ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલંકાર અલંકારભેદ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">અલંકાર અને અલંકારભેદ : अलङ्कार શબ્દ अलम् અને...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">અલંકાર અને અલંકારભેદ : अलङ्कार શબ્દ अलम् અને कार એ બે શબ્દોના યોગથી બન્યો છે. જેનો અર્થ છે શોભાકારક પદાર્થ. अलङ्करोति इति अलङ्कारः – જે શોભા જન્માવે છે તે અલંકાર. આચાર્ય વામને કદાચ સર્વપ્રથમ ‘અલંકાર’ના સીમિત અને વ્યાપક એમ બંને અર્થો આપ્યા છે. વામનનું એક સૂત્ર છે : काव्यं ग्राह्यमलङ्कारात् – કાવ્યનું ગ્રહણ અલંકારથી થાય છે અને બીજું સૂત્ર છે : सौन्दर्यमसङकार :। સૌન્દર્ય એ અલંકાર છે. આથી આનંદવર્ધનના પૂર્વાચાર્યોને આપણે કાવ્યાલંકારવાદી અથવા કાવ્યસૌન્દર્યવાદી કહીશું. કાવ્ય અને તેનો અલંકાર એ બે તેમને મન મુખ્ય વિગતો હતી. કાવ્યને કોઈ તત્ત્વ શોભાવે તે તેનો અલંકાર બની રહેતું પછી તેમાં ગુણ, રીતિ, વૃત્તિ અને રસનો પણ સમાવેશ થઈ જતો.
<span style="color:#0000ff">'''અલંકાર અને અલંકારભેદ'''</span> : अलङ्कार શબ્દ अलम् અને कार એ બે શબ્દોના યોગથી બન્યો છે. જેનો અર્થ છે શોભાકારક પદાર્થ. अलङ्करोति इति अलङ्कारः – જે શોભા જન્માવે છે તે અલંકાર. આચાર્ય વામને કદાચ સર્વપ્રથમ ‘અલંકાર’ના સીમિત અને વ્યાપક એમ બંને અર્થો આપ્યા છે. વામનનું એક સૂત્ર છે : काव्यं ग्राह्यमलङ्कारात् – કાવ્યનું ગ્રહણ અલંકારથી થાય છે અને બીજું સૂત્ર છે : सौन्दर्यमसङकार :। સૌન્દર્ય એ અલંકાર છે. આથી આનંદવર્ધનના પૂર્વાચાર્યોને આપણે કાવ્યાલંકારવાદી અથવા કાવ્યસૌન્દર્યવાદી કહીશું. કાવ્ય અને તેનો અલંકાર એ બે તેમને મન મુખ્ય વિગતો હતી. કાવ્યને કોઈ તત્ત્વ શોભાવે તે તેનો અલંકાર બની રહેતું પછી તેમાં ગુણ, રીતિ, વૃત્તિ અને રસનો પણ સમાવેશ થઈ જતો.
ભરતમાં ઉપમા, દીપક, રૂપક અને યમક આ ચાર અલંકારોનો ઉલ્લેખ નાટ્યના પાઠ્ય વગેરે અલંકારો અંતર્ગત ‘કાવ્યાલંકાર’ને સમજાવતી વખતે થયો છે. અલંકારોનાં મૂળ ભરતે આપેલાં ૩૬ નાટ્યલક્ષણોમાં છે. લક્ષણોના સંમિશ્રણથી જ અલંકારો અને અલંકારભેદ ઉત્પન્ન થયા છે. ભટ્ટ તૌત કહે છે તેમ લક્ષણોના બળથી અલંકારમાં સૌન્દર્ય જન્મે છે. પાછળથી આ લક્ષણો અલંકારોના જન્મદાતા હોવા છતાં વિસ્મૃત થયાં છે.
ભરતમાં ઉપમા, દીપક, રૂપક અને યમક આ ચાર અલંકારોનો ઉલ્લેખ નાટ્યના પાઠ્ય વગેરે અલંકારો અંતર્ગત ‘કાવ્યાલંકાર’ને સમજાવતી વખતે થયો છે. અલંકારોનાં મૂળ ભરતે આપેલાં ૩૬ નાટ્યલક્ષણોમાં છે. લક્ષણોના સંમિશ્રણથી જ અલંકારો અને અલંકારભેદ ઉત્પન્ન થયા છે. ભટ્ટ તૌત કહે છે તેમ લક્ષણોના બળથી અલંકારમાં સૌન્દર્ય જન્મે છે. પાછળથી આ લક્ષણો અલંકારોના જન્મદાતા હોવા છતાં વિસ્મૃત થયાં છે.
