /&gt;
અબલા : હું આપના જરાયે લેખામાં નથી. મારા હાથથી જમવાની પણ વૃત્તિ આપને નથી થતી.&lt;br /&gt;
તેજસિંહ : પુરુષોને બીજી વાતોનો વિચાર કરવાનો છે. અબલા, તેની ખાતરી મારા પંડના સોગન ખાઈ તને આપું છું – છતાં, તોપણ મારે લીધે તને બટ્ટો નહીં લાગવા દઉં. ત્યાં કંડિયો મૂક...હજુ પણ તમારી પાસે આવી વસ્તુઓ છે?&lt;br /&gt;
અબલા : પ્રભુ, આ બે સપ્તાહ થયાં મારી બાએ, મેં અને બીજી સ્ત્રીઓએ અમારા ભાગમાંથી સારામાં સારું ઊંચું મૂકી છાંડ્યું છે.—આજ દિન લગી માંસ માટે પશુપક્ષી માર્યાં નથી.&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે તો તમને સ્ત્રીઓને કકડીને ભૂખ લાગી હશે, નહી વારુ?&lt;br /&gt;
અબલા : એથી અમે હેરાન નથી થયાં...એ મિજાની માટે હતું.&lt;br /&gt;
તેજસિંહ : સાચે! આજે અમે મિજબાની આપશું એવું તમારું માનવું હતું.&lt;br /&gt;
અબલા : ઠીક ત્યારે શું મિજબાની નથી, પ્રભુ?&lt;br /&gt;
તેજસિંહ : (છાનોમાનો અધર કરડે છે; ચોરીછૂપીથી અબલાને તપાસે છે) – અબલા તું બેસશે નહીં?... અત્યારમાં તને પાછી ઘેર જવા નહીં દઉં! તેથી પણ તને કલંક લાગે, નહીં?&lt;br /&gt;
   [અબલા મૌન રહે છે અને નીચું જુએ છે.]&lt;br /&gt;
તેજસિંહ : હું હુકમ કરું તો અહીં થોભવા તારી મરજી છે?&lt;br /&gt;
અબલા : નાથ, પતિ સમીપ રહેવા પત્નીને શા માટે ઇચ્છા ન થાય?&lt;br /&gt;
તેજસિંહ : હું — તારો — પતિ છું, એવી લાગણી ત્યારે શું તારા હૃદયમાં છે?&lt;br /&gt;
અબલા : અલબત્ત, એથી બીજું શું હોય? ગુરુદેવે આપણને સંલગ્ન કર્યાં છે.&lt;br /&gt;
તેજસિંહ : એમણે સંલગ્ન કર્યાં ત્યારે તને આનંદ થયો હતો?&lt;br /&gt;
અબલા : હા...ના, ત્યારે આનંદ નહોતો થયો.&lt;br /&gt;
તેજસિંહ : શા માટે નહોતો થયો?&lt;br /&gt;
અબલા : કદાચ,...રખેને...વખતે, વખતે...પ્રભુ, હું બીની હતી, પ્રાર્થના કરતી હતી.&lt;br /&gt;
તેજસિંહ : શા માટે પ્રાર્થના કરતી હતી?&lt;br /&gt;
અબલા : આપને જેની જરૂર છે એવું અને મારાથી આપ અપેક્ષા રાખો એવું સુખ આપને આપવાની શક્તિ, મારા જેવી પરમેશ્વરની નમ્ર કિંકરીને પરમેશ્વર આપે માટે.&lt;br /&gt;
તેજસિંહ : તારી પાસેથી જેની હું...એ વિશે પ્રાર્થના કરતી હતી?&lt;br /&gt;
અબલા : નાથ, આપને માટે પીરસું? સુરા લાવું?&lt;br /&gt;
તેજસિંહ : ના, ના!...આમ જો, અબલા! બહાર, આપણી તાપણી પાસે યોદ્ધાઓ છે—તેઓ ભૂખ્યા છે—મને ભૂખ નથી લાગી.&lt;br /&gt;
અબલા : નાથ, આપને ગમે તે તેમને આપો...તેમને બધું આપી દ્યો!&lt;br /&gt;
તેજસિંહ : તારું કલ્યાણ થાઓ, અબલા. (પડદો ઉપાડે છે.) અરે, પહેરેગીર, અંદર આવ, પણ જાળવીને, ડોસો ઊઠે નહીં...&lt;br /&gt;
[પહેરેગીર આવે છે.]&lt;br /&gt;
લે, મીઠાઈ અને સુરાનો આ કંડિયો; પ્રામાણિકતાથી વહેંચી લેજો;... કહેજે કે તમારી રાણીએ મોકલ્યું છે.&lt;br /&gt;
પહેરેગીર : ખુદાવિંદ, રાણીસાહેબનો આભાર માનું?&lt;br /&gt;
[તેજસિંહ ડોકું નમાવે છે. પહેરેગીર ઉલ્લાસથી રાણીને પગે પડી જાય છે.]&lt;br /&gt;
તેજસિંહ : જા—મારે માટે ખાવાનું લાવ!&lt;br /&gt;
અપ્સરા(મુંઝાઈને) : નાથ — કેમ — મને — બનાવો છો?&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે મારું કહેવું સમજતી નથી? જો મારી વહુ થવું હોય તો, તારે મને મારી મિલકત ધરવી જોઈએ, તારી નહીં!&lt;br /&gt;
અબલા : મારી તે આપની જ મિલકત નથી, નાથ?&lt;br /&gt;
તેજસિંહ : હં! (મૌન. તેના હાથ પકડે છે.) મને નાથ નહીં કહે, રાજા પણ નહીં કહે...મારું નામ તું જાણતી નથી?&lt;br /&gt;
અબલા : આપનું નામ તેજસિંહ છે.&lt;br /&gt;
તેજસિંહે : ફરીથી કહે જોઈએ!&lt;br /&gt;
અબલા (હળવેથી, આડી ફરીને) : તેજસિંહ!&lt;br /&gt;
તેજસિંહ : નામ વિચિત્ર તને લાગે છે?&lt;br /&gt;
   [અબલા ડોકું ધુણાવે છે.]&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે આનાકાની કેમ કરે છે?&lt;br /&gt;
અબલા : વિચિત્ર લાગે છે માટે નહીં, નાથ જ્યારથી મેં જાણ્યું કે આપની પત્ની તરીકે આપની સેવા કરવાની છે ત્યારથી રાતે અને દિવસે વારંવાર આપનું નામ મેં લીધા કર્યું છે. ફક્ત મોટેથી નથી ઉચ્ચાર્યું.&lt;br /&gt;
તેજસિંહ : તારી જાણમાં એ આવ્યું તે પહેલાં મારે માટે તારો શો વિચાર હતો?&lt;br /&gt;
અબલા : નાથ, એમ શા માટે પૂછો છો?&lt;br /&gt;
તેજસિંહ : શા માટે જવાબ નથી આપતી?&lt;br /&gt;
અબલા : નાથ, આપની ક્રૂર આજ્ઞાઓ વિશે સાંભળતી અને બીજાઓ આપનાથી ડરતા – ત્યારે વારંવાર વિચાર આવતો : આભીરોનું પ્રારબ્ધ જેને આવાં કામો કરવાની ફરજ પાડે છે તે કેટલો દુઃખી હોવો જોઈએ!&lt;br /&gt;
તેજસિંહ : એવો તને વિચાર આવ્યો? એવો તને –?&lt;br /&gt;
અબલા : એવો વિચાર મને આવ્યો તે શું અનુચિત હતું?&lt;br /&gt;
તેજસિંહ : તેં કદી મારો ચહેરો જોયો નહોતો છતાં તું મને સમજી શકી? મારી આસપાસ રહેનારા ડાહ્યા માણસો અને કસાયેલા યોદ્ધાઓ મને સમજી શક્યા નહીં!...તું કોણ છે, સુંદરી મારું હૃદય વાંચતાં તને કોણે શીખવ્યું? – તને, સર્વમાંથી એકલી તને?&lt;br /&gt;
અબલા : નાથ, હું -&lt;br /&gt;
તેજસિંહ : બધા મારાથી થરથરતા અને ખાણમાં મારાથી સંતાઈ રખડતા પણ રસ્તો જોયો નહીં – સુભાગ્યે જે રસ્તે તેમનું રક્ષણ થયું હોત તે ખરો રસ્તો તેમણે જોયો નહીં. જલ્લાદની છરી તેમની ગરદન પર ઊતરતી ત્યારે પણ બાંધછોડની કંઈક વાત કરતા. એટલામાં લુચ્ચા દુશ્મનો આવ્યા, તેમની સાથે લડ્યા અને એક પછી એક અમારો સંહાર થયો. આમ લાખ નાશ પામ્યાં. મેં શોક અને ક્રોધનાં વસ્ત્રો વીંટાળ્યાં – લોહિયાળ ચીંથરાની પેઠે આશાને મેં ફેંકી દીધી, ભંગાણમાં તિરસ્કાર અને હાસ્યભર્યો હું કૂદી પડ્યો. મારાં પ્રત્યેના ત્રાસથી મારું હૃદય હલમલી રહ્યું હતું ત્યારે મારી આસપાસ મેં ત્રાસ વાવી દીધો. સર્વના લોહીથી એક વખત પણ હું મત્ત નથી થયો. મેં દુશ્મનને માર્યા, છતાં બધો વખત જાણતો હતો કે બધું ફોગટ છે!&lt;br /&gt;
[વેદનાથી પીડિત થઈ શય્યા પર પડે છે; પોતાની સમક્ષ સીધું તાકીને જુએ છે.]&lt;br /&gt;
અબલા (લજવાતી તેના પર વહાલનો હાથ ફેરવવાનો પ્રયત્ન કરે છે) : મારા વહાલા, બિચારા મહારાજા! વહાલા તેજ!&lt;br /&gt;
તેજસિંહ (ડોકું ઊંચું કરી ગભરાયેલો આજુબાજુ જુએ છે) : મારા પ્રભુ, અહીં હું શું કરું છું?...તને શાને આ બધું કહું છું? આવો ભડભડીઓ છું માટે મને ધિક્કારતી નહીં...તેમ એમ પણ ન માનતી કે અનુતાપથી આ હકીકત કબૂલ કરવાની મને ફરજ પડી છે...કદાચ વધ્યો ને માટે મારા હૃદયમાં ઘૃણા થઈ છે, પણ મારું અંતઃકરણ એ સર્વેથી ઊંચે વિરાજે છે!... મારી મુફલિસ આભીર ગાદીથી ઘણું જ ઊંચું!...એમ મારા પર નજર કર... તારી આંખમાં એવું કાંઈક છે જેથી મારા અંતરના વિચારો તારી સમક્ષ પ્રગટ કરવાની મને ફરજ પડે છે...મારા પર આવું સામર્થ્ય મેળવવાની શક્તિથી તને કોણે સંપન્ન કરી છે?...જતી રહે!...નહીં, ઊભી રહે...ઊભી રહે! હજુ, મારે તને કાંઈ કહેવું છે, તદ્દન રહસ્યમાં તારા જતાં પહેલાં...પણ મારે આમ રડવું ન જોઈએ, નહીં તો પહેરેગીર સાંભળી જશે...તારો કાન મારી તરફ નીચો ધર. હજુ લગી કદી પણ કોઈ માણસ પાસે કબૂલ કર્યું નથી, તેમ કોઈ દિવસ કબૂલ કરીશ એવો સંભવ પણ માન્યો નથી. મારા અંતરમાં ઈર્ષ્યા છે, તે મારું કાળજું કોરી ખાય છે, જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે – તને ખબર છે કોની?...તિષ્યરાજની...અલબત્ત, મસાણમાં બાળેલા તિષ્યરાજના... લોકો તેને ‘પ્રભાવી’ તિષ્યરાજ કહેતા અને આજે પણ તેઓ તેને ચાહે છે... અદ્યાપિ જ્યારે તેનું નામ સાંભળે છે ત્યારે લોકોની આંખો ચમકે છે.&lt;br /&gt;
અબલા : અહો, પ્રભુ! આપ કેવા ઊકળ્યા છો?&lt;br /&gt;
તેજસિંહ : તેં કદી તેને જોયો હતો?&lt;br /&gt;
અબલા : કોઈ દિવસ નહી.&lt;br /&gt;
તેજસિંહ : પાડ પ્રભુનો! જે યુદ્ધમાં તે કામ આવ્યો તેની સવારે જેવો તેને મેં જોયો હતો તેવો તેં જોયો હોત...સોનેરી બખ્તરમાં સજ્જ થયેલો... તેની નીચે સફેદ ઘોડો રવાલતો હતો, સૂર્યકિરણની પેઠે તેનાં ઝૂલફાં તેની આસપાસ ફરફરતાં હતાં. દુશ્મનની સામે જોઈ તે અટ્ટહાસ્ય કરતો. બાળકની પેઠે તે હસતો હતો! આહ, તેની માફક હસતાં મરવાનું!&lt;br /&gt;
અબલા : નાથ, તેનું ભાગ્ય સરળ હતું! તે અહીંથી ગયા પણ વારસામાં આપને અર્ધું નષ્ટ થયેલું રાજ્ય સોંપી ગયા... પછી આપને કેવી રીતે હસવું આવત?&lt;br /&gt;
તેજસિંહ (આતુરતાથી) : શું એમ નથી? – શું એમ નથી? – કેવી રીતે...હાશ, એથી ઠીક લાગે છે! (આડા ફરે છે) હાશ! તારાથી મને ઠીક લાગે છે!&lt;br /&gt;
અબલા : દેવ, મારું હૈયું કેટલું ફુલાવો છો!&lt;br /&gt;
તેજસિંહ : પણ જો તેં તેને જોયો હોત અને મારી સાથે મુકાબલો કર્યો હોત તો, તું મારા પર થૂંકત!&lt;br /&gt;
અબલા (સ્નેહના આવેશથી) : પ્રભુ, વહાલા, વહાલા નાથ! આપને જ ફક્ત હું જોવત!&lt;br /&gt;
[તેજસિંહ લજ્જા અને અવિશ્વાસભરી દૃષ્ટિ તેના પર આડકતરી નાંખે છે. પછી ધીમેથી ડાબી બાજુએ ચાલી જાય છે, સિંહાસન આગળની બેઠક પર બેસી જાય છે અને સિંહાસનમાં મોં દાબીને દારૂણ રૂદન કરે છે.]&lt;br /&gt;
અબલા (શરમાતી તેની પાછળ જાય છે અને તેની જોડમાં ઘુંટણીયે પડે છે) : તેજ, વહાલા, ક્ષમા કર, મેં તને દુભવ્યો હોય તો!&lt;br /&gt;
તેજસિંહ (ઊભો થઈ તેનો હાથ પકડે છે) : કોઈને કહીશ મા!&lt;br /&gt;
અબલા : શું, પ્રભુ?&lt;br /&gt;
તેજસિંહ : તેં મને રડતાં જોયો છે તે! સોગન ખા!&lt;br /&gt;
અબલા : મને કહેવામાં આવ્યું છે કે હમણાં પણ હું તારા શરીરનો અંશ છું – તારા આત્માનો પણ!...તો પછી શા માટે સોગન ખાવા?&lt;br /&gt;
તેજસિંહ : મારા શરીરની કલા હોય, તો મારી સોડમાં ભરાવ, એટલે તે મારાં આંસુ નહીં જોઈ શકે.&lt;br /&gt;
અબલા : તારે બદલે મને તે લૂછવા દે! જો, એટલા માટે તો હું અહીં આવી છું.&lt;br /&gt;
તેજસિંહ : હાશ, મને આરામ છે...આજ લગી કોઈ આભીર રોતો જણાયો નથી એટલે શરમનો માર્યો હું મરી જાત. તિષ્યરાજને બાળ્યા ત્યારે પણ અમે રોયા નહોતા...છતાં હું શરમાતો નથી...એકદમ કેમ હું સ્વસ્થ થયો તે સમજાતું હોત!...અબલે, મારે તને કાંઈ કહેવું છે, પણ હસીને મારો તિરસ્કાર કરીશ મા.&lt;br /&gt;
અબલા : કેવી રીતે તારા તરફ દાંત કાઢું, વહાલા!&lt;br /&gt;
તેજસિંહ : મને ભૂખ લાગી છે.&lt;br /&gt;
અબલા (આશ્ચર્યથી ઊછળીને) : અફસોસ, આપે તો બધું આપી દીધું છે!&lt;br /&gt;