આલંકારિક ભામહે કાવ્યનું કે અલંકારનું કોઈ લક્ષણ આપ્યું નથી પણ અલંકારની ચર્ચા કરતાં અતિશયોક્તિ અલંકારની ચર્ચા દરમ્યાન અલંકારોમાં રહેલા અલંકારત્વ – સૌન્દર્યના તત્ત્વ વિશે તેમણે ઊહાપોહ કર્યો છે. ભામહને મન આ અતિશયોક્તિ = વક્રોક્તિમાં = ‘वाचालङ्कृति’માં સઘળું આવી ગયું છે. કવિની વાણી વક્રોક્તિથી સભર હોવી જોઈએ. આના વગર વળી કયો અલંકાર અલંકાર થઈ શકે? कोडलङ्कारोडनयाविना? લોકોત્તરવર્ણના આ વક્રતાને જ આભારી છે. ટૂંકમાં, વક્રોક્તિ એ લૌકિક અર્થનું વિભાવન છે એટલેકે વિભાવરૂપે પરિવર્તન છે. એમાંથી કાવ્યસૌન્દર્ય સર્જાય છે. ટૂંકમાં, ભામહને વક્રોક્તિ દ્વારા કાવ્યનું કાવ્યત્વ અને અલંકારનું અલંકારત્વ અભિપ્રેત છે. વક્રતારહિત અલંકારોને તેઓ વાર્તા જ ગણે છે.
આલંકારિક ભામહે કાવ્યનું કે અલંકારનું કોઈ લક્ષણ આપ્યું નથી પણ અલંકારની ચર્ચા કરતાં અતિશયોક્તિ અલંકારની ચર્ચા દરમ્યાન અલંકારોમાં રહેલા અલંકારત્વ – સૌન્દર્યના તત્ત્વ વિશે તેમણે ઊહાપોહ કર્યો છે. ભામહને મન આ અતિશયોક્તિ = વક્રોક્તિમાં = ‘वाचालङ्कृति’માં સઘળું આવી ગયું છે. કવિની વાણી વક્રોક્તિથી સભર હોવી જોઈએ. આના વગર વળી કયો અલંકાર અલંકાર થઈ શકે? कोडलङ्कारोडनयाविना? લોકોત્તરવર્ણના આ વક્રતાને જ આભારી છે. ટૂંકમાં, વક્રોક્તિ એ લૌકિક અર્થનું વિભાવન છે એટલેકે વિભાવરૂપે પરિવર્તન છે. એમાંથી કાવ્યસૌન્દર્ય સર્જાય છે. ટૂંકમાં, ભામહને વક્રોક્તિ દ્વારા કાવ્યનું કાવ્યત્વ અને અલંકારનું અલંકારત્વ અભિપ્રેત છે. વક્રતારહિત અલંકારોને તેઓ વાર્તા જ ગણે છે.
Line 21: Line 21:
૬, લોકન્યાયમૂલક અલંકારો : પ્રત્યનીકથી માંડીને ઉત્તરાલંકાર સુધીના ૭ અલંકારો આ વર્ગમાં સમાવિષ્ટ થાય છે. લોકવ્યવહારમાં પ્રચલિત અને પ્રસિદ્ધ ન્યાય ઉપર આધારિત અલંકારો આ વર્ગમાં આવે છે. જેમકે, બળવાન શત્રુને હાનિ પહોંચાડવી અશક્ય હોય તો તેના સંબંધીને સતાવવામાં આવે એવો વ્યવહાર પ્રચલિત છે. પ્રત્યનીકનું આ પ્રકારનું સ્વરૂપ છે. વિનોક્તિને પણ આ વર્ગમાં મૂકી શકાય.  
૬, લોકન્યાયમૂલક અલંકારો : પ્રત્યનીકથી માંડીને ઉત્તરાલંકાર સુધીના ૭ અલંકારો આ વર્ગમાં સમાવિષ્ટ થાય છે. લોકવ્યવહારમાં પ્રચલિત અને પ્રસિદ્ધ ન્યાય ઉપર આધારિત અલંકારો આ વર્ગમાં આવે છે. જેમકે, બળવાન શત્રુને હાનિ પહોંચાડવી અશક્ય હોય તો તેના સંબંધીને સતાવવામાં આવે એવો વ્યવહાર પ્રચલિત છે. પ્રત્યનીકનું આ પ્રકારનું સ્વરૂપ છે. વિનોક્તિને પણ આ વર્ગમાં મૂકી શકાય.  