તેજસિંહ : ના, બિલકુલ નહીં! પણ જા, જઈશ?&lt;br /&gt;
   [અબલા જાય છે.]&lt;br /&gt;
મારા ખાટલાની પછવાડે – ચૂલો જણાય છે?&lt;br /&gt;
અબલા : અહીં રાખ પડી છે ત્યાં?&lt;br /&gt;
તેજસિંહ : ત્યાં પેટી છે?&lt;br /&gt;
અબલા : હા.&lt;br /&gt;
તેજસિંહ : ઢાંકણું ઉઘાડીશ?&lt;br /&gt;
અબલા : ઓ બા! ભારે છે!&lt;br /&gt;
તેજસિંહ : હવે અંદર હાથ નાંખ! ઠેઠ અંદર, ઠેઠ અંદર...ત્યાં બુઢ્ઢા કંજૂસ અણહિલ – કેમ?&lt;br /&gt;
અબલા (આશાભંગ થઈને) : રોટલાના બે ટુકડા; એટલું જ છે, નાથ?&lt;br /&gt;
તેજસિંહ : સાચે, એથી વિશેષ નથી.&lt;br /&gt;
અબલા : તાકીદે શકટપુર જઈ આવવાની અનુજ્ઞા છે?...કદાચ હજુ...&lt;br /&gt;
તેજસિંહ : ના, ના...તેમને સૌને કકડાબુકડાની જરૂર છે...તે અહીં લાવ! હમશરીખો તરીકે આપણે વહેંચી લઈશું- હું? બન્ને માટે એ પૂરતું છે. લાવીશ?&lt;br /&gt;
અબલા : હા જી.&lt;br /&gt;
 [તેની જોડમાં બેસે છે.]&lt;br /&gt;
તેજસિંહ : ચાલ, તે મને આપ! હાશ કેવું મજેદાર! સ્વાદિષ્ટ છે ને? પણ હું, તારે પણ ખાવું પડશે.&lt;br /&gt;
અબલા : મને ધાસ્તી છે કે આપને માટે પણ પૂરતું નથી.&lt;br /&gt;
તેજસિંહ : નહીં કબૂલતની વિરુદ્ધ...ઠીક...સ્વાદ સારો નથી?&lt;br /&gt;
અબલા : આવી મીઠાશ અર્ધી પણ કદી ચાખી નથી.&lt;br /&gt;
તેજસિંહ : જરા, નજીક આવ...તારા ખોળામાંથી કકડા ખાઈશ...પણ એકદમ મને ભૂખ કેમ લાગી? જો અત્યારે આપણે લગ્નનો કંસાર ખાઈએ છીએ. &lt;br /&gt;
અબલા : બહાર, સુરા અને અન્નથી જમનારાઓથી વધારે સારી મિજબાની ખરું ને? &lt;br /&gt;
તેજસિંહ : મેં તને નહોતું કહ્યું? પણ તારું આસન બરાબર નથી. &lt;br /&gt;
અબલા : ના, હું બરાબર બેઠી છું.&lt;br /&gt;
તેજસિંહ : ચાલ ઊભી થા! ઊભી થા તો જોઉં. &lt;br /&gt;
અબલા (ઊઠીને) : બોલો?&lt;br /&gt;
તેજસિંહ : ત્યાં ઉપર બેસ.&lt;br /&gt;
અબલા : સિંહાસન ઉપર—પ્રભુની ખાતર—હું કેવી રીતે હિમ્મત કરૂં?&lt;br /&gt;
તેજસિંહ : તું રાણી નથી!&lt;br /&gt;
અબલા (નિશ્ચયપૂર્વક) : સાચેસાચું બેસવું જોઈશે! પણ ગમ્મતમાં – નહિ! &lt;br /&gt;
તેજસિંહ : હં લાકડાના પાગલ ટુકડા!&lt;br /&gt;
[સિંહાસન ઊથલાવી પાડે છે.] &lt;br /&gt;
છેવટે કાંઈક કામમાં તો આવવું જોઈએ...વારુ, હવે એને અઢેલી ઊભી રહે.&lt;br /&gt;
અબલા : વહાલા આપ વાજબી વર્તો છો?&lt;br /&gt;
તેજસિંહ : (ચમકીને) નહીં જ!(સિંહાસન હતું તેમ ગોઠવે છે. તેનાં પગથિયાં પર અબલાને લઈ જાય છે અને ગાદી પર તેનું માથું રખાવે છે) બરાબર બેઠી — ખરું!... આવા નજીવા પદાર્થોનો અપરાધ આપણે નથી કરતા. રાજગુરુએ આ જોયું હોત — એમણે, હા! હા! હા! થોભ, હું ફરીથી ખાઈશ.&lt;br /&gt;
અબલા : લો, જમો!&lt;br /&gt;
તેજસિંહ : હજુ–તદ્દન હાલ્યાચાલ્યા વિના રહીશ! હું જાતે લઈ આવીશ.&lt;br /&gt;
(પગથિયાં પર તેની પાસે ઘૂંટણિયે પડે છે.) હવે તારી સાથે હું ઘૂંટણિયે પડ્યો એવું શું નથી જે આપણે શીખતા નથી?...તું રમણીય છે...મારી માનું મને જરાયે સ્મરણ નથી &lt;br /&gt;
અબલા : જરાયે નથી!&lt;br /&gt;
તેજસિંહ : બેન પણ નહોતી...કોઈ નહોતું...જિંદગીમાં કોઈ દિવસ રમ્યો ખેલ્યો પણ નથી...પણ હવે છેલ્લું છતાં ઓછું અગત્યનું નહીં એવું શીખી લઉં છું.&lt;br /&gt;
અબલા : કેમ છેલ્લું છેલ્લું?&lt;br /&gt;
તેજસિંહ : પૂછો મા – નહીં? અહહ, તું, તું! હા, હા, હા, ખા તો ખરી. મારામાંથી કરડ-હું? આજ્ઞા પાળ, રાજગુરુએ કહેલાં મંત્રો યાદ છે ને?&lt;br /&gt;
અબલા (કરડે છે ને – તરત જ ઊછળે છે) : પણ આપ કાંઈ પીશો ખરા ને?&lt;br /&gt;
તેજસિંહ : અલબત્ત! દૂધનો કટોરો માત્ર લાવ! દૂધનો કટોરો માત્ર લાવ! અણહિલે કહેલી વટલોઈ તું ઓળખે છે?&lt;br /&gt;
અબલા (સામી તરફ જોઈને) : આ જ કે!&lt;br /&gt;
તેજસિંહ (ઊભા થઈને) : એ જ તારેય પીવું પડશે.&lt;br /&gt;
અબલા : એ યોગ્ય ગણાય?&lt;br /&gt;
તેજસિંહ : મને માલૂમ નથી પણ હોવું જોઈએ.&lt;br /&gt;
અબલા : ઠીક ત્યારે થવા દો.&lt;br /&gt;
[પીએ છે અને હસવાથી હાલે છે.]&lt;br /&gt;
ઉંહું! ગંધ મારે છે.&lt;br /&gt;
તેજસિંહ : મને આપ. (પીએ છે.) કાંઈ નહીં. (ફરીથી પીએ છે.) જા! અન્નદેવતાનો આવો તું તિરસ્કાર કરે છે?...ઠીક, ત્યારે તું કોણ છે? અહીં કેવી રીતે આવી! કહે મારું શું કામ છે!&lt;br /&gt;
અબલા : તને હું ચાહીશ.&lt;br /&gt;
તેજસિંહ : તું મારી સહધર્મચારિણી! –તું...&lt;br /&gt;
(હાથ પ્રસારી બન્ને દોડી આશ્લિષ્ટ થાય છે. હળવેથી) મને ચુમ્બન નહીં દે?&lt;br /&gt;
તેજસિંહ : કહેને, કેમ નહીં?&lt;br /&gt;
અબલા : તારા કાનમાં કહીશ!&lt;br /&gt;
તેજસિંહ : વારુ.&lt;br /&gt;
અબલા : તારી દાઢી ઋક્ષ છે.&lt;br /&gt;
તેજસિંહ (મોં ગભરાટમાં લૂછે છે. પછી ખોટો ગુસ્સો ધારણ કરીને) : મારી દાઢી કેવી છે! હું કોણ છું તેની તને ખબર નથી? તારા રાજાને આવું કહેવાની બેઅદબી તારામાં ક્યાંથી આવી!... કહે ફરી એકવાર ફરીથી કહે જોઈએ! પછી હું જોઈશ.&lt;br /&gt;
અબલા (હસતાં) : ઋક્ષ — દાઢી — છે.&lt;br /&gt;
તેજસિંહ : (હસતાં) હવે, ઊભી રહે!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૨મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ, અણલા, આણહિલ.&lt;br /&gt;
[અબલા શરમાઈને માથું ધુણાવે છે.]&lt;br /&gt;
અણહિલ : હજુર, હાક મારી?&lt;br /&gt;
[આશ્ચર્યથી જડ થઈ ઊભો રહે છે. છાનામાના જતા રહેવાની તૈયારીમાં છે.]&lt;br /&gt;
તેજસિંહ (સપાટામાં સ્વસ્થ થાય છે. સ્વપ્નમાંથી જાગતો હોય એવો દેખાય છે. શરૂઆતમાં જેવી મ્લાન મંદતા એનામાં હતી તેનો અધિકાર તેની રીતભાત અને દેખાવમાં આવે છે) : ઊભો રહે, થોભ, બહાર શું થાય છે?&lt;br /&gt;
અણહિલ : શકટપુરથી યોદ્ધાઓ પાછા આવતા જાય છે. ઘણાની સાથે તેમની વહુઓ આવે છે.&lt;br /&gt;
તેજસિંહ : સામંતો ભેગા થયા?&lt;br /&gt;
અણહિલ : જી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહ : એક ક્ષણ વધારે તેઓ ખામોશ રાખશે?&lt;br /&gt;
અણહિલ : જી, હજૂર.&lt;br /&gt;
તેજસિંહ : મારેય વહુ છે.&lt;br /&gt;
અણહિલ : જી, છે, હજૂર.&lt;br /&gt;
[જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૩મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેજસિંહ. અબલા.&lt;br /&gt;
અબલા : તેજ, વહાલા શું થાય છે?&lt;br /&gt;
તેજસિંહ (તેની સમક્ષ ઊભા રહી પોતાના હાથમાં તેનું માથું ભીડે છે) : સુખદુઃખના સમગ્ર સંસારમાં થઈને હાથોહાથ મેળવી આપણે ગયાં હોઈએ એવો અનુભવ આ ક્ષણે મને થાય છે. તે અદૃશ્ય થાય છે.–બધું અદૃશ્ય થાય છે. ફરીથી હું છું – હું હતો – ના, તે હું રહ્યો નથી – પણ તું સર્વે સ્ત્રીઓથી શ્રેષ્ઠ થા, રાણી...થઈશ?&lt;br /&gt;
અબલા : દેવ, શી આજ્ઞા છે?&lt;br /&gt;
તેજસિંહ : કાલાવાલા કે રૂદન નહીં કરે ને?&lt;br /&gt;
અબલા : નહીં જ નાથ.&lt;br /&gt;
તેજસિંહ : દિવસ જલદીથી ઊગશે, અમારી આગળ મૃત્યુ ઊભું છે.&lt;br /&gt;
અબલા : નાથ, આપ શું કહો છો તે સમજતી નથી. આપણા ઉપર કોઈ હુમલો કરી શકે એમ નથી, અને વહાણ આવે ત્યાં લગી—&lt;br /&gt;
તેજસિંહ : હવે વહાણ કદી આવવાનાં નથી.&lt;br /&gt;
[અબલા કપાળ કૂટે છે ને પછી નિશ્ચલ ઊભી રહે છે.]&lt;br /&gt;
તેજસિંહ : પણ અમે મરદો કેસરિયાં કરી રણમાં ઊતરવાના છીએ.&lt;br /&gt;
અબલા : તે તમે નહીં કરી શકો—તે ખચિત — અશક્ય છે.&lt;br /&gt;
તેજસિંહ : અમારે ઊતરવું જોઈએ. તું રાણી છે, પછી જોઈ શકતી નથી કે અમારે ઊતરવું જોઈએ.&lt;br /&gt;
અબલા : હા – હું – જો...ઈ...શ...કું...છું.&lt;br /&gt;
તેજસિંહ : રાજા મોખરે લડે છે. હવે આપણે જીવતાં મળી શકીશું નહીં...તેની તને ખબર છે ને?&lt;br /&gt;
અબલા : હા ખબર છે!...&lt;br /&gt;
[શાન્તિ, બન્ને એકેકના સામું જુએ છે.]&lt;br /&gt;
તેજસિંહ : રણસંગ્રામમાં તારી શુભેચ્છાઓ સાથે લઈશ.&lt;br /&gt;
[અબલાને પગે પડે છે. અબલા તેજસિંહના માથા પર હાથ મૂકે છે, તેના તરફ નીચી વળે છે અને ધ્રૂજતી ધ્રૂજતી તેના કપાળમાં ચુમ્બન કરે છે.]&lt;br /&gt;
તેજસિંહ (કૂદી ઊભો થાય છે અને તંબુની કનાત ચીરી નાંખે છે) : રાહ જોતા હોય તે આવો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૪મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એનાં એ જ. સાધના, દેવસેન, વાચસ્પતિ, સ્કંદ, આદિત્ય, બીજા સામંતો.&lt;br /&gt;
સાધના : રાજેન્દ્ર, આપની પાસે મારી બાળકીને મોકલી હતી...તમે મરદો જંગમાં ઊતરવાના છો એવું સાંભળ્યું છે...તે મને પાછી સોંપો.&lt;br /&gt;
તેજસિંહ : લો, તમારી બાળકી!&lt;br /&gt;
[સાધના અને અબલા જાય છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;પ્રવેશ ૧૫મો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અબલા અને સાધના સિવાય એના એ જ.&lt;br /&gt;
તેજસિંહ (તેમની પાછળ તાકી તાકીને જુએ છે; જાગૃત થાય છે ત્યાં રાજગુરુને જુએ છે.) : ગુરુદેવ, કાલે સાંજે મેં આપની અવગણના કરી હતી. માફ કરો. મારી કૃતજ્ઞતાની લાગણી સ્વીકારો. હું પણ સારી રીતે જાણું છું, આભીરોને મૃત્યુ શા માટે પ્રિય છે?...(તરવાર પકડે છે.) ચાલો તૈયાર છો ને? છેલ્લી વિદાયગીરી લેવાઈ રહી?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ! આપની આજ્ઞા અમે તોડી છે. અમારી વહુઓમાંથી કોણે આગળ પડી અથવા અમારામાંથી કોણે વાત કહી દીધી તે જાણી શકાતું નથી. સૌ તે જાણે છે એટલું નિ:સંશય છે.&lt;br /&gt;
તેજસિંહ : ત્યારે તો સૌએ કકળાટ અને રડારોળ કરી મુક્યાં ને?&lt;br /&gt;
આદિત્ય : પ્રભુ! અમારી ભમ્મરો પર મૃત્યુના આશીર્વાદની નીરવ મુદ્રા તેમણે અંકિત કરી છે.&lt;br /&gt;
તેજસિંહ (અર્ધો પોતાની સાથે ઉદ્ગાર કાઢે છે) : તેમણે પણ! (મોટેથી) ખરે જ આપણે રાજવીઓની પ્રજા છીએ. એ આપણું કમભાગ્ય છે. ચાલો ત્યારે!&lt;br /&gt;
[પાછળ, ફલંગ ભરતો જાય છે. બીજાઓ તેને અનુસરે છે. રાજાને વધાવતી નિનાદભરી લોકવાણી પર પડદો પડે છે.]&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = તોળલ અથવા તોળીરાણી&lt;br /&gt;
|next = રિપુ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B3%E0%AA%B2_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80&amp;diff=111404</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/તોળલ અથવા તોળીરાણી</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B3%E0%AA%B2_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80&amp;diff=111404"/>
		<updated>2026-05-28T04:43:05Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|તોળલ અથવા તોળીરાણી}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[કલાપીનો ‘જેસલ અને તોળલ’ વાળો સંવાદ વાંચવામાં આવ્યો ત્યારથી જ તોળલ વિશે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી અને તે તૃપ્ત કરવા મારા કાઠિયાવાડી મિત્રો સમર્થ નીવડ્યા નહોતા. વિભાવરી સ્વપ્ન, સ્વરૂપ પુષ્પાંજલિ, કલાપીનો વિરહ આદિ કાવ્યોના કર્તા મહુવાના મસ્ત કવિ અને રાજવી કલાપીના મિત્ર ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી પ્રો. ગજ્જરના દર્શનાર્થે મુંબઈ આવેલા ત્યારે એમની મુલાકાત થઈ. એ પ્રસંગે તોળલ વિશે વાત કહેતા એમણે અદ્ભુત રસથી ભરેલા એ ભક્તાણીની જીવનકથાના કેટલાક પ્રસંગો કહ્યા. ત્યાર પછી બે-ત્રણ ભજનસંગ્રહો મારા વાંચવામાં આવ્યા. આ સંગ્રહોમાં તોળીરાણીનાં ભજનો ઉપરાંત એના વિશે લખાયેલાં ભજનો હતાં. મસ્ત કવિએ વર્ણવેલા ઘણાખરા પ્રસંગો વિશે ઉલ્લેખ આ બધાં ભજનોમાંથી મળ્યો છતાં વિશેષ અને ચોક્કસ જાણવાની ઇચ્છાથી ‘ગુજરાતી’ પત્રમાં જેસલ અને તોળલના જીવન વિશે પ્રશ્નાવલીભર્યું ચર્ચાપત્ર લખ્યું પણ એ પ્રશ્નો આજ દિન લગી અનુત્તર રહ્યા. આ પરથી મારા જાણવામાં આવેલી હકીકત પ્રગટ કરી વિશેષ શોધખોળ તરફ લક્ષ ખેંચવા વૃત્તિ થઈ છે. ગયે વર્ષે ‘ગુજરાતી’ના દિવાળીના અંકમાં એક લેખકે તોળીરાણીનાં ભજનો છપાવ્યાં છે અને ભક્તાણીના જીવન વિશે કાંઈ જાણવામાં ન હોવાથી અફસોસ કર્યો છે.]&lt;br /&gt;
કાઠિયાવાડની એક નાટક કંપની જામનગર રાજકોટમાં જેસલ તોળલનો ખેલ કરતી હતી તે જોવા જનાર એક મિત્ર પાસેથી નાટકનાં ગાયન અને સારની ચોપડી મળી. મસ્તકવિએ વર્ણવેલા પ્રસંગો ઉપરાંત નાટકમાં ઘણા નવા પ્રસંગો હતા. પણ આ પ્રસંગો પરંપરાગત હતા કે નાટકના સંવિધાને ઉપજાવ્યા હતા તેનો ખુલાસો મેળવી શકાયો નથી. મારી શોધખોળ ચાલતી હતી તે દરમ્યાન મસ્તકવિના કનીયસ ભ્રાતા, શિવાજી અને ઝેબુન્નિસાના કર્તા અને કાઠિયાવાડના કંઠસ્થ અદ્ભુત સાહિત્યનો સંગ્રહ કરનાર હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીનો સમાગમ થયો. પોતાના સંગ્રહમાંથી એમણે માર્ગીપંથની ત્રણ ભક્તાણીઓ — તોળલ, રૂપાંદે અને લીલમબાઈનાં ભજનો પ્રસિદ્ધિ માટે મારે સ્વાધીન કર્યાં.&lt;br /&gt;
તોળીરાણી માર્ગપંથની ભક્તાણી છે. આ પંથ કાઠિયાવાડમાં સારી રીતે જૂના વખતથી પ્રચલિત છે. હિંદુ નાતો મુસલમાન પાદરીઓના ઉપદેશથી ઇસ્લામ સ્વીકારી ખોજા કોમ બની છે તે નાતો માર્ગીપંથી હતી એવું ખોજાઓમાં હજુ લગી રહેલા કેટલાક રિવાજો પરથી પ્રતીત થાય છે. મર્હુમ સચેદીના નાનજીઆણી કૃત ખોજાઓના વૃત્તાંતમાં તેમ જ ખોજાઓ વિશે છપાયેલાં બીજાં પુસ્તકોમાં આ હકીકત સ્પષ્ટતઃ વર્ણવેલી છે. એ પંથનું મોટું મંદિર વઢવાણ પાસે દૂધરેજમાં છે, તેમ કાઠિયાવાડનાં ઘણાં નાનાંમોટાં ગામોમાં એના મંદિર અને ભક્તો છે. એ સંપ્રદાયનાં ભજનો ગાનારા બાવાઓ અને રામકીઓની મંડળી કાઠિયાવાડમાં પ્રવાસ કરનારાઓએ જોઈ હશે. વર્ષમાં અમુક અમુક તહેવારે અમુક અમુક સ્થળે એ પંથના ભક્તોનો મેળો ભરાય છે ત્યારે ભજનોની રમઝટ જબરી ચાલે છે અને ભક્તિમાં ગળી ગયેલા ઘણા ભક્તો ત્યાં આવે છે, આપણા પ્રાચીન જીવનનું આ સ્વરૂપ જોવા હું ભાગ્યશાળી નથી થયો એટલે વિસ્તારથી તેનું આલેખન કરી શકતો નથી.&lt;br /&gt;
પોતાના પંથમાં તોળીરાણીની પ્રતિષ્ઠા ઊંચી છે. આદ્યશક્તિનો તે અવતાર લેખાય છે. તેનો જન્મ અદ્ભુત રીતે થયેલો મનાય છે. કાઠી કુળમાં તે ઊછરી હતી. ઉમ્મરે આવતાં તેનાં લગ્ન સાસટીઆ કાઠી સાથે થયાં હતાં. દંતકથા એવી છે કે દેવી હોવાથી માનવી સાથે તેણે સંસાર નહોતો માંડ્યો. પોતાના પ્રભાવથી પોતાના વાસ્તવ સ્વરૂપની સાસટીઆને પિછાન કરાવી તેને પોતાને અનુકૂળ કર્યો હતો. માર્ગીપંથમાં એનો પ્રવેશ શાથી થયો? એના માબાપથી કે પતિથી! એનો ગુરુ કોણ હતો?&lt;br /&gt;
પોતાના સંપ્રદાયમાં તોળલ એટલી બધી ગળી ગઈ હતી કે હંમેશ સાસટીઆને ત્યાં ભજન થતાં અને વરવહુ પૂરી મસ્તીથી તેમાં રમઝટ બોલાવતાં. સાસટીઓ પણ તોળલના સહવાસે ભગત બની ગયો હતો. ભજનસંગ્રહોમાં એનાં બનાવેલાં ભજનો છે.&lt;br /&gt;
કચ્છના અંજાર નગરમાં જેસલ નામનો જાડેજો રહેતો હતો. ભાઈઓ ભાઈને તકરાર થવાથી અથવા ગરાસ ન હોવાથી તે લૂંટવાનો ધંધો કરતો.. ‘જેસલ જગનો ચોરટો‘ એવું વચન ભજનોમાં છે. ‘લૂંટી કુંવારી જાન, મોડબંધા વર માર્યા, પાણિઆરીની હારો લૂંટી‘ વગેરે વગેરે આ લૂંટારાનાં ત્રાસદાયક પરાક્રમો (?) હતાં. કહેવાય છે કે એના જુલ્મથી હેરાન થયેલા વટેમાર્ગુએ એને મહેણું માર્યું, ‘અશક્ત, નિરાધાર વટેમાર્ગુઓને લૂંટી શું મોટું પરાક્રમ કરે છે? સાસટીઆ કાઠીની તોળલ ઘોડી લાવે ત્યારે ખરો.‘ વજ્રપાત થયો હોય તેમ જેસલ ચમક્યો અને વટેમાર્ગુઓને કનડવાનું ત્યજી તોળલ લેવા કાઠિયાવાડને કિનારે ઊતર્યો. &lt;br /&gt;
ઘોડા ઉછેરવામાં કુશળ કાઠીઓની પોતાના જાનવર પરની મમતા મશહૂર છે, માથું જાય, ઘરબાર પાયમાલ થઈ જાય પણ કાઠી પોતાની ઘોડી કોઈને આપે નહિ. એ એનો શ્વાસ ને પ્રાણ છે, ‘કાઠિયાવાડના બહારવટિયા’ નામના પુસ્તકમાં મી. કીનકેડે ઘોડા વિશેના દુહાનું ઇંગ્લિશ ભાષાંતર આપ્યું છે તે પરથી એ વહાલ અને મમતાનો અનુભવ થશે.&lt;br /&gt;
લૂંટારા જેસલે ઘોડી ચોરી લેવાનો સંકલ્પ કર્યો. કાઠીને ગામ ગયો ત્યારે ખબર પડી કે ભજનમંડળી જામી છે. એકતારાની ધૂન લાગી રહેલી અને તોળલ તથા સાસટીયાની સાથે ભક્તમંડળ ભજન ગાવામાં તલ્લીન થયેલું. શ્રોતાઓ પણ ભજન સાથે એકતાન થઈ ચિત્રવત્ બેઠેલા હતા. પાપી ચોર પર આ ભજનોની જરાયે અસર થઈ નહિ. ઊલટું પોતાનું કામ કાઢી લેવાની સંધી ઠીક હાથ આવી છે એમ માની વંડી ઠેકી ઘોડી બાંધી હતી ત્યાં ગયો અને દોરડું છોડતાં અગાઉ તેને પંપાળવા લાગ્યો. પણ વફાદાર ઘોડી ચેતી ગઈ. પોતાના માલિકને ચોરની હાજરી જણાવવા ખૂંખારી તોફાન કરવા લાગી. તોફાન કરતાં ખીલો નીકળી ગયો. આથી જેસલ ગભરાયો; કારણ કે ઘોડીના તોફાનથી ભજનમાં પણ ભંગ પડ્યો હતો અને સાસટીઓ તોફાનનું કારણ તપાસવા ઊભો હતો. પકડાઈ જવાની દહેશતે જેસલ ખંડના ભોરમાં સંતાઈ ગયો. સાસટીએ બહાર આવી જોયું તો કાંઈ જણાયું નહિ પણ ઘોડી છૂટી ગયેલી લાગી. ઊખડી ગયેલો ખીલો મજબૂત દાટવા ખંડની અંદર ખોદ્યો. આ સ્થળે જેસલની હથેળી હતી. અને તે સોંસરો ખીલો જમીનમાં દાટ્યો. હથેળી સોંસરો ખીલો જવાથી થયેલી વેદના થઈ જ ન હોય એવો જેસલ ખમીર થઈ સંતાઈ રહ્યો અને ભજનમાં લીન થયેલાને પણ હથેળીને લીધે વધારે જોર કરવું પડ્યું કે ઘાસ લોહીયાળ થયું તેની ખબર પડી નહીં. કામથી પરવારી પાછો ભજનમાં સામીલ થઈ ગયો. ઘોડી અત્યારે હાથ આવે એમ નથી એવું જોઈ રાહ જોતો વેદના ખમતો જેસલ ઘાસમાં જ લપાઈ રહ્યો.&lt;br /&gt;
ભજન પૂરું થયું. આરતી થઈ. પ્રસાદ વહેંચાવા લાગ્યો. આખરે તોળીની થાળીમાં એક માણસને માટે પ્રસાદ વધ્યો.&lt;br /&gt;
‘બધા ભગતોને પ્રસાદ વહેંચ્યા છતાં વધ્યો કેમ? આટલામાં કોઈ હોવું જોઈએ.’ તોળલ બોલી.&lt;br /&gt;
‘ચાલો આપણે દીવો લઈ બહાર શોધીએ’ સાસટીઆએ કહ્યું.&lt;br /&gt;
તપાસ કરતાં ખંડમાંથી લોહીની નીક વહેતી લાગી એટલે પડ ખસેડતાં છૂપાઈ રહેલો જેસલ જણાયો. તેની હથેળીમાંથી ખૂંટો કાઢી તેને બહાર આણ્યો. તોળલે પાણીથી તેની હથેળી ધોઈ પછેડો ફાડી લાંબા ચીરાથી પાટો બાંધ્યો અને પ્રસાદ આરોગવા દીધો. લોહી જવાથી અધમુવો થયેલો જાડેજો સારવારથી તાજો થયો એટલે સાસટીએ પૂછ્યું, ‘ભાઈ તમે ક્યાંથી આવ્યા છો? અને ખંડમાં કેમ સંતાઈ રહ્યા હતા?’&lt;br /&gt;
આગતાસ્વાગતાથી નરમ થયેલો નિર્ઘૃણ લૂંટારો અવનવા જ અનુભવમાં ઊતરી ગયો હતો. મનુષ્યની નૈસર્ગિક સાધુતા એનામાં જાગૃત થઈ હતી એટલે પોતાના આગમનનું પ્રયોજન અને વંડીની અંદર બનેલો બનાવ વગર સંકોચે કહી દીધાં. આ સાંભળી ઉદાર અને મહાનુભાવ તોળલે ઘોડી આપી દેવાનું પોતાના સ્વામીને કહ્યું. સાસટીઆએ તરત જ ઘોડીને પલાણ વગેરેથી સજ્જ કરી જેસલને સોંપી. જેસલ આ જોઈને દંગ થઈ ગયો. ઘોડી અપાવનાર કાઠિયાણી તરફ જોઈ રહ્યો. ઘોડી પર બેસી વંડી બહાર ગયો તોપણ તોળલ સામું જોયા જ કરે. આથી તોળલને વહેમ પડ્યો કે હજુ એના મનમાં કાંઈ રહી ગયું છે. પતિ પાસે હાક મરાવી જેસલને પાછો બોલાવ્યો. પૂછ્યું કે ‘ભાઈ હજુ શું જોઈએ છે?’ જરા પણ લજ્જા કે સંકોચ વગર જેસલે માગણી કરી ‘કાઠી! ઘોડી અપાવનાર આ સાધ્વી બાઈ મને આપ.’ સાંભળતાં જ કાઠીનાં રૂવાડાં ઊભાં થયાં અને જેસલ સાથે જવા ઘોડી પર ચઢી.&lt;br /&gt;
માર્ગીપંથનાં અનુયાયીઓ હોવાથી સાસટીઆએ એને જવા દીધી? કે એને દેવી તરીકે માનતો હોવાથી? કે દેવી તરીકે જઈ પાપીનો ઉદ્ધાર કરે એવા હેતુથી?&lt;br /&gt;
કાઠિયાવાડમાં આને મળતી દુહાબદ્ધ એક વાત છે. રા. રા. હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીના સંગ્રહમાંથી એનો સાર આપું છું. એક બાઈનાં લગ્ન ઢોલરા નામના શખ્સ સાથે થયાં પણ નાનપણથી દેવરા નામના શખ્સનાં ગુણ અને પરાક્રમ સાંભળેલાં હોવાથી એનું દિલ દેવરા પર લાગ્યું હતું. દેવરા સાથે નહિ પણ ઢોલરા સાથે લગ્ન થયાં અને સાસુ સાથે સાસરે જવા નીકળી. માર્ગમાં રાત પડી જવાથી વિસામો કરવો પડ્યો. ગામમાં મહેમાનગીરી કરનાર આબરુદાર મશહૂર ગૃહસ્થ દેવરો કરીને હતો. સાસુ-વહુ તેને ત્યાં જઈ ઊતર્યાં. વહુના હૃદયમાં વસનાર દેવરાનાં તેને સાક્ષાત્ દર્શન થયાં. એટલું જ નહિ પણ સાંભળેલા ગુણ નજરે પ્રત્યક્ષ નિહાળ્યા, હૃદયમાં નિગૂઢ રહેલો સ્નેહ ઊભરાઈ ગયો પણ હૃદય દોરે ત્યાં જવા તે અશક્ત હતી. પ્હો ફાટ્યે હૃદય ત્યાં મૂકી સાસુ સાથે દેહ લઈ તે ચાલી અને બીજે દી સવારે સાસરે પહોંચી. સાસુએ બેડું આપી પાદરેથી પાણી સીંચવા મોકલી. સવારની સાંજ થઈ પણ વહુ આવી નહિ તેથી ગભરાયેલી સાસુએ દીકરાને વહુની ભાળ કાઢવા મોકલ્યો. પાદરે જઈ જુએ છે તો એક દિશા તરફ નજરયોગ સાધી વહુ કૂવાકાંઠે ઊભી છે, હાથમાં સીંચણીઉં છે, ઘડો વગર ભરાયે કૂવાના પોલાણની હવામાં અદ્ધર તરે છે અને થાળા પર ખાલી હાંડા અને ઉઢણી હતાં. ચતુર ચેતી ગયો કે વહુને હજુ પિયર સાંભરે છે અને તેની વાટ ભણી તેની તરસી નજર વળી રહી છે, વહાલથી પાસે જઈ વહુને સમાધિમાંથી કુનેહથી જગાડી અને પાણી ભરાવી ઘેર તેડી આવ્યો. રાત્રે શયનખંડમાં પતિપત્ની ભેગાં થયાં ત્યારે &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઢોલા મ ઢાળ્ય ઢોલીઓ, ઢોલે  મન ઢળે નૈ;&lt;br /&gt;