૭, ગૂઢાર્થપ્રતીતિમૂલક અલંકારો : સૂક્ષ્મથી માંડીને ઉદાત્ત સુધીના અલંકારો આ વર્ગમાં આવે છે. આ અલંકારોમાં નિગૂઢ અર્થ રહેલો હોય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અર્થ જે ઇંગિત કે આકારથી જ કલ્પી શકાય તેવો હોય છે, વ્યાજોક્તિમાં ગહન – છુપાવવાની વિગત હોય છે. વક્રોક્તિમાં એક શબ્દને બે રીતે સમજવામાં નિગૂઢાર્થ હોય છે. સ્વભાવોક્તિમાં કવિદૃગ્ગોચર એવું સ્વભાવવર્ણન હોય છે. ભાવિકનું વર્ણ્ય અતીત અને ભવિષ્યનું હોય છે આથી સ્વાભાવિકપણે જ એમાં નિગૂઢતા રહેલી છે. ઉદાત્તમાં કવિકલ્પિત જ્ઞાન હોય છે. આ અલંકારો અનુભૂતિની વિશેષ નજીક છે.  
૭, ગૂઢાર્થપ્રતીતિમૂલક અલંકારો : સૂક્ષ્મથી માંડીને ઉદાત્ત સુધીના અલંકારો આ વર્ગમાં આવે છે. આ અલંકારોમાં નિગૂઢ અર્થ રહેલો હોય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અર્થ જે ઇંગિત કે આકારથી જ કલ્પી શકાય તેવો હોય છે, વ્યાજોક્તિમાં ગહન – છુપાવવાની વિગત હોય છે. વક્રોક્તિમાં એક શબ્દને બે રીતે સમજવામાં નિગૂઢાર્થ હોય છે. સ્વભાવોક્તિમાં કવિદૃગ્ગોચર એવું સ્વભાવવર્ણન હોય છે. ભાવિકનું વર્ણ્ય અતીત અને ભવિષ્યનું હોય છે આથી સ્વાભાવિકપણે જ એમાં નિગૂઢતા રહેલી છે. ઉદાત્તમાં કવિકલ્પિત જ્ઞાન હોય છે. આ અલંકારો અનુભૂતિની વિશેષ નજીક છે.  
ચિત્તવૃત્તિમૂલક અલંકારો એવો અલગ વર્ગ રુય્યકે નામત : આપ્યો નથી. પણ રસાદિઓ ચિત્તવૃત્તિવિશેષો છે અને આથી રસવત્થી માંડીને ભાવશબલતા સુધીના અલંકારોનો આમાં સમાવેશ થાય છે. આ અલંકારોમાં હૃદયસંવાદ સધાય છે. તે પછી અવર્ગીકૃત અલંકારો સંકર (નીરક્ષીરન્યાયે) અને સંસૃષ્ટિ (તિલતંડુલન્યાયે)ને મિશ્રાલંકારોમાં સમાવવા જોઈએ.  
ચિત્તવૃત્તિમૂલક અલંકારો એવો અલગ વર્ગ રુય્યકે નામત : આપ્યો નથી. પણ રસાદિઓ ચિત્તવૃત્તિવિશેષો છે અને આથી રસવત્થી માંડીને ભાવશબલતા સુધીના અલંકારોનો આમાં સમાવેશ થાય છે. આ અલંકારોમાં હૃદયસંવાદ સધાય છે. તે પછી અવર્ગીકૃત અલંકારો સંકર (નીરક્ષીરન્યાયે) અને સંસૃષ્ટિ (તિલતંડુલન્યાયે)ને મિશ્રાલંકારોમાં સમાવવા જોઈએ.  