મઝાલ મારા કપડની કોર, દુઃખ માનશે દેવરો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આલમમશહૂર, પરોપકારી અને રસિક દેવરાનું નામ સાંભળતાં જ ઉચ્ચ તુખમ પ્રકાશી નીકળે છે. પરણીઅત પાસેથી કળથી તેના સ્નેહની કહાણી કઢાવે છે. પોતાને પ્રતીતિ થાય છે કે બાઈનું દિલ દેવરા સાથે લાગ્યું છે. જોરજુલમથી હવે એને પોતાની પત્ની કરવામાં સાર નથી પણ ઊલટું પાપ છે. બન્નેનો સંસાર કડવો અને દુઃખી નીવડવાનો. માટે બહેતર છે કે પોતાનું ગમે તેમ થાય પણ બાઈને સુખી કરવી. તરત જ ગાડું જોડી બાઈને દેવરાને ગામ લઈ જાય છે અને બનેલી હકીકત કહી બાઈને તેના વલ્લભને સ્વાધીન કરે છે. કૃતજ્ઞ દેવરો પોતાની બે બહેનો ઢોલરા સાથે પરણાવે છે અને ધામધૂમથી વિદાય કરે છે. આ વખતે દેવરાની મા પૂછે છે, ‘ઢોલરાએ તને એક બાયડી આપી અને તેં એને બે કેમ આપી?’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીકરીયું દેવાય, વવું દેવાય નૈ;&lt;br /&gt;
એક સાટે બે જાય, તોય ઢાળ  માગે ઢોલરો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ સંગ્રહમાંથી બીજી વાતનો સારાંશ ઉતારીએ. હાટીના માળિયાનો પીઠો હાટી અને ભંડારિયાનો ભોજો કામળીઓ જબરા લૂંટારા હતા. બન્નેએ એકબીજાને જોયા નહોતા છતાં મરદાનીનાં પરાક્રમથી દોસ્તી બન્ને વચ્ચે હતી. એક વખત કામળીઓ મારણ કરવા ગયેલો અને ભંડારિયા પાસેથી આઘેથી લૂંટ કરી પાછો વળતો જતો હતો ત્યાં દોસ્ત સાંભર્યો એટલે ગામમાં પૂછતો મળવા જતો હતો ત્યાં પાદરે વાવડ મળ્યા કે ભોજો બહારગામ ગયેલો છે. આ પરથી તે પોતાને રસ્તે પડ્યો. પણ તેના આવ્યાની ખબર ભોજાની વહુ વેજલને થતાં જ તેણે પીઠાને પાછો વાળી પોતાનો મહેમાન કરી આગતાસ્વાગતા કરી. બે-ત્રણ દિવસ રાહ જોઈ પણ ભોજો આવ્યો નહિ એટલે પીઠો પોતાને વતન ગયો. મારણ પરથી ભોજો આવ્યો ત્યારે હલકા લોકોએ પીઠા અને વેજલ માટે તેના દિલમાં સંશય ઉપજાવ્યો. આથી ખીજવાઈ વેજલને ઘર બહાર કાઢી મૂકી અને મહેણે મહેણે તેને ખિન્ન કરી દીધી.&lt;br /&gt;
વેજલ પહેલાં તો ગભરાઈ પણ વિચાર કરી મૂંઝવણમાંથી અને બેઆબરૂમાંથી રસ્તો કાઢ્યો. પીઠાની પરોણાચાકરી કરવામાં પોતે બદનામ થઈ તો હવે પીઠાના જ ઘરમાં જઈ બેસવું અને ભોજાની સામી આબરૂ લેવી એવો નિશ્ચય કરી તે માળિયા ગઈ. પાદર પરથી બેડું ભરી ચોરે પીઠો બેઠો હતો ત્યાં ગઈ અને&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઉજમમાંથી આવતી, મેં કાંઈ વાટે નથી કરી વેલ, &lt;br /&gt;
હાડી તું ઉતાર ને હેલ, નૈં તો પગમાંથી નીકળ પીઠીઆ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પીઠો વિમાસણમાં પડી જાય છે. શું કરવું? હેલ ઉતારે તો કામળીઆ જેવા બહાદુર મર્દ સાથે નાહકનું વેર થાય છે. નથી ઉતારતો તો વેજલના પગમાંથી નીકળી જવાની ગેરઆબરૂ થાય છે. છેવટે ગામના આગેવાનોની સલાહથી હેલ ઉતારે છે. જ્યારે કામળીઆને આ ખબર પડે છે ત્યારે એનાં રુંવેરુંવાં ઊભાં થાય છે. અને પોતાના એક સગાને સાથે લઈ બાવાનો વેશ લઈ માળિયે વેર લેવા આવે છે. પણ ત્યાં પીઠાના હૃદયની ઉચ્ચતા, ઉદારતા, વીરતા, મમતા જોઈ પોતાનું વેર ભૂલી જાય છે અને હતી તેથી વધારે જબરી વજ્રલેપવાળી દોસ્તી કરી પીઠાને ત્યાં જઈ વેજલના હાથથી બન્ને જમે છે.&lt;br /&gt;
આડકથા લંબાય છે છતાં બીજા બે પ્રસંગોનો સંક્ષેપમાં ઉલ્લેખ કરશું. હરણને શીંગડેથી રાંકા વાણિયાએ બાંધેલા વરસાદને છોડાવી પાછા વળતાં વરસાદમાં મડું થઈ ગયેલા એભલવાળાની સારવાર કરવા માટે સાંઈ પર એના ધણીએ હલકા લોકોની શીખવણીથી વહેમ ગયેલો ત્યારે પોતાનું સતીત્વ જણાવવા સાંઈએ પોતાના પર આરોપ મૂકનારને પત નીકળવાનો શાપ દીધો. સતીનો શાપ ફળ્યો અને સાંઈનો ધણી પતીઅલ થયો. એભલવાળાના મોટા કુંવરના લોહીથી સાંઈ એનો રોગ ટાળે છે. (જુઓ હરગોવિંદ પ્રેમશંકરનું કાવ્ય ‘એભલવાળો અને સાંઈ.’)&lt;br /&gt;
બે જીવજાન દોસ્ત હતા. એક દોસ્ત બીજાને મળવા ગયો. ત્યાં દોસ્ત અને તેની વહુએ તેની સારી પરોણાચાકરી કરી. થોડા દિવસ રહી તે પોતાને વતન ગયો. વળાવી પાછાં આવ્યાં ને ધણીધણિયાણી સૂઈ ગયાં. મિત્ર જવાથી પુરુષને ઊંઘ નહોતી આવતી ત્યાં સ્ત્રીએ સ્વપ્નમાં લવતી સાંભળી અને લવારામાં મિત્રનું નામ સાંભળ્યું. પુરુષના વહેમી દિલને લાગ્યું કે બાઈનું ચિત્ત મારા મિત્ર પર આશક થયું છે માટે સવારે એને મિત્રને ગામ વળાવીશ તો સુખી થશે. બાઈ પતિવ્રતા હતી અને એના દિલમાં કશું નહોતું એટલે જવાની આનાકાની કરી. કૂતરા તરીકે ઘરની આસપાસ ભટકવાની આજીજી કરી પણ પુરુષે માન્યું નહિ અને બળાત્કારે મિત્રના ગામને પાદરે એને મૂકી આવ્યો. નિરુપાયે પતિના મિત્રને શરણે જઈ બનેલી વીતક કહે છે. બહેન તરીકે તેને પોતાને ત્યાં નિવાસ આપે છે અને જ્યારે તેના પતિની ભૂલ ભાંગે છે ત્યારે વીરપસલી સાથે તેને પાછી સોંપે છે.&lt;br /&gt;
આ ભિન્ન ભિન્ન પ્રસંગો પરથી કાઠિયાવાડમાં સ્ત્રીપુરુષનાં — પરણેલ સ્ત્રીપુરુષના સંબંધોમાં થતા ફેરફારોનું દર્શન થશે. જેસલની સાથે તોળલ ગઈ તે એ માર્ગીયપંથનો જ પ્રતાપ? કે આવી ભાવનાઓનો પણ ખરો?&lt;br /&gt;
જેસલ અને તોળલે પલાણ કર્યું છે. કાઠીની ઘોડી પૂરપાટ જાય છે. જેસલના દિલમાં નાનાવિધની ઘડભાંગ થાય છે પણ તોળલ સ્વસ્થ અને અંતિમ ઉદ્દેશની સાધના માટે તૈયાર છે. એક ગામ જઈ પહોંચ્યાં ત્યાં ઉતારો કર્યો અને જેસલ વાણિયાની દુકાને સીધું લેવા ગયો. વાણિયાનું નામ સધીર હતું. જેસલ પાસે પાઈ પણ નહોતી એટલે સીધું ઉધાર માગ્યું. વાણિયે ઉધાર આપવા ચોખ્ખી ના પાડી પણ તે રાતે તોળલને પોતાને ત્યાં મૂકી જાય તો સીધું આપવા કહ્યું. માથાનો ફરેલ જગનો ચોરટો જેસલ તોળલની સાથે ઘોડી પર આવવાથી જ બદલાઈ ગયો હતો નહિતર સધીરનું માથું એના ધડ પર રહેત ખરું કે? ઉતારે જઈ જેસલે તોળલને સધીરની દુષ્ટ કીમત કહી સંભળાવી. પ્રસન્ન ચિત્તથી તોળલે રાત્રે જેસલની સાથે જવા હા પાડી. સીધું આવ્યું અને બન્ને જમ્યાં. રાત પડીને વચન પ્રમાણે જવાનો વખત થયો. પણ બહાર વરસાદ ધોધો વરસતો હતો અને રસ્તામાં કાદવ થઈ ગયો હતો. તોળલની પાની ગંદી થવાની દહેશત થઈ પણ અનુરક્ત જેસલ તેને પોતાને ખભે બેસાડી વાણિયાને હાટે તેડી ગયો. બૂમ સાંભળી વાણિયાએ કમાડ ઉઘાડ્યાં ને તોળલને જોઈ વિસ્મય પામ્યો. અંદર આવકાર આપતાં બોલ્યો ‘ઊભાં રહો, પાણી લાવું પગ ધોવા, નહીં તો ગારાથી ચાદર બગડશે.’ તોળલે પોતાના પગ દીવાના પ્રકાશમાં ધરી ચોખ્ખા બતાવ્યા. કારણ પૂછતાં જેસલને ખભે બેસી આવેલી જણાઈ. આ સાંભળતાં આખી આલમને લૂટનાર જેસલની ખાંધ પર આવેલી તેજસ્વી પ્રતાપી સ્ત્રીને જોતાં જ વાણિયાનો વિકાર નાશ પામ્યો અને ઉચ્ચ જીવનનાં કિરણો ફૂટ્યાં. બન્નેને તે પગે લાગ્યો અને પોતાના નીચ હવસ માટે લળી લળી માફી માંગી. ઉદારતાથી તોળલે એનો દોષ માફ કર્યો. વાણિયે તેઓ તે ગામમાં રહે ત્યાં લગી પોતાના મહેમાન થવા વિનંતિ કરી.&lt;br /&gt;
ભજનો ગાય છે કે તોળલે ત્રણ નર તારીયા, સાસટીયા અને સધીરના ઉદ્ધારની કથા આવી ગઈ. હવે બાકી રહ્યો ઉદ્ધાર જેસલનો. સધીરની અનીતિ શેહ ખાઈ નીતિ જયવંત નીવડી જોઈને જેસલમાં રહ્યું સહ્યું પાપ સરવા લાગ્યું. તોળલ તરફ પૂજ્યભાવ વધતો ગયો અને તેનો આજ્ઞાધીન સેવક જેવો થઈ ગયો. એના પાપનું પૂરેપૂરું પ્રાયશ્ચિત થયું નથી એમ જાણી તોળલે એને પોતાનાં મેલાં લૂગડાં ધોવા ગામને તળાવે મોકલ્યો. સારા અંજારમાં રાડ પડાવનાર મરદ જાડેજો એક સ્ત્રીનાં કપડાં ધોવા ગામમાં થઈને ચાલ્યો. ગામમાં જેસલ અને તોળલના આગમનની ખબર પડી ગઈ હતી. જેના જેના ઘર આગળથી જાય તે તે આવું હલકું કામ કરવા માટે એને ફિટકાર દે. ફિટકાર સાંભળી એનું મન ડગમગતું તો પાછો સંકલ્પ દૃઢ કરી લોકવાયકાની દરકાર કર્યા વિના ચાલ્યો જતો. ગામને બીજે છેડે જતાં મોચી ઓળ આવી. ત્યાંના એક મોચીએ ઉદ્ગાર કાઢ્યો ‘માળો જેસલ કેવો ભગત છે! એનું હુંપણું તદ્દન મરી ગયું છે. નહીંતર બાયડીનાં કપડાં ધોવા ન જાય.’ આ સાંભળી જેસલ ફૂલ્યો અને પોતાની કદર કરનાર દુનિયામાં એક જીવ છે એવું જોઈ એ સંતોષ પામ્યો. તળાવને કાંઠે જઈ ગાંસડો છોડી જુએ તો લૂગડાં ધોબીએ ધોયાં હોય એવાં નર્યાં ઊજળાં થઈ ગયેલાં. એક લૂગડા પર ફક્ત ડાઘ હતો. જેસલનો અવતાર આ જોઈ ફરી ગયો. પાપથી ભરેલું જૂનું વસ્ત્ર એના દેહ પરથી સરી પડ્યું. અને પુણ્યની ઉજ્જવળ કાંતિ સ્ફૂરી રહી. ગાંસડી ફરી બાંધી ઉતારે જઈ તોળલને પગે પડ્યો અને ભક્તાણીનો આશીર્વાદ લીધો. કપડાં ઊજળાં થવાનું અને ડાઘ રહેવાનું કારણ પૂછતાં નિન્દાથી ડાઘ અને મેલ જવાની અને ફુલાશથી ડાઘ રહેવાની સમજણ તોળલે પાડી. આ બનાવ વસ્તુતઃ બન્યો હશે? કે આધ્યાત્મિક સત્યની પ્રતીતિ કરાવવા રૂપક કહેવાયેલું?&lt;br /&gt;
લૂંટારો હવે નૈષ્ટિક ભક્ત થયો. તોળલ અને એ ભજનો ગાતાં ગાતાં ગામેગામ ફરવા લાગ્યાં. કપડાં ધોવાની હકીકત બની તે અગાઉ જેસલ તોળલને કચ્છનો અખાત હોડીમાં ઓળંગાવી અંજાર લઈ જતો હતો. દરિયામાં તોફાન થયું અને હોડી ડૂબવા લાગી તે વખતે તોળલે ઉપદેશ દઈ જેસલને અંધકારમાંથી જ્યોતિમાં આણ્યો. ‘બેડલી તારી બૂડવા નહીં દઉં.’ એવું ભજનોમાં છે અને કલાપીનો સંવાદ આ પ્રસંગ પર જ રચાયેલો છે. એટલે સધીરના ગામમાં નહીં પણ અંજારમાં કપડાં ધોવાયેલાં એ વૃત્તાંત વધારે સાચો લાગે છે. અંજારમાં જેસલને સહુ કોઈ ઓળખતાં એટલે ફિટકાર પણ સખ્ત વરસેલો.&lt;br /&gt;
જેસલની ગમે તેવી દુષ્ટ દાનત હશે તે પવિત્ર સાધ્વી તોળલના પરતા આગળ જીવી શકી નહીં. દંતકથા કહે છે કે સાસટીઆ જોડે એણે સંસાર નહોતો માંડ્યો તેમ જેસલના મુવા પછી કબરમાંથી એનું પુનરુત્થાન થયું ત્યારે જેસલ અને તોળલનાં લગ્ન થયાં હતાં છતાં એક ભજનમાં તોળલ ગર્ભવતી હતી એવું કહેલું છે. ચોક્કસ માહિતીની ગેરહાજરીમાં નિર્ણય કરવો મુશ્કેલ છે. માર્ગીપંથમાં સ્વામીનો પાટ મંડાય છે અને અનુયાયીઓને ત્યારે એકત્ર થવાનું નિમંત્રણ હોય છે. ગુરુએ પાટમાં આવવા બે નિમંત્રણ મોકલ્યાં જેસલ અને તોળલને. તોળલના ગર્ભમાં બાળક હતું. એવી સ્થિતિમાં એ જાય તો બે આમંત્રણના બદલામાં ત્રણ જણ ગયાં ગણાય. આવી અજુગતી વાત સાધ્વીથી શી રીતે થઈ શકે? કટારી કાઢી પેટ ચીર્યું અને ગર્ભસ્થ બાળકને બહાર કાઢી પડોશણને ઉછેરવા સોંપ્યું. – એક દંતકથા એવી છે કે આ સાસટીઆ કાઠીનું બાળક હતું – પાટમાં હાજર રહેવા જતાં જતાં વગડામાં આવી પહોંચ્યાં. ત્યાં વાંદરી પોતાનું બચ્ચું પેટે વળગાડી ડાળીએ કૂદતી હતી. રખેને આથી બચ્ચું પડી જાય એવી દહેશતથી તોળીએ વાંદરીને શિખામણ દીધી. વાંદરીને વાચા થઈ અને ઊલટું તેણે તોળીને પોતાનાં આત્મજનો ત્યાગ કરવા માટે સખત ઠપકો આપ્યો અને ત્યાગ અઘટતો અને અધર્મી હતો એવી સમજ પાડી. તોળલને ભાન થયું. બાળક સાંભર્યું. સ્તનમાંથી દૂધની શેરો ફૂટવા માંડી. કરેલા કર્મ માટે વિમાસણ કરતી પાછી વળી અને પડોશણ પાસેથી પોતાનું બાળક લીધું. અને વિશ્વક્રમનો સનાતન નિયમ ભક્તોના સંબંધમાં પણ પ્રવર્તે છે એ સત્ય સિદ્ધ કર્યું.&lt;br /&gt;
તાર, ટપાલ કે આગગાડીના સાધન વિનાના જમાનામાં જાત્રા કરનારા સાધુઓ દેશના એક છેડાથી બીજા છેડા સુધી વર્તમાન પહોંચાડવાનું કામ કરતા હતા. એમના દ્વારા જેસલ અને તોળલની ભક્તિની કીર્તિ દેશપ્રદેશમાં ફેલાતી ચાલી. મારવાડમાં માલદે (માલદેવ) અને તેની રાણી રૂપાંદેને કાને એ કીર્તિ પહોંચી અને કચ્છ કાઠિયાવાડના ભક્તોને મળવા મારવાડના ભક્તો ઉત્કંઠ થયા.&lt;br /&gt;
માલદે અને રૂપાંદે માર્ગીપંથી હતાં. એ પંથમાં પહેલી રૂપાંદે અનુષ્ટિત થઈ હતી. મધરાતે મહેલ છોડી ગુરુની આજ્ઞાથી સ્વામીના પાટમાં હાજર રહેવા તે જતી. જાગતા રહેલા રાજાએ તેને જતાં જોઈ એટલે તેને વહેમ પડ્યો અને તરવાર લઈ પાછળ પાછળ ગયો. પોતાના ધર્મના જોરથી રૂપાંદેએ રાજાને પરચો બતાવ્યો અને પંથમાં દાખલ કર્યો. એક ભજનમાં આ બનાવની સવિસ્તર વિગતો છે.&lt;br /&gt;
રૂપાંદેનાં રચેલાં ભજનોને ભજનસંગ્રહોમાં સ્થાન મળેલું છે. આ મારવાડણે ગુજરાતીમાં ભજનો લખ્યાં હશે? જામનગરની રાજસ્થાનમાં પરણેલી ગુજરાતી રાજકુંવરીની હિંદી કવિતા મહિલા મૃદુ વાણીમાં સંઘરાઈ છે. તેમ મારવાડી ભાષા બોલનારી રાણી પોતાના પંથમાં મોટા ક્ષેત્રમાં આવી કેટલાંક વર્ષો રહી હોય અને બીજા સાધુઓ અથવા તોળલના સંગથી ગુજરાતીમાં ભજન કર્યાં હોય. એનાં ભજનોમાં એના ગુરુનું નામ ઉજમશી છે. આ ગુરુ વિશે કાંઈ મારા જાણવામાં આવ્યું નથી. &lt;br /&gt;
સ્વામીના પાટમાં જેસલ, તોળલ અને માલદે રૂપાંદે મળ્યાં અને અન્યોન્યની ભક્તિ જોઈ પ્રસન્ન થયાં. આ પ્રસંગથી તેઓ વચ્ચે જીવનજાન સખ્ય બંધાયું. પાટની મુદત વીત્યે સૌ સૌને પંથે પડ્યાં.&lt;br /&gt;
કેટલાંક વર્ષો સાથે ભજન કરતાં ફરતાં ફરતાં જેસલ અને તોળલ વિખૂટાં પડ્યાં. જેસલ અંજાર ગયો. ત્યાં અચાનક એનો દેહ પડ્યો. એના શબને દાટી તે પર કબર ચણવામાં આવી. કહે છે કે હજુ આ કબર અંજારમાં મોજૂદ છે.&lt;br /&gt;
આ દુઃખદાયક બનાવના ખબર તોળલને તેમ જ માલદે રૂપાંદેને પડ્યા. સાંભળતાં જ હૈયાફાટ સૌ રોવા લાગ્યાં. તોળલ અંજાર ભણી ચાલી નીકળી. મારવાડથી માલદે અને રૂપાંદે પણ તોળલને આશ્વાસન આપવા અંજાર આવ્યાં. તોળલે એકતારો લઈ ભજન ગાઈ કબરમાંથી જેસલને સજીવન ઊભો કર્યો. આ ભજન ભજનસંગ્રહોમાં છે. માલદે અને રૂપાંદેએ જેસલ અને તોળલનાં લગ્ન કર્યાં. દંતકથા બે પ્રકારની છે. લગ્ન પછી કબરમાં દંપતી સમાઈ ગયાં અને બીજી એવી છે કે સંસાર ઘણાં વર્ષો લગી ચલાવ્યો.&lt;br /&gt;
અદ્ભુત ભક્તિના રંગથી રંગેલા તોળલના જીવનની દંતકથા ચમત્કાર આદિ સંક્ષેપમાં લખ્યાં છે. ઐતિહાસિક સત્ય તારવી કાઢવું બની શક્યું નથી તેમ એમનાં સ્થળ–કાલનો નિર્ણય પણ થઈ શક્યો નથી. માર્ગીપંથના લખેલાં કે કંઠસ્થ દફતરોમાં આ ભક્તાણીના જીવનના પ્રસંગો નોંધાયેલા હોય અને એમની સહાનુભૂતિ મેળવી કોઈ એ પ્રસંગો પ્રગટ કરી એમાં સમાયેલા ચમત્કારનો નિરાસ કરે તો ગુજરાતી સાહિત્યની સેવા કરી ગણાશે.&lt;br /&gt;
મીરાંબાઈ આપણી આદ્ય અને શ્રેષ્ઠ કવિયાણી છતાં તળ ગુજરાતની આગેવાન ભક્તાણી તો તોળીરાણી જ. બન્નેમાં કવનમાં રહેલી ભક્તિ જુદા પ્રકારની છે. મીરાં કૃષ્ણભક્ત હોઈ ગોપીભાવે ભજન ગાઈ રહી છે. તોળીરાણીનાં પદોમાં પાપીઓને ચાબખા છે. અને સંસારનું વાસ્તવ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષને માર્ગે શી રીતે વળવું તેનો ઉપદેશ છે. ગોપીગીતોની મૃદુતા અને મીઠાશ જેટલી મીરાંની કવિતામાં છે તેટલી તોળલની કવિતામાં નથી પણ સાટે ચાબખાનો મરાદામી સૂર છે— પાપીના આત્માને હલમલાવી નાખતી ગર્જના છે. એ સાંભળવાનું ભાગ્ય કાઠિયાવાડ ભજનમંડળીમાં ગયા વિના પ્રાપ્ત નથી થતું છતાં ‘ગ્રામોફોનના રેકર્ડ’ મારફતે હવે ઘરેઘર એ સાંભળવાનો સુયોગ આવેલો છે.&lt;br /&gt;
માર્ગીપંથની બે ભક્તાણી તોળીરાણી અને રૂપાંદે ઉપરાંત લીલમબાઈ(લીળલદે) નામની રાઠોડ કુળમાં થઈ ગઈ છે. તેના સંબંધમાં કાંઈ મારા જાણવામાં નથી આવ્યું. આ લેખના પરિશિષ્ટમાં રૂપાંદે અને લીળલદેનાં ભજનોની વાનગી આપવામાં આવી છે. પ્રાચીન કાવ્યમાળા ને બૃહત્કાવ્યદોહનના પ્રકાશકો તથા રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળથી પ્રસિદ્ધિમાં આવેલી ગુર્જર કવિયાણીઓના વર્ગમાં તોળલ, રૂપાંદે અને લીળલદેને આ લેખથી સ્થાન મળશે તો કૃતકૃત્ય થઈશ.&lt;br /&gt;
કર્ણપરંપરાએ સાંભળેલી વાતોમાં દોષ પ્રવેશ પામ્યા હોય, પ્રસંગો ઉકેલવામાં ભૂલ થઈ હોય તો સુજ્ઞોને તે દૂર કરવા વિનંતી છે.&lt;br /&gt;
તા. ક. લેખ લખતી વેળા એકે ભજનસંગ્રહ મારી પાસે નહોતો તેમ તરતમાં મેળવી શકાય એવું નહોતું. એટલે ભજનોમાંથી નિર્દેશક ઉતારા અપાયા નથી તેમ કેટલીક વાતો અધૂરી અથવા ટૂંકામાં પતાવવી પડી છે. આ લેખથી કોઈ બંધુમાં જિજ્ઞાસા જાગશે અને વાસ્તવ હકીકત મેળવવા તે પ્રવૃત્ત થશે તો આ પ્રયાસમાં રહેલી ખામીઓનું સાટું વળી જશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;રૂપાંદેનાં ભજનો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|[૧]}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;રાઓળ માલા, આ દિલ ખોજો તો,&lt;br /&gt;
{{gap|6em}}માયલાની વણજુ હો જી,&lt;br /&gt;
સાચાં મારાં બેલીડાં હાં,&lt;br /&gt;
નિગ્યારો ધરમ પાળો હે જોગારામ સાધુ હો જી.&lt;br /&gt;
રાઓળ માલા, કોઈ દિન દાતા ને કોઈ દિન ભોગતા :&lt;br /&gt;
એવો કોઈ દિન બાલુડે વેશ રે...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા તાંત વિનાનાં તુંબા કેમ કરી બોલે હો જી,&lt;br /&gt;
એવા કંઠ રે વિનાનાં કેસાં ગાણાં રે...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા પારકાં રૂપ દેખી તમે,&lt;br /&gt;
{{gap|6em}}માંયલાને મત રે ડગાવો હો જી,&lt;br /&gt;
તમે જીતી રે બાજી જાશો હારી હો...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા પારકા ખેતરમાં તમે,&lt;br /&gt;
{{gap|6em}}બીજ મત વાવો હો જી,&lt;br /&gt;
તમે વાવ્યા રે પછી તો પસ્તાશો...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા ભખમ નારી વાંકો સંગ મત કરનાં હો જી,&lt;br /&gt;
એને હાથ રે જોડી અળગા રે’ના...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા જ્ઞાન હીણાને તમે ગુરુ મત કરજો હો જી,&lt;br /&gt;
એવા સુરતા વિનાના કેવા ચેલા... રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા ઉગમશીની ચેલી,&lt;br /&gt;
{{gap|6em}}રાણી રૂપાંદે બોલ્યાં હો જી,&lt;br /&gt;
મારાં સાધુડાં અમરાપુરમાં માલે...રાઓળ માલા ૦&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|[ર]}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ જી,&lt;br /&gt;
મારા વિશ્વાસી નરને મા વેડો મારા રાજ રે. નર રે ૦&lt;br /&gt;
હંસલા ને બગલો બે એક જ વરણાં રે,&lt;br /&gt;
એ તો બેઠા સરોવરીઆની પાળ, મારા રાજ રે,&lt;br /&gt;
હંસલાને જોઈએ સાચાં મોતીડાનો ચારો જી,&lt;br /&gt;
ઓલો બગલો બેઠો રે દુવાસ મારા રાજ રે નર રે ૦&lt;br /&gt;
ધણી રે નામનો પાટ મંડાશે રે જી,&lt;br /&gt;
જળહળ જોત્યું વરસાશે મારા રાજ રે...નર રે ૦&lt;br /&gt;
સાચખોટ બોલે ને ચાલે બજારમાં રે હો જી,&lt;br /&gt;
એ તો કુડીઆં મંદિરીઆમાં માણે મારા રાજ રે...નર રે ૦&lt;br /&gt;
ઉગમશીની ચેલી રૂપાંદે રાણી બોલીઆં રે હો જી,&lt;br /&gt;
મારા સાધુડા તો અમરપુરામાં માલે. મારા રાજ રે...નર રે.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;લીળલદેનાં ભજનો&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{center|[૧]}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;એવાં પુરાં રે મળે તો રાવો રેડીએ હો જી,&lt;br /&gt;
એવાં અધૂરીઆંએ જાય આપણો તોલ, મારી બેનું રે. એવાં૦&lt;br /&gt;
એ તો ખાડા ખાબોચિયાની દેડકડી હો જી,&lt;br /&gt;
એ શું જાણે સમુદરીઆની લેર મારી બેનું રે. એવાં૦&lt;br /&gt;
એવી કૂવાની છાયા તો કૂવામાં વીસમી જી,&lt;br /&gt;
એવી તસ્કરની મા ખૂણે બેસી રૂએ. મારી બાયું રે, એવાં૦&lt;br /&gt;
એવા દુરિજન ને મોઢે શાહીયું ઢળે હો જી.&lt;br /&gt;
મારા હરિજનને મુખડે વરસે નૂર, મારી બાયું રે. એવાં૦&lt;br /&gt;
એવા દુરિજન આડા ડુંગર દવ જલે હો જી.&lt;br /&gt;
એવા હરિજનને વસીએ મુખોમુખ, મારી બાયું રે. એવાં૦&lt;br /&gt;
એવા રાઠોડ કુળમાં લીળલદે બોલીયાં રે,&lt;br /&gt;
દેજો દેજો સાધુ ચરણમાં વાસ, મારી બાયું રે એવાં૦&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|[૨]}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;હાં હાં રે ગુરુજી સતની વેલડીએ,&lt;br /&gt;
{{gap|3em}}આવાં રૂડાં દતફલ રે લાગ્યાં રે હાં. સતની.&lt;br /&gt;
બીજ વરતી, બીજ જાણી, વાવી છે વિશ્વાસ વાણી.&lt;br /&gt;
કરણીના ક્યારા, વાયાં પ્રેમહુંદાં પાણી. ગુરુજી૦&lt;br /&gt;
ઊગી છે અમરવેલી, જેના મૂળ તો પીયાળે પેલી,&lt;br /&gt;
ફાલીને કાંઈ ફૂલી નિજીયા ધરમની એ વેલી. ગુરુજી૦&lt;br /&gt;
પ્રથમ તો પ્રલાદે જાણી, હરિચંદ્ર ને તારા રાણી.&lt;br /&gt;
પાંચ પાંડવ દ્રૌપદી, રાજા બળને ઓળખાણી. ગુરુજી૦&lt;br /&gt;
ભાઈલાનાં ભાગ્ય જાગ્યાં, વેલડીએ દતફલ લાગ્યાં,&lt;br /&gt;
મૂળનાં કાંઈ માલે, અમરાપરથી આઘાં. ગુરુજી૦&lt;br /&gt;
ભાઈલા તમે ભાવ રાખો, ડાળ મેલી ફળ ચાખો,&lt;br /&gt;
બોલીયાં લીળલદે, ગુરુ ચરણમાં રાખો. ગુરુજી૦&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ખવાસણ&lt;br /&gt;
|next = તેજસિંહ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B3%E0%AA%B2_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80&amp;diff=111403</id>
		<title>રણજિતરામ ગદ્યસંચય – ૧/તોળલ અથવા તોળીરાણી</title>