અલંકારોના શબ્દાર્થમૂલકત્વ માટે આલંકારિકોમાં બે સિદ્ધાંત પ્રવર્તિત છે : આશ્રયાશ્રયીભાવ અને અન્વયવ્યતિરેકભાવ. આશ્રયાશ્રયીભાવસિદ્ધાંત રુય્યક, વિદ્યાનાથ વગેરે સ્વીકારે છે. અન્વયવ્યતિરેકનો સિદ્ધાંત મમ્મટ, વિશ્વનાથ વગેરે સ્વીકારે છે. જે અલંકાર જેના ઉપર આશ્રિત હોય તે તેનો અલંકાર કહેવાય. શબ્દ પર આશ્રિત હોય તો શબ્દનો અને અર્થ પર હોય તો અર્થનો તથા બંને પર આશ્રિત હોય તો ઉભયનો. આથી શબ્દાલંકારોનો વિભાગ કરતી વખતે આશ્રયાશ્રયીભાવને ધ્યાનમાં રાખવો આવશ્યક છે. જે સંયોગ સંબંધ પર આધારિત છે જેમકે કુંડળને કાનનું અને નૂપુરને ચરણનું આભૂષણ માનવામાં આવે છે.  
અલંકારોના શબ્દાર્થમૂલકત્વ માટે આલંકારિકોમાં બે સિદ્ધાંત પ્રવર્તિત છે : આશ્રયાશ્રયીભાવ અને અન્વયવ્યતિરેકભાવ. આશ્રયાશ્રયીભાવસિદ્ધાંત રુય્યક, વિદ્યાનાથ વગેરે સ્વીકારે છે. અન્વયવ્યતિરેકનો સિદ્ધાંત મમ્મટ, વિશ્વનાથ વગેરે સ્વીકારે છે. જે અલંકાર જેના ઉપર આશ્રિત હોય તે તેનો અલંકાર કહેવાય. શબ્દ પર આશ્રિત હોય તો શબ્દનો અને અર્થ પર હોય તો અર્થનો તથા બંને પર આશ્રિત હોય તો ઉભયનો. આથી શબ્દાલંકારોનો વિભાગ કરતી વખતે આશ્રયાશ્રયીભાવને ધ્યાનમાં રાખવો આવશ્યક છે. જે સંયોગ સંબંધ પર આધારિત છે જેમકે કુંડળને કાનનું અને નૂપુરને ચરણનું આભૂષણ માનવામાં આવે છે.  
અન્વયવ્યતિરેક એટલે જેના અસ્તિત્વથી જે રહે, જેના હોતાં જે રહે અને વ્યતિરેક એટલે જેના અભાવમાં કોઈ વસ્તુ ન રહે. દંડચક્રના અસ્તિત્વથી જ ઘડાની ઉત્પત્તિ થાય છે. આમ શબ્દવિશેષના રહેવાથી અથવા ન રહેવાથી અલંકારવિશેષ રહે કે ન રહે તો તે શબ્દાલંકાર કહેવાય અને શબ્દપરિવર્તન કરવા છતાં પણ અલંકાર રહે તો તે અર્થાલંકાર કહેવાય.  
અન્વયવ્યતિરેક એટલે જેના અસ્તિત્વથી જે રહે, જેના હોતાં જે રહે અને વ્યતિરેક એટલે જેના અભાવમાં કોઈ વસ્તુ ન રહે. દંડચક્રના અસ્તિત્વથી જ ઘડાની ઉત્પત્તિ થાય છે. આમ શબ્દવિશેષના રહેવાથી અથવા ન રહેવાથી અલંકારવિશેષ રહે કે ન રહે તો તે શબ્દાલંકાર કહેવાય અને શબ્દપરિવર્તન કરવા છતાં પણ અલંકાર રહે તો તે અર્થાલંકાર કહેવાય.  
આમ રુય્યકે રુદ્રટને અનુસરીને અલંકારોના નવીન અને વૈજ્ઞાનિક વર્ગીકરણની કાવ્યશાસ્ત્રને ભેટ ધરી છે. થોડા ફેરફારો સાથે વિદ્યાધરથી માંડીને જગન્નાથ પર્યંતના આલંકારિકો વર્ગીકરણમાં રુય્યકનો જ અભિગમ અપનાવે  છે.
આમ રુય્યકે રુદ્રટને અનુસરીને અલંકારોના નવીન અને વૈજ્ઞાનિક વર્ગીકરણની કાવ્યશાસ્ત્રને ભેટ ધરી છે. થોડા ફેરફારો સાથે વિદ્યાધરથી માંડીને જગન્નાથ પર્યંતના આલંકારિકો વર્ગીકરણમાં રુય્યકનો જ અભિગમ અપનાવે  છે.
{{Right|પા.માં.}}
{{Right|પા.માં.}}
{{Poem2close}}
{{Poem2Close}}
<br>
 
 
{{HeaderNav2
|previous = અલંકરણ 
|next =અલંકારધ્વનિ 
}}
<br>
<br>
26,604

edits