		<link rel="alternate" type="text/html" href="https://linod.it.idolcodesource.in/index.php?title=%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%97%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9A%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B3%E0%AA%B2_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80&amp;diff=111403"/>
		<updated>2026-05-28T04:42:08Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|તોળલ અથવા તોળીરાણી}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[કલાપીનો ‘જેસલ અને તોળલ’ વાળો સંવાદ વાંચવામાં આવ્યો ત્યારથી જ તોળલ વિશે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી અને તે તૃપ્ત કરવા મારા કાઠિયાવાડી મિત્રો સમર્થ નીવડ્યા નહોતા. વિભાવરી સ્વપ્ન, સ્વરૂપ પુષ્પાંજલિ, કલાપીનો વિરહ આદિ કાવ્યોના કર્તા મહુવાના મસ્ત કવિ અને રાજવી કલાપીના મિત્ર ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી પ્રો. ગજ્જરના દર્શનાર્થે મુંબઈ આવેલા ત્યારે એમની મુલાકાત થઈ. એ પ્રસંગે તોળલ વિશે વાત કહેતા એમણે અદ્ભુત રસથી ભરેલા એ ભક્તાણીની જીવનકથાના કેટલાક પ્રસંગો કહ્યા. ત્યાર પછી બે-ત્રણ ભજનસંગ્રહો મારા વાંચવામાં આવ્યા. આ સંગ્રહોમાં તોળીરાણીનાં ભજનો ઉપરાંત એના વિશે લખાયેલાં ભજનો હતાં. મસ્ત કવિએ વર્ણવેલા ઘણાખરા પ્રસંગો વિશે ઉલ્લેખ આ બધાં ભજનોમાંથી મળ્યો છતાં વિશેષ અને ચોક્કસ જાણવાની ઇચ્છાથી ‘ગુજરાતી’ પત્રમાં જેસલ અને તોળલના જીવન વિશે પ્રશ્નાવલીભર્યું ચર્ચાપત્ર લખ્યું પણ એ પ્રશ્નો આજ દિન લગી અનુત્તર રહ્યા. આ પરથી મારા જાણવામાં આવેલી હકીકત પ્રગટ કરી વિશેષ શોધખોળ તરફ લક્ષ ખેંચવા વૃત્તિ થઈ છે. ગયે વર્ષે ‘ગુજરાતી’ના દિવાળીના અંકમાં એક લેખકે તોળીરાણીનાં ભજનો છપાવ્યાં છે અને ભક્તાણીના જીવન વિશે કાંઈ જાણવામાં ન હોવાથી અફસોસ કર્યો છે.]&lt;br /&gt;
કાઠિયાવાડની એક નાટક કંપની જામનગર રાજકોટમાં જેસલ તોળલનો ખેલ કરતી હતી તે જોવા જનાર એક મિત્ર પાસેથી નાટકનાં ગાયન અને સારની ચોપડી મળી. મસ્તકવિએ વર્ણવેલા પ્રસંગો ઉપરાંત નાટકમાં ઘણા નવા પ્રસંગો હતા. પણ આ પ્રસંગો પરંપરાગત હતા કે નાટકના સંવિધાને ઉપજાવ્યા હતા તેનો ખુલાસો મેળવી શકાયો નથી. મારી શોધખોળ ચાલતી હતી તે દરમ્યાન મસ્તકવિના કનીયસ ભ્રાતા, શિવાજી અને ઝેબુન્નિસાના કર્તા અને કાઠિયાવાડના કંઠસ્થ અદ્ભુત સાહિત્યનો સંગ્રહ કરનાર હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીનો સમાગમ થયો. પોતાના સંગ્રહમાંથી એમણે માર્ગીપંથની ત્રણ ભક્તાણીઓ — તોળલ, રૂપાંદે અને લીલમબાઈનાં ભજનો પ્રસિદ્ધિ માટે મારે સ્વાધીન કર્યાં.&lt;br /&gt;
તોળીરાણી માર્ગપંથની ભક્તાણી છે. આ પંથ કાઠિયાવાડમાં સારી રીતે જૂના વખતથી પ્રચલિત છે. હિંદુ નાતો મુસલમાન પાદરીઓના ઉપદેશથી ઇસ્લામ સ્વીકારી ખોજા કોમ બની છે તે નાતો માર્ગીપંથી હતી એવું ખોજાઓમાં હજુ લગી રહેલા કેટલાક રિવાજો પરથી પ્રતીત થાય છે. મર્હુમ સચેદીના નાનજીઆણી કૃત ખોજાઓના વૃત્તાંતમાં તેમ જ ખોજાઓ વિશે છપાયેલાં બીજાં પુસ્તકોમાં આ હકીકત સ્પષ્ટતઃ વર્ણવેલી છે. એ પંથનું મોટું મંદિર વઢવાણ પાસે દૂધરેજમાં છે, તેમ કાઠિયાવાડનાં ઘણાં નાનાંમોટાં ગામોમાં એના મંદિર અને ભક્તો છે. એ સંપ્રદાયનાં ભજનો ગાનારા બાવાઓ અને રામકીઓની મંડળી કાઠિયાવાડમાં પ્રવાસ કરનારાઓએ જોઈ હશે. વર્ષમાં અમુક અમુક તહેવારે અમુક અમુક સ્થળે એ પંથના ભક્તોનો મેળો ભરાય છે ત્યારે ભજનોની રમઝટ જબરી ચાલે છે અને ભક્તિમાં ગળી ગયેલા ઘણા ભક્તો ત્યાં આવે છે, આપણા પ્રાચીન જીવનનું આ સ્વરૂપ જોવા હું ભાગ્યશાળી નથી થયો એટલે વિસ્તારથી તેનું આલેખન કરી શકતો નથી.&lt;br /&gt;
પોતાના પંથમાં તોળીરાણીની પ્રતિષ્ઠા ઊંચી છે. આદ્યશક્તિનો તે અવતાર લેખાય છે. તેનો જન્મ અદ્ભુત રીતે થયેલો મનાય છે. કાઠી કુળમાં તે ઊછરી હતી. ઉમ્મરે આવતાં તેનાં લગ્ન સાસટીઆ કાઠી સાથે થયાં હતાં. દંતકથા એવી છે કે દેવી હોવાથી માનવી સાથે તેણે સંસાર નહોતો માંડ્યો. પોતાના પ્રભાવથી પોતાના વાસ્તવ સ્વરૂપની સાસટીઆને પિછાન કરાવી તેને પોતાને અનુકૂળ કર્યો હતો. માર્ગીપંથમાં એનો પ્રવેશ શાથી થયો? એના માબાપથી કે પતિથી! એનો ગુરુ કોણ હતો?&lt;br /&gt;
પોતાના સંપ્રદાયમાં તોળલ એટલી બધી ગળી ગઈ હતી કે હંમેશ સાસટીઆને ત્યાં ભજન થતાં અને વરવહુ પૂરી મસ્તીથી તેમાં રમઝટ બોલાવતાં. સાસટીઓ પણ તોળલના સહવાસે ભગત બની ગયો હતો. ભજનસંગ્રહોમાં એનાં બનાવેલાં ભજનો છે.&lt;br /&gt;
કચ્છના અંજાર નગરમાં જેસલ નામનો જાડેજો રહેતો હતો. ભાઈઓ ભાઈને તકરાર થવાથી અથવા ગરાસ ન હોવાથી તે લૂંટવાનો ધંધો કરતો.. ‘જેસલ જગનો ચોરટો‘ એવું વચન ભજનોમાં છે. ‘લૂંટી કુંવારી જાન, મોડબંધા વર માર્યા, પાણિઆરીની હારો લૂંટી‘ વગેરે વગેરે આ લૂંટારાનાં ત્રાસદાયક પરાક્રમો (?) હતાં. કહેવાય છે કે એના જુલ્મથી હેરાન થયેલા વટેમાર્ગુએ એને મહેણું માર્યું, ‘અશક્ત, નિરાધાર વટેમાર્ગુઓને લૂંટી શું મોટું પરાક્રમ કરે છે? સાસટીઆ કાઠીની તોળલ ઘોડી લાવે ત્યારે ખરો.‘ વજ્રપાત થયો હોય તેમ જેસલ ચમક્યો અને વટેમાર્ગુઓને કનડવાનું ત્યજી તોળલ લેવા કાઠિયાવાડને કિનારે ઊતર્યો. &lt;br /&gt;
ઘોડા ઉછેરવામાં કુશળ કાઠીઓની પોતાના જાનવર પરની મમતા મશહૂર છે, માથું જાય, ઘરબાર પાયમાલ થઈ જાય પણ કાઠી પોતાની ઘોડી કોઈને આપે નહિ. એ એનો શ્વાસ ને પ્રાણ છે, ‘કાઠિયાવાડના બહારવટિયા’ નામના પુસ્તકમાં મી. કીનકેડે ઘોડા વિશેના દુહાનું ઇંગ્લિશ ભાષાંતર આપ્યું છે તે પરથી એ વહાલ અને મમતાનો અનુભવ થશે.&lt;br /&gt;
લૂંટારા જેસલે ઘોડી ચોરી લેવાનો સંકલ્પ કર્યો. કાઠીને ગામ ગયો ત્યારે ખબર પડી કે ભજનમંડળી જામી છે. એકતારાની ધૂન લાગી રહેલી અને તોળલ તથા સાસટીયાની સાથે ભક્તમંડળ ભજન ગાવામાં તલ્લીન થયેલું. શ્રોતાઓ પણ ભજન સાથે એકતાન થઈ ચિત્રવત્ બેઠેલા હતા. પાપી ચોર પર આ ભજનોની જરાયે અસર થઈ નહિ. ઊલટું પોતાનું કામ કાઢી લેવાની સંધી ઠીક હાથ આવી છે એમ માની વંડી ઠેકી ઘોડી બાંધી હતી ત્યાં ગયો અને દોરડું છોડતાં અગાઉ તેને પંપાળવા લાગ્યો. પણ વફાદાર ઘોડી ચેતી ગઈ. પોતાના માલિકને ચોરની હાજરી જણાવવા ખૂંખારી તોફાન કરવા લાગી. તોફાન કરતાં ખીલો નીકળી ગયો. આથી જેસલ ગભરાયો; કારણ કે ઘોડીના તોફાનથી ભજનમાં પણ ભંગ પડ્યો હતો અને સાસટીઓ તોફાનનું કારણ તપાસવા ઊભો હતો. પકડાઈ જવાની દહેશતે જેસલ ખંડના ભોરમાં સંતાઈ ગયો. સાસટીએ બહાર આવી જોયું તો કાંઈ જણાયું નહિ પણ ઘોડી છૂટી ગયેલી લાગી. ઊખડી ગયેલો ખીલો મજબૂત દાટવા ખંડની અંદર ખોદ્યો. આ સ્થળે જેસલની હથેળી હતી. અને તે સોંસરો ખીલો જમીનમાં દાટ્યો. હથેળી સોંસરો ખીલો જવાથી થયેલી વેદના થઈ જ ન હોય એવો જેસલ ખમીર થઈ સંતાઈ રહ્યો અને ભજનમાં લીન થયેલાને પણ હથેળીને લીધે વધારે જોર કરવું પડ્યું કે ઘાસ લોહીયાળ થયું તેની ખબર પડી નહીં. કામથી પરવારી પાછો ભજનમાં સામીલ થઈ ગયો. ઘોડી અત્યારે હાથ આવે એમ નથી એવું જોઈ રાહ જોતો વેદના ખમતો જેસલ ઘાસમાં જ લપાઈ રહ્યો.&lt;br /&gt;
ભજન પૂરું થયું. આરતી થઈ. પ્રસાદ વહેંચાવા લાગ્યો. આખરે તોળીની થાળીમાં એક માણસને માટે પ્રસાદ વધ્યો.&lt;br /&gt;
‘બધા ભગતોને પ્રસાદ વહેંચ્યા છતાં વધ્યો કેમ? આટલામાં કોઈ હોવું જોઈએ.’ તોળલ બોલી.&lt;br /&gt;
‘ચાલો આપણે દીવો લઈ બહાર શોધીએ’ સાસટીઆએ કહ્યું.&lt;br /&gt;
તપાસ કરતાં ખંડમાંથી લોહીની નીક વહેતી લાગી એટલે પડ ખસેડતાં છૂપાઈ રહેલો જેસલ જણાયો. તેની હથેળીમાંથી ખૂંટો કાઢી તેને બહાર આણ્યો. તોળલે પાણીથી તેની હથેળી ધોઈ પછેડો ફાડી લાંબા ચીરાથી પાટો બાંધ્યો અને પ્રસાદ આરોગવા દીધો. લોહી જવાથી અધમુવો થયેલો જાડેજો સારવારથી તાજો થયો એટલે સાસટીએ પૂછ્યું, ‘ભાઈ તમે ક્યાંથી આવ્યા છો? અને ખંડમાં કેમ સંતાઈ રહ્યા હતા?’&lt;br /&gt;
આગતાસ્વાગતાથી નરમ થયેલો નિર્ઘૃણ લૂંટારો અવનવા જ અનુભવમાં ઊતરી ગયો હતો. મનુષ્યની નૈસર્ગિક સાધુતા એનામાં જાગૃત થઈ હતી એટલે પોતાના આગમનનું પ્રયોજન અને વંડીની અંદર બનેલો બનાવ વગર સંકોચે કહી દીધાં. આ સાંભળી ઉદાર અને મહાનુભાવ તોળલે ઘોડી આપી દેવાનું પોતાના સ્વામીને કહ્યું. સાસટીઆએ તરત જ ઘોડીને પલાણ વગેરેથી સજ્જ કરી જેસલને સોંપી. જેસલ આ જોઈને દંગ થઈ ગયો. ઘોડી અપાવનાર કાઠિયાણી તરફ જોઈ રહ્યો. ઘોડી પર બેસી વંડી બહાર ગયો તોપણ તોળલ સામું જોયા જ કરે. આથી તોળલને વહેમ પડ્યો કે હજુ એના મનમાં કાંઈ રહી ગયું છે. પતિ પાસે હાક મરાવી જેસલને પાછો બોલાવ્યો. પૂછ્યું કે ‘ભાઈ હજુ શું જોઈએ છે?’ જરા પણ લજ્જા કે સંકોચ વગર જેસલે માગણી કરી ‘કાઠી! ઘોડી અપાવનાર આ સાધ્વી બાઈ મને આપ.’ સાંભળતાં જ કાઠીનાં રૂવાડાં ઊભાં થયાં અને જેસલ સાથે જવા ઘોડી પર ચઢી.&lt;br /&gt;
માર્ગીપંથનાં અનુયાયીઓ હોવાથી સાસટીઆએ એને જવા દીધી? કે એને દેવી તરીકે માનતો હોવાથી? કે દેવી તરીકે જઈ પાપીનો ઉદ્ધાર કરે એવા હેતુથી?&lt;br /&gt;
કાઠિયાવાડમાં આને મળતી દુહાબદ્ધ એક વાત છે. રા. રા. હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીના સંગ્રહમાંથી એનો સાર આપું છું. એક બાઈનાં લગ્ન ઢોલરા નામના શખ્સ સાથે થયાં પણ નાનપણથી દેવરા નામના શખ્સનાં ગુણ અને પરાક્રમ સાંભળેલાં હોવાથી એનું દિલ દેવરા પર લાગ્યું હતું. દેવરા સાથે નહિ પણ ઢોલરા સાથે લગ્ન થયાં અને સાસુ સાથે સાસરે જવા નીકળી. માર્ગમાં રાત પડી જવાથી વિસામો કરવો પડ્યો. ગામમાં મહેમાનગીરી કરનાર આબરુદાર મશહૂર ગૃહસ્થ દેવરો કરીને હતો. સાસુ-વહુ તેને ત્યાં જઈ ઊતર્યાં. વહુના હૃદયમાં વસનાર દેવરાનાં તેને સાક્ષાત્ દર્શન થયાં. એટલું જ નહિ પણ સાંભળેલા ગુણ નજરે પ્રત્યક્ષ નિહાળ્યા, હૃદયમાં નિગૂઢ રહેલો સ્નેહ ઊભરાઈ ગયો પણ હૃદય દોરે ત્યાં જવા તે અશક્ત હતી. પ્હો ફાટ્યે હૃદય ત્યાં મૂકી સાસુ સાથે દેહ લઈ તે ચાલી અને બીજે દી સવારે સાસરે પહોંચી. સાસુએ બેડું આપી પાદરેથી પાણી સીંચવા મોકલી. સવારની સાંજ થઈ પણ વહુ આવી નહિ તેથી ગભરાયેલી સાસુએ દીકરાને વહુની ભાળ કાઢવા મોકલ્યો. પાદરે જઈ જુએ છે તો એક દિશા તરફ નજરયોગ સાધી વહુ કૂવાકાંઠે ઊભી છે, હાથમાં સીંચણીઉં છે, ઘડો વગર ભરાયે કૂવાના પોલાણની હવામાં અદ્ધર તરે છે અને થાળા પર ખાલી હાંડા અને ઉઢણી હતાં. ચતુર ચેતી ગયો કે વહુને હજુ પિયર સાંભરે છે અને તેની વાટ ભણી તેની તરસી નજર વળી રહી છે, વહાલથી પાસે જઈ વહુને સમાધિમાંથી કુનેહથી જગાડી અને પાણી ભરાવી ઘેર તેડી આવ્યો. રાત્રે શયનખંડમાં પતિપત્ની ભેગાં થયાં ત્યારે &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઢોલા મ ઢાળ્ય ઢોલીઓ, ઢોલે  મન ઢળે નૈ;&lt;br /&gt;
મઝાલ મારા કપડની કોર, દુઃખ માનશે દેવરો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આલમમશહૂર, પરોપકારી અને રસિક દેવરાનું નામ સાંભળતાં જ ઉચ્ચ તુખમ પ્રકાશી નીકળે છે. પરણીઅત પાસેથી કળથી તેના સ્નેહની કહાણી કઢાવે છે. પોતાને પ્રતીતિ થાય છે કે બાઈનું દિલ દેવરા સાથે લાગ્યું છે. જોરજુલમથી હવે એને પોતાની પત્ની કરવામાં સાર નથી પણ ઊલટું પાપ છે. બન્નેનો સંસાર કડવો અને દુઃખી નીવડવાનો. માટે બહેતર છે કે પોતાનું ગમે તેમ થાય પણ બાઈને સુખી કરવી. તરત જ ગાડું જોડી બાઈને દેવરાને ગામ લઈ જાય છે અને બનેલી હકીકત કહી બાઈને તેના વલ્લભને સ્વાધીન કરે છે. કૃતજ્ઞ દેવરો પોતાની બે બહેનો ઢોલરા સાથે પરણાવે છે અને ધામધૂમથી વિદાય કરે છે. આ વખતે દેવરાની મા પૂછે છે, ‘ઢોલરાએ તને એક બાયડી આપી અને તેં એને બે કેમ આપી?’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીકરીયું દેવાય, વવું દેવાય નૈ;&lt;br /&gt;
એક સાટે બે જાય, તોય ઢાળ  માગે ઢોલરો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ સંગ્રહમાંથી બીજી વાતનો સારાંશ ઉતારીએ. હાટીના માળિયાનો પીઠો હાટી અને ભંડારિયાનો ભોજો કામળીઓ જબરા લૂંટારા હતા. બન્નેએ એકબીજાને જોયા નહોતા છતાં મરદાનીનાં પરાક્રમથી દોસ્તી બન્ને વચ્ચે હતી. એક વખત કામળીઓ મારણ કરવા ગયેલો અને ભંડારિયા પાસેથી આઘેથી લૂંટ કરી પાછો વળતો જતો હતો ત્યાં દોસ્ત સાંભર્યો એટલે ગામમાં પૂછતો મળવા જતો હતો ત્યાં પાદરે વાવડ મળ્યા કે ભોજો બહારગામ ગયેલો છે. આ પરથી તે પોતાને રસ્તે પડ્યો. પણ તેના આવ્યાની ખબર ભોજાની વહુ વેજલને થતાં જ તેણે પીઠાને પાછો વાળી પોતાનો મહેમાન કરી આગતાસ્વાગતા કરી. બે-ત્રણ દિવસ રાહ જોઈ પણ ભોજો આવ્યો નહિ એટલે પીઠો પોતાને વતન ગયો. મારણ પરથી ભોજો આવ્યો ત્યારે હલકા લોકોએ પીઠા અને વેજલ માટે તેના દિલમાં સંશય ઉપજાવ્યો. આથી ખીજવાઈ વેજલને ઘર બહાર કાઢી મૂકી અને મહેણે મહેણે તેને ખિન્ન કરી દીધી.&lt;br /&gt;
વેજલ પહેલાં તો ગભરાઈ પણ વિચાર કરી મૂંઝવણમાંથી અને બેઆબરૂમાંથી રસ્તો કાઢ્યો. પીઠાની પરોણાચાકરી કરવામાં પોતે બદનામ થઈ તો હવે પીઠાના જ ઘરમાં જઈ બેસવું અને ભોજાની સામી આબરૂ લેવી એવો નિશ્ચય કરી તે માળિયા ગઈ. પાદર પરથી બેડું ભરી ચોરે પીઠો બેઠો હતો ત્યાં ગઈ અને&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઉજમમાંથી આવતી, મેં કાંઈ વાટે નથી કરી વેલ, &lt;br /&gt;
હાડી તું ઉતાર ને હેલ, નૈં તો પગમાંથી નીકળ પીઠીઆ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પીઠો વિમાસણમાં પડી જાય છે. શું કરવું? હેલ ઉતારે તો કામળીઆ જેવા બહાદુર મર્દ સાથે નાહકનું વેર થાય છે. નથી ઉતારતો તો વેજલના પગમાંથી નીકળી જવાની ગેરઆબરૂ થાય છે. છેવટે ગામના આગેવાનોની સલાહથી હેલ ઉતારે છે. જ્યારે કામળીઆને આ ખબર પડે છે ત્યારે એનાં રુંવેરુંવાં ઊભાં થાય છે. અને પોતાના એક સગાને સાથે લઈ બાવાનો વેશ લઈ માળિયે વેર લેવા આવે છે. પણ ત્યાં પીઠાના હૃદયની ઉચ્ચતા, ઉદારતા, વીરતા, મમતા જોઈ પોતાનું વેર ભૂલી જાય છે અને હતી તેથી વધારે જબરી વજ્રલેપવાળી દોસ્તી કરી પીઠાને ત્યાં જઈ વેજલના હાથથી બન્ને જમે છે.&lt;br /&gt;
આડકથા લંબાય છે છતાં બીજા બે પ્રસંગોનો સંક્ષેપમાં ઉલ્લેખ કરશું. હરણને શીંગડેથી રાંકા વાણિયાએ બાંધેલા વરસાદને છોડાવી પાછા વળતાં વરસાદમાં મડું થઈ ગયેલા એભલવાળાની સારવાર કરવા માટે સાંઈ પર એના ધણીએ હલકા લોકોની શીખવણીથી વહેમ ગયેલો ત્યારે પોતાનું સતીત્વ જણાવવા સાંઈએ પોતાના પર આરોપ મૂકનારને પત નીકળવાનો શાપ દીધો. સતીનો શાપ ફળ્યો અને સાંઈનો ધણી પતીઅલ થયો. એભલવાળાના મોટા કુંવરના લોહીથી સાંઈ એનો રોગ ટાળે છે. (જુઓ હરગોવિંદ પ્રેમશંકરનું કાવ્ય ‘એભલવાળો અને સાંઈ.’)&lt;br /&gt;
બે જીવજાન દોસ્ત હતા. એક દોસ્ત બીજાને મળવા ગયો. ત્યાં દોસ્ત અને તેની વહુએ તેની સારી પરોણાચાકરી કરી. થોડા દિવસ રહી તે પોતાને વતન ગયો. વળાવી પાછાં આવ્યાં ને ધણીધણિયાણી સૂઈ ગયાં. મિત્ર જવાથી પુરુષને ઊંઘ નહોતી આવતી ત્યાં સ્ત્રીએ સ્વપ્નમાં લવતી સાંભળી અને લવારામાં મિત્રનું નામ સાંભળ્યું. પુરુષના વહેમી દિલને લાગ્યું કે બાઈનું ચિત્ત મારા મિત્ર પર આશક થયું છે માટે સવારે એને મિત્રને ગામ વળાવીશ તો સુખી થશે. બાઈ પતિવ્રતા હતી અને એના દિલમાં કશું નહોતું એટલે જવાની આનાકાની કરી. કૂતરા તરીકે ઘરની આસપાસ ભટકવાની આજીજી કરી પણ પુરુષે માન્યું નહિ અને બળાત્કારે મિત્રના ગામને પાદરે એને મૂકી આવ્યો. નિરુપાયે પતિના મિત્રને શરણે જઈ બનેલી વીતક કહે છે. બહેન તરીકે તેને પોતાને ત્યાં નિવાસ આપે છે અને જ્યારે તેના પતિની ભૂલ ભાંગે છે ત્યારે વીરપસલી સાથે તેને પાછી સોંપે છે.&lt;br /&gt;
આ ભિન્ન ભિન્ન પ્રસંગો પરથી કાઠિયાવાડમાં સ્ત્રીપુરુષનાં — પરણેલ સ્ત્રીપુરુષના સંબંધોમાં થતા ફેરફારોનું દર્શન થશે. જેસલની સાથે તોળલ ગઈ તે એ માર્ગીયપંથનો જ પ્રતાપ? કે આવી ભાવનાઓનો પણ ખરો?&lt;br /&gt;
જેસલ અને તોળલે પલાણ કર્યું છે. કાઠીની ઘોડી પૂરપાટ જાય છે. જેસલના દિલમાં નાનાવિધની ઘડભાંગ થાય છે પણ તોળલ સ્વસ્થ અને અંતિમ ઉદ્દેશની સાધના માટે તૈયાર છે. એક ગામ જઈ પહોંચ્યાં ત્યાં ઉતારો કર્યો અને જેસલ વાણિયાની દુકાને સીધું લેવા ગયો. વાણિયાનું નામ સધીર હતું. જેસલ પાસે પાઈ પણ નહોતી એટલે સીધું ઉધાર માગ્યું. વાણિયે ઉધાર આપવા ચોખ્ખી ના પાડી પણ તે રાતે તોળલને પોતાને ત્યાં મૂકી જાય તો સીધું આપવા કહ્યું. માથાનો ફરેલ જગનો ચોરટો જેસલ તોળલની સાથે ઘોડી પર આવવાથી જ બદલાઈ ગયો હતો નહિતર સધીરનું માથું એના ધડ પર રહેત ખરું કે? ઉતારે જઈ જેસલે તોળલને સધીરની દુષ્ટ કીમત કહી સંભળાવી. પ્રસન્ન ચિત્તથી તોળલે રાત્રે જેસલની સાથે જવા હા પાડી. સીધું આવ્યું અને બન્ને જમ્યાં. રાત પડીને વચન પ્રમાણે જવાનો વખત થયો. પણ બહાર વરસાદ ધોધો વરસતો હતો અને રસ્તામાં કાદવ થઈ ગયો હતો. તોળલની પાની ગંદી થવાની દહેશત થઈ પણ અનુરક્ત જેસલ તેને પોતાને ખભે બેસાડી વાણિયાને હાટે તેડી ગયો. બૂમ સાંભળી વાણિયાએ કમાડ ઉઘાડ્યાં ને તોળલને જોઈ વિસ્મય પામ્યો. અંદર આવકાર આપતાં બોલ્યો ‘ઊભાં રહો, પાણી લાવું પગ ધોવા, નહીં તો ગારાથી ચાદર બગડશે.’ તોળલે પોતાના પગ દીવાના પ્રકાશમાં ધરી ચોખ્ખા બતાવ્યા. કારણ પૂછતાં જેસલને ખભે બેસી આવેલી જણાઈ. આ સાંભળતાં આખી આલમને લૂટનાર જેસલની ખાંધ પર આવેલી તેજસ્વી પ્રતાપી સ્ત્રીને જોતાં જ વાણિયાનો વિકાર નાશ પામ્યો અને ઉચ્ચ જીવનનાં કિરણો ફૂટ્યાં. બન્નેને તે પગે લાગ્યો અને પોતાના નીચ હવસ માટે લળી લળી માફી માંગી. ઉદારતાથી તોળલે એનો દોષ માફ કર્યો. વાણિયે તેઓ તે ગામમાં રહે ત્યાં લગી પોતાના મહેમાન થવા વિનંતિ કરી.&lt;br /&gt;
ભજનો ગાય છે કે તોળલે ત્રણ નર તારીયા, સાસટીયા અને સધીરના ઉદ્ધારની કથા આવી ગઈ. હવે બાકી રહ્યો ઉદ્ધાર જેસલનો. સધીરની અનીતિ શેહ ખાઈ નીતિ જયવંત નીવડી જોઈને જેસલમાં રહ્યું સહ્યું પાપ સરવા લાગ્યું. તોળલ તરફ પૂજ્યભાવ વધતો ગયો અને તેનો આજ્ઞાધીન સેવક જેવો થઈ ગયો. એના પાપનું પૂરેપૂરું પ્રાયશ્ચિત થયું નથી એમ જાણી તોળલે એને પોતાનાં મેલાં લૂગડાં ધોવા ગામને તળાવે મોકલ્યો. સારા અંજારમાં રાડ પડાવનાર મરદ જાડેજો એક સ્ત્રીનાં કપડાં ધોવા ગામમાં થઈને ચાલ્યો. ગામમાં જેસલ અને તોળલના આગમનની ખબર પડી ગઈ હતી. જેના જેના ઘર આગળથી જાય તે તે આવું હલકું કામ કરવા માટે એને ફિટકાર દે. ફિટકાર સાંભળી એનું મન ડગમગતું તો પાછો સંકલ્પ દૃઢ કરી લોકવાયકાની દરકાર કર્યા વિના ચાલ્યો જતો. ગામને બીજે છેડે જતાં મોચી ઓળ આવી. ત્યાંના એક મોચીએ ઉદ્ગાર કાઢ્યો ‘માળો જેસલ કેવો ભગત છે! એનું હુંપણું તદ્દન મરી ગયું છે. નહીંતર બાયડીનાં કપડાં ધોવા ન જાય.’ આ સાંભળી જેસલ ફૂલ્યો અને પોતાની કદર કરનાર દુનિયામાં એક જીવ છે એવું જોઈ એ સંતોષ પામ્યો. તળાવને કાંઠે જઈ ગાંસડો છોડી જુએ તો લૂગડાં ધોબીએ ધોયાં હોય એવાં નર્યાં ઊજળાં થઈ ગયેલાં. એક લૂગડા પર ફક્ત ડાઘ હતો. જેસલનો અવતાર આ જોઈ ફરી ગયો. પાપથી ભરેલું જૂનું વસ્ત્ર એના દેહ પરથી સરી પડ્યું. અને પુણ્યની ઉજ્જવળ કાંતિ સ્ફૂરી રહી. ગાંસડી ફરી બાંધી ઉતારે જઈ તોળલને પગે પડ્યો અને ભક્તાણીનો આશીર્વાદ લીધો. કપડાં ઊજળાં થવાનું અને ડાઘ રહેવાનું કારણ પૂછતાં નિન્દાથી ડાઘ અને મેલ જવાની અને ફુલાશથી ડાઘ રહેવાની સમજણ તોળલે પાડી. આ બનાવ વસ્તુતઃ બન્યો હશે? કે આધ્યાત્મિક સત્યની પ્રતીતિ કરાવવા રૂપક કહેવાયેલું?&lt;br /&gt;
લૂંટારો હવે નૈષ્ટિક ભક્ત થયો. તોળલ અને એ ભજનો ગાતાં ગાતાં ગામેગામ ફરવા લાગ્યાં. કપડાં ધોવાની હકીકત બની તે અગાઉ જેસલ તોળલને કચ્છનો અખાત હોડીમાં ઓળંગાવી અંજાર લઈ જતો હતો. દરિયામાં તોફાન થયું અને હોડી ડૂબવા લાગી તે વખતે તોળલે ઉપદેશ દઈ જેસલને અંધકારમાંથી જ્યોતિમાં આણ્યો. ‘બેડલી તારી બૂડવા નહીં દઉં.’ એવું ભજનોમાં છે અને કલાપીનો સંવાદ આ પ્રસંગ પર જ રચાયેલો છે. એટલે સધીરના ગામમાં નહીં પણ અંજારમાં કપડાં ધોવાયેલાં એ વૃત્તાંત વધારે સાચો લાગે છે. અંજારમાં જેસલને સહુ કોઈ ઓળખતાં એટલે ફિટકાર પણ સખ્ત વરસેલો.&lt;br /&gt;
જેસલની ગમે તેવી દુષ્ટ દાનત હશે તે પવિત્ર સાધ્વી તોળલના પરતા આગળ જીવી શકી નહીં. દંતકથા કહે છે કે સાસટીઆ જોડે એણે સંસાર નહોતો માંડ્યો તેમ જેસલના મુવા પછી કબરમાંથી એનું પુનરુત્થાન થયું ત્યારે જેસલ અને તોળલનાં લગ્ન થયાં હતાં છતાં એક ભજનમાં તોળલ ગર્ભવતી હતી એવું કહેલું છે. ચોક્કસ માહિતીની ગેરહાજરીમાં નિર્ણય કરવો મુશ્કેલ છે. માર્ગીપંથમાં સ્વામીનો પાટ મંડાય છે અને અનુયાયીઓને ત્યારે એકત્ર થવાનું નિમંત્રણ હોય છે. ગુરુએ પાટમાં આવવા બે નિમંત્રણ મોકલ્યાં જેસલ અને તોળલને. તોળલના ગર્ભમાં બાળક હતું. એવી સ્થિતિમાં એ જાય તો બે આમંત્રણના બદલામાં ત્રણ જણ ગયાં ગણાય. આવી અજુગતી વાત સાધ્વીથી શી રીતે થઈ શકે? કટારી કાઢી પેટ ચીર્યું અને ગર્ભસ્થ બાળકને બહાર કાઢી પડોશણને ઉછેરવા સોંપ્યું. – એક દંતકથા એવી છે કે આ સાસટીઆ કાઠીનું બાળક હતું – પાટમાં હાજર રહેવા જતાં જતાં વગડામાં આવી પહોંચ્યાં. ત્યાં વાંદરી પોતાનું બચ્ચું પેટે વળગાડી ડાળીએ કૂદતી હતી. રખેને આથી બચ્ચું પડી જાય એવી દહેશતથી તોળીએ વાંદરીને શિખામણ દીધી. વાંદરીને વાચા થઈ અને ઊલટું તેણે તોળીને પોતાનાં આત્મજનો ત્યાગ કરવા માટે સખત ઠપકો આપ્યો અને ત્યાગ અઘટતો અને અધર્મી હતો એવી સમજ પાડી. તોળલને ભાન થયું. બાળક સાંભર્યું. સ્તનમાંથી દૂધની શેરો ફૂટવા માંડી. કરેલા કર્મ માટે વિમાસણ કરતી પાછી વળી અને પડોશણ પાસેથી પોતાનું બાળક લીધું. અને વિશ્વક્રમનો સનાતન નિયમ ભક્તોના સંબંધમાં પણ પ્રવર્તે છે એ સત્ય સિદ્ધ કર્યું.&lt;br /&gt;
તાર, ટપાલ કે આગગાડીના સાધન વિનાના જમાનામાં જાત્રા કરનારા સાધુઓ દેશના એક છેડાથી બીજા છેડા સુધી વર્તમાન પહોંચાડવાનું કામ કરતા હતા. એમના દ્વારા જેસલ અને તોળલની ભક્તિની કીર્તિ દેશપ્રદેશમાં ફેલાતી ચાલી. મારવાડમાં માલદે (માલદેવ) અને તેની રાણી રૂપાંદેને કાને એ કીર્તિ પહોંચી અને કચ્છ કાઠિયાવાડના ભક્તોને મળવા મારવાડના ભક્તો ઉત્કંઠ થયા.&lt;br /&gt;
માલદે અને રૂપાંદે માર્ગીપંથી હતાં. એ પંથમાં પહેલી રૂપાંદે અનુષ્ટિત થઈ હતી. મધરાતે મહેલ છોડી ગુરુની આજ્ઞાથી સ્વામીના પાટમાં હાજર રહેવા તે જતી. જાગતા રહેલા રાજાએ તેને જતાં જોઈ એટલે તેને વહેમ પડ્યો અને તરવાર લઈ પાછળ પાછળ ગયો. પોતાના ધર્મના જોરથી રૂપાંદેએ રાજાને પરચો બતાવ્યો અને પંથમાં દાખલ કર્યો. એક ભજનમાં આ બનાવની સવિસ્તર વિગતો છે.&lt;br /&gt;
રૂપાંદેનાં રચેલાં ભજનોને ભજનસંગ્રહોમાં સ્થાન મળેલું છે. આ મારવાડણે ગુજરાતીમાં ભજનો લખ્યાં હશે? જામનગરની રાજસ્થાનમાં પરણેલી ગુજરાતી રાજકુંવરીની હિંદી કવિતા મહિલા મૃદુ વાણીમાં સંઘરાઈ છે. તેમ મારવાડી ભાષા બોલનારી રાણી પોતાના પંથમાં મોટા ક્ષેત્રમાં આવી કેટલાંક વર્ષો રહી હોય અને બીજા સાધુઓ અથવા તોળલના સંગથી ગુજરાતીમાં ભજન કર્યાં હોય. એનાં ભજનોમાં એના ગુરુનું નામ ઉજમશી છે. આ ગુરુ વિશે કાંઈ મારા જાણવામાં આવ્યું નથી. &lt;br /&gt;
સ્વામીના પાટમાં જેસલ, તોળલ અને માલદે રૂપાંદે મળ્યાં અને અન્યોન્યની ભક્તિ જોઈ પ્રસન્ન થયાં. આ પ્રસંગથી તેઓ વચ્ચે જીવનજાન સખ્ય બંધાયું. પાટની મુદત વીત્યે સૌ સૌને પંથે પડ્યાં.&lt;br /&gt;
કેટલાંક વર્ષો સાથે ભજન કરતાં ફરતાં ફરતાં જેસલ અને તોળલ વિખૂટાં પડ્યાં. જેસલ અંજાર ગયો. ત્યાં અચાનક એનો દેહ પડ્યો. એના શબને દાટી તે પર કબર ચણવામાં આવી. કહે છે કે હજુ આ કબર અંજારમાં મોજૂદ છે.&lt;br /&gt;
આ દુઃખદાયક બનાવના ખબર તોળલને તેમ જ માલદે રૂપાંદેને પડ્યા. સાંભળતાં જ હૈયાફાટ સૌ રોવા લાગ્યાં. તોળલ અંજાર ભણી ચાલી નીકળી. મારવાડથી માલદે અને રૂપાંદે પણ તોળલને આશ્વાસન આપવા અંજાર આવ્યાં. તોળલે એકતારો લઈ ભજન ગાઈ કબરમાંથી જેસલને સજીવન ઊભો કર્યો. આ ભજન ભજનસંગ્રહોમાં છે. માલદે અને રૂપાંદેએ જેસલ અને તોળલનાં લગ્ન કર્યાં. દંતકથા બે પ્રકારની છે. લગ્ન પછી કબરમાં દંપતી સમાઈ ગયાં અને બીજી એવી છે કે સંસાર ઘણાં વર્ષો લગી ચલાવ્યો.&lt;br /&gt;
અદ્ભુત ભક્તિના રંગથી રંગેલા તોળલના જીવનની દંતકથા ચમત્કાર આદિ સંક્ષેપમાં લખ્યાં છે. ઐતિહાસિક સત્ય તારવી કાઢવું બની શક્યું નથી તેમ એમનાં સ્થળ–કાલનો નિર્ણય પણ થઈ શક્યો નથી. માર્ગીપંથના લખેલાં કે કંઠસ્થ દફતરોમાં આ ભક્તાણીના જીવનના પ્રસંગો નોંધાયેલા હોય અને એમની સહાનુભૂતિ મેળવી કોઈ એ પ્રસંગો પ્રગટ કરી એમાં સમાયેલા ચમત્કારનો નિરાસ કરે તો ગુજરાતી સાહિત્યની સેવા કરી ગણાશે.&lt;br /&gt;
મીરાંબાઈ આપણી આદ્ય અને શ્રેષ્ઠ કવિયાણી છતાં તળ ગુજરાતની આગેવાન ભક્તાણી તો તોળીરાણી જ. બન્નેમાં કવનમાં રહેલી ભક્તિ જુદા પ્રકારની છે. મીરાં કૃષ્ણભક્ત હોઈ ગોપીભાવે ભજન ગાઈ રહી છે. તોળીરાણીનાં પદોમાં પાપીઓને ચાબખા છે. અને સંસારનું વાસ્તવ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષને માર્ગે શી રીતે વળવું તેનો ઉપદેશ છે. ગોપીગીતોની મૃદુતા અને મીઠાશ જેટલી મીરાંની કવિતામાં છે તેટલી તોળલની કવિતામાં નથી પણ સાટે ચાબખાનો મરાદામી સૂર છે— પાપીના આત્માને હલમલાવી નાખતી ગર્જના છે. એ સાંભળવાનું ભાગ્ય કાઠિયાવાડ ભજનમંડળીમાં ગયા વિના પ્રાપ્ત નથી થતું છતાં ‘ગ્રામોફોનના રેકર્ડ’ મારફતે હવે ઘરેઘર એ સાંભળવાનો સુયોગ આવેલો છે.&lt;br /&gt;
માર્ગીપંથની બે ભક્તાણી તોળીરાણી અને રૂપાંદે ઉપરાંત લીલમબાઈ(લીળલદે) નામની રાઠોડ કુળમાં થઈ ગઈ છે. તેના સંબંધમાં કાંઈ મારા જાણવામાં નથી આવ્યું. આ લેખના પરિશિષ્ટમાં રૂપાંદે અને લીળલદેનાં ભજનોની વાનગી આપવામાં આવી છે. પ્રાચીન કાવ્યમાળા ને બૃહત્કાવ્યદોહનના પ્રકાશકો તથા રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળથી પ્રસિદ્ધિમાં આવેલી ગુર્જર કવિયાણીઓના વર્ગમાં તોળલ, રૂપાંદે અને લીળલદેને આ લેખથી સ્થાન મળશે તો કૃતકૃત્ય થઈશ.&lt;br /&gt;
કર્ણપરંપરાએ સાંભળેલી વાતોમાં દોષ પ્રવેશ પામ્યા હોય, પ્રસંગો ઉકેલવામાં ભૂલ થઈ હોય તો સુજ્ઞોને તે દૂર કરવા વિનંતી છે.&lt;br /&gt;
તા. ક. લેખ લખતી વેળા એકે ભજનસંગ્રહ મારી પાસે નહોતો તેમ તરતમાં મેળવી શકાય એવું નહોતું. એટલે ભજનોમાંથી નિર્દેશક ઉતારા અપાયા નથી તેમ કેટલીક વાતો અધૂરી અથવા ટૂંકામાં પતાવવી પડી છે. આ લેખથી કોઈ બંધુમાં જિજ્ઞાસા જાગશે અને વાસ્તવ હકીકત મેળવવા તે પ્રવૃત્ત થશે તો આ પ્રયાસમાં રહેલી ખામીઓનું સાટું વળી જશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|રૂપાંદેનાં ભજનો}}&lt;br /&gt;
{{center|[૧]}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;રાઓળ માલા, આ દિલ ખોજો તો,&lt;br /&gt;
{{gap|6em}}માયલાની વણજુ હો જી,&lt;br /&gt;
સાચાં મારાં બેલીડાં હાં,&lt;br /&gt;
નિગ્યારો ધરમ પાળો હે જોગારામ સાધુ હો જી.&lt;br /&gt;
રાઓળ માલા, કોઈ દિન દાતા ને કોઈ દિન ભોગતા :&lt;br /&gt;
એવો કોઈ દિન બાલુડે વેશ રે...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા તાંત વિનાનાં તુંબા કેમ કરી બોલે હો જી,&lt;br /&gt;
એવા કંઠ રે વિનાનાં કેસાં ગાણાં રે...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા પારકાં રૂપ દેખી તમે,&lt;br /&gt;
{{gap|6em}}માંયલાને મત રે ડગાવો હો જી,&lt;br /&gt;
તમે જીતી રે બાજી જાશો હારી હો...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા પારકા ખેતરમાં તમે,&lt;br /&gt;
{{gap|6em}}બીજ મત વાવો હો જી,&lt;br /&gt;
તમે વાવ્યા રે પછી તો પસ્તાશો...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા ભખમ નારી વાંકો સંગ મત કરનાં હો જી,&lt;br /&gt;
એને હાથ રે જોડી અળગા રે’ના...રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા જ્ઞાન હીણાને તમે ગુરુ મત કરજો હો જી,&lt;br /&gt;
એવા સુરતા વિનાના કેવા ચેલા... રાઓળ માલા ૦&lt;br /&gt;
રાઓળ માલા ઉગમશીની ચેલી,&lt;br /&gt;
{{gap|6em}}રાણી રૂપાંદે બોલ્યાં હો જી,&lt;br /&gt;
મારાં સાધુડાં અમરાપુરમાં માલે...રાઓળ માલા ૦&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|[ર]}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;નર રે નુગરાની સાથે નેડલો ન કરીએ જી,&lt;br /&gt;
મારા વિશ્વાસી નરને મા વેડો મારા રાજ રે. નર રે ૦&lt;br /&gt;
હંસલા ને બગલો બે એક જ વરણાં રે,&lt;br /&gt;
એ તો બેઠા સરોવરીઆની પાળ, મારા રાજ રે,&lt;br /&gt;
હંસલાને જોઈએ સાચાં મોતીડાનો ચારો જી,&lt;br /&gt;
ઓલો બગલો બેઠો રે દુવાસ મારા રાજ રે નર રે ૦&lt;br /&gt;
ધણી રે નામનો પાટ મંડાશે રે જી,&lt;br /&gt;
જળહળ જોત્યું વરસાશે મારા રાજ રે...નર રે ૦&lt;br /&gt;
સાચખોટ બોલે ને ચાલે બજારમાં રે હો જી,&lt;br /&gt;
એ તો કુડીઆં મંદિરીઆમાં માણે મારા રાજ રે...નર રે ૦&lt;br /&gt;
ઉગમશીની ચેલી રૂપાંદે રાણી બોલીઆં રે હો જી,&lt;br /&gt;
મારા સાધુડા તો અમરપુરામાં માલે. મારા રાજ રે...નર રે.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|લીળલદેનાં ભજનો}}&lt;br /&gt;
{{center|[૧]}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;એવાં પુરાં રે મળે તો રાવો રેડીએ હો જી,&lt;br /&gt;
એવાં અધૂરીઆંએ જાય આપણો તોલ, મારી બેનું રે. એવાં૦&lt;br /&gt;
એ તો ખાડા ખાબોચિયાની દેડકડી હો જી,&lt;br /&gt;
એ શું જાણે સમુદરીઆની લેર મારી બેનું રે. એવાં૦&lt;br /&gt;
એવી કૂવાની છાયા તો કૂવામાં વીસમી જી,&lt;br /&gt;
એવી તસ્કરની મા ખૂણે બેસી રૂએ. મારી બાયું રે, એવાં૦&lt;br /&gt;
એવા દુરિજન ને મોઢે શાહીયું ઢળે હો જી.&lt;br /&gt;
મારા હરિજનને મુખડે વરસે નૂર, મારી બાયું રે. એવાં૦&lt;br /&gt;
એવા દુરિજન આડા ડુંગર દવ જલે હો જી.&lt;br /&gt;
એવા હરિજનને વસીએ મુખોમુખ, મારી બાયું રે. એવાં૦&lt;br /&gt;
એવા રાઠોડ કુળમાં લીળલદે બોલીયાં રે,&lt;br /&gt;
દેજો દેજો સાધુ ચરણમાં વાસ, મારી બાયું રે એવાં૦&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|[૨]}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;હાં હાં રે ગુરુજી સતની વેલડીએ,&lt;br /&gt;
{{gap|3em}}આવાં રૂડાં દતફલ રે લાગ્યાં રે હાં. સતની.&lt;br /&gt;
બીજ વરતી, બીજ જાણી, વાવી છે વિશ્વાસ વાણી.&lt;br /&gt;
કરણીના ક્યારા, વાયાં પ્રેમહુંદાં પાણી. ગુરુજી૦&lt;br /&gt;
ઊગી છે અમરવેલી, જેના મૂળ તો પીયાળે પેલી,&lt;br /&gt;
ફાલીને કાંઈ ફૂલી નિજીયા ધરમની એ વેલી. ગુરુજી૦&lt;br /&gt;
પ્રથમ તો પ્રલાદે જાણી, હરિચંદ્ર ને તારા રાણી.&lt;br /&gt;
પાંચ પાંડવ દ્રૌપદી, રાજા બળને ઓળખાણી. ગુરુજી૦&lt;br /&gt;
ભાઈલાનાં ભાગ્ય જાગ્યાં, વેલડીએ દતફલ લાગ્યાં,&lt;br /&gt;
મૂળનાં કાંઈ માલે, અમરાપરથી આઘાં. ગુરુજી૦&lt;br /&gt;
ભાઈલા તમે ભાવ રાખો, ડાળ મેલી ફળ ચાખો,&lt;br /&gt;
બોલીયાં લીળલદે, ગુરુ ચરણમાં રાખો. ગુરુજી૦&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ખવાસણ&lt;br /&gt;
|next = તેજસિંહ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
</feed>